માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’
માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’
Posted in ગઝલ | ટૅગ્સ:Daxesh Contractor'Chatak'
વિલાપ આવે છે…. — સિકંદર મુલતાની
વિલાપ આવે છે…. — સિકંદર મુલતાની
.
પ્રેમમાં ક્યાં મિલાપ આવે છે ?
રાત – દી’નો વિલાપ આવે છે !
.
માન આભાર , બસ દુ:ખોનો તું ,
મન મહીં જાપ – વાપ આવે છે !
.
ભીતરે સળવળે નહીં કંઈ પણ ,
માનવું કેમ ? સાપ આવે છે !
.
બદદુવા.. હાય , દિલ થકી નીકળે ,
હોઠ પર શ્રાપ – વ્રાપ આવે છે !
.
કેટલું સબડવું પડે નિત નિત ?
મોત ક્યાં ચૂપચાપ આવે છે ?
.
ઓસ સમ ઓળઘોળ થઈ જાશું ,
ભોર લઈ , સૂર્ય – તાપ આવે છે !
.
વાક્ય અમથું લખે ‘ સિકંદર ‘ ‘ને –
કો’ ગઝલની જ છાપ આવે છે !
(Facebook wall..sikander Multani)
Posted in ગઝલ | ટૅગ્સ:Sikander Multani
વતન વિચ્છેદની પીડાનો પર્યાય:આદિલ મન્સૂરી—–શકીલ કાદરી
વતન વિચ્છેદની પીડાનો પર્યાય:આદિલ મન્સૂરી—–શકીલ કાદરી
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Qadri
ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી
ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી
ઝાર રાંદેરી લખે છે , “જેવી રીતે બંને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણી જ સરસ રીતે ઊડી શકે છે , અને બંને પગ સપ્રમાણ ગતિવાળા હોય તો માણસ સરળ અને સુંદર રીતે ચાલી શકે છે , તેવી જ રીતે અક્ષરોની સપ્રમાણ અને તાલમય રચના વડે માણસની લાગણી અને બુદ્ધિ ઉપર જાદુઈ અસર થાય છે”
શેષનાગની ફેણ ઉપર પૃથ્વી છે , એવી પ્રાચીન ભારતીય માન્યતામાં સમતુલાનું મહત્ત્વ જ દર્શાવાયું છે . ટૂંકમાં , ઈશ્વરની સૃષ્ટિનો આધાર સમતુલા અને નિયત ગતિશીલતા એ બંને પર , નિર્ભર છે . ઇશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તેમ કવિ પણ તેની કાવ્યરચના પુરતો સૃષ્ટા છે , તેથી , તેના સર્જન-ગઝલમાં નિયત ગતિશિલતા, સમતુલા, સપ્રમાણતા અને તાલબદ્ધતા હોય એ સ્વાભાવિક જ છે. ગઝલમાં સપ્રમાણતા, નિયત ગતિશિલતા, લયબદ્ધતા અને સમતુલા સિદ્ધ થાય છે, છંદના કારણે – પિંગળના કારણે. ગઝલને છંદ સાથે અભિન્ન સંબંધ છે. છંદ વિનાની – અછાંદસ કવિતા લખી શકાય , પણ છંદ વિનાની, અછાંદસ ગઝલ, ગઝલ નામ ૧૪ સ્વીકારી શકે નહી. ગઝલ શબ્દરૂપ ધારણ કરતાં પહેલા લયરૂપે, દર્દરૂપે, અકળવેદનારૂપે ગઝલકારના મનમાં ઘૂંટાય છે, એ પછી જ તે શબ્દરૂપ ધારણ કરે છે. અમૃત ઘાયલે યોગ્ય જ લખ્યું છે-
“પૂછ મા! કયાં કયાં ખાસ પૂગી છે,
મોતી સમજીને રેત ચૂગી છે,
કૈક કીધાં ઊજાગરા ‘ઘાયલ’
આ ગઝલ માંડ ત્યારે ઊગી છે”
છંદ અને લયમાં શબ્દોને , વિચારોને ઝંકૃત કરવાનું ગજબનું સામર્થ્ય હોય છે. છંદ એ સંગીતનું પણ ઉપકરણ છે. ગઝલમાં સંગીતમયતા અને ગેયતા લાવવા માટે કોઇને કોઇ રૂપે છંદ નિયોજનની આવશ્યકતા રહે જ છે , એવી કવિ મિત્ર ડો . રશીદ મીરની માન્યતામાં તથ્ય રહેલું છે ખરું. છંદોબદ્ધ કવિતા મનને આનંદ આપે છે, મનને તે અવર્ણનીય અનુભવ કરાવે છે. સમાધિમાં લીન સાધકને જેવો આનંદ પ્રાપ્ત થાય, એવો અનુભવ છંદ ભાવકને કરાવે છે. સુંદરમે લખ્યું છે –
“છંદ
એટલે કે આનંદ આપવો
તૃપ્તિ કરવી
વાણીએ
છંદનો આધાર લઇને
કેટલું કેટલું સૌંદર્ય,
રસ,
આનંદ સર્જયાં છે !
માનવના આ
મહાસાથીને
આપણે
જેટલો વધુ સાથે રાખીશું.
વધુ સમજીશું,
વધુ અનુભવીશું,
માણીશું
તેટલી આપણી
આનંદની સમૃદ્ધિ
વધુ ને વધુ માતબર બનશે.
પિંગળ ગઝલરચના માટે અનિવાર્ય છે, એટલે જ ડૉ. રશીદ મીર હામિદ ઉલ્લાહ અફસરને એમ કહેતાં ટાંકે છે કે, “છંદોબદ્ધ કાવ્ય પ્રભાવશાળી હોય છે, અને પ્રભાવકતા શેઅરનો સર્વોત્તમ ગુણ છે . શેઅરને પોતાના સર્વોત્તમ ગુણથી વંચિત થવું એ શેરિયતથી વંચિત થવું છે, તેથી શેઅર માટે વજન અનિવાર્ય છે.” વિષણુપ્રસાદ ત્રિવેદી છંદના મહત્ત્વનો સ્વીકાર આ રીતે કરે છે, “જેની અર્થ ઉપર ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી, તે કવિ નથી. જેને ભાષા વિષયક કે છંદ વિષયક આગ્રહ નથી, તે સાચો કળાકાર નથી , “ડો . હરિવલ્લભ ભાયાણી કહે છે , “કાવ્યના ઘટક તત્ત્વો સચેતન, જીવંત હોવા જોઈએ, છંદને ન માનનારો વર્ગ તેના દઢ બંધનોને કારણે છૂટકારો મેળવનારો ગણી શકાય.” છંદ વિનાની કવિતા ભાવકને આકર્ષી શકતી નથી. છંદોને કારણે કવિતામાં પ્રવાહિતા, લયાત્મકતા, સંગીતમયતા, ગેયતા અને સૌષ્ઠવ આવે છે. સરળ છંદોને
કારણે જ કોઇ ગઝલ સહેલાઈથી યાદ રહી જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે, છંદ ભાવકના મન પર એક પ્રભાવ પાડે છે. જ્યારે કવિના મનમાં છંદોબદ્ધ કાવ્ય સ્ફુરતું હોય છે, ત્યારે કવિના મનની સ્થિતિ, કવિતા રચનાપ્રક્રિયાની ક્ષણ વિશે ભણકારા કાવ્યમાં બ. ક. ઠાકોર કહ્યું છે, તેમ, મરીઝ પણ લખે છે :
“કાયમ રહી જે જાય તો પયગમ્બરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.”
છંદોબદ્ધ કાવ્ય એ તો પ્રેરણાનો વિષય છે. છતાં ડો . હરિવલ્લભ ભાયાણી નોંધે છે, “અમુક વર્ગ એકમોની નિયત કાલાન્તરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ.” કાંતિલાલ કાલાણી યોગ્ય રીતે જ કહે છે, “છંદ એ સ્વયં કાવ્ય નથી જ, છંદ તો કાવ્ય રચવા માટે લઘુ-ગુરુના જોડકાંનું કે માત્રાઓનું ગણિત આપે છે. છંદને લધુ-ગુરના જોડકાઓનું કે માત્રાઓનું ગણિત ગણવામાં આવ્યું છે, પણ, ગણિત જેવા પ્રયાસને તેમાં સ્થાન નથી તે અનાયાસે સિદ્ધ થાય છે.
(‘ગઝલનું પિંગળશાસ્ત્ર’માંથી)
copied..Facebook page Shakeel Qadri
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Qadri
તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’
તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’
.
દુઆ રઝળી ગઈ છે,દવા બેઅસર છે;
મને દોસ્ત, મારી દશાની ખબર છે.
.
સુરાલયમાં સાકી પીધા પછી પણ;
વરસતી છે આંખો,તરસ્યા અધર છે.
.
સડક પર રહી તાકુ અચરજથી જેને;
કહે છે મને સૌ ,આ તારું જ ઘર છે.
.
છે બંને તરફથી ઉપેક્ષા પરંતુ;
ખુદાથી વધારે આ દુનિયાનો ડર છે.
.
પડી છે ગતિ મારા શ્વાસોની ધીમી;
થકાવટ નથી પણ ઝુકેલી કમર છે.
.
એ કહેવાયું છે જિંદગી ચાર દી’ની;
-ને આ ચાર દી’ બહુ લાંબી સફર છે.
.
દુહાઈ ન ઈન્સાફ ની દો ઓ”નાશાદ”;
અહીં ન્યાય કેવળ અગર ને મગર છે.
Posted in ગઝલ | ટૅગ્સ:Gulam Abbas'Nashad"
अयोध्या मामले पर सुप्रीम कोर्ट का फ़ैसला भी सवालों से परे नहीं: डॉ.फैज़ान मुस्तफ़ा
अयोध्या मामले पर सुप्रीम कोर्ट का फ़ैसला भी सवालों से परे नहीं: डॉ.फैज़ान मुस्तफ़ा
Posted in ગઝલ | ટૅગ્સ:Ravish Kumar
વફા હોય છેજ ક્યાં?…..એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahi
ગઝલમાં ગુલતાન!……મણિકાન્ત
બધું સચવાય છે……અઝીઝ ટંકારવી
બધું સચવાય છે……અઝીઝ ટંકારવી
Posted in ગઝલ | ટૅગ્સ:Aziz Taankarvi
The Ayodhya Judgment is Going to Change India’s Politics
The Ayodhya Judgment is Going to Change India’s Politics
Posted in Article | ટૅગ્સ:Arifa Khanam
કબીરની ઓળખ …….શકીલ કાદરી
કબીરની ઓળખ …….શકીલ કાદરી
.
તરત હું પામી ગયો તારા હીરની ઓળખ.
ખુદા મેં લુપ્ત કરી જ્યાં શરીરની ઓળખ.
.
સતત શરીરમાં ચાલે છે એ જ કરઘામાં,
મળી ગઈ મને મારા કબીરની ઓળખ.
.
સુગંધ વાણીમાં વર્તનમાં નૂર ચળકે છે,
ફકીરથી જ મળે છે ફકીરની ઓળખ.
.
દઈને માન પરાજિતને એક વિજેતાએ,
કરાવી વિશ્વને એક યુદ્ધવીરની ઓળખ.
.
છે વ્યર્થ વાયુ ને આકાશ પૃથ્વી, જળ, અગ્નિ,
હુકમ ખુદાનો છે સૌના ખમીરની ઓળખ.
.
સમયથી પહેલાં ઊડી જાય ક્યાંક શક્ય નથી
અલગ છે દેહની ભીતરના કીરની ઓળખ.
.
એ ફૂલ-કાંટાને સ્પર્શે છે ભેદભાવ વિના,
સમાનભાવ છે શીતળ સમીરની ઓળખ.
.
કોઈ જો ડગમગે ઝાલે છે હાથ આવીને,
જમાનો એને ગણે દસ્તગીરની ઓળખ.
.
‘શકીલ’ મળજો કદી એને, નામ છે ગાલિબ,
કરાવી દેશે એ તમને ય મીરની ઓળખ.
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Kadri
પ્રતિક્ષા થઈ બિચારી બહાવરી………..સંજુ વળા
Posted in ગઝલ | ટૅગ્સ:Sanju Wara
Aashiq – e- Vatan – Maulana Azad – Ep #3
Aashiq – e- Vatan – Maulana Azad – Ep #3
Posted in Information | ટૅગ્સ:Aashiq - e- Vatan - Maulana Azad - Ep #3
મૃણાલ, મૃણાલ…… સુરેશ જોશી
મૃણાલ, મૃણાલ…… સુરેશ જોશી
‘
‘
મૃણાલ, મૃણાલ
તું સાંભળે છે?
અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે
સુરક્ષિત
આજ્ઞાંકિત ઘડિયાળનો નિયમિત ટીક્ટીક્ અવાજ
ચાર દીવાલનો પહેરો
સોફાનો પોચો પોચો ખોળો
બિહામણી છાયાઓને ભગાડી મૂકતી ફલોરેસન્ટ લાઇટ
ને છતાં મૃણાલ,
વર્ષોનાં જામેલાં થર ઊડી જાય છે એક ફૂંકે
ગાઢું જંગલ ઘેરી વળે છે દીવાલોને
રાતી ઇંટને ઢાંકે છે લીલ
એને ફાડીને ઊગી નીકળ્યા છે પીપળા
અર્ધો તૂટેલો ઝરૂખો
જેમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા
એની પાસે ટોળે વળીને બેઠા છે કેટલા ય કજળી ગયેલા સૂરજ
નીચેની તળાવડીમાં ક્યાંક તરે છે કોઈકનું મસ્તક
પાસે થઈને ચાલી જાય છે સીડી
કોઈ ચઢે છે ને ઊતરે છે
રૂમઝૂમ રૂમઝૂમ
ને પેલી બારી
હજુ એમાં જડાયું છે તારું મુખ
તારી આંખ પાંખો ફફડાવીને ઊડું ઊડું કરે છે
નીચે સર્પ-યુગલનું મૈથુન
એના સિસકારાના બોદા પડઘા
ઢંઢોળે છે વાવના અન્ધ જળને
બહેરો સમય વટવાગોળની જેમ લટકે છે અહીં
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
મારો અવાજ
થોરને કાંટો ફૂટે તેમ એ ફૂટે છે મારે કણ્ઠે
મોટા શહેરના મધરાત વેળાના નિર્જન ચોકનું
કણસતું મૌન
શહેરને ખૂણે ખૂણે દૃઢ આસને બેઠેલાં પૂતળાંઓને
વીંટળાઈ વળેલી નિ:સંગતા
બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો
સિગારેટના ધોળા કાગળનાં પાંદડાંવાળું ઝાડ
એના પર ચાવી આપેલા એલાર્મ ક્લોકનાં પંખી
એની છાયામાં બે ખોટા સિક્કા જેવા સરખા પ્રેમી
થિયેટરોની નિયોન લાઇટનો કામુક ઘોંઘાટ
ગંદી અફવાની જેમ પ્રસરતો પવન
વારાંગનાના મેલા દર્પણ જેવી નદી
જાહેરખબરના પોસ્ટર જેવું ચોંટાડેલું આકાશ
સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ
ભૂવાની ડાકલીના ફિક્કા પડઘા જેવો ચન્દ્ર
મૃણાલ, મૃણાલ
આ બધામાં ક્યાં છે તું?
સાંભળે છે મારો અવાજ?
પથ્થરના હૃદયમાં રહેલા ઉલ્કાના સ્મરણ જેવો
વનમાં લાગેલા દવથી ભડકેલા વાઘની આંખના તણખાથી ત્રોફાયેલો
તારાં આંસુના તેજાબથી કોતરાયેલો
કબ્રસ્તાનના ધોળા ધૂપધોયા વિષાદભીનો
જળમાં સળકતા કશાક આદિમ સ્પર્શના નિ:શ્વાસ જેવો
ખંડિયેરમાં અથડાતા જરઠ બોખા કાળ જેવો ઠાલો
દરમાં સરી જતા શાપ જેવો નિ:શબ્દ
મૃણાલ, સાંભળે છે તું મારો અવાજ?
તારાં વાચાળ કંકણ
બે આંખોનો સદા ચાલ્યા કરતો ચટુલ સંવાદ
શ્વાસોનું વૃન્દગાન
આંગળીઓનાં ઇંગિત
ધૂર્ત હૃદયની રહસ્યકથા
ઘરમાં ફરતા પડછાયાનો ઘોંઘાટ –
મૃણાલ, મૃણાલ
તું શી રીતે સાંભળશે મારો અવાજ?
મૃણાલ, તું કોણ, હું કોણ?
મારા જખમને ટેકે ઊભી છે રાત
તારા શ્વાસે ખીલે છે સ્વર્ગનાં પારિજાત
હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં
તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં.
ઉર્વશીના નૃત્યભંગનો લય બહેલાવી મૂકે છે તારાં ચરણ,
કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે
તાકી રહ્યું છે મારું મરણ.
મૃણાલ, પૂછું એક વાત?
તારી આંખોના અંધારિયા ભોંયરામાં
કોણ લટકે છે ઊંધે મસ્તકે?
તારી શિરાઓની ભુલભુલામણીમાં
કોણ સળગે છે જામગરીની જેમ? તારા સ્પર્શના અડાબીડવનમાં
કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ?
તારી કાયાના આ સાગરમાં
કોના ડુબાડ્યા તેં કાફલા સાતેસાત?
તારા શ્વાસના ખરલમાં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ?
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
તને મેં જોઈ હતી એક વાર
લીલીછમ તળાવડી
ને લીલો લીલો ચાંદો
લીલી તારી કાયા
ને લીલો એનો ડંખ
લાલ ચટ્ટક ઘા મારો
ને ભર્યું એમાં લાલ ચટ્ટક મધ
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર
એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત
મારી આંખે લીલો પડદો
ઢળે લીલો ચારે કોર અંધાર.
મૃણાલ, જો ને –
ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા
કૂવાના ચોર-ખિસ્સામાં થોડા સૂરજના ટુકડા
શહેરના બાગમાં ફૂલોની શિસ્તબદ્ધ કવાયત
પાનની દુકાનના અરીસાઓની ચાલે મસલત
પૂલ નીચે સૂકી નદી વાગોળે મરણ
રસ્તે રસ્તે તગતગે આસ્ફાલ્ટનાં રણ
ચુંથાયેલા રેશનકાર્ડ જેવા બધે ચહેરા
ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા?
મૃણાલ,
હું જાણું છું;
ઢીંગલીઓનો પહેરો ગોઠવીને
તું સાચવી રહી છે તારું શમણું
ચન્દન તળાવડીને કાંઠે છે એક મહેલ
રૂમઝૂમ એમાં નાચે પરીઓ
પવન વગાડે પાવો
એ મહેલમાં એક ઝૂલો
એના પર તું કદી એકલી એકલી ઝૂલે
કદીક તારી આંખો ઊડી જાય દૂર દૂર
તારા કાન સરવા થઈને સાંભળે
રજનીગન્ધાની સુગન્ધ જાણે હમણાં લાવશે સંદેશો
હમણાં પૂરપાટ દોડ્યો આવશે રાજકુમાર
ઊંચા ઊંચા મહેલની ઊંચી અટારીએ
તું મીટ માંડીને જોઈ રહે
એક રાત જાય, બીજી રાત જાય
કોઈ આવે નહિ
પરીઓ થાકીને બની જાય ઝાકળ
સૂરજ કરી જાય એમનું હરણ
ઢીંગલીઓનાં ચીંથરાં તાણી જાય ઉંદર
ચન્દન તળાવડીનાં નીર સુકાય
મહેલના બને ખંડેર
અસવાર વગરનો અશ્વ દોડ્યા કરે દશે દિશા
તારા શ્વાસમાં ગાજે એના પડછંદા
એ સાંભળી તું બેસી રહે
કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા યુગ?
સોનાવાટકડીમાં શેઢકડાં દૂધ પડી રહે
રૂપલાવાટકડીમાં ચન્દન સુકાય
સૂરજ થાકે ને થાકે ચાંદો
તારી આંખો ના તો યે પલકાય
પણ મૃણાલ,
મહેલને મિનારે બેઠું છે એક પંખી
કાળું કાળું ને મોટુંમસ
લાલ એની ચાંચ
આંખો એની જાણે અગ્નિની આંચ
ઊડી જશે એ લઈને તને
ભાગી આવ, ભાગી આવ.
મૃણાલ, ભાગી આવ.
મૃણાલ, શું કરીશ તું?
રોજ સવારે અખબારના અક્ષરો ઘૂંટેલી ચા પીશે
પછી નાના બાબલાનું બાળમંદિર
મોટી બેબીની સ્કૂલ-બસ
પછી પતિદેવના શર્ટની કફલિન્કની શોધાશોધ
ઝરૂખામાં ઊભા રહી ‘આવજો, આવજો!’
ભોજન, આરામ, રેડિયો પર દાદરા-ઠુંમરી
ટેલિફોનની રણકે ઘંટડી
‘વારુ જરૂર, બરાબર છ વાગે’
વાળ હોળતાં નજરે ચઢશે બે ધોળા વાળ
તરત તોડીને ફેંકી દેશે
એમ્બેસેડર કાર
દોડે પૂરપાટ
ચારે બાજુ ઝળાંહળાં
‘કેમ છો?’ ‘હાઉ સ્વીટ યુ આર’
બોદું હાસ્ય શરાબભીના અવાજ
બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત
ધીમે ધીમે થાય મધરાત
પછી વફાદાર
પત્નીનો પાઠ
થોડાં સ્વપ્નાંનો ભંગાર
વળી પાછી સવાર
ક્યારેક વળી આવે ચઢે તાર
બિઝનેસનો મામલો, ડિયર, સમજી જાને –
કદીક તો રહેવું પડે બેચાર દિવસ બહાર.
મૃણાલ, મૃણાલ મારી સોનાની મૂરત
આ તે શા તુજ હાલ!
મૃણાલ, તું તો જાણે છે બધું
તો પછી મન્ત્ર મારીને મને કરી દે પથ્થર
અથવા ફૂંક મારીને કરી દેને અલોપ
અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં
લાળ ઝરતે મોઢે ઘરડું મરણ
ભટકે છે બારણે બારણે
પૂછે છે મારું નામ.
મૃણાલ, હું છું અહીં
શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો
દવાની દુકાને વાંચું છું દવાનાં નામ
કે પછી મ્યુઝિયમમાં વાંચું છું જૂનાં તામ્રપત્ર
પ્રાણીબાગમાં અજગરને જોયા કરું છું કલાકના કલાક
બસમાં બેસી શહેરનાં ગણું છું મકાન
હોસ્પિટલમાં મરનાર દર્દી પાસે બોલું છું રામનામ
સરઘસમાં જોડાઈને ગજાવું છું નારો
કોઈક વાર ભાષણ આપવાનો મારો ય આવે છે વારો
આંધળી શેરીને વાંચી આપું સૂરજ
કોઈક વાર ફૂટપાથ પર બેસીને જોઈ આપું નસીબ
જાદુગરના ખેલમાં કદીક લઉં છું નાનો પાઠ
સ્ટેશને બેસીને જોઉં દુનિયાનો ઠાઠ
કોઈક વાર આવે તાવ તો એની નથી કરતો રાવ
આમ તો છું મારા જેવો જ
પણ કોઈક વાર લાગે જુદું
શ્વાસની અમરાઈઓમાં ટહુકી ઊઠે કોકિલ
મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન નાઇટ્સ
હાથ લંબાઈને પહોંચે ત્રેતાયુગમાં
ચરણ બની જાય બેદુઇન આરબ
તેથી તો કહું છું મૃણાલ,
ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
મૃણાલ, નંદિરથી બીડેલાં તારાં પોપચાંમાં
ઢળી જાઉં બની હુંય નંદિરનું એક બિન્દુ.
સુરેશ જોશી
મે: 1968
Posted in અછાંદસ | ટૅગ્સ:Dr.SureshJoshi
Ravish Kumar ने गोदी मिडिया को जम कर धोया || Ravish Kumar Speech
Ravish Kumar ने गोदी मिडिया को जम कर धोया || Ravish Kumar Speech
Posted in Article | ટૅગ્સ:Ravish Kumar
26/11 ka mumbai par hamla musalmano ne nahi balke brahmano ne kiya tha…ex-Inspector General of Police, Maharashtra
26/11 ka mumbai par hamla musalmano ne nahi balke brahmano ne kiya tha
SM Mushrif is an ex-Inspector General of Police, Maharashtra, most remembered for exposing the Abdul Karim Telgi fake stamp paper scam.
Posted in Article | ટૅગ્સ:S.M.Mushrif
દુવાની દુકાન છે……ડૉ.એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahi
ટહુકાઓ પાળીને આવ્યો……જિજ્ઞેશ વાળા
ટહુકાઓ પાળીને આવ્યો……જિજ્ઞેશ વાળા
Posted in ગઝલ | ટૅગ્સ:Jignesh Wala
ગઝલના ઉજાસમાં…ડો.એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahi
સહુનું લોહી લાલ ફકીરા……ઝાકીર ટંકારવી
Posted in ગઝલ | ટૅગ્સ:Zakir Tankarvi
દુઆ તો છેજ ક્યાં……..ગુલામ અબ્બાસ’નાશાદ’
દુઆ તો છેજ ક્યાં……..ગુલામ અબ્બાસ’નાશાદ’
.
