કરે છે કોઈ જ્યારે ધીંગા મસ્તી
સદા નિંદાય મારી જાત અમસ્તી
અકારણ હું જગે હડધૂત થયો છું
હું માણસથી ઘણો થાકી ગયો છું
ગધેડાની પ્રાથના—મુલ્લા રમૂજી(મસ્ત હબીબ સારોદી)

(સૌજન્ય:મોજ-મસ્તી પૃ.45)
ગધેડાની પ્રાથના—મુલ્લા રમૂજી(મસ્ત હબીબ સારોદી)

(સૌજન્ય:મોજ-મસ્તી પૃ.45)
Posted in કટાક્ષ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mast Habib Sarodi

સૌજન્ય:
http://mehboobdesai.blogspot.com/2012/01/blog-post_18.html
Posted in Article, ઇતિહાસ, ગદ્ય | Tags: Dr.Mehboob Desai, History, Information
રમત ઊભીજ છે—-અહમદ ગુલ
શ્વાસની છેલ્લી રમત ઊભીજ છે
હું-તુંની તીક્ષણ મમત ઊભીજ છે
તું દીવાલો તોડીને હરખા નહીં
ત્યાં અડીખમ એક છત ઊભીજ છે
આપણું તો છે જ અફવાનું નગર
એક શમે બીજી તરત ઊભીજ છે
લાગણી-સબંધના પુસ્તક મહીં
જીર્ણ યાદોની વિગત ઊભીજ છે
વેદનાઓ વ્યકત કરવાને હજી
પેન કાગળની અછત ઊભીજ છે
ગુલ મિલનના માર્ગમાં હર પળ નવી
અડચણો તો હરવખત ઊભીજ છે
(સૌજન્ય:મૌનાલય પૃ.34)
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, Shero shayri
આજ આદિલ—–નીતિન વડગામા

Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adil Mansuri, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Neetin Vadgamaa, Sher

Posted in Article, ઇતિહાસ, ઈતર, ગદ્ય, માહિતી, માહિતી લેખ | Tags: —Dr.AshishVashiShtha, History, Information

સરકતું પ્લેટફોર્મ—–યોગેશ જોષી

Posted in અછાંદસ, કલા, કવન, કવિતા, કાવ્ય, નઝમ, પદ્ય, Gujarati Poetry | Tags: અછાંદસ, કવિતા, નઝમ, Gujarati Kavita, Gujarati Poetry, Jay Gajjar, Yogesh Joshi
ફૂલ ઝરે છે—અદમ ટંકારવી
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adam Tankarvi, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, Sher, Shero shayri
લોહીનું પાણી થઈ ગયું આદિલ
તો યે તે આંખથી દડ્યુંજ નહીં
આખ્ખું નગર તૂટી પડ્યું—–આદિલ મન્સૂરી
જે હતું અણનમ અફર તૂટી પડ્યું
એક પર્વતનું શિખર તૂટી પડ્યું
કોઈની લાગી નજર તૂટી પડ્યું
જોત જોતામાં તો ઘર તૂટી પડ્યું
એક એવો આંચકો આવ્યો પછી
આખ્ખું ને આખ્ખું નગર તૂટી પડ્યું
જોત જોતામાં તો ભીંજાઈ ગયા
એક વાદળ તરબતર તૂટી પડ્યું
એમ ચિંતામગ્ન બેઠાં છે બધા
જાણે નભ માથા ઉપર તૂટી પડ્યું
પ્લેન પૃથ્વીથી જરા અધ્ધર થયું
કોઈ પણ કારણ વગર તૂટી પડ્યું
(સૌજન્ય:ગઝલનાં આયના ઘરમાંપૃ.132)
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adil Mansuri, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Sher, Shero shayri
ભરૂં છું હું જાતેજ નિજ ઘરમાં પહેરો
હું જાતેજ ખુદને ડરાવી શકું છું
ધૂણી ધખાવી શકું છું—-’મહેક’ ટંકારવી
(સૌજન્ય:પ્યાસથી પરબ સુધીપૃ.41)
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Shayri, Jay Gajjar, Mahek Tankarvi, Sher
મોતીઓ આવીને બેઠાં પાંપણે—-‘અંજુમ’ વાલોડી
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Anjum Valodi, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
છકાર—અદમ ટંકારવી
Posted in અછાંદસ, કલા, કવન, કવિતા, કાવ્ય, પદ્ય | Tags: Adam Tankarvi, અછાંદસ, નઝમ, Gujarati Kavita, Gujarati Poetry
વાત ખોટી નીકળે—–ચિરાગ ઝા ‘ઝાઝી’
(ગાલગાગા ગાલગાગા ગાલગા , રમલ)
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, Muhammedali Wafa, Sher, Shero shayri, Zazi
દેશ અને દુનિયા—કૌશિક અમીન
Posted in Article, ઈતર, માહિતી લેખ | Tags: Article, માહિતી, Information, Kaushik Amin
પ્રવાસ જારી છે—નિર્મિશ ઠાકર
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Nirmish Thaker
જીવન વિતાવ્યુ _રતિલાલ’અનિલ”
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: અછાંદસ, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratillal Anil
પિતાશ્રી ના અવસાન પર – જનાબ આદિલ મનસુરી
Posted in અછાંદસ, અનુવાદ, કવન, કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, Gujarati Poetry | Tags: Adil Mansuri, અછાંદસ, નઝમ, Gujarati Kavita, Gujarati Poetry

મસ્ત મુશાયરો
-‘બેકાર’
‘સાબિર’ વટવા.
-‘મસ્ત હબીબ’ સારોદી.
-‘પ્રિ.ચીમનલાલ વ્યાસ.
-યુસુફ અશરફ’ વહાલુ.
મુહમ્મદઅલી’વફા”(લુવારવી)
રફઅત’ કાવીવાલા
-અદમ’ટંકારવી
‘બેબાક’-કોસંબવી
‘સાગર’ નવસારવી
‘આરિફ’સારોદી
ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ

અમાનતનું ધન હતું-મસ્ત મંગેરા
હસતું વદન હતું—અદમ ટંકારવી

જઁબુસર મુશયરો 24-2-68 ગુલનુ કફન
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મસ્ત મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
પવનભરી રાત _ -જીવનાનન્દ દાસ
Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in English translation and in Bengali.
achatt1@umbc8.umbc.edu
Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, કવિતા, Jivandadas, Jivnananddas
ખાણ હતી કોણ માનશે_મુહમ્મદઅલી વફા
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ઁઉહમ્મેદલિ વફ, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Muhammedali Wafa, Sher

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને
_ નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.
રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મની ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.
શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.
તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.
ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.
એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.
(વૈભવ-8 )
Posted in કવિતા, ગઝલ, નઝમ, પ્રશસ્તિ કાવ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shekhchalli, Shero shayri
યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ’વફા’ .
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gazhal_wafa, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
હિલાલે ઈદ હમારી હંસી ઉળાતાહૈ-અલ્લામા ઈકબાલ

ઓળખાણ _ગુલઝાર
Posted in અછાંદસ, કવિતા, શાયરી, શેર | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Kavita, Gujartai Poetry, Shero shayri
સિતારાથી ભર્યો શ્યામલ હવે ઘુંઘટ હટાવી દે,
ઉઠાવ એ આવરણ સન્ધ્યા સવારોના વદન પરથી,
અદાઓ એકધારી જોઈ કંટાળી ગયોછુઁ હુઁ,
નજર થાકી ગઈછે નિત્યા એના એજ દર્શન થી!
કે આ વેરાન દ્ર્શ્યોને ભક્તિભાવનાઁ બઁધન !
અને આ ભુખથી ત્રાસી ઊઠેલાનાઁ જીવન તો જો !
અરે આ મ્લાન ચહેરાઓ! સિતારાઓનાઁ પુલકિત મન!
ખુશાલીના જનાઝામાઁ આ સ્મિત કરતાઁ વદન તો જો!
જરા દ્રષ્ટિ તો કર આ પુરાતન અનજુમન તારી ,
પ્રતીક્ષા ,મીટ, માઁડીને કરે છે નવ -પ્રકાશોની,
નવાઁ દ્ર્સ્યો તુઁ સર્જી દે, બધુઁ વાતાવરણ પલટાવ,
!નહીઁ તો આ જગત ‘સર્જન_પરિષદ નુઁ વિસર્જન કર !
ઊઠી ચાલ્યો જઈશ નહિતર હુઁ તારી અંજુમનમાઁથી!
Posted in અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ચર્ચા, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: આધ્યાત્મિક, ગઝલ, નઝમ, મસ્ત’હબીબ’સારોદી, મુશાયરો, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, Mast Habib Sarodi, Sher, Shero shayri
<
મસ્તહબીબ સારોદીઅને એમની હઝલો-કત્બાઓ
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, પરિચય_જીવન*કવન, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, MastHabibSarodi
સન્નાટો
_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: Azadnazm, કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Makhdoom Mohyuddin, Shero shayri



ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છું ખરીદાયો નથી
પાનખર વેળાયે પડકાયો નથી
ને વસંતી વાયરે વાયો નથી
કમળ કાદવમાં ખીલે છે તેમ હું
ખૂબ મરડાયો છું ખરડાયો નથી
લાખમાં એકજ’’ અગમ’ હોવા છતાં
ઓળખાયો છે એ પરખાયો નથી
પ્રેમ વૃષ્ટિમાં અગમ ભીઁજાય છે
રૂપ જળમાં એ કદી ન્હાયો નથી
ભીની ભીની રેતમાં સુવું ગમે
ને લચીલા ખેતમાં સુવું ગમે
Posted in Article, આસ્વાદ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, પરિચય_જીવન*કવન, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Agam Kosambvi, અછાંદસ, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી લેખ, મુશાયરો, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri

શબ્દનું તાંડવ—જિગર ટંકારવી
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, જિગર ટંકારવી, વાતાવરણ, શાયરી, શેર, હાથમાઁ, Jigar Tankarvi
_યોગેશ જોષી(કંકાવટી35માર્ચ2006)
Posted in અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, Gujarati Poetry | Tags: અછાંદસ, કવિતા, કાવ્ય, યોગેશ જોષી, Gujarati Kavita, Gujarati Poetry
Saadat Hasan Manto (Urdu: سعادت حسن منٹو) (May 11, 1912 – January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like
Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages.
Posted in ગદ્ય, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Short story | Tags: ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, સઆદત હસન મંટો, SaadatHasanManto, Short story
શિખર રાખીએ છીએ – આદિલ મન્સૂરી
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુકતક, મુશાયરો, રૂબાઈ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adil Mansuri, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
બહાર_વસંત_મોહંમદઅલી ,વફા’
Posted in Article, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ટિપ્પણી, નઝમ, પદ્ય, માહિતી, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Shekh Saadi, Sher, Shero shayri
સોહાગ રાત_જય ગજ્જર
Posted in ગદ્ય, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Short story | Tags: નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, લેખ, શેર, Gujarati short story, Jay GajjarO.B.E

Posted in ગઝલ, Urdu Gazhal | Tags: Adilmansuri, तरफ से, ગઝલ
(1929-1985)
છું જવાનીનો હું સાથી પ્રેમનો પણ મિત્ર છું.
મીટ માંડી રૂપ પણ જોયા કરે એ ચિત્ર છું
એ હશે કિસ્મતની લીલા કે મારી કલા
મેનકાને પણ નચાવું એવો વિશ્વા મિત્ર છું.
_ શેખાદમ આબુવાલા
અમદાવાદ નાં એક સંસ્કારી ખાનદાનમાં એમનો જન્મ 1929માં થયો.અને 1985ના 20 મે ના રોજ એમણે જીવન ની ચાદર સમેટી અલ્લાહ જ્લ્લેશાનહુને મળવા ઉપડી ગયા.જનાબ શેખાદમ સાહેનબે એમ.એ થતાં સુધીમા તો ગુજરાતી,હિંદી.ઉર્દુ.અંગ્રેજી,જર્મની ભાષાના સાહિત્યના કોઇ પણ વિષય પર કલમ ચલવી વળ્યા.ચીન ,રશિયા કે જર્મનીથી રજા ગાળવા સ્વદેશમં આવે કે યુરોપની સર જમીન પર ભ્રમણા કરતા હોય જ્યાં જ્યાંજાય ,કે કાંઇ કરે એમની વાતો સંભળાવતાં કે પત્ર કોલમોનાં વખાણો કરતા કયારેય ધરાઈએ નહીં.ધરખમ ગુજરાતી વૃતપત્રો માટે એ પોતાની સાપ્તાહિક કતારો માટે કલમના આ કસબીએ આવકાર આપ્યો હતો.વિવિધ દેશોમાંથી અને પોતાના દેશમાં સાંપડેલ અને ઉઘાડી આંખે નિરખેલી હકીકતતો પ્રસંગરૂપે અસંખ્ય વાંચકોએ આવકારીછે..પદ્ય તેમંજ ગદ્યમા એમને નિપૂર્ણતા હોવાની જાનો દિલથી પ્રતિતી કરાવી છે.
પિતાશ્રી મુલા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા,અને માત્રુશ્રી મોતીબાઈ આબુવાલાના હોનહાર ફરજંદે ગુજરાતી સહિત્યને માલે માલ કરી દીધું.એમની કવિતાઓ,ગઝલો.નવલ કથાઓ, અને તેમણે લખેલ સંસ્મણો તો પુસ્તક રૂપે પ્રકટ થઈ ચુકયાછે.અને એમનું અંગત જીવન પણ કવિતા નવલકથા જેવું હતું.તે જ્યાં પણ કદમ મુકે છવાય જતા.વાતાવરણને ખૂશ્બુથી ભરી દેતા..શેખાદામે ઘણી નાની વયે એમના પિતાશ્રીની છ્ત્ર છાયા ગુમાવી દીધેલી, એમની ઉછેરની તમામ જવબદરી એમની વાલિદા મોતીબાઈ પર આવી પડેલી.ઘણાપ્રતિકૂમ્ળ સંજોગોમાં પણા વાલિદાએ આ જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી.ઉચ્ચતમ શિક્ષણ અપાવ્યુંઅને ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કર્યું. મોતી બાઈ શેખાદમ ને પ્રેમથી શેખા ના હુલામણા નામ થી બોલવતા.શ્રી નીરૂભાઈ દેસાઈ લખેછે કે તેમની સાથે માણેલી કઈ યાદ ટપકાવું?લખે છે કે બે એક વાર ઘરની અને કુટુંબની મુલાકાતે આવ્યા હતા..તેને યાદ કરીને કહે કે ‘તમારે ત્યાં ઉંધ્યું ખાવા આવવું છે..પછી બેઠક જમાવીશું.એ દિવસ આવ્યોજ નહીં.એ માંદા પડયા ,ઓપરેશન કરાવ્યું,ત્યારે પણ મળવા જવાનું બની શક્યું નહીં. અને ગયો ત્યારે આંગણામાંથી એમનું શબ નીકળતું હતું. શબને કબ્રસ્તાન તરફ વિદાય કરીને અમે એમનાં વૃધ્ધ અમ્માં(મોતીબાઈ)ને મળવા ગયા.આંખમાં ચોધાર આંસુએ રડતાં અમ્માં એ અમને સવાલ કર્યો, જવાબ દો, મેરે બેટેકા ક્યા કસૂરથા કિ ઉનકો ખુદાને છીન લિયા.જવાબ દો_જવાબ દો.અમારી પાંસે એનો કોઇ જવબ નહોતો.આજે પણ નથી.શેખ આદમનો કોઇ વાંક આજે પણ જડતો નથી.
મેરી આંખો મેં બરસતા હૈ
અબ્ર ફિર સાલ ભર બરસતા હૈ.
*************************
જી રહાહું જહાં મેં જીસ તરહ
જીંદગી રેંગતી હૈ
રાતકે સાયેમેં જૈસે ચાંદની.
*********************
ઝખ્મ ખા કર હંસ સકા
મેંઝહર પી કર જી સકા
મેંને અકસર કી હૈ
અપને આપસે ભી દિલ્લગી..
**
બનકે બૈઠા હૈ તમાશા મૈં તમાશાઈ
હું તુ જો તન્હા હૈ મૈં તેરી તન્હાઈ હું.
**
પથ્થરોંને જો પુકારા તો હિમાલા હૈ હમ
આપકે હોઠ બુલાતેતો ગુલિસ્તાં હોતે.
**
મોતકો ઢુંઢા કીયે થે હમ કહાં વોથી
હાથોં કી લકીરોં મેં છુપી.
**શેખાદમ આબુવાલા.
(શબ કહાં લાલઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મેં કયા સુરતેં થી જો પિન્હા હો ગઈ.ઉર્દુ કવિ)
શેખાદમની રમુજ અને હાજર જવાબી
શ્રી વોનોદ ભટ્ટ લખેછે કે ગુજરાતી હિંદી ફિલ્મની અભિનેત્રી અરૂણા ઈરાની સથે બધા બેઠા હતા ને ગપ સપ ચાલતી હતી..વાત તલ પર આવી એટલે શેખાદમ બોલ્યા :’એક કવિએ એક સુંદરીના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ન્યોછાવર કરી દીધેલા.અલબત્ત કવિતામાં.અરૂણાએ ચીબુક પાંસેના પોતાના તલ તરફ આંગળી ચીંધી પ્રશ્ન કર્યો:’અબુસા’બ મારા આ તલ પર શું કુરબાન કરી દો?’ ’હાલોલ અને કાલોલ’ ઘડીનાયે વિલંબ વગર આદમે પ્રત્યુત્તર આપ્યો.
આદમ સાથે હું એક છાપાંની ઓફિસમાં બેઠો હતો.ત્યાં આદમના એક દોસ્ત અર્થ શાસ્ત્રના પ્રોફેસર લાલીવાલા આવ્યા,આદમે પૂછ્યું : ’કેમ આવવું થયું?’
‘પૉવર્ટીના ડેટા માટે દોધધામ ચાલે છે.છાપાંની ફાઈલોમાંથી મેળવવા આવ્યો છું.’ પૉ.લાલીવાલા બોલ્યા.’એને માટે આટલે બધે આવવાની જરૂરત નહોતી.’ આદમે સલાહ આપી. નૉક એની ડોર_કોઇ પણ ઘરનો અરવાજો ખટ ખટાવને.
તુમ સો ગયેહો યાર પુરે જિસ્મ કો લેકે
તન્હાઈમેં કૌન યે દિલ કો છેડ દેતા હૈ(વફા)
ભાઈ શેખાદમ _શ્રીઉમાશંકર જોષી
જાણીતા સાક્ષર અને કવિ શ્રી ઉમશંકર જોષીએ સ્વ. શેખાદમ આબુવાલાન એ આકાશવાણી પરથી અંજલિ આપતાં જણાવ્યું હતું કે ,’ભાઈ શેખાદમ આબુવાલા ભર જુવાનીમાં ચાલ્યા ગયા.અને ગુજરાતના સહિત્ય ક્ષેત્રને અને ખાસ કરીને કવિતાના અને તેમાંયે ગઝલોના ક્ષેત્રને ઘણી ખોટ પડી છે. ભાઈ શેખાદમસાથે મારો તો એક ભાઇ જેવો સબંધ હતો.,છઠ્ઠા ધોરણ માં એ ભણતા હતા અને ‘સંસ્કૃતિ”1947 માં મેં કાઢ્યું અને ત્રીજાજ અંકમાં એમની ત્રણ કવિતા મેં છાપી. હતી.આવડો નાનો છોકરો(17 વર્ષનો) પણ ન્હાનાલાલ એટલેકે પ્રેમ_ભક્તિ એના ઉપર સોનેટ લઈને આવ્યો.
પ્રેમ ભક્તિ પરબ બપોર ધખતી હતી હતી
પરબ પ્રેમ ભક્તિની તૃષા છીપાવા ત્યહાં
હતા સલિલ પ્રણય ભક્તિ સૌંદર્યના.
પછીતો એમની કવિ તરીકેની બઢતી થતી ગઈ તેનો કદમ ક્દમ નો હું સાક્ષી રહ્યો છું. તેઓ જ્યારે ગુજરાત યુનીવર્સીટીમાં ગુજરાતી વિભાગ શરુ થયો અને હું અધ્યાપક હતો.ત્યરે મારા પહેલા વિદ્યાર્થી તરીકે જોડાયા હતા.એ જર્મનીમાં રહ્યા પણ અહીં આવ્યા તે દરમિયાન પાછો અભ્યાસ કરીને પરીક્ષા આપી. સમાજની જે બૂરાઈઓ છે,અવળાઈઓ છે,એના પણ સારા ટીકાકાર હતા.માર્મિક ટીકાકાર હતા અને ,ખુરશી કરીને એમણે એક નાનકડો સંદર્ભ ગ્રંથ આપેલો છે.પરદેશ હતા ત્યારે એમણે પેરીસથી થોડી પંક્તિઓ મોકલી કે પેરીસમાં હું શું કરું છું.એ કહે છે કે_ ભારતનો દમ ભરું છું કાગળ નથી લખાતો એની ફિકર ન કરશો બીજાની જેમ મારે માથેય ખુદા છે.યુરોપમાં રહું છું એથી ભલા શું થયું?
ભારતને કેમ ભુલું? ભારત માં મારી માં છે. તો તેઓ જ્યાં હશે ત્યાં,ભારતના અને તેમની માતાના દુ:ખની આજે કલ્પના થઈ શકતી નથી.તેનું રટણ એમનું ચાલતુંજ હશે.એમની સુદર કૃતિઓ એમણે લખેલી છે.પણ એમની અમર કૃતિઓમાંથી એઅક છે’આદમથી શેખાદમ સુધી’. ભાઈ આદમ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હરદમદમેદમમાં જિંદગેની માવજત કરનારા હતા અને ખુદાએ એમને વહેલા ઉપાડી લીધા.એને પરમ શાતિ મળે.એક મારો નાનો ભાઈ ગયો હોઇ આ આપણા આખા સાહિત્ય પરિવારમાં હું મારા હ્રદયની શોકાંજલિ સ્નેહાંજલિ અર્પું છું. (ગુજરાત: માસિક મે,1985)
આદમથી શેખાદમ સુધી
માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી
રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી
.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.
બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.
બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.
કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
ગઝલ
ચાંદ તો જોતો રહ્યો નીચે ઢળી
ચાંદની કોની હતી કોને મળી.
મોત આવ્યું હાથમાં લઈને કફન
જિંદગી સમજી કે લો ઇચ્છા ફળી.
જિંદગી ભટકી પડી’તી એટલે
મોતે આવી એની ઝાલી આંગળી.
ભર વસંતે ફૂલ મુરઝાતું હતું
એની સામે જોઈ હસતી’તી કળી.
ચાલ આદમ જઇએં દૂર દૂર
જોશું નહી ત્યારે પછી પાછું વળી.
_શેખાદમા આબુવાલા
ગઝલ
પાપ લો કબૂલું છું
પુણ્ય શું છે ભૂલું છું.
જાગૃતિમાં જે ચુક્યો
સ્વપ્નમાં વસૂલું છું.
બંધ રહી નથી શકતો
દ્વાર છું ને ખૂલું છું.
પ્યાર એક ઝૂલો છે
એમ માની ઝૂલું છું.
નામ મારું છે આદમ
હું ગુનો કબુલો છું.
_શેખાદમ આબુવાલા
કેવી લડત છે
સત છે અસત છે
સસ્તું જગત છે.
કેવી લડત છે
હું છું જગત છે.
દિલની લડત પર
સૌ એક મત છે.
ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે.
તારાં નયન માં
શી આવડત છે.
શાયરનું સ્વપ્નું
શાયરની લડત છે.
દિલ પાળી શકશે
દિલની શરત છે.
મંઝિલ બરાબર
રસ્તો ગલત છે.
સર્જન વિસર્જન
જાણે રમત છે.
_શેખાદમ આબુવાલા
ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મુકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝુકે વતન.
અફસોસની છે વાત, આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અંહિસા મોં પર થૂકેં વતન.
ગાંધીજી
કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.
ગાંધી પછી ગાંધી
ગાંધી પછી ગાંધી_ નથી આ કલ્પના કેરો તરંગ
ગાંધી ફરી જો જન્મ લે તો લાગે એ કેવો અપંગ.
આપે ફકત એક ગોડસે મૂકે ખભા પર હાથ સંગ
આદમને આવ્યું સ્વપ્ન
આદમને આવ્યું સ્વપ્નએવું ગોડસે રડતો હતો
રડતો હતોને મન મહીં કૈંક બડબડતો હતો.
નજદીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો છક થઈ ગયો
કહેતો હતો: હે રામ ગાંધી ક્યાં મને નડતો હતો.
રામ રાજ
સુંદર અને સારું અને ન્યારું ને પ્યારું રામ રાજ
ગાંધી જરા આવોને દેખાડું તમારું રામ રાજ.
રાવણ નજર કરતા નથી આ દેશ સામેતો હવે
ને રામ કહેતા હશે આ કયાંછે મારું(રામ) રાજ!
કેવી રીતે સાંભળું!
શું કહ્યું
પાડી રહ્યું છે
કોઇ ચીસ? કેવી રીતે
સાંભળું હું તો છું પોલીસ!
મુકતક
ગયા સ્વપ્નનાં દિન નયન ખોલવા દે
નયન માં ઉભા છે ખુશીના જનાઝા.
જુઓ અંત આવી ગયો પૂર્ણિમાનો
નીકળશે હવે ચાંદનીના જનાઝા.
શેખાદમની એક ઉર્દુ રુબાહી
કિસકે આંસુ મેરે કફન પે ગિરે
કૌન રોયા હૈ અજનબી કે લિયે.
મેરે દુશ્મન ભી જાનતે હૈં
મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.
શ્રી શેખાદમ આબુવાલા કૃત પુસ્તકો
કવિતા
1 ચાંદની
2 સોનેરી લટ
3 અજંપો
4 તાજમહાલ
5 ઘિરતે બાદલ ખુલતે બાદલ(હિંદી)
6 અપને ઇક ખ્વાબકો દફનાકે અભી આયાહું(ઉર્દુ)
7 ખુરસી
8 ખુરસી અને બીજાં કાવ્યો
9 હવાની હવેલી
10 સનમ
11 ગઝલેં(1-2)હિંદી
12 આદમથી શેખાદમ સુધી(સંકલન)
13 સુખનવર(સંકલન)
14 દીવાન _ એ- આદમ(સમગ્ર કવિતા) દીવાન_ એ- આદમ(પુરવણી)
નવલકથા
1 તું એક ગુલાબે સપનું છે
2 તમાશાના તમાશા
3 ચલું છું મંઝિલ નથી
4 આયનામાં કોણ છે
5 નીંદર સાચી સપનાં જૂઠા
6 રેશમી ઉજાગરા
7 ફૂલ બનીને આવજો
8 જિંદગી હસતી રહી
9 એક ને એક ત્રણ
10 વંન્સમોર
આંતરરાષ્ટ્રિય અનુભવ કથા
1 હું એક ભટકતો શાયર છું
2 યુરોપની હવામાં
અનુવાદ
1 શ્રેષ્ઠ જર્મન વાતો
ડાયરી
1 હમભી કયા યાદ કરેંગેં
મુલાકાતો
1 તસ્વીર દીખાતા હું
શેખાદમ શ્રધ્ધાંજલિ ગ્રંથ
1 મોતીબઈનો શેખા
વૃતપત્રોના કટાર_લેખો
1 સારા જહાં હમારા
2 માનવીને આ જગત (આદમથી શેખાદમ સુધી)
3 આદમની આવડત
4 જમાલપુરથી જર્મની
(આ 33 પુસતક,પુસ્તિકા,કવિતા સંગ્રહ,નવલકથા,પ્રવાસકથા(અને શું નહીં?)ના સર્જકને રાંદેરની અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલે 1959 માં સુરતરંગ ઉપવન માં યોજેલા મુશાયેરામાં સમગ્ર ગુજરાત ,મુંબઈના ઘણા દિગ્ગજોને જોયા સાંભળ્યા.શૂન્ય.ઘાયલ.અકબરઅલી જશદણવાલા અને સુરત ,વલસાડના સ્થાનિક મહનુભાવો.એમાં પહેલી અને છેલ્લેવાર મર્હુમ શેખાદમને જોયા સાંભળયાનું યાદ પડે છે(જર્મનીથી આવ્યા હતા.).એમ .એસ .યુનીવર્સીટી(બરોડા)ના વિદ્યાર્થી જિવન દરમિયાન(1960 થી 1962)સુધી યુનીવએસીટીની લાઈબ્રેરરી માં પ્રવેશતાં પ્રાપ્ય હોયતો પહેલો ‘ઉર્મિનવરચના’નો અંક શોધતો,અને તેમાં શેખાદમ આબુવાલાઅને ‘સાલિક ‘પોપટિયાની રચનાઓ આંખો શોધતી.
ચમકતો ને દમક્તો શાહજહ્જહાંનો મહેલ જોવાદે’
મુકતક તો મશ્હૂર થઈ ચુક્યું હતું.પણ સાથે બીજું એક મુકતક પણ નવ યુવાનોને ગુદ ગુદી કરાવતું હતું.
તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.
અમે કીધાં નથી દર્શન કેવળ સાંભર્યુંજ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે
તા20મે2007 ના મર્હુમના ઈંતેકાલની 22 વર્ષ પુરા થઈ રહ્યા છે.તો એમની મૃત્યુતિથિ નિમિત્તે આ શેખાદમ દર્શન પ્રાસંગિક અને ઉચિત છે)
Posted in Article, ઇતિહાસ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, પરિચય_જીવન*કવન, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Information | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેખાદમ આબુવાલા, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, ShekhadamAbuWala, Sher, Shero shayri

Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, નઝમ, માહિતી, શાયરી, શેર, સત્ય ઘટના, Urdu Gazhal | Tags: Allama Iqbal, AtalbihariBajpai, નઝમ, શાયરી, શેર, Sher, Shero shayri, UrduNazm

ધુમાડાને ઘુંટતા રહીએ.-જવાહર બક્ષી
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, JawaharBaxi, Sher, Shero shayri
Posted in કવિતા, ગઝલ, મુશાયરો, શાયરી, શેર | Tags: Adil Mansuri, Ahmed Gul, કવિતા, ગઝલ, શાયરી, શેર, Britain007Mushaero, Gujarati Gazhal, Mahek Tankarvi, Shero shayri, SirajPatel

‘મરીઝ’ પરિચય માતે જુઓ:
http://sureshbjani.wordpress.com/2006/06/19/mariz/
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મરીઝ, મુશયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
તૂટી ગઈ સાચવણ ખબર ન પડી.
ગઠરી છૂટયાની ક્ષણ ખબર ન પડી.
કાચમાંથી પસાર થાવામાં_
ક્યારે ફૂટયાં કિરણ ખબર ન પડી.
છાલકો મૃગજળોની અડકી ગઈ
પગ સુધી આવ્યું રણ ખબર ન પડી.
છાતીએ જીવ જેમ વળગાડી,
ક્યાં સરી સાંભરણ, ખબર ન પડી.
કયારે બૂઝી મશાલ જાણ ન થઈ
હાથ સળગ્યો છે પણ ખબર ન પડી.
મને પારદર્શક થવાની છે ઇચ્છા,
કરું શું? ત્વચાના સવાલો નડે છે.
હું હદ બહાર બહેકી શકું છું પરંતુ,
મને મયકદાના સવાલો નડે છે.
સકારણ નડે એતો સમજાય કિંતુ,
આ કારણ વિનાના સવાલો નડે છે.
ઘણા શબ્દ દોરી જતા અવળે રસ્તે,
સતત કાફિયાના સવાલો નડે છે.
રકત રોકીને તને મારગ દઉં.
આવ તો વહેવા બધી રગરગ દઉં.
તારી છાતીમાં કદી ફફડ્યું હતું,
શબ્દ માં લે ,તારું પાછું ખગ દઉં.
મન બુઝાવાની અણી પર છે તો લાવ,
આજ સંકોરી જરા હું શગ દઉં.
બે’ક પગલાં જે બચ્યાં તે આપી શકું,
ખોઇ નાખ્યાછે તો ક્યાંથી પગ શગ દઉં.
આ સતત લખવાનો આશય એજ કે,
સ્વપ્નની જેવુંજ કંઈ લગભ્ગ દઉં.
શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં.
દોસ્ત ત્યાં પીંછાને બદલે હુંજ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં.
કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મુકયું’તુ તરતું તારી આંખમાં.
હસ્ત_ રેખા એટલે રેતી કહો,
વન ઉગ્યા છે થોરનાં આ હાથમાં.
આટલો અજવાસ કાં ભીતર ઉઠયો
શું લીધું તડકા સમું આ સ્વાસમાં.
શ્રી મનોજ ખંડેરિયાના કાવ્ય સંગ્રહો’અટકળ’ અને ’ હસ્તપ્રત’ ના સૌજન્યથી.
કવિના ટૂંકા પરિચય માટે નીચેના સંદર્ભ પર કલીક કરો
http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Manoj Khanderia
બેદાર લાજપુરી

બ્રિટનનાં ગુજલીશ કવિઓ
3 બેદાર લાજપુરી
નામ: અબ્દુલહય ઘરડા
ઉપનામ: બેદાર લાજપુરી જન્મસ્થળ: લાજપુર જિ: સુરતા, ગુજરાત ,ભારત
અભ્યાસ: બી.એ
વ્યવસાય:કલીગ્રાફર,સાઈન રાઈટર્સ( સાહિત્ય સર્જન)
શોખ: વાંચન,લેખન.ચિત્ર કળા,ક્રિકેટ
હાલનું સરનામું: Mr.Bedara Lajpuri
69 Hadden street
Leicester
LE2 OGJ
U.K.87
1 ચાલી શકું છું.
ગમે તેવા રસ્તે હું ચાલી શકું છું.
લે ઠોકરને હું લાત મારી શકું છું.
મિલનની બધી કેફિયતને ગઝલ માં,
હું ‘બેદાર’ કેમેક લાવી શકું છું.
(11 શેરો ની એક ગઝલનો મત્લો અને મક્તો)
2 સપનાં વગરની જાયના
ધુંધળું વાતાવરણ છે, કંઈ મને દેખાયના.
તે છતાં પણ એ ધરેછે મારી સામે આયના.
આંખમાં એ રૂપને આંજી દીધું છે ત્યારથી,
રાત અહિંયાં એક પણ સપના વગરની જાયના.
તું નઝમનો છે વિષય ‘બેદાર’ ગઝલ શું લખે?
તું તો ગઝલ માં કદી નખ શીખ તો ચિત્રાય ના
(9 શેરની એક ગઝલના ત્રણ શેરો)
3 દિલદાર
કહું તમને કેવી છે દિલદાર મારી,
ગઝલનો નશો છે નઝમની ખુમારી
.
છે આંખો છલોછલ શરાબોની પ્યાલી,
ઢળેલી છે પાંપણોની મસ્તી નિરાળી.
પડે જયાં કદમ ત્યાં જ ફૂલો ખીલે છે,
દૂપટ્ટો ફરકતાં ઘટાઓ ઉઠેછે.
ફકત નામ એમાં છે ‘બેદાર’ મારું,
લખાવે એ ગઝલને હું તો ઉતારું.
(‘દિલદાર’ નઝમના થોડા શેરો)
4 રહેવાદે
નહીં ઉપચાર કર મારો મને બિમાર રહેવાદે.
અને આ દર્દ સાથે તો પૂરાનો પ્યાર રહેવા દે.
સરળતાથી મને જો એ મળી જાએ તો શી કિંમત,
જમાના તેથી વચ્ચે તું જરા દિવાર રહેવા દે.
હવા પણ ઝેર ફેલાવે છે તાર શહેરની તેથી ,
અહીં તું તાર શ્વાસોના ખુલ્લા દ્વાર રહેવા દે.
મિલન પર વેડફી નાં દે બધા તું હર્ષ નાં આંસુ,
વિરહની કો ઘડી માટે અશ્રુ બે ચાર રહેવા દે.
એ મારો છે અનુભવ જ્યોત પણ અંતે ઠળી જાશે,
દીપક સળગાવના અંહિયા સતત અંધાર રહેવા દે.
સમય ચાલી નીકળવાનો ખરેખર આ સમય છે ચાલ,
વસાવીશું નવી દુનિયા અહીં ઘરબાર રહેવા દે.
લખે છે રોજ કાગળ પણ મિલનનાં નામનું મિંડુ,
અમસ્તો એવા કાગળનો હવે વ્યહવાર રહેવા દે.
અજાણ્યું આ નગર છે ને અજાણ્યાં છે બધા ચ્હેરા,
અહીં તું દિલ્લગીની વાત ને બેદાર રહેવા દે.
(ગુજLISH ગજલો. સંપાદન: ‘મસ્ત’ મંગેરા,’જિગર’ટંકારવી ના સૌજન્યથે)
નોંધ:સંગ્રહ મળવાનું ઠેકાણું:
‘આવાઝ; પ્રકાશન
C/O ‘મસ્ત’ મંગેરા
કાંગવાઈ,વયા: રાનકુવા તા.ચીખલી જિ’નવસારી396 560 ફોન02634)48044
Posted in આસ્વાદ, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, રૂબાઈ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri | Tags: ઇતર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, બેદાર લાજપુરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

વતનકો ખૂન દે દિયા_ મોહંમદઅલી ‘વફા’
Posted in ગઝલ, ગીત, નઝમ, પદ્ય, શાયરી, શેર, Urdu Gazhal | Tags: Muhammedali Wafa, National Song

ચિંતન_માર્ગે પીઅર્સી
એક હતું બોન્સાઈ વૃક્ષ
કુંડામાં ઉગેલું જો કે એંશી ફૂટ જેટલું ઉંચું થવા
સરજાયેલું.
પરંતુ માળીએ કાળજી પૂર્વક કાતરીને
એને નવ ઈંચનું રાખી મૂક્યું!
જીવતા માણસોને વધતા અટકાવવા માટે
જરા વહેલી શરૂઆત કરવી પડે.
બંધાયેલા પગ,બહેર મારી ગયેલું મગજ,
વાંકડિયા વાળ ,અને સ્પર્શ કરવાનું મન થાય
તેવા કોમળ કોમળ હાથ!
(વહોરા સમાચાર _સપટેમ્બર2007ના સૌજન્યથી)સુરત.
“Marge Piercy is not just an author, she’s a cultural touchstone. Few writers in modern memory have sustained her passion, and skill, for creating stories of consequence.”
-The Boston Globe
Posted in અછાંદસ, અનુવાદ, કવન, કવિતા, ગુજરાતી શાયરી, નઝમ, Gujarati Poetry | Tags: અછાંદસ, ગુજરાતી શાયરી, ચિંતન, બોન્સાઈ વૃક્ષ, Gujarati Kavita, Gujarati Poetry, __માર્ગે પીઅર્સી
ચૂકે છે _ હરદ્વાર ગોસ્વામી
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Hardwar Goswamy, Sher, Shero shayri

http://www.youtube.com/watch?v=kouZeTr_MGY
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, નઝમ, પદ્ય, શાયરી, શેર, Urdu Gazhal | Tags: નઝમ, મુશાયરો, શાયરી, શેર, Dusra banbaas, Kaifi Azami, Sher, Shero shayri, Urdu Nazam

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)
તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’
Kishwar Naheed, 1940-
Posted in અછાંદસ, કવિતા, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, KisnvarNahid, Shero shayri
(ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ)
પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી‘
સારે જહાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા.
હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હૈ , હિંદોસ્તાં હમારા’
આ રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં ‘તસ્વીરે દર્દ ‘નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
‘વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,
ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ
ધરા ક્યાહૈ ભલા ઓહદે કુહનકી દસ્તાનોં મેં.
ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.’
(અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં ‘નવા શિવાલા’ નામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .
‘પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.
સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
આ,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,
હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,
શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.
_ તેમણે બ્રાહ્મણને ટકોર કરી.
સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,
તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.
( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને
મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.
(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ‘ખુદી’ કહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ‘ખુદી’અહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ‘ખુદી’ને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શે’ર છે.
‘ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?
( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.
ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .
મરા બનિગર કિ દર હિંદોસ્તાં નમી બીની
બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.’
(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
‘મેં અસલ કા સોમનાતી
આબા મેરે લાતી વ મનાતી’
(હું મૂળ ‘સોમનાથી’ છું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)
હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.
મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,
યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,
હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર
બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.
‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.
1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ‘ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.
ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને ‘સર’નો ખિતાબ આપ્યો.
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અને’ સંકુચિત’ રાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.
તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _
‘ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.
તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા
(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
તેમણે એક વેળા કહ્યું કે ‘જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.’એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ‘ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.’ ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ‘ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટે’ અને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.’ કવિવર ટાગિરે કહ્યું કે ‘એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.’ હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ‘ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.’
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : ‘દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.’એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.’
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ‘ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયા’ અને ‘ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામ’ અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.
‘અસ્રારે ખુદી’ અને ‘રમુજે બેખુદી’ એમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને ‘પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં ‘શાહીન’ ગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _
’નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર’
(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;
’
અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી”
(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)
(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)‘
ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>
http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal
http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//
http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/
http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/
http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/
Posted in પરિચય_જીવન*કવન | Tags: પરિચય_જીવન*કવન, મહાકવિ ઈકબાલ _ શૂન્ય પાલનપુરી
![]()
સાભાર સ્વીકરા _ વફા
(1)એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ) _ ‘બેદાર’ લાજપુરી
પ્રકાશક: બેદાર લાજપુરી
69 હેડન સ્ટ્રીટ, લેસ્ટર U.K. (ઈંગ્લેંડ)
પ્રથમ આવૃત્તિ એપ્રીલ: 2001 મૂલ્ય : રૂ75.00 પ્રાપ્તિ સ્થાન રાગ_સ્વરપ્રકાશન 35/બી સમ્રાટ નગર,ગોધરા_380001
ફોન નં:02672_48958
ગુજરાત(INDIA)
(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી
સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન: Mahek Tankarvi
50 Seymour Road
BOLTON
UK
BL1 8PT
Price :2.00 pounds
મૂલ્ય: 50.00 રૂપિયા
મુખ્ય વિક્રેતા: આર.આર.શેઠની કંપની 110/12 પ્રિંસેસ સ્ટ્રીટ
કેસ્વબાગ, મુંબઈ4000 002 * ‘દ્વાર કેશ’
રૉયલ એપાર્ટમેંટસ સામે
ખાનપુર,અમાઅવાદ380 001 Tel: 07925516573
Web: www.rrsheth.com
E.mail: sales@rrseth.com
(3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’
પ્રથમ આવૃત્તિ :જુન 2003
કિંમત : 5.00 પાઉંડ પ્રાપ્તિસ્થાન: Gujarati writers guild
1 BURROW ROAD
PRESTON LANCASHIRE
PR1 6JU (U.K)
(4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ ‘અશરફ’
પ્રથમ આવૃત્તિ : 2004
મૂલય: રૂપિયા 20.00 વિદેશમા પાઉંન્ડસ:2.00
પ્રકાશક:અનવર પ્રકાશન મુ: કંઠારિયા તા.ભરૂચ 392162(INDIA)
(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ:જનાબ આદિલ મનસૂરી
ન્યુજર્સી,અમેરિકા
ટાઊન હૉલ, બટલી. શનિવાર,5મી સપ્તંબર,1998
(નિ:શૂલ્ક)
(6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ જનાબ મસ્ત મંગેરા તંત્રી: વહોરા સમાચાર સુરત,ઈન્ડિયા.
રવિવાર,15 મી ઑગષ્ટ,1999
ટાઉન હૉલ, બાટલી.
(નિ:શૂલ્ક)
(7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ લોર્ડ પટેલ ઓફ બ્લેકબર્ન(જનાબ આદમ હાફેઝી પટેલ0
15 મીજુલાઈ,2000
(નિ:શૂલ્ક)
((8) સ્મરણિકા _ભવ્યગુ જરાતી મુશાયરો
શનિવાર 28 ઓગષ્ટ 2004
બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ
ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
(નિ:શૂલક)
‘એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ)’બઝમે વફા ને અર્પણ કરવા બદલ જનાબ ‘બેદાર’ લાજપુરીનો,અને(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી, (3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’, (4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ અશરફઅને(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (19998), (6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (1999),( 7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો(2000),(8) સ્મરણિકા _ભવ્ય
ગુજરાતી મુશાયરો(2004)નામનાં 7પુસ્તક,પુસ્તિકાઓ’બઝમે વફા અર્પણ કરવા બદલ વિદ્યાર્થી જિવનનાં અવિસ્મરણિય મિત્ર અને સિધ્ધ હસ્ત શાયર મિત્ર જનાબ યાકુબ ભાઈ મેંક”મહેક’ટંકારવીનો ઘણો શુક્ર ગુજાર છું ,રબ્બે કરીમ સર્વને જઝાએ ખેર અતા ફરમાવે..અને હો જોરે કલમ ઔર જયાદા દૂઆઈયાહ શ્બ્દો સહિત, સાભાર સ્વીકાર.
Posted in આસ્વાદ, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, સમાચાર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, સાભર સ્વિકર્, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry


Posted in ઈતર, કલા, ગદ્ય, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, માહિતી | Tags: માહિતી, લેખ, શ્રી જોરાવરસિંહ જાદવ
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, પદ્ય, મુકતક, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: AgamKosambvi, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Sher, Shero shayri
મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા
સૈફુદ્દીન ખારાવાલા ને હું,એમ તો છેલ્લા ત્રણથી પણ વધુ દશકાથી ઓળખતો હતો.હા,આ વ્યાકરણમાં આવતા ક્રિયાપદમાં જ તો ‘ટ્રેજડી’નો અણસાર છે.’ઓળખુંછું’ લખી શક્યો હોત ,તો મને જ નહિ પણ ઘણા બધાને ગમત.. પણ મજબૂરી વ્યાકરણ પણ બદલીનાંખે છે.ક્રિયાપદો પણ…
તે વખતે સૈફુદ્દીનનાં મિત્રોમાં માત્ર શાયરો નો’તા. કલા અને સાહિત્ય સાથે કશી નિસ્બત ન ધરાવતા માણસો પણ હતા.વેપારીઓ,હરવાફરવાના તેમ જ રમવાજમવાના શોખીનો પણ …. સૈફુદ્દીન ભીંડી બજારમાં આવેલી કાપડની એક દુકાનમાં બેસતો, અને તાકા માપતો અને ફાડતો અને વેચતો. સૈફુદ્દીનનું કુટુંબ મૂળ પાલનપુરનું અને પાલનપુર એટલે……. પાલનપુર પરથી ધોળે દહાડે કોઈ વિમાન પસાર થાય તો વિમાનનો પડછાયો કોઈ શાયર પર ન પડ્યો હોય તો જગતની આઠમી અજાયબી કહેવાય… એ જ કારણ હતું કે સૈફુદ્દીન ખારાવાલા પણ એ પડછાયાથી બચી ન શકયો.
સૈફ માટે કોઇ મુશ્કેલ કામ નો’તું.તખલ્લુસ તો નામમાં જ ગોપિત હતું.’સૈફ’ એટલે તરવાર,તલવાર…નામનો અર્થ થતો.ધર્મની તલવાર..
પણ ધર્મને એ માણસે તલવારથી દૂર રાખ્યો.અથવા બીજી રીતે કહીએ તો ,તલવારને એણે મઝહબથી દૂર રાખી.સૈફે શેર અને નઝમના જગતમાં ફૂલો ખીલવ્યાં. અને પત્રકારત્વની દુનિયામાં એણે ‘વતન’થી બિસ્મિલ્લાહ બોલી.. મુસ્લિમ સમાજ અને રાજકરણને સ્પર્શતા એ સાપ્તાહિકમાં ચાર કોલમો નિયમિત ચાલતી હતી.તલવરનો ભાસ થાય એ રીતે,પણ એ ચારે કલમ સ્વામીઓ અંગત જીવનમાં સહેજ સરખા પણ કોમવાદી નો’તા.’એક તો અમીરી અને બીજા અમીન આઝાદ,યાવર અલી સૈયદ,અને સૈફ પાલનપુરી.પછી તો અમીરીએ સ્ત્રીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું.,’બેગમ’…. ‘વતન’ અને ‘બેગમ’ ધૂમ ચાલવા લાગ્યાં.અને તે જમાનામાં સૈફ અને અમીરીનો ઠાઠ પણ , બદરી કાચવાલા ઓછા નો’તા.સૈફ કયારેક તો પોતાની ટેકસીને અડતાલીસ કલાક વેઇટીંગમાં રાખતો… સૈફે પદ્ય કરતાં ગદ્ય વધું લખ્યું છે_કોલમો અને ચાલુ વાર્તાઓ…. ‘વતન, અને ‘બેગમ’ની જેમ મુશાયરો પણ ધામધૂમ સાથે આખી બોમ્બે પ્રેસિડંસીમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો.તે વખતે શયદા જેવા ગઝલ સમ્રાટ હતા,બેકાર જેવા હઝલ સમ્રાટહતા._સીરતી,શેખચલ્લી,આસી,અનિલ,મરીઝ,નઝીર,હરીન્દ્ર દવે,મહેન્દ્ર અચલ,શૂન્ય,ઘાયલ,ઓજસ(પાલનપુરી),અમીન આઝાદ,હબીબ,યુસુફ બુકવાલા,આસિમ રાંદેરી,……એમ ગણ્યા ગણાય નહિ એટલા શાયરો હતા.તેમાં હું પણ શામેલ હતો.જમિયત,ડાયર,મામા,અને સાબિર જોડે…સૈફની શાયરીનો એ આરંભ કાળ હતો..એની નઝ્મો માટે મુશાયરાઓમાં સારી એવી માંગ રહેતી.
અમે મોટાભાગે દરેક મુશાયરામાં ભેગા થઇ જતા.પછીતો વાડાબંધીએ ડોક ઉંચકી.અને વાડાઓ વધવા માંડે તે પહેલાં હું દેશ છોડી પરદેશ ચાલ્યો ગયો.જ્યારે દેશના આંટા મારતો ત્યારે અમે મળતા.જોકે દોસ્તોનાં દાયરામાં પણ અણધારી અને અણગમતી લકીરો ખેંચાઈ ગઈ હતી.રસ્તા જુદા પડ્યા હતા.દોસ્તો મળતા પણ ,સાહિરના પેલા મુકતકમાં આવતી વાતની જેમ
, તેરા મિલના ખુશીકી બાત સહી
તુજસે મિલકર ઉદાસ રહતા હું.
ખુદાની બાતમી
ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.
હું તો વિચારતો રહ્યો –ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.
ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.
મારા વિચાર સાથે હું સંમત થયો હતો
મારામાં તે જ દિવસે મારી કમી હતી.
હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.
ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
રેખાઓ હાથની બહુ પાતળી હતી.
એની જવાની બાદ કોઇ માવજત ન થઇ
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી.
ખંડેર પણ નથી કે નિશાની મળી શકે
ઊર્મિઓ માર મન મહીં શું ભલભલી હતી.
બસ એજ કારણે બહુ શરમાઈ હું ગયો
ડૂબી જવાને માટે ફકત વાટકી હતી.
બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.
જોતાની સાથ લોક તરત ઓળખી ગયા
મુજથી વધુ સફર મારી દીવાનગી હતી.
આ ‘સૈફ’ આપ તો જીવી ગયા ઘણું
બાકી અમે તો આપની ઘડીઓ ગણી હતી.
Posted in આસ્વાદ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, મુકતક, રૂબાઈ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કુછ યાદેં કુછ જખમ., ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા, શેખાદમ આબુવાલા, Gujarati Gazhal, Gujarati Poetry, Shero shayri

