પયગંબરોની શિક્ષાથી જે ચારિત્રયતા જન્મે છે તે પ્રસ્થાપિત હિતોથી પવિત્ર હોય છે.નફો હોય કે નુકસાન .પ્રાણ જાય કે બચે.તેઓ ઉચ્ચ ચારિત્રયતાને ત્યાગતા નથી.હજરત મુહમ્મદ સલ..ના શિક્ષણથી એવી માનસિક વૃત્તિ કેળવાઈ હતીકે ખલીફા ઉમર બીન અબ્દુલ અજીઝ( જે તે વખતે સભ્ય વિશ્વના મહાન સત્તાધીશ હતા)એક રાત્રે રજયકારભારનું કોઇ કામ કરી રહ્યા હતા.તે વેળા એક મુલાકાતી આવી પડ્યા.તે સલામ કરીને ખબર અંતર પુછવા લાગ્યો..એમણે જવાબ આપવા પહેલાં દીવો હોલવી નાંખ્યોબીજો ઝગમગતો દીવો મંગાવ્યો.આંગતુકે આ અંગે ઉત્તર માંગ્યો.તો એમણે કહ્યું કે તે દીવો બયતુલ માલ(સરકારી માલ)નો હતો.આપને હવે અંદરોદર ખાનગી વાતો કરવા લાગ્યા છીએં,એટલાં માટે પેલા દીવાને બુઝાવી નાંખ્યો.જો તેના પ્રકાશમાં ખાનગી ઘરેલું વાતો કરીશ તો અલ્લાહને શું જવાબ આપીશ?આવા નમૂનાઓ ક્રેમલીન(સામ્યવાદ)ના વિસ્તારોમાં મળી શકશે?આ ચારિત્ર્યતા,અને અત્મ ગૌરવની ઊંચાઈ એ રાષ્ટ્રોની સમજના બહાર છે.એ વધુમાં વધુ આટલું વિચારી શકે છે જે એમના વૈચારિક ઉડ્ડયનની સીમા છે :કે દરેક મનુષ્યને પેટ ભરીને ખાવાનું આપો,અને રહેવાનું મકાન હોય,મજદૂરી ન કરાવો,.ઇચ્છાઓનું બહુમાન કરો.. બીજા ખલીફા હજરત ઉમર(રદી.) જે ઈરાન અને રોમન સમ્રાજ્યના મહાન વિજેતા હતા.એમના સમયમા દુષ્કાળ પડ્યો,તો સારા ખાવાનાને પોતાના પર પ્રતિબંધિત કરી દીધું.એમનો રંગ શ્વેત અને રતુમડો હતો.પરંતુ સામાન્ય અપુરતો ખોરાક ખાવથી ચામડીનો રંગ ઘઊં વર્ણો થઈ ગયો હતો
રબીઅ બીન સુલેમાન નું કથન છે કે હું હજ ના પ્રવાસ માટે જઈ રહ્યો હતો.મારી સાથે મારો ભાઈ અને એક જૂથ હતું. કુફા(ઈરક)માં પહોંચ્યા પછી હું યાત્રાની જરૂરિયાતો ખરીદવા
બજારમાં ફરી રહ્યો હતો.એક વેરાન જેવી જગ્યાએ એક મૃત ખચ્ચર પડેલું હતું.એક મેલા ઘેલાં કપડાંપહેરેલી સ્ત્રી એ મૃત ખચ્ચરનાં માંસના ટૂકટા કાપી કાપીને પોતાની ઝોળીમાં નાંખી રહી હતી.
મેં વિચાર્યું કે આ સ્ત્રી મૃત પ્રાણીનું માંસ લઈ જઈ રહી છે, એના પર મૌન જાળવવું યોગ્ય નથી.શક્ય છે કે ભઠિયારણ સ્ત્રી હોય અને અને મુર્દાર માંસ લોકોને રાંધીને ખવડાવી દેતી હોય.મેં ચુપકીદગી થી મેં એનો પીછો કર્યો કે એમને જોઈ ન શકે..તે સ્ત્રી એક મોટા મકાનમાં પહોંચી.જેનો દરવાજે પણ ઘણો મોટો હતો.તેણીએ જઈને દરવાજો ખટ ખટાવ્યો.અંદરથી પ્રશ્ન થયો કે કોણ છો?
એણે કહ્યું બારણું ખોલો! હુંજ કમનસીબ છું.બારણું ખોલવામાં આવ્યું અને એમાંથી ચાર છોકરીઓ બહાર આવી.એમના ચહેરા પરથી દારિદ્રય અને પીડાના ચિન્હો દ્રષ્ટિમાન થતાં હતાં.તે સ્ત્રી અંદર ગઈ અને પેલી ઝોળી તે છોકરીઓની સામે ધરી દીધી.હું કિવાડોમાંથી અંદર નિરખી રહ્યો હતો. ઘર અંદરની બિલકુલ ખાલી અને બર્બાદ હતું.તે સ્ત્રીએ રડતાં રડતાં છોકરીઓને કહ્યું કે :લ્યો આને રાંધી લો. અને અલ્લાહનો શુક્ર અદા કરો,.પોતાના બંદાઓ પર અલ્લાહનો અખ્તિયાર છે.એનાંજ કબ્જામાં લોકોનાં હ્ર્દયો છે.તે છોકરીઓ પેલું માંસ કાપી કાપીને આગ પર શેકવા લાગી.મને ઘણી તકલીફ થઈ.મેં બહારથી સાદ દીધો કે હે અલ્લાહની બંદીઓ અલ્લાહના વાસ્તે એને ન ખાઓ.પેલી સ્ત્રી કહેવા લાગી તું કોણ છે.મે કહ્યું હું એક પરદેસી માણસ છું.તે કહેવા લાગી હે પરદેસી ! તું અમારી પાંસેથી શું ઈચ્છી રહ્યો છે?અમે પોતેજ ભાગ્યના કેદીઓ છીએં.લગાતાર ત્રણ વરસથી ન અમારું કોઈ હિતેચ્છક કે મદદગાર છે.તું અમારી પાંસે શાની અપેક્ષા રાખે છે?
મેં કહ્યું મજુસિયોનીએક જાતિ સિવાય કોઈ ધર્મમાં પણ મુરદારનું માંસ ખાવું જાઈઝ(સ્વીકાર્ય) નથી.તે કહેવા લાગી અમે સૈયદ અને નબીના શરીફ વંશજો છીએ.આ છોકરીઓનો બાપ પણ ઘણો શરીફ હતો.તે પોતાના જેવા નેક માણસો જોડે આ છોકરીઓના નિકાહ કરાવવા માંગતો હતો .પણ તે પળ એને સાંપડી નહીં.તેનો દેહાંત થઈ ગયો.જે વારસો એણે છોડેલો તે પતી ગયો.અમને ખબર છે કે અમારા માટે મુરદાર નું ખાવું યોગ્ય નથી.પરંતુ લાચારીની હાલતમાં યોગ્ય થઈ જાય છે.ચાર દિવસથી અમે ભૂખ્યાં છીએં.અમે કંઈજ ખાધું નથી.
રબીઅ કહેછેકે એની તંગ પરિસ્થિતિ નિહાળી મને રડવું આવી ગયું.રડતાં રદતાં બેચેન દિલથી હું ત્યાંથી પાછો ફર્યો.અને મે મારા ભાઈને કહ્યું કે મારો હવે હજનો ઈરાદો નથી.એણે મને ઘણો સમજાવ્યો.હજના સદાચાર અને ગુણો બતાવ્યા.હાજી હજ કરીને પરત થાય છે ત્યારે એવી સ્થિતિમાં હોય છે કે એના ઉપર કોઈ ગુનો રહેતો નથી(એના ગુનાહો માફ થઈ જય છે).વિગે વિગેરે.મેં ઉત્તર આપ્યો લાંબી ચોળી વાતો છોદી દો..
આ કહીને મેં મારા કપડાં અને અહેરામની ચાદરો(હજ દરમિયાન પહેરાતી સિવ્યા વિનાની બે ચાદરો)અને જે કંઈ સામાન મારી પાંસે હતો તે લીધો અને રોકડા છ્સો દિરહમ હતા તે પણ સાથે લઈ લીધા.એમાંથી સો દિરહનો લોટ ખરીદ્યો.અને સો દિરહમના કપડાં ખરીદ્યાં.અને બાકી બચેલા દિરહમો લોટમાં સંતાડી પેલી ઘરડી સ્ત્રીનાં ઘરે પહોંચાડી આવ્યો.તે સ્ત્રીએ અલ્લાહનો આભર માન્યો,અને કહેવા લાગી હે ઈબ્ને સુલેમાન અલ્લાહ પાક તાર બધાજ આગલા પાછલા ગુનાહ (પાપો)) માફ કરે.અને પોતાની જન્નતમાં તને જગ્યા અર્પણ કરે..અને એનો એવો બદલો તને આપે કે તને પોતાને પણ એ દ્ર્શ્યમાન થઈ જાય.સૌથી મોટી છોકરીએ દુવા આપતાં કહ્યું કે તારો બદલો અલ્લાહ બેવડો કરી દે અને તારા ગુનાહ માફ કરી દે. બીજી છોકરીએ કહ્યું: જેટલું તેં અમોને આપ્યું છે એનાથી અલ્લાહ પાક તને અતિશય બદલો અર્પે.ત્રીજી છોકરીએ કહ્યું કે અમારા દાદા(હજરત મુહમ્મદ સલ.)સાથે તારૂં સાનિંદ્ય થાય.ચોથીસૌથી નાની છોકરીએ કહ્યું કે હે અલ્લાહ જેણે અમારા પર એહસાન કર્યું છે તું એને એનો બદલો ઘણી જલ્દી અર્પણ કર.અને એના આગલા અને પાછલ તમામ પાપો માફ કરીદે.