.
તૃપ્તિની, સંતોષની સાચી દિશા તો છે જ ક્યાં
પુણ્ય હો કે પાપ, બંનેમાં મઝા તો છે જ ક્યાં.
.
ધર્મ-પુસ્તક વાંચતા અંતે થતું એવું કશું ;
વાત કેવળ વાત છે, કંઈ વારતા તો છે જ ક્યાં.
.
ઘર, બગીચો,મંચ,મહેફિલ માણતા લાગે સતત;
બે ઘડી હળવાશ હો એવી જગા તો છે જ ક્યાં.
.
ચાલતા ઠોકર મળે, જાતેજ ઊઠવાનું રહ્યું;
હાથ લાંબો થાય કોઈ, શક્યતા તો છે જ ક્યાં.
.
શબ્દનો શણગાર છે વ્હેવારુ સૌ આશીષમાં;
કોઈનાં હોઠો ઉપર દિલની દુઆ તો છે જ ક્યાં.
.
કાલ તો ઈચ્છા હતી,આશા હતી,શ્રધ્ધા ય કંઈ;
છે હતાશા આજે, કોઈ આસ્થા તો છે જ ક્યાં.
.
મા’ હતી તો ઠીક છે, એના ગયા પશ્ચાત તો;
આ ધરા પર સ્વર્ગની સંભાવના તો છે જ ક્યાં.
.
આપણાંઓની ગરજ “નાશાદ” સારી કૈંક વાર;
તો કહો, એ પારકાઓ પારકા તો છે જ ક્યાં.
(Courtesy: Timeline of Facebook Janab Gulam abbas’Nashad”)
Posted in ગઝલ | ટૅગ્સ:Gulam Abbas'Naashad'
यशवंत सिंहा: Article 370, NRC के पीछे मोदी सरकार की सांप्रदायिक राजनीति
यशवंत सिंहा: Article 370
Posted in Article | ટૅગ્સ:Arifa Khanam
મુસલસલ ગઝલ..સળંગ ગઝલ…..સૈયદ શકીલ
મુસલસલ ગઝલ..સળંગ ગઝલ…..સૈયદ શકીલ
અલ્તાફ હુસૈન હાલી ઉર્દુનાં પાયાનાં સ્તંભ છે. તેમની અનેક રચના ઉર્દુ શાયરીમાં સીમાચિહ્નનરૂપ છે. ઉર્દુ ગઝલમાં મુસલસલ ગઝલ એટલે કે સળંગ ગઝલ કહેવામાં પણ તેમની મહારત હતી. સળંગ ગઝલમાં એક જ વિષય કે સામાજિક સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે. કોઈ એક ઘટનાને પણ મુસલસલ ગઝલમાં પ્રોવી શકાય છે. ઉર્દુનાં પ્રખ્યાત શાયરો કને મુસલસલ ગઝલનાં અનેક દાખલા મળે છે.જોશ મલીહાબાદી ગઝલમાં સળંગ વિષયને આવરી લેવાના હિમાયતી અને પુરસ્કર્તા હતા. જોશ મલીહાબાદીની મોટાભાગની ગઝલ મુસલસલ જ છે.અલ્તાફ હુસૈન હાલીએ તે વખતે દિલ્હીની બરબાદી પર મુસલસલ ગઝલ લખી હતી. આ ગઝલમાં હાલીએ તે વખતની સાંપ્રત સ્થિતિ અંગે આખીય ગઝલમાં પ્રકાશ પાડ્યો છે અને પોતાની વેદના, વ્યથા પ્રકટ કરી છે.
1857નો બળવો ભારત દેશનાં ઇતિહાસ માટે અત્યંત પીડાકારક રહ્યો હતો. બળવાની અસર ઘણી જ ભયાનક હતી. બળવા દરમિયાન લોકો પર શુ વિત્યું, લાખો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, કંઈ કેટલાય કુટુંબો તહસ-નહસ થયા, દેશની પ્રાચીન બુનિયાદના હલબલી ગઇ. સામાજિક તાણાવાણા વેરવિખેર થઈ ગયા. આ તમામ વાતો જાણવા માટે આપણી પાસે બે રસ્તા છે. પ્રથમ ઇતિહાસ્કારોના લખાણ અને દ્વિતીય રસ્તો શાયરોની શાયરી અને તેમના લખાણો. ઓગણીસમી સદી કલમબધ્ધ કરનારાઓમાં સર સૈયદ, હાલી, ગાલીબ, દાગ દહેલવી, ઝહીર દહેલવી અને મીર મેહદી મજરૂહ જેવા શાયરોના નામ સામેલ છે.
હાલીની મુસલસલ ગઝલ પણ દિલ્હીની બરબાદી વર્ણવે છે. આ ગઝલમાં હાલીએ 1857ના ગદરનાં બનાવો નથી સામેલ કર્યા પણ દિલ્હીના વિનાશના કારણે શું થયું અને કેટલી પીડા અનુભવી તેને શેરો મારફત દર્દ સાથે લખ્યું છે.
હાલીની મુસલસલ ગઝલ જોઈએ.
તઝકીરા દિલ્લી એ મરહુમ કા અય દોસ્ત ન છેળ,
ન સુના જાયેગા હમ સે યે ફસાના હરગીઝ
દાસ્તાં ગૂલ કી ખીઝાં મેં ન સુના અય બુલબુલ,
હંસતે-હંસતે હમેં ઝાલીમ ન રુલના હરગીઝ
સોહબતેં અગલી, મુસવ્વીર, હમેં યાદ આયેગી,
કોઈ દિલચસ્પ મુરકકા ન દિખાના હરગીઝ
બખ્ત સોએ હૈ બહોત જાગ કે અય દૌરે ઝમાં,
ન અભી નીંદ કે માતોં કો જગાના હરગીઝ
રાત આખીર હુઈ ઔર બઝ્મ હુઈ ઝેરોઝબર,
અબ ન દેખોગે કભી લુત્ફે શબાના હરગીઝ
બઝમે માતમ તો નહી, બઝમે સુખન હૈ “હાલી”,
યાં મુનાસીબ નહીં રો-રો કે રુલાના હરગીઝ
હાલીની ગઝલમાં વિષયનું કેદ્ર સળંગ ચાલે છે. તેમણે વિભિન્ન રીતે બતાવ્યું છે કે જૂની દિલ્હીની તબાહીના કારણે લોકોનાં દિલોને જખ્મના અહેસાસથી ભરી દીધા હતા. જીવનના આનંદને ખતમ કરી નાખ્યો હતો. શાંતિ, સુકુન અને રાહતને રાખ કરી નાખ્યા હતા.
આ ગઝલમાં હાલી કદી કથાકારને સંબોધીને કહે છે કે એવી કોઈ કથા ન સંભળાવતો કે જેનાથી મરી ગયેલી દિલ્હીની યાદ જીવંત થઈ જાય અને અમે તડપી જઈએ. હાલી કદી તસ્વીરકારને સંબોધીને કહે છે કે કોઈ એવી તસ્વીર કે મુરક્કા(આલ્બમ) ન બતાવ કે જેનાથી વીતી ગયેલી દોસ્તી, યારી યાદ આવે અને અમારા દિલને દુઃખાવે. હાલી કદી દુનિયાની ગર્દીશને સંબોધી કહે છે કે અમારા લોકો કંઈ કેટલીય મુદ્દત સુધી જાગતા રહ્યા છે. હવે તેમનો ભરઊંઘમાં સુવાનો સમય છે, એટલે તેમની ઊંઘમાં ખલેલ ન પાડ. અર્થાત કે હાલીએ અલગ-અલગ રીતે પોતાના દૌરની પીડા, વેદના અને યાતનાને શબ્દસ્થ કરવાનો પ્રયાસ કર્યો છે.
હાલીએ પ્રથમ શેરમાં મરહુમ(સ્વર્ગીય) દિલ્હી લખીને વિષયની બાંધણી કરી છે. મરહુમ શબ્દ જ કાફી છે દિલ્હીની બરબાદીની કથા માટે. ત્યાર બાદ ગૂલ, બુલબુલ અને પાનખર જેવા શબ્દો પ્રયોજી જૂની દિલ્હીની સાંપ્રત સ્થિતિનો ખ્યાલ આપ્યો છે. પાનખર(ખીઝાં)થી જૂની દિલ્હીની ઝાકમઝોળના અસ્ત વિશેની નિસ્બત છે. દાસતાને ગૂલ થકી જૂની દિલ્હીની વસંતની વાત છે. જે શાયર માટે દર્દનાક છે.
દૌરે ઝમાંની હકીક્ત એટલે કે જૂની દિલ્હીનું તે સમયનું નિકંદન નીકળી ગયું અને ઊંઘ ખેંચી રહેલા લોકો બેધ્યાનપણે રહે તે નથી પણ શાયરે વિચારોના વાવાઝોડાથી લોકોને રાહતજનક સ્થિતિ જન્મે અને સુકુન હાંસલ થાય તેને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.
રાતનું અંત થવું, ઝેરોઝબર(ગુજરાતીમાં લખીએ તો કાના-માતર) થવું, લુત્ફે શબાના( રાત્રીનો આનંદ)
એ તમામ વાતો અરાજકતા અને અંધાધૂંધી દર્શાવે છે. મિર્ઝા ગાલીબે પણ એક શેરમાં લખ્યું છે.
વો બાદા એ શબાના કી સરમસ્તીયાં કહાં,
ઊઠીએ બસ અબ કે લઝ્ઝતે ખ્વાબે સહર હુઈ
ગાલીબના આ શેરમાં હાલીની ગઝલની સંપૂર્ણ કેફિયત છે તેમજ લલકાર અને જાગવાનો સંદેશો પણ છે. હાલી પૂર્વે ગઝલમાં આવા પ્રકારનો રંગ નહીવત હતો અને હતો તો ખૂબ જ ધુંધળો અને અસ્પષ્ટ હતો. હાલીએ બખૂબી સામાજિક અને સાંપ્રત સ્થિતિને ગઝલમાં પ્રસ્તુત કરી હતી. હવે ઉર્દુમાં આવા પ્રકારની ગઝલો સામાન્ય બની ગઈ છે.
Posted in ગઝલ | ટૅગ્સ:Saiyed Shaqeel
Aziz Burney speaks:
Aziz Burney speaks:
Posted in Lecture | ટૅગ્સ:Dr.Aziz Burney
શબ્દના સાંનિધ્યમાં…..હર્ષદ પંડ્યા’ શબ્દપ્રીત’
શબ્દના સાંનિધ્યમાં…..હર્ષદ પંડ્યા’ શબ્દપ્રીત’
Posted in ગઝલ | ટૅગ્સ:Harshad Pandya'Shabdpreet"
ખૂંચે છે કણી જાણે….ઉસ્માન મલેક
ખૂંચે છે કણી જાણે….ઉસ્માન મલેક
Posted in ગઝલ | ટૅગ્સ:Usman Malek
એક સાંજની મુલાકાત- ચંદ્રકાંત બક્ષી
એક સાંજની મુલાકાત- ચંદ્રકાંત બક્ષી
મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’
ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાંખ્યું અને નવા ફ્લેટમાં આવી ગયાં. ફલેટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૃમ અને કિચન-બાથરૃમ હતાં.
બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઈંટની દીવાલ હતી, જે તાજી વ્હાઈટવૉશ કરેલી હતી. દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.
અમારી ઉપર અમારો બંગાળી મકાનમાલિક અક્ષય બાબુ એની સ્ત્રી અને ત્રણ બાળકો સાથે રહેતો. એ કોઈ ગવર્નમેન્ટ ઑફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની – શોભા-કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી, ને રાતના અંધારામાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. ત્રણે બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતાં.
જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટવૉશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મકાન પર બેસીને રંગમિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૃમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દીવાલોમાંથી ભીના રંગની, ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી.
‘તમે જગ્યા લેશો?’ નમસ્કારોની આપ-લે થયા બાદ એણે પૂછ્યું.
‘હા.’
‘તમે બે જણાં છો?’
‘હા.’ દલાલે વચ્ચે કહ્યું, ‘પતિ-પત્ની બે જ જણાં છે. બીજું કોઈ નથી. તમારે કોઈ જ જાતની ખટખટ નથી અને માણસો બહુ સારાં છે.’
હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો.
જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે બે દિવસ પછી લૉરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવું શરૃ કર્યું.
હું રોજ સવારે આઠ વાગ્યે નાહીને, ગરમ નાસ્તો કરીને જતો. બપોરે એક વાગ્યે આવતો અને જમીને એક કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતાં મને સાડા નવ વાગી જતા, પછી જમીને, મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને સૂઈ જતો!
મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા-આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડયો પડયો એક ચોપડી વાંચતો હતો ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, ‘મિ. મહેતા, તમને ફૂલોનો શોખ ખરો કે?’
હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, ‘ખાસ નહિ.’
એ હસી ગઈ : ‘તમારાં શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી બે-ચાર જૂઈનાં ફૂલ લઈ જાય છે.’ હું જોઈ રહ્યો.
એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ દબાઈ હોય એટલી ઝડપથી બની ગયું.
મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના આઠથી રાતના સાડા નવ સુધી ઘરની બહાર જ રહેતો. સવારે શોભા નીચે ઊતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપોર્ટ આપતી અને હું બેધ્યાન સાંભળતો.
થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું,
પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો. પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં ત્રણ બાળકો થઈ ગયાં પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઊઠતી, મજાક કરતી, જોતી – બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી.
કોઈ કોઈ વાર મને એવો ખ્યાલ પણ આવતો કે કોઈ દિવસ સરલા ઘરમાં નહિ હોય અને એ એકાએક મારા ઓરડામાં આવી જશે, અને બારીઓ બંધ કરી દેશે, અને સાંજ હશે, – અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિષે કોઈ દિવસ કહ્યું ન હતું, અને એ જ્યારે વાતવાતમાં શોભા વિષે વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ધ્યાનથી એની વાત સાંભળી લેતો.
સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે બપોરે ફિલ્મ જોવા જતાં અને લગભગ અચૂક, અમે બહાર નીકળતાં ત્યારે એ બારીમાં બેઠેલી હોતી. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતાં હતાં ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, ‘શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી.’
‘ખરી વાત; છે તો વાઘણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહિ.’
‘કોણ કેટલા વાગ્યે આવ્યું, ક્યારે ગયું – બધાંનો ખ્યાલ રાખે છે. તું કયા બસ-રૃટમાં જાય છે અને ગયા રવિવારે તેં શું પહેર્યું હતું એની પણ એને ખબર છે.’
‘એમ…? તને કહેતી હશે.’
‘હા. મને કહે છે કે સરલા, તેં છોકરો સરસ પકડયો છે.’
મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતાં જ એ હસી પડી.
‘એની વાત ખરી છે.’ મેં ઉમેર્યું. ‘તેં છોકરો ખરેખર સરસ પકડયો છે.’
‘ચાલ હવે; પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી…’
‘…પછી થયું, કે વધારે ખેંચવા જઈશું તો હાથથી જશે, એટલે હા પાડી દીધી!’ મેં કહ્યું.
સામેથી આવતી ખાલી ટેક્સીને ઊભી રાખીને અમે બન્ને બેસી ગયાં.
દિવસો પસાર થતા ગયા. કોઈ કોઈ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભીઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાંયે એ મારી સાથે હસીને વાત કરતી. ત્યારે અમે બંગાળીમાં વાતો કરતાં અને સરલા બંગાળી સમજતી નહિ. અક્ષય બાબુ સાથે મારે ખાસ વાત થતી નહિ. એ માણસ ઑફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ કોઈ વાર ઉપરથી કંઈક રવીન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે દેખાતો.
સરલાએ એક વાર મને પૂછેલું, ‘આનો બાબુ કંઈ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે.’
‘ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે, – ગાડી ચાલે છે, પણ માણસ બિચારો બહુ શાંત છે.’
‘પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે. ઝવેરાતની દુકાન છે ને એ બાળપણમાં કન્વેન્ટમાં ભણી છે.’
‘કન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઈ ગઈ…’ મેં કહ્યું.
‘જનાનખાનામાં કંઈ ભરાઈ નથી.’ સરલાએ કહ્યું, ‘એના પતિને ભરી દીધો!’ અને અમે બન્ને હસ્યાં.
‘તને ખબર છે? આપણા ફ્લેટનું રંગ-રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પક્કી બિઝનેસવૂમન છે! બંગાળીઓમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે!’ સરલાએ જવાબ આપ્યો નહિ. કૈં વિચારમાં હોય એવું પણ લાગ્યું નહિ.
દિવસો જતા તેમતેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ-રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો, પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી. બાગમાં ફૂલો લેવા એ ઊતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડયો હોઉ અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવા આવવાની, એકાંતની ઈચ્છા જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી, શોભાને એનાં બાળકોમાંથી સમય મળયો નહિ અને હું ઘણોખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, ‘તમે તો બહુ મજૂરી કરો છો, મિ. મહેતા!’
‘શું થાય?’ મેં કહ્યું, ‘તકદીરમાં લખાવી છે તે…’
‘તમારા જેવું તકદીર તો…’ એ રહસ્યભર્યું હસી. ‘બહુ ઓછા માણસોનું હોય છે.’ હું પણ હસ્યો.
‘મારે એક વાર તમારી દુકાને આવવું છે.’ એણે કહ્યું.
હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માગતો ન હતો. મેં તરત કહ્યું, ‘તમારે કંઈ જોઈએ તો મને કહેજોને, હું લેતો આવીશ.’ દિવસમાં ચાર વાર તો આવ-જા કરું છું. એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું કે નયે મળું…’ શોભા મારી સામે જોઈ જ રહી.
સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહિ. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતાં. કોઈ વાર હું આવી જતો ત્યારે એ હસીને કહેતી, ‘ચાલો, હું જાઉં છું; હવે તમે બંને વાત કરો-‘ અને તરત ચાલી જતી.
ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હમેશાં પ્રયત્નશીલ રહેતી – મારી પાસે આવવા; પણ ઘરમાં એકાંત મળતું નહિ. સરલા હંમેશા ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું ઘરમાં એકલો હોઉં.
હું ફક્ત એ દિવસની કલ્પના જ કરીને સમસમી જતો. શોભાના વિચારમાં હું એકદમ ગરમ થઈ જતો અને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઈ દિવસે નહિ આવે જ્યારે ફ્લેટના એકાંતમાં મળી શકીશું. અને જેમ જેમ નિરાશા નિરાશા થતી તેમ તેમ ઇચ્છા વધુ સતેજ બનતી. શોભા ગરમ સ્ત્રી હતી, એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એને માટે જાણે તરફડી રહ્યો હતો.
મને આડાઅવળા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગેસલાઈટો ઝબકી ઊઠતી ત્યારે હું ઉદાસ તઈ જતો અને મારું અડધું માથું દુખવા આવતું. કોઈ કોઈ વાર મને ઘેર ચાલ્યા આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એર-કન્ડિશન્ડ હોટલમાં જઈને બેસી જતો અને કૉફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘેર આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરીને, કપડાં બદલીને પલંગ પર પડયો અને બહાર ડોરબેલ વાગ્યો – સરલા આવી ગઈ હતી.
મેં ઊઠીને બારણું ખોલ્યું – સામે શોભા ઊભી હતી!
‘તમે આજે બહુ વહેલા આવી ગયા?’ એણે પૂછ્યું.
‘હા, જરા તબિયત ઠીક ન હતી.’ મેં કહ્યું અને મારી તબિયતને હું એકદમ ભૂલી રહ્યો હતો!
‘સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અરધો કલાક લાગશે આવતાં. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં… મને પણ થયું કે તબિયત ખરાબ હશે!’
‘અંદર આવો.’ મેં કહ્યું. મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવી ને બારણું બંધ કર્યું. અમે બન્ને એકબીજાને સમજી ગયાં હતાં. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઈ હતી.
અમે બન્ને વચ્ચેના મોટા ખંડમાં આવ્યાં. મારું હૃદય ધડકવા લાગ્યું. શોભા સામે હતી અને સરલાને આવવાને હજી અરધા કલાકની વાર હતી, અને –
‘મારે તમારી સાથે એક ખાસ-પ્રાઈવેટ વાત કરવી છે.’ એણે કહ્યું, ‘અંદર ચાલો.’ હું બોલી શક્યો. અમે બન્ને ખૂણાવાળા રૃમમાં આવી ગયાં. સાંજ હતી. અંધારું હતું. મેં બત્તી જલાવી નહિ.
‘અહીં કોઈ નથી?’ એણે દબાતા અવાજે પૂછ્યું.
‘ના. ફ્લેટમાં આપણે બે જ છીએ.’
એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતાં કહ્યું, ‘સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી.’
આખા રૃમમાં શૂન્યતા છવાઈ ગઈ.
એણે મને એની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું હું ધૂ્રજી ઊઠીશ.
મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’
હું ધૂ્રજી ઊઠયો.
Posted in નવલિકા | ટૅગ્સ:Chandrakant Baxi
ગણતરી ના કર…..મહેક ટંકારવી,બોલ્ટન,યુ.કે
Posted in ગઝલ | ટૅગ્સ:Mahek Tankarvi
મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ__શકીલ કાદરી
મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ__શકીલ કાદરી
ગમતો ગઝલકાર : ૪
મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ
__શકીલ કાદરી
ગુજરાતી ગઝલક્ષેત્રે મરીઝે જેમની પાસે પ્રારંભમાં ઇસ્લાહ લીધી હતી અને એ દ્રષ્ટિએ જે મરીઝના ઉસ્તાદ ગણાય એવા ગઝલકાર અમીન આઝાદ, અમૃત ઘાયલ, મરીઝ, રતિલાલ ‘અનિલ’,’શૂન્ય’ પાલનપુરી, ‘સૈફ’ પાલનપુરી અને ‘ઓજસ’ પાલનપુરીએ આ ધરતી પર જન્મ નહતો લીધો એ પહેલાં પહેલાં ગઝલકાર ‘મજનૂ’, ‘શયદા’, ‘બેકાર’, ‘સગીર’, ‘નસીમ’, ‘નામાવટી’, ‘આસિમ’ રાંદેરી, જમિયત પંડ્યા ‘જિગર’ અને ‘ગની’ દહીંવાલાનો જન્મ થઈ ચુક્યો હતો…. આ બધાં ગઝલકારોના જન્મ પછી’ શૂન્ય ‘- ‘ઘાયલ’ – ‘મરીઝ’ આદિ પહેલાં જન્મેલ ગઝલકાર તે ‘મસ્ત’ હબીબ સારોદી.
ગુજરાતી ગઝલની સરસ વેબસાઈટ ચલાવતાં મુહમ્મદ અલી ‘વફા’ની વાત માનીએ તો આજે એક તરફ આધુનિક ગઝલના પ્રમુખ હસ્તાક્ષર ગણાતાં ‘અદમ’ ટંકારવી અને બીજી તરફ પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેનાર ગઝલકાર ‘રાઝ’ નવસારવી (બીજું નામ સૈયદ રાઝ- એટલે ચિનુ મોદીએ બંને જુદાં ગણી ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’માં બબ્બે સ્થાને જેમની ગઝલો લીધી તે…)ના ગઝલગુરુ આ ‘મસ્ત’ હબીબ સારોદી જ. જુનાં ગઝલકાર ‘મસ્ત’ મંગેરા અને ખુદ મુહમ્મદ અલી વફાની ગઝલોની પણ એમણે ઇસ્લાહ કરી હતી. આવા મહત્વના ગઝલકારને રતિલાલ ‘આનિલે’, ‘સફરના સાથીમાં’ અને જલન માતરીએ ‘ઊર્મિની ઓળખ’માં યોગ્ય રીતે ન્યાય આપ્યો છે…પરંતું ત્યારબાદ ગઝલકારો વિશે લખનારાઓ માટે આ સર્જક ‘અછૂત’ કેમ રહ્યો એ પ્રશ્ન છે. જ્યાં એના નામનો ઉલ્લેખ થયો ત્યાં પણ બે પાંચ આડીઅવળી રેખાઓથી વિશેષ એનો ગ્રાફ દોરવામાં ન આવ્યો.
ગુજરાતીના ઉત્તમ ગઝલકારોમાં ગઝલસર્જન સાથે જ ગઝલવિવેચનના ક્ષેત્રમાં પણ સક્રિય રહેનાર સર્જકો ‘નિસાર’ શેખચલ્લી, અમૃત ‘ઘાયલ’ના ગુરુ ‘અસર’ સાલેરી, ‘ચાંદમુખ’, ‘નસીમ’ અને રતિલાલ ‘અનિલ’ની સાથે ‘મસ્ત’ હબીબનું નામ પણ મૂકવું જ પડે. ૧૯૬૫માં પ્રકાશિત એમના સંગ્રહ ‘મસ્તી’માં સમાવિષ્ટ ત્રણ લઘુલેખો “શે’રનો ધર્મ'”, “ગઝલનો મિજાજ”, અને “ગઝલનું સ્વરૂપ” વાંચીએ તો ગઝલકાર ઉપરાંત ગઝલવિવેચક તરીકેની એમની ઓળખ પણ પ્રાપ્ત થાય છે.