બારી ખોલી નાંખો_સઆદતહસન મંટો
(સઆદત હસન મંટો 1912-1955, 20મી સદીના નામાંકિતા નવલિકાકાર હતા.પંજાબના લુધિયાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિય વિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે
સઆદતહસન મંટોની ઉર્દુ ના સર્વ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠિત છે. મંટોએ સમાજની ગંદકી, બેહુદગીને જે રીતી જોઇ એ રીતેજ એને વાચા અર્પી છે.એમના ઉપર અશ્લીલતાનો મુકદમો પણ ચલાવવામાં આવ્યો.પરંતુ પોતાની ધૂનનાં પાકા એવા મંટોની રચના શૈલી એ હાર નહીં માની.દેશના વિભાજનનાં પ્રત્યક્ષ સાક્ષી મંટો એ ,એ યુગની ઉઠપાઠલને પોતાની તમામ વાર્તાઓના વિષયમાં ભિન્ન ભિન્ન અંદાઝમાં આવરી લીધી.’ખોલ દો’(બારી ખોલી નાંખો) મંટોની વિભાજનના કડવાહટમાંથી નિપજેલી કથા છે. જ્યાં એક બાપનું પોતાની દીકરી સાથેની જુદાઈનો ગમ તો છેજ,સાથે સાથે સમાજ સેવાનાં નામ પર અનૈતિકતા ની પરાકાષ્ટા નું સજીવ ચિત્રણ પણ છે.)
અમૃતસર સ્ટેશનથી બપોરનાં બે વાગ્યે ટ્રેન ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી.રસ્તામાં સખ્યાબંધ લોકો માર્યા ગયા.ઘણાં લોકો જખ્મી થયા, કેટલાક ભટકી ગયા.
સવારે દસ વાગ્યે જયારે રાહત છાવણીની ઠંડી જમીના પર સિરાજુદ્દીને આંખો ખોલી ત્યારે એણે ચારો તરફ પુર્રુષો,સ્ત્રીઓ,અને બાળકોનો ઠઠ મારતો સમુંદર જોયો.એની વિચારવાની અને સમજવાની શક્તિ કુંઠિત અને વૃધ્ધ બનીએ ગઈ. ઘેરાયલા આકાશને એ ટિકટિકી બાધીને જોતો રહ્યો.રાહત છાવણીમાં ખુબ શોર બકોર હતો,પરંતુ જાણે વૃધ્ધ સિરાજુદ્દીનનાં કાન બહેર મારી ગયા હતા.એને કંઈ સંભળાતું ન હતું.કોઇ એને જોતું તો અનુમાન કરતું કે એ ગાઢ નિંદ્રામાં છે,પરંતુ એવું ન હતું.એના હોશો હવાસ ગાયબ હતા.એનું સંપુર્ણ અસ્તિત્વ શૂન્યમાં લટકી રહ્યું હતું.
ઘેરાયલા આકાશમાં ઇરાદા વિહિન જોતાં જોતાં સિરાજુદ્દીનની આંખો સુરજની સથે ટકરાઈ.તેજ પ્રકાશ એના અસ્તિત્વની નસે નસમાં ઉતરી ગયો, અને તે જાગી ઉઠ્યો.ઉપર નીચે એના દિમાગમા કેટલે તસ્વીરો દોડવા લગી.લૂટ,આગ,ભાગમ ભાગ સ્ટેશન,ગોળિયો,રાત અને એની સકીના….. સિરાજુદ્દીન એકદમ ઉભો થઈ ગયો,અને પાગલોની જેમ ચારો તરફ ફેલાયલા ઈંસાનોનાં સમંદરને ફેંદવાનું શરૂ કરી દીધું.
ત્રણ કલાક સુધી “સકીના _સકીના”ની બુમ પાડતાં આખી રાહત છાવણીમાં ફરતો રહ્યો.પરંતુ એને એની જુવાન અને એકની એક દીકરીની કોઇ ખબર ન મળી.ચારો તરફ એક ધમાલ જેવી મચેલી હતી.કોઇ પોતાનું બાળક શોધી રહ્યું હતું કોઇ મં,કોઇ પત્નિ,અને કોઇ બેટી.સિરાજુદ્દીન થાકીને એક તરફ બેસી ગયો, અને દિમાગ પર જરા જોર દઈને વિચારવા લાગ્યો કે સકીના એનાથી ક્યારે અને ક્યાં અલગ થઇ ગઇ.પરંતુ વિચારતાં વિચારતાં એનું દિમાગ સકીનાની માંની લાશ પર ચોંટી જતું, જેનાં બધાં આંતરડા બહાર નીકળેલા હતાં.એના આગળ એ કંઇ પણ વિચારી શકતો ન હતો.
સકીનાની માં મરી ચુકી હતી.એણે સિરાજુદ્દીનની આંખો સામે દમ તોડી દીધો હતો.પણ સકીના ક્યાં હતી,એના વિશે એની માંએ મરતાં પહેલાં કહ્યું હતું.”મને છોડી દો અને સકીનાને લઇને જલ્દી અહીંથી ભાગી જાઓ.” સકીના એની સાથેજ તો હતી.બન્ને ઉઘાડા પગે ભાગી રહ્યાં હતા.સકીનાનો દુપટ્ટો નીચે પડી ગયો,એને ઉઠાવાવા એ થોભવા માંગતો હતો ,સકીનાએ બરાડા પાડી કહ્યું”અબ્બાજી એને છોડી દો,પરંતુ એણે દુપટ્ટો ઉઠાવી લીધેલો…એ વિચારતાં એણે એના કોટના ઉભરી આવેલા ખિસ્સા તરફ જોયું,એમાં હાથ નાંખીને એણે એક કપડું બહાર કાઢ્યું,એ સકીનાનોજ દુપટ્ટો હતો.પણ સકીના ક્યાં છે?
સરાજુદ્દીને પોતાના ઠકાવટ ભરેલ દિમાગ પર ઘણું જોર દીધું પણ તે નિર્ણય પર પહોંચી નહીં શક્યો.શું એ સકીનાને સ્ટેશન સુધી લઈ આવ્યો હતો? શું તે એની સાથે ગાડીમાં સવાર હતી?રસ્તામાં ગાડી રોકવામાં આવી હતી અને દંગાખોરો અંદર ઘુસી આવ્યા હતા,ત્યરે એ શું બેહોશ થઇ ગયો હતો જેથી તેઓ સકીનાને ઉઠાવીને લઇ ગયા?
સિરાજુદ્દીન ના દિમાગમાં પ્રશ્નોની ભરમાર હતી,ઉત્તરો કોઇ ન હતા.એને હમદર્દીની જરુરત હતી,પણ ચારો તરફ જેટલા માણસો ફસાયલા હતા બધાને હમદર્દીની જરુરત હતી.સિરાજુદ્દીનને રડવાનું મન થયું,પરંતો આંખોએ એને સાથ ન આપ્યો.અશ્રુઓ ન જાણે કયાં ગાયબ થઇ ગયા હતાં.
છ દિવસ પછી જ્યારે હોશ કંઇ ઠેકાણે આવ્યા ત્યારે સિરાજુદ્દીન તે લોકોને મળ્યો જે એની મદદ કરવા તૈયાર હતા.આઠ નવજુવાનો હતા,જેમની પાંસે લાઠીઓ અને બંદુકો હતી.સરાજુદ્દેને એમને લાખો દૂઆઓ દીધી અને સકીનાની ઓળખ બતાવી.”ગોરો વાન છે ,ઘણીજ ખુબસુરત છે.મારા પર નહીં એ એની માં પડી હતી.ઉમર સત્તર વરસ જેટલી છે.આંખો મોટી છે.વળ કાળા,જમણા ગાલ પર મોટો તલ છે.મારી એકની એક દીકરી છે. શોધી આપો,ખુદા તમારું ભલું કરશે.
સમાજ સેવક યુવાનોએ એમને દિલાસો આપ્યોકે જો આપની દીકરી જિવિત હશે તો થોડા સમયમાં તમારી પાંસે આવી પહોંચશે.
આઠે નવજુવાનોએ પ્રયત્ન આદર્યો.પોતાનાં જીવના જોખમે અમૃતસર પહોંચ્યા.ઘણા પુરુષો અને ઘણાં બાળકોને એમણે શોધી શોધી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા, દસ દિવસ વીતી ગયા,પણ સકીનાનો પત્તો લાગ્યો નહીં.એક દિવસ આજ સેવાના માટે મોટરથી અમૃતસર જઇ રહ્યા હતા ત્યાં સડકના કિનારે એક નહેર પાંસે એક છોકરી પર નજર પડી. મોટરનો અવાજ સંભળીને તે ગભરાઇ અને ભાગવા લાગી.સમાજ સેવકોએ મોટર રોકી અને બધાજ એની પાછળ દોડ્યા.એક ખેતરમા એમણે છોકરીને પકડી લીધી.જોયું ઘણી દેખવડી હતી.જમણા ગાલ પર મોટો મસ તલ હતો.એક છોકરાએ એને કહ્યું ઘબરાઓ નહીં _શું તમારું નામ સકીના છે? છોકરીનો રંગ આ સાંભળી વધુ પીળો થઇ ગયો.પણ જયારે બધાજ છોકરાઓ એ એને હિમંત અને દિલાસો આપ્યો તો એની ગભરામણ દૂર થઇ.અને એણે કબુલી લીધું કે તે સિરાજુદ્દીનની છોકરી સકીના છે.
આઠે નવજુવાનોએ સકીનાની બધી રીતે હમદર્દી દાખવી.એને ખાવાનું ખવડાવ્યું ,દૂધ પાયું અને મોટરમાં બેસાડી દીધી.એકે તેનો કૉટ ઉતારીને એને દીધો,કારણકે દુપટ્ટો ન હોવાને લીધે એ ઘણો સંકોચ અનુભવતી હતી.અને વારંવાર પોતાની છાતીને હાથથી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી.
કેટલાયે દિવસ વીતી ગયા છતાં સિરાજુદ્દીનને એની છોકરીની કંઇ ભાળ મળી નહિ.તે દિન ભર જૂદી જૂદી રાહત છવણી અને ઓફિસોનાં ચક્ક્ર્રો મારતો રહ્યો.,પરંતુ કયાંયે એની દીકરીનું પગેરું નમળ્યું.
રાતનાં મોડે સુધી પેલા સમાજ સેવકો જુવાનો માટે દૂઆઓ કરતો રહ્યો.,જેમણે દિલાસો આપ્યો હતો એમની દીકરી જો જિવિત હશે તો થોડા દિવસોમાં એને શોધીનાખશે. એક દિવસે રાહત છાવણીમાં સરજુદ્દીને પેલા સમાજ સેવકોને જોયા.મોટરમાં બેઠેલા હતા.સિરાજુદ્દીન દોડતા એમની પાંસે આવ્યો.મોટર ચાલવાની તૈયારીમાં હતી,કે એણે પૂછ્યું,”બેટા મારી સકીનાનો કંઇ પત્તો મળ્યો?
બધાએ એક સાથે જવાબ આપ્યો” મળી જશે, મળી જશે”અને મોટર મારી મૂકી.સરાજુદ્દીને ફરી એ નવજુવાનોની સફળતા માટે દૂઆઓ માંગી.અને એનું મન પણ થોડું હળવું થઇ ગયું.
એક સાંજે રાહત છાવણીમાં જયાં સિરાજુદ્દીન બેઠો હતો ત્યં કંઇ ગરબડ જેવી થઇ.ચાર માણસો કંઇ ઉંચકીને લાવી રહ્યા હતા.તપાસ કરતાં એને ખબર પડી કે એક છોકરી રેલ્વે લાઈન પર બેહોશ પડેલી હતી. લોકો એને ઉંચકીને લઇ આવ્યા છે.સિરાજુદ્દીન એની પાછળ થઇ ગયો.લોકોએ છોકરીને હોસ્પિટલ વાળાઓને સોંપી દીધી અને ચાલતી પકડી.
થોડી વાર એ એજ અવસ્થામાં હોસ્પિટલની બહાર એક લાકડાનનો થાંભલાને અડીને ઉભો રહ્યો.પછી ધીરે રહી અંદર ચાલ્યો ગયો. ઓરડામાં કોઇ ન હતું.એક સ્ટ્રેચર હતી જેનાં પર એક લાશ પડેલી હતી.સિરાજુદ્દીન ધીમે પગલે એની તરફ આગળ વધ્યો ઓરડામાં અચાનક પ્રકાશ થયો.સરાજુદ્દીને લાશના પીળા ચહેરા પર ચમકતો તલ જોયો,અને બરાડી ઉઠ્યો “સકીના”! ડોકટર જેણે ઓરડામાં રોશની કરી હતી ,સિરાજુદ્દીન ને પૂછ્યું ‘શું થયું?
સિરાજુદ્દીન ના ગળામાંથી ફકત એટલોજ અવાજ નીકળ્યો કે ‘” જી,જી, હું એનો બાપ છું” ડોકટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ તપાસી અને સિરાજુદ્દીનને કહ્યું” બારી ખોલી નાંખો” સકીનાનાં મૃત શરીરમાં ચેતના સ્ફુરી.મૃત પાય હાથોથી એણે ઈજારબંદ ખોલી નાંખ્યો,અને સલવાર નીચે સરકાવી દીધી. વૃધ્ધ સિરાજુદ્દીન ખુશી માં બરાડી ઉઠ્યો,,” જીવતી છે,મારી દીકરી જીવતી છે.”!
ડૉકટર માથાથી પગ સુધી પસીનામાં ડૂબી ગયો.
Posted in ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Short story | Tags: ટૂંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, વાર્તા, સઆદતહસન મંટો, SaadatHasanManto, Short story
મારા લિબાસમાં_બેફામ
Posted in કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

Posted in આસ્વાદ, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Aziz Taankarvi, કવિતા, ગઝલ, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, શાયરી, શેર, Gujarat Today, Gujarati Poetry, Shero shayri
Posted in ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, વાર્તા, Jay Gajjar


Posted in અછાંદસ, કવિતા, શાયરી, શેર, Gujarati Poetry | Tags: અછાંદસ, કવિતા, નઝમ, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
દર્દ વેચાય છે_જાવેદ અખ્તર
બુધ્ધને બદલે યુધ્ધ
લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,
એ કહેવાને કે
મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..
છતાં,બાગમાં
પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું
નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે
અને હું જીવું છું
હજી સૂંઘી શકું
છુંગુલાબો અને ગોબરની ગંધને
હજી ખાઇ શકું છું.
પ્રાથના કરી શકું છું.
ઊંઘી શકું છું.
પણ કયારે તોડી શકીશ
હું મારા દીર્ઘ મૌનને?
ક્યારે ઉચ્ચારી શકીશ_
હું પેલા અનુકત શબ્દોને,
જે મને ગુંગળાવી રહ્યા છે?
(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)
Posted in અછાંદસ, અનુવાદ, કવન, કવિતા, Gujarati Poetry | Tags: અછાંદસ, કાવ્ય, ઝોહરા નિગાહ, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri


Posted in અછાંદસ, ઈતર, કટાક્ષ, કવન, કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: અનુવાદ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Pablo Neruda


Posted in Article, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગદ્ય, ગુજરાતી શાયરી, પરિચય_જીવન*કવન, રૂબાઈ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, રૂસ્વા મઝલૂમી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Rusva Mazloomi, Shero shayri
કાયમ શંકાશીલ રહેતો
હું
મારી પત્નિના
ચારિત્ર્યનું માપ તો
તે જ દિવસે કાઢી શક્યો
જ્યરે તે
પોઇઝન લઇને
ચિર નિન્દ્રામાં પોઢી હતી
અને તેની લગોલગ
‘અમારી’બેબી
એજ ખાલી બોટલ વડે
આનંદથી રમતી હતી.
કાયમ શંકાશીલ રહેતો
હું
મારી પત્નિના
ચારિત્ર્યનું માપ તો
તે જ દિવસે કાઢી શક્યો
જ્યરે તે
પોઇઝન લઇને
ચિર નિન્દ્રામાં પોઢી હતી
અને તેની લગોલગ
‘અમારી’બેબી
એજ ખાલી બોટલ વડે
આનંદથી રમતી હતી.
દર બર્થ ડે વખતે
તેઓ કેક કાપવાનું વચન આપીને
પોસ્મોર્ટમ માટે આવેલું
શબ કાપતા હોય છે !!
કાકા છે
1-હઝલ
કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.
ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.
દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.
સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર કાકા છે.
તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.
ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.
નરી કટપીસની ફેરી નથી કંઇ ‘શોખચલ્લી’ની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.
__નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’
‘હઝલોત્સવ’
‘હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લી’સા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. ’હઝલ’ એટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’
વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લી’ એ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત ‘મુલ્લાં’હથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.
‘કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
’અકબર’ખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.
જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. ‘બઝમે વફા’ને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
સંપાદક
Posted in હઝલ | Tags: કાકા છે_નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’, હઝલ
Posted in કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વ્યંગ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, બાટલી છે ગામ_’મુલ્લાં’હથુરણી, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Hazhal, Shero shayri
બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વ્યંગ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, નઝમ, બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ), શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

ગોપીઓ ચાહે છે અખા ગામની_આઇ.ડી.બેકાર
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વ્યંગ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગોપીઓ ચાહે છે અખા ગામ, હઝલ, Bekar, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
ચાલને વરસાદમાં_ અનિલ ચાવડા
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Anil Chavda, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
હું કોઇની કચરા પેટી બની ગયો છું?-રામપ્રસાદ દવે
Posted in અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, રામપ્રસાદ દવે, શાયરી, શેર, હું કોઇની કચરા પેટી બ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ramprasad Dave

કવિના પરિચય માટે ‘બઝમે વફા’નાં નીચેના URL પર કલીક કરવા વિનંતી
http://bazmewafa.wordpress.com/2007/02/26/jigartankarviandhisgazhalas_jigartankarvi/
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, જિગર ટંકારવી, તરસવાની મઝા કઇં ઓર છે, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
મુંબઇ -.ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાંહું છેલ્લો છું
અને મારી આગળ કોઈ નથી..
“અને એક સાંજે હું ચાલ્યો જઈશધુમાડો પહેરીને…
ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…
ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં.
Posted in અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, નઝમ, પદ્ય, Gujarati Poetry | Tags: અછાંદસ, કવિતા, કાવ્ય, Chandrakant Baxi, Gujarati Kavita, Gujarati Poetry
પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી
નઝમ(મુસબ્બઅ)
Posted in કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Anjum Valodi, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પ્રથમ મુક્તિ જંગ_ અંજ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Nazam, Shero shayri

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને
_ નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.
રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મની ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.
શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.
તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.
ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.
એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.
(વૈભવ-8 )
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, નઝમ, પરમવીર ચક્ર વિજેતા, પરમવીર ચક્ર વિજેતા હ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, Shero shayri
મળ્યાં અમોને બાવડાં રણકારના વફા.
ફરશે પછી સર્પો બધા અંધકારના વફા.
છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા.
આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા.
એતો રમકડાં છે બધાં લાચારના વફા
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, News | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher, Shero shayri
કબ તલક જાલિમ બહેગા ખૂનકા દરિયા,
જાન લે તુજકો ભી ઈસમેં ડૂબ જાના હૈ.

કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)ની ધાર દાર કવિતા
એક વિદેશી રાષ્ટ્રનો નેતા,જેવો કે જોર્ડનનો રાજા,
આપાણા રષ્ટ્રપતિ કરાતાં સારૂં અંગ્રેજા બોલી શકતો હોય તો,શર્મિદગી ના અનુભશો,તમે અમિરિકાના નિવાસી છો.
જ્યારે એક પરણિત સ્ત્રી શિક્ષિકા પોતાની માધ્યમિક શાળાના પાંચ વિદ્યાથીઓ સાથે સેકસ માણી લે તો ,તેમને ભાગ્ય શાળી ન સમજતા,કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે એક માતા પોતાની 16 વર્ષની પુત્રીને તેણીના જન્મ દિન નિમિત્તે ,તેણીનાં સ્તન વૃધ્ધિકરણ માટે આર્થિક ભેટ આપે છે કે જેથી તે પુરુષ વર્ગ સામે વધુ આકર્ષક લાગે ,તો એ શહેર ને ખેર બાદ કહો, કારણકે તમે અમેરિકામાં રહો છો.
જયારે તમારા 34 ખલાસીઓ ને મોતનાં ઘાટે ઉતારી દેવામાં આવે,અને 172 ઘવાયલા હોય,અને એક 23 વર્ષીય બહાદુર શાંતિ ના ચળવળધારી ને એક વિદેશી મુલ્ક પોતાના લશ્કરી બુલડૉઝરથી કચડી નાંખે ,અને જાહેરમાં એનો આક્રોશ વ્યકત કરવાની કે પ્રતિકાર કરવાની અને જાહેરમાં એની તપાસનો_પ્રતિ શોધ ની ભીતિ વિના અધિકાર પણ નહોય, સાધુ ન બનો. કારણકે તમે અમેરિકામાં રહો છો
(અંગ્રેજીમાંથી અનુવાદ–બઝમ)
Mahmoud El-Yousseph (TSGT / USAF [Ret.]) lives in Ohio.
He can be reached at: el-yousseph6@yahoo.com

હુંદિલગીર છું
ટ્રૈન ગતિ પકડી ચુકી હતી. ખિચો ખિચ ભરેલી ટ્રેનમાં .કામદાર પુરુષો,સ્ત્રીઓ, કોલેજમાં ભણતા યુવાન છોકરા ,છોકરીઓની હાજરી હતી..બારી નજીક એક વૃધ્ધ બેઠા હતા..એમની સાથે ત્રીસેક વરસની ઉમર ધરાવતો એમનો પુત્ર હતો.પસાર થતી ટ્રેનમાંથી આ છોકરો બહારના કુદરતી દ્રશ્યોથી આનંદિત અને આવેશમય મુગ્ધતા અનુભવતો હતો.
એકા એક બોલી ઉઠ્યો.પપ્પા! જુઓ.પસાર થતા લીલા વૃક્ષોનાં દ્રશ્યો કેટલા ખુબસુરત લાગે છે.
30 વર્ષનાં એક માણસનું આ પ્રકારનું વર્તન લોકોમાં કુતૂહુલ અને આશ્ચર્ય પમાડતું હતું.
બધાજ કઇંક આ માણસ માટે બળબળાટ કરવા લાગ્યા .’આ માણસનું ખસી ગયેલું લાગે છે.’નવોદિત શાદીશુદા અનુપે એની પત્નિનાં કાનમાં કહ્યું..
અને અચાનક વરસાદ.શરુ થઇ ગયો.. ખુલી બારીમાંથી વરસાદના છાંટા મુસાફરો પર પડતા હતા..આ ત્રીસ વરસનો પુત્ર આનંદી ઉઠયો.પપ્પા જુઓને આ વરસાદ કેટલો આનંદ જનક છે.
અનુપની નવી નવેલી દુલ્હનનું નવું સૂટ આ પાણીનાં છાંટથી પલળતું હતું.
અનુપ બરાડી ઉઠયો.તમને દેખાતું નથી વરસાદ પડી રહ્યો છે,હે બુઢ્ઢા!જો તમારા છોકરાની તબિયત બરાબર ન હોય તો એને કોઇ .માંનસિક સારવારની હોસ્પિટલમાં દાખલ કરાવો.અને આરીતે નાહક લોકોને હેરાન ન કરો.
વૃધ્ધ માણસ થોડો ખંચકાયો.પછી એણે ધીમા અવાજે કહ્યું: અમે હોસ્પિટલથીજ આવી રહ્યા છીએં. આ છોકરો જનમથી આંધળો હતો.છેલ્લા આથાવાડિયેજ એને આંખો મળી છે..આ વર્ષા અને પ્રાકુતિક સૌંદર્ય એના માટે તદ્દન નવી ચીજ છે. આપ લોકોને જે તકલીફ થઇ તે બદલ હુંદિલગીર છું.
(રજુઆત: આસીફ કુરેશી,ઝૈન.,ફરહાનાઅને જેનબ તરફથી આ કથની અંગ્રેજીમાં ઈ-મેલથી મોકલવામાં આવી છે.’બઝમે વફા’ એમના આભર સહિત અનુવાદ પ્રસતુતકરે છે).
Posted in વાર્તા | Tags: વાર્તા, હું દિલગીર છું, Story

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા
આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.
ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ
રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.
શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.
તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.
બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.
લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.
આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.
સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, શ્વાસો ખૂટી ગયા***ભગવ

બુલ બુલોંકો ગુલ મુબારક—ગુલકો ચમન મુબારક
હમ બે કસોં કો અપના પ્યારાવતન મુબારક
જન્નત જગતમાં હોય તો
’ફૈઝી’ તે ફકત છે અહીં
યે વાદીએ કશ્મીર હૈ જન્નતકા નઝારા
યા
ચીનારોમેં લગી આગ
આનંદો,નીચેનું URL કલીક કરો.
http://kashmirgroup.com/media/koa.swf
Posted in ગઝલ | Tags: ઇતર, યે વાદીએ કશ્મીર હૈ, Valley of Kashmor



(બોલ્ટન-યુ.કે.ના ત્રિભાષી મુશાયરામાં પોતાની ઉર્દૂ,ગુજરાતી રચના રજુ કરી રહેલ મુહમ્મદઅલી વફા .જમણી બાજુએ સિરાજભાઇ અને યાકુબભાઇ’મ્હેક’દ્ર્શ્યમાન છે. ફોટો- શ્રી દિલીપભાઇ ગજર)
ગ્રેટ બ્રિટન નો ભવ્ય ત્રિભાષી મુશાયરો—બઝ્મ
તારીખ :19મી ઓકટોબર 2008નાં રોજ બોલ્ટન (યુ.કે)માં એક ભવ્ય ત્રિભાષી(ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજી)મુશાયરો ,બોલ્ટન મુસ્લિમ કોમ્યુનિટી સેંટર- માં યોજાયો.જેમાં ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજીના 35 જેટલા કવિ,કવિયત્રીઓએ ભાગ લીધો(અંગ્રેજીના આશરે 15 જેમાં આઠ જેટલા 8થી13 વર્ષ ધરાવતા વિદ્યાર્થી કવિઓ,ચાર ઉર્દૂ કવિઓ અને 22 જેટલા ગુજરાતી કવિઓ)હતો.
મુશાયેરાની શરુઆત ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના પ્રમુખ પ્રોફેસર મ્હેક ટંકારવીના છટાદાર અંગ્રેજી સંબોધન સાથે થઈ હતી.
તે પછી ગિલ્ડનાં જનરલ સેક્રેટરી જનાબ સિરાજ પટેલના કાવ્ય સંગ્રહ ‘લંડન થી સ્નેહ સભર સોગાત’નું વિમોચન બોલ્ટન યુનિ.યુ.કે.ના ક્રીએટીવ રાઈટીંગસ અને આર્ટસ ના સીનિયર લેકચરર અને મુશાયરાના ગેસ્ટ ઓફ ઓનર મી.માર્ટીન થોમસન ના વરદ હસ્તે થયું હતું.
જનાબ સિરાજભાઇની સાહિત્યિક અને સામાજીક સેવાઓને વિવિધ કવિઓ અને લેખકો તરફથી ખૂબ બિરદાવવામાં આવી હતી.
મુશાયરાની શરૂઆત અંગ્રેજીમાં ભાઇ જનાબ ઇમતિયાઝ પટેલનાં કુશળ અને કાબિલે દાદ સંચાલનમાં થઇ હતી.પોતાના સંચાલના વકતવ્યમાં સમયની તંગીને ધ્યાનમાં રાખી પોતે ઓછું પણ પ્રભાવ શાળી બોલી કવિઓને મુખ્ય સમય આપ્યો હતો.બાળ કવિઓએ પોતાનાં કાવ્યોમાં બ્રિટન અમારું જન્મ સ્થળ અને વતન છે ,તે વિષયને આવરી લઇ,સુંદર અંગ્રેજી કવિતાઓ રજુ કરી
ખૂબ દાદ મેળવી હતી.
અંગ્રેજી કવિઓમાં ગેમા ઓ’નીલ,સીન કવાનાઘ,માર્ગ્રેટ થોર્નલી,જુલિયન જોર્ડન,ડેરેન થોમસ અને અન્ય ઘણા પ્રભાવશાળી રહ્યા હતા.
અંગ્રેજીનો દોર પૂરો થતાં ઉર્દૂ શાયરોએ રમઝટ બોલાવી.ભારતથી પધારેલા ડૉ.શકુર,પાકિસ્તાનથી પધારેલ સલીમ અખ્તર ,સાબિર રઝા અને ટોરોંટો,કેનેડા નિવાસી મુહમ્મદાઅલી વફા એ પોતાની ગઝલો રજુ કરી સભામાં રંગીની ફેલાવી હતી.
તે પછી ગુજરાતી ગઝલના શિરોમણી રણકો અને ટંકારના કવિ અને સૌમ્ય વિવેચક ડૉ.અદમ ટંકારવીએ સંચાલન હાથમાં લઈ માતૃ ભાષા ગુજરાતીની મીઠાશને ઘોળી અને એની મોગર મ્હેકને ફેલાવી.કવિઓની સંખ્યા આનંદ જનક હોય દરેક કવિને એકજ રચના સમજુતિ આપ્યા વિણ સંભળાવવાની હતી.આથી બધા કવિઓએ સંપૂર્ણ તૈયારી સાથે પોતાની એક એક રચના દબ દબા ભેર સંભળાવી હતી.સુફી મનુબરીએ હાસ્ય રસની છોળો ઉછાળી,રમૂજનું રમખાણ સર્જયું.ડૉ.અદમ ટંકારવીની કુનેહ ભરેલ સમતોલ સંચાલને મુશાયરાને ચાર ચાંદ લગાવી દીધા.સિરાજ ભાઇ,હારૂન ભાઇ,શબ્બીર કાજી,દિલીપ ગજ્જર,પ્રેમી,દાજીૢપથિકતેમજ બ્રિટનાં ખુને ખુણેથી આવેલા ગરવા ગુર્જર કવિઓ બધા ખૂબ જામ્યા. પ્રો.મ્હેક ટંકારવીએ પોતાની આગવી છટાથી તસવ્વુફી ગઝલ તરન્નુમથી ગુંજાવી.અહદભાઇ ગુલ(ઓ.બી.ઈ)પોતાની ધીર ગંભીર અને ધારદાર શૈલીમાં પોતાની ધીર ગંભીર અને ઉંડાણ સભર ગઝલ રજુ કરી બધાને મુગ્ધ કરી.દીધા.
ડો.અદમ ટંકારવીનું તો પુછવુંજ શુ ?ગઝલને રમાડી,ઉછાળી,હૈયા સરસી ચાંપી અને ચંપાવી.
સમય બધાનેજ ઓછો પડયો.પણ સાંજના છ વાગ્યે શારૂ થયેલ આ કાર્યક્ર્મ રાતના અગિયાર વાગ્યે પણ સમાપન માટે તૈયાર ન હોતો.પરંતુ સમાપન કરવું પડ્યું.
કોમ્યુનીટી હૉલ અતિશ્યોકતિ વગર ચિકાર ભરેલો હતો. બે ત્રણ ડઝન માણસોએ બેસવાની જગ્યા ન મળતાં સતત ઉભા રહી કાર્યક્રમ માણયો.અને ગિલ્ડે આવતા વર્ષે બ્લેકબર્નમાં મોટા હૉલમાં કર્યક્રમ યોજવાની જાહેરાત કરી.
આવા ભવ્ય અને રોમાંચકા ત્રિભાષી મુશાયરો યોજવા બદલ ગિલ્ડને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા છે.
મુશાયરામાં રજુ થયેલ અંગ્રેજી કાવ્યની કેટલીક કાવ્ય કણિકાઓ:
Dad’s ladder_Lynda Brooks
I have dad’s ladders now
Thou they are not used much
They are indispensable
Any time I like I can run
A finger over the past
Why can’t __ julian Jordan
Why can’t we all be just nice?
I don’t like pornography, it’s rude
Or people who talk through their food
Those who don’t wipe their feet
Men who spit in the street
Or next to old ladies,talk crude
Oh! Why can’t we all be just nice?
Yes,
Why can’t we all be just nice?
So the world could be happy and free
We would all be o.k.
For ever and a day
If you could all just be nice _like me
My grand ma__Gemmaa O’neil
My grandma painted her eyes brows on
And lived in a palace full of gold
She had turret like Rapunzel
And maybe a horse and carriage
Un marked grave by a tree— sean kavanagh
Burry me in Pennien earth
Beneath a line of loam
Reclining in a cardboard box
Until my bones grow cold and old
Sabrina Patel Age:12
My country is Great Britain
Filled with cute little kittens
We are all friends here ,not a single foe
so come and join us ,is it yes or no?
અકબર ઇલાહાબાદી અને રાજા મહેદી અલી ખાન,હાસ્ય અને અશ્રુના શાયર —- શેખાદમ આબુવાલા
હાસ્ય કે અશ્રુ ગમે એ હોય ,સહજતા અને સ્વાભાવિકતા વિના તે વીલાં અને શુષ્ક લાગવાના…..સહજતા અને ઉતકટતા વગર કોઇ પણ રસ જામી શકતા નથી…..
જૉન ઓલ્ડટાઈમર ,કોમેડિયન બસ્ટર કીટન,ચાર્લી ચેપ્લીનની જેમ પોતે કદી પોતાના હોઠ પર હાસ્ય ફરકવા દેતા નો’તા.તેમ મિર્ઝા ગાલિબ કે મિર્ઝા સોદા જેવા ગંભીર શાયરોના માનસિક વલણમાં જે વિનોદ હતાં તે તો બે ઘડી ગમે તે હાસ્યકારને હસાવતો બંધ કરી દે.
તેથી જુદી જુદી રીતે , શાયરો હાસ્ય,વ્યંગ,કટાક્ષ અને વિનોદ માટે સુવિખ્યાત હતા તેમણે એક રીતે કે બીજી રીતે અત્યંત ગંભીર અને અશ્રુ ભીની રચનાઓ પણ કરી હતી.તે પછી ફોર્મ્યુલા તરીકે કે પછી પ્રમાણિક સંવેદનના આવેશને વશ થઇને…
આ વિષયમાં મને ઉદાહરણ તુર્ત યાદ આવી રહ્યા છે.
એક તો રાજા મહેદી અલી ખાનાને બીજા સૈયદ અકબર હુસેન ‘અકબર’. અકબર ઇલાહાબાદી તરીકે અત્યંત જાણીતા.
રાજા મહેદી અલીખાને હાસ્યથી સભર અને તરબતર કાવ્યોજ લખ્યાં છે એમનો પહેલો કાવ્ય સંગ્રહ ‘મિઝરાબ’હજી લગી એટલોજ મજબૂત છે.રાજાના હાસ્ય કાવ્યો,વિનોદી કલ્પના તરંગોએ ઉર્દૂ ભાષાને ભારે ગમ્મત પૂરી પાડી છે.એજ રાજા મહેદી અલીખાને ફિલ્મમાં જે કંઇ લખ્યું એમાં હળવું નામનુંજ છે.જે છે તે અત્યંત ગંભીર અને અશ્રુભીનું વધું છે.જેમ કે….
* મેરા સુંદર સપના બીત ગયા
* શહીદ હો તો વતનકી રાહમેં શહીદ હો
* આપ ક્યું રોયે?
* તુ જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા
વિગેરે વિગેરે…..
મદનમોહન જેવા અદભુત સંગીત કારોનો રાજા પ્રિય કવિ હતો.
એ રીતે નહીં ,પણ અપોતાના મિજાજના રંગ ઢંગ અનુસરીને અકબર ઇલાહાબાદીએ જે કંઇ ગંભીર લખ્યું છેતે હજી એમના મૃત્યુના સાઠ વરસ પછી પન દરેક રીતે મજબૂત અને માતબર છે.
કે.એલ.સાયગલે ગાયેલી પેલી ગઝલ કોને યાદ નહીં હોય
દુનિયામેં હું દુનિયાકા તલબ ગાર નહીં હું
બાઝારસે ગુજરા હું ખરીદર નહીં હું
આ ગઝલ દાર્શનિક અના શક્તિએ રંગાયેલી ગહન વૈચારિક ઉદધિમાં તરતી—ડૂબકી મારતી ઉર્દૂ હાસ્ય કવિતાના શિરોમોર એવા શાયર અકબર ઇલાહાબાદીએ લખેલી છે..
એ ગઝલનાં ઈજા શેર પણ એજ પ્રતિભાવ પેદા કરે છે.
ઝિન્દા હું મગર ઝિસ્તકી લઝ્ઝત નહીં બાકી
હર ચંદકે હું હોશમેં હુંશિયાર નહીં હું
ઇસ ખાન-એ-હસ્તીસે ગુઝર જાઉંગા બે લોસ
સાયા હું ,ફકત નકશ બ દિવાર નહીં હું.
જોકે અકબર ઇલાહાબાદીની શાયરીમાં તમને તગઝ્ઝુલ(ગઝલનું તત્વ અને સત્વ)મળશે.ઉર્દૂ ભાષાની ચમક દમક પણ મળશે.વિશયોનું વૈવિધ્યતો કાગ ગોરાથી માંડીને મહાત્મા ગાંધી સુધી વિસ્તરેલું મળશે…
એની શાયરીમાં જે કૌવત છે તે બે મિસાલ છેીના કલામમાં સામાજિકાૢરાજકિયૢસાંસ્કૃતિક શૈક્ષણિક તેમજ મનૂષ્ય જીવનને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતો શેર મળશે.અકબરનું હાસ્ય એના અશ્રુ જેવુંજ માતબર અને મજબૂત છે.
એની ગઝલમાં અશ્રુ ભીની ગંભીરની નદી દદ્અ દડ વહેતી હોય ત્યારે તેના વચ્ચે હાસ્યની ભેખડોયે વચ્ચે આવી જવાની.
જેમકે:
દિલ મેર જિસસે બહલતા કોઇ ઐસા ન મિલા
બુત કે બન્દે મિલે અલાહકા બન્દા ન મિલા
સૈયદ ઉઠ્ઠે જો ગેઝટ લેકે તો લાખો લાએ
શેખ કુરઆન દિખાએ ફિર પૈસ ન મિલા
એક ગઝલમાં તો અકબર તે જમાનાના (આજનાય કહી શકાય તેવો)એક પ્રશ્ન યાદ આવી જાય છે.
યહાંકી અઓરતોંકો ઇસ્મકી પરવાહ નહીં બેશકા
મગર શોહરોંસે અપની બે પરવા નહીં હોતી
અને અકબર ઇલાહાબાદીનો આ શેર તો આજે પણ સવા શેર જેવો છે.
હમ આહ ભીં કરતેં હૈ તો હો જાતે હૈ બદનામ
વો કત્લભી કરતેં હૈં તો ચર્ચા નહીં હોતા
અમે એક નિસાસો નાંખીએ તો આખી દુનિયામાં બદનામ થઇ જઇઈં- અને એ (માશૂક,યાર,પ્રિયતમા)કોઇની હત્યા કરી નાંખે છે તો કોઇ પરવા કરતું નથી..
અકબર ઇલાહાબાદી જરાફત(વિનોદ વૃત્તિ) કે આયનેમે:
રક્સ કરના હૈ તો ફિર પાઁવ કી જ઼ંજીર નદેખ
કૌમકે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ
-‘હર શાયર અપનેહાલાત સે મુતાસ્સિર હોકર જબ અપની સોચ ઔર અપની ફિક્ર કો અલ્ફાજ કા જામા પહનાતા હૈ તોવો તમામ હાલાત ઉસકે કલામ મેં ભી નુમાયાઁ હોને લગતે હૈં। 1857 કે ઇંકિલાબ કે બાદ જોહાલાત હિન્દુસ્તાન મેં રૂનૂમા હુએ ઉનસે ઉસ દૌર કા હર શાયર મુતાસ્સિર હુઆ। અકબરઇલાહાબાદી ને ઉન હાલાત કા કુછ જ્યાદા હી અસર લિયા।અપને મુલ્ક ઔર અપની તહજીબસે ઉન્હેં ગહરા લગાવ થા। વો ખુદ અંગ્રેજી પઢે-લિખે થે ઔર અંગ્રેજોં કી નૌકરી ભીકરતે થે। લેકિન ઇંગ્લિશ તહજીબ કો પસન્દ નહીં કરતે થે। ઉન્હેં ઐસા મહસૂસ હોને લગા થાકિ અંગ્રેજ ધીરે-ધીરે હમારી જુબાન હમારી તહજીબ ઔર હમારે મજહબી રુઝાનાત કો ગુમ કરદેના ચાહતે હૈં।ઇંગ્લિશ કલ્ચર કી મુખાલિફત કા ઉન્હોંને એક અનોખા તરીકાનિકાલા। મુખાલિફત કી સારી બાતેં ઉન્હોંને જરાફત કે અન્દાજ મેં કહીં। ઉનકી બાતેંબજાહિર હંસી-મજાક કી બાતેં હોતી થીં લેકિન ગૌર કરને પર દિલ-ઓ-દમાગ઼ પર ગહરી ચોટ ભીકરતી થીં।‘
કૌમ કે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ
રંજ લીડર કો બહુત હૈં મગર આરામ કે સાથ
ચાર દિન કી જિન્દગી હૈ કોફ્ત સેક્યા ફાએદા
ખા ડબલ રોટી, કલર્કી કર, ખ઼ુશી સે ફૂલ જા
શૌક-એ-લૈલા-એ-સિવિલસર્વિસ ને ઇસ મજનૂન કો
ઇતના દૌડાયા લંગોટી કર દિયા પતલૂન કો
અજીજાન-એ-વતન કો પહલે હી સે દેતા હૂઁ નોટિસ
ચુરટ ઔર ચાય કી આમદ હૈ, હુક્કા પાન જાતા હૈ
કાઇમ યહી બૂટ ઔર મોજા રખિએ
દિલ કો મુશતાક-એ-મિસડિસોજા રખિએ
રકીબોં ને રપટ લિખવાઈ હૈ જા જા કે થાને મેં
કિ અકબર નામલેતા હૈ ખુદા કા ઇસ જમાને
મેંમજહબ ને પુકારા ઐ અકબર અલ્લાહ નહીં તો કુછ ભીનહીં
યારોં ને કહા યે કૌલ ગલત, તન્ખવાહ નહીં તો કુછ ભી નહી
હમ ઐસી કુલકિતાબેં કાબિલ-એ-જ઼બ્તી સમઝતે હૈં
કિ જિનકો પઢ કે બેટે બાપ કો ખબ્તી સમઝતે હૈં
શેખ જી ઘર સે ન નિકલે ઔર મુઝસે કહ દિયા
આપ બી.એ. પાસ હૈં તો બન્દાબી.બી. પાસ
હૈતહજીબ-એ-મગરબી મેં હૈ બોસા તલક મુઆફ
ઇસસે આગે બઢે તોશરારત કી બાત
હૈજમાના કહ રહા હૈ સબ સે ફિર જા
ન મસ્જિદ જા, ન મન્દિરજા, ન ગિરજા
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, નઝમ, માહિતી, માહિતી લેખ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેખાદમ આબુવાલા, શેર, Shekhadam Abuwala
ચમત્કાર—સઆદતહસન મંટો
(લઘુ કથા)
લૂટાયેલો માલ પાછો હસ્તગત કરવા પોલીસોએ છાપા મારવાની કાર્યવાહી શરુ કરી દીધી.ડરના માર્યા લોકો લૂટેલો માલ રાતના અંધારામાં બહાર ફેંકવા લાગ્યા.કેટલાક માણસો એવા પણ હતા , જેમણે પોતાનો માલ પણ તક મળતાં વગે કરી દેધો,જેથી કાનુની સંકજાથી બચેલા રહે.
એક માણસને ઘણી અડચણ ઉભી થઇ.એની પાંસે ખાડની બે ગુણો પડેલી હતી,જે એણે કણિયારાવાળાની દુકાનમંથી લૂંટેલી.એક ગુણને તો મહા મુશ્કેલીએ પાસે વાળા કુવમાં પધરાવી આવ્યો.જ્યારે બીજી ફેંકવા ગયો ત્યારે પોતે પણ કુવામં હડસેલાઇ ગયો.
શોર બકોર સાંભળીને લોકો ભેગા થયા.કુવામાં દોરડુ નાંખવામાં આવ્યું.જુવાન માણસો નીચે કુવામા ઉતર્યા,અને તે માણસને બહાર કાઢવામાં આવ્યો.પરંતુ તે થોડા કલાક પછી તે મૃત્યુ પામ્યો.બીજે દિવસે જ્યારે લોકોએ પોતાના ઉપયોગમાં લેવા માટે કુવમાંથી પાણી કાઢ્યું તો પાણી મીઠું હતું.
તેજ રાત્રે તે માણસની કબર ઉપર દીવાઓ સળગી રહ્યા હતા.
Posted in ગદ્ય, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Short story | Tags: કવિતા, ગઝલ, ચમત્કાર—સઆદતહસન મંટ, નવલિકા, લઘુ કથા, વાર્તા
આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર
ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક ‘સૂર્ય’ અસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર ‘સૂર્ય’ નથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર ‘સૂર્ય’ અંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…
દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ
‘‘‘
ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં
‘‘‘
સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં
‘‘‘
પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…
કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી
‘‘‘
મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ
‘‘‘
લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!
‘‘‘
પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!
‘‘‘
સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!
‘‘‘
ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!
‘‘‘
તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?
‘‘‘
એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!
‘‘‘
શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળે’ ગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? ન મળે.) મારું પુસ્તક ‘આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ પ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ‘ગઝલગૂર્જરી’માં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!
એમના શેરથી વિરમીએ?
‘મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!’
(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)
Posted in પરિચય_જીવન*કવન | Tags: Adil Mansuri, આદિલ મન્સૂરી: એક સૂર્, પરિચય_જીવન*કવન, Nirmish Thakar

अब तुम्हारे हवाले वतन साथियों
सांस थमती गई, नब्ज जमती गई
फिर भी बढते कदम को न रुकने दिया
कट गए सर हमारे तो कुछ गम नहीं
सर हिमालय का हमने न झुकने दिया
मरते-मरते रहा बांकपन साथियों
जिन्दा रहने के मौसम बहुत हैं मगर
जान देने की रुत रोज आती नहीं
हुस्न और इश्क दोनों का रुसवा करें
वह जवानी जो खूं में नहाती नहीं
आज धरती बनी हैं दुल्हन साथियों
राह कुरबानियों की न वीरान हों
तुम सजाते ही रहना नए काफले
फतह का जश्न इस जश्न के बाद हैं
जिन्दगी मौत से मिल रही हैं गले
बांध लो अपने सिर से कफन साथियों
खेंच दो अपने खून से जमीन पर लकीर
इस तरफ आने पाये न रावण कोई
तोड दो हाथ अगर हाथ उठने लगे
छूने न पाये सीता का दामन कोई
राम ही तुम, तुम ही लक्ष्मण साथियों
કૈફી આઝમી___શબાના આઝમી
(અબ્બાકી કાહાની બેટી કી જબાની.)
કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો ‘આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહ’ કરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ
વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ‘ડૈડી’ યા ‘પાપા’ કે બજાય ‘અબ્બા’ થે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ ‘બિજ઼નેસ’ કરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !
બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો ‘પેરેન્ટ્સ ડે’ પર સ્કૂલ આતે હૈં એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ
અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ
હમારે ઘર કા માહૌલ બિલ્કુલ ‘બોહિમિયન’ થા નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે ‘રેડ ફ્લૈગ હૉલ’ મેં રહતી થી હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા બાથરૂમ વગૈરહ તો કૉમન થા પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી
મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ ‘અલાઉન્સ’ દેતી થી ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા ‘પગલી’ કી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ ‘પગલી’ કે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો ‘બેસ્ટ એકટ્રૈસ’ કા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ‘ક્યૂજ઼’ દેતે હૈં
મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શારોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ) યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-‘કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ ‘દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ’ ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-‘પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-‘યે ઝૂઠ હૈ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી’ મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં
અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ‘ફ઼િરાક઼’ ઔર ફૈજ઼’ ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા…. કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓ’ યા ‘બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ’ હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ
ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-‘ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં
મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી મમ્મી ને ધીરે સે કહા કિ ‘કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા’ ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ‘ડેડલાઇન’ સર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ
મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં લિખતે વક્ત ઉનકી ‘સ્ટડી’ કા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ
વો લિખતે સિર્ફ ‘માઉન્ડ બ્લાન્ક’ ક઼લમ સે હૈં ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે ‘માઉન્ડ બ્લાન્ક’ દિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા
યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ ‘અપ્રૈલ ફ઼ૂલ’ બના દેતે હૈં હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર ‘અપ્રૈલ ફૂલ’ બના દેતે હૈં કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્ત’ સેન્સ ઑફ હ્યૂમર’ ભી હૈ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ
એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-‘એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે’ ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-‘ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી’
અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ
અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં
જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ
મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ ‘રેડ ફ઼્લૈગ હૉલ’ મેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-‘બેસ્ટ ઑફ લક, કૉમરેડ’
મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા મૈં અબ્બા કે કમરે મેં ગઈ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા
બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ વો ‘મકાન’ વો ‘ઔરત’ હો યા ‘બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ
Posted in કવિતા, ગઝલ, નઝમ, પરિચય_જીવન*કવન | Tags: કૈફી આઝમી___શબાના આઝમ
પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી
નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો
સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.
પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર
હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે
હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ
નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું
સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રે’છે
અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.
સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,
એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,
પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે
અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.
વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા
સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?
બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું
અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.
ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો
ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું
કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે
કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું
.
નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,
હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા
જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી
રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.
કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,
હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ
જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર
ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.
વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?
પછી તું કોઇ ‘દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે
પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે
વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.
અને જોઇન લે કોઇ છબી નયનોની એ માટે
વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે
અને એ બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ
જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે
.