તે બધા હજ કરીને પરત પણ થયા.મને વિચાર આવ્યો કી આ હાજીઓનું હું સ્વાગત કરું.એમનાથી મારા માટે દુઆઓ કરાવું.કે એની મકબૂલ(સ્વીકૃત) દુવા મને પણ લાગી જાય.જ્યારે હાજીઓનો એક કાફલો મારી સમક્ષ આવ્યો ત્યારે મને હજથી વંચિત રહેવાનો ઘણો અફસોસ થયો.અને વેદનાને લીધે મારાં અશ્રુ સરી પડ્યાં.જ્યારે હું એમને મળ્યો,મેં એમને દુવાઓ દીધી કે અલ્લાહ પાક તમારી હજ કબૂલ ફરમાવેઅને તમે કરેલા ખર્ચનો તમને બદલો આપેએમાંથી એક માણસે પૂછ્યું આ દુવા કેવી?
એવા માણસની દુવા જે અલ્લાહનાઘરના દવાજા સુધી પહોંચવાથી વંચિત રહી ગયો હોય.તે કહેવા લગ્યો ઘણા આશ્ચર્યની વાત છે ,જાણે તું ત્યાં ન આવ્યો હતો એવી વાત કરે છે.શું તું અમારી સાથે અરફાતના મેદાનમાં ન હતો.તેં અમારી સાથે શેતાનને કાંકરા નથી માર્યા,તેં અમારી સાથે કાબાનો તવાફ નથી કીધો?
હું મારા દિલમાં વિચારવા લાગ્યો કે આ અલ્લાહનું ઈનામ છે. એટલામાં માર શહેરનાં હાજીઓનો કાફલો આવી પહોંચ્યો.મેં એમને કહ્યું અલ્લાહ તઆલા તમારી સઈ(કાબા પાંસે આવેલીસફા મરવાની પહાડીઓ છે .ત્યાં સાત વાર દોડવાની પ્રક્રિયા)કબૂલ ફરમાવે અને અને અને તમારી હજ કબૂલ ફરમાવે..તેઓ પણ એવું કહેવા લાગ્યા કે તું અમારી સાથે અરફાતમાં ન હતો? શેતાનને કાંકારા મારવામાં સાથે ન હતો?.હવે એનો ઈંનકાર કરી રહ્યો છે?એમાંથી એક માણસ આગળ વધ્યો અને કહેવા લાગ્યો ભાઈ શા માટે ઈંનકાર કરો છો?શી વાત છે? તમે અમારી સાથે મક્કામાં નહિ હતા?મદીનામાં નહીં હતા?.જ્યારે અમે નબી સાહેબની કબરની જિયારત કરીને બાબે જિબ્રીલ(એક દરવાજાનું નામ) થી બહાર નીકળી રહ્યા હતા, તે સમય અતિશય ગિર્દીને લીધે તમે આ થેલી મને અમાનત રાખવા માટે આપી હતી.જેની મહોર પર લખ્યું છે (મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફો કમાય છે.આ તમારી થેલી તમને પરત કરૂં છું.
રબી કહે છે અલ્લાહ સાક્ષી છે કે મેં એ થેલી પહેલાં કદી જોઈ ન હતી.એને લઈને હું પરત થયો.ઈશા(રાત્રિ)ની નમાઝ પઢી.મારો વજીફો(ઈશવર રટણ) પૂરો કર્યો.અને એજ વિચારમાં ખોવયેલો જાગતો હતો કે આખરે આ શું કિસ્સો છે? એટલામાં મારી આંખ લાગી ગઈ. નિંદ્રાવસ્થામેં હજરત મુહમ્મદ સલ્.ની ઝિયારત(દર્શન) કીધી.મેં નબી સલ. ને સલામ પેશ કર્યું.અને તેમના હાથ ચૂમ્યા.નબી સલ.એ સ્મિત ફરમાવ્યું અને સલામનો જવાબ આપ્યો.અને ઈર્શાદ ફરમાવ્યો ! હે રબી અમે કેટલા સાક્ષી આના ઉપર પેશ કરીએં?તેં હજ કરી છે, અને તું માનતો નથી.સાંભળ વાત એમ છે કે..જ્યારે તેં પેલી સ્ત્રીપર જે મારી ઓલાદ(સંતતિ)માંથી છે. તેં દાન કર્યું અને તારો સફરનો ખર્ચ કરુણા સાથેઆપી દીધો. પોતાની હજ તેં મુલ્તવી રાખી.તો મેં આલ્લાહ સુબ્હાન તઆલાથી દુવા કરી કે તે એનો શ્રેષ્ટમ બદલો તને અર્પણ ફરમવે.તો હક તઆલા(અલ્લાહે)એ એક ફરિશ્તો તારી સિકલનો બાનવી હુકમ કર્યો કે કયામત સુધી તે પ્રતિ વર્ષ તાર તરફથી હજ પઢે.અને દુનિયામાં તને આ બદલો આપ્યો કે છસો દિરહમના બદલે છસો અશરફિઓ તને આપી.(જે એણે આપેલા માલથી મોટા પ્રમાણમાં હતો) તું તારી આંખોને ઠંડી કર.પછી હજુ સલ.(નબી સાહેબ)એ તેજ શબ્દો દોહરાવ્યા(મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફોજ કમાય છે.રબી કહેછે કે –હું સૂઈને ઉઠ્યો. અને થેલીને ખોલી તો એમાં છસો અશરફીઓ હતી.(રસ્ફત્લ સાવી)
Toronto, June 25, 2009. Ontario Multifaith Council at its Annual General Meeting last week, presented a plaque to Prakash Mody in recognition for his many years of valuable service as a Volunteer Board member. Guest of Honour and Keynote speaker was Barbara Hall; Chief Commissioner of Ontario Human Rights Commission outlined recent changes in the human rights field. Ontario’s Education Minister and MPP for Don Valley West, Kathleen Wynne, who spoke about government educational initiatives. Rob Oliphant, MP for Don Valley West, a United Church Minister, praised the role of Ontario Multifaith Council for providing important needs of spiritual and religious care in our Institutions. President Imam Abdul Hai Patel in his annual report presented review of the past years achievements and present challenges under economic crisis.
Ontario Multifaith Council on Spiritual & Religious Care is a government funded transfer payment agency looking after chaplaincy (now known as Spiritual Care) services within the province. About thirty-five or so different faiths joined to form OMC nearly thirty-five years ago and now it is an unofficial authority for multifaith resources.
About fifteen years ago, Prakash Mody initiated the membership of the Jain religion and served in different capacity including two years as a Treasurer and retired recently from OMC and several other social services organizations. He fulfilled the OMC’s motto of “One Purpose Many Faiths” and worked hard for the issues of the minority faiths. He was awarded by province, local Jain organization as well as JAINA, North American Jain parent body.
Picture shows Prakash Mody with the Plaque presented by Imam Abdul Hai Patel, OMC President.
1954ની સાલ હતીગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંઘીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરવા મા ઉત્સુક હતી પણ યુવાન ગાંધીરંગે રંગાયેલો હતો. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી વજુભાઈ શાહ અને શ્રી લલ્લુભાઈ શેઠ જેવા ગાંધીજનોના સંગમાં તાલીમ પામેલો હતો. તે હંમેશાં કહેતો, ‘સ્વ માટે તો સૌ જીવે, પણ સૌ માટે જે જીવે તે સાચું જીવન.’
અને એટલે જ યુવાને પોતાની માતાને કહી દીધું હતું : ‘મા, મારી શાદીમાં ખોટા ખર્ચા ન કરશો. શાદીની ઉજવણી પાછળ થનાર ખર્ચ જરૂરતમંદોમાં વહેંચી દેજો.’ માએ કમને પુત્રની ઈચ્છા સ્વીકારી અને મનને એમ કહી મનાવી લીધું કે ‘ભલે બેટા, ધામધૂમ નહિ કરીએ, પણ નવાં કપડાં અને તાજાં ગુલાબનાં ફૂલોનો સહેરો (હાર) તને પહેરાવી શાદીનો આનંદ માણીશું.’યુવકે તેનો પણ સઆદર અસ્વીકાર કર્યો અને કહ્યું : ‘ગુલાબનો સહેરો નહિ પહેરું, નવાં કપડાં પણ નહિ પહેરું. માત્ર ખાદીનાં કફની, લેંઘો, ચંપલ અને ગળામાં સૂતરની આંટી પહેરીને જ નિકાહ પઢવા જઈશ.’
