<

હતો એક મોઘમ ઈશારો—મનુભાઈ ત્રિવેદી’ગાફિલ’

 

દીવાનાને ક્યારે જમાનાએ માર્યો?

જમાનાએ કાયમ દીવાનાએ માર્યો.

 

રહ્યો વસવસો તો રહ્યો એટલો બસ,

મને કોઈ ને કોઈ બા’નાએ માર્યો

 

ભલા કાંકરો કાં તમે મારો કાઢો,

હું એ કાંકરો છું જે કાનાએ માર્યો.

 

હતો એક મોઘમ ઈશરો પરંતુ,

છતો જયાં થયો ત્યાં છાના એ માર્યો.

 

કહો, કેટલી હું શકું ઝીક ઝીલી?

મિટાવ્યો દગાબાજે, દાનાએ માર્યો.

 

થયો છેવટે ગુમ ગઝલમાં જે ગાફિલ,

તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.

મારી અટકચાળી નજર —વેણીભાઈ પુરોહિત

મારાથી જમાનાની હવા થરથરી ગઈ,

મેં આંખ ફેરવી અને દુનિયા ફરી ગઈ.

 

રાતી નજરથી જૌઉં છું માળીની માવજત

કાંટા હસે છે ડાળ પર કળીઓ ખરી ગઈ.

 

છે ચાંદનું આ છોડિયું ,આખી છે ચાંદની,

ઓ બીજ! તારા તેજમાં તબિયત તરી ગઈ.

 

ગેરુ નહીં, તું આજે વાત કર ગુલાલની,

એવું કહીને શાયરી આઘે ખસી ગઈ.

 

બાલ પણાની પ્રીત રસ્તામાં મળી ગઈ,

મારી અટકચાળી નજર બચપણ કરી ગઈ.

 

દાતાર બની દાન એ કેવું કરી ગઈ.

ખાલી કરીને જિન્દગી હૈયું ભરી ગઈ.

 

રોકાઈ જાવ આ જૂદાઈ આવી રૂબરૂં,

આશા બિચારી ખાનગીમાં કરગરી ગઈ.

 

માનો તો ગુનેગાર છો, તકસીરવાર છો,

મારી મુરાદ આપના મનમાં રહી ગઈ.

 

ઝૂકી જરૂર ગુલછડી , જરા જુદી રીતે,

એ પ્યારથી નફરતની જાજમ પાથરી ગઈ.

 

કેવી રમત રમાઈ ગઈ રંગીન રાતમાં,

દર્દીને દવા મશ્કરીમાં છેતરી ગઈ.

યાદનો વનવાસ—બેન્યાઝ ધ્રોલવી

શબ્દ બારેમાસ તું લખજે મને,

પત્રમાં સુવાસ તું લખજે મને.

 

પંખી ટહુકાની હઠેળી જોઈને,

મુઠ્ઠીભર આકાશ તું લખજે મને.

 

ચૌદ વર્ષે સ્મૃતિઓ ચોડી જવી,

યાદનો વનવાસ તું લખજે મને.

 

એક પાનું ફૂલનું મળ્યું મને,

ત્યારથી મધુમાસ તું લખજે મને.

 

હું ગઝલમાં છંદને લય શોધતો,

ગાલગાગા ખાસ તું લખજે મને.

 

દોસ્ત જન્નતની નદીના ખ્યાલમાં,

કરબલાની પ્યાસ તું લખજે મને.

 

લોહીમાં ‘બેન્યાઝ’ ટપકે છે કલમ,

એ ગઝલ ઇતિહાસ તું લખજે મને.

 

ઓમાન(મધ્યપૂર્વન)ની શાનદાર મસ્જીદ-શેખ સુફિયાન સીદાત



જરા દૂરનો લેંડસ્કેપ

ઘણાં નજદીકનું દ્ર્શ્ય

 

રાત્રિની વિજળીના પ્રકાશમાં દીપી ઉઠતી નૂરાનિયત

અંધકારની ચાદર—બેફામ

 

બધો સમય છે સતત ઇંતેઝારની ચાદર,

છે એજ સાંજની ચાદર, સવારની ચાદર.

 

જુઓ કે એમાં ભરત છે ખરા સિતારાઓનું,

ઘણીજ કિંમતી છે અંધકારની ચાદર.

 

ખિંઝાના આવાં મરણની તો થાય ઈર્ષા,

ચઢી છે એના પર આખી બહારની ચાદર.

 

તૂટી ગયા છે  બધા તાર,સૂર નહીં જાગે,

ગિલાફનેજ કરીદો સિતારની ચાદર.

 

તરી રહ્યાં સમુંદરમાં ફૂલ વાસી જે,

હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર.

 

એ આખી રાત સુધી ઉંઘવા નથી દેતી,

બહુ ખૂંચે છે કોઈ પણ વિચારની ચાદર.

 

હવે એ મેલી બની ગઈછે, પગ નહીં મૂકજો,

તમારે પંથ બિછાવી છે ક્યારની ચાદર.

 

તમે જો ઓઢશો એને તો જાળ થઈ જાશે,

જગતની હોય છે એવા પ્રકારની ચાદર.

 

જીવન મરણમાં મહોબ્બતનાં ફૂલ સરખાં છે,

છે એક પ્યારનો સેહરો ને પ્યારની ચાદર.

 

હું એની ગોદમાં ઓગળતોજાઉં છું બેફામ,

 બહુ હૂંફાળી મળી છે મઝારની ચાદર.

 

રાતની પાછળ પડ્યો છે—શ્યામ રખિયાણિયા

કોઈ કાળા ડાઘની પાછળ પડ્યો છે,

સૂર્ય છે, એ રાતની પાછળ પડયો છે.

 

રોજ દાળી એક ઓછી થાય કાં?

કોણ લીલા ઝાડની પાછળ પડયો છે.

 

છેદ પાડી સૂર કૈં રેલાવશે એ,

ક્યારનો એ વાંસ પાછળ પડયો છે.

 

સૂકવી તેં ઓઢણી ત્યારથી બસ,

વાયરો આ વાડની પાછળ પડયો છે.

 

પૂછવું છે કાળને પણ એક દહાડો,

જન્મથી કાં સ્વાસની પાછળ પડયો છે.

અલ્લાહ થી ડર—જિદ્દી લુવારવી

તુ  ફકત  અલ્લાહ થી ડર,

ને ફિકર  આખિરત ની કર

 

જો મળે ખૂશી શુકર કર

ને ગમીમાં બસ કર સબર.

 

આ નગર પથ્થર તણું છે

તું જરા નીચી નઝર કર.

 

રબ રહે તારો સદા ખૂશ

તું ખુદાનો ખૂબ કર  ઝિકર.

 

એ બને  કાલ નહિ આવે

કાલની ના કૈં પણ  ખબર

 

 છે સહારો,બસ ખુદાનો

કોણ અહીંયા તુજ વગર

 

વીતવા આવી વસત પણ

ને ખિઝાનું બેસતું ઘર

 

મોત માથે જો ભમે છે,

ને હજી તું છે  બેફિકર

  

જિદ જરા તું છોડ ‘જિદ્દી’

આમ ખોટી આ જિદ નકર

 

લફંગો—જય ગજ્જર

(સૌજન્ય:શરદ તારું ગુલાબ અને બીજી વાર્તાઓ)

ડૉ. નીલ ગજજરને હિંદં રત્ન ઍવૉર્ડ

મિસિસાગા, કેનેડામાં પોતાની ડેન્ટલ ઓફિસ ધરાવતા ડૉ.નીલ ગજજરને તાજેતરમાં તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ન્યુ દિલ્હી, ભારતમાં દેશનો પ્રતિષ્ઠિત હિંદ રત્ન ઍવૉર્ડ અર્પણ રી બહુમાન કર્યું હતું. ‘જેવેલ ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાતો ‘હિંદ રત્ન’ એવૉર્ડ દર વર્ષે સારાય વિશ્વના ભારતીય ડાયાસ્પોરાના લગભગ ત્રીસેક વિખ્યાત મહાનુભાવોને એન.આર. આઈ. વેલ્ફેર સોસાયટી દ્વારા દર વર્ષે નોન રેસિડન્ટસ ઈન્ડિયન્સ આંતરરાષ્ટ્રિય કોંગ્રેસના વાર્ષિક સમારંભમાં ભારતના પ્રજાસત્તાક દિને ન્યુ દિલ્હીમાં ૧૯૮૨થી અપાય છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન, ભૂતપૂર્વ ચૂંટણી કમિશ્નર અને અન્ય મંત્રીઓ, તથા દેશના કેટલાક મહાનુભાવોની સલાહકાર અને પસંદગી સમિતિ ભારત અને વિશ્વના વિવિધ ક્ષેત્રે એમના નોંધપાત્ર પ્રદાન માટે જાણીતા અગ્રગણ્ય ત્રીસેક મહાનુભાવોને આ એવૉર્ડ આપી સન્માનવા પસંદ કરે છે. આ વર્ષે કેનેડાના ડૉ. નીલ ગજજર આ ઍવોર્ડના અધિકારી બન્યા છે.

ડૉ. નીલ ગજજર ડેન્ટલ સેવા સાથે કેનેડિયન અને અમેરિકન ડેન્ટલ મંડળોના સક્રિય સભ્ય હોઈ એ અસોસિયેશનમાં અને ડેન્ટલની વિવિધ શાખાઓના શિક્ષણકાર્યમાં એમનાં જ્ઞાન અને અનુભવોનું પ્રદાન કરે છે. ડૉ. ગજજર ઓન્ટારિયો એકેડેમી ઓફ જનરલ ડેન્ટિસ્ટીના તથા સાઉથ એશિયન ડેન્ટલ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂકયા છે.

ડૉ. ગજજર એકેડેમી ઓફ જનરલ ડેન્ટિસ્ટ્રીની પદવી ધરાવે છે, એકેડેમી ઓફ ઈન્ટરનેશનલ ડેન્ટિસ્ટ્રીના ફેલો છે, પિયરી ફૌચાર્ડ એકેડેમીના ફેલો છે અને ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડેન્ટિસ્ટસના ફેલો છે. આઈ.વી. સેડેશનના પ્રમાણિત સભ્ય હોઈ એના સમાજમાં વિવિધ રીતે સેવા આપે છે.

આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય એવૉર્ડ મેળવનાર ડૉ. ગજજરનો જન્મ કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ રાજયના સ્ટિવનવિલમાં થયો છે. સ્ટિવનવિલની ઈન્ટિગ્રેટેડ હાઈસ્કૂલમાં ઉજજવળ કારકિર્દીને કારણે સ્ટુડન્ટ ઓફ ધ યર, આચાર્યનું સન્માનપત્ર, ગવર્નર જનરલ મેડલ, ટોરોન્ટો યુનિવર્સિટીના નેશનલ બુક એવૉર્ડ, તથા લાયન્સ કલબ સ્કોલરશિપ, વગેરે મળતાં કેનેડિયન સ્કોલરનું બહુમાન મેળવેલ છે.

ફેકલ્ટી સ્કોલર અને ડીનની યાદીમાં નામના મેળવનાર ડૉ. ગજજર ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડીગ્રી મેળવી વૉશિન્ગટન, ડીસીમાંથી ડેન્ટલ સર્જનની ડીગ્રી મેળવે છે. અહીં પણ’ટીચર્સ ઓફ ઓરલ ડાયગ્નોસિઇ એવૉર્ડ પ્રાપ્ત કરે છે.

અમેરિકન ડેન્ટલ અસોસિયેશન નેશનલ બોર્ડની ભાગ ૧ અને ૨ અને કેને ડિયન નેશનલ ડેન્ટલ એકઝામિનિગ બોર્ડની પરીક્ષાઓ પાસ કરનાર ડૉ ગજજર કેનેડાના ઓન્ટારિયો રાજયની રોયલ કોલેજ ઓફ ડેન્ટલ સર્જન્સનું લાયસન્સ ધરાવે છે. અને મિસિસાગા, કેનેડામાં પોતાની ડેન્ટલ ઓફિસ ચલાવે છે. ૨૦૦૭માં થયેલા સર્વેમાં ડૉ. નીલ ગજજરની ડેન્ટલ ઓફિસ ‘ડેન્ટલ સેન્ટર ઓફ ધ યર’ તરીકે પસંદગી પામતાં ડૉ. નીલ ગજજરને ‘ટોપ ચોઈસ એવૉર્ડ -એ સર્વોત્તમ એવૉર્ડ પણ અર્પણ કરાયો હતો.

  41 Palomino Drive, Mississauga Ontario, Canada L4Z 3H6 tel.905-568-8025 Email:gajjar@gmail.com

             “Neil”, Plot#297, sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

 (‘બઝમે વફા’ પરિવાર ,કેસલમોર હેલ્થ સેંટરઅને ફાર્માસેવ-3-65 બ્રેડન બુલવર્ડ- બ્રામ્પટન –કેનેડા ડૉ.નીલ ગજ્જર એમના પરિવાર અને એમના પિતાશ્રી જય ગજ્જરને O.B.E. ને શુભેચ્છા સહિત ધન્યવાદ પાઠવે છે)

 

હડસન નદીની માછણ—ડૉ.અદમ ટંકારવી

આ તરફ બાગ તે તરફ રણ છે

એ તો આ પણ છે અને તે પણ છે

 

આમ મન ડોલે કે તન ડોલે, પણ

સાવ ડૉલરિયું એનું સગપણ છે

 

જોઈ મજદીકથી એનાં મસ્તક

એમ શંકા પડે કે રાવણ છે

 

ખુલ્લી આંખે કશું દેખાય નહીં

આ મુલ્કનું ય કેવું કામણ છે

 

આમ છે એ જ સમસ્યાનો ઉકેલ

ને સમસ્યાનું એ જ કારણ છે

 

આમ બંદૂકથી રમાય નહિ

એને ક્યાં એટલી સમજણ છે

 

તું ય લખ લખ કરે છે એની ગઝલ

આ અમેરિકા એક વળગણ છે

 

એને છેડીશ તો ગાળ દેશે, અદમ

એ ય હડસન નદીની માછણ છે

 

(ન્યુ યૉર્ક, 16-8-1999)

શાંત સૂનું સ્થલ- રાવજી પટેલ

શાંત સૂનું સ્થલ

અવાચક છે હજી તો ઘેનમાં

સળવળે ના વૃક્ષની છાયા

કદાચિત સૂર્યનાં કિરણોય તે

ના જાય લેટી અહીં !

ફૂલ ડૂબ્યાં નીંદમાં

એક આ સુગંધ ફરતી આમ

જાણે હવાની ઉંઘ ધીમે ઊડતી !

પતંગિયું આવ્યું ત્યહીં મુજને લગીર અડક્યું

અને

એ ફૂલ પર બેઠું

રંગીન પાંખો હલમલે એથી હવે તો

પાંદડી પર

અર્ધ સૂતાં આભ ઝોલા ખાય.

 

એક નાનકડા ટાપુ ઉપર એકલો__આદિલ મન્સૂરી

એકલો એકલો મનમાં મૂંઝાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
આ કિનારાના પાણીમાં છલકાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

ટેવવશ રોજ સૂરજ તો ઉગ્યા કરે,
જળસપાટી ઉપર તડકો થરકયા કરે.
મારી પરછાઇંને હું જ દેખાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

માછલી રેતમાં તરફડે છે સતત,
માથે પક્ષીઓ ટોળે વળે છે સતત.
નાળિયેરી ય જોયા કરે (જોઉ છું),
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

ખારા પાણીની ખારાશ વ્યાપી ગઈ,
રુંવે-રુંવે મને લીલ બાઝી ગઈ.
કાંચળી જેમ જાણે ઉતરડાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

વાવાઝોડું અહીં રોજ ફૂંકાય છે,
એના સુસવાટા શ્વાસોમાં પડઘાય છે.
એમ લાગે કે હું યે ઊડી જાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

સર્વ શબ્દો ભરેલાં વહાણો ડૂબ્યાં,
છેક તળિયે જઈ કયાંક ખૂંપી ગયાં.
રોજ કાંઠા ઉપર શોધવા જાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

આ ગઝલનું હલેસું ખભે ઊચકી,
રોજ આદિલ ફરું છું બધે ઊચકી.
ગણગણું છું મનોમન સતત ગાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.

 

હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું—ચન્દ્રકાન્ત બક્ષી

1970સુધી હું કલકતામાં હતો એટલે ગુજરાતી સાહિત્યના એટલે ગુજરાતી સાહિત્યનાં ઘણાં મહાન લેખકોને મેં જોયા નથી.ન જોયેલા લેખકોનું લિસ્ટ મોટું છે.રામનારાયણ વિ.પાઠક,રમણલાલ વસંતલાલ દેસાઈ, બાદરાયણ,ઝવેરચંદ મેઘાણી,ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ શ્રીધરાણી,કિશોરલાલ મશરૂવાળા,ધૂમકેતુને મેં જોયા નથી.આજે પણ ગુજરાત અને મુંબઈમાં 70-75ની ઉમરનાં દોઢેક ડઝન ગુજરાતી લેખકો અને કથિત લેખકો હયાત છે.પણ એમને જોવાનું બહું મન થતું નથી.જૂની પેઢીના ગુજરાતી લેખકોને લાંબુ જીવવાની અદત છે.ઘણાંખરા એટલ બધા નિર્વ્યસની છે કે યમરાજા પણ એમનાથી દૂર ભાગે છે.

    અંગ્રેજીમાંથી મેં ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું એનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજીમાં લખનારો લેખક હિન્દુસ્તાનમાં સારો પત્રકાર બની શકે છે, પણ એની નવલકથા કે કવિતા ભારતની જનતા વાંચતી નથી.હિંદુસ્તાનમાં લખાતું અંગ્રેજી સાહિત્ય જુઠું છે, એ ભાષા જુઠ્ઠી છે.મારી કેટલીય વાર્તાઓ અને લેખો ભારતનાં શ્રેષ્ઠ અંગ્રેજી પત્રોમાં પ્રકટ થતા રહ્યાં છે, પણ મને કયારેય અંગ્રેજીમાં લખવાનું આકર્ષણ રહ્યું નથી.આપણો અનુભવ ગુજરાતી છે.આપણો પ્રેમ ગુજરાતી છે.આપણું રડવું હસવું ગુજરાતી છે.અને અંગ્રેજી વાંચનારો વાંચક બે વફા છે,ગુજરાતી કે અન્ય ભાષીય વાચક વફાદાર છે.અંગ્રેજીમાં લેખકોનું બાળમરણ પ્રમાણ ઘણું વધારે છે.ગુજરાતીમાં વર્ષોથી ઘટિયા કચરો લખનારા લેખકોને પણ વાંચકોની દરિયા દિલીએ જીવતા રાખ્યા છે.અને જે સરસ લખે છે ,જે લોકોનાં દિલ સુધી પહોંચવા ખુશકિસ્મત બન્યા છે,એમને ગુજરાતી વાંચકે કયારેય દગા બાજી કરી નથી.દગા બાજી હંમેશા લેખક વાંચક સાથે કરતો હોય છે.વાંચક ક્યારેય દગાબાજ હોતો નથી.વાચક એટલે ગુજરાતી વાંચક.

   બીજું કારણ મારી વાસરિકા,આઠ વર્ષો સુધી લખેલી મેં ડાયરીઓનાં 4500 પાનાં.મારું ગુજરાતી હું એ ડાયરી લખવાના દૈનિક રિયાઝ,દૈનિક બૌદ્ધિક વ્યાયામમાંથી શીખ્યો છું.તરતાં,ઘોડે સવારી કરતાં, રોટલી બનાવતાં ,કીસ કરતાં તમને કોઈ શીખવતું નથી તમારેજ શીખવું પડે છે.હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું.

 (બક્ષીનામા,150-151)

એક બાળકીને સ્મશાને લઈ જતાં—ઉમાશંકર જોશી

તને નાનીશીને કશું રડવું કશું કકળવું

છતાં સૌએ રોયાં ! રડી જે વડમાં લોક શરમેં

હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં

 

બિચારી બાના બે ગુપત ચખબિંદુ ય વચમાં

ખર્યાં સ્પર્શ્યાં તુંને નહીં,યમસમાં ડાઘુજન તે

નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને

વિચાર્યું તું જેવે- મરણ કૂણું તે શીદ રડવું?

-છતાં સૌએ રોયાં રૂધિસર દઈ હાથ લમણે

 

ખભે લૈને ચાલ્યા,જરી લઈ,વળાંકે વળી

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી

રહી’તી તાકી એ, શિર પરચઢીને અવરને

સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી

અને પોતે ઉંચા કર કરીમથી ક્યાંક ચઢવા;

 

અમે આગે ચાલ્યા-રમત પરખીનેજ કપરી

ગળા પૂંઠે નાખી કર ,પગ પછાડી ,સ્વર ઉંચે

ગઈ મંડી રોવા ,તુજ મરણની ખોટ વસમી

 

અકેલીએ આખા જગ મહીં એણેજ વરતી

અને રોવું ન હતું મુજથી રોવાઈ ગયું!

 

મસ્ત મુશાયરો

(આજ થી લગભગ 41 વર્ષ પહેલાઁ ના એક મુશાયેરાની ઐતિહાસિક નોઁધ જે સુરતના ‘ મુજાહિદ’ પખવાડિકે લીધી હતી )
‘મસ્ત હબીબ’ સારોદીના સનમાર્થે જંબુસર મા યોજાયેલો
મસ્ત મુશાયરો
‘મસ્તી’અને ‘તુલસી ઇસ સંસાર મે” કાવ્યસંગ્રહો ના સર્જક જનાબ ‘મસ્તહબીબ’ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિન્હ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની ક્રુતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા ‘અકબર અલી’જસદણવાલા,’બેકાર.’રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી’ ‘ગની’દહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ‘ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા’ ‘રાઝ’ ‘બેબાક.’ રફઅત’ કાવીવાલા’ ‘વફા’ ‘સાગર’ આરિફ’ ‘પથિક’’તબસ્સુમ’ વિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ ‘હસીખુશી સ્ટોરવાળા ‘જયંતી ચોકસી અને ‘આરિફ’ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોને ફાળે જાયછે.
’મસ્ત હબીબનુ’ સન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી.
‘કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,
આ પંક્તિ પર રજુ થયેલા ચુનઁદા શે’ર વાંચકોના રસા સ્વાદ અર્થે અત્રે રજુ કરવામા આવેછે.

જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.

મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,

-‘બેકાર’

સૌઁદર્યના તજજ્ઞોનુઁ તાત્વિક કથન હતુઁ.
જીવન હતુઁ કવનમાઁ કે જીવન કવન હતુઁ.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતુઁ વદન હતુઁ.

‘સાબિર’ વટવા.

પગલાઁ પુજાય એવુઁ વિરોચિત ગમન હતુઁ.
મ્રુત્યુ એ ભવ્ય એવુઁ કે જેવુઁ જીવન હતુઁ.

જગતના પ્રલોભનોને નથી વશ થયુઁ ‘હબીબ’
સચ્ચાઇ પર અડગ અમારુ ખુદ્દાર મન હતુઁ.

-‘મસ્ત હબીબ’ સારોદી.

કેવુઁ ભલા ભગવાન આ તારુઁ સ્રુજન હતુઁ
આંખે ચમકતુઁ હાસ્યને હૈયે રૂદન હતુઁ.

ઉકેલ્યો ન ભેદ‘વ્યાસ’નો વિત્યુઁ જીવન છતાઁ.
કોના વિચારે એમનુ હસતુઁ વદન હતુઁ.

-‘પ્રિ.ચીમનલાલ વ્યાસ.

લીલુડી ધરતી કયાઁ હતી? કયાઁ ઉપવન હતુઁ.
જન્મારો આખો દુ:ખ શુઁ કાંટાળુ વન હતુઁ.

મારી વ્યથાની પૂઁછના “અશરફ’તુ કથા,
કંટક ભર્યો તે પંથ ને મારુન જીવન હતુઁ.

-યુસુફ અશરફ’ વહાલુ.

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ભટ્કી રહી’તી તારી નજર દુર કયાઁ’વફા’
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.

મુહમ્મદઅલી’વફા”(લુવારવી)

નીચે ધરા હતી અને ઉપર ગગન હતુઁ
એવુઁ ય કઁઇક વેળા અમારૂઁ જીવન હતુઁ.

પામી શકે કેવી રીતે એની વાસને,
રફઅત’ ઘણેજ દૂર એ ખીલ્યુઁ સુમન હતુઁ.

રફઅત’ કાવીવાલા

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.

કેવી પ્રબળ હશે ‘અદમ’ ઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.

-અદમ’ટંકારવી

એ રૂપના પ્રભાવે પ્રભાવિત કથન હતુઁ.
ઝળ્કેછે એજ શબ્દોમા જેવુઁ વદન હતુઁ.

કરમાયુઁ છે એ અકાળે વિકસતાઁ પહેલાઁ એ,
બેબાક’ કેવા હાથમાઁ આ મન સુમન હતુઁ.

‘બેબાક’-કોસંબવી

શોધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.

મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.

‘સાગર’ નવસારવી

મુરઝાયુઁ ડાળ પર આજે સુમન હતુઁ.
તારા વિયોગે ઝુરતુઁ આખુઁ ચમન હતુઁ.

જીવી ગયા’આરિફ’ અમે કઈઁ એવી શાનથી
મ્રુત્યુ ટાણે મ્હેક્તુઁ અમારુઁ જીવન હતુઁ.

‘આરિફ’સારોદી

હસતુઁ વદન હતુઁ-મુહમ્મદઅલી વફા

 એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળમાં અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ

 તારા હતા વિચાર ને તારું મનન હતું.

ગઇ કાલની છે વાત કે મારેય મન હતું.

એવા હતા દિવસ કે હતો માત્ર અંધકાર,

સૂરજ નહીં,ને ચન્દ્ર નહીં બસ ગગન હતું.

જળમાં ડૂબેલ જળ કદી પરખી શકાય ના,

માની લીધું કે મ્હેકમાં મારું ચમન હતું.

કાસદ બન્યો જણાય છે અંગારીઓ પવન,

મારા હૃદય સિવાય વળી કયાં દહન હતું.

કિસ્મતનાં તારલાતો હતા માનવીને, પણ,

ચમકનાવનાર એમને તારું ગગન હતું.

રેતીના પટ ઉપર પડી છે ભાત ફાંકડી,

અસ્થિર શુષ્કતા યે એક સાંત્વન હતું.

 કોઇ દિશા મળીજ નહીં એનો ગમ નથી,

તરણાંને ક્યાં દિશા હતી?ફકત વહન હતું !

મારી તરસને ઝાંઝવાં પી ગયા અનિલ ,

એવી મળી મીઠાશ કે રણ પણ મગન હતું.

ભાવિ કબરની ધૂળ વિના કંઇ નથી અનિલ

તમને થશે વાહ વાહ ,આ પણ જીવન હતું !

 

અમાનતનું ધન હતું-મસ્ત મંગેરા

પગલા પૂજાય એવું વિરોચિત ગમન હતું,

મૃત્યું એવું ભવ્ય કે જેવું જીવન હતું!

 

માનવ્યથી મહોરતું બેશક જીવન હતું,

કંટક નહીં ચમનમાં સુવાસિત સુમન હતું!

 

સંધ્યા વિનાએ રક્તથી રંગીન ગગન હતું,

જાણે કોઈ ક્ષિતિજનું નવું આગમન હતું!

 

આગળ વધ્યા કે વ્હેણની સાથે વહી ગયા

સમજી શકોછો-કેટલું એમનું વજન હતું!

 

કોને ખબર શિકાયતો કાને ધરી કે નૈં,

હા, એટલી ખબર છે હસતું વદન હતું!

 

રક્ષણ કીધું છે લીધો નથી ગેર લાભ કૈં,

દુનિયા અમારે માટે અમાનતનું ધન હતું!

 

જગના પ્રલોભનને નથી મસ્ત વશ થયો,

રાજી ખુદાની મરજી પર મારું મન હતું!

તા.24-2-1968નાં મર્હુમ જનાબ મસ્ત હઈબ સારોદી સહેબાનાં માનમાં જંબુસરજિ: ભરૂચ મુકામે મુશાયેરો યોજાયો હતો.

મુશાયેરાની પાદ પંક્તિ હતી:

કોને વિચારે એમનું હસતું વદન હતું 

 

 

 

 

જઁબુસર મુશયરો 24-2-68 ગુલનુ કફન

છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

 

પવનભરી રાત
-જીવનાનન્દ દાસ

ગંભીર પવનોભરી રાત હતી કાલે અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમા ખેલતી હતી:
મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ,
કદિક બિછાનુ છેદીને
નક્ષત્રો ભણી ઉડી જવા ચાહતી’તી;
કદિક કદિક મને એમ લાગતુઁ હતુઁ.અર્ધો ઊંઘમા હોઈશ ત્યરેજ કદાચ_
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાઁ ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે.

એવી અદભુત રાત હતી કાલની,.
સમસ્ત મ્રુત નક્ષત્રો કાલે જાગી ઉઠ્યાઁ હતાઁ.આકાશમાઁ તલ માત્ર જ્ગ્યા ખાલી ન હતી;
પ્રુથ્વીના સમસ્ત ઘૂસર પ્રિય મ્રુતજનોના મુખ પણ એ નક્ષત્રોમાઁ જોયાછે મેઁ,
અન્ધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર_સમડીની શિશિરભીની અંખની જેમ ટમટમતાઁ હતાઁ સમસ્ત નક્ષત્રો;
ચાન્દની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ,ચિત્તાના ચકમક થતા
ચામડાની, શાલની જેમ ચમકતુઁ હતુઁ વિશાળ આકાશ!
એવી અદભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાઁ મરી ચૂકયાઁ હતાઁ;
તે બધાઁ પણ કાલે બારીમાઁ થઇને અસંખ્ય મ્રુત આકાશને સાથે લઇને આવ્યાઁ હતાઁ.
જે રૂપસુન્દરીઓને મેઁ એસિરિયામાઁ ,મિસરમાઁ,વિદિશામાઁ મરી જતી જોઈ છે.
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાઁ લાંબા ભાલા હાથમાઁ લઈને હારબન્ધ ઉભી રહી ગઇ હતી જાણે_
મ્રુત્યુને દલિત કરવાને ?
પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને?
સ્તંભિત અભિભૂત થઇ ગયો હતો હુઁ,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અન્દર
પ્રુથવી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન અવ્યો હતો આકાશના વક્ષેથી ઉતરીને
મારી બારીની અન્દર થઈને સાઁય સાઁય કરતો,
સિન્હના હુંકારથી ઉત્ક્ષ્પિત હરિત પ્રાંતરના અજસ્ર જિબ્રાની જેમ!
હ્રદય ભરાય ગયુઁ છે,મારુઁ વિસ્તીર્ણ ફેલટ્ના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગંત_પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છવાસે
જીવનની દુર્દાંત નીલ મત્તતાએ !
મારુઁ હ્રદય પ્રુથવીને છેદીને ઊડી ગયુઁ.
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયુઁ ;
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયુઁ
કોઇ દુર્દાંત પંખીની જેમ.

(‘વનલતા સેન’માઁથી) -જીવનાનન્દ દાસ

(કાવ્ય ચર્ચા -248)

Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected
bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in
English translation and in Bengali.

achatt1@umbc8.umbc.edu

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને

_ નિસાર અહમદ શેખશેખચલ્લી

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.

ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.

દેશ કાજે તુ થયો સાચો શહીદ,

ધન્ય તારી માતને અબ્દુલહમીદ.

 

રણ્ મહીઁ બાજી લગાવી જાનની,

રેવડી બોલાવી પાકિસ્તાનની.

આન રાખી ધર્મની ઈમાનની.

તેઁ વધારી શાન હિન્દુસતાનની.

 

શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,

વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.

શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,

વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.

 

તુ હતો એક લશકરી હવાલદાર,

ન સિપેહસાલાર ન રિસાલદાર.

ન કોઈ ધનવાન કે ન માલદાર.

ન વળી વાતોડિયો કે પત્રકાર.

ધામથી પહોંચી ગયો સ્વધામમા,

દેશના તુ આવી ગયો તુમ કામમા.

સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.

રહી જશે તુજ નામ પણ શુભનામમા.

એ વતનના પાણ પ્યારાને સલામ,

એ વતનના ચાન્દ તારાને સલામ.

(વૈભવ-8 )

 

ઓળખાણ _ગુલઝાર

વિચાર્યુઁ પણ ન હતુઁ કે નામ મારુઁ છે કે નહીઁ.

“ઓ”કહીને કોઈ એ બોલાવી લીધો,

”અરે જી” કહીને બીજાએ હાક મારી,

“અરે ઓ” મિત્રો કહેછે

જેના મનમાઁ જે રીતે આવ્યુઁ

 

 એ રીતે મને હાક મારી
તમે મને એક વળાઁક પર

અચાનક જયારે ‘ગુલઝાર’કહીને

અવાજ દીધો,

જાણે એક છીપમાઁથી મોતી સરી પડ્યુઁ,

જાણે મને એક ઓળખાણ પ્રાપ્ત થઈ ગઈ.

 


(આઝાદ નઝમ ,ઉર્દુ માઁથી અનુવાદ-વફા)
23નવે.2006

દીપક બારડોલીકર_મુહમ્મદઅલી વફા 

depakhoto

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પુસ્તકો:પરિવેશ,આબેકવસર,વાટના દીવા, સુન્ની વહોરા,મેઘ ધનુષ-1,મોસમ,મેઘધનુષ-2, સિરાતે હરમ,ગુલમહોરના ઘૂઁટૢકુલિયાતે દીપક
સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ

ગારે-હિરામાઁ*દીપક બારડોલીકર
ના’ત(પ્રશ્સ્તિ કાવ્ય)

અજબ એક કેફ ઘેરાયો હતો ગારે-હિરામાઁ
અલૌકિક તાર જોડાયો હતો ગારે-હિરામાઁ

ખુદાનો શબ્દ પડઘાયો હતો ગારે-હિરામાઁ,
કરિશ્મો એક સરજાયો હતો ગારે-હિરામાઁ

કયામત પણ મીટાવી ના શકે ભીનાશ એની
મહોબતસિઁધુ ઉભરાયો હતો ગારે-હિરામાઁ

સમજની શુષ્ક સરિતાઓ ફરી ભરપૂર થઇ ગઇ
ઇલમનો બાબ ખોલાયો હતો ગારે-હિરામાઁ

હજી પણ છે અને હરદમ રહેશે નૂર એનુઁ
નબુવ્વતદીપ પ્રગટાયો હતો ગારે-હિરામાઁ

અજબ એવી અદબ ઈજ્જત મળીછે ધૂળને પણ
રિસાલત તાજ મોકાયો હતો ગારે-હિરામાઁ

 

ગારે-હિરામાઁ= પવિત્ર શહેર મક્કાને નજીક પહાડી પર આવેલી તે નાની ગુફા જેમાઁ અલ્લહના અઁતિમ નબી હજરત મોહમ્મદ(સલ.) પર અલ્લહ પાકની પ્રથમ વહી ઉતરી.
પત્થર કાળો
પરશે ચુમે લોક
હૈયાઁ ઉજળા
*************
હજી પણ રોશની છે આ નગરમાઁ
હજી પણ આપનો દીપક બળેછે.

 

(દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળા(પાજોદ દરબાર)વિ.ને સાઁભળવાનો
મોકો મળ્યો.શ્રી બેકારસા. ના સઁચાલન માઁ મુશાયેરો ખુબ જામ્યો હતો.યાદગાર મુશાયેરામાઁ એનુઁ નામ છે.
1989 માઁ કરાઁચીમા મલીર સીટી માઁ એમના ઘરે મહેમાની માણી.એમણે એમના થોડા પૂસ્તકો ભેટ આપ્યાઁ હતાઁ.મારા નજીકના સ્નેહેઓમાઁથી છે;)

સન્નાટો

કોઇ ધડકન

ન કોઇ સરસરાહટ

ન લહેરખી

ન કોઇ મોજ

ન પ્રક્રિયા

ન કોઇ સ્વાસની ઉષ્ણતા

ન દેહ

આવા સન્નાટામાઁ કોઇ અર્ધુઁ પાઁદડુઁ તો ખરે

કોઇ પીગળેલુઁ મોતી

કોઇ આઁસુ

કોઇ હ્રદય

કઁઇ પણ નથી

આ મર્ગ પણ કેટલો નિરવ છે

કોઇ લલાટ તો ચમકે,કોઇ વિજળી તો ત્રાટકે.

_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)

 

ઉપનામ : જિગર ટંકારવી

જન્મ સ્થળ: ટંકારી બન્દર

તા: જઁબુસર જિ.ભરૂચ

અભ્યાસ : બી.એસ.સી

વ્યવસાય : સરકારી સેવામાઁથી નિવ્રૃત

વહોરા સમાચાર માસિકના

સહતંત્રી પદે.

પ્રકાશનો : ચૂપ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્ર

કોઇ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્રનુઁ સહ સઁપાદન

ગુજlish ગઝલોનુઁ સહ સઁપાદન

ફૂલવસો ગઝલ સંગ્રહ

હાલનુઁ સરનામુઁ: રિયાઝ મઁઝિલ ,અલીફ નગર,તિઘરા રોડ

પો.કાલિયાવાડી_396 427

 જિગર ટંકારવીનામ : ઈબ્રાહીમ અહમદ પટેલ 

તા.જિ. નવસારી(ગુજરાત)

માણો એમની સુઁદર ગઝલો.

શબ્દનું તાંડવ—જિગર ટંકારવી

યાદની આ જેલ તોડી જોઈએ

વિસ્મરણનો માર્ગ શોધી જોઈએ

 

કેટલી ફળદ્રુપ છે દીવાસળી !

સ્પર્શ પણ એકાદ રોપી જોઈએ

 

તૂટતી જોવા મળે ભીંતે વસંત

ફૂલની ખૂશ્બૂઓ ઘોળી જોઈએ

 

શબ્દનું તાંડવ કરી લીધું હવે

ચાલ ત્રીજું નેત્ર ખોલી જોઈએ

 

વેદનાના સાવ સુક્કા રણ મહીં

કૈંક ઝાકળ જેવું ઢોળી જોઈએ

 

હાથમાઁ

કૈઁક લીલુઁ સમ ઉગાડો હાથમાઁ

રેખના હરણાઁ ને પાળો હાથમાઁ

વેરનો કેવોય હો રસ્તો વિકટ

હાથ સબઁધોના આપો હાથમાઁ

 ભેદની મુઠ્ઠી ન ઉઘડે ત્યાઁ સુધી

ખાલીપો ઝૂર્યે જવાનો હાથમાઁ 

ભાગ્યનુઁ જંગલ ગહેકશે કોઇનુઁ

મોર મેઁદીનો કળાયો હાથમાઁ

એકનો તો એક પણ દેખાય ના

એકમાઁતો એક આખો હાથમાઁ

વાતાવરણ

આવ સથે માણીએ બે એક ક્ષણ

આજ માફક લાગતુઁ વાતાવરણ 

બઁધ બારી રાખવી ગમતે મને

પણ જરૂરી છે હવા ,અજવાશ પણ

વાત ખુશ્બોશી પ્રસરતી જાય છે

મૌન તારુઁ ફૂલ જેવુઁ છે સજણ

પ્રાત: સાથે અંત પ્રતીક્ષાનો થશે

એટલે મીઠુઁ કર્યુઁ છે જાગરણ

 એક આશાની ખજૂરી શોધુઁ છુઁ

સૂર્ય માથે ને ઉડે છે રેત કણ

_(ફૂલવાસો)

 

ચાર આના*** સઆદત હસન મનટો(ઉર્દૂનાં સુપ્રસિધ્ધ ક્રાંતિકારી વાર્તાકાર)
 
 લૂંટ મારની બજાર ગરમ હતી,.અને એની ગરમી માં વૃધ્ધિ થઇ ગઈ જયારે આગ ચારે દિશાએ ભડકવા લાગી.એક માણસ હાર્મોનિયમની પેટી ઉઠાવીને આનંદથી ગીત ગાતો જઈ રહ્યો હતો.જબ તુમ્હી ગયે પરદેશ, લગા કર ઠેશ,ઓ પ્રીતમ પ્યારા,દુનિયામે કોન હમારા.એક નાની ઉમરનો છોકરો થેલીમા પાપડો નો અંબાર ખડકી ને ભાગી રહ્યો હતો..એને ઠોકર લાગી તો પાપડની એક થોક્ડી એની ઝોળીમાંથી  પડી ગઈ.છોકરો એને ઉપાડવા માટે જરા નીચે નમ્યો તો સીવવાનો સંચો ઉઠાવી જઈ રહેલા એક માણસે કહ્યું કે રહેવા દે બેટા,  રહેવા દેએ તો આમજ પોતે શેકાય જશે,ત્યાં તો બજારમાં એક ભરેલી ગુણા નીચે પડી.એક માણસે ઉતાવળ થી આગળ વધીને પોતાના છરાથી તે ગુણી ને ચીરી નાંખી.સફેદ દાણા વાળી ખાંડ ઉભરીને બહાર નીકળી આવી.લોકો ભેગા થઈ ગયા અને પોત પોતાની થેલીઓ ભરવા લાગ્યા. એક મણસ અંગરખા વગરનો હતો ,તેણે જલ્દીથી પોતની લુંગી ખોલી અને એમાં મુઠ્ઠી ભરી ભરીને નાંખવા લાગ્યો
હટી જાવ હટીજાવ્ કહેતાં એક ટાંગો પોલીશ કરેલી અલ્મારી લઈને પસાર થઈ ગયો.એક ઉંચા મકાનનની બારી માંથી મલમલ નું થાન સર સરાહટ કરતું બહાર ફેંકાયું. આગના ભયંકર શોલાની જીભ  એને ચાટી રહી હતી..સડ્ક સુધી પહોંચતા તો તે રાખ નો ઢગલો થઈ ગયું.પોં,પોં,પોં કારના હોર્ન ની સાથે બે સ્ત્રીઓની ચીંખો પણ હતી.લોખંડની એક અલમારી દસ પંદર માણસોએ ખેંચીની બહાર કાઢી,અની દંડા વડે એને ખોલવાનું શરુ કર્યુ.કવાને કીસ્ટના ઘણા ડબ્બા બન્ને હાથે ઉઠાવ્યા.પોતાની દાઢીના ભાગથી એને ટેકવી એ માણસ દુકાનમાંથી બહાર નીકળ્યો.અને બજારમાં ધીરે ધીરે ચાલવા લાગ્યો.ત્યાંતો મોટેથી અવાજ આવ્યો ,આવો આવો લેમનેડ પીઓ.ગરમીની ઋતુ છે.ગળામાં કારના ટાયર નાંખીને બે બોટલો પીધી ,અને આભાર માનવા વગર ચાલતી પકડી.
એક અવાજ આવ્યો કે કોઇ આગ હોલવવા વળાઓને સંદેશ પહોંચાડીદે કે બધો માલ બળી જશે.કોઇએ પણ આ સૂચન પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.,લૂંટ મારનું બજાર ગરમ રહ્યું..અને એની આગ ચારો તરફ પ્રસરવા લાગી..આગ રાબેતા મુજબ પ્રગતિ કરી રહીહતી.
 ઘણા સમય પછી તર,.તર નો અવાજ આવ્યો.ગોળીઓ વરસવા લાગી.પોલીસને બજાર ખાલી નજર આવ્યું.પરંતુ દૂર ધુમાડા ઘેરાયલી કારની પાંસે એક માણસનો પડછાયો નિહાળ્યો.પોલીસના સિપાહીઓ સીટીઓ મારતા એં તરફ લપક્યા.પડછાયો ઝડપથી એધુમાડાની અંદર લુપ્ત થઈ ગયો.પોલીસે એનો પીછો કીધો.ધુમાડાનો પ્રદેશ પુરો થયો ત્યાં પોલીસના સિપાહીઓએ જોયું કે એક કાશ્મીરી મજૂર બરડા પર વજનદાર ગૂણ ઉઠાવી ભાગી રહ્યો છે.સીટીઓ નાં ગળાંઓ શૂષ્ક થઈ ગયાં પણ તે મજૂર થોભ્યો નહીં.તેની પીઠ પર વજન હતું.સાધારણ વજન નહીં પણ સંપૂર્ણ ભરેલી ગૂણ હતી. પરંતુતે એ રીતે દોડી રહ્યો હતો જાણે પીઠ પર કશું છેજ નહીં.સિપાહીઓ હાંફવા લાગ્યા..એક સિપહી એ તંગ આવી ને પિસ્તોલ કાઢી અને ગોળી મારી દીધી.ગોળી કાશ્મીરી મજૂરની પિંડલીમાં લાગી હતી.ગૂણ એની પીઠ પરથી ગબડી પડી.ઘભરાઈને એણે સિપાહી પ્રત્યે નજર કરી .વહેતા લોહી પ્રત્યે પણ એની નજર ગઈ ,પરંતુ પાછી એકજ ઝટકામાં ગૂણ ઉઠાવી  ને ભાગવા લગ્યો.સિપાહીઓએ વિચાર્યું જવા દો ,ભલે જહન્નમાં જાય.પણ પાછો એને પકડી લીધો..રસ્તામાં કાશમીરી મજૂરે વારંવાર વિનંતી કરીકે સાહેબ, તમે મને શા માટે પકડો છો?. હું તો ગરીબ માણસ છું,ચોખા ની એક ગૂણ લીધેલી.ઘર વાળાં ખાતે. તમે મને ખોટી રીતે ગોળી મારી.પરંતુ એની એક પણ વાત સાંભળવામાં ન આવી.પોલીસ થાણામાં કાશમીરી મજૂરે પોતાના બચાવ માં ઘણું કહ્યું.સાહેબ !બીજા લોગો બરાબર માલ ઉઠાવી ગયા. મેં તો ફકત એકજ ચોખાની ગૂણ લીધીછે.સાહેબ હું ઘણોજ ગરીબ છું.રોજ ભાત ખાવાનું જોઇએં છે..જ્યારે તે થાકી ગયો ત્યારે એણે પોતાની મેલી ટોપીથી માથાનો પસીનો લુંછયો.અને  ચોખાની ગૂણ પ્રતિ નિરાશાની દ્રષ્ટિ નાંખી ફોજ્દારની સામે હાથ ફેલાવી કહ્યું. સારું સાહેબ ! તમે આ ગુણી તમારીપાંસે રાખીલો,હુંમારી મજૂરીનો હકદારછુંચાર આના
 (સઆદત હસન મંટો,ઉર્દુના લાજવાબ વાર્તા કાર છે.સંવેદન અને કરુણ નિરૂપણ એની સત્ય વકતતા ,અને નિર્ભય વ્યકતવ્યમાંથી આવે છે,વિભાજન ની કરૂણતાઓ એણે વાર્તાઓમા નિરુપી છે,એની વાર્તાઓનો વિશ્વની ઘણી ભાષામા અનુવાદ થયા છે. 42-43વર્ષની ઉમરમાં ઘણું જોયું, ઘણું લખ્યું.જયારે લખ્યું કાળજું બહાર કાઢીને મુકી દીધું..વિભાજન વેળા કોઇ શહેરમાં ચાલેલી લૂંટ માર  નું દ્રશ્ય ખડું કરી ,કરુણતા રેલાવી જતી આ એક લઘુ વાર્તા)

