છું વીતેલો સમય—રતિલાલ અનિલ

જ્યારે જ્યારે હું ભુલાયો છું

એમ લાગ્યું કે હું પરાયો છું

 

મેઘને વળી ક્યાં ખબર એની?

ક્યાંક એમ જ હું યે છવાયો છું

 

ક્યારેય લાગ્યું નથી છું પડછાયો

આભ આખું ભરી છવાયો છું

 

આખી દુનિયા કહે છે પાગલ પણ

કોઈને માટે સાવ ડા૱યો છું

 

બે ક્ષણોનું તો ગીત હું યે છું

માત્ર મૂગો મૂગો ગવાયો છું

 

કોઈ સરનામું શી રીતે જાણે

છું વીતેલો સમય પરાયો છું

 

પૂનમે ચાંદ તો નથી હોતો

એ સમાચારે હું ફ્હવાયો છું

 

એકલો હોઉં છું ‘અનિલ’ ત્યારે

હું હિમાલય નીચે દબાયો છું

(અલવિદા!)

એક હણહણતું સપનું—મનોજ ખંડેરિયા

એક કણસ ઊઠતી પગલાંમાંથી

પાછું ફરવું પડ્યું રસ્તામાંથી

 

એક પાગલ ડૂબેલી હોડીને-

શોધતો અબ્ધિના નકશામાંથી

 

એક અંધારું બળતું ઈચ્છાનું

વાસ આવી રહી તડકામાંથી

 

એક હણહણતું સપનું સોંસરવું

નીકળી જાય છે મારામાંથી

 

હસ્ત-રેખા તિરાડો જેવી થઈ

જાય સરકી બધું ખોબામાંથી

 

યાદનું ઘણ  ગયું પાદર છોડી

સાંજ પણ ચાલી ગઈ વડલામાંથી

 

તોફાન થયું છે ભર દરિયે—ગની દહીંવાળા

 

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?

નૌકાને વળી લંગર કેવું,સાગરને કિનારો શા માટે?

 

સેકાઈ ચૂકયું છે કૈંક અમે સૌંદર્યથી ઉષ્માંથી જીવન,

આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે?

 

મનદમસ્ત ત્યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાયી નથી,

તોફાન થયું છે,ભર દરિયે સપડાય કિનારા શા માટે?

 

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં,

રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે?

 

મૃત્યુએ વધારી દીધી છે  સાચેજ મહત્તા જીવનની,

અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો  શા માટે?

 

અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા!

મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો  શા માટે?

            

તોફાન તો મન માન્યુ કરશે પણ એક વિમાસણ છે મોટી,

નૌકાને ડૂબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે?

  

વર્ષોથી ‘ગની’ નીજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,

છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો  શા માટે?

 

Posted by: bazmewafa | 11/27/2009

EID MUBARAK

 

EID MUBARAK

عید مُبارک

લોહીમાં ઘુઘવાટ—અદમ ટંકારવી

 

લોહીમાં ઘુઘવાટ જે સંભળાય છે

તમને એનો અર્થ કંઈ સમજાય છે?

 

પ્રીતનાં છાંટા ઊડે છે ચો તરફ

રેનબૉ જેવું કશું દેખાય છે

 

કોઈ એમાં પગ ઝબોળે ને પછી

પાણી કેવું ઝળઝળિત થઈ જાય છે

 

એક માણસ કૂચે કૂચા થઈ ગયો

એક માણસ ઘાણીએ પિલાય છે

 

હૉર્સપાવર પૂરેપૂરા સાઠ લાખ

તે છતાંય કેમ હાંફી જાય છે

 

ધોધ ઝરણું વાવ પરપોટો ટીપું

કોઈને પણ ક્યાં કશું કહેવાય છે

 

આપણું હોવું યે ધુમ્મ્સ થઈ ગયું

આપણો ચહેરોય કયાં દેખાય છે

 

એક પરપોટો થયો ફૂટી ગયો

આ કથા અહીંયાજ પૂરી થાય છે

 

આમ રેલમ છેલ છે કિંતુ અદમ

ચાંગળું પાણીય ક્યાં ઝીલાય છે?

(ટોરન્ટો ,11-9-1999)

(‘અમેરિકામાં હોવું એટલે’)

છાનું સ્મિત—સૈફ પાલનપુરી

વાત ર’ઈ ગઈ ચાંદનીની એક બહાનું થઈ ગયું.

હું જ જાણું છું કોઈથી સ્મિત છાનું થઈ ગયું.

 

ગઈ ખૂશી એનો નથી ગમ 1ગમ છે આંસુ પણ ગયાં,

મારી ઉજ્જડતાનું ઉપવન ગુલ વિનાનું થઈ ગયું.

 

તુજ મિલનનું સ્વપ્ન જોઈ સ્મિત ફર્ક્યું હોઠ પર,

સાથે સાથે દર્દ પણ એક છાનું થઈ ગયું.

 

દોસ્તોની મ્હેર છે કે સંખ્યા વધી ગઈ જખ્મની,

દુશ્મનિનું એ પછી વર્તુળ નાનું થઈ ગયું.

 

કોણે ઈશ્વરનાં હ્રદય પર ઠેશ પહોંચાડી હશે,

કોણ સર્જન માટે કારણ પ્રેરણાંનું થઈ ગયું.

 

ખૂબસૂરત ગાલ પર આ શ્યામ તલ શી વાત છે!

યોગ્ય શીર્ષક જાણે સુંદર વાર્તાનું થઈ ગયું.

(Grand Mosque of Prophet,Madinah)

 

સિરાતે હરમ—–દીપક બારડોલીકર

નિરંતર ખૂશી છે , નથી કોઈ ગમ

છે તારી કરમ મૌલા તારી કરમ

 

નથી અમને નિસ્બત કોઈ વાદથી

નબીનો ધરમ એ અમારો ધરમ

 

કળી હું શકું, તુજને પામી હું શકું

મને આપજે એટલો તું ઇલમ

 

સમય એવો, ધ્રુજી ગયા પર્વતો

મગર તુંજ કૃપા કે, છું સાબિત કદમ.

 

કોઈ અન્ય કેડી શે મોહી શકે?

કે મનમાં વસી છે સિરાતે હરમ

 

ચલો બેસી જઈએં હરમ છાંયમાં

સફળ થઈ જશે આપણો આ જનમ

 

ઓ માલિક ! આ તારી જ સૌ મે’ર છે

કે ‘દીપક’ ની ચાલી રહી છે કલમ.

 

Posted by: bazmewafa | 11/24/2009

નજર: અલમદાર બુખારી

નજર: અલમદાર બુખારી

મંગળવાર

લિબ્રાહન અહેવાલ  લીક થયાની મોંકાણ કરતા એના તથ્યો મહત્ત્વના છે

બાર વર્ષે બાવો બોલ્યોની જેમ સત્તર વરસના વહાણાં વહ્યાં બાદ જસ્ટીસ લિબ્રાહને પોતાનો અહેવાલ અનેક જાતના ઠાગાઠૈયા પછી સરકારને સુપરત કર્યો એનેય ઘણો સમય વીતી ગયો છતાં સરકારના પેટનું પાણી હલતું નહતું. સરકાર તો શું પરંતુ કોઇ રાજકીય પક્ષોય સળવળતા નહતા. કોઇ કરતા કોઇએ એવી વજનદાર માગણી નહતી કરી કે આ રિપોર્ટને પ્રજા સમક્ષ રજૂ કરો. એક, બે, ત્રણ, ચાર એમ એક પછી એક મહિનાઓ વીતી રહ્યા હતા અને લોકો પણ ભૂલવા લાગ્યા હતા કે લિબ્રાહન નામનું પંચ અયોધ્યાકાંડના કલંકની તપાસ માટે સરકારે રચ્યું હતું જેણે સત્તર વર્ષની મહામહેનત અને કરોડોના આંધણ બાદ જે હેવાલ તૈયાર કર્યો હતો એ સરકારની તિજોરીમાં ધૂળ ખાઇ રહ્યો છે. પરંતુ લોકશાહીને જીવંત રાખનારા આધાર સ્તંભો પૈકીના એક સ્તંભ અર્થાંત પત્રકારિત્વએ પોતાની ફરજ બજાવી અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વસતા લોકો સમક્ષ અહેવાલ રજૂ કરી દીધો.

ખોજી પત્રકારિત્વના સીમાચિહ્નરૂપ આ દૃષ્ટાંતને પરિણામે માત્ર સરકાર જ નહીં પણ સૂઇ રહેલા તમામ રાજકીય પક્ષોમાં અચાનક ભાગદોડ મચી ગઇ. શિયાળાની સવારમાં સવામણ રૂની રજાઇમાં સૂતેલા શખ્સો પર કોઇ ઠંડા પાણીનો છંટકાવ કરે અને જે સ્થિતિ સર્જાય એનાથીયે ખરાબ અસર લિબ્રાહન પંચનો હેવાલ અચાનક લીક થવાથી ઘણા રાજકીય પક્ષોમાં સર્જાઇ છે. વાસ્તવમાં તેમની નિષ્ક્રીયતા અને બેજવાબદારીને કારણે જ તેમના આવા હાલ થયા છે ત્યારે આ બેહાલ નેતાઓ હેવાલ લીક કરનાર મીડિયાને દોષ દઇ રહ્યા છે અને તે બાબતે હોબાળો મચાવી રહ્યા છે.

પરંતુ અહીં સવાલ એ છે કે અહેવાલ લીક કેમ થયો એ મહત્ત્વનું છે કે એ અહેવાલમાં શું છે એ મહત્ત્વનું છે ? આટલી મોટી હોનારત છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના રોજ સર્જાઇ જાય જેના કારણે દેશ આખો ભડકે બળે, ત્રણ હજારથી વધુ ભારતીય હિન્દુ-મુસ્લિમ દંગામાં હોમાઇ જાય જે પૈકી મોટાભાગના મૃતકો કે પીડિતો લઘુમતીના જ હોય, દેશના અર્થતંત્રથી માંડીને તમામ ક્ષેત્રની પ્રગતિ મહિનાઓ સુધી સ્થગિત થાય અને રાષ્ટ્રને ગણી ન શકાય એટલું પ્રચંડ નુકસાન થાય એવી રાષ્ટ્રીય કલંકિત ઘટના આચરનારા ષડયંત્રકારીઓનો પર્દાફાશ થતાં સત્તર વર્ષ લાગી જાય અને તે છતાંય સરકાર આ અહેવાલ પર કુંડલી મારીને બેસી રહે તો એ શરમજનક નહ તો બીજું શું ? ચાલો માની લઇએ કે જસ્ટીસ લિબ્રાહને પોતાનો હેવાલ સરકારને સુપરત કર્યો ત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ચાર રાજયોમાં વિધાનસભાની ચૂંટણી હતી અને ત્યારે વાતાવરણ ન ડહોળાય તેમજ કાગ્રેસ પર રાજકીય આક્ષેપ ન થાય એટલા માટે ત્યારે મનમોહનસિંઘની સરકારે આ અહેવાલ રજૂ ન કર્યો એ સમજી શકાય એવી વાત હતી પરંતુ એ રાજયોમાં ચૂંટણીય કયારની પતી ગઇ અને નવી સરકારોય કામ કરતી થઇ ગઇ છતાંય કાગ્રેસના નેતૃત્વવાળી સરકાર હેવાલ પર પલાંઠીવાળીને બેસી રહે તે કયાંથી ચાલે ? એકાદું ખૂન કરનાર કે જાહેર માલ-મિલ્કતને નુકસાન કરવા માટે જવાબદારો વિરૂધ્ધ તાત્કાલિક આરોપો ઘડાઇ જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો કેસ પણ ચાલી જાય જયારે અહ તો હજારો લોકોને મોતના મ્હોંમાં ધકેલવા માટેના જવાબદારો અને રાષ્ટ્રને સામાજિકથી માંડીને આર્થિક સુધીના મોરચે પારાવાર નુકસાન પહાચાડનારાઓ વિરૂધ્ધ કેસ ચલાવવાની વાત હતી છતાં સરકાર ઢીલાશ દાખવે તે કંઇ ચાલે ? છતાં ચાલી રહ્યું હતું પણ જાગૃત મીડિયાએ સૂતેલા સત્તાકારણીઓને હચમચાવી નાખ્યા અને બધા જ જે દિશા સૂજી એ તરફ દોડવા લાગ્યા. જેમાં સૌથી નિરર્થક વલણ જે લોકોને અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદ કરવા માટે જવાબદાર ઠેરવાયા છે એ લોકોનું છે. દેખીતી રીતે જ અડવાણી એન્ડ મંડળીને જસ્ટીસ લિબ્રાહને આ કાંડ માટે દોષિત ઠરાવી છે ત્યારે ગુનાનો એકરાર કરવાના બદલે આ આખી મંડળી એ બાબતે કાગારોળ કરી રહી છે કે મીડિયામાં અહેવાલ લીક કેવી રીતે થયો ? લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે અને આરોપોના ગાળિયામાંથી બચવાની જ આ બેશરમ કવાયત છે. વાસ્તવમાં તો તેઓ જો દૂધે ધોયેલા હોત તો આ હેવાલને લીક થયો તે પૂર્વે જ વહેલી તકે રજૂ કરવાની માંગણી તેમણે કરી હોત કારણ કે સૌ જાણે છે કે બાબરી મસ્જિદ શહાદત કાંડના ગુનેગારો કોણ છે. તેમ છતાં તેઓ આ બાબતે મૂંગા રહ્યા કારણ કે જે વાત આખો દેશ જાણે છે એ હકીકત ખુદ દોષિતોને ખબર ન હોય એ કઇ રીતે શકય બને ? અર્થાંત લિબ્રાહન પંચનો હેવાલ તેમના ગળાનો ગાળિયો બને નહીં એ માટે તેઓ તત્પર હતા અને તેનો સૌથી શ્રેષ્ઠ ઊપાય તેમના માટે એ જ હતો આ હેવાલ રજૂ જ ન થાય અને ધૂળ ખાતો રહે. પરંતુ કાગ્રેસની ફરજ હતી કે તે આ હેવાલને વહેલી તકે રજૂ કરે પણ તેય આવા કામોમાં પરોક્ષ રીતે સંડોવાયેલી હોય છે એવો ભૂતકાળનો આપણો અનુભવ રહ્યો છે અને આ અનુભવમાં વધારો થઇ રહ્યો હતો ત્યાં મીડિયાએ આ હેવાલ લીક કરીને કાગ્રેસની ખુરશી નીચે ફટાકડાની આખી લૂમ સળગાવી દીધી છે. જેના ધૂમ ધડાકાથી કાગ્રેસ અત્યારે ઊછળી રહી છે પણ એમાં વાંક એનો પોતાનો છે.

વાસ્તવમાં અહેવાલ લીક કેમ થયો એ અંગે સવાલ પૂછવાનો હક કાગ્રેસનો અને તેની સરકારનો છે એના બદલે જે લોકો ગુનેગારો છે એ આ બાબતે હોબાળો કરી રહ્યા છે કે અહેવાલ લીક કેમ થયો ? અરે ભાઇ લીક થયો તો થયો પણ એનાથી તમને પેટમાં ચૂંક કેમ આવે છે ? તમે તો એમાં દોષિત ઠરાવાયા છો ત્યારે કાયદાના શરણે જાવ અને દેશના બંધારણની આમન્યા સાચવો. અહેવાલ લીક થયો એની પરવા કરવાના બદલે એમાં જે છે એની પરવા કરો ને…! ખરેખર તો કાગ્રેસે પણ આ હેવાલ લીક થવાના પ્રશ્નને બીજી પ્રાથમિકતા પર મૂકીને પોતાની પહેલી પ્રાથમિકતા એ નક્કી કરવી જોઇએ કે હેવાલમાં જે કાંઇ તથ્ય તારણો બહાર આવ્યા છે એ અંગે ન્યાયી કાર્યવાહી કરવી. લીક થયા બાદ બીજા જ દિવસે સંસદમાં અહેવાલ રજૂ કરીને તેણે શરૂઆત તો કરી દીધી છે પરંતુ એકશન ટેકન રિપોર્ટ (એટીઆર) હવે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. સરકારને અને દેશને આજે અધિકૃત રીતે ખબર પડી ગઇ છે કે બાબરી મસ્જિદને શહીદ કરીને દેશ માટે ભારે મુશ્કેલી સર્જનારા ખલનાયકો કોણ હતા. ત્યારે આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કલંકિત ઘટના માટેના દોષિતોને સજા પણ અભૂતપૂર્વ અને ઐતિહાસિક થાય એ જોવાની પહેલી ફરજ સરકારની છે.

મહેક

કરીબહૈ યારા, રોઝે મહેશર,

છૂપેગા કિશ્તાકા ખૂન કયુંકર

જો ચૂપ રહેગી ઝબાને ખંઝર,

લહૂ પુકારેગા આસ્તીંકા

એક નજર ઇધર ભી

કાચબો પોતાના કવચમાંથી માથું બહાર કાઢવાનું જોખમ લે તો જ આગળ વધી શકે છે.

-યાસીગો.

જરા હસ કે

અડવાણીએ વાજપેયીને કહ્યું : કાલે રાત્રે ઉંઘમાં તમે મને ભાંડી રહ્યા હતા.

વાજપેયી કહ્યું : અડવાણીજી જરૂર તમને કોઇ ગેરસમજ થઇ હશે.

અડવાણીએ પૂછયું : કેવી ગેરસમજ ?

વાજપેયીએ જવાબ આપ્યો : એ જ કે હું ઉંઘમાં હતો.

કલીક કરો

http://www.gujarattoday.in/fullnews.asp?nid=19765

(ગુજરત ટુ ડે –મંગળવર તા.24 નવેંબર 2009 ના સૌજન્યથી)

‘યે મેરા ગાના હૈ’—રમેશ દેસાઈ

એક કવિ માધવ રામાનુજ , વિનોદ ભટ્ટ અને શેખાદમ આબુવાલા ત્રણે ય જનસત્તાના બિલ્ડીંગ નીચે ભેગા થઈ ગયા.

                માધવ રામાનુજે માહિતી આપી: મારા ગીતો વાળું ગુજરાતી પીકચર  ‘સોળે સજ્યા શણગાર’ આવતે અઠવાડિયે આવી રહ્યું છે.’

                   શેખાદમ ભાઅઈ એ તુરત જ કહ્યું:’મને સાથે લઈ જજે ને તારી બાજુમાં બેસાડજે.’

                  માધવ રામાનુજ હસ્યા. એટલે શેખાદમભાઈ એ કહ્યું:’૝પણ તું પૂંછ તો ખરો કે શા માટે ?

              માધવ રામાનુજે ઈશારાથી પૂછ્યું2 કેમ ?

એના જવાબમાં શેખાદમ ભાઈએ એક પ્રસંગ કહ્યો:

   ફિલ્મ લાઈનમાં ઘૂસવા મેં પણ બહુ ફાંફા મારેલાં, એની તને ખબર છે માધવ? મારા લખેલાં ગીતો ફિલ્મમાં આવે એ માટે હું જીવ પર આવી અગયેલો.