નાનકડા ગામ વંડામાં વાત પ્રસરી ગઈ. ગફાર તો ખાદીની કફની-લેંઘો અને સૂતરની આંટી પહેરી ચાલતો નિકાહ પઢવા જવાનો છે. ગામમાં જોણું થયું. ગફારનો નવી તરહનો વરઘોડો જોવા ગામઆખું ભેગું થયું. ગફારને તેની જરા પણ પડી ન હતી. ગોરો વાન, દૂબળો-પાતળો ઊંચો બાંધો, આદર્શોમાં રાચતી આંખો, સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ અને ગળામાં સૂતરની આંટી ધારણ કરી લાંબાં ડગલાંઓ ભરતો ગફાર વટથી નિકાહ પઢવા નીકળ્યો અને નિકાહ સંપન્ન થયા.દસકાઓ વીત્યા. યુગ બદલાયો. નવા વિચારો પ્રસર્યા. જિંદગીના ઉતારચડાવમાં ગફારે ઘણા અનુભવો મેળવ્યા. ચહેરા પર પ્રૌઢ રેખાઓ ઊપસી આવી. સંઘર્ષોએ ગફારભાઈને યારી આપી. તંગીના દિવસો બદલાયા. નાણાંની ભરતીથી ગફારભાઈને ખુદાએ નવાજ્યા, છતાં ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદભાવ અને સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ, પ્રૌઢ ચહેરા પર મીઠી મુસ્કાન અને મધુરવાણી ગફારભાઈની પહેચાન બની ગયાં. જોકે હવે સૌ ગફારભાઈને ‘બાપુજી’ કહેવા લાગ્યા હતા. એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. પોતાની કારમાં શેઠની જેમ પાછળ બેસવા કરતાં ડ્રાઈવરની બાજુમાં બેસવાનું બાપુજીને ગમતું, કારણ કે છેલ્લાં વીસ વર્ષથી ડ્રાઈવર તરીકે કાર્ય કરતો અનિલ તેમના સ્વજન જેવો બની ગયો હતો. કાર પૂરપાટ દોડી રહી હતી. ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે ઓશિયાળા ચહેરે બાળકોને ઊભેલાં જોઈ બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યાં. બાળકના માથે હાથ ફેરવતાં બાપુજીએ પૂછ્યું : ‘દીકરાઓ, આવા ભરતડકામાં અહીયાં કેમ ઊભા છો ?’‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે.’‘ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી જોઈએ. તમારાં જેવાં માસૂમ ભૂલકાંઓને થોડી સજા કરાય ?’ આટલું બોલતાં તો બાપુજીનો અવાજ ભીનો થઈ ગયો. વ્યથિત હ્રદયે લાંબાં ડગલાં ભરતાં તેઓ સ્કૂલમાં પ્રવેશ્યાં.
‘ક્યાં છે આ શાળાના આચાર્ય ?’
ખાદીના સફેદ કફની-લેંઘાધારી વૃદ્ધને જોઈ આચાર્ય દોડી આવ્યા.
‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં બેસીને શાંતિથી વાત કરીએ ?’
‘આચાર્યસાહેબ, આપની ચેમ્બરમાં જરૂર બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા કરવાને બદલે તમે આવાં માસૂમ બાળકોને શા માટે સજા કરો છો ? સૌ પ્રથમ તમે એ બાળકોને કલાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં બેસીએ.’
ખાદીધારી વૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તરત વર્ગમાં બેસાડવા સૂચના આપી પછી પોતાના રૂમ તરફ બાપુજીને દોરી જતાં બોલ્યા,
‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ પાંત્રીસ હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા પૈસાની જરૂર તો પડે જ ને ? એટલે બાળકો પર જરા સખતી કરવી પડી છે.’
આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતાં બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને મનોમન તેઓ બોલી ઊઠ્યા :
‘આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતૂમડા કરાતા હશે ?
અને બાજુમાં ઊભેલા ડ્રાઈવર અનિલને કહ્યું : ‘અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂ. પાંત્રીસ હજાર ભરવાની વ્યવસ્થા કરશો ?
અનિલે તરત મોબાઈલ પર સંદેશો આપ્યો. એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક આચાર્યના ટેબલ પર આવી પડ્યો. ત્યારે આચાર્ય બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા પણ બાપુજી તો, ‘પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી સજા ક્યારેય ન કરશો.’ એમ કહી લાંબાં ડગલાં ભરતાં હવામાં ઓગળી ગયા.
આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ ન હતી. પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય પસંદ ન કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં આથી ઊલટું થયું. હજયાત્રા દરમ્યાન કાબા શરીફની પરિક્રમા કરતાં કરતાં બાપુજીના મનમાં વિચાર ઝબક્યો. ’20 લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી લેવાના નીકળે છે. એ તમામને તાલમાં રાખી હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરીને આવવું જોઈતું હતું.’
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ એ વિચારને અમલમાં મૂક્યો. કાબા શરીફ સામે ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ લેણું માફ કરી દીધું. હજયાત્રાએથી પરત આવ્યા પછી એક દિવસ એક હિન્દુ સ્વજન પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાની થોકડીઓ લઈને આવ્યો અને બાપુજીની સામે મૂકતા બોલ્યો :
‘બાપુજી, આ આપની અમાનત રૂ. પાંચ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા. પણ હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા આવ્યો છું.’
બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને પ્લાસ્ટિકની થેલી પર નાખી, પછી ગોરા ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું :
‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.’
અને 72 વર્ષના બાપુજી લાંબાં ડગલાં માંડતાં હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના જીવનઆદર્શનું પેલું સુત્ર હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યું હતું :
‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’
.
માનનીય જનાબ ડૉ.મેહબૂબ દેસાઈ સાહેબ, જે એક ઉત્તમ શિક્ષણ વિદ,સારા લેખક, ઈતિહાસકાર અને માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા,
સર્વ ધર્મ ઔદાર્યના પ્રતીક સમ વ્યક્તિત્વ ધરાવતી શખ્સિયત છે.
એમણે આનંદ પૂર્વક એમનો લેખ “અનોખુ વ્યક્તિત્વ” (સત્યકથા) બઝમે વફા ને અર્પણ કર્યો. તે બદલ બઝમે વફા ગ્રુપ એમનું આભારી છે.
અને નીચેની લાગણી પૂર્વકની એમની કોમેંટસની બઝમે વફા સહર્ષ નોંધ લે છે.
બઝ્મે વફા બ્લોગ ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય કક્ષાએ જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ છે.
એમાં આપના સૌના સહકારની અપેક્ષા સ્વાભાવિક છે.
મારો બ્લોગ પણ એ માટે ખુલ્લો છે. આપ ને તેમાં પ્રવેશવા નિમંત્રણ છે. તેમાં ઈતિહાસ , ધર્મ , સાહિત્ય અને સંસ્કૃતિ સુભગ સમન્વય આપને મળશે.
મારા બંને બ્લોગના સરનામાં નીચે આપ્યા છે.
1 mehboobdesai.blogspot.com.
2 mehboobudesai.wordoress.com
ફાધર્સ ડે(પિતૃ દિન) એ અમારા બાપુને વંદન—જય ગજ્જર ,C.M.M.A
આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયુંછે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે.પણ પિતા વિષે બહુ ઓછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચપિતા ત્વમેવ…’ માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.
મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી. મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’ કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’ સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.
કોઇ ભલે કહેતું કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. બાપ પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે ની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે.
સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.
અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા
વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે
ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.
એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા. એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી
આ સંસારમાંથી વિદાય લીધી. એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ‘ફાધર્સ ડે’ ઉજવવાની હિમાયત કરી.
વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની Y.M.C.A, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે. ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી.અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ
મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પિતાજી પૂજાલાલ ગજજર મારી આંખ સામે રમી રહે છે. કેવા વિનમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને ભગવાન રણછોડરાયના એ ભકત હતા! પૂજાપાઠ કરી સવારે સાત વાગે શોરોક મિલમાં જઇ સુથારી કામ કરે. સાડા ત્રણ વાગે મિલમાંથી છૂટી ઘેર આવી,ચા પી સાંજના ઘેર કોઇના ફર્નિચર બનાવવાનું કામ કરે કે અન્ય પ્રકારનું સુથારી કામ કરવા બહાર જાય. મોડી રાત સુધી કાળી મજૂરી કરી વધારાના પૈસા કમાય.
ફીના કે પુસ્તકોના પૈસા માગો કે બીજે દિવસે તમારા હાથમાં મૂકી દે.કોઇને ખબર પણ ન પડવા દે કે પૈસા કયાંથી આવે છે! સૌને ભણાવવા અને સૌનાં ઉત્તમ જીવન ઘડતર પાછળ એમણે જે રીતે જીવન ખર્ચી નાખ્યું એનું સ્મરણ આંખો ભીની કરી દે છે. અમારી બા જેટલાં જ પ્રેમ,અને લાગણીના ધોધમાં અમને એ તરબોળ કરી દેતા. એ જમાનામાં એસ.એસ.સી.માં ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો ગુણ મેળવી કુલ્લે
૭૫ ટકા સાથે મેં પાસ કરી ત્યારે એમના મુખ પર જે આનંદ ઊભરાયો હતો તે આજ પણ ભૂલાય એમ નથી! એમના ખાતામાં સૌ કારીગરો, મિત્રો અને સગાં સંબંધીઓને પેંડા વહેંચી ગર્વથી પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. એ વખતે શોરોક મિલના માલિક નવીનચંદ્ર શેઠને મારો પરિચય કરાવેલો. શેઠે ખુશ થઇ મારા આગળ અભ્યાસ માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી. પરિણામે ગુજરાત કોલેજમાં સાયન્સમાં જોડાયો. કોલેજમાં દાખલ થતાં સરકાર તરફથી ઓપન મેરિટ સ્કોલરશિપ પણ મળી. આમ સાયન્સનું એક વર્ષ પૂરું કર્યું પણ રાત દિવસ મજૂરી કરતા મારા બાપુજીનો કુટુંબનો ભાર હળવો કરવા કંઇક આર્થિક મદદ કરી શકું એ હેતુથી એન્જિનિયર કે ડૉકટર બનવાનાં સપનાં છોડી અસારવા વિધાલયમાં શિક્ષક તરીકે જોડાયો. એ દિવસે મારા બાપુજીને જે દુઃખ થયેલું તે હું કદી નહિ ભૂલી શકું એમ નથી.
અમારા બાપુજીમાં ધગસ હતી, અનેરી સ્ફૂર્તિ હતી, કુટુંબ માટે પૈસા કમાવાની ધૂન હતી. યુવાન વયે તેઓ કમાવા માટે આફ્રિકા ગયેલા, ત્રણેક વર્ષ રહ્યા પછી રંગભેદના વિગ્રહો થતાં ૧૯૩૬માં દેશમાં પાછા ફરેલા.