‘મસ્ત’ હબીબનું મૂળ નામ પટેલ હસન મૂસાભાઈ હતું પણ એ ઉર્દૂ શાળામાં આચાર્ય હોવાથી મુન્શી હસન મૂસા એવું પણ લખાતું. એમના જન્મની બે ભિન્ન તારીખો પ્રાપ્ત થાય છે. જલન માતરીએ એમના જન્મની તારીખ ૮મી નવેમ્બર ૧૯૧૨ દર્શાવી છે. એ જ તારીખ ગુજરાતી સાહિત્ય કોશમાં એ કારણે મળે છે કે જલન માતરીના પુસ્તકમાંથી લેવાઈ છે. જ્યારે ઈ. સ. ૨૦૦૦માં ‘મસ્ત’ મંગેરા અને ‘જય’ નાયકે “આવાઝ પ્રકાશન” દ્વારા પ્રકાશિત કરેલ ‘મોજ-મસ્તી’માં ‘મસ્ત’ હબીબની જન્મ તારીખ ૨૫/૫/૧૯૧૨ દર્શાવવામાં આવી છે. એ જે તારીખ હોય તે, પણ જન્મનું વર્ષ ૧૯૧૨ નિશ્ચિત છે.
ગઝલસર્જન માટે એમણે ‘હબીબ’*જ્યારે હઝલસર્જન (વ્યંગ-કટાક્ષ કાવ્યો)ના સર્જન માટે ‘મુલ્લાં રમૂજી’ ઉપનામ ધારણ કરી ‘તુલસી ઇસ સંસાર મેં’ સંગ્રહ આપ્યો હતો. આમ, સર્જક તરીકે એમની ગંભીર મુદ્રા ‘મસ્તી’માં જ્યારે વ્યંગકવિ તરીકેની મુદ્રા ‘તુલસી ઇસ સંસાર મેં’ સંગ્રહમાં ઉપસી આવે છે. આ બંને સંગ્રહોને એક જ સંગ્રહમાં સમાવી આવાઝ પ્રકાશને ઈ. સ. ૨૦૦૦માં ‘મોજ-મસ્તી’ સંગ્રહ કર્યો છે. જો કે, આ સંગ્રહમાં પૂર્વે અપ્રકટ રહેલી નબળી રચનાઓ પણ સમાવી લેવાઈ છે… જે ‘મસ્ત’ હબીબે પ્રકાશિત કરવાનું ટાળ્યું હોય અને રહેવા દીધી હોય એવી શક્યતાઓ છે. ‘મસ્ત’ હબીબનો મુશાયરા પ્રવૃત્તિના વિકાસમાં પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. મહા ગુજરાત ગઝલ મંડળના વર્ષો સુધી એ મંત્રી રહ્યાં હતાં. તે માત્ર ગઝલસર્જક અને ગઝલવિવેચક જ નહોતા પણ સારા અનુવાદક પણ હતાં. ઉર્દૂ ગઝલકારો એમાં પણ ડૉ. ઇકબાલનો એમણે ગાઢ અભ્યાસ કર્યો હતો…તેમ અરૂઝ ઉપર પણ પ્રભુત્વ ધરાવતાં હતાં.
ઉર્દૂના અભ્યાસનું પરિણામ એ આવ્યું હતું કે એ સમયના મોટાભાગના ગઝલકારો ગાડરિયા પ્રવાહમાં ભળી જઈને સર્જન કરતાં હતાં ત્યારે તે પોતાના શે’રોમાં જ નહીં નઝ્મોમાં પણ નાવીન્ય છલકાય એની ખાસ તકેદારી રાખતાં હતાં. રંગદર્શીતાને બદલે બ. ક. ઠાકોરની જેમ વિચારપ્રધાન્યને એ સર્જનમાં મહત્વ આપતાં. એમનું આ વલણ એમના વિવેચનમાં પણ પ્રગટ થતું હતું. એમનું સર્જન એમના સમકાલીન ગઝલકારોથી અલગ વિશેષ ભાત પાડનારું છે. રતિલાલ અનિલે જય નાયકની ઉપસ્થિતિમાં મને એ કહ્યું હતું કે “મુશાયરાઓ અને ગોષ્ઠીઓમાં મસ્ત હબીબની ઉપસ્થિતિથી વાતાવરણમાં ઉષ્મા આવી જતી એ ઉષ્મા ક્યારેક ચર્ચામાં નીવડેલ ગઝલકારોને દઝાડી પણ જતી હતી. રતિલાલ અનિલ, શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા ખમતીધર સર્જકો સાથે એમનો ક્યારેક ઉગ્ર વૈચારિક સંવાદ પણ થતો. આજ કારણ છે કે સત્યવકતા આ ગઝલકારનો જૂથબંધીએ ભોગ લીધો હતો અને એમનો ઉલ્લેખ કરવાનો ટાળવામાં આવતો રહ્યો… (આ પ્રકારના અનુભવમાંથી આ લખનાર શકીલ કાદરી પણ પસાર થયો છે જ. સાહિત્યક્ષેત્રે આ નવું નથી.) પણ સાહિત્યના ઈતિહાસમાં ક્યારેક તો સત્ય છાપરે ચડીને પોકારે છે… અને એની પ્રતીતિ ‘મસ્તી’ વાંચનારને થયાં વિના રહેતી નથી.
‘મસ્તી’ની પ્રથમ જ ગઝલમાં મસ્ત હબીબની ગઝલકાર તરીકેની મસ્તી મળે છે.. ગઝલકારને એ વાતનો આત્મસંતોષ છે કે એને જે ગમ્યું એ ગાયું છે…
“આત્મસંતોષ છે ‘હબીબ’ એનો
જે ગમ્યું તે ગઝલમાં ગાયું છે.”
અહીં ગઝલકાર તરીકેની બેફિકરાઈ જોવા મળે છે.
ગુજરાતમાં આધુનિકતાના પ્રવેશ પછી Aesthetics અને aesthetic sense ની ચર્ચા થવા લાગી. એ ખ્યાલ ઉદ્ભવ્યો કે સૌંદર્ય એ વસ્તુમાં નથી પણ જોનારની દ્રષ્ટિમાં હોય છે. કળા સુંદર કે અસુંદર હોતી નથી. પણ આ ખ્યાલ તો મસ્ત હબીબ પોતાના શે’રોમાં આ રીતે અભિવ્યક્ત કરી ચૂક્યા હતાં.
“આખરે રૂપ મારી દ્રષ્ટિનું,
જૈ સમષ્ટિ ઉપર છવાયું છે.”
“કોઈમાં કંઈક છે તો રમ્યતા મારી જ દ્રષ્ટિની,
નહીંતર કોઈપણ વસ્તુ ન સુંદર છે ન મોહક છે.”
આ દ્રષ્ટિકોણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. આજે જે સત્ય હોય એનું ભવિષ્યમાં ખંડન પણ થાય એ વાત ગઝલકાર સમજે છે.
“કાલ એનું વળી થશે ખંડન,
આજ જે સત્ય અહિં મનાયું છે.”
મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, અને એનો સમાજ કાંઈ દેવતાઓ, ઇશ્વરનો, અલ્લાહ, ફરિશ્તાઓ કે દેવદૂતોનો બનેલ નથી, માનવસમાજ છે. મનુષ્યને એ બધાં કરતાં સામાજિક દ્રષ્ટિએ સૌથી વધુ જરૂર હોય તો તે છે મનુષ્ય. ઇન્સાનને ઇસ્સાનનો પ્રેમ જોઈએ… હૂંફ જોઈએ, આધાર જોઈએ. સારોદમાં જન્મેલ અને ઉછરેલ ગઝલકાર સૌને બેઘડી વિચારતા કરી મૂકે એવો આ શે’ર વિચારપ્રધાન કવિતાનું લક્ષણ પ્રકટ નથી કરતો તો બીજું કયું લક્ષણ એમાં દેખાય છે…
“મને અલ્લાહને સોંપી જનારા એટલું સાંભળ,
હું એક્ ઈન્સાન છું ઈન્સાનની મારે જરૂરત છે.”
આવો ગઝલકાર જ મોહબ્બતનો મહિમા ગાઈ શકે…અને આ રીતે ગાય પણ છે…
“મહોબ્બત માનવીની, જેની દ્રષ્ટિમાં ઈબાદત હો,
જમાનાને હવે એવા જ માનવની જરૂરત છે.”
બબ્બે વિશ્વયુદ્ધ, ગરીબી, ભૂખમરો, અત્યાચારો, સામૂહિક હત્યાકાંડો અને અનેક બાળકોના બેહાલ જીવન એ બધું નિહાળીને વિચારશીલ માનવીને એ પ્રશ્ન તો થાય જ કે જો ઈશ્વર હોય તો, આ લોકોનો તે નથી? આ ચિંતનમાંથી જ નાસ્તિકતાનો જન્મ થાય એ સ્વાભાવિક છે. આધુનિક કવિતાનું તો એ એક લક્ષણ જ જાણે બની ગયું હતું. એ વિચારને મસ્ત હબીબ આ રીતે અભિવ્યક્ત કરે છે…
“કૈંકનાં વીતે છે જીવન એમ કંઈ,
કોઈ જાણે એમનો ઈશ્વર નથી.”
ડર ખુદાનો એમને કેવો પછી,
આ ખુદાઈ જેમના મન પર નથી.”
સદ્ અને અસદ્ વૃત્તિઓ જગતમાં પહેલાંથી ચાલી આવી છે. અસદ્ શક્તિઓને ઈશ્વરની પ્રતિસ્પર્ધી ગણવામાં આવે છે. ખરેખર ઈશ્વરમાં એવી કોઈ શક્તિઓ છે કે નહીં એની ગઝલકાર કસોટી કઈ રીતે કરે છે એ જુઓ..
“પામવા પરમાત્માની શક્તિઓ અહિયાં ‘હબીબ’,
જાણીબૂઝી મેં અહીં શૈતાનની ચર્ચા કરી.”
એક અન્ય શે’રમાં એ ઈશ્વરની વ્યવસ્થાને નિર્દયી વ્યવસ્થા ગણાવે છે. એ પણ બળી મળતાં પતંગા જોઈને!
“બળી મરતાં પતંગો જોઈ મનમાં થાય છે મારા,
પ્રયોજન કેવું નિર્દય, કેટલો નિર્દય પ્રયોજક છે.”
મસ્ત હબીબ એક રીતે જોઈએ તો ઇન્કિલાબી ગઝલકાર છે. પણ ક્રાંતિની વાત એમની ગઝલોમાં સૂત્રોચ્ચાર રૂપે નહીં, કળાના રંગે રંગાઈને પથરાય છે…
“એકના વિલાસ કારણે અહીં,
દુ:ખ સહે હજાર આમ ક્યાં સુધી?
કે તમે ‘હબીબ’ ઈન્કિલાબયય-
રાખશો વિચાર, આમ ક્યાં સુધી?”
આ ધરતી પર ખુદાનું અસ્તિત્વ જ ક્યાં હતું? આકાશી ખુદાને ધરતી પર ખેંચી લાવનાર તો મનુષ્ય જ છે. એટલે કે એક કલ્પનાથી એને સાકાર કરવાની સમજણનો વિકાસ તો માનવીએ જ કર્યો… આ બુદ્ધિગમ્ય વિચાર રજૂ કરી મસ્ત હબીબ એ પ્રશ્ન મૂકી આપે છે કે ઈશ્વરને-ખુદાને આકાશથી ધરતી પર લઈ આવનાર મનુષ્યને એની પડખેનો માણસ કેમ નથી સમજાતો? એક વ્યક્તિને સમજવાની સમજણનો વિકાસ માણસમાં થશે કે નહીં? આવી ચિંતા સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવનાર ગઝલકારનો જ હોય બીજા કોઈ સર્જકનો નહીં… શે’ર જુઓ…
“લઈને આવ્યો ખુદાનેય આકાશ પરથી ધરાની ઉપર,
આદમીની સમજમાં છતાં આદમી આવશે કે નહીં?”
આ ગઝલકાર “લકીરનો ફકીર” નથી. સામાજિક પરિવર્તનની જેમ સાહિત્યમાં આવતાં નવા આંદોલનોનો સ્વીકાર કરનાર છે. યુગ પ્રમાણે દરેક ક્ષેત્રે આવતાં પરિવર્તનોને દુ:ખી થયાં વિના, લાગણીને હડસેલો મારી સહર્ષ વધાવવા જોઈએ. એ વાત એ શિક્ષક વિદ્યાર્થીને પ્રેમથી સમજાવે એ રીતે સમજાવે છે…
“મુજ વિચારોને જાણી અને તું ‘હબીબ’ લાગણીવશ ન થા,
છે જમાનો નવો તો નવી રોશની આવશે કે નહીં?”