Posted in કવિતા, ગઝલ | Tags: Gujarati Poetry
પા પા પગલે__ બાબુભાઈ પટેલ
પા પા પગલે ચાલી ચાલી,
કાલુ કાલુ બોલી બોલી,
કહેવું છે દિલ ખોલી ખોલી.
આ બક બક કરતા બાલિશ શબ્દો
સાંભળશો કે……..
ખુબ ખુબ કહેવું છે
મારા નાનકડા મનડાએ આજે.
આ તોતડીયા
ગૂંગળાતા શબ્દો
સાંભળશો કે………
અકળ દેશથી આવી આજે
ભૂલો પડ્યો ભવસાગર વાટે.
આ આકુળ વ્યાકુળ ઊછળતા
ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો
સાંભળશો કે………..
પા પા પગલે ચાલી ચાલી,
બોલું છું હું તોલી તોલી,
કહેવું છે દિલ ખોલી ખોલી
આ નાદાનીના બાલિશ શબ્દો
સાંભળશો કે………
ઇસ્લામ અને મોબાઈલ

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકા ‘મોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.
‘મોબાઈલના મસાઈલ’ અર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.
મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.
મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.
ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.
જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.
રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.
મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.
મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.
મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.
મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.
કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.
મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.
મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.
મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.
મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.
http://mehboobdesai.blogspot.com/
http://mehboobudesai.wordpress.com/

Azan of Grand Mosque Makkah Click pl.
Tawafe Qabah and Talbiya(Labbaik)Click pl.
હજ યાત્રાનો મહિમા અને તેની મહત્વતા-કાસિમ અબ્બાસ





Posted in માહિતી લેખ | Tags: ---- કાસિબ અબ્બાસ, માહિતી લેખ, હજ યાત્રાનો મહિમા અન
ગઝલની તકતી1— બઝમ
ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.
આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે આછોકર રમત શા માટે ?
અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.
ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને તાડ પર ચઢાવે છે.
આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .
જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.
લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા
અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો
કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)
એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.
ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:
કદાચ એને ખબર નહોય
લગાલ ગાગા લલલ લગાલ ૢ પહેલા મિસરાની તકતી
કેટલી દુરંદેશીતા એના માટે વિચારાય છે.
ગાલગા લગાગાગા ગાગા ગાગા લગાગલગા ૢબીજા મીસરાની તકતી
Posted in છંદ*પિંગળ શાસ્ત્ર | Tags: ગઝલની તકતી1--- બઝમ, છંદ*પિંગળ શાસ્ત્ર
મુકતક
થયું વિખવાદથી નુકસાન તે સમજાય તો સારું
’કદમ’જે હોય છે મતભેદ એ વિસરાય તો સારું
સમયની માંગ સમજી ભેદભાવો મિટાવી દો;
પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
લખેલું ભીંત પર છે તે—કદમ ટંકારવી
ઘણી છે કીમતી થાપણ અહીં સચવાય તો સારું
લપસણી છે પેઢી નવી જળવાય તો સારું.
નફાખોરી વટાવે હદ હવે તો મોંઘવારી પણ
હવે તો દાળ, ચોખા, તેલ, સસ્તું થાય તો સારું.
કરે જાપાન એવી શોધ ચાલે કાર પણીથી
હવે ‘ફ્યુએલ’ બીજું અવનવું શોધાય તો સારું.
સિતમ પોતે કરે તો પણ ઠરાવે અન્યને દોષિત
જગતથી બેવડું ધોરણ હવે બદલાય તો સારું.
જુલમ જે આચરે ચે તે ‘કદમ’ ફાવી નહીં શકશે
લખેલું ભીત પર છે તે હવે વંચાય તો સારું.
(ભવ્ય ત્રિભાષી મુશાયરો —સ્મરણિકા)
Bolton U.K..Sunday 19Octo.2008
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, લખેલું ભીંત પર છે તે—

અમે હેલીના માણસ…સુરેશ દલાલ
શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી
આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.
ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:
મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો
શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : ‘પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.’ તો હરીન્દ્ર દવેની પંકિત છે: ‘જયાં ચરણ રુકે ત્યાં કાશી.’ વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.
વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ ‘સાદગી’ રાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.
અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.
(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)
Posted in કવિતા, ગઝલ | Tags: Shero shayri



(શ્રી ઘનશ્યામ ઠક્કર ના સૌજન્યથી)
Posted in ગઝલ, લેખ | Tags: અલવિદા આદિલ મન્સૂરી--, લેખ

કોણ છે? આદિલ મન્સૂરી
કોણ છે?
આ ચાર દીવાલોની અંદર કોણ છે?
કોના કાળા હાથો
દીવાલોનાં બાહર નીક્ળયા છે.
કોના પીળા દાંતો
છત પર ચાલી રહ્યા છે
કોનું ખાલી માથું
હવામાં તરી રહ્યું છે
કોની આંખો ફર્શ પર લપસી રહી છે
કોનું નીલ વર્ણ રકત
બિસ્તરામાં પડયું પડ્યું બરાડી રહ્યું છે
કોના જંગલી અટ્ટ હાસ્યથી
બંધ ઓરડો ગુંજી રહ્યો છે
કોણ છે?
આ ચાર દીવાલોની ભીતર કોણ છે ?
કોણ છે?
(હશ્રકી સુબ્હ દરખશાં હો !ઉર્દૂપૃ.175ના સૌજન્યથી.અનુ.વફા)

સ્પેલિંગ ‘લવ’ નો— નિર્મિશ ઠાકર

Posted in ગઝલ, હઝલ | Tags: ગઝલ, સ્પેલિંગ ‘લવ’ નો--- નિર્મિશ ઠાહર, હઝલ, Gujarati Poetry, NirnishThaker, poem

બીજાઓને શેર, શાયરી સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા
1
મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.
હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:
હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.
મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:
’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)
2
એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.
બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.
પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.
તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.
3 આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.
અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.
.
4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના સફરમાં શાયરીની બલામાં સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સા’બ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું
એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.
શાયરીમાં રસ ખરો કે?
મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?
ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.
શેર હતો:
ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે
ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.
(તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું ઉંચુ કર કે પાલનહાર તને પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)
મૌલવી સાહેબ શાંતિથી શેર સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?
મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.
ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?
5
આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.
ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.
અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)
6
સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:
આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,
ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.
આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,
ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?
Posted in ઈતર, કવિતા, ગઝલ | Tags: ઈતર, કવિતા, ગઝલ, બીજાઓને શેર, શાયરી સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા




Posted in પરિચય*જીવન, પરિચય_જીવન*કવન | Tags: Article, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, લોક ધર્મી વિદ્યાપુરુષ: ડૉ.રફીક ઝકરિયા, Essay

Posted in હઝલ | Tags: અપટૂડેટલી-મર્હુમ નિસારઅહમદ શેખ(શેખચલ્લી), હઝલ

જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ—શેખાદમ આબુવાલા
(મારી ડાયરી.બુધવાર 2 એપ્રીલ 1952)
લાંબા સમય સુધી ડાયરી ન લખી શક્યો.હજી મારે કેટકેટલું સંભારવાનું છે.યાદ કરવાનું છે અને ડાયરીમાં નોંધવાનું છે
આજે સવારે હું મુંબઈથી આવ્યો.ગઈ રજબની સાતમીએ(ઈસ્લામી મહિનો)મારી સાલગિરહ(જન્મદિન) હતી.બાવીસ વરસ પૂરાં થયાં.ત્રેવીસમું બેઠું ! જવાનીનું એક વરસ ઓછું થયું.જવાનીમાં આવતી વર્ષગંઠો મને અત્યંત દુ:ખદાયક લાગે છે.
મને એ વર્ષગાંઠો સર્પની જેમ ડંખે છે.ગઈકાલે મને દુ:ખ થયું હતું કે જવાનીના રંગીન અને મસ્ત એવા કાળમાંએક વરસ ઓછું થઈ ગયું! વૃધ્ધાવસ્થામાં વર્ષગાંઠ એ ખૂશીની વસ્તુ હોવી જોઇએ! પરંતુ જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ.
ગઈ કાલે હું અમદાવાદ આવવાનો હતો ,પરંતુ 31માર્ચને દિવસે મુંબઈમાં એક ડિનર રાખવામાં આવ્યું હતું.મને અમીરી અને બીજા મિત્રોએ જીદ કરીને મુંબઈમાં રોકયો હતો.રોકાવાની જરી સરખી પણ ઈચ્છા નહોતી.પરંતુ મજબૂરીને લીધે રોકાઈ જવું પડયું.મેં ટિકિટના પૈસા અમીરીને આપી દીધા હતા,અને એણે મને એનાજ સહારા પર રોકી લીધો.રાત્રે ડિનરમાં મારા મિત્ર જ.અલી મહેમદ ‘નાઝ’ને માનપત્ર આપવામં આવ્યું હતું.
(હમભી ક્યા યાદ કરેંગે-શેખાદમની ડાયરી)
A comment by one of his associate in Film world.It is posted on the Gujarati article હું એક ભાટકતો શાયર’”URL
Submitted on 2008/12/18 at 5:57pm
I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad, Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikh saheb was like a computer just put cursor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya
Posted in ગઝલ | Tags: જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ—શેખાદમ આબુવાલા, શેખાદમ આબુવાલા, Diary, Shekhadam

ઇન્દુલાલ યાજ્ઞિક—-શ્રીમંત નગરીનો ફકીર નેતા
*ઉમાશંકર જોશી
ઇન્દુલાલ એટલે એની બેસંટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસ યુગના એક મહારથી.ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એંજિન સાથે સરખામણી કરી હતી.થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય.હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને સંજીવની વરી હતી.અમદાવદની મુખ્ય સંસ્થાઓ પાછળ – ગુજરાત વિદ્યાપીઠ જેવી પાછળ પણ – ઇન્દુલાલ યૌવન મૂર્તિ દેખાશે.
ઇન્દુલાલ પર સરસ્વતીંનો આશિર્વાદ હતો.નડિયાદના નાગર હતા ને?વકતૃત્વ અને કલામાં ગુજરાતી ભષાનું હીર ઉછળતું…ગુજરાતના ઇતિહાસના એક અઠંગી વ્યાસંગી હતા.પણ ઇતિહાસ સર્જવ એસર્જાયા હતા.
ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા..
ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.
‘સમાજ પહેલાં લોટ જેવો હતો,પાણી નાંખતા ભેગો થઇ જતો.આજે સમાજ રેતી જેવો બની ગયો છે.પહેલાં લોકોમાં મીઠાશ હતી,આજે જનતા બાવરી બની છે.આર્થિક ભીંસ ખૂબ મજબૂત બની છે.’(17-11-1952ના કરેલા એમના ભાષણમાંથી)

Posted in ગઝલ | Tags: કવિતા, ગઝલ, ગુજલિશ ગઝલો, મરણ થાતાં કરી માતમ-‘બેબસ’ દેખૈયા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri

Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, તારુંય દિલ વિચિત્ર છે—બદરી કાચવાલા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri

खानोमें बट गया_निदा फाज़ली
गिरजा में,मंदिरो में,अजानो में बट गया
होते ही सुबह आदमी खानों में बट गया
एक ईश्क नाम का जो परिन्दा खलामें था
उतरा जो शहर में तो दूकानो में बट गया
पहले तलाशा खेत,फिर दरियाकी खोज़ की
बाकीका वक्त गेहुंके दानों में बट गया
जब तक था आसमांमें सुरज़ सभीका था
फिर युं हुआ वो चन्द मकानों में बट गया
हैं ताक में शिकारी, निशाना है लबिस्तां
आलम तमम चन्द मचानों में बट गया
खबरों ने की मस्वरी, खबरें गझल बनी
जिन्दा लहु तो तीर कमानों में बट गया
(शहर मेरे साथ चले तो)
Posted in ગઝલ | Tags: खानोमें बट गया_निदा फाज़ली, Shero shayri, Urdu Gazhal
હવાનું હલેસું—- આદિલ મન્સૂરી



તમે ચાલ્યા ગયા આ શબ્દનો આવાસ છોડીની
છતાં પડઘા તમારી યાદના ગુંજતા રે’શે
મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબને સાંભળવા કલીક કરો
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, હવાનું હલેસું---- આદિલ મન્સૂરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

હું છું ને તું છે— ‘મહેક’ ટંકારવી


Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, હું છું ને તું છે--- ‘મહેક’ ટંકારવી, Gujarati Gazhal, Gujarati Kavita, Shero shayri

થાય છે….સુધીર દલાલ








Posted in વાર્તા | Tags: થાય છે....સુધીર દલાલ, નવલિકા, વાર્તા, Gujarati short story
કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ —- યોગેશ જોષી





(પરબ _ ડીસેંબર 2008 ના સૌજન્યથી)
‘બઝમે વફા’ પરિવાર શ્રી ચિનુ મોદીને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે
Posted in પરિચય_જીવન*કવન | Tags: કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ ---- યોગેશ જોષી, કવિતા, ગઝલ, પરિચય_જીવન*કવન


Posted in અછાંદસ | Tags: અછાંદસ, અરધી રાતે***મનોજ ખંડેરિયા

બીમાર પણ રાખે****બરકત વીરાણી ‘બેફામ’
Posted in ગઝલ | Tags: ગઝલ, બીમાર પણ રાખે****બરકત વીરાણી ‘બેફામ’

મેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, નેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’, મેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’, શાયરી, શેર

આપણે***મકરંદ દવે

Posted in ગઝલ | Tags: આપણે***મકરંદ દવે, ગઝલ
સવારી જશે મુજ છડીદાર સાથે***’શયદા’

Posted in કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નવલિકા, શાયરી, શેર, સવારી જશે મુજ છડીદાર સાથે***’શયદા’, Gazal, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shayda, Shero shayri
જય ગજ્જરની નવલકથા’ આંધીનો ઉજાસ’ દરિયાપારના સર્જકોમાં શ્રેષ્ઠ નવલકથા તરીકે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં ઈનામો

મહેંદીના રંગ જેમ ઊડી જાય જે ‘મહેક’
એવી સગાઈ,એવું કો સગપણ ન જોઈએ

કાજલ ભરેલી આંખના***’મહેક’ ટંકારવી
(એક વિચાર સભર,સુંદર નવી નક્કોર તાજી ગઝલ મોકલવા બદલ પ્રોફેસર ‘મહેક’ટંકારવી સાહેબનો ‘બઝમે વફા’ઘણું આભારી છે)
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કાજલ ભરેલી આંખના***’મહેક’ ટંકારવી, ગઝલ
Opinion , views and News
Civilian Casualties Mount As Israeli Army Slices Through Gaza
Click
http://www.countercurrents.org/
Do Israeli Pilots Feel Happy Killing Innocent Women And Children?
By Fida Qishta
05 January, 2009
Countercurrents.org
Click to read
http://www.countercurrents.org/qishta050109.htm
Molten Lead In Gaza
By Uri Avnery
This war is a writing on the wall: Israel is missing the historic chance of making peace with secular Arab nationalism. Tomorrow, It may be faced with a uniformly fundamentalist Arab world, Hamas multiplied by a thousand
http://www.countercurrents.org/avnery050109.htm
Scared But Steadfast In Gaza
By Rami Almeghari
I found that my neighbors are dealing very patiently with what is happening right now. They don’t have any place to go and are staying close to their homes, expecting that the worse has yet to come. However, they are saying that they will remain steadfast in their homeland and neighborhood and homes, even if Israel destroys Gaza completely
http://www.countercurrents.org/almeghari050109.htm
The Only Nation That Can Do No Wrong
By Jim Taylor
Because the rights that European and North American nations demand for Jews do not seem to extend to Palestinians. Or perhaps more accurately, in a perversion of the Golden Rule, the western world looks the other way when the nation of Israel does unto others as others have done unto them
http://www.countercurrents.org/taylor050109.htm
Posted in ગઝલ | Tags: Journalism, Opinion, views and News
Posted in નવલિકા | Tags: ત્રણ અધૂરી વાર્તાઓ***મધુ રાય, નવલિકા, લઘુ વાર્તા, વાર્તા
ફૂલ કરમાયું નહીં— આઈ.ડી.બેકાર


Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, ફૂલ કરમાયું નહીં--- આઈ.ડી.બેકાર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, I.D.Bekar, Shayri, Sher
ફૂલ કરમાયું નહીં
છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં
સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .
આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.
બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં
ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં
(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે).
Posted in ગઝલ | Tags: ગઝલ, ફૂલ કરમાયું નહીં, મોતી જિવન નું—મુહમ્મદઅલી વફા
નિ:શબ્દ રહેવાયું નહીં—ઝફર એમ.

આયનાની જાતથી નિ:શબ્દ રહેવાયું નહીં
તે છતાં મુજ હાજરી વિણ, કંઇ બોલાયું નહીં
હું રડી પડ્યો નિહાળી સાથ સહુ સ્વજન તણો
એ નથી કે મુજ થકી એ દર્દ સહેવાયું નહીં
પ્યાસ બળતા રણ ની લઇ બેઠા હતાં એ દ્વાર પર
ઝાંઝવાની એ પરબ પર બુંદ છલકાયું નહીં
સર અહમના ડુંગરો પર ઠોકતો તું રહી ગયો
ઝૂમખું આ ફૂલનું પણ હાશ ઉંચકાયું નહીં
હાથ તારો એ કટોરા ઉપર સ્પર્શયો હતો
ઝેરનાં એ જામને પાછુંય ઠેલાયું નહીં
એ હતોઅંતિમ સમય આંખો બિડાઈ ગઇ હતી
પણ ઝફર એ નામ તો હોઠોથી વિસરાયું નહીં
Posted in ગઝલ | Tags: ગઝલ, નિ:શબ્દ રહેવાયું નહીં---ઝફર એમ., ફૂલ કરમાયું નહીં

તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા
એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં
એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં
તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં
ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં
મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં
કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં
Posted in ગઝલ | Tags: ગઝલ, તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા, ફૂલ કરમાયું નહીં

મુજથી રોવાયું નહીં—- બરકત વીરાણી ‘બેફામ’

Posted in ગઝલ | Tags: ગઝલ, ગઝલ ફૂલ કરમાયું નહીં, મુજથી રોવાયું નહીં---- બરકત વીરાણી ‘બેફામ

ચિત્ર ભૂંસાયું નહીં— ગની દહીંવાલા

Posted in ગઝલ | Tags: ગઝલ, ચિત્ર ભૂંસાયું નહીં--- ગની દહીંવાલા
કેમ બદલાયું નહીં—- ‘મસ્ત હબીબ’ સારોદી


Posted in ગઝલ | Tags: કેમ બદલાયું નહીં---- ‘મસ્ત હબીબ’ સારોદી, ગઝલ, ફૂલ કરમાયું નહીં
મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?
લોક ઊંડું વિચારે, તો હું શું કરું?
હું છું માનવ,છતાં લાગું દાનવ તને !
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-
એ જો મરચાં વઘારે, તો હું શું કરું?
સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!
જો તું આવે સવારે, તો હું શું કરું?
(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)
Posted in ગઝલ, હઝલ | Tags: કવિતા, ગઝલ, મરચાં વઘારે તો...નિર્મિશ ઠાકર, હઝલ, Gujarati Poetry, Nirmish Thakar
‘પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’
(ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)
રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)
ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્
ગઝલ કાવ્ય પ્રકારે ગુજરાતી ભષામાં પોતાનું સ્થાન જમાવાવા અને સ્વીકૃત થવા માટે પરિશ્રમ સિવાય અન્ય યુક્તિઓનો આશ્રયસ્વીકાર્યો નથી.કલાપી,કંથારિયાનાં સાચા ગઝલ પ્રેમે ગઝલનું દ્વાર ર્ખોલ્યું. ગઝલ સમ્રાટ શયદાએ ગઝલને અરબી,ફારસી, ઉર્દૂ નઝમિયાતની(પદ્ય પ્રકારની) સાચી વિભાવના પર લાવવા પિંગળ શાસ્ત્રની ચૂસ્તતાને અપનાવી.રદીફ ,કાફિયાની સવિનય માવજત, ગઝલના નિર્ધારિત છંદની સાચી ઉપાસનાનાં સુમનને હૃદયંગમ બનાવી મહેકાવ્યું. મત્લાઅ,મકતાની સાચી સૂઝ આપી.રૂપકો,ઉપમાને સુંદરતાથી કંડાર્યાં.મુશાયરા પ્રવુત્તિ વિકસતાં લોકો ઉર્દૂ ગઝલની જેમ ગુજરાતી ગઝલ પણ ગુન ગુનાવા લાગ્યા.
અમીન આઝાદ,સૈફ પાલનપુરી,બેફામ,મરીઝ,શૂન્ય,ઘાયલ,ગાફિલ,મસ્ત હબીબ,રૂસ્વા,ગની,સાબિર વટવા,રતિલાલ અનિલ ,આઈ.ડી.બેકાર,સીરતી,શેખ ચલ્લી,બેબાક રાંદેરીૢમુસા બના,શેખાદમ આબુવાલા,દીપક,મનોજ ખંડેરિયા,અકબર અલી જશદણવાલા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી,પતીલ,ભગીરથ અને જયંત પાઠક પણ ગઝલનાં ઝંડા ધારી બન્યા.
ગઝલ એની ગુણ વત્તા વધારવા છંદ કહોકે બહર,વજન અથવા એના પિંગળ સાથે કોઇ અરાજકતા આદરી નહીં.
1931માં રાદેરના પ્રથમ મુશાયરા પછી,જયારે ગઝલને ચોગાનની કવિતા કહી ચોખલિયાઓએ ગઝલને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ગઝલના ભેખધારીઓએ વિદ્રોહની છડી પૂકારી.
મહાગુજરાત ગઝલ મંડળના આજિવન પ્રમુખ જનાબ બેકાર સાહેબે અનિલ,સીરતી,શેખચલ્લી,દીપક ,બેબાક વિ.ને સાથે લઇ ગઝલને ગુજરાતનાં ગામડે ગામડે પહોંચાડવાનો નિર્ધાર કર્યો.મુશાયરો,મુશાયરી(નાનો મુશાયરો)ના રૂપમા ગઝલ સુરતથી નીકळी મુબઈથી કાઠિયાવાડ સુધી પહોંચી ગઇ.ઇજન ધોરાજવી,કિસ્મત કુરેશી,દેખૈયા બિરાદરો,સાલિક પોપટિયા,નઝર ગફૂરી,યાદી ઘણી લાંબી છે. આ બધા ગઝલની મશાલ ઉઠાવી ચાલતા રહ્યા.
ગઝલને અરાજકતાના વાવડથી બચાવવા છંદ શાસ્ત્રોનાં સર્જન થયાં. તરહી મુશાયરાની ઉર્દૂ પરંપરાને જિવંત કરી.
આદરણિય જ.હસનઅલી નામાવટી ઈસ્માઈલી સાપ્તાહિક માટે તરહી પંક્તિ મોકલી નવોદિત,કે સિધ્ધ હસ્ત શયરો પાંસે ગઝલો લખાવતા,પ્રસિધ્ધ કરતા
આવા તરહી મુશાયરાઓ ઘણાં કામિયાબ રહેતા. એકજ છંદ,લય અને રદીફ ,કાફિયાની રમઝટ વાળી ગઝલો વંચાતી ,ગવાતી.મુશાયરાને ચાર ચાંદ લાગી જતા.
અહીં એવીજ એક તરહી મુશાયરાની પંકતિ:
’પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં’ ના મિસરા પર મને પ્રાપ્ત થયેલી સાત જેટલી ગઝલો પ્રસતુત કરું છું.
આ તરહ પર કોઇ મિત્ર પાંસે કોઇ પણ સર્જકની રચના હોય તો, ‘બઝમે વફા’ને સાદર કરવા વિનંતી છે.
તેમજ કોઇ પણ કવિ આ તરહી મિસરા પર ગઝલ લખી ‘બઝ્મે વફા’ ને અર્પણ કરશે તો ‘પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં’ નો ગઝલ ગુલઝાર વિસ્તૃત થશે,.અને એ એક વિશિષ્ટ ભાત પાડશે.(નોંધ: ગઝલની તકતી કરી ગઝલની ઈસ્લાહ કરવાની જવાદારી કર્તાની રહેશે) આ તરહી પંક્તિના રદીફ અને કાફિયાની માવજત કરી ગાગાલગાૢગાગાલગાૢગાલગાગાૢગાલગા
(મુસ્ તફ્ઇલુન્ૢમુસ્ તફ્ઇલુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્)
વજન પર પણ ગઝલ લખી શકાય છે.
નીચેની રચનાઓ માણવા જે તે અનુક્રમણિકા, પર કલીક કરવા વિનંતી છે.

અંધાધૂંધીનો જન્મ દિવસ ***નિર્મીશ ઠાકર
જ્યારે ડખલની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે હઝલની પ્રથમ રજૂઆત થઈ હશે
ભાગી છૂટ્યો પવન ને રોતી રહી મહેક
રસ્તામાં તારી સાથે મૂલકાત થઈ હશે
કોઇ રતાંધળો તો ઘણું આઠડ્યો હશે
ઝૂલ્ફો ઢળી હશે અને રાત થઈ હશે
વ્યાપી ગઇ છે સ્તબ્ધતા,દર્પણ અવાક છે
તારાજ રૂપ રંગ વિષે વાત થઇ હશે
અંધાધૂંધીનો જન્મદિવસ એ જ છે અહો!
દુનિયાની જે દિવસથી શરૂઆત થઇ હશે.
(પ્રતિ કાવ્ય: શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)
Posted in ગઝલ, હઝલ | Tags: અંધાધૂંધીનો જન્મ દિવસ ***નિર્મીશ ઠાકર, કવિતા, ગઝલ, હઝલ, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, NirmishThaker, Shero shayri
10Jan.2009
એ માણસને હું રત્નજડિત પૃથવી ભેટ આપી દઈશ**યશવંત ત્રિવેદી


Posted in અછાંદસ | Tags: અછાંદસ, એ માણસને હું રત્નજડિત પૃથવી ભેટ આપી દઈશ**યશવંત ત્રિવેદી
એક કાવ્ય***હરિકૃષ્ણ પાઠક_આસ્વાદ— રાઘેશ્યામ શર્મા


Posted in અછાંદસ | Tags: અછાંદસ, આસ્વાદ--- રાઘેશ્યામ શર્મા, એક કાવ્ય***હરિકૃષ્ણ પાઠક_

શરમાતું નથી—મુહમ્મદઅલી વફા
એટલેતો મુજથી રોવાતું નથી
દર્દ શુ છે એ જ સમજાતું નથી
આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ
તે છતાં આ દર્દ ભુલાતું નથી
બાગનું ગુલ મહોરશે બસ ચાર દિન
પૂષ્પ નકલી કો દિ કરમાતું નથી
એ હશે કેવું વલણ બોદા તણું?
હોય ખોટું તો ય શરમાતું નથી
સાચ ની સંભાળ વસમીછે ‘વફા’
હોય ખોટું એજ ખોવાતું નથી

નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર
જૂની મને રદીફ મળી:કોણ માનશે?
એમાં હઝલ નવી જ તળી,કોણ માનશે?
પાડોશણે તો ચા મહીં નાંખેલ છે નમક
લાગી મને તો બેઉ ગળી,કોણ માનશે?
અ જિંદગી ઉપરથી કડક નરમ તળે!
એ હાંડવાની જેમ બળી,કોણ માનશે?
સીડીમાં લપસી એમ જાણે પ્રેમમાં પડી
ચશ્મા પડ્યા ને એય ઢળી ,કોણ માનશે?
વર્ષો જૂનો એ વાયદો ચૂંબનનો પાળશે?
એ ચોકઠા-સમેત મળી,કોણ માનશે?
અર્ધાંગનિ મળી ને પૂરો ખોટમાં ગયો
મારીજ કેડ વાંકી વળી ,કોણ માનશે?
દુનિયા ન હસી, દોસ્ત મગજ પણ ગયું
પસ્તાયો છું હઝલને દળી,કોણ માનશે?
ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર
પેલ્લાં એ મને લાયગી પરી , કોણ માનહે?
પન્ની ગયો, પઠારી ફરી! કોણ માનહે?
અર્ઢાંગનિ બનીને મને અઢમૂઓ કયરો!
પૂરી પછી એ માથે ચરી , કોણ માનહે?
ઘૂંઘટને મેં ઓપન કયરો,ટો બોયલી’ કલોઝ કર’!
ઉં તો ગીયો’તો બોવ ડરી , કોણ માનહે?
લાલી મેં એના હોઠની માયગી,ટી પ્રેમઠી!
આંખો બી એને લાલ કરી , કોણ માનહે?
સુખી ઠવું છ આપડે,કરહો? એ પૂછટી,
ડાયવોર્સની મેં અરજી કરી , કોણ માનહે?
કંકોટરીનું કાલ બી મેટર નીં બદલહે !
છે નામમાંજ ચેંન્જ જરી , કોણ માનહે?
Posted in કવિતા, ગઝલ, શેર | Tags: ગઝલ, ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર, નિમેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર, નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર, હઝલ, Shero shayri
સ્વામી રામતીર્થ—ડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ
(અંજલિ)
હમ બગલ દરિયાસે હૈ કતરા-એ –બેતાબ તુ,
પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.
આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,
મૈં અભી તક હૂં અસીરે –ઇમ્તિયાઝે રંગો- બુ.
મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,
યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.
નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે –આગાહકા,
“લા”કે દરિયામેં નિહાં મોતી હૈ “ઈલલ્લાહ”કા.
ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,
થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.
તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,
હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-એ- તસ્નીમે- ઈશ્ક.
(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)
શબ્દાર્થ:
હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય
અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,
આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું
1904 માં લખાએલ ”સારે જહાંસે અછ્છા હિદોસ્તાં હમારા ”ના કવિ ડૉ.ઇકબાલ જ્યારે તસવ્વુફ(સૂફીવાદ)અને દર્શનશાસ્ત્ર ના વિષય સાથે જ્યારે પદ્યના મેદાનમાં ઉતરેછે ત્યારે અચ્છા ઉર્દૂ ફારસીના જાણકાર એમના કલામ(પદ્ય)માં ગોથાં ખાઈ જાય છે.તે છતાં તે જમાનામાં ઇકબાલના પ્રોફેસર અને મિત્ર ડૉ.નીકોલસને ઇકબાલની અનુમતિથી એમનાં ફારસી મહાકાવ્ય” ઈસરારે ખુદી” નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ભાષાની દ્રષ્ટિએ તો ગાલિબ મીરને સમજવાપણ કઠિન થઈ પડે છે.પરંતુ ઇકબાલ દર્શનશાસ્ત્ર,તત્વજ્ઞાન,ધર્મશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ઇતિહાસ,રાજ કરણ,સંસ્કૃતિ અને કાવ્યની અંતિમ સીમાને લઈ જ્યારે પદ્યની ગુલાબ પાંખડીઓની ભંગિમાનાં દર્શન કરાવે ત્યારે, એ વિષયના વિદ્વાનો ડોલી ઊઠ્યા છે.
ઇકબાલ દર્શન પર અંગ્રેજી,ફ્રેંચ,જર્મની,સ્પેનીશ ,અરેબીક,ફારસી,તર્કી,મલય—વિશ્વની મોટાભાગની મહત્તમ ભાષામાં ઇકબાલને અનુદિત કરાયા છે. અને ઇકબાલિયાત નું દર્શનશાસ્ત્ર દુનિયાની મોટાભાગની યુનિવર્સીટીઓમાં ફિલસૂફીના એક વિષય તરીકે રૂમી અને ગઝાલી સાથે અભ્યાસાય છે. વિવેચનશાસ્ત્ર વિશ્વ સાહિત્યના તમામ સર્જનનું પરિમાણ રહ્યું છે.પરંતુ ઇકબાલિયાત એક એવો વિષય બની ચૂક્યો હતો કે એનાં પર વિશ્વનાં મોટા મોટા વિદ્વાનોએ ભાષ્ય લખ્યા. અરબી,ફારસીઅને ઉર્દૂનાં મહાન ભારતીય વિદ્વાન સૈયદ અબુહસનઅલી નદવીએ એમના કાવ્ય દર્શન પર અરબી ભાષામાં “રવાએ ઇકબાલ”નામનો ગ્રંથ લખ્યો.અંગ્રેજી સહિત વિશ્વની દસ બાર જેટલી ભષામાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે.ઉર્દૂ અનુવાદ,”નકૂશે ઇકબાલ.” અને અંગ્રેજીમાં “ગ્લોરી ઑફ ઇકબાલ” ઘણાં લોક પ્રિય અને આવકારદાયી બન્યા છે. ઉર્દૂ અરબીના મહાન વિદ્વાન મૌલાના ગુલામ રસૂલ મહેર સાહેબે એમના પ્રથમ ઉર્દૂ કાવ્ય સંગ્રહ “બાંગે દરા” પર ભાષ્ય લખ્યું છે.પ્રો.નીકોલસનનો ઉલ્લેખ ઉપર થઈ ચૂક્યો છે.
જ્યારે પ્રારંભિક અવસ્થામાં ઇકબાલ એક વેળા હતાશાની પળોમાં લેખન કાર્ય છોડી દેવા માંગતા હતા અત્યારે ઉર્દૂ,ફારસીના અભ્યાસી અને વિદ્વાન પ્રોફેસર.ઓરનાલ્ડે એમને એવું કરતાં રોક્યા.અને ચેતવણી આપી કે ,એવું કરશો તો વિશ્વ એક દર્શનશાસ્ત્ર નો મોટો અધ્યાય ગુમાવી દેશે. સ્વામી રામતીરથ – અંજલિના રૂપમાં ઇકબાલની સૂફીવાદ અને દર્શનશાસ્ત્રની અદભૂત નઝમ છે.ટૂંક સમયમાં સ્વામી રામતીર્થ નઝમ પર મૌલાના મહેર સાહેબે લખેલ ભાષ્યનો અનુવાદ અત્રે મુકવાની નેમ છે.

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો-ડૉ.મેહબૂબ દેસાઈ
ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું
કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.
આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક ‘પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.’
ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.
ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.’
ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.
હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ‘ઇસ્લાહુ’ નામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.
ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.
તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. ‘મહર’નો અર્થ ચંદ્ર થાય છે.
એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.
ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.’
આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.
Posted in માહિતી લેખ | Tags: ડૉ.મેહબૂબ દેસાઈ, માહિતી લેખ, હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો-ડૉ.મેહબૂબ દેસાઈ, History
ખરતા સિતારાને.._મુહમ્મદઅલી વફા
અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.
ધરેછે મૌન પણ કહેતાં નથી કંઇ ચાહનારા ને.
તમરા હોઠ તો મલકી ગયા આ હોઠ પર બંદિશ,
હ્ર્દયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.
જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દ્દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.
અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.
નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષોકયાં નઝારાને.
ઘણી વસમી સફર એ હોય છે સહું સ્નેહી જન માટે,
છતાં રોકી શકેછે કોણ આ જગથી જનરાને.
‘
.બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાય છે મનમાં.
વફા’નિરખી લઉંછુંહું જરા ખરતા સિતારાને.
(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઈસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ખરતા સિતારાને.._મુહમ્મદઅલી વફા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, થઈ જાય તો સારું-નાઝિર દેખૈયા, નાઝિર દેખૈયા, શાયરી, શેર
પાગલ થાઉં તો સારું…–શેખાદમ આબુવાલા
હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !
જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !
જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !
મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું
ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !
યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !
તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !
તમારી યાદના સૂરજ— આદિલ મન્સૂરી

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: આદિલ મન્સૂરી, કવિતા, ગઝલ, તમારી યાદના સુરજ--- આદિલ મન્સૂરી, તમારી યાદના સૂરજ, શાયરી, શેર
હજઝ છંદ—બઝમ
હજઝ છંદ : હજઝ મુસલમ સાલિમ બહર(16અક્ષરી)(માત્રા-28 )
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)(માત્રા-25)(ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્-ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)ની જેમ હજઝ મુસલમ સાલિમ છંદનો ગુજરાતી ગઝલોમાં વિપૂલ પ્રમાણ માં ઉપયોગ થયો છે.બાલ શંકર કંથારિયાની સુવિખ્યાત ગઝલ ની તખ્તી.
ગુજારે જે – શિરે તારે — જગતનો ના– થ તે સ્હેજે
લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____ લગાગાગા
એક સમય એવો હતો કે આ છંદ નો લય ગુજરાતી ગઝલનો પર્યાય બની ગયો હતો.
તરહી મુશાયરામાં આ છંદ પર પાદ પંક્તિઓમાં ઘણી ગઝલો લખાય છે.
પ્રો.સુમન અજમેરીએ એમના પુસ્તક ગઝલ: સંરચના છંદ વિધાન માં પૃ.51 પર 20 ઉદાહરણો ટાંક્યા છે.
તરહી મુશાયરાની કેટલીક યાદાગાર પંક્તિઓ
1-અમારી મહેરબાનીથી અમાર મહેર બાનો છે
2-હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા આવી
.
3-કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી
4-કરો જો કોઇ પણ વાતો કરો એના અધર વાંચી
5- ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
અત્રે એ છંદ પર લખાયએલી કેટલીક ગઝલો પ્રસ્તુત કરી છે.
ગુલઝારે ચાલું—મુહમ્મદ યુસુફ પટેલ ‘અગમ’
વેણ વિના ડચકારે ચાલું !
અણસારે અંધારે ચાલું !
પીરોના દરબારે ચાલું !
વીરોનાં સથવારે ચાલું !
ઘાયલના ઉદગારે ચાલું !
પાયલના ઝણકારે ચાલું !
શમણાની ભરમારે ચાલું !
તરણાના આધારે ચાલું!
નૌકા લઈ મઝધારે ચાલું !
ટૌકા દઈ ગુલઝારે ચાલું !
વાયુના વરતારે ચાલું !
આયુના આધારે ચાલું !
(વહોરા સમાચર-સુરત જાન્યુઆરી-2009)
‘રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડ’ના વિજેતા કવિ જ.અગમ કોસંબવીના પરિચય માટે નીચે કલીક કરો
http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/
.
અલ્લાહની મદદ— જનાબ મસ્ત મંગેરા

(વહોરા સમાચાર –સુરત જાન્યુઆરી2009નાં સૌજન્યથી)
Posted in ઈતર, ગઝલ | Tags: અલ્લાહની મદદ--- જનાબ મસ્ત મંગેરા, ચિંતન, જનાબ મસ્ત મંગેરા
શ્વાસની સાંકળ ઉપર—કિરિટ ગોસ્વામી
પળ પછીની પળ ઉપર પડદો પડ્યો છે
શ્વાસની સાંકળ ઉપર પડદો પડ્યો છે
શી ખબર ઇચ્છા-નદી ક્યાં લઈ જવાની
દેખીતી ખળખળ ઉપર પડદો પડ્યો છે
વિશ્વ નોખું તેજમય છે સૌની ભીતર
આગવી ઝળહળ ઉપર પડદો પડ્યો છે
કેમ સંતો ! માપવાં ઉંડાણ એના
સાવ મનનાં તળ ઉપર પડદો પડ્યો છે
છે હજીય શેષ કારણ જીવવાનું
કયાં કલમ-કાગળ ઉપર પડદો પડ્યો છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, કિરિટ ગોસ્વામી, ગઝલ, શાયરી, શેર, શ્વાસની સાંકળ ઉપર—કિરિટ ગોસ્વામી
સદીઓ ઉલેચી આવતો—અંકિત ત્રીવેદી
સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે
કૈં એમ તારથી રહ્યો છું હું નજીક ખુદા
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે
ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે
દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં
ભરતી નદીના જીવનું ધસમસતું પૂર છે
લોકો નશાનું નામ એને આપતા રહ્યા
તમને મળી લીધાનુંજ આંખોમા નૂર છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: અંકિત ત્રીવેદી, કવિતા, ગઝલ, શાયરી, શેર, સદીઓ ઉલેચી આવતો—અંકિત ત્રીવેદી
સ્પર્શ્યો’તો વાદળાંને—મિલિન્દ ગઢવી
સહરાને, ઝાંઝવાને જૂની કથા કહું છું
સ્પર્શ્યો’તો વાદળાંને એ વાર્તા કહું છું
છે ફર્ક ક્યાં વધારે?શબ્દો જૂદા કહું છું
તું જેને કે’છે સ્વાસો એને હવા કહું છું
આવે છે એ સવાલો વેરીને સ્મિત આછું
ને ય ઉત્તરોમાં હા કે ના કહું છું
બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે
ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું
સમજી શકો તો સમજો મોઘમની આ છે ભાષા
હોઠોને મૌન રાખી મારી વ્ય્થા કહું છું
છે જાણ કોઇને ક્યાં છેલ્લી સફર છે મારી!
એ આવજો કહે છે,હું અલવિદા કહું છું.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, મિલિન્દ ગઢવી, શાયરી, શેર, સ્પર્શ્યો’તો વાદળાંને—મિલિન્દ ગઢવી
સ્વામી રામતીર્થ-મૌલાના ગુલામરસૂલ મહેર
ઇકબાલની નઝમ સ્વામી રામતીર્થ જાન્યુઆરી 1907મા પ્રથમ ઉર્દૂ સામયિક મખઝનમાં પ્રકાશિત થઈ.સ્વામી રામતીરથનું મૂળ નામ તીરથ રામ હતું.એમનો જન્મ23 ઑક્ટોબર1873માં ગુજરાંવાલા જિલ્લાના ગામ મુરારીવાલામાં થયો.એમનું કુળ ગોસાંઈ બ્રાહ્મણનું હતું.પિતાશ્રીનું નામ મિરાનંદ હતું. ઘર ગરીબ હતું.સ્વામીજીની વય થોડા દિવસોની હતી ને એમની માતાનું અવસાન થયું.પાંચ વરસની વયે અભ્યાસ શરૂ કર્યો.પોતાના ગામમાં પ્રાથમિક ભણતર પુરુ કરી ગુજરાંવાલાની હાઈ સ્કૂલમાંથી મેટ્રિક પાસ કરી.પછી લાહોરની મિશન કૉલેજમાં અભ્યાસ આગળ વધાર્યો.આ દિવસો એમણે ઘણી કઠણાઈમાં વ્યતિત કર્યા.એક આનામાં ખર્ચમાં એક દિવસ ગુજારવો પડતો હતો.ત્રણ પૈસા બપોરના જમણ માટે અને એક પૈસે થી સાંજે કામ ચલાવી લેતા. એમની સ્મરણશક્તિ ઘણી અદભૂત હતી.પ્રથમથીજ એમનો સ્વભાવ સંતોજેવો હતો.ઈન્સાની હમદર્દી એમનામાં કૂટી કૂટીને ભરાયેલ હતી.ગણિત એમનો પ્રિય વિષય હતો.એમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી.પરીક્ષાનાં પ્રશ્ન પત્રમાં તેર સવાલો પૂંછાતા,જેમાંથી નવના ઉત્તરો લખવાના હતા.સ્વામીજી બધાજ પ્રશ્નોનાં ઉત્તરો લખી,નોંધ લખતા કે પરીક્ષકે પોતેજ નવ ઉત્તરો પસંદ કરી લેવા.રાજ્ય ભરમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ગવર્નમેન્ટ કૉલેજથી એમ.એ. કર્યું. કૉલેજનાં પ્રિંસીપાલે એમનું નામ આઇ.સી.એસ માટે સૂચવ્યું.જ્યારે એમને ખબર પડી તો આંખ અશ્રુ ભીની થઈ ગઈ,અને એમણે કહ્યું કે:મેં શિક્ષણ કોઇ હોદ્દો મેળવવા માટે પ્રાપ્ત નથી કર્યું. પરંતુ હું તો ખુદાના બંદાઓની સેવા કરવા ઈચ્છું છું.થોડા સમય સુધી સિયાલકોટની મિશન હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું, પછી મિશન કૉલેજ લાહોરમાં ગણિત શાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા.એજ સમયમાં સ્વામીજીનો પરિચય અલ્લામાં ઇકબાલ સાથે થયો.સ્વામીજી વતન પ્રેમ અને ખુદાની ભક્તિનું શિક્ષણ પ્રદાન કરતા હતા.1899માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને,પોતાના સર્વત્ર જીવનને દેશનાં ચરણે ધરી દીધું. ઘણા લોકોએ ટીકા કરી કે તીરથ રામ પાગલ થઈ ગયો છે.આ વાત જયારે અલ્લામાં ઇકબાલને પહોંચી, તો એમણે કહ્યું કે જો તીરથરામ પાગલ હોયતો વિશ્વમાં ક્યાંયે બુધ્ધિમતા અસ્તિત્વ ધરાવતી નથી. તીરથરામે ઘર ,બાર પોતાના સર્વત્ર કુટુંબ પરિવાર છોડીને સંન્યાસ ધારણ કરી લીધો.અને રામતીર્થ નામ ધારણ કર્યું.1902માં જાપાનનો પ્રવાસ કર્યો.ત્યાંથી અમેરિકા પહોંચ્યા.બે વર્ષ અમેરિકામાં રહ્યા.ત્યાંથી ઈજિપ્ત ગયા.પછી ભારત પરત થયા.હરદ્વારની પહાડીઓમાં ધ્યાનમગ્ન થઈ ગયા.એક વાર ઘૂંટણ પર ઈજા થઈતો ગંગા સ્નાનથી મજબૂર રહ્યા.1906માં હિમ્મત કરીને ગંગામાં સ્નાન કરવા ઊતર્યા,તો પગ લપસી ગયો.અને પાણીમાં તણાયા.તરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ નહિ રહ્યા.ત્રીજે દિવસે એમનો મૃત દેહ મળ્યો.અલ્લામાં ઈકબાલ એ સમય ગાળામાં યુરોપમાં હતા.સ્વામીજીના મૃત્યુની ખબર મળી, તો પોતાના ઘણા નિકટ મિત્રની સ્મૃતિમાં એમણે આ નઝમ લખી.
આ નઝમ થોડા સમય પહેલાં પોસ્ટ થઈ ચૂકી છે.ઉપરની સમજૂતી સાથે ફરી મૂકવામાં આવી છે.
સ્વામી રામતીર્થ—ડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ
(અંજલિ)
હમ બગલ દરિયાસે હૈ કતરા-એ –બેતાબ તુ,
પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.
આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,
મૈં અભી તક હૂં અસીરે –ઇમ્તિયાઝે રંગો- બુ.
મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,
યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.
નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે –આગાહકા,
“લા”કે દરિયામેં નિહાં મોતી હૈ “ઈલલ્લાહ”કા.
ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,
થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.
તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,
હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-એ- તસ્નીમે- ઈશ્ક.
(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)
શબ્દાર્થ:
હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય
અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,
આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું
ગઝલ:
અપમાન છે–બરકત વીરાણી‘બેફામ’