જીવનના અંત સુધી આખી જિંદગી સુથારી કામ કરતા રહી બહોળા કુટુંબનો જે ભાર ઉપાડતા રહ્યા એની માનસિક વ્યથામાં અલસરનો ભોગ બન્યા. કુટુંબમાં સુખનો સૂરજ ઊગી રહ્યો હતો, બાપુજીને નિરાંતનો દમ લેવાનો સમય આવી રહ્યો હતો અને બાને જયારે હૂંફાળા સાથની જરૂર હતી ત્યારે બહોળા કુટુંબને રડતાં મૂકી નવેમ્બર ૧૫,૧૯૭૫ના રોજ નોકરીમાંથી નિવૃત થવાના દિવસો નજીક આવી રહ્યા હતા એ અરસામાં જિંદગીમાંથી સદાને માટે વિદાય લીધી. એ દુર્ભાગ્યની પળે હું પાંચ વર્ષ કેનેડામાં રહ્યા પછી ૧૯૭૫માં મારાં બાબાપુજીને મળવા દેશમાં આવ્યો હતો. એમણે મને ખૂબ જ ઉત્સાહથી,પ્રેમથી આશીર્વાદ આપી કેનેડા જવા ૧૯૭૦માં હરખભેર વિદાય આપી હતી. મારા બાપુજી કેનેડાની મારી પ્રગતિની વાતો સાંભળી ધન્ય થઇ ગયા અને એમના આનંદની કોઇ સીમા નહોતી. શરીરમાં એક રોગ ઘર ઘાલીને બેઠો હતો તેનો કદી કોઇને અણસાર જ ન આવવા દીધો. કમનસીબે જેમણે રાત દિવસ મહેનત કરી પાંચે ભાઇઓને ભણાવ્યા, એ બધાને પૈસે ટકે ખૂબ સુખી જોવાનું સદભાગ્ય માણવા એ ઝાઝું ન જીવ્યા. નાનપણમાં
એકલા મૂકી જેમના પિતા ગુજરી ગયા હતા તે અમારા બાપુજીનું કુટુંબ બહુ વિસ્તર્યું છે પણ એ વિશાળ વટવૃક્ષના સુખને જોવા એ અમારી વચ્ચે નથી એનું અમને અપાર દુઃખ છે. ઈશ્વરના ધામમાં અમારા બધાનું સુખ જોઈ એ હરખાતા હશે એવી શ્રધ્ધા છે. ખેદ એટલો જ છે કે જીવનભર રંધો ખેંચી લાકડાને ચમકાવતા રહ્યા તે બાપુજીએ અમારા સૌના જીવનને સૂંવાળાં બનાવ્યાં પણ એનાં ફળ જોવા કે ચાખવા એ લાંબું ન જીવ્યા. બાપુજી,નાનપણમાં તમારી સામે બેસી કયારેક રંધો ખેંચાવતો એ દિવસોને આજ યાદ કરી તમને વંદન કરી ભારે હૈયે ગાઉં છું,જે કર રોજ રંધો ખેંચાવી બાપુને મદદ કરતા,એ કર કલમ ચલાવી બાપુને આજ યાદ કરતા.
ચાર આના*** સઆદત હસન મનટો(ઉર્દૂનાં સુપ્રસિધ્ધ ક્રાંતિકારી વાર્તાકાર)
લૂંટ મારની બજાર ગરમ હતી,.અને એની ગરમી માં વૃધ્ધિ થઇ ગઈ જયારે આગ ચારે દિશાએ ભડકવા લાગી.એક માણસ હાર્મોનિયમની પેટી ઉઠાવીને આનંદથી ગીત ગાતો જઈ રહ્યો હતો.”જબ તુમ્હી ગયે પરદેશ, લગા કર ઠેશ,ઓ પ્રીતમ પ્યારા,દુનિયામે કોન હમારા.”એક નાની ઉમરનો છોકરો થેલીમા પાપડો નો અંબાર ખડકી ને ભાગી રહ્યો હતો..એને ઠોકર લાગી તો પાપડની એક થોક્ડી એની ઝોળીમાંથી પડી ગઈ.છોકરો એને ઉપાડવા માટે જરા નીચે નમ્યો તો સીવવાનો સંચો ઉઠાવી જઈ રહેલા એક માણસે કહ્યું કે ‘રહેવા દે બેટા, રહેવા દે’એ તો આમજ પોતે શેકાય જશે,ત્યાં તો બજારમાં એક ભરેલી ગુણા નીચે પડી.એક માણસે ઉતાવળ થી આગળ વધીને પોતાના છરાથી તે ગુણી ને ચીરી નાંખી.સફેદ દાણા વાળી ખાંડ ઉભરીને બહાર નીકળી આવી.લોકો ભેગા થઈ ગયા અને પોત પોતાની થેલીઓ ભરવા લાગ્યા. એક મણસ અંગરખા વગરનો હતો ,તેણે જલ્દીથી પોતની લુંગી ખોલી અને એમાં મુઠ્ઠી ભરી ભરીને નાંખવા લાગ્યો
‘હટી જાવ હટીજાવ્ ‘ કહેતાં એક ટાંગો પોલીશ કરેલી અલ્મારી લઈને પસાર થઈ ગયો.એક ઉંચા મકાનનની બારી માંથી મલમલ નું થાન સર સરાહટ કરતું બહાર ફેંકાયું. આગના ભયંકર શોલાની જીભ એને ચાટી રહી હતી..સડ્ક સુધી પહોંચતા તો તે રાખ નો ઢગલો થઈ ગયું.પોં,પોં,પોં કારના હોર્ન ની સાથે બે સ્ત્રીઓની ચીંખો પણ હતી.લોખંડની એક અલમારી દસ પંદર માણસોએ ખેંચીની બહાર કાઢી,અની દંડા વડે એને ખોલવાનું શરુ કર્યુ.કવાને કીસ્ટના ઘણા ડબ્બા બન્ને હાથે ઉઠાવ્યા.પોતાની દાઢીના ભાગથી એને ટેકવી એ માણસ દુકાનમાંથી બહાર નીકળ્યો.અને બજારમાં ધીરે ધીરે ચાલવા લાગ્યો.ત્યાંતો મોટેથી અવાજ આવ્યો ,આવો આવો ‘લેમનેડ ‘પીઓ.ગરમીની ઋતુ છે.ગળામાં કારના ટાયર નાંખીને બે બોટલો પીધી ,અને આભાર માનવા વગર ચાલતી પકડી.
એક અવાજ આવ્યો કે “કોઇ આગ હોલવવા વળાઓને સંદેશ પહોંચાડીદે કે બધો માલ બળી જશે.”કોઇએ પણ આ સૂચન પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.,લૂંટ મારનું બજાર ગરમ રહ્યું..અને એની આગ ચારો તરફ પ્રસરવા લાગી..આગ રાબેતા મુજબ પ્રગતિ કરી રહીહતી.
ઘણા સમય પછી તર,.તર નો અવાજ આવ્યો.ગોળીઓ વરસવા લાગી.પોલીસને બજાર ખાલી નજર આવ્યું.પરંતુ દૂર ધુમાડા ઘેરાયલી કારની પાંસે એક માણસનો પડછાયો નિહાળ્યો.પોલીસના સિપાહીઓ સીટીઓ મારતા એં તરફ લપક્યા.પડછાયો ઝડપથી એધુમાડાની અંદર લુપ્ત થઈ ગયો.પોલીસે એનો પીછો કીધો.ધુમાડાનો પ્રદેશ પુરો થયો ત્યાં પોલીસના સિપાહીઓએ જોયું કે એક કાશ્મીરી મજૂર બરડા પર વજનદાર ગૂણ ઉઠાવી ભાગી રહ્યો છે.સીટીઓ નાં ગળાંઓ શૂષ્ક થઈ ગયાં પણ તે મજૂર થોભ્યો નહીં.તેની પીઠ પર વજન હતું.સાધારણ વજન નહીં પણ સંપૂર્ણ ભરેલી ગૂણ હતી. પરંતુતે એ રીતે દોડી રહ્યો હતો જાણે પીઠ પર કશું છેજ નહીં.સિપાહીઓ હાંફવા લાગ્યા..એક સિપહી એ તંગ આવી ને પિસ્તોલ કાઢી અને ગોળી મારી દીધી.ગોળી કાશ્મીરી મજૂરની પિંડલીમાં લાગી હતી.ગૂણ એની પીઠ પરથી ગબડી પડી.ઘભરાઈને એણે સિપાહી પ્રત્યે નજર કરી .વહેતા લોહી પ્રત્યે પણ એની નજર ગઈ ,પરંતુ પાછી એકજ ઝટકામાં ગૂણ ઉઠાવી ને ભાગવા લગ્યો.સિપાહીઓએ વિચાર્યું ‘જવા દો ,ભલે જહન્નમાં જાય.પણ પાછો એને પકડી લીધો..રસ્તામાં કાશમીરી મજૂરે વારંવાર વિનંતી કરીકે” સાહેબ, તમે મને શા માટે પકડો છો?. હું તો ગરીબ માણસ છું,ચોખા ની એક ગૂણ લીધેલી.ઘર વાળાં ખાતે. તમે મને ખોટી રીતે ગોળી મારી.પરંતુ એની એક પણ વાત સાંભળવામાં ન આવી.પોલીસ થાણામાં કાશમીરી મજૂરે પોતાના બચાવ માં ઘણું કહ્યું.સાહેબ !બીજા લોગો બરાબર માલ ઉઠાવી ગયા. મેં તો ફકત એકજ ચોખાની ગૂણ લીધીછે.સાહેબ હું ઘણોજ ગરીબ છું.રોજ ભાત ખાવાનું જોઇએં છે..જ્યારે તે થાકી ગયો ત્યારે એણે પોતાની મેલી ટોપીથી માથાનો પસીનો લુંછયો.અને ચોખાની ગૂણ પ્રતિ નિરાશાની દ્રષ્ટિ નાંખી, ફોજ્દારની સામે હાથ ફેલાવી કહ્યું.” સારુંસાહેબ ! તમે આ ગુણી તમારીપાંસે રાખીલો,હુંમારી મજૂરીનો હકદારછું”ચાર આના’
(સઆદત હસન મંટો,ઉર્દુના લાજવાબ વાર્તા કાર છે.સંવેદન અને કરુણ નિરૂપણ એની સત્ય વકતતા ,અને નિર્ભય વ્યકતવ્યમાંથી આવે છે,વિભાજન ની કરૂણતાઓ એણે વાર્તાઓમા નિરુપી છે,એની વાર્તાઓનો વિશ્વની ઘણી ભાષામા અનુવાદ થયા છે. 42-43વર્ષની ઉમરમાં ઘણું જોયું, ઘણું લખ્યું.જયારે લખ્યું કાળજું બહાર કાઢીને મુકી દીધું..વિભાજન વેળા કોઇ શહેરમાં ચાલેલી લૂંટ માર નું દ્રશ્ય ખડું કરી ,કરુણતા રેલાવી જતી આ એક લઘુ વાર્તા)
Saadat Hasan Manto (Urdu: سعادت حسن منٹو) (May 11, 1912 – January 18, 1955) was a PakistaniUrdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like
Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages.