       મારા નસીબની બારીનું વેંટીલેશન ખૂલ્યું,ને મારા ત્રણથી ચાર ગીતો ફિલ્મમાં લેવાયાં.એમાંથી કપાતાં કપાતાં એક ગીત બચ્યું.એ હિન્દી ફિલ્મનું નામ ‘ઘાયલ’. એ વખતે હું મેટ્રીકમાં ભણું.મારા ગાયન વાળું પિકચર ચડ્યું અલે પહેલે દિવસે, પહેલાજ શોમાં

પાંચ આના વાળી ટિકિટ લાઈનમાં ઊભા રહી , ધક્કામુક્કી ખાઈને માંડ ટિકિટ મેળવી.થિયેટરમાં પ્રવેશીને પડદા પર મીટ માંડી અધીરાઈથી બેઠો ક એક્યારે અમીરબાઈ કર્ણાટકીએ ગાયેલું મારું લખેલું ગીત આવે.

                મારી બાજુમાં દૂધવાળો ભૈયો બેઠેલો.મને પેટમાં ગુદગુદી થયા કરે.મારા શબ્દોને આજે વાચા ફૂટવાની હતી.બાજુમાં બેઠેલા ભૈયાને મેં પિકચરની શરૂઆતમાં કહેલું:‘દેખના , અભી મેરા ગાના આયેગા.’

   ભૈયા એ  વખતે મારી સામે આશ્ચર્ય થી જોયું હતું.પણ કોઈ જવાબ આપ્યો ન હોતો..મારું ગીત આવ્યું એતલે પેલા ભૈયાને કોની મારતાં ઉત્સાહથી ગદગદ અવાજે મેં કહ્યું,’યહ મેરા ગાના હૈ.’

    ‘ચૂપ બેઠ બે સાલે !કબકા મેરા ગાના મેરા ગાના કી બક બક કરતા હૈ, ઠીકસે સુનને ભી નહીં દેતા !’ભૈયાએ મને ડાર્યો.

   એતલેજ કહું છું કે મને તારી બાજુમાં બેસાડજે.ને તારું ગીત આવે ત્યારે મને કોણી મારીને કહેજે ‘યે મેરા ગાના હૈ.’

       –અને ત્રણે જણા ખડખડાત હસી પડ્યા.

   (  ‘વાહ શેખાદમ’)

સન્માન-શ્રધ્ધાંજલિ—‘-કદમ’ ટંકારવી

જ.ઈબ્રાહીમ  દાદાભાઈ ‘ બેકાર’ સાહેબ(મર્હૂમ)

 

જડે ન કયાંક પણ ગુજરાતમાં બેકાર નો જોટો

હઝલ સમ્રાટનો ના, તેમનો ઈલ્કાબ છે ખોટો.

 

ઘટે બેકાર ને યશ  કે કરી સાહિત્યની સેવા

ગિરા ગુરજર ઉપર છે  ‘ બેકારનો’ ઉપકાર છે મોટો.

                      *

નહીં ભૂલી શકે   બેકારને ગુજરાતની ધરતી

નથી બેકાર પણ બેકારના ધબકાર બાકી છે.

 

સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત એ નથી સાચું,

સજીવન આજ અક્ષર દેહ પર ‘ બેકાર’ બાકી છે

 

હઝલ રૂપે ગિરા ગુર્જરમાં ગુંજે છે ‘ કદમ’ પડઘા

હઝલ સમ્રાટનો નોખો હઝલ પ્રકાર બાકી છે.

 

તા. 5-6-978ને રવિવારે યોજાયએલી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ , યુ.કે.ની બેઠકમાં મર્હૂમ ‘બેકાર’ સાહેબને શ્રધ્ધાંજલિ.

 

જનાબ ‘આદિલ’ મન્સૂરી મર્હૂમ ને

 

હોય સાકી રસ-ગઝલ પાનાર  ‘ આદિલ’ તો  ‘કદમ’

બાટલી વાળા* નશામાં ઓર આવી જાય છે.

બાટલી :ઈંગ્લેંડનું શહેર .જનાબ અહમદ ‘ગુલ’સાહેબનું                       *

 

જનાબ મોહમ્મદ ‘મુલ્લાં’ મનમોજી

 

કરું છું ના કયારે બનાવટ ગમે છે

રજૂઆત એની છણાવટ ગમે છે.

 

ખરેખર! મનમોજી મુલ્લા નિખાલસ

મને એનો સ્વભાવ આદત ગમે છે.

 

જ.’અદમ’ ટંકારવી

 

નવા રૂપક ,નવા પ્રતીક, નવા પ્રયોગ સાધે

’અદમ’ થી દમ ગઝલમાં!શબ્દને વાચા જડી છે

 

જ.’મહેક’ ટંકારવી

 

ગઝલ-ઉપવન સુવાસિત મધમધે છે એજ કારણ

’ મહેક’ થી દર્દની ફોરમ ગઝલને સાંપડી છે.

                  *

વાતવરણમાં આજ ભળી છે ગઝલ –સુવાસ

બેઠા હશે , મહેક અહીં કયાંક આસપાસ

 

ગમ છે ગઝલમાં કોની પૂછો જઈ નજીક

શેની હતી પ્યાસ* કોની હતી તલાશ?*

*પ્યાસ અને તલાશ :જ.’મહેક’ ટંકારવીના ગઝલ સંગ્રહો

                   *

જ.પ્રેમી દયાદરવી

 

તગઝ્ઝુલ પ્રેમ –રસને આવરેૢપ્રેમી

ગઝલની માવજત સુંદર કરે પ્રેમી

 

હૃદયના કોડિયામાં રકત રેડીને

’કદમ’ અજવાશ ચોગમ પાથરે પ્રેમી

 

જ.’દીપક’ બારડોલીકર

 

ગનીએમત છે નથી ઝાંખો હજી આજે બળે દીપક

દુઆ છે કે વધારે ને વધારે ઝળહળે દીપક

 

ગની, ઘાયલ,કિનુ મોદી, અદમની સાથ દેખાશે

ગઝલ શેરી મહીં આવો ‘કદમ’ તમને મળે દીપક.

 

તા.6-7-996ને શનિવારે સાંજે પાંચ વાગ્યેજ.’દીપક’ બારડોલીકર ના સન્માન નિમિત્તે.

             *

જ.’ગુલ’ આલી પોરી

ઉર્મિ અહીં છે ઉર્મિનો તલસાટ પણ અહીં

ગુલ જો અહીં તો ગુલનો છે પમરાટ પણ અહીં

               *

જ.સૂફી મનુબરી

’ કદમ’ લાંબા સમયથી એમને તતો ઓળખું છું હું

ઘણું જીવે સૂફી સુઆ એવી કરૂં છું હું

હઝલ એવી લ્ખે પેટ પકડીને હસે લોકો

કહે સૂફી બધાને જે ગમે તેવું લખું છું હું

                 *

છોળો ઉડાવે હાસ્યની ખાણ છે સૂફી

રાજા રમૂજનાં છે રમૂજ લ્હાણ છે સૂફી

 

સૂફીની વાટ ક્યાં સૂફી હઝલ સમ્રાટ

અન્ય કવિઓ દેહ તો પ્રાણ છે સૂફી

                 *

જેમ પંકાયા છે સૂફી કોઈ પંકાયુ નહીં

સૂફીના જેવું અહેં તો કોઈ વખણાયું નહીં

 

આગવી રીતે પોતાની સૂફીએ  વાંચી હઝલ

એક હું શું હસ્યા વિણ કોઈથી રહેવાયું નહીં.

                     *

આ દુનિયામાં તો લોક આપણને રડાવે છે

ગનીમત આપણી વચ્ચે સૂફી સહુને હસાવે છે.

                    *

જ.ડો.રશીદ મીરે

 ગઝલ સાધક ધુંરધર માનવી છે આપની વચ્ચે

ગઝલ ગુજરાતનું ગૌરવ હજી છે આપણી વચ્ચે

 

‘કદમ’ કહેતે હૈં કોઈ મીર થા અગલે જમાનેમેં

ગઝલ ગુજરાતના એક મીર અહીં છે આપણી વચ્ચે.

 

                  * 

જ.મુસાફિર પાલનપુરી

 

ગઝલ –સફરના એક મુસાફિર અહીં ઉપસ્થિત  આવકારો

’કદમ’ તમોને કહે મુસાફિર ભલે પધાર્યા ભલે પધારો.

….પણ સીધી રીતે આપોને !—નિર્મીશ ઠાકર

“શાબાશ દોસ્ત””શાબાશ !” મને એટલો હરખ ચડી આવ્યો કે મારા દોસ્તના બરડાપર એક અપૂર્વ ધબ્બો મારી દીધેલો.એણે કોઈ સિધ્ધિ મેળવેલી એ તો હાલ યાદ નથી”પણ એટલું જરૂર યાદ છે કે”શાબાશી”નો ધબ્બો ખાધા પછી એ ધરતીકંપથી મકાન ડોલે એમ થોડા ડોલ્યા પછી ઢરાશયી થઈ ગયેલા .પછી એના મમ્મી પપ્પા મને …

      ખેર જવા દો એ વાત. અનુભવે એટલું મને શીખવાડ્યું છે કે આપણા દિલમાં ભાવના ગમે તેટલી ઊંચી હોય “પણ બને ત્યાં સુધી એને સાદી અને પારંપરિક રીતેજ વ્યકત કરવી” જેથી સામાવાળા એને સ્વીકારવામાં નિશ્ફળ ન જાય !

         તમે કવિઓને તો જોયા હશે.તેઓ બીજાઓને શું અને કેટલા પ્રમાણમાં આપી શકે “એ પરિ પ્રશ્ન હાલ બાલજુએ “હાલ તો એવું કાવ્ય તપાસીએૢજેમાં કવિ ઘણું ઘણું આપવા ઈચ્છે છે.

 

હું આપું !

તમારા પ્રકાશે પ્રજાળીને આપું ,

મળ્યું જે બધું ગાળી ચાળીને આપું !

 

જરા જાળવીને તરત ઝીલી લેજો,

અચાનકા સકળ હું ઉછાળીને આપું.

 

કૃપાના કટાક્ષે ઉખેળી ઉકેલી,

કમળ પત્રમાં જે વિંટાળીને આપું.

 

તું યે મ્હેક મધમધતું શ્વાસભીનું,

મને હું પવનમાં પલાળીને આપું.

 

અલંકાર ધારણ કરી જે  લીધા તેં,

જરી આપ પાછો ઉજાળીને આપું.

                 –રાજેન્દ્ર શુકલ

   …તો કવિ આપવાના મૂડમાં છે ! લેનારા કોણ છે2 ક્યારેક આપણે, ક્યારેક પ્રિયતમા … બરાડીને આપું, ઉલાળીને આપું, પછાડીને આપું, બગાડીને આપું, વઘારીને આપું, વગેરે.અલબત્ત આ બધી મૌલિક રીતે આપવાનો એક ઉંડો આનંદ આપણને તો હોયજ, પણ સામા વાળાનો ખ્યાલ રાખવો જોઈએં, શું કહોછો2

   માત્ર આપું કહેવાથી કશું અપાઈ જતું નથી.શું આપવું છે, એ પહેલાં નક્કી કરવું પડે છેીના આધાર પરજ ગઝલના સ્પષ્ટ ગઝલનાં ત્રણ ભાગ પડી જતાં હું જોઉં છું.પ્રથમ બે શે’રમાં કવિ બધું –સકળ આપવા થનગની રહેલા છે.ત્રીજા શે’રમા અકવિ કશુંક આપવા ઈચ્છે છે, તે આપણામાં કુત્થુલ પ્રે છે. છેલ્લા બે શે’ર માંજ કવિએ આપવાની ચીજોનાં સ્પષ્ટ નામ લખ્યા છે.

         સમબ્ર પણે જોઈએ તો ગઝલમાં બે વાતોધ્યાનકર્ષક બની રહેછેીક કવિની આપવાની રીતોનું વૈવિધ્યાને બીજી બાબત તે કવિનો ફાટ ફાટ આત્મ વિશ્વાસ.

   મારો એક મિત્ર પણ એના બુલંદ આત્મ વિશ્વાસ માટે અહીં યાદ આવી જાય છે.૝અલ્યા હું બેઠો છુંને , તું અવાજ કરને ! શું જોઈએ છે તારે ?૘ એમ જ્યારે એ પોતાની વિશિશ્ટ શૈલીમાં બોલે છે, ત્યારે મને એમજ લાજે છે કે આખી દુનિયાનો માલિક એજ છે!

    ગઝલની વાત હોય ત્યારે રાજેન્દ્ર શુકલનો આત્મવિશ્વાસ પણ અટલ-ઊંચા ગિરનાર જેવો જણાતો હોય છે.કેટલાક નમૂન રૂપ એમના શે’ર આ જુઓ…

આ તમે એમ સંબોધોતો હું ભલે

જોઉં તો હરપળે હોઉં છું હું જ હું

            *

ભૂલો પડવાનો ભય કયાં છે ?

હું મારા ઘરનું સરનામું.

            *

નિષેધ કોઈનો નહીં,વિદાય કોઈની નહીં

હું શુધ્ધ આવકાર છું , હું સર્વનો સમાસ છું.

            *

પાંચ ભોળા સાવ શેં ભળિયે અમે

હોઈયેં જ્યાં ત્યાંજ ઝળહળિયે અમે

               *

કોમલ રિષભ, અંતરગાંધાર..જેવા કાવ્યો સંગ્રહઓ આપનાર આ કવિ હંમેશા સૂર અને “શબ્દ “ની ધનિષ્ઠ સંગતમાં રહેતા જણાય છે.ગઝલમાં આદિલ મન્સૂરીને જેટલું “સૂર્ય”નું આકર્ષણ છે, એતલુંજ રાજેન્દ્ર શુકલને ”શબ્દ “નું રહ્યું છેીમણે ”શબ્દ “પ્રત્યે કયારેય મૌન નથી સેવ્યું અને ”શબ્દ “ને હમેંશા  “શબ્દ “ વડે નવાજ્યો છે—એવું હું લખી બેસું , એટલા બધા એમના ”શબ્દ “મય શે’ર છે માંના કેટલાક હું અહીં ઉતારું.

જતી વેળા રોકી ન શકાયાં

“શબ્દ “ મળ્યો ન એકે કૂણો.

         *

“શબ્દ “ જે કદીય મેં કહ્યા નહીં

દ્વાર પર ઉભા રહ્યા ગયા પછી.

          *

“શબ્દ “ પહેલાં ને પછી શું?

એ જે અમથો વિસ્મય ,

           *

 “શબ્દ “ના પિંડ પર અર્થ –વલયોય ન્હોતાં હજી

શુધ્ધ આરંભના નાદની એ અવસ્થા હતી.

               *

એક ઘડી આધી ઘ્અડી ,આધી મેં પૂન આધ

“શબ્દ “ સાથ સંગત બડી, સાધ શકે તો સાધ.

              *

ગંધ—કપૂરવત વ્યાપતો તત્ક્ષણે

“શબ્દ “ને સહેજ જ્યાં અંગુલિથી ગ્રહું

              *

“શબ્દ “ને મૌનનું મૂળ કૈં દ્રવ્ય આ

ક્રીડતું લીલયા નાભિ મન્દ્ર સ્વરે

               *

ગાઢ અંધાર ચકમક ચલી,

“શબ્દ “ની શેજ રકઝક ચલી.

      *

આ “શબ્દ “થીજ “શબ્દ “ને અજવાળશું નક્કી

સર્વસ્વ ઓગળી જવાનો ભય ભલે રહ્યો.

        *

એતલું તો માનવું જ પડે કે રાજેન્દ્રભાઈ એ ”શબ્દ “ પર એવું તો વશી કરણ કર્યું છે કે તેઓ એની પાંસે ધાર્યા અને અણ ધાર્યા કામ લઈ શકે છે.”સભર સુરાહી ,લલિત લચક કટિ કોમલ –સ્કંધા ગઝલ”જેવો મિસરો ફકત ગુજરાતીમાં અને રાજેન્દ્ર શુકલના “શબ્દ “ વડે જ લખાઈ શકે.અને ગઝલને આથી રૂપાળી કલ્પી ના શકાય,ક્રા બાત હૈ! આપને તો યથા શક્યિ “શબ્દ “ને સાધીએ છીએ, પણ શબ્દે તો સ્વયંય “રાજેન્દ્ર શુકલ” ળીને આપું? ળીને આપું? ળીને આપું? ને સાધ્યા છે !

      સૉરી, હું જરા રાજેન્દ્ર શુકલના “શબ્દ “ ની હડ્ફેટે ચડી ગયેલો !કોઈને વિષે સારું ને ન્યાયી લખવું એ વિવેચક ધર્મની વિરુધ્ધ છે, મારે કદક થવુંજ રહ્યું.માતે પ્રસ્તુત ગઝલમાં  કવિની જે આપવાની રીતો છે તે ઈષ્ટ જણાતી નથી.એ કવિતા પ્રચંદ આત્મ વિશ્વાસથી જન્મેલી છે અને લેનારને માટે જોખમ ઊભાં કરનારી પણ છે.

      ધાતુને શુધ્ધ કરવા , તીવ્ર ઉષ્ણતા અને પ્રકાશથી ભરેલી  ભથ્થીમાં તપાવવી ગાળવી પડે છે.”તમાર પ્રકાશે “ એ શબ્દો આપણને ભડકાવે એવા છે.આપણી પાંસેવ પોતાનો પ્રકાશ છે ખરો.? ટૂંકમાં પહેલા શે’રથીજ  કવિ આપણી ઊંઘ ઉડાડી દે છે.આ જમાનામાં આપણાં હક્કનું યે કશું અપાતું નથી , ત્યારે કવિ સામે ચાલીને ૝બધું૝ આપવાની વાત કરે છે, એથી આશંકાઓ અને ગભરામણ નીપજે છે.

       ..પણ કવિ આપણને ઊંડુ વિચારવાની તક પણ આપવા માંગતા નથી.બીજા શેર્માં કવિ કહેછે કે ….તરત ઝીલી લેજો! ક્રિકેટમાં ફકત એકજ દડો ઉછળીને આવતો હોય છે,છતાં અનુભવી ખેલાડી દ્વારા પણ મોતે બાગે કેચ છૂટી જતા હોય છે.! અને અહીંતો કવિ અચાનક “સકળ”ને ઉછાળવા ઈચ્છે છે, જેને આપણે તરત ઝીલવાનું છે ! સૉરી રાજેન્દ્ર ભાઈ ,અમારી એટલી બધી પ્રેકટિસ ક્યાં છે કે સકળ ઝીલી લઈએ? કેચ સો ટકા છૂટી જશે, કારણકે તમારી આપવાની રીતજ ..!તમારે બધું ઉછાળીનેજ શા માટે આપવું છે?