અને આ શે’રમાં વિચારસૌંદર્ય અને અભિવ્યક્તિ રીતિ જુઓ…
“દુ:ખ એ જ છે કે કેમ ના નાવિક બની શક્યા?
દુ:ખ એ નથી કે કેમ આ તોફાન થાય છે.”
તોફાન-કુદરતી આફતમાં થતાં સેવાકાર્યોને એ ઉપકારક કે દયા રૂપે જોવાને બદલે ‘મનના સમાધાન’ રૂપે નિહાળે છે. એ સમાધાન શાનું હોઈ શકે એ કલ્પી શકાય એમ છે.
“સેવાનો કોઈ અર્થ નથી, મિત્ર તે છતાં,
એથી કંઈક મનનું સમાધાન થાય છે.”
અહીં” સેવાનો કોઈ અર્થ નથી”, એમાં ‘નિસ્વાર્થતા’નો સંકેત છે. ઉત્તમ ગઝલકાર સંકેતમાં ઘણો ઊંડો અર્થ ઘણી વખત પ્રકટ કરે છે.
ગ્રહો તો આકાશના હોય એ પરંપરાગત વિચાર છે, પણ ‘ધરાના ગ્રહ’ એમ કહેવામાં વિચાર નાવીન્ય છે. જ્યોતિષીઓ આકાશના ગ્રહોને નડતરરૂપ બતાવે પણ ગઝલકારને તો ધરતીના ગ્રહો નડતાં લાગે છે. આ “ધરતીના ગ્રહો”નું અર્થઘટન ભિન્ન ભિન્ન રીતે થઈ શકે. ઉત્તમ સર્જક અર્થઘટનની શક્યતાઓના દ્વાર એટલે ઊઘાડાં રાખે છે કે પત્રકારની જેમ એને એક જ અર્થનું પ્રત્યાયન કરવાનું નથી હોતું. એને જે અભિપ્રેત છે એ જ ભાવક સમજે એ એમ નથી ઈચ્છતો એ તો ભાવકની ચેતનાને વિસ્તરવાની તક આપે છે… આ સંદર્ભે આ શે’ર જુઓ…
“નભના નહીં પરંતું ધરાના કંઈક ગ્રહો,
નડતા રહ્યાં છે રાહુ ને કેતુ સમાન થૈ.”
મસ્ત હબીબની ગઝલોમાં તગઝ્ઝુલ પણ આવે છે તો પ્રણયની શિસ્ત અને સ્વસ્થતા સાથે…
“કંઈ ઔર રમ્ય લાગશે જીવન અને જગત,
જો તું કોઈનો દિલથી ઉપાસક બની જશે.
નો’તી ખબર કોઈની યુવાનીની સાથસાથ
વાતાવરણ પણ એટલું માદક બની જશે.”
ઉર્દૂ ભાષાની ગઝલોની દીર્ઘ પરંપરાથી વાકેફ ગઝલકાર હોય ધર્મના ઠેકેદારોની ઠેકડી ન ઉડાવે એ ઓછું અશક્ય છે. ગાલિબ, ઇકબાલ વગેરે ગઝલકારોએ ઉર્દૂમાં અને શૂન્ય, મરીઝ, અમૃત ઘાયલ આદિએ ગુજરાતીમાં આવી ઠેકડી ઉડાવી છે. ઓજસ પાલનપુરીએ પણ ઉર્દૂના શે’રમાં સરસ રીતે ઠેકઠી ઉડાવી છે…
“શૈખજી! આપ તો ફરિશ્તા હો
મુઝ કો સજદા કરો મૈં આદમ હૂઁ.”
કેટલાંક પંડિતો, મૌલવીઓ, સંતો-મહંતો હોય છે એવા દેખાતાં નથી, અને દેખાય છે એવાં હોતાં નથી. એ ધર્મના સિદ્ધાતોનું પાલન કરતાં હોવાનો બાહ્ય ઠઠારો પોતાનો પ્રભાવ પાથરવા કરે છે ધર્મનો નહીં.આ સંદર્ભે આ શે’ર જુઓ…
“સિદ્ધાતવાદી એટલા માટે થયાં છે’ શેખ’,
કંઈ પણ નથી, છતાંય પડે અન્ય પર પ્રભાવ.”
“હકીકત” અને “કલ્પના” પરસ્પર વિરોધી પરસ્પર વિરોધી હોય અને ના પણ હોય. ગઝલકાર પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરી કાવ્યત્વ સિદ્ધ કરતો હોય છે. કલ્પનાશક્તિ કરતાં તર્કશક્તિ ભિન્ન બાબત છે અને એ તર્કશક્ત પણ ગઝલનું આભૂષણ છે. પોતાની તર્કશક્તિ મસ્ત હબીબ કઈ રીતે ઉપયોગમાં લે છે એ જુઓ…
“ન આવ્યાં તમે, ના વિરહ રાત વીતી
હજી મારી દુનિયા તો અંધારમય છે,
હજી જાગૃતિમાં હું જોઉં છું સ્વપ્નાં,
હકીકત હજી કલ્પનાનો વિષય છે.”
“ઘણાં દુનિયામાં રહીને સ્વર્ગના સ્વપ્નાંઓ સેવે છે,
અને હું આ જગતને સ્વર્ગ માની લઈને, આવ્યો છું.”
“હકીકતમાં દુ:ખોએ તો કરી છે પરવરિશ મારી,
વિનય તો જો કહું છું તોયે પાલનહાર હું તુજને”
મસ્ત હબીબનો સર્જક તરીકે આ પરિચય મેં માત્ર એમના “મસ્તી” સંગ્રહમાં મળતી ગઝલોને આધારે જ કરાવ્યો છે. પણ એમાં નઝ્મો પણ છે, મુકતકો પણ છે, નવી વ્યાખ્યાઓ પણ છે. કત્બા પણ છે… એ બધાની ચર્ચા માટે અલગ લેખ લખવો પડે. એ રચનાઓમાં સમકાલીનોની સાથે રહીને પણ કેવી અલગ ઓળખ ઊભી કરી શકાય એની મથામણ પ્રકટ થઈ છે. એમના “મસ્તી” સંગ્રહમાં ગઝલ અને નઝ્મ પ્રત્યેની નિષ્ઠા જોઈ શકાય છે. સમકાલીન ગઝલકારો કરતાં કંઈક અલગ કરી બતાવવાની ધગશ જોઈ શકાય છે અને એમાં એ સફળ પણ થાય છે. ગઝલકારોની વેદના કેવું કળારૂપ ધારણ કરી શકે એનુ પ્રતિબિંબ આ ગઝલોમાં છે. ક્યાંક જીવનમૂલ્યોના જતનની ચિંતા છે તો ક્યાંક તીવ્ર વ્યંગ. એમની ગતિ સર્વદિશાની છે અને દ્રષ્ટિ એકાંગી બની નથી. ખુમારી પણ અનેક શે’રોમાં વર્તાય છે. ક્યાંક કવિ હ્રદયની વ્યાકુળતા પણ છે.
ભાષાકીય દ્રષ્ટિએ જોઈએ તો એમનું શબ્દભંડોળ વિપુલ અને સમૃદ્ધ છે. એક તરફ એમણે તત્સમ્ અને તદ્ભવ શબ્દોનો વિનિયોગ ગઝલોમાં કર્યો છે તો બીજી તરફ એવા ઉર્દૂ, ફારસી શબ્દો પણ વણી લીધાં છે જેમનો અર્થ સમજવામાં કોઈ મુશ્કેલી આવે નહી.
મસ્ત હબીબ સારોદીની રચનાઓ નિશંક એ યુગના ગઝલકારોમાં એક અલગ ઓળખ ઊભી કરે છે… છતાં ક્યાંક ખૂબ ઓછા સ્થાનોએ છંદની અને ભાષાકીય નબળાઈઓ પણ છે, એનો ઈન્કાર થઈ શકે એમ નથી. એનું કારણ એ છે કે એમણે શાયરીની સાથે માનવપ્રેમને મહત્વ આપ્યું છે. એ કહે છે….
“ગઝલમાં મેં હંમેશા માનવીનો પ્રેમ ગાયો છે,
મને શાયર નહીં, આપો તમે પ્રેમીનું સંબોધન.”
તરસ ફરતી રહી….જયંત ડાંગોદરા
તરસ ફરતી રહી….જયંત ડાંગોદરા
Posted in ગઝલ | ટૅગ્સ:Jayant Dangodra
સ્વર્ગ અહીં જ છે……….રાજુ સોલંકી
સ્વર્ગ અહીં જ છે……….રાજુ સોલંકી
મગન કુંભારની ચાલી,
કેશા બલુની ચાલી,
સળિયાવાળી ચાલી,
રતીલાલની ચાલી,
તારવાળી ચાલી,
પી. કસ્ટીયાની ચાલી,
ટેકરાવાળી ચાલી,
અબુ કસાઈની ચાલી,
કુંડાવાળી ચાલી,
હીરાલાલની ચાલી,
રાયચંદ મેઘરાજની ચાલી ……..
આ બધી ચાલીઓના નામ તો તેં સાંભળ્યા છે.
આ જ છે તારું કાશ્મીર.
આ જ છે તારું ગુલમર્ગ અને સોનમર્ગ.
અહીં ચાલીના પબ્લિક જાજરૂ આગળ એક હાથમાં પાણીનું ડબલું લઇ બીજા હાથમાં બીડીનો કશ ફૂંકતા ફૂંકતા મહિનાની છેલ્લી તારીખોમાં કાંધુ ચૂકવવાની ચિંતામાં ક્યારેક તો તારી દેશભક્તિ છેક ગુદા દ્વારે આવીને પાછી આંતરડામાં સમાઈ જતી હતી કે નહીં?
સાચુ કહેજે?
કાશ્મીર જોડે તારે શું લેવાદેવા?
તેં કાશ્મીર જોયું છે?
ઉનાળાના ધોમધખતા તાપમાં તપતા પતરાની નીચે એક ઓરડીમાં ટીવી પર ‘કાશ્મીરની કલી’ પિક્ચરમાં તે કાશ્મીર જોયું છે. એની વાદીઓ, ઘટાઓ, એનું કુદરતી સોંદર્ય જોયું છે. કાશ્મીર તો તું ક્યારેય ગયો નથી.
કાશ્મીર તો છે તારા માટે એક કલ્પના. તારી પાસે તો અમદાવાદથી કાણ મોકાણે ક્યારેક તારા ગામે જવાનું ભાડુ પણ નથી હોતું. તો કાશ્મીરની શું વાત કરવી?
અને 370ની કલમ.
ઓહોહોહોહોહોહોહોહો.
એક વાર ખાડીયાની પોળમાં જઇને ઘર તો ખરીદ.
“નામ?”
“નયન જાદુગર.”
“જાદુગર? પણ કેવા?”
“પરમાર.”
“સોરી. એસસીને ઘર નથી આપતા.”
અહીં હજારો ગામડાઓમાં (અને શહેરોમાં પણ) એક અઘોષિત, અદ્રશ્ય 370ની કલમ તારી સામે પ્રવર્તે છે એ તો પહેલાં દૂર કર.
કાશ્મીરની ક્યાં પંચાત કરે છે?
આમ પણ, તુ અહીં ફેસબુક પર કાશ્મીરની પંચાત કરીને ટાઇમ પાસ જ કરે છે.
કાશ્મીરની 1.25 કરોડની આબાદીને ચૂપ રાખવા 6 લાખ જવાનો હાથમાં ઓટોમેટિક ગન લઇને ઉભા છે. એટલે કે દર 20-21 વ્યક્તિઓ માટે એક જવાન છે.
તું તારા બાળકોના શિક્ષણની ચિંતા કર, મુરખ. કાલે ભારત માતાનો જય જય કાર કરતી પત્રીકાઓના રસ્તે ઉડતા કાગળો વીણી વીણીને થેલામાં ભરીને પેટ ભરવાનો વારો આવશે.
Copy from Raju Solanki timeline
Posted in અછાંદસ | ટૅગ્સ:Raju solanki
janiye kashmir kaise Bharat Pakistan Ke Beech Me ulajh Gaya—Azamgarh Express
janiye kashmir kaise Bharat Pakistan Ke Beech Me ulajh Gaya—Azamgarh Express
Posted in Article | ટૅગ્સ:kashmir kaise Bharat Pakistan Ke Beech Me ulajh Gaya-
मुसलमानों को लेकर रवीश कुमार ने शानदार संदेश दिया है.