વિભાજન નાં બે ત્રણ વર્ષો પછી પાકીસ્તાન ,અને હિંદુસ્તાન ની સરકાએ ને એવો વિચાર આવ્યો કે સમાન્ય કેદીઓની જેમ પાગલો ની પણ વહેંચણી થવી જોઈએં.જે મુસલમાન પાગલ હિંદુસ્તાનનાં પાગલખાના માં છે ,એને પાકીસ્તાનન ને સોંપી દેવામાં આવે.અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનનાં પાગલખાના માં છે એને એને હિદુસ્તાનનાં હવાલે કરી દેવામાં આવે. એની તો ખબર નથી કે આ વાત તાર્કિક હતીકે અતાર્કિક. પરંતુ બુધ્ધિજીવીઓના ફેંસલાની માફક બન્ને તરફ ઉંચી સ્તરની કોંન્ફરંસો માં ચર્ચાય. અને અંતમાં પાગલોની ફેર બદલી માટે સંમત થઈ ગયા.સારી રીતે તપાસ કરવામાં આવી..તે મુસલમાન પાગલો જેના કુટુંબીજનો ભારતમાંજ હતા એને ત્યાંજ રહેવા દેવામાં આવ્યા.અને જે બેજા બાકી રહી ગયેલા એને સરહદ પાર રવાના કરી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી લગભગ બધા હિદુ શીખો હિજરત કરી ચુક્યા હતા, એટલે કોઇને ત્યાં રોકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો.જેટલા પણ હિંદુ,શીખ પાગલો હતા એમને પોલીસના સરક્ષણ હેઠળ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવ્યા.
અહીં ભારત તરફની તો ખબર નથી ,પરંતુ જ્યારે લાહોરનાં પાગલખાનામાં આ વાત પહોંચી ત્યારે ઘણી દિલચસ્પ કાનાફૂસી થવા લાગી.એક મુસલમાન જે 12 વર્ષથી સતત ‘જમીનદાર.છાપું વાંચતો હતો ,એને એના એક દોસ્તે પ્રશ્ન કર્યો કે’મૌલ્વી સા’બ આ પાકિસ્તાન એ શી બલા છે?તેણે ઘણો વિચાર કરીને જવાબ આપ્યો કે ,હિંદુસ્તાનમાં એક જગ્યા છે,જ્યાં અસ્તરા બને છે.આ જવાબ સાંભળીને એનો મિત્ર સંતુષ્ટ થઈ ગયો.
એવી રીતે એક શીખ પાગલે બીજા શીખ પાગલને પૂછયું કે ‘સરદારજી’આપણને હિંદુસ્તાન કેમ મોકાલાઈ રહ્યા છે?આપણનેતો ત્યાંની બોલી નથી આવડતી.’ બીજો મલકાયો અને બોલ્યો’મને તો હિંદુ સ્ટોરોંની બોલી આવડે છે.હિંદુસ્તાની ઘણાં શેતાની હોય છે.,આવીને ફરતા રહે છે.
એક દિવસે નહાતા,નહાતાં એક મુસ્લિમ પાગલે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ’નો ના’રો એટલી જોરથી લગાવ્યો કે તે જમીન પર જોરથી લપસી પડ્યો અને બેહોશ થઇ ગયો.
ઘણા પાગલો એવા પણ હતા, વાસ્તવિકમાં પાગલ નહીં હતા,પણ એવા ખૂનીઓ હતા જેમનાં સગા વહાલાંઓએ લાંચ રૂશવત આપી એમને પાગલ ગણાવી પાગલખાનામાં ધકેલાવી દીધા હતા.કે કમસે કમ ફાંસીના ફંદાથી બચી જાય.એમને થોડી સમજણ પડતી હતી કે હિંદુસ્તાનનું વિભાજન કેમ થયું. અને આ પાકીસ્તાન શું છે.પરંતુ વાસ્તવ હકીકતથી તે પણ અજાણ હતા.સમાચાર પત્રોથી કંઈ ખબર પડતી ન હતી અને પહરેદારો,સિપાહીઓ અભણ અને જાહિલ હતા.એમની વાતચીતોથી પણ કોઇ તાત્પર્ય સુધી પહોંચી શકાતુ નહતું.એમને ફકત એટલી ખબર હતી કે ,એક માણસ જેનું નામ મોહંમદઅલી ઝીણા છે જેને કાઈદેઆઝમ કહેવામાં આવેછે. એણે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવ્યો છે,જેનું નામ પાકિસ્તાન છે.એ કયાં આવેલો છે.એનું ભૌગોલિક સ્થાન કયાં છે ? એના વિશે પણ એ કશું જાણતા નહતા.એકજ વિમાસણમાં ઘેરાયલા હતા કે એ લોકો પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં?જો હિંદુસ્તાનમાં છે તો પાકિસ્તાન કયાં આવેલું છે.?
અને જો તેઓ પાકિસ્તાનમાં છે તો એ કેવી રેતે બને કે થોડા સમય પહેલાં અહીંજ રહેતા હતા અને એ હિંદુસ્તાન કહેવાતું હતું.
એક પાગલ બિચારો હિંદુસ્તાન, પાકિસ્તન ના ચક્કરમાં એવોતો સલવાયો કે વધુ પાગલ થઈ ગયો.ઝાડું દેતાં દેતાં એક દિવસ ઝાડ પર ચઢી ગયો,અને ડાળખી પર બેસીને સતત બે કલાક ભાષણ ઠોકતો રહ્યો.,જે હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં જરૂરી પ્રશ્નો પર હતું.સિપાહીઓએ એને નીચે ઉતરવાનું કહ્યું તો એ વધુ ઉપર ચઢી ગયો.એને ધમકીઓ આપવામાં આવી, ડરાવાવામાં આવ્યો તો એણે કહ્યું ‘નહું હિંદુસ્તાનમાં રહેવા માંગુછું ન પાકિસ્તાનમાં ,મારેતો આ વૃક્ષ પર રહેવું છે. ઘણીકઠણાય પછી જ્યારે એનું ઝનુન ઠંડુ પડ્યું ત્યારે નીચે ઉતર્યો.,અને એના હિંદુ શીખ્ મિત્રોને ગળે વળગી વળગીને રડવા લાગ્યો..એના મનમાં એવું હતુ કે બધા એને છોડી હોંદુસ્તાન ચાલ્યા જશે.
એક એમ.એસ.સીપાસ રેડિયો ઈંજિનિયર જે મુસ્લિમ હતો ,જે બીજા પાગલોથી બિલકુલ અલગ થલગ બગીચાના એક કિનારે આખો દિવસ ખામોશ ટહેલતો હતો,એક દમ એવો વિફર્યો કે તમામ કપડા ઉતારી નાંખીને ચોકીદારને આપી દીધાં.અને બિલકુલ નગ્ન અવસ્થામાં બાગમાં ચાલવાનું શરૂ કર્યુ.
ચિનિયોટ નો એક જાડો મુસિલમ પાગલ,જે મુસ્લીમલીગ નો સક્રિય કાર્યકર પણ રહી ચુક્યો હતો. એ દિવસમાં પંદર સોળ વખત નહાતો હતો,એક દમ તેની આદત છોડી દીધી. એનું નામ મોહંમદઅલી હતું. એણે એક દિવસ પોતાની કોટડીમાં એલાન કરી દીધું કે હું મોહંમદઅલી ઝીણા છું.અને આ ચડસા ચડસીમાં એક શીખ પાગલે પોતાને માસ્તર તારાસીંઘ બનાવી દીધો.આ કોટડીમાં ખૂનખરાબાની શક્યતા નાં એંધાણ વર્તાવ લાગ્યા.પછી બન્નેને ખતરનાક પાગલની કક્ષામાં મૂકી અલગ કરી દેવામાં આવ્યા.