       ત્રીજા શે’રમાં “કૃપાના કટાક્ષે”જેવા શબ્દો દ્વારા કવિ નમ્ર પણે કમલપત્રમાં કંઈ વિંટાળીને આપવા ઈચ્છે છે,એટલે લેનાર તરીકે તો ત્યાં આપણે ક્યાંથી હોઈએં? પ્રિયતમાંજ “કટાક્ષ”થી ઉખેળીને ઉલેલી શકે! વળી આપણને મોટે ભાગે બધું પસ્તી થઈ ગયેલ છાપામાં વીંટાળીનેજ મળતું હોય છે,આપણી લાયકાત મુજબ ! આપને કમળ પત્રને લાયક હોત તો જરૂર ઉકેલત,શે’રને વન ઉકેલ્યોજ છોડી દઈશું ,

     આમ તો ચોથો શે’ર પણ પ્રિયતમાં માટેજ છે, કારણકે મધમધ ભર્યું શ્વાસભીનું મ્હેકવાની વાત છે !અને પ્રિયતમાં સામે પલળી જવું એ કાયદેસર વાત છે , કવિ બરબરના ખીલ્યા છે! સ્વયંને પવનમાં પલાળીને આપવા અપાવવાની વાત પ્રેમમાંજ શોભે.પણ ખરેખર આવું બનેલું મેં જોયું નથી.પ્રેમ એ હોવાની નહીં લાગવાની વાત છે.

    પછી છેલ્લા શે’રમાં પણ આપણને કશું  આપવાની વાત નથી.કવિની પ્રિયતમાં સાથેની અંગત વાત છે.અલંકાર ખરેખરતો ઝાંખો ન પદવો જોઈએ.સોનાને લાગે ક્યાંથી કાટ? પણ હવે સમય એવો છે કે ,કવિએ પણ પ્રિયતમાને નવો અલંકાર આપવાનું જોખમ ન લેતાં, ફકત જૂના અલંકાર ઉજાળી આપવાની વાત કરી છે,

   ટૂંકમાં કવિએ પ્રજાળી ઉછાળી,વીંતાળી, પલાળી જેકાંઈ આપ્યું છીતે લેવા જતાં લેનારનો શ્વાસ જરા અધ્ધર રહે છે.જોઈએ એવી સહજતા પકડાની નથી.”આ ચા તો સાવ ઠરી ગઈ છે૝ીમ પત્નીને કહું છું તો એ તર સામે ઘાંટો પાડીને કહેતી હોય છે, “બળી!લાવો, પાછી ઉકાળી આપું!”પણ એ સહજ તો લાગેજ છે !જરા જૂઓ તો, મારું આ પ્રતિ કાવ્ય સહજ લાગે છે??

  ટાળીને આપું?

નહીં સત્ય ફાવે તો ટાળીને આપું ?

હિસાબો બધા સ્હેજ ચાળીને આપું?

 

રકાબી મહીં એ તરત ઝીલી લેજો,

ઠરેલી હતી ચા ઉકાળીને આપું?

 

ઉખેળો નહીં, એ બહુ પીડશે હોં?

કશું વ્યંગમાં જે વીંટાળીને આપું?

 

કશો ગદ્યમાં મેળ ખાતો નથી તે-

ચાલો હું કવનમાં પલાળીને આપું?

 

હતો “શબ્દ “ મારો અને કાટ ખાધો?

હશે, લાવ પછો ઉજાળીને આપું !

(ગઝલ’નિર્મીશની નજરે’ ના સૌજન્યથી  )       

 

ગુજરાતી ભાષાનો જય જયકાર— જય ગજજર C.M.M.A.

કેનેડામાં વસતા ગુજરાતીઓ ખુશ થાઓ, આનંદો અને નાચો! સૌ કોઈ ગુજરાતીને ગૌરવ લેવા જેવા મહત્ત્વના સમાચાર તાજેતરમાં કેનેડિયન પ્રેસે સમાચાર રૂપે પ્રગટ કર્યા છે. આખરેકેનેડામાં ગુજરાતી ભાષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેનેડાના વેનકુવર શહેરમાં ફેબ્રુઆરી ૧૨,૨૦૧૦થી શરૂ થનાર શિયાળુ ઓલમ્પિક રમતોનું પ્રસારણ દુનિયાની ૨૨ ભાષાઓમાં થશે.

આનંદ અને ગર્વની વાત એ છે કે આ ૨૨ ભાષાઓમાં આપણી ગરવી ગુજરાતી ભાષાને સ્થાનમળેલ છે. પ્રવકતા પેલેએ જણાવ્યું કે “જે ભાષાઓ કેનેડામાં વધુ બોલાય છે, જે ભાષામાં રમતોનાઅહેવાલો સાંભળવા લોકો ઉત્સુક હોય છે અને જે ભાષાના લોકો કેનેડામાં વધુ પ્રમાણમાં રેડિયો,ટેલિવિઝનમાં રસ દાખવે છે એ ભાષાઓ પસંદ કરવામાં આવી છે.”

મિત્રો તમે સાચા ગુજરાતી હો, ગુજરાતી ભાષા પ્રત્યે અગાધ પ્રેમ હોય અને ગુજરાતી ભાષાનુંગૌરવ ધરાવતા હોવ તો સીબીસી રેડિયો અને ટેલિવિઝનને ફોન કે ઇમેઇલ કરી કે પત્ર લખી તમારાઆનંદ અને ગર્વને પ્રગટ કરવાનું ચૂકશો નહિ.

ગુજરાતી માટે હવે દરવાજા ખૂલી રહ્યા છે તો સૌ ગુજરાતી લોકો, સંસ્થાઓ, મંદિરો, વેપારીઓ,ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, વગેરે સૌ એક અવાજે સરકાર સુધી ગુજરાતીભાષાના મહત્ત્વનો પડકાર ફેંકવા ‘યા હોમ કરીને પડશે તો ફતેહ બહુ દૂર નહિ હોય! કેનેડામાં લાખોગુજરાતીઓ આ દેશના ખૂણે ખૂણે વસેલા છે. દેશના અર્થતંત્ર, સમાજ, ધર્મ અને સંસ્કૃતિનાવિકાસમાં ગુજરાતીનો ફાળો નોંધપાત્ર અને પ્રશંસનીય છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રપ્તિ સુધીમંડયા રહેવાની આ સુવર્ણ તક ઝીલી લેવાનું રખે ચૂકતા. ગુજરાતી નરસિંહની જ નહિ, નર્મદની જનહિ, ગાંધીજીની જ નહિ વિશ્વને ખૂણે ખૂણે વસતા એકે એક ગુજરાતીની ગૌરવવંતી આમાતૃભાષા છે એ ન ભૂલતા!

જય ગજજર, મિસિસાગા, કેનેડા

16નવે.2009

હઝલ:લાઠીઓના મારથી!—આઈ.ડી.બેકાર (મર્હૂમ)

Lathionamaarthi_Bekar

હઝલ સમ્રાટ જનાબ આઈ.ડી.બેકાર સાહેબ(મર્હૂમ)ના પરિચય માટે નીચેના URL પર કલીક કરવા વિનંતી

http://bazmewafa.wordpress.com/2009/06/19/bayanebekar_bekar/

ખાદીમ _ડો.મહેબૂબ દેસાઈ

ખાદીમ શબ્દ અરબી ભાષાનો છે. ખદમ શબ્દ પરથી ખાદીમ શબ્દ આવ્યો છે. ખદમ એટલે નોકરીમાં રાખવું. ખાદીમ એટલે સેવક,દાસ, નોકર. ગુજરાત સરકાર હજ યાત્રાએ જતા ગુજરાતના હાજીઓ સાથે છ જેટલા ખાદીમો નિયમિત મોકલે છે. આ ખાદીમોનું મુખ્ય કાર્ય હાજીઓની સેવામાં રત રહેવાનું છે. આરંભથી અંત સુધી હાજીઓને મદદરૂપ થવા ઉત્સુક રહેતા ખાદીમોની પસંદગી ગુજરાત સરકાર મોટે ભાગે ગુજરાતના સરકારી કર્મચારીઓમાંથી કરે છે. જુદા જુદા સરકારી વિભાગોમાંથી પસંદગી પામેલા આ ખાદીમો માટે હાજીઓની ખિદમત-સેવા કરવાનો સુઅવસર જિંદગીની પુણ્ય કમાવાનો મોટામાં મોટી તક હોય છે. એ સુઅવસર ખુદા ના ફઝલો કરમથી આ વર્ષે મને સાંપડ્યો છે. એ માટે હું ખુદાનો આકાશ ભરીને શુક્રગુઝર છું.

૨૦૦૦મા હું અને મારી પત્ની હજ પઢવા ગયા હતા. ત્યારે ખિદમતની એક આદર્શ મિસાલ મને જોવા મળી હતી.મદીનાની મસ્જિત-એ-નબવીમાં હું નિયમિત એક વૃદ્ધને મસ્જિતની ફર્શ સાફ કરતા જોતો. એ દિવસે અસરની નમાઝ પછી એ વૃદ્ધ મસ્જિતની સફાય કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે જઈ મેં તેમને,
“અસ્સ્લામોઅલાયકા ” કહ્યું
તેમણે મને જવાબ વાળ્યો,
“વાલેકુમ અસ્સલામ”
“આપસે કુછ બાત કર સકતા હું?”
“ખુશીશે કી જીયે” સફાય કરવાનું ચાલુ રાખતા તેઓ બોલ્યા,
“આપકો હંમેશા મસ્જિતકી સફાય કરતે દેખતા હું. ક્યા
આપ યહાં કામ કરતે હૈ?”
મારી સામે સ્મિત કરી થોડીવાર તેઓ મને જોઈ રહ્યા. પછી બોલ્યા,

“મેરા નામ મલેક ગોહરઅલી હૈ. મૈ પાકિસ્તાનકા રહેનેવાલા હું . પેશાવેરમેં મેરી કપડેકી દુકાન હૈ . યે મેરા કાર્ડ હૈ “

અને ગોહરઅલીએ એક આકર્ષક કાર્ડ મારા સામે ધર્યું. હું અવાચક નજરે સામાન્ય લિબાસમાં મસ્જિતની ફર્શ પર પોતા મારતા પેશાવરના વેપારીને તાકી રહ્યો. મારી સ્થિતિને પામી જતા ગોહરઅલી બોલ્યા,
“જનાબ, ઇસમેં ઇતના પરેશાન હોનેકી જરૂરત નહિ. મૈ ખુદાકે ઘરકી ઔર હાજીઓકી ખિદમત મેં હર સાલ હજ કે દીનોમે યહાં આતા હું. એક મહિના બીના હીચકીચાહટ દોનોકી ખિદમત કરતા હું.ઔર ફિર પેશાવર લોટ જતા હું “
આટલું કહી ગોહરઅલી પાછા પોતાના કામમાં લાગી ગયા. અને હું ખિદમતની સાચી પરિભાષાને તાકી રહ્યો.

આજે જયારે ગુજરાત સરકાર તરફથી ખાદીમ તરીકે જવાનો મોકો ખુદાએ મને આપ્યો છે, ત્યારે ખુદા પાસે એટલીજ દુઆ માંગું છું કે હાજીઓની ખિદમત કરવાની મને ગોહરઅલી જેવીજ લગન અને શક્તિ આપજો – આમીન.

15-11-2009
7.00 PM

http://mehboobdesai.blogspot.com/ ના સૌજન્યથી)

ડો.મેહબૂબ દેસાઈ સાહેબની હજ યાત્રામાં ખાદીમ તરીકે થયેલ યોગ્ય પસંદગી બદલ’ બઝમે વફા’ મુબારક બાદ પાઠવે છે.અલ્લાહ જલ્લે શાનહુ કબુલ ફરમાવે. દુઆઓની દર્ખાસ્ત સહ.

નાચીઝ

મુહમ્મદઅલી વફા

પવનભરી રાત
-જીવનાનન્દ દાસ

ગંભીર પવનોભરી રાત હતી કાલે અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમા ખેલતી હતી:
મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ,
કદિક બિછાનુ છેદીને
નક્ષત્રો ભણી ઉડી જવા ચાહતી’તી;
કદિક કદિક મને એમ લાગતુઁ હતુઁ.અર્ધો ઊંઘમા હોઈશ ત્યરેજ કદાચ_
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાઁ ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે.

એવી અદભુત રાત હતી કાલની,.
સમસ્ત મ્રુત નક્ષત્રો કાલે જાગી ઉઠ્યાઁ હતાઁ.આકાશમાઁ તલ માત્ર જ્ગ્યા ખાલી ન હતી;
પ્રુથ્વીના સમસ્ત ઘૂસર પ્રિય મ્રુતજનોના મુખ પણ એ નક્ષત્રોમાઁ જોયાછે મેઁ,
અન્ધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર_સમડીની શિશિરભીની અંખની જેમ ટમટમતાઁ હતાઁ સમસ્ત નક્ષત્રો;
ચાન્દની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ,ચિત્તાના ચકમક થતા
ચામડાની, શાલની જેમ ચમકતુઁ હતુઁ વિશાળ આકાશ!
એવી અદભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાઁ મરી ચૂકયાઁ હતાઁ;
તે બધાઁ પણ કાલે બારીમાઁ થઇને અસંખ્ય મ્રુત આકાશને સાથે લઇને આવ્યાઁ હતાઁ.
જે રૂપસુન્દરીઓને મેઁ એસિરિયામાઁ ,મિસરમાઁ,વિદિશામાઁ મરી જતી જોઈ છે.
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાઁ લાંબા ભાલા હાથમાઁ લઈને હારબન્ધ ઉભી રહી ગઇ હતી જાણે_
મ્રુત્યુને દલિત કરવાને ?
પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને?
સ્તંભિત અભિભૂત થઇ ગયો હતો હુઁ,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અન્દર
પ્રુથવી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન અવ્યો હતો આકાશના વક્ષેથી ઉતરીને
મારી બારીની અન્દર થઈને સાઁય સાઁય કરતો,
સિન્હના હુંકારથી ઉત્ક્ષ્પિત હરિત પ્રાંતરના અજસ્ર જિબ્રાની જેમ!
હ્રદય ભરાય ગયુઁ છે,મારુઁ વિસ્તીર્ણ ફેલટ્ના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગંત_પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છવાસે
જીવનની દુર્દાંત નીલ મત્તતાએ !
મારુઁ હ્રદય પ્રુથવીને છેદીને ઊડી ગયુઁ.
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયુઁ ;
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયુઁ
કોઇ દુર્દાંત પંખીની જેમ.

(‘વનલતા સેન’માઁથી) -જીવનાનન્દ દાસ

(કાવ્ય ચર્ચા -248)

Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected
bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in
English translation and in Bengali.

achatt1@umbc8.umbc.edu

દીપક બારડોલીકર_મુહમ્મદઅલી વફા 

depakhoto

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પુસ્તકો:પરિવેશ,આબેકવસર,વાટના દીવા, સુન્ની વહોરા,મેઘ ધનુષ-1,મોસમ,મેઘધનુષ-2, સિરાતે હરમ,ગુલમહોરના ઘૂઁટૢકુલિયાતે દીપક
સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ

ગારે-હિરામાઁ*દીપક બારડોલીકર
ના’ત(પ્રશ્સ્તિ કાવ્ય)

અજબ એક કેફ ઘેરાયો હતો ગારે-હિરામાઁ
અલૌકિક તાર જોડાયો હતો ગારે-હિરામાઁ

ખુદાનો શબ્દ પડઘાયો હતો ગારે-હિરામાઁ,
કરિશ્મો એક સરજાયો હતો ગારે-હિરામાઁ

કયામત પણ મીટાવી ના શકે ભીનાશ એની
મહોબતસિઁધુ ઉભરાયો હતો ગારે-હિરામાઁ

સમજની શુષ્ક સરિતાઓ ફરી ભરપૂર થઇ ગઇ
ઇલમનો બાબ ખોલાયો હતો ગારે-હિરામાઁ

હજી પણ છે અને હરદમ રહેશે નૂર એનુઁ
નબુવ્વતદીપ પ્રગટાયો હતો ગારે-હિરામાઁ

અજબ એવી અદબ ઈજ્જત મળીછે ધૂળને પણ
રિસાલત તાજ મોકાયો હતો ગારે-હિરામાઁ

 

ગારે-હિરામાઁ= પવિત્ર શહેર મક્કાને નજીક પહાડી પર આવેલી તે નાની ગુફા જેમાઁ અલ્લહના અઁતિમ નબી હજરત મોહમ્મદ(સલ.) પર અલ્લહ પાકની પ્રથમ વહી ઉતરી.
પત્થર કાળો
પરશે ચુમે લોક
હૈયાઁ ઉજળા
*************
હજી પણ રોશની છે આ નગરમાઁ
હજી પણ આપનો દીપક બળેછે.

 

(દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળા(પાજોદ દરબાર)વિ.ને સાઁભળવાનો
મોકો મળ્યો.શ્રી બેકારસા. ના સઁચાલન માઁ મુશાયેરો ખુબ જામ્યો હતો.યાદગાર મુશાયેરામાઁ એનુઁ નામ છે.
1989 માઁ કરાઁચીમા મલીર સીટી માઁ એમના ઘરે મહેમાની માણી.એમણે એમના થોડા પૂસ્તકો ભેટ આપ્યાઁ હતાઁ.મારા નજીકના સ્નેહેઓમાઁથી છે;)

સન્નાટો

કોઇ ધડકન

ન કોઇ સરસરાહટ

ન લહેરખી

ન કોઇ મોજ

ન પ્રક્રિયા

ન કોઇ સ્વાસની ઉષ્ણતા

ન દેહ

આવા સન્નાટામાઁ કોઇ અર્ધુઁ પાઁદડુઁ તો ખરે

કોઇ પીગળેલુઁ મોતી

કોઇ આઁસુ

કોઇ હ્રદય

કઁઇ પણ નથી

આ મર્ગ પણ કેટલો નિરવ છે

કોઇ લલાટ તો ચમકે,કોઇ વિજળી તો ત્રાટકે.