 

 

  

 

Saadat Hasan Manto (Urdu: ‏‏سعادت حسن منٹو) (May 11, 1912January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like

Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages. 

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

વિભાજન નાં બે ત્રણ વર્ષો પછી પાકીસ્તાન ,અને હિંદુસ્તાન ની સરકાએ ને એવો વિચાર આવ્યો કે સમાન્ય કેદીઓની જેમ પાગલો ની પણ વહેંચણી થવી જોઈએં.જે મુસલમાન પાગલ હિંદુસ્તાનનાં પાગલખાના માં છે ,એને પાકીસ્તાનન ને સોંપી દેવામાં આવે.અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનનાં પાગલખાના માં છે એને એને હિદુસ્તાનનાં હવાલે કરી દેવામાં આવે. એની તો ખબર નથી કે આ વાત તાર્કિક હતીકે અતાર્કિક. પરંતુ બુધ્ધિજીવીઓના ફેંસલાની માફક બન્ને તરફ ઉંચી સ્તરની કોંન્ફરંસો માં ચર્ચાય. અને અંતમાં પાગલોની ફેર બદલી માટે સંમત થઈ ગયા.સારી રીતે તપાસ કરવામાં આવી..તે મુસલમાન પાગલો જેના કુટુંબીજનો ભારતમાંજ હતા એને ત્યાંજ રહેવા દેવામાં આવ્યા.અને જે બેજા બાકી રહી ગયેલા એને સરહદ પાર રવાના કરી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી લગભગ બધા હિદુ શીખો હિજરત કરી ચુક્યા હતા, એટલે કોઇને ત્યાં રોકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો.જેટલા પણ હિંદુ,શીખ પાગલો હતા એમને પોલીસના સરક્ષણ હેઠળ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવ્યા.

અહીં ભારત તરફની તો ખબર નથી ,પરંતુ જ્યારે લાહોરનાં પાગલખાનામાં આ વાત પહોંચી ત્યારે ઘણી દિલચસ્પ કાનાફૂસી થવા લાગી.એક મુસલમાન જે 12 વર્ષથી સતત ‘જમીનદાર.છાપું વાંચતો હતો ,એને એના એક દોસ્તે પ્રશ્ન કર્યો કે’મૌલ્વી સા’બ આ પાકિસ્તાન એ શી બલા છે?તેણે ઘણો વિચાર કરીને જવાબ આપ્યો કે ,હિંદુસ્તાનમાં એક જગ્યા છે,જ્યાં અસ્તરા બને છે.આ જવાબ સાંભળીને એનો મિત્ર સંતુષ્ટ થઈ ગયો.
એવી રીતે એક શીખ પાગલે બીજા શીખ પાગલને પૂછયું કે ‘સરદારજી’આપણને હિંદુસ્તાન કેમ મોકાલાઈ રહ્યા છે?આપણનેતો ત્યાંની બોલી નથી આવડતી.’ બીજો મલકાયો અને બોલ્યો’મને તો હિંદુ સ્ટોરોંની બોલી આવડે છે.હિંદુસ્તાની ઘણાં શેતાની હોય છે.,આવીને ફરતા રહે છે.
એક દિવસે નહાતા,નહાતાં એક મુસ્લિમ પાગલે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ’નો ના’રો એટલી જોરથી લગાવ્યો કે તે જમીન પર જોરથી લપસી પડ્યો અને બેહોશ થઇ ગયો.
ઘણા પાગલો એવા પણ હતા, વાસ્તવિકમાં પાગલ નહીં હતા,પણ એવા ખૂનીઓ હતા જેમનાં સગા વહાલાંઓએ લાંચ રૂશવત આપી એમને પાગલ ગણાવી પાગલખાનામાં ધકેલાવી દીધા હતા.કે કમસે કમ ફાંસીના ફંદાથી બચી જાય.એમને થોડી સમજણ પડતી હતી કે હિંદુસ્તાનનું વિભાજન કેમ થયું. અને આ પાકીસ્તાન શું છે.પરંતુ વાસ્તવ હકીકતથી તે પણ અજાણ હતા.સમાચાર પત્રોથી કંઈ ખબર પડતી ન હતી અને પહરેદારો,સિપાહીઓ અભણ અને જાહિલ હતા.એમની વાતચીતોથી પણ કોઇ તાત્પર્ય સુધી પહોંચી શકાતુ નહતું.એમને ફકત એટલી ખબર હતી કે ,એક માણસ જેનું નામ મોહંમદઅલી ઝીણા છે જેને કાઈદેઆઝમ કહેવામાં આવેછે. એણે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવ્યો છે,જેનું નામ પાકિસ્તાન છે.એ કયાં આવેલો છે.એનું ભૌગોલિક સ્થાન કયાં છે ? એના વિશે પણ એ કશું જાણતા નહતા.એકજ વિમાસણમાં ઘેરાયલા હતા કે એ લોકો પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં?જો હિંદુસ્તાનમાં છે તો પાકિસ્તાન કયાં આવેલું છે.?

અને જો તેઓ પાકિસ્તાનમાં છે તો એ કેવી રેતે બને કે થોડા સમય પહેલાં અહીંજ રહેતા હતા અને એ હિંદુસ્તાન કહેવાતું હતું.
એક પાગલ બિચારો હિંદુસ્તાન, પાકિસ્તન ના ચક્કરમાં એવોતો સલવાયો કે વધુ પાગલ થઈ ગયો.ઝાડું દેતાં દેતાં એક દિવસ ઝાડ પર ચઢી ગયો,અને ડાળખી પર બેસીને સતત બે કલાક ભાષણ ઠોકતો રહ્યો.,જે હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં જરૂરી પ્રશ્નો પર હતું.સિપાહીઓએ એને નીચે ઉતરવાનું કહ્યું તો એ વધુ ઉપર ચઢી ગયો.એને ધમકીઓ આપવામાં આવી, ડરાવાવામાં આવ્યો તો એણે કહ્યું ‘નહું હિંદુસ્તાનમાં રહેવા માંગુછું ન પાકિસ્તાનમાં ,મારેતો આ વૃક્ષ પર રહેવું છે. ઘણીકઠણાય પછી જ્યારે એનું ઝનુન ઠંડુ પડ્યું ત્યારે નીચે ઉતર્યો.,અને એના હિંદુ શીખ્ મિત્રોને ગળે વળગી વળગીને રડવા લાગ્યો..એના મનમાં એવું હતુ કે બધા એને છોડી હોંદુસ્તાન ચાલ્યા જશે.
એક એમ.એસ.સીપાસ રેડિયો ઈંજિનિયર જે મુસ્લિમ હતો ,જે બીજા પાગલોથી બિલકુલ અલગ થલગ બગીચાના એક કિનારે આખો દિવસ ખામોશ ટહેલતો હતો,એક દમ એવો વિફર્યો કે તમામ કપડા ઉતારી નાંખીને ચોકીદારને આપી દીધાં.અને બિલકુલ નગ્ન અવસ્થામાં બાગમાં ચાલવાનું શરૂ કર્યુ.
ચિનિયોટ નો એક જાડો મુસિલમ પાગલ,જે મુસ્લીમલીગ નો સક્રિય કાર્યકર પણ રહી ચુક્યો હતો. એ દિવસમાં પંદર સોળ વખત નહાતો હતો,એક દમ તેની આદત છોડી દીધી. એનું નામ મોહંમદઅલી હતું. એણે એક દિવસ પોતાની કોટડીમાં એલાન કરી દીધું કે હું મોહંમદઅલી ઝીણા છું.અને આ ચડસા ચડસીમાં એક શીખ પાગલે પોતાને માસ્તર તારાસીંઘ બનાવી દીધો.આ કોટડીમાં ખૂનખરાબાની શક્યતા નાં એંધાણ વર્તાવ લાગ્યા.પછી બન્નેને ખતરનાક પાગલની કક્ષામાં મૂકી અલગ કરી દેવામાં આવ્યા.

એકા લાહોર નો નવજુવાન હિંદુ, વકીલ હતો.જે પ્રણયમાં નિષ્ફળ થઈને પાગલ થઈ ગયો હતો.જ્યારે એને ખબર પડીકે અમૃતસર હિંદુસ્તાનમાં ચાલ્યું ગયું છે ,ત્યારે એને ઘણું દુ:ખ થયું.શહેરની એક હિંદુ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો હતો.જો કે તે છોકરીએ એને તરછોડી દીધો હતો,પરંતુ ગાંડપણ અવસ્થામાં પણ એ તેને ભૂલી શક્યો નહતો.એ બધીજ હિંદુ,મુસ્લિમ નેતાગીરીને ગાળો ભાંડતો હતો ,જેમણે મળી દેશનું વિભાજન કરાવ્યું.એની પ્રિયતમા હિંદુસ્તાની બની ગઈ હતી અને એ પાકિસ્તાની.

જયારે ફેર બદલીની વાતો શરૂ થઈ ત્યારે આ વકીલને ઘણા પાગલોએ સમજાવાવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ખોટું ન કરે.એને હિંદુસ્તાન મોકલી દેવામાં આવશે.તે હિંદુસ્તાનમાં જ્યાં એની પ્રેમિકા રહે છે.પરંતુ તે લાહોર છોડવા માંગતો નહતો.એને એવી શંકા હતીએ કે અમૃતસરમાં એની પ્રેકટીશ નહીં ચાલે.

યુરોપિયન વોર્ડમાં બે એંગ્લોઈંડિયન પાગલો હતા.જ્યારે એમને ખર પડી કે હિદુસ્તાનને આઝાદ કરીને અંગ્રેજો ચાલ્યા ગયાછે.તો એમને ઘણું દુ:ખ થયું.એ લોકો ચુપ ચાપ અંદર અંદર કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા કે ,હવે પાગલ ખાનામાં એમની હેસિયત શું હશે? યુરોપિયન વોર્ડર ને રાખવા માં આવશે કે કાઢી મુકવામાં આવશે. નાસ્તો મળશે કે નહીં.શું એમને ડબલરોટીની જગ્યાએ આ નકામી ઈંડિયન રોટલીતો ચાવવી નહીં પડે.
એક શીખ હતો. જે પંદર વરસથી પાગલખાનામાં હતો..દરેક વખતે એના મોઢેથી ચિત્ર વિચિત્ર અવાજ સાંભળવામાં આવતો હતો.’ઉપરદી ગુળગુળદી!નેકસદી બે ધ્યાનાદી મુંગદી દાલ ઓફદી લાલટેન’.ન રાતે સુતો હતો કે દિવસના.ચોકીદારોનું કહેવું હતું કે , પંદર વરસના લાંબા ગાળામાં એણે એક પણ મટકું માળ્યું નથી.આડો પન નહીં પડતો.કદી કોઈ ભીંત સાથી ટેક લગાવી લેતો હતો.
હમેશા ઉભા રહેવાથી એના પગ સોઝી ગયા હતા.પિંડલીઓ ફૂલી ગઈ હતી. પરંતુ આ શારિરિક વેદના હોવા છ્તાં આડો પડી કદી સુતો ન હતો.હિંદુસ્તાન,પાકિસ્તાન અને પાગલોની ફેર બદલી માટે જ્યારે પણ પાગલખાનામાં વાતો થતી ત્યારે ધ્યાનથી સાંભળતો.કોઈ એને પ્રશ્ન કરે કે એનું શું મંતવ્ય છે.તો તે ઘણી ગંભીરતાથી જબાબ દેતો કે’ઉપરદી ગુરગુરદી નીકસદી બેધ્યાના, મુંગદી દાલ ઓફ પાકિસ્તાન ગવર્નમેંટ.’
પછી પાકિસ્તાન ગવર્નમેંટની જગ્યાએ ઓફદી તોબાસીંઘ ગવર્નમેંટ’ કહેતો.અને એણે બીજા પાગલોને પૂછવાનું શરૂ કર્યું કે તોબાસીંઘક્યાં છે.?કયાંનો રહેવાળો છે?પણ કોઇનેજે ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં.જે જણાવાવાંનો પ્રયત્ન કરતા હતા તેજ આ ગુચવણમાં પડી જતા કે સિયાલકોટ પહેલાં હિંદુસ્તનમાં હતું ,હવે સાંભ્ળયું છેકે પાકિસ્તાન માં છે.શું ખબર કે લાહોર જે આજે પાકિસ્તાન માં છે આવતી કાલે હિંદુસ્તાનમાં ન ચાલ્યું જાય. અથવા આખું હિંદુસ્તાન પાકિસ્તાન બની જાય.અને આ પણ કોણ પોતાની છાતી પર હાથ મુકીને કહી શકે કે હિંદુસ્તાના અને પાકિસ્તાન બન્ને કોઇ દિવસ મૂળમાંથીજ અદ્રશ્ય થઈ જાય.
આ શીખ્ પાગલના વાળ ચોંટીને ઘણાજ નહિવંત રહી ગયા હતા.એ ઘણું ઓછું નહાતો હતો,એટલે દાઢી અને માથાનાં વાળ એક બીજા સાથે ચોંટી ગયા હતા.જેના લીધી એની શિકલ ઘણી બિહામણી લાગતી હતી.પર્‍તુ એ માણસ બિન ઉપદ્રવી હતો.પંદર વર્ષમાં કોઇની સાથે લડાઈ ઝઘડો નથી કર્યો.પાગલખાનાનાં જે જુના નોકરો હતા ,તેઓ એના વિષે જાણતા હતા કે તોબા સીઘ પાંસે ઘણી જમીન હતી.ખાતો પીતો જમીનદાર હતો.અચાનકજ ભેજું ફરી ગયું.એના કુટુંબીજનો લોઢાની મોટી મોટી સાંકળોમાં બાંધીએને લાવ્યા અને પાગલખાનામાંદાખલ કરી ગયા.
મહીનામા એક વખત એ લોકો એની ખબર કાઢવા આવતા,અને ખબર અંતર પૂછી ચાલ્યા જતા.લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ જ્યારે પાકિસ્તાન ,હિંદુસ્તાન ની ગરબડ શરૂ થઈ ત્યારે એમનું આવવાનું બંધ થઈ ગયું.

એનું અસલ નામ બિશન સીઘ હતું. પરંતુ બધા એને તોબાટેક સીંઘ કહેતા.એને એની પણ ખબર ન રહેતી કે કયો દિવસ અને ક્યો મહિનો છે.,અથવાકેટલા વર્ષ વીતી ગયાં. પરંતુ દર મહિને જ્યારે એના કુટુંબીજનો મળવા આવતા ત્યારે એને એની ખબર પડી જતી.જેથી એ ચોકીદારને કહેતો કી એની મુલકાત નો સમય આવી રહ્યો છે.તે દિવસે એ સારી રીતે નહતો,શરીર પર ખૂબ સાબુ ઘસતો,માથામાં તેલ નાખતો,કાંસકો ફેરવતો.તેના કપડાઓ જેનો એ ઉપયોગ કરતો નહતો,તેને કઢાવતો અને પહેરતો અને બની થનીને જતો.એ લોકો એને કંઈ પૂછ્તા તો ,એ ચુપ રહેતો અથવા કહેતો.’ ઉપરદી ગુરગુરદી !નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ દી લાલટેન.’કહી દેતો.

એની એક છોકરી હતી જે દર મહીને એક એક ઈંચ વધતાં વધતાં પંદર વર્ષોમા યુવાન થઈ ચુકી હતી.બિશનસીંઘ એને ઓળખતોજ નહોતો.જ્યારે તે બાળકી હતી ત્યારે પણ પોતાના બાપને જોઇ રડતી હતી,અને હવે યુવાન થઈ ત્યારે પણ એની આંખોથી અશ્રુ વહી રહ્યાં હતાં.
પાકિસ્તાન અને હિંદુસ્તાનનો પ્રશ્ન શરુ થયો ત્યારે એણે બીજા પાગલોને પુછવાનું શરુ કર્યું કે તોબાસીંઘ કયાં છે?.જ્યારે શાંતિપુર્વકનો ઉત્તર નહી મળ્યો તો એની પુછ્તાછ દરરોજ વધવા લાગી.હવે કોઇ મળવા પણ આવતું ન હતું. .પહેલાંતો એને ખબર પડીજતી હતી કે મળવા વાળા આવી રહ્યાં છે.હવે તો એના હૈયાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો જે એને એમના આવવાની ખબરની પ્રતિતિ કરાવતો હતી.

એની ઘણી ઈચ્છા હતી એ લોકો આવે અને એની સાથે લાગણી વ્યકત કરતા રહે. અને એના માટે ફળો મિઠાઈ અને કપડાં લાવત હતાં.તે અગર એ લોકોને પુછ્તો કે તોબાટેક સીંઘ કયાં છે,તો તે ચોકસ બતાવી દેતે કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાન માં છે. કારણકે એનું અનુમાન હતું કે એ લોકો તોબાતેકસીંઘથીજ આવતા હતા જ્યાં એની જમીનો હતી.
પાગલખના મા એક એવો પણ પાગલ હતો જે પોતાને ખુદા કહેતો હતો..તેને એક દિવસ બિશન સીંઘે પૂછ્યું કે તોબાતેક સીંઘ પાકિસ્તાનમાંછે કે હિંદુસ્તાનમાં ,તો એણે પોતાની આદત મુજબ જોરથી હસ્યો. અને કહ્યું કે ‘નતો પાકિસ્તાનમાં છે, ન હિંદુસ્તાનમાં.એટલા માટે કે મેં હજુ એનો હુકમ નથી આપ્યો.
બિશન સીંઘે ઘણી વખત આ ખુદાથી ઘણી વિનવણી કરી કે તે હુકમ સાદર કરી દે જેથી ઝંઝટ ખતમ થઈ જાય.પણ તે ઘણો પ્રવુત્ત હતો, એણે બીજા ઘણા હુકમો દેવાના હતા.એક દિવસ તંગ આવીને એને પર ગુસ્સે થઈ ગયો’ઉપરદી ગુરગુરદી,નકીસદી બેધ્યાન દી, મુંગદી દાલ ઓફ વાહે ગુરુજી દા ખાલસા એંડ વાહે ગુરુજી કી ફતેહ. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.’
એનો કદાચ અર્થ એ છેકે તુ મુસલમાનોનો ખુદા છે.શીખોનો ખુદા હોત તો જરુર મારી વાત સાંભળતે.

ફેરબદલીના એક દિવસ પહેલાં તોબાટેક સીઘનો એક મુસલમાન જે એનો દોસ્ત હતો, એને મળવા આવ્યો.પહેલાં તે કદી આવ્યો ન હતો.બિશન સીઘે જ્યારે એને જોયો, તો એક તરફ હટી ગયો અને પરત થવા લાગ્યો. સિપાહીઓ એને રોક્યો ‘એ તને મળવા આવ્યો છે’.એ તારો મિત્ર ફઝલદીન છે.’
બિશન સીંઘે એક દ્ર્ષ્ટિથી ફઝલદીનને નિહાળ્યો અને કંઈ બબડવા લાગ્યો.ફઝલદીને આગળ વધીને એના કાંધા પર હાથ મુક્યો અને બોલ્યો ‘ઘણા દિવસોથી વિચારતો હતો તને મળુ ,પણ ફુરસતજ ન મળી.તારા બધા કુટુંબીજનો સહી સલામત હિંદુસ્તાન પહોંચીગયા છે. મારાથી જે કંઈ મદદ થઈ શકતીએ હતી મેં કરી છે. તારી છોકરી રૂપ કૌર……………..’
તે કંઈ કહેતાં કહેતં અટકી ગયો.બિશન સીંઘ કંઈ યાદ કરવા લાગ્યો.બેટી રૂપકૌર ?

ફઝલદીને અટકતાં અટકતાં કહ્યું : “હાં…….તે પણ ઠીક ઠાક છે___એ લોકોની સથેજ ચાલે ગઈ છે.”
બિશનસીંઘ ચુપ રહ્યો.ફઝલદીને કહેવાનું શરુ કર્યું: ‘એ લોકોએ મને કહ્યું હતું તારી ખેર ખબર પૂછ્તાં રહેવું ‘ હવે મેં સાંભળ્યું છેકે તુ હિદુસ્તાન જઈ રહ્યો છે. ભાઈ બલબીર સીંઘ અને ભાઈ દુધાસીઘને મારા સલામ કહેજે. અને બહેન અમૃતકૌર ને પણ,,,,,,,.ભાઈ બલબીર સીંઘને કહેજે કે ફઝલદીન મઝામાં છે.બે ભૂરી ભેંસો જે તે અહીં છોડી ગયેલા એમાંથી એકે પાડું દીધું છે….અને બીજી એ પાડીનો જન્મ આપ્યો હતો ,પણ તે છ દિવસ પછી મરી ગઈ.અને મારા લાયક કંઈ પણ ખિદમત હોય તો કહેજે. હું હમેશા તૈયાર છું.અને આ તાર માટે થોડાં ફળ લાવ્યો છું.

બિશનસીઘે ફળોની પોટલી લઈને સીપાહીને હવાલે કરી દીધી,અને ફઝલદીનને પૂછ્યું: ‘તોબાતેક સીંઘ કયાં છે ?’
ફઝલદીન આશ્ચર્યથી કહ્યું ‘કયાં હોવાનું__જ્યા હતું ત્યાંજ છે ‘
બિશનસીઘે પાછો પ્રશ્ન દોહરાવ્યો “’ પાકિસ્તાનમાં કે હિદુસ્તાનમાં “
‘હિંદુસ્તાન માં__ના ના પાકિસ્તાન માં_ ફઝલદીન મુંઝવાયો.
બિશનસેંઘ બડબડતો ચાલ્યો ગયો : ‘ઉપરદી ગુરગુર દી, નેકસદી બેધ્યાના દી મુંગદી દાલ ઓફ દી પાકીસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દી રોફતે મુંહ ! ફેરબદલી ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી.આ તરફથી તે તરફ અને તે તફથી આ તરફ આવવા વાળા પાગલોની યાદીઓ પહોંચી ગઈ હતી. અને ફએરબદલી નો દિવસ પણ નક્કી થઈ ગયો હતો.
ઠંડી ઘણી સખ્ત પડી રહી હતી.લાહોરથી હિંદુ, શીખ પાગલોની ભરેલી ટૂક તેના સરંક્ષક પોલીસની ટૂકડીસાથે રવાના થઈ.સબંધિત અધિકારીઓ પણ સાથે હતા. વાઘાની સરહ્હદ પર ઉભય સુપ્રિટેન્ડંતો એક બીજાને મળ્યા.અને પ્રારંભિક કાર્યવાહી પૂરી થવા પછી ફેર બાલી શરૂ થઈ.
પાગલોને ટ્રકોમાંથી કાઢવાનું અને બીજા અધિકારીઓને સુપરત કરવાનું કામ ઘણુંજ કઠિન હતું.
ઘણા તો બહાર નીકળવા તૈયારજ ન હતા.જે નીકળવા તૈયાર થતા એમને સંભાળવાનુ કઠિન થઈ જતું.આમ તેમ ભાગી જતા હતા. જે નગ્ન અવસ્થામાં હતા, એમને કપડાં પહેરાવવામાં આવતા ત્યારે એ લોકો કપડાં ફાડીને શરીરથી અલગ કરી દેતા હતા.કેટલા ગાળો બકતા હતા.કેટલાક ગાઈ રહ્યા હતા.અંદરો અંદર ઝઘડી રહ્યા હતા.રડી રહ્યા હતા.બકી રહ્યા હતા. કાન પર અવાજ પણ સંભળાતો ન હતો.પાગલ સ્ત્રીઓનો શોર બકોર અલગ..અને ઠંડી એવી તીવ્ર હતી કે હાજા ગગડાવી નાંખે..દાંતો કડકડતા હતા.

પાગલોની બહુમતિ આ ફેર બદલીનાં પક્ષમાં નહતી.કારણકે એમની સમજવામાં ન આવતું હતું કે એમને એમની જગ્યાએથી ઉખેડી કયાં ફેંકવામાં આવી રહ્યા છે.અને કેટલાક જે કંઈ સૂઝબૂઝ ધરાવતા હતા તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’અથવા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા હતા.બે ત્રણ વખત રમખાણ થતું રહી ગયું. ઘાણા મુસ્લિમો અને શીખો આ નારાઓ સંભળી ક્રોધિત થઈ ગયા હતા.

જયારે બિશન સીંઘનો વારો આવ્યો અને વાઘાના તે પારનો અધિકારી એનુ નામ રજીસ્તરમાં નોંધવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું: “તોબા તેક સીંઘ કયાં છે?___પાકિસ્તાન માં કે હિંદુસ્તાન માં.?સબંધિત અધિકારી એ કહ્યું કે પાકિસ્તાન માં’
આ સાંભળી બિશન સીંઘ કૂદકો લગાવીને એક તરફ હટી ગયો, અને પોતાન બીજા સાથીઓ પાંસે પહોંચી ગયો.પાકિસ્તાની સિપાહીઓએ એને પકડી લેધો અને એને બીજી તરફ ધકેલવા લાગ્યા.પણ એણી ચાલવાનો ઈંન્કાર કરી દીધો. ‘તોબાતેક સીંઘ અહીં છે. જોર જોરથી બરાડા પાડવા લાગ્યો. ‘ ઉપરદી ગુરગુરદી ,નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ ઓફ તોબાતેક સીંઘ એન્ડ પાકિસ્તાન ‘
એને ઘણું સમજાવવામાં આવ્યું કે, જો !હવે તોબતેક સીઘ હિંદુસ્તાન માં ચાલ્યું ગયું છે.જો તે નહીં ગયું તો ત્યાં એને તાત્કાલિક પહોંચાડી આપવામાં આવશે.પણ તે માન્યો નહી.જ્યારે એને બળ પૂર્વક બીજી બાજુએ લઈ જવનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એ વચમાં એક જગ્યા પર એનાં સોજી ગયેલા પગો ઉપર એવી રીતે ઉભો થઈ ગયો કે હવે એને ત્યાંથી કોઇપણ તાકત હલાવી નહીં શકે.

એ માણસ પ્રથમ થી બિન ઉપદ્રવી હતો ,એટલે એની સાથે બળ પ્રયોગ કરવામાં ન આવ્યો..એને ત્યાંજ ઉભો રહેવા દીધો.અને ફેર બદલી નું બીજું કાર્ય આગળ વધતું ગયું.
સુર્યોદય પહેલાં શાંત અને મૌન બિશનસીંઘ ના ગળામાંથી આકાશની ચીળી નાંખતી એક ભયંકર ચીસ નીકળી. આજુ બજુથી ઘણા અધિકારીઓ દોડી આવ્યા.અને આશ્ચર્ય ચકિત જોઇ રહ્ય કે ,જે માણસ પંદર વરસથી રાત દિવસ પોતાના પગ પર ઉભો રહેતો હતો, ઉંધા મોંથી પડેલો છે.તે તરફ કાંટાળ તાર તરફ હિંદુસ્તાન હતું અને આ તરફ એવાજ તારોને પાછળ પાકિસ્તાન .વચમાં જમીનના તે ટૂકડા ઉપર જેનું કોઇ નામ ન હતું તોબાતેક સીંઘ પડેલો હતો.
(ઉર્દુ માંથી અનુવાદ_વફા)

(સઆદત હસન મંટો(1912-1955) 20મી સદીનો નામાંકિતા નવલિકા કાળ હતા.પંજાબના લુધ્યાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિયવિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે)

Posted by: bazmewafa | 06/10/2007

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધમાંથી કોણ નાણાં કમાઈ રહ્યું છે?

ભય અને જૂઠાણાઓનો કોણ પિંડ બાનવેછે?

આ વિશ્વ જેવું છે તેવું કોને ખપે છે?

આ વિશ્વ શાહીવાદથી કચડાતું,

અને રાષ્ટ્રિય દમનથી પિસાતું

અને આતંક,હિંસા ,ભુખ,અને દારિદ્ર્ય થી પિડાતું

એના પર કોણ શાસન કરવા ઈચ્છે છે?

(અંગ્રેજી પરથી અનુવાદ_વફા)

 

બ્રિટન નો મુશાયરો ___ આદિલ મનસુરી

જૂન 2007ના બ્રિટનનાં મુશાયરાની વિગત ની PDF ફાઈલ અર્પણ કરવા બદલ જ.આદિલ મનસુરી સાહેબનો દિલી શુક્રિયહ. આ પોસ્ટીંગ ઇમેજ ફાઇલ માં હોય ,ડબલ કલીક કરવાથી સરળતાથી વાંચી શકાશે.

 

britain-mushayerojune007.jpg

 
photobritmush007b
britmush007rep

બેદાર લાજપુરી

bedar.jpg

 


બ્રિટનનાં ગુજલીશ કવિઓ
3 બેદાર લાજપુરી

નામ: અબ્દુલહય ઘરડા
ઉપનામ: બેદાર લાજપુરી જન્મસ્થળ: લાજપુર જિ: સુરતા, ગુજરાત ,ભારત
અભ્યાસ: બી.એ
વ્યવસાય:કલીગ્રાફર,સાઈન રાઈટર્સ( સાહિત્ય સર્જન)
શોખ: વાંચન,લેખન.ચિત્ર કળા,ક્રિકેટ
હાલનું સરનામું: Mr.Bedara Lajpuri
69 Hadden street
Leicester
LE2 OGJ
U.K.87


1 ચાલી શકું છું.

ગમે તેવા રસ્તે હું ચાલી શકું છું.
લે ઠોકરને હું લાત મારી શકું છું.

મિલનની બધી કેફિયતને ગઝલ માં,
હું ‘બેદાર’ કેમેક લાવી શકું છું.

(11 શેરો ની એક ગઝલનો મત્લો અને મક્તો)


2 સપનાં વગરની જાયના

ધુંધળું વાતાવરણ છે, કંઈ મને દેખાયના.
તે છતાં પણ એ ધરેછે મારી સામે આયના.

આંખમાં એ રૂપને આંજી દીધું છે ત્યારથી,
રાત અહિંયાં એક પણ સપના વગરની જાયના.

તું નઝમનો છે વિષય ‘બેદાર’ ગઝલ શું લખે?
તું તો ગઝલ માં કદી નખ શીખ તો ચિત્રાય ના
(9 શેરની એક ગઝલના ત્રણ શેરો)


3 દિલદાર

કહું તમને કેવી છે દિલદાર મારી,
ગઝલનો નશો છે નઝમની ખુમારી
.
છે આંખો છલોછલ શરાબોની પ્યાલી,
ઢળેલી છે પાંપણોની મસ્તી નિરાળી.

પડે જયાં કદમ ત્યાં જ ફૂલો ખીલે છે,
દૂપટ્ટો ફરકતાં ઘટાઓ ઉઠેછે.

ફકત નામ એમાં છે ‘બેદાર’ મારું,
લખાવે એ ગઝલને હું તો ઉતારું.

(‘દિલદાર’ નઝમના થોડા શેરો)


4 રહેવાદે

નહીં ઉપચાર કર મારો મને બિમાર રહેવાદે.
અને આ દર્દ સાથે તો પૂરાનો પ્યાર રહેવા દે.

સરળતાથી મને જો એ મળી જાએ તો શી કિંમત,
જમાના તેથી વચ્ચે તું જરા દિવાર રહેવા દે.

હવા પણ ઝેર ફેલાવે છે તાર શહેરની તેથી ,
અહીં તું તાર શ્વાસોના ખુલ્લા દ્વાર રહેવા દે.

મિલન પર વેડફી નાં દે બધા તું હર્ષ નાં આંસુ,
વિરહની કો ઘડી માટે અશ્રુ બે ચાર રહેવા દે.

એ મારો છે અનુભવ જ્યોત પણ અંતે ઠળી જાશે,
દીપક સળગાવના અંહિયા સતત અંધાર રહેવા દે.

સમય ચાલી નીકળવાનો ખરેખર આ સમય છે ચાલ,
વસાવીશું નવી દુનિયા અહીં ઘરબાર રહેવા દે.

લખે છે રોજ કાગળ પણ મિલનનાં નામનું મિંડુ,
અમસ્તો એવા કાગળનો હવે વ્યહવાર રહેવા દે.

અજાણ્યું આ નગર છે ને અજાણ્યાં છે બધા ચ્હેરા,
અહીં તું દિલ્લગીની વાત ને બેદાર રહેવા દે.

(ગુજLISH ગજલો. સંપાદન: ‘મસ્ત’ મંગેરા,’જિગર’ટંકારવી ના સૌજન્યથે)

નોંધ:સંગ્રહ મળવાનું ઠેકાણું:
‘આવાઝ; પ્રકાશન
C/O ‘મસ્ત’ મંગેરા
કાંગવાઈ,વયા: રાનકુવા તા.ચીખલી જિ’નવસારી396 560 ફોન02634)48044

ચિંતન_માર્ગે પીઅર્સી

એક હતું બોન્સાઈ વૃક્ષ
કુંડામાં ઉગેલું જો કે એંશી ફૂટ જેટલું ઉંચું થવા
સરજાયેલું.
પરંતુ માળીએ કાળજી પૂર્વક કાતરીને
એને નવ ઈંચનું રાખી મૂક્યું!
જીવતા માણસોને વધતા અટકાવવા માટે
જરા વહેલી શરૂઆત કરવી પડે.
બંધાયેલા પગ,બહેર મારી ગયેલું મગજ,
વાંકડિયા વાળ ,અને સ્પર્શ કરવાનું મન થાય
તેવા કોમળ કોમળ હાથ!  

(વહોરા સમાચાર _સપટેમ્બર2007ના સૌજન્યથી)સુરત. 

Marge Piercy is the author of seventeen novels including The New York Times Bestseller Gone To Soldiers; the National Bestsellers Braided Lives and The Longings of Women and the classic Woman on the Edge of Time; seventeen volumes of poetry, and a critically acclaimed memoir Sleeping with Cats. Born in center city Detroit, educated at the University of Michigan, the recipient of four honorary doctorates, she has been a key player in many of the major progressive political battles of our time, including the anti-Vietnam war and the women’s movement, and most recently an active participant in the resistance to the war in Iraq.
A popular speaker on college campuses, she has been a featured writer on Bill Moyers’ PBS Specials, Garrison Keillor’s Prairie Home Companion, Terri Gross’ Fresh Air, the Today Show, and many radio programs nationwide. Praised as one of the few American writers who are accomplished poets as well as novelists — Piercy is one of our country’s best selling poets — she is also the master of many genres: historical novels, science fiction (for which she won the Arthur C. Clarke Award for Best Science Fiction in the United Kingdom), novels of social comment and contemporary entertainments. She has taught, lectured and/or performed her work at well over 400 universities around the world.

Marge Piercy is the author of seventeen novels including The New York Times Bestseller Gone To Soldiers; the National Bestsellers Braided Lives and The Longings of Women and the classic Woman on the Edge of Time; seventeen volumes of poetry, and a critically acclaimed memoir Sleeping with Cats. Born in center city Detroit, educated at the University of Michigan, the recipient of four honorary doctorates, she has been a key player in many of the major progressive political battles of our time, including the anti-Vietnam war and the women’s movement, and most recently an active participant in the resistance to the war in Iraq.
A popular speaker on college campuses, she has been a featured writer on Bill Moyers’ PBS Specials, Garrison Keillor’s Prairie Home Companion, Terri Gross’ Fresh Air, the Today Show, and many radio programs nationwide. Praised as one of the few American writers who are accomplished poets as well as novelists — Piercy is one of our country’s best selling poets — she is also the master of many genres: historical novels, science fiction (for which she won the Arthur C. Clarke Award for Best Science Fiction in the United Kingdom), novels of social comment and contemporary entertainments. She has taught, lectured and/or performed her work at well over 400 universities around the world.

“Marge Piercy is not just an author, she’s a cultural touchstone. Few writers in modern memory have sustained her passion, and skill, for creating stories of consequence.”
-The Boston Globe

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)

 

તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
 કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’

Kishwar Naheed, 1940-

Born in Bulandshahr, Uttar Pradesh, India in 1940, Kishwar Naheed is one of the best- known feminist poets of Pakistan. In a field dominated by traditional male voices, Naheed, writing in Urdu, was a pioneer of a new, distinctively feminine voice and has produced over the span of thirty years a body of work that is innovative, defiant, political, and self-aware. Her poetry dared to go beyond the prescribed accepted ‘feminine’ realms to include hitherto unmined fields of female sexuality, politics, and social issues. In an interview with Rakhshanda Jalil for the Indian daily The Hindu (11/4/2001), Kishwar Naheed explained her writing as an attempt to redefine the man-woman relationship. Rejecting being branded as a radical or a bohemian, she declared herself “a realist” who “never let herself get pushed around by men or by circumstances.”
Born into a traditional family that moved to Lahore, Pakistan during the 1947 Partition of the sub-continent, Naheed had to fight to pursue an education in a milieu where women did not go to school and “were not allowed to speak to boys.” She studied at home and obtained a high school diploma through correspondence courses, but went on to receive a masters degree in Economics from Punjab University.

     iqbalpraying-at-masjide-alhanra-spain

 

      (ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ) 

પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી

 

સારે      જહાંસે અચ્છા,           હિંદોસ્તાં હમારા. 

હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.

મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,

 હિન્દી હૈ હમ વતન હૈ ,     હિંદોસ્તાં હમારા

રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
 
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.
ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
 
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
 
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં તસ્વીરે દર્દ નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ
,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,

ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ

ધરા ક્યાહૈ   ભલા ઓહદે    કુહનકી દસ્તાનોં મેં.

ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી         દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.

 (અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં નવા શિવાલાનામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .

પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.

સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,

હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,

શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.


_
તેમણે બ્રાહ્મણને ટકોર કરી.

સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,

તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.

( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને

મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.

(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
 
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ખુદીકહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ખુદીઅહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ખુદીને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
 
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શેર છે.
ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે

ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?

( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.

ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .

મરા      બનિગર      કિ દર હિંદોસ્તાં નમી       બીની

બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.

(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
મેં અસલ કા સોમનાતી

આબા મેરે લાતી વ મનાતી

(હું મૂળ સોમનાથીછું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)

હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.

મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,

યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,

હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર

બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
 
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.

પુત્રના લક્ષણ પારણામાંથીએ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.

1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
 
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.

ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
 
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને સરનો ખિતાબ આપ્યો.
 
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અનેસંકુચિતરાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.

તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _

ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.

તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા

(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
 
તેમણે એક વેળા કહ્યું કે જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
 
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
 
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
 
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટેઅને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
 
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.કવિવર ટાગિરે કહ્યું કે એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
 
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.
 
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.

 
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયાઅને ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામઅંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.

  ‘
અસ્રારે ખુદીઅને રમુજે બેખુદીએમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં શાહીનગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
 
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _

નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર

તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર

(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;

અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી

(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)

(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)

ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>

 

http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal

 

http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//

 

http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/

 

http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/

 

http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/

 

 

 

 

 

 

 

 

Posted by: bazmewafa | 10/18/2007

સાભાર સ્વીકાર_વફા

 

heapsofbooks1.jpg

સાભાર સ્વીકરા _ વફા

(1)એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ) _ ‘બેદાર’ લાજપુરી
પ્રકાશક: બેદાર લાજપુરી
69 હેડન સ્ટ્રીટ, લેસ્ટર U.K. (ઈંગ્લેંડ)
પ્રથમ આવૃત્તિ એપ્રીલ: 2001 મૂલ્ય : રૂ75.00 પ્રાપ્તિ સ્થાન રાગ_સ્વરપ્રકાશન 35/બી સમ્રાટ નગર,ગોધરા_380001
ફોન નં:02672_48958
ગુજરાત(INDIA)

(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી
સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન: Mahek Tankarvi
50 Seymour Road
BOLTON
UK
BL1 8PT
Price :2.00 pounds
મૂલ્ય: 50.00 રૂપિયા
મુખ્ય વિક્રેતા: આર.આર.શેઠની કંપની 110/12 પ્રિંસેસ સ્ટ્રીટ
કેસ્વબાગ, મુંબઈ4000 002 * ‘દ્વાર કેશ’
રૉયલ એપાર્ટમેંટસ સામે
ખાનપુર,અમાઅવાદ380 001 Tel: 07925516573
Web: www.rrsheth.com
E.mail: sales@rrseth.com

(3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’
પ્રથમ આવૃત્તિ :જુન 2003
કિંમત : 5.00 પાઉંડ પ્રાપ્તિસ્થાન: Gujarati writers guild
1 BURROW ROAD
PRESTON LANCASHIRE
PR1 6JU (U.K)

(4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ ‘અશરફ’
પ્રથમ આવૃત્તિ : 2004
મૂલય: રૂપિયા 20.00 વિદેશમા પાઉંન્ડસ:2.00
પ્રકાશક:અનવર પ્રકાશન મુ: કંઠારિયા તા.ભરૂચ 392162(INDIA)

(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ:જનાબ આદિલ મનસૂરી
ન્યુજર્સી,અમેરિકા
ટાઊન હૉલ, બટલી. શનિવાર,5મી સપ્તંબર,1998
(નિ:શૂલ્ક)

(6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ જનાબ મસ્ત મંગેરા તંત્રી: વહોરા સમાચાર સુરત,ઈન્ડિયા.
રવિવાર,15 મી ઑગષ્ટ,1999
ટાઉન હૉલ, બાટલી.
(નિ:શૂલ્ક)
(7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ લોર્ડ પટેલ ઓફ બ્લેકબર્ન(જનાબ આદમ હાફેઝી પટેલ0
15 મીજુલાઈ,2000
(નિ:શૂલ્ક)
((8) સ્મરણિકા _ભવ્યગુ જરાતી મુશાયરો
શનિવાર 28 ઓગષ્ટ 2004
બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ
ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
(નિ:શૂલક)

 ‘એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ)’બઝમે વફા ને  અર્પણ કરવા બદલ જનાબ ‘બેદાર’ લાજપુરીનો,અને(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી, (3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’, (4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ અશરફઅને(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (19998), (6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (1999),( 7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો(2000),(8) સ્મરણિકા _ભવ્ય
ગુજરાતી મુશાયરો(2004)નામનાં 7પુસ્તક,પુસ્તિકાઓ’બઝમે વફા અર્પણ કરવા બદલ વિદ્યાર્થી જિવનનાં અવિસ્મરણિય મિત્ર અને સિધ્ધ હસ્ત શાયર મિત્ર જનાબ યાકુબ ભાઈ મેંક”મહેક’ટંકારવીનો ઘણો શુક્ર ગુજાર છું ,રબ્બે કરીમ સર્વને જઝાએ ખેર અતા ફરમાવે..અને હો જોરે કલમ ઔર જયાદા દૂઆઈયાહ શ્બ્દો સહિત, સાભાર સ્વીકાર.

 

 

saifpalanpuri 

મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા

સૈફુદ્દીન ખારાવાલા ને હું,એમ તો છેલ્લા ત્રણથી પણ વધુ દશકાથી ઓળખતો હતો.હા,આ વ્યાકરણમાં આવતા ક્રિયાપદમાં જ તો ટ્રેજડીનો અણસાર છે.ઓળખુંછુંલખી શક્યો હોત ,તો મને જ નહિ પણ ઘણા બધાને ગમત.. પણ મજબૂરી વ્યાકરણ પણ બદલીનાંખે છે.ક્રિયાપદો પણ…
  તે વખતે સૈફુદ્દીનનાં મિત્રોમાં માત્ર શાયરો નોતા. કલા અને સાહિત્ય સાથે કશી નિસ્બત ન ધરાવતા માણસો પણ હતા.વેપારીઓ,હરવાફરવાના તેમ જ રમવાજમવાના શોખીનો પણ …. સૈફુદ્દીન ભીંડી બજારમાં આવેલી કાપડની એક દુકાનમાં બેસતો, અને તાકા માપતો અને ફાડતો અને વેચતો. સૈફુદ્દીનનું કુટુંબ મૂળ પાલનપુરનું અને પાલનપુર એટલે……. પાલનપુર પરથી ધોળે દહાડે કોઈ વિમાન પસાર થાય તો વિમાનનો પડછાયો કોઈ શાયર પર ન પડ્યો હોય તો જગતની આઠમી અજાયબી કહેવાય
એ જ કારણ હતું કે સૈફુદ્દીન ખારાવાલા પણ એ પડછાયાથી બચી ન શકયો.
સૈફ માટે કોઇ મુશ્કેલ કામ નો’તું.તખલ્લુસ તો નામમાં જ ગોપિત હતું.સૈફ એટલે તરવાર,તલવાર
નામનો અર્થ થતો.ધર્મની તલવાર..
  પણ ધર્મને એ માણસે તલવારથી દૂર રાખ્યો.અથવા બીજી રીતે કહીએ તો ,તલવારને એણે મઝહબથી દૂર રાખી.સૈફે શેર અને નઝમના જગતમાં ફૂલો ખીલવ્યાં. અને પત્રકારત્વની દુનિયામાં એણે વતનથી બિસ્મિલ્લાહ બોલી.. મુસ્લિમ સમાજ અને રાજકરણને સ્પર્શતા એ સાપ્તાહિકમાં ચાર કોલમો નિયમિત ચાલતી હતી.તલવરનો ભાસ થાય એ રીતે,પણ એ ચારે કલમ સ્વામીઓ અંગત જીવનમાં સહેજ સરખા પણ કોમવાદી નોતા.એક તો અમીરી અને બીજા અમીન આઝાદ,યાવર અલી સૈયદ,અને સૈફ પાલનપુરી.પછી તો અમીરીએ સ્ત્રીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું.,’બેગમ’…. ‘વતનઅને બેગમધૂમ ચાલવા લાગ્યાં.અને તે જમાનામાં સૈફ અને અમીરીનો ઠાઠ પણ , બદરી કાચવાલા ઓછા નોતા.સૈફ કયારેક તો પોતાની ટેકસીને અડતાલીસ કલાક વેઇટીંગમાં રાખતોસૈફે પદ્ય કરતાં ગદ્ય વધું લખ્યું છે_કોલમો અને ચાલુ વાર્તાઓ…. ‘વતન, અને બેગમની જેમ મુશાયરો પણ ધામધૂમ સાથે આખી બોમ્બે પ્રેસિડંસીમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો.તે વખતે શયદા જેવા ગઝલ સમ્રાટ હતા,બેકાર જેવા હઝલ સમ્રાટહતા._સીરતી,શેખચલ્લી,આસી,અનિલ,મરીઝ,નઝીર,હરીન્દ્ર દવે,મહેન્દ્ર અચલ,શૂન્ય,ઘાયલ,ઓજસ(પાલનપુરી),અમીન આઝાદ,હબીબ,યુસુફ બુકવાલા,આસિમ રાંદેરી,……એમ ગણ્યા ગણાય નહિ એટલા શાયરો હતા.તેમાં હું પણ શામેલ હતો.જમિયત,ડાયર,મામા,અને સાબિર જોડેસૈફની શાયરીનો એ આરંભ કાળ હતો..એની નઝ્મો માટે મુશાયરાઓમાં સારી એવી માંગ રહેતી.
 

અમે મોટાભાગે દરેક મુશાયરામાં ભેગા થઇ જતા.પછીતો વાડાબંધીએ ડોક ઉંચકી.અને વાડાઓ વધવા માંડે તે પહેલાં હું દેશ છોડી પરદેશ ચાલ્યો ગયો.જ્યારે દેશના આંટા મારતો ત્યારે અમે મળતા.જોકે દોસ્તોનાં દાયરામાં પણ અણધારી અને અણગમતી લકીરો ખેંચાઈ ગઈ હતી.રસ્તા જુદા પડ્યા હતા.દોસ્તો મળતા પણ ,સાહિરના પેલા મુકતકમાં આવતી વાતની જેમ


 ,
તેરા મિલના ખુશીકી બાત સહી
તુજસે મિલકર ઉદાસ રહતા હું.
 

  

બેગમબંધ થઇ ગયું. વતનમાં સૈફનું નામ જ રહી ગયું હતું. મુશાયરા ચાલતા હતા(અને ચાલતા નોતા તો ચલાવવામાં આવતા હતા)
  સૈફનો મિજાઝ તો હતો તે જ રહ્યો.પણ લક્ષમીનો છણકો સહેજ ઓછો થઇ ગયો હતો.સૈફનો મિજઝ તોયે લક્ષમીની બેવફાઈ ઉપર માતમ કરતો નોતો.
  સૈફના શોખોય પાછા રજવાડી હતા.એ ડિલનો જેવો ભરપૂર હતો તેવોજ દિલનો પણ હતો.રંગો અને ફૂલો એને ગમતાં હતાં,હુક્કો ગગડાવતો નોતો એટલુંજ
  પછીતો માલિકના નસીબમાં નોકરીનો વખત આવ્યો. અમારો સબંધ એવો હતો કે એ મને જેટલી ગઝલો સંભળાવતો એટલીવાર હું એને હસાવતો, દાદ આપતો એ જુદી. પછીતો હું એને એક શરત કરીનેજે મળતો, એક પણ શેર સંભળાવવો નહિ…’ઓકેએ કહેતો, ‘એક પણ શેર સંભળાવું નહિ….’ પણ સૈફને શેર સાંભળવા કરતાં સંભળાવવામાં વધુ ફાવટ હતી.એ શરતનાં ભુક્કેભુક્કા બોલાવી સિફત પૂર્વક કેટલીક ગઝલો મને સંભળાવીનેજ જંપતો.

  છેલ્લી મુલાકાતમાં સૈફને પોતાની ગઝલ નો એક પણ શેર સંભળાવવાની તક મળી નહિ.આ વખતે ઊલટું થયું.અમારા બેઉના યજમાનનો આગ્રહ હતો કે હુંજ સંભળાવું.
રાજકોટમાં અમે છેલ્લો મુશાયરો કર્યો…. તે અદભૂત મુશાયરામાં રાજેન્દ્ર શુકલે કહ્યું , ‘અઢાર વરસે હું રાજકોટમાં કવિતા સંભળાવી રહ્યો છું’. ત્યારે સૈફ પાલનપુરીએ કહ્યું, ‘હું તો આ પહેલી વાર રાજકોટ (મુશાયરામાં) આવ્યો છું,..અને કદાચ છેલ્લી વાર પણ…’
  સૈફ બોલ્યો હતો મજાકમાં કે, મારી કવિતા સાંભળ્યા પછી તમે મને ફરી બોલાવે નહીં
….
  પણ મલેકુલમૌત(યમરાજે) સૈફના એ શબ્દનો ખોટો અર્થ ઘટાવ્યો.

જ.સૈફ પાલનપુરીની એક વેદનાના તારને ઝણઝણાવતી ગઝલ_વફા 

ુદાની બાતમી   

ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.  

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.  

ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.  

મારા વિચાર સાથે હું સંમત થયો હતો
મારામાં તે જ દિવસે મારી કમી હતી.  

હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.  

ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
રેખાઓ હાથની બહુ પાતળી હતી.  

એની જવાની બાદ કોઇ માવજત ન થઇ
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી.  

ખંડેર પણ નથી કે નિશાની મળી શકે
ઊર્મિઓ માર મન મહીં શું ભલભલી હતી.  

બસ એજ કારણે બહુ શરમાઈ હું ગયો
ડૂબી જવાને માટે ફકત વાટકી હતી.  

બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.  

જોતાની સાથ લોક તરત ઓળખી ગયા
મુજથી વધુ સફર મારી દીવાનગી હતી.  

સૈફઆપ તો જીવી ગયા ઘણું
બાકી અમે તો આપની ઘડીઓ ગણી હતી.  

manto_3.jpg

 

બારી ખોલી નાંખો_સઆદતહસન મંટો 

 

(સઆદત હસન મંટો 1912-1955, 20મી સદીના નામાંકિતા નવલિકાકાર હતા.પંજાબના લુધિયાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ઓલ ઈન્ડીયા રેડિયોમાં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ સ્ક્રીન રાઈટરહતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
 એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિય વિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે
સઆદતહસન મંટોની ઉર્દુ ના સર્વ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠિત છે. મંટોએ સમાજની ગંદકી, બેહુદગીને જે રીતી જોઇ એ રીતેજ એને વાચા અર્પી છે.એમના ઉપર અશ્લીલતાનો મુકદમો પણ ચલાવવામાં આવ્યો.પરંતુ પોતાની ધૂનનાં પાકા એવા મંટોની રચના શૈલી એ હાર નહીં માની.દેશના વિભાજનનાં પ્રત્યક્ષ સાક્ષી મંટો એ ,એ યુગની ઉઠપાઠલને પોતાની તમામ વાર્તાઓના વિષયમાં ભિન્ન ભિન્ન અંદાઝમાં આવરી લીધી.ખોલ દો’(બારી ખોલી નાંખો) મંટોની વિભાજનના કડવાહટમાંથી નિપજેલી કથા છે. જ્યાં એક બાપનું પોતાની દીકરી સાથેની જુદાઈનો ગમ તો છેજ,સાથે સાથે સમાજ સેવાનાં નામ પર અનૈતિકતા ની પરાકાષ્ટા નું સજીવ ચિત્રણ પણ છે.) 

 

અમૃતસર સ્ટેશનથી બપોરનાં બે વાગ્યે ટ્રેન ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી.રસ્તામાં સખ્યાબંધ લોકો માર્યા ગયા.ઘણાં લોકો જખ્મી થયા, કેટલાક ભટકી ગયા.
સવારે દસ વાગ્યે જયારે રાહત છાવણીની ઠંડી જમીના પર સિરાજુદ્દીને આંખો ખોલી ત્યારે એણે ચારો તરફ પુર્રુષો,સ્ત્રીઓ,અને બાળકોનો ઠઠ મારતો સમુંદર જોયો.એની વિચારવાની અને સમજવાની શક્તિ કુંઠિત અને વૃધ્ધ બનીએ ગઈ. ઘેરાયલા આકાશને એ ટિકટિકી બાધીને જોતો રહ્યો.રાહત છાવણીમાં ખુબ શોર બકોર હતો,પરંતુ જાણે વૃધ્ધ સિરાજુદ્દીનનાં કાન બહેર મારી ગયા હતા.એને કંઈ સંભળાતું ન હતું.કોઇ એને જોતું તો અનુમાન કરતું કે એ ગાઢ નિંદ્રામાં છે,પરંતુ એવું ન હતું.એના હોશો હવાસ ગાયબ હતા.એનું સંપુર્ણ અસ્તિત્વ શૂન્યમાં લટકી રહ્યું હતું.
ઘેરાયલા આકાશમાં ઇરાદા વિહિન જોતાં જોતાં સિરાજુદ્દીનની આંખો સુરજની સથે ટકરાઈ.તેજ પ્રકાશ એના અસ્તિત્વની નસે નસમાં ઉતરી ગયો, અને તે જાગી ઉઠ્યો.ઉપર નીચે એના દિમાગમા કેટલે તસ્વીરો દોડવા લગી.લૂટ,આગ,ભાગમ ભાગ સ્ટેશન,ગોળિયો,રાત અને એની સકીના….. સિરાજુદ્દીન એકદમ ઉભો થઈ ગયો,અને પાગલોની જેમ ચારો તરફ ફેલાયલા ઈંસાનોનાં સમંદરને ફેંદવાનું શરૂ કરી દીધું.
ત્રણ કલાક સુધી સકીના _સકીનાની બુમ પાડતાં આખી રાહત છાવણીમાં ફરતો રહ્યો.પરંતુ એને એની જુવાન અને એકની એક દીકરીની કોઇ ખબર ન મળી.ચારો તરફ એક ધમાલ જેવી મચેલી હતી.કોઇ પોતાનું બાળક શોધી રહ્યું હતું કોઇ મં,કોઇ પત્નિ,અને કોઇ બેટી.સિરાજુદ્દીન થાકીને એક તરફ બેસી ગયો, અને દિમાગ પર જરા જોર દઈને વિચારવા લાગ્યો કે સકીના એનાથી ક્યારે અને ક્યાં અલગ થઇ ગઇ.પરંતુ વિચારતાં વિચારતાં એનું દિમાગ સકીનાની માંની લાશ પર ચોંટી જતું, જેનાં બધાં આંતરડા બહાર નીકળેલા હતાં.એના આગળ એ કંઇ પણ વિચારી શકતો ન હતો.
સકીનાની માં મરી ચુકી હતી.એણે સિરાજુદ્દીનની આંખો સામે દમ તોડી દીધો હતો.પણ સકીના ક્યાં હતી,એના વિશે એની માંએ મરતાં પહેલાં કહ્યું હતું.મને છોડી દો અને સકીનાને લઇને જલ્દી અહીંથી ભાગી જાઓ.સકીના એની સાથેજ તો હતી.બન્ને ઉઘાડા પગે ભાગી રહ્યાં હતા.સકીનાનો દુપટ્ટો નીચે પડી ગયો,એને ઉઠાવાવા એ થોભવા માંગતો હતો ,સકીનાએ બરાડા પાડી કહ્યુંઅબ્બાજી એને છોડી દો,પરંતુ એણે દુપટ્ટો ઉઠાવી લીધેલોએ વિચારતાં એણે એના કોટના ઉભરી આવેલા ખિસ્સા તરફ જોયું,એમાં હાથ નાંખીને એણે એક કપડું બહાર કાઢ્યું,એ સકીનાનોજ દુપટ્ટો હતો.પણ સકીના ક્યાં છે?
સરાજુદ્દીને પોતાના ઠકાવટ ભરેલ દિમાગ પર ઘણું જોર દીધું પણ તે નિર્ણય પર પહોંચી નહીં શક્યો.શું એ સકીનાને સ્ટેશન સુધી લઈ આવ્યો હતો? શું તે એની સાથે ગાડીમાં સવાર હતી?રસ્તામાં ગાડી રોકવામાં આવી હતી અને દંગાખોરો અંદર ઘુસી આવ્યા હતા,ત્યરે એ શું બેહોશ થઇ ગયો હતો જેથી તેઓ સકીનાને ઉઠાવીને લઇ ગયા
?
સિરાજુદ્દીન ના દિમાગમાં પ્રશ્નોની ભરમાર હતી,ઉત્તરો કોઇ ન હતા.એને હમદર્દીની જરુરત હતી,પણ ચારો તરફ જેટલા માણસો ફસાયલા હતા બધાને હમદર્દીની જરુરત હતી.સિરાજુદ્દીનને રડવાનું મન થયું,પરંતો આંખોએ એને સાથ ન આપ્યો.અશ્રુઓ ન જાણે કયાં ગાયબ થઇ ગયા હતાં.

છ દિવસ પછી જ્યારે હોશ કંઇ ઠેકાણે આવ્યા ત્યારે સિરાજુદ્દીન તે લોકોને મળ્યો જે એની મદદ કરવા તૈયાર હતા.આઠ નવજુવાનો હતા,જેમની પાંસે લાઠીઓ અને બંદુકો હતી.સરાજુદ્દેને એમને લાખો દૂઆઓ દીધી અને સકીનાની ઓળખ બતાવી.ગોરો વાન છે ,ઘણીજ ખુબસુરત છે.મારા પર નહીં એ એની માં પડી હતી.ઉમર સત્તર વરસ જેટલી છે.આંખો મોટી છે.વળ કાળા,જમણા ગાલ પર મોટો તલ છે.મારી એકની એક દીકરી છે. શોધી આપો,ખુદા તમારું ભલું કરશે.
સમાજ સેવક યુવાનોએ એમને દિલાસો આપ્યોકે જો આપની દીકરી જિવિત હશે તો થોડા સમયમાં તમારી પાંસે આવી પહોંચશે.
આઠે નવજુવાનોએ પ્રયત્ન આદર્યો.પોતાનાં જીવના જોખમે અમૃતસર પહોંચ્યા.ઘણા પુરુષો અને ઘણાં બાળકોને એમણે શોધી શોધી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા, દસ દિવસ વીતી ગયા,પણ સકીનાનો પત્તો લાગ્યો નહીં.એક દિવસ આજ સેવાના માટે મોટરથી અમૃતસર જઇ રહ્યા હતા ત્યાં સડકના કિનારે એક નહેર પાંસે એક છોકરી પર નજર પડી. મોટરનો અવાજ સંભળીને તે ગભરાઇ અને ભાગવા લાગી.સમાજ સેવકોએ મોટર રોકી અને બધાજ એની પાછળ દોડ્યા.એક ખેતરમા એમણે છોકરીને પકડી લીધી.જોયું ઘણી દેખવડી હતી.જમણા ગાલ પર મોટો મસ તલ હતો.એક છોકરાએ એને કહ્યું ઘબરાઓ નહીં _શું તમારું નામ સકીના છે? છોકરીનો રંગ આ સાંભળી વધુ પીળો થઇ ગયો.પણ જયારે બધાજ છોકરાઓ એ એને હિમંત અને દિલાસો આપ્યો તો એની ગભરામણ દૂર થઇ.અને એણે કબુલી લીધું કે તે સિરાજુદ્દીનની છોકરી સકીના છે.
આઠે નવજુવાનોએ સકીનાની બધી રીતે હમદર્દી દાખવી.એને ખાવાનું ખવડાવ્યું ,દૂધ પાયું અને મોટરમાં બેસાડી દીધી.એકે તેનો કૉટ ઉતારીને એને દીધો,કારણકે દુપટ્ટો ન હોવાને લીધે એ ઘણો સંકોચ અનુભવતી હતી.અને વારંવાર પોતાની છાતીને હાથથી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી.
કેટલાયે દિવસ વીતી ગયા છતાં સિરાજુદ્દીનને એની છોકરીની કંઇ ભાળ મળી નહિ.તે દિન ભર જૂદી જૂદી રાહત છવણી અને ઓફિસોનાં ચક્ક્ર્રો મારતો રહ્યો.,પરંતુ કયાંયે એની દીકરીનું પગેરું નમળ્યું.
રાતનાં મોડે સુધી પેલા સમાજ સેવકો જુવાનો માટે દૂઆઓ કરતો રહ્યો.,જેમણે દિલાસો આપ્યો હતો એમની દીકરી જો જિવિત હશે તો થોડા દિવસોમાં એને શોધીનાખશે. એક દિવસે રાહત છાવણીમાં સરજુદ્દીને પેલા સમાજ સેવકોને જોયા.મોટરમાં બેઠેલા હતા.સિરાજુદ્દીન દોડતા એમની પાંસે આવ્યો.મોટર ચાલવાની તૈયારીમાં હતી,કે એણે પૂછ્યું,”બેટા મારી સકીનાનો કંઇ પત્તો મળ્યો?
બધાએ એક સાથે જવાબ આપ્યોમળી જશે, મળી જશેઅને મોટર મારી મૂકી.સરાજુદ્દીને ફરી એ નવજુવાનોની સફળતા માટે દૂઆઓ માંગી.અને એનું મન પણ થોડું હળવું થઇ ગયું.

એક સાંજે રાહત છાવણીમાં જયાં સિરાજુદ્દીન બેઠો હતો ત્યં કંઇ ગરબડ જેવી થઇ.ચાર માણસો કંઇ ઉંચકીને લાવી રહ્યા હતા.તપાસ કરતાં એને ખબર પડી કે એક છોકરી રેલ્વે લાઈન પર બેહોશ પડેલી હતી. લોકો એને ઉંચકીને લઇ આવ્યા છે.સિરાજુદ્દીન એની પાછળ થઇ ગયો.લોકોએ છોકરીને હોસ્પિટલ વાળાઓને સોંપી દીધી અને ચાલતી પકડી.
થોડી વાર એ એજ અવસ્થામાં હોસ્પિટલની બહાર એક લાકડાનનો થાંભલાને અડીને ઉભો રહ્યો.પછી ધીરે રહી અંદર ચાલ્યો ગયો. ઓરડામાં કોઇ ન હતું.એક સ્ટ્રેચર હતી જેનાં પર એક લાશ પડેલી હતી.સિરાજુદ્દીન ધીમે પગલે એની તરફ આગળ વધ્યો ઓરડામાં અચાનક પ્રકાશ થયો.સરાજુદ્દીને લાશના પીળા ચહેરા પર ચમકતો તલ જોયો,અને બરાડી ઉઠ્યો સકીના”! ડોકટર જેણે ઓરડામાં રોશની કરી હતી ,સિરાજુદ્દીન ને પૂછ્યું શું થયું

સિરાજુદ્દીન ના ગળામાંથી ફકત એટલોજ અવાજ નીકળ્યો કે ‘” જી,જી, હું એનો બાપ છું ડોકટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ તપાસી અને સિરાજુદ્દીનને કહ્યુંબારી ખોલી નાંખોસકીનાનાં મૃત શરીરમાં ચેતના સ્ફુરી.મૃત પાય હાથોથી એણે ઈજારબંદ ખોલી નાંખ્યો,અને સલવાર નીચે સરકાવી દીધી. વૃધ્ધ સિરાજુદ્દીન ખુશી માં બરાડી ઉઠ્યો,,” જીવતી છે,મારી દીકરી જીવતી છે.”! 

ડૉકટર માથાથી પગ સુધી પસીનામાં ડૂબી ગયો. 

 

 

look4.jpg 

મારા લિબાસમાં_બેફામ

 

પહોંચી શકાતું કેમ નથી તારી પાંસમાં?
લાગે છે મારી જેમ છે તું યે પ્રવાસમાં.

સમજી શકે શું કોઇ પીડા તારી યાદની?
કાંટાના ડંખ વાગી રહ્યા છે સુવાસમાં.

આંખો ભરીને એને અનિમિષ જુઓ નહીં,
એક અંધકાર પણ છે સુરજના ઉજાસમાં.

હું ના ચણું મહેલ હવામાં તો શું કરું?
મારી જીવનસફર છે બધી મારા શ્વાસમાં.

મારા સદનમાં એની પ્રતિક્ષાની વાત કયાં?
મળતાં નથી હવે તો એ નિજના નિવાસમાં.

આંખોના અશ્રુજ વહ્યાં છે લલાટથી,
પ્રારબ્ધથી વિશેષ નહીં મળ્યું પ્રયાસમાં.

એ છે પૂનમના ચાંદ જાણ્યું જુદાઈથી,
નહોતી ખબર કે જીવવું પડશે અમાસમાં.

લ્યો આજ એની શોધના રસ્તા પૂરા થયા,
ભટકી રહ્યો છું આજ હું મારી તપાસમાં.

બેફામ કોઇ કોરા કફન જેવો સાફ છે,
બસ એ જ એક ડાઘ મારા લિબાસમાં.

aziztankarvi.jpg  

અઝીઝ ટંકારવી

nisbat7.jpgnisbat6.jpg 

  ‘નિસબત’

મારી એકલતા છે મારું ઉપનિષદ શબ્દ,
 લેખણ, સાહી કાગળ કંઈ નથી


માનવ જીવનની સફરની શરૃઆત-અજીબોગરીબ છે. માના ઉદરમાંથી જન્મ થતાંની સાથે જ એ અનોખી સફર શરૃ થાય છે. સતત નવ મહિના ઉદરમાં એકાંત ભોગવવા છતાં એકલતા જેવું કંઈ જ લાગતું નથી. કારણ કે એ અવસ્થાના તાર માની મમતા, હૂંફ, કાળજી સાથે જોડાયેલા રહે છે. એટલે તો પેલો નાનકડો જીવ પળેપળ માના એ મમતાભર્યા ચહેરાને જોવા તલપાપડ થતો રહે છે.
પણ જેવો એ દુનિયાના દરવાજે દસ્તક દઈ એમાં પ્રવેશે છે કે, માની મમતા સિવાયની દુનિયાથી વિસ્મય પામે છે. ને ધીરે ધીરે એ વિસ્મયતા એકલતામાં પરિણમે છે. એકલતાનો શાબ્દિક અર્થ આપણે એકલા હોવું એવો લઈએ છીએ. ખરેખર એવું નથી. માનવી હજાર જણ વચ્ચે બેઠો હોય છતાં એકલતા મહેસૂસ કરતો હોય છે. માના ઉદરમાંનું એકાંત અને ભરીભાદરી દુનિયા વચ્ચેની એકલતામાં આભ-જમીનનું અંતર છે. એટલે તો ભગવતીકુમાર શર્મા એક શે’રમાં કહે છે
:
તોય અકબંધ મારી એકલતા
જઈ ભલેને હજારમાં બેઠા

એકલતા માણસને કોરી ખાય છે. એમાંથી છુટકારો મેળવવા માનવી જાતભાતની તરકીબો રચતો હોય છે. એકાંતમાં બેસી જાત સાથે વાત કરવાની જેને ફાવટ હોય છે તેનાથી એકલતા સો જોજન દૂર ભાગે એ નક્કી, પણ જેઓ પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાનું ટાળતા રહે છે તેમના માટે એકલતા પડછાયાની જેમ સાથે ને સાથે રહે છે. એકલતાની સરહદમાં પ્રવેશનાર માટે આદિલ મન્સૂરી કહે છે :
એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું
તો કેટલાક એકલતાને એ રીતે વળોટી જતા હોય છે કે તેમને મન એકલતા ઉપનિષદની ગરજ સારે છે. ભગવતીકુમાર શર્મા એક શે’રમાં કહે છે :
મારી એકલતા છે મારું ઉપનિષદ
શબ્દ, લેખણ, સાહી કાગળ કંઈ નથી

જેના મનની ભીતર ઉપનિષદ ભરેલું હોય તેના માટે અન્ય શબ્દો, લખાપટ્ટીનું ઝાઝું મહત્ત્વ રહેલું નથી.
એકલતા અનુભવતો જણ મનમાં કશુંક વાગોળતો રહેતો હોય છે. પછી તે ઈશ્કે મિજાજીમાં તરબોળ હોય કે ઈશ્કે હકીકીમાં એ એના પ્રિય પાત્રની રટ લગાવી પેલી એકલતાને હળીભરી રાખવા પ્રયત્ન કરતો રહે છે. મનોજ ખંડેરિયાનો એક શે’ર આવું જ કંઈક કહી જાય છે.
કૈંક એકલતા વિશે આવો અનુભવ છે મને
હોઠ પર તારું અજાણ્યે નામ આવી જાય છે

તો એ જ વાત આશિત હૈદરાબાદી એક શે’રમાં આ રીતે વ્યક્ત કરે છે :
સેંકડોની હાજરી વચ્ચે ફરું છું એકલો
રાત પડતાં આંખ પાછળ થાય છે મેળા શરૃ

ફક્ત માનવી જ એકલવાયાપણાનો અનુભવ કરતો નથી. પ્રકૃતિ પણ પોતાની એકલતાને બહેલાવવા જાત-ભાતની તરકીબો કરે છે. પર્ણોની એકલતા પવન કઈ રીતે દૂર કરે છે એ વિશે કવિની કલ્પના કેવી કાબિલે દાદ હોય છે તે શોભિત દેશાઈના એક શે’રમાં માણીએ :
હતી મર્મર છતાં પર્ણો
અનુભવતાં’તાં એકલતા
પવન લઈ રાતરાણીથી
મહેકની સેજ લઈ આવ્યો

માનવજીવનના કેટલાક પ્રશ્નો એવા હોય છે કે, એનો મિત્ર, આપ્તજન ચાહીને પણ એ પ્રશ્નના ઉકેલમાં મદદરૃપ ન થઈ શકે.
ત્યારે માનવીને જે વસવસો થાય તેની વ્યથા કૈલાસ પંડિતે આ રીતે વ્યકત કરી છે
:
તે છતાં છે એકલો,
એ વસવસો કોને કહે?
આમ તો એ કેટલાનો
ઓળખીતો હોય છે
તેજરેખા :
આમ એવી ભીડ ભીંસાતા જ રહેવાનું સતત
આમ ચારેકોર એકલતા જ કેવળ છેકથી

(‘સંદેશ’દૈનિકના સૌજન્યથી)

શ્રી અઝીઝ ટંકારવી ’ગુજરાત ટુડે’ દૈંનિકના લગભગ સ્થાપના કાળથી તંત્રી છે.દૈનિક પોતાની તઠસ્થતા અને નિડરતા માટે લોકોમાં સન્માન્નીય છે.એમના તંત્રી લેખો ચોટદાર,પૂર્વ ગ્રહ વિહિન અને સહજ હોય છે. એમને એમના તંત્રી લેખો બદલ શ્રી શંકરસિંહ વાઘેલાના મૂખ્ય મંત્રી પદનાં સમયમાં ગુજરાતસરકાર તરફથી ઇનામ મળી ચુકયું છે. શ્રી અઝીઝ ટંકારવી એક ઉત્તમ શાયર,સારા વાર્તાકાર અને સંપાદક અને ચિંતક છે.
1994ની મારી અમદાવદની ‘ગુજરાત ટુડે;ની રાત્રે મૂલાકાત બે વાર કરેલી.પ્રેસની સુંદર કામગીરી નિહાળેલી અને એઁમણે પ્રેમથી ચા પાણી કરાવેલ.અને દૈનિકનાં છાપકામની તમામ વિગતો સમજાવેલી.અને થોડી વાર વધુ રોકી રાખી ‘ગુજરાતટુડે’નો ગરમ ગરમ અંક અમને ભેટ ધરેલો.
મધ્ય પૂર્વમાં એમનો સરસ જૉબ છોડી ‘ગુજરાત ટુડે’ની સેવા માટે એમને તેડાવેલ.
મોહક વ્યકતિત્વ ધરાવતા મુ..અઝીઝ ભાઇ એ ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે.

એમના નીચે મુજબના સહરાનીય પ્રકાશનો છે.

1. લીલોછમ સ્પર્શ(વારતા સંગ્રહ1984)
2. સબંધો હજીય મહેકે છે(કોમી લેખોનું સંપાદન 1996)
3. સનદ વગરનો આંબો(વાર્તા સ6ગ્રહ997;ધૂમકેતુ પુરસ્કાર)
4. ગઝલના દરવાજે(સંપાદના_ આસ્વાદ_ 1998)
5. ગઝલના ગુલમહોર(સંપાઅદન_ આસ્વાદ 1999)
6. ગઝલનાં મેઘ ધનુષ(આસ્વાદ_ 2001)
7. મારો પ્રિય શેર(સંપાદન2001)
8. મારી પ્રિય ગઝલ( આસ્વાદ_2003)
9. વિદેશનાં સંભારણા(પ્રવાસ વર્ણન)
10. એનું સરનામું(ગઝલ સંગ્રહ)

drashti.jpg 

દષ્ટિકોણ-જય ગજજર

મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2007/04/14/jaygajjar/

Posted by: bazmewafa | 01/23/2008

અછાંદસ:ધૂપસળી_ ઉશનસ

dip2.jpgdip1.jpgdip3.jpg 

ધૂપસળી

સાંજ પડ્યે એ તો
ચાલ્યાં ગયાં છે.
પણ આપણાં એ વત્સલજ પૂર્વજ
આપણા આ વનવગડાના
અંધારા ઘરનાં ગોખલામાં
દીવાસળીની એક પેટી
મૂકતાં ગયાં છે.
હવે તમે તેને તડકી કરો
કે ભડકો ,
દવ ચાંપો કે
પેટાવો દીપક
બધું હવે
તમારા જ હાથમાં છે.

 

 

દર્દ વેચાય છે_જાવેદ અખ્તર

દર્દ વેચાય છે
બજારો માં
દર્દ ઘણા મોંઘા વેચાય છે
શૈલી નો કરોબાર જો ચાલી નીકળે
તો લાગણીનાં ખરીદારો
નાનાં મોટા બધા દર્દનાં રમકડાં
મોં માગી કિંમતે ખરીદે
મેં હમેશા માર દર્દોને
ઊંચામાં ઊંચી કિંમતે વેચ્યા છે
પરંતુ
જે દર્દ મને આજે પ્રાપ્ત થયું છે
 કોઇ પણ દુકાન પર રાખવાને યોગ્ય નથી
પ્રથમ વાર હું શર્મિંદો છું
આ દર્દને
હું વેચી નહીં શકું

(ઉર્દૂ ભાષાના સુવિખ્યાત ક્રાંતિકારી કવિ,લેખક,પટકથા લેખક,સંવાદ લેખક શ્રી જાવેદ અખ્તરની એક આઝાદ નઝમનો અનુવાદ_વફા)

  

વિયેટનામી કાવ્ય

 yudhdha.jpgબુધ્ધને બદલે યુધ્ધ   

 લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,

એ કહેવાને કે 

મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..

છતાં,બાગમાં

પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું

નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે

અને હું જીવું છું

હજી સૂંઘી શકું

છુંગુલાબો અને ગોબરની ગંધને

હજી ખાઇ શકું છું.

પ્રાથના કરી શકું છું.

ઊંઘી શકું છું.

પણ કયારે તોડી શકીશ

હું મારા દીર્ઘ મૌનને?

ક્યારે ઉચ્ચારી શકીશ_

હું પેલા અનુકત શબ્દોને,

જે મને ગુંગળાવી રહ્યા છે? 

(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!


બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે

 

rusvaphoto.jpg

ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)

(1915-2008)

કરીએ કાકલૂદી એટલી ફુરસદ હતી કયારે?
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઈ એવી તબિયત કે જીવન પંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા
રૂસ્વા મઝલૂમી

મારી પ્રિય ગઝલ__ રરૂસ્વા મઝલૂમી

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,
ગગન પૈદા કરી લઉં છું પ્રથમ હું ઉદ્દયન માટે.

નથી આવ્યા અમે કેવળ અહીંયા પર્યટન માટે,
વસાવ્યું છે વતન ને ,તો મરીશુ પણ વતન માટે.

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!
બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.

નિરાશ્રિતથી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,
અવર માટે બધું છે ને નથી કંઇ આપ્તજન માટે.

તમે ના બોલવાનું પણ આજ બોલી ગયા ‘રુસ્વા’
 કદી તો પૂર્વ તૈયારી કરો ,કંઇ પ્રવચન માટે.

ભારત,પાકિસ્તાનનાં ભાગલા બાદ સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના થઇ,અને ત્યાર બાદ બે વર્ષ પછી જુનાગઢ મુકામે મુશાયરાનું આયોજન થયેલ.જેમાં મુંબઈ અને ગુજરાત ભરના નામી શાયરો ઉપસ્થિત હતા.મને પણ આમંત્રણ હોવાથી હું પણ તે મુશાયરામાં શાયર તરીકે ઉપસ્થિત હતો.મુશાયરાનાઅં પ્રમુખપદે કનૈયાલાલ મુનશી હતા.ઉપરાત ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ઢેબર ભાઈ અને અન્ય પ્રધાનો પણ હાજર રહેલ.
  આ મુશાયરાની પાદપુર્તિ આ પ્રમાણે હતી.’ઘણું બાકી રહ્યું છે કાર્ય કરવા વતન માટે.’ ત્યારે લોકોમાં દેશ પ્રેમ જગાવવા માટેનું વાતાવરણ ઊભું કરવા આ પ્રકારની પાદ પુર્તી આપી હતી. કોમવાદી પરિબળો માથું ઉંચકી રહ્યા હતા.હિજરત અને હેરેફેરનો સમય હતો. અ વાતાવરણમાં મારું હૃદય પણ ઘણું વ્યથિત હતું.પરંતુ મેં ભારતનાં મુસલમાનો સાથે ભારતનેજ વતન માની ભારતમાં રહેવાનું પસંદ કર્યું.આ વ્યથાને મેં ગઝલમાં વાચા આપી છે.તે સમયમાં આ ગઝલ ઉદભવી હતી અને સાચું કહું તો મેં મારી આ ગઝલમાં મારા મનનાં બધાજ મંતવ્યો,કોઇંની પણ શેહ શરમ રાખ્યા વગર રજૂ કરેલ છે.જેથી મારી પ્રિય ગઝલ બની રહે છે.મારા હૃદયમાં ત્યરે જે અનુભૂતિઓ થઈ,તે આ આ ગઝલમાં મે વ્યકત કરી છે.મારા દર્દની તમામ હકીકતો સત્ય સ્વરૂપે આ ગઝલમાં રજૂઆત પામી શકી તેથી પણ પ્રિય ગઝલ બની રહી છે.

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,

ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

_રુસ્વા મઝલુમી.

(‘મારી પ્રિય ગઝલ’ સં.અઝીઝ ટંકારવી ના સૌજન્યથી)

મર્હુમ ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)પાજોદ દરબાર અને ઉર્દૂ ગુજરાતી કવિતાના દરબાર,તા14ફેબ્રુઆરી2008નાં જુમેરાતનના રોજ આ ફાનીદુનિયાને ત્યાગી પોતાના માલિકી હકીકી (અલ્લાહ સુબ્હાન્હુ તલા) ને મળવા, હમેંશાના માટે પ્રયાણ કરી ગયા છે.રબબ્બે કરીમ એમની બાલ બાલ મગફિરત(માફી) ફરમાવે અને એમના કુટુંબીજનોને આ સદમો(દુ:ખ) સહન કરવાની શક્તિ આપે.અને જન્નતનો ઉંચો દરજ્જો નસીબ ફરમાવે.(આમીન)

લાઇ હયાત ,આઇ કઝા લે ચલી ચલે,
અપની ખુશી સે આયે ન અપની ખુશી ચલે.

‘ઈન્ન લિલ્લાહે વ ઇન્ન ઇલયહે રાજિઉન’ (સર્વ સૃષ્ટિ અલ્લાહના તરફથી આવીછે., અને એના પ્રતિ પ્રયાણ કરનાર છે) નામ એનો નાશ. પવિત્ર કુરાના વદેછે કે: ‘કુલ્લો નફસીન ઝાઇકતુલ મૌત્ .અર્થાત દરેક આત્માને મૃત્યુનો સ્વાદ માણવાનો છે.. આ સમગ્ર સૃષ્ટિના સર્જનહારે આ વિસ્વમાં 1,24000 જેટલા પયગંબરો દુનિયામાં માનવાજાતનાં માર્ગ દર્શન માટે મોકલ્યા,હજારો સંતો,ઓલિયાઓ,સુધારકો,દાર્શનિકો.રાજ મહારાજાઓ અને માધાંતાઓ આ વિશ્વમાં આવ્યા.કોઇ મૃત્યુના સ્વાદથી બચી શક્યું નથી.આ ધરા ઉપર અલ્લાહના પ્રથમ નબી હજરત આદમા(અલૈ.)થી લઇ 950 વર્ષથી વધુ જિવન વ્યતિત કરનાર પયગંબર નૂહ (અલૈ.)અને અલ્લાહના પ્યારા અંતિબ નબી હજત મોહમ્મદ (સલ.)પણ 63 વર્ષનું આયુષ્ય પુરુ કરી અલ્લાહનાં દરબારમાં તશરીફ લઇ ગયા.
બેશક અલ્લાહની જાત મહાન છે. ન તેની કોઇ શરુઆત હતી કોઇ અંત છે. અઝલી છે અને અબદી છે. એ સિવાય દરેકનો અંત છે. પવિત્ર કુરાન વદે છે ‘કુલ્લો મન અલયહા ફાન,વયબકા રબ્બોક ઝુલ જલાલે વલ ઇકરામ”(પ્રરણ નં.55 શ્લોકનં. 25,26 )જે કંઇ આ પૃથવી પર છે એનો નાશ થનાર છે,અને માત્ર તારા પરવદીગાર(અલ્લાહ)ની હસ્તીજ બાકી રહેશે.ઈમાનની સાથે કરેલા સદકાર્યોજ ફકત માણસ આ વિશ્વથી સાથે લઇ જાય છે.અને તેનો બદલામાં તેને હમેંશાની જન્નત પરલોકમાં મળેછે.
વિશ્વ વિજેતા સિકંદર અંતિમ સમયે વસિયત કરીને મર્યો, કે મારા જનાઝામાંથી મારા હાથ બહાર ખુલ્લા રાખવામાં આવે, જેથી જોનારાઓને આત્મ દર્શન થાય કે આ ફાની વિશ્વથી રાજા કે રંક બધાયે ખાલી હાથે જવાનું છે. પરંતુ મર્હુમ રૂસ્વા સાહેબ કહે છેકે,

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,
ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

રૂસ્વા સાહેબ વાસ્તવમાં રૂસ્વા(બદનામ) ન હતા ,મઝલૂમ( જેના પર જુલમ થયેલો હોય એવો તે) જરૂર હતા.જીવનમાં ઘણી લીલી સુકી જોઇ.નાનપણ માં માં બાપની છત્ર છાયા ગુમાવી.માંગરોળમાં મામાએ ઉછેર અને સંસ્કાર સિંચનનો હક અદ કર્યો.નવાબીનો ઠાથમાઠ જોયો.તેમાં છ્કી ન જતાં ગંભીરતા પૂર્વક લોક સેવાની ફરજો બજાવી,રમત ગમત,શિકાર અને ઉર્દૂ સહિત્યનો શોખ ગળથૂથીમાં મળેલો.,ગુજરાતી ભાષાની સેવા અને ગુજરાતીમાં પોતાન સમયના બે સમર્થ કસબી કવિઓ આપનાર રૂસ્વાનાં જીવનનું બહુવિધ પાસું અનેક ક્ષેત્રે શાનદાર રીતે છવાયેલું રહ્યું. ઈરાનનાં મહાન શાતં સુફી સંત શમ્સ તબરેઝએ દુનિયાને એક મહાન દાર્શનિક અને પવિત્ર કુરઆનનાં ભાષ્યની ગૂઢતા સમજાવતી મસ્નવીઓ સર્જનાર જલાલુદ્દીન રૂમી જેવી વિશિષ્ટ વ્યક્તિ આપી.ફારસી કવિતાને વિશ્વભરમાં ચાર ચાંદ લાગી ગયા.એવીજ રીતે રૂસ્વાસાહેબે શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા બે સમર્થ શાયરોનું ગુજરાતી ભાષામાં ઘડતર કરી,ગુજરાતી કવિતાને ચાર ચાંદ લગાવી દીધા. નવાબી ગઈ,પણ રૂસ્વા સાહેબનો નવાબી, ખુમારી ભરેલ, ઉદાર,અને,માનવતા ભર્યા મિજાજ ને છીનવી ન શકી.

રૂસ્વાતો થા નામ ગર બદનામ ન થા
મઝલુમ તો રહા ગર જાલિમ નહીં બના


.ઈસ સાહેબે ગયરત સે અલ્લાહ હો રાજી
વકતકી ગર્દીશ મેઁ’વફા’ માયુસ નબના.

કી   ખત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁ
લેકિન મીલા ન ઉમ્રભર અપના પતા મુજે.

(એમના શબ્દોમા એનું વિવરણ : મેઁ મારું આખું આયખુઁ નિજની તલાશમાં વ્યતીત કર્યું. છતાં જીવનભર હું ખુદ પોતાનેજ પામી શક્યો નહીઁ;ઓળખી શક્યો નહીઁ,જાણી શક્યો નહીઁ.)
વિભાજન પછી 1949માં જુનાગઢમાં ક.મા.મુનશીના પ્રમુખ પદે થયેલા તરહી મુશાયેરાનો આ શેરતો જુઓ:
તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો! બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.
આખી ગઝલના બધા શેરો સાચા મોતીનાં દાણા જેવી છે, પર્‍ંતુ એમા ગર્ભિત વ્યથા,અને વિષમતા અને હૈયાના દર્દની અનુભૂતિ પણ છે.એ એમની પ્રિય ગઝલ પણ છે અને એમાં કઠિત સત્ય વકતાતાનાં ચાબખા પણ છે.વારંવાર દેશના ખાતર બલિદાન આપનારઓ પાંસે સનદો માંગનારને કેવી અગ્નિથી દઝાડ્યા છે.

મઆલે જુસ્તજુ અલ્લાહ જાને?
ખયાલે જુસ્તજુ ભટકા રહા હૈ.
ઉર્દૂમાં પણ એમનું કલામ મિસાલી છે.કહેછે: તે પછી પ્રચંડ શક્તિ ,મારી ખોજ,તલાશ,ખેવના શું છે.? તેનો અંત કયાઁ છે.? તે તો અલ્લાહજ જાણે. હું તો જે અનોખા દર્દ થી પીડાઉઁછું તે મારી શાંતિ મનની લાગણી ને ચેનની .અપેક્ષાથી આમ તેમ ભટકું છું.છતાં સાચી મંઝિલ નથી મળતી. આવી વ્યથા દરેક માનવીને અમુક અવસ્થામા થાય છે. તેમાંથી કોઇ પણ બાકાત રહી શકતા નથી. કારન દ્રેક માનવીના હ્રદય ધબકારો તેને સ્વાસે સ્વાસીને એક સંકેત આપેછે. જો કોઇ નસીબ દાર વ્યક્તિ એ સંકેત નો મર્મ સમજે તો એ સંત _વલી (મહાત્મા) નો સાચો પ્રેમ બની જાય.

વોહ એક દુશવારે_મૌકએ ઈમ્તેહાં હૈ,
જબ મહોબ્બત હી આઝમાએ મહોબ્બત’(રૂસ્વા)

આ એવી કઠિન પરીક્ષાની ઘડી છે,જ્યારે પ્રેમજ ,પ્રેમને કસોટીના પથ્થર ઉપર કસવા ચાહે છે.

દિલકી ધડકન સમજના બેમાની ,
  ઉંનકા યું ભી ખિતાબ હોતા હૈ.

શ્વાસચ્છોસ્વાસની આવન જાવનને નિર્થક સમજ ,આ રીતે અલ્લાહ તને સંકેત રૂપે સત્ય પયગામ મોકલેછે કે જો તું ખરેખર રૂપનો ચાહક છે તો અલ્લાહનું રૂપ જે મહાન સ્વરૂપ્વાન છે,તેની ચાહનામામ ખોવાઈ જા. તેની સથે પ્રેમ તાંતણામાં બઁધાઈજા. બસ માનવી જો એ અલૌકિક સંકેત ને સમજી જાય તો ત્યાંજ એની પ્રેમ સફરની મઝિલ પ્રાપ્ત થય છે.તેની ભટકન પૂરી થાય છે.અને તે પછી તે મંઝિલ તરફ આગળ વધવા કેડી પકડેછે. ને મંઝિલે પહોઁચવા પગેરુ ગોતેછે. જયારે આ રાહ પર પગ માંડતો થઈ જાય છે, ત્યારથી એ વ્યક્તિમાં અજબ ભાવના પકડે છે.આવી ભાવના રખ્નારો શ્રેય સાવ્અક પછી તો સંગ્રામવીર બનેછે. એનીએ એભાવના તતો પછી પ્રચંડ શક્તિ બ અની ગયેલી હોય છે. એવી ભાવન હ્ર્દય પરના ઓથાર ખોલે છે,એજ ‘ઈશ્કે હકીકી ‘ છે.
ઉર્દૂ કવિતાના પિંગળશાસ્ત્રનો સાચો વારસો લઇની આવેલા રૂસ્વા સાહેબે ગુજરાતી ગઝલને ખાલી શેરિયત કે તગઝ્ઝુલનો સહારો લઈ એની બંધારણ સાથે ચેડાં નથી કર્યા. શુધ્ધ્ધ બહર,વજન,લય કે છંદ વાળી રચનાઓ આપી.
ઉભય ગંગા ઝમ ઝમ છે મારી ગઝલ માં,
અનોખોજ સંગમછે મારી ગઝલમાં.

મહોબ્બતની સરગમ છે મારી ગઝલ માં,
ઘણી વાત મોઘમ છે મારી ગઝલ માં,

ઝમઝમ (મક્કા)નાં તે કુવાનું પવિત્ર જળ જે પયગંબર ઇબ્રાહીમ (અલૈ.) ના નવજાત શિશુ ઇસ્માઇલ (અલૈ.)નાં અંગુઠાની ખોતરણીથી પ્રગટ થયેલ ઝરણ.જે આજે પણ હજ પઢવા જનાર હાજીઓ તે પવિત્ર જળને પ્રસાદી તરીકે લાવી મિત્રો,સ્નેહીઓને પીવડાવે છે.
(આપણે ગંગાને _રામ તેરી ગંગા મેલી_ કયારે સાફ કરી પવિત્ર બાનવશું.જેથી એના પવિત્ર જળની સાચી પવિત્રતા પ્રાપ્ત થઇ શકે.)
એમની ખુમારી ભરી ગઝલો મોજ મસ્તી માટે નહીં પરંતુ જીવન સંદેશ પણ આપે છે
.

શું થયું?

પ્રેમની મોંઘી મતાનું શું થયું?
દિલ જતાઁ એની વ્યથાનું શું થયું?

ઝળ હળે છે દીપ શ્ર્ધ્ધાનો હજી ,
ક્યાં ગઈ વેરણ હવાનું શું થયું?

મોતના ડંકા બજે છે સ્વાસમાં ,
જિઁદગીની ઝઁખનાનું શું થયું?

આજ કાં મહેફિલ મહીઁ અન્ધાર છે,
કયાઁ છે પરવાના શમાનું શું થયું?

આપ જોતા થઈ ગયા ખુદ અપને,
જાણભેદુ આયનાનું શું થયું?

નાવ ડૂબી કાં તરી મઝધારમાં,
ઓ ખુદા!મુજ નાખુદાનું શું થયું?

કેમ’ રૂસ્વા ‘ આમ બેઠા છે ઉદાસ,
આપની જીવન કલાનું શું થયું?

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો..કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા.
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે

કરી બેઠા – ‘ રૂસ્વા ‘ મઝલુમી

કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.

અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.

અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.

- ‘ રૂસ્વા ‘ મઝલુમી

દિલસે જોબાત નીકલતી હૈ અસર રખતી હૈ.
પર નહીઁ તાકતે પરવાઝ મગર રખતી હૈ.

*અલ્લામા ઈકબાલ.

જનાબ રૂસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ને અલ્લમા ઈકબાલનો આ શેર ઘણો મહેબુબ હતો..રૂસ્વા મઝ્લુમી મૂળભુત ઉર્દુ શાયર હતા.જ.મસ્ત હબીબ સારોદી,શૂન્ય પાલન પુરી,શ્રી અમ્રુત ઘાયલ,શ્રી નિસાર અહમદ શેખ (શેખ ચલ્લી),અને ગુજરાતી ઉર્દૂ ગઝલ અને અછાંદસોનું યૂગ પરિવર્તન કરનાર શ્રી આદિલ મનસૂરી ની જેમ એમણે પણ ઉર્દૂ માંથી માતૃ ભાષા ગુજરાતી પ્રતિ પ્રેમ થી પ્રયાણ કર્યું હતું..અને એ બધાએ ગુજરાતી સારસ્વતનો હક અદા કર્યો.
જનાબ રૂસ્વા સાહેબને પહેલા અને છેલ્લા જંબુસર (જિ.ભરૂચ ફેબુ.68ના ) મુકામે મ.મસ્તહબીબ સારોદી સાહેબ ના માનમાં યોજાયેલા મુશાયરામા જોયેલા. તરહી મુશાયરો હતો પણ શૂન્ય,ઘાયલ, વિ.ની જેમ એઓ પણ તરહ પર કશુ લખી લાવ્યા નહતા. પરંતુ બીજા ગેર તરહી દોરમા એમની સુંદર ગઝલ સાંભળી.એનો મને અફસોસ થાયછેકે કોઇ શેર મને એ ગઝલનો યાદ નથી.(વફા)
-

-rusvaantidarshan.jpg

(મૌત કી આગોશમેં)

કિસકે આંસુ મેરે કફન પે ગિરે
કૌન રોયા હૈ અજનબી કે લિયે.

મેરે દુશ્મન ભી જાનતે હૈં
 મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.

(શેખાદમ આબુવાલા).

બંધ હો ગયે હૈં ,લબ સભી કોઇ બોલતા નહીં
યાદેં તેરી દિલ મેં ચુભી ઔર આંખ રો પડી
..

નામ: ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી
ઉપનામ:મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર
જન્મ:11 ડીસેમ્બર – 1915 : માંગરોળ
અવસાન : 14 – ફેબ્રુઆરી – 2008
તદફીન(દફનક્રિયા):15ફેબ્રુઆરી2008 જુમાની નમાઝ પછી બપોરે3.00 વાગ્યે.
અભ્યાસ: રાજકુમાર કોલેજ, રાજકોટ
રચનાઓ
• ઉર્દૂ ગઝલો – મીના, તિશનગી
• ગુજરાતી ગઝલો – મદિરા
• ગદ્ય કાવ્ય – ઢળતા મિનારા
• નવલિકા -, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો

 

fanoos.jpg 

કાકા છે

1-હઝલ

કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.

ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.

દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.

સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર  કાકા  છે.

તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.

ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.

નરી કટપીસની ફેરી નથી કંઇ શોખચલ્લીની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.

__નિસાર અહમદ શેખ શેખચલ્લી

હઝલોત્સવ

હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લીસા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. હઝલએટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આહઝલતે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,

તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ

વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લીએ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત મુલ્લાંહથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.

કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
અકબરખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.

જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. બઝમે વફાને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
  સંપાદક

 

 

 

 

city.jpg 

બાટલી છે ગામ

 5_હઝલ

જે કહે જોષી છતાં વાત મેં માની નથી,
એક દિ મળશે ખજાનો કોઇ નિશાની નથી.

લે તને સાચી ખબર કે જાણ કારી પણ નથી.
શ્રીમતી એની
હથોડાની છે દીવાની નથી,

સાથ નારીની મને નિરખી ભવાં ઉંચા થયા,
ભાઇ મારી શ્રીમતી છે,કોઇ બીજાની નથી.

પ્રેતનો છે વાસ એની જાતમાં તે છતાં,
એ ધુણે પણ શ્રીમતી એની બીવાની નથી.

જો છટક બારી મળે ઘુસે પ્રદેશીઓ અહીં,
છે જરૂરત તો અહીં દુલ્હનની વીઝાની નથી.

દાદ આપો હૉલ તાળીઓથી ગુંજાવો તમે,
તો મને લાગે સભામાં કોઇ વિરાની નથી.

વાત તો છે સાવ નાની પણ સમજવાની ખરી,
બાટલી છે ગામ ‘મુલ્લાં’નું ને પીવાની નથી.

                                       _’મુલ્લાં’હથુરણી

હથોડા(એક ગામ,તાલુકો:મોટામિયાંમાંગરોલ જિ:સુરત)
દીવા= (એક ગામ,તાલુકો: અંકલેશ્વર જિ:ભરૂચ)

બાટલી(યુ.કે.નું શહેર,મર્હુમ મુલ્લાં હથુરણ સાહેબનું ગામ. મૂળ ગામ: હથુરણ જિ:સુરત)

(ગુજLISH ગઝલો ના સૌજન્યથી)

dhokaa.jpg 

બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.

બેકાર સાથે!

દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.

(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)

ડોકિયું:

સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.

દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?

 

varsadma.jpg 

ચાલને વરસાદમાં_ અનિલ ચાવડા

પ્રેમનાં અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇને લઇ પલળવું આગવું,
આગવા અવસાદામાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
વાદના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું ? અપણે બન્ને જણા,
વાદને વિખવાદમાં તું ચાલને વરસાદમાં.

એક વાદળ એક કાજલ ,એક પળને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
 

 

તરસવાની મઝા કઇં ઓર છે_જિગર ટંકારવી

એમ મળવાની મઝા કઇં ઓર છે.
પત્ર લખવાની મઝા કઇં ઓર છે.

કોઇ માટે થાઉં જો ખાલી સતત
તો છલકવાની મઝા કઇં ઓર છે.

પાંપણો વચ્ચે મરમ શબ્દાવ તું,
અર્થ કરવાની મઝા કઇં ઓર છે.

લાગે મારામાંજ નફરત અન્યથા,
પ્યાર કરવાની મઝા કઇં ઓર છે.

તૃપ્તાના સ્ત્રોત છે સૌ હાથવગ,
પણ તરસવાની મઝા કઇં ઓર છે.

કવિના પરિચય માટે ‘બઝમે વફા’નાં નીચેના URL પર કલીક કરવા વિનંતી
http://bazmewafa.wordpress.com/2007/02/26/jigartankarviandhisgazhalas_jigartankarvi/

 

પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી

નઝમ(મુસબ્બઅ)

 

 

એ શોષિત ને પિડિત જનોનો સહારો,

દુ:ખો ,યાતનાઓ.વ્યથાઓનો આરો,

ગુલામોને કુદરતનો મોઘમ ઈશારો,

તિમિરમય જીવન-પથને અજવાળનારો,

બન્યો મારા જીવનનો જે ધ્રુવ તારો,

હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

હરેક ચોક,ચૌટે ગલીએ, બજારે,

ઝઝૂમ્યો રહીને હું તલવાર ધારે.

કદમ તોય ડગ્યાં તોય માર લગારે,

હશે યાદ તે દિન, જ્યારે તારે,

 પડ્યોતો મરણિયાની સાથે પનારો,

      હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

      સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

 

ફ્ળ્યું ના ઝંસીની રાણીનું જોહર,

ઝફરનાં વિજયનું એ છેદાયું બખ્ત્તર,

ભલે ફેરવી પીઠ બેઠું મુકદ્દર,

ભરી દૈ મરદાઇથી કાળ ખપ્પર,

 સિતમના કલેજાને કંપાવનારો,

        હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

થી આશ સમ્રાજ્યવાદી થવાની,

તમન્ના હતી મુક્તિ ફળ ચાખવાની,

તો સીંચી દીધી કિંમતી નિન્દગાની,

છતાં ના કરી યાચના તુજ દયાની,

હજી શાખ એની પૂરેછે મઝારો,

         હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

29_7_57

 

(સને 1857ના મુક્તિસંગ્રામની શતાબ્દી પ્રસંગે)

(અજંપોત્સવ:88)

 

 

 

 
 
 

 

 

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને 

                         _ નિસાર અહમદ શેખશેખચલ્લી

 
 
 

 

 

શત્રુઓની  તેઁ કરી  મીટ્ટી  પલીદ.

ધન્ય તારીજાતને  અબ્દુલહમીદ.

દેશ  કાજે તુ  થયો સાચો  શહીદ,

ધન્ય તારી માતને અબ્દુલહમીદ.

 

રણ્ મહીઁ બાજી લગાવી જાનની,

રેવડી  બોલાવી   પાકિસ્તાનની.

આન રાખી  ધર્મની    ઈમાનની.

તેઁ વધારી શાન    હિન્દુસતાનની.

 

શત્રુઓની    ટેંક્ના  ચુરા    કર્યા,

વેરીઓ  ના  કોડ તેઁ   પુરા  કર્યા.

શત્રુઓના   હાલ તેઁ  બુરા    કર્યા,

વાહ કેવા  કામ તેઁ રણ શુરા  કર્યા.

 

તુ હતો  એક  લશકરી  હવાલદાર,

ન    સિપેહસાલાર ન  રિસાલદાર.

ન કોઈ ધનવાન કે  ન   માલદાર.

ન વળી   વાતોડિયો કે    પત્રકાર.

 

ધામથી પહોંચી ગયો   સ્વધામમા,

દેશના તુ આવી ગયો  તુમ કામમા.

સ્વર્ગ જઈ પોઢી ગયો    આરામમા.

રહી જશે તુજ નામ પણ શુભનામમા.

 

 

એ વતનના પાણ પ્યારાને સલામ,

એ વતનના ચાન્દ તારાને  સલામ.

        (વૈભવ-8 )

 

 

 

zhad

 

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા

  

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ

દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

 

  

ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ

રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.

 

  

શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન

પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

 

 

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો

રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.

 

 

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે

છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.

 

 

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને

કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.

 

 

આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે

ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.

 

  

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે

કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..

 

adilcaricatureby-nirmish 

 આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર

 ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક સૂર્યઅસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર સૂર્યનથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર સૂર્યઅંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…

દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ

‘‘‘

ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં

‘‘‘

સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં

‘‘‘

પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…

કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી

‘‘‘

મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ

‘‘‘

લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!

‘‘‘

પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!

‘‘‘

સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!

‘‘‘

ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!

‘‘‘

તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?

‘‘‘

એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!

‘‘‘

શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળેગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? મળે.) મારું પુસ્તક આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેપ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ગઝલગૂર્જરીમાં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!

એમના શેરથી વિરમીએ?

મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!

(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)

azmi

(1919 – May 10, 2002) 
उर्दू  के महान शायर और गीत लेखक  कैफ़ी आज़मी
 

 कर चले हम फिदा जानो तन साथियों_कैफी आज़मी
 सुनिये ईस गीतकोURL कलीक करें

 

अब तुम्हारे हवाले वतन साथियों

सांस थमती गई, नब्ज जमती गई

फिर भी बढते कदम को न रुकने दिया

कट गए सर हमारे तो कुछ गम नहीं

सर हिमालय का हमने न झुकने दिया

मरते-मरते रहा बांकपन साथियों

जिन्दा रहने के मौसम बहुत हैं मगर

जान देने की रुत रोज आती नहीं

हुस्न और इश्क दोनों का रुसवा करें

वह जवानी जो खूं में नहाती नहीं

आज धरती बनी हैं दुल्हन साथियों

राह कुरबानियों की न वीरान हों

तुम सजाते ही रहना नए काफले

फतह का जश्न इस जश्न के बाद हैं

जिन्दगी मौत से मिल रही हैं गले

बांध लो अपने सिर से कफन साथियों

खेंच दो अपने खून से जमीन पर लकीर

इस तरफ आने पाये न रावण कोई

तोड दो हाथ अगर हाथ उठने लगे

छूने न पाये सीता का दामन कोई

राम ही तुम, तुम ही लक्ष्मण साथियों    

 

           

કૈફી આઝમી___શબાના આઝમી

 

(અબ્બાકી કાહાની બેટી કી  જબાની.)    

   

કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ૤ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહકરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી૤ ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ૤ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ૤ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ૤ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ૤ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ૤

 

 

 

વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ડૈડીયા પાપાકે બજાય અબ્બાથે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ બિજ઼નેસકરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !

 

બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા૤ દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો પેરેન્ટ્સ ડેપર સ્કૂલ આતે હૈં૤ એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ૤

 

અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા૤ ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ૤ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા૤ ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં૤ અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા૤ વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ૤ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી૤ મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ૤ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ૤

 

હમારે ઘર કા માહૌલ બિલ્કુલ બોહિમિયનથા૤ નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે રેડ ફ્લૈગ હૉલમેં રહતી થી૤ હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા૤ બાથરૂમ વગૈરહ તો કૉમન થા૤ પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી૤ જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી૤ મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી૤

 મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે૤ પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ અલાઉન્સદેતી થી૤ ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ૤ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા૤ ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા૤ મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા પગલીકી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ પગલીકે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ૤ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે૤ અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ૤ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિ૟ોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો બેસ્ટ એકટ્રૈસકા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો૤ મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ક્યૂજ઼દેતે હૈં૤

 મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં૤ શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શા૟રોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં૤ ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ)૤ યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી૤ ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ૤ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-યે ઝૂઠ હૈ૤ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી૤મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા૤ લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે૤ ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા૤ સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે૤ બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ૤ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા૤ ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં૤

 અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર૤ વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં૤ વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ફ઼િરાક઼ઔર ફૈજ઼ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં૤ ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે૤ મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા….૤ કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓયા બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ૤હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ૤

 

ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી૤ સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી૤ વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે૤ ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા૤ મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા૤ અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી૤ મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે૤ મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં૤

 

મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી૤ વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી૤ મમ્મી ને ધીરે સે કહા કિ કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી૤ અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા૤ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી૤ ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે૤ આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં૤ લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ડેડલાઇનસર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ૤

 

મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ૤ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા૤ કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં૤ લિખતે વક્ત ઉનકી સ્ટડીકા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે૤ એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા૤ મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ૤

 

વો લિખતે સિર્ફ માઉન્ડ બ્લાન્કક઼લમ સે હૈં૤ ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં૤ યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે માઉન્ડ બ્લાન્કદિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે૤ અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા૤

યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ અપ્રૈલ ફ઼ૂલબના દેતે હૈં૤ હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર અપ્રૈલ ફૂલબના દેતે હૈં૤ કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્તસેન્સ ઑફ હ્યૂમરભી હૈ૤ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં૤ ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં૤ તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ૤

 

એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ૤ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા૤ રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા૤ છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા૤ રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા૤ રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે૤ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી૤

 

અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ૤ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં૤ ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ૤ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ૤ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના૤ જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે૤ સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ૤ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો૤ ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ૤ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો૤ સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ૤

 

અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં૤ દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ૤ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ૤ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ૤ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી૤ શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી૤ ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં૤

 

જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે૤ મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા૤ એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં૤’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં૤’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે૤ આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી૤’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા૤ કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં૤ ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ૤

 

મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ રેડ ફ઼્લૈગ હૉલમેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા૤ જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ૤ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી૤ હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ૤ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે૤ અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ૤ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા૤ પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે૤ મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-બેસ્ટ ઑફ લક, કૉમરેડ૤

 મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી૤ જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ૤ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં૤ પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી૤ મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા૤ મૈં અબ્બા કે કમરે મેં ગઈ૤ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં૤ ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા૤’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો૤ યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા૤

 બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ૤ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં૤ ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં૤ ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ૤ વો મકાનવો ઔરતહો યા બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ૤ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ૤ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ૤ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ૤

 orkhan1

પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી

 

 

નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો

સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.

પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર

હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે

 

 

હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ

નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું

સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રેછે

અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.

 

 

 

સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,

એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,

પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે

અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા

સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?

બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું

અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.

 

 

 

ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો

ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું

કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે

કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું

 

.

 

નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,

હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા

જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી

રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.

 

 

 

કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,

હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ

જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર

ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?

પછી તું કોઇ દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે

પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે

વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.

 

 

 

અને જોઇન લે કોઇ છબી નયનોની માટે

વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે

અને બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ

જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે

 

.

 

manshe2

 

pagli 

પા પા પગલે__ બાબુભાઈ પટેલ   

  પા પા પગલે ચાલી ચાલી,

      કાલુ કાલુ બોલી બોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી.

      આ બક બક કરતા બાલિશ શબ્દો

      સાંભળશો કે…….. 

      ખુબ ખુબ કહેવું છે

      મારા નાનકડા મનડાએ આજે.

      આ તોતડીયા

      ગૂંગળાતા શબ્દો

      સાંભળશો કે………  

      અકળ દેશથી આવી આજે

      ભૂલો પડ્યો ભવસાગર વાટે.

      આ આકુળ વ્યાકુળ ઊછળતા

      ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો

      સાંભળશો કે………..  

      પા પા પગલે ચાલી ચાલી,

      બોલું છું હું તોલી તોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી

      આ નાદાનીના બાલિશ  શબ્દો

સાંભળશો કે………  

ઇસ્લામ અને મોબાઈલ

Dr. Maheboob Desai

Friday, November 21, 2008 08:19 [IST]

 

mobile

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકામોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.

મોબાઈલના મસાઈલઅર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.

મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.

મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.

ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.

જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.

રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.

મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.

મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.

મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.

મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.

કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.

મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.

મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.

મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.

મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.

(દિવ્ય ભાસ્કર શુક્રવાર 21નવે.2008)

 

grandmosquemakkah

Azan of Grand Mosque Makkah Click pl.

Tawafe Qabah and Talbiya(Labbaik)Click pl.

 

હજ યાત્રાનો મહિમા અને તેની મહત્વતા-કાસિમ અબ્બાસ

alhaj1haj21haj3

haz4

haz81

 

 

 

 

 

 

 

 

 

 

Posted by: bazmewafa | 12/10/2008

ગઝલની તકતી1— બઝમ

 

ગઝલની તકતી1— બઝમ

 

 

ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા  છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ  વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.

આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે  આછોકર રમત શા માટે ?

અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું  મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.

ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને  ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને  તાડ પર ચઢાવે છે.

આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .

  જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.

લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા

અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો

કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)

એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.

 

 

 

ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ  એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:

કદાચ   એને     ખબર       નહોય

લગાલ  ગાગા    લલલ      લગાલ ૢ પહેલા  મિસરાની તકતી

 

કેટલી    દુરંદેશીતા એના   માટે      વિચારાય છે.

ગાલગા   લગાગાગા ગાગા  ગાગા     લગાગલગા ૢબીજા મીસરાની તકતી

 

pooshp 

મુકતક

 

થયું વિખવાદથી નુકસાન તે સમજાય તો સારું

કદમજે હોય છે મતભેદ એ વિસરાય તો સારું

 

 

સમયની માંગ સમજી ભેદભાવો મિટાવી દો;

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

 

લખેલું ભીંત પર છે તેકદમ ટંકારવી

  

 

ઘણી છે કીમતી થાપણ અહીં સચવાય તો સારું

લપસણી છે  પેઢી નવી જળવાય તો સારું.

  

 

નફાખોરી વટાવે હદ હવે તો મોંઘવારી પણ

હવે તો દાળ, ચોખા,  તેલ, સસ્તું થાય તો સારું.

  

 

કરે જાપાન એવી શોધ ચાલે કાર પણીથી

હવે ફ્યુએલ બીજું અવનવું શોધાય તો સારું.

  

 

સિતમ પોતે કરે તો પણ ઠરાવે અન્યને દોષિત

જગતથી બેવડું ધોરણ હવે બદલાય તો સારું.

  

 

જુલમ જે આચરે ચે તે કદમ ફાવી નહીં શકશે

લખેલું ભીત પર છે તે હવે વંચાય તો સારું.

 

(ભવ્ય ત્રિભાષી મુશાયરો  સ્મરણિકા)

Bolton U.K..Sunday 19Octo.2008

 

 

 

 nahinfave

 

અમે હેલીના માણસ…સુરેશ દલાલ

 

 

શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે

 

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારીતી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી

આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.

ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:

મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો

શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.તો હરીન્દ્ર દવેની પંકિત છે: જયાં ચરણ રુકે ત્યાં કાશી.વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.

વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામસાદગીરાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.

અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 

(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)

 

 

 

alvida

al1

al23

  (શ્રી ઘનશ્યામ ઠક્કર ના સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/13/2008

કોણ છે? આદિલ મન્સૂરી

 

deevaren1

કોણ છે? આદિલ મન્સૂરી

કોણ છે?

આ ચાર દીવાલોની અંદર કોણ છે?

કોના કાળા હાથો

દીવાલોનાં બાહર નીક્ળયા છે.

કોના પીળા દાંતો

છત પર ચાલી રહ્યા છે

કોનું ખાલી માથું

હવામાં તરી રહ્યું છે

કોની આંખો ફર્શ પર લપસી રહી છે

કોનું નીલ વર્ણ રકત

બિસ્તરામાં પડયું પડ્યું બરાડી રહ્યું છે

કોના જંગલી અટ્ટ હાસ્યથી

બંધ ઓરડો ગુંજી રહ્યો છે

 

 

કોણ છે?

આ ચાર દીવાલોની ભીતર  કોણ છે ?

 

કોણ છે?

 

 

(હશ્રકી સુબ્હ દરખશાં હો !ઉર્દૂપૃ.175ના સૌજન્યથી.અનુ.વફા)

 

 

 

 

 

 

 

maar

સ્પેલિંગ લવ નો— નિર્મિશ ઠાકર

nirnish1

suratfld3

હુરટનું પૂર(હુરટી પ્રટિકાવ્ય)— નિર્મિશ ઠાકર

huratnupoor

abharkha

બીજાઓને શેર, શાયરી  સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા

                                                             1

મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને  મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.

હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:

હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી  સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.

મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:

’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)

2

એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.

  બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી  વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની  વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.

પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.       

                તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.

 

3        આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.

અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.

 

 

.

4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના  સફરમાં  શાયરીની બલામાં  સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સાબ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું

એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.

શાયરીમાં રસ ખરો કે?

મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?

ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.

શેર હતો:

ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે

ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.

      (તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું  ઉંચુ કર કે પાલનહાર તને  પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)

     મૌલવી સાહેબ શાંતિથી શેર  સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?

      મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.

ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?

 

5

આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.

ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.

અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)

 

6

સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:

આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ  બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.

 આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?

zakaria1zakaria2zakaria3zaaria4

grave kabar

 

 

 

 

 

uptodately1

janmdin

 

જવાનીમાં એને માટે માતમ થવો જોઇએશેખાદમ આબુવાલા

(મારી ડાયરી.બુધવાર 2 એપ્રીલ 1952)

      લાંબા સમય સુધી ડાયરી ન લખી શક્યો.હજી મારે કેટકેટલું સંભારવાનું છે.યાદ કરવાનું છે અને ડાયરીમાં નોંધવાનું છે

       આજે સવારે હું મુંબઈથી આવ્યો.ગઈ રજબની સાતમીએ(ઈસ્લામી મહિનો)મારી સાલગિરહ(જન્મદિન) હતી.બાવીસ વરસ પૂરાં થયાં.ત્રેવીસમું બેઠું ! જવાનીનું એક વરસ ઓછું થયું.જવાનીમાં આવતી વર્ષગંઠો મને અત્યંત દુ:ખદાયક લાગે છે.

મને એ વર્ષગાંઠો સર્પની જેમ ડંખે છે.ગઈકાલે મને દુ:ખ થયું હતું કે જવાનીના રંગીન અને મસ્ત એવા કાળમાંએક વરસ ઓછું થઈ ગયું! વૃધ્ધાવસ્થામાં વર્ષગાંઠ એ ખૂશીની વસ્તુ હોવી જોઇએ! પરંતુ જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ.

  ગઈ કાલે હું અમદાવાદ આવવાનો હતો ,પરંતુ 31માર્ચને દિવસે મુંબઈમાં એક ડિનર રાખવામાં આવ્યું હતું.મને અમીરી અને બીજા મિત્રોએ જીદ કરીને મુંબઈમાં રોકયો હતો.રોકાવાની જરી સરખી પણ ઈચ્છા નહોતી.પરંતુ મજબૂરીને લીધે રોકાઈ જવું પડયું.મેં ટિકિટના  પૈસા અમીરીને આપી દીધા હતા,અને એણે મને એનાજ સહારા પર રોકી લીધો.રાત્રે ડિનરમાં મારા મિત્ર જ.અલી મહેમદ નાઝને માનપત્ર આપવામં આવ્યું હતું.

 

(હમભી ક્યા યાદ કરેંગે-શેખાદમની ડાયરી)

 

 A comment by one of his associate in Film world.It is posted  on the Gujarati article હું એક ભાટકતો શાયર’”URL

 http://bazmewafa.wordpress.com/2007/05/17/hunbhataktoshayer_shekhadamdarshan/?preview=true&preview_id=288&preview_nonce=7f4ad68333

 

Submitted on 2008/12/18 at 5:57pm

I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a  few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad, Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikh saheb was like a computer just put cursor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya

 

 

 

 

 

 

 

 

yagnik

 

 

                     ્દુલાલ યાજ્ઞિક—-શ્રીમંત નગરીનો ફકીર નેતા

                                  *ઉમાશંકર જોશી

 

 ન્દુલાલ એટલે એની બેસંટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસ યુગના એક મહારથી.ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એંજિન સાથે સરખામણી કરી હતી.થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય.હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને  સંજીવની વરી હતી.અમદાવદની મુખ્ય સંસ્થાઓ પાછળ ગુજરાત વિદ્યાપીઠ જેવી પાછળ પણ ઇન્દુલાલ યૌવન મૂર્તિ દેખાશે.

   ઇન્દુલાલ પર સરસ્વતીંનો આશિર્વાદ હતો.નડિયાદના નાગર હતા ને?વકતૃત્વ અને કલામાં ગુજરાતી ભષાનું હીર ઉછળતું…ગુજરાતના ઇતિહાસના એક અઠંગી વ્યાસંગી હતા.પણ ઇતિહાસ સર્જવ એ સર્જાયા હતા.

    ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા..

   ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.       

 સમાજ પહેલાં લોટ જેવો હતો,પાણી નાંખતા ભેગો થઇ જતો.આજે સમાજ રેતી જેવો બની ગયો છે.પહેલાં લોકોમાં મીઠાશ હતી,આજે જનતા બાવરી બની છે.આર્થિક ભીંસ ખૂબ મજબૂત બની છે.(17-11-1952ના કરેલા એમના ભાષણમાંથી)

 

 

tranaxarnivaat

 

maalo2

guidancetarunydil3 

 

parinda1

खानोमें बट गया_निदा फाज़ली

गिरजा में,मंदिरो में,अजानो में बट गया

होते ही सुबह आदमी खानों में बट गया

 

 

एक ईश्क नाम का जो परिन्दा खलामें था

उतरा जो शहर में तो दूकानो में बट गया

 

 

पहले तलाशा खेत,फिर दरियाकी खोज़ की

बाकीका वक्त गेहुंके दानों में बट गया

 

 

जब तक था आसमांमें सुरज़ सभीका था

फिर युं हुआ वो चन्द मकानों में बट गया

 

 

हैं ताक में शिकारी, निशाना है लबिस्तां

आलम तमम चन्द मचानों में बट गया

 

 

खबरों ने की मस्वरी, खबरें गझल बनी

जिन्दा लहु तो तीर कमानों में बट गया

(शहर मेरे साथ चले तो)

હવાનું હલેસું—- આદિલ મન્સૂરી

artamthaigayun1thaigayun2

તમે ચાલ્યા ગયા આ શબ્દનો  આવાસ છોડીની

છતાં પડઘા તમારી યાદના  ગુંજતા રેશે

મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબને સાંભળવા કલીક કરો

 

hun

હું છું ને તું છે— મહેક ટંકારવી

 nathinam1nathnam2

gukab1

શરદ,તારું ગુલાબ***જય ગજ્જર

sharadtarungulab

(શરદ,તારું ગુલાબઅને બીજી વાર્તાઓનાં સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/29/2008

થાય છે….સુધીર દલાલ

thaykharun

થાય છે….સુધીર દલાલthayachhe01
thyachhe11

thaychhe2

thaychhe3
thaichhe4
thaichhee5
thaichhe6
thaichhe7
thaichhee8

કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ —- યોગેશ જોષી

 chinu1chinu2chinu3chinu4

chinu5

  (પરબ _ ડીસેંબર 2008 ના સૌજન્યથી)

બઝમે વફા પરિવાર શ્રી ચિનુ મોદીને  આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે

  

 

 

 

 

morardhirate

bismarfhar1

બીમાર પણ રાખે****બરકત વીરાણી બેફામbeemarpanraakhe

mero

મેળો જહાંનો***રતિલાલ અનિલ

merojahanno1

 

 

 

Posted by: bazmewafa | 12/30/2008

આપણે***મકરંદ દવે

apneimg

આપણે***મકરંદ દવે

apne

સવારી જશે મુજ છડીદાર સાથે***શયદા

savaarijashe1

જય ગજ્જરની નવલકથા આંધીનો ઉજાસ દરિયાપારના સર્જકોમાં શ્રેષ્ઠ નવલકથા તરીકે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં ઈનામો

 

awrdtojaygajjar1

મહેંદીના રંગ  જેમ ઊડી જાય જે મહેક

એવી સગાઈ, એવું કો સગપણ ન જોઈએ

darpan

 

 કાજલ ભરેલી આંખના***મહેક ટંકારવીjoien

(એક વિચાર સભર, સુંદર નવી નક્કોર તાજી ગઝલ મોકલવા બદલ પ્રોફેસર મહેક ટંકારવી સાહેબનો  બઝમે વફા ઘણું આભારી છે)

 

Posted by: bazmewafa | 01/06/2009

Opinion , views and News

Opinion , views and News 

Civilian Casualties Mount As Israeli Army Slices Through Gaza

Click

http://www.countercurrents.org/

Do Israeli Pilots Feel Happy Killing Innocent Women And Children?

By Fida Qishta

05 January, 2009
Countercurrents.org

Click to read

http://www.countercurrents.org/qishta050109.htm

Molten Lead In Gaza
By Uri Avnery

This war is a writing on the wall: Israel is missing the historic chance of making peace with secular Arab nationalism. Tomorrow, It may be faced with a uniformly fundamentalist Arab world, Hamas multiplied by a thousand

http://www.countercurrents.org/avnery050109.htm

Scared But Steadfast In Gaza
By Rami Almeghari

I found that my neighbors are dealing very patiently with what is happening right now. They don’t have any place to go and are staying close to their homes, expecting that the worse has yet to come. However, they are saying that they will remain steadfast in their homeland and neighborhood and homes, even if Israel destroys Gaza completely

http://www.countercurrents.org/almeghari050109.htm

 

The Only Nation That Can Do No Wrong
By Jim Taylor

Because the rights that European and North American nations demand for Jews do not seem to extend to Palestinians. Or perhaps more accurately, in a perversion of the Golden Rule, the western world looks the other way when the nation of Israel does unto others as others have done unto them

http://www.countercurrents.org/taylor050109.htm

 

 

ત્રણ અધૂરી વાર્તાઓ***મધુ રાય

adhooreevartaa

tran1

tran2

tran3

 

tran3a1

tran4

tran5

 

tran6

ફૂલ કરમાયું નહીં— આઈ.ડી.બેકાર

 

bekar

karmayunnahin

ફૂલ કરમાયું નહીં

 pankharnuphol.jpg

છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં

સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .

આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.

બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં

ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં

(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે).

નિ:શબ્દ  રહેવાયું નહીં—ઝફર એમ.

karmayunzafar

 

આયનાની જાતથી  નિ:શબ્દ  રહેવાયું નહીં

      તે છતાં મુજ હાજરી વિણ,  કંઇ બોલાયું નહીં

 

હું રડી પડ્યો નિહાળી સાથ સહુ  સ્વજન તણો

એ નથી કે મુજ થકી એ દર્દ સહેવાયું નહીં

 

 

પ્યાસ બળતા રણ ની લઇ   બેઠા હતાં એ દ્વાર પર

ઝાંઝવાની   એ પરબ પર   બુંદ  છલકાયું નહીં

 

સર અહમના ડુંગરો પર ઠોકતો તું રહી ગયો

ઝૂમખું આ ફૂલનું    પણ હાશ ઉંચકાયું નહીં

 

હાથ તારો એ કટોરા ઉપર સ્પર્શયો  હતો

ઝેરનાં એ જામને પાછુંય ઠેલાયું નહીં

 

એ હતોઅંતિમ સમય   આંખો બિડાઈ ગઇ હતી

પણ ઝફર એ નામ તો હોઠોથી  વિસરાયું નહીં

karmayunnazir

તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા

  

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં

કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં

 

karmayunmareez

મુજથી રોવાયું નહીં—- બરકત વીરાણી બેફામ

mujthirovayunnahin_befam

karmayungani1

ચિત્ર ભૂંસાયું નહીં— ગની દહીંવાલા

chitrabhunsayunnahingani

કેમ બદલાયું નહીં—- મસ્ત હબીબ સારોદી

 karmayunhabib

kembadlayunnain_habib

મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

naav

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?

લોક ઊંડું વિચારે, તો હું શું કરું?

 

હું છું માનવ,છતાં લાગું દાનવ તને !

તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

 

કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!

નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

 

આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-

એ જો મરચાં વઘારે, તો હું શું કરું?

 

સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!

જો તું આવે સવારે, તો હું શું કરું?

 

(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)

પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’

(ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)

રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)

ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્

  ગઝલ   કાવ્ય પ