मुसलमानों को लेकर रवीश कुमार ने शानदार संदेश दिया है.
मुसलमानों को लेकर रवीश कुमार ने शानदार संदेश दिया है.
Posted in Article | ટૅગ્સ:Ravishkumar
એવા વળાંક પર—કિસન સોસા
Posted in નઝમ | ટૅગ્સ:Kisan Sosa
કબૂતર શહેરમાં……ખલીલ ધનતેજવી
કબૂતર શહેરમાં……ખલીલ ધનતેજવી
(Courtesy: Gujarat Today)
Posted in ગઝલ | ટૅગ્સ:Khaleel Dhantejvi
ક્યાં છે?….?.સિકંદર મુલતાની
ક્યાં છે?….?.સિકંદર મુલતાની
.
પ્રશ્ન ક્યાં છે ? જવાબ પણ ક્યાં છે ?
હાથમાં મુજ કિતાબ પણ ક્યાં છે ?
.
આપ આવો અને હસી ન શકું ,
એટલાં દી’ ખરાબ પણ ક્યાં છે ?
.
તારી પાસે તો બાગ છે આખ્ખો ,
મુજ કને ફૂલછાબ પણ ક્યાં છે ?
.
મરતબો – માન , પગ કરી જાતાં ,
નિત્ય ચાલે રૂઆબ.પણ ક્યાં છે ?
.
કેમ સરખાવે ચાંદથી મુજને ?
મુજ શીતળતા – શબાબ પણ ક્યાં છે !
.
કેમ ના થાય ? આંખ ઊંઘણશી !
કનડે એવાં ખ્વાબ પણ ક્યાં છે ?
.
રાત વીતી ગઈ ‘ સિકંદર ‘ પણ —
પૂર્વમાં આફતાબ પણ ક્યાં છે ?
(courtesy: Facebook)
Posted in ગઝલ | ટૅગ્સ:Sikander Multani
યાયાવરી તૃષાર….એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahee
અધૂરી કિતાબ છું…….સાહિલ
અધૂરી કિતાબ છું…….સાહિલ
((
(સૌજન્ય: ગુજરાત ટુડે 4 -8-19)
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahee
‘देश का मुसलमान फासीवादी ताक़तों को भारत पर क़ब्ज़ा नहीं करने देगा’:कोहराम
देश का मुसलमान फासीवादी ताक़तों को भारत पर क़ब्ज़ा नहीं करने देगा’:कोहराम
July 21, 2019 9:04 pm Published by:-Hindi News
जयपुर, 21 जुलाई। भारत की अंतिम प्राधिकृत शक्ति संविधान है और इसका संचालन इसी से होगा। भारत के मुसलमान, धार्मिक अल्पसंख्यक, दलित और ट्राइबल संविधान की रक्षा के लिए प्रतिबद्ध हैं और किसी भी फासीवादी ताक़त को भारत पर क़ब्ज़ा नहीं करने दिया जाएगा। यह बात आज जयपुर में देश बचाओ, दस्तूर बचाओ कॉन्फ्रेंस में उभर कर आई। तहरीक उलामा ए हिन्द के बैनर तले आयोजित समारोह में वक्ताओं ने देश में धार्मिक अल्पसंख्यकों, दलित और जनजातियों पर हिन्दूवादी ताकतों के हमले की निन्दा करते हुए एक ज्ञापन भी तैयार किया गया जिसे बाद में भारत के राष्ट्रपति, प्रधानमंत्री और मुख्यमंत्री के नाम पर रवाना किया गया।
कार्यक्रम में मुख्य वक्ता के तौर पर मौलाना तौक़ीर रज़ा ने कहाकि देश में सेकुलर विचार मरा नहीं है जबकि नरेन्द्र मोदी ने देश की धर्म निरपेक्षता को नुक़सान पहुंचाने का कार्य किया है। उन्होंने कहाकि असली देशद्रोही वह है जो अपने ही भाई का क़त्ल करे। जो अपने वतन से प्रेम नहीं करता, वह सच्चा मुसलमान नहीं है। हमारे अंदर हिन्दुस्तान है और हिन्दुस्तान के अंदर हम हैं। हमारी हिफ़ाज़त करो क्योंकि हम इस देश के शरीर में रक्त की तरह हैं। उन्होंने कहाकि प्रधानमंत्री नरेन्द्र मोदी और आरएसएस पर हम अपने हर गिरावट का आरोप नहीं लगा सकते। मुसलमानों को यदि उचित सम्मान चाहिए तो हमें अपने चरित्र को भी महान् बनाना पड़ेगा। मुसलमानों को चाहिए वह राजनीतिज्ञ और पुलिस को ख़ुश करने की बजाय अपने ख़ुदा को ख़ुश करने का प्रयास करें। उन्होंने जयपुर के मुसलमानों को धन्यवाद देते हुए कहाकि इसी प्रकार अपनी मांगों को मनवाने के लिए दिल्ली का घेराव किया जाएगा। आम जनता ने इसे समर्थन दिया।
मुख्य आयोजक एवं तहरीक उलामा ए हिन्द के राष्ट्रीय अध्यक्ष खालिद अय्यूब मिस्बाही ने इस्लाम के पैग़म्बर मुहम्मद साहब की हदीस का हवाला देते हुए बताया कि पैग़म्बर साहब ने कंघी के दांतों की बराबरी का उदाहरण देते हुए कहा था कि इसी प्रकार हर मानव बराबर है। उन्होंने कहाकि किसी भी प्रकार की प्रताड़ना के जवाब में हम किसी भी हालत में क़ानून हाथ में नहीं लेंगे। उन्होंने संविधान की रक्षा और मुस्लिम दलित एकता पर बल दिया। मुफ्ती ख़ालिद अयूब ने कहाकि हम हर प्रताड़ना का मुक़ाबला संविधान के दायरे में शिक्षा, एकता और संघर्ष से करेंगे। उन्होंने मुसलमानों को भावना की बजाय विवेक से सोचने की प्रवृत्ति विकसित करने की अपील की। उन्होंने कहा हमें हिंसा का जवाब हिंसा से नहीं देना है बल्कि शिक्षा, समझ और संवैधानिक अधिकारों के बल पर अपने अधिकारों के लिए निरन्तर संघर्ष करते रहना है। इस अवसर पर मुफ्ती खालिद अयूब ने ऐलान किया कि देश बचाओ, दस्तूर बचाओ नामक हमारा यह आंदोलन चलता रहेगा और आगामी 18 अगस्त को तहरीक उलमा ए हिंद इसी कार्यक्रम को बीकानेर की धरती पर दोहराएगी और उस समय हमारे आज सौंपें गए ज्ञापन पर सरकार की जो प्रतिक्रिया होगी, उस पर भी विशेष चर्चा होगी। मुफ्ती साहब के इस ऐलान को तमाम लोगों ने हाथ उठाकर पूरे जोश के साथ समर्थन दिया।
दिल्ली विश्वविद्यालय के प्रोफेसर अपूर्वानन्द ने कहाकि हमें संविधान के आधार पर बराबरी का सम्मान करना चाहिए। उन्होंने कहाकि संविधान में लिंग, भाषा, न्याय में बराबरी और भाईचारे को महत्व दिया गया है। यह राजनीतिक सत्य है। हमें संविधान की इन चार मूल भावनाओं में चौथे शब्द भाईचारे को सबसे ज्यादा ख़तरा है। उन्होंने हिन्दू मुस्लिम एकता पर बल दिया और इसे भारत की बुनियादी आवश्यकता बताया। उन्होंने कहाकि मुसलमानों ने अगर महात्मा गाँधी को मुसलमानों का नेता माना होता तो उनकी राजनीतिक स्थिति बेहतर हो सकती थी। उन्होंने गांधीवाद की व्याख्या करते हुए कहाकि गांधी ने हमेशा निजी स्वतंत्रता की मांग की जबकि फासीवादी ताकतें आज मुसलमानों से भारतीय होने का सुबूत मांग रही हैं। उन्होंने कहाकि वंदे मातरम् का भी नारा ज़बरदस्ती नहीं लगवाया जा सकता और यह भी निजी स्वतंत्रता का मामला है।
पीयूसीएल की महासचिव कविता श्रीवास्तव ने कहाकि राजकीय संस्थाओं में राष्ट्रीय स्वयंसेवक संघ का कब्ज़ा हो चुका है। भारतीय संस्थाएं जैसे थाने, अदालतों का एक हिस्सा और सामाजिक न्याय की कई संवैधानिक संस्थाएं साम्प्रदायिक हो चुकी हैं। उन्होंने राजस्थान की कांग्रेस सरकार पर निकृष्टता का आरोप लगाते हुए कहाकि राज्य में अल्पसंख्यक सुरक्षित नहीं हैं क्योंकि राजस्थान में अभी तक लिंचिंग में सात लोगों की हत्याएं हो चुकी हैं और पुलिस का रवैया ठीक नहीं है। उन्होंने मंच पर महिलाओं की कम संख्या पर असंतुष्टि का इज़हार करते हुए मुसलमानों से अपील की कि महिलाओं की सभाओं में भागीदारी बढ़ाए जाने की आवश्यकता है।
ऑल इंडिया तंज़ीम उलामा ए इस्लाम के संस्थापक अध्यक्ष मुफ़्ती अशफ़ाक़ हुसैन क़ादरी ने कहाकि देश बचाओ, दस्तूर बचाओ कॉन्फ्रेंस का मुख्य मुद्दा देश और संविधान बचाना है। उन्होंने आरोप लगाया कि वर्तमान सरकार ‘ग़ैरों’ की सलाह पर चलती है, इसके दुष्परिणाम देश को भुगतने पड़ रहे हैं। उन्होंने कहा संविधान की रक्षा के लिए मुसलमानों, दलित और ट्राइबल को एक साथ आगे आने होगा। मुफ़्ती अशफ़ाक़ ने युवाओं की शिक्षा, महिलाओं के सशक्तिकरण और रोज़गार के अवसर पैदा करने की मांग की।
शहर के स्थापित समाजसेवी हाजी रफअत ने कहाकि महिलाओं की सुरक्षा को लेकर हम बहुत गंभीर हैं। उन्होने कहाकि हम मीडिया के बायकॉट की घोषणा करें, इससे बेहतर है मीडिया अपने रवैये को बदले अन्यथा मीडिया यदि मुसलमानों के विरुद्ध अपना एजेंडा चलाती है तो हम भी उससे मुंह मोड़ लेंगे। इसका जवाब हम केबल कटवाने और अख़बार बंद करने से करेंगे जबकि बाकी दुनिया से जुड़े रहने के लिए हम इंटरनेट की मदद लेंगे।
दलित संगठन बामसेफ के प्रतिनिधि परमेन्दर ने कहाकि आज हम सभा में इसलिए जमा हो पा रहे हैं क्योंकि हमारे पुरखों ने इस संविधान की रक्षा की है। उन्होंने बामसेफ प्रमुख वामन मेश्राम के संदेश की व्याख्या करते हुए कहाकि देश और संविधान ख़तरे में हैं। जिन लोगों ने इस देश को ख़तरे में डाला है उन ज़ालिमों की पहचान होनी चाहिए। उन्होंने कहाकि हम इसलिए आज़ाद नहीं हुए क्योंकि हम पुलिस में आज भी अपनी एक प्राथमिकी दर्ज नहीं करवा पाते हैं। परमेन्दर ने कहाकि समस्या का अर्थ है दास होना और अगर हम परेशान हैं तो इसका तात्पर्य है हम स्वतंत्र नहीं हुए। उन्होंने कहाकि भारत की सत्ता विदेशों के हाथों में है। देश की राजधानी में संविधान जलाने वाले लोगों से इस देश को ख़तरा है। उन्होंने क़ुरआन की पवित्र आयत का हवाला देते हुए याद दिलाया कि यह पवित्र पुस्तक हमें पीड़ित के साथ खड़े होने का आदेश देती है। आदिवासियों को जंगलों से बेदख़ल किया जा रहा है, दलितों से छुआछूत किया जा रहा है और पिछड़ों का मानसिक शोषण जारी है। उन्होंने इस सामाजिक और राजनीतिक शोषण के विरुद्ध बामसेफ और भारत मुक्ति मोर्चा के आंदोलन को सफल बनाने का आह्वान किया। उन्होंने ईवीएम मशीन को राक्षस की संज्ञा दी और चुनाव को पुराने बैलेट पेपर से करवाए जाने की आवश्यकता पर बल दिया।