_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)

 

ચાર આના*** સઆદત હસન મનટો(ઉર્દૂનાં સુપ્રસિધ્ધ ક્રાંતિકારી વાર્તાકાર)
 
 લૂંટ મારની બજાર ગરમ હતી,.અને એની ગરમી માં વૃધ્ધિ થઇ ગઈ જયારે આગ ચારે દિશાએ ભડકવા લાગી.એક માણસ હાર્મોનિયમની પેટી ઉઠાવીને આનંદથી ગીત ગાતો જઈ રહ્યો હતો.જબ તુમ્હી ગયે પરદેશ, લગા કર ઠેશ,ઓ પ્રીતમ પ્યારા,દુનિયામે કોન હમારા.એક નાની ઉમરનો છોકરો થેલીમા પાપડો નો અંબાર ખડકી ને ભાગી રહ્યો હતો..એને ઠોકર લાગી તો પાપડની એક થોક્ડી એની ઝોળીમાંથી  પડી ગઈ.છોકરો એને ઉપાડવા માટે જરા નીચે નમ્યો તો સીવવાનો સંચો ઉઠાવી જઈ રહેલા એક માણસે કહ્યું કે રહેવા દે બેટા,  રહેવા દેએ તો આમજ પોતે શેકાય જશે,ત્યાં તો બજારમાં એક ભરેલી ગુણા નીચે પડી.એક માણસે ઉતાવળ થી આગળ વધીને પોતાના છરાથી તે ગુણી ને ચીરી નાંખી.સફેદ દાણા વાળી ખાંડ ઉભરીને બહાર નીકળી આવી.લોકો ભેગા થઈ ગયા અને પોત પોતાની થેલીઓ ભરવા લાગ્યા. એક મણસ અંગરખા વગરનો હતો ,તેણે જલ્દીથી પોતની લુંગી ખોલી અને એમાં મુઠ્ઠી ભરી ભરીને નાંખવા લાગ્યો
હટી જાવ હટીજાવ્ કહેતાં એક ટાંગો પોલીશ કરેલી અલ્મારી લઈને પસાર થઈ ગયો.એક ઉંચા મકાનનની બારી માંથી મલમલ નું થાન સર સરાહટ કરતું બહાર ફેંકાયું. આગના ભયંકર શોલાની જીભ  એને ચાટી રહી હતી..સડ્ક સુધી પહોંચતા તો તે રાખ નો ઢગલો થઈ ગયું.પોં,પોં,પોં કારના હોર્ન ની સાથે બે સ્ત્રીઓની ચીંખો પણ હતી.લોખંડની એક અલમારી દસ પંદર માણસોએ ખેંચીની બહાર કાઢી,અની દંડા વડે એને ખોલવાનું શરુ કર્યુ.કવાને કીસ્ટના ઘણા ડબ્બા બન્ને હાથે ઉઠાવ્યા.પોતાની દાઢીના ભાગથી એને ટેકવી એ માણસ દુકાનમાંથી બહાર નીકળ્યો.અને બજારમાં ધીરે ધીરે ચાલવા લાગ્યો.ત્યાંતો મોટેથી અવાજ આવ્યો ,આવો આવો લેમનેડ પીઓ.ગરમીની ઋતુ છે.ગળામાં કારના ટાયર નાંખીને બે બોટલો પીધી ,અને આભાર માનવા વગર ચાલતી પકડી.
એક અવાજ આવ્યો કે કોઇ આગ હોલવવા વળાઓને સંદેશ પહોંચાડીદે કે બધો માલ બળી જશે.કોઇએ પણ આ સૂચન પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.,લૂંટ મારનું બજાર ગરમ રહ્યું..અને એની આગ ચારો તરફ પ્રસરવા લાગી..આગ રાબેતા મુજબ પ્રગતિ કરી રહીહતી.
 ઘણા સમય પછી તર,.તર નો અવાજ આવ્યો.ગોળીઓ વરસવા લાગી.પોલીસને બજાર ખાલી નજર આવ્યું.પરંતુ દૂર ધુમાડા ઘેરાયલી કારની પાંસે એક માણસનો પડછાયો નિહાળ્યો.પોલીસના સિપાહીઓ સીટીઓ મારતા એં તરફ લપક્યા.પડછાયો ઝડપથી એધુમાડાની અંદર લુપ્ત થઈ ગયો.પોલીસે એનો પીછો કીધો.ધુમાડાનો પ્રદેશ પુરો થયો ત્યાં પોલીસના સિપાહીઓએ જોયું કે એક કાશ્મીરી મજૂર બરડા પર વજનદાર ગૂણ ઉઠાવી ભાગી રહ્યો છે.સીટીઓ નાં ગળાંઓ શૂષ્ક થઈ ગયાં પણ તે મજૂર થોભ્યો નહીં.તેની પીઠ પર વજન હતું.સાધારણ વજન નહીં પણ સંપૂર્ણ ભરેલી ગૂણ હતી. પરંતુતે એ રીતે દોડી રહ્યો હતો જાણે પીઠ પર કશું છેજ નહીં.સિપાહીઓ હાંફવા લાગ્યા..એક સિપહી એ તંગ આવી ને પિસ્તોલ કાઢી અને ગોળી મારી દીધી.ગોળી કાશ્મીરી મજૂરની પિંડલીમાં લાગી હતી.ગૂણ એની પીઠ પરથી ગબડી પડી.ઘભરાઈને એણે સિપાહી પ્રત્યે નજર કરી .વહેતા લોહી પ્રત્યે પણ એની નજર ગઈ ,પરંતુ પાછી એકજ ઝટકામાં ગૂણ ઉઠાવી  ને ભાગવા લગ્યો.સિપાહીઓએ વિચાર્યું જવા દો ,ભલે જહન્નમાં જાય.પણ પાછો એને પકડી લીધો..રસ્તામાં કાશમીરી મજૂરે વારંવાર વિનંતી કરીકે સાહેબ, તમે મને શા માટે પકડો છો?. હું તો ગરીબ માણસ છું,ચોખા ની એક ગૂણ લીધેલી.ઘર વાળાં ખાતે. તમે મને ખોટી રીતે ગોળી મારી.પરંતુ એની એક પણ વાત સાંભળવામાં ન આવી.પોલીસ થાણામાં કાશમીરી મજૂરે પોતાના બચાવ માં ઘણું કહ્યું.સાહેબ !બીજા લોગો બરાબર માલ ઉઠાવી ગયા. મેં તો ફકત એકજ ચોખાની ગૂણ લીધીછે.સાહેબ હું ઘણોજ ગરીબ છું.રોજ ભાત ખાવાનું જોઇએં છે..જ્યારે તે થાકી ગયો ત્યારે એણે પોતાની મેલી ટોપીથી માથાનો પસીનો લુંછયો.અને  ચોખાની ગૂણ પ્રતિ નિરાશાની દ્રષ્ટિ નાંખી ફોજ્દારની સામે હાથ ફેલાવી કહ્યું. સારું સાહેબ ! તમે આ ગુણી તમારીપાંસે રાખીલો,હુંમારી મજૂરીનો હકદારછુંચાર આના

 (સઆદત હસન મંટો,ઉર્દુના લાજવાબ વાર્તા કાર છે.સંવેદન અને કરુણ નિરૂપણ એની સત્ય વકતતા ,અને નિર્ભય વ્યકતવ્યમાંથી આવે છે,વિભાજન ની કરૂણતાઓ એણે વાર્તાઓમા નિરુપી છે,એની વાર્તાઓનો વિશ્વની ઘણી ભાષામા અનુવાદ થયા છે. 42-43વર્ષની ઉમરમાં ઘણું જોયું, ઘણું લખ્યું.જયારે લખ્યું કાળજું બહાર કાઢીને મુકી દીધું..વિભાજન વેળા કોઇ શહેરમાં ચાલેલી લૂંટ માર  નું દ્રશ્ય ખડું કરી ,કરુણતા રેલાવી જતી આ એક લઘુ વાર્તા)

 

  

 

 

 

 

Saadat Hasan Manto (Urdu: ‏‏سعادت حسن منٹو) (May 11, 1912January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like
Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.
He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages. 

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

વિભાજન નાં બે ત્રણ વર્ષો પછી પાકીસ્તાન ,અને હિંદુસ્તાન ની સરકાએ ને એવો વિચાર આવ્યો કે સમાન્ય કેદીઓની જેમ પાગલો ની પણ વહેંચણી થવી જોઈએં.જે મુસલમાન પાગલ હિંદુસ્તાનનાં પાગલખાના માં છે ,એને પાકીસ્તાનન ને સોંપી દેવામાં આવે.અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનનાં પાગલખાના માં છે એને એને હિદુસ્તાનનાં હવાલે કરી દેવામાં આવે. એની તો ખબર નથી કે આ વાત તાર્કિક હતીકે અતાર્કિક. પરંતુ બુધ્ધિજીવીઓના ફેંસલાની માફક બન્ને તરફ ઉંચી સ્તરની કોંન્ફરંસો માં ચર્ચાય. અને અંતમાં પાગલોની ફેર બદલી માટે સંમત થઈ ગયા.સારી રીતે તપાસ કરવામાં આવી..તે મુસલમાન પાગલો જેના કુટુંબીજનો ભારતમાંજ હતા એને ત્યાંજ રહેવા દેવામાં આવ્યા.અને જે બેજા બાકી રહી ગયેલા એને સરહદ પાર રવાના કરી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી લગભગ બધા હિદુ શીખો હિજરત કરી ચુક્યા હતા, એટલે કોઇને ત્યાં રોકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો.જેટલા પણ હિંદુ,શીખ પાગલો હતા એમને પોલીસના સરક્ષણ હેઠળ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવ્યા.

અહીં ભારત તરફની તો ખબર નથી ,પરંતુ જ્યારે લાહોરનાં પાગલખાનામાં આ વાત પહોંચી ત્યારે ઘણી દિલચસ્પ કાનાફૂસી થવા લાગી.એક મુસલમાન જે 12 વર્ષથી સતત ‘જમીનદાર.છાપું વાંચતો હતો ,એને એના એક દોસ્તે પ્રશ્ન કર્યો કે’મૌલ્વી સા’બ આ પાકિસ્તાન એ શી બલા છે?તેણે ઘણો વિચાર કરીને જવાબ આપ્યો કે ,હિંદુસ્તાનમાં એક જગ્યા છે,જ્યાં અસ્તરા બને છે.આ જવાબ સાંભળીને એનો મિત્ર સંતુષ્ટ થઈ ગયો.
એવી રીતે એક શીખ પાગલે બીજા શીખ પાગલને પૂછયું કે ‘સરદારજી’આપણને હિંદુસ્તાન કેમ મોકાલાઈ રહ્યા છે?આપણનેતો ત્યાંની બોલી નથી આવડતી.’ બીજો મલકાયો અને બોલ્યો’મને તો હિંદુ સ્ટોરોંની બોલી આવડે છે.હિંદુસ્તાની ઘણાં શેતાની હોય છે.,આવીને ફરતા રહે છે.
એક દિવસે નહાતા,નહાતાં એક મુસ્લિમ પાગલે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ’નો ના’રો એટલી જોરથી લગાવ્યો કે તે જમીન પર જોરથી લપસી પડ્યો અને બેહોશ થઇ ગયો.
ઘણા પાગલો એવા પણ હતા, વાસ્તવિકમાં પાગલ નહીં હતા,પણ એવા ખૂનીઓ હતા જેમનાં સગા વહાલાંઓએ લાંચ રૂશવત આપી એમને પાગલ ગણાવી પાગલખાનામાં ધકેલાવી દીધા હતા.કે કમસે કમ ફાંસીના ફંદાથી બચી જાય.એમને થોડી સમજણ પડતી હતી કે હિંદુસ્તાનનું વિભાજન કેમ થયું. અને આ પાકીસ્તાન શું છે.પરંતુ વાસ્તવ હકીકતથી તે પણ અજાણ હતા.સમાચાર પત્રોથી કંઈ ખબર પડતી ન હતી અને પહરેદારો,સિપાહીઓ અભણ અને જાહિલ હતા.એમની વાતચીતોથી પણ કોઇ તાત્પર્ય સુધી પહોંચી શકાતુ નહતું.એમને ફકત એટલી ખબર હતી કે ,એક માણસ જેનું નામ મોહંમદઅલી ઝીણા છે જેને કાઈદેઆઝમ કહેવામાં આવેછે. એણે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવ્યો છે,જેનું નામ પાકિસ્તાન છે.એ કયાં આવેલો છે.એનું ભૌગોલિક સ્થાન કયાં છે ? એના વિશે પણ એ કશું જાણતા નહતા.એકજ વિમાસણમાં ઘેરાયલા હતા કે એ લોકો પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં?જો હિંદુસ્તાનમાં છે તો પાકિસ્તાન કયાં આવેલું છે.?

અને જો તેઓ પાકિસ્તાનમાં છે તો એ કેવી રેતે બને કે થોડા સમય પહેલાં અહીંજ રહેતા હતા અને એ હિંદુસ્તાન કહેવાતું હતું.
એક પાગલ બિચારો હિંદુસ્તાન, પાકિસ્તન ના ચક્કરમાં એવોતો સલવાયો કે વધુ પાગલ થઈ ગયો.ઝાડું દેતાં દેતાં એક દિવસ ઝાડ પર ચઢી ગયો,અને ડાળખી પર બેસીને સતત બે કલાક ભાષણ ઠોકતો રહ્યો.,જે હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં જરૂરી પ્રશ્નો પર હતું.સિપાહીઓએ એને નીચે ઉતરવાનું કહ્યું તો એ વધુ ઉપર ચઢી ગયો.એને ધમકીઓ આપવામાં આવી, ડરાવાવામાં આવ્યો તો એણે કહ્યું ‘નહું હિંદુસ્તાનમાં રહેવા માંગુછું ન પાકિસ્તાનમાં ,મારેતો આ વૃક્ષ પર રહેવું છે. ઘણીકઠણાય પછી જ્યારે એનું ઝનુન ઠંડુ પડ્યું ત્યારે નીચે ઉતર્યો.,અને એના હિંદુ શીખ્ મિત્રોને ગળે વળગી વળગીને રડવા લાગ્યો..એના મનમાં એવું હતુ કે બધા એને છોડી હોંદુસ્તાન ચાલ્યા જશે.
એક એમ.એસ.સીપાસ રેડિયો ઈંજિનિયર જે મુસ્લિમ હતો ,જે બીજા પાગલોથી બિલકુલ અલગ થલગ બગીચાના એક કિનારે આખો દિવસ ખામોશ ટહેલતો હતો,એક દમ એવો વિફર્યો કે તમામ કપડા ઉતારી નાંખીને ચોકીદારને આપી દીધાં.અને બિલકુલ નગ્ન અવસ્થામાં બાગમાં ચાલવાનું શરૂ કર્યુ.
ચિનિયોટ નો એક જાડો મુસિલમ પાગલ,જે મુસ્લીમલીગ નો સક્રિય કાર્યકર પણ રહી ચુક્યો હતો. એ દિવસમાં પંદર સોળ વખત નહાતો હતો,એક દમ તેની આદત છોડી દીધી. એનું નામ મોહંમદઅલી હતું. એણે એક દિવસ પોતાની કોટડીમાં એલાન કરી દીધું કે હું મોહંમદઅલી ઝીણા છું.અને આ ચડસા ચડસીમાં એક શીખ પાગલે પોતાને માસ્તર તારાસીંઘ બનાવી દીધો.આ કોટડીમાં ખૂનખરાબાની શક્યતા નાં એંધાણ વર્તાવ લાગ્યા.પછી બન્નેને ખતરનાક પાગલની કક્ષામાં મૂકી અલગ કરી દેવામાં આવ્યા.

એકા લાહોર નો નવજુવાન હિંદુ, વકીલ હતો.જે પ્રણયમાં નિષ્ફળ થઈને પાગલ થઈ ગયો હતો.જ્યારે એને ખબર પડીકે અમૃતસર હિંદુસ્તાનમાં ચાલ્યું ગયું છે ,ત્યારે એને ઘણું દુ:ખ થયું.શહેરની એક હિંદુ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો હતો.જો કે તે છોકરીએ એને તરછોડી દીધો હતો,પરંતુ ગાંડપણ અવસ્થામાં પણ એ તેને ભૂલી શક્યો નહતો.એ બધીજ હિંદુ,મુસ્લિમ નેતાગીરીને ગાળો ભાંડતો હતો ,જેમણે મળી દેશનું વિભાજન કરાવ્યું.એની પ્રિયતમા હિંદુસ્તાની બની ગઈ હતી અને એ પાકિસ્તાની.

જયારે ફેર બદલીની વાતો શરૂ થઈ ત્યારે આ વકીલને ઘણા પાગલોએ સમજાવાવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ખોટું ન કરે.એને હિંદુસ્તાન મોકલી દેવામાં આવશે.તે હિંદુસ્તાનમાં જ્યાં એની પ્રેમિકા રહે છે.પરંતુ તે લાહોર છોડવા માંગતો નહતો.એને એવી શંકા હતીએ કે અમૃતસરમાં એની પ્રેકટીશ નહીં ચાલે.

યુરોપિયન વોર્ડમાં બે એંગ્લોઈંડિયન પાગલો હતા.જ્યારે એમને ખર પડી કે હિદુસ્તાનને આઝાદ કરીને અંગ્રેજો ચાલ્યા ગયાછે.તો એમને ઘણું દુ:ખ થયું.એ લોકો ચુપ ચાપ અંદર અંદર કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા કે ,હવે પાગલ ખાનામાં એમની હેસિયત શું હશે? યુરોપિયન વોર્ડર ને રાખવા માં આવશે કે કાઢી મુકવામાં આવશે. નાસ્તો મળશે કે નહીં.શું એમને ડબલરોટીની જગ્યાએ આ નકામી ઈંડિયન રોટલીતો ચાવવી નહીં પડે.
એક શીખ હતો. જે પંદર વરસથી પાગલખાનામાં હતો..દરેક વખતે એના મોઢેથી ચિત્ર વિચિત્ર અવાજ સાંભળવામાં આવતો હતો.’ઉપરદી ગુળગુળદી!નેકસદી બે ધ્યાનાદી મુંગદી દાલ ઓફદી લાલટેન’.ન રાતે સુતો હતો કે દિવસના.ચોકીદારોનું કહેવું હતું કે , પંદર વરસના લાંબા ગાળામાં એણે એક પણ મટકું માળ્યું નથી.આડો પન નહીં પડતો.કદી કોઈ ભીંત સાથી ટેક લગાવી લેતો હતો.
હમેશા ઉભા રહેવાથી એના પગ સોઝી ગયા હતા.પિંડલીઓ ફૂલી ગઈ હતી. પરંતુ આ શારિરિક વેદના હોવા છ્તાં આડો પડી કદી સુતો ન હતો.હિંદુસ્તાન,પાકિસ્તાન અને પાગલોની ફેર બદલી માટે જ્યારે પણ પાગલખાનામાં વાતો થતી ત્યારે ધ્યાનથી સાંભળતો.કોઈ એને પ્રશ્ન કરે કે એનું શું મંતવ્ય છે.તો તે ઘણી ગંભીરતાથી જબાબ દેતો કે’ઉપરદી ગુરગુરદી નીકસદી બેધ્યાના, મુંગદી દાલ ઓફ પાકિસ્તાન ગવર્નમેંટ.’
પછી પાકિસ્તાન ગવર્નમેંટની જગ્યાએ ઓફદી તોબાસીંઘ ગવર્નમેંટ’ કહેતો.અને એણે બીજા પાગલોને પૂછવાનું શરૂ કર્યું કે તોબાસીંઘક્યાં છે.?કયાંનો રહેવાળો છે?પણ કોઇનેજે ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં.જે જણાવાવાંનો પ્રયત્ન કરતા હતા તેજ આ ગુચવણમાં પડી જતા કે સિયાલકોટ પહેલાં હિંદુસ્તનમાં હતું ,હવે સાંભ્ળયું છેકે પાકિસ્તાન માં છે.શું ખબર કે લાહોર જે આજે પાકિસ્તાન માં છે આવતી કાલે હિંદુસ્તાનમાં ન ચાલ્યું જાય. અથવા આખું હિંદુસ્તાન પાકિસ્તાન બની જાય.અને આ પણ કોણ પોતાની છાતી પર હાથ મુકીને કહી શકે કે હિંદુસ્તાના અને પાકિસ્તાન બન્ને કોઇ દિવસ મૂળમાંથીજ અદ્રશ્ય થઈ જાય.
આ શીખ્ પાગલના વાળ ચોંટીને ઘણાજ નહિવંત રહી ગયા હતા.એ ઘણું ઓછું નહાતો હતો,એટલે દાઢી અને માથાનાં વાળ એક બીજા સાથે ચોંટી ગયા હતા.જેના લીધી એની શિકલ ઘણી બિહામણી લાગતી હતી.પર્‍તુ એ માણસ બિન ઉપદ્રવી હતો.પંદર વર્ષમાં કોઇની સાથે લડાઈ ઝઘડો નથી કર્યો.પાગલખાનાનાં જે જુના નોકરો હતા ,તેઓ એના વિષે જાણતા હતા કે તોબા સીઘ પાંસે ઘણી જમીન હતી.ખાતો પીતો જમીનદાર હતો.અચાનકજ ભેજું ફરી ગયું.એના કુટુંબીજનો લોઢાની મોટી મોટી સાંકળોમાં બાંધીએને લાવ્યા અને પાગલખાનામાંદાખલ કરી ગયા.
મહીનામા એક વખત એ લોકો એની ખબર કાઢવા આવતા,અને ખબર અંતર પૂછી ચાલ્યા જતા.લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ જ્યારે પાકિસ્તાન ,હિંદુસ્તાન ની ગરબડ શરૂ થઈ ત્યારે એમનું આવવાનું બંધ થઈ ગયું.