એકા લાહોર નો નવજુવાન હિંદુ, વકીલ હતો.જે પ્રણયમાં નિષ્ફળ થઈને પાગલ થઈ ગયો હતો.જ્યારે એને ખબર પડીકે અમૃતસર હિંદુસ્તાનમાં ચાલ્યું ગયું છે ,ત્યારે એને ઘણું દુ:ખ થયું.શહેરની એક હિંદુ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો હતો.જો કે તે છોકરીએ એને તરછોડી દીધો હતો,પરંતુ ગાંડપણ અવસ્થામાં પણ એ તેને ભૂલી શક્યો નહતો.એ બધીજ હિંદુ,મુસ્લિમ નેતાગીરીને ગાળો ભાંડતો હતો ,જેમણે મળી દેશનું વિભાજન કરાવ્યું.એની પ્રિયતમા હિંદુસ્તાની બની ગઈ હતી અને એ પાકિસ્તાની.
જયારે ફેર બદલીની વાતો શરૂ થઈ ત્યારે આ વકીલને ઘણા પાગલોએ સમજાવાવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ખોટું ન કરે.એને હિંદુસ્તાન મોકલી દેવામાં આવશે.તે હિંદુસ્તાનમાં જ્યાં એની પ્રેમિકા રહે છે.પરંતુ તે લાહોર છોડવા માંગતો નહતો.એને એવી શંકા હતીએ કે અમૃતસરમાં એની પ્રેકટીશ નહીં ચાલે.
યુરોપિયન વોર્ડમાં બે એંગ્લોઈંડિયન પાગલો હતા.જ્યારે એમને ખર પડી કે હિદુસ્તાનને આઝાદ કરીને અંગ્રેજો ચાલ્યા ગયાછે.તો એમને ઘણું દુ:ખ થયું.એ લોકો ચુપ ચાપ અંદર અંદર કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા કે ,હવે પાગલ ખાનામાં એમની હેસિયત શું હશે? યુરોપિયન વોર્ડર ને રાખવા માં આવશે કે કાઢી મુકવામાં આવશે. નાસ્તો મળશે કે નહીં.શું એમને ડબલરોટીની જગ્યાએ આ નકામી ઈંડિયન રોટલીતો ચાવવી નહીં પડે.
એક શીખ હતો. જે પંદર વરસથી પાગલખાનામાં હતો..દરેક વખતે એના મોઢેથી ચિત્ર વિચિત્ર અવાજ સાંભળવામાં આવતો હતો.’ઉપરદી ગુળગુળદી!નેકસદી બે ધ્યાનાદી મુંગદી દાલ ઓફદી લાલટેન’.ન રાતે સુતો હતો કે દિવસના.ચોકીદારોનું કહેવું હતું કે , પંદર વરસના લાંબા ગાળામાં એણે એક પણ મટકું માળ્યું નથી.આડો પન નહીં પડતો.કદી કોઈ ભીંત સાથી ટેક લગાવી લેતો હતો.
હમેશા ઉભા રહેવાથી એના પગ સોઝી ગયા હતા.પિંડલીઓ ફૂલી ગઈ હતી. પરંતુ આ શારિરિક વેદના હોવા છ્તાં આડો પડી કદી સુતો ન હતો.હિંદુસ્તાન,પાકિસ્તાન અને પાગલોની ફેર બદલી માટે જ્યારે પણ પાગલખાનામાં વાતો થતી ત્યારે ધ્યાનથી સાંભળતો.કોઈ એને પ્રશ્ન કરે કે એનું શું મંતવ્ય છે.તો તે ઘણી ગંભીરતાથી જબાબ દેતો કે’ઉપરદી ગુરગુરદી નીકસદી બેધ્યાના, મુંગદી દાલ ઓફ પાકિસ્તાન ગવર્નમેંટ.’
પછી પાકિસ્તાન ગવર્નમેંટની જગ્યાએ ઓફદી તોબાસીંઘ ગવર્નમેંટ’ કહેતો.અને એણે બીજા પાગલોને પૂછવાનું શરૂ કર્યું કે તોબાસીંઘક્યાં છે.?કયાંનો રહેવાળો છે?પણ કોઇનેજે ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં.જે જણાવાવાંનો પ્રયત્ન કરતા હતા તેજ આ ગુચવણમાં પડી જતા કે સિયાલકોટ પહેલાં હિંદુસ્તનમાં હતું ,હવે સાંભ્ળયું છેકે પાકિસ્તાન માં છે.શું ખબર કે લાહોર જે આજે પાકિસ્તાન માં છે આવતી કાલે હિંદુસ્તાનમાં ન ચાલ્યું જાય. અથવા આખું હિંદુસ્તાન પાકિસ્તાન બની જાય.અને આ પણ કોણ પોતાની છાતી પર હાથ મુકીને કહી શકે કે હિંદુસ્તાના અને પાકિસ્તાન બન્ને કોઇ દિવસ મૂળમાંથીજ અદ્રશ્ય થઈ જાય.
આ શીખ્ પાગલના વાળ ચોંટીને ઘણાજ નહિવંત રહી ગયા હતા.એ ઘણું ઓછું નહાતો હતો,એટલે દાઢી અને માથાનાં વાળ એક બીજા સાથે ચોંટી ગયા હતા.જેના લીધી એની શિકલ ઘણી બિહામણી લાગતી હતી.પર્તુ એ માણસ બિન ઉપદ્રવી હતો.પંદર વર્ષમાં કોઇની સાથે લડાઈ ઝઘડો નથી કર્યો.પાગલખાનાનાં જે જુના નોકરો હતા ,તેઓ એના વિષે જાણતા હતા કે તોબા સીઘ પાંસે ઘણી જમીન હતી.ખાતો પીતો જમીનદાર હતો.અચાનકજ ભેજું ફરી ગયું.એના કુટુંબીજનો લોઢાની મોટી મોટી સાંકળોમાં બાંધીએને લાવ્યા અને પાગલખાનામાંદાખલ કરી ગયા.
મહીનામા એક વખત એ લોકો એની ખબર કાઢવા આવતા,અને ખબર અંતર પૂછી ચાલ્યા જતા.લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ જ્યારે પાકિસ્તાન ,હિંદુસ્તાન ની ગરબડ શરૂ થઈ ત્યારે એમનું આવવાનું બંધ થઈ ગયું.
એનું અસલ નામ બિશન સીઘ હતું. પરંતુ બધા એને તોબાટેક સીંઘ કહેતા.એને એની પણ ખબર ન રહેતી કે કયો દિવસ અને ક્યો મહિનો છે.,અથવાકેટલા વર્ષ વીતી ગયાં. પરંતુ દર મહિને જ્યારે એના કુટુંબીજનો મળવા આવતા ત્યારે એને એની ખબર પડી જતી.જેથી એ ચોકીદારને કહેતો કી એની મુલકાત નો સમય આવી રહ્યો છે.તે દિવસે એ સારી રીતે નહતો,શરીર પર ખૂબ સાબુ ઘસતો,માથામાં તેલ નાખતો,કાંસકો ફેરવતો.તેના કપડાઓ જેનો એ ઉપયોગ કરતો નહતો,તેને કઢાવતો અને પહેરતો અને બની થનીને જતો.એ લોકો એને કંઈ પૂછ્તા તો ,એ ચુપ રહેતો અથવા કહેતો.’ ઉપરદી ગુરગુરદી !નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ દી લાલટેન.’કહી દેતો.
એની એક છોકરી હતી જે દર મહીને એક એક ઈંચ વધતાં વધતાં પંદર વર્ષોમા યુવાન થઈ ચુકી હતી.બિશનસીંઘ એને ઓળખતોજ નહોતો.જ્યારે તે બાળકી હતી ત્યારે પણ પોતાના બાપને જોઇ રડતી હતી,અને હવે યુવાન થઈ ત્યારે પણ એની આંખોથી અશ્રુ વહી રહ્યાં હતાં.
પાકિસ્તાન અને હિંદુસ્તાનનો પ્રશ્ન શરુ થયો ત્યારે એણે બીજા પાગલોને પુછવાનું શરુ કર્યું કે તોબાસીંઘ કયાં છે?.જ્યારે શાંતિપુર્વકનો ઉત્તર નહી મળ્યો તો એની પુછ્તાછ દરરોજ વધવા લાગી.હવે કોઇ મળવા પણ આવતું ન હતું. .પહેલાંતો એને ખબર પડીજતી હતી કે મળવા વાળા આવી રહ્યાં છે.હવે તો એના હૈયાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો જે એને એમના આવવાની ખબરની પ્રતિતિ કરાવતો હતી.
એની ઘણી ઈચ્છા હતી એ લોકો આવે અને એની સાથે લાગણી વ્યકત કરતા રહે. અને એના માટે ફળો મિઠાઈ અને કપડાં લાવત હતાં.તે અગર એ લોકોને પુછ્તો કે તોબાટેક સીંઘ કયાં છે,તો તે ચોકસ બતાવી દેતે કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાન માં છે. કારણકે એનું અનુમાન હતું કે એ લોકો તોબાતેકસીંઘથીજ આવતા હતા જ્યાં એની જમીનો હતી.
પાગલખના મા એક એવો પણ પાગલ હતો જે પોતાને ખુદા કહેતો હતો..તેને એક દિવસ બિશન સીંઘે પૂછ્યું કે તોબાતેક સીંઘ પાકિસ્તાનમાંછે કે હિંદુસ્તાનમાં ,તો એણે પોતાની આદત મુજબ જોરથી હસ્યો. અને કહ્યું કે ‘નતો પાકિસ્તાનમાં છે, ન હિંદુસ્તાનમાં.એટલા માટે કે મેં હજુ એનો હુકમ નથી આપ્યો.
બિશન સીંઘે ઘણી વખત આ ખુદાથી ઘણી વિનવણી કરી કે તે હુકમ સાદર કરી દે જેથી ઝંઝટ ખતમ થઈ જાય.પણ તે ઘણો પ્રવુત્ત હતો, એણે બીજા ઘણા હુકમો દેવાના હતા.એક દિવસ તંગ આવીને એને પર ગુસ્સે થઈ ગયો’ઉપરદી ગુરગુરદી,નકીસદી બેધ્યાન દી, મુંગદી દાલ ઓફ વાહે ગુરુજી દા ખાલસા એંડ વાહે ગુરુજી કી ફતેહ. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.’