Posted in ગઝલ | Tags: અપમાન છે--બરકત વીરાણી'બેફામ’, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Shayri
કહેવું કોને?—-માધવ રામાનુજ

Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, કહેવું કોને? માધવ રામ, ગઝલ, માધવ રામાનુજ, શાયરી, શેર, Madhav Ramanuj
હઝલ:ફૂટી ગયા_ આઈ.ડી.બેકાર(મર્હુમ)

Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, ફૂટી ગયા—આઈ.ડી.બેકાર(મર્હુમ), શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, I.D.Bekar, Shero shayri
શૂન્યને સતાવે છે—હરીશ મીનાશ્રું
તેજ આવે છે સતત સતાવે છે
એ હિસાબો જૂના પતાવે છે
ઓસથી અગ્નિ અલગ કરવાને
રકતના બુંદ કાં તપાવે છે?
કરેછે હદ હવે કાસદનો જુલમ,
દૂરથી હાથ બે હલાવે છે
.
સાવ કોરી ચબરખી આપીને,
એમના દસ્તખત લાવે છે.
કફનને પાઘડી કહી દો તો,
દબદબાથી એ શિર ઝુકાવે છે.
એ જ કાશી ને એજ કરવત છે,
એ જ જૂની રસમ નભાવે છે.
આજ તાંબુલની કૈં વિસાત નથી,
એ સ્વયંય પાનખરને ચાવે છે.
ખરાખરીનો ખેલ ખેલ: ખેલંદો
શબ્દનું બીડું જયાં ઉઠાવે છે.
ઠેઠ પહોંચે છે ,ઠોઠ રહીને જે-
છેવટે એક ફકીર ફાવે છે.
એનું ભણ તતણ છે અજયબ, સાધો:
સમર્થ શૂન્યને ઘૂંટાવે છે.
ગઝલ: લખાઈ છે પ્યારે—મનહરલાલ ચોકસી
મુહબ્બતની આંસુ કમાઈ છે , પ્યારે !
સતત જિંદગી આ રિબાઈ છે , પ્યારે !
તમે યાદ કરતા નથી એ ખબર છે ,
મને પણ હજુ આશનાઈ છે, પ્યારે !
હવે કોણ એને પુકારી શકે?
શમા ભર સભામાં બુઝાઈ છે , પ્યારે !
બધા શબ્દ છે પ્રેમના લોહી ભીના
પ્રણયની તમન્ના ઘવાઈ છે , પ્યારે !
તમે ખુદ- બ- ખુદ આજ ભીંજાઈ જાશો!
ગઝલ એ રીતેજ લખાઈ છે , પ્યારે !
અમે શબ્દ પામ્યા છીએ સો જનમથી
અમારી તો જૂની સગાઈ છે , પ્યારે !
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગઝલ: લખાઈ છે પ્યારે---મનહરલાલ ચોકસી, શાયરી, શેર, Gujarati Gazhal
ગઝલ લખજો—મનહર મોદી
હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઉઘડે એટલે મારી ગરજ પડજો
અહીં સુક્કું અને લુખ્ખું અને ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો
ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દ્રશ્ય વિસ્તરજો
સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબેતો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જ્સ્ણો તો મને હસજો
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગઝલ લખજો—મનહર મોદી, શાયરી, શેર, Gujarati Gazhal
હઝલ:એ ભમરડી શું રહે બેંલેંસમાં—મર્હુમ જ. અઈ.ડી.બેકાર


Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, હઝલ:એ ભમરડી શું રહે બેંલેંસમાં—મર્હુમ જ. અઈ.ડી.બેકાર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, I.D.Bekar, Sher, Shero shayri
કલ ફિર આઊઁગા __દુષ્યંત કુમાર

(ગાંધીજી કે જન્મદિન પર)
મૈં ફિર જનમ લૂંગા
ફિર મૈં
ઇસી જગહ આઉંગા
ઉચટતી નિગાહોં કી ભીડ઼ મેં
અભાવોં કે બીચ
લોગોં કી ક્ષત-વિક્ષત પીઠ સહલાઊઁગા
લઁગડ઼ાકર ચલતે હુએ પાવોં કો
કંધા દૂઁગા
ગિરી હુઈ પદ-મર્દિત પરાજિત વિવશતા કો
બાઁહોં મેં ઉઠાઊઁગા
ઇસ સમૂહ મેં
ઇન અનગિનત અચીન્હી આવાજ઼ોં મેં
કૈસા દર્દ હૈ
કોઈ નહીં સુનતા !
પર ઇન આવાજોં કો
ઔર ઇન કરાહોં કો
દુનિયા સુને મૈં યે ચાહૂઁગા
મેરી તો આદત હૈ
રોશની જહાઁ ભી હો
ઉસે ખોજ લાઊઁગા
કાતરતા, ચુ્પ્પી યા ચીખેં,
યા હારે હુઓં કી ખીજ
જહાઁ ભી મિલેગી
ઉન્હેં પ્યાર કે સિતાર પર બજાઊઁગા
જીવન ને કઈ બાર ઉકસાકર
મુઝે અનુલંઘ્ય સાગરોં મેં ફેંકા હૈ
અગન-ભટ્ઠિયોં મેં ઝોંકા હૈ,
મૈને વહાઁ ભી
જ્યોતિ કી મશાલ પ્રાપ્ત કરને કે યત્ન કિયે
બચને કે નહીં,
તો ક્યા ઇન ટટકી બંદૂકોં સે ડર જાઊઁગા ?
તુમ મુઝકોં દોષી ઠહરાઓ
મૈને તુમ્હારે સુનસાન કા ગલા ઘોંટા હૈ
પર મૈં ગાઊઁગા
ચાહે ઇસ પ્રાર્થના સભા મેં
તુમ સબ મુઝપર ગોલિયાઁ ચલાઓ
મૈં મર જાઊઁગા
લેકિન મૈં કલ ફિર જનમ લૂઁગા
કલ ફિર આઊઁગા
(હિન્દીના સુવિખ્યત સદગત હિન્દી કવિ દુષ્યંત કુમાર .જનમ: 1933 મૃત્યુ:1975)
ઠીક હૈ!
દોબારા ભી આજાઈયે
તબ તો તીન ગોલીસે માન ગયે થે આપ
અબ કા ષડ યંત્ર સબ સરકારી હોગા
દંગા હોગા
શહર જલેંગે
લોગ મરેંગે
જૈસે ચુહે
એસે ઐસે બમ ગિરેંગે
આપ ક્યા
આપકી રાખ તક ન મિલેગે
શાયદ હાથ વાલી લાઠી બચ જાયે
(અજ્ઞાત)
આજ જિદ્દી દાસથા—જિદ્દી લુવારવી
તેજમાં તારા રહું
એટલો પ્રકાશ થા
આવતું પાસ મુજ ને
આજ મારા પાસ થા
હોય ના શંકા જરી
એટલો વિશ્વાસ થા
ના બને બીજા તણો
બસ તુ મારો ખાસ થા
ભ્રમ તુજને થાયના
આજ એવો ભાસ થા
હું રહું તુજ દિલ મહીં
આવ ને નિવાસ થા
તું કરે સેવા બધે
આજ જિદ્દી દાસ થા
2ફેબ્રુ.2009

ઇસ્લામ અને જવાહરલાલ નહેરુ— ડો.મેહબૂબ દેસાઈ
મહંમદ પયગમ્બર શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને ‘અલ-અમીન’ એટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.
૨૬ જાન્યુઆરી ભારતની આઝાદીનું પ્રતીક છે. આ દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. આઝાદીથી લડાઇમાં મોખરેના નેતાઓમાંના એક હતા જવાહરલાલ નહેરુ.
જવાહરલાલ નહેરુએ પોતાની પુત્રી ઇન્દિરા ગાંધી (પ્રિયદર્શની)ને જેલમાંથી લખેલા પત્રોનું સંકલન એટલે ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ નામક ગ્રંથ. એ ગ્રંથમાં જવાહરલાલજીએ ઇસ્લામ અંગે એક આખું પ્રકરણ આલેખ્યું છે. જવાહરલાલજીના ઇસ્લામ અને તેના પયગમ્બર અંગેના વિચારોનું આજે એ ગ્રંથમાંથી આચમન કરીએ. અરબસ્તાનના રણવાસીઓ માટે નહેરુ લખે છે,
‘રણમાં વસનાર બદૃઓ માટે ઝડપી ઊટ અને સુંદર ઘોડા તેમના કાયમી સાથી હતા.’
‘જે નવી શકિત અને નવા વિચારે આરબ લોકોને જગાડયા તથા તેમનામાં આત્મવિશ્વાસ પેદા કર્યો, તેમને તાકાત આપી, તે ઇસ્લામ હતો. તે ધર્મ મહંમદ નામના નવા પયગમ્બરે પ્રવર્તાવ્યો હતો. તે શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને ‘અલ-અમીન’ એટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.’
‘ઇસ્લામ ધર્મનો આરંભ મહંમદ સાહેબ મક્કાથી હિજરત કરી ગયા ત્યારથી એટલે કે ૬૨૨ની સાલથી થયો એમ કહી શકાય. પરંતુ એક રીતે તેનો આરંભ એ પહેલાં થયો હતો. યથ્રીબ શહેરે મહંમદ સાહેબને વધાવી લીધા અને તેમના આગમનના માનમાં તેનું નામ બદલીને ‘મદીનત-ઉન-નબી’ એટલે કે નબીનું શહેર એવું નામ રાખવામાં આવ્યું. આજકાલ સંક્ષેપ્તમાં તેને ‘મદીના’ કહેવામાં આવે છે.’
‘હિજરત પછી સાત વર્ષની અંદર મહંમદ સાહેબ પયગમ્બર તરીકે પાછા આવ્યા. આ પહેલાં જ તેમણે દુનિયાના તમામ રાજાઓ અને સમ્રાટો ઉપર ‘ખુદા એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ એ વસ્તુ માન્ય રાખવા ફરમાન મોકલ્યું હતું.
કોન્સ્ટાન્ટિનોપલનો સમ્રાટ હેરેકિલયસ સીરિયામાં ઇરાકી લોકો સાથે યુદ્ધમાં રોકાયેલો હતો. તે સમયે તેને ફરમાન મળ્યું. ઇરાનના રાજાને પણ એ ફરમાન મળ્યું. વળી, એમ પણ કહેવાય છે કે ચીનના સમ્રાટ તાઇ-ત્યાંગને પણ આ ફરમાન પહોંચાડવામાં આવ્યું. મહંમદ સાહેબે આવા આદેશો મોકલ્યા હતા. તે ઉપરથી તેમને પોતાની જાત ઉપર અને પોતાના કાર્ય ઉપર કેટલો ભારે વિશ્વાસ છે એનો આપણને કંઇક અંદાજ આવે છે.’
નહેરુના મહંમદ સાહેબ અંગેના ઉપરોકત વિચારોમાં વપરાયેલ શબ્દ ‘ફરમાન’ અંગે એટલું જ કહી શકાય કે હજરત મહંમદ સાહેબ ઇસ્લામના વિચારોને પ્રસરાવવા દેશ-વિદેશમાં પોતાના દૂતો મોકલ્યા હતા.
તેમણે મહંમદ સાહેબનો ‘સંદેશ’ લોકોને આપ્યો હતો. એ માત્ર ‘સંદેશ’ હતો. ફરમાન કે આદેશ ન હતા.
ગઝલ: કૂત્તે પે સસ્સા આયા_‘આદિલ’ મન્સૂરી
પહેલાં અહીં ગઝલની અવરને જવર હતી,
ચાલો છો આપત્યાં તો વલીની કબર હતી.
નીચી નજર કરી અમે બેસી રહ્યાં હતાં,
નારાજગીતમારી તો કારણ વગર હતી.
એનાં હજાર હાથનું રક્ષાકવચ ને હૂંફ,
ને દેખરેખરાખતી એની નજર હતી.
સંકેલવા મથી રહ્યો લંબાતી વારતા,
થોડી ઈધર હતી નેથોડી ઉધર હતી.
કૂત્તે પે સસ્સા આયા તો એક શહર બસ ગયા,
માટીનામૂળમાં જ નિરાળી અસર હતી.
‘આદિલ’ વતનમાં તાણી લઈ આવી આખરે
ગુર્જરગિરાનીકેવી તિલસ્મી અસર હતી.
कुत्तेपे सस्सा आया —कालु कव्वाल
कुत्ते पे सस्सा आया
और तुने शहर बसाया?
कुत्ते को मार देता
सस्से फाड देता
जमीं उजाड देता
न शहर कोइ बनता
तूटती न कबर वलीकी
न जाफरी भी मरता
होना तो बस यही था
उस वकत ही हो जाता
कितना था तु नादां
ए शाह अहमदशाह
(कालु कव्वाल)
અછાંદસ : કોની શોધમાં? — લાભશંકર ઠાકર

Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, અછાંદસ : કોની શોધમાં --- લાભશંકર ઠાકર, કવિતા, Labhshankar Thakar
જામોમીના—જમિયત પંડ્યા “જિગર”
રાજા મહેંદીઅલીખાન એક મશહુર મઝાહિયા(વ્યંગ) કલામ લખનાર શાયર હતા.”શહકાર”.માં ઝરીફોંકા કબ્રસ્તાન એટલે કે આનંદીઓનું કબ્રસ્તાન, એ શીર્ષક હેઠળ જુદા જુદા સ્વભાવ ધંધા વાળા માણસો માટે તેમની કબરો પર કેવી તખતીઓ ચૉડાય તેના શેરોન નમૂના આપ્યા છે.આપણે તે શેરોની મઝા માણીએ.
એક શરાબીની કબર પર
આહિસ્તા બર્ગે ગુલ બફિશાં બ મઝારે મા
સોયે હૈં પી કે ટૂટ ન જાવે, ખુમારે મા
ઉપલો મિસરો શાહઝાદી ઝેબુન્નિસાની પ્રખ્યાત ગઝલનો છે કે વૃક્ષ પરના પુષ્પો મારી કબર પર ધીમેથી વિખરાવ-પથરાવ કારણે , બીજા મિસરામાં કહે છે.
નાઝુક અસ્ત શીશએ દિલ દર કનારે મા
દિલનો શીશો નાજૂક છે તૂટી ન જાય.
જ્યારે મહેંદી અલીખાન કહેછે ,પીને સુતાં છી અમારો –ખુમાર –મસ્તી તૂટી ન જાય.
એક બુધ્ધિશાળીને કબર પર
મેરે મરકદ પે શીશમ કા હૈ એક પેડ
જહાં હર શબ ઉલ્લુ બોલતા હૈ.
મારી સમાધિ પર શીશમનું એક વૃક્ષ છે,જ્યાં રોજ સાંજે ઘુવડ બોલે છે.(કારણ કે બુધ્ધિશાળેઓની સમાધિ છે ને!)
એક ખાઉધરાને મઝાર પર.
બર મઝારે મા ગરીબાં ન ચરાગે ન ગુલ્લે
ફાતિહા દિલવાકે રખ જાતેં હૈ મીઠે ગુલ ગુલે.
અહીં પણ ઝેબ.ની કબર પરના તેના ફારસી શેરનો સાની નીચેનો મિસરો લીધો છે.
ને પરી પરવાના સોઝદ ને સદાએ બુલબુલે
મારે પરવનાને રીઝવવ નથી કે બુલબુલોના આર્તનાદ સાંભળવા નથી એટલે૰
બર મઝારે માં ગરીબાં નચરાગે ને ગુલે
મારા જેવી ગરીબની કબર પર દીપકની કે પુષ્પોની જરૂર નથી.
પ્ણ ખાઉધરો કહે છે કે :
ફાતિહા-પ્રાથના કરાવીને ઘૌંના તળેલા મીઠા ગોટા મૂકી જાય છે.
એક તવાયફ(વેશ્યા)ના દોસ્તની કબર:
મેં આહેં ભર રહાથા ઠંડી ઠંડી
તુમ આયે છોર કરકે હીરા મંડી
સીરહાને યારકે આહિસ્તા બોલો
અભી ટુક જીતે જીતે મર ગયા હૈ
હું ઠંડા ઠંડા નિશ્વાસો નાંખી રહ્યો હતો ત્યાં તમે હિરા મંડીની તવાયફોનો મહોલ્લો –છોડીને આવ્યા6.તમે પણ તમાર મિત્રના ઓશિકા પર જરા ધીરેથી બોલો.એ હમાણાંજા જીવતાં જીવતાં મરી ગયો છે.
એમાં પણ મીરના બે મિસરા એક શેરની પેરોડી કરી છે.મીર નો શેર છે.
સિરહાને મીરકે આહિસ્તા બોલો
અભી ટૂક રોતે રોતે સો ગયા હૈ
એક નર્તિકાની કબર પર:
જબ આયે મેરે યાદ ,તુમ આના જભી જભી
મરકદ પે મી મુજરા કરના કબી કભી
જયારે જયારે મારી યાદ આવે અને કબર પર આવો ત્યારે કદી કદી મુજરો કરાવજો.(મતલબ કે તવાયફોને નચાવજો)
ખાન સાહેબ ઉસ્તાદ અબ્દુર્રહીમની કબર:
ખુશી સે કહો મી મરકદપે આકર
કે અબ્દુર્રહીમ એક બુરા આદમી થા
મગર તુમ ખુદાકે લિયે યે ન કહના
કે મરહુમ એક બે સુર આદમીથા
મારી કબર પર આવીને ખુશીથી એમ કહેજો લે અબ્દુર્રહીમ એક ખરાબ આદમી હતો.પરંતુ ખુદાના ખાતર એમ ન કહેશો મરનારો બેસુરો આદમી હતો.
એક તબલચીની કબર પર.
તક ધિન ધિન તુમ મેરે મરકદ પે કરતે રહો
તાલ મેં લે આઉંગા, આહેં તુમ ભરતે રહો.
મારી કબર પર તક ધિના ધિન તમે કરતા રહો ,હું તમને તાલમાં સાચવીશ તમે નિશ્વાસ નાખ્યા કરજો.
ખૂનીની કબર પર
મેંને કિયાથા કત્લ સઝા ગૈર પા ગયે
અબ કેહદો કોર્ટમેંકે મેરા કસુસુર થા
ખૂન તો મેં કર્યું હતું અને સજા બીજા નિએદોષને મળી, હવે કોર્ટમાં કહી દો કે એ મારો ગુન્હો હતો.હું તે માટે જવાબદાર છું.
એક હરમજાદાની કબર ઉપર
મેં મરું મગર તુજકો મારું.એમ ઈચ્છનારા કવિ કહે છે.
વો ભી હોતે સાથ તો કતતી મજહસે કબ્રમેં
મર ગયા મેં ઉનકે મરજાનેકી હસરત દિલમેં હૈ
એ પણ કબરમાં સાથ સુતા હોત તો મોત વહાલું લાગત. .હું મરી ગયો તેમના મરવાની આશા દિલમાં છે.
વફાદાર પ્રેમીની કબર.
આયા ન કર મઝર પે ગુંડે હૈં ખોજમેં
મેરે પતેસે ગુંડોકો ક્યું તેર ઘર મીલે
ગુન્ડાઓ તારી શોધમાં છેમાટે મારી કબર પર તુ આવ જાવ ન કર.મારી કબરથી ઘરે જતાં ગુન્ડાઓ તારો પીછો કરે ,અને તારું ઠેકાણું મેળવેએમ ન થવું જોઇએં.
એક ચોરની કબર પર
બહુતસે નેક બન્દે સો રહેંહૈ મેરે પહેલુ મેં
કિસીકા નામએ આમાલ ચુપકેસે ચુરા લુંગા.
ઘણાં નેક માણ્સો મારી આજુબાજુમાં સુઈ રહ્યા છે,એમાંથી કોઇના જીવનના સદકર્મોની નોંધ પોથી ચોરી લઈશ.હશ્રના દિવસે કામ આવશે.
આહ! આસિમ ને ભી રૂખ્તે સફર બાંધ લિયા—- મુહમ્મદઅલી વફા
સબ કહાં લાલાઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મે ક્યા સુરતેંથી જો પિન્હા હો ગઈ
ગુજરાતી ભાષાના સહુથી વયો વૃધ્ધ અને વડીલ કવિ જનાબ મહમૂદમિયાં મોહમ્મદ સુબેદાર ઉર્ફે આસિમ રાંદેરીનું આજ રોજ જુમેરાત તા.5ફેબ્રુઆરી2009ના રોજ એમના વતન રાંદેર(સુરત) 104 વર્ષની જૈફ વયે દુ:ખદ ઈંન્તેકાલ થયો છે(.ઈન્ન લિલ્લાહે વઈન્ન ઇલયહે રાજેઉન)રબ્બેકરીમથી દસ્ત બ દુઆ છે કે-અલ્લ્લાહતાલા મર્હુમની બાલ બાલ મગફિરત ફરમાવે અને આલમે બરઝ્ખમાં ઉંચો મરતબો અતા ફરમાવે.(આમીન).અને એમના કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે.
આસિમ રાંદેરી સાહેબ 104 નહીં 125વર્ષ પણ હયાત ર્હ્યા હોત તો પણ એમનો ઈંતેકાલ દુ:ખદ લેખાત.. ગઈ કાલ સુધીના જનાબ આસિમ રાંદેરી સાહેબ આજે મર્હુમ થઈ ચુક્યા છે.
વ્યાકરણ અને શબ્દોનો થોડો ફેરફાર , કેવી વેદનાની ટશરો છૉડે છે.
1957થી 1960નાં મારા રાંદેરના શાળા કાળ દર્મિયાન મેં આસિમ સાહેબને ઘણી નજદીકથી જોયા છે.મહા ગુજરાત ગઝલ મંડળ ના ઝંડા ધારીઓમંથી આદરિણય વડીલ શ્રી રતિલાલ અનિલ ની અમાનત હજી આપણી પાંસે છે.અનિલ સાહેબે ‘સફરના સાથી’માં એ બધા બુઝુર્ગોનો ઉલ્લેખ કર્યો છે.
સુરત રંગ ઉપવન માં 1959માં જશદણ નવાબ જનાબ અકબરલી જશદણ વાળાના સંચાલનમાં થયેલા એક ભવ્ય મુશાયેરામાં મેં એમને પ્રથમ વાર સાંભળેલા.
એમની લીલા અને તાપી કિનારો અમને પણ ખૂબ પ્રિય હતો.
આ ગાંધીબાગ ને તાપી કિનારો કેમ ભૂલાશે
અહીં અમારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
લીલા સામાયિકથી લઈ લીલા ગઝલ સંગ્રહ સુધીની પ્રણયગાથા શાયદ ગુજરાતી સાહિત્યમાં એમણેજ આપીછે.
લીલા,શણગાર,તાપી કિનારે અને રાંદેરવાસી મુસ્લિમો જે મૂળ અરબી છે .એમનો એક 800 વર્ષ પહેલાં એમના પૂર્વજોનો ઇતિહાસ પણ એમણે આપ્યો છે.
ગુજરાતના પ્રારંભકાળના તમામ મુસ્લિમ શાયરોની જેમ એમની ગઝલ યાત્રાની શરૂઆત પણ ઉર્દૂથી થી થઈ હતી.
1931માંરાંદેરમાં થયેલા પ્રથમ ગુજરાતી મુશાયરામાં પણ એમણે જરૂર ભાગ લીધો હશે.
રાંદેરના મુસ્લિમો 800 વર્ષપહેલાં સુરત,રાંદેર આવ્યા પછી પણ એમનાં વિદેશ ખેડાણો વિપૂલ પ્રમાણમાં રહ્યા છે.
આસિમ સાહેબ પણ આફ્રિકા,અમેરિકા,કેનેડા,માડાગાસ્કર વિ. પ્રવાસ કરી ચુક્યા હતા.
એમના કાવ્યોની રજૂઆત દેશ વિદેશની ઘણી પ્રસારણ સંસ્થાઓ પરથી થઈ છે.
નીચે આજના ગુજરાત મિત્રમાં એમના ઈંતેકાલ પુર માલાલના સમાચારનું ઈમેજ પ્રસ્તુત કર્યું છે…


Posted in કવિતા, ગઝલ, પરિચય*જીવન, સમાચાર | Tags: આસિમ રાંદેરી, જનાબ આસિમ સાહેબ રાંદેરીની ચિર વિદાય—વફા, પરિચય_જીવન*કવન, સમાચાર
આસિમ કી કહાની,હજરતે આસિમ કી ઝુબાની(‘ગઝલ ગુર્જરી’ના સૌજન્યથી)
શું ખાડીની સાડી મઝા દઈ રહી છે
જુઓ ”લીલા” આજ કૉલેજ જઈ રહી છે





Posted in કવન, કવિતા, ગઝલ, છંદ, પરિચય_જીવન*કવન | Tags: આસિમ કી કહાની, આસિમ રાંદેરી, ગઝલ, હજરતે આસિમ કી ઝુબાની, Gujarati Gazhal
આંખોમાં લીલા
ને હાથોમાં દિલ
ચાલોને આસિમ
છે એજ મંઝિલ
જ.આસિમ રાંદેરી સાહેબનું સુંદર કેરીકેચર સત્વરે બનાવી ‘બઝમે વફા’ને અર્પણ કરવા બદલ ‘બઝમ’ શ્રી નિર્મેષ ઠાકરનો હાર્દિક આભાર માને છે.).
અમે તો નિહાળી બધે બધ આ લીલા
સમયમાં,હ્રદયમાં ,નયનના આ મયમાં
જમાનો અમારી હસદ કરતો રે’શે
ગયાં ક્યાં છુપાઈ ધરાના પ્રલયમાં
મારા એક મિત્રની ગમગીન ને ઉજ્જડ આ કબર
એનાં દુ:ખ દર્દનો બદલો છે આ એકાંત નથી
રંજ દુનિયાનાં અને પ્રેમનાં દુ:ખ ઝીલીને
એવો સુતો છે જાણે કંઇ કલ્પાંત નથી!
મારી લીલા એ હતો પ્રેમનો નિષ્ફળ અવતાર
મારા જીવનાની બરાબર હતું એનું જીવન
એની રાતોમાં હતી એજ તો બેચેનીઓ
એની આંખોમાં હતું એજ મુકદ્દરનું રુદન!
કલ્પનામાં જ સદા રૂપનાં દર્શન કીધાં
બાહુમાં લઇ કદી કોઇને ભેટી ન શક્યો
કોઇની યાદમાં હરરોજ તરસતો જ રહ્યો
એના અરમાનનો દીવો કદી પેટી ન શક્યો!
જેમ તું મારી છે ,એવી એની હતી ‘સલમા’
એની પાંસેય હતું લાગણી વશ એક હૃદય
એની ઈચ્છાને પરંતુ કો’ સહારો ન મળ્યો
મારા જેવો હતો એનોય પ્રતિકૂળ સમય!
એ બિચારની કોઇ આશા ફૂલી કે ફળી
જિંદગી એની વહી કંઇક મુસીબત સાથે
મારી લીલા! મને સમજણ નથી પડતી એની
કેમ દુનિયાને અદાવત છે મહોબ્બત સાથે!
મારાં આંસુઓ અટૂલા ન રહે ઓ’લીલા’
અંજલિ આપીએ,આ મિત્રને બન્ને સાથે
તારી વેણીનાં આ ફૂલોને કબરની ઉપર
તું ચઢાવી દે તારા સુકોમળ હાથે!
પરદા ઉઠાવી જા !_આસિમ રાંદેરી
વચ્ચે થી પ્રેમ _રૂપના પરદા ઉઠાવી જા.
દિલ એક છે નજરને પણ એક જ બનાવી જા.
દિલને તું દરદ , દર્દને તું દિલ બનાવી જા.
બિંદુમાં સિંધુ, સિંધુ માં બિંદુ સમાવી જા.
તું રૂપ છે, હું પ્રેમ છું,તું જીવ હું શરીર,
હું શું બતાવું ?તુજ જગતને બતાવી જા.
હા,હા, જીવનનું દર્દ રુદનમય છે છતાં,
મહેફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.
મળશે એક અન્ય ધામ પણ ભક્તિ _નમાજ નું,
મંદિર ને મસ્જિદની તું હદને વટાવી જા.
જેને તું સુખ કહે છે એ દુ:ખનોજ અંત છે,
સુખ જોઇએ તો દુ:ખ મહીં જીવન વિતાવી જા.
સુખ્_દુ:ખનો જન્મ ખેલ છે એક કલ્પના તણો,
સુખ શોધમાંજીવનને ન દુ:ખમય બનાવી જા.
દુનિયા તજી દે તું,તને દુનિયા મળી જશે,
દુનિયા જો લુંટવી છે તો દુનિયા લુંટાવી જા.
મળતો નથી એ તો પછી ખુદને ખોઇ દે,
તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.
એ જો મળી જશે તો જીવનની મઝા જશે,
’આસિમ’ તું એની શોધમાં જીવન વિતાવી જા.
કિંતુ મારી લીલા ક્યાં છે—આસિમ રાંદેરી.
એ જ બગીચો,એ જ છે માલી,
એ જ ઉષા ને સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,
કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ બહારો બાગની અંદર,
પ્રેમનાં જાદું રૂપનાં મંતર,
એ જ પતંગા દીપના ઉપર,
એ જ કમળ છે, એ જ મધુકર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ ફુવારો ને ફુલવારી,
રંગબેરંગી પ્યારી પ્યારી,
મખમલ સમ આભાસ પ્રથારી,
જે પર દિલની દુનિયા વારી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ હજી છે ચૂઈ ચમેલી,
આગિયાઓની જ્યોત જડેલી,
આંબાડાળે જુઓ પેલી,
એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
ચાંદ સિતારા એ જ ગગનમાં,
મસ્તી એની એ જ પવનમાં,
તાપી પણ છે એ જ વહનમાં,
એ જ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
વડ પર બંને નામ હજી છે,
થડ પર કોતરકામ હજી છે,
બે મનનો સુખધામ હજી છે,
સામે મારુ ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
એ જ છે રોનક તાપી તટ પર,
એ જ છે સામે લીલા ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર,
દૂર જ સંતા મસ્જીદ મન્દર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
આસીમ આજે રાણી બાગે,
ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,
મસ્ત પવનમાં પુષ્પ પરાગે,
કેમ મને વૈરાગ ન જાગે?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.
કંકોતરી_આસિમ રાંદેરી
(નઝમપ્રકાર:મુસદ્દસ)
મારી એ કલ્પના હતી વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.
સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી
મારી ઉપર સભાને હસાવું નહીં કદી
દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી
દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે
જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી
તકદીરનું લખાણ છે કંકોતરી નથી.
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો
સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો
કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં
સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં
આવેશમાં એ ‘ફૂલ’ના કટકા નહીં કરૂં.
આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં
‘લીલા’ના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.
‘આસિમ’ હવે એ વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એ જ છું.
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ઈશારો તો નથી?
એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.
એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.
એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.
કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.
માત્ર મિત્રોનું નહીં, દુનિયામાં દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી.
દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી !
ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી ?
મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ, આ કિનારો તો નથી.
મુજને દુનિયાય હવે તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી ?
હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી ?
પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી !
લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’!
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી !
આ વર્ષાની ઝરમર
આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી,
ન પૂછો અમે કેવી રીતે ગુજારી ?
મદીલી મદીલી એ આંખો તમારી,
કરી યાદ હરપળ વિસારી વિસારી !
તમારા સ્મરણમાં નથી લાભ, કાંઈ,
એ માન્યું બધુ થઈ જશે બેકરારી;
પરંતુ તમે ખુદ મને એ બતાવો,
કરું યાદ કોને હું તમને વિસારી ?
પ્રણયની રમતમાં હ્રદય ખોઈ દીધું,
છતાં એ જ બાકી છે હિમ્મત અમારી;
હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે,
કે હારે તો બમણું રમે જુગારી.
મધુરા ખયાલો, રૂપાળા તરંગો,
ભુલાવે છે જીવનના દુ:ખમય પ્રસંગો;
તમે એને સુખના વિચારો ન માનો,
હું વાંચું છું કિસ્મતના લેખો સુધારી.
દયા મારી ઉપર એ લાવે ન લાવે,
તને શું થયું છે એ આવે ન આવે;
નિરાશા, પ્રણયનું છે અપમાન હે દિલ !
તું કર રાત દિન એમની ઈન્તેજારી.
અહીં ચુપકીદીમાં જ ડહાપણ છે, સહચર !
ભલે પ્રેમ ને રૂપ ઝઘડે પરસ્પર;
જો સાચું કહું તો મહોબતની બાજી,
એ બેમાંથી કોઈએ જીતી ન હારી !
સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી,
હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ ?
અમારી હતી જિંદગાની અમારી,
ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી.
સુમનના સદનનો છે નકશો નજરમાં,
હવે આંખ ક્યાંથી ઊઠે અન્ય ઉપર ?
મુબારક હો તમને ઓ દુનિયાના લોકો !
આ મંદિર તમારું, આ મસ્જિદ તમારી.
પ્રણય-પંથકના ભેદ એ કેમ જાણે,
ને એ રૂપ-દર્શનની શી મોજ માણે ?
નજર જે ઉઠાવે બચાવી બચાવી,
કદમ જે ઉપાડે વિચારી વિચારી !
ન તે રાગ છે, ના અનુરાગ આજે,
ન તે બાગ છે, ના ત્યાં ‘લીલા’ બિરાજે;
હવે એક ‘આસિમ’ પ્રણય-ગીત કાજે,
રહી ગઈ છે તૂટેલ દિલની સિતારી
*****
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ‘
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?.
ગંગામાં નથી હોતી.
પ્રશંસામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.
અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી હોતી.
ગઝલ એવીએ વાંચી છે અમે ‘લીલા’ની આંખમાં,
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.
અનુભવ એ ય ‘આસિમ’મેં કરી જોયો જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
કટકે ક્ટકે
રૂપ સિતમથી લેશ ન અટકે
પ્રેમ ભલેને માથું પટકે
આપ જ મારું દ્રષ્ટિ બિંદુ
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે
પ્રેમ નગરના ન્યાય નિરાળા
નિર્દોષો પણ ફાંસી લટકે
બચપણ યૌવન વૃધ્ધવસ્થામાં
જીવન પણ છે કટકે કટકે
રૂપના ફંદા ડગલે ડગલે
દિલ પંખેરું ક્યાંથી છ્ટકે
પાપ નહીં હું પ્રેમ કરું છું
ના મારો ફિટકારને ફટકે
એ જ મુસાફિર જગમાં સાચો
જેની પાછળ મંઝિલ ભટકે
દીપ પતંગને કોઇ ન રોક્ર
પ્રીત અમારી સૌને ખટકે
નજરોના આવેશને રોકો
તૂટી જશે દિલ એક ઝટકે
ઊંઘ અમારી વેરણ થઈ છે
નેણ અભાગી ક્યાંથી મટકે
એ ઝૂલ્ફોનો એનો જાદું
એક એક લટમાં સો દિલ લટકે
એક એક શએરમાં કહેતો રહ્યો છું
પ્રેમ કહાણી કટકે કટકે
પ્રેમનો મહિમા ગાતા રહેવું
જ્યાં આસિમ શ્વાસ ન અટકે
(મુંબઈ 27-5-53)
મુલાકાત – ૧૦૪ વર્ષીય ગઝલકાર આસિમ રાંદેરી કહે છે ક લીલા-કાવ્યો એ મારા જીવનની મહામૂલી મૂડી છેભલા !
કોણ જ અને કોના દિલની કળીને ખીલવવા ?
રે ! દરરોજ બે-ચાર સખીઓની સાથે એ જાય છે ભણવા કે ઊઠાં ભણાવવા ?
ન સમજાય તેવી કલા થઇ રહી છે.
જુઓ, લીલા કોલેજમાં જઇ રહી છે.
આ ગઝલ દરેક સાંભળી જ હશે કેમ ખરું ને ! પરંતુ આવી અદ્ભૂત ગઝલની રચના કરનાર છે આસિમ રાંદેરી પેરાલીસીસના એટેક બાદ આસિમભાઈ પથારીવશ છે. હાલમાં તેઓ ૧૦૪ વર્ષની વયે પણ કાવ્ય, ગઝલ અને ગીતોની વાતો કરે છે.
વ્હીલચેર પર સફેદ પાયજામો અને ઝભ્ભો પહેરીને કુરાનની આયાતો વાંચે છે. આવી શારિરીક પરિસ્થિતિમાં આવ્યા બાદ પણ તેઓ હિંમત હાર્યા વગર આજે પણ ૧૦૪ વર્ષની જૈફ વયે એટલા જ તાજગી સભર લાગે છે.
૧૫ ઓગસ્ટ ૧૯૦૪માં સુચી નજીકના નાનકડાં રાંદેર ગામમાં સુબેદાર કુટુંબમાં આસિમ રાદેરીનો જન્મ થયો હતો. સાત-આઠ દાયકા પૂર્વે આસિમ સાહેબે જ્યારે કાવ્યો લખવાની શરૃઆત કરી હતી ત્યારે ગામ, સુરત અને તાપી નદી ઘણું જ અલગ હતું. ‘આસિમ‘ એ તેમનું તખલ્લુસ નામ છે. પણ એમનું મૂળ નામ મહેમુદમીયા છે. શરૃઆતમાં તેમણે ઉર્દુ ગઝલ લખી હતી. ઇ.સ. ૧૯૨૫માં તેમણે પ્રથમ ગુજરાતી ગઝલ લખી હતી.
તેમણે ‘લીલા‘ નામના એક પાત્ર પર અસંખ્ય કૃતિઓ રચી છે. જેમાં ત્રણ ગઝલ સંગ્રહ, ‘લીલાં‘, ‘શણગાર‘ અને ‘તાપી તીરે‘ પ્રસિધ્ધ થયા છે. જો કે લીલાનાં કાવ્યો એટલા બધા લોકપ્રિય બન્યા કે ‘લીલા‘ની ત્રીજી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે.
જો કે આસિમભાઈને લીલા‘ કાવ્યો, ઘણાં જ લખ્યા છે તેમને લીલાં કોણ છે છે ? તે પ્રશ્ન પૂછતા હસીને જવાબ આપે છે કે ‘લીલા તે મારી કલ્પના મૂર્તિ છે. આવો પ્રશ્ન મારાં દેશ-પરદેશમાં વસતાં મિત્રો પૂછે છે. આ વાત પરથી એક રસપ્રદ કિસ્સો યાદ કરતા વધુમાં તેઓ કહે છે કે એક જૈન યુગલ છેક મુંબઇથી આવીને મને પૂછ્યું હતું કે શું લીલા જીવંત છે. જેનો જવાબ ‘ના‘ આપતાં તે યુગલ મારી સામે ઘણાં જ આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. સાચે જ લીલા કાવ્યો તો મારા જીવનની મહામૂલી મૂડી છે. જ્યારે મુશાયરામાં મારો ક્રમ આવતાં જ શ્રોતાઓ લીલા…લીલા… અચૂકથી કહે છે. તેમણે ઇ.સ. ૧૯૫૨માં કરાચીમાં યોજાયેલા ભારત-પાક., ગુજરાતી મુશાયરા ૧૯૫૬માં કોલંબો, ૧૯૬૧ ઇસ્ટ આફ્રિકા, મોરેશિયસ, ગુજરાતી ઉર્દુ શાયરીનાં મુશાયરા કર્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં પણ અસંખ્ય મુશાયરામાં ભાગ લઇને અનેક લોકોની દાદ મેળવી હતી. ગુજરાતી ગઝલના ક્ષેત્ર પ્રદાન બદલ આસિમ રાંદેરીને બે વર્ષ અગાઉ ‘વલી‘ ગુજરાતી ગઝલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની ‘કંકોતરી‘ની ગઝલ પણ પૂછતાં તેઓ ચિંતિત થઇને કહે છે કે ‘ચોટ ખાધી છે અને પછી દિલની ચોટની વાતને લગતી ગઝલ સંભળાવે છે.
વી રીતે પોતાની ગઝલ દ્વારા પોતાની વાત રજૂ કરે છે. જો કે ૧૦૪ વર્ષની વયે પણ ગઝલની તાજગી, સ્મૃતિ, શ્રુતિ અને વાણીની સ્પષ્ટતા જોવા મળે છે. તેઓ પોતાનાં સ્વાસ્થ્ય અંગે કહે છે કે ‘હંમેશા ખુશ જ રહેવાનું… આનંદમાં રહેવાનું. હંમેશા આનંદમાં રહો તો તબિયત સારી જ રહે. ક્યારેય દુઃખનાં વિચારો નહીં કરવાના.
(ગુજરાત સમાચાર પ્લસ - Friday, 29 August 2008)

આસીમ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો
, તાપી તટે થતો જે હતો તે સંગ પણ ગયો_-દિવ્ય ભાસ્કર
સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી
ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.
મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.
તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો ‘લીલા’ અને ‘તાપી તીરે’ આપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન
એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.
સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી
સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.
(Coutesy ofBhaskar News, Surat Saturday, February 07, 2009 02:46 [IST])
Posted in કવિતા, ગઝલ, પરિચય_જીવન*કવન | Tags: આખરી દીદાર! મરહુમ આસિમ સાહેબ રાંદેરી નો-બઝમ, આસિમ રાંદેરી, કવિતા, ગઝલ, Demise of Asim Randeri
કોનું મીડિયા? ક્યા લોકો?
વહેણ
_નિસિમ મન્ના યુક્કરેન
(કેનેડાની ડેલહાઉસી યુનિવર્સીટીના મદદનીશ પ્રોફેસર)





(ગુજરાત ટુડે તા.9ફેબ્રુ.2009ન સૌજન્યથી)
Please clickThe URL
Posted in ગઝલ | Tags: કોનું મીડિયા? ક્યા લોકો?, માહિતી લેખ, લેખ, GujaratToday, KONOMEDIA-GUjaratToday, News, Opinion
કવિ ‘શૂન્ય’ પાલનપુરી ના જીવન અને કવનને આવરીલેતા ‘શહીદે ગઝલ’નાં વિશેષાંકનું વિમોચન._ગુ.મિ


ગઝલ : ફૂલ વિસરાયું નહીં- રઝિયા મીરઝા

(શરદ, તારું ગુલાબ- ના સૌજન્યથી)
Posted in લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા | Tags: જય ગજ્જર, લઘુ કથા, લઘુ વાર્તા, વહુ કે દીકરી ?—જય ગજ્જર, વાર્તા