जवाहरलाल नेहरू विश्वविद्यालय के असिस्टेंट प्रोफेसर डॉ हफ़ीज़ुर्रहमान ने कहाकि सत्ता का चरित्र विचारधारा पर होता है परन्तु राष्ट्र को बहुवाद पर चलाए जाने की कोशिश की जा रही है। उन्होंने कहाकि मुसलमानों को भावना की बजाय शिक्षा और रोज़गार के मुद्दे पर गंभीरता से विचार करना होगा। उन्होंने कहाकि जिस प्रकार महात्मा बुद्ध की विचारधारा को भारत से अधिक विदेशों में मान्यता मिली, आज यह स्थिति महात्मा गांधी के लिए बनाई जा रही है। आज सत्ता में वह तत्व आ गए हैं जो महात्मा गांधी की विचारधारा को इस देश से निकालना चाहते हैं। हम मानते हैं कि यह देश महात्मा गांधी और भीमराव अम्बेडकर की विचारधारा पर ही चल सकता है। डॉ हफ़ीज़ुर्रहमान ने मुसलमानों से अपील की कि वह शिक्षा, स्वास्थ्य और रोज़गार के अवसर पैदा करें।
राजस्थान सरकार में विशिष्ट शासन सचिव गृह पीसी बैरवाल ने कहाकि किसी भी व्यक्ति के लिए शिक्षा, रोज़गार और स्वास्थ्य के संसाधनों तक हमारी पहुँच होनी चाहिए। उन्होंने कहाकि समाज के सभी वर्गों को बैठकर अपनी समस्याओं पर विचार करना चाहिए।
विधायक रफ़ीक़ ख़ान ने कहाकि महात्मा गांधी, बाबा साहेब भीमराव अम्बेडकर, जवाहरलाल नेहरू और सरदार वल्लभभाई पटेल की आज़ादी के बाद अस्तित्व में आए संविधान को भारतीय जनता पार्टी की सरकार बदलने का प्रयास कर रही है। उन्होंने कहाकि अभी विधानसभा सत्र में वह अपने क्षेत्र के विकास के लिए कार्यशील हैं।
मुस्लिम युवा यूसुफ ख़ान ने कहाकि मानव और पशु में जैविक आवश्यकताओं के आधार पर समानता होती है लेकिन वैचारिक आधार पर ही फर्क होता है। उन्होंने राजस्थान में मुस्लिम विश्वविद्यालय की स्थापना पर ज़ोर दिया। उन्होंने कहाकि देश में 25 करोड़ मुसलमान हैं और राजनीतिक स्तर पर उसे सफलता प्राप्त करने के लिए शिक्षा को अनिवार्य करना चाहिए। उन्होंने कहाकि मुसलमान बच्चों को शैक्षणिक स्तर पर पिछड़ा रखने की साज़िश की जाती है और हमें इससे निपटना आना चाहिए।
किसान महापंचायत के राष्ट्रीय अध्यक्ष और आम आदमी पार्टी के राजस्थान अध्यक्ष रामपाल जाट ने कहाकि जब तक हमारे बीच रोज़गार को लेकर कार्य नहीं होगा हमारा संघर्ष अधूरा है। उन्होंने कृषि उपज में बिचौलियों को समाप्त करने के लिए आम जनसमुदाय को कृषि उत्पादों की निपज और विपणन को समझने पर बल दिया। उन्होंने साम्प्रदायिकता का जवाब कार्य के बल पर श्रमिक वर्ग की राजनीति से दिए जाने पर बल दिया। उन्होंने आरोप लगाया कि राजनीतिक हत्याओं को सत्ताओं का संरक्षण प्राप्त होता है।
जैन जागृति परिषद के जनरल सेक्रेटरी प्रोफेसर मानचंद खंडेला ने कहाकि वह जातिवाद के विरोधी हैं और वह अपने नाम के साथ जैन नहीं लिखते। खंडेला ने कहाकि हमें तक़रीर नहीं तजवीज (तरकीब) की आवश्यकता है। प्रोफेसर ने कहाकि धार्मिक सहिष्णुता, सारक्षता विस्तार, शिक्षा और सद्भाव की भावना के प्रसार की आवश्यकता है। उन्होंने धार्मिक ढोंग और प्रपंच से बचने की सलाह देते हुए आरोप लगाया कि गाय की रक्षा के नाम पर ढोंगी अपनी दुकान चला रहे हैं। आज की राजनीति नीति और कर्म की नहीं सत्ता की राजनीति है।
दलित नेता मोहनलाल बैरवाल ने कहाकि देश का संविधान ख़तरे में है और मुसलमानों और दलितों के प्रति उदानीसता ख़तरनाक स्तर पर है। उन्होंने कहाकि यह देश सभी वर्गों के योगदान से बना है और इसकी अवहेलना नहीं की जा सकती। आज भी ठाकुरों के दबाव में दलित बस्ती से बारात नहीं निकालने दी जाती। सार्वजनिक पानी के स्रोतों पर दलितों के साथ अमानवीय व्यवहार होता है। दलित महिलाओं के साथ थाने में रेप की घटनाएं देश में आम हो चुकी हैं। दूध के कारोबार के लिए गाय रखने वाले मुसलमानों को भाजपा-राष्ट्रीय स्वयंसेवक संघ के लोग पीट-पीट कर मार डालते हैं। यह सब संविधान की हत्या के उदाहरण हैं। हम इन चुनौतियों का मुक़ाबला एकता से ही कर सकते हैं।
समाजसेवी लतीफ आरको ने कहाकि यह हमारा देश है और हमें ही किराएदार बताने की कोशिश की जा रही है। उन्होंने कहाकि जब बंटवारे में हम लोग पाकिस्तान नहीं गए तो चन्द कायर फासीवादी ताकतों से हम डरेंगे नहीं। उन्होंने युवाओं से अपील की कि वह मीडिया और सोशल मीडिया की राजनीति को समझें और इसके ख़िलाफ़ ख़ुद जवाब देने की बजाय क़ानूनी रास्ते अपनाए जाने की आवश्यकता है।
पत्रकार अख़लाक़ उस्मानी ने आम जनता से पूछा कि कितने लोग मानते हैं कि उनके ख़िलाफ़ मीडिया राजनीति कर रही है। उपस्थित जनसमुदाय में लगभग पूरे जनमानस ने हाथ उठाकर स्वीकार किया कि मीडिया मुसलमानों के विरुद्ध अभियान चला रहा है। उस्माानी ने इसका जवाब राजनीति से ही देने का मश्विरा दिया। उन्होंने कहाकि जो मीडिया भ्रष्ट है आप उसका ग्राहक बनने से इनकार करें। उन्होंने टेलीविज़न और अख़बार को इंटरनेट से बदलने का मश्विरा दिया और कहाकि इंटरनेट आपके ज्ञान में इज़ाफ़ा करेगा जबकि भ्रष्ट मीडिया आपको गुमराह भी कर रहा है और धन भी कमा रहा है। उन्होंने कहा जो मीडिया आपकी बात नहीं कहता, उस मीडिया का बायकॉट कर दें। यदि आपको फिर भी लगता है कि इस मीडिया की आवश्यकता है तो आप इस मीडिया को इंटरनेट पर ही पढ़ लें लेकिन मीडिया घरानों का ग्राहक बनना बन्द कर दें।
समाजसेवी और पूर्व वायुसैनिक शोएब ख़ान ने कहाकि भारत धर्मों और शांति का संगम है। उन्होंने कहाकि कुछ लोग धर्म के आधार पर बंटवारा चाहता है। ख़ान ने बाबा साहेब के संविधान की रक्षा और बच्चों की सेहत और शिक्षा पर ज़ोर दिया। उन्होंने दलितों और मुसलमानों पर हमले की तुलना देश पर हमले से की। समाजवादी पार्टी के नेता और युवा कवि शैलेन्द्र अवस्थी शिल्पी ने इस अवसर पर एक कविता का पाठ करते हुए सामाजिक एकता पर बल दिया। उन्होंने संविधान की रक्षा पर बल देते हुए देश के लोकतंत्र की रक्षा के लिए युवाओं को आगे आने का आह्वान किया।
सिख समाज जयपुर के प्रमुख हरमीत सिंह ने कहाकि ने समाज में महिलाओं के विरुद्ध अपराध में वृद्धि बहुत हो गई है और इससे निजात का तरीका यही है कि महिलाओं की शिक्षा से ही इसका निवारण किया जाए। महिलाओं के प्रति सम्मान और समानता के भाव से ही हम समाज में तरक्की कर सकते हैं। इस अवसर पर शहर के कोने कोने के अतिरिक्त नागौर, बीकानेर, मकराना, टोंक, अजमेर, सवाई माधोपुर आदि कई शहरों से पधारे सम्मानीय अतिथि, राजनेता तथा समाज सेवी मौजूद थे।
(सौजन्य: कोहराम)
Jouhar University Rampur…आज़म खान का गुस्सा
आज़म खान का गुस्सा, तौबा-तौबा azam khan angry on yogi Adityanath & Bjp government
आज़म खान का गुस्सा, तौबा-तौबा azam khan angry on yogi Adityanath & Bjp government | Media Today TV
Posted in Article | ટૅગ્સ:Azamkhan.Rampur
Voices Against Lynching | Song and Poem | Dastoor – Habib Jalib | Ft. Poetry by Nabiya Khan
Dastoor – Habib Jalib
Voices Against Lynching | Song and Poem | Dastoor – Habib Jalib | Ft. Poetry by Nabiya Khan
Posted in ગઝલ | ટૅગ્સ:Voices Against Lynching
Mob lynching…Times Express
Mob lynching…Times Express
गुस्से में सड़कों पर उतरे मुसलमान! कहा हमसे 1 दिन निपट लो, तबरेज अंसारी के लिए बड़ा प्रदर्शन।
Posted in Article | ટૅગ્સ:Times Express
દર્પણ લઈ ખૂલે છે સમય…..મુહમ્મદઅલી વફા
દર્પણ લઈ ખૂલે છે સમય…..મુહમ્મદઅલી વફા
.
એષણાની આંખ ચૂંથે છે સમય.
વારતા એ રોજ ગૂંથે છે સમય.
.
એ ફરી બુમરેંગ થઈને આવશે,
ઘાવ જૂનો પણ ન ભૂલે છે સમય
.
એ બને ધરબો તમે કો ભેદને,
પણ બધા કરતૂત કબૂલે છે સમય.
.
છેતરી એને તમે શકતા નથી,
દર્દનું સગપણ વસૂલે છે સમય.
.
માનવી ભટકે ક્ષણોની શોધમાં,
હિંચકે બેસીને ઝૂલે છે સમય.
.
આંખનાં પોલાણમાં ચીટકે સદા,
વાત ટૂકાવું ને ફૂલે છે સમય.
.
જૂઠનું મહોરું વફા ટકતું નથી,
સત્યનાં દર્પણ મહિ ખૂલે છે સમય.
Posted in ગઝલ | ટૅગ્સ:Muhammedali Wafa
વિસ્તરીબેઠો….રવીન્દ્ર્ પારેખ
Posted in ગઝલ | ટૅગ્સ:Ravindra Parekh
વધારે કૈં નથી….. દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વધારે કૈં નથી….. દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
====
અશ્રુઓ જળથી વધારે કૈં નથી,
જિંદગી પળથી વધારે કૈં નથી.
.
ઊંઘને માનો પથારી જો તમે,
સ્વપ્ન એ સળથી વધારે કૈં નથી.
.
હસ્તરેખા છે અધૂરા દાખલા,
હાથ કાગળથી વધારે કૈં નથી.
.
હોય ખુદ્દારી જો માનવનું શિખર,
લાચારી તળથી વધારે કૈં નથી.
.
મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી.
.
દેહ પીંજર છે ને પંખી પ્રાણનું,
શ્વાસ સાંકળથી વધારે કૈં નથી.
.
મસ્ત ઝરણાં જેવી ‘ચાતક’ની ગઝલ,
‘વાહ’ ખળખળથી વધારે કૈં નથી.
.(http://www.mitixa.com/2017/3998.htm)
( Courtesy: facebook)
Posted in ગઝલ | ટૅગ્સ:Daxesh Contractor'Chatak'
થવા લાગ્યો…..એસ.એસ.રાહી
થઈ ગઈ……દેવિકા ધ્રુવ
Posted in ગઝલ | ટૅગ્સ:Devika Dhruv
મીઢાં મૌન અને આઝાદ લબ……રોહિત શુકલ
Posted in Article | ટૅગ્સ:Rohit Shukla
ગુજરાતી-ઉર્દ્દૂ ભાષાના જાણીતા શાયર હનીફ સાહિલની વસમી વિદાય…….ગુજરાત ટુડે
ગુજરાતી-ઉર્દ્દૂ ભાષાના જાણીતા શાયર હનીફ સાહિલની વસમી વિદાય-ગુજરાત ટુડે
……

…..
(Courtesy: Gujarat Today)
Posted in માહિતી
આપના પ્રતિભાવ