એનો કદાચ અર્થ એ છેકે તુ મુસલમાનોનો ખુદા છે.શીખોનો ખુદા હોત તો જરુર મારી વાત સાંભળતે.
ફેરબદલીના એક દિવસ પહેલાં તોબાટેક સીઘનો એક મુસલમાન જે એનો દોસ્ત હતો, એને મળવા આવ્યો.પહેલાં તે કદી આવ્યો ન હતો.બિશન સીઘે જ્યારે એને જોયો, તો એક તરફ હટી ગયો અને પરત થવા લાગ્યો. સિપાહીઓ એને રોક્યો ‘એ તને મળવા આવ્યો છે’.એ તારો મિત્ર ફઝલદીન છે.’
બિશન સીંઘે એક દ્ર્ષ્ટિથી ફઝલદીનને નિહાળ્યો અને કંઈ બબડવા લાગ્યો.ફઝલદીને આગળ વધીને એના કાંધા પર હાથ મુક્યો અને બોલ્યો ‘ઘણા દિવસોથી વિચારતો હતો તને મળુ ,પણ ફુરસતજ ન મળી.તારા બધા કુટુંબીજનો સહી સલામત હિંદુસ્તાન પહોંચીગયા છે. મારાથી જે કંઈ મદદ થઈ શકતીએ હતી મેં કરી છે. તારી છોકરી રૂપ કૌર……………..’
તે કંઈ કહેતાં કહેતં અટકી ગયો.બિશન સીંઘ કંઈ યાદ કરવા લાગ્યો.બેટી રૂપકૌર ?
ફઝલદીને અટકતાં અટકતાં કહ્યું : “હાં…….તે પણ ઠીક ઠાક છે___એ લોકોની સથેજ ચાલે ગઈ છે.”
બિશનસીંઘ ચુપ રહ્યો.ફઝલદીને કહેવાનું શરુ કર્યું: ‘એ લોકોએ મને કહ્યું હતું તારી ખેર ખબર પૂછ્તાં રહેવું ‘ હવે મેં સાંભળ્યું છેકે તુ હિદુસ્તાન જઈ રહ્યો છે. ભાઈ બલબીર સીંઘ અને ભાઈ દુધાસીઘને મારા સલામ કહેજે. અને બહેન અમૃતકૌર ને પણ,,,,,,,.ભાઈ બલબીર સીંઘને કહેજે કે ફઝલદીન મઝામાં છે.બે ભૂરી ભેંસો જે તે અહીં છોડી ગયેલા એમાંથી એકે પાડું દીધું છે….અને બીજી એ પાડીનો જન્મ આપ્યો હતો ,પણ તે છ દિવસ પછી મરી ગઈ.અને મારા લાયક કંઈ પણ ખિદમત હોય તો કહેજે. હું હમેશા તૈયાર છું.અને આ તાર માટે થોડાં ફળ લાવ્યો છું.
બિશનસીઘે ફળોની પોટલી લઈને સીપાહીને હવાલે કરી દીધી,અને ફઝલદીનને પૂછ્યું: ‘તોબાતેક સીંઘ કયાં છે ?’
ફઝલદીન આશ્ચર્યથી કહ્યું ‘કયાં હોવાનું__જ્યા હતું ત્યાંજ છે ‘
બિશનસીઘે પાછો પ્રશ્ન દોહરાવ્યો “’ પાકિસ્તાનમાં કે હિદુસ્તાનમાં “
‘હિંદુસ્તાન માં__ના ના પાકિસ્તાન માં_ ફઝલદીન મુંઝવાયો.
બિશનસેંઘ બડબડતો ચાલ્યો ગયો : ‘ઉપરદી ગુરગુર દી, નેકસદી બેધ્યાના દી મુંગદી દાલ ઓફ દી પાકીસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દી રોફતે મુંહ ! ફેરબદલી ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી.આ તરફથી તે તરફ અને તે તફથી આ તરફ આવવા વાળા પાગલોની યાદીઓ પહોંચી ગઈ હતી. અને ફએરબદલી નો દિવસ પણ નક્કી થઈ ગયો હતો.
ઠંડી ઘણી સખ્ત પડી રહી હતી.લાહોરથી હિંદુ, શીખ પાગલોની ભરેલી ટૂક તેના સરંક્ષક પોલીસની ટૂકડીસાથે રવાના થઈ.સબંધિત અધિકારીઓ પણ સાથે હતા. વાઘાની સરહ્હદ પર ઉભય સુપ્રિટેન્ડંતો એક બીજાને મળ્યા.અને પ્રારંભિક કાર્યવાહી પૂરી થવા પછી ફેર બાલી શરૂ થઈ.
પાગલોને ટ્રકોમાંથી કાઢવાનું અને બીજા અધિકારીઓને સુપરત કરવાનું કામ ઘણુંજ કઠિન હતું.
ઘણા તો બહાર નીકળવા તૈયારજ ન હતા.જે નીકળવા તૈયાર થતા એમને સંભાળવાનુ કઠિન થઈ જતું.આમ તેમ ભાગી જતા હતા. જે નગ્ન અવસ્થામાં હતા, એમને કપડાં પહેરાવવામાં આવતા ત્યારે એ લોકો કપડાં ફાડીને શરીરથી અલગ કરી દેતા હતા.કેટલા ગાળો બકતા હતા.કેટલાક ગાઈ રહ્યા હતા.અંદરો અંદર ઝઘડી રહ્યા હતા.રડી રહ્યા હતા.બકી રહ્યા હતા. કાન પર અવાજ પણ સંભળાતો ન હતો.પાગલ સ્ત્રીઓનો શોર બકોર અલગ..અને ઠંડી એવી તીવ્ર હતી કે હાજા ગગડાવી નાંખે..દાંતો કડકડતા હતા.
પાગલોની બહુમતિ આ ફેર બદલીનાં પક્ષમાં નહતી.કારણકે એમની સમજવામાં ન આવતું હતું કે એમને એમની જગ્યાએથી ઉખેડી કયાં ફેંકવામાં આવી રહ્યા છે.અને કેટલાક જે કંઈ સૂઝબૂઝ ધરાવતા હતા તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’અથવા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા હતા.બે ત્રણ વખત રમખાણ થતું રહી ગયું. ઘાણા મુસ્લિમો અને શીખો આ નારાઓ સંભળી ક્રોધિત થઈ ગયા હતા.
જયારે બિશન સીંઘનો વારો આવ્યો અને વાઘાના તે પારનો અધિકારી એનુ નામ રજીસ્તરમાં નોંધવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું: “તોબા તેક સીંઘ કયાં છે?___પાકિસ્તાન માં કે હિંદુસ્તાન માં.?સબંધિત અધિકારી એ કહ્યું કે પાકિસ્તાન માં’
આ સાંભળી બિશન સીંઘ કૂદકો લગાવીને એક તરફ હટી ગયો, અને પોતાન બીજા સાથીઓ પાંસે પહોંચી ગયો.પાકિસ્તાની સિપાહીઓએ એને પકડી લેધો અને એને બીજી તરફ ધકેલવા લાગ્યા.પણ એણી ચાલવાનો ઈંન્કાર કરી દીધો. ‘તોબાતેક સીંઘ અહીં છે. જોર જોરથી બરાડા પાડવા લાગ્યો. ‘ ઉપરદી ગુરગુરદી ,નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ ઓફ તોબાતેક સીંઘ એન્ડ પાકિસ્તાન ‘
એને ઘણું સમજાવવામાં આવ્યું કે, જો !હવે તોબતેક સીઘ હિંદુસ્તાન માં ચાલ્યું ગયું છે.જો તે નહીં ગયું તો ત્યાં એને તાત્કાલિક પહોંચાડી આપવામાં આવશે.પણ તે માન્યો નહી.જ્યારે એને બળ પૂર્વક બીજી બાજુએ લઈ જવનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એ વચમાં એક જગ્યા પર એનાં સોજી ગયેલા પગો ઉપર એવી રીતે ઉભો થઈ ગયો કે હવે એને ત્યાંથી કોઇપણ તાકત હલાવી નહીં શકે.
એ માણસ પ્રથમ થી બિન ઉપદ્રવી હતો ,એટલે એની સાથે બળ પ્રયોગ કરવામાં ન આવ્યો..એને ત્યાંજ ઉભો રહેવા દીધો.અને ફેર બદલી નું બીજું કાર્ય આગળ વધતું ગયું.
સુર્યોદય પહેલાં શાંત અને મૌન બિશનસીંઘ ના ગળામાંથી આકાશની ચીળી નાંખતી એક ભયંકર ચીસ નીકળી. આજુ બજુથી ઘણા અધિકારીઓ દોડી આવ્યા.અને આશ્ચર્ય ચકિત જોઇ રહ્ય કે ,જે માણસ પંદર વરસથી રાત દિવસ પોતાના પગ પર ઉભો રહેતો હતો, ઉંધા મોંથી પડેલો છે.તે તરફ કાંટાળ તાર તરફ હિંદુસ્તાન હતું અને આ તરફ એવાજ તારોને પાછળ પાકિસ્તાન .વચમાં જમીનના તે ટૂકડા ઉપર જેનું કોઇ નામ ન હતું તોબાતેક સીંઘ પડેલો હતો.