(કાવ્ય ચર્ચા ના સૌજન્યથી)
Posted in ગઝલ, ચર્ચા, છંદ, વિવેચન | Tags: આધુનિક કવિતામાં યુગ ચેતના, વિવેચન, સુરેશ હ. જોશી
આસીમ રાંદેરી નામના શબ્દના સૂરજને સુરતી કવિઓએ આપેલી શબ્દાંજલિ...
ગઝલમાં શ્રેષ્ઠ પ્રદાન માટે વલી ગુજરાતી એવોર્ડ મેળવનાર સુરતની શાન સમા ૧૦૪ ર્વિષય ગઝલકાર આસીમ રાંદેરીની. તેઓ સદેહે ભલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હોય પણ શબ્દદેહે તેઓ હંમેશા આપણા શ્વાસમાં ધબકતા રહેશે. આસીમસાહેબને શબ્દાંજલિ આપતાં શહેરના પ્રતિષ્ઠિત કવિઓએ દિલ ખોલીને ગોઠડી માંડી હતી.
એમણે ગઝલને શિષ્ટ બનાવીઃ રઈશ મણિયાર
જાણીતા ગઝલકાર ડો. રઈશ મણિયારે જણાવ્યું હતું કે આસીમસાહેબ ૧૦૪ વર્ષની સમૃદ્ધ જિંદગી જીવી ગયા છે અને શરીરે એમનો ધર્મ બજાવતાં તેઓ કાળધર્મ પામ્યા છે એનો શોક ન કરી શકાય. એમના શબ્દો દરેક યુવા હૃદયની ધડકન બની ગયા છે જે અમર છે.
રઈશભાઈ કહે છે કે ગઝલને ઉર્દૂ અસરમાંથી મુક્ત કરનાર કવિઓમાં આસીમ રાંદેરીનો બીજો ક્રમ આવે છે. શયદા પછી એમણે ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જે રીતે જાણીતા ઉર્ર્દૂુ શાયર અખ્તર શિરાનીએ સલમા નામના સ્ત્રી પાત્રને ઉદ્દેશીને ગઝલો રચી હતી એવી જ રીતે આસીમ રાંદેરીએ પણ લીલા નામના સ્ત્રી પાત્રને પોતાની ગઝલનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યો હતો.
એમણે પોતાના નિષ્ફળ પ્રણયને પણ સાહિત્યનું રૃપ આપીને જીવનને એક નવી દિશા આપી હતી અને ગઝલ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. રઈશભાઈ પોતાના જીવનની યાદગાર ક્ષણો વર્ણવતાં કહે છે કે એમણે માત્ર ૧૮ વર્ષની વયે પ્રથમવાર આસીમ રાંદેરી સાથે એક જ મંચ પરથી પોતાની ગઝલો રજૂ કરી હતી. એ સમયે આસીમ રાંદેરીની વય ૮૧ વર્ષ હતી.
ગુજરાતી ગઝલના ગ્રાંડ ઓલ્ડ મેન ગયા : ભગવતીકુમાર શર્મા
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા કહે છે કે આસીમ રાંદેરી એ ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ હતા અને એ ગઝલનો સુવર્ણકાળ હતો.
મુશાયરાઓમાં એમની વિશિષ્ટ શૈલીને કારણે તેઓ હંમેશા છવાયેલા રહેતાં. તેઓ જ્યારે મંચ પરથી તરન્નુમમાં વિરહની વેદના નિતરતી રંગીન શાયરી રજૂ કરતાં ત્યારે દરેક શ્રોતાને એ પોતીકી લાગતી. તેઓ હંમેશા સૂટ, બૂટ, ટાઈથી સજ્જ થઈને પર્ફ્યુમથી મઘમઘતાં મંચ પર આવતાં પણ એમનામાં મન, હૃદય અને આત્માની આગવી ખુશ્બુ હતી. એમણે આપેલાં ત્રણ કાવ્યસંગ્રહોમાં લીલા, શણગાર અને તાપીતટેનો સમાવેશ થાય છે.
આસીમસાહેબના પ્રેમકાવ્યો જ એમની ઓળખ છે : મુકુલ ચોક્સી
જાણીતા ગઝલકાર ડો. મુકુલ ચોકસી કહે છે કે એમણે અત્યાર સુધીમાં જેટલા ગીત-ગઝલ લખ્યાં છે એમાંથી ૯૦ ટકા રચના પ્રણયરંગે રંગાયેલી છે અને આસીમસાહેબે પણ મોટાભાગનું ખેડાણ પ્રણયરંગે રંગાયેલી ગઝલો લખવામાં જ કર્યું છે અને એથી જ આસીમસાહેબ મારા પ્રિય કવિ છે. એમની ગઝલ અંગેની ફિલસૂફી રજૂ કરતાં મુકુલભાઈ કહે છે કે તેઓ મહાકાવ્ય જેવું ભારેખમ સાહિત્ય રચવાને બદલે હાલરડાં જેવી સામાન્ય છતાં દેશની પ્રત્યેક માતાના કંઠે ગવાય એવી જીવંત કૃતિ રચવા માંગતા હતા અને એથી જ એમણે પ્રણય રંગે રંગાયેલી ગઝલો લખીને યુવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.
મુકુલભાઈ કહે છે કે એમણે તો આસીમસાહેબને એમના જીવનના છેલ્લા દોરમાં જ સાંભળ્યા છે. એમની ગઝલ આઝાદીની ચળવળના સમયે લખાઈ હોવાથી એમાં ખાદીનો ઉલ્લેખ પણ જોવા મળે છે. વર્ષો પહેલાં કવિની મુફલિસ તરીકેની છાપ હતી પણ આસીમસાહેબે એ છાપ દૂર કરી છે. મુંબઈની સંસ્થા આઈએનટી દ્વારા શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં મુશાયરો યોજાયો ત્યારે ૧૦૧ વર્ષની જૈફ વયે પણ આસીમસાહેબે પોતાની રંગીન તબિયત દર્શાવતો શેર રજૂ કરીને શ્રોતાઓની દાદ લૂંટી હતી. એમનો એ શેર ખૂબ જાણીતો છે : જવાની ગઈ છતાં પણ એ જીવન શણગાર લાગે છે, કળી કરમાઈ ગઈ છે છતાંયે ખુશ્બુુદાર લાગે છે.
ગુજરાતી ગઝલ સૂની થઈ ગઈ : ગૌરાંગ ઠાકર
હાલમાં પોતાના ગઝલસંગ્રહ મારા હિસ્સાનો સૂરજ માટે ગુજરાત રાજ્યનો પ્રતિષ્ઠિત ગણાતો ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર યુવા કવિ ગૌરાંગ ઠાકર કહે છે કે આસીમચાચા સાથે એક મંચ પરથી ગઝલનું પઠન કરવું એ સન્માન ગણાય. આસીમચાચાએ કંકોતરી નઝમ દ્વારા યુવા હૈયાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સુરતના રાંદેર ખાતે ગુજરાતી ગઝલનો પ્રથમ વિધિવત મુશાયરો વર્ષ ૧૯૩૩માં યોજ્યો હતો, જેમાં રતિલાલ અનિલનો ફાળો પણ મહત્ત્વનો ગણાય છે. ગૌરાંગ ઠાકર કહે છે કે એમની ગઝલની સફળતા એમના શબ્દોની સરળતામાં હતી. એમને મુંબઈની આઈએનટી સંસ્થા તરફથી કવિ કલાપી એવોર્ડ મળ્યોે છે એ સુરતી તરીકે આપણું પણ ગૌરવ કહી શકાય.
આસિમ રાંદેરીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ
સુરત : ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્મા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર- ગઝલકાર આસિમ રાંદેરીના દુઃખદ નિધન અંગે ઘેરા શોક અને ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ૧૦૫ વર્ષની જૈફ વયે અવસાન પામેલા સ્વર્ગસ્થ આસિમ રાંદેરીને શ્રદ્ધાંજલી પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, ગુજરાતી સાહિત્ય અને ગઝલને ઉચ્ચત્તમ કોટિએ લઇ જવાની દિશામાં આસિમ રાંદેરીએ આપેલું યોગદાન ગુજરાતી સાહિત્ય જગતમાં સદાય અવિસ્મરણીય રહેશે. વળી ગુજરાતી એવોર્ડથી સન્માનિત સ્વર્ગસ્થ રાંદેરીની વિદાયથી ગુજરાતી સાહિત્ય અને ગઝલ જગત રાંક બન્યું છે. તેઓને ગુજરાતી સાહિત્યમાં અનેક ગઝલ સંગ્રહો લખનાર સ્વ. આસીમ રાંદેરીને શાયર વલી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય જગતે એક જુની પેઢીના ગઝલકારને ગુમાવી દીધો છે.
(સૌજન્ય સંદેશ તા.6ફેબ્રુ.2009)
Posted in ગઝલ, છંદ, પરિચય_જીવન*કવન | Tags: આસીમ રાંદેરી નામના શબ્દના સૂરજને સુરતી કવિઓએ આપેલી શબ્દાંજલિ, ગઝલ, પરિચય_જીવન*કવન, સંદેશ
અમારી મુઠ્ઠીભર માટીમાંથી—-આલ્લામા મુહમ્મદ ઇકબાલ
અમારી મુઠ્ઠીભર માટીમાંથી તું સેંકડો રુદન પ્રગટાવે છે. તારી આઘા રહેવાની ટેવ છતાં તુ અમારા જીવ કરતાંયે વધારે નજીક અમારી પાંસે છે!
પ્રભાતના વાયુ,નસીમે-સહરની લહરોમાં છૂપાઈને તું છાનો છપનો બાગમાઅં આવે છે,તું ગુલાબની ગંધમાં ભળી જાય છે,તું કળીની સાથે ઝૂમે છે !
પશ્ચિમ તારથી વિમુખ છે.પૂર્વ સાવ વાર્તા- કહાણી છે, હવે તું કોઈ નવીજ રચના કરે એવી ઘડી આવી પહોંચી છે.!
ઇંસાનનાં દિમાગમાં મુલ્કગીરી દીવાનગી રમી રહી છે તેનો ઇલાજ તું કોઇ ‘ચંગેઝી નસ્તર’થી કર.
હું તો ખુદાનો નિરંકુશ દાસ છું,અને દૂર નીકળી ગયેલો કદાચ તેના પંથે પાછો પણ ફરું,પણ તુજ મારા ગળે પુષ્પોથી ગૂંથેલો હાર પહેરાવે છે!
હું તો રુદન સિવાય કશું જાનતો નથી,જોકે જનતા મને ગઝલ ગાયકમાં ખપાવે છે, પણ અ મારા હૃદય પર ઝાકળ જેવું છાઈ ગયું એ શુ છે ?
(ઝબૂરે આઝમ—આલ્લામાં ઇકબાલના ફારસી કાવ્ય ગ્રંથનો જનાબ આચાર્ય ‘મસ્ત‘ મંગેરા સાહેબે કરેલા અનુવાદ માંથી ,આભાર સહિત)
Posted in અછાંદસ, અનુવાદ, નઝમ | Tags: અછાંદસ, અમારી મુઠ્ઠીભર માટીમાંથી----આલ્લામા મુહમ્મદ ઇકબાલ, આચાર્ય ‘મસ્ત' મંગેરા, પ્રશસ્તિ કાવ્ય
એક દિન તો પ્યાર કરલે—કાલુ કવ્વાલ
(વેલેંન્ટાઈન કા મરસિયા)
(કાલુ કવ્વાલકા અપદ્ય ગદ્યાત્મક ગીત,અહમકાને વેલેંટાઈનકે નઝર)
એક દિન તો પ્યાર કરલે
હાં,એક દિન તો પ્યા કરલે
એ તીંનસો સાંઠ દિનોંમેં
એક દિન તો પ્યાર કરલે.
બસ જૂઠા ઇકરાર કરલે
એક દિન તો પ્યાર કરલે.
હૈ જીંદગી કે ચાર દિન
ઔર તીન દિન હૈ તુમ્હારે
ઔર એક દિન કી બાત હૈ
હમ ઝૂલ્ફ તેરી સંવારે
ફિર પુરા સાલ લડેંગે
એક દિન તો પ્યાર કરલે.
પ્યાર બ્યાર કયા હૈ?
ઇસકી તકરાર ક્યા હૈ?
એક દિન કી બાત તો હૈ?
ઉલ્ઝનકા બાર ક્યા હૈ?
અંગુઠા ફિર દિખાના
એક દિન તો પ્યાર કરલે.
એક દિન તો પ્યાર કા હૈ
એક દિન હૈ માત, પિતાકા
એક દિન અબતો આયા હૈ
મિલ બેઠો કુંબે વાલો
ફિર ઠાગા ઠૈયા કરલે
એક દિન તો પ્યાર કરલે.
(હિજરી સાલ ઔર સવંત્સરીમેં સાલ 360 દિનોંકે હોતેહૈં)
Posted in અછાંદસ, કવન, ગીત | Tags: અછાંદસ, એક દિન તો પ્યાર કરલે---કાલુ કવ્વાલ, કાલુ કવ્વાલ, ગીત
ગઝલ
માણસ__રતિલાલ અનિલ
વ્હેતા જીવનજળના માણસ.
અમે નહીં મૃગજળનાં માણસ..
અમે અમારા વળના માણસ.
શિખર નહીં પણ તળના માણસ..
ધૂળિયા વેશે હાંફે ચાલેલૃ
વણઝારે પાછળના માણસ..
સૂર્યે એવું અચરજ દીઠું
સહરા ખેડે હળના માણસ.
દીવો નિરખે પંડ પ્રકાશે
પડછાયા કાજળના માણસ..
આડશના એ પ્રતીક નોખાં
દીઠા લલાટે સળના માણસ..
નિજની પીઠે ચાબૂક વીંઝે
એવા છે હયદળના માણસ..
ચોઘડિયા બદલાય છે એવાં
અમૃતના તે ચળના માણસ.
માણસ. સામે ન ખૂલે માણસ.
એવા યે છે કળના માણસ..
દીવા થઈને આવે છે પણ
હોય છે દાવાનળના માણસ..
સંવત્સર બીજાએ લીધા
રહ્યા સહ્યા તે પળના માણસ..
બપ્પોરે તો તડકો તડકો
પરોઢિયે ઝાકળના માણસ..
માણસ.ને શોધો તો મળશે
કળના માણસ. બળના માણસ..
ભવસાગરનાં મત્સ્ય નથી કંઈ
એ તો કૂવા નળનાં માણસ.
કીડીની વણઝાર રચે છે
પેન ને કાગળના માણસ.
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: ગઝલ, છંદ, માણસ, માણસ__રતિલાલ અનિલ, રતિલાલ અનિલ, શાયરી, શેર, Gujarati Gazhal
ગઝલ

ચકલીઓ—ભગવતીકુમાર શર્મા(સ્વ હસ્તાક્ષરમાં)


(શહીદે ગઝલ ના ભગવતી કુમાર શર્મા નંબર માર્ચ-મે 2008ના સૌજન્યથી)
શહીદે ગઝલ: ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રિમાસિક
સંપાદક : શકીલ કાદરી
લવાજમ દેશમાં રૂ.200/-પરદેશમાં રૂ:600/
પ્રાપ્તિ સ્થાન:
મોહંમદ શકીલ એ.કાદરી
ડી-114, મધુરમ સોસાયટી,તાંદલજા રોડ,વડોડરા.ગુજરાત. 390012
મો.9898834889
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ચકલીઓ, ચકલીઓ—ભગવતીકુમાર શર્મા, છંદ, ભગવતીકુમાર શર્મા, શાયરી, શેર, Gujarati Gazhal
ગાલિબ અને એમની ઈજારના નાડાંની ગાંઠો— નિદા ફાજલી
રાજા મહારાજાઓની હારજીત થીજ કંઇ એકલો ઈતિહાસ નથી બનતો,પરંતુ . ઘણી નાની નાની વસ્તુઓથી પણ બને છે .જે પોતાના સમયમાં ઘટિત થઇ હોય અને અને સમયાંતરની સાથે તે પોતે એક ઈતિહાસ બની જાય છે.
આ વાસ્તવમાં ઘણી મામૂલી વસ્તુઓ મહામૂલી હોય છે.
મને એનો અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે મિર્ઝા ગાલિબની યાદમાં એક ”ગાલિબ મ્યુઝિયમ” બનાવ્યું..
દિલ્હીમાં માતા સુંદરી કૉલેજની સામે આ ખૂબસુરત ઈમારત આવેલી છે.જેને ”એવાને ગાલિબ” ગાલિબ ઇંસ્ટિટ્યુટ પણ કહેવામાં આવેછે. એ આવીજ સામન્ય જાણાતી વસ્તુઓથી ગાલિબ ના સમયને વર્ણવે છે.
આ ઈમારત મોગલ સ્થાપત્ય અને સર્જમકતાનો એક નમૂનો છે.
અંતિમ મોગલ બાદશાહના સમયના સમકાલિન શાયર મિર્ઝા ગાલિબના સમયના વસ્ત્રો,વાસણો,ટોપીઓ,પાનદાન,જોડાઓ,અને નાના મોટા ઘરેણાઓ વિ. બતાવીને એવો એક ઇતિહાસ સર્જવાનો પ્રયત્ન થયો છે.
એ ઇતિહાસ તે ઇતિહાસથી તદ્દન વિરોધાભાષી છે ,જે આપણને સ્કૂલો અને કૉલેજમાં ભણાવવામાં આવ્યો છે.જેમાં તલવાર,બંદુકો અને તોપોને હિન્દુ મુસ્લિમ નામાકરણ કરીને એક માણસને બીજા માણસ સાથે લડાવવામાં આવ્યો છે.અનેપોત પોતાની વૉટ બેંક ઉભી કરવામાં આવી.
ગાલિબની ઇજારનુ નાડું.
ગાલિબ મ્યુઝિયમમાં બીજી ઘણી વસ્તુઓ સાથે કોઇ કલાકારના હાથે બનાવેલું ગાલિબની ઇજારનુ નાડું પણ છે.
સમય ગતિશીલ છે.તે એક સચ્ચાઈ છે.પરંતુ મ્યુઝિયમમાં રાખેલી જુની વસ્તુઓ માં સંઘરાયલો સમયનો પડાવ પણ સમયનો એક મોટો યથાર્થ છે.
તેના પર દ્રષ્ટિ પડતાંજ જોવાવાળાને તે પોતાના યુગમાં ઢસડી જાય છે.અને મોડે સુધી એને નવા નવા દ્રષ્યો અર્પિત કરે છે.
ગાલિબના પેલા લંબા ઇજારના નાડાંએ પણ મારે સાથે એવોજ વ્યહવાર કર્યો.
ગાલિબ મ્યુઝિયમમાંથી હું અચાનક 2006માંથી નીકળી પુરાની દિલ્લીની વાંકી ચુકી ગલિયોથી પસર થઈને બલ્લીમારાનની એ જિર્ણ પડેલી હવેલીમાં પહોંચી ગયો.જ્યાં ચાચા ગાલિબ આવી રહેલા બુઢપામાં પસાર થઈ ગયેલી જવાનીનો માતમ કરતા હતા.
એ હવેલીની બહાર અંગ્રેજો દિલ્લીના ગલી કુચાઓમાં 1857ની રકત હોળીનાં રંગો ભરી રહ્યા હતા.
ગાલિબનો એક શેર છે.
હમ કહીંકે દાના થે કિસ હુનરમેં યકતા થે
બેસબબ હુઆ ,ગલિબ,, દુશ્મન આસમાં અપના
હવેલી બહાર ના ફાટકપર લગાવેલી મોટી કુંડી ખખડે છે છે,ગાલિબ અંદરથી બહાર આવેછે. સામેજ અંગ્રેજ સિપાહીઓની ટૂકડી નજરે પડે છે.ગાલિબના માથા પર વિશિષ્ટ પ્રકારની ટોપી ,શરીર પર ઓઢેલો ચોગો,અને એમા લટકટા ઈજાર બંદ(નાડા)ને જોઇને ,સિપાહીઓના વડાએ તૂટી ફૂટી હિન્દુસ્તાનીમાં પૂછ્યું,તુમકા નામ ક્યા હોતા?
ગાલિબ- મિર્જા અસુદુલ્લાહ ગાલિબ ઉર્ફે નીશ?
અંગ્રેજ- તુમ લાલ કિલામેં જાત હોતા થા?
ગાલિબ- જાતાથા મગર જબ બુલાયા જાતાથા.
અંગ્રેજ- ક્યોં જાતા હોતા થા?
ગાલિબ- અપની શાયરી સુનાને-ઉનકી ગઝલ બનાને..
અંગ્રેજ- યુ મીન ,તુમ પોએટ હોતા હૈ?
ગાલિબ- હોતા નહીં,હું ભી.
અંગ્રેજ-તુમકા રિલિજન કૌનસા હોતા હૈ?
ગાલિબ- આધા મુસલમાન.
અંગ્રેજ- વ્હાટ1 આધા મુસલમાન ક્યા હોતા હૈ.?
ગાલિબ- વો શરાબ પીતા હૈ લેકિન સુવ્વર નહીં ખાતા..
ગાલિબના મજાકિયા સ્વભાવે એને બચાવી લીધો.
ગાંઠો:
મેં જોયું કે એમણે સુવા પહેલાં પોતાની ઈજારના નાડામાં ઘણી ગાંઠો લગાવી હતી
ગાલિબની એવી પ્રકૃતિ હતી કે જયારે રાત્રે શેર વિચારતા તો લખતા ન હતા.જ્યારે શેર પૂર્ણ થઈ જતો ત્યારે ઈજારના નાડામાં એક ગાંઠ લગાવી લેતા.સવારે જ્યારે જાગતા, ત્યારે એ ગાંઠોને ખોલવા માંડતા અને તમામ શેરોને ડાયરીમાં લખી લેતા..
હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ
વો હરેક બાતપે કહના ,કિ યું હોતા તો ક્યા હોતા
ઈજારના નાડા સાથે પણ ગાલિબનો સબંધ કવિત્વમય હતો. ઈજાર બંદ(નાડું) એ બે ફારસીના શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ છે. એમાં ઈજારનો અર્થ પાયજામો થાય છે.બંદ એટલે બાંધવા વાળી દોરી.
હિન્દુસ્તાનમાં એને કમર બંદ(પટ્ટો) કહેવાય છે
સ્ત્રીઓના ઈજાર બંદમાં નાની નાની સોનાની ઘુઘરીઓ પણ ગુંઠાતી.અને એમાં સાચા મોતી પણ ટાંકવામાં આવતાં હતાં.લખનૌની ચિકન(એક જાતનુ બારીક કપડું)અલીગઢની શેરવાની,ભોપાલનના બટવા(પર્સ)અને રાજસ્થાનની ચુનરીની જેમ ઈજારબંદ પણ ઘણી કલાત્મકતા હતી.
આ ઈજારબંદ મશીનની જગ્યાએ હાથથી બનાવવામાં આવતા હતા.
સ્ત્રીઓના ઈજારબંદ પુરોષોથી ભિન્નતા ધરાવતા હતા.
આ ઈજાર બંદ આજની જેમ અંદર કરીને સંતાડવામાં નહીં આવતા હતા,એ સતાડવાની વસ્તુ ન,હતી.
મહાવરાવોમાં ઈજારબંદ
આ એક શબ્દથી સાહિત્યિક સમયમાં કેટલા, ઉદાહરણ પણ સર્જાયાઅને એનો તે સમયે ઉપયોગ પણ થતો હતો.
જેવી રીતે કે ઈજાર બંદની ઢીલી, એ તે સ્ત્રી માટે પ્રયોજાતું હતું,જેની ચાલ ચલગત સારી ન હોય.
મેં આ મહાવરાને છંદ બધ્ધ કર્યો છે.
જફા હૈ ખૂનમેં શામિલ તો વો કરેગી ક્યા
ઈજારબંદકી ઢીલીસે તો ક્યા ઉમ્મેદે વફા
ઈજારબંદની સાચીનો અર્થ એવો થતો કે તે સ્ત્રી જે સુઘડ અને પતિવ્રત્તા હોય.
એ મહાવરાનો શેર આ પ્રમાણે છે.
અપની તો યહ દુઆ હૈ કિ યું દિલકી કલી ખિલે
જો ઈજાર બંદકી સચ્ચી હો કહીસે મિલે
ઈજારબંદી સબંધોનો અર્થ થાય છેકે સસુરાલનો સબંધ..પત્નીના માતા, પ્રતિનો સબંધ.
ઘરોંમેં દુરિયાં પૈદા જનાબ મત કિજિયે
ઈજારબંદીએ રિશ્તા ખરાબ મત કિજિયે
ઈજારસે બાહર હોનેસે મતલબ હૈ ગુસ્સેમેં હોશ ખોના.
પુરાની દોસ્તી ઐસે ન ખોઇયે સાહબ
ઈજારબંદસે બાહર ન હોઇએ સાહબ
ગાલિબ તો રાત્રે સર્જેલા શેરોને યાદ કરવા ઈજારના નાડામાં ગાંઠો લગાવતા હતા,અને એમનાજ
સમયકાળમા એક અનામી શાયર નજીર અકબરાબાદી ઈજાર ના નાડાના સૌંદર્યને ઓપ આપવા એની સુંદરતા પર કાવ્ય રચતા હતા.
કબીર અને નઝીરને મૌલવીઓ અને પંડિતોએ કદી સાહિત્યિક માંનયતા આપી નથી.કબીર અજ્ઞાની હતા અને નઝીર નાદાન હતા.એટલા માટે એ પરંપરાવાદી નહતા.અનુભવની અંગિઠીથી શબ્દોને તપાવીને કવિતાનું રૂપ આપતા હતા.
નઝીર મેળાઓમાં રખડતા અને જીવનાના બધાં પાસાઑને નિરખી ઝૂમી ઉઠતા.ઈજારના નાડા પરની એમની કવિતા એમની ભાષાનું પરિમાણ છે.
એમની નઝમના થોડા શેરો
છોટા બડા ન કમ મઝીલા ઈજારબંદ
હૈ ઉસ પરીકા સબસે અમોલા ઇજારબંદ
મોતી કિનારી બાદલ-ઓ મુક્કૈશ કે સિવા
થે ચાર તોલા મોતી જો તોલા ઇજારબંદ
ધોખેમેં હાથ લગ ગયા મેરા નઝીર તો
લેડી યે બોલી જા મેરા ધો લા ઇજારબંદ
(ઉર્દૂ પરથી અનુવાદ-વફા)
અન્ય
Posted in કવિતા, ગઝલ, ચર્ચા, છંદ | Tags: કવિતા, ગઝલ, ગાલિબ અને એમની ઈજારના નાડાંની ગાંઠો--- નિદા ફાજલી, નિદા ફાજલી
ગઝલ
વસવસો હોવો ઘટે— અમૃત ઘાયલ

Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: - અમૃત ઘાયલ, કવિતા, ગઝલ, છંદ*પિંગળ શાસ્ત્ર, વસવસો હોવો ઘટે--- અમૃત ઘાયલ, શાયરી, શેર, Gujarati Gazhal
ગઝલ
સંજોગવશ—અમૃત ઘાયલ

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: - અમૃત ઘાયલ, કવિતા, ગઝલ, શાયરી, શેર, સંજોગવશ—અમૃત ઘાયલ, Gujarati Gazhal

સ્વપ્નમાં પિતા- ગુલામમોહમ્મદ શેખ
બાપુ,ગઈ કાલ તમે ફરી દેખાયા
ઘરથી હજારો જોજન દૂર અહીં બાલ્ટિકને કિનારે
હું સુતો છું ત્યાં
તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં
ભાઈઓના ઝઘડામાં તમે સાંધણ કર્યું
ત્યારે પહેર્યો હતો તે જ થીંગડિયાળ કરચલિયાળ કોટ,
દાદા ગયા ત્યારે આમજ ઊભા હશો
એકલા દાદાનાં કરચલિયાળ હાથ ઝાલી,
તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઈમિયાંનાં
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા,
ભોગાવો છોડી ,ભાદર ઓળંગી
રોમજા બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી.
તમારી પૂંઠે તો જૂઓ દોડી આવ્યું કબ્રસ્તાન!
(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)
અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ
(શું ઝઘડો હજી પત્યો નથી?)
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી માં.
માં,મને સંભળાતું નથી
હમણા લગી હાથમાં હતું
તે બાળ પણ અહીંજ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.
(23-11-74 લીથુઆનીઆ)
(શબ્દસૃષ્ટિ-ફેબ્રુઆરી-2009 ના સૌજન્યથી).
Posted in અછાંદસ, કવન, કવિતા | Tags: અછાંદસ, કવિતા, Gujarati Kavita, GulamMohammed Shaikh
સ્મૃતિ- ગુલામમોહમ્મદ શેખ
અછાંદસ
ખાંડના ગાંગડા પર પડેલા પાણીનાં ટીપાંની ઘટ્ટામાં
મીઠાસ પી પીને મરી ગઈ એક કીડી
એ જોઈ
મારા મગજને પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હઠેળીમાં ઊતરી આવી
આંગળે આંગળે ઊગ્યા આંબા,
પગદંડીઓ પથરાઈ ગઈ પાંચ દિશામાં
આંખમાંથી એક પાતળું,મોળું ટીપું નીચે પડ્યું
અને મેં ટાંકણીથી કોચી જોયું
કીડીઓ કીકીમાં કંટાળીને બેસી રહી
(અથવા)
Posted in અછાંદસ, કવન, કવિતા | Tags: અછાંદસ, કવિતા, ગુલામમોહમ્મદ શેખ., સ્મૃતિ- ગુલામમોહમ્મદ શેખ, Gujarati Poetry, GulamMohammed Shaikh

ગુજરાટી ભાસા જીવહે?– નિર્મિષ ઠાકર
મને પંડિતો અને જ્ઞાનીઓની એલર્જી છે, એટલે મને ગનપટ હુરટી સાથે સારું ફાવે છે. હમણાંથી સામયિકોમાં પ્રેરણાદાયક લેખો અને કાવ્યો ઓછાં છપાતાં હતાં. એમના પર ‘ગુજરાતી બચાવ ઝુંબેશ’ ફરી વળી હતી. એક ડૉકટર પોતાની દવા ખાઇ મરવા પડેલા, એના સમાચારની પાસે છપાયેલા, આ ઝુંબેશના સમાચાર મેં છાપાંમાં વાંરયા, પછી થયું કે કોઇ લાયક સાક્ષરનો સત્સંગ હવે કરવો જ પડશે, એટલે હું ગનપટ હુરટીને ત્યાં તરત જ પહોંચી ગયો. મને તો મારી કોલમની ચિંતા, કે ગુજરાતી ભાષા જો મરી જાય, તો મારે લખવાનું શેમાં? (મારું તો ઇંગ્લિશ પણ ઊઝા જોડણી’ જેવું છે, એટલે પ્રભાવિત થવાનું નાટક બધાં કરે પણ એને સ્વીકારે કોઇ નહીં!)
‘ગણપતભાઇ, શું ગુજરાતી ભાષા જીવશે?’ મેં અધમુવા અવાજે પૂછ્યું.
‘જીવવા ડેહો, ટો જીવહે!’ એણે સિગારેટ સળગાવતાં કહ્યું.
‘આ જવાબ કહેવાય? પોપટ પાસે ચિઠ્ઠી ખેંચાવતા જયોતિષી જેવી વાત ના કરો યાર!’ હું ખેંચાયો.
‘નિમ્મેસભૈ, હાજા આડમીને બી એની મરવાની વાટો બોવ નીં કરાય, નૈં ટો એ બી ગભરાઇને માંડો પડે, ને મરી બી જાય! ગુજરાટી ભાસાને બચાવવા, મેં બી ઘનું વિચાયરું છ. ટમે આ વાંચો, બસ વાટ પૂરી!’ કહી, જેને કોઇ કાકોયે જાણતો નથી એ સુરતી ઇન્ટરનેશનલ મેગેઝિન ‘ટાજા ગોટારા’નો તાજો અંક એણે મને ઝલાવ્યો. એમાંનો એનો લેખ ‘ગુજરાટી નીં મરહે’ વાંચીને મને ઊઝા જોડણીના ‘ઊ’ જેવું અડધું બગાસું આવ્યું. પૂરું ન આવ્યું, એથી બેચેની વધી. (માટે જ કહું છું કે દીઘર્ને બદલે લઘુ માત્રા ના ચાલે!) ગનપટ હુરટીના ભાષા અંગેના મુદ્દાઓને હું મારી રીતે અહીં મૂકું છું.
૧. સુરતી બોલીના ઉચ્ચારો જ શ્રેષ્ઠ છે. જે નકામા મૂળાક્ષરો છે, તે એમાં પહેલેથી છે જ નહીં. માટે જોડણીકોશો એ પ્રમાણે સુધારી નાખવા.
૨. શબ્દો હોય કે અપશબ્દ, એનું પ્રત્યાયન થવું જોઇએ (જે ખુદ ‘પ્રત્યાયન’માં થતું નથી.) એટલે કે સામાવાળાને વાત સમજાવી જોઇએ. ઉઘાડી ગાળ તમે ગમે તે જોડણીમાં સામાવાળાને દેશો, તો એ તમને ફટકારશે જ. તાત્પર્ય એ જ કે ‘પ્રત્યાયન’ થવું જોઇએ, જોડણી અગત્યની નથી.
૩. જોડણી કરતાં આપણે વધુ અગત્યના છીએ. તમે પીવા માગો છે કે ઝાલવા માગો છો- એની તમને ખુદને જો ખબર હશે (હોવી જ જોઇએ!) તો ‘પાણી’ને બદલે ‘પાણિ’ લખાયું હશે, તો પણ ગોટાળા નહીં જ થાય.
૪. ‘નિર્મિશ’ને બદલે ‘નિમ્મેસ’ લખાય તો ચાલે, પણ એમના જેવા ‘ભાષા’ને બદલે પોતાની કોલમની ચિંતા કરવાવાળા આપણી ભાષાને જરૂર ડૂબાડશે, માટે એ ના ચાલે! એવાઓને ડૂબાડશો તો ભાષા નહીં ડૂબે.
આ અસહ્ય મુદ્દા પછી હું ગનપટ હુરટીના શબ્દોનું વધુ ‘પ્રત્યાયન’ નહીં થવા દઉ. હું એના વિચારો સાથે સંમત નથી, માટે. તમને જો ભાષાની ખરેખર ચિંતા હોય તો મારું આ સોનેટ વાંચો, શીર્ષક છે ‘મારી ભાષા’.
શું ડૂબશે એ બસ ના વિચારો!
આકાર નોખો દીસતો ભલેને,
નૌકા પ્રવાહે તરતી રહી છે!
એથી જ ભીનો જડશે કિનારો!
તાજાં સલિલે રમતો રહું છું,
આહ્લાદ એનો અડતો રહે છે!
એ માત્ર રૂપો નવલાં ધરે છે.
ભાષા નદી છે, તરતો રહું છું!
શું બંધનો નાહક હોડીઓને?
શું ‘અલ્પતા’ને અહીંયાં ‘અતિ’ શું?
શુ સ્રોત એનાં? બનતી ગતિ શું?
એ શોધવા દો બસ જ્ઞાનીઓને!
મારી ભલે બેશક રેતની છે
દેરી તટે છે, અર્થાત્ હું છું!
મિત્રો, મારા ડૂબ્યા પહેલાં ભાષા નહીં ડૂબે, ‘બસ વાટ પૂરી!’
(દિવ્ય ભાષકર તા.27ફેબ્રુઆરી2009 ના સૌજન્યથી)
Posted in માહિતી લેખ, લેખ | Tags: ગુજરાટી ભાસા જીવહે? – નિર્મિષ ઠાકર, માહિતી લેખ, લેખ, Nirmish Thakar
ભાડૂતી ગઝલ—જનાબ આઈ.ડી.બેકાર(મર્હૂમ)

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ | Tags: કવિતા, ગઝલ, ભાડૂતી ગઝલ—જનાબ આઈ.ડી.બેકાર(મર્હૂમ), શાયરી, શેર, હઝલ, Bekar, Gujarati Gazhal, Gujarati Shayri, Hazhal, I.D.Bekar, Shero shayri

ગઝલ
ઝાંઝવામાં ડૂબવા જેવું થયું- ઇકબાલ ઉઘરાતદાર, બોલ્ટન(યુ.કે.)
એક કૂંપળ દિલ મહીં આ ફૂટવા જેવું થયું
પ્રેમના બે ઢાઇ અક્ષર ઘૂંટવા જેવું થયું
એ સમાયો છે અહીં મારા મહીં પડતાં ખબર
આ કવચ મારા પણાનું તૂટવા જેવું થયું
રાત મધ્યે હાથ ખાલી દિલ નજર એના તરફ
એક મુફલિસ થઈ ખુદાને લૂંટવા જેવું થયું
રકત નીતરતા અમારા હાથની એવી કથા
ફૂલ છોડી કંટકોને ચૂંટવા જેવું થયું
રાહબર એવા અમે જે માર્ગ ખુદ ભૂલી ગયા
રણ વચાળે ઝાંઝવામાં ડૂબવા જેવું થયું
(સૌજન્ય: ભવ્ય ત્રિભાષી મુશાયરો ,સ્મરણિકા યુ.કે)
Gazhal_Dr.Adam Tankarvi (Bolton, U.K.)
Do you want to learn to write a Gazhal in English?
Not too hard. Just read and Understand the rule, illustrated by Dr.Adam Tankarvi of Bolton U.K. (Former Professor of Linguistic in Vallabh vidyanagar University, Gujarat, India)


(Courtesy Of Tri Lingual Mushayera souvenir, Bolton U.K.19 Octo.2009
Posted in કવિતા, ગઝલ, છંદ, છંદ*પિંગળ શાસ્ત્ર | Tags: Adam Tankarvi, કવિતા, ગઝલ, છંદ, છંદ*પિંગળ શાસ્ત્ર, Gazhal_Dr.Adam Tankarvi (Bolton, U.K.)
પૈસાનું ગ્રુપ- કાસિમ અબ્બાસ

Posted in લેખ | Tags: પૈસાનું ગ્રુપ- કાસિમ અબ્બાસ, લેખ
ગાંધી બાપુને યાદ કરવાની સીઝન—ચન્દ્રકાંત બક્ષી
અમેરિકામાં એકવાર ‘સ્પીરો ટી. એગન્યુ’ નામના એક લગભગ અજ્ઞાત રાજકારણી ઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યું હતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પૂછાવા માંડયું : ‘સ્પીરો..હૂ?’ (સ્પીરો કોણ?) પછી તો ‘સ્પીરો હૂ’ ચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાના આરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડયું. એ આડવાત છે).
અજ્ઞાત માણસની મજાકરૃપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહે જોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ ‘દીનબંધુ’ હતા. દીનબંધુ એટલે ગરીબોના બેલી! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢય માણસો આવ્યા અને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને ‘દેશબંધુ’ થઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુ રહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!
ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્ની પૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો. (એ વખતે હિન્દુસ્તાની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડ ક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાં પ્રવાસ કરાવવો અમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારો ભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.
એ લોકો મોટરોમાં નહીં, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડાંમાં આવતા. અહમદ પટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ! સ્ટેશનો પર ભીડ નહીં થાય અને જે આવશે એ પોતપોતાની મારુતિ કે ફિયાટ કે સરકારી જીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી ‘તકલીફ’ એમને નહીં પડે.
ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાં ‘રોમન લો’ લેટિનમાં ભણ્યા હતા. ૧૯૨૨માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું હતું કે મારો વ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. ૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણે દાંડીકૂચ કરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિન્દુસ્તાનીના ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતો હતો!
સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહે અંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યની હતી…
ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાની શરૃઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહીં, પણ ધર્મપત્નીનું નામ છે). એકવાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છે એટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવા’. એ સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું, ‘હવે હું એક ‘લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ’. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!’
એકવાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએ સ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ ડોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે! આ ભયાનક ગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાંખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગ કરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.
ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.
ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએ કેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! ૧૮૯૮માં ગાંધીજીએ હિન્દુસ્તાની માટે ‘ગાઈડ ટુ લંડન’ લખી હતી, અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધી એ પ્રવૃત્ત રહ્યા હતા.
બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’થી ‘ઝેડ’ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે.
ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ ‘ઈન્ડિયન હોમરૃલ’ નામનું લગભગ ભૂલાયેલું પુસ્તક જોવું પડશે. ‘ઈન્ડિયન ઓપિનિયન’માં એ ધારાવાહિક પ્રકટ થયું હતું. લેખક અને વાચક વચ્ચેના સંવાદરૃપે! ગાંધીજીએ ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૯ને દિવસે એચ.એસ. પોલોકને લખેલા પત્રમાં ‘હિંદ સ્વરાજ’ વિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જ આપ્યો છે. પુસ્તકમાં પણ એમના વિચારો ફેલાયેલા છે.
ગાંધીજી પાર્લમેન્ટને ‘વાંઝિયણ અને વેશ્યા’ કહે છે. એમનું કહેવું છે કે વકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હોસ્પિટલો પાપને ટકાવી રાખવા માટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. આધુનિક સંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્યશરીર એ સર્વશ્રેષ્ઠ મશીન છે.
ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણ આધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે – રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધો દ્વારા! મેડિકલ સાયન્સ એ ‘બ્લેક મેજિક’નો અર્ક છે.
ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારે સ્વીકાર્યું છે. હોસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ) માટે હોસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હોસ્પિટલો, વકીલો, ડૉકટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથાકથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાન થઈને ર્ધાિમક અને સાદું જીવવું પડશે. ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહીં પહેરવાં જોઈએ, એ મશીનો યુરોપિયન હોય કે ભારતીય હોય, બંને વર્જ્ય છે.
ગાંધીજીના વિચારોને અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સ વિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા! સપ્ટેમ્બર, ૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન’ શરૃ કર્યું ત્યારે ‘અમારો ઉદ્દેશ’ નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : ‘…જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.’
ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!
ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અને આદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે ‘ઈનસાઈડ એશિયા’માં લખ્યું છે : એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું (પૃષ્ઠ ૩૮૪). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. ૩૮૪). આત્મકથાને અંતે મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવી છે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની ‘લોંગ માર્ચ’ અને ગાંધીજીની દાંડીકૂચની તુલના કરી છે. એ લખે છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની ‘લોંગ’ માર્ચના એક અપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતે ગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મૌતે મરીશ, મારાં હાડકાં કુત્તાઓ ચાટી જાય એ કબૂલ છે, પણ હું તૂટેલો, ભગનહ્ય્દય પાછો નહીં આવું! અંતે પૃષ્ઠ ૪૦૯ પર પત્રકાર જ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે : અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિન્દુસ્તાની પ્રજાને નવો સ્પિરિટ, નવી એકતા આપ્યા. એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુ પ્યારથી સ્વીકાર કરશે.
ડેલ કાર્નેગીના ‘હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ’માં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુ અહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનોય મરી ગયો હોત! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશે લખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વિજય જોવો હોય તો ગાંધીજીનું જીવન જુઓ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથી કેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે… જે સેના માટે લાખો ડોલર ખર્ચ્યા હોત તો પણ નિષ્ફળ જાત.
લૂઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથી લખ્યું છે. નવેમ્બર ૧૩, ૧૯૫૦ ‘ટાઈમ’ સાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતા નોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા! અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિ ‘રાષ્ટ્રપિતા’ પુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકા ‘આજકાલ’ના ઓક્ટોબર, ૧૯૫૦ના અંકના બાવનમા પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં) હર જગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધી હિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઇજ્જત બઢી. દુનિયાને તસલીમ કિયા કિ અજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશની આઈ…
ક્લોઝ અપ
સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીને એક ભવિષ્ય હોય છે. – ઓસ્કાર વાઈલ્ડ
(‘ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃત નિબંધો’માંથી)
Posted in નિબંધ, લેખ | Tags: ગાંધી બાપુને યાદ કરવાની સીઝન—ચન્દ્રકાંત બક્ષી, નિબંધ, લેખ, Chandrakant Baxi
કામણ છે -અદમ ટંકારવી
આ તરફ બાગ ને તે તરફ રણ છે
એતો આ પણ છે અને તે પણ છે
આમ મન ડોલે કે તન ડોલે પણ
સાવ ડૉલરિયું એનું સગપણ છે
જોઈ નજદીકથી એનાં મસ્તક
એમ શંકા પડે કે રાવણ છે
ખુલ્લી આંખે કશું દેખાય નહીં
આ મુલકનુંય કેવું કામણ છે
આમ તો એજ સમસ્યાનો ઉકેલ
ને સમસ્યાનું એજ કારણ છે
આમ બંદુકથી રમાય નહીં
એને ક્યાં એટલીયે સમજણ છે
તું ય લખ લખ કરેછે એની ગઝલ
આ અમેરિકા એક વળગણ છે
એને છેડીશ તો ગાળ દેશે અદમ
એય હડસન નદીની માછણ છે
(ન્યુયોર્ક 16-8-1999)
(‘અમેરિકામાં હોવું એટલે’ના સૌજન્યથી)
નાસમઝ_સંજય પુરોહિત(હિન્દી લેખક)
પપ્પા! આ કવિતાતો મને જરાયે સમજાઈ નહીં
બેટા! એમાં આશ્ચર્યની શી વાત છે? જો સમજમાં આવી જાય તો પછી એને કવિતાજ કેમ કહેવાય?
પણ પપ્પા !મને છઠ્ઠા ધોરણની “ઝાંસીકી રાની”અને “પાથલ ઔર પીથલ” તો બરાબર સમજમાં આવી ગઈ હતી.અને મેં યાદ પણ કરી લીધી હતી..અને આટલા વર્ષો પછી પણ મને પૂરી યાદ છે.તે પણ તો કવિતાઓજ હતી ને?
બેટા!, તે જમાનો વિતી ગયો.જ્યારે સાદી ભાષમાં લોક ભાવનામાં કવિતા લખાતી હતી,.હવે તો કવિતામં પણ ઘણાં પ્રયોગો થઈ રહ્યા છે.
પ્રયોગ ! આ તમે શું કહી રહ્યા છો? કવિતા કંઈ દેડકાંઉંદરો કે વાંદરા છે ? તેમના પર પ્રયોગ કરવામાં આવે.
તને સમજ નહીં પડી,હવે કવિતા પણ પહેલાં જેવી નથી રહી. કોઇ,નવી કવિતા લખે તો કોઈ હાઈકૂ .આ કંઈ મૉડર્ન આર્ટ જેવું છે.જે ઘણાં ઓછા લોકોને સમજમાં આવેછે.કવિઓ નવા નવા પ્રયોગ કરે સાહિત્યને સમૃધ્ધ કરી રહ્યા છે.
પપ્પા!મને સાચું કહો તમારા સમજમાં આ નવી કવિતાઓ આવે છે?
બેટા! હું એક સાધારણ ભારતીય જેટલી સામન્ય બુદ્ધિ ધરાવતો માણસછું,મને એ કેવી રીતે સમજાય?
હા, શબ્દ કોશ લઈને બેસું તો કદાચ સમજમાં આવી જાય..પરંતુ એટલો સમય લાવવો ક્યાંથી
પપ્પા!જ્યારે એ સામાન્ય ભારતીયને સમજમાં ના આવતી હોય તો ,આવી કવિતાને કોણ્ વાંચે અને સમજે?
બેટા! બધાજ શહેરોમાં દસ હજારની વસ્તીમાં એકાદ સાહિત્યકાર તો હોયજ છે.,હવે જેટલી વસ્તી હશે એનાં પ્રમાણમાં એટલા સાહિત્યકારો તો હોવાના.આપણા શહેરમાં પણ ઓછામાં ઓછા પંદર વીસ તો હશેજ.તે લોકો આ કવિતાને સમજે છે.
પપ્પા! આ વસ્તુ તો કંઈ સમજમાં નથી આવતી. આજના કવિઓ એવી કવિતા કેમ નથી લખતા કે આપણી સમજમાં પણ આવી જાય, અને જેને ગુનગુનાવી શકીએં,અને એનાથી કંઈક પ્રેણા પણ પ્રાપ્ત થાય.
બેટા! એવું નથી કે કવિ એવી કવિતાઓ લખી નથી શકતા,,પણ આવી કવિતા સામાન્ય માણસને સમજમાં પણ આવી જાય અને તારા જેવા બાળકો મોઢે પણ કરીલે,પરંતુ એનાથી કવિનું સ્ટાંન્ડર્ડ નીચું થઈ જાય છે.અને આઉટડેટેડ કક્ષામાં સરી પડવાની પણ ભિતી રહે છે.
પપ્પા!મને આ વાત બિલકુલ સમજમાં આવતી નથી.
બેટા! સમજવા માટે સાહિત્યકારોના સ્તરની બુધ્ધિ પ્રતિભા જોઈએ,.અને તે તારામાં અને કદાચ મારામાં પણ નથી.,
(અનુવાદ—વફા)
હદીસે નબવી
ઇયાદતના ફઝાઇલ( માંદા માણસોની ખબર કાઢવાના ફાયદાઓ)
1
હઝરત ઉમ્મે સલમ્હ(રદિ.)કહેછે કે ,રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું:”જયારે તમે કોઇ માંદા માણસ પાંસે જાઓ ,અથવા કોઇ મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિ પાંસે જાઓ, ત્યારે ત્યારે તેની સામે ભલાઈના શબ્દો ઉચ્ચારો.કારણકે તમે જે કંઇ વદો છો તેના પર ફરિશ્તા આમીન કહે છે(મુસ્લિમ, મિશ્કાત)
2
હઝરત ઉમર (રદિ)નું કથન છે કે રસુલુલ્લાહ (સલ..) એ ઇર્શાદ ફરમાવ્યો,જ્યારે તમે કોઇ બિમાર માણસની ખબર અંતર કાઢવા જાવ ત્યારે તેને કહો કે તમારા માટે દુઆ કરે.કારણકે તેની દુઆ ફરિશ્તાઓની દુઆ જેવી છે.(ઇબ્ને માજહ ,મિશ્કાત)
હદીસ=પયગંબર મુહમ્મદ(સલ.)ના કથનો,ઉચ્ચારણો,વાતો
મુસ્લિમ=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ
મિશ્કાત=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ
ઇબ્ને માજહ=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ
Posted in Hadith | Tags: Hadithe Nabvi
ના’ત
કુવ્વતે ઇશક—અલ્લામા મુહમ્મદ ઇકબાલ્
કુવ્વતે ઇશ્ક સે હર પસ્તકો બાલા કરદે
દહર મેં ઇસ્મે મુહમ્મદસે ઉજાલા કરદે
વકતે ફૂર્સત હૈ કહાં-કામ અભી બાકી હૈ
નૂરે તૌહીદ કા ઇત્મામ અભી બાકી હૈ.
અનુવાદ
પ્રેમની શક્તિથી દરેક ખીણ ને ઉંચાઇ અર્પી દે
આ વિશ્વને મુહમ્મદ(સલ.)ના નામથી પ્રકાશિત કરીદે
હજી ફુરસત ક્યાં છે? હજી ઘણું કામ બાકી છે
તૌહીદ(એકેશ્વરવાદ)ના પ્રાકાશ ની સમાપ્તિ હજી બાકી છે.
Posted in Naat | Tags: Allama Iqbal, Naat
ના’ત
ફકત એક સાકી—મુહમ્મદઅલી વફા
અમારી પરબ છે ફકત એક સાકી
અમારી તરસ છે ફકત એક સાકી
અમારી સફરનાં ન કોઈ મુકામો
અમારી મજલ છે ફકત એક સાકી
અમે દોસ્ત પીશુ ફકત કૌસરે થી
અમારી તલબ છે ફકત એક સાકી
મુહમ્મદ(સલ.)નબીના અમે તો દુલારા
અમારો નસબ છે ફકત એક સાકી
ભલે હોય રંગો અલગ બોલ ભાષા
અમારું કથન છે ફકત એક સાકી
અમે લાઇલાહા ફકત બસ પઢીશું
રસુલ(સલ.)નું રટણ છે ફકત એક સાકી
મદીના તરફ છે સતત આ નિગાહો
અમારું વતન છે ફકત એક સાકી
અમે ચાલશું બસ હરમની દિશામાં
અમારી નજર છે ફકત એક સાકી
અમોને મળી જાય અલ્લાહની રે’મત
વદનની તડપ છે ફકત એક સાકી
વફાનાં સલામો કબૂલો ને આકા
વફાની અરરજ છે ફકત એક સાકી
ના’ત
કરબલાનો પડકાર—શૂન્ય પાલન પુરી
હર શબ્દે હૃદય પર ઘાવ થશે
હર વાક્યે જિગર પર વાર થશે
કરબલાની હકીકત લખનારી
પ્રત્યેક કલમ તલવાર થશે
હૈદરનું શુરાતન સીંચે છે
ઇસ્લામના કોમળ ફૂલોને
એ ફૂલ જલાલી થશે તો
હર પાંખડી એક તલવાર થશે
અંધકાર જગત પર વ્યાપે તો
સૂરજને નથી કહેવું પડતું
વધવા દો યઝીદી જુલ્મોને
કરબલાનો ફરી પડકાર થશે
ઇસ્લામની ઘૂંટી – ઘૂંટીથી
ટપકે છે શહાદતનુ અમૃત
એ અમૃત પી ઉછળેલ કળી
હર ગુલશનનો શણગાર થશે
છે શૂન્ય કસોટી હિંમતની
દુનિયાને પ્રહારો કરવાદે
ઇમાનથી ટક્કર લેનારા
બાતીલની હમેશા હાર થશે
Posted in કવિતા, ના’ત, શાયરી, શેર, Naat | Tags: Karbalano Padkar, Naat, Shoonya Palanpuri
ગઝલ
ગામના ખંડેરમાં હવે-મનસુખ નારિયા
લે-વેચ થશે શ્વાસની જાહેરમાં હવે
હવા ખરીદવી પડે શહેરમાં હવે
પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી-
યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે
સાંધી ચલાવતા પ્રયત્ન તો વ્યર્થ છે
ફાટી તૂટેલી જિંદગી પહેર મા હવે
મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર
મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે
સૂરજનો અર્થ ઉકલી શક્યો ના એટલે
સત્તા છે મીણ બત્તીની અંધેરમાં હવે
(અહેસાસ)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગામના ખંડેરમાઅં હવે-મનસુખ નારિયા, શાયરી, શેર, Gujarati Gazhal, Mansukh Nariya
સત્યની સામે અસત છે-પ્રેમ સામે ઝેર છે
નીતિ સામે છે અનિતી, મત્રી સામે વેર છે
અ જ છે કુરુક્ષેત્ર પાછું, પણ કળિયુગ તો જુઓ
સારથી ભગવાન છે ના, એટલો બસ ફેર છે
વાડીઓ વેરાન છે ને ખોરડાં ખંડેર છે
આજ બસ જંગાલિયતન્ર ઘેર લીલા લે’ર છે
લાશના ડુંગર પરે પડઘમ બજે છે શૌર્યનાં
કાળ ભૈરવનો પરમ આનંદ કાળો કેર ચે
માસુમોનાં લોહીની ઉડતી ફુવારી ચોતરફ
કાતિલો હોળી રમે છે ઘૂમ ઘેરેઘેર છે
ન્યાય પર વરસી રહી છે ગોળીઓ અન્યાય ની
સબ્રના સીનામાં કાતિલ જુલ્મની શમશેર છે
ઓશિયાળી થઈ કરે છે માનવતા મૂંગી વિલા
કોઈ ના દે છે દિલસો કેટલું અંધેર છે
દાદ ચાહે છે કરુણાની તને છે ભાન કૈં
શૂન્ય આ સંસાર કેવળ પથ્થરોનો ઢેર છે
(શૂન્યની સ્મૃતિ)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, પથ્થરોનો ઢેર છે-શૂન્ય પાલનપુરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Shoonya Palanpuri
ગઝલ
મને એ ખબર નથી—અમૃત ઘાયલ
એ રેણ છે કે સંઘ મને એ ખબર નથી
શું ચીજ છે સબંધ મને એ ખબર નથી
સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ
બાકી શું છે સુગંધ મને એ ખબર નથી
બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત
હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી
દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયંય
છું દેખતો કે અંધ મને એ ખબર નથી
આ જેના જોરે જાઉં છું હડસેલતો મને
એ હાથ છે કે સ્કંધ મને એ ખબર નથી
મિત્રો ગઝલ ગઝલ છે ગઝલ એટલે ગઝલ
એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી
‘ઘાયલ’હું એને ચાહું છું સંપૂર્ણ ચાહું છું
છે કિંતુ શો સબંધ મને એ ખબર નથી
(ઝાંય)
કદી એ અમોને હસાવે છે દુનિયા
કદી એ અમોને રડાવે છે દુનિયા.
શરૂમાં અમોને પતાવે છે દુનિયા
પછીથી અમોને ફસાવે છે દુનિયા.
અમે શાંતિથી રહીએ શી રીતે
પરસ્પર અમોને લડાવે છે દુનિયા.
હટાવી ખુદા દે-અમારી નજર થી
કરીએં ઇબાદત ભમાવે છે દુનિયા.
અમોએ ગળેથી લગાવે છે એને
અમોનેજ આજે હં ફાવે છે દુનિયા.
કદી એ સજી દુલ્હનો જેમ આવે
નવા નાચ નિત એ નચાવે છે દુનિયા.
નથી સંભળાતું હવે જિદ્દી કૈં પણ
બધે શોર એતો મચાવે છે દુનિયા.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, રડાવે છે દુનિયા---જિદ્દી લુવારવી, શાયરી, શેર, Jiddi Luvarvi