એનું અસલ નામ બિશન સીઘ હતું. પરંતુ બધા એને તોબાટેક સીંઘ કહેતા.એને એની પણ ખબર ન રહેતી કે કયો દિવસ અને ક્યો મહિનો છે.,અથવાકેટલા વર્ષ વીતી ગયાં. પરંતુ દર મહિને જ્યારે એના કુટુંબીજનો મળવા આવતા ત્યારે એને એની ખબર પડી જતી.જેથી એ ચોકીદારને કહેતો કી એની મુલકાત નો સમય આવી રહ્યો છે.તે દિવસે એ સારી રીતે નહતો,શરીર પર ખૂબ સાબુ ઘસતો,માથામાં તેલ નાખતો,કાંસકો ફેરવતો.તેના કપડાઓ જેનો એ ઉપયોગ કરતો નહતો,તેને કઢાવતો અને પહેરતો અને બની થનીને જતો.એ લોકો એને કંઈ પૂછ્તા તો ,એ ચુપ રહેતો અથવા કહેતો.’ ઉપરદી ગુરગુરદી !નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ દી લાલટેન.’કહી દેતો.

એની એક છોકરી હતી જે દર મહીને એક એક ઈંચ વધતાં વધતાં પંદર વર્ષોમા યુવાન થઈ ચુકી હતી.બિશનસીંઘ એને ઓળખતોજ નહોતો.જ્યારે તે બાળકી હતી ત્યારે પણ પોતાના બાપને જોઇ રડતી હતી,અને હવે યુવાન થઈ ત્યારે પણ એની આંખોથી અશ્રુ વહી રહ્યાં હતાં.
પાકિસ્તાન અને હિંદુસ્તાનનો પ્રશ્ન શરુ થયો ત્યારે એણે બીજા પાગલોને પુછવાનું શરુ કર્યું કે તોબાસીંઘ કયાં છે?.જ્યારે શાંતિપુર્વકનો ઉત્તર નહી મળ્યો તો એની પુછ્તાછ દરરોજ વધવા લાગી.હવે કોઇ મળવા પણ આવતું ન હતું. .પહેલાંતો એને ખબર પડીજતી હતી કે મળવા વાળા આવી રહ્યાં છે.હવે તો એના હૈયાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો જે એને એમના આવવાની ખબરની પ્રતિતિ કરાવતો હતી.

એની ઘણી ઈચ્છા હતી એ લોકો આવે અને એની સાથે લાગણી વ્યકત કરતા રહે. અને એના માટે ફળો મિઠાઈ અને કપડાં લાવત હતાં.તે અગર એ લોકોને પુછ્તો કે તોબાટેક સીંઘ કયાં છે,તો તે ચોકસ બતાવી દેતે કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાન માં છે. કારણકે એનું અનુમાન હતું કે એ લોકો તોબાતેકસીંઘથીજ આવતા હતા જ્યાં એની જમીનો હતી.
પાગલખના મા એક એવો પણ પાગલ હતો જે પોતાને ખુદા કહેતો હતો..તેને એક દિવસ બિશન સીંઘે પૂછ્યું કે તોબાતેક સીંઘ પાકિસ્તાનમાંછે કે હિંદુસ્તાનમાં ,તો એણે પોતાની આદત મુજબ જોરથી હસ્યો. અને કહ્યું કે ‘નતો પાકિસ્તાનમાં છે, ન હિંદુસ્તાનમાં.એટલા માટે કે મેં હજુ એનો હુકમ નથી આપ્યો.
બિશન સીંઘે ઘણી વખત આ ખુદાથી ઘણી વિનવણી કરી કે તે હુકમ સાદર કરી દે જેથી ઝંઝટ ખતમ થઈ જાય.પણ તે ઘણો પ્રવુત્ત હતો, એણે બીજા ઘણા હુકમો દેવાના હતા.એક દિવસ તંગ આવીને એને પર ગુસ્સે થઈ ગયો’ઉપરદી ગુરગુરદી,નકીસદી બેધ્યાન દી, મુંગદી દાલ ઓફ વાહે ગુરુજી દા ખાલસા એંડ વાહે ગુરુજી કી ફતેહ. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.’
એનો કદાચ અર્થ એ છેકે તુ મુસલમાનોનો ખુદા છે.શીખોનો ખુદા હોત તો જરુર મારી વાત સાંભળતે.

ફેરબદલીના એક દિવસ પહેલાં તોબાટેક સીઘનો એક મુસલમાન જે એનો દોસ્ત હતો, એને મળવા આવ્યો.પહેલાં તે કદી આવ્યો ન હતો.બિશન સીઘે જ્યારે એને જોયો, તો એક તરફ હટી ગયો અને પરત થવા લાગ્યો. સિપાહીઓ એને રોક્યો ‘એ તને મળવા આવ્યો છે’.એ તારો મિત્ર ફઝલદીન છે.’
બિશન સીંઘે એક દ્ર્ષ્ટિથી ફઝલદીનને નિહાળ્યો અને કંઈ બબડવા લાગ્યો.ફઝલદીને આગળ વધીને એના કાંધા પર હાથ મુક્યો અને બોલ્યો ‘ઘણા દિવસોથી વિચારતો હતો તને મળુ ,પણ ફુરસતજ ન મળી.તારા બધા કુટુંબીજનો સહી સલામત હિંદુસ્તાન પહોંચીગયા છે. મારાથી જે કંઈ મદદ થઈ શકતીએ હતી મેં કરી છે. તારી છોકરી રૂપ કૌર……………..’
તે કંઈ કહેતાં કહેતં અટકી ગયો.બિશન સીંઘ કંઈ યાદ કરવા લાગ્યો.બેટી રૂપકૌર ?

ફઝલદીને અટકતાં અટકતાં કહ્યું : “હાં…….તે પણ ઠીક ઠાક છે___એ લોકોની સથેજ ચાલે ગઈ છે.”
બિશનસીંઘ ચુપ રહ્યો.ફઝલદીને કહેવાનું શરુ કર્યું: ‘એ લોકોએ મને કહ્યું હતું તારી ખેર ખબર પૂછ્તાં રહેવું ‘ હવે મેં સાંભળ્યું છેકે તુ હિદુસ્તાન જઈ રહ્યો છે. ભાઈ બલબીર સીંઘ અને ભાઈ દુધાસીઘને મારા સલામ કહેજે. અને બહેન અમૃતકૌર ને પણ,,,,,,,.ભાઈ બલબીર સીંઘને કહેજે કે ફઝલદીન મઝામાં છે.બે ભૂરી ભેંસો જે તે અહીં છોડી ગયેલા એમાંથી એકે પાડું દીધું છે….અને બીજી એ પાડીનો જન્મ આપ્યો હતો ,પણ તે છ દિવસ પછી મરી ગઈ.અને મારા લાયક કંઈ પણ ખિદમત હોય તો કહેજે. હું હમેશા તૈયાર છું.અને આ તાર માટે થોડાં ફળ લાવ્યો છું.

બિશનસીઘે ફળોની પોટલી લઈને સીપાહીને હવાલે કરી દીધી,અને ફઝલદીનને પૂછ્યું: ‘તોબાતેક સીંઘ કયાં છે ?’
ફઝલદીન આશ્ચર્યથી કહ્યું ‘કયાં હોવાનું__જ્યા હતું ત્યાંજ છે ‘
બિશનસીઘે પાછો પ્રશ્ન દોહરાવ્યો “’ પાકિસ્તાનમાં કે હિદુસ્તાનમાં “
‘હિંદુસ્તાન માં__ના ના પાકિસ્તાન માં_ ફઝલદીન મુંઝવાયો.
બિશનસેંઘ બડબડતો ચાલ્યો ગયો : ‘ઉપરદી ગુરગુર દી, નેકસદી બેધ્યાના દી મુંગદી દાલ ઓફ દી પાકીસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દી રોફતે મુંહ ! ફેરબદલી ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી.આ તરફથી તે તરફ અને તે તફથી આ તરફ આવવા વાળા પાગલોની યાદીઓ પહોંચી ગઈ હતી. અને ફએરબદલી નો દિવસ પણ નક્કી થઈ ગયો હતો.
ઠંડી ઘણી સખ્ત પડી રહી હતી.લાહોરથી હિંદુ, શીખ પાગલોની ભરેલી ટૂક તેના સરંક્ષક પોલીસની ટૂકડીસાથે રવાના થઈ.સબંધિત અધિકારીઓ પણ સાથે હતા. વાઘાની સરહ્હદ પર ઉભય સુપ્રિટેન્ડંતો એક બીજાને મળ્યા.અને પ્રારંભિક કાર્યવાહી પૂરી થવા પછી ફેર બાલી શરૂ થઈ.
પાગલોને ટ્રકોમાંથી કાઢવાનું અને બીજા અધિકારીઓને સુપરત કરવાનું કામ ઘણુંજ કઠિન હતું.
ઘણા તો બહાર નીકળવા તૈયારજ ન હતા.જે નીકળવા તૈયાર થતા એમને સંભાળવાનુ કઠિન થઈ જતું.આમ તેમ ભાગી જતા હતા. જે નગ્ન અવસ્થામાં હતા, એમને કપડાં પહેરાવવામાં આવતા ત્યારે એ લોકો કપડાં ફાડીને શરીરથી અલગ કરી દેતા હતા.કેટલા ગાળો બકતા હતા.કેટલાક ગાઈ રહ્યા હતા.અંદરો અંદર ઝઘડી રહ્યા હતા.રડી રહ્યા હતા.બકી રહ્યા હતા. કાન પર અવાજ પણ સંભળાતો ન હતો.પાગલ સ્ત્રીઓનો શોર બકોર અલગ..અને ઠંડી એવી તીવ્ર હતી કે હાજા ગગડાવી નાંખે..દાંતો કડકડતા હતા.

પાગલોની બહુમતિ આ ફેર બદલીનાં પક્ષમાં નહતી.કારણકે એમની સમજવામાં ન આવતું હતું કે એમને એમની જગ્યાએથી ઉખેડી કયાં ફેંકવામાં આવી રહ્યા છે.અને કેટલાક જે કંઈ સૂઝબૂઝ ધરાવતા હતા તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’અથવા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા હતા.બે ત્રણ વખત રમખાણ થતું રહી ગયું. ઘાણા મુસ્લિમો અને શીખો આ નારાઓ સંભળી ક્રોધિત થઈ ગયા હતા.

જયારે બિશન સીંઘનો વારો આવ્યો અને વાઘાના તે પારનો અધિકારી એનુ નામ રજીસ્તરમાં નોંધવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું: “તોબા તેક સીંઘ કયાં છે?___પાકિસ્તાન માં કે હિંદુસ્તાન માં.?સબંધિત અધિકારી એ કહ્યું કે પાકિસ્તાન માં’
આ સાંભળી બિશન સીંઘ કૂદકો લગાવીને એક તરફ હટી ગયો, અને પોતાન બીજા સાથીઓ પાંસે પહોંચી ગયો.પાકિસ્તાની સિપાહીઓએ એને પકડી લેધો અને એને બીજી તરફ ધકેલવા લાગ્યા.પણ એણી ચાલવાનો ઈંન્કાર કરી દીધો. ‘તોબાતેક સીંઘ અહીં છે. જોર જોરથી બરાડા પાડવા લાગ્યો. ‘ ઉપરદી ગુરગુરદી ,નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ ઓફ તોબાતેક સીંઘ એન્ડ પાકિસ્તાન ‘
એને ઘણું સમજાવવામાં આવ્યું કે, જો !હવે તોબતેક સીઘ હિંદુસ્તાન માં ચાલ્યું ગયું છે.જો તે નહીં ગયું તો ત્યાં એને તાત્કાલિક પહોંચાડી આપવામાં આવશે.પણ તે માન્યો નહી.જ્યારે એને બળ પૂર્વક બીજી બાજુએ લઈ જવનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એ વચમાં એક જગ્યા પર એનાં સોજી ગયેલા પગો ઉપર એવી રીતે ઉભો થઈ ગયો કે હવે એને ત્યાંથી કોઇપણ તાકત હલાવી નહીં શકે.

એ માણસ પ્રથમ થી બિન ઉપદ્રવી હતો ,એટલે એની સાથે બળ પ્રયોગ કરવામાં ન આવ્યો..એને ત્યાંજ ઉભો રહેવા દીધો.અને ફેર બદલી નું બીજું કાર્ય આગળ વધતું ગયું.
સુર્યોદય પહેલાં શાંત અને મૌન બિશનસીંઘ ના ગળામાંથી આકાશની ચીળી નાંખતી એક ભયંકર ચીસ નીકળી. આજુ બજુથી ઘણા અધિકારીઓ દોડી આવ્યા.અને આશ્ચર્ય ચકિત જોઇ રહ્ય કે ,જે માણસ પંદર વરસથી રાત દિવસ પોતાના પગ પર ઉભો રહેતો હતો, ઉંધા મોંથી પડેલો છે.તે તરફ કાંટાળ તાર તરફ હિંદુસ્તાન હતું અને આ તરફ એવાજ તારોને પાછળ પાકિસ્તાન .વચમાં જમીનના તે ટૂકડા ઉપર જેનું કોઇ નામ ન હતું તોબાતેક સીંઘ પડેલો હતો.
(ઉર્દુ માંથી અનુવાદ_વફા)

(સઆદત હસન મંટો(1912-1955) 20મી સદીનો નામાંકિતા નવલિકા કાળ હતા.પંજાબના લુધ્યાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિયવિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે)

Posted by: bazmewafa | 06/10/2007

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધમાંથી કોણ નાણાં કમાઈ રહ્યું છે?

ભય અને જૂઠાણાઓનો કોણ પિંડ બાનવેછે?

આ વિશ્વ જેવું છે તેવું કોને ખપે છે?

આ વિશ્વ શાહીવાદથી કચડાતું,

અને રાષ્ટ્રિય દમનથી પિસાતું

અને આતંક,હિંસા ,ભુખ,અને દારિદ્ર્ય થી પિડાતું

એના પર કોણ શાસન કરવા ઈચ્છે છે?

(અંગ્રેજી પરથી અનુવાદ_વફા)

 

બ્રિટન નો મુશાયરો ___ આદિલ મનસુરી

જૂન 2007ના બ્રિટનનાં મુશાયરાની વિગત ની PDF ફાઈલ અર્પણ કરવા બદલ જ.આદિલ મનસુરી સાહેબનો દિલી શુક્રિયહ. આ પોસ્ટીંગ ઇમેજ ફાઇલ માં હોય ,ડબલ કલીક કરવાથી સરળતાથી વાંચી શકાશે.

 

britain-mushayerojune007.jpg

 
photobritmush007b
britmush007rep

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)

 

તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
 કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’

Kishwar Naheed, 1940-

Born in Bulandshahr, Uttar Pradesh, India in 1940, Kishwar Naheed is one of the best- known feminist poets of Pakistan. In a field dominated by traditional male voices, Naheed, writing in Urdu, was a pioneer of a new, distinctively feminine voice and has produced over the span of thirty years a body of work that is innovative, defiant, political, and self-aware. Her poetry dared to go beyond the prescribed accepted ‘feminine’ realms to include hitherto unmined fields of female sexuality, politics, and social issues. In an interview with Rakhshanda Jalil for the Indian daily The Hindu (11/4/2001), Kishwar Naheed explained her writing as an attempt to redefine the man-woman relationship. Rejecting being branded as a radical or a bohemian, she declared herself “a realist” who “never let herself get pushed around by men or by circumstances.”
Born into a traditional family that moved to Lahore, Pakistan during the 1947 Partition of the sub-continent, Naheed had to fight to pursue an education in a milieu where women did not go to school and “were not allowed to speak to boys.” She studied at home and obtained a high school diploma through correspondence courses, but went on to receive a masters degree in Economics from Punjab University.

     iqbalpraying-at-masjide-alhanra-spain

 

      (ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ) 

પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી

 

સારે      જહાંસે અચ્છા,           હિંદોસ્તાં હમારા. 

હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.

મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,

 હિન્દી હૈ હમ વતન હૈ ,     હિંદોસ્તાં હમારા

રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
 
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.
ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
 
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
 
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં તસ્વીરે દર્દ નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ
,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,

ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ

ધરા ક્યાહૈ   ભલા ઓહદે    કુહનકી દસ્તાનોં મેં.

ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી         દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.

 (અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં નવા શિવાલાનામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .

પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.

સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,

હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,

શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.


_
તેમણે બ્રાહ્મણને ટકોર કરી.

સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,

તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.

( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને

મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.

(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
 
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ખુદીકહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ખુદીઅહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ખુદીને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
 
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શેર છે.
ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે

ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?

( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.

ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .

મરા      બનિગર      કિ દર હિંદોસ્તાં નમી       બીની

બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.

(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
મેં અસલ કા સોમનાતી

આબા મેરે લાતી વ મનાતી

(હું મૂળ સોમનાથીછું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)

હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.

મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,

યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,

હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર

બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
 
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.

પુત્રના લક્ષણ પારણામાંથીએ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.

1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
 
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.

ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
 
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને સરનો ખિતાબ આપ્યો.
 
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અનેસંકુચિતરાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.

તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _

ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.

તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા

(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
 
તેમણે એક વેળા કહ્યું કે જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
 
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
 
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
 
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટેઅને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
 
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.કવિવર ટાગિરે કહ્યું કે એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
 
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.
 
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.

 
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયાઅને ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામઅંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.

  ‘
અસ્રારે ખુદીઅને રમુજે બેખુદીએમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં શાહીનગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
 
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _

નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર

તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર

(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;

અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી

(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)

(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)

ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>

 

http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal

 

http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//

 

http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/

 

http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/

 

http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/

 

 

 

 

 

 

 

 

drashti.jpg 

દષ્ટિકોણ-જય ગજજર

મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2007/04/14/jaygajjar/

  

વિયેટનામી કાવ્ય

 yudhdha.jpgબુધ્ધને બદલે યુધ્ધ   

 લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,

એ કહેવાને કે 

મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..

છતાં,બાગમાં

પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું

નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે

અને હું જીવું છું

હજી સૂંઘી શકું

છુંગુલાબો અને ગોબરની ગંધને

હજી ખાઇ શકું છું.

પ્રાથના કરી શકું છું.

ઊંઘી શકું છું.

પણ કયારે તોડી શકીશ

હું મારા દીર્ઘ મૌનને?

ક્યારે ઉચ્ચારી શકીશ_

હું પેલા અનુકત શબ્દોને,

જે મને ગુંગળાવી રહ્યા છે? 

(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)

fanoos.jpg 

કાકા છે

1-હઝલ

કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.

ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.

દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.

સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર  કાકા  છે.

તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.

ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.

નરી કટપીસની ફેરી નથી કંઇ શોખચલ્લીની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.

__નિસાર અહમદ શેખ શેખચલ્લી

હઝલોત્સવ

હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લીસા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. હઝલએટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આહઝલતે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,

તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ

વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લીએ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત મુલ્લાંહથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.

કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
અકબરખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.

જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. બઝમે વફાને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
  સંપાદક

 

 

 

 

varsadma.jpg 

તું ચાલને વરસાદમાં

પ્રેમનાં અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇને લઇ પલળવું આગવું,
આગવા અવસાદામાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
વાદના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું ? અપણે બન્ને જણા,
વાદને વિખવાદમાં તું ચાલને વરસાદમાં.

એક વાદળ એક કાજલ ,એક પળને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
  _ અનિલ ચાવડા

zhad

 

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા

  

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ

દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

 

  

ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ

રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.

 

  

શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન

પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

 

 

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો

રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.

 

 

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે

છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.

 

 

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને

કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.

 

 

આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે

ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.

 

  

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે

કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..

 

adilcaricatureby-nirmish 

 આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર

 ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક સૂર્યઅસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર સૂર્યનથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર સૂર્યઅંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…

દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ

‘‘‘

ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં

‘‘‘

સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં

‘‘‘

પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…

કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી

‘‘‘

મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ

‘‘‘

લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!

‘‘‘

પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!

‘‘‘

સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!

‘‘‘

ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!

‘‘‘

તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?

‘‘‘

એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!

‘‘‘

શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળેગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? મળે.) મારું પુસ્તક આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેપ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ગઝલગૂર્જરીમાં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!

એમના શેરથી વિરમીએ?

મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!

(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)

azmi

(1919 – May 10, 2002) 
उर्दू  के महान शायर और गीत लेखक  कैफ़ी आज़मी
 

 कर चले हम फिदा जानो तन साथियों_कैफी आज़मी
 सुनिये ईस गीतकोURL कलीक करें

 

अब तुम्हारे हवाले वतन साथियों

सांस थमती गई, नब्ज जमती गई

फिर भी बढते कदम को न रुकने दिया

कट गए सर हमारे तो कुछ गम नहीं

सर हिमालय का हमने न झुकने दिया

मरते-मरते रहा बांकपन साथियों

जिन्दा रहने के मौसम बहुत हैं मगर

जान देने की रुत रोज आती नहीं

हुस्न और इश्क दोनों का रुसवा करें

वह जवानी जो खूं में नहाती नहीं

आज धरती बनी हैं दुल्हन साथियों

राह कुरबानियों की न वीरान हों

तुम सजाते ही रहना नए काफले

फतह का जश्न इस जश्न के बाद हैं

जिन्दगी मौत से मिल रही हैं गले

बांध लो अपने सिर से कफन साथियों

खेंच दो अपने खून से जमीन पर लकीर

इस तरफ आने पाये न रावण कोई

तोड दो हाथ अगर हाथ उठने लगे

छूने न पाये सीता का दामन कोई

राम ही तुम, तुम ही लक्ष्मण साथियों    

 

           

કૈફી આઝમી___શબાના આઝમી

 

(અબ્બાકી કાહાની બેટી કી  જબાની.)    

   

કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ૤ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહકરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી૤ ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ૤ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ૤ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ૤ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ૤ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ૤

 

 

 

વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ડૈડીયા પાપાકે બજાય અબ્બાથે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ બિજ઼નેસકરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !

 

બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા૤ દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો પેરેન્ટ્સ ડેપર સ્કૂલ આતે હૈં૤ એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ૤

 

અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા૤ ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ૤ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા૤ ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં૤ અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા૤ વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ૤ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી૤ મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ૤ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ૤

 

હમારે ઘર કા માહૌલ બિલ્કુલ બોહિમિયનથા૤ નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે રેડ ફ્લૈગ હૉલમેં રહતી થી૤ હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા૤ બાથરૂમ વગૈરહ તો કૉમન થા૤ પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી૤ જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી૤ મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી૤

 મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે૤ પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ અલાઉન્સદેતી થી૤ ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ૤ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા૤ ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા૤ મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા પગલીકી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ પગલીકે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ૤ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે૤ અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ૤ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિ૟ોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો બેસ્ટ એકટ્રૈસકા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો૤ મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ક્યૂજ઼દેતે હૈં૤

 મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં૤ શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શા૟રોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં૤ ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ)૤ યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી૤ ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ૤ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-યે ઝૂઠ હૈ૤ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી૤મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા૤ લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે૤ ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા૤ સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે૤ બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ૤ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા૤ ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં૤

 અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર૤ વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં૤ વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ફ઼િરાક઼ઔર ફૈજ઼ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં૤ ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે૤ મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા….૤ કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓયા બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ૤હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ૤

 

ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી૤ સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી૤ વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે૤ ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા૤ મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા૤ અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી૤ મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે૤ મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં૤

 

મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી૤ વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી૤ મમ્મી ને ધીરે સે કહા કિ કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી૤ અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા૤ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી૤ ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે૤ આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં૤ લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ડેડલાઇનસર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ૤

 

મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ૤ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા૤ કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં૤ લિખતે વક્ત ઉનકી સ્ટડીકા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે૤ એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા૤ મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ૤

 

વો લિખતે સિર્ફ માઉન્ડ બ્લાન્કક઼લમ સે હૈં૤ ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં૤ યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે માઉન્ડ બ્લાન્કદિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે૤ અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા૤

યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ અપ્રૈલ ફ઼ૂલબના દેતે હૈં૤ હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર અપ્રૈલ ફૂલબના દેતે હૈં૤ કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્તસેન્સ ઑફ હ્યૂમરભી હૈ૤ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં૤ ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં૤ તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ૤

 

એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ૤ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા૤ રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા૤ છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા૤ રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા૤ રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે૤ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી૤

 

અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ૤ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં૤ ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ૤ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ૤ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના૤ જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે૤ સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ૤ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો૤ ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ૤ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો૤ સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ૤

 

અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં૤ દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ૤ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ૤ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ૤ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી૤ શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી૤ ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં૤

 

જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે૤ મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા૤ એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં૤’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં૤’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે૤ આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી૤’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા૤ કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં૤ ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ૤

 

મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ રેડ ફ઼્લૈગ હૉલમેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા૤ જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ૤ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી૤ હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ૤ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે૤ અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ૤ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા૤ પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે૤ મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-બેસ્ટ ઑફ લક, કૉમરેડ૤

 મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી૤ જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ૤ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં૤ પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી૤ મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા૤ મૈં અબ્બા કે કમરે મેં ગઈ૤ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં૤ ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા૤’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો૤ યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા૤

 બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ૤ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં૤ ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં૤ ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ૤ વો મકાનવો ઔરતહો યા બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ૤ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ૤ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ૤ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ૤

 orkhan1

પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી

 

 

નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો

સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.

પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર

હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે

 

 

હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ

નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું

સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રેછે

અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.

 

 

 

સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,

એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,

પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે

અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા

સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?

બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું

અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.

 

 

 

ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો

ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું

કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે

કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું

 

.

 

નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,

હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા

જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી

રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.

 

 

 

કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,

હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ

જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર

ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?

પછી તું કોઇ દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે

પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે

વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.

 

 

 

અને જોઇન લે કોઇ છબી નયનોની માટે

વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે

અને બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ

જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે

 

.

 

manshe2

 

pagli 

પા પા પગલે__ બાબુભાઈ પટેલ   

  પા પા પગલે ચાલી ચાલી,

      કાલુ કાલુ બોલી બોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી.

      આ બક બક કરતા બાલિશ શબ્દો

      સાંભળશો કે…….. 

      ખુબ ખુબ કહેવું છે

      મારા નાનકડા મનડાએ આજે.

      આ તોતડીયા

      ગૂંગળાતા શબ્દો

      સાંભળશો કે………  

      અકળ દેશથી આવી આજે

      ભૂલો પડ્યો ભવસાગર વાટે.

      આ આકુળ વ્યાકુળ ઊછળતા

      ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો

      સાંભળશો કે………..  

      પા પા પગલે ચાલી ચાલી,

      બોલું છું હું તોલી તોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી

      આ નાદાનીના બાલિશ  શબ્દો

સાંભળશો કે………  

ઇસ્લામ અને મોબાઈલ

Dr. Maheboob Desai

Friday, November 21, 2008 08:19 [IST]

 

mobile

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકામોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.

મોબાઈલના મસાઈલઅર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.

મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.

મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.

ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.

જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.

રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.

મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.

મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.

મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.

મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.

કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.

મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.

મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.

મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.

મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.

(દિવ્ય ભાસ્કર શુક્રવાર 21નવે.2008)

 

grandmosquemakkah

Azan of Grand Mosque Makkah Click pl.

Tawafe Qabah and Talbiya(Labbaik)Click pl.

 

હજ યાત્રાનો મહિમા અને તેની મહત્વતા-કાસિમ અબ્બાસ

alhaj1haj21haj3

haz4

haz81

 

 

 

 

 

 

 

 

 

 

Posted by: bazmewafa | 12/10/2008

ગઝલની તકતી1— બઝમ

 

ગઝલની તકતી1— બઝમ

 

 

ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા  છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ  વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.

આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે  આછોકર રમત શા માટે ?

અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું  મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.

ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને  ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને  તાડ પર ચઢાવે છે.

આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .

  જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.

લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા

અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો

કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)

એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.

 

 

 

ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ  એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:

કદાચ   એને     ખબર       નહોય

લગાલ  ગાગા    લલલ      લગાલ ૢ પહેલા  મિસરાની તકતી

 

કેટલી    દુરંદેશીતા એના   માટે      વિચારાય છે.

ગાલગા   લગાગાગા ગાગા  ગાગા     લગાગલગા ૢબીજા મીસરાની તકતી

 

pooshp 

મુકતક

 

થયું વિખવાદથી નુકસાન તે સમજાય તો સારું

કદમજે હોય છે મતભેદ એ વિસરાય તો સારું

 

 

સમયની માંગ સમજી ભેદભાવો મિટાવી દો;

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

 

લખેલું ભીંત પર છે તેકદમ ટંકારવી

  

 

ઘણી છે કીમતી થાપણ અહીં સચવાય તો સારું

લપસણી છે  પેઢી નવી જળવાય તો સારું.

  

 

નફાખોરી વટાવે હદ હવે તો મોંઘવારી પણ

હવે તો દાળ, ચોખા,  તેલ, સસ્તું થાય તો સારું.

  

 

કરે જાપાન એવી શોધ ચાલે કાર પણીથી

હવે ફ્યુએલ બીજું અવનવું શોધાય તો સારું.

  

 

સિતમ પોતે કરે તો પણ ઠરાવે અન્યને દોષિત

જગતથી બેવડું ધોરણ હવે બદલાય તો સારું.

  

 

જુલમ જે આચરે ચે તે કદમ ફાવી નહીં શકશે

લખેલું ભીત પર છે તે હવે વંચાય તો સારું.

 

(ભવ્ય ત્રિભાષી મુશાયરો  સ્મરણિકા)

Bolton U.K..Sunday 19Octo.2008

 

 

 

 nahinfave

 

અમે હેલીના માણસ…સુરેશ દલાલ

 

 

શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે

 

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારીતી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી

આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.

ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:

મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો

શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.તો હરીન્દ્ર દવેની પંકિત છે: જયાં ચરણ રુકે ત્યાં કાશી.વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.

વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામસાદગીરાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.

અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 

(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)

 

 

 

alvida

al1

al23

  (શ્રી ઘનશ્યામ ઠક્કર ના સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/13/2008

કોણ છે? આદિલ મન્સૂરી

 

deevaren1

કોણ છે? આદિલ મન્સૂરી

કોણ છે?

આ ચાર દીવાલોની અંદર કોણ છે?

કોના કાળા હાથો

દીવાલોનાં બાહર નીક્ળયા છે.

કોના પીળા દાંતો

છત પર ચાલી રહ્યા છે

કોનું ખાલી માથું

હવામાં તરી રહ્યું છે

કોની આંખો ફર્શ પર લપસી રહી છે

કોનું નીલ વર્ણ રકત

બિસ્તરામાં પડયું પડ્યું બરાડી રહ્યું છે

કોના જંગલી અટ્ટ હાસ્યથી

બંધ ઓરડો ગુંજી રહ્યો છે

 

 

કોણ છે?

આ ચાર દીવાલોની ભીતર  કોણ છે ?

 

કોણ છે?

 

 

(હશ્રકી સુબ્હ દરખશાં હો !ઉર્દૂપૃ.175ના સૌજન્યથી.અનુ.વફા)

 

 

 

 

 

 

 

maar

સ્પેલિંગ લવ નો— નિર્મિશ ઠાકર

nirnish1

suratfld3

હુરટનું પૂર(હુરટી પ્રટિકાવ્ય)— નિર્મિશ ઠાકર

huratnupoor

abharkha

બીજાઓને શેર, શાયરી  સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા

                                                             1

મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને  મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.

હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:

હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી  સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.

મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:

’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)

2

એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.

  બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી  વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની  વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.

પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.       

                તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.

 

3        આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.

અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.

 

 

.

4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના  સફરમાં  શાયરીની બલામાં  સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સાબ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું

એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.

શાયરીમાં રસ ખરો કે?

મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?

ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.

શેર હતો:

ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે

ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.

      (તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું  ઉંચુ કર કે પાલનહાર તને  પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)

     મૌલવી સાહેબ શાંતિથી શેર  સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?

      મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.

ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?

 

5

આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.

ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.

અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)

 

6

સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:

આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ  બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.

 આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?

zakaria1zakaria2zakaria3zaaria4

grave kabar

 

 

 

 

 

uptodately1

janmdin

 

જવાનીમાં એને માટે માતમ થવો જોઇએશેખાદમ આબુવાલા

(મારી ડાયરી.બુધવાર 2 એપ્રીલ 1952)

      લાંબા સમય સુધી ડાયરી ન લખી શક્યો.હજી મારે કેટકેટલું સંભારવાનું છે.યાદ કરવાનું છે અને ડાયરીમાં નોંધવાનું છે

       આજે સવારે હું મુંબઈથી આવ્યો.ગઈ રજબની સાતમીએ(ઈસ્લામી મહિનો)મારી સાલગિરહ(જન્મદિન) હતી.બાવીસ વરસ પૂરાં થયાં.ત્રેવીસમું બેઠું ! જવાનીનું એક વરસ ઓછું થયું.જવાનીમાં આવતી વર્ષગંઠો મને અત્યંત દુ:ખદાયક લાગે છે.

મને એ વર્ષગાંઠો સર્પની જેમ ડંખે છે.ગઈકાલે મને દુ:ખ થયું હતું કે જવાનીના રંગીન અને મસ્ત એવા કાળમાંએક વરસ ઓછું થઈ ગયું! વૃધ્ધાવસ્થામાં વર્ષગાંઠ એ ખૂશીની વસ્તુ હોવી જોઇએ! પરંતુ જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ.

  ગઈ કાલે હું અમદાવાદ આવવાનો હતો ,પરંતુ 31માર્ચને દિવસે મુંબઈમાં એક ડિનર રાખવામાં આવ્યું હતું.મને અમીરી અને બીજા મિત્રોએ જીદ કરીને મુંબઈમાં રોકયો હતો.રોકાવાની જરી સરખી પણ ઈચ્છા નહોતી.પરંતુ મજબૂરીને લીધે રોકાઈ જવું પડયું.મેં ટિકિટના  પૈસા અમીરીને આપી દીધા હતા,અને એણે મને એનાજ સહારા પર રોકી લીધો.રાત્રે ડિનરમાં મારા મિત્ર જ.અલી મહેમદ નાઝને માનપત્ર આપવામં આવ્યું હતું.

 

(હમભી ક્યા યાદ કરેંગે-શેખાદમની ડાયરી)

 

 A comment by one of his associate in Film world.It is posted  on the Gujarati article હું એક ભાટકતો શાયર’”URL

 http://bazmewafa.wordpress.com/2007/05/17/hunbhataktoshayer_shekhadamdarshan/?preview=true&preview_id=288&preview_nonce=7f4ad68333

 

Submitted on 2008/12/18 at 5:57pm

I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a  few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad, Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikh saheb was like a computer just put cursor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya

 

 

 

 

 

 

 

 

yagnik

 

 

                     ્દુલાલ યાજ્ઞિક—-શ્રીમંત નગરીનો ફકીર નેતા

                                  *ઉમાશંકર જોશી

 

 ન્દુલાલ એટલે એની બેસંટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસ યુગના એક મહારથી.ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એંજિન સાથે સરખામણી કરી હતી.થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય.હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને  સંજીવની વરી હતી.અમદાવદની મુખ્ય સંસ્થાઓ પાછળ ગુજરાત વિદ્યાપીઠ જેવી પાછળ પણ ઇન્દુલાલ યૌવન મૂર્તિ દેખાશે.

   ઇન્દુલાલ પર સરસ્વતીંનો આશિર્વાદ હતો.નડિયાદના નાગર હતા ને?વકતૃત્વ અને કલામાં ગુજરાતી ભષાનું હીર ઉછળતું…ગુજરાતના ઇતિહાસના એક અઠંગી વ્યાસંગી હતા.પણ ઇતિહાસ સર્જવ એ સર્જાયા હતા.

    ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા..

   ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.       

 સમાજ પહેલાં લોટ જેવો હતો,પાણી નાંખતા ભેગો થઇ જતો.આજે સમાજ રેતી જેવો બની ગયો છે.પહેલાં લોકોમાં મીઠાશ હતી,આજે જનતા બાવરી બની છે.આર્થિક ભીંસ ખૂબ મજબૂત બની છે.(17-11-1952ના કરેલા એમના ભાષણમાંથી)

 

 

tranaxarnivaat

 

maalo2

guidancetarunydil3 

 

parinda1

खानोमें बट गया_निदा फाज़ली

गिरजा में,मंदिरो में,अजानो में बट गया

होते ही सुबह आदमी खानों में बट गया

 

 

एक ईश्क नाम का जो परिन्दा खलामें था

उतरा जो शहर में तो दूकानो में बट गया

 

 

पहले तलाशा खेत,फिर दरियाकी खोज़ की

बाकीका वक्त गेहुंके दानों में बट गया

 

 

जब तक था आसमांमें सुरज़ सभीका था

फिर युं हुआ वो चन्द मकानों में बट गया

 

 

हैं ताक में शिकारी, निशाना है लबिस्तां

आलम तमम चन्द मचानों में बट गया

 

 

खबरों ने की मस्वरी, खबरें गझल बनी

जिन्दा लहु तो तीर कमानों में बट गया

(शहर मेरे साथ चले तो)

હવાનું હલેસું—- આદિલ મન્સૂરી

artamthaigayun1thaigayun2

તમે ચાલ્યા ગયા આ શબ્દનો  આવાસ છોડીની

છતાં પડઘા તમારી યાદના  ગુંજતા રેશે

મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબને સાંભળવા કલીક કરો

 

hun

હું છું ને તું છે— મહેક ટંકારવી

 nathinam1nathnam2

gukab1

શરદ,તારું ગુલાબ***જય ગજ્જર

sharadtarungulab

(શરદ,તારું ગુલાબઅને બીજી વાર્તાઓનાં સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/29/2008

થાય છે….સુધીર દલાલ

thaykharun

થાય છે….સુધીર દલાલthayachhe01
thyachhe11

thaychhe2

thaychhe3
thaichhe4
thaichhee5
thaichhe6
thaichhe7
thaichhee8

કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ —- યોગેશ જોષી

 chinu1chinu2chinu3chinu4

chinu5

  (પરબ _ ડીસેંબર 2008 ના સૌજન્યથી)

બઝમે વફા પરિવાર શ્રી ચિનુ મોદીને  આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે

  

 

 

 

 

morardhirate

bismarfhar1

બીમાર પણ રાખે****બરકત વીરાણી બેફામbeemarpanraakhe

mero

મેળો જહાંનો***રતિલાલ અનિલ

merojahanno1

 

 

 

Posted by: bazmewafa | 12/30/2008

આપણે***મકરંદ દવે

apneimg

આપણે***મકરંદ દવે

apne

સવારી જશે મુજ છડીદાર સાથે***શયદા

savaarijashe1

જય ગજ્જરની નવલકથા આંધીનો ઉજાસ દરિયાપારના સર્જકોમાં શ્રેષ્ઠ નવલકથા તરીકે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં ઈનામો

 

awrdtojaygajjar1

મહેંદીના રંગ  જેમ ઊડી જાય જે મહેક

એવી સગાઈ, એવું કો સગપણ ન જોઈએ

darpan

 

 કાજલ ભરેલી આંખના***મહેક ટંકારવીjoien

(એક વિચાર સભર, સુંદર નવી નક્કોર તાજી ગઝલ મોકલવા બદલ પ્રોફેસર મહેક ટંકારવી સાહેબનો  બઝમે વફા ઘણું આભારી છે)

 

Posted by: bazmewafa | 01/06/2009

Opinion , views and News

Opinion , views and News 

Civilian Casualties Mount As Israeli Army Slices Through Gaza

Click

http://www.countercurrents.org/

Do Israeli Pilots Feel Happy Killing Innocent Women And Children?

By Fida Qishta

05 January, 2009
Countercurrents.org

Click to read

http://www.countercurrents.org/qishta050109.htm

Molten Lead In Gaza
By Uri Avnery

This war is a writing on the wall: Israel is missing the historic chance of making peace with secular Arab nationalism. Tomorrow, It may be faced with a uniformly fundamentalist Arab world, Hamas multiplied by a thousand

http://www.countercurrents.org/avnery050109.htm

Scared But Steadfast In Gaza
By Rami Almeghari

I found that my neighbors are dealing very patiently with what is happening right now. They don’t have any place to go and are staying close to their homes, expecting that the worse has yet to come. However, they are saying that they will remain steadfast in their homeland and neighborhood and homes, even if Israel destroys Gaza completely

http://www.countercurrents.org/almeghari050109.htm

 

The Only Nation That Can Do No Wrong
By Jim Taylor

Because the rights that European and North American nations demand for Jews do not seem to extend to Palestinians. Or perhaps more accurately, in a perversion of the Golden Rule, the western world looks the other way when the nation of Israel does unto others as others have done unto them

http://www.countercurrents.org/taylor050109.htm

 

 

ત્રણ અધૂરી વાર્તાઓ***મધુ રાય

adhooreevartaa

tran1

tran2

tran3

 

tran3a1

tran4

tran5

 

tran6

ફૂલ કરમાયું નહીં— આઈ.ડી.બેકાર

 

bekar

karmayunnahin

ફૂલ કરમાયું નહીં

 pankharnuphol.jpg

છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં

સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .

આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.

બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં

ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં

(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે).

નિ:શબ્દ  રહેવાયું નહીં—ઝફર એમ.

karmayunzafar

 

આયનાની જાતથી  નિ:શબ્દ  રહેવાયું નહીં

      તે છતાં મુજ હાજરી વિણ,  કંઇ બોલાયું નહીં

 

હું રડી પડ્યો નિહાળી સાથ સહુ  સ્વજન તણો

એ નથી કે મુજ થકી એ દર્દ સહેવાયું નહીં

 

 

પ્યાસ બળતા રણ ની લઇ   બેઠા હતાં એ દ્વાર પર

ઝાંઝવાની   એ પરબ પર   બુંદ  છલકાયું નહીં

 

સર અહમના ડુંગરો પર ઠોકતો તું રહી ગયો

ઝૂમખું આ ફૂલનું    પણ હાશ ઉંચકાયું નહીં

 

હાથ તારો એ કટોરા ઉપર સ્પર્શયો  હતો

ઝેરનાં એ જામને પાછુંય ઠેલાયું નહીં

 

એ હતોઅંતિમ સમય   આંખો બિડાઈ ગઇ હતી

પણ ઝફર એ નામ તો હોઠોથી  વિસરાયું નહીં

karmayunnazir

તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા

  

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં

કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં

 

karmayunmareez

મુજથી રોવાયું નહીં—- બરકત વીરાણી બેફામ

mujthirovayunnahin_befam

karmayungani1

ચિત્ર ભૂંસાયું નહીં— ગની દહીંવાલા

chitrabhunsayunnahingani

કેમ બદલાયું નહીં—- મસ્ત હબીબ સારોદી

 karmayunhabib

kembadlayunnain_habib

મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

naav

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?

લોક ઊંડું વિચારે, તો હું શું કરું?

 

હું છું માનવ,છતાં લાગું દાનવ તને !

તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

 

કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!

નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

 

આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-

એ જો મરચાં વઘારે, તો હું શું કરું?

 

સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!

જો તું આવે સવારે, તો હું શું કરું?

 

(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)

પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’

(ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)

રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)

ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્

  ગઝલ   કાવ્ય પ્રકારે ગુજરાતી ભષામાં પોતાનું સ્થાન જમાવાવા અને સ્વીકૃત થવા માટે પરિશ્રમ સિવાય  અન્ય યુક્તિઓનો આશ્રયસ્વીકાર્યો નથી.કલાપી,કંથારિયાનાં સાચા ગઝલ પ્રેમે ગઝલનું દ્વાર ર્ખોલ્યું. ગઝલ સમ્રાટ શયદાએ ગઝલને  અરબી,ફારસી, ઉર્દૂ નઝમિયાતની(પદ્ય પ્રકારની) સાચી વિભાવના પર લાવવા પિંગળ શાસ્ત્રની ચૂસ્તતાને અપનાવી.રદીફ ,કાફિયાની સવિનય માવજત, ગઝલના નિર્ધારિત છંદની સાચી ઉપાસનાનાં સુમનને હૃદયંગમ બનાવી મહેકાવ્યું. મત્લાઅ,મકતાની સાચી સૂઝ  આપી.રૂપકો,ઉપમાને સુંદરતાથી કંડાર્યાં.મુશાયરા પ્રવુત્તિ વિકસતાં લોકો ઉર્દૂ ગઝલની જેમ ગુજરાતી ગઝલ પણ ગુન ગુનાવા લાગ્યા.

અમીન આઝાદ,સૈફ પાલનપુરી,બેફામ,મરીઝ,શૂન્ય,ઘાયલ,ગાફિલ,મસ્ત હબીબ,રૂસ્વા,ગની,સાબિર વટવા,રતિલાલ અનિલ ,આઈ.ડી.બેકાર,સીરતી,શેખ ચલ્લી,બેબાક રાંદેરીૢમુસા બના,શેખાદમ આબુવાલા,દીપક,મનોજ ખંડેરિયા,અકબર અલી જશદણવાલા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી,પતીલ,ભગીરથ અને જયંત પાઠક પણ ગઝલનાં ઝંડા ધારી બન્યા.

ગઝલ એની ગુણ વત્તા વધારવા છંદ કહોકે બહર,વજન અથવા એના પિંગળ સાથે કોઇ અરાજકતા આદરી નહીં.

1931માં રાદેરના પ્રથમ મુશાયરા પછી,જયારે ગઝલને ચોગાનની કવિતા કહી ચોખલિયાઓએ  ગઝલને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ગઝલના ભેખધારીઓએ વિદ્રોહની છડી પૂકારી.

મહાગુજરાત ગઝલ મંડળના આજિવન પ્રમુખ જનાબ બેકાર સાહેબે અનિલ,સીરતી,શેખચલ્લી,દીપક ,બેબાક વિ.ને સાથે લઇ ગઝલને ગુજરાતનાં ગામડે ગામડે પહોંચાડવાનો નિર્ધાર કર્યો.મુશાયરો,મુશાયરી(નાનો મુશાયરો)ના રૂપમા ગઝલ સુરતથી નીકळी મુબઈથી કાઠિયાવાડ સુધી પહોંચી ગઇ.ઇજન ધોરાજવી,કિસ્મત કુરેશી,દેખૈયા બિરાદરો,સાલિક પોપટિયા,નઝર ગફૂરી,યાદી ઘણી લાંબી છે. આ બધા ગઝલની મશાલ ઉઠાવી ચાલતા રહ્યા.

ગઝલને અરાજકતાના વાવડથી બચાવવા છંદ શાસ્ત્રોનાં સર્જન થયાં. તરહી મુશાયરાની ઉર્દૂ પરંપરાને જિવંત કરી.

આદરણિય જ.હસનઅલી નામાવટી ઈસ્માઈલી સાપ્તાહિક માટે તરહી પંક્તિ મોકલી નવોદિત,કે સિધ્ધ હસ્ત શયરો પાંસે ગઝલો લખાવતા,પ્રસિધ્ધ કરતા

આવા તરહી મુશાયરાઓ ઘણાં કામિયાબ રહેતા. એકજ છંદ,લય અને રદીફ ,કાફિયાની રમઝટ વાળી ગઝલો વંચાતી ,ગવાતી.મુશાયરાને ચાર ચાંદ લાગી જતા.

અહીં એવીજ એક તરહી મુશાયરાની પંકતિ:

પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં ના મિસરા પર મને પ્રાપ્ત થયેલી  સાત જેટલી ગઝલો પ્રસતુત કરું છું.

આ તરહ પર કોઇ મિત્ર પાંસે કોઇ પણ સર્જકની રચના હોય તો, બઝમે વફાને  સાદર કરવા વિનંતી છે.

તેમજ કોઇ પણ કવિ આ તરહી મિસરા પર ગઝલ લખી બઝ્મે વફા ને અર્પણ કરશે તો પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં નો ગઝલ ગુલઝાર વિસ્તૃત થશે,.અને એ એક વિશિષ્ટ ભાત પાડશે.(નોંધ: ગઝલની તકતી કરી ગઝલની ઈસ્લાહ કરવાની જવાદારી કર્તાની રહેશે) આ તરહી પંક્તિના રદીફ અને કાફિયાની માવજત કરી ગાગાલગાૢગાગાલગાૢગાલગાગાૢગાલગા 

(મુસ્ તફ્ઇલુન્ૢમુસ્ તફ્ઇલુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્)

વજન પર પણ ગઝલ લખી શકાય છે.

નીચેની રચનાઓ માણવા જે તે અનુક્રમણિકા,  પર કલીક કરવા વિનંતી છે.

 

 

raat

 

 

 

 

અંધાધૂંધીનો જન્મ દિવસ ***નિર્મીશ ઠાકર

 

 

જ્યારે ડખલની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે હઝલની પ્રથમ રજૂઆત થઈ હશે

 

 

ભાગી છૂટ્યો પવન ને રોતી રહી મહેક

રસ્તામાં તારી સાથે મૂલકાત થઈ હશે

 

 

કોઇ રતાંધળો તો ઘણું આઠડ્યો હશે

ઝૂલ્ફો ઢળી હશે અને રાત થઈ હશે

 

 

વ્યાપી ગઇ છે સ્તબ્ધતા,દર્પણ અવાક છે

તારાજ રૂપ રંગ વિષે વાત થઇ હશે

 

 

અંધાધૂંધીનો જન્મદિવસ એ જ છે અહો!

દુનિયાની જે દિવસથી શરૂઆત થઇ હશે.

 

(પ્રતિ કાવ્ય: શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)

 

10Jan.2009

એ માણસને હું રત્નજડિત પૃથવી ભેટ આપી દઈશ**યશવંત ત્રિવેદી

 

pankhiudaan

aemanas

એક કાવ્ય***હરિકૃષ્ણ પાઠક_આસ્વાદ— રાઘેશ્યામ શર્માpankhipatang

aswaada1aswaadb

nakliful1

 

શરમાતું નથીમુહમ્મદઅલી વફા

 

એટલેતો મુજથી રોવાતું નથી

દર્દ શુ છે એ જ સમજાતું નથી

 

આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ

તે છતાં આ દર્દ ભુલાતું નથી

 

 

બાગનું ગુલ  મહોરશે બસ ચાર દિન

પૂષ્પ નકલી કો દિ કરમાતું નથી

 

એ હશે કેવું વલણ બોદા તણું?

હોય ખોટું તો ય શરમાતું નથી

 

સાચ ની સંભાળ વસમીછે વફા

હોય ખોટું એજ ખોવાતું નથી

dari

 

 નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર

 

 જૂની મને રદીફ મળી:કોણ માનશે? 

એમાં હઝલ નવી જ તળી,કોણ માનશે?

  

પાડોશણે તો ચા મહીં નાંખેલ છે નમક

લાગી મને તો બેઉ ગળી,કોણ માનશે?

  

અ જિંદગી ઉપરથી કડક નરમ તળે!

એ હાંડવાની જેમ બળી,કોણ માનશે?

  

સીડીમાં લપસી એમ જાણે પ્રેમમાં પડી

ચશ્મા પડ્યા ને એય ઢળી ,કોણ માનશે?

  

વર્ષો જૂનો એ વાયદો ચૂંબનનો પાળશે?

એ ચોકઠા-સમેત મળી,કોણ માનશે?

  

અર્ધાંગનિ મળી ને પૂરો ખોટમાં ગયો

મારીજ કેડ વાંકી વળી ,કોણ માનશે?

  

દુનિયા ન હસી, દોસ્ત મગજ પણ ગયું

પસ્તાયો છું હઝલને દળી,કોણ માનશે?

 

ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર

 

પેલ્લાં એ મને લાયગી પરી , કોણ માનહે?

પન્ની ગયો,    પઠારી ફરી! કોણ માનહે?

 

અર્ઢાંગનિ બનીને મને અઢમૂઓ કયરો!

પૂરી પછી એ માથે ચરી , કોણ માનહે?

 

ઘૂંઘટને મેં ઓપન કયરો,ટો બોયલી કલોઝ કર!

ઉં તો ગીયોતો બોવ ડરી  , કોણ માનહે?

 

લાલી મેં એના હોઠની માયગી,ટી પ્રેમઠી!

આંખો બી એને લાલ કરી  , કોણ માનહે?

 

સુખી ઠવું છ આપડે,કરહો? એ પૂછટી,

ડાયવોર્સની મેં અરજી કરી  , કોણ માનહે?

 

કંકોટરીનું કાલ બી મેટર નીં બદલહે !

છે નામમાંજ ચેંન્જ જરી , કોણ માનહે?  

 

 

 

b1 

 

મારો પ્રિય શેસૂફી મનુબરી

hazhalsufi

 

juta 

પૂંછડી પટપટાવીશુંબાબર બંબુસરી

hazhalbabarbambusari

  

 સ્વામી રામતીર્થડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ

(અંજલિ)

હમ બગલ દરિયાસે હૈ કતરા-એ બેતાબ તુ,

પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.

આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,

મૈં અભી તક હૂં અસીરે ઇમ્તિયાઝે રંગો- બુ.

મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,

યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.

નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે આગાહકા,

લાકે દરિયામેં નિહાં મોતી હૈ ઈલલ્લાહકા.

ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,

થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.

તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,

હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-- તસ્નીમે- ઈશ્ક.

 

(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)

શબ્દાર્થ:

હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય

અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,

આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું

 

1904 માં લખાએલ ”સારે જહાંસે અછ્છા હિદોસ્તાં હમારા ”ના કવિ ડૉ.ઇકબાલ જ્યારે તસવ્વુફ(સૂફીવાદ)અને દર્શનશાસ્ત્ર ના વિષય સાથે જ્યારે પદ્યના મેદાનમાં ઉતરેછે ત્યારે અચ્છા ઉર્દૂ ફારસીના જાણકાર એમના કલામ(પદ્ય)માં ગોથાં ખાઈ જાય છે.તે છતાં તે જમાનામાં ઇકબાલના પ્રોફેસર અને મિત્ર ડૉ.નીકોલસને ઇકબાલની અનુમતિથી એમનાં ફારસી મહાકાવ્યઈસરારે ખુદીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ભાષાની દ્રષ્ટિએ તો ગાલિબ મીરને સમજવાપણ કઠિન થઈ પડે છે.પરંતુ ઇકબાલ દર્શનશાસ્ત્ર,તત્વજ્ઞાન,ધર્મશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ઇતિહાસ,રાજ કરણ,સંસ્કૃતિ અને કાવ્યની અંતિમ સીમાને લઈ જ્યારે પદ્યની ગુલાબ પાંખડીઓની ભંગિમાનાં દર્શન કરાવે ત્યારે, એ વિષયના વિદ્વાનો ડોલી ઊઠ્યા છે.

ઇકબાલ દર્શન પર અંગ્રેજી,ફ્રેંચ,જર્મની,સ્પેનીશ ,અરેબીક,ફારસી,તર્કી,મલય—વિશ્વની મોટાભાગની મહત્તમ ભાષામાં ઇકબાલને અનુદિત કરાયા છે. અને ઇકબાલિયાત નું દર્શનશાસ્ત્ર દુનિયાની મોટાભાગની યુનિવર્સીટીઓમાં ફિલસૂફીના એક વિષય તરીકે રૂમી અને ગઝાલી સાથે અભ્યાસાય છે. વિવેચનશાસ્ત્ર વિશ્વ સાહિત્યના તમામ સર્જનનું પરિમાણ રહ્યું છે.પરંતુ ઇકબાલિયાત એક એવો વિષય  બની ચૂક્યો હતો કે એનાં પર વિશ્વનાં મોટા મોટા વિદ્વાનોએ ભાષ્ય લખ્યા. અરબી,ફારસીઅને ઉર્દૂનાં મહાન ભારતીય વિદ્વાન સૈયદ અબુહસનઅલી નદવીએ એમના કાવ્ય દર્શન પર અરબી ભાષામાં રવાએ ઇકબાલનામનો ગ્રંથ લખ્યો.અંગ્રેજી સહિત વિશ્વની દસ બાર જેટલી ભષામાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે.ઉર્દૂ અનુવાદ,”નકૂશે ઇકબાલ.અને અંગ્રેજીમાં “ગ્લોરી ઑફ ઇકબાલઘણાં લોક પ્રિય  અને આવકારદાયી બન્યા છે. ઉર્દૂ અરબીના મહાન વિદ્વાન મૌલાના ગુલામ રસૂલ મહેર સાહેબે એમના પ્રથમ ઉર્દૂ કાવ્ય સંગ્રહ બાંગે દરાપર ભાષ્ય લખ્યું છે.પ્રો.નીકોલસનનો ઉલ્લેખ ઉપર થઈ ચૂક્યો છે.

જ્યારે પ્રારંભિક અવસ્થામાં ઇકબાલ એક વેળા હતાશાની પળોમાં  લેખન કાર્ય છોડી દેવા માંગતા હતા અત્યારે ઉર્દૂ,ફારસીના અભ્યાસી અને વિદ્વાન પ્રોફેસર.ઓરનાલ્ડે એમને એવું કરતાં રોક્યા.અને ચેતવણી આપી કે ,એવું કરશો તો વિશ્વ એક દર્શનશાસ્ત્ર નો મોટો અધ્યાય ગુમાવી દેશે. સ્વામી રામતીરથ – અંજલિના રૂપમાં ઇકબાલની સૂફીવાદ અને દર્શનશાસ્ત્રની અદભૂત નઝમ છે.ટૂંક સમયમાં સ્વામી રામતીર્થ નઝમ પર મૌલાના મહેર સાહેબે લખેલ ભાષ્યનો અનુવાદ અત્રે મુકવાની નેમ છે.

imam

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો-ડૉ.મેહબૂબ દેસાઈ 

 

ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું

કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.

આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.

ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.

ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.

ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.

હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ઇસ્લાહુનામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.

ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.

તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. મહરનો અર્થ ચંદ્ર થાય છે.

એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.

ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.

આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.

 

 

 

 

 

 

ખરતા    સિતારાને.._મુહમ્મદઅલી વફા

 

 

અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.

ધરેછે મૌન પણ કહેતાં નથી કંઇ ચાહનારા ને.

 

તમરા હોઠ તો મલકી ગયા આ હોઠ પર બંદિશ,

હ્ર્દયની વેદના પૂછો હ્રદયના  બાળનારા ને.

 

 

જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દ્દો,

હવે ન રોકશો આવીને અશ્રુ   સારનારા ને.

 

 

અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,

તમે પકડી હજી બેસી રહ્યા છો આ  કિનારા ને.

 

નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,

નજરમાં હોય જો ખામી તો દોષોકયાં નઝારાને.

 

ઘણી વસમી સફર એ હોય છે સહું સ્નેહી જન માટે,

છતાં રોકી શકેછે કોણ આ    જગથી     જનરાને.

.બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાય છે મનમાં.

વફાનિરખી  લઉંછુંહું  જરા ખરતા   સિતારાને.

 

 

(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલઈસ્માઇલી)

પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને

થઈ જાય તો સારું-નાઝિર દેખૈયા

thaijaytosarunnazir

પાગલ થાઉં તો સારુંશેખાદમ આબુવાલા

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

Posted by: bazmewafa | 01/20/2009

અશ્રુ સારે છે—બેફામ

અશ્રુ સારે છે—બેફામ

asrubafam

તમારી યાદના સૂરજ— આદિલ મન્સૂરી

yaadnasuraj

Posted by: bazmewafa | 01/20/2009

હજઝ છંદ—બઝમ

હજઝ છંદબઝમ

હજઝ છંદ : હજઝ મુસલમ સાલિમ બહર(16અક્ષરી)(માત્રા-28 )
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્

લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =


ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા

 

રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)(માત્રા-25)(ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્-ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)ની  જેમ હજઝ મુસલમ સાલિમ છંદનો ગુજરાતી ગઝલોમાં વિપૂલ પ્રમાણ માં ઉપયોગ થયો છે.બાલ શંકર કંથારિયાની સુવિખ્યાત ગઝલ ની તખ્તી.

ગુજારે જે –  શિરે તારે — જગતનો ના– થ તે સ્હેજે

લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____ લગાગાગા

 

એક સમય એવો હતો કે આ છંદ નો લય ગુજરાતી ગઝલનો પર્યાય બની ગયો હતો.

તરહી મુશાયરામાં આ છંદ પર પાદ પંક્તિઓમાં ઘણી ગઝલો લખાય છે.

 

પ્રો.સુમન અજમેરીએ એમના પુસ્તક ગઝલ: સંરચના છંદ વિધાન માં પૃ.51 પર 20 ઉદાહરણો ટાંક્યા છે.

તરહી મુશાયરાની કેટલીક યાદાગાર પંક્તિઓ

 

1-અમારી મહેરબાનીથી અમાર મહેર બાનો છે

 

2-હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા આવી

.

3-કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી

4-કરો જો કોઇ પણ વાતો  કરો એના અધર વાંચી

 

5- ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને

 

અત્રે એ છંદ પર લખાયએલી કેટલીક ગઝલો  પ્રસ્તુત કરી છે.

 

 

આવી દશા કોણ માનશે?મહેક ટંકારવી

 

konmanshemahek

 

 ગુલઝારે ચાલુંમુહમ્મદ યુસુફ પટેલ અગમ

 

વેણ વિના ડચકારે ચાલું !

અણસારે અંધારે ચાલું  !

 

 

પીરોના દરબારે ચાલું  !

વીરોનાં સથવારે ચાલું  !

 

 

ઘાયલના ઉદગારે ચાલું  !

પાયલના ઝણકારે ચાલું  !

 

 

શમણાની ભરમારે ચાલું !

તરણાના આધારે ચાલું!

 

 

નૌકા લઈ મઝધારે ચાલું  !

ટૌકા દઈ ગુલઝારે ચાલું !

 

 

વાયુના વરતારે ચાલું !

આયુના આધારે ચાલું !

 

(વહોરા સમાચર-સુરત જાન્યુઆરી-2009)

 

 રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડના વિજેતા કવિ જ.અગમ કોસંબવીના પરિચય માટે નીચે કલીક કરો

http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/

.

અલ્લાહની મદદ— જનાબ મસ્ત મંગેરા

allahnimadad1

(વહોરા સમાચાર સુરત જાન્યુઆરી2009નાં સૌજન્યથી)

શ્વાસની સાંકળ ઉપરકિરિટ ગોસ્વામી

પળ પછીની પળ ઉપર પડદો પડ્યો છે

શ્વાસની સાંકળ ઉપર પડદો પડ્યો છે

 

 

શી ખબર ઇચ્છા-નદી ક્યાં લઈ જવાની

દેખીતી ખળખળ ઉપર પડદો પડ્યો છે

 

 

વિશ્વ નોખું તેજમય છે સૌની ભીતર

આગવી ઝળહળ ઉપર પડદો પડ્યો છે

 

 

કેમ સંતો ! માપવાં ઉંડાણ એના

સાવ મનનાં તળ ઉપર પડદો પડ્યો છે

 

 

છે હજીય શેષ કારણ જીવવાનું

કયાં કલમ-કાગળ ઉપર પડદો પડ્યો છે

 

 

સદીઓ ઉલેચી આવતોઅંકિત ત્રીવેદી

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે

ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે

 

 

કૈં એમ તારથી રહ્યો છું હું નજીક ખુદા

જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે

 

 

ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને

અંદર  છે એવું કોણ જે કડિયો, મજુર છે

 

 

દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં

ભરતી નદીના જીવનું ધસમસતું પૂર છે

 

 

લોકો નશાનું નામ એને આપતા રહ્યા

તમને મળી લીધાનુંજ આંખોમા નૂર છે

 

 

 

 

 

 

સ્પર્શ્યોતો વાદળાંનેમિલિન્દ ગઢવી

 

સહરાને, ઝાંઝવાને જૂની  કથા કહું છું

સ્પર્શ્યોતો વાદળાંને એ વાર્તા કહું છું

 

 

છે ફર્ક ક્યાં વધારે?શબ્દો જૂદા કહું છું

 

તું જેને કેછે સ્વાસો એને હવા કહું છું

 

 

આવે છે એ સવાલો વેરીને સ્મિત આછું

ને  ય ઉત્તરોમાં હા કે ના કહું છું

 

 

બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે

ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું

 

 

સમજી શકો તો સમજો મોઘમની આ છે ભાષા

હોઠોને મૌન રાખી મારી વ્ય્થા કહું છું

 

 

છે જાણ કોઇને ક્યાં છેલ્લી સફર છે મારી!

એ આવજો કહે છે,હું અલવિદા કહું છું.

 

 

 

 

પ્રજાસત્તાક દિન મુબારક—બઝમ

 

26thjan

દેશ ભક્તિનાં ગીતો અને આઝાદીના ઇતિહાસની ઝાંખી

 Click the following URL:

 Heroes of India

http://ca.youtube.com/watch?v=OAnNZperDvM&feature=related

  JaNa GaNa MaNa – AR RaHMaN`z (w/translation)

 http://ca.youtube.com/watch?v=ftD3gDA-5S0&feature=related

 ApniAzdi_Rafi(Shakil Badayuni)

 http://ca.youtube.com/watch?v=iF7M-oznVc0

 Sarejahanseachchhaa__DR.Iqbal

 http://ca.youtube.com/watch?v=s09MoVYMYhw

 

 SAARE JAHAN SE ACHchhA…....

http://ca.youtube.com/watch?v=XnOw6wl6vpQ&feature=PlayList&p=E5DF6331EE36D096&playnext=1&index=16

 Yeh Desh Hai Veer Jawanon Kaa

 http://ca.youtube.com/watch?v=EWnPJY_o7tw&feature=related

 Mere mehbub mere vatan

 http://ca.youtube.com/watch?v=TervjxQa1h4

 Kar Chale Hum Fida – Mohd Rafi Saab – Dedicated To India

 http://ca.youtube.com/watch?v=eaaxFPndjng&feature=related

 Ae watan

 http://ca.youtube.com/watch?v=FRH_XE_F0WM&feature=related

 Safaroshikitamanaa

 http://ca.youtube.com/watch?v=9Z4N7Atzydg&feature=related

 1857 Tha first war of Indpemdence

 http://ca.youtube.com/watch?v=wIVsG8VKTVU&feature=related

 INDIAS FREEDOM MOVEMENT – BOSE AND THE INDIAN NATIONAL ARMY

 http://ca.youtube.com/watch?v=7BVFsVkRf60&feature=related

 Nehru’s Speech in 1947

 http://ca.youtube.com/watch?v=qswQSVCoLJQ&feature=related

 Aye Mere Pyare Watan – Dedicated To India

 http://ca.youtube.com/watch?v=dTxcGywP_mI&feature=related

 Aye Mere Watan Ke Logo Lata Mangeshkar Voice

 http://ca.youtube.com/watch?v=VjfGA_IeMWo&feature=related

 Mere deshki dharti

 http://ca.youtube.com/watch?v=vpqYjAHQtvI

   

 

સત્યમ્ શિવમ્ સુંદરમ્ દિલીપ ગજ્જર

satyamshivamdg

સ્વામી રામતીર્થ-મૌલાના ગુલામરસૂલ મહેર

 

ઇકબાલની નઝમ સ્વામી રામતીર્થ જાન્યુઆરી 1907મા પ્રથમ ઉર્દૂ સામયિક મખઝનમાં પ્રકાશિત થઈ.સ્વામી રામતીરથનું મૂળ નામ તીરથ રામ હતું.એમનો જન્મ23 ઑક્ટોબર1873માં ગુજરાંવાલા જિલ્લાના ગામ મુરારીવાલામાં થયો.એમનું કુળ ગોસાંઈ બ્રાહ્મણનું હતું.પિતાશ્રીનું નામ મિરાનંદ હતું. ઘર ગરીબ હતું.સ્વામીજીની વય થોડા દિવસોની હતી ને એમની માતાનું અવસાન થયું.પાંચ વરસની વયે અભ્યાસ શરૂ કર્યો.પોતાના ગામમાં પ્રાથમિક ભણતર પુરુ કરી ગુજરાંવાલાની હાઈ સ્કૂલમાંથી મેટ્રિક પાસ કરી.પછી લાહોરની મિશન કૉલેજમાં અભ્યાસ આગળ વધાર્યો.આ દિવસો એમણે ઘણી કઠણાઈમાં વ્યતિત કર્યા.એક આનામાં ખર્ચમાં એક દિવસ ગુજારવો પડતો હતો.ત્રણ પૈસા બપોરના જમણ માટે અને એક પૈસે થી સાંજે કામ ચલાવી લેતા. એમની સ્મરણશક્તિ ઘણી અદભૂત હતી.પ્રથમથીજ એમનો સ્વભાવ સંતોજેવો હતો.ઈન્સાની હમદર્દી  એમનામાં કૂટી કૂટીને ભરાયેલ હતી.ગણિત એમનો પ્રિય વિષય હતો.એમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી.પરીક્ષાનાં પ્રશ્ન પત્રમાં તેર સવાલો પૂંછાતા,જેમાંથી નવના ઉત્તરો લખવાના હતા.સ્વામીજી બધાજ પ્રશ્નોનાં ઉત્તરો લખી,નોંધ લખતા કે પરીક્ષકે પોતેજ નવ ઉત્તરો પસંદ કરી લેવા.રાજ્ય ભરમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ગવર્નમેન્ટ કૉલેજથી એમ.એ. કર્યું. કૉલેજનાં પ્રિંસીપાલે એમનું નામ આઇ.સી.એસ માટે સૂચવ્યું.જ્યારે એમને ખબર પડી તો આંખ અશ્રુ ભીની થઈ ગઈ,અને એમણે કહ્યું કે:મેં શિક્ષણ કોઇ હોદ્દો મેળવવા માટે પ્રાપ્ત નથી કર્યું. પરંતુ હું તો ખુદાના બંદાઓની સેવા કરવા ઈચ્છું છું.થોડા સમય સુધી સિયાલકોટની મિશન હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું, પછી મિશન કૉલેજ લાહોરમાં  ગણિત શાસ્ત્રના પ્રોફેસર તરીકે  જોડાયા.એજ સમયમાં સ્વામીજીનો પરિચય અલ્લામાં ઇકબાલ સાથે થયો.સ્વામીજી વતન પ્રેમ અને ખુદાની ભક્તિનું શિક્ષણ પ્રદાન કરતા હતા.1899માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને,પોતાના સર્વત્ર જીવનને દેશનાં ચરણે ધરી દીધું. ઘણા લોકોએ ટીકા કરી કે તીરથ રામ પાગલ થઈ ગયો છે.આ વાત જયારે અલ્લામાં ઇકબાલને પહોંચી, તો એમણે કહ્યું કે જો તીરથરામ પાગલ હોયતો વિશ્વમાં ક્યાંયે બુધ્ધિમતા અસ્તિત્વ ધરાવતી નથી. તીરથરામે ઘર ,બાર પોતાના સર્વત્ર કુટુંબ પરિવાર છોડીને સંન્યાસ ધારણ કરી લીધો.અને રામતીર્થ નામ ધારણ કર્યું.1902માં જાપાનનો પ્રવાસ કર્યો.ત્યાંથી અમેરિકા પહોંચ્યા.બે વર્ષ અમેરિકામાં રહ્યા.ત્યાંથી ઈજિપ્ત ગયા.પછી ભારત પરત થયા.હરદ્વારની પહાડીઓમાં ધ્યાનમગ્ન થઈ ગયા.એક વાર ઘૂંટણ પર ઈજા થઈતો ગંગા સ્નાનથી મજબૂર રહ્યા.1906માં હિમ્મત કરીને ગંગામાં સ્નાન કરવા ઊતર્યા,તો પગ લપસી ગયો.અને પાણીમાં તણાયા.તરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ નહિ રહ્યા.ત્રીજે દિવસે એમનો મૃત દેહ મળ્યો.અલ્લામાં ઈકબાલ એ સમય ગાળામાં યુરોપમાં હતા.સ્વામીજીના મૃત્યુની ખબર મળી, તો પોતાના ઘણા નિકટ મિત્રની સ્મૃતિમાં એમણે આ નઝમ લખી.

આ નઝમ થોડા સમય પહેલાં પોસ્ટ થઈ ચૂકી છે.ઉપરની સમજૂતી સાથે ફરી મૂકવામાં આવી છે.

 

 સ્વામી રામતીર્થડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ

(અંજલિ)

હમ બગલ દરિયાસે હૈ કતરા-એ બેતાબ તુ,

પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.

 

 

આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,

મૈં અભી તક હૂં અસીરે ઇમ્તિયાઝે રંગો- બુ.

 

 

મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,

યહ શર