(ઉર્દુ માંથી અનુવાદ_વફા)
(સઆદત હસન મંટો(1912-1955) 20મી સદીનો નામાંકિતા નવલિકા કાળ હતા.પંજાબના લુધ્યાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિયવિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે)
જૂન 2007ના બ્રિટનનાં મુશાયરાની વિગત ની PDF ફાઈલ અર્પણ કરવા બદલ જ.આદિલ મનસુરી સાહેબનો દિલી શુક્રિયહ. આ પોસ્ટીંગ ઇમેજ ફાઇલ માં હોય ,ડબલ કલીક કરવાથી સરળતાથી વાંચી શકાશે.
(અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાંમસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીનકાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તોફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકેસ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં ‘નવા શિવાલા’ નામના બીજા કાવ્યમાંએમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભુંકરવાનો અનુરોધ કર્યો .
શક્તિભી શાંતિભીભકતોં કે ગીતમેં હય, ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.
_તેમણે બ્રાહ્મણને ટકોરકરી.
સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,
તેરે સનમ કદે કે બુતહો ગયે પુરાને.
( હે બ્રાહ્મણ તને માઠુંન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.) મુસલમાનોનેકહ્યું:_ મસ્જિદતો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને
મન અપના પુરાના પાપી થાબરસોમેં નમાઝી બન ન શકા.
(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપીહતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં) મહાન મુસ્લિમ તરીકેઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલેએને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવજાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ‘ખુદી’ કહે છે.ઇંન્સાની હૃદય જેનામાટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જહાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ‘ખુદી’અહંભાન,પરંતુ ઇંસાનસંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ‘ખુદી’ને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિકધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીનેબેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું. તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિનથઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોનેઆધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનોમશ્હુર શે’ર છે. ‘ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદપૂછે,બતા તેરી રઝા કયા હૈ?
( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદાતને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?) ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાંથયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએમુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરીઅને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા. ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસીકવિતામાં કર્યો છે.:_ .
મરાબનિગરકિદર હિંદોસ્તાં નમીબીની
બિરહમન ઝાદા રમ્ઝે આશનાએરૂમો તબ્રેઝ અસ્ત.’
(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અનેતબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે) બીજા એક શેરમાં તેમણેસત્યનો એકરાર આમ કયો છે. ‘મેં અસલ કા સોમનાતી
આબા મેરે લાતી વમનાતી’
(હું મૂળ ‘સોમનાથી’ છું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનારહતા)
હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડીહતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવીઅને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યોછે.
મોતી વરનસે, લાલ હુઆ હયયમન સે દુર,
યા નાફએ ગિઝાલ હુઆ હયખતનસે દુર,
હિંદુસ્તાંમેં આયે હૈંકશ્મીર છોડ કર
બુલબુલને આશિયાં બનાયાચમનસે દુર. (મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવાકસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાનઆવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.) એમના જિવનનીશરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજહોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાંએફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસકરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથાસ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો. એમના સમગ્રવ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુરપ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.
‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્યભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુમોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમનીદ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.
1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરનીઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી. યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાંનેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ‘ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.નીડીગ્રી પ્રાપ્ત કરી.
ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડનયુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરીબજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા. વતનમં આવ્યા પછીએમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીનીપ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોનેકાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્યવિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેનીગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને ‘સર’નો ખિતાબઆપ્યો. આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિયરાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાનીનીતિનાં હાથા બનતા જોયા.અને’ સંકુચિત’ રાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિકસીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.
તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણેલખ્યું કે _
(અમારા સીનામાં અદ્વૈતનીઅમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.) તેમણે એક વેળાકહ્યું કે ‘જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણહિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમહોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.’એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથીસાથે એટલાજ મહાન મુસ્લિમ હતા. કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું નહતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાનીશક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણેસમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અનેસામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણેમુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇવાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાનાઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલીકોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિતતત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામસાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલાસુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવારાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યેસ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાંઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકનીહોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યુંહતું કે : ‘ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોયછે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અનેઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાનાહેઠળ અણગમો બાતાવે છે. મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયોસ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાકઅવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આપર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલીનિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરીપાડી શકે એમ નથી. રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગઅને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિકવતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાંસંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દોઅર્થહીનજ રહેશે.’ ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ‘ખરા મુસ્લિમોનું એચિન્હ છે કે મૃત્યુનેહસ્તે વદને ભેટે’ અને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરીકસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુઅનંતમાં વિલિન થઇ ગયું. તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમનીમહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંતખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અનેશોભામા પ્રગટતી રહેશે.’ કવિવર ટાગિરે કહ્યું કે ‘એમના અવસાનથી સાહિત્યમાં એક એવુંગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.’ હિંદ માતે દુનિયામા આજનું તંગસ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપીહોય . સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ‘ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યનાક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અનેસાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.’ સર તેજબહાદુરસપ્રુએ કહ્યું કે : ‘દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.’એમના અવસાનતી હિંદેઆપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.’ ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ‘ધ ડેવલોપમેંટ ઓફ મેટફીજીક્સ ઓફ પર્સિયા’ અને ‘ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામ’ અંગ્રેજી ભાષાપરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે. ‘અસ્રારે ખુદી’ અને ‘રમુજે બેખુદી’ એમનીબે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષમુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને ‘પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે. ઇકબાલે પોતનીખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં ‘શાહીન’ ગરુને પ્રતીક બનાવ્યું છે. તેમનાજણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિયછે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચેઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે. શાહિનનેસંબોધીને તેમને કહ્યું છે કે : _
’નહીં હૈ તેરા નશેમન કશરેસુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કરપહાડોંકી ચટાનોં પર’
(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડછે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનોછે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્તકરીએ; ’ અય તાઇરેલાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી! જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી”
(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યનઅધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)
(મહાકવિ ઇકબાલ _ આચાર્યમસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)‘
ઇકબાલ શ્રેણીના અન્ય લેખોમાટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>
મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”
Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com
કોઇને મન ભલેને એ આલુ_બટાક છે. અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.
ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે, અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.
દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી, બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.
સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા, અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર કાકા છે.
તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ, હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.
ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે, છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.
નરી કટપીસની ફેરી નથી કંઇ ‘શોખચલ્લી’ની, જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.
__નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’
‘હઝલોત્સવ’
‘હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લી’સા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. ’હઝલ’ એટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’
વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી. ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લી’ એ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્યબનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત ‘મુલ્લાં’હથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે. હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.
‘કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં. ’અકબર’ખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.
જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. ‘બઝમે વફા’ને પોસ્ટ કરતાં આનંદ થશે. અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે. સંપાદક
કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો ‘આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહ’ કરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ
વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ‘ડૈડી’ યા ‘પાપા’ કે બજાય ‘અબ્બા’ થે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ ‘બિજ઼નેસ’ કરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !
બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો ‘પેરેન્ટ્સ ડે’ પર સ્કૂલ આતે હૈં એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ
અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ
હમારે ઘર કા માહૌલ બિલ્કુલ ‘બોહિમિયન’ થા નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે ‘રેડ ફ્લૈગ હૉલ’ મેં રહતી થી હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા બાથરૂમ વગૈરહ તો કૉમન થા પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી
મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ ‘અલાઉન્સ’ દેતી થી ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા ‘પગલી’ કી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ ‘પગલી’ કે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો ‘બેસ્ટ એકટ્રૈસ’ કા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ‘ક્યૂજ઼’ દેતે હૈં
મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શારોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ) યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-‘કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ ‘દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ’ ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-‘પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-‘યે ઝૂઠ હૈ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી’ મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં
અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ‘ફ઼િરાક઼’ ઔર ફૈજ઼’ ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા…. કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓ’ યા ‘બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ’ હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ
ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-‘ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં
મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી મમ્મી ને ધીરે સે કહા કિ ‘કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા’ ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ‘ડેડલાઇન’ સર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ
મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં લિખતે વક્ત ઉનકી ‘સ્ટડી’ કા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ
વો લિખતે સિર્ફ ‘માઉન્ડ બ્લાન્ક’ ક઼લમ સે હૈં ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે ‘માઉન્ડ બ્લાન્ક’ દિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા
યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ ‘અપ્રૈલ ફ઼ૂલ’ બના દેતે હૈં હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર ‘અપ્રૈલ ફૂલ’ બના દેતે હૈં કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્ત’ સેન્સ ઑફ હ્યૂમર’ ભી હૈ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ
એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-‘એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે’ ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-‘ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી’
અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ
અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં
જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ
મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ ‘રેડ ફ઼્લૈગ હૉલ’ મેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-‘બેસ્ટ ઑફ લક, કૉમરેડ’
મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા મૈં અબ્બા કે કમરે મેં ગઈ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા
બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ વો ‘મકાન’ વો ‘ઔરત’ હો યા ‘બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ
ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબકહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકા ‘મોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવામાટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધનઅવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગકરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.
‘મોબાઈલના મસાઈલ’ અર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનોઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીકહિદાયતો જાણવા જેવી છે.
મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.
મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણમોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.
ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનનાશબ્દોથી વાત કરવી.
જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ.તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.
રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવાઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાતઅથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણમાટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.
મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.
મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક)વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.
મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશોવાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.
કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્યઉપયોગ નાજાયઝ છે.
મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરીવાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.
મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.
મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.
મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેનાસમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષપૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકતકરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવોમાટે માન થઈ આવે છે.
ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતાછંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલવિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.
આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે આછોકર રમત શા માટે ?
અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શુંમત્લા અને મકતાની સૂઝ હોતી નથી.
ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાનેગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેનેતાડ પર ચઢાવે છે.
આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .
જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.