Posted in નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા | Tags: મસ્ત ફકીર---- જય ગજ્જર
ઓ !નાદાન—- અલ્લામા મુહમ્મદ ઇકબાલ
ઓ નાદાન! તુ ફિરંગીઓ પાંસેથી સારી લાગણી, સારા વર્તાવની આશા રાખે છે. તું જાણી લે ,યાદ રાખ કે તેના પંજામા સપડાયેલા પક્ષી પ્રત્યે બાઝ પક્ષી કદી રહેમ કરતું નથી.
પિતાએ વારસામાં આપેલો મણિ સ્વીકારતાં તારે શરમાવવું જોઇએ.પથ્થરની ખાણમાંથી મળેલા મણિ મેળવવાનો આનંદ ઑરજ હોય છે.
દુનિયાની હસ્તીની નેસ્તીની ચર્ચા મારી સાથે શું કરેછે, હું તો એટલું જાણું છું કે કહું છું,પણ એ નથી જાણતો કે એ હોવા ન હોવાનો તિલસ્મ, જાદું શું છે? મયખાનાનું પ્રત્યેક શરાબ પાત્ર ,શીશી અને જામ સરકારીકોટવાલના ભયથી કંપેછે પરંતુ એમા એક અપવાદ આશકની સુરાહી છે.ઉલટો કોટવાલનો પથ્થર તેનાથી કંપે છે.
ખુદી નું વર્ણન તું સંકેત(પરદા)માં કરેછે,તો ભલે,પણ મારું કહેવું એ છે કે પરદાને પરદોજ રહેવા દેજે.ફાડીશ નહીં.કારણકે દ્રષ્ટિનો પાલવ એ વિષયમાં સાવ ટૂંકો છે.
પાનખરે એની પરનાં પાંદડા ખેરવી નાંખ્યા છે.એ જૂની ડાળ પરથી માળો ખસેડવાની વાત શરમ ભરી લાગે છે.કેમકે તું એજ ડાળની શૈયા પર પીંછા અને પાંખ પામીને મોટો થયો છે,એ તુંભૂલી જાય છે.
ગઝલ કહે તો કંઈ એવી ગઝલ કહે કે પ્રકૃતિ પોતાના વાજિંત્રોના સૂર તને આપવા માંડે.જે પ્રકૃતિ સાથે સ્પર્ધામાં ઊતરે તે વળી કેવો!
(અલ્લામાં ઇકબાલનું તત્વદર્શન આધારિત મહાન ફારસી ભાષામા કરેલુ પદ્ય સર્જન – ઝબૂરે આઝમનો અનુવાદ. અનુવાદક—જનાબ આચાર્ય મસ્ત મંગેરા. તંત્રી-વ.સમાચાર.સુરત)
Posted in અછાંદસ, કવિતા | Tags: Allama Iqbal, અછાંદસ, ઓ !નાદાન---- અલ્લામા મુહમ્મદ ઇકબાલ, કવિતા, Mast Mangera
ગઝલ
મારુંય કૈંક નામ-જવાહર બક્ષી
તારો ભલેને શ્વાસ ભર્યો છે સુગંધમાં
મારુંય કૈંક નામ છે પર્ણોનાં કંપમાં.
વીતતા સમયની સાથ વધી છે તીવ્રતા
મારણ ઘૂંટાતું જાય છે ઘટનાનાં ડંખમાં.
ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં
કાંઠા સુધી જો જાત તો વ્હેતે તરંગમાં.
શ્વાસોમાં રોજ ઊઘડે છે સ્પર્શનું પરોઢ
ઊડી ગઈ છે મ્હેક તો ઝાકળના રંગમાં.
ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી
તું કયાં કદી પલળે છે સૂરજનાં સબંધમાં.
જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર
મારી ગણત્રી થાય છે વિક્રમ સવંતમાં.
(તારાપણાના શહેરમાં-38)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મારુંય કૈંક નામ-જવાહર બક્ષી, શાયરી, શેર, Gujarati Gazhal
ગઝલ
ઇલ્ઝામ દૈ બેઠા છીએ–અહમદ મકરાણી
એક પથ્થરને સનમનું નામ દૈ બેઠા છીએ
આમ દિલને કેવું કપરુ કામ દૈ બેઠા છીએ
જાય છે થોડો સમય, આવે ફરી મારા ઘરે
વેદનાને જ્યારથી બસ થામ દૈ બેઠા છીએ
વાદળાં બે ચાર આડે રોશનીની હોય છે
સાવ નાહક કોઇને ઇલ્ઝામ દૈ બેઠા છીએ
ક્યાંય પગરવ જિંદગીનો એટલે સંભળાય ના
શ્વાસની કેવી ગલી સૂમસામ દૈ બેઠા છીએ
યાદ કરવાં જાઉં તો પણ યાદ ના આવે હવે
એક વીંટી કોઈને ગુમના દૈ બેઠા છીએ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: Ahmed Makrani, ઇલ્ઝામ દૈ બેઠા છીએ--અહમદ મકરાણી, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujlish Gazhlo
ગઝલ
માવઠા જેવું હસી-અશોકપુરી ગોસ્વામી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: Ashokpuri Goswami, કવિતા, ગઝલ, માવઠા જેવું હસી-અશોકપુરી ગોસ્વામી, શાયરી, શેર, Gujarati Gazhal

દીવાલ પહરેછે-કરસનદાસ લુહાર
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગઝલ દીવાલ પહરેછે-કરસનદાસ લુહાર, શાયરી, શેર, karsandas Luhar
ગઝલ
ઘૂંટવાનું મન થયું.—હરેશ”તથાગત”
પત્ર જેવી એક ઇચ્છા ,બાળવાનું મન થયું.
ફૂલ ,જે આપ્યું નથી તે ,માગવાનું મન થયું.
નામ મારું સાવ એના નામની પડખે લખી,
કોણ અજાણે કેમ અમસ્તું ભૂંસવાનું મન થયું.
અંધને આંખો મળે એ રીતથી મળતાં અમે,
ચાંદ બદલે આજ તમને તાકવાનું મન થયું.
>
હોઠથી કે’વું હતું તે આંખથી બોલી દઈ,
મ્હેકથી એને પવનમાં ઘૂંટવાનું મન થયું.
બંસરીના સૂર પ્હેરી ખૂલતાં પંખી ઘરે,
ફૂલ વેણીમાં હતું તે માં ગવાનું મન થયું.
ગઝલ
રોનક થઈ ગઈ—હેમેન શાહ
સોબત વાદળ માફક થઈ ગઈ.
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.
કોણ ટહુક્યું ભર બપ્પોરે?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.
બારી ખોલી મેઘધનુષ ત્યાં!
શું અણધારે આવક થઈ ગઈ.
જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્ય વિધાયક થઈ ગઈ.
બત્તી ઉઘડી હસ્યા ફૂવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.
જૂનાં સ્મરણો પાછા આવ્યા
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.
Posted in ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Hemen Shah


(આભંગ-254)
Posted in માહિતી | Tags: પરિચય_જીવન*કવન, મારી માન્યતા—ચન્દ્રકાન્ત બક્ષી, માહિતી, Chandrakant Baxi
છિન્ન પત્ર1—સુરેશ હ.જોષી

Posted in ગદ્ય | Tags: ગદ્ય, છિન્ન પત્ર1—સુરેશ હ.જોષી, Suresh Joshi

Posted in માહિતી લેખ, લેખ | Tags: માહિતી લેખ, સાચા સુખનો ઇલાજ---આચાર્ય મસ્ત મંગેરા, Mast Mangera
Posted in અછાંદસ, કવિતા | Tags: અસુખની ક્ષણો--જયંત પાઠક, કવિતા, Gujarati Poetry, Jayant Pathak
Posted in અછાંદસ, કવિતા | Tags: કવિતા, Gujarati Poetry, Jayant Pathak
Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, કવિતા, Jayant Pathak
Posted in અછાંદસ, કવિતા, ગદ્ય | Tags: અછાંદસ, કવિતા, Gujarati Poetry, Jayant Pathak
ગઝલ
બેફામ આવશે!—પ્રકાશ ચૌહાણ’જલાલ’
વરુણને વણ માંગી સલાહ —-જગદીશ આચાર્ય
To read another intresting article on this subject in Hindiand Urdusimultaneusly pl.click the following URL of Rashtriya Sahara.
http://bagewafa.wordpress.com/2009/03/27/dastanehindi_azizburney/
Posted in ગદ્ય, ચર્ચા, માહિતી લેખ | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, JagdishAcharyaa
આશરે ચાલ્યા—ભગવતીકુમાર શર્મા
‘શૂન્ય‘યાને અલીખાન બલુચ—ચન્દ્રકાંત બક્ષી
વર્ષ યાદ નથી. પણ બીજું વિશ્વ યુધ્ધ ચાલતું હતું અને હું 1942માંઅંગ્રેજી ધોરણ બીજામાં હતો.બલુચ સર અંગ્રેજીનો કલાસ લેવા આવ્યા હતા, એટલે 1942જ હશે.જ્યોર્જ ફીફથ કલબમાં અલીખાન વિકેટકીપીંગ કરતા હતા. ક્રિકેટ પૂર બહરમાં હતી.અને માનવ સરોવર તરફ કદાચ જબુમિયાંના બંગલા પાસે એક મહેફિલમાં તરન્નુમમાં ગાતા શાયરનો ચહેરો ખસતો ન હતો.અર્થ કાનથી સમજવાના દિવસો હજી આવ્યા ન હતા.અર્થ આંખોથી સાંભળીને ડોલતા હતા.અર્થ પણ અમારા માટે ગંભીર હતો ભાષા ઉર્દૂ હતી.
કયા સુનાઉં? કયા સુનોગે દાસ્તાને જિંદગી…
ગમઝદાં કા તલ્ખ હોતા હૈ બયાને જિંદગી…
આ બલુચ,આ અલીખાન,આ તરુન્નમી મિજાઝ,ભાઈઓ અપણે વાલા હૈ ! પાલણપુરી હૈ ! ગુજરાત આપણા અલી ખાન બલુચને એમને ધારણ કરેલા શાયરના નામથી ઓળખેછે, ‘શૂન્ય’ પાલનપુરી !
,શૂન્ય, જેટલું વિરાટ ,બ્રહ્નાંદ જેટલું અદભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે.પણ હિન્દુ મિથક,કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દ પ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે,આનંદાશ્ચર્ય આપે છે.રાતભર સાંભર્યા છે.શબ્દનો લાવા સળગતો વહેતો જાય છે.ગજબનાક છે આ માણસની યાદ શક્તિ.અને અજબનાક છે એમનો આત્મ વિશ્વાસ ! ગુજરાતી ગઝલની કેટલીય મહેફિલોમાં,શૂન્યએ શાન રાખી છે.બહુ ઉંચી ચીજો લખી છે.ઉમર ખય્યામની રુબાઈઓનો એમનો અનુવાદ કદાચ એક લાંબા સમય સુધી બે મિસાલ રહેશે !
,શૂન્ય,ની પેઢીના શાયરો ગુજરી રહ્યા છે.ઉર્દૂ અને ગુજરાતી બન્ને અર્થોમાં.દેહ સૂઈ જાય છે ત્યારે આત્માને જાગવાનો સમય થઈ જાય છે—એમ કહેવાય છે! ‘,શૂન્ય’ માટે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યની પરિષદે એક વાર ‘મરહુમ’ શब्દ પણ વાપરેલો—ઉર્દૂ જાણે છે એ બતાવવા કે પોતાનોઆત્મ વિશ્વાસ વધારવા , ખેર,અપણીજ બૂઢી થતી આંખોની સામે આપણને શાયરે મરહુમ નું બિરૂદ એને પણ ખુશ કિસ્મતી સમજવી જોઈએ.!તમામ કે નાતમામ જેવા શબ્દો કર્તા માટે બરાબર છે,કૃતિ માટે બરાબર નથી.કૃતિમાં કલાકારનો આત્મા જીવતો રહે છે.
અને શૂન્ય એ પોતેજ કહ્યું નથી?
હમ શાયર હૈ વોહ શાયર જિસસે લરઝાં હૈ અઝલ
ખોલ ન ડાલે કહીં રાઝે નિહાને ઝિંદગી
શુભેચ્છાઓ સાથે મારા ગુરુ અને મિત્ર અને હમજાન શૂન્યપાલનપુરીની આંખો અને આંગળીઓમાં કુવ્વત રહે એજ શુભેચ્છાઓ સાથે.
મુંબઈ
તા.22-6-1983 –ચન્દ્રકાંત બક્ષી
Posted in ઈતર, પરિચય_જીવન*કવન | Tags: Chandrakant Baxi, Profile, Relation, Shoonya Palanpuri
શૂન્યની સૃષ્ટિ**1
કવન વેચવાં છે—‘શૂન્ય’ પાલનપુરી
હ્રદય રકતથી જેનું સીંચન કર્યું છે
એ જીવન –ચમનનાં સુમન વેચવા છે.
ખરીદો ,ખરીદો ,ઓ દુનિયાના લોકો !
અમોલા અમોલા કવન વેચવા છે
ગરીબાઈની લાજ રાખી છે જેણે
એ ધીરજના છૂપાં રતન વેચવા છે
કફનની રહે જોગવાઈ એ માટે
અમારે અમારાં જીવન વેચવા છે.
ખરીદી શકે છે કોઈ પણ જગમાં
વિનિમયમાં આપી શકે જો પ્રભુને
જે શ્રધ્ધાની મોંઘેરી મૂડી સમાં છે
એ સઘળા અશંકિત નમન વેચવા છે.
નથી જોઇતી અલ્પતા દેવગણની
મળી જાયે શંકરનું ગૌરવ અમોને
એ ખાતર જીવનના બધા ઝેર સાટે
આ બાકીનાં સઘળાં રતન વેચવા છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Sher, Shero shayri, Shoonya Palanpuri, Shoonyani Shrishti
શૂન્યની સૃષ્ટિ**2
વસવાની પણ જરૂરત છે—શૂન્ય પાલનપુરી
વિપદના પથ્થરે ઘસવાની પણ જરૂરત છે
જીવન –સુવર્નને કસવાની પણ જરૂરત છે.
અગર થવું છે હૃદયને કથીરથી કંચન
કોઈની આંખમાં વસવાની પણ જરૂરત છે
જગતના હૈયે વસી જાય રૂપ કાદવનું
કમળને એમ વિકસવાની પણ જરૂરત છે
ભૂલાવી દેવી ઘટે ખો,એ મિત્ર્-દ્રોહીની
બગલના સર્પને ડસવાની પણ જરૂરત છે
ન પાણી જાય દુ:ખોમાં હૃદયના સંયમનું !
રુદન પ્રસંગને હસવાની પણ જરૂરત છે
પ્રગટ થવાને તરસતું હશે કોઈ ઝમઝમ*
તરસથી એડીઓ ઘસવાની પણ જરૂરત છે
ન થઈ શકેછે હાર એ વિના કિનારાની
વમળને નાવને ઘસવાની પણ પણ જરૂરત છે
ફરે ના આવવ પામે એ શૂન્યની તોલે
જરાક મેરુને ખસવાની પણ જરૂરત છે
ઝમઝમ:હજરત ઈબ્રાહીમ (અલૈ.)પયગંબરના પુત્ર ઈસ્માઈલે બાલ્ય અવસ્થામાં તરસથી એડીઓ ઘસતાં ધગ ધગતા રણમાં ઝમઝમનું ઝરણું ફૂટ્યું હતું.તેની પાંસે પવિત્ર મક્કા શહેર વસ્યું.ઝમઝ્મનું જળ(જે અત્યંત શુધ્ધ અવસ્થામાં પ્રાપ્ય છે).એ મુસ્લિમો ને મન ગંગાજળ જેટલું પવિત્ર છે.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શૂન્યની સૃષ્ટિ**2, શેર, Gujarati Gazhal, Shoonya Palanpuri, Shoonyani Shristi
શૂન્યની સૃષ્ટિ***3
જાન ચાલી છે-‘શૂન્ય‘પાલનપુરી
(સ્વજનનાં મૃત્યુ પ્રસંગે લખાયેલી ગઝલ)
થયાં છે લોક ભેગા કેમ ?આ શાની ખ્ઉશાલી છે ?
કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે ?
હવે કોઈ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની:
કઝાએ પ ,ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે !
ઘડીમાં દીપ સળગે છે ઘડીમાં ઓલવાયે છે:
અમારી આ જવાની છે કે પાગલની દીવાળી છે ?
પતી જાયે છે ઘર મેળે, અમારે દાન અશ્રુનું !
હૃદય પોતેજ દાતા છે નયન પોતે સવાલી છે.
રડેછે કોણ એવું પોક મુકી શૂન્યનાં શબ પર?
મને લાગે છે રઝળી પડેલી પાયમાલી છે.! !
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, જાન ચાલી છે-‘શૂન્ય‘પાલનપુરી, શાયરી, શેર, Gujarati Gazhal, Shoonya Palanpuri, Shoonyanee Sristi*3
પ્યાસ સહુ ભેગી થઈ—મુહમ્મદઅલી વફા
પ્યાસ જો ભેગી થઈ ,તો હરણ થયું
ઝાંઝવા વધતા ગયાં, એજ રણ થયું
શ્વાસની દોરી થકી જીવતું જીવન
દોર જ્યાં છૂટી ગઈ ત્યાં મરણ થયું
આ બધી લીલા મહીં તું વસેલ છે
હું મથું જોવા અને , આવરણ થયું
હા કશે તું છે! અને એકલો રહે,
પામવા તારી દયા જાગરણ થયું
માણસો ભેગા મળે ટોળા મહીં ખપે
ઢોરજો ભેગા થયાં એક ઘણ થયું
પ્રેમના બે બુંદ ભેગાં થયાં અહીં
એ બધી એ લાગણીનુ ઝરણ થયું
તું બધાને આપશે મુક્તિ જે ,લા!* કહે
ને વફા જીવન મહીં. હૈયા ધરણ થયું
લા:શાંતિનો શ્લોક :લાઈલાહા ઈલ્લલ્લાહ=અલ્લાહ(ખુદા,ઈશ્વર)ના સિવાય કોઈ ભક્તિને લાયક નથી.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, પ્યાસ સહુ ભેગી થઈ---મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhamedali wafa, Shero shayri
શૂન્યની સૃષ્ટિ*****5
દૂધને માટે રોતા બાળક—શૂન્યપાલનપુરી
ગઝલ સમ્રાટ શ્રી શયદા વર્ણવે છે કે ભાઈ શૂન્યની આ નઝમ દર્દ ભર્યા અવાજમાં સાંભળી ઘણી સ્ત્રીઓને મેં પોક મૂકી રડતાં જોઈ છે.
(દૂધને માટે વલખા મારતા પોતાના બાળકને જોઈ મજૂર માતાને થતી વેદનાનું શબ્દ ચિત્ર)
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
એ ઘરમાં તું જન્મ્યું શાને?
જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે,
ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
તયાં જન્મત તો પુષ્પ- હિંડોળે
નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે,ગાડી મળતે
નર્સનાં લાલન પાલન હોત
સોના રૂપાના ચમચાથી
દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ
તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે
જન્મ તેં લીધો આ ઘરમાં
ફેર નથી જે ઘરના
ઇંસાન અને જડ પત્થરમાં
હાડને ચામના ખોખામાં તુ
દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી દેખી
રોઈને અશ્રુ સારે છે
આ ઘરની આ રીત પુરાણી
આદિથી નિર્માઈ છે
મહેનત નિષ્ફળ જાય છે
નિષ્ફળ જવાને સર્જાય છે
વ્યર્થ રડીને ખાલી તારો
અશ્રુનો ભંડાર ન કર
મોંઘા મૂલાં એ મોતીનો
દુરુપયોગ લગાર ન કર
તન તોડીને જાત ઘસીને
પેટ અવર ભરવાના છે
શ્રમ પરસેવે રકત નીતારી
મ્હેલ ઉભા કરવાના છે
એના બદલે મળશે ખાવા
ગમ ને પીવા આંસુડા
લાગશે એવા કપળા કાળે
અમૃત સરખાં આંસુડાં
ભૂખ્યા પેટ ને નગ્ન શરીરો
એ તો છે દસ્તૂર અહીં
ચેન અને આરામ રહે છે
સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી એવી
અગણિત વતો મળવાની
ભૂખના દા’ડા મળવાના
પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે
દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે
ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે
આ ઘરમાં તું જન્મ્યું શાને?
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Doodhmateradtabalak, Durbhgya, Gujarati Gazhal, Nazm, Shero shayri, Shoonya Palapuri
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Bedi tooti, Gujarati Gazhal, Nazm, ShoonyaPalanpuri
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ફનાનો સિતારો---શૂન્ય પાલનપુરી, શાયરી, શેર, Gujarati Gazhal, Nazam, Shoonya Palapuri
Posted in આસ્વાદ, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, બેસ્વાદ રસ પડ્યો---ગની દહીંવાલા, મારી પ્રિય ગઝલ—ભગવતીકુમાર શર્મા, શાયરી, શેર, Gani Dahiwala, Gujarati Gazhal
Posted in આસ્વાદ, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કયામતની ઘડી જાણે--હરીશ મીનાશ્રુ, કવિતા, ગઝલ, મારી પ્રિય ગઝલ—હરીશ મીનાશ્રુ, શાયરી, શેર, Gujarati Gazhal, Harish Minashru
કવિતાના વિચારમાં વિશ્વ વ્યાપી તત્વ—શેખાદમ આબુવાલા
અર્થો અને વ્યાખ્યાઓનું જંગલ એટલું ગીચ થઈ ગયું છે કે ઘણી વાર શબ્દો ભૂલા પડેલા બાળકની જેમ ખોવાય જાય છે.
પ્રેમ એટલે શું?
કવિતા એટલે શું?
આવા પ્રશ્નોનાના ઉત્તર ઢગલાબંધ હોય છે.એીના અર્થ અને વ્યાખ્યાઓની જેમ.
એક ભાષામાંથી બીજી ભાષામાં ઉતરતી વખતે કવિતા કાં પોતાનો મૂળ રંગ ખોઈ બેસે છે,કાં પોતાની ચમક વધારી દે છે.એનો આધાર ભાષાંતર કરનાર ઉપર હોય છે.
તેમ છતાં કવિતામાં આગવો અને મૌલિક વિચાર હોય છે,તે પર ભાષામાં પણ સચવાઈ રહે છે.
ભાષા કમજોર હોવા છતાં પણ ,તેમાં શરત એટલીજ કે કવિતાના વિચારમાં વિશ્વા વ્યાપી તત્વ હોવું જોઈએ.
આ સબંધમાં એક દાખલો યાદ આવે છે.
વરસો પહેલાં કોઈ કવિ મિત્ર મને એક મરાઠી કાવ્ય(જોકે ગુજરાતીમાં)સંભળાવ્યું હતું.તેની વિગતમાં ફેરફાર જેવું થઈ ગયો હોવાં છતાંતેનો કવિત્વમય વિચાર હું હજી પણ ગમે તે દેશમાં (અંગ્રેજી કે જર્મનીમાં)રજૂ કરું ત્યારે એ (તેમાંથી વળી ફ્રેંચ,ગ્રીક,રશિયન,ચીની કે બીજી કોઈ ભાષામાં અનુદિત થયા પછી પણ)અસર કરી જવાની.કાવ્યનો ભાવ લગભગ આ પ્રકારનો હતો.
પ્રેમિકાએ પ્રેમીને પૂછ્યું:
’સૂર્ય અસ્ત થાય છે પશ્ચિમ ક્ષિતિજે
છતાં
પૂર્વની ક્ષિતિજે લાલી કેમ?
પ્રેમીએ (ઉત્તરમાં)
પ્રેમિકાના ડાબા ગાલે
ચુંબન ચોડ્યું
અને….
જમણો ગાલ પણ (લજ્જાથી)
લાલ થઈ ગયો.
(જમાલપુરથી જર્મની-106)
Posted in કવિતા, ગઝલ, ગદ્ય, ચર્ચા,અભિપ્રાય, માહિતી, લેખ | Tags: કવિતા, કવિતાના વિચારમાં વિશ્વ વ્યાપી તતવ---શેખાદમ આબુવાલા, ગઝલ, ગદ્ય, માહિતી, લેખ, ShekhadamAbuWala
ધાર જેવું હોય છે—મકરંદ મુસળે
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે,કપાયા દુ:ખના દા’ડા બધા,
જો ,સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત?
આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, MakrangMusre, Shero shayri
સુરતનો ઑલ ઈન્ડિયા મહિલા મુશાયરો—ગુજરાતમિત્ર સુરત્(13એપ્રીલ2009
સદસદા બન કર,ફિઝા બન કર,ઘટા બન કર,સબા બન કર
ન જાને કલ મેં આ જાઉં દરવાજા ખુલા રખના.
ડેશ
દેશની ટોચની મહિલા શાયરાઓએ એકથી એક ચઢિયાતા ગીતે,ગઝલો રજુ કરી સુરતને તર બતર કર્યું.
((((((((((((((((((((((((((((((((((((co
(Coutesy of GUJRAT MITRA Daily Surat)
For more detail please Go to following web of Gujarat Mitra,Surat
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: AllIndia mahila Mushayero, Gazhal, Gujarat India, Surat
સળગ્યા ન કર—કિસન સોસા
કીડી જેવું કંઈ નથી નિરખ્યા ન કર!
થાંભલોટાઢોજ છે,વળગ્યા ન કર!
નભ તને તારો થવા દેશે નહીં
એક પગે અસ્તિત્વ નિજ ઉંચક્યા નકર!
પાન પર બારા ખડીની ભીડમાં
કયાંય ન છાંયો તને, રઝળ્યા ન કર!
પથ્થરે પથ્થર બની જા તું હવે,
પણી જેવું પાતળું નીગળ્યા ન કર!
પાલખી કહોવાયેલી પોલી સકલ,
સ્કંધ પર પીળો પવન ઉંચક્યા ન કર!
સૂર્ય ઓકી નાંખ તું ઉલ્ટી કરી,
અંદરોઅંદર સત સળગ્યા નકર!
અંતિમ ઘડીએ—બ્રિજેને મહેતા’શબનમ’
દીવાલથી સરી પડી તસ્વીર કોઈની
આ ભીંત આપણી છતાં તકદીર કોઈની
દુ:ખ દર્દ ને વ્યથા સહુ મિલકત છે આપણી,
આ જર જમીન કોઈના,જાગીર કોઈની
હું કોણ છું ?તું કોણ છે ?જગ જાણતું નથી
ઓળખતું કોઈ પણ નથી તાસીર કોઈની
કાચા સૂતરનો તાંતણો છે માર્ગ મુક્તિનો
રેશમની દોર થઈ શકે જંજીર કોઈની
ઉપચાર કોઈ કામ ન આવ્યા આ દર્દ પર,
શીશીમાં શું દવા હશે અકસીર કોઈની?
પુરુષાર્થ પાણીમાં ગયો હાર્યું નસીબ પણ
ચાલી જતી,તી નાવડી અસ્થિર કોઈની
સદભાવનાં ગગનથી સિતારા ખરી પડ્યા
વીંધી રહી છે રાતને શમશીર કોઈની
અંતિમ ઘડીએ ‘શબનમ’ ઉમ્મીદ તો ફળી
ચહેરા ઉપર ક્યાં ગ્લાનિ છે ગંભીર કોઈની
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, બ્રિજેન્મેહ્તષબ્નમ્, શાયરી, શેર, BrijenMehtashabnam
આપણી અસ્મિતા–સાબિર વટવા
હું ગુજરાતી ગઝલના આત્માને ભાષાના વાડામાં છૂંદી નાંખવાનું કહું છું,એમ રખે કોઇ માની લ્યે. એના આત્માંના તેજ તો આપણે આખીય માનવતા ઉપર ઢાળવા છે.ઋંતુ દેહની રચના જ્યાં સુધી ગુજરાતની માટીથી એને એના શૃંગારો ગુજરાતની ધાતુથી નહિ ઘડીએ ત્યાં સુધી આપણી આ ગઝલોને આપણે આપણી પ્રિય ગુજરાતણો બનાવી શકવાના નથી.અને જ્યાં આપણે એન પૂરે પૂરી ગુજરાતણો નહિ બનાવીએં ત્યાં સુધી તે આપણી વચ્ચે પારકા જેવી દેખાયા કરશે.ગઝલને આપણી સંસ્કૃતિ ,આપણું વાતવરણ આપણું ધ્યેય,અપણી કથાઓ આપણી કહેતીઓ,આપણી ઋતુઓ અને આપણું વાતાવરણ ઇત્યાદિમાં ઉતારવા પડશે.આપણાં જીવન સત્યો અને તત્વોનું પાન જેમ જેમ ,એ જીરવતી જાય તેમ તેમ કરાવતાં રહેવાની અગત્ય વિચારવા જેવી છે.એના ગુજરાતી ઘડતર માટે અને ગુજરાતી ઉપમાઓ અને અલંકારોથી વિભૂષિત કરતા રહેવાનું છે.ગુજરાતી પ્રણય પ્રણાલિકાની કેડી દ્વારા એ કંડિકાઓ ખેડાય તો એમાં આપણને વધુ રસ પડશે એ વાત ચોક્કસ છે.
નજરનું રણ મજનુની દીવાનગીમાંથી માપ્યાં કરતાં અને ફરહાદનું માથું –ઇરાની બેલચા(તીકમ)થી ફોદવા કરતાં કે પછી નરગીસની આંખે અને શોસનની જીભે બોલતા અને જોતાં આપણે જરા ખબરદાર રહેવાની જરૂરત છે.આપણી રહેણી કહેણીમાંથી કંડરાયેલી પ્રણય કથાઓ અને આપણી આસપાસ વાસ કરી પ્રફુલ્લ રહેતીપ્રકૃતિની નવ મલ્લિકાઓ દ્વારા સર્જાતી માળાઓમાં કયાંક ખાસ જરૂર ઉભી થાય તો જ આપને આપણી વાડી બહારનું એકાદ પુષ્પ ગુંથી લઈએં. મારો ઉદ્દેશ કાફિયાઅઓ અને ઉદાહરણમાં વપરાતા વધુ પડતા શબ્દો તરફ આવી રીતે સાવચેત કરવા પૂરતો છે.બાકી આપણે આપણાં અભ્યાસને અને જ્ઞાન્ને ખૂબજ વિકસાવીએ,પરંતુ રજૂઆતનો સમય આવે ત્યારે તેને એવી રીતે રજૂ કરીએ કે તેના પારકા પણાં પર આપણાં પરું દીપી ઉઠે.વિચારોના,વક્તૃત્વના,કથનના ઇત્યાદિના સંપર્કમાં ક્યાંક પોતેજ લોપાઈ ન જઈએ તેટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે.
Posted in આસ્વાદ, ગદ્ય, ચર્ચા, ચર્ચા,અભિપ્રાય, ટિપ્પણી, માહિતી લેખ, લેખ | Tags: Critique, Opinion, Saabir Vatva
પથ્થર ન થઈ શક્યું—સાબિર અલી ‘સાબિર’
ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું
એક ઋણ હતું રણમાં સરોવર થઈ ન થઈ શક્યું
હરદમ ગુલાબો છાબ ભરી વેચતો રહ્યો
માળીથી તાજા ફૂલનું અત્તર ન થઈ શક્યું
દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ
આ મીણ એનું એજ છે પથ્થર ન થઈ શક્યું
ખંડેઅ દેખી આશના કંઈ કાફલા રડ્યા
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું
હરણાની પ્યાસ સદાની છીપી ગઈ
શું ઝાંઝવાથી કાર્ય મનોહર ન થઈ શક્યું
પૂછી મને મનસ્વી પ્રયણની કથાસુણો
મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, પથ્થર ન થઈ શક્યું---સાબિર અલી ‘સાબિર’, શાયરી, શેર, Gujarati Gazhal, Saabirali"Saabir", Shero shayri
આ મુઠ્ઠીભર માટી—–અલ્લામાં મુહમ્મદ ઇકબાલ
આ મુઠ્ઠીભર માટી ,માણસને કેવી દીવાનગી મળી છે.
પરંતુ,ના અંતર ભીતરમાં જે પ્રકાશ થઈ રહ્યો છે
એ પણ એની એ દીવાનગીના પ્રતાપેજ !
આ તે કેવી દીવાનગી કે એના વિયોગ ઝૂરી ઝૂરીને
રુદન પણ કરે છે.અને તે સાથે જ એ વિયોગને કારણે
પ્રફુલ્લિત પણ રહે છે.!
વિયોગે તેને એટલોતો દ્રષ્ટિવાન બનાવી દીધો છે કે
પોતાની સંધ્યાને પોતાની ઉષા બનાવી શકે છે.
તેણે ખુદીને દાઝની કસોટીએ ચઢાવી ,
તેણે પુરાણા શોકને હર્ષનું યૌવન બક્ષ્યું.
અશ્રુભીની આંખોમાંથી મોતીની સેર વરસી રહી છે.
શોકનાં વૃક્ષ પર મીઠાં ફલો ઝૂલતા હતાં.
ખુદીને ખોળો ગૂંગળાવવી
એ નાશને અમરતા સાથે જાણે સફ બ સફ હારો હાર કરવા સમાન છે.
પ્રેમ , ઉચ્ચ મુકામો,અભિલાષાને ગાંઠે બાંધવી તે પ્રેમ,
અંતિમતાને ઓળંગી વટાવી જવું,પસાર થઈ જવું તે.
પ્રેમને માટે લગની હોતી નથી,
તેનો ઉષા ઉદય સધ્યાને ઓળખતો નથી.
તેનાથી તે અપરિચિત,અજાણ્યો છે.
તેની વસંતમાં બુધ્ધિ જેવા વાંક વળ હોય છે.
તેની એક પળનો ચમકાર એક દુનિયા જેવો હોય છે.
હજારો વિશ્વ અમારા માર્ગમાં પડ્યા છે.
અમારાં ક્રીડાંગણો અમે કેવી રીતે પાર ઊતરી શકીએ?.
(ઝબૂરે અઝમ-ડૉ.ઇકબાલના ફારસી કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ.અનુવાદક—આચાર્ય મસ્ત મંગેરા)
Posted in કવન, કવિતા, શાયરી, શેર | Tags: Allama Iqbal, Gujarati Poetry, MastMangera, Poetry, Shero shayri
સમજાય છે–દિનેશ કાનાણી
સાફ સીધોને સરળ ઉપાય છે
આંખ મીંચો તો બધું સમજાય છે
છે હૃદયમાં એટલું તોફાન કે
આજ દરિયો આંખમાં છલકાય છે.
હા !બધું સંધાય છે એ સાચું પણ
ક્યાં તૂટેલું મન ફરી સંધાય છે?
પૂછવાનું મન ઘણુંયે થાય પણ
કેમ છો બસ એટલું બોલાય છે..
છે લખેલું તો ઘણું યે આસ પાસ
આપણાથી ક્યાં કશું વંચાય છે..
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: amjaychedineshAntani, કવિતા, ગઝલ, Dinesh Antani, Sher, Shero shayri
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Aekjan_DhwanilParekh, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Poetry
સમસ્યા કશી નથી—‘રાઝ’નવસારવી
ખોટા ન કર વિચાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં છે મારા દ્વાર ,સમસ્યા કશી નથી
માનું છું જે દિવસથી કે સૌથી સુખી છું હું,
દુ:ખ થઈ ગયાં ફરાર સમસ્યા કશી નથી.
લોકો અમારા પ્રેમ વિષે બદગુમાન છે,
ઝીણી છે એક દરાર. સમસ્યા કશી નથી
માહોલ જોઈને તને વિશ્વાસ આવશે,
તું આવ એક વાર સમસ્યા કશી નથી.
જીવું છું રાઝ મસ્ત કલંદરની જેમ હું,
શું સાંજ શું સવાર, સમસ્યા કશી નથી.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, RazNavsarvi, Samasyakashinathi, Shayri, Sher
પાલવ ભરી તો જો—કુતુબ આઝાદ
તુફાન શું છે એનો અનુભવ કરી તો જો,
કાંઠે ઊભો છે શું? અરે સાગર તરી તો જો.
પ્રત્યેક પળ મરણ ની તરફ લઈને જાય છે,
તારા જીવનની સામે અરીસો ધરી તો જો.
જીવન સફળ જીવનનું રૂડું સ્મારક થઈ જશે,
દિલ પર ખુદાનું નામ જરા કોતરી તો જો.
એની કૃપાઓ જોઈનેજ સ્તબ્ધ થઈ જઈશ,
વરસાદના ટીપાંની ગણતરી કરીતો જો.
ફૂલો તો બાગમાંથી બધા લઈને જાય છે,
ક્યારેક કંટકોથી એ પાલવ ભરી તો જો.
ખાબોચિયામાં ક્યાં સુધી ગુંગળાઈને રહીશ,
કેવું વિશાળ વિશ્વ છે તું વિસ્તરી તો જો.
ઘડતર જીવનનું થાય છે સંકટ સહ્યા પછી,
સંકટ જિંદગીમાં કદી નોતરી તો જો.
(સૌજન્ય: તમન્ના 1-9-2007)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Kutub Azad, Palavbharitojo
મથામણ કરું છું—તુરાબ હમદમ
પ્રથમ મારી જાતે મથામણ કરું છું.
પછી હું ખુદાને ભલામણ કરું છું.
શું આવ્યા લઈને, ને શું લઈ જવું છે?
સમસ્યાનું આમજ નિવારણ કરું છું.
ઘણી વાર ઊંડાણમાં હું સરી જઈ,
જીવનની સમીક્ષા ને તારણ કરું છું.
સમય અનવરત દોસતો હોય છે,
ચરણની હું ચિંતા અકારણ કરું છું.
મને તો ભરોસો છે મારા ઉપર બસ,
હું જાતેજ ઉભું ઉદાહરણ કરું છું.
ચહેરા ઉપર કંઈક ચહેરા દીસે છે,
ફકત એક ચહેરો ધારણ કરું છું.
‘હમદમ’ કવિતાની સંગ જીવવું છે,
શબ્દોની સાથે મથામણ કરું છું.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, MathamanKarUnchhuN, TurabHumdum
જાત બાળી છે—એસ.એસ.રાહી
કોલસાએજ જાત બાળી છે.
એટલે રાત કાળી કાળી છે.
ચન્દ્રમાં ગુમ થયો છ એ તેથી તો,
આજ ફાનસની રાત પાળી છે.
કોઈ કામિનીનાં નથી ઝૂલ્ફો,
એ અમાવાસની એક ડાળી છે.
આ પ્રતીક્ષાનો બાંકડો ચે દોસ્ત,
જિંદગી આ સ્થળે મેં ગાળી છે.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, S.S.Rahi
પ્રવાસ ચાલે છે—એસ.એસ.રાહી
હું ફળિયે બેઠો છું ,કિંતુ પ્રવાસ ચાલે છે.
હું તૃપત છું પછી શાની પ્યાસ ચાલે છે.
જે થાય છે એ અલૌકિક કૃપા છે બસ એની,
પ્રભુની પાંસે તો કોનો પ્રયાસ ચાલે છે?
તમે આ કિસ્સાને શંકાનો લાભ ના આપો,
ડૂબેલા શખ્સમાં બે-ચાર સ્વસ ચાલે છે.
ને એટલે તો બગીચામાં ભીડ જામી છે,
ભલે ખરી ગયાં ફૂલો , સ્વાસ ચાલે છે.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, S.S.Rahi, Sher, Shero shayri
શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશીગ
શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશી
કવિ શ્રી ‘શયદા’નું 30-5-1962ની રાતે 65 વરસની ઉમરે અવસાન થતાં ગુજરાતી ભાષાએ એક લાડીલો કવિ અને લોક પ્રિય સાહિત્યકાર ગુમાવ્યો છે.
શ્રી શયદાએ અત્યાર સુધીમાં આપણે ત્યાં ગઝલને પગભર કરવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે.મસ્ત, બાલ, દેરાસરી, મણિલાલ નભુભાઈ, કલાપી, ગોવર્ધરામ, ન્હાનાલાલ આદિ કવિઓએ ગઝલની ઉત્તમ કૃતિઓ આપેલી છે.પણ રદીફ-કાફિયા સાચવીને દરેક શેરનું મૌકતિક સ્વરૂપ જળવાય એ રીતની ગઝલો છેલ્લા પચાસ વરસમાં મુસલમાન કવિ બંધુઓએ આપી અને અત્યારે અનેકને હાથે એ કાવ્ય પ્રકાર ખેડાય છે.શયદા એ સૌમાં અગ્રિમ સ્થાનન અધિકારી છે.હવે એ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં સ્થિર થઈ ચૂક્યો છે.કેમકે એમાં શયદા જેવાએ પોતાનું હીર રેડ્યું છે.
ગિરા ગુર્જરી ! આ નથી શેર મારા,
હ્રદયના છે ટૂકડા હું ચરણે ધરું છું.
અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં એક નિર્ધન ખેડૂતને ઘેર એમનો જન્મ.નામ હરજી લવજી દામાણી.,1912માં ‘મુંબઈ સમાચાર’માંએમની પહેલી કવિતા ‘ હરજી લવજી દામાણી’ માસ્તર ધોલેરાવાળા એવા નામે છપાયેલી.
કેળવણી ચાર ચોપડી સુધીની.જીવન સંગ્રામ કપરો.ધીમે ધીમે ‘શયદા’ ને નામે જાણીતા થયા.વાર્તાઓ, નવલકથાઓ, નાટકો એમ અનેક સાહિત્ય પ્રકારો એમણે અજમાવ્યા છે.‘મા તેમા‘ નવલકથા ખૂબ લોકપ્રિય થયેલી.’ કુમળી કળી’ નાટક રંગ ભૂમિ પર જામેલું.’ ‘બે ઘડી મોજ’ સાપ્તાહિક પણ શયદાએ વર્ષો સુધી ચલાવ્યું.પણ એમની મુખ્ય શક્તિ ગઝલકાર તરીકેની.ભાષાની સાદગી અને સચોટતા, ભાવની સુરેખતા અને રચનાની સહજ છટા વડે એમની ગઝલો જુદીજ ભાત પાડે છે.કેટલીક વાર એમના શેરમાં ચતુરાઈને લીધે ચમત્કૃતિઆવે છે.
મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.
શયદા પોતે ગઝલનો પાઠ પણ ખૂબ ભાવવાહી રીતે કરતા.1953માં ‘ બે ઘડી મોજ’ ની ઑફિસમાં શ્રી શયદાની સંગતમાં ભાઈ ‘આસિમ’ રાંદેરી, સદગત કવિ ‘નસીમ’ આદિને મળવાનું થયું.શ્રી શયદાને મળો કે શેર છૂટેજ .(ફોન ઉપર પણ એક બે શેર તમને મળે)ભાઈ શ્રી ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ અને મારી ઉપર એમની ખાસ પ્રીતિ.ઉમંગથી સંભળાવે ને નજાકતોથી વાત કરે.(‘બનાવે’ વાળો શેર એ રીતે સાંભળવા મળેલો.)મુશાયરામાં શયદાની કવિતા પાઠની છટા સૌથી જુદી તરી આવે.એક પંક્તિમાં નાનાં નાનાં વાક્યોના કે શબ્દ સમૂહોના ટૂકડા પડતા હોય, વાત કરતા હોય એમ શેર રમતા મૂકે.’સાઠનો થયો’ કરતા એક વખત અમદાવદમાં મારે ત્યાં શ્રી હકીમસાહેબની જોડે આવી પહોંચ્યા.દિલ ભરીને કવિતા સંભળાવી.
વારંવાર હું વિનંતી કરતો રહ્યો કે તમારી ચૂંટેલી કૃતિઓનો દીવાન આપો..સોએક કૃતિઓ એવી રીતે આપવાની વ્યવસ્થા ચાલે છે, એમ એમણે કહ્યું.સંપાદન કરીને કોઈએ શયદાની ઉત્તમ કૃતિઓ આપવી જોઈએ.
એ કહી ગયા છે –
મેં ગઝલ મરતાં સુધી મૂકી નથી
ચ્હાય તેવા હાલ શયદા થઈ ગયા.
ગુજરાતની ગઝલ સાથે શયદાનું નામ જોડાયેલું રહેશે.
(હૃદયમાં પડેલી છબીઓ 1)
નોંધ:શ્રી શયદાના નિ:ધન(1962) સમયે આ લખાયેલો લેખ છે.
શયદાનો ગઝલ ગુલઝારની પ્રથમ આવૃત્તિ 1999માં પ્રકટ થયેલી.એમાં શયદાની ચુનંદા રચનાઓ આપવામાં આવી છે.
શ્રી શયદા પ્રકાશને એમની ઓગણીસ શ્રેષ્ઠ રચના પ્રકટ કરી છે.
1-હમીદા
2-અમીના
3-મોટી ભાભી
4-ભર દરિયે
5-સંસારની શોભા
6-અમી ઝરણાં
7-પુનિત ગંગા
8-માતે મા ભાગ 1
9 મા તે મા ભાગ 2
10 અનવરી
11- લયલા
12 રાજબા
13 અંધારી રાત ભાગ 1
14 અંધારી રાત ભાગ 2
15 આઝાદીની શમા ભાગ 1
16 આઝાદીની શમા ભાગ 2
17 દેવદુલારી ભાગ 1
18 દેવદુલારી ભાગ 2
19 છેલ્લી રોશની ભગ 1
20 છેલ્લી રોશની ભગ 2
Posted in ગદ્ય, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, Gujarati Gazhal | Tags: Profile, Shyda, Umashankar Joshi
પથ્થરની કથા પૂરી થઈ—ઊર્વીશ વસાવડા
કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ.
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.
ટોડલે બાંધેલ તોરણને પણ ખબર ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.
એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,
એ ક્ષણે, ત્યારેજ ઈશ્વરની કથા પૂરી થઈ.
એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું પછી,
કૈંક પીડા, કૈંક કળતરની કથા પૂરી થઈ.
શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા
શ્વાસની સાથેજ જીવનની કથા પૂરી થઈ.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Gujarati Gazhal, Kathaa purithai, Urveesh Vasavda
સંજ્ઞા હતી—રતિલાલ અનિલ
કાચની યે આંખમાં ઇર્ષા હતી.
જિંદગીમાં એતલી શોભા હતી.
કંટકો વિણ કયાં કશી આશા હતી !
થોરના પંજામાં ક્યાં રેખા હતી?
હું ન હોતો ને નહોતું કોઈ પણ,
મોઢા સમા6 ન્હોરાં અને ભાષા હતી.
જેઠના આકાશ સરખું મૌન છે,
કોઈ વેળા જીભ પર હા, ના હતી.
માનવી શું અને માનવ સમાજ?
એકલી સંખ્યા અને સંજ્ઞા હતી.
પાની તો ચાલ્યુંગયું રેતી રહી,
ગ્રીષ્મની એવીજ કંઈ શોભા હતી.
તેજનાં કિરણો બધાં સંતાડવાં,
આંખને પાંપણની યે પરવા હતી!
માનવોના જંગલો ઉગી ગયા,
એમાં મારી કયાં કોઈ ઈચ્છા હતી.
કોઈનો કંઇ યે પરિચય ના થયો,
એટલું જાણ્યું ‘અનિલ’ સંજ્ઞા હતી.
(અલવિદા !.103)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Ratilal Anil, Shero shayri
સ્મિત રેલાય છે, કેશ વિખરાય છે,
હોંશિયાળ , એ હૃદય જાળ પથરાય છે.
ગઝલ: વાળ ગું ચવાય છે—અંજુમ વાલોડી
આંખ મીંચાય છે.
ભેદ સમજાય છે.
જામ ઉઠાવું છું હું,
દિલ વલોવાય છે.
આંસુ થઈ આખમાં,
દર્દ મલકાય છે.
લાવ પાલવ જરા,
આંખ ભીંજાય છે.
હું રડુંછું અગર,
તું વગોવાય છે.
કોન રહેશે અજળ?
રંગ રોળાય છે.
દિલની ધડકન ઉપર,
ગીત સરજાય છે.
ઝાંઝવાં જોઈને,
આંખ ભરમાય છે.
કાંસકી જોઈને,
વાળ ગુંચવાય છે.
ગીત ‘અંજુમ’ ન ગા,
મિત્ર અકળાય છે.
(અજંપોત્સવ-6)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, VaarGunchvaaichhe
બાબ-એ-મક્કા’ સૂરત___ડૉ.મેહબૂબ દેસાઈ
હમણાં સુરત શહેરની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આજનું સુરત સુંદર, વિકસતિઅને અંડર-ઓવર બ્રિજથી શોભી રહ્યું છે.
થોડાં વર્ષો પૂર્વે સુરતની મૂરત કંઇક જુદી હતી. સાંકડા રસ્તાઓ અને ગંદકી તેનીવિશિષ્ટતા હતાં. આ જ સુરત મઘ્યકાલીન યુગમાં ‘સુરત સોનાની મૂરત’ કહેવાતું હતું.બંદરીય વેપાર અને અંગ્રેજોની વેપારી કોઠીઓ તેની શોભા હતાં.
સુરત શહેરની સ્થાપના અને નામનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુલતાન મુઝફરશાહ બીજાનાસમયમાં ગોપી નામના એક નાગરે જયોતિષીઓની સલાહથી એક શહેર વસાવવાની દરખાસ્ત સુલતાનનેકરી. મુઝફરશાહ બીજાને દરખાસ્ત ગમી ગઇ.
અલબત્ત ત્યારે એ શહેરને ‘સૂરજ’ કે ‘સૂર્યપુર’ નામ આપવાની દરખાસ્ત થઇ હતી. પણમુઝફરશાહે કોઇ ઇસ્લામિક નામ રાખવાની ભલામણ કરી. ઘણી વિચારણા અને સંશોધનને અંતે ‘સૂરત’ નામ સૂચવાયું.
કુરાને શરીફનાં પ્રકરણોમાં આવતા શ્લોકોને સૂરા કે સૂરત કહેવામાં આવે છે. એ મુજબશહેરનું નામ ‘સૂરત’ અર્થાત્ શ્લોક પાડવામાં આવ્યું. (ફારસી શબ્દનો અર્થ ‘વ્યુપતિકોશ-ભાગ -૪, ડો.છોટુભાઇ નાયક, પૃ.૧૫૩)
ગોપી નામના નાગરે પછી તો વહેપારીઓને સુરતમાં વસવાટ કરવા આવકાર્યા. મુઝફરશાહબીજાના સમયમાં સુરતમાં ઇમારતો બની, બગીચા બન્યા, એક મહોલ્લો વસ્યો. આજે પણ સુરતમાંગોપીપુરા નામે એ મહોલ્લો જાણીતો છે. શહેરમાં એક સુંદર તળાવ બંધાયું. તે ગોપી તળાવનામે ઓળખાય છે.
એ શહેરના વિકાસ માટે મુઝફરશાહ બીજાએ ગોપીને ‘મલિક’ની પદવી પણ આપી. તેની પત્નીને ‘રાણી’નો ઇલકાબ આપ્યો. એ રાણીએ વિકસાવેલો વિસ્તાર ‘રાણી ચકલા’ અને તેણે બંધાવેલુંતળાવ ‘રાણી તળાવ’ તરીકે ઓળખાય છે.
આમ સુરતની સ્થાપના પછી તેનો વિકાસ વણથંભ્યો થતો રહ્યો. ૧૭મી સદીમાં ખંભાત બંદરનોવેપાર ઘટયો. મસ્કતના આરબોએ પણ સુરતના બંદરને વેપારનું કેન્દ્ર બનાવ્યું અને સુરતમાટે સોનાની મૂરત શબ્દ સાકાર થયો. પરંતુ સુરતને બાબુલ-એ-મક્કાનું બિરુદ મળ્યા પછીતેનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો.
બાબુલ-એ-મક્કા અર્થાત્ મક્કાનું પ્રવેશ દ્વાર. અરબીમાં બાબ શબ્દનો અર્થ દરવાજોથાય છે. એ સંદર્ભમાં જ બાબુલ-એ-મક્કા શબ્દ વિકસ્યો છે. મોટા ભાગના મોગલ બાદશાહોહજયાત્રાએ સુરત બંદરેથી જ જતા તેથી સુરત બંદર હજયાત્રીઓ માટે મોટું કેન્દ્ર બનીગયું. હજયાત્રીઓ સમગ્ર દેશમાંથી સુરત આવતાં અને વહાણોમાં હજયાત્રાએ જતાં, પરિણામેસુરતનો વિકાસ થયો. વેપાર-રોજગાર વઘ્યા.
છેલ્લા મોગલ સમ્રાટ ઔરંગઝેબે તેને વેગ આપ્યો. તેણે સુરતમાં હજયાત્રીઓ પાસેથીજકાત લેવાની બંધ કરી. વળી, વેપારીઓને પણ ઓછો કર ભરવાની સગવડ કરી આપી. પરિણામે સુરતસોનાની મૂરત બની ગઇ.
સુરત બની ગયું ‘બાબુલ-એ-મક્કા’ અર્થાત બાબ-એ-મક્કા જેવા નામથી જાણીતું બનેલુંસુરત વેપાર ઉધોગના વિકાસને કારણે મોગલયુગમાં બાબ-એ-તિજારત અર્થાત્ વેપારનું દ્વારબની ગયું.
આજે હજયાત્રીઓ મુંબઇને સ્થાને અમદાવાદના એરપોર્ટ પરથી હજયાત્રાએ જતા થયા છે.અમદાવાદનો વિકાસ ઝડપી થયો પરિણામે હવે થોડાં વર્ષોમાં અમદાવાદને પણ બાબ-એ-મક્કાનુંબિરુદ પ્રાપ્ત થાય તો નવાઇ પામવા જેવું નહીં ગણાય
.(વ.સમાચર- એપ્રીલ2009)
Posted in Article, ઇતિહાસ, નિબંધ, માહિતી, માહિતી લેખ | Tags: BabeMakkahSurat, Dr, Essay, History, MehbubDesai
ડાળ મીઠી થઈ ગઈ—અદમ ટંકારવી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Adam Tankarvi, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri


ટોરંટો કેનાડામાં પ્રસિધ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’ માં ધર્મ શાસ્ત્ર ના માનનીય લેખક જનાબ કાસિમ અબ્બાસ સાહેબ તરફથી આ ઉપયોગી માહિતી નુ કટીંગ મળવા બદલ ‘બઝમે વફા’ આભાર વ્યકત કરેછે.
Posted in Article, ગદ્ય, નિબંધ, માહિતી લેખ, Information | Tags: Article, Dr.Mehbub Desai, Essay, Information, Opinion
પ્યારું વતન હતું—મહેન્દ્ર ‘સમીર’
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Mahendra Sameer, Sher, Shero shayri
બધી બાજુએ પ્રમાણ્યા પછી—આદિલ મન્સૂરી
.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, બધી બાજુએ પ્રમાણ્યા પછી---આદિલ મન્સૂરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Shayri, Shero shayri
દરિયાથી રણ સુધી-બાલુભાઈ પટેલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, BalubhaiPatel, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
હું સરેરાશનો માણસ—હરીન્દ્ર દવે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Harindra Dave, Shero shayri
અસમંજસની ક્ષણમાં પેસી—હરીશ મીનાશ્રુ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Harish Minashru, Shero shayri
બધાજ દ્વારો વસંતના—ચાર્લ્સ જી.ડી.રૉબર્ટસ(કેનેડાનો અંગ્રેજી કવિ 1860-1943)
Posted in અછાંદસ, કવિતા, Gujarati Poetry | Tags: અછાંદસ, ગઝલ, Canada's English Poet, Charles Roberts, Gujarati Kavita, Gujarati Poetry
ખૂટ્યા વિચારો પણ –જનાબ આઈ.ડી.બેકાર

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, I.D.Bekar, Shero shayri
જ.મસ્ત ‘હબીબ’ સારોદીનાં કત્આત અને મુકતકો
1
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MastHabibSarodi, Shero shayri
ચાલ સાથે જીવીએ-દિનેશ ડોંગરે ‘નાદાન’
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, DineshDongreNadan, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
લઘુ કથા
સત્યવાનની સાવિત્રી-શ્રી જય ગજ્જર
એણે નીલાંબરીનું શબ ઉપાડ્યું- નીલાંબરી સ્નેહ લગ્નને વરેલી એની પત્ની હતી.એ મંદિરે ,મસ્જિદે,અગિયારીમાં,એકે-એક ધર્મસ્થાને ગયો.ઈશ્વરને,અલ્લાહને,ઈશુને,જરથોસ્ત્રને યાચના કરી, ‘મારી નીલાંબરીને સજીવન કરો’.
Posted in ગદ્ય, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, Short story | Tags: વાર્તા, Jay Gajjar, Laghu Katha, Navlika, Short story

1
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Ahmed Gul, કવિતા, ગઝલ, Bhagvatikumar Sharma, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
હાથ તાળી જોઈએ—રશીદ મીર
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujlish Gazhlo, Rashid Mir, Shero shayri
હું મળું છું કયાં તને એકાંતમાં

Posted in આસ્વાદ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: આસ્વાદ, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
સમંદર હોય તેથી શું?— તથાગત પટેલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri, Tathagat Patel
સંસદ તો લોકશાહીનું પિયર, મોસાળ હોય !




Posted in Article, ગદ્ય, ચર્ચા,અભિપ્રાય, ટિપ્પણી, Information | Tags: લેખ, વિવેચન, Column, Critique, Opinion, RatilalAnil
તથ્ય પંખી—હરેશ તથાગત
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, HareshTathagat, Shero shayri
મૌલાના અબુલ કલામ આઝાદ: આજના મહાન અકબર—સી.રાજગોપાલાચાર્યજી
Posted in Article, ગદ્ય, ચર્ચા,અભિપ્રાય, ટિપ્પણી, નિબંધ, લેખ | Tags: Article, C.RajGopalachary, Essay, Maulana Abulkalam Azad, News
શ્રી મનહર ચોકસીના ચૂંટેલા શેરોનો ફૂલહાર—વફા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Manhar Choksi, Sher, Shero shayri
હું બનીને આયનો—મધુકર ઉપાધ્યાય
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MadhukarUpadhyaya, Shero shayri
રેશમ લખે છે-મનીષ પરમાર
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, ManishParmar, Shero shayri
લાગે શહેર મારું—રમેશ પારેખ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ramesh Parekh, Shero shayri
તું લંબાવે હથેલી—રાજેન્દ્ર શુકલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Rajendra Shukal, Shero shayri
તારો વિચાર આવે¬—હર્ષદ ચંદારાણા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Harshad chandarana, Shero shayri
સમાચાર ભીંતપર –‘અંજુમ’ વાલોડી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Anjum Valodi, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
કાગળની ભીંતમાં—રતિલાલ ‘અનિલ’
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil, Shero shayri
રઝળતી દીવાલો—મનોજ ખંડેરિયા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Manoj Khanderia's Gazhal, Shero shayri
ડસે છે દીવાલો—આદિલ મન્સૂરી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
સાચવી છે દીવાલો-લોમસ્ત મંગેરા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mast Mangera, Shero shayri
પડઘાય દીવાલો.-મુહમ્મદઅલી વફા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
Note: A very useful link and information For Canadian residence regarding EI provision with the web side and Programs present characteristics.Bazm is grateful for providing the Information to Janab Firozkhan news Editor of Hindi Abroad Toronto Canada
Hello everyone,
As we all know due to prevailing recession many have become jobless and many more are expected in coming days. Hundreds of job losers are applying/want to apply for EI but many have no knowledge about how many insured working hours are required to claim this and for how long they will get EI.. In order to help such people a page of HRDC is attached below. Please find the area/city you live and go to columns # 5, 6 and 7.
For further info it is suggested to visit www.hrdc.gc.ca
For GTA: Minimum Hrs.595. Minimum period for getting EI:22 Weeks. Maximum period:47 weeks.
This is only for info and guidance.
Pass it on to your contacts, please.
Firoz Khan
| Human Resources and Social Development Canada
www.hrsdc.gc.ca Common menu bar linksContent begins Employment Insurance (EI) Program Characteristics for the period of May 10, 2009 to June 06, 2009
|
Posted in માહિતી, Information, News | Tags: Canada, Firozkhan, Information, News
શયદાની અલ્વિદા છે—-શયદા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayda, Shero shayri
રૂબાઈયાતે સિરાજ :સિરાજ પટેલ ‘પગુથનવી’ ના મુકતકો
Posted in કવિતા, ગઝલ, મુકતક, રૂબાઈ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Siraj Patel
સ્વપન ખોઈ બેઠા—સૈફ પાલનપુરી
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Saifpalanpuri, Shero shayri
બારી આંધળી થઈ ચુકી છે—આદિલ મન્સૂરી
Posted in અછાંદસ, કવિતા, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Achhaandas, Adil Mansuri, કવિતા, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
વૃક્ષો વરસાદમાં ભીંજાય રહ્યાં છે—મુનીર નિયાઝી(સદગત ઉર્દૂ કવિ
Posted in અછાંદસ, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujlish Gazhlo, Munir Niyazi Urdu poet, Shero shayri
કલેજાંનો ટુકડો-મખ્દુમ મોહ્યુદ્દીન(સદગત ક્રાંતિકારી ઉર્દૂ કવિ)
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: અછાંદસ, કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujlish Gazhlo, Makhdum Mohyuddin, Shero shayri
સંબંધ—નિદા ફાઝલી(ઉર્દૂ કવિ
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: અછાંદસ, કવિતા, Gujarati Poetry, Gujlish Gazhlo, NidaFaazli, Shero shayri
એ ગામને સ્ટેશન નથી—મોહમ્મદ માંકડ


Posted in નવલિકા, લઘુ કથા, વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, વાર્તા, Gujarati short story, MohammedMankad
મરીઝની ગઝલના મત્લાનો અર્થ વૈભવ—મુહમ્મદઅલી વફા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mareez, Shero shayri
પર્યાય ડોલર છે-ડૉ.અદમ ટંકારવી
Posted in કવન, કવિતા, ગઝલ, શાયરી, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ગઝલ, Dr.AdamTankarvi, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, Sher, Shero shayri
સાંઠ શેરોની ગઝલ—ડો.અદમ ટંકારવી

Posted in કવિતા, ગઝલ, પરિચય_જીવન*કવન, શાયરી, શેર | Tags: Adil Mansuri, કવિતા, ગઝલ, Dr.AdamTankarvi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
એકાદ પીંછું યાદનું-અંકિત ત્રિવેદી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Ankit Trivedi, એકાદ પીંછું યાદનું-અંકિત ત્રિવેદી, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
મુશ્કિલ છે દોસ્ત—અમૃત ઘાયલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, મુશ્કિલ છે દોસ્ત---અમૃત ઘાયલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
શિકાયત નહીં રહી_અમૃત ઘાયલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Urdu Gazhal | Tags: શિકાયત નહીં રહી_અમૃત ઘાયલ, Urdu Gazhal, Urdu poetry, Urdu shayeri
ઈલાહી ગવાહ છે—અમૃત ઘાયલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
એકાંતમાં-નિરંજન ભગત
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, NiranjanBhagat, Shero shayri

આંસુ અવાજ કરતાં નથી—ચન્દ્રકાંત બક્ષી












Posted in ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, Chandrakant Baxi, Short story, Story
ગુજરાત બિઝનેસેસેસ એસોસિએશનનો ‘પ્રાઉડ ગુજરાતી ઓફ ટોરોન્ટો’ એવૉડૅ શ્રીજય
ગજજરને અર્પણ—શ્રી પ્રકાશ મોદી

‘બઝમે વફા ગ્રુપ- ટોરંટો ‘
Posted in Information, News | Tags: Community news, Information, Jay Gajjar, Prakash Modi
તણખો પડે—હરદ્વાર ગોસ્વામી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hardwar Goswamy, Sher, Shero shayri
ઉનાળો હોય છે—તખ્ત સોલંકી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
જર્જર બચી છે દીવાલો—‘રાઝ’ નવસારવી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Raz Navsarvi, Razavsarvi, Shero shayri
શે’ર એટલે: નિર્મિશ ઠાકર




Posted in કવિતા, ગઝલ, માહિતી, લેખ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, છંદ, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Humour, Mirmish Thakar, Shayri, Sher
જયાં હતો અંધકાર ત્યાં સૂર્ય સળગાવી ગયા
પંથ ભૂલેલાને સીધી રાહ બતાલાવી ગયા
સૂર્ય સળગાવી ગયા—મહેક ટંકારવી

Posted in કવિતા, ગઝલ, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MahekTankarvi, Shayri, Sher
પ્રેમ તો શાપિત વન છે—મણિલાલ હ.પટેલ
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, ManilalH.Patel, Shayri, Sher
ધરતીના ધબકારા સંભળાવનાર હઝલ સમ્રાટ જનાબ આઈ.ડી.બેકાર સાહેબ (મર્હુમ)નું નિવેદન:
સર્જકની સફાઈ








2
http://bazmewafa.wordpress.com/2009/03/15/maatnihakal_bekar/
3
http://bazmewafa.wordpress.com/2009/03/01/bhadutigazhal_idbekar/
4
http://bazmewafa.wordpress.com/2009/02/01/taj_bekar/
5
http://bazmewafa.wordpress.com/2009/02/01/balancema_beka/
6
http://bazmewafa.wordpress.com/2009/01/30/footigaya_beka/
7
http://bazmewafa.wordpress.com/2009/01/09/fulkarmayunnahin_beka/
8
http://bazmewafa.wordpress.com/2008/11/25/rangchhamaklan_bekar/
9
http://bazmewafa.wordpress.com/2008/03/24/gopiochahechheakhagamni_bekar/
10
http://bazmewafa.wordpress.com/2008/03/17/baarnabaavankarilaishu_bekar/
Posted in કવિતા, ગઝલ, પરિચય_જીવન*કવન, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Hazhal, I.D.Bekar, Shayri, Sher
એ ત્વચા થાશે નહીં—રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, RajesVyasMiskin, Shayri, Sher, Shero shayri
યાદ આવે—મીરા આસિફ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Meera Asif, Shero shayri
ભલે રૂઠી ગયા—નઝર ગફૂરી
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Nazhar Gafoori, Shero shayri
વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Musafir Palanpuri, Shero shayri
ઇસ્લામનો જન્મ ભલે અરબસ્તાનમાં થયો પરંતુ ભારતીય મુસ્લિમો અરબસ્તાનમાં નથી જનમ્યા.–
જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચર
પ્રશ્નોત્તરી સ્વરૂપે




Posted in Article, ટિપ્પણી, માહિતી, માહિતી લેખ, લેખ | Tags: Article, ઇતર, Column, Interview, Justice Rajendra Sachar
લોક માટે વ્હાલ—નયન દેસાઈ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Nayan Desai, Sher, Shero shayri
બા *ઈલિયાસ શૈખ
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, lyasshaikh, Shero shayri
તારા વિરહના શહેરનો-જવાહર બક્ષી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, JawaharBaxi, Shayri, Sher, Shero shayri
ભીંજાય રણ—ડૉ.નીરજ મહેતા

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Neeraj Mehtaa, Sher, Shero shayri
એકટ્રેસ-શેખાદમ આબુવાલા
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, ShekhadamAbuWala, Shero shayri, Urdu Nazm
ફાધર્સ ડે(પિતૃ દિન) એ અમારા બાપુને વંદન—જય ગજ્જર ,C.M.M.A

Posted in Article, નિબંધ, માહિતી, માહિતી લેખ, લેખ, Information | Tags: નિબંધ, માહિતી લેખ, લેખ, Jay Gajjar

અનોખું વ્યકિત્વ _ડૉ.મહેબૂબ દેસાઈ
Posted in ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, Short story | Tags: નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Dr.Mehboob Desai, Short story
પેપર વેટ છે—એમ..ઝફર
દશા આ કાફિયાની જાણે પેપરવેટ છે
રદીફ ઉભો બિચારો જાણે સબ્જ્યુગેટ છે
ગઝલ બોડી બનીને કેમ આ ફર્યા કરે
વજન શેરો તણું તો ખાસું અપટુડેટ છે
ઘસી નાંખો તમે પણ જોડકણાં થોડા ઘણાં
પ્રસંશા કાજ ઊભેલી આખી સિંડિકેટ છે
બનાવો બ્લોગ ચોરીની ગઝલો તફડંચી કરી
જગતમાં પણ ઘણી ચીજો તો ડુપ્લીકેટ છે
ખરેખર થાબડો પીઠો ચાડિયાઓ તણી
ઉડાડે છે ખગોને ખેતરેથી એ તો ટ્ર્મ્પેટ છે
વિવેચક બ્લોગના ડસ્ટબીનો જોતો નથી
થવા દો આમ જે પણ બન્યું એ ડ્યુએટ છે
ખપાવી દો વિચારો સેકન્ડ હેંડ નૂતન કહી
ભલે આકાર પણ એનો કૈં રસ્ટીકેટ છે
‘ઝફર’ ક્ષમા જરા યાચું આ છંદો ભંગ કરી
કરું શું એ બધું સાલું તો કોમ્પલીકેટ છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, M.Zafar, Shayri
ઊડી ગયું છે છાપરું ઘરથી બહાર આવ
ખંડેર થૈ રહેલા નગરથી બહાર આવ

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Adil Mansuri, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, Sher, Shero shayri
મારી હયાતીને દુવા દો—મકરંદ દવે
કોઈ ગુનો કર્યોજ નથી,એમ પણ નથી.
એને હું સાંભર્યોજ નથી,એમ પણ નથી.
મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યોજ નથી,એમ પણ નથી.
આ ગામ,આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ
પાછો હું ત્યાં ફર્યો જ નથી,એમ પણ નથી.
તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવીઅ
ને કાંઈ કરગર્યો નથી ,એમ પણ નથી.
તારી નજર બહાર ગયો તો નથી સનમ!
ચીલો મેં ચાતર્યોજ નથી,એમ પણ નથી.
દોસ્તોઅ હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યોજ નથી,એમ પણ નથી.
Posted in કવિતા, ગઝલ, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Makrand Dave, Shayri, Sher, Shero shayri
સરપંચ—-મસ્ત હબીબ સારોદી
આ અમારા ગામના સરપંચ છે,
પોતે ચાલે છે હવાની જોઈ રૂખ.
એમનું વ્ય્ક્તિત્વ પણ છે આગવું,
સૌ પ્રપંચીઓના છે પોતે પ્રમુખ.
ત્રાસ રૂપ જાણે છે, આખા ગામ પર,
થૈ ગયું છે, ગામનું જીવન કઠિન
એ જશે તો એટલું નિશ્ચિંત છે,
ગામ આખામાં પળાશે મુકતિ દિન.
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MastHabibSaarodi, Shero shayri
મકતો રહું છું—- રતિલાલ અનિલ
અવાજોમાં ઠાલો ભટકતો રહું છું
ભટકતો,ભટકતો,અટકતો રહું છું
મુકામે મુકામે અટકતો રહું છું
હું પોતે મનેય ખટકતો રહું છું
હું સંધાઉં છું કોણ જાણે ય શાથી?
ને સંધાઈ પાછો બટકતો રહું છું
કહો તો એ અસ્તિત્વ છે,ને નથી પણ
હું તૂટતો રહું છું ને ને ટકતો રહું છું
જડાઈ જતો સ્તબ્ધ મારી નજરમાં
ફરકતા નયનમાં ફરકતો રહું છું.
સમય રેતની ટેકરીના શિખર પર
થઈ ઝાંઝવાં હું ફરકતો રહું છું
હસી લઉં છું ક્યારેક બરફ જેવું થોડું
ને નક્ષત્ર જેમજ દહકતો રહું છું
વિખૂટા પડ્યા છે બધા શેર મારા
ગઝલ ખોઇને માત્ર મકતો રહું છું
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil, Shayri, Sher, Shero shayri
તમે મૂસ્કાન દઈ બેઠા –બાબુ પટેલ
મળી આંખે, જરા આંખો અને મસ્તાન થઈ બેઠાં
નયનના એક પલકારે તમે મૂસ્કાન દઈ બેઠા
ભરી રંગો ધરા પર પાનખરના પાન થઈ બેઠા
ખરી ને એજ ધરતી પર તમે કુરબાન દઈ બેઠા
અમે કેવા હતા કોના હતા એ વાત ના જાણી
અવાચક બંધ હોઠો ને તમે પરવાન દઈ બેઠા
તમારી વાતના આંસુ સરી સુકા પ ડ્યાં ત્યારે
મળ્યાં બે બુંદ સામેથી તમે સન્માન દઈ બેઠા
બધી વાતો નકામી બસ ફગાવી દઈ જમાનાની
અજાણ્યા લોકમા આવી તમે દિલ દાન દઈ બેઠાં
વસંતોને વધાવી બાગમાં ફોરમ નિતારી ને
સમાવી પવન ને શ્વાસે તમે એક તાન દઈ બેઠા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, BabuPatel, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Poetry, Shero shayri
હું પોતેજ પોતાના કારણે વિસ્તરું છું—અલ્લામા ડો.મુહમ્મદ ઇકબાલ
મનુષ્યો સાથેનો વધારે પડતો મેળ મેળાપ,હળવું મળવું એ ખુદીની એટલે સ્વના ભાનની પહોંચ કાચી એટલેકે અપૂર્ણ હોવાની દલીલ છે.તેથી તું ,દર્દથી પરિચિત,સજ્જન પરિચયોથી મોઢું ફેરવે લે !
સુલતાનોના દરબારમાં આ શીશ ઝુકાવવાનું ક્યાં સુધી? પોતાના પાલનહાર પાંસેથી ગર્વોન્નત રહેવાનું પણ શીખ !
જવામર્દી સાથેનો પ્રેમ એક દિવસ ફરવાનોજ છે,મોડો વહેલો પ્રેમ તેમની નજરે પડવાનોજ છે!
તેમના હ્રદયની નજીક પહોંચીને મેં એવું દર્દીલું ગીત ગાયું કે ,પરખંદા જાणी ગયા કે વિરહ વ્ય્થાની મઝા કેવી હોય છે !
હું પોતેજ્ પોતાના આ કારણે વિસ્તરું છું.કે બૃહસ્પ્તિ અંધ છે,પરિણામે એવી નિષ્ફળતાને કારણે મારી પ્રેમની મતા ઉપયોગ વિના પડી રહી છે !
આવ,લાલા કુસુમના પગ નીચે રગદોળીને અને બેબાક થઈશરાબપાન કરીએ, કેમકે એવા ખૂનને હલાલ ગણવામાં આવ્યું છે !
મુસલમાનોમાંથી બહાર આવ, અને મુસલમાનીમાં પ્રવેશ કર, કારણકે મુસલમાનો બિન મુસ્લિમ જેવો વ્યહવાર કરે છે!
(ઝબૂરે આઝમ-119 .ફારસીમાંથી અનુવાદ: આચાર્ય મસ્ત મંગેરા તંત્રી: વ.સમાચાર સુરત)
Posted in અછાંદસ, કવિતા, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: અછાંદસ, કવિતા, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, MastMangera, Nazam, Nazm, Shero shayri

Ontario Multifaith Council honours Prakash Mody
Toronto, June 25, 2009. Ontario Multifaith Council at its Annual General Meeting last week, presented a plaque to Prakash Mody in recognition for his many years of valuable service as a Volunteer Board member. Guest of Honour and Keynote speaker was Barbara Hall; Chief Commissioner of Ontario Human Rights Commission outlined recent changes in the human rights field. Ontario’s Education Minister and MPP for Don Valley West, Kathleen Wynne, who spoke about government educational initiatives. Rob Oliphant, MP for Don Valley West, a United Church Minister, praised the role of Ontario Multifaith Council for providing important needs of spiritual and religious care in our Institutions. President Imam Abdul Hai Patel in his annual report presented review of the past years achievements and present challenges under economic crisis.
Ontario Multifaith Council on Spiritual & Religious Care is a government funded transfer payment agency looking after chaplaincy (now known as Spiritual Care) services within the province. About thirty-five or so different faiths joined to form OMC nearly thirty-five years ago and now it is an unofficial authority for multifaith resources.
About fifteen years ago, Prakash Mody initiated the membership of the Jain religion and served in different capacity including two years as a Treasurer and retired recently from OMC and several other social services organizations. He fulfilled the OMC’s motto of “One Purpose Many Faiths” and worked hard for the issues of the minority faiths. He was awarded by province, local Jain organization as well as JAINA, North American Jain parent body.
Picture shows Prakash Mody with the Plaque presented by Imam Abdul Hai Patel, OMC President.
==============
Ontario Multifaith Council
789 Don Mills Road, Suite 208
Toronto, ON. , M3C 1T5
( (416) 422-1490.
Posted in Article, પરિચય_જીવન*કવન, સમાચાર, News | Tags: Article, પરિચય_જીવન*કવન, Community news, News, Prakash Modi
રબીઅ બીન સુલેમાન—રજુ.મુહમ્મદઅલી વફા
રબીઅ બીન સુલેમાન નું કથન છે કે હું હજ ના પ્રવાસ માટે જઈ રહ્યો હતો.મારી સાથે મારો ભાઈ અને એક જૂથ હતું. કુફા(ઈરક)માં પહોંચ્યા પછી હું યાત્રાની જરૂરિયાતો ખરીદવા
બજારમાં ફરી રહ્યો હતો.એક વેરાન જેવી જગ્યાએ એક મૃત ખચ્ચર પડેલું હતું.એક મેલા ઘેલાં કપડાંપહેરેલી સ્ત્રી એ મૃત ખચ્ચરનાં માંસના ટૂકટા કાપી કાપીને પોતાની ઝોળીમાં નાંખી રહી હતી.
મેં વિચાર્યું કે આ સ્ત્રી મૃત પ્રાણીનું માંસ લઈ જઈ રહી છે, એના પર મૌન જાળવવું યોગ્ય નથી.શક્ય છે કે ભઠિયારણ સ્ત્રી હોય અને અને મુર્દાર માંસ લોકોને રાંધીને ખવડાવી દેતી હોય.મેં ચુપકીદગી થી મેં એનો પીછો કર્યો કે એમને જોઈ ન શકે..તે સ્ત્રી એક મોટા મકાનમાં પહોંચી.જેનો દરવાજે પણ ઘણો મોટો હતો.તેણીએ જઈને દરવાજો ખટ ખટાવ્યો.અંદરથી પ્રશ્ન થયો કે કોણ છો?
એણે કહ્યું બારણું ખોલો! હુંજ કમનસીબ છું.બારણું ખોલવામાં આવ્યું અને એમાંથી ચાર છોકરીઓ બહાર આવી.એમના ચહેરા પરથી દારિદ્રય અને પીડાના ચિન્હો દ્રષ્ટિમાન થતાં હતાં.તે સ્ત્રી અંદર ગઈ અને પેલી ઝોળી તે છોકરીઓની સામે ધરી દીધી.હું કિવાડોમાંથી અંદર નિરખી રહ્યો હતો. ઘર અંદરની બિલકુલ ખાલી અને બર્બાદ હતું.તે સ્ત્રીએ રડતાં રડતાં છોકરીઓને કહ્યું કે :લ્યો આને રાંધી લો. અને અલ્લાહનો શુક્ર અદા કરો,.પોતાના બંદાઓ પર અલ્લાહનો અખ્તિયાર છે.એનાંજ કબ્જામાં લોકોનાં હ્ર્દયો છે.તે છોકરીઓ પેલું માંસ કાપી કાપીને આગ પર શેકવા લાગી.મને ઘણી તકલીફ થઈ.મેં બહારથી સાદ દીધો કે હે અલ્લાહની બંદીઓ અલ્લાહના વાસ્તે એને ન ખાઓ.પેલી સ્ત્રી કહેવા લાગી તું કોણ છે.મે કહ્યું હું એક પરદેસી માણસ છું.તે કહેવા લાગી હે પરદેસી ! તું અમારી પાંસેથી શું ઈચ્છી રહ્યો છે?અમે પોતેજ ભાગ્યના કેદીઓ છીએં.લગાતાર ત્રણ વરસથી ન અમારું કોઈ હિતેચ્છક કે મદદગાર છે.તું અમારી પાંસે શાની અપેક્ષા રાખે છે?
મેં કહ્યું મજુસિયોનીએક જાતિ સિવાય કોઈ ધર્મમાં પણ મુરદારનું માંસ ખાવું જાઈઝ(સ્વીકાર્ય) નથી.તે કહેવા લાગી અમે સૈયદ અને નબીના શરીફ વંશજો છીએ.આ છોકરીઓનો બાપ પણ ઘણો શરીફ હતો.તે પોતાના જેવા નેક માણસો જોડે આ છોકરીઓના નિકાહ કરાવવા માંગતો હતો .પણ તે પળ એને સાંપડી નહીં.તેનો દેહાંત થઈ ગયો.જે વારસો એણે છોડેલો તે પતી ગયો.અમને ખબર છે કે અમારા માટે મુરદાર નું ખાવું યોગ્ય નથી.પરંતુ લાચારીની હાલતમાં યોગ્ય થઈ જાય છે.ચાર દિવસથી અમે ભૂખ્યાં છીએં.અમે કંઈજ ખાધું નથી.
રબીઅ કહેછેકે એની તંગ પરિસ્થિતિ નિહાળી મને રડવું આવી ગયું.રડતાં રદતાં બેચેન દિલથી હું ત્યાંથી પાછો ફર્યો.અને મે મારા ભાઈને કહ્યું કે મારો હવે હજનો ઈરાદો નથી.એણે મને ઘણો સમજાવ્યો.હજના સદાચાર અને ગુણો બતાવ્યા.હાજી હજ કરીને પરત થાય છે ત્યારે એવી સ્થિતિમાં હોય છે કે એના ઉપર કોઈ ગુનો રહેતો નથી(એના ગુનાહો માફ થઈ જય છે).વિગે વિગેરે.મેં ઉત્તર આપ્યો લાંબી ચોળી વાતો છોદી દો..
આ કહીને મેં મારા કપડાં અને અહેરામની ચાદરો(હજ દરમિયાન પહેરાતી સિવ્યા વિનાની બે ચાદરો)અને જે કંઈ સામાન મારી પાંસે હતો તે લીધો અને રોકડા છ્સો દિરહમ હતા તે પણ સાથે લઈ લીધા.એમાંથી સો દિરહનો લોટ ખરીદ્યો.અને સો દિરહમના કપડાં ખરીદ્યાં.અને બાકી બચેલા દિરહમો લોટમાં સંતાડી પેલી ઘરડી સ્ત્રીનાં ઘરે પહોંચાડી આવ્યો.તે સ્ત્રીએ અલ્લાહનો આભર માન્યો,અને કહેવા લાગી હે ઈબ્ને સુલેમાન અલ્લાહ પાક તાર બધાજ આગલા પાછલા ગુનાહ (પાપો)) માફ કરે.અને પોતાની જન્નતમાં તને જગ્યા અર્પણ કરે..અને એનો એવો બદલો તને આપે કે તને પોતાને પણ એ દ્ર્શ્યમાન થઈ જાય.સૌથી મોટી છોકરીએ દુવા આપતાં કહ્યું કે તારો બદલો અલ્લાહ બેવડો કરી દે અને તારા ગુનાહ માફ કરી દે. બીજી છોકરીએ કહ્યું: જેટલું તેં અમોને આપ્યું છે એનાથી અલ્લાહ પાક તને અતિશય બદલો અર્પે.ત્રીજી છોકરીએ કહ્યું કે અમારા દાદા(હજરત મુહમ્મદ સલ.)સાથે તારૂં સાનિંદ્ય થાય.ચોથીસૌથી નાની છોકરીએ કહ્યું કે હે અલ્લાહ જેણે અમારા પર એહસાન કર્યું છે તું એને એનો બદલો ઘણી જલ્દી અર્પણ કર.અને એના આગલા અને પાછલ તમામ પાપો માફ કરીદે.
રબીઅ કહેછે હજનો કાફલો રવાના થઈ ગયો/અને હું લાચારીએ કુફામાંજ પડ્યો રહ્યો.
તે બધા હજ કરીને પરત પણ થયા.મને વિચાર આવ્યો કી આ હાજીઓનું હું સ્વાગત કરું.એમનાથી મારા માટે દુઆઓ કરાવું.કે એની મકબૂલ(સ્વીકૃત) દુવા મને પણ લાગી જાય.જ્યારે હાજીઓનો એક કાફલો મારી સમક્ષ આવ્યો ત્યારે મને હજથી વંચિત રહેવાનો ઘણો અફસોસ થયો.અને વેદનાને લીધે મારાં અશ્રુ સરી પડ્યાં.જ્યારે હું એમને મળ્યો,મેં એમને દુવાઓ દીધી કે અલ્લાહ પાક તમારી હજ કબૂલ ફરમાવેઅને તમે કરેલા ખર્ચનો તમને બદલો આપેએમાંથી એક માણસે પૂછ્યું આ દુવા કેવી?
એવા માણસની દુવા જે અલ્લાહનાઘરના દવાજા સુધી પહોંચવાથી વંચિત રહી ગયો હોય.તે કહેવા લગ્યો ઘણા આશ્ચર્યની વાત છે ,જાણે તું ત્યાં ન આવ્યો હતો એવી વાત કરે છે.શું તું અમારી સાથે અરફાતના મેદાનમાં ન હતો.તેં અમારી સાથે શેતાનને કાંકરા નથી માર્યા,તેં અમારી સાથે કાબાનો તવાફ નથી કીધો?
હું મારા દિલમાં વિચારવા લાગ્યો કે આ અલ્લાહનું ઈનામ છે. એટલામાં માર શહેરનાં હાજીઓનો કાફલો આવી પહોંચ્યો.મેં એમને કહ્યું અલ્લાહ તઆલા તમારી સઈ(કાબા પાંસે આવેલીસફા મરવાની પહાડીઓ છે .ત્યાં સાત વાર દોડવાની પ્રક્રિયા)કબૂલ ફરમાવે અને અને અને તમારી હજ કબૂલ ફરમાવે..તેઓ પણ એવું કહેવા લાગ્યા કે તું અમારી સાથે અરફાતમાં ન હતો? શેતાનને કાંકારા મારવામાં સાથે ન હતો?.હવે એનો ઈંનકાર કરી રહ્યો છે?એમાંથી એક માણસ આગળ વધ્યો અને કહેવા લાગ્યો ભાઈ શા માટે ઈંનકાર કરો છો?શી વાત છે? તમે અમારી સાથે મક્કામાં નહિ હતા?મદીનામાં નહીં હતા?.જ્યારે અમે નબી સાહેબની કબરની જિયારત કરીને બાબે જિબ્રીલ(એક દરવાજાનું નામ) થી બહાર નીકળી રહ્યા હતા, તે સમય અતિશય ગિર્દીને લીધે તમે આ થેલી મને અમાનત રાખવા માટે આપી હતી.જેની મહોર પર લખ્યું છે (મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફો કમાય છે.આ તમારી થેલી તમને પરત કરૂં છું.
રબી કહે છે અલ્લાહ સાક્ષી છે કે મેં એ થેલી પહેલાં કદી જોઈ ન હતી.એને લઈને હું પરત થયો.ઈશા(રાત્રિ)ની નમાઝ પઢી.મારો વજીફો(ઈશવર રટણ) પૂરો કર્યો.અને એજ વિચારમાં ખોવયેલો જાગતો હતો કે આખરે આ શું કિસ્સો છે? એટલામાં મારી આંખ લાગી ગઈ. નિંદ્રાવસ્થામેં હજરત મુહમ્મદ સલ્.ની ઝિયારત(દર્શન) કીધી.મેં નબી સલ. ને સલામ પેશ કર્યું.અને તેમના હાથ ચૂમ્યા.નબી સલ.એ સ્મિત ફરમાવ્યું અને સલામનો જવાબ આપ્યો.અને ઈર્શાદ ફરમાવ્યો ! હે રબી અમે કેટલા સાક્ષી આના ઉપર પેશ કરીએં?તેં હજ કરી છે, અને તું માનતો નથી.સાંભળ વાત એમ છે કે..જ્યારે તેં પેલી સ્ત્રીપર જે મારી ઓલાદ(સંતતિ)માંથી છે. તેં દાન કર્યું અને તારો સફરનો ખર્ચ કરુણા સાથેઆપી દીધો. પોતાની હજ તેં મુલ્તવી રાખી.તો મેં આલ્લાહ સુબ્હાન તઆલાથી દુવા કરી કે તે એનો શ્રેષ્ટમ બદલો તને અર્પણ ફરમવે.તો હક તઆલા(અલ્લાહે)એ એક ફરિશ્તો તારી સિકલનો બાનવી હુકમ કર્યો કે કયામત સુધી તે પ્રતિ વર્ષ તાર તરફથી હજ પઢે.અને દુનિયામાં તને આ બદલો આપ્યો કે છસો દિરહમના બદલે છસો અશરફિઓ તને આપી.(જે એણે આપેલા માલથી મોટા પ્રમાણમાં હતો) તું તારી આંખોને ઠંડી કર.પછી હજુ સલ.(નબી સાહેબ)એ તેજ શબ્દો દોહરાવ્યા(મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફોજ કમાય છે.રબી કહેછે કે –હું સૂઈને ઉઠ્યો. અને થેલીને ખોલી તો એમાં છસો અશરફીઓ હતી.(રસ્ફત્લ સાવી)
Posted in Article, ઈતર, પ્રેરક પ્રસંગો, માહિતી, માહિતી લેખ, લઘુ કથા, સત્ય ઘટના, Information, Short story | Tags: પ્રેરક પ્રસંગો, માહિતી લેખ, લઘુ કથા, સત્ય ઘટના, Shaikh Muhammed Zakraiya
પયગંબરોએ બતાવેલા અખ્લાકો(ચારિત્ર્યતા)—સૈયદ અબુલહસનઅલી નદવી
Posted in Article, અનુવાદ, આધ્યાત્મિક, ગદ્ય, પ્રેરક પ્રસંગો, માહિતી, લઘુ કથા, Information | Tags: બોધ કથા, માહિતી લેખ, સત્ય કથા, Information, SyedAbulhasanali Nadwi
ભવિષ્ય પુરાણમાં મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી–પ્રોફ. મહેબૂબ દેસાઈ
‘રાહે રોશન’ના ૨૯-૧૨-૨૦૦૮ના અંકમાં ‘ઉપનિષદમાં અલ્લાહનો મહિમા’ લેખ પ્રસિદ્ધ થયો હતો.
એ લેખ ‘બઝમે વફા’ નામક વેબસાઇટના મેગેઝિનમાં ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી મુકાયો હતો. એ લેખ ટોરોન્ટોમાંથી પ્રસિદ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’માં ‘ધર્મશાસ્ત્ર’ નામક કોલમ લખતા જવાબ કાસિમ અબ્બાસ સાહેબના વાંચવામાં આવ્યો, અને તેમણે ‘દિવ્ય ભાસ્કર’ના લેખમાં ઉમેરણ કરતી ૨૩ વર્ષ જૂની એક પત્રિકાની ફોટો કોપી ‘બઝમે વફા’ વેબસાઇટને મોકલી.
એ પત્રિકા ‘મિલ્લત’ નામના મુસ્લિમ સામયિકના ૩૧-૩-૧૯૮૬ ના અંકમાં પ્રસિદ્ધ થઇ હતી. જેમાં લખ્યું હતું,‘હિંદુ ધાર્મિક ગ્રંથોમાંથી એક ગ્રંથ‘ભવિષ્ય પુરાણ’માં સંસ્કૃત ભાષામાં જે લખાણ છે તેનું ભાષાંતર આયશા બાવાણી વકફ દ્વારા અંગ્રેજીમાં પ્રગટ થયેલ ‘ઇસ્લામ તમામ પયગમ્બરોનો ધર્મ’ ના સૌજન્યથી અત્રે પ્રસિદ્ધ કરીએ છીએ. ભવિષ્ય પુરાણના પર્વ -૩, ખંડ-૩, અઘ્ય.-૩, શ્લોક ૫, ૬, ૭, અને ૮ ના સંસ્કત લખાણનું ભાષાંતર આ મુજબ થાય છે.
‘એક પરદેશી આઘ્યાત્મિક (રૂહાની) માર્ગદર્શક તેના સાથીઓ સાથે દેખા દેશે. તેનું નામ ‘મહામદ’ હશે. ગંગાજળ અને પવિત્ર દૂધમાં આ મહાદેવદૂત સમાન માર્ગદર્શકને, જે ‘મરુસ્થલ નિવાસીનમ્’ (રણપ્રદેશ અથવા રેતાળપ્રદેશનો રહેવાસી) હશે.
રાજા ભોજ તેનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે અને કહેશે, ‘હું આપને પ્રણામ કરું છું ઓ માનવ જાતિના ગૌરવ, રણપ્રદેશ (અરબ દેશ)ના રહેવાસી. આપની પાસે શૈતાનોને માત કરવાની શક્તિ છે. ઓ પવિત્ર મહાન માલિક (ઈશ્વર)ના પ્રતિબિંબ સમા, હું આપનો સેવક છું. મને આપના ચરણોમાં શરણાગતિ આપો.’
હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથ ભવિષ્ય પુરાણમાં હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી કરતા ચાર શ્લોકોનું અર્થઘટન કરતા મહર્ષિ વ્યાસ નીચે મુજબનાં તારણો આપે છે.
- સંસ્કૃતના મૂળ લખાણની બીજી લીટીમાં પહેલો શબ્દ ‘મહામદ’ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નું નામ સૂચવે છે.
- ત્રીજી લીટીમાં છેલ્લો શબ્દ ‘મરુસ્થલ નિવાસીનમ્’ માં મરુસ્થલનો અર્થ રણપ્રદેશ અથવા રેતાળ જમીન થાય છે. તથા ‘નિવાસીનમ્’ નો અર્થ રહેવાસી થાય છે. એ મુજબ હજરત મહંમદ (સ.અ.વ.)ના દેશનું નામ (અરબ દેશ) પણ બરાબર મળતું આવે છે.
- પયગમ્બર સાહેબ તમામ પાપોથી મુકત ફરિશ્તા સમાન સદગુણી હશે.રાજા ભોજ તેમનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે.
- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) શૈતાનોનો નાશ કરશે, દુર્ગુણોનો નાશ કરશે.
- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ખુદા (ઈશ્વર)ના પ્રતિનિધિ હશે. તમામ માનવજાત માટે તે ગૌરવરૂપ હશે.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) ના આગમન પૂર્વે ભવિષ્ય પુરાણમાં તેમના આગમન માટે થયેલી આ આગાહી સાચે જ ઇસ્લામ માટે ગૌરવરૂપ છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમન પૂર્વે જ તેમનો પ્રભાવ દૂરદેશાવર અને ભારત સુધી સુધી પ્રસરશે એમ કહેનાર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણી માટે આદર છે. ટૂંકમાં ‘રાહે રોશન’ કોલમ કેનેડા અને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ સુધી પહોંચી છે તે આનંદની ઘટના છે.
Posted in Article, ઈતર, ગદ્ય, લેખ | Tags: ઇતર, રાહે રોશન, લેખ, Dr.mehboobDesai, raahe roshan
વેદમાં મકામે મહમૂદ(દિવ્ય સ્થાન)નું વર્ણન—મૌલાના શમ્સ નવીદ ઉસ્માનીઅને એસ. અબ્દુલ્લાહ તારીક
Posted in આધ્યાત્મિક, ગદ્ય, નિબંધ | Tags: આધ્યાત્મિક, માહિતી, લેખ, s.AbdullahTariq, Shamsnaveed
અલ્લાહો અકબર- ઓમ્ મહા(અલ્લાહજ ફકત મહાન છે)—મુહમ્મદઅલી વફા
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, માહિતી, શાયરી, શેર, સમાચાર, Gujarati Gazhal | Tags: 1000 posts, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher, Shero shayri
જામ સનમ-શેખાદમ આબુવાલા
અમને તો છે તમારું કામ સનમ
કોણ પૂછી રહ્યું છે નામ સનમ
જો એ પીવા મળે તો જામ સનમ
નહિ તો હોઠોને રામ રામ સનમ
આ ઘટા શ્યામ ઝૂકીને
તારી લટને કરે સલામ સનમ
પાનખર કાનમાં કહી ગૈ શું
બાગની ઉંઘ છે હરામ સનમ
જોયુંયૂરોપ એ ખરું આદમ
દેશના પણ જુઓ દમામ સનમ
(દીવાન-એ-આદમ 282)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shayri, ShekhadamAbuWala, Sher
ઘુવડ—દિલીપ ઝવેરી
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Dilip Zaveri, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
મુશાયરામાં ગઝલની રજૂઆત—-આશિત હૈદરાબાદી
Posted in ગદ્ય, ચર્ચા, માહિતી | Tags: Ashit Hyderabadi, કવિતા, ગઝલ, લેખ, વિવેચન, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri
સાંઠીકડાન ઈંધણમાં પણ બને એટલો ઊંચે જવાનો વળાંક લેતો ઉત્સાહ છે…’મને તો એક ડગલું બસ થાય’એવા બોલ તો એના વળાંક લેતા ધુમાડા ઉચ્ચારતા નથી.વચ્ચે આવેલી ગાંઠોમાંથી પણ એ ઝડપપથી બને એટલો પોતામાં રહેલો અગ્નિ બહાર આણે છે.તાપણાની વળાંક લેતી ચંચળ ધુમાડિયા જ્યોતમાં ઉત્સાહ છે.
તાપણું—રતિલાલ ‘અનિલ’

(કંકાવટી-અલ્વિદા અંક-માર્ચ2006 પુ.17)
Posted in Article, ગદ્ય, નિબંધ, માહિતી લેખ, લેખ | Tags: Article, ઇતર, Essay, Ratilal Anil
લાગણી અને પ્રેમ —પીર નન્નુમિયાં સાહેબ ભોપાલી
લાગણી અને પ્રેમ એવી વસ્તુ છે કે જેની સાથે લાગણી અને પ્રેમ હોય છે એનું નામ આવતાં નસોમાં લોહીની ઝડપ માત્રા વધી જાય છે.
મૌલાના જાલાલુદ્દીન રૂમી(રહ.)એ એમની મસ્નવી(મહા કાવ્ય)માં એક પ્રસંગ સરસ વર્ણવ્યો છે.
એક બાદશાહ એક સ્ત્રી પર મોહિત થઈ ગયો.બાદશાહે તેની સાથે લગ્ન કરી લીધા.અને પોતાના મહેલામાં તેને પ્રસ્થાપિત કરી દીધી.થોડા દિવસો પછી તે સ્ત્રી બિમાર થઈ ગઈ.કોઈ પણ દવા તેના માટે અસરકારક સાબિત ન થઈ.
બાદશાના શાહી હકીમો એ ઘણી મહેનત કરી અને ઘણી દવાઓ તેના પર અજમાવી .પણ પરિણામ શૂન્ય..અને બિમારીમાં વધારો થતો ગયો.
છેવટે બાદશાહે દરબારી હકીમોને બોલાવી ધમકાવ્યા.અને ચેતવની આપી કે જો તમારી કોઈ દવાથી ફાયદો ન થાય તો દરેકને પોતાના હોદ્દાથી હટાવી દેવામાં આવશે.અને કોઈ
વેતન પણ મળશે નહિ.જો મને તમારી હિકમત કામ ન લાગી તો પછી એનો અર્થ શું?
બધા હકીમો નોકરી જવાના ભયથી ઘણા ગભરાયા.પરંતુ એક અનુભવી હકીમે કહ્યું કે હું એકાંતમાં બેગમની નબ્ઝ(નસ) પરખવા માંગું છું.,અને તેની સાથે વાતો કરવા ચાહું છું મને પરવાનગી આપો.બાદશાહે એને પરવાનગી આપી દીધી.
હકીમ બેગમને એકાંતમા મળ્યો..વાત વાતમાં તેનું મૂળ વતન ,શહેરનું નામ તેના કુટુંબ વિષે માહિતી મેળવી લીધી.પછી તેના ફળિયા અને તેના રહેવાવાળાઓનાં નામો બોલવાનું શરૂ કરી દીધું.અને એણે એનો હાથ બેગમની નબ્ઝ(નસ) પર મૂકી રાખ્યો.છેવટે જયારે એણે એક ઝરગર(સોની)નું નામ લીધું તો બેગમની નસ તેજ થઈ ગઈઅને નાડી ઘણીજોરથી ચાલવા લાગી.
. હકીમે બાદશાહને જઈ ફરમાવ્યું કે એ સ્ત્રી તેના ગામના ફલાણા ઝરગર(સોની)ના પ્રેમમાં છે
લખેછે કે કિસ્સોતો એનાથી પણા આગળ ચાલે છે.. પણ વાર્તાનું તાત્પર્ય એ છેકે પવિત્ર પુસ્તકે (કુરાને) આપણને એક થર્મો મીટર આપ્યું છે.સીધા માર્ગના પ્રયાણનું.તમારા સર્જન હાર સાથે તમારો લગાવ અને પ્રેમ હશે તો તમે એના બતાવેલા સીધા રસ્તા પર ચાલી શકશો.
(મૂળ ઉર્દૂમાં રજુઆત:—સૈયદ અબુહસન અલી નદવી.પુસ્તક: –સોહબતે બા અહલે દિલ પાન નં.161)
Posted in આધ્યાત્મિક, ગદ્ય, પ્રેરક પ્રસંગો, લઘુ કથા | Tags: પ્રેરક પ્રસંગો, peer Nannumiyan

કોણ માનશે ? મસ્ત મંગેરા
આ જિંદગી પ્રવાસ હતી, કોણ માનશે ?
મંઝિલ ઉપર ઉદાસ હતી, કોણ માનશે ?
એકજ હૃદય છે તેમાં તમન્નાઓ બેસુમાર,
સોગાદ એજ પાસ હતી, કોણ માનશે ?
કરતો રહ્યો ખુશીની તમન્નાઓ ઉમ્રભર,
તારા ચરણની પાસ હતી, કોણ માનશે ?
એવી પળે મળી મને જીવનમાં રોશની,
પૂનમ અહીં અમાસ હતી, કોણ માનશે ?
ફૂલો ચમનમાં અંતે રૂદનથી ખૂશ થયાં,
એ વિરહની સુવાસ હતી, કોણ માનશે ?
મંઝિલ મળી છે મસ્તને એના પ્રતાપથી,
શ્રધ્ધા અતૂટ પાસ હતી, કોણ માનશે ?
(મિજાજ-63)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mast Mangera
ઇસ્લામ અને બહુપત્નીત્વ _પ્રોફે. મહેબૂબ દેસાઈ
Wain khiftum alla tuqsitoo fee alyatama fainkihoo ma taba lakum mina alnnisai mathna wathulatha warubaAAa fain khiftum alla taAAdiloo fawahidatan aw ma malakat aymanukum thalika adna alla taAAooloo
(Asad) And if you have reason to fear that you might not act equitably towards orphans, then marry from among [other] women such as are lawful to you [3] – [even] two, or three, or four: but if you have reason to fear that you might not be able to treat them with equal fairness, then [only] one – or [from among] those whom you rightfully possess. [4] This will make it more likely that you will not deviate from the right course.CoutesyIslamiccity.com)
બહુપત્નીત્વનો રિવાજ પ્રાચીન અને મઘ્યકાલીન યુગમાં યુરોપ અને એશિયાના બધા જ દેશોમાં પ્રચલિત હતો. પ્રાચીન સમયમાં ભારતમાં પણ રાજા-મહારાજાઓ એક કરતાં વધુ પત્નીઓ રાખતાં. અલબત્ત, આ પ્રથાના મૂળમાં મોટે ભાગે રાજકીય કારણો જવાબદાર હતાં.
એ જ રીતે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વનો સિદ્ધાંત એ સમયના અરબસ્તાનના રાજકીય વાતાવરણને કારણે સ્વીકારવામાં આવ્યો હતો. જેમ કે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નાં પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયાં હતાં, પણ એ પછી થયેલાં તેમનાં લગ્ન એક યા બીજા સ્વરૂપે રાજકીય કારણોસર જ થયાં હતાં, નહીં કે વૈભવ-વિલાસ અને શારીરિક જરૂરિયાત માટે (નફસાની ખ્વાહીશ). અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્ડ લેન પોલ મહંમદ સાહેબ (સ.અ.વ.) ના હજરત ખદીજા પછીનાં લગ્નો અંગે લખે છે :
‘એમાનાં કેટલાંક લગ્નો તો કેટલીક સ્ત્રીઓના પતિ ઇસ્લામની લડાઇમાં માર્યા ગયા હતા, તેમનો વિચાર કરીને કરવામાં આવ્યાં હતાં. તે સ્ત્રીઓને કશો આધાર ન હતો. તેમના પતિઓને મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ખુદ લડાઇમાં મોકલ્યા હતા. એટલે મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આશરો મેળવવાનો એ વિધવાઓને હક્ક હતો અને મહંમદ સાહેબ (સ.અ.વ.) બહુ દયાળુ હતા. તેમણે તેમને નિકાહ કરી આશરો આપ્યો. બાકીનાં લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય હતો. એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક પ્રેમસૂત્રમાં બાંધવાનો હતો.’
એ સમયે અરબસ્તાનમાં થતી રોજે રોજની લડાઇઓમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી જતી હતી. જયારે બીજા પક્ષે પુરુષોની સંખ્યા ઘટતી જતી હતી. એટલે જ ઇસ્લામમાં ચાર પત્નીઓ સુધીની છૂટ આપવામાં આવી. પણ બહુપત્નીત્વના આ સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં એ પણ કહેવામાં આવ્યું કે, ‘ જો તમને એ વાતનો ડર હોય કે તેમની સાથે લગ્ન કર્યા સિવાય અનાથો પ્રત્યે તમે ન્યાય નહીં કરી શકો, તો જે સ્ત્રીઓ તમને ગમે તેમાંથી બે-ત્રણ કે વધારેમાં વધારે ચાર સાથે નિકાહ કરી લો, પરંતુ ડર હોય કે તમે તે બધી સ્ત્રીઓ સાથે સમાન ઇન્સાફથી નહીં વર્તી શકો, તો ફકત એક સાથે જ નિકાહ કરો.’
ઓહદની લડાઇ પછી તરત ઊતરેલી આ આયાત (શ્લોક)માં પણ એકથી વધુ લગ્નો માટેનું સ્પષ્ટ કારણ આપેલ છે. સાથોસાથ દરેક પત્ની પ્રત્યે સમાન વર્તન કરવા પર ભાર મૂકે છે અને માનવસહજ સ્વભાવને કારણે જો સમાનતા ન રાખી શકો તો માત્ર એક જ પત્ની કરવા પર ભાર આપે છે. આ જ બાબતને વધુ સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
‘ તમે ઇચ્છો તો પણ બધી પત્નીઓ સાથે સમાન વર્તન કરી શકવાને શક્તિમાન નથી.’
એટલે કે આ આયાત દ્વારા ખુદા-ઈશ્વરે પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે માનવીનો ચંચળ સ્વભાવ બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર, વર્તન દાખવવાને અસમર્થ છે.
આમ, કુરાને શરીફે પણ પરોક્ષ રીતે એક પત્નીત્વના સિદ્ધાંતને યોગ્ય માની તેને પ્રાધાન્ય આપ્યું છે.
Posted in Article, ઈતર, ગદ્ય, નિબંધ, માહિતી લેખ, લેખ, Information | Tags: ઇતર, Dr.mehboobDesai, Islamic shariyah(Jurisprudence)

“મિજાજ”-આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબની ગંભીર અને વિચારશીલ કાવ્ય રચનાનો સંપુટ —-મુહમ્મદઅલી વફા
Posted in કવિતા, ગઝલ, વિવેચન, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, વિવેચન, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mast Mangera, Mijaj, Sher, Shero shayri
કેટલી લાલાશ તારી યાદની—મનીષ પરમાર
પથ્થરો ઓગાળવા આવ્યા છીએ.
બસ નદીને ખાળવા આવ્યા છીએ
કેટલી લાલાશ તારી યાદની!
સાંજ ધૂસળ વાળવા આવ્યા છીએ
રાખમાંથી પણ તને જડશે ઘણું,
આ જનમ ઘર બાળવા આવ્યા છીએ
ભેજ છૂટે રેતને ગાળ્યા પછી,
છૉળને ઊછાળવા આવ્યા છીએ.
એક પર્વત મૂળ નાંખે છાતીમાં,
શું હિમાળો ગાળવા આવ્યા છીએ.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, ManishParmar, Shero shayri
છૂટા પડવાની સરસ ક્ષણ—ઉશનસ્
(સૉનેટ)
પ્રિયે, અંતે તો એ બન્યુંજ બનવાકાળ હતું તે:
કર્યું પોતે ધાર્યું હતું, બસ થાવિધ સમયે,
ધીમે ધીમે બિલ્લીપગની ગતિથી, ચૂપકી લયે
બધું ટાઢું પાડી દીધું ખુદ ક્રમે, ઓછું હતું તે:
પ્રિયે, તૂટ્યો તો છે ગહનતમ સંબંધ, પણ છે
તૂટ્યા કેરી ક્યાંયે ખબર પડી ? છે તડ્તડ જરી
હવામાં કોઈએ સુણી સરખી કો પાંદડું ખરી.
ગયું છે વૃક્ષોથી; પણ કુણ ગણે? પીત ક્ષણ છે;
ખર્યા છે સંબંધો સધન અનુબંધોય પવને;
પરંતુ આંધી કે ખળભળ નથી ! લ્હેરખી નથી!
પડ્યું છે પાણીમાં ત્યહીં પણ ઝીણી ઓકળી નથી !
કશું કયાંયે ઊંચું નીચું નથી તૂટ્યાની અમ ક્ષણે !
પ્રિયે,તો આવી આ ક્ષણ મહીં ઉભે કો વ્રણ વિના
પડી જૈએ છૂટ્ટાં ગતસ્મરણના ભારણ વિના.
Posted in કવન, કવિતા, ગઝલ, ગીત, શાયરી, શેર | Tags: કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, Sher, Shero shayri, sonnet, ushnas
પશ્ચિમી દેશોનો આડંબર-ડૉ.ઝુબેર કુરેશી

2

3
(ગુજરાત ટુ ડે 5ઓગષ્ટ 2009ના સૌજન્યથી)
Posted in Article, ટિપ્પણી, માહિતી લેખ, Information, News | Tags: Dr.Zubair Qureshi, Politacal analysis
વણઝાર ખોઈ બેઠો છું—અરવિંદ ભટ્ટ
શબ્દના દ્વાર ખોઈ બેઠો છું
સાવ ઘરબાર ખોઈ બેઠો છું.
કોઈ પથ્થર મળે તો લાગે છે,
એક આકાર ખોઈ બેઠો છું.
આજ આંખો મીચીને શોધું છું,
દ્રશ્ય બે- ચર ખોઈ બેઠો છું.
નેમ લીધું ન આયને જોયું,
ને હું અણસાર ખોઈ બેઠો છું.
આંખમાં ઝાંઝવાનાં જાળાં છે,
હુંય વણઝાર ખોઈ બેઠો છું.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: ArvimdBhatt, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, Shero shayri

તૃષ્ણા વગર થશે—રતિલાલ અનિલ
ચાલો પ્રવાસ આપણો ઈચ્છા વગર થશે,
જ્યાં યે થશે મુકામ તે છાયા વગર થશે.
થાશે નગાધિરાજ ને થીજ્યા વગર થશે.
ને સાત રંગનો સૂરજ ઉષ્મા વગર થશે.
ફૂલો યે રસ્તે આવશે, પડશે વળી નજર,
સંબંધ પણ થશે, અને માયા વગર થશે.
આંખો સમક્ષ દ્રશ્ય હશે પણ દીદાર નહીં,
એવી રીતે જુદાઈ પણ પરદા વગર હશે.
મનમાંજ આપણે હવે મળશું , જુદા થશું:
થાશે અવર જવર અને રસ્તા વગર થશે
કરવું હશે કશું નહીં , તોયે થશે ઘણું2
મારા વગર થશે, અને ઈચ્છા વગર થશે.
ખુલ્લીજ હશે આંખ ને જીવતી હશે ત્વચા
થાશે અબોધ ને વળી મૃચ્છા વગર થશે
તારા ભરેલી રાત તે એક જ વિરાત મૌન,
દરબાર તો થશે અને સંખ્યા વગર થશે.
ભીંતો ને કાગળો ઉપર ઝૂમી જશે વસંત,
બસ, બાગ બાગ ફૂલના ઊગ્યા વગર થશે.
વીંધી જશે અવાજ વિના સર્વ વીજળી,
સીધો અવાજ એમનો ધ્રુજ્યા વગર થશે.
રણનો યે અર્થ નહિ રહે, મૃગજળ થશે ઉદાસ,
અવસાન તો થશે અને તૃષ્ણા વગર થશે.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil, Shero shayri
રણ વિષે કંઈ વાત કર—જાતુષ જોશી
એ અજાણ્યા જણ વિષે કંઈ વાત કર,
રેશમી સગપણ વિષે કંઈ વાત કર.
જે વિશેષણથી પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિષે કંઈ વાત કર.
આજ લગ જેના વિષે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિષે કંઈ વાત કર.
જે થયું એ તો બધુંય ગૌણ છે,
તું પ્રથમ કારણ વિષે કંઈ વાત કર.
આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંના રણ વિષે કંઈ વાત કર.
Posted in કવિતા, ગઝલ, શાયરી, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, JatushJoshi, Shayri, Shero shayri

સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ-શેખાદમ આબુવાલા
Posted in કવિતા, ગઝલ, નઝમ, પરિચય_જીવન*કવન, વિવેચન, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, નઝમ, માહિતી લેખ, વિવેચન, SahirLudhyanvi, ShekhadamAbuWala
લો હવે ચોમાસું બારે માસ છે—અંકિત ત્રિવેદી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
રાત રહી પાસાં બદલતી—પુરુરાજ જોષી
પ્હેલ પ્રથમ પાંખ દીધી ને પછી પીંજર કર્યું
ચોપડે ચીતરેલ ખાતું એ રીતે સરભર કર્યું
પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જોકે યુગો લગ આભ આખું થરથર્યું.
વૃક્ષની હએક દાલીની કરી હત્યા પછી
છાંયાડાની ઝંખનાએ એના મનમાં ઘર કર્યું.
મેં તણખલાનું બનાવ્યું એક અફલાતુન ઘર
વીજને દીધું નિમંત્રણ આવીનેઝળહળ કર્યું.
માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાંસા બદલતી ને ગગન ઝરમર કર્યું.
ઠામ ઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય સાવ ખાલી આમ સચરાચર ભર્યું.
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, PururajJoshi, Shero shayri
અલ મન્સુર હ્લ્લાજ-પ્રો.મહેબૂબ દેસાઈ
મન્સુરની નિર્મમ હત્યાના વર્ષો પછી શાયર-એ – આઝમ મિર્ઝા ગાલિબે મન્સુરને અંજલી અર્પતા કહ્યું હતું,
” દી ગઈ મન્સુર કો સૂલી
અદબ કે તર્ક પર
થા અનલહક હક્ક
મગર યક લફજે ગુસ્તાખાના થા “
Posted in Article, આધ્યાત્મિક, ગદ્ય, પરિચય_જીવન*કવન, માહિતી, Information | Tags: આધ્યાત્મિક, ઇતર, માહિતી લેખ, લેખ, સુફીવાદ, Dr.mehboobDesai, Mystic
62nd Independence day of India celebration in GtA


Posted in Information | Tags: Firozkhan, IDayPgm, MehfilGroup, Mushayra
શ્વાસ સુધીના સૌ સાથી છે —મસત હબીબ સારોદી
કેમ કરેછે ખોટી અટકળ ?
ન્યાય તો એ છે મુજને સાંભળ !
યત્ન ગયા સૌ અંતે નિષ્ફળ,
યોગ પ્રબળ છે તે પણ પુષ્કળ !
શ્વાસ સુધીના સૌ સાથી છે,
કોણ ગયું છે કોની પાછળ?
ક્રોધ ઘટે ના કરવો જો કે,
તંગ કરો છો કેવાં પળ પળ?
છે જ સહારો શ્ર્ધ્ધા વિહોણો
ભૂલ કબૂલી લઈશું પાછળ.
દુનિયા છે આ જંગલ જેવી,
તોય કહું છું મંગળ! મંગળ !
આજ કરેછે નિર્દેશ એ એનો,
હાલ થવાનો કેવો આગળ!
એય હબીબ છે એક સમસ્યા,
સાંત થયું મન શાને વિહવળ?
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MastHabibSarodi, Shero shayri
પ્રેમ એકજ છે , સનાતન છે, અચલ છે ઓ ‘મરીઝ’
રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઈએ.
મોઘમ ઈશારો જોઈએ—મરીઝ
હો ભલેને અલ્પ પોતાનો સહારો જોઈએ,
બુંદભર પાણીને પણ પોતાનો કિનારો જોઈએ.
એ જ છે વાણીની સફળતા, એજ છે સંગતનો રંગ,
હો ગમે તેવો વિષય સુંદર વિચારો જોઈએ.
મૂળમાં વર્ગીકરણ કુદરત કદી કરતી નથી,
જંગલી ફૂલોને પણ ખુદની બહારો જોઈએં.
થાક લાગ્યો હો પરમ કક્ષાનો ત્યાં શું ચુંટણી?
મહેલ હો કે ઝૂંપડી મારે ઉતારો જોઈએ.
તે પછી જોજો અમારી સ્પષ્ટ વાતોની મઝા,
આપની આંખોનો એક મોઘમ ઈશારો જોઈએ.
જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,
થોડા ખુદની જાત ઉપર પણ પ્રહારો જોઈએ.
પ્રેમ એકજ છે , સનાતન છે, અચલ છે ઓ ‘મરીઝ’
રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઈએ.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mareez, Shero shayri

એમની આંખોમાં ઉમળકો નથી—અદમ ટંકારવી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal | Tags: Adam Tankarvi, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, હઝલ, Dr.AdamTankarvi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
પથ્થર નહીં બનું-મઝહર ફારૂકી
બીજાના માટે હું કદી નડતર નહીં બનું
આવે જે ઠોકરોમાં એ પથ્થર નહીં બનું.
અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે
રોળી કોઈનાં રત્ન હું ગૌહર(મોતી) નહીં બનું.
નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું
ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું.
સૌની નિકટ રહીશ હું સરખાજ રૂપમાં
છેટેથી રૂડો લાગતો ડુંગર નહીં બનું.
‘મઝહર’ કથનથી વેગળું જેનું હો આચરણ
એવો વિરોધાભાસી સુખનવર નહીં બનું.
(વિદેશી ગઝલો સં.દીપક બારડોલીકર)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MazhharFaruqui, Shero shayri
એક વેળા આપને જોયાં—ગની દહીંવાળા
એક વેળા આપને જોયાં બહાનું થઈ ગયું,
મારા માટે આ જગત તસ્વીર ખાનું થઈ ગયું.
ભાવનાશાળી હૃદય કારણ વ્યથાનું થઈ ગયું.
મહેલમાં વસવાટ, કંટક બિછાનું થઈ ગયું.
આપનો નાહકનો મિથ્યા ગર્વ પોષાઈ ગયો,
હાથથી કુદરતના એક સર્જન કળાનું થઈ ગયું.
કોઈને સંધ્યા સમે સત્કારતાં દિલ કહી ઊઠ્યું,
આગમન શું આજ પશ્ચિમથી ઉષાનું થઈ ગયું.
એ જવાનીનાં નશાની આંખમાં લાલી હતી,
નામ ત્યાં બદનામ નાહક સુરાનું થઈ ગયું.
ભાગ્ય-છાયા પર કિરણ પુરુષાર્થનાં જ્યારે પડ્યાં,
રાતનો અંધાર અજવાળું ઉષાનું થઈ ગયું.
જિંદગી એવા ય શ્વાસો લઈ જીવ્યો છું ‘ગની’
કૈંક વેળા આ જગત મારા વિનાનું થઈ ગયું.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, GaniDahivaaLaa, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
નયન છલકાઈ જાએછે—સૈફ પાલનપુરી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, SaiPalanpuri, Shero shayri

અરબી કવિતા_સુલતાન
સમય બદલાય તો જાશે-બાબુ પટેલ
જગાડી જગત પરભાતે સમય બદલાય તો જાશે
ઢળી આરામ લઇ રાતે સમય બદલાય તો જાશે
વહે વણઝાર રણ વગડે સબંધોના ભરી ઘરબાર
મજલ જો ના મળે વાટે સમય બદલાય તો જાશે
ચિરાડો પ્યારની સંધાય છે વિશ્વાસ ને ધાગે
ગળું કાપે દગલ વાતે સમય બદલાય તો જાશે
જવાની જામ દોલતનો નશો એક મીણ જેવો છે
ખુમારી પીગળી જાતે સમય બદલાય તો જાશે
વસંતો લાવશે રંગત ખુશી ને ઢોળશે બાગે
પડે જો પાંડદાં ઘાતે સમય બદલાય તો જાશે
જનમ ને મરણ વચ્ચે જે જિવનના હાલ છે આજે
જનાજો ઊઠતાં સાથે સમય બદલાય તો જાશે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, BabuPatel, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
અંધાર પીધો—રાજેન્દ્ર પાઠક
Posted in કવિતા, ગઝલ, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, RajendraPathak, Shero shayri
છિન્ન પત્ર9-સુરેશ હ.જોષી
આ લેખન આત્મ પિડનનો જ એક પ્રકાર નથી? આપો આપ વિલાય જતી ઝાંખી આખરે લુપ્ત થઈ જતી લાગણીઓને જીવતી રાખીને એને ગુંચવ્યે જવી ને એ રીતે હ્ર્દયને જંપવા ન દેવું.

Posted in ગદ્ય, લઘુ કથા, લઘુ વાર્તા, Short story | Tags: કવિતા, ગઝલ, લઘુ વાર્તા, વાર્તા, શાયરી, શેર, Dr.SureshJoshi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Shayri, Shero shayri

મુહમ્મદઅલી શિહાબ થંગલનની વિદાયથી કેરાલાની કોમી એકતાને મોટું નુકસાન
ઇ ન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇ.યુ.એમ.એલ.)નું નામ સાંભળીને ઘણાને એવો ભ્રમ થતો હશે કે આ માત્ર મુસ્લિમવાદી જ પાર્ટી હશે અને તેના સંચાલકો પણ કટ્ટર હશે. પરંતુ એવું નથી કારણ કે એક તો આ પક્ષ ગુજરાતથી ઘણો દૂર આવેલા રાજય કેરાલામાં છે અને ત્યાંની રાજનીતિથી આપણે પૂરેપૂરા વાકેફ નથી. બીજું આઇયુએમએલ વિશે સાચી માહિતી એટલે પણ આપણા સુધી નથી પહાચી કે એ એક પ્રાદેશિક પક્ષ છે અને તેની રાષ્ટ્રીયસ્તરે હેસિયત એક સાંસદ જેટલી જ છે. છેલ્લા દાયકાઓથી એવી પરંપરા છે કે લગભગ દરેક લોકસભામાં એનો એક સાંસદ ચૂંટાય જ છે પરંતુ કેરાલામાં આ પક્ષનું ઘણું વર્ચસ્વ છે.
ગત શનિવારની રાત્રે જ આ આઇયુએમએલના સુપ્રીમો અને પ્રદેશ પ્રમુખ પનક્કડ સૈયદ મુહમ્મદઅલી શિહાબ થંગલનું નિધન થયું. પી.થંગલ તરીકે લોકપ્રિય એવા કેરાલાના આ નેતાની કોમી સંવાદિતતા અને બિનસાંપ્રદાયિકતા માટે ટોચના મુસ્લિમ નેતા તરીકે ગણના થતી હતી. પરંતુ એના કરતાયે એમને એટલા માટે યાદ રખાશે કે ૭૩ વર્ષના આ નેતાએ છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજયના લઘુમતી સમુદાયનો વિશ્વાસ સમાજના મુખ્ય પ્રવાહ અને રાજકારણમાં જાળવી રાખ્યો હતો. વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર આ દીર્ધદૃષ્ટિયુકત સુશિક્ષિત નેતાના પ્રતાપે જ કેરાલામાં મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતા જિલ્લા મલાપ્પુરમમાં આઇ.યુ.એમ.એલ.નું એકચક્રી શાસન ચાલતું આવ્યું છે. પી. થંગલને કારણે જ દેશમાં ગમે તેવા કપરા કે વિપરીત સંજોગો ચાલતા હોય પણ આ વિસ્તારમાંથી ચૂંટાઇને તો આઇયુએમએલનો જ પ્રતિનિધિ જાય છે. ગત યુપીએ સરકારમાં વિદેશ રાજયમંત્રી અને વર્તમાન સરકારમાં રેલવે રાજયમંત્રીનો હોદ્દો મેળવનાર ઇ. અહેમદ આ પક્ષના જ અને આ વિસ્તારમાંથી સતત ચૂંટાતા આવેલા સંસદ સભ્ય છે.
થંગલની વિશેષતા એ હતી કે તેમણે ધર્મિક રીતે અલ્પસંખ્યક રહેલા મુસ્લિમ સમાજની સમસ્યાઓનો ઊકેલ લોકશાહીના માળખામાં રહીને જ શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણોસર જ બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારે લગભગ દેશ આખો કોમી હૂતાશનની આગમાં ભડકે બળતો હતો પરંતુ કેરાલામાં કંઇ કરતા કંઇ થયું ન હતું. વાસ્તવમાં કેરાલામાં મુસ્લિમોની વસ્તી ખાસ્સા પ્રમાણમાં છે અને મલાપ્પુરમ તો મુસ્લિમોનો ગઢ ગણાય છે અને જે તે વખતે મુસ્લિમોની લાગણી ઘવાઇ હોવાથી આક્રોશ પણ ઘણો હતો પરંતુ બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારે પોતાની બિનસાંપ્રદાયિક નેતાગીરીનો પરિચય આપતા પી.થંગલે ત્યારે કહ્યું હતું કે ‘એક પણ હિન્દુના ઘર પર એક પણ પથ્થર પડશે નહ’. તે વખતે તેમણે મુસ્લિમોને સંબોધતા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો હિન્દુ મંદિરોની સુરક્ષા માટે મુસ્લિમો રક્ષકની ભૂમિકા ભજવશે.
તમે વિચાર તો કરો કે જયાં મુસ્લિમોની પૂરેપૂરી પક્કડ હોય અને ૧૯૯રનો અયોધ્યાકાંડ જેવો ગરમાગરમ માહોલ હોય છતાં મુસ્લિમો સંપૂર્ણ સંયમ જાળવે અને હિન્દુઓની સલામતી માટે ખુલ્લેઆમ ઊભા રહે તો પછી એવી નેતાગીરીને દાદ દેવી પડે કે નહ ? જો કે આ માટે થંગલને ભારે વેઠવાનું પણ આવ્યું હતું. આઇ.યુ.એમ.એલે. મધ્યમ માર્ગ અપનાવતા બાબરી મસ્જિદની શહાદત બાદ ઘણા બધા મુસ્લિમ સંગઠનો હાર્ડલાઇન અપનાવીને આઇયુએમએલની સામે પડ્યા અરે થંગલના બિલકુલ નજીક ગણાતા ગાઢ સાથી ઇબ્રાહીમ સુલેમાન સૈતે પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો પણ થંગલ પોતાના બિનસાંપ્રદાયિક માર્ગ પર અટલ રહ્યા. જો કે આ બધું ય થવા છતાં કેરાલાના સૌથી શકિતશાળી મુસ્લિમ નેતા તરીકેની થંગલની છાપ પર કદી આંચ આવી નહ. માત્ર રાજકારણમાં જ તેમનો ડંકો વાગતો હતો એવું નથી પરંતુ રપ૦થી વધારે મસ્જિદોના વહીવટમાં તેમનો પડયો બોલ ઝીલાતો. ‘કાઝી’ તરીકે તેમનું ર્ધાર્મિકક રીતે પણ ઘણું વર્ચસ્વ હતું. તેમના મલાપ્પુરમ ખાતેના પૈતાના નિવાસસ્થાને દરરોજ સકડો લોકો પોતાના પ્રશ્નો લઇને આવતા અને તે દરેકનું નિરાકરણ લાવવાના તેઓ પ્રયાસો કરતા. જરૂરિયાતમંદોને તેઓ દવા આપતા અને એક શિરસ્તો એવો પણ થઇ ગયો હતો કે સાઊદીઅરબ, દુબઇ, શારજાહ સહિત અખાતના દેશોમાં એમના વિસ્તારનો કોઇપણ નાગરિક નોકરીએ જાય તો ફલાઇટમાં બેસતા પહેલાં એમની દૂઆ-આશીર્વાદ લેવા જરૂર જતો.
તેઓ લોકોના ઝઘડા-વિવાદોની પણ પતાવટ કરતા. થોડા વર્ષો પહેલાં એવી સ્થિતિ હતી કે રાજયમાં કોઇપણ સ્થળે વ્યાપાર-ઊદ્યોગના નવા સાહસનું ઊદ્ઘાટન હોય તો તેમાં મુખ્ય અતિથી તરીકે પી. થંગલ તો હોય જ.
એમના પિતા પી.એમ.એસ.એ.પૂકોયો થંગલના અવસાન બાદ ૧૯૯પમાં માત્ર ૩૯ વર્ષની વયે પી. થંગલ આઇ.યુ.એમ.એલ.ના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ત્યારે રાજકારણમાં તેમનો કોઇ ખાસ અવાજ ન હતો પરંતુ ત્યારબાદ તેમણે રાજયના બિનવિવાદાસ્પદ નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરી દીધા. તેમના સમયમાં જ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પરાકાષ્ટારૂપ સફળતા જોઇ. જેમાં પ્રથમ વખત તેમના પક્ષનો ઊમેદવાર મુખ્યમંત્રી બન્યો અને કેન્દ્રીય મંત્રી પદ પણ તેમના પક્ષને પ્રથમ વખત તેમની દેખરેખ હેઠળ જ મળ્યું. જો કે આ જ રીતે તેમણે પક્ષની પડતી પણ જોઇ. ખાસ કરીને બાબરી મસ્જિદના બનાવ બાદ તેમના પક્ષના ઘણા વિરોધીઓ થઇ ગયા અને સંખ્યાબંધ સંસ્થાઓ તેમની સામે પડી અને તેમના સાથીઓ પણ છૂટા પડતા પક્ષ સાવ નબળો પડ્યો. છેલ્લે ર૦૦૬ની વિધાનસભાની ચૂંટણીમાં તો તેમનો પક્ષ સાવ ધોવાઇ ગયો. જો કે ત્યારબાદ એટલે કે ચાલુ વર્ષે ર૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજાઇ તેમાં ેતેમણે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા જેના કારણે પક્ષ પ્રમાણમાં સારો દેખાવ કરી શકયો. પોતાના પક્ષને ભૂતકાળની સોનેરી સફળતા પુનઃ અપાવવા માટે થંગલ સક્રિય જ હતા ત્યાં તેમને આ ફાની દુનિયા છોડીને જવું પડયું. હવે આઇયુએમએલનું શું થાય છે એ જાણવું રસપ્રદ થઇ પડશે. ઇ.અહેમદ પર મોટી જવાબદારી આવી પડી છે પણ થંગલની જેમ તેમનામાં એ શકિત કે પ્રભાવ નથી. પી.થંગલ જેવા તમામ સ્તરીય નેતૃત્વના ગુણો એમનામાં હાલ તુરત તો દેખાતા નથી. ત્યારે આગે આગે દેખિયે હોતા હૈ કયા…
(ગુજરાત ટુ ડે 5ઓગષ્ટ2009ના સૌજન્યથી)
Posted in Article, માહિતી, માહિતી લેખ, લેખ | Tags: પરિચય_જીવન*કવન, માહિતી લેખ, Kerala, Mohammed Shihab Thangal, News
મદ વિના મદિરા વિના—મહેક ટંકારવી

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Mahek Tankarvi, Shero shayri
મને છે મૌનનું તેડું—અહમદ ગુલ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
સવારે બોલતા નીકળે—બેદાર લાજપુરી
.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Bedar Lajpuri, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
શબ્દનો આ શહેરમાં તોટો નથી—આદિલ મન્સૂરી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
છેડો મળી ગયો.—કદમ ટંકારવી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, KadamTankarvi, Shero shayri
લવારા કદી—મુલ્લાં હથુરણી
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: ગઝલ, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MullaHathurani, Shero shayri
કાયદે આઝમ ઝીણા—ઉમાશંકર જોશી


Posted in Article, ઈતર, પરિચય_જીવન*કવન, માહિતી, Information, Opinion | Tags: At the demise of Jinnaa, પરિચય_જીવન*કવન, માહિતી, Condolence, History, UmashakarJoshi

(1878_1931)
આઝાદીદી યા મોત__મૌલાના મુહમ્મ્દઅલી જૌહર
Posted in Article | Tags: History, MoulanaMohammedali Jauhar, Speech
ગુજરાતીઓ અને જિન્નાહ—-ચન્દ્રકાન્ત બક્ષી
હારનારો હું નથી—શબ્બીર કાઝી લાજપુરી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: Shabbir Kazi Lajpuri
રોશની લઈને—કુતુબ અઝાદ
Posted in કવિતા, ગઝલ, શાયરી, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Kutub Azad, Shero shayri
એક બાર ગર્લ- જય ગજજર, C.M.,M.A
“એક બીઅર” ન્યુ યોર્કના એ બારમાં કાઉન્ટર સામેના સ્ટુલ પર બેસી પીટરે ઓર્ડર આપ્યો.
બાર ગર્લ હેલન ઘડીભર તો એની સામે જોઈ રહી. બે વર્ષથી રોજ સાંજે નવ વાગે એ બારમાં આવતો. સાત અઠ બીઅર ઢીંચી બાર વાગે એ બારમાંથી વિદાય લેતો. એક સોહામણો યુવાન જિંદગી ખોટી લતમાં વેડફી રહ્યો હતો એનું એને દુઃખ હતું.
એના પ્રત્યે પ્રેમ અને સદભાવ જાગ્યાં હતાં. એણે કાઉન્ટર નીચેથી એક ગુલાબ કાઢી એને આપ્યું.
પીટર ઉશ્કેરાયો, “મેં બીઅર માગ્યો, ગુલાબ નહિ.”
“મને ખબર છે. શા માટે યુવાની વેડફી રહ્યા છો?”
“નન ઓફ યોર બિઝનેસ! તું ગુલાબ આપી તારી જાળમાં મને ફસાવા માગે છે? સુઝને આમ જ ગુલાબ આપી મારું મન હરી લીધું હતું. હું એને બહુ પ્રેમ કરતો હતો. પણ એ મને છોડીને બીજાને પરણી ગઈ. એને ભૂલવા, મનને બીજી દિશામાં વાળવા બીઅર એજ મારો આશરો છે. ‘વુમન અને વાઈને’ મારી જિંદગી રોળી નાખી. સ્ત્રી જાતને ધિકકારું છું. એને માટે નફરત સિવાય મારી પાસે કંઈ જ નથી એટલે બીઅરનો આશરો લીધો. તું મને પ્રેમ આપી શકીશ? કે ભ્રમજાળ ઊભી કરી મારી જિંદગી બરબાદ કરી નાખીશ!”
“તમે કદી દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લો તો હું તમને માત્ર પ્રેમ જ નહિ મારૂં સર્વસ્વ સમર્પી તમારી વફાદાર અર્ધાંગના જીવનભર બની રહીશ. તમે મને ગમવા લાગ્યા છો. તમે દેખાવડા, પ્રતિભાશાળી, હસમુખા નવજુવાન છો. તમારું યૌવન ખોટા માર્ગે વેડફાઈ જાય એ મારાથી જોયું નથી જવાતું. રાત્રે બાર વાગે ઘેર જાઉં, પથારીમાં આડી પડું પણ કલાકો સુધી તમારા વિચારોમાં ઊંઘી શકતી નથી એટલે આજ તમારી સમક્ષ હૈયું ખોલવાની હિંમત કરી. મારા પર વિશ્વાસ રાખો. હું તમને દગો નહિ દઉં. મને કહો, હું તમને ગમું છું?”
“તમે યુવાન છો, રૂપાળાં છો, હસમુખાં છો, કોઈનું હૈયું હરી લો એવાં છો પછી કેમ ન ગમો? પણ સ્ત્રી જાત પર મને જરા કે વિશ્વાસ નથી. સ્ત્રી જાત પ્રત્યે નફરત સિવાય મારી પાસે કંઈ જ નથી. તમે પસ્તાશો. શા માટે જીવનથી હારી બેઠેલા સમક્ષ તમારું પ્રેમાળ જીવન હોડમાં મૂકવા તૈયાર થાઓ છો?”
“બધી જ સ્ત્રીઓ એક સરખી નથી હોતી. સ્ત્રી એટલે પ્રેમનો ધોધ. પતિને સન્માર્ગે દોરનાર એક દેવી. મેં બારમાં આવતા ઘણા પુરૂષોને જોયા છે. મારી પાસે મારા દેહની માગણી કરી છે. મારી પાછળ પૈસાની છોળો ઉડાડવાનાં પ્રલોભનો ઊભાં કર્યાં છે પણ તમારા જેવા સજજન કોઈ જોયા નથી એટલે જ તમારામાં મન મોહી પડયું છે. મારે આ નરકવાડામાંથી છૂટવું છે. એક સારો પતિ મેળવી સરો સંસાર માંડવો છે. દામ્પત્યસુખ માણવું છે. બેચાર બાળકો સાથે કુટુંબનો લહાવો માણવો છે. બોલો, આ લત છોડી હતાશાની જિંદગીમાંથી છૂટકારો મેળવી સુખી, આનંદી, પ્રેમાળ અને આદર્શ જીવન જીવવું છે?”
“સાચું કહું તો પહેલે દિવસે આ કલબમાં આવ્યો ત્યારે તમારાથી આકર્ષાયો હતો, તમને જીવનસાથી બનાવવાનાં સપનાં સેવ્યાં હતાં એટલે જ રોજ આ કલબમાં આવવા લાગ્યો. તમારો સાથ અને તમારો પ્રેમ જ મને અહીં ખેંચી લાવતો. પણ સ્ત્રી જાત પ્રત્યેની નફરત મને તમારા પ્રત્યે પ્રેમ ન જગવતો. આજ તમે હૈયું ખોલ્યું છે ત્યારે બાર વાગે સાથે જ જઈશું. આજથી જ બીઅરનો ત્યાગ અને આ કલબના દરવાજાને તિલાંજલી.”
“બાર વાગ્યા સુધી રાહ જોવાની શી જરૂર છે? મને તમારામાં શ્રધ્ધા જાગી હતી અને આજ પરોઢના સપનામાં તમે મને સ્વીકારી લીધી હતી એટલે મારું સપનું સાકાર કરવા હું રાજીનામું લખીને જ આવી છું.ચાલો, બોસને રાજીનામુ આપી તમારી સાથે જ ચાલી નિકળું છું.” કહી એ સ્મિત સહ બોસની કેબિનમાં દોડી ગઈ. પાંચ જ મિનિટમાં બહાર આવી પીટરનો હાથ પકડી બંને કલબની બહાર નિકળી ગયાં.
સામે સોળે કળાએ ખીલેલ પૂનમનો ચાંદ બંનેના જીવનમાં આનંદોર્મિની ભરતી લાવી રહ્યો.
***
41 Palomino Drive, Mississuga,Ontario, Canada L4Z 3H6 Tel905-568-8025 Rmail: gajjar@gmail.com “Neil”,Plot#207, sector 29.Gandhinagar,382 029 Tel 23234273
Posted in નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા,