કરે છે કોઈ જ્યારે ધીંગા મસ્તી

સદા નિંદાય મારી જાત અમસ્તી

 

અકારણ હું જગે હડધૂત થયો છું

હું માણસથી ઘણો થાકી ગયો છું

ગધેડાની પ્રાથના—મુલ્લા રમૂજી(મસ્ત હબીબ સારોદી)

 (સૌજન્ય:મોજ-મસ્તી પૃ.45)

પ્રજાસત્તાક દિન મુબારક હો

ઇસ્લામ અને વતનપરસ્તી : ડૉ.મહેબૂબ દેસાઈ

૨૬મી જાન્યુઆરી ૨૦૧૨. આપણો ૬૩મો પ્રજાસતાક દિન. આપણી પીઢ લોકશાહીની ઉજવણીનો ઉલ્લાસ. એક જ દિવસે જન્મેલા બે રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન. આજે બંનેની તત્કાલીન સ્થિતિ તેના વિકાસ અને ભાઈચારાની સાક્ષી પૂરે છે. તેનું મૂળભૂત કારણ આપણા સમદ્રષ્ટિ નેતાઓની આદર્શ અને બધા ધર્મો પ્રત્યેની માનવાચક દ્રષ્ટી છે. અલબત્ત રાષ્ટ્રપિતા ગાંધીજી તેમાં મોખરે છે. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમને ઊંડી સમજ હતી. તે તેમના ઇસ્લામ વિશેના વિચારોમાં દ્રષ્ટિગોચર થાય છે. તેઓ ઇસ્લામ અંગે કહેતા,

‘હું ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ (નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪)

‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ (અક્ષરદેહ – ૪૦ પૃ. ૫૭)

‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’( હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩)

‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’( હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨)

“કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)નેે શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે.” (હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬)

“ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.”( હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭)

ગાંધીજીના ઇસ્લામ અંગેના આ વિચારોમાં ઇસ્લામ ધર્મમાં વ્યક્ત થતી બંધુત્વ અને વતનપરસ્તીની ભાવના વ્યક્ત થાય છે. વતન પ્રેમ કે વતનની મીટ્ટીની પવિત્રતાનો સ્વીકાર ઇસ્લામના તયમ્મુમના સિધ્ધાંતમા પણ સાકાર થયો છે. “તયમ્મુમ” શબ્દ “યમ્મમ” પરથી આવ્યો છે. યમ્મમ એટલે કસદ કે ઈરાદો કરવો. જ્યારે મુસ્લિમ નમાઝનો ઈરાદો કરે છે. ત્યારે તેને વઝુ માટે પાણી ન મળે તો તે પવિત્ર માટીથી મો અને હાથપગ પર મસાહ કરવાની ક્રિયા કરે છે. એ ક્રીયાને “તયમ્મુમ” કહે છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

“અય મોમીનો, જ્યારે તમે નમાઝ માટે ઈરાદો કરો ત્યારે પહેલા તમે મો અને બંને હાથપગ ધુઓ અને જો એ માટે પાણી ન મળે તો પાક માટીથી તમારા મો અને બંને હાથપગ પર મસાહ કરી “તયમ્મુમ” કરો”

પાક માટી એટલે કોઈ વિશિષ્ટ માટી નહિ. પણ જ્યાં તમે રહેતા હોય એ વતનની સ્વચ્છ માટી. આ અંગે હઝરત મહંમદ પયગમ્બ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,

“મારી ઉમ્મત (પ્રજા)ને પાછલી ઉમ્મત કરતા ત્રણ વાતોમાં શ્રેષ્ટતા આપવામાં આવી છે. અમારી સફો (કતારો) ફરિશ્તાઓની કતારો જેમ વ્યવસ્થિત છે. અમારા માટે સમસ્ત ધરતી મસ્જિદ છે. અને તેની માટી પાક (પવિત્ર) થવા માટેનું શ્રેષ્ટ સાધન છે, જ્યારે પાણી ન મળે ત્યારે”

જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય , તે ધર્મના એક બુદ્ધિજીવી અનુયાયી આરીફ મોહંમદ ખાને ઉર્દુમા કરેલ વંદેમાતરમનો મીઠો અને મધુર અનુવાદ આજના પ્રસંગે માણવા જેવો છે. તે દર્શાવી આલેખ પૂર્ણ કરીશ.

”માં તસ્લીમાત! માં તસ્લીમાત !

તું ભરી હૈ મીઠે પાની સે

ફળ-ફૂલો કી શાદાબી સે

દક્કીન કી ઠંડી હવાઓ સે

ફસલો કી સુહાની ફીજાઓ સે … તસ્લીમાત, માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે

તેરી રોનક સબ્જે-ફામ સે

તેરી પ્યાર ભરી મુસ્કાન સે

તેરી મીઠી બહુત જુબાન સે

તેરી બાહોંમે મેરી રાહત સે

તેરે કદમો મેં મેરી જન્નત સે … તસ્લીમાત, માં તસ્લીમાત !

Wednesday, January 18, 2012

સૌજન્ય:

http://mehboobdesai.blogspot.com/2012/01/blog-post_18.html

 

 

રમત ઊભીજ છે—-અહમદ ગુલ

 

શ્વાસની છેલ્લી રમત ઊભીજ  છે

હું-તુંની તીક્ષણ મમત ઊભીજ  છે

 

તું દીવાલો તોડીને હરખા નહીં

ત્યાં અડીખમ એક છત ઊભીજ  છે

 

આપણું તો છે જ અફવાનું નગર

એક શમે બીજી તરત ઊભીજ  છે

 

લાગણી-સબંધના પુસ્તક મહીં

જીર્ણ યાદોની વિગત ઊભીજ  છે

 

વેદનાઓ વ્યકત કરવાને હજી

પેન કાગળની અછત ઊભીજ  છે

 

ગુલ મિલનના માર્ગમાં હર પળ નવી

અડચણો તો હરવખત ઊભીજ  છે

 (સૌજન્ય:મૌનાલય પૃ.34)

આજ આદિલ—–નીતિન વડગામા

 

(1914-1983)

મહાન સ્વતંત્રતા સેનાની જનરલ શાહ નવાજ ખાન ડૉ. આશીષ વશિષ્ઠ

(જન્મ દિન 24 જનવરી પર વિશેષ)

દેશ કો ગુલામી કી બેડિ઼યોં સે આજાદ કરવાને કે લિએ હજારોં દેશભક્તોં ઔર સૈનિકોં ને અપને પ્રાણોં કી આહુતિ દી૤ ઇન મહાન દેશભક્તોં મેં જનરલ શાહનવાજ ખાન કા નામ બડ઼ે આદર ઔર માન સે લિયા જાતા હૈ૤ આજાદ હિંદ ફૌજ કે મેજર જનરલ શાહનવાજ ખાન મહાન દેશભક્ત, સચ્ચે સૈનિક ઔર નેતાજી સુભાષ ચંદ્ર બોસ કે બેહદ કરીબિયોં મેં શુમાર થે૤ એક સચ્ચે ઔર બહાદુર સૈનિક કે સાથ જનરલ ખાન એક સચ્ચે સમાજસેવી ઔર દૂરદર્શી રાજનીતિજ્ઞ ભી થે૤

આજાદ હિંદ ફૌજ કે મેજર જનરલ શાહનવાજ ખાન કા જન્મ બ્રિટિશ ઇંડિયા મેં 24 જનવરી 1914 કો ગાવં મટૌર, જિલા રાવલપિંડી (અબ પાકિસ્તાન) મેં ઝંઝુઆ રાજપૂત કૈપ્ટન સરદાર ટીકા ખાન કે ઘર હુઆ થા૤ સૈનિક પરિવાર મેં જન્મેંશ્શાહનવાજ ને અપને બુજુર્ગોં કી રાહ પર ચલને કી ઠાની૤ શાહનવાજ કી પ્રારંભિક શિક્ષા-દીક્ષા પાકિસ્તાન મેં હુઈ, આગે કી શિક્ષા ઉન્હોંને પિં્રસ આૅફ વેલ્સ રાયલ ઇંડિયન મિલટ્રી કાૅલેજ દેહરાદૂન મેં પૂરી કી ઔર 1940 મેં બ્રિટિશ ઇંડિયન આર્મી મેં એક અધિકારી કે તૌર પર જ્વાઇન કર લિયા૤

જબ જનરલ શાહનવાજબ્રિટિશ આર્મી મેં શામિલ હુએ થે, તબ વિશ્વ યુદ્વ ચલ રહા થા ઔર ઉનકી તૈનાતી સિંગાપુર મેં થી૤ જાપાની ફૌજ ને બ્રિટિશ ઇંડિયન આર્મી કે સૈંકડ઼ોં સૈનિકોં કો બંદી બનાકર જેલોં મેં ઠંૂસ દિયા થા૤ સન્ 1943 મેં જબ નેતા જી સુભાષ ચંદ્ર બોસ સિંગાાપુર આએ ઔર ઉન્હોંને આજાદ હિંદ ફૌજ કી મદદ સે ઇન બંદી સૈનિકોં કો રિહા કરવાયા૤ નેતાજી કે ઓજસ્વી વાણી ઔર જોશીલે નારે તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આજાદી દૂંગાસે પ્રભાવિત હોકર શાહનવાજ કે સાથ સૈંકડ઼ાંે સૈનિક આજાદ હિન્દ ફૌજ મેં શામિલ હો ગએ ઔર ભારત માતા કી મુક્તિ કે લિએ અંગ્રેજોં સે લોહા લેને લગે૤ શાહનવાજ ખાન કે દેશભક્તિ ઔર નેતૃત્વ ક્ષમતા સે પ્રભાવિત હોકર નેતાજી  ને ઉન્હંે આરજી હુકૂમત-એ-આજાદ હિંદ કી કૈબિનેટ મેં શામિલ કિયા થા૤ દિસંબર 1944 મેં જનરલ શાહનવાજ કો નેતા જી ને માંડલે મેં તૈનાત સેના કી ટુકડ઼ી કા નમ્બર 1 કમાંડર નિયુક્ત કિયા થા૤ સિતંબર 1945 મેં નેતા જી આજાદ હિંદ ફૌજ કે ચુનિંદા સૈનિકોં કો છાંટકર સુભાષ બ્રિગેડ બનાયી થી, જિસકા કમાંડ નેતાજી ને જનરલ શાહનવાજ કે હાથ સૌંપી થી૤ ઇસ બ્રિગેડ ને કોહિમા મેં અંગ્રેજી હુકૂૂમત કે ખિલાફ મોર્ચા સંભાલા થા૤  સંયુક્ત સેના સેંકડ ડિવિજન કા કંમાડર બનાકર બર્મા કે મોર્ચ પર ભેજા૤

બ્રિટિશ આર્મી સે લડ઼ાઈ કે દૌરાન બર્મા મેં જનરલ શાહનવાજ ખાન ઔર ઉનકે દલ કો બ્રિટિશ આર્મી ને 1945 મેં બંદી બના લિયા થા૤ નવંબર 1946 મેં મેજર જનરલ શાહનવાજ ખાન, કર્નલ પ્રેમ સહગલ ઔર કર્નલ ગુરૂ બક્શ સિંહ કે ખિલાફ દિલ્લી કે લાલ કિલે મેં અંગ્રેજી હકૂમત ને રાજદ્રોહ કા મુકદમા ચલાયા૤ લેકિન ભારી જનદબાવ ઔર સમર્થન કે ચલતે  બ્રિટિશ આર્મી કે જનરલ આક્નિલેક કો ન ચાહતે હુએ ભી આજાદ હિંદ ફૌજ કે અફસરોં કો અર્થદણ્ડ કા જુર્માના લગાકર છોડ઼ને કા વિવશ હોના પડ઼ા૤ જનરલ શાહનવાજ ખાન ઔર બાકી અફસરોં કી પૈરવી  સર તેજ બહાદુર સપ્રૂ, જવાહર લાલ નેહરૂ, આસફ અલી, ભુલાભાઈ દેસાઈ ઔર કૈલાશ નાથ કાટજૂ ને કી થી૤ 1946 મેં આજાદ હિંદ ફૌજ કી સમાપ્તિ કે બાદ જનરલ શાહનવાજ ખાન ને મહાત્મા ગાંધી ઔર પંડિત જવાહર લાલ નેહરૂ કે પ્રેરણા સે ઇંડિયન નેશનલ કાંગ્રેસ મેં શામિલ હો ગયે૤ 1947 મેં પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ ને જનરલ શાહનવાજ ખાન કો કાંગે્રસ સેવા દલ કે સદસ્યોં કો સૈનિકોં કી ભાંતિ પ્રશિક્ષણ ઔર અનુશાસન સિખાને કી અહમ જિમ્મેદારી સૌંપી૤ જનલર ખાન કો કાંગ્રેસ સેવા દલ કે સેવાપતિ કા પદ નવાજા ગયા જિસકા નિર્વાહન ઉન્હોંને વર્ષ 1947 સે 1951 તક કિયા થા, ઔર અપને જીવન કે અંતિમ દિનોં મેં ભી વહ 1977 સે 1983 તક કાંગ્રેસ સેવા દલ કે પ્રભારી બને રહે૤

વર્ષ 1952 મેં પહલે લોકસભા ચુનાવ મેં કાંગે્રસ કે ટિકટ પર મેરઠ સે ચુનાવ જીતે૤ ઇસકે બાદ વર્ષ 1957, 19621971 મેં મેરઠ સે લોકસભા ચુનાવ જીતા૤ મેરઠ લોકસભા સીટ સે પ્રતિનિધિત્વ કરને વાલે જનરલ શાહનવાજ ખાન 23 સાલ કંેદ્ર સરકાર મેં મંત્રી રહે૤ 1952 મેં ચુનાવ જીતને કે બાદ વહ પાૅલિયામેંટ્રી સેક્રેટી ઔર ડિપ્ટી રેલવે મિનિસ્ટર બને૤ 1957-1964 તક વહ કેન્દ્રીય ખાધ એવં કૃષિ મંત્રી કે પદ પર રહે૤ 1965 મેં કૃષિ મંત્રી એવં 1966 મેં શ્રમ, રોજગાર એવં પુર્નવાસ મંત્રાલય કી જિમ્મેદારી સંભાલી૤ 1971 સે 1975 તક ઉન્હોંને પેટ્રોલિયમ એવં રસાયન ઔર કૃષિ એવં સિંચાઈ મંત્રાલયોં કી બાગડોર સંભાલી૤ 1975 સે 1977 કે દૌરાન વહ કેન્દ્રીય કૃષિ એવં સિંચાઈ મંત્રી કે સાથ એફસીઆઈ કે ચેયરમૈન કા ઉત્તદાયિત્વ ભી ઉન્હોંને સંભાાલા૤  મેરઠ જૈસે સંવેદનશીલ શહર કા દો દશકોં સે અધિક પ્રતિનિધિત્વ જનરલ ખાન ને કિયા ઔર ઉનકે કુશલ નેતૃત્વ ઔર સબકો સાથ લેકર ચલને કી નીતિ કે કારણ શહર મેં કભી કોઈ દંગા ફસાદ નહીં હુઆ, જો એક મિસાલ હૈ૤ 1956 મેં ભારત સરકાર ને નેતાજી સુભાષ ચંદ્ર બોસ કી નેતાજી કી મૌત કે કારણોં ઔર પરિસ્થિતિયોં કે ખુલાસે કે લિએ એક કમીશન બનાયા થા, જિસકી અધ્યક્ષ જનરલ શાહનવાજ ખાન થે૤

જનરલ શાહનવાજ ખાન શુરૂ મેં નેતાજી સુભાષ ચંદ્ર બોસ સે પ્રભાવિત હુએ તો બાદ મેં ગાંધી જી કે સાથ રહે૤ પંડિત નેહરૂ ને ઉન્હેં ખાનકી ઉપાધિ સે નવાજા૤ જનરલ શાહનવાજ કે પીએ રહે મતીન બતાતે હૈં કિ છઠેં લોકસભા ચુનાવ મેં જબ મેરઠ સે ઉનકે બજાય મોહસિના જી કો ટિકટ દિયા ગયા તો ઉન્હોંને મોહસિના જી કે સાથ જાકર નામાંકન કરાયા૤ વહ સબકે સુખ-દુખ મેં શામિલ હોતે થે૤ જનરલ શાહનવાજ કે પોતે આદિલ શાહનવાજ બતાતે હૈં કિ, ‘રેલવે કા એક કર્મચારી બિના અવકાશ ઘર ચલા ગયા તો ઉસે સસ્પેંડ કર દિયા ગયા૤ જનરલ સાહબ ને તબ કૈબિનેટ મંત્રી લાલ શાસ્ત્રી જી સે કહા૤ ઉન્હોંને ગંભીરતા સે નહીં લિયા૤ ઇસ પર ઉન્હોંને અગલે દિન અપના ઇસ્તીફા ભેજ દિયા૤ શાસ્ત્રી જી ને કારણ પૂછા તો બોલે કિ અગર અવામ કે લિએ કામ કરને લાયક નહીં હૂં તો ઇસ કુર્સી પર બૈઠને કા મુઝે હક નહીં હૈ૤ આજાદ હિન્દુસ્તાન મેં લાલ કિલે પર બ્રિટિશ હુકૂમત કા ઝંડા ઉતારકર તિરંગા લહરાને વાલે જનરલ શાહનવાજ હી થે૤ દેશ કે પહલે તીન પ્રધાનમંત્રિયોં ને લાલકિલે સે જનરલ શાહનવાજ કા જિક્ર કરતે હુએ સંબોધન કી શુરૂઆત કી થી૤ આજ ભી લાલકિલે મેં રોજ શામ છહ બજે લાઇટ એંડ સાઉંડ કા જો કાર્યક્રમ હોતા હૈ, ઉસમેં નેતાજી કે સાથ જનરલ શાહનવાજ કી આવાજ હૈ૤ પ્રેસ કાઉંસિલ આૅફ ઇંડિયા કે અધ્યક્ષ સેવાનિવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાટજૂ ને જનરલ ખાન કી દેશ કે પ્રતિ નિષ્ઠા ઔર રાષ્ટ્રનિર્માણ મેં અગ્રણી ભૂમિકા કો દેખતે હુએ ભારત સરકાર સે જનરલ ખાન કો ભારત રત્ન દેને કી માંગ કી હૈ૤ ડાક વિભાગ  મહાન સ્વતંત્રા સેનાની જનરલ શાહનવાજ ખા કર્નલ પ્રેમ ચંદ ઔર કર્નલ ગુરૂબક્શ પર ડાક ટિકટ જારી કર ચુકા હૈ૤

મહાન સ્વતંત્રતા સેનાની, દેશભક્ત ઔર કુશલ રાજનેતા જનરલ શાહનવાજ ખાન કો કાલ કે ક્રૂર હાથોં ને હમ સબસે સે 9 દિસંબર 1983 કો હમસે છીન લિયા થા૤ તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને જનરલ ખાન કી મૌત કો દેશ કે અપૂરણીય ક્ષતિ કરાર દિયા થા ઔર ઉનકે પરિવાર કો ફોન કરકે જનરલ ખાન કે પાર્થિવ શરીર કો મેરઠ સે દિલ્લી દફનાને કા આગ્રહ કિયા થા૤ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ને ઇંદિરા જી કે કહને પર ગાજિયાબાદ મોહન નગર મેં જનરલ ખાન કે શવયાત્રા કી અગુઆઈ કી થી૤ ઇંદિરા જી ને ઉસ સમય કહા થા કિ નેતાજી ને આજાદ હિંદ ફૌજ કે દૌરાન દિલ્લી ચલોકા નારા બુલંદ કિયા થા, ઔર જનરલ ખાન ભી યહી ચાહતે થે કિ ઉનકો લાલકિલે કે પાસ દફનાયા જાએ૤ લાલકિલે કે પાસ સ્થિત જામા મસ્જિદ કે નિકટ જનરલ ખાન કો પૂરે સમ્માન કે સાથ દફનાયા ગયા થા૤ જનરલ ખાન કે પરિવાર મેં ઉનકે તીન પુત્ર મહમૂદ નવાજ, અકબર નવાજ, અજમલ નવાજ ઔર તીન પુત્રિયાં મુમતાજ, ફહમિદા ઔર લતીફ ફાતિમા હૈં૤ લતીફ ફાતિમા કો ઉન્હોંને ગોદ લિયા થા૤ લતીફ ફાતિમા બાલીવુડ કે મશહૂર અભિનેતા શાહરૂખ ખાન કી માં હૈં૤ જનરલ ખાન કે પોતે આદિલ શાહનવાજ અપને દાદા કે નામ સે જનરલ શાહનવાજ ખાન ફાંઉડેશન કા સંચાલન કરતે હૈં૤

ડૉ. આશીષ વશિષ્ઠ

સ્વતંત્ર પત્રકાર

 (સૌજન્ય:http://hastakshep.com/?p=13728)

 

 

 

શાંતિની એકજ શરત અમ પાંસ છે
જન્મ લેવા પૂર્વ મૃત્યુ પામો તમે

શાંતિની શરત—દીપક બારડોલીકર

  

 (સૌજન્ય: ઓપિનિયન જાન્યુ.2012)

સરકતું પ્લેટફોર્મ—–યોગેશ જોષી

 

(સૌજન્ય:24જાન્યુ.2012ના રોજ ઇ.મેલથી આ સુંદર કાવ્ય બઝમે વફાને સાદર કરવા બદલ શ્રી યોગેશભાઈ જોષીનો ઘણો ઘણો આભાર)

 

ફૂલ ઝરે છે—અદમ ટંકારવી

 

લ્યો આ સાકી જામ ધરે છે

ગ્રીન કાર્ડ જેવુંજ હસે છે

 

પડછાયો તો તારો ખુદનો

પડછાયાથી કેમ ડરે છે

 

આંખમાં ચમકે ચાંદ સિતારા

ને મોંમાંથી ફૂલ ઝરે છે

 

મહેસાણાના પોપટ ભાઈ

ન્યુ જર્સીમાં લ્હેર કરે છે

 

આપું છું સોનાનો ઘૂઘરો

તોય બાળક કેમ રડે છે

 

આ ડૉલર છે માનવ ભક્ષી

એ માણસનો ભક્ષ કરે છે

 

તુંય હવે ધીમો પડ યાન્કી

ધસમસ ધસમસ કેમ ધસે છે

 

હરીફરીને તું ચાલ્યો જા

શું નાહક પંચાત કરે છે

(સૌજન્ય:અમેરિકામાં હોવું એટલે પૃ.25)

 

 

લોહીનું પાણી થઈ ગયું આદિલ

તો યે તે આંખથી દડ્યુંજ નહીં

 

આખ્ખું નગર તૂટી પડ્યું—–આદિલ મન્સૂરી

 

જે હતું અણનમ અફર તૂટી પડ્યું

એક પર્વતનું શિખર તૂટી પડ્યું

 

કોઈની લાગી નજર તૂટી પડ્યું

જોત જોતામાં તો ઘર તૂટી પડ્યું

 

એક એવો આંચકો આવ્યો પછી

આખ્ખું ને આખ્ખું નગર તૂટી પડ્યું

 

જોત જોતામાં તો ભીંજાઈ ગયા

એક વાદળ તરબતર તૂટી પડ્યું

 

એમ ચિંતામગ્ન બેઠાં છે બધા

જાણે નભ માથા ઉપર તૂટી પડ્યું

 

પ્લેન પૃથ્વીથી જરા અધ્ધર થયું

કોઈ પણ કારણ વગર તૂટી પડ્યું

(સૌજન્ય:ગઝલનાં આયના ઘરમાંપૃ.132) 

ભરૂં છું હું જાતેજ નિજ ઘરમાં પહેરો

હું જાતેજ ખુદને ડરાવી શકું છું

 

ધૂણી ધખાવી શકું છું—-’મહેક’ ટંકારવી

 (સૌજન્ય:પ્યાસથી પરબ સુધીપૃ.41)

મોતીઓ આવીને બેઠાં પાંપણે—-‘અંજુમ’ વાલોડી

 ચાંદની આ માનવી છે આપણે,

જેને ગણવા હોય તારા છો ગણે.

 

દિલનો એ દરિયો ઉલેચાઈ ગયો

મોતીઓ આવીને બેઠાં પાંપણે.

 

વ્યાપ્ત છે ઘરમાં કૈં એવી શૂન્યતા,

ભીંત બેઠી કાન માંડી બારણે.

 

માંદવામાં છાઈ છે ખિનતા,

ડૂસકાં લટકી રહ્યાં છે તોરણે.

 

જઈ રહ્યો છે જાન કોઈનો, અને

જાન એક આવીને ઊભી બારણે.

 

રાતના સમણું સુહાણું જોઈને,

ખોલશે ઘુંઘટ કળી મોં સુંઝણે.

 

શોધમાં છે રામની ‘ઘોઘાનો વર’.

અપહરણ ‘લાડી’ નું કીધું રાવણે.

(સૌજન્ય:અજંપોત્સવપૃ.51)

 

 

 

છકાર—અદમ ટંકારવી

We can all be refugee

Nobody is safe

All it takes is a mad leader

Or no rain to bring forth food

We can all be refugees

We can all be told to go

We can be hated by someone

For being someone

                                                  –Benjamin Zephaniah

છળ છક્ક છણ છક્કડ છક્કો છટ

છવણી-રાહત છાવણી

છ વરસનો

 છોકરો

છેમણ્ડ

છિન્ન,એનુ સર્વસ્વ

છીનવાઈ ગયું

છેકાઈ ગયું છે નામ શાળાના હાજરી પત્રકમાંથી

છેદ ઉરાડાયો છે એના હોવાપણાનો

 

છાપામાં

છીછરો કોલમવીર

છાવરી રહ્યો છે

છોકરાનાં મા બાપના હત્યારાને

છોકરો કહે છે:

છ કલાક મારી સાથે

છાવણીમાં આવી રહે

છાવણીમાં રહ્યા પછી કદાચ તું

છાવરવાનું

ઢાંક પિછોડ કરવાનું

છોડે

(સૌજન્ય: ઓથાર 2002 પૃ.13-14)

વાત ખોટી નીકળે—–ચિરાગ ઝા ‘ઝાઝી’

 

ગામ આખું બોદું નકલી નીકળે

કોણ જાણે લાશ કોની નીકળે

 

અટકળો કરતો રહ્યો તારા વિશે

અટકળોની વાત ખોટી નીકળે

 

સૂકી ડાળી પર ઇચ્છાઓ સળગશે   

પાનખર તો આમ દાઝી નીકળે

 

વેદનાને બોલવાદે આંખ પણ    

ધ્રૂજતી કરગરતી ભીની નીકળે

 

જ્યાં કરી ઝાઝી ઇચ્છાઓ આકરી

જિંદગી આખીય બટકી નીકળે

(ગાલગાગા ગાલગાગા ગાલગા , રમલ)

દેશ અને દુનિયા—કૌશિક અમીન

 

(સૌજન્ય: કૌશિક અમીન)

પ્રવાસ જારી છે—નિર્મિશ ઠાકર

 

આમ સૃષ્ટિ બધી તમારી છે!

પ્રશ્ન :’કોના વડે નિખારી છે’?

 

‘કેમ તબિયત  છે? આમ સારી છે?’

વાત બસ આ સ્તરેજ વધારી છે?

 

આભ ભલે નાનું ગણાઉં હું,

પાંખ ક્યારે તમે પ્રસારી છે.

 

ધુમ્મસે વિશ્વ છો તમે જાણે!

તોય મારો પ્રવાસ જારી છે!

 

ધૂંધળી શક્યતાની રાતોમાં,

કેમ ખૂલ્લી હજીય બારી છે?

 

સ્મિતની આપલે ખરી જો કે-

કોઈ નિસ્બત કદી વિચારીએ છે?

(સૌજન્ય:કવિલોક જુલાઈ –ઑગષ્ટ :2010)

 

જીવન વિતાવ્યુ _રતિલાલ’અનિલ”

અંતે મળેછે ધૂળમાઁ સ્વપ્નો ફરી ફરી.
બગડે છે હાય મારુઁ આ કિસ્મત બની બની.

શ્રધ્ધા ને સાધનાથી જીવન સાર પામશે,
શંકાજ ફકત પામશે તર્કો કરી કરી
.
પ્રશ્ર્નો જીવનના કોઈ ઉકેલી શકયો નહી,
મુઁઝવેછે મન સદા મને પ્રશ્ર્નો કરી કરી.

મારી સુરત ન જોઈ મે નિજ્ને ન ઓળખ્યો,
થાકી ગયુઁ જગત મને દર્પણ ધરી ધરી,

જીવન પુનર્જીવનનો ફકત એજ અર્થા છે,
દીપક ની જેમ જીવવુઁ મરવુઁ બળી બળી.

ડહાપણનો ભાર નિત્ય ઉઁચકી શકાય ના,
પાગલ થવાની થાયછે ઇચ્છ કદી કદી.

સાગર તો એજ છે છતાઁ સંજોગ છે જુદા,
પામ્યો ન આજ મોતી હુઁ મંથન કરી કરી.

તોફાન જિન્દગીમા કદી થાયના ‘અનિલ’
સુખ દુ:ખ રહે જો સાથીઓ બન્ને હળી મળી,

મારા જીવનનુ શિલ્પ ઘડાયુઁ નહીઁ ‘અનિલ’
જીવન વિતાવ્યુઁ કોઈની મુર્તિ ઘડી ઘડી,

પિતાશ્રી ના અવસાન પર – જનાબ આદિલ મનસુરી

એમણે ચાલીસ રાત્રીઓ સુધી આંખનુ મટકુ ન માર્યુ

સ્વપનાઓ ને ઊઁટો ઉપર લાદીને

રાત્રીના રણો મા ચાલતા રહ્યા

ચાઁદની ની ચિતાઓમા સળગતા રહ્યા

ટેબલ પર

કાચના પ્યાલામા મુકેલા

દાંતો હસતા રહ્યા

કાળા ચશ્માના કાચો ના પરદા પાછળથી

મોતિયાની કળી પોતાનુ મસ્તક ઉઁચુ કરે છે

આઁખોમા લાચારી સ્મિત કરી રહી હતી

રૂહના હાથો

સોઈ ની અણીથી ચારણી થૈ ગયા

ઈચ્છઓના ના દીપકો

શરીરમા બુઝાઈ ગયા

નીલા જળ ના પારદર્શક પડછયા

ક્ષણ ક્ષણ બનીને શરીરમા ઉતરવા લાગ્યા

ઘરના છતમા જડેલા

દસ સિતારાના પડછાયાના નીચે

પ્રતિબિંબો ધુઁધળા થૈ ગયા

પ્રતિબિંબો મુરઝાઈ ગયા.

જનાબા આદિલ મનસુરી સાહેબની ઉર્દુ આઝાદ નઝ્મનો અનુવાદ

(એમના ઉર્દુ દીવાન હશ્ર્કી સુબહે દરખશાઁ હો….માથી પુષ્થ 36-37)

મસ્ત મુશાયરો

(આજ થી લગભગ 43 વર્ષ પહેલાઁ ના એક મુશાયેરાની ઐતિહાસિક નોઁધ જે સુરતના ‘ મુજાહિદ’ પખવાડિકે લીધી હતી )
‘મસ્ત હબીબ’ સારોદીના સનમાર્થે જંબુસર મા યોજાયેલો
મસ્ત મુશાયરો
‘મસ્તી’અને ‘તુલસી ઇસ સંસાર મે” કાવ્યસંગ્રહો ના સર્જક જનાબ ‘મસ્તહબીબ’ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિન્હ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની ક્રુતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા ‘અકબર અલી’જસદણવાલા,’બેકાર.’રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી’ ‘ગની’દહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ‘ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા’ ‘રાઝ’ ‘બેબાક.’ રફઅત’ કાવીવાલા’ ‘વફા’ ‘સાગર’ આરિફ’ ‘પથિક’’તબસ્સુમ’ વિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ ‘હસીખુશી સ્ટોરવાળા ‘જયંતી ચોકસી અને ‘આરિફ’ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોને ફાળે જાયછે.
’મસ્ત હબીબનુ’ સન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી.
‘કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,
આ પંક્તિ પર રજુ થયેલા ચુનઁદા શે’ર વાંચકોના રસા સ્વાદ અર્થે અત્રે રજુ કરવામા આવેછે.

જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.

મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,

-‘બેકાર’

સૌઁદર્યના તજજ્ઞોનુઁ તાત્વિક કથન હતુઁ.
જીવન હતુઁ કવનમાઁ કે જીવન કવન હતુઁ.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતુઁ વદન હતુઁ.

‘સાબિર’ વટવા.

પગલાઁ પુજાય એવુઁ વિરોચિત ગમન હતુઁ.
મ્રુત્યુ એ ભવ્ય એવુઁ કે જેવુઁ જીવન હતુઁ.

જગતના પ્રલોભનોને નથી વશ થયુઁ ‘હબીબ’
સચ્ચાઇ પર અડગ અમારુ ખુદ્દાર મન હતુઁ.

-‘મસ્ત હબીબ’ સારોદી.

કેવુઁ ભલા ભગવાન આ તારુઁ સ્રુજન હતુઁ
આંખે ચમકતુઁ હાસ્યને હૈયે રૂદન હતુઁ.

ઉકેલ્યો ન ભેદ‘વ્યાસ’નો વિત્યુઁ જીવન છતાઁ.
કોના વિચારે એમનુ હસતુઁ વદન હતુઁ.

-‘પ્રિ.ચીમનલાલ વ્યાસ.

લીલુડી ધરતી કયાઁ હતી? કયાઁ ઉપવન હતુઁ.
જન્મારો આખો દુ:ખ શુઁ કાંટાળુ વન હતુઁ.

મારી વ્યથાની પૂઁછના “અશરફ’તુ કથા,
કંટક ભર્યો તે પંથ ને મારુન જીવન હતુઁ.

-યુસુફ અશરફ’ વહાલુ.

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ભટ્કી રહી’તી તારી નજર દુર કયાઁ’વફા’
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.

મુહમ્મદઅલી’વફા”(લુવારવી)

નીચે ધરા હતી અને ઉપર ગગન હતુઁ
એવુઁ ય કઁઇક વેળા અમારૂઁ જીવન હતુઁ.

પામી શકે કેવી રીતે એની વાસને,
રફઅત’ ઘણેજ દૂર એ ખીલ્યુઁ સુમન હતુઁ.

રફઅત’ કાવીવાલા

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.

કેવી પ્રબળ હશે ‘અદમ’ ઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.

-અદમ’ટંકારવી

એ રૂપના પ્રભાવે પ્રભાવિત કથન હતુઁ.
ઝળ્કેછે એજ શબ્દોમા જેવુઁ વદન હતુઁ.

કરમાયુઁ છે એ અકાળે વિકસતાઁ પહેલાઁ એ,
બેબાક’ કેવા હાથમાઁ આ મન સુમન હતુઁ.

‘બેબાક’-કોસંબવી

શોધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.

મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.

‘સાગર’ નવસારવી

મુરઝાયુઁ ડાળ પર આજે સુમન હતુઁ.
તારા વિયોગે ઝુરતુઁ આખુઁ ચમન હતુઁ.

જીવી ગયા’આરિફ’ અમે કઈઁ એવી શાનથી
મ્રુત્યુ ટાણે મ્હેક્તુઁ અમારુઁ જીવન હતુઁ.

‘આરિફ’સારોદી

હસતુઁ વદન હતુઁ-મુહમ્મદઅલી વફા

 એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળમાં અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ

 તારા હતા વિચાર ને તારું મનન હતું.

ગઇ કાલની છે વાત કે મારેય મન હતું.

એવા હતા દિવસ કે હતો માત્ર અંધકાર,

સૂરજ નહીં,ને ચન્દ્ર નહીં બસ ગગન હતું.

જળમાં ડૂબેલ જળ કદી પરખી શકાય ના,

માની લીધું કે મ્હેકમાં મારું ચમન હતું.

કાસદ બન્યો જણાય છે અંગારીઓ પવન,

મારા હૃદય સિવાય વળી કયાં દહન હતું.

કિસ્મતનાં તારલાતો હતા માનવીને, પણ,

ચમકનાવનાર એમને તારું ગગન હતું.

રેતીના પટ ઉપર પડી છે ભાત ફાંકડી,

અસ્થિર શુષ્કતા યે એક સાંત્વન હતું.

 કોઇ દિશા મળીજ નહીં એનો ગમ નથી,

તરણાંને ક્યાં દિશા હતી?ફકત વહન હતું !

મારી તરસને ઝાંઝવાં પી ગયા અનિલ ,

એવી મળી મીઠાશ કે રણ પણ મગન હતું.

ભાવિ કબરની ધૂળ વિના કંઇ નથી અનિલ

તમને થશે વાહ વાહ ,આ પણ જીવન હતું !

 

અમાનતનું ધન હતું-મસ્ત મંગેરા

પગલા પૂજાય એવું વિરોચિત ગમન હતું,

મૃત્યું એવું ભવ્ય કે જેવું જીવન હતું!

 

માનવ્યથી મહોરતું બેશક જીવન હતું,

કંટક નહીં ચમનમાં સુવાસિત સુમન હતું!

 

સંધ્યા વિનાએ રક્તથી રંગીન ગગન હતું,

જાણે કોઈ ક્ષિતિજનું નવું આગમન હતું!

 

આગળ વધ્યા કે વ્હેણની સાથે વહી ગયા

સમજી શકોછો-કેટલું એમનું વજન હતું!

 

કોને ખબર શિકાયતો કાને ધરી કે નૈં,

હા, એટલી ખબર છે હસતું વદન હતું!

 

રક્ષણ કીધું છે લીધો નથી ગેર લાભ કૈં,

દુનિયા અમારે માટે અમાનતનું ધન હતું!

 

જગના પ્રલોભનને નથી મસ્ત વશ થયો,

રાજી ખુદાની મરજી પર મારું મન હતું!

 

હસતું વદન હતું—અદમ ટંકારવી

  

જુલમીનાં હાથમાં હતી તલવાર તોય શું

અહિયાં અમારા સર ઉપર પર કફન હતું.

કેવી પ્રબળ હશે અદમ ઊડવાની આરઝૂ ?

 પંખીની એક પાંખમાં આખું ગગન હતું.

 

(સૌજન્ય:સબંધ પૃ.38)

તા.24-2-1968નાં મર્હુમ જનાબ મસ્ત હઈબ સારોદી સહેબાનાં માનમાં જંબુસરજિ: ભરૂચ મુકામે મુશાયેરો યોજાયો હતો.

મુશાયેરાની પાદ પંક્તિ હતી:

કોને વિચારે એમનું હસતું વદન હતું 

 

 

 

 

જઁબુસર મુશયરો 24-2-68 ગુલનુ કફન

છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

પવનભરી રાત _ -જીવનાનન્દ દાસ

ગંભીર પવનોભરી રાત હતી કાલે અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમા ખેલતી હતી:
મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ,
કદિક બિછાનુ છેદીને
નક્ષત્રો ભણી ઉડી જવા ચાહતી’તી;
કદિક કદિક મને એમ લાગતુઁ હતુઁ.અર્ધો ઊંઘમા હોઈશ ત્યરેજ કદાચ_
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાઁ ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે.

એવી અદભુત રાત હતી કાલની,.
સમસ્ત મ્રુત નક્ષત્રો કાલે જાગી ઉઠ્યાઁ હતાઁ.આકાશમાઁ તલ માત્ર જ્ગ્યા ખાલી ન હતી;
પ્રુથ્વીના સમસ્ત ઘૂસર પ્રિય મ્રુતજનોના મુખ પણ એ નક્ષત્રોમાઁ જોયાછે મેઁ,
અન્ધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર_સમડીની શિશિરભીની આંખની જેમ ટમટમતાઁ હતાઁ સમસ્ત નક્ષત્રો;
ચાન્દની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ,ચિત્તાના ચકમક થતા
ચામડાની, શાલની જેમ ચમકતુઁ હતુઁ વિશાળ આકાશ!
એવી અદભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાઁ મરી ચૂકયાઁ હતાઁ;
તે બધાઁ પણ કાલે બારીમાઁ થઇને અસંખ્ય મ્રુત આકાશને સાથે લઇને આવ્યાઁ હતાઁ.
જે રૂપસુન્દરીઓને મેઁ એસિરિયામાઁ ,મિસરમાઁ,વિદિશામાઁ મરી જતી જોઈ છે.
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાઁ લાંબા ભાલા હાથમાઁ લઈને હારબન્ધ ઉભી રહી ગઇ હતી જાણે_
મ્રુત્યુને દલિત કરવાને ?
પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને?
સ્તંભિત અભિભૂત થઇ ગયો હતો હુઁ,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અન્દર
પ્રુથવી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન અવ્યો હતો આકાશના વક્ષેથી ઉતરીને
મારી બારીની અન્દર થઈને સાઁય સાઁય કરતો,
સિન્હના હુંકારથી ઉત્ક્ષ્પિત હરિત પ્રાંતરના અજસ્ર જિબ્રાની જેમ!
હ્રદય ભરાય ગયુઁ છે,મારુઁ વિસ્તીર્ણ ફેલટ્ના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગંત_પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છવાસે
જીવનની દુર્દાંત નીલ મત્તતાએ !
મારુઁ હ્રદય પ્રુથવીને છેદીને ઊડી ગયુઁ.
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયુઁ ;
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયુઁ
કોઇ દુર્દાંત પંખીની જેમ.

(‘વનલતા સેન’માઁથી) -જીવનાનન્દ દાસ)

(કાવ્ય ચર્ચા -248)

Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected
bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in
English translation and in Bengali.

achatt1@umbc8.umbc.edu

ખાણ હતી કોણ માનશે_મુહમ્મદઅલી વફા

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

શોધી રર્હ્યો હુઁ તને વસ્તી અને રણમા.
દિલમાઁ એની ખાણ હતી કોણ માંનશે?

સ્રુસ્તિનુ સર્જન થયુઁ એક કુનના ઈશારે
શક્તિની એ પિછાણ હતી કોણ માંનશે?.

પાકી જતાઁ સંઘરે નહીઁ ન ડાળકી ન વ્રુક્ષ,
ફળ,ફુલ ને કયાઁ જાણ હતી કોણ માંનશે?..

સુકાયા પછી પાઁદડા ખરતે નહીઁ “વફા”
કઁઈ લાગણીની તાણ હતી કોણ માંનશે?

9જુન2006
કુન=થઈ જાઓ

(“કોણમાનશે” રદીફ મા ભૂતકાળમા ઘણા પ્રતિષ્ઠિત કવિઓ એ ગઝલો લખી છે.પરંતુ બધાએ વિવિધ કાફિયાનો ઉપયોગ કર્યો છે.જાણ,આણ,ખાણ વિ.શૂન્યપાલનપુરી એ કશાનો,.જમાનો,મઝાનો વિ.રૂસ્વા મઝ્લુમી એ, અને દશા.જગા,બધા કાફિયાનો ઉપયોગ જ.મરીઝ સાહેબે કર્યો છે.પ્યાર.સાર.ખાર રતિલાલ “અનિલે કર્યો છે.મે એ રદીફ સહિત એ બધા કફિયા લઈ ગઝલ કંડારવાનો પ્રયાસ કર્યો છે. જે અઁહીઁ પ્રસ્તુત છે.)

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને

_ નિસાર અહમદ શેખશેખચલ્લી

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.

ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.

દેશ કાજે તુ થયો સાચો શહીદ,

ધન્ય તારી માતને અબ્દુલહમીદ.

 

રણ્ મહીઁ બાજી લગાવી જાનની,

રેવડી બોલાવી પાકિસ્તાનની.

આન રાખી ધર્મની ઈમાનની.

તેઁ વધારી શાન હિન્દુસતાનની.

 

શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,

વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.

શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,

વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.

 

તુ હતો એક લશકરી હવાલદાર,

ન સિપેહસાલાર ન રિસાલદાર.

ન કોઈ ધનવાન કે ન માલદાર.

ન વળી વાતોડિયો કે પત્રકાર.

ધામથી પહોંચી ગયો સ્વધામમા,

દેશના તુ આવી ગયો તુમ કામમા.

સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.

રહી જશે તુજ નામ પણ શુભનામમા.

એ વતનના પાણ પ્યારાને સલામ,

એ વતનના ચાન્દ તારાને સલામ.

(વૈભવ-8 )

 

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ’વફા’ .

કઈ રીતના એ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.

 

એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.

 

પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .

 

રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.

 

સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.

 

દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.

 

11સપ્ટે.2006
છન્દ:ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
વધુ માટે કલીક કરો:

હિલાલે ઈદ હમારી હંસી ઉળાતાહૈ-અલ્લામા ઈકબાલ

  યે શાલામાર મેઁ એક બર્ગે ઝર્દ કેહતાથા
ગયા વો મૌસમે ગૂલ જીસકા રાઝદાર હુઁ મેઁ.

ન પાયમાલ કરેઁ મુઝ્કો ઝાયરાને ચમન
ઉન્હીઁકી શાખે નશેમન કી યાદગાર હુઁ મેઁ.

જરાસે પત્તેને બેતાબ કર દીયા મુઝકો
ચમનમેઁ આકે સરાપા ગમે બહાર હુઁ મેઁ .

ખિઝાઁમેઁ મુઝકો રૂલાતી હૈ યાદે ફસલે બહાર
ખૂશી હો ઈદ કી કયોઁ કર કે સૌગવાર હુઁ મેઁ.

જાર હો ગયે ઓહદે કોહનકે મેખાને
ગુઝિશ્તા બાદા પરસ્તોઁકી યાદગાર હુઁ મેઁ.

પયામે ઐશો મુસર્રત હમેઁ સુનાતા હૈ,
હિલાલે ઈદ હમારી હંસી ઉળાતાહૈ.

 
ઝર્દ=પીળુઁ, બર્ગ=પર્ણ,બાદા પરસ્ત=સુરાનોપ્રેમી, ઝાયર=દર્શક,જાર=ઉજડી જવુઁ

 

 

ઓળખાણ _ગુલઝાર

વિચાર્યુઁ પણ ન હતુઁ કે નામ મારુઁ છે કે નહીઁ.

“ઓ”કહીને કોઈ એ બોલાવી લીધો,

”અરે જી” કહીને બીજાએ હાક મારી,

“અરે ઓ” મિત્રો કહેછે

જેના મનમાઁ જે રીતે આવ્યુઁ

 

 એ રીતે મને હાક મારી
તમે મને એક વળાઁક પર

અચાનક જયારે ‘ગુલઝાર’કહીને

અવાજ દીધો,

જાણે એક છીપમાઁથી મોતી સરી પડ્યુઁ,

જાણે મને એક ઓળખાણ પ્રાપ્ત થઈ ગઈ.

 


(આઝાદ નઝમ ,ઉર્દુ માઁથી અનુવાદ-વફા)
23નવે.2006

શએરનો ધર્મ

વોહ શએર કે પયગામે હયાતે અબદી હય.
યા નગ્મએ જિબ્રિલ હય બાંગે શરાફિલ.

                                                                             _ ઈકબાલ.

 શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શેર:એમાઁ અલ્લાહનો પયગામ માનવ સુધી પહોઁચાડનાર ફરિશ્તા જિબ્રઈલ નુઁ ગીત હોય કે , પછી કયામતનો સૂર ફૂંકનાર ફરિશતા ઈસ્રાફીલનુઁ આહવાન હોય ,સારાંશ કે જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય હોય.શએર સબન્ધી ઉપરોકત દર્ષ્ટિબિન્દુનુઁ અનુસરણ કરવાનો મેઁ આગ્રહ રાખ્યો છે.ગઝને હુઁ કેટલો વફાદર રહ્યો છુઁ એ નિર્ણય તો પાઠકોએ કરવો ઘટે..અલબત્ત એટલુઁ વિસ્વાસ પૂર્વક કહી શકુઁ છુઁ કે ­


વોહ બુલહવસ કે જિન્હેઁ જુર્અતે ગુનાહ નહીઁ.
ગઝલ મેઁ ઢુઁઢતે હઁય વો ઈલાજે તિશના લબી
.


ઉપરોકત શેરમાઁ નિર્દિષ્ટ કામી પુરૂષની ત્રુષ્ણાને સંતોષે એવુઁ તત્વ મારી ગઝલમાઁ નથી.મારે જે કઁઈ કહેવાનુઁ હતુઁ તે મેઁ મારી રીતે કહ્યુઁ છે. એમ કરવામાઁ હુમ જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને એટલો મને આત્મ સંતોષ છે.
_મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)

12-7-1965

માઇલ_સ્ટોન_મસ્ત’હબીબ’સારોદીનઝમ

જાણે કે સ્વેત વસ્ત્રોમાઁ કોઈ હસીન છે.
અથવા પ્રતીક્ષા કરતો કોઈ ભાગ્યહીન છે.
રક્ષક,પહેરગીર, ફરિશ્તો કે જીન છે.
અથવા કોઈ તપસ્વી તપસ્યામાઁ લીન છે.

ખાંભી છે કોઇની કે સમાધિ કે છે મઝાર?
પથ્થર સીમાનો છે કે મહોબ્બતની યાદગાર?

ઊભો છે વ્રુક્ષ_છાંવમાઁ વર્ષોથી એમ તુઁ_
કોઇના આગમનનો કરે કોઇ ઇંતેજાર !
સંકેત દેવા ઊભોછે પણ એવી શાનથી!
મંઝિલ મળ્યાનો જાણેછે સંતોષ ને ખુમાર!

તારા લલાટ પર હજી અંકિત શહૂર છે,
પાંત્રીસ માઇલ અઁહીથી લાહોર દૂર છે!

સૂચન ખરુઁ છે તારુઁ પણ તુજને ખબર નથી,
અહિયાઁના ઇંન્કિલાબ પર તારી નજર નથી.
વાતાવરણની જાણે થઇ તુજ પર અસર નથી,
પહેલાઁ હતો તે રંગ ,આ નકશા ઊપર નથી.

સાચેજ જે શહેરથી તારો સબઁધ છે,
‘રાહી’ના માટે દ્વાર થયાઁ એનાઁ બઁધ છે.

સૂચન પ્રમાણે તારા એ અંતર રહ્યુઁ નથી,
અંતર વધી ગયુઁ છે ઘણુઁ એનો ખેદ છે.
છેટુઁયે એટલુઁ કે કળે કલ્પના નહીઁ,
યુગ યુગનો જાણે રાહ છે,તે પણ અભેદ છે.

તુઁ કે’ છે,દૂર એટલુઁ લાહોર હતુઁ જરૂર ,
પણ આજ કહી શકાતુઁ નથી ,કેટ્લુઁ છે દૂર.

સેવાના ભેખધારી! કરુઁ છુઁ કબુલ કે,
સેવાજ માત્ર તારી છે આદત; કરે છે તુઁ.
વર્ષોથી નિજના ધ્યેયના પાલનમાઁ રત રહી_
નિર્વ્યાજ લીન થઇને ઈબાદત કરેછે તુઁ

પણ આજ તારી એથી જરૂરત રહી નથી,
આ શહેરને તે શહેરથી નિસ્બત રહી નથી..

હે ધ્યાન મગ્ન! જો કે શી પલટી ગઈ હવા,
સાથી નિકટનો ,દૂરનો પંથક બની ગયો;
મતભેદ રાહીઓમાઁ પડયો લક્ષ્ય પર જતાઁ,
મંઝિલ ફરી ગઈ તુઁ નિરર્થક બની ગયો!

જોઇને તુજને આવે છે મુજ મનમાઁ એ વિચાર;
રસ્તો ભૂલી ગયો છે ખુદ રસ્તો બતાવનાર !

બદલાયાઁ અંતે કાફલાના રુખ અને પ્રયાણ;
’દર્શક-નજર’નો ખુદ નજર અન્દાજ થઇ ગયો;
આવે દયા ન કેમ તારી આ દશા ઉપર ?
’રેહબર’ હતો તે ’રાહી’ નો મોહતાજ થઇ ગયો..

પ્રેરી રહ્યો છે પ્રશ્ન એ અંતર _ શિલા ! મને,
મ્યુઝિયમમાઁ જઈને કેમ મૂકી આવુઁ ના તને?

માન્યુઁ,કોઈ વિજેતાની સમશીર તુઁ નથી,
કો. રાયનો મુગટ કે જવાહીર તુઁ નથી,
મોઘુઁ રતન કે રાષ્ટ્રની જાગીર તુઁ નથી,
કો, કર્મ_ધર્મ વીરની તસ્વીર તુઁ નથી

પણ એટલી ખબર છે,અમારો તુઁ પ્યાર છે !
ભૂતકાળની અમારા તુઁ એક યાદગાર છે !

મ્યુઝિયમ માઁ ચાલ,ત્યાઁ રહી કહેજે તુઁ સર્વને,
વેરી અમારા ,અંતે શુભેચ્છક બની ગયા
દુશ્મન હતા જે હિન્દની આન બાનના_
ભારતના ભાગલાના તે સર્જક બની ગયા!

ભારતના ભગલાના જે સર્જક બની ગયા_
એ રાષ્ટ્રદોહીઓનુઁ સ્મારક પ્રતીક છુઁ!

_મસ્ત’હબીબ’સારોદી

શેર

ઊઠો આ રાતને પણ પ્રાતને પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનોછે.

(“માઈલ-સ્ટોન”હ્રદયસ્પર્શી કાવ્ય છે. ભારતના વિભાજનથી સર્જાએલી કરુણતાઓ, આવી પડેલા નિર્વાસિતો સિવાય ગુજરતને ઝાઝી સ્પર્શી નથી ,એટલે ગુજરાતી સાહિત્યમાઁ એનો પડઘો નહીવત પડ્યો છે.
આમ તો આ કાવ્યનો વાચ્યાર્થ સ્પષ્ટ,અસરકારક પણ છે.પરંતુ જીવનના વિવિધ ક્ષેત્રે માઈલ_સ્ટોનો ઊભાઁ છે તેનુઁ એક પ્રતિક છે,એવો વેધક વ્યંગ્યાર્થ પણ એમાથી તારવી શકાય.
સામયિક, ઐતિહાસિક માર્ગસૂચક સ્તંભો પોતે સનાતન માર્ગ નુઁ સુચન કરેછે એવા ભ્રમમાઁ પોતે રહી બીજાને પણ ભ્રમ માઁ રાખેછે,પણ એ લાઁબુ ચાલતુઁ નથી ,નવા માઈલ_સ્ટોન આવે છે અને કારવાઁ એણે સૂચવેલી દિશામાઁ કૂચ કરેછે.
“મંઝિલ ફરી ગઈ ,તુઁ નિરર્થક બની ગયો”
પ્રજાની સ્મ્રુતિના મ્યુઝિયમમાઁ આવા કેટકેટલા માઈલ્_સ્ટોનો પડ્યા હશે.
એમાઁ યુગ_પુરૂષો પ્રત્યે પ્રજાની ક્રુતઘ્નતા નથી ,પ્રુથવીના પરીઘમાઁ સીધા એક માર્ગ આગળ વધતાઁ પ્રુથવીનો છેડો આવે એટલે દિશા બદલીને પ્રજા કૂચ ચાલુ રાખે છે.”ઈકબાલે લખ્યુઁજ છે :

”સિતારોઁ કે આગે જહાઁ ઔર ભી હૈ ! .

_રતિલાલા’અનિલ’

તા.20-6-65)

હદ વટાવી જાયછે-મસ્તહબીબ સારોદી

પ્રેમની જયારે ખુમારી હદ વટાવી જાયછે;
તંગ કરનારાઓ પોતે તંગ આવી જાયછે.

એમનો ઉદ્દેશ એમા શો હશે ,કોને ખબર;
આવતાં પોતે નથી ખ્વાબોમાં આવી જાય છે.

કોણ જાણે એ કયા એ પ્રશ્નનો ઉત્તર હશે;
આંખ જેની યાદમા અશ્રુ વહાવી જાયછે.

જોકે બળવાની મઝા દીપ ને મળેછે રાતભર;
કિન્તુ પરવાનાનો પળમા અંત આવી જાય છે.

એથીયે સુંદર સ્થાનની વાત કર માનુ તને;
સ્વર્ગની પણ વાત એની એ સુણાવી જાયછે.

જિંદગીથી રુઠવા એથી સફળા હું ના થયો,
એ મને સામેથી આવીને મનાવી જાય છે.

કામ આવી જાયછે ભૂતકાળની ભુલો “હબીબ”
મારી નિષ્ફળતા મને રસ્તો બતવી જાયછે.

મસ્તહબીબ સારોદી(એમના ૧૯૬૫ના ગઝલ સંગ્ર્હમાથી)

 

 

રાતો કપાતી થૈ.- મસ્ત હબીબ સારોદી

 

કોઇના આગમનની જયારથી ઘડીઓ ગણાતી થૈ.
ઉઘાડી આંખથી એમ જ બધી રાતો કપાતી થૈ.

છુપી વાતો હતી મહેફિલની તે ચૌટે ગવાતી થૈ.
કોઈ નહીઁ પણ સુરાની વાસ ખુદ વિશ્વાસ ઘાતી થૈ.

તબિયત જયારથી તારા પ્રણયના ગીત ગાતી થૈ.
ભુલાતી ના હતી તેવી બધી વાતો ભુલાતી થૈ.

મને જોઈ નજર એ રીતથી એની લજાતી થૈ.
હતી અફવા સમી જે વાત તે સાચી મનાતી થૈ.

ચમન કોનુઁ, ચમનમાઁ આજ્ઞા કોની પળાતી થૈ.
કળીથી રહી શકાયુઁ ના તો તે મનમાઁ મુસ્કરાતી થૈ.

અમારા મતનુઁ પણ કર્યુઁ ખઁડન કેવી દલીલોથી,
હતી જે વાત જે સાચી આખરે ખોટી મનાતી થૈ.

અમોનેછે ખબર રેહબર થવાની ચાલબાજીની,
અહીઁ એથી અમારા પર તકેદારી રખાતી થૈ.

જરા હળવો થયો આઘાત એથી તો જુદાઈનો,
તમારી હાજરી જયારે કવનમા મુજ જણાતી થૈ.

હતી એક ખેવના મનમાઁ કોઈને કઁઈક કહેવાની,
મથ્યો કહેવા ‘હબીબ’હુઁ એટલે ગઝલો લખાતી થૈ.

મસ્ત હબીબ સારોદી(મસ્તી-69)1965

હું કોણ છુઁ?


હું કોણ છુઁ?
ઘંટ નાદો થયા,
પાત:પણ જો થયુઁ,
સૂર્યોદય થતાઁ હુઁ યે ચાલ્યો જઈશ,
કો અજાણી અદીઠીજ રાહો ઉપર,
નયનનુઁ પાત્ર લઈને વિલોકિશ હુઁ,
સૌ જતી આવતી રાહે મુખાક્રુતિ,
ઓફિસો,કારખાનાઁઓ ,સંસ્થાઓમાઁ,
શાળા કોલેજ કે પેઢીઓમા બધી
મૂલ્ય અંકાવવા મારુઁ યત્ન કરીશ,
પ્રિયે મારા પ્રતિ ,
એક દ્રષ્તિ કરી જોઈલે,
સાંજ પડ્તાઁ સુધી વેચી આવીશ અગર,
નિષ્કપત આ હ્ર્દય ,શુધ્ધ શોણિત હુઁ,
ને ભરી ઝોળીમા ચઁદ ચાઁદીના ટુકડા,.
જો ફરી પાછો અહિયાઁ હુઁ આવીશ તો,
એ સમે તુ મને ઓળખી ના શકીશ,
જઈને હુઁ કોને કહીશ-
જોને હુઁ કોણ છુઁ?

મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

….ઊઠી ચાલ્યો જઈશ. _મસ્ત’હબીબ’સારોદી મર્હુમ

 

સિતારાથી ભર્યો શ્યામલ હવે ઘુંઘટ હટાવી દે,

ઉઠાવ એ આવરણ સન્ધ્યા સવારોના વદન પરથી,

અદાઓ એકધારી જોઈ કંટાળી ગયોછુઁ હુઁ,

નજર થાકી ગઈછે નિત્યા એના એજ દર્શન થી!

કે આ વેરાન દ્ર્શ્યોને ભક્તિભાવનાઁ બઁધન !

અને આ ભુખથી ત્રાસી ઊઠેલાનાઁ જીવન તો જો !

અરે આ મ્લાન ચહેરાઓ! સિતારાઓનાઁ પુલકિત મન!

ખુશાલીના જનાઝામાઁ આ સ્મિત કરતાઁ વદન તો જો!

જરા દ્રષ્ટિ તો કર આ પુરાતન અનજુમન તારી ,

પ્રતીક્ષા ,મીટ, માઁડીને કરે છે નવ -પ્રકાશોની,

નવાઁ દ્ર્સ્યો તુઁ સર્જી દે, બધુઁ વાતાવરણ પલટાવ,

!નહીઁ તો આ જગત ‘સર્જન_પરિષદ નુઁ વિસર્જન કર !

ઊઠી ચાલ્યો જઈશ નહિતર હુઁ તારી અંજુમનમાઁથી!

 

 

 

દીપક બારડોલીકર_મુહમ્મદઅલી વફા 

depakhoto

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પુસ્તકો:પરિવેશ,

આબેકવસર,

વાટના દીવા,

સુન્ની વહોરા,

મેઘ ધનુષ-1,

મોસમ,

મેઘધનુષ-2,

 સિરાતે હરમ,

ગુલમહોરના ઘૂઁટ

કુલિયાતે દીપક

સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ

ગારે-હિરામાઁ*દીપક બારડોલીકર
ના’ત(પ્રશ્સ્તિ કાવ્ય)

અજબ એક કેફ ઘેરાયો હતો ગારે-હિરામાઁ
અલૌકિક તાર જોડાયો હતો ગારે-હિરામાઁ

ખુદાનો શબ્દ પડઘાયો હતો ગારે-હિરામાઁ,
કરિશ્મો એક સરજાયો હતો ગારે-હિરામાઁ

કયામત પણ મીટાવી ના શકે ભીનાશ એની
મહોબતસિઁધુ ઉભરાયો હતો ગારે-હિરામાઁ

સમજની શુષ્ક સરિતાઓ ફરી ભરપૂર થઇ ગઇ
ઇલમનો બાબ ખોલાયો હતો ગારે-હિરામાઁ

હજી પણ છે અને હરદમ રહેશે નૂર એનુઁ
નબુવ્વતદીપ પ્રગટાયો હતો ગારે-હિરામાઁ

અજબ એવી અદબ ઈજ્જત મળીછે ધૂળને પણ
રિસાલત તાજ મોકાયો હતો ગારે-હિરામાઁ

 

ગારે-હિરામાઁ= પવિત્ર શહેર મક્કાને નજીક પહાડી પર આવેલી તે નાની ગુફા જેમાઁ અલ્લહના અઁતિમ નબી હજરત મોહમ્મદ(સલ.) પર અલ્લહ પાકની પ્રથમ વહી ઉતરી.
પત્થર કાળો
પરશે ચુમે લોક
હૈયાઁ ઉજળા
*************
હજી પણ રોશની છે આ નગરમાઁ
હજી પણ આપનો દીપક બળેછે.

 

(દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળાવિ.ને સાઁભળવાનો
મોકો મળ્યો.શ્રી બેકારસા. ના સઁચાલન માઁ મુશાયેરો ખુબ જામ્યો હતો.યાદગાર મુશાયેરામાઁ એનુઁ નામ છે.
1989 માઁ કરાઁચીમા મલીર સીટી માઁ એમના ઘરે મહેમાની માણી.એમણે એમના થોડા પૂસ્તકો ભેટ આપ્યાઁ હતાઁ.મારા નજીકના સ્નેહેઓમાઁથી છે;)

<

મસ્તહબીબ સારોદીઅને એમની હઝલો-કત્બાઓ

 

વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’

મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાઁ એ હતો
મયખાનુઁ એ ત્યાગી ગયો મય પણ પીધા વગર

*’મસ્તહબીબ’સારોદી

ઠેઠ રાઁદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મઁડળથી તે મહા ગુજરાત ગઝલ મઁડળની વ્યાપક પ્રવુત્તિના સમય સુધી ગઝલ પ્રવુત્તિ સાથે રહેલ મસ્ત હબીબ સાચેજ મયનો પ્યાલો હાથમાઁ યે લીધા વિના મયખાનુમ છોડી ગયા.વાસ્તવમાઁ મસ્તહબીબ સારોદી માત્ર શાયરજ નહીઁ ’ઉસ્તાદ’પણ હતા.છઁદો પરનો કાબુ,શાસ્ત્રીય સમજ ,તે ઉપરાઁત શાયરીના અભ્યાસ, અને સમકાલીન ઉર્દૂ શાયરીના અભ્યાસના કારણે એમની સજ્જતા ઉસ્તાદનીજ રહી. એમણે ઘણા શાયરોને ગઝલનુઁ શિક્ષણ અને માર્ગદર્શન આપ્યુઁ.બેકાર(મ.વ્યઁગ શાયર)જેવાને પણ કહી શકતા કે વ્યંગ રચનાઓ /હઝલ અત્યારે ઉર્દૂમાઁ કયે તબક્કે પહોંચી છે.એ વિદ્યાભ્યાસે માણસનો શિક્ષણ પછીનાઁ રસનો વિષય સાહિત્ય શાયરીનો હતો.એમનુઁ માર્ગ દર્શન મેળવી ગઝલ લખવાની શરૂઆત કરનાર ઘણા શાયરો વિદ્યમાન છે.તેમાનાઁ એક આચાર્ય ‘મસ્ત મંગેરા’અને ‘રાઝ’નવસારવી નોઁધનીય છે.કોઈ પ્રવુત્તિ વિકસે ત્યારે તેમાઁ મસ્ત હબીબ સારોદી જેવા પરદા પાછળના માર્ગદર્શનનો ફાળો અવશ્ય હોયછે.
ઉર્દૂ ગઝલ થી માઁડીને ગુજરાતી ગઝલમાઁ ઉસ્તાદ અને ઈસ્લાહ/શુધ્ધિની પરઁપરા રહીજ છે. અલબત્ત નવી પેઢી પોતાની રીતેજ આગળ વધેછે.પણ જો તોયે ચર્ચા અને માર્ગદર્શન સ્વીકારે તો તેમની શાયરીમા નિખાર આવ્યા વિના રહે નહીઁ.’તુલસી ઈસ સઁસારમેઁ’ વ્યઁગ રચનાઓનો એમનો એક નાનકડો સઁગ્રહ છે. યુરોપિયનોમાઁજ નહીઁ મુસ્લિમોમાઁ પણ કબર પર ઓળખ ની તખ્તી હોય છે.ખાસ કરીને પાકી કબર પર.મર્હુમની ટુઁકી પિછાન હોય તો વળી કોઈ કાવ્ય પઁક્તિ પણ કોતરાવેલી હોય.એ મોટે ભાગે ગુણ દર્શી પિછાન હોયછે.,તે મર્હુમની એક બાજુજ પ્રગટ કરે એ દેખીતુઁ છે.
હિટલરની કબર બની હોત તો તેની ઓળખ એક મહાન માણસ તરીકેજ અપાઈ હોત,પણ આપણે જાણીએ છીએ કે એવાઁ જૂઠાણા એક પરઁપરા બની ગઈ છે. એમાઁ ભદ્ર દર્શન હશે,પણ વાસ્તવિકતા તો નહીઁજ .ધારો કે એક શિક્ષક અવસાન પામ્યો છે.સાવ ગરીબ હાલતમાઁ,તો તેની કબર પર કેવો લેખ હોય ?મસ્ત હબીબ શિક્ષક અને તે પછી હેડમાસ્તર બન્યા .આમ પણ શિક્ષકોથી વિઁટળાયેલા રહેતા.શિક્ષકોની હાલતથી અને ગામડાન શિક્ષકોથી સુપરિચિત હતા.
તો જૂઓ એક ચોઁકાવનારો પરિચય એક ચીકણા શિક્ષકનો.(રતિલાલ’અનિલ’_મોજ મસ્તીમાઁથી)

(કત્બા=કબર ના શીલા લેખો)

પ્રાથમિક શિક્ષકની કબર

એમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાન એ શિક્ષક હતા

એમને ભક્ષી ગઈ ‘ઈંન્સાનિયત’
વેદિયા નવ્વાણુઁ નહીઁ પણ સો ટકા.

ખેત મજૂરની કબર

જિઁદગીભર જેણે મજદૂરી કરી
તેજ અઁહી સુતોછે ગેમલ ચાવડો
વારસો પણ કેટલો મૂકઈ ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.

મસ્જીદના મુતવલ્લી(ટ્રસ્ટી)ની કબર:

આ તો મુતવલ્લી હતા મસ્જીદના,
એ મર્યા કેવુઁ કરી શાણપણ
નામ પર પોતાના ખુદ કરતા ગયા-
એકલી મિલ્કત નહીઁ મસ્જિદ પણ

પીર સાહેબની કબર:

એ દુઆ પાણીમાઁ ફૂઁકીને વેચતા,
એમના ગ્રાહક હતા દુ;ખિયાજનો
જ્ઞાન તો ના કાના માતરનુઁ હતુઁ
એમનો ધઁધો હતો તાવીજનો.

બાંગી સા,બની કબર:

કૂચ દુનિયાથી કરીજો એમણે
થઈ ગયા કુકર્મ એમના છતા!
જ્યારે બાઁગી સા’બ મસ્જીદમાઁ હતા
બૂટ શુઁ ?ઘડિયાળ ચોરાતાઁ હતા

હકીમ સાહેબની કબર:

આ કબરમાઁ સુતા છે નામાઁકિત હકીમ
એમણે હીકમતમાઁ નોખી કરામત આદરી
એમની હિકમતનેજ આભારી છે આ
જેટલી દેખાય છે આપને કબરો નવી

પ્રોફેસરની કબર:

આ તો પ્રોફેસર હતા વિજ્ઞાનના,
રાચતા,તા નિત્ય એ વિજ્ઞાનમાઁ
ચન્દ્ર પર એમને જઈ વસવુઁ હતુઁ
પણ સુતા આવી આ કબ્રસ્તાનમાઁ.

પોતાની (મસ્તહબીબ સારોદીની) કબર
(કવિની કબર)

આ કબ્ર છે મુલ્લા રમૂજીની ,હતા એ પણ કવિ,
એમણે જનતાને ખુશ કરવા કવિતાઓ લખી
પણ એમના જીવન કવન પર લોકમાઁ મતભેદ છે
કો,ક કે,.છે જન્નતી કોઈ કે, છે દોઝખી

*મુલ્લાઁ રમુજી(મસ્ત હબીબ સારોદી)

સન્નાટો

કોઇ ધડકન

ન કોઇ સરસરાહટ

ન લહેરખી

ન કોઇ મોજ

ન પ્રક્રિયા

ન કોઇ સ્વાસની ઉષ્ણતા

ન દેહ

આવા સન્નાટામાઁ કોઇ અર્ધુઁ પાઁદડુઁ તો ખરે

કોઇ પીગળેલુઁ મોતી

કોઇ આઁસુ

કોઇ હ્રદય

કઁઇ પણ નથી

આ મર્ગ પણ કેટલો નિરવ છે

કોઇ લલાટ તો ચમકે,કોઇ વિજળી તો ત્રાટકે.

_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)

 

 

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસંબવી

ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છું ખરીદાયો નથી

અભિનંદન

‘ધી સુરતી સુન્ની વહોરા સોસાયટીના સિનિયર પદાધિકારી અને વહોરા વડીલ જનાબ મોહંદભાઈ યુસુફ પટેલ સા.(કોસંબા,તા:મોટામિયાઁ માંગરોલ જિલ્લા:સુરત)ને તેમની કાવ્ય કૃતિ’કેફિયત’ બદલ હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા નડિયાદ દ્વારા ‘રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડ’ માટે પસંદ કરમા આવેલ છે.તે બદલ એમને હાર્દિક અભિનંદન આપતાં આનંદની લાગણી અનુભવીએઁ છીએઁ.જ.મોહમ્મદભાઈની કાવ્ય રચનાઓમાં અનુભવનો આધાર અને ચિઁતનની ચમક હોવાની સાથે ખૂબસુરત શાબ્દિક શૃઁગાર પણ છે.તેઓ હવે પ્છી પણ ઉત્તમ સહિત્ય સર્જન કરતા રહે એવી અભ્યર્થના સાથે’વહોરાસમાચાર’સુરત ના માધ્યમથી અભિનંદન.
(વહોરાસમાચાર,સુરતના સૌજન્યથી, સાભાર)જાન્યુઆરી:2007

‘.નયા માર્ગ’ બાબરી મસ્જીદ વિશે એક સુઁદર નઝમ જાન્યુઆરી’93 ના અંકમાં ‘અગમ’ કોસંબાના નામે છપાયેલી વાંચી,આ કવિ વિશે જાણકારી મેળવવા મેઁ જોગાનુજોગ‘અગમ’નેજ પૂછયું,એમણે બહુ નમ્રતાથી કહ્યુઁ કે એ પોતેજ એ ઉપનામે નઝમો, ગઝલો અને મુકતકો લખે છે.
મને આશ્ચર્ય થયું. આ ભાઈ વર્ષોથી અમારી સંસ્થા   ‘ધી સુન્ની વ્હોરા મુસ્લીમ એજયુકેશન સોસાયટી,સુરત’ ની વ્યવસ્થાપક સમિતિમાં સાથે કામ કરેછે. છતાં કોઇ દિવસ પોતે કવિ હોવા વિશે કોઇને જાણ થવા દીધી નથી.મને એ જાણ થઈ અને અમારી મિત્રતામાં વધારો થયો..ત્યાર પછી મારા વારઁવારના આગ્રહના કારણે એમણે મુકતક સંગ્રહ જોવા આપ્યો.મને એમના મુકતકો ગમ્યાઁ. અને તેમાંથી કેટલાક મેઁ ‘વહોરા સમાચાર’માસિકમાં પ્રગટ કર્યા.એ સિવાય એક ગઝલ એમની ડો.રશીદ મીરના’ધબક’ માસિકમાં પ્રગટ થયેલી એવું જાણવા મળ્યું ,બસ એ સિવાય આ ગઝલકારે કોઇ મુશાયેરામાં ભાગ લીધો નથી,કે કોઇ અખ્બારમાં કૃતિ પ્રગટ કરવા મોકલી નથી.અને વર્ષોથી પોતાની સાહિત્ય સાધના ચાલુ રાખીછે.આમ તો લગભગ આઠ જેટલા સંગ્રહો જુદા-જુદા વિષયો પર ,કાવ્ય,નઝમસંગ્રહ :ગઝલનુમા ગઝલ સંગ્રહ,સમાન રદીફ કાફિયા વાળો મુકતક સંગ્રહ ,ઐતાહાસિક પુરુષોની કેફિયત વાળો મુકતક સંગ્રહ,નઝમ સંગ્રહ અને ગઝલ સંગ્રહ લખાયેલ છે.તે પૈકી આ એક ગઝલ અને મુકતક સંગ્રહ અમારા ભારે આગ્રહના કારણે એમની પાંસેથી મેળવી પ્રગટ કરવા શક્તિમાન થયા છીએ.
આમ તો ‘અગમ’ ભાઇ મોટા ગજાન સામાજિક કાર્યકર છે.ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.રાજકિય રીતે પણ આગળ પડતી વ્યક્તિઓમાં ગણના થાયછે.સુરત જિલ્લા પંચાયતના ઉપ_પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.ભરચક રાજકિય અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એમણે વિપુલ પ્રમાણમાં લેખન કાર્યા કર્યુઁ છે.તે અભિનંદનિય છે.કોઇ પણ જાતના દેખાડા વગર ,પ્રગટ થવાની ઇચ્છા રાખ્યા વગર ,મંચ પર પહોઁચ્યા વિના કે અખબારમાં પ્રસિધ્ધિ માટે ગયા વિના સાહિત્ય સર્જન કર્યુઁ છે.એટલે અમારી સંસ્થાએ આવા પ્રકારના સાહિત્યકારોનો સંગ્રહ પ્રગટ કરવાનું વિચાર્યુઁ.અને આ કાવ્ય સંગ્રહ કેશ_કલાપ(ગઝલ અને મુકતક સંગ્રહ )પ્રગટ કરી આમ જનતાની સેવામા સાદર રજુ કરીએઁ છીએઁ.

 

____મસ્તમંગેરા(તંત્રી ‘વહોરા સમાચાર,સુરત. નિવૃત આચાર્ય આલીપુર હાઈસ્કૂલ ,આલીપુર)
____’જય’નાયક
(‘કેશ_કલાપ ‘ ની પ્રકાશકીય નોઁધ માંથી)

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસંબવીના થોડા મુકતકો અને ગઝલ ‘કેશ_કલાપ’માંથી

લાખમાં એકજ ‘અગમ’ હોવા છતાં
ઓળખાયો છે,એ પરખાયો નથી
***********************
અર્પણ

ગઝલ રોપીને ગુર્જરીના ચોકમાં
સર્વ એવા ગઝલગોત્રી પિતૃનું તર્પણ કરું

ગઝલગોત્રી પૂર્વજોના ઋણ ચઢાવી મસ્તકે
ગઝલના સૂરજમુખી ચરણે ધરી અર્પણ કરું

ગઝલ

સાત નભની પાર ઊડ્જે પાઁખ વિસ્તારી ગઝલ
સાત સાગરના રતનની બઁધજે ભારી ગઝલ

દૂરના તારા પ્રવાસો થાય ના હિજરત ‘અગમ’
સાત બઁદરે રાખજે તુ સાખ પણ તારી ગઝલ

ગઝલ

કેટલા શાયર થયા તારાજ આભારી ગઝલ
કેટલા ગાયક થયા તારજ પ્રતિહારી ગઝલ

તેઁ કૃપા દ્રષ્ટિ પ્રસારી સર્વે એ રસિયા ઉપર
એ રસિકોએ વધારી શાન લલકારી ગઝલ

ચિત્કાર

ઉપેક્ષિત ઋગ્ણ કવનો આજ ઊઠયાઁ આમ ચિત્કારી
દયા દાખવ અમારા પર ,બજાવી લે ફરજ તારી

ઘણા અભરાઈ પર સબડે,ઘણા રોતાં ખૂણો પકડી
સમેટી લે ,સમારી લે ,સજી લે ગ્રંથ અલમારી
*
ગઝલો
 
નિવેદન કરું છું

ફરી જખ્મ જુના સજીવન કરું છું
પછી રકત રંજીત નિવેદન કરું છું

રુઝાયા જખમનું હું છેદન કરું છું
રસામૃત ઝરે, પી જવા મન કરું છું

કલાકારનો જીવ નવરો કરે શુઁ
હું સૌઁદર્યને પણ સુશોભન કરું છું

વિચરતો નથી ફકત વૃઁદાવનોમા
રઝળપાટ પણ હું વનેવન કરું છું

નનામી સમા મૌન_મંચે બિરાજી
વિવાદી સભાનું સમાપન કરું છું

અગમ “
હદ નથી

જિઁદગીની યાતનાને હદ નથી
મોતને પણ તો જરી ફૂરસદ નથી

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી
વૈદ! તારી ભાવના ભગવદ નથી

વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાં હુંપદ નથી

જીવવુંછે સ્વર્ગને રટવું નથી
પૃથવીની ઓળઁગવી સરહદ નથી

કવ્યમય વાણી અગમની છે છતાં
એટલો એનો વિષય રસપદ નથી

*અગમ કોસંબવી

પરખાયો નથી

 

ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છું ખરીદાયો નથી

પાનખર વેળાયે પડકાયો નથી
ને વસંતી વાયરે વાયો નથી

કમળ કાદવમાં ખીલે છે તેમ હું
ખૂબ મરડાયો છું ખરડાયો નથી

લાખમાં એકજ’’ અગમ’ હોવા છતાં
ઓળખાયો છે એ પરખાયો નથી

પ્રેમ વૃષ્ટિમાં અગમ ભીઁજાય છે
રૂપ જળમાં એ કદી ન્હાયો નથી

*અગમ

સુવું ગમે



ભીની ભીની રેતમાં સુવું ગમે
ને લચીલા ખેતમાં સુવું ગમે

ભૂમિ માના હેતમાં સુવું ગમે
મોતથી થઈ બેતમાં સુવું ગમે

સુખ નથી સુવા સમુઁ જાણ્યા પછી
સ્વપ્નનાં સંકેતમાં સુવું ગમે

સ્વપ્નનાં સંકેત જો મળતા રહે
મોત પણ હો વેઁત માં, સુવું ગમે

મોતના પશ્ચાત જીવન હોય તો
હો ભલે એ વેઁતમાં સુવું ગમે

સ્વપન ફળત હોય કે ના હોય કે
સ્વપ્નનાં સંકેતમાં સુવું ગમે

જિઁદગી પડખું ફરે ત્યારે અગમ
કફન કેરા શ્વેતમામ સુવું ગમે

*અગમ

 

ઉપનામ : જિગર ટંકારવી

જન્મ સ્થળ: ટંકારી બન્દર

તા: જઁબુસર જિ.ભરૂચ

અભ્યાસ : બી.એસ.સી

વ્યવસાય : સરકારી સેવામાઁથી નિવ્રૃત

વહોરા સમાચાર માસિકના

સહતંત્રી પદે.

પ્રકાશનો : ચૂપ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્ર

કોઇ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્રનુઁ સહ સઁપાદન

ગુજlish ગઝલોનુઁ સહ સઁપાદન

ફૂલવસો ગઝલ સંગ્રહ

હાલનુઁ સરનામુઁ: રિયાઝ મઁઝિલ ,અલીફ નગર,તિઘરા રોડ

પો.કાલિયાવાડી_396 427

 જિગર ટંકારવીનામ : ઈબ્રાહીમ અહમદ પટેલ 

તા.જિ. નવસારી(ગુજરાત)

માણો એમની સુઁદર ગઝલો.

શબ્દનું તાંડવ—જિગર ટંકારવી

યાદની આ જેલ તોડી જોઈએ

વિસ્મરણનો માર્ગ શોધી જોઈએ

 

કેટલી ફળદ્રુપ છે દીવાસળી !

સ્પર્શ પણ એકાદ રોપી જોઈએ

 

તૂટતી જોવા મળે ભીંતે વસંત

ફૂલની ખૂશ્બૂઓ ઘોળી જોઈએ

 

શબ્દનું તાંડવ કરી લીધું હવે

ચાલ ત્રીજું નેત્ર ખોલી જોઈએ

 

વેદનાના સાવ સુક્કા રણ મહીં

કૈંક ઝાકળ જેવું ઢોળી જોઈએ

 

હાથમાઁ

કૈઁક લીલુઁ સમ ઉગાડો હાથમાઁ

રેખના હરણાઁ ને પાળો હાથમાઁ

વેરનો કેવોય હો રસ્તો વિકટ

હાથ સબઁધોના આપો હાથમાઁ

 ભેદની મુઠ્ઠી ન ઉઘડે ત્યાઁ સુધી

ખાલીપો ઝૂર્યે જવાનો હાથમાઁ 

ભાગ્યનુઁ જંગલ ગહેકશે કોઇનુઁ

મોર મેઁદીનો કળાયો હાથમાઁ

એકનો તો એક પણ દેખાય ના

એકમાઁતો એક આખો હાથમાઁ

વાતાવરણ

આવ સથે માણીએ બે એક ક્ષણ

આજ માફક લાગતુઁ વાતાવરણ 

બઁધ બારી રાખવી ગમતે મને

પણ જરૂરી છે હવા ,અજવાશ પણ

વાત ખુશ્બોશી પ્રસરતી જાય છે

મૌન તારુઁ ફૂલ જેવુઁ છે સજણ

પ્રાત: સાથે અંત પ્રતીક્ષાનો થશે

એટલે મીઠુઁ કર્યુઁ છે જાગરણ

 એક આશાની ખજૂરી શોધુઁ છુઁ

સૂર્ય માથે ને ઉડે છે રેત કણ

_(ફૂલવાસો)

પડછાયો_યોગેશ જોષી

એક સાંજે

મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.
સામેના થોરની વાડ પર આળોટ્યો
ને
લોહીઝાણ થઇ ગયો
પછી કોઇ સળગતીએ ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળના લીમડાની નીચે
ખરી પડેલા લીલાઁ પાઁદડાની પથારીમાઁ
આખી રાત આળોટયો,
ને સવારે ઊઠીને
પાદરનુઁ તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યો સામેના જુના મઁદિરે,
મઁદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.

_યોગેશ જોષી(કંકાવટી35માર્ચ2006)

પડછાયો_ આસ્વાદ*રાઘેશ્યામ શર્મા

વરસાદના એક ટીપાઁ પર આખીયે સૃષ્ટિને કોતરવાનુઁ કામ ‘એક શબ્દ નિષ્ઠ સર્જકને બાકી લાગેછે.’પડછાયો’ આવા કર્તાની કૃતિ છે..પડછાયો કયારે હોય ?પ્રકાશ હોય ત્યારે અન્ધકારમાઁ છયા ઓછાયાનો પોરો પોખવા મળે ખરો?પ્રકાશનો મહિમા છે, પડછાયાને કારણે.પડછાયાની ગરિમા કવિતામાઁ વર્ણન પામીછે પ્રકાશને લીધે.પરસ્પર અવિનાભાવિ સબન્ધની ઓરમાઁ વીઁટળાયેલા છે.જયાઁ જયાઁ પ્રતિચ્છાયા હશે પડછાયો હશે ત્યાઁ ત્યાઁ પ્રકાશ હોવાનો જ.આધુનિક કવિ નિરંજન ભગત ,નરસિઁહ મહેતા બન્યા સિવાય સરસ પઁકતિઓ આલેખી ચુક્યા છે.

હુઁ ને મારો પડછાયો
જ્યાઁ દીપક બુઝ્યો
હુઁત્યાઁ ઓલવાયો.

યોગેશની રચનામાઁ ‘પડછાયો’અભિનવ આકૃતિ ધારણ કરી ગતિ કરતો પામીએ છીએ.સાઁજના સમયે જયારે કે એક સ્વયઁ સંચલિત સ્વતંત્ર વ્યક્તિત્વવાન ના હોય એમ પડછાયો કાવ્ય નાયકથી અળગો થઈ ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.પડછાયો પોતાની નિયતિ અને નિતિ અને વિધિ મનુષ્યથી મુકત થઈ નક્કી કરી શકવાનો સમર્થ ખરો?હા કાવ્ય કૃતિમાઁ શક્ય છે.કદાચ કાવ્યની આકૃતિમાઁજ.અહીઁ તો સ્વતંત્ર થવાનુઁ મૂલ્ય પોતાને ભોગે અને જોખમે અનુભવે છે.પરિણામે….
‘સામેના થોરની વાડ પર આળોટ્યો ને લોહી ઝાણ થઈ ગયો.’ વ્યક્તિથી વિલગ થયેલી પ્રતિચ્છાયા મૃત્યુપર્યઁત લઁબાઈ છે. માટે તો ‘કોક સળગતી ચિતામાઁથી આરપાર પસાર થઈને સ્મશાન પાછળનાઁ લીમડાની નીચે ખરી પડેલ લીલાઁ પઁદડાની પથારીમાઁ આખીય રાત આળોટ્યો..’
માણસની સદ્ય ચેહના વિરોધમાઁ લીલા પાઁદડાનો વૈભવી ભોગ અને ઠાઠ સરળતાથી શબ્દ રૂપ પામ્યો ગણાય.રાત આમ વીતી ત્યારે સવારે પડછયો પાદરનુઁ તળાવ તરીને ‘જૂના મઁદિરે’પહોઁચે છે.છેક શિખરે પહોઁચી જાય છે.જુનુઁ મઁદિર અહીઁ પડછાયાની કારકીર્દિર્ની પરાકષ્ઠારૂપ મોક્ષના સઁકેત પ્રતિક લેખે પ્રત્યક્ષ કરાવાયુઁ છે.
મનુષ્યની માફકજ પડછાયાને પ્રગતિ કરતો દર્શાવવામાઁ થોડુઁ સમીકણાત્મક બની જવાનો દોષ સઁભવ પેઁસી ગયો છે.વ્યક્તિને સ્થાને પડછાયા ને બરબર લગોલગ ,કટોકટ મૂકવાની કર્તાની ટેકનીક કસબ તરીકે ખોટી નથી.પણ આપણને એંથ્રોમોપોમોર્ફિક’માનવ ગુણારોપક સભાનતા અર્પી ગયા સિવય છોડતી નથી .પણ કદાચ નિર્વાર્ય નથી.
અજાતની રચનાઓમાઁ .
આમ છતાઁ ‘પડછાયા’ને કવિતાની આકૃતિમાઁ જ ઉધ્ધારનારી અઁતિમ પઁક્તિઓ સબળ છે. માટે કૃતિ સફળ છે.
ને ફરફરતો રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.’
ધર્મ પ્રતિકનાઁ કલંક રૂપ મેલમાઁજ પડછાયો ભળી જવાની વિગતથી વક્રોકતિ યોગેશની આધુનિકતાનો ઉત્તમ અણસાર આપે છે.
(શ્રી રાઘેશ્યામ શર્મા ના આ રચનાનાઁ આસ્વાદમાઁથી બહુઁ થોડુઁ ટુકાવીને)
આ અછાંદસ રચનાની હકીકી ટિપ્પણી તો શ્રી યોગેશ જોષીજ આપી શકે.પરઁતુ શ્રી રાઘેશ્યામ શરમાની દલીલો અને ટિપ્પણી સ્વીકારવામાઁ કોઈ અવરોધની ભાવના જનમતી નથી.આપણો પડછાયો પ્રકાશના કિરણોની ભેટ છે. ભર બપોરે ટપકુઁ થઈ ને આળોટતો ,સાઁજના સમયે એ ઘરો અને દિવલો કૂદીને લઁબાતો ફેલાતો જાયછે.રાત્રે બિલકુલ અઁધારામા શોધ્યો જડતો નથી. જરા માચીસની સળી સળગાવો સજીવન થઈ જાયે છે.જે મોકો મળતાઁ આપણા ‘કી હોલ મોરલ’.એષણા.ઈચ્છાઓ,વાસનાઓ,કામનાઓ,તમામ પ્રકારની બેહુદગીઓ આપણી સાથે પડછાયાની જેમ ચાલે છે. સમયાઁતરે રૂપ બદલી લાઁબી,ટુકીઅથવા અદ્રશ્ય થઈ જાયછે,મૃત્યુ પર્યઁત પીછો છોડતી નથી._વફા

 

ચાર આના*** સઆદત હસન મનટો(ઉર્દૂનાં સુપ્રસિધ્ધ ક્રાંતિકારી વાર્તાકાર)
 
 લૂંટ મારની બજાર ગરમ હતી,.અને એની ગરમી માં વૃધ્ધિ થઇ ગઈ જયારે આગ ચારે દિશાએ ભડકવા લાગી.એક માણસ હાર્મોનિયમની પેટી ઉઠાવીને આનંદથી ગીત ગાતો જઈ રહ્યો હતો.જબ તુમ્હી ગયે પરદેશ, લગા કર ઠેશ,ઓ પ્રીતમ પ્યારા,દુનિયામે કોન હમારા.એક નાની ઉમરનો છોકરો થેલીમા પાપડો નો અંબાર ખડકી ને ભાગી રહ્યો હતો..એને ઠોકર લાગી તો પાપડની એક થોક્ડી એની ઝોળીમાંથી  પડી ગઈ.છોકરો એને ઉપાડવા માટે જરા નીચે નમ્યો તો સીવવાનો સંચો ઉઠાવી જઈ રહેલા એક માણસે કહ્યું કે રહેવા દે બેટા,  રહેવા દેએ તો આમજ પોતે શેકાય જશે,ત્યાં તો બજારમાં એક ભરેલી ગુણા નીચે પડી.એક માણસે ઉતાવળ થી આગળ વધીને પોતાના છરાથી તે ગુણી ને ચીરી નાંખી.સફેદ દાણા વાળી ખાંડ ઉભરીને બહાર નીકળી આવી.લોકો ભેગા થઈ ગયા અને પોત પોતાની થેલીઓ ભરવા લાગ્યા. એક મણસ અંગરખા વગરનો હતો ,તેણે જલ્દીથી પોતની લુંગી ખોલી અને એમાં મુઠ્ઠી ભરી ભરીને નાંખવા લાગ્યો
હટી જાવ હટીજાવ્ કહેતાં એક ટાંગો પોલીશ કરેલી અલ્મારી લઈને પસાર થઈ ગયો.એક ઉંચા મકાનનની બારી માંથી મલમલ નું થાન સર સરાહટ કરતું બહાર ફેંકાયું. આગના ભયંકર શોલાની જીભ  એને ચાટી રહી હતી..સડ્ક સુધી પહોંચતા તો તે રાખ નો ઢગલો થઈ ગયું.પોં,પોં,પોં કારના હોર્ન ની સાથે બે સ્ત્રીઓની ચીંખો પણ હતી.લોખંડની એક અલમારી દસ પંદર માણસોએ ખેંચીની બહાર કાઢી,અની દંડા વડે એને ખોલવાનું શરુ કર્યુ.કવાને કીસ્ટના ઘણા ડબ્બા બન્ને હાથે ઉઠાવ્યા.પોતાની દાઢીના ભાગથી એને ટેકવી એ માણસ દુકાનમાંથી બહાર નીકળ્યો.અને બજારમાં ધીરે ધીરે ચાલવા લાગ્યો.ત્યાંતો મોટેથી અવાજ આવ્યો ,આવો આવો લેમનેડ પીઓ.ગરમીની ઋતુ છે.ગળામાં કારના ટાયર નાંખીને બે બોટલો પીધી ,અને આભાર માનવા વગર ચાલતી પકડી.
એક અવાજ આવ્યો કે કોઇ આગ હોલવવા વળાઓને સંદેશ પહોંચાડીદે કે બધો માલ બળી જશે.કોઇએ પણ આ સૂચન પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.,લૂંટ મારનું બજાર ગરમ રહ્યું..અને એની આગ ચારો તરફ પ્રસરવા લાગી..આગ રાબેતા મુજબ પ્રગતિ કરી રહીહતી.
 ઘણા સમય પછી તર,.તર નો અવાજ આવ્યો.ગોળીઓ વરસવા લાગી.પોલીસને બજાર ખાલી નજર આવ્યું.પરંતુ દૂર ધુમાડા ઘેરાયલી કારની પાંસે એક માણસનો પડછાયો નિહાળ્યો.પોલીસના સિપાહીઓ સીટીઓ મારતા એં તરફ લપક્યા.પડછાયો ઝડપથી એધુમાડાની અંદર લુપ્ત થઈ ગયો.પોલીસે એનો પીછો કીધો.ધુમાડાનો પ્રદેશ પુરો થયો ત્યાં પોલીસના સિપાહીઓએ જોયું કે એક કાશ્મીરી મજૂર બરડા પર વજનદાર ગૂણ ઉઠાવી ભાગી રહ્યો છે.સીટીઓ નાં ગળાંઓ શૂષ્ક થઈ ગયાં પણ તે મજૂર થોભ્યો નહીં.તેની પીઠ પર વજન હતું.સાધારણ વજન નહીં પણ સંપૂર્ણ ભરેલી ગૂણ હતી. પરંતુતે એ રીતે દોડી રહ્યો હતો જાણે પીઠ પર કશું છેજ નહીં.સિપાહીઓ હાંફવા લાગ્યા..એક સિપહી એ તંગ આવી ને પિસ્તોલ કાઢી અને ગોળી મારી દીધી.ગોળી કાશ્મીરી મજૂરની પિંડલીમાં લાગી હતી.ગૂણ એની પીઠ પરથી ગબડી પડી.ઘભરાઈને એણે સિપાહી પ્રત્યે નજર કરી .વહેતા લોહી પ્રત્યે પણ એની નજર ગઈ ,પરંતુ પાછી એકજ ઝટકામાં ગૂણ ઉઠાવી  ને ભાગવા લગ્યો.સિપાહીઓએ વિચાર્યું જવા દો ,ભલે જહન્નમાં જાય.પણ પાછો એને પકડી લીધો..રસ્તામાં કાશમીરી મજૂરે વારંવાર વિનંતી કરીકે સાહેબ, તમે મને શા માટે પકડો છો?. હું તો ગરીબ માણસ છું,ચોખા ની એક ગૂણ લીધેલી.ઘર વાળાં ખાતે. તમે મને ખોટી રીતે ગોળી મારી.પરંતુ એની એક પણ વાત સાંભળવામાં ન આવી.પોલીસ થાણામાં કાશમીરી મજૂરે પોતાના બચાવ માં ઘણું કહ્યું.સાહેબ !બીજા લોગો બરાબર માલ ઉઠાવી ગયા. મેં તો ફકત એકજ ચોખાની ગૂણ લીધીછે.સાહેબ હું ઘણોજ ગરીબ છું.રોજ ભાત ખાવાનું જોઇએં છે..જ્યારે તે થાકી ગયો ત્યારે એણે પોતાની મેલી ટોપીથી માથાનો પસીનો લુંછયો.અને  ચોખાની ગૂણ પ્રતિ નિરાશાની દ્રષ્ટિ નાંખી ફોજ્દારની સામે હાથ ફેલાવી કહ્યું. સારું સાહેબ ! તમે આ ગુણી તમારીપાંસે રાખીલો,હુંમારી મજૂરીનો હકદારછુંચાર આના
 (સઆદત હસન મંટો,ઉર્દુના લાજવાબ વાર્તા કાર છે.સંવેદન અને કરુણ નિરૂપણ એની સત્ય વકતતા ,અને નિર્ભય વ્યકતવ્યમાંથી આવે છે,વિભાજન ની કરૂણતાઓ એણે વાર્તાઓમા નિરુપી છે,એની વાર્તાઓનો વિશ્વની ઘણી ભાષામા અનુવાદ થયા છે. 42-43વર્ષની ઉમરમાં ઘણું જોયું, ઘણું લખ્યું.જયારે લખ્યું કાળજું બહાર કાઢીને મુકી દીધું..વિભાજન વેળા કોઇ શહેરમાં ચાલેલી લૂંટ માર  નું દ્રશ્ય ખડું કરી ,કરુણતા રેલાવી જતી આ એક લઘુ વાર્તા)

 

 

  

 

Saadat Hasan Manto (Urdu: ‏‏سعادت حسن منٹو) (May 11, 1912January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like

Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages. 

શિખર રાખીએ છીએ – આદિલ મન્સૂરી

આ જીંદગીની એવી સફર રાખીએ છીએ
કે ઊંટ ઊપર આખ્ખું યે ઘર રાખીએ છીએ.

માથે કફન ને પગમાં કબર રાખીએ છીએ
છેલ્લો ઊતારો ક્યાં છે ખબર રાખીએ છીએ.

જીવનની દોડધામમાં ભૂલ્યા નથી તને
તારો ખયાલ આઠે પ્રહરરાખીએ છીએ.

તારા સિવાય અન્ય બીજું કોઈ પણ નથી
એવો ભરોસો તારા ઉપર રાખીએ છીએ.

નીચે તળેટીમાંના આ ખાડે પડ્યા પડ્યા
દષ્ટિમાં સૌથી ઊંચુ શિખર રાખીએ છીએ.

અમને ખબર છે ત્યાં નહીં પહોંચી શકાય પણ
ત્યાં પહોંચવાનાપંથે નજર રાખીએ છીએ.

ક્યારેક ઊતરી જાય છે પથ્થર હ્દય સુધી
થોડી ઘણી શબદમાં અસર રાખીએ છીએ.

એને ભલે કળામાં કોઈ સ્થાન નામળે
આદિલ અમે ન ગણ્ય હુનર રાખીએ છીએ.

                           

બહાર_વસંત_મોહંમદઅલી ,વફા 

 બહાર આઈ હૈ લાલાઓ ગુલસે ભર દે તુ પયમાના
રહે લાખો બરસ સાકી તેરા આબાદ મયખાના.
(ઉર્દુ_શાયરનું નામ યાદ નથી.)

હાઈકુ:

વસંત કાધે
બિંદાસ્ત સુતેલ છે
તે પાનખર

ફરી હિન્દીનાસુભદ્રા કુમારી ચૌહાન યાદ આવ્યાં:

વીરો કા કૈસા હો વસંત

ઉર્દુ,ફારસીમાં તો હદ થઈ ગઈ છે બહાર(વસંત) ની રચનાઓ પર.

ફાર્સી સુવિખ્યાત સુફી સંત શાયર શેખ સાદી(રહમતુલ્લાહ અલયહિ એટ્લે એમના પરઅલ્લાહ દયા વરસાવે. આ.)ની એક રચના ધોરણ 11(મેટ્રીક 1960) માં ભણેલા

.બહાર આમદ બહાર આમદ બહાર આમદ બહાર આમદ .
ગુલો સુર્ખો હઝાર આમદ. બહાર આમદ બહાર આમદ.
જમીનો સબ્જ ઝાર આમદ બહાર આમદ બહાર આમદ.

અનુવાદ:

બહાર આવી, બહારઆવી ,બહાર આવી, બહાર આવી.
હજારપૂષ્પો લગાર લાવી. બહાર આવી બહાર આવી
ધરા ઉપરફુટી નીલ વર્ણ જાજમ બહાર આવી બહારઆવી.
 

આખી રચના યાદ નથી રહી .કોઇ ફારસીના કવિ પ્રેમી પાંસે હોય તો કોમેંટમાં મુકવા નમ્ર વિનંતી.) ડોકિયું:

શિક્ષકે એક વિદ્યાર્થીને આ નઝમ નો ગુજરાતી અનુવાદ પૂછ્યો.વિદ્યાર્થી વાંચવા વગર આવેલો. પણ ચાલાક વિદ્યાર્થી એ સામન્ય બુધ્ધિના આધરે અનુવાદ કર્યો

અહમદ બહાર આવ,અહમદ બહાર આવ, અહમદ બહાર આવ,અહમદ બહાર આવ

ગુલ બહારછે,સુખો પણ બહાર છે,હજારે પણ બહાર છે , અહમદ બહાર આવ,અહમદ બહાર આવજમીન પર ઘસેડાયને પણ આવ, અહમદ બહાર આવ,અહમદ બહાર આવ

.અમે ખડ ખડાત હસવાનું કર્તવ્ય બજાવ્યું ,અને સાહેબે ગુસ્સે થવાનું.

સોહાગ રાત_જય ગજ્જર

  

સોહાગરાતનાં મીઠાં સપનાં સેવતી ડેલા પીટરનાં બેડરૂમમાં ગઈ.બેડરૂમ પીટરે કોઈ હોટેલના હનીમૂન સ્યુટ જેમ શણગાર્યો હતો. સામેની દીવાલ પર એક બેનર લટકાવ્યું હતું. ‘આઈ લવ યુ ડેલા’ માય ડાર્લિંગ…… વેલકમ ઈન માય ન્યુ લાઈફ! ‘
પલંગની બેડમાં ચારે બજુ પૂષ્પો પાથરેલાં હતાં. એ બધુ જોઇ ડેલા ધન્ય થઈ ગઈ .સોહામણાં સપનાં સાકાર થવાની આશાએ બેડરૂમનો દરવાજો બંધ કરી એ બેડ પાંસે આવી. પીટરને ઘસ ઘસાટ ઊંઘતો જોઇ એને નવાઈ લાગી.કદાચ એ એની મજાક કરતો હશે.ભર ઊંઘમાં હોવનો ડોળ કરતો હશે એમ માની એ નજીક સરકી

જોયું તો પીટર ખરેખર ગાઢ નિન્દ્રામાં હતો,અને બબડતો હતો ‘આઈ લવ યુ કેલી,કમ નીઆર મી.આજ મને તારા પ્રેમ સાગરમાં ડૂબાડી દે. આ પળની હું વર્ષોથી રહ જોતો હતો.કમ ઓન અહીં આપણે બેજ છીએં. ….એક તું અને એક હું,ડાર્લિંગ…આજ આપણી સોહાગ રાત છે!તારે માણવી છે ને?
અને બે હાથ પહોળા કરી એને બાથમાં લઈ કિસ કરતો હોય એમ સિસકારી બોલાવી. સપનાં ખાક થતાં જોઈ ડેલા ડઘાઈ ગઈ.સાનભાન ગુમાવીને એ ધબ દઈને જમીન પર ઢળી પડી.એના એ અવાજથી પીટર ઝબકીને જાગી ગયો.બેડમાંથી બેઠાં થતાં બોલ્યો ,’શું થયું ડેબી? થાક અને ઉજાગરાના ચક્કર આવી ગયા? તને સત્કારવા અને રૂમને શણગારવામાં અને તારી રાહ જોવામાં હું પણ કંટાળી જતાં કયારે આંખ મીચાઈ એની ખબરે ન પડી,”
અને એને ઉભી કરી કીસ કરી બોલ્યો, આવ,મારી મહેબુબા ..આજતો આપણી સોહાગરાત છે.તારી કોમળ કાયા સમર્પી આજ મને તૃપ્ત કરી દે ! બેડમાં આવ માય ડાર્લિંગ.’ ડેલા ઘડી ભર તો અનિમેષ નયને પીટર સામે તાકી રહી.એના મનમાં કેલી ઘેરાઈ રહી હતી! શું પીટરના જીવન માં કોઇ કેલી નામની સ્ત્રી હશે ?
એ મોઢું ચઢાવી સુન મુન બેસી રહી. પીટર એના હોઠ ચુમી બોલતો રહ્યો, ‘ આઈ લવ યુ ડેલા!ડેલા તું મારું સર્વસ્વ છે..તારા સિવાય આ પીટરનાં જીવનમાં કોઇને સ્થાન નહીં હોય ! તારી જાતને સમર્પી મારા મનને તૃપ્ત કર…કયારનો તારી રાહ જોઈ બેસી રહ્યો હતો… અત્યાર સુધી ક્યાં ભરાઇ રહી હતી ?’
ડેલાથી ન રહેવાયું. એણે ગુસ્સામાં બોલી નાંખ્યું .’તમારી કેલી સથીની વાતોમાં અટવાઈ હતી.એણેજ મને રોકી રાખી હતી ! તમારે મારી શી જરુર છે ?તમને જે જોઇએ તે તમારી કેલી પાંસેથી મળી રહેશે. હું તો નામની તમારી પત્ની છું ને ? કેલી ને પ્રેમ કરતા હતા તો મને પરણ્યા કેમ ? યુ ચીટ !’

પીટરને પરિસ્થિતિનો આભાસ થતાં શાંત મને કહ્યું , ‘મારા જીવનનું એ રહસ્ય સમય આવે હું તને એક દિવસ કહેવાનો હતો, પણ આજ સોહાગ રાતે એ કહી તારો મૂડ બગાડવો ન હતો.બોલ કેલી તને કયાં મળી ?’ ’તમારી ગોદમાં .. ડેલાએ ગુસ્સામાંજ કંઈ વિચાર્યા વિના જવાબ આપી દીધો.’ ’મજાક છોડી સચું કહે! ‘ ’તમેજ સાચું કહોને ? તમારા જીવન મં કોણ છે આ કેલી ? આવો વિસ્વાસઘાત કરી મને છેતરશો એની તો મેં કલ્પનાયે નહોતી કરી, ‘કહેતાં એની આંખો ભરાઈ આવી અની ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી’ એની રડતી જોઇ પીટળ પીગળી ગયો અને પરિસ્થિતિ પામી જતાં બોલ્યો, ‘તેં મને કેલી સાથે વાતો કરતાં સાંભળ્યો હતો?

હા તમારા પાપનો ઘડો આજે ફૂટી ગયો છે. મનનું બધુંજ તમે ઓકી નાંખ્યું ! ‘ ડેબીના આ શબ્દો સાંભળી પીટળ ખડખડાત હસ્યો અને બોલ્યો, ડેબી, હું કેલીને ખૂબ પ્રેમ કરતો હતો .કોલેજ કાળમાં અમે એક બીજાનાં પ્રેમી હતાં.’સાથ જીના સાથ મરના’ નાં સપના સેવ્યાં હતાં .ગ્રેજ્યુએટ થઈ લગ્ન કરવાનાં હતાં.છેલ્લ વર્ષે પરીક્ષા પતતાં અમે નાયગ્રાનો ધોધ જોવા ગયાં.બે કલાક મોજ માણી ધોધને આરે સામે ખેલ્યાં હતાં.એકાએક કેલીએ બેલેંસ ગુમાવતાં એનો પગ લપસ્યો અને કેલી વહેતા ધોધમાં પડી.જોત જોતામાં એનાં પ્રહવામાં તણાવા લાગી.અર્ધા કલાક પછી રેસ્ક્યુ ટીમ દોડી આવી ,પણ કેલી નો દેહ નાયગ્રાના પ્રહવાહમાં ઘણો દૂર નીકળી ગયો હતો.એટલે ક્યાંય પત્તો ન લાગ્યો.
કેલી આમ મારા જીવનમાંથી ગઈ.હું શરૂમાં એના દિવા સ્વપ્નો જોતો રહ્યો,અને પછી તો રાત્રે એ મારા બેડમાં આવવા લાગી.હું એને જોતાં એની સાથે પાગલની જેમ વાતો કરતો રહ્યો.મમ્મીને હું પાગલ લાગ્યો.એણે મને એનાથી છૂટકારો મેળવવા એક સંત પાંસે લઈ ગઈ.એમણે મને ચાર શબ્દોનો એક મંત્ર આપ્યો.દરરોજ સુતાં પહેલાં એનો જાપ કરવાથી એ દેખાતી બંધ થઈ જશે એવી ખાત્રી આપી.હું એવા કશામાં માનતો નહતો.પણ મંત્રની અસર જોઇ મને એમાં શ્ર્ધ્ધા બેઠી.આજ તને સત્કરવાની અને આ ઓરડો સજાવવાની ધૂનમં એ જાપ કરવાનું ભૂલી ગયો હતો,અને થાકના કારણે આંખો ક્યારે મીચાઈ ગઈ એની ખબરે ન પડી.
આજ એ મારી પાંસે આવતાં હું બકવા લાગ્યો હોઈશ અને તુ અમાર નુશખા અને ગાંડા વેલા સાંભળી ગઈ હોઇશ.એનોજ ગોટાળો સર્જાયો લાગે છે.પગલી કેલી તો બે વર્ષ પહેલાં મરી ગઈ છે.એને હું ખરેખર ભૂલીજ ગયો છું.ડેબી સિવાય મારા જીવનમાં કોઇજ નથી .હવે સત્ય હકીકત સમજાય છે ને ?આવ. મને તાર પ્રેમ સાગરમાં ગરકાવ કરી દે.’કહેતાં બે હાથ લંબાવ્યા.’ડેબીને સત્યનું ભન થતાં ખડખ્ડાત હસીને બોલી,’તમારી મનો ભૂમિમાં હજુ કેલી ચૂપાઈ બેઠી છે, એકેમ ભૂલી જાઓ છો? મારે તમને એની જાળમાંથી કાયમના છૉટકાર માતે કંઈક કરવું પડશે,’કહેતાં પેતરનાં હોઠ પર એના બે હોઠ બીડી લાઈટની સ્વીચ ઓફ કરી’

 

 

(લેખકનો પરિચય: બૃહદ ટોરંટોના મિસિસાગા નિવાસી સાહિત્યકાર જય ગજ્જરને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ માસિક તરીકે પુરસ્કૃત ગુજરાતીઓના પ્રિય ‘નવચેતન’ માસિકમાં 2006 ના વર્ષમાં પ્રગટ થયેલ વાર્તાઓમાં જય ગજ્જરની’ અકસ્માત’ વાર્તા 2006ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પસંદ પામી છે.અને તે માટે નવચેતન ટ્ર્સ્ટ તરફથી 2006ના વર્ષનું નાનુ ભાઈ સુરતી પારિતોષક જય ગજ્જરને અર્પણ કરવામાં આવ્યું છે.ટોરંટો અને આસ પાસ વસતા ગુજરાતીઓમાં હવે જય ગજ્જર નું નામ અજાણ્યુ નથી.

આજ સુધી લગભગ ત્રણસો જેટલી ટૂંકી વર્તાઓ સાત નવલકથાઓ ગજ્જરે લખી છે. એમની નવલિકાઓ દેશ વિદેશના સામાયિકો અનેદૈનિકો_કુમાર,નવચેતન,ચાંદની,પ્રસ્થાન,શ્રીરંગ.નવનીત ,ચિત્રલેખા.આરસી.સખી, સ્ત્રી, ગૃહશોભા,ગુજરાત,શબ્દસૃષ્ટિ,ગુરજરી,ગુજરાત દર્પણ,ગુંજન,ગુજરાત ટાઇમ્સ,ગુજરાત સમાચાર, સંદેશ, જયહિંદ વગેરેમાં પ્રગટ થઈ છે.આકાશવાણી પર પણ કેટલીક નવલિકાઓ અને વાર્તાલાપો પ્રસારિત થયા છે.

ઘણી સમિતિઓના ચેરમેન કે સભ્ય તરીકે સીબીસી કેનેડાના રેડિયો અને ટેવી પર અનેક વાર ઈંટરવ્યુ અને વાર્તાલાપો આપ્યા છે. નવલકથા ક્ષેત્રે ‘ફૂલડે ફૂલડેફોરમ’થી સફળ આરંભ કરી ‘અંતસ્તલ સ્નેહ’ ‘શૂન્ય સરવાળા’પથ્થર થરથર ધ્રુજે’ ‘કાચી માટીનું ઘર’ ‘તિમિરનાં તેજ’ ‘આંધીનો ઉજાસ’ નવલ કથાઓ અને નવલિકા ક્ષેત્રે ‘તુલસીનો છોડ’ અને ‘પ્રેમ દીવાની’ વાર્તા સંગ્રહો પ્રકાશિત થયા છે.

 ર ધ્રુજે’ ગુજરાત સમચાર માં જાન્યુઆરી 2000થી હપ્તેથી પ્રકાશિત થતાં ખૂબજ સારા પ્રતિભાવ સાંપડ્યા હતા. એ પુસ્તકાકારે પ્રગટ થતાં એક દિગદર્શકને એના વિષય વસ્તુ અને પાત્રોની ભવ્યતા અને દિવ્યતા ખૂબજ ગમી જતાં ,એજ નામની ટીવી સીરીયલ બનાવી છે.કુલ બાવન હપ્તામાં વિસ્તરેલી આ સીરીયલ દૂરદર્શન અને અન્ય ચેનલ પર ટુંક સમયમાં રજુ થશે. પથ્થર થરથર ધ્રુજે નો અંગ્રેજી અનુવાદ ‘The shuddering stoned’અમેરિકાના જાડા પ્રકાશને ગયા વર્ષે ઓકટોબરમાં પ્રગટ કરી છે.કેનેડાના ગુજરાતી સાપ્તહિકોમાં પણ એમની નવલિકાઓ અને નવલકથાઓ પ્રગટ થતી રહી છે.’નવચેતન’માં દર મહિને ‘કેનેડા’ઉજ્જળ ભાવિની ભૂમિ’લેખ માળા અને’ ઓળખ’ માં આ છે ‘કેનેડા’ના શ્રીણીમાં કેનેડાનાં સમાજ,સાહિત્ય,અને ઈમીગ્રેશન વિશે ગજ્જર સારો પ્રકાશ પાડે છે.છેલા પંદર વર્ષોથે ટોરંટો કેનેડામાં દર વર્ષે યોજાતા,અંગ્રેજી અને ફ્રેંચ લેખકો અને તેમના પુસ્તકોનાં ‘વર્ડ ઓન ધ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં ‘ 2004 માં પ્રથમ વાર ગુજરાતી ભાષાને સ્થાન અપાયું,અને તે પ્રસંગે જય ગજ્જરને ‘કાચી માટીનું ઘર’ અને ફરી 2005 માં ‘તિમિરનાં તેજનું ‘એક પ્રકરણ વાંચવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.જે ગુજરતી ભાષા માટે ગૌરવની ઘટના છે.

સાહિત્ય ગજ્જરને ગળ થૂથીમાં છે, તેમ સમાજ સેવા ગજ્જરની પ્રકૃતિ છે.ઘણી સામાજિક સાંસ્કૃતિક અને વ્યપારી સંસ્થાઓ ,મંડળોના સભ્ય કે પ્રમુખ તરીકે સંકળાતાં કેનેડામાં સ્થાનિક સમાજ ,રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માં નોંધ પાત્ર ફાળો આપ્યો છે.’Who is who in new Foundland’પુસ્તકમાં લેખક રોન પંમફ્રીએ ગજ્જરનાં પ્રદાનનો ઉલ્લેખ કરીને એમને ‘Unofficial Ambassador to Toronto’ તરીકે નવાજ્યા છે.

કેનેડિયન સમાજમાં ભારે પ્રતિષ્ઠા પામતાં શિક્ષિત ,સાહિત્યિક અને સંસ્કારી પ્રતિભા રૂપે એમનું બહુમાન કરી સમાજ રાજય અને દેશ એમને અનેક એવર્ડો અર્પણ કરી એમની નિસ્વાર્થ સેવાઓની કદર કરી સન્માનિત કર્યા છે.તેમાં કેનેડા ગવર્નર જનરલ રે નેટિશને ભારતના પદ્મશ્રી સમકક્ષ કેનેડાનો સર્વોત્તમ રાષ્ટ્રિય એવાર્ડ ‘ ઓર્ડર ઓફ કેનેડ’ અર્પણ કરી એમને નવાજ્યા છે.ગજ્જરને એ અર્પણ થતાં ,ન્યુ ફાઉન્ડલેંડના અગ્રગણ્ય વર્તમાન પત્ર ના રિપોર્ટર ફ્રેંક ગેલ લખે છે કે ‘ગજ્જર એના શિખરો સર કરી એની ટોચપર પહોંચી ગયા છે. ‘
કેનેડામાં ‘ઓર્ડરવોફ કેનેડા’નો એવોર્ડ મેળવનાર જય ગજ્જર પ્રથમ ગુજરાતી હોય .સહુ ગુજરાતી માટે આ ઘટના આનંદ અને ગૌરવની બની રહેછે. શ્રી રાઘેશ્યામ શર્મા લખે છે ‘ગુજરાતમાં તો કયાંથી ખબર પડે કે ભારતના ‘પદ્મશ્રી’જેવુંજ સન્માન કેનેડામાં ગવરનલ જનરલ માનનીય રેમન નેટીશન ના હસ્તે ‘ઓર્ડર ઓફ કેનેડા’જેવા વિશિષ્ઠ પ્રતિષ્ઠિત એવોર્ડ ઉપરાંત એમનો કોટ એવોર્ડ ,પારિતોષકોન મેડલ બિલ્લાથી ભરાઈ ઉઠે એટલું એમને સાંપડયું છે., પણ એમાંય એક સન્માન ‘ધ કવીંસ ગોલ્ડન જ્યુબિલી મેડલ’અવિસ્મરણિય ગણાય.’
જાણીતા ગઝલકાર શ્રી મનહર મોદી લખે છે કે ‘ભારત અને કેનેડા બેય એમના શ્વાસ અને પ્રાણ છે.પૂર્વ_ પશ્ચિમનો સમનવય એમની સર્જક ચેતના અનેક વિધ રૂપે _રંગ સંવેદે છે.પરિણામે આપણી ભાષા ગરવી ગુજરાતને પાંસેથી મળેછે અખુટ વાર્તા રસથી ભરેલ નવલિકાઓ અને નવલ કથાઓ.
અર્ધ નિવૃત્ત થઈ હાલ શ્રી ગજ્જર મિસિસાગામાં એમનાં પુત્ર ડૉકટર નીલ ગજ્જર સાથી રહેછે.જે મિસિસાગામાં પોતાની ડેંટલ કલીનીક ચલાવે છે.ડૉ.ગજ્જરની કાર ર્કિર્દી ગવરનર જનરલ મેડલ.જેવા અનેક એવોર્ડથી ઉજ્જવળ છે.ગજ્જર સામાજિક સાહિત્ય પ્રવુત્તિ અને સિધ્ધિ માટે એમનાં પત્ની કવિતાનાં અને પુત્ર નીલ ગજ્જરનાં પ્રેરણા અને પ્રોત્સાહન સતત મળતાં રહ્યાં છે.ગજ્જર એમની સિધ્ધિઓ માટે કર્મ ભૂમિ કેનેડાનો આભાર માનતા કહેછે,’શાંતિભર્યું જીવન અને ગમે તે ક્ષેત્રે કામ કરવા માટે સારાય વિશ્વમાં કેનેડા જેવો કોઇ દેશ નથી., _ડૉ.પ્રફુલ્લ મહેતા. )

 

 

 

જનાબ આદિલ મનસુરી સાહેબ ના હસ્તે ‘બિસ્મિલ્લાહ’ નું એક ખૂબસુરતચિત્રાંકન.

.’બિસ્મીલ્લાહ’એટલે ‘બિસ્મીલ્લાહ હિર્રહમા નીર્રહીમ’
અનુવાદ; કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.********* નથી
જેનીદયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

 

 

 

 

तरफ से.

आधोंकी तरफ से कभी पोनोकी तरफ से
आवाजे कसे जातें है बोनोकी तरफ से.

हैरत से सभी खाक झदह देख रहें हैं
हर रोज जमीं घटटी है कोनों की तरफ से.

आंखोमें लिये फीरते हैं एस दर बदरी में
कुछ तूटे हुए ख्वाब खिलोने की की तरफ से.

फिर कोइ असा दे कि वह फुंकारते निकले
फिर अझदहे फिरओअनके तोनों की तरफ से.

तु वहमओ गुमां से भी परे देताहै सबको
हो जाताहै पल भरमें न होनों की तरफ़ से.

बातोंका सिलसीला जारी हो कीसी तौर
खामोशी ही खामोशी है दोनोंकी की तरफ से.

फिर बाद में दरवाजा दिखा देतें है आदिल
पहले वह उठाते हैं बिछोने की तरफ से.

_आदिल मनसुरी

(1929-1985)

છું જવાનીનો હું સાથી પ્રેમનો પણ મિત્ર છું.
મીટ માંડી રૂપ પણ જોયા કરે એ ચિત્ર છું

 

એ હશે કિસ્મતની લીલા કે મારી કલા
મેનકાને પણ નચાવું એવો વિશ્વા મિત્ર છું.
  _ શેખાદમ આબુવાલા

અમદાવાદ નાં એક સંસ્કારી ખાનદાનમાં એમનો જન્મ 1929માં થયો.અને 1985ના 20 મે ના રોજ એમણે જીવન ની ચાદર સમેટી અલ્લાહ જ્લ્લેશાનહુને મળવા ઉપડી ગયા.જનાબ શેખાદમ સાહેનબે એમ.એ થતાં સુધીમા તો ગુજરાતી,હિંદી.ઉર્દુ.અંગ્રેજી,જર્મની ભાષાના સાહિત્યના કોઇ પણ વિષય પર કલમ ચલવી વળ્યા.ચીન ,રશિયા કે જર્મનીથી રજા ગાળવા સ્વદેશમં આવે કે યુરોપની સર જમીન પર ભ્રમણા કરતા હોય જ્યાં જ્યાંજાય ,કે કાંઇ કરે એમની વાતો સંભળાવતાં કે પત્ર કોલમોનાં વખાણો કરતા કયારેય ધરાઈએ નહીં.ધરખમ ગુજરાતી વૃતપત્રો માટે એ પોતાની સાપ્તાહિક કતારો માટે કલમના આ કસબીએ આવકાર આપ્યો હતો.વિવિધ દેશોમાંથી અને પોતાના દેશમાં સાંપડેલ અને ઉઘાડી આંખે નિરખેલી હકીકતતો પ્રસંગરૂપે અસંખ્ય વાંચકોએ આવકારીછે..પદ્ય તેમંજ ગદ્યમા એમને નિપૂર્ણતા હોવાની જાનો દિલથી પ્રતિતી કરાવી છે.

પિતાશ્રી મુલા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા,અને માત્રુશ્રી મોતીબાઈ આબુવાલાના હોનહાર ફરજંદે ગુજરાતી સહિત્યને માલે માલ કરી દીધું.એમની કવિતાઓ,ગઝલો.નવલ કથાઓ, અને તેમણે લખેલ સંસ્મણો તો પુસ્તક રૂપે પ્રકટ થઈ ચુકયાછે.અને એમનું અંગત જીવન પણ કવિતા નવલકથા જેવું હતું.તે જ્યાં પણ કદમ મુકે છવાય જતા.વાતાવરણને ખૂશ્બુથી ભરી દેતા..શેખાદામે ઘણી નાની વયે એમના પિતાશ્રીની છ્ત્ર છાયા ગુમાવી દીધેલી, એમની ઉછેરની તમામ જવબદરી એમની વાલિદા મોતીબાઈ પર આવી પડેલી.ઘણાપ્રતિકૂમ્ળ સંજોગોમાં પણા વાલિદાએ આ જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી.ઉચ્ચતમ શિક્ષણ અપાવ્યુંઅને ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કર્યું. મોતી બાઈ શેખાદમ ને પ્રેમથી શેખા ના હુલામણા નામ થી બોલવતા.શ્રી નીરૂભાઈ દેસાઈ લખેછે કે તેમની સાથે માણેલી કઈ યાદ ટપકાવું?લખે છે કે બે એક વાર ઘરની અને કુટુંબની મુલાકાતે આવ્યા હતા..તેને યાદ કરીને કહે કે તમારે ત્યાં ઉંધ્યું ખાવા આવવું છે..પછી બેઠક જમાવીશું.એ દિવસ આવ્યોજ નહીં.એ માંદા પડયા ,ઓપરેશન કરાવ્યું,ત્યારે પણ મળવા જવાનું બની શક્યું નહીં. અને ગયો ત્યારે આંગણામાંથી એમનું શબ નીકળતું હતું. શબને કબ્રસ્તાન તરફ વિદાય કરીને અમે એમનાં વૃધ્ધ અમ્માં(મોતીબાઈ)ને મળવા ગયા.આંખમાં ચોધાર આંસુએ રડતાં અમ્માં એ અમને સવાલ કર્યો, જવાબ દો, મેરે બેટેકા ક્યા કસૂરથા કિ ઉનકો ખુદાને છીન લિયા.જવાબ દો_જવાબ દો.અમારી પાંસે એનો કોઇ જવબ નહોતો.આજે પણ નથી.શેખ આદમનો કોઇ વાંક આજે પણ જડતો નથી.

મેરી આંખો મેં બરસતા હૈ
અબ્ર ફિર સાલ ભર બરસતા હૈ.
*************************
જી રહાહું જહાં મેં જીસ તરહ
જીંદગી રેંગતી હૈ
રાતકે સાયેમેં જૈસે ચાંદની.
*********************
ઝખ્મ ખા કર હંસ સકા
મેંઝહર પી કર જી સકા
મેંને અકસર કી હૈ
અપને આપસે ભી દિલ્લગી..
**
બનકે બૈઠા હૈ તમાશા મૈં તમાશાઈ
હું તુ જો તન્હા હૈ મૈં તેરી તન્હાઈ હું.
**
પથ્થરોંને જો પુકારા તો હિમાલા હૈ હમ
આપકે હોઠ બુલાતેતો ગુલિસ્તાં હોતે.
**
મોતકો ઢુંઢા કીયે થે હમ કહાં વોથી
હાથોં કી લકીરોં મેં છુપી.
**શેખાદમ આબુવાલા.
(શબ કહાં લાલઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મેં કયા સુરતેં થી જો પિન્હા હો ગઈ.ઉર્દુ કવિ)


શેખાદમની રમુજ અને હાજર જવાબી

શ્રી વોનોદ ભટ્ટ લખેછે કે ગુજરાતી હિંદી ફિલ્મની અભિનેત્રી અરૂણા ઈરાની સથે બધા બેઠા હતા ને ગપ સપ ચાલતી હતી..વાત તલ પર આવી એટલે શેખાદમ બોલ્યા :એક કવિએ એક સુંદરીના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ન્યોછાવર કરી દીધેલા.અલબત્ત કવિતામાં.અરૂણાએ ચીબુક પાંસેના પોતાના તલ તરફ આંગળી ચીંધી પ્રશ્ન કર્યો:અબુસાબ મારા આ તલ પર શું કુરબાન કરી દો?’ ’હાલોલ અને કાલોલઘડીનાયે વિલંબ વગર આદમે પ્રત્યુત્તર આપ્યો.
આદમ સાથે હું એક છાપાંની ઓફિસમાં બેઠો હતો.ત્યાં આદમના એક દોસ્ત અર્થ શાસ્ત્રના પ્રોફેસર લાલીવાલા આવ્યા,આદમે પૂછ્યું : કેમ આવવું થયું?’
પૉવર્ટીના ડેટા માટે દોધધામ ચાલે છે.છાપાંની ફાઈલોમાંથી મેળવવા આવ્યો છું.પૉ.લાલીવાલા બોલ્યા.એને માટે આટલે બધે આવવાની જરૂરત નહોતી.આદમે સલાહ આપી. નૉક એની ડોર_કોઇ પણ ઘરનો અરવાજો ખટ ખટાવને.

તુમ સો ગયેહો યાર પુરે જિસ્મ કો લેકે
        તન્હાઈમેં  કૌન યે દિલ કો છેડ દેતા હૈ(વફા)

ભાઈ શેખાદમ _શ્રીઉમાશંકર જોષી

જાણીતા સાક્ષર અને કવિ શ્રી ઉમશંકર જોષીએ સ્વ. શેખાદમ આબુવાલાન એ આકાશવાણી પરથી અંજલિ આપતાં જણાવ્યું હતું કે ,’ભાઈ શેખાદમ આબુવાલા ભર જુવાનીમાં ચાલ્યા ગયા.અને ગુજરાતના સહિત્ય ક્ષેત્રને અને ખાસ કરીને કવિતાના અને તેમાંયે ગઝલોના ક્ષેત્રને ઘણી ખોટ પડી છે. ભાઈ શેખાદમસાથે મારો તો એક ભાઇ જેવો સબંધ હતો.,છઠ્ઠા ધોરણ માં એ ભણતા હતા અને સંસ્કૃતિ1947 માં મેં કાઢ્યું અને ત્રીજાજ અંકમાં એમની ત્રણ કવિતા મેં છાપી. હતી.આવડો નાનો છોકરો(17 વર્ષનો) પણ ન્હાનાલાલ એટલેકે પ્રેમ_ભક્તિ એના ઉપર સોનેટ લઈને આવ્યો.

 પ્રેમ ભક્તિ પરબ બપોર ધખતી હતી હતી
પરબ પ્રેમ ભક્તિની તૃષા છીપાવા ત્યહાં
હતા સલિલ પ્રણય ભક્તિ સૌંદર્યના.

પછીતો એમની કવિ તરીકેની બઢતી થતી ગઈ તેનો કદમ ક્દમ નો હું સાક્ષી રહ્યો છું. તેઓ જ્યારે ગુજરાત યુનીવર્સીટીમાં ગુજરાતી વિભાગ શરુ થયો અને હું અધ્યાપક હતો.ત્યરે મારા પહેલા વિદ્યાર્થી તરીકે જોડાયા હતા.એ જર્મનીમાં રહ્યા પણ અહીં આવ્યા તે દરમિયાન પાછો અભ્યાસ કરીને પરીક્ષા આપી. સમાજની જે બૂરાઈઓ છે,અવળાઈઓ છે,એના પણ સારા ટીકાકાર હતા.માર્મિક ટીકાકાર હતા અને ,ખુરશી કરીને એમણે એક નાનકડો સંદર્ભ ગ્રંથ આપેલો છે.પરદેશ હતા ત્યારે એમણે પેરીસથી થોડી પંક્તિઓ મોકલી કે પેરીસમાં હું શું કરું છું.એ કહે છે કે_ ભારતનો દમ ભરું છું કાગળ નથી લખાતો એની ફિકર ન કરશો બીજાની જેમ મારે માથેય ખુદા છે.યુરોપમાં રહું છું એથી ભલા શું થયું?
ભારતને કેમ ભુલું? ભારત માં મારી માં છે. તો તેઓ જ્યાં હશે ત્યાં,ભારતના અને તેમની માતાના દુ:ખની આજે કલ્પના થઈ શકતી નથી.તેનું રટણ એમનું ચાલતુંજ હશે.એમની સુદર કૃતિઓ એમણે લખેલી છે.પણ એમની અમર કૃતિઓમાંથી એઅક છેઆદમથી શેખાદમ સુધી’. ભાઈ આદમ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હરદમદમેદમમાં જિંદગેની માવજત કરનારા હતા અને ખુદાએ એમને વહેલા ઉપાડી લીધા.એને પરમ શાતિ મળે.એક મારો નાનો ભાઈ ગયો હોઇ આ આપણા આખા સાહિત્ય પરિવારમાં હું મારા હ્રદયની શોકાંજલિ સ્નેહાંજલિ અર્પું છું. (ગુજરાત: માસિક મે,1985)

આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી

રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી
.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.

કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

ગઝલ

ચાંદ તો જોતો રહ્યો નીચે ઢળી
ચાંદની કોની હતી કોને મળી.

મોત આવ્યું હાથમાં લઈને કફન
જિંદગી સમજી કે લો ઇચ્છા ફળી.

જિંદગી ભટકી પડીતી એટલે
મોતે આવી એની ઝાલી આંગળી.

ભર વસંતે ફૂલ મુરઝાતું હતું
એની સામે જોઈ હસતીતી કળી.

ચાલ આદમ જઇએં દૂર દૂર
જોશું નહી ત્યારે પછી પાછું વળી.

_શેખાદમા આબુવાલા
ગઝલ

પાપ લો કબૂલું છું
પુણ્ય શું છે ભૂલું છું.

જાગૃતિમાં જે ચુક્યો
સ્વપ્નમાં વસૂલું છું.

બંધ રહી નથી શકતો
દ્વાર છું ને ખૂલું છું.

પ્યાર એક ઝૂલો છે
એમ માની ઝૂલું છું.

નામ મારું છે આદમ
હું ગુનો કબુલો છું.

_શેખાદમ આબુવાલા

કેવી લડત છે

સત છે અસત છે
સસ્તું જગત છે.

કેવી લડત છે
હું છું જગત છે.

દિલની લડત પર
સૌ એક મત છે.

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે.

તારાં નયન માં
શી આવડત છે.

શાયરનું સ્વપ્નું
શાયરની લડત છે.

દિલ પાળી શકશે
દિલની શરત છે.

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે.

સર્જન વિસર્જન
જાણે રમત છે.

_શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મુકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝુકે વતન.

અફસોસની છે વાત, આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અંહિસા મોં પર થૂકેં વતન.

ગાંધીજી

કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.

ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.

ગાંધી પછી ગાંધી

ગાંધી પછી ગાંધી_ નથી આ કલ્પના કેરો તરંગ

ગાંધી ફરી જો જન્મ લે તો લાગે એ કેવો અપંગ.
આપે ફકત એક ગોડસે મૂકે ખભા પર હાથ સંગ

આદમને આવ્યું સ્વપ્ન

આદમને આવ્યું સ્વપ્નએવું ગોડસે રડતો હતો
રડતો હતોને મન મહીં કૈંક બડબડતો હતો.

નજદીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો છક થઈ ગયો
કહેતો હતો: હે રામ ગાંધી ક્યાં મને નડતો હતો.

રામ રાજ

સુંદર અને સારું અને ન્યારું ને પ્યારું રામ રાજ
ગાંધી જરા આવોને દેખાડું તમારું રામ રાજ.

રાવણ નજર કરતા નથી આ દેશ સામેતો હવે
ને રામ કહેતા હશે આ કયાંછે મારું(રામ) રાજ!

કેવી રીતે સાંભળું!

શું કહ્યું
પાડી રહ્યું છે
કોઇ ચીસ? કેવી રીતે
સાંભળું હું તો છું પોલીસ!

મુકતક

ગયા સ્વપ્નનાં દિન નયન ખોલવા દે
નયન માં ઉભા છે ખુશીના જનાઝા.

જુઓ અંત આવી ગયો પૂર્ણિમાનો
નીકળશે હવે ચાંદનીના જનાઝા.

શેખાદમની એક ઉર્દુ રુબાહી

કિસકે આંસુ મેરે કફન પે ગિરે

કૌન રોયા હૈ અજનબી કે લિયે.

મેરે દુશ્મન ભી જાનતે હૈં

 મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.

 

       શ્રી શેખાદમ આબુવાલા કૃત પુસ્તકો

 કવિતા

1 ચાંદની

    2 સોનેરી લટ

3 અજંપો

  4 તાજમહાલ

 5 ઘિરતે બાદલ ખુલતે બાદલ(હિંદી)

6 અપને ઇક ખ્વાબકો દફનાકે અભી આયાહું(ઉર્દુ)

7 ખુરસી

8 ખુરસી અને બીજાં કાવ્યો

 9 હવાની હવેલી

  10 સનમ

11 ગઝલેં(1-2)હિંદી

12 આદમથી શેખાદમ સુધી(સંકલન)

13 સુખનવર(સંકલન)

14 દીવાન _ એ- આદમ(સમગ્ર કવિતા) દીવાન_ એ- આદમ(પુરવણી)

નવલકથા

         1  તું એક ગુલાબે સપનું છે

2  તમાશાના તમાશા

     3  ચલું છું મંઝિલ નથી

4  આયનામાં કોણ છે

            5  નીંદર સાચી સપનાં જૂઠા

6  રેશમી ઉજાગરા

  7  ફૂલ બનીને આવજો

8  જિંદગી હસતી રહી

9  એક ને એક ત્રણ

10 વંન્સમોર

આંતરરાષ્ટ્રિય અનુભવ કથા

            1  હું એક ભટકતો શાયર છું

2  યુરોપની હવામાં

અનુવાદ

1  શ્રેષ્ઠ જર્મન વાતો

ડાયરી

        1  હમભી કયા યાદ કરેંગેં

મુલાકાતો

1 તસ્વીર દીખાતા હું

શેખાદમ શ્રધ્ધાંજલિ ગ્રંથ

1  મોતીબઈનો શેખા

વૃતપત્રોના કટાર_લેખો

1  સારા જહાં હમારા

2 માનવીને આ જગત (આદમથી શેખાદમ સુધી)

3  આદમની આવડત

 4  જમાલપુરથી જર્મની

(આ 33 પુસતક,પુસ્તિકા,કવિતા સંગ્રહ,નવલકથા,પ્રવાસકથા(અને શું નહીં?)ના સર્જકને રાંદેરની અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલે 1959 માં સુરતરંગ ઉપવન માં યોજેલા મુશાયેરામાં સમગ્ર ગુજરાત ,મુંબઈના ઘણા દિગ્ગજોને જોયા સાંભળ્યા.શૂન્ય.ઘાયલ.અકબરઅલી જશદણવાલા અને સુરત ,વલસાડના સ્થાનિક મહનુભાવો.એમાં પહેલી અને છેલ્લેવાર મર્હુમ શેખાદમને જોયા સાંભળયાનું યાદ પડે છે(જર્મનીથી આવ્યા હતા.).એમ .એસ .યુનીવર્સીટી(બરોડા)ના વિદ્યાર્થી જિવન દરમિયાન(1960 થી 1962)સુધી યુનીવએસીટીની લાઈબ્રેરરી માં પ્રવેશતાં પ્રાપ્ય હોયતો પહેલો ઉર્મિનવરચનાનો અંક શોધતો,અને તેમાં શેખાદમ આબુવાલાઅને સાલિક પોપટિયાની રચનાઓ આંખો શોધતી.

ચમકતો ને દમક્તો શાહજહ્જહાંનો મહેલ જોવાદે
મુકતક તો મશ્હૂર થઈ ચુક્યું હતું.પણ સાથે બીજું એક મુકતક પણ નવ યુવાનોને ગુદ ગુદી કરાવતું હતું.

તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.

અમે કીધાં નથી દર્શન કેવળ સાંભર્યુંજ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે

તા20મે2007 ના મર્હુમના ઈંતેકાલની 22 વર્ષ પુરા થઈ રહ્યા છે.તો એમની મૃત્યુતિથિ નિમિત્તે આ શેખાદમ દર્શન પ્રાસંગિક અને ઉચિત છે)

iqbalmonument.jpg

 

શ્રી અટલબિહારી બાજપાઈ મઝારે અલ્લામાં ઈકબાલ પર.

ભારતના માજી વડાપ્રધાન અને 1977ની આજુબાજુ મિશ્ર પ્રધાન મંડળમાં રહી ચૂકેલા માજી વિદેશ પ્રધાન (કવિ જીવ) શ્રી અટલ બિહારી બાજપાઈ અલ્લામાં ઈકબાલની મઝારની મુલાકાતે.શ્રી અટલ બિહારી બાજપાઈ જયારે પકિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે લાહોરમાં તેઓ અલ્લામાં ઈકબાલના મઝારની મુલાકાતે પણ ગયા. ત્યાં ભેગી થયેલી માનવ મેદનીને સંબોધન કરતાં એમણે કહ્યું, ‘આપણા બન્ને દેશોનાં શિક્ષિત લોકો,કલાકારો, વિજ્ઞાનીઓ, ટેકનીકલ નિષ્ણાતો,રાજ કારણીઓ,ખેલાડીઓઅને સામાન્ય શહેરીઓએ એક બીજાના દેશમાં વારંવાર આવ જાવ કરવી જોઈએ.અને એના માટે બન્ને દેશની સરકારોએ વધુમાં વધુ સગવડો એક બીજા માટે આપવી જોઈએ.’ આગળ ચાલતાં મુસાફરીનું મહત્વ સમજાવતાં એમણે કહ્યું , ‘જીવનનું ખરું મહત્વ આગળ વધવામાં અને પ્રગતિ કરવામાં રહેલું છે. અને આ સત્ય સમજવામાં અલ્લામાં ઈકબાલની શાયરી કરતાં વધુ સરસ શાયરી કોની હોઇ શકે ?આટલું કહી એમણે અલ્લામા ઈકબાલની નીચેની પંકતિઓ ભેગા થયેલા જનસમૂહને સંભળાવી: 

ઠહેરતા નહીં કારવાને વજુદ,
કે હર લહેજા તાઝા હૈ શાને વજુદ
 

સમઝતા હૈ તુ રાઝ હૈ જિંદગી,
ફકત ઝૌકે પરવાઝ હૈ જિંદગી.

બહુત ઉસને દેખેં હૈ પસ્તો બુલંદ,
સફર ઇસકો મંઝિલસે બઢ કર પસંદ.

સફર ઝિંદગી કે લિયે બર્ગો સાઝ,
સફરકી હકીકત હઝર હૈ મજાઝ.

શબ્દાર્થ: વજુદ=અસ્તિત્વ
રાઝ= ભેદ
ઝૌકે પરવાઝ= ઉડ્ડયન નો શોખ્
પસ્તો બુલંદ= ઢળાવ અને ચઢાણ
બર્ગો સાઝ=સામાન
હઝર=સ્થાનિક રહેવું
મજાઝ=શક્તિ

(મહા કવિ ઈકબાલ_સં.આચાર્ય જ.મસ્ત મંગેરા તંત્રી:વ.સમાચાર ના સૌજન્યથી)

 

Posted by: bazmewafa | 06/10/2007

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધમાંથી કોણ નાણાં કમાઈ રહ્યું છે?

ભય અને જૂઠાણાઓનો કોણ પિંડ બાનવેછે?

આ વિશ્વ જેવું છે તેવું કોને ખપે છે?

આ વિશ્વ શાહીવાદથી કચડાતું,

અને રાષ્ટ્રિય દમનથી પિસાતું

અને આતંક,હિંસા ,ભુખ,અને દારિદ્ર્ય થી પિડાતું

એના પર કોણ શાસન કરવા ઈચ્છે છે?

(અંગ્રેજી પરથી અનુવાદ_વફા)

 


 

ધુમાડાને ઘુંટતા રહીએ.-જવાહર બક્ષી

  

 પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ.
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.

 

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.

   

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.

  

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા રહીએ.

  

‘ફના’ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.

 

 

 

 

 

 

 

 
 

  

બ્રિટન નો મુશાયરો ___ આદિલ મનસુરી

જૂન 2007ના બ્રિટનનાં મુશાયરાની વિગત ની PDF ફાઈલ અર્પણ કરવા બદલ જ.આદિલ મનસુરી સાહેબનો દિલી શુક્રિયહ. આ પોસ્ટીંગ ઇમેજ ફાઇલ માં હોય ,ડબલ કલીક કરવાથી સરળતાથી વાંચી શકાશે.

 

britain-mushayerojune007.jpg

 
photobritmush007b
britmush007rep

Posted by: bazmewafa | 07/21/2007

ગઝલ :ચાર ગઝલો_ મરીઝ

તોબામાં રહી ગઈ

દુનિયા પરસ્ત દિલ હતું દુનિયામાં રહી ગઈ.
મરી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ.

એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,
કંઈ કંઈ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઈ.

અંધારામાં રહ્યા અહીં આખું જીવન અમે,
છાયા હતી અમારી જે તડકામાં રહી ગઈ.

સાકી ! સુરામાં કંઇક તો ખામી હતી જરૂર,
દાનત એટલે અમારી તોબામાં રહી ગઈ.

જોયું તો એજ જોતી હતી ચારો તરફ ‘મરીઝ’
તે એક નજર આંખના ખુણામાં રહી ગઈ.

 કોણ મનાવે

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તાજ બતાવે.

શું એને ખબર કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને યાદ ન આવે.

વાતોની કળા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છૂપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુઝથી રૂઠેલો છું , મને કોણ મનાવે?

 પાયમાલી ઔર છે

તું દિલાસો જેનો દે છે એ નથી,
દોસ્ત મારી પાયમાલી ઔર છે.

ઝંખના મૃત્યુની છે સાચી મગર
દિલમાં એક વસ્તુ વહાલી ઔર છે.

આ વખત એણે નથી દીધું વચન
આ વખતની હાથ તાલી ઔર છે.

જે બધું માંગી લે યા કંઈ પણ નહીં,
તારા દરના એ સવાલી ઔર છે.

ઓ વિલાસી દર્દનો દાવો ન કર,
જામ ખાલી, હાથ ખાલી ઔર છે.

ખાલી આવેછે સુરાલયથી ‘મરીઝ’
એની આંખોમાં આ લાલી ઔર છે.

 અમારા પ્યારને

દર્દમય એકાંત બેપરવા મિલન,
કોણ સમજે છે અમારા પ્યારને?

એને મારા પ્રેમ પર શંકા પડી
મેં તરત માની લીધો ઈન્કાર ને.

છે હવે આંખોમાં એવી સ્થિરતા
જાણે જોતી થઇ ગઇ દિલદાર ને.

હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ ‘મરીઝ’
ક્યાં સુધી જોતે તમે કિરતાર ને.

‘મરીઝ’ પરિચય માતે જુઓ:

http://sureshbjani.wordpress.com/2006/06/19/mariz/

ખબર ન પડી

તૂટી ગઈ સાચવણ ખબર ન પડી.
ગઠરી છૂટયાની ક્ષણ ખબર ન પડી.

કાચમાંથી પસાર થાવામાં_
ક્યારે ફૂટયાં કિરણ ખબર ન પડી.

છાલકો મૃગજળોની અડકી ગઈ
પગ સુધી આવ્યું રણ ખબર ન પડી.

છાતીએ જીવ જેમ વળગાડી,
ક્યાં સરી સાંભરણ, ખબર ન પડી.

કયારે બૂઝી મશાલ જાણ ન થઈ
હાથ સળગ્યો છે પણ ખબર ન પડી.

સવાલો નડેછે

 

જવું કયાં જવાના સવાલો નડે છે.
જગાએ જગાના સવાલો નડે છે.

મને પારદર્શક થવાની છે ઇચ્છા,
કરું શું? ત્વચાના સવાલો નડે છે.

હું હદ બહાર બહેકી શકું છું પરંતુ,
મને મયકદાના સવાલો નડે છે.

સકારણ નડે એતો સમજાય કિંતુ,
આ કારણ વિનાના સવાલો નડે છે.

ઘણા શબ્દ દોરી જતા અવળે રસ્તે,
સતત કાફિયાના સવાલો નડે છે.

મારગ દઉં

રકત રોકીને તને મારગ દઉં.
આવ તો વહેવા બધી રગરગ દઉં.

તારી છાતીમાં કદી ફફડ્યું હતું,
શબ્દ માં લે ,તારું પાછું ખગ દઉં.

મન બુઝાવાની અણી પર છે તો લાવ,
આજ સંકોરી જરા હું શગ દઉં.

બે’ક પગલાં જે બચ્યાં તે આપી શકું,
ખોઇ નાખ્યાછે તો ક્યાંથી પગ શગ દઉં.

આ સતત લખવાનો આશય એજ કે,
સ્વપ્નની જેવુંજ કંઈ લગભ્ગ દઉં.

શ્વાસમાં

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં.

દોસ્ત ત્યાં પીંછાને બદલે હુંજ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં.

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મુકયું’તુ તરતું તારી આંખમાં.

હસ્ત_ રેખા એટલે રેતી કહો,
વન ઉગ્યા છે થોરનાં આ હાથમાં.

આટલો અજવાસ કાં ભીતર ઉઠયો
શું લીધું તડકા સમું આ સ્વાસમાં.

શ્રી મનોજ ખંડેરિયાના કાવ્ય સંગ્રહો’અટકળ’ અને ’ હસ્તપ્રત’ ના સૌજન્યથી.

કવિના ટૂંકા પરિચય માટે નીચેના સંદર્ભ પર કલીક કરો
http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/

બેદાર લાજપુરી

bedar.jpg

 


બ્રિટનનાં ગુજલીશ કવિઓ
3 બેદાર લાજપુરી

નામ: અબ્દુલહય ઘરડા
ઉપનામ: બેદાર લાજપુરી જન્મસ્થળ: લાજપુર જિ: સુરતા, ગુજરાત ,ભારત
અભ્યાસ: બી.એ
વ્યવસાય:કલીગ્રાફર,સાઈન રાઈટર્સ( સાહિત્ય સર્જન)
શોખ: વાંચન,લેખન.ચિત્ર કળા,ક્રિકેટ
હાલનું સરનામું: Mr.Bedara Lajpuri
69 Hadden street
Leicester
LE2 OGJ
U.K.87


1 ચાલી શકું છું.

ગમે તેવા રસ્તે હું ચાલી શકું છું.
લે ઠોકરને હું લાત મારી શકું છું.

મિલનની બધી કેફિયતને ગઝલ માં,
હું ‘બેદાર’ કેમેક લાવી શકું છું.

(11 શેરો ની એક ગઝલનો મત્લો અને મક્તો)


2 સપનાં વગરની જાયના

ધુંધળું વાતાવરણ છે, કંઈ મને દેખાયના.
તે છતાં પણ એ ધરેછે મારી સામે આયના.

આંખમાં એ રૂપને આંજી દીધું છે ત્યારથી,
રાત અહિંયાં એક પણ સપના વગરની જાયના.

તું નઝમનો છે વિષય ‘બેદાર’ ગઝલ શું લખે?
તું તો ગઝલ માં કદી નખ શીખ તો ચિત્રાય ના
(9 શેરની એક ગઝલના ત્રણ શેરો)


3 દિલદાર

કહું તમને કેવી છે દિલદાર મારી,
ગઝલનો નશો છે નઝમની ખુમારી
.
છે આંખો છલોછલ શરાબોની પ્યાલી,
ઢળેલી છે પાંપણોની મસ્તી નિરાળી.

પડે જયાં કદમ ત્યાં જ ફૂલો ખીલે છે,
દૂપટ્ટો ફરકતાં ઘટાઓ ઉઠેછે.

ફકત નામ એમાં છે ‘બેદાર’ મારું,
લખાવે એ ગઝલને હું તો ઉતારું.

(‘દિલદાર’ નઝમના થોડા શેરો)


4 રહેવાદે

નહીં ઉપચાર કર મારો મને બિમાર રહેવાદે.
અને આ દર્દ સાથે તો પૂરાનો પ્યાર રહેવા દે.

સરળતાથી મને જો એ મળી જાએ તો શી કિંમત,
જમાના તેથી વચ્ચે તું જરા દિવાર રહેવા દે.

હવા પણ ઝેર ફેલાવે છે તાર શહેરની તેથી ,
અહીં તું તાર શ્વાસોના ખુલ્લા દ્વાર રહેવા દે.

મિલન પર વેડફી નાં દે બધા તું હર્ષ નાં આંસુ,
વિરહની કો ઘડી માટે અશ્રુ બે ચાર રહેવા દે.

એ મારો છે અનુભવ જ્યોત પણ અંતે ઠળી જાશે,
દીપક સળગાવના અંહિયા સતત અંધાર રહેવા દે.

સમય ચાલી નીકળવાનો ખરેખર આ સમય છે ચાલ,
વસાવીશું નવી દુનિયા અહીં ઘરબાર રહેવા દે.

લખે છે રોજ કાગળ પણ મિલનનાં નામનું મિંડુ,
અમસ્તો એવા કાગળનો હવે વ્યહવાર રહેવા દે.

અજાણ્યું આ નગર છે ને અજાણ્યાં છે બધા ચ્હેરા,
અહીં તું દિલ્લગીની વાત ને બેદાર રહેવા દે.

(ગુજLISH ગજલો. સંપાદન: ‘મસ્ત’ મંગેરા,’જિગર’ટંકારવી ના સૌજન્યથે)

નોંધ:સંગ્રહ મળવાનું ઠેકાણું:
‘આવાઝ; પ્રકાશન
C/O ‘મસ્ત’ મંગેરા
કાંગવાઈ,વયા: રાનકુવા તા.ચીખલી જિ’નવસારી396 560 ફોન02634)48044

indiasnational-flag.jpg

ભારતની આઝાઅદીની,

 60મી વર્ષ ગાંઠ,

 મુબારક

 

વતનકો ખૂન દે દિયા_ મોહંમદઅલી ‘વફા’

 

 

ઈંફાલ જો માંગા વતનકો ખૂન દે દિયા,
ફિર ભી હમારી કદ્ર કે દિયે નહી જલે.

અબ્દુલ હમીદ, અશફાકુલ્લાહ ભી મિટે,
આઝાદ, મદની,શેખકો તો કૌન જાનતા.

 

મુહમ્મદઅલી જૌહર ભી યાદ ન આયે,
આઝાદી યા મૌત કા ફતવા દિયા હમેં.

બુખારી અતાઉલ્લાહ ભી મીટે જમીન સે,
કૌન પૂછતા હસરત મોહાની કે નામ કો.

અંસારી,અજમલખાં,કિચલુ ભી નદારદ,
ઝાકિર,ફખરુદ્દીન, કો તો કૌન જાનતા.

કિદવાઈકે અહસાં ભી ભૂલ ગયે તુમ,
કર્નલ આઝાદ હિન્દ કભી યાદ ન આયા.

શિકવા નહીં દિલકે ફફોલે હૈ યે ‘વફા’
આઝાદી એ મુલ્કકા કિસ્સા હૈ યે વફા.

કુછ્ભી હો વતન અપના હૈ ,આન દે દેંગે,
ભારત કી હિફાજત કે લિયે જાન દે દેંગે.

ઈંફાલ=પ્રસ્વેદ
મદની=મૌલાન હુસેન અહમદ મદની(દેવબંદ)રેશમી રૂમાલની ચળવળમાં શેખુલ હિન્દ મહમદુલહસન સાથે માલ્ટા(યુરોપ) માં અઢી વર્ષની
જેલભોગવનાર
શેખ= શેખુલ હિન્દ મહમદુલહસન (રેશમી રૂમાલ ની ચળવળના પ્રણેતા)
રેશમી રૂમાલ ની ચળવળ= ભારત ની આઝાદી માટે શેખુલ હિન્દ મહમદુલહસન, મૌલાન હુસેન અહમદ મદની(દેવબંદ)અને એમના વફાદાર સાથીઓ ની એક મહત્વની ચળવળ.
કર્નલ=કર્નલ શહનવાઝ( આઝાદ હિન્દ ફૌજ ,નેતાજી સુભાષ ચન્દ્ર બોઝના વફાદાર સાથી,નહેરુ સરકારમાં પ્રધાન પણ રહી ચુકેલા)

બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન

પ્રિય મિત્ર બીલ ગેટસ,
પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.
અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.
1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે. આ વિઘ્ન ખાલી અમને પાસવર્ડ માંજ નડે છે.અમે હાર્ડવેર વિક્રેતા સંતા સિંઘને જ્યારે ફરિયાદ કરી તો એનું કહેવું છે કે આ મામલો કી બૉર્ડનો છે. અમે ઈ_મેલ એકાઉંટ ****** ના પાસવર્ડથી ખોલ્યો છે તો આપને વિનંતી છે કે એ અંગે ઘટતું કરશો.અમને એમાં કશી ગતાગમ પડતી નથીકે પાસવર્ડ શું છે.
2 _ ‘સ્ટાર્ટ’નામનું બટન એમાં છે,પણ ‘સ્ટોપ’નું બટન નથી.એની ચકાસણીની પણ વિનંતી છે.
3 _એમાં એક ‘રન’ નામનું બટન પણ છે.મારા એક મિત્રે ‘રન’બટન દબાવ્યું અને અમૃતસર સુધી દોસ્તો રહ્યો. એ અંગે એક વિનંતી છે કે એ બટન ને ‘સીટ’ બટન માં ફેરવી નાંખવું ,જેથી અમે બેસીને એને કલીક કરી શકીએં.
4 _ અને એક વિનંતી એ પણ છે કે એમાં ‘રી સાયકલ’ છે,પણ મારી પાંસે સ્કૂટર હોવાથી ‘રી સ્કૂટર’ મળી શકે?

5 _ એમાં એક ‘ફાઈંન્ડ’ બટન પણ છે ,પણ તે બરબર કામ કરતું નથી.મારી પત્નિથી બારણાની ચાવી ખોવાઇ ગઇ છે,અમે એ બટન દબાવી ચાવી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ,એનો પત્તો ખાતો નથી. શું એમાં કોઇ’બગ’ છે?
6 _મહેરબાની કરી મને જણાવશો કે ,મને કયારે ‘HEART”(પત્તાંની રમત) જીતવા બદલ પૈસા પહોંચાડશો અને તમારા પૈસા લેવા કયારે આવશો?
7 _ મારા બાળકો ‘મઈક્રો સોફટ વર્ડ’ શીખી ગયાં છે,હવે તેઓ ‘માઇક્રોસોફ્ટ સેનટન્સ’ શીખવા માંગે છે. તો એની વ્યવસ્થા તમે કયારે પુરી પાડશો?

8 _ મે કોંપ્યુટર,સીપીયુ,માઊસ અને કીપેડ નાં પેકેજ સાથે ખરીદ્યું છે,પરંતુ કોમ્પ્યુટર પર એકજ વાત લખી છે’My computer ’તો બીજા ઉપકરણોનું શું થયું?
9 _ અને આ પણ કમાલની વાત છે કે વીડૉઝ પર લખ્યું છે કે ‘Mypicture’ પણ ત્યાં મારો એકે ફોટો નથી.તો મારો ફોટો ક્યારે મુકશો?
10 _ એમાં ‘MICROSOFT OFFICE ‘તો છે, પરંતુ’ MICROSOFT HOME,નથી,.અને હું તો પીસી નો ઉપયોગ ઘરમાં કરું છું.

આપનો
બંટાસિંઘ

ચિંતન_માર્ગે પીઅર્સી

એક હતું બોન્સાઈ વૃક્ષ
કુંડામાં ઉગેલું જો કે એંશી ફૂટ જેટલું ઉંચું થવા
સરજાયેલું.
પરંતુ માળીએ કાળજી પૂર્વક કાતરીને
એને નવ ઈંચનું રાખી મૂક્યું!
જીવતા માણસોને વધતા અટકાવવા માટે
જરા વહેલી શરૂઆત કરવી પડે.
બંધાયેલા પગ,બહેર મારી ગયેલું મગજ,
વાંકડિયા વાળ ,અને સ્પર્શ કરવાનું મન થાય
તેવા કોમળ કોમળ હાથ!  

(વહોરા સમાચાર _સપટેમ્બર2007ના સૌજન્યથી)સુરત. 

Marge Piercy is the author of seventeen novels including The New York Times Bestseller Gone To Soldiers; the National Bestsellers Braided Lives and The Longings of Women and the classic Woman on the Edge of Time; seventeen volumes of poetry, and a critically acclaimed memoir Sleeping with Cats. Born in center city Detroit, educated at the University of Michigan, the recipient of four honorary doctorates, she has been a key player in many of the major progressive political battles of our time, including the anti-Vietnam war and the women’s movement, and most recently an active participant in the resistance to the war in Iraq.
A popular speaker on college campuses, she has been a featured writer on Bill Moyers’ PBS Specials, Garrison Keillor’s Prairie Home Companion, Terri Gross’ Fresh Air, the Today Show, and many radio programs nationwide. Praised as one of the few American writers who are accomplished poets as well as novelists — Piercy is one of our country’s best selling poets — she is also the master of many genres: historical novels, science fiction (for which she won the Arthur C. Clarke Award for Best Science Fiction in the United Kingdom), novels of social comment and contemporary entertainments. She has taught, lectured and/or performed her work at well over 400 universities around the world.

Marge Piercy is the author of seventeen novels including The New York Times Bestseller Gone To Soldiers; the National Bestsellers Braided Lives and The Longings of Women and the classic Woman on the Edge of Time; seventeen volumes of poetry, and a critically acclaimed memoir Sleeping with Cats. Born in center city Detroit, educated at the University of Michigan, the recipient of four honorary doctorates, she has been a key player in many of the major progressive political battles of our time, including the anti-Vietnam war and the women’s movement, and most recently an active participant in the resistance to the war in Iraq.
A popular speaker on college campuses, she has been a featured writer on Bill Moyers’ PBS Specials, Garrison Keillor’s Prairie Home Companion, Terri Gross’ Fresh Air, the Today Show, and many radio programs nationwide. Praised as one of the few American writers who are accomplished poets as well as novelists — Piercy is one of our country’s best selling poets — she is also the master of many genres: historical novels, science fiction (for which she won the Arthur C. Clarke Award for Best Science Fiction in the United Kingdom), novels of social comment and contemporary entertainments. She has taught, lectured and/or performed her work at well over 400 universities around the world.

“Marge Piercy is not just an author, she’s a cultural touchstone. Few writers in modern memory have sustained her passion, and skill, for creating stories of consequence.”
-The Boston Globe

ચૂકે છે _ હરદ્વાર ગોસ્વામી

બે પલ્લાં જે ચૂકે છે.
ગૌરવ કયાં જઇ મૂકે છે.

 

એણે અધ્ધર હાથ કર્યા,
એ માણસ બંદૂકે છે.

 

હાર તમારી નક્કી છે,
એની કૂકરી ઊકે છે.

 

કાંટાથી દાઝેલ તો,
ફોરમને પણ ફૂંકે છે.

 

એના ડગલે ડગલે તો ,
આખું યે નભ ઝૂકે છે.

banvaasb.jpg

Click the URL to losten the nazam in the voice of Kaifi Azami

http://www.youtube.com/watch?v=kouZeTr_MGY

 

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)

 

તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
 કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’

Kishwar Naheed, 1940-

Born in Bulandshahr, Uttar Pradesh, India in 1940, Kishwar Naheed is one of the best- known feminist poets of Pakistan. In a field dominated by traditional male voices, Naheed, writing in Urdu, was a pioneer of a new, distinctively feminine voice and has produced over the span of thirty years a body of work that is innovative, defiant, political, and self-aware. Her poetry dared to go beyond the prescribed accepted ‘feminine’ realms to include hitherto unmined fields of female sexuality, politics, and social issues. In an interview with Rakhshanda Jalil for the Indian daily The Hindu (11/4/2001), Kishwar Naheed explained her writing as an attempt to redefine the man-woman relationship. Rejecting being branded as a radical or a bohemian, she declared herself “a realist” who “never let herself get pushed around by men or by circumstances.”
Born into a traditional family that moved to Lahore, Pakistan during the 1947 Partition of the sub-continent, Naheed had to fight to pursue an education in a milieu where women did not go to school and “were not allowed to speak to boys.” She studied at home and obtained a high school diploma through correspondence courses, but went on to receive a masters degree in Economics from Punjab University.

     iqbalpraying-at-masjide-alhanra-spain

 

      (ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ) 

પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી

 

સારે      જહાંસે અચ્છા,           હિંદોસ્તાં હમારા. 

હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.

મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,

 હિન્દી હૈ હમ વતન હૈ ,     હિંદોસ્તાં હમારા

રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
 
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.
ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
 
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
 
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં તસ્વીરે દર્દ નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ
,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,

ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ

ધરા ક્યાહૈ   ભલા ઓહદે    કુહનકી દસ્તાનોં મેં.

ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી         દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.

 (અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં નવા શિવાલાનામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .

પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.

સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,

હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,

શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.


_
તેમણે બ્રાહ્મણને ટકોર કરી.

સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,

તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.

( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને

મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.

(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
 
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ખુદીકહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ખુદીઅહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ખુદીને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
 
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શેર છે.
ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે

ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?

( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.

ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .

મરા      બનિગર      કિ દર હિંદોસ્તાં નમી       બીની

બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.

(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
મેં અસલ કા સોમનાતી

આબા મેરે લાતી વ મનાતી

(હું મૂળ સોમનાથીછું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)

હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.

મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,

યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,

હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર

બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
 
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.

પુત્રના લક્ષણ પારણામાંથીએ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.

1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
 
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.

ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
 
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને સરનો ખિતાબ આપ્યો.
 
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અનેસંકુચિતરાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.

તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _

ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.

તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા

(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
 
તેમણે એક વેળા કહ્યું કે જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
 
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
 
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
 
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટેઅને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
 
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.કવિવર ટાગિરે કહ્યું કે એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
 
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.
 
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.

 
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયાઅને ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામઅંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.

  ‘
અસ્રારે ખુદીઅને રમુજે બેખુદીએમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં શાહીનગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
 
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _

નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર

તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર

(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;

અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી

(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)

(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)

ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>

 

http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal

 

http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//

 

http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/

 

http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/

 

http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/

 

 

 

 

 

 

 

 

Posted by: bazmewafa | 10/18/2007

સાભાર સ્વીકાર_વફા

 

heapsofbooks1.jpg

સાભાર સ્વીકરા _ વફા

(1)એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ) _ ‘બેદાર’ લાજપુરી
પ્રકાશક: બેદાર લાજપુરી
69 હેડન સ્ટ્રીટ, લેસ્ટર U.K. (ઈંગ્લેંડ)
પ્રથમ આવૃત્તિ એપ્રીલ: 2001 મૂલ્ય : રૂ75.00 પ્રાપ્તિ સ્થાન રાગ_સ્વરપ્રકાશન 35/બી સમ્રાટ નગર,ગોધરા_380001
ફોન નં:02672_48958
ગુજરાત(INDIA)

(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી
સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન: Mahek Tankarvi
50 Seymour Road
BOLTON
UK
BL1 8PT
Price :2.00 pounds
મૂલ્ય: 50.00 રૂપિયા
મુખ્ય વિક્રેતા: આર.આર.શેઠની કંપની 110/12 પ્રિંસેસ સ્ટ્રીટ
કેસ્વબાગ, મુંબઈ4000 002 * ‘દ્વાર કેશ’
રૉયલ એપાર્ટમેંટસ સામે
ખાનપુર,અમાઅવાદ380 001 Tel: 07925516573
Web: www.rrsheth.com
E.mail: sales@rrseth.com

(3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’
પ્રથમ આવૃત્તિ :જુન 2003
કિંમત : 5.00 પાઉંડ પ્રાપ્તિસ્થાન: Gujarati writers guild
1 BURROW ROAD
PRESTON LANCASHIRE
PR1 6JU (U.K)

(4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ ‘અશરફ’
પ્રથમ આવૃત્તિ : 2004
મૂલય: રૂપિયા 20.00 વિદેશમા પાઉંન્ડસ:2.00
પ્રકાશક:અનવર પ્રકાશન મુ: કંઠારિયા તા.ભરૂચ 392162(INDIA)

(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ:જનાબ આદિલ મનસૂરી
ન્યુજર્સી,અમેરિકા
ટાઊન હૉલ, બટલી. શનિવાર,5મી સપ્તંબર,1998
(નિ:શૂલ્ક)

(6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ જનાબ મસ્ત મંગેરા તંત્રી: વહોરા સમાચાર સુરત,ઈન્ડિયા.
રવિવાર,15 મી ઑગષ્ટ,1999
ટાઉન હૉલ, બાટલી.
(નિ:શૂલ્ક)
(7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ લોર્ડ પટેલ ઓફ બ્લેકબર્ન(જનાબ આદમ હાફેઝી પટેલ0
15 મીજુલાઈ,2000
(નિ:શૂલ્ક)
((8) સ્મરણિકા _ભવ્યગુ જરાતી મુશાયરો
શનિવાર 28 ઓગષ્ટ 2004
બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ
ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
(નિ:શૂલક)

 ‘એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ)’બઝમે વફા ને  અર્પણ કરવા બદલ જનાબ ‘બેદાર’ લાજપુરીનો,અને(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી, (3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’, (4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ અશરફઅને(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (19998), (6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (1999),( 7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો(2000),(8) સ્મરણિકા _ભવ્ય
ગુજરાતી મુશાયરો(2004)નામનાં 7પુસ્તક,પુસ્તિકાઓ’બઝમે વફા અર્પણ કરવા બદલ વિદ્યાર્થી જિવનનાં અવિસ્મરણિય મિત્ર અને સિધ્ધ હસ્ત શાયર મિત્ર જનાબ યાકુબ ભાઈ મેંક”મહેક’ટંકારવીનો ઘણો શુક્ર ગુજાર છું ,રબ્બે કરીમ સર્વને જઝાએ ખેર અતા ફરમાવે..અને હો જોરે કલમ ઔર જયાદા દૂઆઈયાહ શ્બ્દો સહિત, સાભાર સ્વીકાર.

sisisaiyedjali-masjid-ahmedabad.jpg

shabdsetujadeja.jpg

 

 

jjadav.jpg

શ્રી જોરાવરસિંહ જાદવ _ લોકકલા અને લોકસંસ્કૃતિના ધૂરંધર લોકપ્રિય અભ્યાસી

શબ્દસેતુ’ સાહિત્ય વર્તુળની સભામાં લોકકલા અને લોકસંસ્કૃતિના ધૂરંધર લોકપ્રિય અભ્યાસી
શ્રી જોરાવરસિંહ જાદવનું ઉદબોધન(તા.14ઓકટોબર2007)

ગુજરાતની લોકકલા અને લોકસંસ્કૃતિને ફરી નવજીવન આપવાનું મહામૂલું કામ કરનાર શ્રી જોરાવરસિંહજી જાદવનું નામ કોણ નથી જાણતું? ગુજરાત અને ભારતના ખૂણેખૂણેથી ભૂલાતા જતા કલારસિકોને ઊંડા અંધારે કો’ક ખૂણે દટાતા જતા કેટલાય સ્ત્રી પુરોષોના જીવનમાં પ્રકાશ પાથરવાનું મહામૂલુું કામ હાલ જો કોઈએ કર્યું હોય અને કરી રહ્યા હોય તો તે વિરલ વ્યકિત એટલે શ્રી જોરાવરસિંહજી જાદવ. આપણે જેમના માટે ગૌરવ લઈ શકીએ એવા શ્રી જોરાવરસિંહજી જાદવને સાંભળવા કે મળવાનું થાય એ કલારસિક કે સહિત્યરસિક માટે સદભાગ્ય ગણાય. એવું મજાનું સદભાગ્ય ગયા રવિવારે શબ્દસેતુની ટોરોન્ટોમાં દર મહિને મળતા સાહિત્યકારો અને કલારસિકોને સાંપડયું હતું. શ્રી કિશોર પટેલે શબ્દસેતુની આ સભાનું સંચાલન કર્યું હતું.
આરંભમાં શ્રી જય ગજજરે શ્રી જોરાવરસિંહજી જાદવનો પરિચય આપતાં કહેલું, ‘ડૉ. મફત ઓઝાના આ શબ્દો સાંભળો,
મેઘાણી તમે લોકસાહિત્યના અચલ હિમાલય છો,
કાંચનજંગાસમા જાદવ ગુજરાતનું ગરવું શિખર છે.
મેઘાણી પછી ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલાને જીવંત રાખનાર અને એનો ચોતરફ ડંકો વગાડી ગુજરાતની ભૂમિને ધબકતી રાખનાર શ્રી જોરાવરસિંહજીએ આ ળ્ષેત્રે એમનું મહામૂલું જીવન સમર્પી દીધું છે. આજ એમનું જીવન એક મહાન સંસ્થા બની ગઈ છે. ધંધુકા તાલુકાના આકરુ ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી જોરાવરસિંહજીએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. કર્યું. થોડાં વર્ષ નોકરી કરી પણ એને તિલાંજલી આપી આવતીકાલ કેવી જશે એનો જરાકે વિચાર કર્યા વિના લોકસંસ્કૃતિ અને લોકકલાને ળ્ષેત્રે જીવન ઝંપલાવ્યું અને આજે ગુજરાતને એમણે આ ળ્ષેત્રે નેવુ જેટલા ગ્રંથો આપી અને ગુજરાત સમાચાર, ગુજરાત ટાઈમ્સ, કુમાર, અખંડઆનંદ, નવનીત જેવાં માતબર વર્તમાનપત્રો કે સામયિકોમાં નિયમિત કટાર કે લેખો લખી અપૂલ અને અમૂલ્ય સાહિત્યની અનોખી ભેટ આપી છે. એટલું જ નહિ ગુજરાત અને દેશને ખૂણે ખૂણેથી રસ્તે રઝળતાં કે ખોવાઈ ગયેલાં સાચાં મોતી શોધી એને સમાજ સામે લાવી એક અનોખું જીવન ઘડતર કરવાની દિશા ચીંધી છે. ખૂબ સાદાઈથી જીવન જીવતા શ્રી જોરાવરસિંહજી જાદવને અનેક એવૉર્ડ મળ્યા છે, અનેક સંસ્થાઓ સાથે જોડાયા છે અને અમૂલ્ય સેવા આપી લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલાને આજ ગુજરાતમાં ધબકતું કર્યું છે અને કરતા રહે છે. એમના ઘરની મૂલાકાત લો તો ચારે બાજુ લોકકલાનાં જ દર્શન થાય અને એમની મીઠી વાતોમાં લોકસાહિત્યના અનેરા પડઘા જ સંભળાય. આવા લોકસાહિત્યના પ્રતિનિધિ શ્રી જોરાવરસિંહજીભાઈ જાદવને આપ સૌ વચ્ચે આવકારતાં એક પ્રકારની ધન્યતા અનુભવું છું.
શ્રી જોરાવરસિંહજી જાદવે એમના વાર્તાલાપમાં ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલા કેવાં ભૂલાઈ ગયાં છે અને એમણે એને સજીવન કરવા કેવા પ્રયાસો કર્યા એની રસમય વાતો કરી. એકલે હાથે અને સમાજલક્ષી સજજનોના અપૂર્વ સહકારથી કેવા કેવા કાર્યક્રમો ગોઠવ્યા અને કેવા કેવા લોકોને આગળ લાવ્યા એની વિસ્તારથી કરેલ એમની વાતોમાં સમાજસેવા અને સંસ્કૃતિના વિકાસમાં એમના ફાળાનાં સ્પષ્ટ દર્શન થતાં હતાં. એમણે કરેલી કેટલીક વાતો રસપ્રદ અને હેતુલક્ષી હતી. પુષ્કરના મેળામાં રસ્તા પર નાચનારી મદારણ ગુલાબોમાં છૂપાયેલ ગુણ અને પ્રતિભા જોતાં ૨૭ વર્ષ પહેલાં ગુજરાતમાં બોલાવી એને સ્ટેજ આપી પ્રોત્સાહન આપ્યું. આ પછી એમણે વિશ્વના પચાસ દેશોમાં કાર્યક્રમો આપ્યા અને આજ વિશ્વવિખ્યાત બની ગયાં છે. દિવાળીના દિવસોમાં શરણાઈ વગાડીને અમદાવાદમાં માગવા નીકળતો પૂનમ આજે કેસેટ સીડીઓમાં સંગીતના સૂર રેલાવી ગણનાપાત્ર કલાકાર બની ગયો. રણમાં ઊંટ ચરાવનાર અને સીમનું રખોપું કરનાર કચ્છી કલાકાર સીદીકભાઈ જત અને મુસા ગુલામ જતને એમની કલા વિકસાવવા પ્રોત્સાહન આપતાં બંને રશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં જઈ આવ્યા. મોરબી પાસેના ખાખરાળા ગામના વિવેકાનંદ ભવાઈ કલા મંડળના કલાકારો ઇરાન, ઇરાક જઈ આવ્યા, કઠપૂતળીના કલાકાર રાણાજી અમેરિકા જઈ આવ્યા. આવા અનેક દષ્ટાંતો આપી એમના કાર્યની ઝાંખી કરાવી. વળી ભવાઈ, ગરબા, લોકનૃત્યોના કલાકારોને કેવી રીતે શોધી એમને સમાજમાં ઉચ્ચ કક્ષાએ કેવી રીતે પહોંચાડયાં અને કેટલીક ભાંગી પડેલ સંસ્થાઓને કેવી રીતે ઊભી કરી અગ્રગણ્ય સંસ્થા બનાવી સિધ્ધિને શિખરે પહોંચાડી એ બધી વાતોએ સૌ શ્રોતાઓને રસ તરબોળ કરી દીધા. કર્ણાવતી અને રાજપથ જેવી કલબોમાં કાર્યક્રમો ગોઠવી કલબની નામના વધારી એટલું જ નહિ લુપ્ત જતી કલા, સંસ્કૃતિ અને લોકસાહિત્યને આમ જનતા સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવવાનું અને ગામડાઓની ધરતીની ધૂળમાં રમતાં લોકકલાકારોને નવજીવન આપવાનું મહામૂલું કામ કરનાર શ્રી જોરાવરસિંહજી જાદવમાં એક વ્યકિત નહિ એક સંસ્થાનાં દર્શન થાય છે. એમણે અંતમાં જણાવ્યું કે, ‘ગુજરાત ભારતનું એક સંસ્કૃતિપ્રિય રાજય છે. જયાં સુધી ગુજરાતને ખૂણે ખાંચરે નાના મોટા કલાકારો છે અને ધનના ઢગ પર બેસીને પણ સંસ્કૃતિના પોષક ઉદાર સખાવત આપનાર કલારસિકો અને કલાને પોષનારા ઉદાર હૃદય અને મન ધરાવતા શ્રીમંતો છે ત્યાં સુધી ગુજરાતની અને ભારતની લોકકલા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય ધબકતાં રહેશે એ માટે જરૂર રહેશે કોઈ મેઘાણીની, કોઈ યુનિવર્સિટી સંશોધનકારની, કોઈ ભેખધારીની, કોઈ દાનવીરની.”
એ પછી શ્રી જોરાવરસિંહજીએ શ્રોતાઓના વિવિધ સવાલોના સસ્મિત સરસ જવાબો આપ્યા હતા. એમના આ ભગીરથ કાર્યમાં સરકાર તરફથી કંઈ સહાય મળી રહે છે? એના જવાબમાં એમણે સરસ વાત કરી કે હજુ સુધી સરકારે કોઈ સીધી મદદ નથી કરી પણ ગુજરાતમાં ઉદાર અને સંસ્કૃતિપોષક લોકોની કોઈ ઉણપ નથી એટલે એની જરૂર નથી પડી.
અંતમાં જય ગજજરે શ્રી જોરાવરસિંહજી જાદવનો આભાર માની એમના પ્રવચને એક યાદગાર સાંજ બનાવ્યાનું જણાવ્યું હતું.

શબ્દસેતુ વતી અહેવાલ
  શ્રીજય ગજજર,
મિસિસાગા

(આ અહેવાલ આપવા બદલ શ્રી જય ગજ્જર નો ઘણો આભાર_’બઝમેવફા’)

 adilabstract1.jpg

(જ.આદિલ મનસૂરીનું એક એબસ્ટ્રેકટ ચિત્ર _શુક્રિયહ સહિત)

કાળ ચક્ર_કૈફી આઝમી(ઉર્દુના ક્રાંતિકારી સુવિખ્યાત કવિ)

નિશ દિન જ્યાંથી પ્રવાસ આદરું છું
ફરીને ત્યાંજ પરત થાઉં છું.
 જેને ઘણી વખત તોડી ચુક્યો છું
એજ દીવાલોથી ફરી અથડાઉં છું

રોજ નિત નવા નગરોનું સર્જન થાય છે,
અને રોજ ધરતીમાં ધર્બિત થાય છે.
ધરતીકંપમાં થોડી વિશ્રાંતિ હતી
તે પણ હવે રોજ ટપકી પડે છે.

દેહથી આત્મા સુધી છવાયલી રેતી
કયાંય પણ તડકો,પડ્છયો,મૃગજળ પણ નથી.
કેટલી મહેચ્છાઓ છે કોઇ રણ વગડે,
 કોણ કબરોનો રાખે હિસાબ.

આ રકતવાહિનીઓ હોલવાય છે અને ભડ્કે પણ છે.
અને હૈયાને ડરવાનીએ પણ આદત છે.
 રાત્રે અંધારાએ અંધારાને કહ્યું, કે
જિવવું પણ એક પ્રકૃતિ બની ચુકી છે.

એક રંગનું મેઘધનુ ઉદય પામે છે,
એકજ શૈલી અને એકજ માપદંડ

બધા વળાંકે મસ્જીદો ઉભી છે,
સુરાલયો તકલીફમાં મુકાઇ ગયા છે.
 કોઇ કહે છે હું દરિયો છું,
અને મારા ખિસ્સામાં એક બુંદ પણ નથી.

હું મારી કુશળતા પાઠવ્યા કરું છું.
હવે તો ભાગ્યને કોઇ ભય નથી
હું મારા હાથોનુંજ પઠન કરું છું,
કદી કુરાન કદી ગીતાની જેમ.

થોડી રેખાઓમાં હું સિમિત થઇ જાઉં છું
 જિંદગી કારાગૃહમાં છે સીતાની જેમ
રામ ક્યારે પરત થશે ખબર નથી,
કાશ કોઇ રાવણનું આગમન થઇ જતે.

(અનુ.વફા)

desertofwords.jpg 

જ.‘અગમ’ના 5 મુકતકો
1
નવોદિત શાયરોને

શબ્દ-રણમાં ભોમિયા વિણ વ્યર્થ અટવાતાં રહે,
છંદના ઉદ્યાનમાં જે ઠોકરો ખાતા રહે,

એ નવોદિત શાયરોને ગ્રંથ આ અર્પણ કરું,
શબ્દથી પણ અધિક ગીતો ગુંજમાં ગાતા રહે !

(જ.’અગમ’ કોસંબવીના 2005માં પ્રકાશિત થયેલ સંગ્રહ ‘રાહબર’ માં પ્રથમ પાને નવોદિત શાયરોને અર્પણ કરતા)

2

દોડી ગયો

સેતુઓ સબંધના તોડી ગયો,
સાજ સામગ્રી ઘરે છોડી ગયો,

કાવ્ય_મંડીમાં ન જામી સાખ ત્યાં,
 કવન માથે લઈ ‘અગમ’ દોડી ગયો.

3

કલમની હાંક

કલમ મારે જ્યાં કવેળા હાંક ત્યાં_
હૃદય બીજું કંઈ સાંભળતું નથી,

કલમ ખોળે શીશ જ્યાં ઢાળે ‘અગમ’
ઓશિકે મસ્તક પછી ઢળતું નથી.

4

ધોધ હોય તો

ગમતું ન વાણી _વ્હેણમાં અવરોધ હોય તો,
ગમતું ન એનો વ્યર્થ વ્હેતો ધોધ હોય તો.

વાગીશ્વરીનાં હોય જો વરદાન દોહ્યલાં,
ગમતું ન વાણી’અગમન’ની દુર્બોધ હોયતો.

5

વેરાઇ લેવા દે

વિવસ્પદ થયો તો સૂર_તાલે ગાઈ લેવા દે.
નગરનાં ચોતરે ચૌટે મને પરખાઈ લેવા દે.

પ્રશંસા થાય કે નિંદા નથી પરવા જરી એની,
વિવાદી વાયરે આજે બધે વેરાઈ લેવાદે.

(જ.’અગમ’કોસંબવીના કાવ્ય સંગ્રહ ‘રાહબર’માંથી સાભાર)

શાયરનાં જીવન કવન અને પરિચય માટે ‘બઝમે વફા’નું નીચેનું URL કલીક કરો.

http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/

 

 

saifpalanpuri 

મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા

સૈફુદ્દીન ખારાવાલા ને હું,એમ તો છેલ્લા ત્રણથી પણ વધુ દશકાથી ઓળખતો હતો.હા,આ વ્યાકરણમાં આવતા ક્રિયાપદમાં જ તો ટ્રેજડીનો અણસાર છે.ઓળખુંછુંલખી શક્યો હોત ,તો મને જ નહિ પણ ઘણા બધાને ગમત.. પણ મજબૂરી વ્યાકરણ પણ બદલીનાંખે છે.ક્રિયાપદો પણ…
  તે વખતે સૈફુદ્દીનનાં મિત્રોમાં માત્ર શાયરો નોતા. કલા અને સાહિત્ય સાથે કશી નિસ્બત ન ધરાવતા માણસો પણ હતા.વેપારીઓ,હરવાફરવાના તેમ જ રમવાજમવાના શોખીનો પણ …. સૈફુદ્દીન ભીંડી બજારમાં આવેલી કાપડની એક દુકાનમાં બેસતો, અને તાકા માપતો અને ફાડતો અને વેચતો. સૈફુદ્દીનનું કુટુંબ મૂળ પાલનપુરનું અને પાલનપુર એટલે……. પાલનપુર પરથી ધોળે દહાડે કોઈ વિમાન પસાર થાય તો વિમાનનો પડછાયો કોઈ શાયર પર ન પડ્યો હોય તો જગતની આઠમી અજાયબી કહેવાય
એ જ કારણ હતું કે સૈફુદ્દીન ખારાવાલા પણ એ પડછાયાથી બચી ન શકયો.
સૈફ માટે કોઇ મુશ્કેલ કામ નો’તું.તખલ્લુસ તો નામમાં જ ગોપિત હતું.સૈફ એટલે તરવાર,તલવાર
નામનો અર્થ થતો.ધર્મની તલવાર..
  પણ ધર્મને એ માણસે તલવારથી દૂર રાખ્યો.અથવા બીજી રીતે કહીએ તો ,તલવારને એણે મઝહબથી દૂર રાખી.સૈફે શેર અને નઝમના જગતમાં ફૂલો ખીલવ્યાં. અને પત્રકારત્વની દુનિયામાં એણે વતનથી બિસ્મિલ્લાહ બોલી.. મુસ્લિમ સમાજ અને રાજકરણને સ્પર્શતા એ સાપ્તાહિકમાં ચાર કોલમો નિયમિત ચાલતી હતી.તલવરનો ભાસ થાય એ રીતે,પણ એ ચારે કલમ સ્વામીઓ અંગત જીવનમાં સહેજ સરખા પણ કોમવાદી નોતા.એક તો અમીરી અને બીજા અમીન આઝાદ,યાવર અલી સૈયદ,અને સૈફ પાલનપુરી.પછી તો અમીરીએ સ્ત્રીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું.,’બેગમ’…. ‘વતનઅને બેગમધૂમ ચાલવા લાગ્યાં.અને તે જમાનામાં સૈફ અને અમીરીનો ઠાઠ પણ , બદરી કાચવાલા ઓછા નોતા.સૈફ કયારેક તો પોતાની ટેકસીને અડતાલીસ કલાક વેઇટીંગમાં રાખતોસૈફે પદ્ય કરતાં ગદ્ય વધું લખ્યું છે_કોલમો અને ચાલુ વાર્તાઓ…. ‘વતન, અને બેગમની જેમ મુશાયરો પણ ધામધૂમ સાથે આખી બોમ્બે પ્રેસિડંસીમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો.તે વખતે શયદા જેવા ગઝલ સમ્રાટ હતા,બેકાર જેવા હઝલ સમ્રાટહતા._સીરતી,શેખચલ્લી,આસી,અનિલ,મરીઝ,નઝીર,હરીન્દ્ર દવે,મહેન્દ્ર અચલ,શૂન્ય,ઘાયલ,ઓજસ(પાલનપુરી),અમીન આઝાદ,હબીબ,યુસુફ બુકવાલા,આસિમ રાંદેરી,……એમ ગણ્યા ગણાય નહિ એટલા શાયરો હતા.તેમાં હું પણ શામેલ હતો.જમિયત,ડાયર,મામા,અને સાબિર જોડેસૈફની શાયરીનો એ આરંભ કાળ હતો..એની નઝ્મો માટે મુશાયરાઓમાં સારી એવી માંગ રહેતી.
 

અમે મોટાભાગે દરેક મુશાયરામાં ભેગા થઇ જતા.પછીતો વાડાબંધીએ ડોક ઉંચકી.અને વાડાઓ વધવા માંડે તે પહેલાં હું દેશ છોડી પરદેશ ચાલ્યો ગયો.જ્યારે દેશના આંટા મારતો ત્યારે અમે મળતા.જોકે દોસ્તોનાં દાયરામાં પણ અણધારી અને અણગમતી લકીરો ખેંચાઈ ગઈ હતી.રસ્તા જુદા પડ્યા હતા.દોસ્તો મળતા પણ ,સાહિરના પેલા મુકતકમાં આવતી વાતની જેમ


 ,
તેરા મિલના ખુશીકી બાત સહી
તુજસે મિલકર ઉદાસ રહતા હું.
 

  

બેગમબંધ થઇ ગયું. વતનમાં સૈફનું નામ જ રહી ગયું હતું. મુશાયરા ચાલતા હતા(અને ચાલતા નોતા તો ચલાવવામાં આવતા હતા)
  સૈફનો મિજાઝ તો હતો તે જ રહ્યો.પણ લક્ષમીનો છણકો સહેજ ઓછો થઇ ગયો હતો.સૈફનો મિજઝ તોયે લક્ષમીની બેવફાઈ ઉપર માતમ કરતો નોતો.
  સૈફના શોખોય પાછા રજવાડી હતા.એ ડિલનો જેવો ભરપૂર હતો તેવોજ દિલનો પણ હતો.રંગો અને ફૂલો એને ગમતાં હતાં,હુક્કો ગગડાવતો નોતો એટલુંજ
  પછીતો માલિકના નસીબમાં નોકરીનો વખત આવ્યો. અમારો સબંધ એવો હતો કે એ મને જેટલી ગઝલો સંભળાવતો એટલીવાર હું એને હસાવતો, દાદ આપતો એ જુદી. પછીતો હું એને એક શરત કરીનેજે મળતો, એક પણ શેર સંભળાવવો નહિ…’ઓકેએ કહેતો, ‘એક પણ શેર સંભળાવું નહિ….’ પણ સૈફને શેર સાંભળવા કરતાં સંભળાવવામાં વધુ ફાવટ હતી.એ શરતનાં ભુક્કેભુક્કા બોલાવી સિફત પૂર્વક કેટલીક ગઝલો મને સંભળાવીનેજ જંપતો.

  છેલ્લી મુલાકાતમાં સૈફને પોતાની ગઝલ નો એક પણ શેર સંભળાવવાની તક મળી નહિ.આ વખતે ઊલટું થયું.અમારા બેઉના યજમાનનો આગ્રહ હતો કે હુંજ સંભળાવું.
રાજકોટમાં અમે છેલ્લો મુશાયરો કર્યો…. તે અદભૂત મુશાયરામાં રાજેન્દ્ર શુકલે કહ્યું , ‘અઢાર વરસે હું રાજકોટમાં કવિતા સંભળાવી રહ્યો છું’. ત્યારે સૈફ પાલનપુરીએ કહ્યું, ‘હું તો આ પહેલી વાર રાજકોટ (મુશાયરામાં) આવ્યો છું,..અને કદાચ છેલ્લી વાર પણ…’
  સૈફ બોલ્યો હતો મજાકમાં કે, મારી કવિતા સાંભળ્યા પછી તમે મને ફરી બોલાવે નહીં
….
  પણ મલેકુલમૌત(યમરાજે) સૈફના એ શબ્દનો ખોટો અર્થ ઘટાવ્યો.

જ.સૈફ પાલનપુરીની એક વેદનાના તારને ઝણઝણાવતી ગઝલ_વફા 

ુદાની બાતમી   

ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.  

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.  

ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.  

મારા વિચાર સાથે હું સંમત થયો હતો
મારામાં તે જ દિવસે મારી કમી હતી.  

હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.  

ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
રેખાઓ હાથની બહુ પાતળી હતી.  

એની જવાની બાદ કોઇ માવજત ન થઇ
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી.  

ખંડેર પણ નથી કે નિશાની મળી શકે
ઊર્મિઓ માર મન મહીં શું ભલભલી હતી.  

બસ એજ કારણે બહુ શરમાઈ હું ગયો
ડૂબી જવાને માટે ફકત વાટકી હતી.  

બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.  

જોતાની સાથ લોક તરત ઓળખી ગયા
મુજથી વધુ સફર મારી દીવાનગી હતી.  

સૈફઆપ તો જીવી ગયા ઘણું
બાકી અમે તો આપની ઘડીઓ ગણી હતી.  

manto_3.jpg

 

બારી ખોલી નાંખો_સઆદતહસન મંટો 

 

(સઆદત હસન મંટો 1912-1955, 20મી સદીના નામાંકિતા નવલિકાકાર હતા.પંજાબના લુધિયાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ઓલ ઈન્ડીયા રેડિયોમાં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ સ્ક્રીન રાઈટરહતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
 એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિય વિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે
સઆદતહસન મંટોની ઉર્દુ ના સર્વ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠિત છે. મંટોએ સમાજની ગંદકી, બેહુદગીને જે રીતી જોઇ એ રીતેજ એને વાચા અર્પી છે.એમના ઉપર અશ્લીલતાનો મુકદમો પણ ચલાવવામાં આવ્યો.પરંતુ પોતાની ધૂનનાં પાકા એવા મંટોની રચના શૈલી એ હાર નહીં માની.દેશના વિભાજનનાં પ્રત્યક્ષ સાક્ષી મંટો એ ,એ યુગની ઉઠપાઠલને પોતાની તમામ વાર્તાઓના વિષયમાં ભિન્ન ભિન્ન અંદાઝમાં આવરી લીધી.ખોલ દો’(બારી ખોલી નાંખો) મંટોની વિભાજનના કડવાહટમાંથી નિપજેલી કથા છે. જ્યાં એક બાપનું પોતાની દીકરી સાથેની જુદાઈનો ગમ તો છેજ,સાથે સાથે સમાજ સેવાનાં નામ પર અનૈતિકતા ની પરાકાષ્ટા નું સજીવ ચિત્રણ પણ છે.) 

 

અમૃતસર સ્ટેશનથી બપોરનાં બે વાગ્યે ટ્રેન ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી.રસ્તામાં સખ્યાબંધ લોકો માર્યા ગયા.ઘણાં લોકો જખ્મી થયા, કેટલાક ભટકી ગયા.
સવારે દસ વાગ્યે જયારે રાહત છાવણીની ઠંડી જમીના પર સિરાજુદ્દીને આંખો ખોલી ત્યારે એણે ચારો તરફ પુર્રુષો,સ્ત્રીઓ,અને બાળકોનો ઠઠ મારતો સમુંદર જોયો.એની વિચારવાની અને સમજવાની શક્તિ કુંઠિત અને વૃધ્ધ બનીએ ગઈ. ઘેરાયલા આકાશને એ ટિકટિકી બાધીને જોતો રહ્યો.રાહત છાવણીમાં ખુબ શોર બકોર હતો,પરંતુ જાણે વૃધ્ધ સિરાજુદ્દીનનાં કાન બહેર મારી ગયા હતા.એને કંઈ સંભળાતું ન હતું.કોઇ એને જોતું તો અનુમાન કરતું કે એ ગાઢ નિંદ્રામાં છે,પરંતુ એવું ન હતું.એના હોશો હવાસ ગાયબ હતા.એનું સંપુર્ણ અસ્તિત્વ શૂન્યમાં લટકી રહ્યું હતું.
ઘેરાયલા આકાશમાં ઇરાદા વિહિન જોતાં જોતાં સિરાજુદ્દીનની આંખો સુરજની સથે ટકરાઈ.તેજ પ્રકાશ એના અસ્તિત્વની નસે નસમાં ઉતરી ગયો, અને તે જાગી ઉઠ્યો.ઉપર નીચે એના દિમાગમા કેટલે તસ્વીરો દોડવા લગી.લૂટ,આગ,ભાગમ ભાગ સ્ટેશન,ગોળિયો,રાત અને એની સકીના….. સિરાજુદ્દીન એકદમ ઉભો થઈ ગયો,અને પાગલોની જેમ ચારો તરફ ફેલાયલા ઈંસાનોનાં સમંદરને ફેંદવાનું શરૂ કરી દીધું.
ત્રણ કલાક સુધી સકીના _સકીનાની બુમ પાડતાં આખી રાહત છાવણીમાં ફરતો રહ્યો.પરંતુ એને એની જુવાન અને એકની એક દીકરીની કોઇ ખબર ન મળી.ચારો તરફ એક ધમાલ જેવી મચેલી હતી.કોઇ પોતાનું બાળક શોધી રહ્યું હતું કોઇ મં,કોઇ પત્નિ,અને કોઇ બેટી.સિરાજુદ્દીન થાકીને એક તરફ બેસી ગયો, અને દિમાગ પર જરા જોર દઈને વિચારવા લાગ્યો કે સકીના એનાથી ક્યારે અને ક્યાં અલગ થઇ ગઇ.પરંતુ વિચારતાં વિચારતાં એનું દિમાગ સકીનાની માંની લાશ પર ચોંટી જતું, જેનાં બધાં આંતરડા બહાર નીકળેલા હતાં.એના આગળ એ કંઇ પણ વિચારી શકતો ન હતો.
સકીનાની માં મરી ચુકી હતી.એણે સિરાજુદ્દીનની આંખો સામે દમ તોડી દીધો હતો.પણ સકીના ક્યાં હતી,એના વિશે એની માંએ મરતાં પહેલાં કહ્યું હતું.મને છોડી દો અને સકીનાને લઇને જલ્દી અહીંથી ભાગી જાઓ.સકીના એની સાથેજ તો હતી.બન્ને ઉઘાડા પગે ભાગી રહ્યાં હતા.સકીનાનો દુપટ્ટો નીચે પડી ગયો,એને ઉઠાવાવા એ થોભવા માંગતો હતો ,સકીનાએ બરાડા પાડી કહ્યુંઅબ્બાજી એને છોડી દો,પરંતુ એણે દુપટ્ટો ઉઠાવી લીધેલોએ વિચારતાં એણે એના કોટના ઉભરી આવેલા ખિસ્સા તરફ જોયું,એમાં હાથ નાંખીને એણે એક કપડું બહાર કાઢ્યું,એ સકીનાનોજ દુપટ્ટો હતો.પણ સકીના ક્યાં છે?
સરાજુદ્દીને પોતાના ઠકાવટ ભરેલ દિમાગ પર ઘણું જોર દીધું પણ તે નિર્ણય પર પહોંચી નહીં શક્યો.શું એ સકીનાને સ્ટેશન સુધી લઈ આવ્યો હતો? શું તે એની સાથે ગાડીમાં સવાર હતી?રસ્તામાં ગાડી રોકવામાં આવી હતી અને દંગાખોરો અંદર ઘુસી આવ્યા હતા,ત્યરે એ શું બેહોશ થઇ ગયો હતો જેથી તેઓ સકીનાને ઉઠાવીને લઇ ગયા
?
સિરાજુદ્દીન ના દિમાગમાં પ્રશ્નોની ભરમાર હતી,ઉત્તરો કોઇ ન હતા.એને હમદર્દીની જરુરત હતી,પણ ચારો તરફ જેટલા માણસો ફસાયલા હતા બધાને હમદર્દીની જરુરત હતી.સિરાજુદ્દીનને રડવાનું મન થયું,પરંતો આંખોએ એને સાથ ન આપ્યો.અશ્રુઓ ન જાણે કયાં ગાયબ થઇ ગયા હતાં.

છ દિવસ પછી જ્યારે હોશ કંઇ ઠેકાણે આવ્યા ત્યારે સિરાજુદ્દીન તે લોકોને મળ્યો જે એની મદદ કરવા તૈયાર હતા.આઠ નવજુવાનો હતા,જેમની પાંસે લાઠીઓ અને બંદુકો હતી.સરાજુદ્દેને એમને લાખો દૂઆઓ દીધી અને સકીનાની ઓળખ બતાવી.ગોરો વાન છે ,ઘણીજ ખુબસુરત છે.મારા પર નહીં એ એની માં પડી હતી.ઉમર સત્તર વરસ જેટલી છે.આંખો મોટી છે.વળ કાળા,જમણા ગાલ પર મોટો તલ છે.મારી એકની એક દીકરી છે. શોધી આપો,ખુદા તમારું ભલું કરશે.
સમાજ સેવક યુવાનોએ એમને દિલાસો આપ્યોકે જો આપની દીકરી જિવિત હશે તો થોડા સમયમાં તમારી પાંસે આવી પહોંચશે.
આઠે નવજુવાનોએ પ્રયત્ન આદર્યો.પોતાનાં જીવના જોખમે અમૃતસર પહોંચ્યા.ઘણા પુરુષો અને ઘણાં બાળકોને એમણે શોધી શોધી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા, દસ દિવસ વીતી ગયા,પણ સકીનાનો પત્તો લાગ્યો નહીં.એક દિવસ આજ સેવાના માટે મોટરથી અમૃતસર જઇ રહ્યા હતા ત્યાં સડકના કિનારે એક નહેર પાંસે એક છોકરી પર નજર પડી. મોટરનો અવાજ સંભળીને તે ગભરાઇ અને ભાગવા લાગી.સમાજ સેવકોએ મોટર રોકી અને બધાજ એની પાછળ દોડ્યા.એક ખેતરમા એમણે છોકરીને પકડી લીધી.જોયું ઘણી દેખવડી હતી.જમણા ગાલ પર મોટો મસ તલ હતો.એક છોકરાએ એને કહ્યું ઘબરાઓ નહીં _શું તમારું નામ સકીના છે? છોકરીનો રંગ આ સાંભળી વધુ પીળો થઇ ગયો.પણ જયારે બધાજ છોકરાઓ એ એને હિમંત અને દિલાસો આપ્યો તો એની ગભરામણ દૂર થઇ.અને એણે કબુલી લીધું કે તે સિરાજુદ્દીનની છોકરી સકીના છે.
આઠે નવજુવાનોએ સકીનાની બધી રીતે હમદર્દી દાખવી.એને ખાવાનું ખવડાવ્યું ,દૂધ પાયું અને મોટરમાં બેસાડી દીધી.એકે તેનો કૉટ ઉતારીને એને દીધો,કારણકે દુપટ્ટો ન હોવાને લીધે એ ઘણો સંકોચ અનુભવતી હતી.અને વારંવાર પોતાની છાતીને હાથથી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી.
કેટલાયે દિવસ વીતી ગયા છતાં સિરાજુદ્દીનને એની છોકરીની કંઇ ભાળ મળી નહિ.તે દિન ભર જૂદી જૂદી રાહત છવણી અને ઓફિસોનાં ચક્ક્ર્રો મારતો રહ્યો.,પરંતુ કયાંયે એની દીકરીનું પગેરું નમળ્યું.
રાતનાં મોડે સુધી પેલા સમાજ સેવકો જુવાનો માટે દૂઆઓ કરતો રહ્યો.,જેમણે દિલાસો આપ્યો હતો એમની દીકરી જો જિવિત હશે તો થોડા દિવસોમાં એને શોધીનાખશે. એક દિવસે રાહત છાવણીમાં સરજુદ્દીને પેલા સમાજ સેવકોને જોયા.મોટરમાં બેઠેલા હતા.સિરાજુદ્દીન દોડતા એમની પાંસે આવ્યો.મોટર ચાલવાની તૈયારીમાં હતી,કે એણે પૂછ્યું,”બેટા મારી સકીનાનો કંઇ પત્તો મળ્યો?
બધાએ એક સાથે જવાબ આપ્યોમળી જશે, મળી જશેઅને મોટર મારી મૂકી.સરાજુદ્દીને ફરી એ નવજુવાનોની સફળતા માટે દૂઆઓ માંગી.અને એનું મન પણ થોડું હળવું થઇ ગયું.

એક સાંજે રાહત છાવણીમાં જયાં સિરાજુદ્દીન બેઠો હતો ત્યં કંઇ ગરબડ જેવી થઇ.ચાર માણસો કંઇ ઉંચકીને લાવી રહ્યા હતા.તપાસ કરતાં એને ખબર પડી કે એક છોકરી રેલ્વે લાઈન પર બેહોશ પડેલી હતી. લોકો એને ઉંચકીને લઇ આવ્યા છે.સિરાજુદ્દીન એની પાછળ થઇ ગયો.લોકોએ છોકરીને હોસ્પિટલ વાળાઓને સોંપી દીધી અને ચાલતી પકડી.
થોડી વાર એ એજ અવસ્થામાં હોસ્પિટલની બહાર એક લાકડાનનો થાંભલાને અડીને ઉભો રહ્યો.પછી ધીરે રહી અંદર ચાલ્યો ગયો. ઓરડામાં કોઇ ન હતું.એક સ્ટ્રેચર હતી જેનાં પર એક લાશ પડેલી હતી.સિરાજુદ્દીન ધીમે પગલે એની તરફ આગળ વધ્યો ઓરડામાં અચાનક પ્રકાશ થયો.સરાજુદ્દીને લાશના પીળા ચહેરા પર ચમકતો તલ જોયો,અને બરાડી ઉઠ્યો સકીના”! ડોકટર જેણે ઓરડામાં રોશની કરી હતી ,સિરાજુદ્દીન ને પૂછ્યું શું થયું

સિરાજુદ્દીન ના ગળામાંથી ફકત એટલોજ અવાજ નીકળ્યો કે ‘” જી,જી, હું એનો બાપ છું ડોકટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ તપાસી અને સિરાજુદ્દીનને કહ્યુંબારી ખોલી નાંખોસકીનાનાં મૃત શરીરમાં ચેતના સ્ફુરી.મૃત પાય હાથોથી એણે ઈજારબંદ ખોલી નાંખ્યો,અને સલવાર નીચે સરકાવી દીધી. વૃધ્ધ સિરાજુદ્દીન ખુશી માં બરાડી ઉઠ્યો,,” જીવતી છે,મારી દીકરી જીવતી છે.”! 

ડૉકટર માથાથી પગ સુધી પસીનામાં ડૂબી ગયો. 

 

 

look4.jpg 

મારા લિબાસમાં_બેફામ

 

પહોંચી શકાતું કેમ નથી તારી પાંસમાં?
લાગે છે મારી જેમ છે તું યે પ્રવાસમાં.

સમજી શકે શું કોઇ પીડા તારી યાદની?
કાંટાના ડંખ વાગી રહ્યા છે સુવાસમાં.

આંખો ભરીને એને અનિમિષ જુઓ નહીં,
એક અંધકાર પણ છે સુરજના ઉજાસમાં.

હું ના ચણું મહેલ હવામાં તો શું કરું?
મારી જીવનસફર છે બધી મારા શ્વાસમાં.

મારા સદનમાં એની પ્રતિક્ષાની વાત કયાં?
મળતાં નથી હવે તો એ નિજના નિવાસમાં.

આંખોના અશ્રુજ વહ્યાં છે લલાટથી,
પ્રારબ્ધથી વિશેષ નહીં મળ્યું પ્રયાસમાં.

એ છે પૂનમના ચાંદ જાણ્યું જુદાઈથી,
નહોતી ખબર કે જીવવું પડશે અમાસમાં.

લ્યો આજ એની શોધના રસ્તા પૂરા થયા,
ભટકી રહ્યો છું આજ હું મારી તપાસમાં.

બેફામ કોઇ કોરા કફન જેવો સાફ છે,
બસ એ જ એક ડાઘ મારા લિબાસમાં.

aziztankarvi.jpg  

અઝીઝ ટંકારવી

nisbat7.jpgnisbat6.jpg 

  ‘નિસબત’

મારી એકલતા છે મારું ઉપનિષદ શબ્દ,
 લેખણ, સાહી કાગળ કંઈ નથી


માનવ જીવનની સફરની શરૃઆત-અજીબોગરીબ છે. માના ઉદરમાંથી જન્મ થતાંની સાથે જ એ અનોખી સફર શરૃ થાય છે. સતત નવ મહિના ઉદરમાં એકાંત ભોગવવા છતાં એકલતા જેવું કંઈ જ લાગતું નથી. કારણ કે એ અવસ્થાના તાર માની મમતા, હૂંફ, કાળજી સાથે જોડાયેલા રહે છે. એટલે તો પેલો નાનકડો જીવ પળેપળ માના એ મમતાભર્યા ચહેરાને જોવા તલપાપડ થતો રહે છે.
પણ જેવો એ દુનિયાના દરવાજે દસ્તક દઈ એમાં પ્રવેશે છે કે, માની મમતા સિવાયની દુનિયાથી વિસ્મય પામે છે. ને ધીરે ધીરે એ વિસ્મયતા એકલતામાં પરિણમે છે. એકલતાનો શાબ્દિક અર્થ આપણે એકલા હોવું એવો લઈએ છીએ. ખરેખર એવું નથી. માનવી હજાર જણ વચ્ચે બેઠો હોય છતાં એકલતા મહેસૂસ કરતો હોય છે. માના ઉદરમાંનું એકાંત અને ભરીભાદરી દુનિયા વચ્ચેની એકલતામાં આભ-જમીનનું અંતર છે. એટલે તો ભગવતીકુમાર શર્મા એક શે’રમાં કહે છે
:
તોય અકબંધ મારી એકલતા
જઈ ભલેને હજારમાં બેઠા

એકલતા માણસને કોરી ખાય છે. એમાંથી છુટકારો મેળવવા માનવી જાતભાતની તરકીબો રચતો હોય છે. એકાંતમાં બેસી જાત સાથે વાત કરવાની જેને ફાવટ હોય છે તેનાથી એકલતા સો જોજન દૂર ભાગે એ નક્કી, પણ જેઓ પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાનું ટાળતા રહે છે તેમના માટે એકલતા પડછાયાની જેમ સાથે ને સાથે રહે છે. એકલતાની સરહદમાં પ્રવેશનાર માટે આદિલ મન્સૂરી કહે છે :
એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું
તો કેટલાક એકલતાને એ રીતે વળોટી જતા હોય છે કે તેમને મન એકલતા ઉપનિષદની ગરજ સારે છે. ભગવતીકુમાર શર્મા એક શે’રમાં કહે છે :
મારી એકલતા છે મારું ઉપનિષદ
શબ્દ, લેખણ, સાહી કાગળ કંઈ નથી

જેના મનની ભીતર ઉપનિષદ ભરેલું હોય તેના માટે અન્ય શબ્દો, લખાપટ્ટીનું ઝાઝું મહત્ત્વ રહેલું નથી.
એકલતા અનુભવતો જણ મનમાં કશુંક વાગોળતો રહેતો હોય છે. પછી તે ઈશ્કે મિજાજીમાં તરબોળ હોય કે ઈશ્કે હકીકીમાં એ એના પ્રિય પાત્રની રટ લગાવી પેલી એકલતાને હળીભરી રાખવા પ્રયત્ન કરતો રહે છે. મનોજ ખંડેરિયાનો એક શે’ર આવું જ કંઈક કહી જાય છે.
કૈંક એકલતા વિશે આવો અનુભવ છે મને
હોઠ પર તારું અજાણ્યે નામ આવી જાય છે

તો એ જ વાત આશિત હૈદરાબાદી એક શે’રમાં આ રીતે વ્યક્ત કરે છે :
સેંકડોની હાજરી વચ્ચે ફરું છું એકલો
રાત પડતાં આંખ પાછળ થાય છે મેળા શરૃ

ફક્ત માનવી જ એકલવાયાપણાનો અનુભવ કરતો નથી. પ્રકૃતિ પણ પોતાની એકલતાને બહેલાવવા જાત-ભાતની તરકીબો કરે છે. પર્ણોની એકલતા પવન કઈ રીતે દૂર કરે છે એ વિશે કવિની કલ્પના કેવી કાબિલે દાદ હોય છે તે શોભિત દેશાઈના એક શે’રમાં માણીએ :
હતી મર્મર છતાં પર્ણો
અનુભવતાં’તાં એકલતા
પવન લઈ રાતરાણીથી
મહેકની સેજ લઈ આવ્યો

માનવજીવનના કેટલાક પ્રશ્નો એવા હોય છે કે, એનો મિત્ર, આપ્તજન ચાહીને પણ એ પ્રશ્નના ઉકેલમાં મદદરૃપ ન થઈ શકે.
ત્યારે માનવીને જે વસવસો થાય તેની વ્યથા કૈલાસ પંડિતે આ રીતે વ્યકત કરી છે
:
તે છતાં છે એકલો,
એ વસવસો કોને કહે?
આમ તો એ કેટલાનો
ઓળખીતો હોય છે
તેજરેખા :
આમ એવી ભીડ ભીંસાતા જ રહેવાનું સતત
આમ ચારેકોર એકલતા જ કેવળ છેકથી

(‘સંદેશ’દૈનિકના સૌજન્યથી)

શ્રી અઝીઝ ટંકારવી ’ગુજરાત ટુડે’ દૈંનિકના લગભગ સ્થાપના કાળથી તંત્રી છે.દૈનિક પોતાની તઠસ્થતા અને નિડરતા માટે લોકોમાં સન્માન્નીય છે.એમના તંત્રી લેખો ચોટદાર,પૂર્વ ગ્રહ વિહિન અને સહજ હોય છે. એમને એમના તંત્રી લેખો બદલ શ્રી શંકરસિંહ વાઘેલાના મૂખ્ય મંત્રી પદનાં સમયમાં ગુજરાતસરકાર તરફથી ઇનામ મળી ચુકયું છે. શ્રી અઝીઝ ટંકારવી એક ઉત્તમ શાયર,સારા વાર્તાકાર અને સંપાદક અને ચિંતક છે.
1994ની મારી અમદાવદની ‘ગુજરાત ટુડે;ની રાત્રે મૂલાકાત બે વાર કરેલી.પ્રેસની સુંદર કામગીરી નિહાળેલી અને એઁમણે પ્રેમથી ચા પાણી કરાવેલ.અને દૈનિકનાં છાપકામની તમામ વિગતો સમજાવેલી.અને થોડી વાર વધુ રોકી રાખી ‘ગુજરાતટુડે’નો ગરમ ગરમ અંક અમને ભેટ ધરેલો.
મધ્ય પૂર્વમાં એમનો સરસ જૉબ છોડી ‘ગુજરાત ટુડે’ની સેવા માટે એમને તેડાવેલ.
મોહક વ્યકતિત્વ ધરાવતા મુ..અઝીઝ ભાઇ એ ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે.

એમના નીચે મુજબના સહરાનીય પ્રકાશનો છે.

1. લીલોછમ સ્પર્શ(વારતા સંગ્રહ1984)
2. સબંધો હજીય મહેકે છે(કોમી લેખોનું સંપાદન 1996)
3. સનદ વગરનો આંબો(વાર્તા સ6ગ્રહ997;ધૂમકેતુ પુરસ્કાર)
4. ગઝલના દરવાજે(સંપાદના_ આસ્વાદ_ 1998)
5. ગઝલના ગુલમહોર(સંપાઅદન_ આસ્વાદ 1999)
6. ગઝલનાં મેઘ ધનુષ(આસ્વાદ_ 2001)
7. મારો પ્રિય શેર(સંપાદન2001)
8. મારી પ્રિય ગઝલ( આસ્વાદ_2003)
9. વિદેશનાં સંભારણા(પ્રવાસ વર્ણન)
10. એનું સરનામું(ગઝલ સંગ્રહ)

drashti.jpg 

દષ્ટિકોણ-જય ગજજર

મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2007/04/14/jaygajjar/

Posted by: bazmewafa | 01/23/2008

અછાંદસ:ધૂપસળી_ ઉશનસ

dip2.jpgdip1.jpgdip3.jpg 

ધૂપસળી

સાંજ પડ્યે એ તો
ચાલ્યાં ગયાં છે.
પણ આપણાં એ વત્સલજ પૂર્વજ
આપણા આ વનવગડાના
અંધારા ઘરનાં ગોખલામાં
દીવાસળીની એક પેટી
મૂકતાં ગયાં છે.
હવે તમે તેને તડકી કરો
કે ભડકો ,
દવ ચાંપો કે
પેટાવો દીપક
બધું હવે
તમારા જ હાથમાં છે.

 

 

દર્દ વેચાય છે_જાવેદ અખ્તર

દર્દ વેચાય છે
બજારો માં
દર્દ ઘણા મોંઘા વેચાય છે
શૈલી નો કરોબાર જો ચાલી નીકળે
તો લાગણીનાં ખરીદારો
નાનાં મોટા બધા દર્દનાં રમકડાં
મોં માગી કિંમતે ખરીદે
મેં હમેશા માર દર્દોને
ઊંચામાં ઊંચી કિંમતે વેચ્યા છે
પરંતુ
જે દર્દ મને આજે પ્રાપ્ત થયું છે
 કોઇ પણ દુકાન પર રાખવાને યોગ્ય નથી
પ્રથમ વાર હું શર્મિંદો છું
આ દર્દને
હું વેચી નહીં શકું

(ઉર્દૂ ભાષાના સુવિખ્યાત ક્રાંતિકારી કવિ,લેખક,પટકથા લેખક,સંવાદ લેખક શ્રી જાવેદ અખ્તરની એક આઝાદ નઝમનો અનુવાદ_વફા)

  

વિયેટનામી કાવ્ય

 yudhdha.jpgબુધ્ધને બદલે યુધ્ધ   

 લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,

એ કહેવાને કે 

મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..

છતાં,બાગમાં

પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું

નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે

અને હું જીવું છું

હજી સૂંઘી શકું

છુંગુલાબો અને ગોબરની ગંધને

હજી ખાઇ શકું છું.

પ્રાથના કરી શકું છું.

ઊંઘી શકું છું.

પણ કયારે તોડી શકીશ

હું મારા દીર્ઘ મૌનને?

ક્યારે ઉચ્ચારી શકીશ_

હું પેલા અનુકત શબ્દોને,

જે મને ગુંગળાવી રહ્યા છે? 

(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)

jugle.jpg 

સાંભળ્યું છેકે_ઝોહરા નિગાહ(ઉર્દૂ કવિયત્રી)

સાંભળ્યું છેકે જંગલોમાં પણ કોઇ આચાર સંહિતા હોય છે,

સાંભળ્યું છે કે જ્યારે સિંહનું પેટ ભરાઇ જાય ,

તો તે હુમલો નથી કરતો,

સાંભળ્યું છે કે કોઇ નદીના જળમાં,

સુઘળીનો ઘઉં વર્ણ માળો ધ્રૂજી ઉઠે,

ત્યારે નદીની મત્સિકાઓ એને, પહેલાંપાડોશી માની લીયે છે,

હવાનાં તેજ ઝોંકાઓ જ્યારે વૃક્ષોને હલાવે છે,

ત્યારે કોયલ પોતાના ઘરને ભૂલીને કાગડીના ઇંડાઓને પોતાની પાંખોમાં દબાવી લે છે,

સાંભળ્યું છે કે માળામાંથી કોઇ પંખી બાળ ફેંકાય જાય તો ,

આખું જંગલ જાગી ઉઠે છે,

નદી માં પુર આવી પડે કોઇ પૂલ તૂટી પડે

તો કોઇ લાકડાનાં તખ્તા પર, ગરોળી,સાંપ ચીત્તો અને બકરી, સાથે હોય છે,

સાંભળ્યું છે કે જંગલની પણ કોઇ આચાર સંહિતા હોય છે,

હે ખુદાવન્દે જલીલ,વિસ્વાસનીય, સર્વ બુધ્ધિમતાનાં માલિક,

સર્વ દ્રષ્ટિમાન,સર્વ શ્રેષ્ઠ અને મહાન,

હવે આ ધરાપર કોઇ જંગલનીજ આચાર સંહિતા લાગુ કર
.
(જનાબ વકીલ ખાન સાહેબ,રેક્ષડેલ,ટોરંટોના આભાર સહિત,ઝોહરા નિગાહની અછાંદસ ઉર્દૂરચના બઝમે વફા ને અર્પ્ણ કરવા બદલ.અનુ.વફા)

                     

nerudab.jpg

 

   

prema.jpg

                                             

હું તને પ્રેમ નથી કરતો _પાબ્લો નેરુદા

( ચીલી_લેટિન અમેરિકા_નો નોબેલ પ્રાઈઝ વિજેતા ક્રાંતિકારી કવિ)

હું તને પ્રેમ નથી કરતો
સિવાય એ કારણ કે હું તને પ્રેમ કરું છું
હું પ્રેમથી વિખૂટો પડું છું, તને પ્રેમ નહીં કરવા માટે.
ઈંતેજાર ની પગ દંડી પર, તારી રાહ ન જોવા માટે,
મારું હૃદય શીતળતાથી અગ્નિ પ્રતિ પ્રયાણ કરી રહ્યું છે,

હું ફકત તને ચાહું છું,
કારણકે તું છે જેને હું પ્રેમ કરું છું.
હું તને અતલ ઉંડાણથી ધિક્કારું છું,
અને ધિક્કારતો રહું છું,
તારા પ્રતિ ઢળી જાઉં છું,
અને મારા બદલાતા પ્રેમને પરિમાણું છું.
હું તને નિહાળી નથી શકતો,
કિંતુ તને આંધળો પ્રેમ કરું છું.

કદાચ જાન્યુઆરીનો પ્રકાશ !
ઝુંટવી લેશે,
મારા હૈયાને, એના નિર્દય કિરણોથી,
 અને વાસ્તવિક શાંતિની
મારી માનસિક ચાવીને .

વાર્તાના આ અંક માં
હું તે છું, જે મૃત્યુ પામે છે,
 હું એકલોજ ,
પ્રેમ માટે મૃત્યુ વહોરીશ,
કારણકે, હું તને ચાહું છું.
 કારણકે હું તને ચાહું છું,_આગ અને લોહીમાં હું તને ચાહું છું

(અંગેજી માંથી અનુવાદ_ વફા)

 

પાબ્લો નેરુદા જન્મ:12જુલાઈ1912 .પારલ,ચીલી(લેટિન અમેરિકા)

મૃત્યુ: 23સપ્ટેંબર1973. સાંટિયાગો,ચીલી

વ્યવસાય:કવિ,મુત્સદ્દી,રાજકીય વ્યક્તિ,સામ્યવાદી રાજકરણી
મૂળ નામ: નેફતાલી રિકાર્ડો રેયેઝ બાસોઆલ્ટો(પાબ્લો નેરુદા ,ઉપનામ)
સાહિત્યિક સેવા માટે નોબેલ પારિતોષક 1971માં મળ્યું
.

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!


બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે

 

rusvaphoto.jpg

ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)

(1915-2008)

કરીએ કાકલૂદી એટલી ફુરસદ હતી કયારે?
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઈ એવી તબિયત કે જીવન પંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા
રૂસ્વા મઝલૂમી

મારી પ્રિય ગઝલ__ રરૂસ્વા મઝલૂમી

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,
ગગન પૈદા કરી લઉં છું પ્રથમ હું ઉદ્દયન માટે.

નથી આવ્યા અમે કેવળ અહીંયા પર્યટન માટે,
વસાવ્યું છે વતન ને ,તો મરીશુ પણ વતન માટે.

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!
બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.

નિરાશ્રિતથી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,
અવર માટે બધું છે ને નથી કંઇ આપ્તજન માટે.

તમે ના બોલવાનું પણ આજ બોલી ગયા ‘રુસ્વા’
 કદી તો પૂર્વ તૈયારી કરો ,કંઇ પ્રવચન માટે.

ભારત,પાકિસ્તાનનાં ભાગલા બાદ સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના થઇ,અને ત્યાર બાદ બે વર્ષ પછી જુનાગઢ મુકામે મુશાયરાનું આયોજન થયેલ.જેમાં મુંબઈ અને ગુજરાત ભરના નામી શાયરો ઉપસ્થિત હતા.મને પણ આમંત્રણ હોવાથી હું પણ તે મુશાયરામાં શાયર તરીકે ઉપસ્થિત હતો.મુશાયરાનાઅં પ્રમુખપદે કનૈયાલાલ મુનશી હતા.ઉપરાત ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ઢેબર ભાઈ અને અન્ય પ્રધાનો પણ હાજર રહેલ.
  આ મુશાયરાની પાદપુર્તિ આ પ્રમાણે હતી.’ઘણું બાકી રહ્યું છે કાર્ય કરવા વતન માટે.’ ત્યારે લોકોમાં દેશ પ્રેમ જગાવવા માટેનું વાતાવરણ ઊભું કરવા આ પ્રકારની પાદ પુર્તી આપી હતી. કોમવાદી પરિબળો માથું ઉંચકી રહ્યા હતા.હિજરત અને હેરેફેરનો સમય હતો. અ વાતાવરણમાં મારું હૃદય પણ ઘણું વ્યથિત હતું.પરંતુ મેં ભારતનાં મુસલમાનો સાથે ભારતનેજ વતન માની ભારતમાં રહેવાનું પસંદ કર્યું.આ વ્યથાને મેં ગઝલમાં વાચા આપી છે.તે સમયમાં આ ગઝલ ઉદભવી હતી અને સાચું કહું તો મેં મારી આ ગઝલમાં મારા મનનાં બધાજ મંતવ્યો,કોઇંની પણ શેહ શરમ રાખ્યા વગર રજૂ કરેલ છે.જેથી મારી પ્રિય ગઝલ બની રહે છે.મારા હૃદયમાં ત્યરે જે અનુભૂતિઓ થઈ,તે આ આ ગઝલમાં મે વ્યકત કરી છે.મારા દર્દની તમામ હકીકતો સત્ય સ્વરૂપે આ ગઝલમાં રજૂઆત પામી શકી તેથી પણ પ્રિય ગઝલ બની રહી છે.

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,

ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

_રુસ્વા મઝલુમી.

(‘મારી પ્રિય ગઝલ’ સં.અઝીઝ ટંકારવી ના સૌજન્યથી)

મર્હુમ ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)પાજોદ દરબાર અને ઉર્દૂ ગુજરાતી કવિતાના દરબાર,તા14ફેબ્રુઆરી2008નાં જુમેરાતનના રોજ આ ફાનીદુનિયાને ત્યાગી પોતાના માલિકી હકીકી (અલ્લાહ સુબ્હાન્હુ તલા) ને મળવા, હમેંશાના માટે પ્રયાણ કરી ગયા છે.રબબ્બે કરીમ એમની બાલ બાલ મગફિરત(માફી) ફરમાવે અને એમના કુટુંબીજનોને આ સદમો(દુ:ખ) સહન કરવાની શક્તિ આપે.અને જન્નતનો ઉંચો દરજ્જો નસીબ ફરમાવે.(આમીન)

લાઇ હયાત ,આઇ કઝા લે ચલી ચલે,
અપની ખુશી સે આયે ન અપની ખુશી ચલે.

‘ઈન્ન લિલ્લાહે વ ઇન્ન ઇલયહે રાજિઉન’ (સર્વ સૃષ્ટિ અલ્લાહના તરફથી આવીછે., અને એના પ્રતિ પ્રયાણ કરનાર છે) નામ એનો નાશ. પવિત્ર કુરાના વદેછે કે: ‘કુલ્લો નફસીન ઝાઇકતુલ મૌત્ .અર્થાત દરેક આત્માને મૃત્યુનો સ્વાદ માણવાનો છે.. આ સમગ્ર સૃષ્ટિના સર્જનહારે આ વિસ્વમાં 1,24000 જેટલા પયગંબરો દુનિયામાં માનવાજાતનાં માર્ગ દર્શન માટે મોકલ્યા,હજારો સંતો,ઓલિયાઓ,સુધારકો,દાર્શનિકો.રાજ મહારાજાઓ અને માધાંતાઓ આ વિશ્વમાં આવ્યા.કોઇ મૃત્યુના સ્વાદથી બચી શક્યું નથી.આ ધરા ઉપર અલ્લાહના પ્રથમ નબી હજરત આદમા(અલૈ.)થી લઇ 950 વર્ષથી વધુ જિવન વ્યતિત કરનાર પયગંબર નૂહ (અલૈ.)અને અલ્લાહના પ્યારા અંતિબ નબી હજત મોહમ્મદ (સલ.)પણ 63 વર્ષનું આયુષ્ય પુરુ કરી અલ્લાહનાં દરબારમાં તશરીફ લઇ ગયા.
બેશક અલ્લાહની જાત મહાન છે. ન તેની કોઇ શરુઆત હતી કોઇ અંત છે. અઝલી છે અને અબદી છે. એ સિવાય દરેકનો અંત છે. પવિત્ર કુરાન વદે છે ‘કુલ્લો મન અલયહા ફાન,વયબકા રબ્બોક ઝુલ જલાલે વલ ઇકરામ”(પ્રરણ નં.55 શ્લોકનં. 25,26 )જે કંઇ આ પૃથવી પર છે એનો નાશ થનાર છે,અને માત્ર તારા પરવદીગાર(અલ્લાહ)ની હસ્તીજ બાકી રહેશે.ઈમાનની સાથે કરેલા સદકાર્યોજ ફકત માણસ આ વિશ્વથી સાથે લઇ જાય છે.અને તેનો બદલામાં તેને હમેંશાની જન્નત પરલોકમાં મળેછે.
વિશ્વ વિજેતા સિકંદર અંતિમ સમયે વસિયત કરીને મર્યો, કે મારા જનાઝામાંથી મારા હાથ બહાર ખુલ્લા રાખવામાં આવે, જેથી જોનારાઓને આત્મ દર્શન થાય કે આ ફાની વિશ્વથી રાજા કે રંક બધાયે ખાલી હાથે જવાનું છે. પરંતુ મર્હુમ રૂસ્વા સાહેબ કહે છેકે,

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,
ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

રૂસ્વા સાહેબ વાસ્તવમાં રૂસ્વા(બદનામ) ન હતા ,મઝલૂમ( જેના પર જુલમ થયેલો હોય એવો તે) જરૂર હતા.જીવનમાં ઘણી લીલી સુકી જોઇ.નાનપણ માં માં બાપની છત્ર છાયા ગુમાવી.માંગરોળમાં મામાએ ઉછેર અને સંસ્કાર સિંચનનો હક અદ કર્યો.નવાબીનો ઠાથમાઠ જોયો.તેમાં છ્કી ન જતાં ગંભીરતા પૂર્વક લોક સેવાની ફરજો બજાવી,રમત ગમત,શિકાર અને ઉર્દૂ સહિત્યનો શોખ ગળથૂથીમાં મળેલો.,ગુજરાતી ભાષાની સેવા અને ગુજરાતીમાં પોતાન સમયના બે સમર્થ કસબી કવિઓ આપનાર રૂસ્વાનાં જીવનનું બહુવિધ પાસું અનેક ક્ષેત્રે શાનદાર રીતે છવાયેલું રહ્યું. ઈરાનનાં મહાન શાતં સુફી સંત શમ્સ તબરેઝએ દુનિયાને એક મહાન દાર્શનિક અને પવિત્ર કુરઆનનાં ભાષ્યની ગૂઢતા સમજાવતી મસ્નવીઓ સર્જનાર જલાલુદ્દીન રૂમી જેવી વિશિષ્ટ વ્યક્તિ આપી.ફારસી કવિતાને વિશ્વભરમાં ચાર ચાંદ લાગી ગયા.એવીજ રીતે રૂસ્વાસાહેબે શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા બે સમર્થ શાયરોનું ગુજરાતી ભાષામાં ઘડતર કરી,ગુજરાતી કવિતાને ચાર ચાંદ લગાવી દીધા. નવાબી ગઈ,પણ રૂસ્વા સાહેબનો નવાબી, ખુમારી ભરેલ, ઉદાર,અને,માનવતા ભર્યા મિજાજ ને છીનવી ન શકી.

રૂસ્વાતો થા નામ ગર બદનામ ન થા
મઝલુમ તો રહા ગર જાલિમ નહીં બના


.ઈસ સાહેબે ગયરત સે અલ્લાહ હો રાજી
વકતકી ગર્દીશ મેઁ’વફા’ માયુસ નબના.

કી   ખત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁ
લેકિન મીલા ન ઉમ્રભર અપના પતા મુજે.

(એમના શબ્દોમા એનું વિવરણ : મેઁ મારું આખું આયખુઁ નિજની તલાશમાં વ્યતીત કર્યું. છતાં જીવનભર હું ખુદ પોતાનેજ પામી શક્યો નહીઁ;ઓળખી શક્યો નહીઁ,જાણી શક્યો નહીઁ.)
વિભાજન પછી 1949માં જુનાગઢમાં ક.મા.મુનશીના પ્રમુખ પદે થયેલા તરહી મુશાયેરાનો આ શેરતો જુઓ:
તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો! બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.
આખી ગઝલના બધા શેરો સાચા મોતીનાં દાણા જેવી છે, પર્‍ંતુ એમા ગર્ભિત વ્યથા,અને વિષમતા અને હૈયાના દર્દની અનુભૂતિ પણ છે.એ એમની પ્રિય ગઝલ પણ છે અને એમાં કઠિત સત્ય વકતાતાનાં ચાબખા પણ છે.વારંવાર દેશના ખાતર બલિદાન આપનારઓ પાંસે સનદો માંગનારને કેવી અગ્નિથી દઝાડ્યા છે.

મઆલે જુસ્તજુ અલ્લાહ જાને?
ખયાલે જુસ્તજુ ભટકા રહા હૈ.
ઉર્દૂમાં પણ એમનું કલામ મિસાલી છે.કહેછે: તે પછી પ્રચંડ શક્તિ ,મારી ખોજ,તલાશ,ખેવના શું છે.? તેનો અંત કયાઁ છે.? તે તો અલ્લાહજ જાણે. હું તો જે અનોખા દર્દ થી પીડાઉઁછું તે મારી શાંતિ મનની લાગણી ને ચેનની .અપેક્ષાથી આમ તેમ ભટકું છું.છતાં સાચી મંઝિલ નથી મળતી. આવી વ્યથા દરેક માનવીને અમુક અવસ્થામા થાય છે. તેમાંથી કોઇ પણ બાકાત રહી શકતા નથી. કારન દ્રેક માનવીના હ્રદય ધબકારો તેને સ્વાસે સ્વાસીને એક સંકેત આપેછે. જો કોઇ નસીબ દાર વ્યક્તિ એ સંકેત નો મર્મ સમજે તો એ સંત _વલી (મહાત્મા) નો સાચો પ્રેમ બની જાય.

વોહ એક દુશવારે_મૌકએ ઈમ્તેહાં હૈ,
જબ મહોબ્બત હી આઝમાએ મહોબ્બત’(રૂસ્વા)

આ એવી કઠિન પરીક્ષાની ઘડી છે,જ્યારે પ્રેમજ ,પ્રેમને કસોટીના પથ્થર ઉપર કસવા ચાહે છે.

દિલકી ધડકન સમજના બેમાની ,
  ઉંનકા યું ભી ખિતાબ હોતા હૈ.

શ્વાસચ્છોસ્વાસની આવન જાવનને નિર્થક સમજ ,આ રીતે અલ્લાહ તને સંકેત રૂપે સત્ય પયગામ મોકલેછે કે જો તું ખરેખર રૂપનો ચાહક છે તો અલ્લાહનું રૂપ જે મહાન સ્વરૂપ્વાન છે,તેની ચાહનામામ ખોવાઈ જા. તેની સથે પ્રેમ તાંતણામાં બઁધાઈજા. બસ માનવી જો એ અલૌકિક સંકેત ને સમજી જાય તો ત્યાંજ એની પ્રેમ સફરની મઝિલ પ્રાપ્ત થય છે.તેની ભટકન પૂરી થાય છે.અને તે પછી તે મંઝિલ તરફ આગળ વધવા કેડી પકડેછે. ને મંઝિલે પહોઁચવા પગેરુ ગોતેછે. જયારે આ રાહ પર પગ માંડતો થઈ જાય છે, ત્યારથી એ વ્યક્તિમાં અજબ ભાવના પકડે છે.આવી ભાવના રખ્નારો શ્રેય સાવ્અક પછી તો સંગ્રામવીર બનેછે. એનીએ એભાવના તતો પછી પ્રચંડ શક્તિ બ અની ગયેલી હોય છે. એવી ભાવન હ્ર્દય પરના ઓથાર ખોલે છે,એજ ‘ઈશ્કે હકીકી ‘ છે.
ઉર્દૂ કવિતાના પિંગળશાસ્ત્રનો સાચો વારસો લઇની આવેલા રૂસ્વા સાહેબે ગુજરાતી ગઝલને ખાલી શેરિયત કે તગઝ્ઝુલનો સહારો લઈ એની બંધારણ સાથે ચેડાં નથી કર્યા. શુધ્ધ્ધ બહર,વજન,લય કે છંદ વાળી રચનાઓ આપી.
ઉભય ગંગા ઝમ ઝમ છે મારી ગઝલ માં,
અનોખોજ સંગમછે મારી ગઝલમાં.

મહોબ્બતની સરગમ છે મારી ગઝલ માં,
ઘણી વાત મોઘમ છે મારી ગઝલ માં,

ઝમઝમ (મક્કા)નાં તે કુવાનું પવિત્ર જળ જે પયગંબર ઇબ્રાહીમ (અલૈ.) ના નવજાત શિશુ ઇસ્માઇલ (અલૈ.)નાં અંગુઠાની ખોતરણીથી પ્રગટ થયેલ ઝરણ.જે આજે પણ હજ પઢવા જનાર હાજીઓ તે પવિત્ર જળને પ્રસાદી તરીકે લાવી મિત્રો,સ્નેહીઓને પીવડાવે છે.
(આપણે ગંગાને _રામ તેરી ગંગા મેલી_ કયારે સાફ કરી પવિત્ર બાનવશું.જેથી એના પવિત્ર જળની સાચી પવિત્રતા પ્રાપ્ત થઇ શકે.)
એમની ખુમારી ભરી ગઝલો મોજ મસ્તી માટે નહીં પરંતુ જીવન સંદેશ પણ આપે છે
.

શું થયું?

પ્રેમની મોંઘી મતાનું શું થયું?
દિલ જતાઁ એની વ્યથાનું શું થયું?

ઝળ હળે છે દીપ શ્ર્ધ્ધાનો હજી ,
ક્યાં ગઈ વેરણ હવાનું શું થયું?

મોતના ડંકા બજે છે સ્વાસમાં ,
જિઁદગીની ઝઁખનાનું શું થયું?

આજ કાં મહેફિલ મહીઁ અન્ધાર છે,
કયાઁ છે પરવાના શમાનું શું થયું?

આપ જોતા થઈ ગયા ખુદ અપને,
જાણભેદુ આયનાનું શું થયું?

નાવ ડૂબી કાં તરી મઝધારમાં,
ઓ ખુદા!મુજ નાખુદાનું શું થયું?

કેમ’ રૂસ્વા ‘ આમ બેઠા છે ઉદાસ,
આપની જીવન કલાનું શું થયું?

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો..કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા.
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે

કરી બેઠા – ‘ રૂસ્વા ‘ મઝલુમી

કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.

અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.

અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.

- ‘ રૂસ્વા ‘ મઝલુમી

દિલસે જોબાત નીકલતી હૈ અસર રખતી હૈ.
પર નહીઁ તાકતે પરવાઝ મગર રખતી હૈ.

*અલ્લામા ઈકબાલ.

જનાબ રૂસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ને અલ્લમા ઈકબાલનો આ શેર ઘણો મહેબુબ હતો..રૂસ્વા મઝ્લુમી મૂળભુત ઉર્દુ શાયર હતા.જ.મસ્ત હબીબ સારોદી,શૂન્ય પાલન પુરી,શ્રી અમ્રુત ઘાયલ,શ્રી નિસાર અહમદ શેખ (શેખ ચલ્લી),અને ગુજરાતી ઉર્દૂ ગઝલ અને અછાંદસોનું યૂગ પરિવર્તન કરનાર શ્રી આદિલ મનસૂરી ની જેમ એમણે પણ ઉર્દૂ માંથી માતૃ ભાષા ગુજરાતી પ્રતિ પ્રેમ થી પ્રયાણ કર્યું હતું..અને એ બધાએ ગુજરાતી સારસ્વતનો હક અદા કર્યો.
જનાબ રૂસ્વા સાહેબને પહેલા અને છેલ્લા જંબુસર (જિ.ભરૂચ ફેબુ.68ના ) મુકામે મ.મસ્તહબીબ સારોદી સાહેબ ના માનમાં યોજાયેલા મુશાયરામા જોયેલા. તરહી મુશાયરો હતો પણ શૂન્ય,ઘાયલ, વિ.ની જેમ એઓ પણ તરહ પર કશુ લખી લાવ્યા નહતા. પરંતુ બીજા ગેર તરહી દોરમા એમની સુંદર ગઝલ સાંભળી.એનો મને અફસોસ થાયછેકે કોઇ શેર મને એ ગઝલનો યાદ નથી.(વફા)
-

-rusvaantidarshan.jpg

(મૌત કી આગોશમેં)

કિસકે આંસુ મેરે કફન પે ગિરે
કૌન રોયા હૈ અજનબી કે લિયે.

મેરે દુશ્મન ભી જાનતે હૈં
 મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.

(શેખાદમ આબુવાલા).

બંધ હો ગયે હૈં ,લબ સભી કોઇ બોલતા નહીં
યાદેં તેરી દિલ મેં ચુભી ઔર આંખ રો પડી
..

નામ: ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી
ઉપનામ:મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર
જન્મ:11 ડીસેમ્બર – 1915 : માંગરોળ
અવસાન : 14 – ફેબ્રુઆરી – 2008
તદફીન(દફનક્રિયા):15ફેબ્રુઆરી2008 જુમાની નમાઝ પછી બપોરે3.00 વાગ્યે.
અભ્યાસ: રાજકુમાર કોલેજ, રાજકોટ
રચનાઓ
• ઉર્દૂ ગઝલો – મીના, તિશનગી
• ગુજરાતી ગઝલો – મદિરા
• ગદ્ય કાવ્ય – ઢળતા મિનારા
• નવલિકા -, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો

 

Posted by: bazmewafa | 03/10/2008

અછાંદસ કાવ્યો

 અછાંદસ કાવ્યો 

ચારિત્ર્ય

કાયમ શંકાશીલ રહેતો
 
હું
મારી પત્નિના
 
ચારિત્ર્યનું માપ તો
 
તે જ દિવસે કાઢી શક્યો
જ્યરે તે
પોઇઝન લઇને
ચિર નિન્દ્રામાં પોઢી હતી
અને તેની લગોલગ
અમારી’બેબી
એજ ખાલી બોટલ વડે
 
આનંદથી રમતી હતી.

 

કાયમ શંકાશીલ રહેતો
હું
મારી પત્નિના
 
ચારિત્ર્યનું માપ તો
 
તે જ દિવસે કાઢી શક્યો
જ્યરે તે
પોઇઝન લઇને
ચિર નિન્દ્રામાં પોઢી હતી
અને તેની લગોલગ
અમારીબેબી
એજ ખાલી બોટલ વડે
 
આનંદથી રમતી હતી.

_અનિલ દોશી

 

દર બર્થ ડે વખતે
તેઓ કેક કાપવાનું વચન આપીને

પોસ્મોર્ટમ માટે આવેલું
શબ કાપતા હોય છે !!



_મુકેશ માલવણકર

 

કબ્રસ્તાન
ફળદ્રુપ ખેતરોમાં
કેટલા બધા વખતથી
લોકો માણસને વાવે છે!
પણ, કોઇ માણસ
ઉગતો કેમ નથી?

_લલિત દેથાણિયા 

(માનવીને આ જગત-34)

fanoos.jpg 

કાકા છે

1-હઝલ

કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.

ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.

દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.

સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર  કાકા  છે.

તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.

ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.

નરી કટપીસની ફેરી નથી કંઇ શોખચલ્લીની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.

__નિસાર અહમદ શેખ શેખચલ્લી

હઝલોત્સવ

હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લીસા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. હઝલએટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આહઝલતે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,

તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ

વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લીએ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત મુલ્લાંહથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.

કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
અકબરખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.

જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. બઝમે વફાને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
  સંપાદક

 

 

 

 

city.jpg 

બાટલી છે ગામ

 5_હઝલ

જે કહે જોષી છતાં વાત મેં માની નથી,
એક દિ મળશે ખજાનો કોઇ નિશાની નથી.

લે તને સાચી ખબર કે જાણ કારી પણ નથી.
શ્રીમતી એની
હથોડાની છે દીવાની નથી,

સાથ નારીની મને નિરખી ભવાં ઉંચા થયા,
ભાઇ મારી શ્રીમતી છે,કોઇ બીજાની નથી.

પ્રેતનો છે વાસ એની જાતમાં તે છતાં,
એ ધુણે પણ શ્રીમતી એની બીવાની નથી.

જો છટક બારી મળે ઘુસે પ્રદેશીઓ અહીં,
છે જરૂરત તો અહીં દુલ્હનની વીઝાની નથી.

દાદ આપો હૉલ તાળીઓથી ગુંજાવો તમે,
તો મને લાગે સભામાં કોઇ વિરાની નથી.

વાત તો છે સાવ નાની પણ સમજવાની ખરી,
બાટલી છે ગામ ‘મુલ્લાં’નું ને પીવાની નથી.

                                       _’મુલ્લાં’હથુરણી

હથોડા(એક ગામ,તાલુકો:મોટામિયાંમાંગરોલ જિ:સુરત)
દીવા= (એક ગામ,તાલુકો: અંકલેશ્વર જિ:ભરૂચ)

બાટલી(યુ.કે.નું શહેર,મર્હુમ મુલ્લાં હથુરણ સાહેબનું ગામ. મૂળ ગામ: હથુરણ જિ:સુરત)

(ગુજLISH ગઝલો ના સૌજન્યથી)

dhokaa.jpg 

બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.

બેકાર સાથે!

દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.

(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)

ડોકિયું:

સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.

દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?

 

surat.jpg

ગોપીઓ ચાહે છે અખા ગામની_આઇ.ડી.બેકાર

એ કથા છે રૂપનાં લીલામની.
દેવીઓ દાસી બની છે દામની.

સ્વર્ગમાંહે અપ્સરાછે નામની,
કામમાં આવે છે વસ્તુ કામની.

શ્યામ છે પણ ભાગ્યશાળી તો ખરા,
ગોપીઓ ચાહે છે અખા ગામની.

સબ્ઝ પરીઓ ઉતરી કોલેજમાં,
ટીચરોની નાત છે ગુલફામની.

હિંદના દેવોને રીઝવવા હવે,
દેવીઓ લાવીશું બર્મિંગહામની.

પૂણ્યશાળીપાર્ક કેરી યોજના,
છે ખચિત વાંઢા તણા વિશ્રામની.

માનવીનાં પૂર્વજો નાહોત તો,.
વાનરોને શી પડી’તી રામની.

varsadma.jpg 

ચાલને વરસાદમાં_ અનિલ ચાવડા

પ્રેમનાં અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇને લઇ પલળવું આગવું,
આગવા અવસાદામાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
વાદના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું ? અપણે બન્ને જણા,
વાદને વિખવાદમાં તું ચાલને વરસાદમાં.

એક વાદળ એક કાજલ ,એક પળને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
 

 

હું કોઇની કચરા પેટી બની ગયો છું?-રામપ્રસાદ દવે

હું કોઇની કચરા પેટી બની ગયો છું?

મેં કોઇને કચરા પેટીમાં નાંખ્યો છે ?

કોઇ કોઇને કચરાપેટીમા નાંખતું હોય ત્યારે

ભલે મૂક પણ સંમતિ આપી છે?

હું રૂપી કચરાપેટીમાં કચરો ભેગો થયો હોય ,

ત્યારે મેં એને સલામત જગ્યાએ નાંખી દીધો છે

કે કચરા પેટી ઉભરાવવ દીધી છે ?

કે મેં કચરાપેટી રાખીજ નથી ?

જેથી મારું અસ્તિત્વ કચરાપેટી જેવું

બની ગયું છે ?

હું તો જોતોજ રહ્યો કયાંથી આટલું બધું ઉલેચાવા માંડ્યુ ?

 

તરસવાની મઝા કઇં ઓર છે_જિગર ટંકારવી

એમ મળવાની મઝા કઇં ઓર છે.
પત્ર લખવાની મઝા કઇં ઓર છે.

કોઇ માટે થાઉં જો ખાલી સતત
તો છલકવાની મઝા કઇં ઓર છે.

પાંપણો વચ્ચે મરમ શબ્દાવ તું,
અર્થ કરવાની મઝા કઇં ઓર છે.

લાગે મારામાંજ નફરત અન્યથા,
પ્યાર કરવાની મઝા કઇં ઓર છે.

તૃપ્તાના સ્ત્રોત છે સૌ હાથવગ,
પણ તરસવાની મઝા કઇં ઓર છે.

કવિના પરિચય માટે ‘બઝમે વફા’નાં નીચેના URL પર કલીક કરવા વિનંતી
http://bazmewafa.wordpress.com/2007/02/26/jigartankarviandhisgazhalas_jigartankarvi/

                         મુંબઇ -.ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)

રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાંહું છેલ્લો છું

અને મારી આગળ કોઈ નથી..
અને એક સાંજે હું ચાલ્યો જઈશધુમાડો પહેરીને

ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે

ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં.

 

 

પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી

નઝમ(મુસબ્બઅ)

 

 

એ શોષિત ને પિડિત જનોનો સહારો,

દુ:ખો ,યાતનાઓ.વ્યથાઓનો આરો,

ગુલામોને કુદરતનો મોઘમ ઈશારો,

તિમિરમય જીવન-પથને અજવાળનારો,

બન્યો મારા જીવનનો જે ધ્રુવ તારો,

હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

હરેક ચોક,ચૌટે ગલીએ, બજારે,

ઝઝૂમ્યો રહીને હું તલવાર ધારે.

કદમ તોય ડગ્યાં તોય માર લગારે,

હશે યાદ તે દિન, જ્યારે તારે,

 પડ્યોતો મરણિયાની સાથે પનારો,

      હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

      સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

 

ફ્ળ્યું ના ઝંસીની રાણીનું જોહર,

ઝફરનાં વિજયનું એ છેદાયું બખ્ત્તર,

ભલે ફેરવી પીઠ બેઠું મુકદ્દર,

ભરી દૈ મરદાઇથી કાળ ખપ્પર,

 સિતમના કલેજાને કંપાવનારો,

        હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

થી આશ સમ્રાજ્યવાદી થવાની,

તમન્ના હતી મુક્તિ ફળ ચાખવાની,

તો સીંચી દીધી કિંમતી નિન્દગાની,

છતાં ના કરી યાચના તુજ દયાની,

હજી શાખ એની પૂરેછે મઝારો,

         હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

29_7_57

 

(સને 1857ના મુક્તિસંગ્રામની શતાબ્દી પ્રસંગે)

(અજંપોત્સવ:88)

 

 

 

 
 
 

 

 

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને 

                         _ નિસાર અહમદ શેખશેખચલ્લી

 
 
 

 

 

શત્રુઓની  તેઁ કરી  મીટ્ટી  પલીદ.

ધન્ય તારીજાતને  અબ્દુલહમીદ.

દેશ  કાજે તુ  થયો સાચો  શહીદ,

ધન્ય તારી માતને અબ્દુલહમીદ.

 

રણ્ મહીઁ બાજી લગાવી જાનની,

રેવડી  બોલાવી   પાકિસ્તાનની.

આન રાખી  ધર્મની    ઈમાનની.

તેઁ વધારી શાન    હિન્દુસતાનની.

 

શત્રુઓની    ટેંક્ના  ચુરા    કર્યા,

વેરીઓ  ના  કોડ તેઁ   પુરા  કર્યા.

શત્રુઓના   હાલ તેઁ  બુરા    કર્યા,

વાહ કેવા  કામ તેઁ રણ શુરા  કર્યા.

 

તુ હતો  એક  લશકરી  હવાલદાર,

ન    સિપેહસાલાર ન  રિસાલદાર.

ન કોઈ ધનવાન કે  ન   માલદાર.

ન વળી   વાતોડિયો કે    પત્રકાર.

 

ધામથી પહોંચી ગયો   સ્વધામમા,

દેશના તુ આવી ગયો  તુમ કામમા.

સ્વર્ગ જઈ પોઢી ગયો    આરામમા.

રહી જશે તુજ નામ પણ શુભનામમા.

 

 

એ વતનના પાણ પ્યારાને સલામ,

એ વતનના ચાન્દ તારાને  સલામ.

        (વૈભવ-8 )

 

 

 

 

રણકારના વફા_મુહમ્મદઅલી વફા 

 

જોને ગયાં પાનાં ફરી ઈકરારનાં વફા.

બીજી તરફ છે પાંદડા ઇનકારનાં વફા

.

પાળી તમે કરશોય શું એવા પરીંદ ને,

ના હોય જેમાં પીંછ કોઈ પ્યારના વફા.

 

બોદા બધા યે ખંજરો ને,તીર થઇ જ્શે,

મળ્યાં અમોને બાવડાં રણકારના વફા. 

 

પીળી હથેળી સૂર્યની પણ કયાં સુધી બળે,

ફરશે પછી સર્પો બધા અંધકારના વફા. 

 

તારે અહીં મોતી બની વિંધાવવુ પડશે

છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા. 

 

આંખો અહીં ભીજાવવાની કોઇ પણ નથી,

આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા. 

 

તું પણ ‘વફા’આ વાહ થી ના ખેલતો કદી

એતો રમકડાં છે બધાં લાચારના વફા 

પરીંદ=પક્ષી

 

 

કબ તલક જાલિમ બહેગા ખૂનકા દરિયા,

જાન લે તુજકો ભી ઈસમેં    ડૂબ જાના હૈ.

  

 કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)ની ધાર દાર કવિતા

 એક વિદેશી રાષ્ટ્રનો નેતા,જેવો કે જોર્ડનનો રાજા,

આપાણા રષ્ટ્રપતિ કરાતાં સારૂં અંગ્રેજા બોલી શકતો હોય તો,શર્મિદગી ના અનુભશો,તમે અમિરિકાના નિવાસી છો.


જ્યારે એક પરણિત સ્ત્રી શિક્ષિકા પોતાની માધ્યમિક  શાળાના પાંચ વિદ્યાથીઓ સાથે સેકસ માણી લે તો ,તેમને ભાગ્ય શાળી ન સમજતા,કારણકે તમે અમેરિકામાં રહો છો.

જ્યારે તમે એક પાંચ વર્ષના બાળક પર ડી.એન.એ.ટેસ્ટ કરો છો કે, પાંચ પુરૂષોમાંથી એનો ક્યો સાચો શારિરીક બાપ છે,કેવો આ તો રસ્તો,કારણકે તમે અમેરિકામાં રહો છો
 
 જ્યારે 10માંથી 7 પુખ્તવયના આપણાં નગરિકો યાસિરઅરફાત નાં ફોટાને ઓળખી શકે છે, પરંતુ પોતાના વિદેશ પ્રધાન અને સરંક્ષણ પ્રધાન ને ઓળખી નથી શકતા,આ સમય જાગૃત થવાનો છે, કારણકે તમે અમેરિકામાં રહો છો

જ્યારે એક માતા પોતાની 16 વર્ષની પુત્રીને તેણીના જન્મ દિન નિમિત્તે ,તેણીનાં સ્તન વૃધ્ધિકરણ માટે આર્થિક ભેટ આપે છે કે જેથી તે પુરુષ વર્ગ સામે વધુ આકર્ષક  લાગે ,તો એ શહેર  ને ખેર બાદ કહો, કારણકે તમે અમેરિકામાં રહો છો. 

જ્યારે તમે એવા રાષ્ટ્ર પ્રમુખને ચુંટો છો ,જેની ત્રણ વાર ધરપકડ થઇ હોય ,પ્રશ્ન પણ કરો નહીં, ના પુછો.કારણકે તમે અમેરિકામાં રહો છો.
  
 જયારે તમારા પ્રમુખનું નામ એક શબ્દ ‘w’ સુધી ટૂંકાવી દેવામાં આવે,જેથી એ એની જોડણી શુધ્ધ લખી શકે,એ મુર્ખતા ભર્યું છે. કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમે વાયુ શાસ્ત્રી સામે પણ દાવો માંડી શકો તો, આગળ તેઓ શું કરશે? કારણકે તમે અમેરિકામાં રહો છો.
 જે એક વેળા લોક સભા કહેવાતી હતી તે હવે ભરષ્ટાચારી  સભા બની જાય, ત્યારે ઝડપથી ઇચ્છા ન હોય તો પણ પ્રશ્ન કરો, કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમારી પાંસે આ ધરા પર, વિશ્વના અન્ય દેશો કરતાં વધુમાં વધુ જેલો અને ગુનેગારો, હોય,હું મારા મુકદ્દમાને બાજુમાં મુકું છું, કારણકે તમે અમેરિકામાં રહો છો
  જયારે પશ્ચિમ યુરોપની બહુમતી જનતા તમને વિશ્વની શાંતિ માટે મોટો ખતરો  સમજતી હોય,….આ  એક કડવું સત્ય છે, જેને ગળે ઉતારે શકાય… કારણકે તમે અમેરિકામાં રહો છો

જયારે તમારા 34 ખલાસીઓ ને મોતનાં ઘાટે  ઉતારી દેવામાં આવે,અને 172 ઘવાયલા હોય,અને એક 23 વર્ષીય બહાદુર શાંતિ ના ચળવળધારી ને એક વિદેશી મુલ્ક પોતાના લશ્કરી બુલડૉઝરથી  કચડી નાંખે ,અને જાહેરમાં એનો  આક્રોશ વ્યકત કરવાની કે પ્રતિકાર કરવાની અને જાહેરમાં એની  તપાસનો_પ્રતિ શોધ ની ભીતિ વિના  અધિકાર પણ નહોય, સાધુ ન બનો. કારણકે તમે અમેરિકામાં રહો છો

(અંગ્રેજીમાંથી અનુવાદ–બઝમ)

Mahmoud El-Yousseph (TSGT / USAF [Ret.]) lives in Ohio.
He can be reached at: el-yousseph6@yahoo.com

 

 

હુંદિલગીર છું

 

 

ટ્રૈન ગતિ પકડી ચુકી હતી. ખિચો ખિચ ભરેલી ટ્રેનમાં .કામદાર પુરુષો,સ્ત્રીઓ, કોલેજમાં ભણતા યુવાન છોકરા ,છોકરીઓની હાજરી હતી..બારી નજીક એક વૃધ્ધ બેઠા હતા..એમની સાથે ત્રીસેક વરસની ઉમર  ધરાવતો એમનો પુત્ર હતો.પસાર થતી ટ્રેનમાંથી  આ છોકરો બહારના કુદરતી દ્રશ્યોથી  આનંદિત અને આવેશમય મુગ્ધતા અનુભવતો હતો.

એકા એક બોલી ઉઠ્યો.પપ્પા! જુઓ.પસાર થતા  લીલા વૃક્ષોનાં દ્રશ્યો કેટલા ખુબસુરત લાગે છે.

30 વર્ષનાં એક માણસનું આ પ્રકારનું વર્તન લોકોમાં કુતૂહુલ અને આશ્ચર્ય પમાડતું હતું.

બધાજ કઇંક આ માણસ માટે બળબળાટ કરવા લાગ્યા .આ માણસનું ખસી ગયેલું લાગે છે.નવોદિત શાદીશુદા અનુપે એની પત્નિનાં કાનમાં કહ્યું..

  અને અચાનક વરસાદ.શરુ થઇ ગયો.. ખુલી બારીમાંથી વરસાદના છાંટા મુસાફરો પર પડતા હતા..આ ત્રીસ વરસનો પુત્ર આનંદી ઉઠયો.પપ્પા જુઓને આ વરસાદ કેટલો આનંદ જનક છે.

અનુપની નવી નવેલી દુલ્હનનું નવું સૂટ આ પાણીનાં છાંટથી પલળતું હતું.

અનુપ બરાડી ઉઠયો.તમને દેખાતું નથી વરસાદ પડી રહ્યો છે,હે બુઢ્ઢા!જો તમારા છોકરાની તબિયત બરાબર ન હોય તો એને કોઇ .માંનસિક સારવારની હોસ્પિટલમાં દાખલ કરાવો.અને આરીતે નાહક લોકોને હેરાન ન કરો.

વૃધ્ધ માણસ થોડો ખંચકાયો.પછી એણે ધીમા અવાજે કહ્યું: અમે હોસ્પિટલથીજ આવી રહ્યા છીએં. આ છોકરો જનમથી આંધળો હતો.છેલ્લા આથાવાડિયેજ એને આંખો મળી છે..આ વર્ષા અને પ્રાકુતિક સૌંદર્ય એના માટે તદ્દન નવી ચીજ છે. આપ લોકોને જે તકલીફ થઇ તે બદલ હુંદિલગીર છું.

(રજુઆત: આસીફ કુરેશી,ઝૈન.,ફરહાનાઅને જેનબ તરફથી આ કથની અંગ્રેજીમાં ઈ-મેલથી મોકલવામાં આવી છે.’બઝમે વફા’ એમના આભર સહિત   અનુવાદ પ્રસતુતકરે છે).

zhad

 

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા

  

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ

દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

 

  

ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ

રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.

 

  

શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન

પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

 

 

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો

રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.

 

 

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે

છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.

 

 

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને

કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.

 

 

આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે

ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.

 

  

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે

કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..

 

Posted by: bazmewafa | 11/15/2008

યે વાદીએ કશ્મીર હૈ

 

 

   

બુલ બુલોંકો ગુલ મુબારકગુલકો ચમન મુબારક 

હમ બે કસોં કો અપના પ્યારાવતન મુબારક 

જન્નત જગતમાં હોય તો

ફૈઝી તે ફકત છે અહીં 

 

 

  

યે વાદીએ કશ્મીર હૈ જન્નતકા નઝારા 

 યા

ચીનારોમેં  લગી આગ

 

આનંદો,નીચેનું URL કલીક કરો.

 

 

http://kashmirgroup.com/media/koa.swf

 

triling31triling21triligualmushayra11boltonmushayera19octo08 

(બોલ્ટન-યુ.કે.ના ત્રિભાષી મુશાયરામાં પોતાની ઉર્દૂ,ગુજરાતી રચના રજુ કરી રહેલ મુહમ્મદઅલી વફા .જમણી બાજુએ સિરાજભાઇ અને યાકુબભાઇ’મ્હેક’દ્ર્શ્યમાન છે. ફોટો- શ્રી દિલીપભાઇ ગજર)

 

 

ગ્રેટ બ્રિટન નો ભવ્ય ત્રિભાષી મુશાયરોબઝ્મ

 

 

તારીખ :19મી ઓકટોબર 2008નાં  રોજ  બોલ્ટન (યુ.કે)માં એક ભવ્ય ત્રિભાષી(ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજી)મુશાયરો ,બોલ્ટન મુસ્લિમ કોમ્યુનિટી સેંટર- માં યોજાયો.જેમાં ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજીના 35 જેટલા કવિ,કવિયત્રીઓએ ભાગ લીધો(અંગ્રેજીના આશરે 15 જેમાં આઠ જેટલા 8થી13 વર્ષ ધરાવતા વિદ્યાર્થી કવિઓ,ચાર ઉર્દૂ કવિઓ અને 22 જેટલા ગુજરાતી કવિઓ)હતો.

મુશાયેરાની શરુઆત ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના પ્રમુખ પ્રોફેસર મ્હેક ટંકારવીના છટાદાર અંગ્રેજી સંબોધન સાથે થઈ હતી.

તે પછી ગિલ્ડનાં જનરલ સેક્રેટરી જનાબ સિરાજ પટેલના કાવ્ય સંગ્રહ લંડન થી સ્નેહ સભર સોગાતનું વિમોચન  બોલ્ટન યુનિ.યુ.કે.ના ક્રીએટીવ રાઈટીંગસ અને આર્ટસ ના સીનિયર લેકચરર અને મુશાયરાના ગેસ્ટ ઓફ ઓનર મી.માર્ટીન થોમસન ના વરદ હસ્તે  થયું હતું.

જનાબ સિરાજભાઇની સાહિત્યિક અને સામાજીક સેવાઓને વિવિધ કવિઓ અને લેખકો તરફથી ખૂબ બિરદાવવામાં આવી હતી.

મુશાયરાની શરૂઆત અંગ્રેજીમાં ભાઇ જનાબ ઇમતિયાઝ પટેલનાં કુશળ અને કાબિલે દાદ સંચાલનમાં થઇ હતી.પોતાના સંચાલના વકતવ્યમાં સમયની તંગીને ધ્યાનમાં રાખી પોતે ઓછું પણ પ્રભાવ શાળી બોલી કવિઓને મુખ્ય સમય આપ્યો હતો.બાળ કવિઓએ પોતાનાં કાવ્યોમાં બ્રિટન અમારું જન્મ સ્થળ અને વતન છે ,તે વિષયને આવરી લઇ,સુંદર અંગ્રેજી કવિતાઓ રજુ કરી

ખૂબ દાદ મેળવી હતી.

અંગ્રેજી કવિઓમાં ગેમા ઓનીલ,સીન કવાનાઘ,માર્ગ્રેટ થોર્નલી,જુલિયન જોર્ડન,ડેરેન થોમસ અને અન્ય ઘણા પ્રભાવશાળી રહ્યા હતા.

અંગ્રેજીનો દોર પૂરો થતાં ઉર્દૂ શાયરોએ રમઝટ બોલાવી.ભારતથી પધારેલા ડૉ.શકુર,પાકિસ્તાનથી પધારેલ સલીમ અખ્તર ,સાબિર રઝા અને ટોરોંટો,કેનેડા નિવાસી મુહમ્મદાઅલી વફા એ પોતાની ગઝલો રજુ કરી સભામાં રંગીની ફેલાવી હતી.

તે પછી ગુજરાતી ગઝલના શિરોમણી રણકો અને ટંકારના કવિ અને સૌમ્ય વિવેચક ડૉ.અદમ ટંકારવીએ સંચાલન હાથમાં લઈ માતૃ ભાષા ગુજરાતીની મીઠાશને ઘોળી અને એની મોગર મ્હેકને ફેલાવી.કવિઓની સંખ્યા આનંદ જનક હોય દરેક કવિને એકજ રચના સમજુતિ આપ્યા વિણ સંભળાવવાની હતી.આથી બધા કવિઓએ સંપૂર્ણ તૈયારી સાથે પોતાની એક એક રચના દબ દબા ભેર સંભળાવી હતી.સુફી મનુબરીએ હાસ્ય રસની છોળો ઉછાળી,રમૂજનું રમખાણ સર્જયું.ડૉ.અદમ ટંકારવીની કુનેહ ભરેલ સમતોલ સંચાલને મુશાયરાને ચાર ચાંદ લગાવી દીધા.સિરાજ ભાઇ,હારૂન ભાઇ,શબ્બીર કાજી,દિલીપ ગજ્જર,પ્રેમી,દાજીૢપથિકતેમજ બ્રિટનાં ખુને ખુણેથી આવેલા ગરવા ગુર્જર કવિઓ બધા ખૂબ જામ્યા. પ્રો.મ્હેક ટંકારવીએ પોતાની આગવી છટાથી તસવ્વુફી ગઝલ તરન્નુમથી ગુંજાવી.અહદભાઇ ગુલ(ઓ.બી.ઈ)પોતાની ધીર ગંભીર અને ધારદાર શૈલીમાં પોતાની ધીર ગંભીર અને ઉંડાણ સભર ગઝલ રજુ કરી બધાને મુગ્ધ કરી.દીધા.

ડો.અદમ ટંકારવીનું તો પુછવુંજ શુ ?ગઝલને રમાડી,ઉછાળી,હૈયા સરસી ચાંપી અને  ચંપાવી.

    સમય બધાનેજ ઓછો પડયો.પણ સાંજના છ વાગ્યે શારૂ થયેલ આ કાર્યક્ર્મ રાતના અગિયાર વાગ્યે પણ સમાપન માટે તૈયાર ન હોતો.પરંતુ સમાપન કરવું પડ્યું.

કોમ્યુનીટી હૉલ અતિશ્યોકતિ વગર ચિકાર ભરેલો હતો. બે ત્રણ ડઝન માણસોએ બેસવાની જગ્યા ન મળતાં સતત ઉભા રહી કાર્યક્રમ માણયો.અને ગિલ્ડે આવતા વર્ષે બ્લેકબર્નમાં મોટા હૉલમાં કર્યક્રમ યોજવાની જાહેરાત કરી.

આવા ભવ્ય અને રોમાંચકા ત્રિભાષી મુશાયરો યોજવા બદલ ગિલ્ડને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા છે.

મુશાયરામાં રજુ થયેલ અંગ્રેજી કાવ્યની કેટલીક કાવ્ય કણિકાઓ:

 

Dad’s ladder_Lynda Brooks

 I have dad’s ladders now

Thou they are not used much

They are indispensable

Any time I like I can run

A finger over the past

 

 

Why can’t __ julian Jordan

 Why can’t we all be just nice?

I don’t like pornography, it’s rude

Or people who talk through their food

Those who don’t wipe their feet

Men who spit in the street

Or next to old ladies,talk crude

 

Oh! Why can’t we all be just nice?

Yes,

Why can’t we all be just nice?

So the world could be happy and free

We would all be o.k.

For ever and a day

If you could all just be nice _like me

 

My grand ma__Gemmaa O’neil

 

My grandma painted her eyes brows on

And lived in a palace full of gold

She had turret like Rapunzel

And maybe a horse and carriage

 

Un marked grave by a tree— sean kavanagh

 Burry me in Pennien earth

Beneath a line of loam

Reclining in a cardboard box

Until  my bones grow cold and old

 

 Sabrina Patel Age:12

My country is Great Britain

Filled with cute little kittens

We are all friends here ,not a single foe

so come and join us ,is it yes or no?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

satireઅકબર ઇલાહાબાદી અને રાજા મહેદી અલી ખાન,હાસ્ય અને અશ્રુના શા —- શેખાદમ આબુવાલા

 

 

હાસ્ય કે અશ્રુ ગમે એ હોય ,સહજતા અને સ્વાભાવિકતા વિના તે વીલાં અને શુષ્ક લાગવાના…..સહજતા અને ઉતકટતા વગર કોઇ પણ રસ જામી શકતા નથી…..

          જૉન ઓલ્ડટાઈમર ,કોમેડિયન બસ્ટર કીટન,ચાર્લી ચેપ્લીનની જેમ પોતે કદી  પોતાના હોઠ પર હાસ્ય ફરકવા દેતા નો’તા.તેમ મિર્ઝા ગાલિબ કે મિર્ઝા સોદા જેવા ગંભીર શાયરોના માનસિક વલણમાં  જે વિનોદ હતાં તે તો બે ઘડી ગમે તે હાસ્યકારને હસાવતો બંધ કરી દે.

       તેથી જુદી જુદી રીતે , શાયરો હાસ્ય,વ્યંગ,કટાક્ષ અને વિનોદ માટે સુવિખ્યાત હતા તેમણે એક રીતે  કે બીજી રીતે અત્યંત ગંભીર અને અશ્રુ ભીની રચનાઓ પણ કરી હતી.તે પછી ફોર્મ્યુલા તરીકે  કે પછી પ્રમાણિક સંવેદનના આવેશને વશ થઇને…

     આ વિષયમાં મને ઉદાહરણ તુર્ત યાદ આવી રહ્યા છે.

      એક તો રાજા મહેદી અલી ખાનાને બીજા સૈયદ અકબર હુસેન ‘અકબર’. અકબર ઇલાહાબાદી તરીકે અત્યંત જાણીતા.

 

     રાજા મહેદી અલીખાને હાસ્યથી સભર અને તરબતર કાવ્યોજ લખ્યાં છે એમનો પહેલો કાવ્ય સંગ્રહ  મિઝરાબહજી લગી એટલોજ મજબૂત છે.રાજાના હાસ્ય કાવ્યો,વિનોદી કલ્પના તરંગોએ ઉર્દૂ ભાષાને ભારે ગમ્મત પૂરી પાડી છે.એજ રાજા મહેદી અલીખાને ફિલ્મમાં જે કંઇ લખ્યું એમાં હળવું નામનુંજ છે.જે છે તે અત્યંત ગંભીર અને અશ્રુભીનું વધું છે.જેમ કે….

 * મેરા સુંદર સપના બીત ગયા

* શહીદ હો તો વતનકી રાહમેં શહીદ હો

* આપ ક્યું રોયે?

* તુ જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા

વિગેરે વિગેરે…..

 

    મદનમોહન જેવા અદભુત સંગીત કારોનો રાજા પ્રિય કવિ હતો.

એ રીતે નહીં ,પણ અપોતાના મિજાજના રંગ ઢંગ અનુસરીને અકબર ઇલાહાબાદીએ જે કંઇ ગંભીર લખ્યું છેતે હજી એમના મૃત્યુના સાઠ વરસ પછી પન દરેક રીતે મજબૂત અને માતબર છે.

કે.એલ.સાયગલે ગાયેલી પેલી ગઝલ કોને યાદ નહીં હોય

       દુનિયામેં હું દુનિયાકા તલબ ગાર નહીં હું

       બાઝારસે ગુજરા  હું ખરીદર  નહીં હું

 

    આ ગઝલ દાર્શનિક અના શક્તિએ રંગાયેલી ગહન વૈચારિક ઉદધિમાં તરતીડૂબકી મારતી ઉર્દૂ હાસ્ય કવિતાના શિરોમોર એવા શાયર અકબર ઇલાહાબાદીએ લખેલી છે..

    એ ગઝલનાં ઈજા શેર પણ એજ પ્રતિભાવ પેદા કરે છે.

          ઝિન્દા હું મગર ઝિસ્તકી લઝ્ઝત નહીં બાકી

          હર ચંદકે હું હોશમેં હુંશિયાર નહીં હું

         

          ઇસ ખાન-એ-હસ્તીસે ગુઝર જાઉંગા બે લોસ

          સાયા હું ,ફકત નકશ બ દિવાર નહીં હું.

જોકે અકબર ઇલાહાબાદીની શાયરીમાં તમને તગઝ્ઝુલ(ગઝલનું તત્વ અને સત્વ)મળશે.ઉર્દૂ ભાષાની ચમક દમક પણ મળશે.વિશયોનું વૈવિધ્યતો કાગ ગોરાથી માંડીને મહાત્મા ગાંધી સુધી વિસ્તરેલું મળશે…

     એની શાયરીમાં જે કૌવત છે તે બે મિસાલ છેીના કલામમાં સામાજિકાૢરાજકિયૢસાંસ્કૃતિક શૈક્ષણિક તેમજ મનૂષ્ય જીવનને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતો શેર મળશે.અકબરનું હાસ્ય એના અશ્રુ જેવુંજ માતબર અને મજબૂત છે.

      એની ગઝલમાં અશ્રુ ભીની ગંભીરની નદી દદ્અ દડ વહેતી હોય ત્યારે તેના વચ્ચે હાસ્યની ભેખડોયે વચ્ચે આવી જવાની.

    જેમકે:

દિલ મેર જિસસે બહલતા કોઇ ઐસા ન મિલા

બુત કે બન્દે મિલે અલાહકા બન્દા ન મિલા

 

 

સૈયદ ઉઠ્ઠે જો ગેઝટ લેકે તો લાખો લાએ

શેખ કુરઆન દિખાએ ફિર પૈસ ન મિલા

    એક ગઝલમાં તો અકબર તે જમાનાના (આજનાય કહી શકાય તેવો)એક પ્રશ્ન યાદ આવી જાય છે.

યહાંકી અઓરતોંકો ઇસ્મકી પરવાહ નહીં બેશકા

મગર શોહરોંસે અપની બે પરવા નહીં હોતી

 

   અને અકબર ઇલાહાબાદીનો આ શેર તો આજે પણ સવા શેર જેવો છે.

હમ આહ ભીં કરતેં હૈ તો હો જાતે હૈ બદનામ

વો કત્લભી કરતેં હૈં તો ચર્ચા નહીં હોતા

  અમે એક નિસાસો નાંખીએ તો આખી દુનિયામાં બદનામ થઇ જઇઈં- અને એ (માશૂક,યાર,પ્રિયતમા)કોઇની હત્યા કરી નાંખે છે તો કોઇ પરવા કરતું નથી..

 

 

 

અકબર ઇલાહાબાદી   જરાફત(વિનોદ વૃત્તિ)  કે આયનેમે:

 

 

રક્સ કરના હૈ તો ફિર પાઁવ કી જ઼ંજીર નદેખ

કૌમકે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ

-હર શાયર અપનેહાલાત સે મુતાસ્સિર હોકર જબ અપની સોચ ઔર અપની ફિક્ર કો અલ્ફાજ કા જામા પહનાતા હૈ તોવો તમામ હાલાત ઉસકે કલામ મેં ભી નુમાયાઁ હોને લગતે હૈં1857 કે ઇંકિલાબ કે બાદ જોહાલાત હિન્દુસ્તાન મેં રૂનૂમા હુએ ઉનસે ઉસ દૌર કા હર શાયર મુતાસ્સિર હુઆઅકબરઇલાહાબાદી ને ઉન હાલાત કા કુછ જ્યાદા હી અસર લિયાઅપને મુલ્ક ઔર અપની તહજીબસે ઉન્હેં ગહરા લગાવ થાવો ખુદ અંગ્રેજી પઢે-લિખે થે ઔર અંગ્રેજોં કી નૌકરી ભીકરતે થેલેકિન ઇંગ્લિશ તહજીબ કો પસન્દ નહીં કરતે થેઉન્હેં ઐસા મહસૂસ હોને લગા થાકિ અંગ્રેજ ધીરે-ધીરે હમારી જુબાન હમારી તહજીબ ઔર હમારે મજહબી રુઝાનાત કો ગુમ કરદેના ચાહતે હૈંઇંગ્લિશ કલ્ચર કી મુખાલિફત કા ઉન્હોંને એક અનોખા તરીકાનિકાલામુખાલિફત કી સારી બાતેં ઉન્હોંને જરાફત કે અન્દાજ મેં કહીંઉનકી બાતેંબજાહિર હંસી-મજાક કી બાતેં હોતી થીં લેકિન ગૌર કરને પર દિલ-ઓ-દમાગ઼ પર ગહરી ચોટ ભીકરતી થીં

કૌમ કે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ

રંજ લીડર કો બહુત હૈં મગર આરામ કે સાથ

 

ચાર દિન કી જિન્દગી હૈ કોફ્ત સેક્યા ફાએદા

ખા ડબલ રોટી, કલર્કી કર, ખ઼ુશી સે ફૂલ જા

 

શૌક-એ-લૈલા-એ-સિવિલસર્વિસ ને ઇસ મજનૂન કો

ઇતના દૌડાયા લંગોટી કર દિયા પતલૂન કો

 

અજીજાન-એ-વતન કો પહલે હી સે દેતા હૂઁ નોટિસ

ચુરટ ઔર ચાય કી આમદ હૈ, હુક્કા પાન જાતા હૈ

 

કાઇમ યહી બૂટ ઔર મોજા રખિએ

દિલ કો મુશતાક-એ-મિસડિસોજા રખિએ

 

રકીબોં ને રપટ લિખવાઈ હૈ જા જા કે થાને મેં

કિ અકબર નામલેતા હૈ ખુદા કા ઇસ જમાને

 

મેંમજહબ ને પુકારા ઐ અકબર અલ્લાહ નહીં તો કુછ ભીનહીં

યારોં ને કહા યે કૌલ ગલત, તન્ખવાહ નહીં તો કુછ ભી નહી

 

હમ ઐસી કુલકિતાબેં કાબિલ-એ-જ઼બ્તી સમઝતે હૈં

કિ જિનકો પઢ કે બેટે બાપ કો ખબ્તી સમઝતે હૈં

 

શેખ જી ઘર સે ન નિકલે ઔર મુઝસે કહ દિયા

આપ બી.એ. પાસ હૈં તો બન્દાબી.બી. પાસ

 

 હૈતહજીબ-એ-મગરબી મેં હૈ બોસા તલક મુઆફ

ઇસસે આગે બઢે તોશરારત કી બાત

 

હૈજમાના કહ રહા હૈ સબ સે ફિર જા

ન મસ્જિદ જા, ન મન્દિરજા, ન ગિરજા

 

 

kuvo 

 ચમત્કારસઆદતહસન મંટો

 

(લઘુ કથા)

ૂટાયેલો માલ પાછો હસ્તગત કરવા પોલીસોએ છાપા મારવાની કાર્યવાહી શરુ કરી દીધી.ડરના માર્યા લોકો લૂટેલો માલ રાતના અંધારામાં બહાર ફેંકવા લાગ્યા.કેટલાક માણસો એવા પણ હતા , જેમણે પોતાનો માલ પણ તક મળતાં વગે કરી દેધો,જેથી કાનુની સંકજાથી બચેલા રહે.

 એક માણસને ઘણી અડચણ ઉભી થઇ.એની પાંસે ખાડની બે ગુણો પડેલી હતી,જે એણે કણિયારાવાળાની દુકાનમંથી લૂંટેલી.એક ગુણને તો મહા મુશ્કેલીએ પાસે વાળા કુવમાં પધરાવી આવ્યો.જ્યારે બીજી ફેંકવા ગયો ત્યારે પોતે પણ કુવામં હડસેલાઇ ગયો.

 શોર બકોર સાંભળીને લોકો ભેગા થયા.કુવામાં દોરડુ નાંખવામાં આવ્યું.જુવાન માણસો નીચે કુવામા ઉતર્યા,અને તે માણસને બહાર કાઢવામાં આવ્યો.પરંતુ તે થોડા કલાક પછી તે મૃત્યુ પામ્યો.બીજે દિવસે જ્યારે લોકોએ પોતાના ઉપયોગમાં લેવા માટે કુવમાંથી પાણી કાઢ્યું તો પાણી મીઠું હતું.

 તેજ રાત્રે તે માણસની કબર ઉપર દીવાઓ સળગી રહ્યા હતા.

adilcaricatureby-nirmish 

 આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર

 ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક સૂર્યઅસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર સૂર્યનથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર સૂર્યઅંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…

દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ

‘‘‘

ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં

‘‘‘

સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં

‘‘‘

પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…

કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી

‘‘‘

મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ

‘‘‘

લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!

‘‘‘

પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!

‘‘‘

સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!

‘‘‘

ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!

‘‘‘

તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?

‘‘‘

એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!

‘‘‘

શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળેગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? મળે.) મારું પુસ્તક આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેપ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ગઝલગૂર્જરીમાં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!

એમના શેરથી વિરમીએ?

મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!

(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)

azmi

(1919 – May 10, 2002) 
उर्दू  के महान शायर और गीत लेखक  कैफ़ी आज़मी
 

 कर चले हम फिदा जानो तन साथियों_कैफी आज़मी
 सुनिये ईस गीतकोURL कलीक करें

 

अब तुम्हारे हवाले वतन साथियों

सांस थमती गई, नब्ज जमती गई

फिर भी बढते कदम को न रुकने दिया

कट गए सर हमारे तो कुछ गम नहीं

सर हिमालय का हमने न झुकने दिया

मरते-मरते रहा बांकपन साथियों

जिन्दा रहने के मौसम बहुत हैं मगर

जान देने की रुत रोज आती नहीं

हुस्न और इश्क दोनों का रुसवा करें

वह जवानी जो खूं में नहाती नहीं

आज धरती बनी हैं दुल्हन साथियों

राह कुरबानियों की न वीरान हों

तुम सजाते ही रहना नए काफले

फतह का जश्न इस जश्न के बाद हैं

जिन्दगी मौत से मिल रही हैं गले

बांध लो अपने सिर से कफन साथियों

खेंच दो अपने खून से जमीन पर लकीर

इस तरफ आने पाये न रावण कोई

तोड दो हाथ अगर हाथ उठने लगे

छूने न पाये सीता का दामन कोई

राम ही तुम, तुम ही लक्ष्मण साथियों    

 

           

કૈફી આઝમી___શબાના આઝમી

 

(અબ્બાકી કાહાની બેટી કી  જબાની.)    

   

કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ૤ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહકરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી૤ ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ૤ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ૤ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ૤ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ૤ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ૤

 

 

 

વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ડૈડીયા પાપાકે બજાય અબ્બાથે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ બિજ઼નેસકરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !

 

બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા૤ દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો પેરેન્ટ્સ ડેપર સ્કૂલ આતે હૈં૤ એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ૤

 

અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા૤ ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ૤ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા૤ ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં૤ અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા૤ વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ૤ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી૤ મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ૤ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ૤

 

હમારે ઘર કા માહૌલ બિલ્કુલ બોહિમિયનથા૤ નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે રેડ ફ્લૈગ હૉલમેં રહતી થી૤ હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા૤ બાથરૂમ વગૈરહ તો કૉમન થા૤ પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી૤ જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી૤ મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી૤

 મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે૤ પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ અલાઉન્સદેતી થી૤ ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ૤ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા૤ ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા૤ મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા પગલીકી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ પગલીકે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ૤ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે૤ અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ૤ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિ૟ોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો બેસ્ટ એકટ્રૈસકા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો૤ મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ક્યૂજ઼દેતે હૈં૤

 મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં૤ શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શા૟રોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં૤ ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ)૤ યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી૤ ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ૤ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-યે ઝૂઠ હૈ૤ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી૤મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા૤ લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે૤ ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા૤ સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે૤ બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ૤ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા૤ ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં૤

 અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર૤ વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં૤ વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ફ઼િરાક઼ઔર ફૈજ઼ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં૤ ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે૤ મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા….૤ કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓયા બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ૤હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ૤

 

ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી૤ સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી૤ વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે૤ ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા૤ મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા૤ અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી૤ મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે૤ મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં૤

 

મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી૤ વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી૤ મમ્મી ને ધીરે સે કહા કિ કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી૤ અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા૤ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી૤ ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે૤ આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં૤ લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ડેડલાઇનસર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ૤

 

મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ૤ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા૤ કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં૤ લિખતે વક્ત ઉનકી સ્ટડીકા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે૤ એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા૤ મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ૤

 

વો લિખતે સિર્ફ માઉન્ડ બ્લાન્કક઼લમ સે હૈં૤ ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં૤ યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે માઉન્ડ બ્લાન્કદિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે૤ અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા૤

યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ અપ્રૈલ ફ઼ૂલબના દેતે હૈં૤ હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર અપ્રૈલ ફૂલબના દેતે હૈં૤ કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્તસેન્સ ઑફ હ્યૂમરભી હૈ૤ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં૤ ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં૤ તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ૤

 

એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ૤ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા૤ રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા૤ છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા૤ રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા૤ રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે૤ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી૤

 

અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ૤ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં૤ ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ૤ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ૤ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના૤ જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે૤ સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ૤ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો૤ ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ૤ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો૤ સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ૤

 

અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં૤ દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ૤ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ૤ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ૤ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી૤ શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી૤ ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં૤

 

જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે૤ મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા૤ એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં૤’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં૤’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે૤ આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી૤’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા૤ કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં૤ ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ૤

 

મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ રેડ ફ઼્લૈગ હૉલમેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા૤ જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ૤ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી૤ હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ૤ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે૤ અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ૤ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા૤ પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે૤ મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-બેસ્ટ ઑફ લક, કૉમરેડ૤

 મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી૤ જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ૤ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં૤ પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી૤ મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા૤ મૈં અબ્બા કે કમરે મેં ગઈ૤ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં૤ ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા૤’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો૤ યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા૤

 બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ૤ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં૤ ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં૤ ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ૤ વો મકાનવો ઔરતહો યા બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ૤ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ૤ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ૤ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ૤

 orkhan1

પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી

 

 

નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો

સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.

પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર

હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે

 

 

હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ

નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું

સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રેછે

અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.

 

 

 

સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,

એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,

પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે

અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા

સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?

બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું

અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.

 

 

 

ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો

ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું

કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે

કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું

 

.

 

નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,

હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા

જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી

રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.

 

 

 

કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,

હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ

જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર

ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?

પછી તું કોઇ દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે

પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે

વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.

 

 

 

અને જોઇન લે કોઇ છબી નયનોની માટે

વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે

અને બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ

જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે

 

.

 

manshe2

 

pagli 

પા પા પગલે__ બાબુભાઈ પટેલ   

  પા પા પગલે ચાલી ચાલી,

      કાલુ કાલુ બોલી બોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી.

      આ બક બક કરતા બાલિશ શબ્દો

      સાંભળશો કે…….. 

      ખુબ ખુબ કહેવું છે

      મારા નાનકડા મનડાએ આજે.

      આ તોતડીયા

      ગૂંગળાતા શબ્દો

      સાંભળશો કે………  

      અકળ દેશથી આવી આજે

      ભૂલો પડ્યો ભવસાગર વાટે.

      આ આકુળ વ્યાકુળ ઊછળતા

      ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો

      સાંભળશો કે………..  

      પા પા પગલે ચાલી ચાલી,

      બોલું છું હું તોલી તોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી

      આ નાદાનીના બાલિશ  શબ્દો

સાંભળશો કે………  

ઇસ્લામ અને મોબાઈલ 

 

mobile

 

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકામોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.

મોબાઈલના મસાઈલઅર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.

મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.

મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.

ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.

જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.

રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.

મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.

મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.

મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.

મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.

કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.

મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.

મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.

મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.

મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.

http://mehboobdesai.blogspot.com/ 

 

http://mehboobudesai.wordpress.com/ 

 

 

grandmosquemakkah

Azan of Grand Mosque Makkah Click pl.

Tawafe Qabah and Talbiya(Labbaik)Click pl.

 

હજ યાત્રાનો મહિમા અને તેની મહત્વતા-કાસિમ અબ્બાસ

alhaj1haj21haj3

haz4

haz81

 

 

 

 

 

 

 

 

 

 

Posted by: bazmewafa | 12/10/2008

ગઝલની તકતી1— બઝમ

 

ગઝલની તકતી1— બઝમ

 

 

ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા  છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ  વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.

આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે  આછોકર રમત શા માટે ?

અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું  મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.

ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને  ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને  તાડ પર ચઢાવે છે.

આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .

  જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.

લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા

અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો

કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)

એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.

 

 

 

ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ  એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:

કદાચ   એને     ખબર       નહોય

લગાલ  ગાગા    લલલ      લગાલ ૢ પહેલા  મિસરાની તકતી

 

કેટલી    દુરંદેશીતા એના   માટે      વિચારાય છે.

ગાલગા   લગાગાગા ગાગા  ગાગા     લગાગલગા ૢબીજા મીસરાની તકતી

 

 

pooshp 

મુકતક

 

થયું વિખવાદથી નુકસાન તે સમજાય તો સારું

કદમજે હોય છે મતભેદ એ વિસરાય તો સારું

 

 

સમયની માંગ સમજી ભેદભાવો મિટાવી દો;

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

 

લખેલું ભીંત પર છે તેકદમ ટંકારવી

  

 

ઘણી છે કીમતી થાપણ અહીં સચવાય તો સારું

લપસણી છે  પેઢી નવી જળવાય તો સારું.

  

 

નફાખોરી વટાવે હદ હવે તો મોંઘવારી પણ

હવે તો દાળ, ચોખા,  તેલ, સસ્તું થાય તો સારું.

  

 

કરે જાપાન એવી શોધ ચાલે કાર પણીથી

હવે ફ્યુએલ બીજું અવનવું શોધાય તો સારું.

  

 

સિતમ પોતે કરે તો પણ ઠરાવે અન્યને દોષિત

જગતથી બેવડું ધોરણ હવે બદલાય તો સારું.

  

 

જુલમ જે આચરે ચે તે કદમ ફાવી નહીં શકશે

લખેલું ભીત પર છે તે હવે વંચાય તો સારું.

 

(ભવ્ય ત્રિભાષી મુશાયરો  સ્મરણિકા)

Bolton U.K..Sunday 19Octo.2008

 

 

 

 nahinfave

 

અમે હેલીના માણસ…સુરેશ દલાલ

 

 

શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે

 

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારીતી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી

આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.

ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:

મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો

શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.તો હરીન્દ્ર દવેની પંકિત છે: જયાં ચરણ રુકે ત્યાં કાશી.વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.

વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામસાદગીરાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.

અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 

(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)

 

 

 

alvida

al1

al23

  (શ્રી ઘનશ્યામ ઠક્કર ના સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/13/2008

કોણ છે? આદિલ મન્સૂરી

 

deevaren1

કોણ છે? આદિલ મન્સૂરી

કોણ છે?

આ ચાર દીવાલોની અંદર કોણ છે?

કોના કાળા હાથો

દીવાલોનાં બાહર નીક્ળયા છે.

કોના પીળા દાંતો

છત પર ચાલી રહ્યા છે

કોનું ખાલી માથું

હવામાં તરી રહ્યું છે

કોની આંખો ફર્શ પર લપસી રહી છે

કોનું નીલ વર્ણ રકત

બિસ્તરામાં પડયું પડ્યું બરાડી રહ્યું છે

કોના જંગલી અટ્ટ હાસ્યથી

બંધ ઓરડો ગુંજી રહ્યો છે

 

 

કોણ છે?

આ ચાર દીવાલોની ભીતર  કોણ છે ?

 

કોણ છે?

 

 

(હશ્રકી સુબ્હ દરખશાં હો !ઉર્દૂપૃ.175ના સૌજન્યથી.અનુ.વફા)

 

 

 

 

 

 

 

maar

સ્પેલિંગ લવ નો— નિર્મિશ ઠાકર

nirnish1

suratfld3

હુરટનું પૂર(હુરટી પ્રટિકાવ્ય)— નિર્મિશ ઠાકર

huratnupoor

abharkha

બીજાઓને શેર, શાયરી  સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા

                                                             1

મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને  મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.

હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:

હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી  સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.

મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:

’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)

2

એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.

  બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી  વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની  વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.

પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.       

                તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.

 

3        આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.

અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.

 

 

.

4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના  સફરમાં  શાયરીની બલામાં  સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સાબ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું

એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.

શાયરીમાં રસ ખરો કે?

મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?

ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.

શેર હતો:

ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે

ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.

      (તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું  ઉંચુ કર કે પાલનહાર તને  પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)

     મૌલવી સાહેબ શાંતિથી શેર  સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?

      મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.

ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?

 

5

આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.

ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.

અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)

 

6

સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:

આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ  બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.

 આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?

zakaria1zakaria2zakaria3zaaria4

grave kabar

 

 

 

 

 

uptodately1

janmdin

 

જવાનીમાં એને માટે માતમ થવો જોઇએશેખાદમ આબુવાલા

(મારી ડાયરી.બુધવાર 2 એપ્રીલ 1952)

      લાંબા સમય સુધી ડાયરી ન લખી શક્યો.હજી મારે કેટકેટલું સંભારવાનું છે.યાદ કરવાનું છે અને ડાયરીમાં નોંધવાનું છે

       આજે સવારે હું મુંબઈથી આવ્યો.ગઈ રજબની સાતમીએ(ઈસ્લામી મહિનો)મારી સાલગિરહ(જન્મદિન) હતી.બાવીસ વરસ પૂરાં થયાં.ત્રેવીસમું બેઠું ! જવાનીનું એક વરસ ઓછું થયું.જવાનીમાં આવતી વર્ષગંઠો મને અત્યંત દુ:ખદાયક લાગે છે.

મને એ વર્ષગાંઠો સર્પની જેમ ડંખે છે.ગઈકાલે મને દુ:ખ થયું હતું કે જવાનીના રંગીન અને મસ્ત એવા કાળમાંએક વરસ ઓછું થઈ ગયું! વૃધ્ધાવસ્થામાં વર્ષગાંઠ એ ખૂશીની વસ્તુ હોવી જોઇએ! પરંતુ જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ.

  ગઈ કાલે હું અમદાવાદ આવવાનો હતો ,પરંતુ 31માર્ચને દિવસે મુંબઈમાં એક ડિનર રાખવામાં આવ્યું હતું.મને અમીરી અને બીજા મિત્રોએ જીદ કરીને મુંબઈમાં રોકયો હતો.રોકાવાની જરી સરખી પણ ઈચ્છા નહોતી.પરંતુ મજબૂરીને લીધે રોકાઈ જવું પડયું.મેં ટિકિટના  પૈસા અમીરીને આપી દીધા હતા,અને એણે મને એનાજ સહારા પર રોકી લીધો.રાત્રે ડિનરમાં મારા મિત્ર જ.અલી મહેમદ નાઝને માનપત્ર આપવામં આવ્યું હતું.

 

(હમભી ક્યા યાદ કરેંગે-શેખાદમની ડાયરી)

 

 A comment by one of his associate in Film world.It is posted  on the Gujarati article હું એક ભાટકતો શાયર’”URL

 http://bazmewafa.wordpress.com/2007/05/17/hunbhataktoshayer_shekhadamdarshan/?preview=true&preview_id=288&preview_nonce=7f4ad68333

 

Submitted on 2008/12/18 at 5:57pm

I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a  few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad, Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikh saheb was like a computer just put cursor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya

 

 

 

 

 

 

 

 

yagnik

 

 

 

                     ્દુલાલ યાજ્ઞિક—-શ્રીમંત નગરીનો ફકીર નેતા

                                  *ઉમાશંકર જોશી

 

 ન્દુલાલ એટલે એની બેસંટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસ યુગના એક મહારથી.ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એંજિન સાથે સરખામણી કરી હતી.થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય.હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને  સંજીવની વરી હતી.અમદાવદની મુખ્ય સંસ્થાઓ પાછળ ગુજરાત વિદ્યાપીઠ જેવી પાછળ પણ ઇન્દુલાલ યૌવન મૂર્તિ દેખાશે.

   ઇન્દુલાલ પર સરસ્વતીંનો આશિર્વાદ હતો.નડિયાદના નાગર હતા ને?વકતૃત્વ અને કલામાં ગુજરાતી ભષાનું હીર ઉછળતું…ગુજરાતના ઇતિહાસના એક અઠંગી વ્યાસંગી હતા.પણ ઇતિહાસ સર્જવ એસર્જાયા હતા.

    ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા..

   ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.       

 સમાજ પહેલાં લોટ જેવો હતો,પાણી નાંખતા ભેગો થઇ જતો.આજે સમાજ રેતી જેવો બની ગયો છે.પહેલાં લોકોમાં મીઠાશ હતી,આજે જનતા બાવરી બની છે.આર્થિક ભીંસ ખૂબ મજબૂત બની છે.(17-11-1952ના કરેલા એમના ભાષણમાંથી)

 

 

 

 

maalo2

guidancetarunydil3 

 

parinda1

खानोमें बट गया_निदा फाज़ली

गिरजा में,मंदिरो में,अजानो में बट गया

होते ही सुबह आदमी खानों में बट गया

 

 

एक ईश्क नाम का जो परिन्दा खलामें था

उतरा जो शहर में तो दूकानो में बट गया

 

 

पहले तलाशा खेत,फिर दरियाकी खोज़ की

बाकीका वक्त गेहुंके दानों में बट गया

 

 

जब तक था आसमांमें सुरज़ सभीका था

फिर युं हुआ वो चन्द मकानों में बट गया

 

 

हैं ताक में शिकारी, निशाना है लबिस्तां

आलम तमम चन्द मचानों में बट गया

 

 

खबरों ने की मस्वरी, खबरें गझल बनी

जिन्दा लहु तो तीर कमानों में बट गया

(शहर मेरे साथ चले तो)

હવાનું હલેસું—- આદિલ મન્સૂરી

artamthaigayun1thaigayun2

તમે ચાલ્યા ગયા આ શબ્દનો  આવાસ છોડીની

છતાં પડઘા તમારી યાદના  ગુંજતા રેશે

મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબને સાંભળવા કલીક કરો

 

hun

હું છું ને તું છે— મહેક ટંકારવી

 nathinam1nathnam2

gukab1

શરદ,તારું ગુલાબ***જય ગજ્જર

sharadtarungulab

(શરદ,તારું ગુલાબઅને બીજી વાર્તાઓનાં સૌજન્યથી)

Posted by: bazmewafa | 12/29/2008

થાય છે….સુધીર દલાલ

thaykharun

થાય છે….સુધીર દલાલthayachhe01
thyachhe11

thaychhe2

thaychhe3
thaichhe4
thaichhee5
thaichhe6
thaichhe7
thaichhee8

કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ —- યોગેશ જોષી

 chinu1chinu2chinu3chinu4

chinu5

  (પરબ _ ડીસેંબર 2008 ના સૌજન્યથી)

બઝમે વફા પરિવાર શ્રી ચિનુ મોદીને  આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે

  

 

 

 

 

morardhirate

bismarfhar1

બીમાર પણ રાખે****બરકત વીરાણી બેફામbeemarpanraakhe

mero

મેળો જહાંનો***રતિલાલ અનિલ

merojahanno1

 

 

 

Posted by: bazmewafa | 12/30/2008

આપણે***મકરંદ દવે

apneimg

આપણે***મકરંદ દવે

apne

 

 

 

સવારી જશે મુજ છડીદાર સાથે***શયદા

savaarijashe1

જય ગજ્જરની નવલકથા આંધીનો ઉજાસ દરિયાપારના સર્જકોમાં શ્રેષ્ઠ નવલકથા તરીકે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં ઈનામો

 

awrdtojaygajjar1

મહેંદીના રંગ  જેમ ઊડી જાય જે મહેક

એવી સગાઈ,એવું કો સગપણ ન જોઈએ

 

 

darpan

 

 કાજલ ભરેલી આંખના***મહેક ટંકારવીjoien

(એક વિચાર સભર,સુંદર નવી નક્કોર તાજી ગઝલ મોકલવા બદલ પ્રોફેસર મહેકટંકારવી સાહેબનો  બઝમે વફાઘણું આભારી છે)

 

Posted by: bazmewafa | 01/06/2009

Opinion , views and News

Opinion , views and News 

Civilian Casualties Mount As Israeli Army Slices Through Gaza

Click

http://www.countercurrents.org/

Do Israeli Pilots Feel Happy Killing Innocent Women And Children?

By Fida Qishta

05 January, 2009
Countercurrents.org

Click to read

http://www.countercurrents.org/qishta050109.htm

Molten Lead In Gaza
By Uri Avnery

This war is a writing on the wall: Israel is missing the historic chance of making peace with secular Arab nationalism. Tomorrow, It may be faced with a uniformly fundamentalist Arab world, Hamas multiplied by a thousand

http://www.countercurrents.org/avnery050109.htm

Scared But Steadfast In Gaza
By Rami Almeghari

I found that my neighbors are dealing very patiently with what is happening right now. They don’t have any place to go and are staying close to their homes, expecting that the worse has yet to come. However, they are saying that they will remain steadfast in their homeland and neighborhood and homes, even if Israel destroys Gaza completely

http://www.countercurrents.org/almeghari050109.htm

 

The Only Nation That Can Do No Wrong
By Jim Taylor

Because the rights that European and North American nations demand for Jews do not seem to extend to Palestinians. Or perhaps more accurately, in a perversion of the Golden Rule, the western world looks the other way when the nation of Israel does unto others as others have done unto them

http://www.countercurrents.org/taylor050109.htm

 

 

ત્રણ અધૂરી વાર્તાઓ***મધુ રાય

adhooreevartaa

tran1

tran2

tran3

 

tran3a1

tran4

tran5

 

tran6

ફૂલ કરમાયું નહીં— આઈ.ડી.બેકાર

 

bekar

karmayunnahin

ફૂલ કરમાયું નહીં

 pankharnuphol.jpg

છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં

સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .

આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.

બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં

ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં

(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે).

નિ:શબ્દ  રહેવાયું નહીં—ઝફર એમ.

karmayunzafar

 

આયનાની જાતથી  નિ:શબ્દ  રહેવાયું નહીં

      તે છતાં મુજ હાજરી વિણ,  કંઇ બોલાયું નહીં

 

હું રડી પડ્યો નિહાળી સાથ સહુ  સ્વજન તણો

એ નથી કે મુજ થકી એ દર્દ સહેવાયું નહીં

 

 

પ્યાસ બળતા રણ ની લઇ   બેઠા હતાં એ દ્વાર પર

ઝાંઝવાની   એ પરબ પર   બુંદ  છલકાયું નહીં

 

સર અહમના ડુંગરો પર ઠોકતો તું રહી ગયો

ઝૂમખું આ ફૂલનું    પણ હાશ ઉંચકાયું નહીં

 

હાથ તારો એ કટોરા ઉપર સ્પર્શયો  હતો

ઝેરનાં એ જામને પાછુંય ઠેલાયું નહીં

 

એ હતોઅંતિમ સમય   આંખો બિડાઈ ગઇ હતી

પણ ઝફર એ નામ તો હોઠોથી  વિસરાયું નહીં

karmayunnazir

તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા

  

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં

કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં

 

karmayunmareez

મુજથી રોવાયું નહીં—- બરકત વીરાણી બેફામ

mujthirovayunnahin_befam

karmayungani1

ચિત્ર ભૂંસાયું નહીં— ગની દહીંવાલા

chitrabhunsayunnahingani

કેમ બદલાયું નહીં—- મસ્ત હબીબ સારોદી

 karmayunhabib

kembadlayunnain_habib

મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

naav

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?

લોક ઊંડું વિચારે, તો હું શું કરું?

 

હું છું માનવ,છતાં લાગું દાનવ તને !

તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

 

કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!

નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

 

આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-

એ જો મરચાં વઘારે, તો હું શું કરું?

 

સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!

જો તું આવે સવારે, તો હું શું કરું?

 

(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)

પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’

(ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)

રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)

ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્

  ગઝલ   કાવ્ય પ્રકારે ગુજરાતી ભષામાં પોતાનું સ્થાન જમાવાવા અને સ્વીકૃત થવા માટે પરિશ્રમ સિવાય  અન્ય યુક્તિઓનો આશ્રયસ્વીકાર્યો નથી.કલાપી,કંથારિયાનાં સાચા ગઝલ પ્રેમે ગઝલનું દ્વાર ર્ખોલ્યું. ગઝલ સમ્રાટ શયદાએ ગઝલને  અરબી,ફારસી, ઉર્દૂ નઝમિયાતની(પદ્ય પ્રકારની) સાચી વિભાવના પર લાવવા પિંગળ શાસ્ત્રની ચૂસ્તતાને અપનાવી.રદીફ ,કાફિયાની સવિનય માવજત, ગઝલના નિર્ધારિત છંદની સાચી ઉપાસનાનાં સુમનને હૃદયંગમ બનાવી મહેકાવ્યું. મત્લાઅ,મકતાની સાચી સૂઝ  આપી.રૂપકો,ઉપમાને સુંદરતાથી કંડાર્યાં.મુશાયરા પ્રવુત્તિ વિકસતાં લોકો ઉર્દૂ ગઝલની જેમ ગુજરાતી ગઝલ પણ ગુન ગુનાવા લાગ્યા.

અમીન આઝાદ,સૈફ પાલનપુરી,બેફામ,મરીઝ,શૂન્ય,ઘાયલ,ગાફિલ,મસ્ત હબીબ,રૂસ્વા,ગની,સાબિર વટવા,રતિલાલ અનિલ ,આઈ.ડી.બેકાર,સીરતી,શેખ ચલ્લી,બેબાક રાંદેરીૢમુસા બના,શેખાદમ આબુવાલા,દીપક,મનોજ ખંડેરિયા,અકબર અલી જશદણવાલા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી,પતીલ,ભગીરથ અને જયંત પાઠક પણ ગઝલનાં ઝંડા ધારી બન્યા.

ગઝલ એની ગુણ વત્તા વધારવા છંદ કહોકે બહર,વજન અથવા એના પિંગળ સાથે કોઇ અરાજકતા આદરી નહીં.

1931માં રાદેરના પ્રથમ મુશાયરા પછી,જયારે ગઝલને ચોગાનની કવિતા કહી ચોખલિયાઓએ  ગઝલને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ગઝલના ભેખધારીઓએ વિદ્રોહની છડી પૂકારી.

મહાગુજરાત ગઝલ મંડળના આજિવન પ્રમુખ જનાબ બેકાર સાહેબે અનિલ,સીરતી,શેખચલ્લી,દીપક ,બેબાક વિ.ને સાથે લઇ ગઝલને ગુજરાતનાં ગામડે ગામડે પહોંચાડવાનો નિર્ધાર કર્યો.મુશાયરો,મુશાયરી(નાનો મુશાયરો)ના રૂપમા ગઝલ સુરતથી નીકळी મુબઈથી કાઠિયાવાડ સુધી પહોંચી ગઇ.ઇજન ધોરાજવી,કિસ્મત કુરેશી,દેખૈયા બિરાદરો,સાલિક પોપટિયા,નઝર ગફૂરી,યાદી ઘણી લાંબી છે. આ બધા ગઝલની મશાલ ઉઠાવી ચાલતા રહ્યા.

ગઝલને અરાજકતાના વાવડથી બચાવવા છંદ શાસ્ત્રોનાં સર્જન થયાં. તરહી મુશાયરાની ઉર્દૂ પરંપરાને જિવંત કરી.

આદરણિય જ.હસનઅલી નામાવટી ઈસ્માઈલી સાપ્તાહિક માટે તરહી પંક્તિ મોકલી નવોદિત,કે સિધ્ધ હસ્ત શયરો પાંસે ગઝલો લખાવતા,પ્રસિધ્ધ કરતા

આવા તરહી મુશાયરાઓ ઘણાં કામિયાબ રહેતા. એકજ છંદ,લય અને રદીફ ,કાફિયાની રમઝટ વાળી ગઝલો વંચાતી ,ગવાતી.મુશાયરાને ચાર ચાંદ લાગી જતા.

અહીં એવીજ એક તરહી મુશાયરાની પંકતિ:

પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં ના મિસરા પર મને પ્રાપ્ત થયેલી  સાત જેટલી ગઝલો પ્રસતુત કરું છું.

આ તરહ પર કોઇ મિત્ર પાંસે કોઇ પણ સર્જકની રચના હોય તો, બઝમે વફાને  સાદર કરવા વિનંતી છે.

તેમજ કોઇ પણ કવિ આ તરહી મિસરા પર ગઝલ લખી બઝ્મે વફા ને અર્પણ કરશે તો પાનખર આવી છતાંયે ફૂલ કરમાયું નહીં નો ગઝલ ગુલઝાર વિસ્તૃત થશે,.અને એ એક વિશિષ્ટ ભાત પાડશે.(નોંધ: ગઝલની તકતી કરી ગઝલની ઈસ્લાહ કરવાની જવાદારી કર્તાની રહેશે) આ તરહી પંક્તિના રદીફ અને કાફિયાની માવજત કરી ગાગાલગાૢગાગાલગાૢગાલગાગાૢગાલગા 

(મુસ્ તફ્ઇલુન્ૢમુસ્ તફ્ઇલુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્)

વજન પર પણ ગઝલ લખી શકાય છે.

નીચેની રચનાઓ માણવા જે તે અનુક્રમણિકા,  પર કલીક કરવા વિનંતી છે.

 

 

raat

 

 

 

 

અંધાધૂંધીનો જન્મ દિવસ ***નિર્મીશ ઠાકર

 

 

જ્યારે ડખલની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે હઝલની પ્રથમ રજૂઆત થઈ હશે

 

 

ભાગી છૂટ્યો પવન ને રોતી રહી મહેક

રસ્તામાં તારી સાથે મૂલકાત થઈ હશે

 

 

કોઇ રતાંધળો તો ઘણું આઠડ્યો હશે

ઝૂલ્ફો ઢળી હશે અને રાત થઈ હશે

 

 

વ્યાપી ગઇ છે સ્તબ્ધતા,દર્પણ અવાક છે

તારાજ રૂપ રંગ વિષે વાત થઇ હશે

 

 

અંધાધૂંધીનો જન્મદિવસ એ જ છે અહો!

દુનિયાની જે દિવસથી શરૂઆત થઇ હશે.

 

(પ્રતિ કાવ્ય: શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)

 

10Jan.2009

એ માણસને હું રત્નજડિત પૃથવી ભેટ આપી દઈશ**યશવંત ત્રિવેદી

 

pankhiudaan

aemanas

એક કાવ્ય***હરિકૃષ્ણ પાઠક_આસ્વાદ— રાઘેશ્યામ શર્માpankhipatang

aswaada1aswaadb

nakliful1

 

શરમાતું નથીમુહમ્મદઅલી વફા

 

એટલેતો મુજથી રોવાતું નથી

દર્દ શુ છે એ જ સમજાતું નથી

 

આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ

તે છતાં આ દર્દ ભુલાતું નથી

 

 

બાગનું ગુલ  મહોરશે બસ ચાર દિન

પૂષ્પ નકલી કો દિ કરમાતું નથી

 

એ હશે કેવું વલણ બોદા તણું?

હોય ખોટું તો ય શરમાતું નથી

 

સાચ ની સંભાળ વસમીછે વફા

હોય ખોટું એજ ખોવાતું નથી

dari

 

 નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર

 

 જૂની મને રદીફ મળી:કોણ માનશે? 

એમાં હઝલ નવી જ તળી,કોણ માનશે?

  

પાડોશણે તો ચા મહીં નાંખેલ છે નમક

લાગી મને તો બેઉ ગળી,કોણ માનશે?

  

અ જિંદગી ઉપરથી કડક નરમ તળે!

એ હાંડવાની જેમ બળી,કોણ માનશે?

  

સીડીમાં લપસી એમ જાણે પ્રેમમાં પડી

ચશ્મા પડ્યા ને એય ઢળી ,કોણ માનશે?

  

વર્ષો જૂનો એ વાયદો ચૂંબનનો પાળશે?

એ ચોકઠા-સમેત મળી,કોણ માનશે?

  

અર્ધાંગનિ મળી ને પૂરો ખોટમાં ગયો

મારીજ કેડ વાંકી વળી ,કોણ માનશે?

  

દુનિયા ન હસી, દોસ્ત મગજ પણ ગયું

પસ્તાયો છું હઝલને દળી,કોણ માનશે?

 

ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર

 

પેલ્લાં એ મને લાયગી પરી , કોણ માનહે?

પન્ની ગયો,    પઠારી ફરી! કોણ માનહે?

 

અર્ઢાંગનિ બનીને મને અઢમૂઓ કયરો!

પૂરી પછી એ માથે ચરી , કોણ માનહે?

 

ઘૂંઘટને મેં ઓપન કયરો,ટો બોયલી કલોઝ કર!

ઉં તો ગીયોતો બોવ ડરી  , કોણ માનહે?

 

લાલી મેં એના હોઠની માયગી,ટી પ્રેમઠી!

આંખો બી એને લાલ કરી  , કોણ માનહે?

 

સુખી ઠવું છ આપડે,કરહો? એ પૂછટી,

ડાયવોર્સની મેં અરજી કરી  , કોણ માનહે?

 

કંકોટરીનું કાલ બી મેટર નીં બદલહે !

છે નામમાંજ ચેંન્જ જરી , કોણ માનહે?  

 

 

 

b1 

 

મારો પ્રિય શેસૂફી મનુબરી

hazhalsufi

 

juta 

પૂંછડી પટપટાવીશુંબાબર બંબુસરી

hazhalbabarbambusari

  

 સ્વામી રામતીર્થડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ

(અંજલિ)

હમ બગલ દરિયાસે હૈ કતરા-એ બેતાબ તુ,

પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.

આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,

મૈં અભી તક હૂં અસીરે ઇમ્તિયાઝે રંગો- બુ.

મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,

યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.

નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે આગાહકા,

લાકે દરિયામેં નિહાં મોતી હૈ ઈલલ્લાહકા.

ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,

થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.

તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,

હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-- તસ્નીમે- ઈશ્ક.

 

(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)

શબ્દાર્થ:

હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય

અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,

આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું

 

1904 માં લખાએલ ”સારે જહાંસે અછ્છા હિદોસ્તાં હમારા ”ના કવિ ડૉ.ઇકબાલ જ્યારે તસવ્વુફ(સૂફીવાદ)અને દર્શનશાસ્ત્ર ના વિષય સાથે જ્યારે પદ્યના મેદાનમાં ઉતરેછે ત્યારે અચ્છા ઉર્દૂ ફારસીના જાણકાર એમના કલામ(પદ્ય)માં ગોથાં ખાઈ જાય છે.તે છતાં તે જમાનામાં ઇકબાલના પ્રોફેસર અને મિત્ર ડૉ.નીકોલસને ઇકબાલની અનુમતિથી એમનાં ફારસી મહાકાવ્યઈસરારે ખુદીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ભાષાની દ્રષ્ટિએ તો ગાલિબ મીરને સમજવાપણ કઠિન થઈ પડે છે.પરંતુ ઇકબાલ દર્શનશાસ્ત્ર,તત્વજ્ઞાન,ધર્મશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ઇતિહાસ,રાજ કરણ,સંસ્કૃતિ અને કાવ્યની અંતિમ સીમાને લઈ જ્યારે પદ્યની ગુલાબ પાંખડીઓની ભંગિમાનાં દર્શન કરાવે ત્યારે, એ વિષયના વિદ્વાનો ડોલી ઊઠ્યા છે.

ઇકબાલ દર્શન પર અંગ્રેજી,ફ્રેંચ,જર્મની,સ્પેનીશ ,અરેબીક,ફારસી,તર્કી,મલય—વિશ્વની મોટાભાગની મહત્તમ ભાષામાં ઇકબાલને અનુદિત કરાયા છે. અને ઇકબાલિયાત નું દર્શનશાસ્ત્ર દુનિયાની મોટાભાગની યુનિવર્સીટીઓમાં ફિલસૂફીના એક વિષય તરીકે રૂમી અને ગઝાલી સાથે અભ્યાસાય છે. વિવેચનશાસ્ત્ર વિશ્વ સાહિત્યના તમામ સર્જનનું પરિમાણ રહ્યું છે.પરંતુ ઇકબાલિયાત એક એવો વિષય  બની ચૂક્યો હતો કે એનાં પર વિશ્વનાં મોટા મોટા વિદ્વાનોએ ભાષ્ય લખ્યા. અરબી,ફારસીઅને ઉર્દૂનાં મહાન ભારતીય વિદ્વાન સૈયદ અબુહસનઅલી નદવીએ એમના કાવ્ય દર્શન પર અરબી ભાષામાં રવાએ ઇકબાલનામનો ગ્રંથ લખ્યો.અંગ્રેજી સહિત વિશ્વની દસ બાર જેટલી ભષામાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે.ઉર્દૂ અનુવાદ,”નકૂશે ઇકબાલ.અને અંગ્રેજીમાં “ગ્લોરી ઑફ ઇકબાલઘણાં લોક પ્રિય  અને આવકારદાયી બન્યા છે. ઉર્દૂ અરબીના મહાન વિદ્વાન મૌલાના ગુલામ રસૂલ મહેર સાહેબે એમના પ્રથમ ઉર્દૂ કાવ્ય સંગ્રહ બાંગે દરાપર ભાષ્ય લખ્યું છે.પ્રો.નીકોલસનનો ઉલ્લેખ ઉપર થઈ ચૂક્યો છે.

જ્યારે પ્રારંભિક અવસ્થામાં ઇકબાલ એક વેળા હતાશાની પળોમાં  લેખન કાર્ય છોડી દેવા માંગતા હતા અત્યારે ઉર્દૂ,ફારસીના અભ્યાસી અને વિદ્વાન પ્રોફેસર.ઓરનાલ્ડે એમને એવું કરતાં રોક્યા.અને ચેતવણી આપી કે ,એવું કરશો તો વિશ્વ એક દર્શનશાસ્ત્ર નો મોટો અધ્યાય ગુમાવી દેશે. સ્વામી રામતીરથ – અંજલિના રૂપમાં ઇકબાલની સૂફીવાદ અને દર્શનશાસ્ત્રની અદભૂત નઝમ છે.ટૂંક સમયમાં સ્વામી રામતીર્થ નઝમ પર મૌલાના મહેર સાહેબે લખેલ ભાષ્યનો અનુવાદ અત્રે મુકવાની નેમ છે.

imam

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો-ડૉ.મેહબૂબ દેસાઈ 

 

ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું

કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.

આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.

ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.

ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.

ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.

હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ઇસ્લાહુનામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.

ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.

તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. મહરનો અર્થ ચંદ્ર થાય છે.

એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.

ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.

આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.

 

 

 

 

 

 

ખરતા    સિતારાને.._મુહમ્મદઅલી વફા

 

 

અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.

ધરેછે મૌન પણ કહેતાં નથી કંઇ ચાહનારા ને.

 

તમરા હોઠ તો મલકી ગયા આ હોઠ પર બંદિશ,

હ્ર્દયની વેદના પૂછો હ્રદયના  બાળનારા ને.

 

 

જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દ્દો,

હવે ન રોકશો આવીને અશ્રુ   સારનારા ને.

 

 

અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,

તમે પકડી હજી બેસી રહ્યા છો આ  કિનારા ને.

 

નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,

નજરમાં હોય જો ખામી તો દોષોકયાં નઝારાને.

 

ઘણી વસમી સફર એ હોય છે સહું સ્નેહી જન માટે,

છતાં રોકી શકેછે કોણ આ    જગથી     જનરાને.

.બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાય છે મનમાં.

વફાનિરખી  લઉંછુંહું  જરા ખરતા   સિતારાને.

 

 

(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલઈસ્માઇલી)

પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને

થઈ જાય તો સારું-નાઝિર દેખૈયા

thaijaytosarunnazir

પાગલ થાઉં તો સારુંશેખાદમ આબુવાલા

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

Posted by: bazmewafa | 01/20/2009

અશ્રુ સારે છે—બેફામ

અશ્રુ સારે છે—બેફામ

asrubafam

તમારી યાદના સૂરજ— આદિલ મન્સૂરી

yaadnasuraj

Posted by: bazmewafa | 01/20/2009

હજઝ છંદ—બઝમ

હજઝ છંદબઝમ

હજઝ છંદ : હજઝ મુસલમ સાલિમ બહર(16અક્ષરી)(માત્રા-28 )
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્

લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =


ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા

 

રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)(માત્રા-25)(ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્-ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)ની  જેમ હજઝ મુસલમ સાલિમ છંદનો ગુજરાતી ગઝલોમાં વિપૂલ પ્રમાણ માં ઉપયોગ થયો છે.બાલ શંકર કંથારિયાની સુવિખ્યાત ગઝલ ની તખ્તી.

ગુજારે જે –  શિરે તારે — જગતનો ના– થ તે સ્હેજે

લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____ લગાગાગા

 

એક સમય એવો હતો કે આ છંદ નો લય ગુજરાતી ગઝલનો પર્યાય બની ગયો હતો.

તરહી મુશાયરામાં આ છંદ પર પાદ પંક્તિઓમાં ઘણી ગઝલો લખાય છે.

 

પ્રો.સુમન અજમેરીએ એમના પુસ્તક ગઝલ: સંરચના છંદ વિધાન માં પૃ.51 પર 20 ઉદાહરણો ટાંક્યા છે.

તરહી મુશાયરાની કેટલીક યાદાગાર પંક્તિઓ

 

1-અમારી મહેરબાનીથી અમાર મહેર બાનો છે

 

2-હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા આવી

.

3-કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી

4-કરો જો કોઇ પણ વાતો  કરો એના અધર વાંચી

 

5- ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને

 

અત્રે એ છંદ પર લખાયએલી કેટલીક ગઝલો  પ્રસ્તુત કરી છે.

 

 

આવી દશા કોણ માનશે?મહેક ટંકારવી

 

konmanshemahek

 

 ગુલઝારે ચાલુંમુહમ્મદ યુસુફ પટેલ અગમ

 

વેણ વિના ડચકારે ચાલું !

અણસારે અંધારે ચાલું  !

 

 

પીરોના દરબારે ચાલું  !

વીરોનાં સથવારે ચાલું  !

 

 

ઘાયલના ઉદગારે ચાલું  !

પાયલના ઝણકારે ચાલું  !

 

 

શમણાની ભરમારે ચાલું !

તરણાના આધારે ચાલું!

 

 

નૌકા લઈ મઝધારે ચાલું  !

ટૌકા દઈ ગુલઝારે ચાલું !

 

 

વાયુના વરતારે ચાલું !

આયુના આધારે ચાલું !

 

(વહોરા સમાચર-સુરત જાન્યુઆરી-2009)

 

 રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડના વિજેતા કવિ જ.અગમ કોસંબવીના પરિચય માટે નીચે કલીક કરો

http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/

.

અલ્લાહની મદદ— જનાબ મસ્ત મંગેરા

allahnimadad1

(વહોરા સમાચાર સુરત જાન્યુઆરી2009નાં સૌજન્યથી)

શ્વાસની સાંકળ ઉપરકિરિટ ગોસ્વામી

પળ પછીની પળ ઉપર પડદો પડ્યો છે

શ્વાસની સાંકળ ઉપર પડદો પડ્યો છે

 

 

શી ખબર ઇચ્છા-નદી ક્યાં લઈ જવાની

દેખીતી ખળખળ ઉપર પડદો પડ્યો છે

 

 

વિશ્વ નોખું તેજમય છે સૌની ભીતર

આગવી ઝળહળ ઉપર પડદો પડ્યો છે

 

 

કેમ સંતો ! માપવાં ઉંડાણ એના

સાવ મનનાં તળ ઉપર પડદો પડ્યો છે

 

 

છે હજીય શેષ કારણ જીવવાનું

કયાં કલમ-કાગળ ઉપર પડદો પડ્યો છે

 

 

સદીઓ ઉલેચી આવતોઅંકિત ત્રીવેદી

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે

ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે

 

 

કૈં એમ તારથી રહ્યો છું હું નજીક ખુદા

જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે

 

 

ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને

અંદર  છે એવું કોણ જે કડિયો, મજુર છે

 

 

દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં

ભરતી નદીના જીવનું ધસમસતું પૂર છે

 

 

લોકો નશાનું નામ એને આપતા રહ્યા

તમને મળી લીધાનુંજ આંખોમા નૂર છે

 

 

 

 

 

 

સ્પર્શ્યોતો વાદળાંનેમિલિન્દ ગઢવી

 

સહરાને, ઝાંઝવાને જૂની  કથા કહું છું

સ્પર્શ્યોતો વાદળાંને એ વાર્તા કહું છું

 

 

છે ફર્ક ક્યાં વધારે?શબ્દો જૂદા કહું છું

 

તું જેને કેછે સ્વાસો એને હવા કહું છું

 

 

આવે છે એ સવાલો વેરીને સ્મિત આછું

ને  ય ઉત્તરોમાં હા કે ના કહું છું

 

 

બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે

ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું

 

 

સમજી શકો તો સમજો મોઘમની આ છે ભાષા

હોઠોને મૌન રાખી મારી વ્ય્થા કહું છું

 

 

છે જાણ કોઇને ક્યાં છેલ્લી સફર છે મારી!

એ આવજો કહે છે,હું અલવિદા કહું છું.

 

 

 

 

સત્યમ્ શિવમ્ સુંદરમ્ દિલીપ ગજ્જર

satyamshivamdg

સ્વામી રામતીર્થ-મૌલાના ગુલામરસૂલ મહેર

 

ઇકબાલની નઝમ સ્વામી રામતીર્થ જાન્યુઆરી 1907મા પ્રથમ ઉર્દૂ સામયિક મખઝનમાં પ્રકાશિત થઈ.સ્વામી રામતીરથનું મૂળ નામ તીરથ રામ હતું.એમનો જન્મ23 ઑક્ટોબર1873માં ગુજરાંવાલા જિલ્લાના ગામ મુરારીવાલામાં થયો.એમનું કુળ ગોસાંઈ બ્રાહ્મણનું હતું.પિતાશ્રીનું નામ મિરાનંદ હતું. ઘર ગરીબ હતું.સ્વામીજીની વય થોડા દિવસોની હતી ને એમની માતાનું અવસાન થયું.પાંચ વરસની વયે અભ્યાસ શરૂ કર્યો.પોતાના ગામમાં પ્રાથમિક ભણતર પુરુ કરી ગુજરાંવાલાની હાઈ સ્કૂલમાંથી મેટ્રિક પાસ કરી.પછી લાહોરની મિશન કૉલેજમાં અભ્યાસ આગળ વધાર્યો.આ દિવસો એમણે ઘણી કઠણાઈમાં વ્યતિત કર્યા.એક આનામાં ખર્ચમાં એક દિવસ ગુજારવો પડતો હતો.ત્રણ પૈસા બપોરના જમણ માટે અને એક પૈસે થી સાંજે કામ ચલાવી લેતા. એમની સ્મરણશક્તિ ઘણી અદભૂત હતી.પ્રથમથીજ એમનો સ્વભાવ સંતોજેવો હતો.ઈન્સાની હમદર્દી  એમનામાં કૂટી કૂટીને ભરાયેલ હતી.ગણિત એમનો પ્રિય વિષય હતો.એમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી.પરીક્ષાનાં પ્રશ્ન પત્રમાં તેર સવાલો પૂંછાતા,જેમાંથી નવના ઉત્તરો લખવાના હતા.સ્વામીજી બધાજ પ્રશ્નોનાં ઉત્તરો લખી,નોંધ લખતા કે પરીક્ષકે પોતેજ નવ ઉત્તરો પસંદ કરી લેવા.રાજ્ય ભરમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ગવર્નમેન્ટ કૉલેજથી એમ.એ. કર્યું. કૉલેજનાં પ્રિંસીપાલે એમનું નામ આઇ.સી.એસ માટે સૂચવ્યું.જ્યારે એમને ખબર પડી તો આંખ અશ્રુ ભીની થઈ ગઈ,અને એમણે કહ્યું કે:મેં શિક્ષણ કોઇ હોદ્દો મેળવવા માટે પ્રાપ્ત નથી કર્યું. પરંતુ હું તો ખુદાના બંદાઓની સેવા કરવા ઈચ્છું છું.થોડા સમય સુધી સિયાલકોટની મિશન હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું, પછી મિશન કૉલેજ લાહોરમાં  ગણિત શાસ્ત્રના પ્રોફેસર તરીકે  જોડાયા.એજ સમયમાં સ્વામીજીનો પરિચય અલ્લામાં ઇકબાલ સાથે થયો.સ્વામીજી વતન પ્રેમ અને ખુદાની ભક્તિનું શિક્ષણ પ્રદાન કરતા હતા.1899માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને,પોતાના સર્વત્ર જીવનને દેશનાં ચરણે ધરી દીધું. ઘણા લોકોએ ટીકા કરી કે તીરથ રામ પાગલ થઈ ગયો છે.આ વાત જયારે અલ્લામાં ઇકબાલને પહોંચી, તો એમણે કહ્યું કે જો તીરથરામ પાગલ હોયતો વિશ્વમાં ક્યાંયે બુધ્ધિમતા અસ્તિત્વ ધરાવતી નથી. તીરથરામે ઘર ,બાર પોતાના સર્વત્ર કુટુંબ પરિવાર છોડીને સંન્યાસ ધારણ કરી લીધો.અને રામતીર્થ નામ ધારણ કર્યું.1902માં જાપાનનો પ્રવાસ કર્યો.ત્યાંથી અમેરિકા પહોંચ્યા.બે વર્ષ અમેરિકામાં રહ્યા.ત્યાંથી ઈજિપ્ત ગયા.પછી ભારત પરત થયા.હરદ્વારની પહાડીઓમાં ધ્યાનમગ્ન થઈ ગયા.એક વાર ઘૂંટણ પર ઈજા થઈતો ગંગા સ્નાનથી મજબૂર રહ્યા.1906માં હિમ્મત કરીને ગંગામાં સ્નાન કરવા ઊતર્યા,તો પગ લપસી ગયો.અને પાણીમાં તણાયા.તરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ નહિ રહ્યા.ત્રીજે દિવસે એમનો મૃત દેહ મળ્યો.અલ્લામાં ઈકબાલ એ સમય ગાળામાં યુરોપમાં હતા.સ્વામીજીના મૃત્યુની ખબર મળી, તો પોતાના ઘણા નિકટ મિત્રની સ્મૃતિમાં એમણે આ નઝમ લખી.

આ નઝમ થોડા સમય પહેલાં પોસ્ટ થઈ ચૂકી છે.ઉપરની સમજૂતી સાથે ફરી મૂકવામાં આવી છે.

 

 સ્વામી રામતીર્થડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ

(અંજલિ)

હમ બગલ દરિયાસે હૈ કતરા-એ બેતાબ તુ,

પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.

 

 

આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,

મૈં અભી તક હૂં અસીરે ઇમ્તિયાઝે રંગો- બુ.

 

 

મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,

યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.

 

 

નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે આગાહકા,

લાકે દરિયામેં નિહાં મોતી હૈ ઈલલ્લાહકા.

 

 

ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,

થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.

 

 

તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,

હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-- તસ્નીમે- ઈશ્ક.

 

(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)

શબ્દાર્થ:

હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય

અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,

આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું

 

 

 

 

ગઝલ:

અપમાન છે–બરકત વીરાણીબેફામ

apmanchhebefam

pratixagaurangthaker

ગઝલ:  તું શું કરીશહિમાંશુ ભટ્ટ

tushunkarishhimanshubhatt

એવું બને—- તનમનીશંકર શુક્લ

aewunbane

કહેવું કોને?—-માધવ રામાનુજ

kahevukone1

 

 

 

હઝલ:ફૂટી ગયા_ આઈ.ડી.બેકાર(મર્હુમ)

 

  

 footigaya

શૂન્યને સતાવે છેહરીશ મીનાશ્રું

તેજ આવે છે સતત સતાવે છે

એ હિસાબો જૂના પતાવે છે

 

 

 

ઓસથી અગ્નિ અલગ કરવાને

રકતના બુંદ કાં તપાવે છે?

 

 

કરેછે હદ હવે કાસદનો જુલમ,

દૂરથી હાથ બે હલાવે છે

 

.

 

સાવ કોરી ચબરખી આપીને,

એમના દસ્તખત લાવે છે.

 

 

કફનને પાઘડી કહી દો તો,

દબદબાથી એ શિર ઝુકાવે છે.

 

 

એ જ કાશી ને એજ કરવત છે,

એ જ જૂની રસમ નભાવે છે.

 

 

 

આજ તાંબુલની કૈં વિસાત નથી,

એ સ્વયંય પાનખરને ચાવે છે.

 

 

 

ખરાખરીનો  ખેલ ખેલ: ખેલંદો

શબ્દનું બીડું જયાં ઉઠાવે છે.

 

 

 

ઠેઠ પહોંચે છે ,ઠોઠ રહીને જે-

છેવટે એક ફકીર ફાવે છે.

 

 

એનું ભણ તતણ છે અજયબ, સાધો:

સમર્થ શૂન્યને ઘૂંટાવે છે.

 

 

 

 

 

 

 

ગઝલ: લખાઈ છે પ્યારે—મનહરલાલ ચોકસી

 

મુહબ્બતની આંસુ કમાઈ છે , પ્યારે !

સતત જિંદગી આ રિબાઈ છે , પ્યારે !

 

 

તમે યાદ કરતા નથી એ ખબર છે ,

મને પણ હજુ આશનાઈ છે, પ્યારે !

 

 

હવે કોણ એને પુકારી શકે?

શમા ભર સભામાં  બુઝાઈ છે , પ્યારે !

 

 

બધા શબ્દ છે પ્રેમના લોહી ભીના

પ્રણયની તમન્ના ઘવાઈ છે , પ્યારે !

 

 

તમે ખુદ- બ- ખુદ આજ ભીંજાઈ જાશો!

ગઝલ એ રીતેજ લખાઈ છે , પ્યારે !

 

 

 

અમે શબ્દ પામ્યા છીએ સો જનમથી

અમારી તો જૂની સગાઈ છે , પ્યારે !

Posted by: bazmewafa | 01/31/2009

ગઝલ લખજો—મનહર મોદી

ગઝલ લખજોમનહર મોદી

હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો

બધાની આંખ ઉઘડે એટલે મારી ગરજ પડજો

 

 

અહીં સુક્કું અને લુખ્ખું અને ટુકડે જિવાયું છે

હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો

 

 

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું

તમે કેવળ અને એક જ રહો એ દ્રશ્ય વિસ્તરજો

 

 

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબેતો અંધારું

એ સમજું છું ને અંદર છું એ જ્સ્ણો તો મને હસજો

 

 

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું

કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

 

ગઝલ: અણજાણ હોય છે અરવિંદ ભટ્ટ

e0aa85e0aaa3e0aa9ce0aabee0aaa3-e0aab9e0ab8be0aaaf-e0aa9be0ab87e0aa85e0aaade0aa9fe0ab8de0aa9fe0ab8d

ગઝલ: સગવડ પડી હશે— અમૃત ઘાયલ

 

e0aab8e0aa97e0aab5e0aaa1-e0aaaae0aaa1e0ab80-e0aab9e0aab6e0ab87-e0aa98e0aabee0aaafe0aab2

હઝલ:એ ભમરડી શું રહે બેંલેંસમાંમર્હુમ જ. અઈ.ડી.બેકાર

e0aaace0ab87e0aa82e0aab2e0ab87e0aa82e0aab8e0aaaee0aabee0aa821e0aaace0ab87e0aa82e0aab2e0ab87e0aa82e0aab8e0aaaee0aabee0aa822

હઝલ સમ્રાટ જનાબ આઈ.ડી.બેકાર સાહેબની તાજ અને યમુના વિષય પર યાદગાર નઝમ. .

 

 

તાજ અને યમુનામર્હુમ આઈ.ડી.બેકાર રાંદેરી

 

taj5

 

taj1

taj2
taj3
taj4

taj6

કલ ફિર આઊઁગા __દુષ્યંત કુમાર

 gandhiji

(ગાંધીજી કે જન્મદિન પર)

 

મૈં ફિર જનમ લૂંગા

ફિર મૈં

ઇસી જગહ આઉંગા

ઉચટતી નિગાહોં કી ભીડ઼ મેં

અભાવોં કે બીચ

લોગોં કી ક્ષત-વિક્ષત પીઠ સહલાઊઁગા

લઁગડ઼ાકર ચલતે હુએ પાવોં કો

કંધા દૂઁગા

ગિરી હુઈ પદ-મર્દિત પરાજિત વિવશતા કો

બાઁહોં મેં ઉઠાઊઁગા

 

ઇસ સમૂહ મેં

ઇન અનગિનત અચીન્હી આવાજ઼ોં મેં

કૈસા દર્દ હૈ

કોઈ નહીં સુનતા !

પર ઇન આવાજોં કો

ઔર ઇન કરાહોં કો

દુનિયા સુને મૈં યે ચાહૂઁગા

મેરી તો આદત હૈ

રોશની જહાઁ ભી હો

ઉસે ખોજ લાઊઁગા

કાતરતા, ચુ્પ્પી યા ચીખેં,

યા હારે હુઓં કી ખીજ

જહાઁ ભી મિલેગી

ઉન્હેં પ્યાર કે સિતાર પર બજાઊઁગા

જીવન ને કઈ બાર ઉકસાકર

મુઝે અનુલંઘ્ય સાગરોં મેં ફેંકા હૈ

અગન-ભટ્ઠિયોં મેં ઝોંકા હૈ,

મૈને વહાઁ ભી

જ્યોતિ કી મશાલ પ્રાપ્ત કરને કે યત્ન કિયે

બચને કે નહીં,

તો ક્યા ઇન ટટકી બંદૂકોં સે ડર જાઊઁગા ?

તુમ મુઝકોં દોષી ઠહરાઓ

મૈને તુમ્હારે સુનસાન કા ગલા ઘોંટા હૈ

પર મૈં ગાઊઁગા

ચાહે ઇસ પ્રાર્થના સભા મેં

તુમ સબ મુઝપર ગોલિયાઁ ચલાઓ

મૈં મર જાઊઁગા

લેકિન મૈં કલ ફિર જનમ લૂઁગા

કલ ફિર આઊઁગા

 (હિન્દીના સુવિખ્યત સદગત હિન્દી કવિ દુષ્યંત કુમાર .જનમ: 1933 મૃત્યુ:1975)

 

ઠીક હૈ!

દોબારા ભી આજાઈયે

તબ તો તીન ગોલીસે માન ગયે થે આપ

અબ કા ષડ યંત્ર સબ સરકારી હોગા

દંગા હોગા

 શહર જલેંગે

લોગ મરેંગે

 જૈસે ચુહે

એસે ઐસે બમ ગિરેંગે

આપ ક્યા

આપકી રાખ તક ન મિલેગે

શાયદ હાથ વાલી લાઠી બચ જાયે

(અજ્ઞાત)

આજ જિદ્દી  દાસથાજિદ્દી લુવારવી

 

 

તેજમાં તારા રહું

 એટલો પ્રકાશ થા

  

આવતું પાસ મુજ ને

આજ મારા પાસ થા

 

હોય ના શંકા જરી

એટલો વિશ્વાસ થા

 

ના બને બીજા તણો

બસ તુ મારો ખાસ થા

  

ભ્રમ તુજને થાયના

આજ એવો ભાસ થા

  

હું રહું તુજ દિલ મહીં

આવ ને નિવાસ થા

 

તું કરે સેવા બધે

આજ જિદ્દી  દાસ થા

 

2ફેબ્રુ.2009

mosqnabvi

 

ઇસ્લામ અને જવાહરલાલ નહેરુ— ડો.મેહબૂબ દેસાઈ

 

 

મહંમદ પયગમ્બર શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને અલ-અમીનએટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.

૨૬ જાન્યુઆરી ભારતની આઝાદીનું પ્રતીક છે. આ દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. આઝાદીથી લડાઇમાં મોખરેના નેતાઓમાંના એક હતા જવાહરલાલ નહેરુ.

જવાહરલાલ નહેરુએ પોતાની પુત્રી ઇન્દિરા ગાંધી (પ્રિયદર્શની)ને જેલમાંથી લખેલા પત્રોનું સંકલન એટલે જગતના ઇતિહાસનું રેખાદર્શનનામક ગ્રંથ. એ ગ્રંથમાં જવાહરલાલજીએ ઇસ્લામ અંગે એક આખું પ્રકરણ આલેખ્યું છે. જવાહરલાલજીના ઇસ્લામ અને તેના પયગમ્બર અંગેના વિચારોનું આજે એ ગ્રંથમાંથી આચમન કરીએ. અરબસ્તાનના રણવાસીઓ માટે નહેરુ લખે છે,

રણમાં વસનાર બદૃઓ માટે ઝડપી ઊટ અને સુંદર ઘોડા તેમના કાયમી સાથી હતા.

જે નવી શકિત અને નવા વિચારે આરબ લોકોને જગાડયા તથા તેમનામાં આત્મવિશ્વાસ પેદા કર્યો, તેમને તાકાત આપી, તે ઇસ્લામ હતો. તે ધર્મ મહંમદ નામના નવા પયગમ્બરે પ્રવર્તાવ્યો હતો. તે શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને અલ-અમીનએટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.

ઇસ્લામ ધર્મનો આરંભ મહંમદ સાહેબ મક્કાથી હિજરત કરી ગયા ત્યારથી એટલે કે ૬૨૨ની સાલથી થયો એમ કહી શકાય. પરંતુ એક રીતે તેનો આરંભ એ પહેલાં થયો હતો. યથ્રીબ શહેરે મહંમદ સાહેબને વધાવી લીધા અને તેમના આગમનના માનમાં તેનું નામ બદલીને મદીનત-ઉન-નબીએટલે કે નબીનું શહેર એવું નામ રાખવામાં આવ્યું. આજકાલ સંક્ષેપ્તમાં તેને મદીનાકહેવામાં આવે છે.

હિજરત પછી સાત વર્ષની અંદર મહંમદ સાહેબ પયગમ્બર તરીકે પાછા આવ્યા. આ પહેલાં જ તેમણે દુનિયાના તમામ રાજાઓ અને સમ્રાટો ઉપર ખુદા એક છે અને મહંમદ તેના પયગમ્બર છેએ વસ્તુ માન્ય રાખવા ફરમાન મોકલ્યું હતું.

કોન્સ્ટાન્ટિનોપલનો સમ્રાટ હેરેકિલયસ સીરિયામાં ઇરાકી લોકો સાથે યુદ્ધમાં રોકાયેલો હતો. તે સમયે તેને ફરમાન મળ્યું. ઇરાનના રાજાને પણ એ ફરમાન મળ્યું. વળી, એમ પણ કહેવાય છે કે ચીનના સમ્રાટ તાઇ-ત્યાંગને પણ આ ફરમાન પહોંચાડવામાં આવ્યું. મહંમદ સાહેબે આવા આદેશો મોકલ્યા હતા. તે ઉપરથી તેમને પોતાની જાત ઉપર અને પોતાના કાર્ય ઉપર કેટલો ભારે વિશ્વાસ છે એનો આપણને કંઇક અંદાજ આવે છે.

નહેરુના મહંમદ સાહેબ અંગેના ઉપરોકત વિચારોમાં વપરાયેલ શબ્દ ફરમાનઅંગે એટલું જ કહી શકાય કે હજરત મહંમદ સાહેબ ઇસ્લામના વિચારોને પ્રસરાવવા દેશ-વિદેશમાં પોતાના દૂતો મોકલ્યા હતા.

તેમણે મહંમદ સાહેબનો સંદેશલોકોને આપ્યો હતો. એ માત્ર સંદેશહતો. ફરમાન કે આદેશ ન હતા.

 

  ગઝલ પડઘાનો અંધકારઆદિલ મન્સૂરી

andhkaradil

ગઝલ:  કૂત્તે પે સસ્સા આયા_આદિલમન્સૂરી

પહેલાં અહીં ગઝલની અવરને જવર હતી,
ચાલો છો આપત્યાં તો વલીની કબર હતી.

નીચી નજર કરી અમે બેસી રહ્યાં હતાં,
નારાજગીતમારી તો કારણ વગર હતી.

એનાં હજાર હાથનું રક્ષાકવચ ને હૂંફ,
ને દેખરેખરાખતી એની નજર હતી.

સંકેલવા મથી રહ્યો લંબાતી વારતા,
થોડી ઈધર હતી નેથોડી ઉધર હતી.

કૂત્તે પે સસ્સા આયા તો એક શહર બસ ગયા,
માટીનામૂળમાં જ નિરાળી અસર હતી.

આદિલવતનમાં તાણી લઈ આવી આખરે
ગુર્જરગિરાનીકેવી તિલસ્મી અસર હતી.

कुत्तेपे सस्सा आया कालु कव्वाल

कुत्ते पे सस्सा आया

और तुने शहर बसाया?

कुत्ते को मार देता

सस्से फाड देता

 

जमीं उजाड देता

न शहर कोइ बनता

तूटती न कबर वलीकी

न जाफरी भी मरता

 

होना तो बस यही था

उस वकत ही हो जाता

कितना था तु नादां

ए शाह अहमदशाह

(कालु कव्वाल)

ગઝલ:  કોણ સરતું જાયછે  – લલિત ત્રિવેદી

konsartun_lalittrivedi

અછાંદસ :  કોની શોધમાં?  — લાભશંકર ઠાકર

directionlabhshnkarthakar

જામોમીનાજમિયત પંડ્યા “જિગર”

 

રાજા મહેંદીઅલીખાન એક મશહુર મઝાહિયા(વ્યંગ) કલામ લખનાર શાયર હતા.”શહકાર”.માં ઝરીફોંકા કબ્રસ્તાન એટલે કે આનંદીઓનું કબ્રસ્તાન, એ શીર્ષક હેઠળ જુદા જુદા સ્વભાવ ધંધા વાળા માણસો માટે તેમની કબરો પર કેવી તખતીઓ ચૉડાય તેના શેરોન નમૂના આપ્યા છે.આપણે તે શેરોની મઝા માણીએ.

 

એક શરાબીની કબર પર

       આહિસ્તા બર્ગે ગુલ બફિશાં બ મઝારે મા

      સોયે હૈં પી કે ટૂટ ન જાવે, ખુમારે મા

 

ઉપલો મિસરો શાહઝાદી ઝેબુન્નિસાની પ્રખ્યાત ગઝલનો છે કે વૃક્ષ પરના પુષ્પો મારી કબર પર ધીમેથી વિખરાવ-પથરાવ કારણે , બીજા મિસરામાં કહે છે.

     નાઝુક અસ્ત શીશએ દિલ દર કનારે મા

     દિલનો શીશો નાજૂક છે તૂટી ન જાય.

જ્યારે મહેંદી અલીખાન કહેછે ,પીને સુતાં છી અમારો ખુમાર મસ્તી તૂટી ન જાય.

 

એક બુધ્ધિશાળીને કબર પર

     મેરે મરકદ પે શીશમ કા હૈ એક પેડ

    જહાં હર શબ ઉલ્લુ બોલતા હૈ.

 

મારી સમાધિ પર શીશમનું  એક વૃક્ષ છે,જ્યાં રોજ સાંજે ઘુવડ બોલે છે.(કારણ કે બુધ્ધિશાળેઓની સમાધિ છે ને!)

 

એક ખાઉધરાને મઝાર પર.

      બર મઝારે મા ગરીબાં ન ચરાગે  ન ગુલ્લે

      ફાતિહા દિલવાકે રખ જાતેં હૈ મીઠે ગુલ ગુલે.

 

 અહીં પણ ઝેબ.ની કબર પરના તેના ફારસી શેરનો સાની નીચેનો મિસરો લીધો છે.

   ને પરી પરવાના સોઝદ ને સદાએ બુલબુલે

   મારે પરવનાને રીઝવવ નથી કે બુલબુલોના આર્તનાદ સાંભળવા નથી એટલે૰

       બર મઝારે માં ગરીબાં નચરાગે ને ગુલે

મારા જેવી ગરીબની કબર પર દીપકની કે પુષ્પોની જરૂર નથી.

   પ્ણ ખાઉધરો કહે છે કે :

   ફાતિહા-પ્રાથના કરાવીને ઘૌંના તળેલા મીઠા ગોટા મૂકી જાય છે.

એક તવાયફ(વેશ્યા)ના દોસ્તની કબર:

                   મેં આહેં ભર રહાથા ઠંડી ઠંડી

                   તુમ આયે છોર કરકે હીરા મંડી

                   સીરહાને યારકે આહિસ્તા બોલો

                  અભી ટુક જીતે જીતે મર ગયા હૈ

હું ઠંડા ઠંડા નિશ્વાસો નાંખી રહ્યો હતો ત્યાં તમે હિરા મંડીની તવાયફોનો મહોલ્લો છોડીને આવ્યા6.તમે પણ તમાર મિત્રના ઓશિકા પર જરા ધીરેથી બોલો.એ હમાણાંજા જીવતાં જીવતાં મરી ગયો છે.

 એમાં પણ મીરના બે મિસરા એક શેરની પેરોડી કરી છે.મીર નો શેર છે.

       સિરહાને મીરકે આહિસ્તા બોલો

      અભી ટૂક રોતે રોતે સો ગયા હૈ

એક નર્તિકાની કબર પર:

    

 જબ આયે મેરે યાદ ,તુમ આના જભી જભી

 મરકદ પે મી મુજરા કરના કબી કભી

 

જયારે જયારે મારી યાદ આવે અને કબર પર આવો ત્યારે કદી કદી મુજરો કરાવજો.(મતલબ કે તવાયફોને નચાવજો)

 

ખાન સાહેબ ઉસ્તાદ અબ્દુર્રહીમની કબર:

 ખુશી સે કહો મી મરકદપે આકર

કે અબ્દુર્રહીમ એક બુરા આદમી થા

 

મગર તુમ ખુદાકે લિયે યે ન કહના

કે મરહુમ એક બે સુર આદમીથા

 

મારી કબર પર આવીને  ખુશીથી એમ કહેજો લે અબ્દુર્રહીમ એક ખરાબ આદમી હતો.પરંતુ ખુદાના ખાતર એમ ન કહેશો મરનારો બેસુરો આદમી હતો.

 

એક તબલચીની કબર પર.

 તક ધિન ધિન તુમ મેરે મરકદ પે કરતે રહો

તાલ મેં લે આઉંગા, આહેં તુમ ભરતે રહો.

 

મારી કબર પર તક ધિના ધિન તમે કરતા રહો ,હું તમને તાલમાં સાચવીશ તમે નિશ્વાસ નાખ્યા કરજો.

ખૂનીની કબર પર

 મેંને કિયાથા કત્લ સઝા ગૈર પા ગયે

 અબ કેહદો કોર્ટમેંકે મેરા કસુસુર થા

 

ખૂન તો મેં કર્યું હતું અને સજા બીજા નિએદોષને મળી, હવે કોર્ટમાં કહી દો કે એ મારો ગુન્હો હતો.હું તે માટે જવાબદાર છું.

 

એક હરમજાદાની કબર ઉપર

મેં મરું મગર તુજકો મારું.એમ ઈચ્છનારા કવિ કહે છે.

વો ભી હોતે સાથ તો કતતી મજહસે કબ્રમેં

મર ગયા મેં ઉનકે મરજાનેકી હસરત દિલમેં હૈ

 

એ પણ કબરમાં સાથ સુતા હોત તો મોત વહાલું લાગત. .હું મરી ગયો તેમના મરવાની આશા દિલમાં છે.

વફાદાર પ્રેમીની કબર.

   આયા ન કર મઝર પે ગુંડે હૈં ખોજમેં

  મેરે પતેસે ગુંડોકો ક્યું તેર ઘર મીલે

ગુન્ડાઓ તારી શોધમાં છેમાટે મારી કબર પર તુ આવ જાવ ન કર.મારી કબરથી ઘરે જતાં ગુન્ડાઓ તારો પીછો કરે ,અને તારું ઠેકાણું મેળવેમ ન થવું જોઇએં.

   એક ચોરની કબર પર

         બહુતસે નેક બન્દે સો રહેંહૈ મેરે પહેલુ મેં

        કિસીકા નામએ આમાલ ચુપકેસે ચુરા લુંગા.

ઘણાં નેક માણ્સો મારી આજુબાજુમાં સુઈ રહ્યા છે,માંથી કોઇના જીવનના સદકર્મોની નોંધ પોથી ચોરી લઈશ.હશ્રના દિવસે કામ આવશે.

 

 

 

 

 

 

 

 

asim 

આહ! આસિમ ને ભી રૂખ્તે સફર બાંધ લિયા—- મુહમ્મદઅલી વફા

સબ કહાં લાલાઓ ગુલમેં નુમાયાં હો ગઈ

ખાક મે ક્યા સુરતેંથી જો પિન્હા હો ગઈ

 

ગુજરાતી ભાષાના સહુથી વયો વૃધ્ધ અને વડીલ કવિ જનાબ મહમૂદમિયાં મોહમ્મદ સુબેદાર ઉર્ફે આસિમ રાંદેરીનું આજ રોજ જુમેરાત તા.5ફેબ્રુઆરી2009ના રોજ એમના વતન રાંદેર(સુરત) 104 વર્ષની  જૈફ વયે દુ:ખદ ઈંન્તેકાલ થયો છે(.ઈન્ન લિલ્લાહે વઈન્ન ઇલયહે રાજેઉન)રબ્બેકરીમથી  દસ્ત બ દુઆ છે કે-અલ્લ્લાહતાલા મર્હુમની બાલ બાલ મગફિરત ફરમાવે અને આલમે બરઝ્ખમાં ઉંચો મરતબો અતા ફરમાવે.(આમીન).અને એમના કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે.

આસિમ રાંદેરી સાહેબ 104 નહીં 125વર્ષ પણ હયાત ર્હ્યા હોત તો પણ એમનો ઈંતેકાલ દુ:ખદ લેખાત.. ગઈ કાલ સુધીના જનાબ આસિમ રાંદેરી સાહેબ આજે મર્હુમ થઈ ચુક્યા છે.

વ્યાકરણ અને શબ્દોનો થોડો ફેરફાર , કેવી વેદનાની ટશરો છૉડે છે.

1957થી 1960નાં મારા રાંદેરના શાળા કાળ દર્મિયાન મેં આસિમ સાહેબને ઘણી નજદીકથી જોયા છે.મહા ગુજરાત ગઝલ મંડળ ના ઝંડા ધારીઓમંથી આદરિણય વડીલ શ્રી રતિલાલ અનિલ ની અમાનત હજી આપણી પાંસે છે.અનિલ સાહેબે સફરના સાથીમાં એ  બધા બુઝુર્ગોનો ઉલ્લેખ કર્યો છે.

સુરત રંગ ઉપવન માં 1959માં જશદણ નવાબ જનાબ અકબરલી જશદણ વાળાના સંચાલનમાં થયેલા એક ભવ્ય મુશાયેરામાં મેં એમને પ્રથમ વાર સાંભળેલા.

એમની લીલા અને તાપી કિનારો અમને પણ ખૂબ પ્રિય હતો.

આ ગાંધીબાગ ને તાપી કિનારો કેમ ભૂલાશે

અહીં અમારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.

લીલા સામાયિકથી લઈ લીલા ગઝલ સંગ્રહ સુધીની પ્રણયગાથા શાયદ ગુજરાતી સાહિત્યમાં એમણેજ આપીછે.

લીલા,શણગાર,તાપી કિનારે અને રાંદેરવાસી મુસ્લિમો જે મૂળ અરબી છે .એમનો એક 800 વર્ષ પહેલાં એમના પૂર્વજોનો ઇતિહાસ પણ એમણે આપ્યો છે.

ગુજરાતના પ્રારંભકાળના તમામ મુસ્લિમ શાયરોની જેમ એમની ગઝલ યાત્રાની શરૂઆત પણ ઉર્દૂથી થી થઈ હતી.

1931માંરાંદેરમાં  થયેલા પ્રથમ ગુજરાતી મુશાયરામાં પણ એમણે જરૂર ભાગ લીધો હશે.

રાંદેરના મુસ્લિમો 800 વર્ષપહેલાં સુરત,રાંદેર આવ્યા પછી પણ એમનાં વિદેશ ખેડાણો વિપૂલ પ્રમાણમાં રહ્યા છે.

આસિમ સાહેબ પણ આફ્રિકા,અમેરિકા,કેનેડા,માડાગાસ્કર વિ. પ્રવાસ કરી ચુક્યા હતા.

એમના કાવ્યોની રજૂઆત દેશ વિદેશની ઘણી પ્રસારણ સંસ્થાઓ પરથી થઈ છે.

નીચે આજના ગુજરાત મિત્રમાં એમના ઈંતેકાલ પુર માલાલના સમાચારનું ઈમેજ પ્રસ્તુત કર્યું છે… 

asimranderiasim2

 

  

આસિમ કી કહાની,હજરતે આસિમ કી ઝુબાની(ગઝલ ગુર્જરીના સૌજન્યથી)

 

શું ખાડીની સાડી મઝા દઈ રહી છે

જુઓ ”લીલા” આજ કૉલેજ જઈ રહી છે

  asm11

 asim21

asim4

asim5
asim6

 

asimcaricaturenirmish

આંખોમાં  લીલા

ને હાથોમાં  દિલ

 

ચાલોને  આસિમ

છે એજ  મંઝિલ

  જ.આસિમ રાંદેરી સાહેબનું સુંદર કેરીકેચર સત્વરે બનાવી બઝમે વફાને અર્પણ કરવા બદલ બઝમ શ્રી નિર્મેષ ઠાકરનો હાર્દિક આભાર માને છે.). 

 

અમે તો નિહાળી બધે બધ  આ લીલા

સમયમાં,હ્રદયમાં ,નયનના આ મયમાં

 

જમાનો અમારી  હસદ કરતો રેશે

ગયાં ક્યાં  છુપાઈ ધરાના પ્રલયમાં

 

  મિત્રની કબર  __ આસિમ રાંદેરી

મારા એક મિત્રની ગમગીન ને ઉજ્જડ આ કબર

એનાં દુ:ખ દર્દનો બદલો છે આ એકાંત  નથી

રંજ દુનિયાનાં અને પ્રેમનાં દુ:ખ ઝીલીને

એવો સુતો છે જાણે કંઇ કલ્પાંત નથી!

 

મારી લીલા એ હતો પ્રેમનો નિષ્ફળ અવતાર

મારા જીવનાની બરાબર હતું એનું જીવન

એની રાતોમાં હતી એજ તો બેચેનીઓ

એની આંખોમાં હતું એજ મુકદ્દરનું રુદન!

 

કલ્પનામાં જ સદા રૂપનાં દર્શન કીધાં

બાહુમાં લઇ કદી કોઇને ભેટી ન શક્યો

કોઇની યાદમાં હરરોજ તરસતો જ રહ્યો

એના અરમાનનો દીવો કદી પેટી ન શક્યો!

  

જેમ તું મારી છે ,એવી એની હતી સલમા

એની પાંસેય હતું લાગણી વશ એક હૃદય

એની ઈચ્છાને પરંતુ કો સહારો ન મળ્યો

મારા જેવો હતો એનોય પ્રતિકૂળ સમય!

  

એ બિચારની કોઇ આશા ફૂલી કે ફળી

જિંદગી એની વહી કંઇક મુસીબત સાથે

મારી લીલા! મને સમજણ નથી પડતી એની

કેમ દુનિયાને અદાવત છે મહોબ્બત સાથે!

  

મારાં આંસુઓ અટૂલા ન રહે ઓલીલા

અંજલિ આપીએ,આ મિત્રને બન્ને સાથે

તારી વેણીનાં આ ફૂલોને કબરની ઉપર

તું ચઢાવી દે તારા સુકોમળ હાથે!

 

પરદા ઉઠાવી જા !_આસિમ રાંદેરી

વચ્ચે થી પ્રેમ _રૂપના પરદા ઉઠાવી જા.
દિલ એક છે નજરને પણ એક જ બનાવી જા.

દિલને તું દરદ , દર્દને તું દિલ બનાવી જા.
બિંદુમાં સિંધુ, સિંધુ માં બિંદુ સમાવી જા.

તું રૂપ છે, હું પ્રેમ છું,તું જીવ હું શરીર,
હું શું બતાવું ?તુજ જગતને બતાવી જા.

હા,હા, જીવનનું દર્દ રુદનમય છે છતાં,
મહેફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.

મળશે એક અન્ય ધામ પણ ભક્તિ _નમાજ નું,
મંદિર ને મસ્જિદની તું હદને વટાવી જા.

જેને તું સુખ કહે છે એ દુ:ખનોજ અંત છે,
સુખ જોઇએ તો દુ:ખ મહીં જીવન વિતાવી જા.

સુખ્_દુ:ખનો જન્મ ખેલ છે એક કલ્પના તણો,
સુખ શોધમાંજીવનને ન દુ:ખમય બનાવી જા.

દુનિયા તજી દે તું,તને દુનિયા મળી જશે,
દુનિયા જો લુંટવી છે તો દુનિયા લુંટાવી જા.

મળતો નથી એ તો પછી ખુદને ખોઇ દે,
તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.

એ જો મળી જશે તો જીવનની મઝા જશે,
આસિમતું એની શોધમાં જીવન વિતાવી જા.

 

 

 

 

 

 

કિંતુ મારી લીલા ક્યાં છે—આસિમ રાંદેરી.

 

 

 

એ જ બગીચો,એ જ છે માલી,

એ જ ઉષા ને સંધ્યાની લાલી,

કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,

કોયલ બુલબુલ ડાલી ડાલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ બહારો બાગની અંદર,

પ્રેમનાં જાદું રૂપનાં મંતર,

એ જ પતંગા દીપના ઉપર,

એ જ કમળ છે, એ જ મધુકર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ ફુવારો ને ફુલવારી,

રંગબેરંગી પ્યારી પ્યારી,

મખમલ સમ આભાસ પ્રથારી,

જે પર દિલની દુનિયા વારી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ હજી છે ચૂઈ ચમેલી,

આગિયાઓની જ્યોત જડેલી,

આંબાડાળે જુઓ પેલી,

એ જ ચકોરી ચંદા ઘેલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

ચાંદ સિતારા એ જ ગગનમાં,

મસ્તી એની એ જ પવનમાં,

તાપી પણ છે એ જ વહનમાં,

એ જ ઉમંગો મારા મનમાં,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

વડ પર બંને નામ હજી છે,

થડ પર કોતરકામ હજી છે,

બે મનનો સુખધામ હજી છે,

સામે મારુ ગામ હજી છે,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ છે રોનક તાપી તટ પર,

એ જ છે સામે લીલા ખેતર,

વર્ષાની ઝરમરમાં મનહર,

દૂર જ સંતા મસ્જીદ મન્દર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

આસીમ આજે રાણી બાગે,

ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,

મસ્ત પવનમાં પુષ્પ પરાગે,

કેમ મને વૈરાગ ન જાગે?

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

 

 

 

 

 

કંકોતરી_આસિમ રાંદેરી

(નઝમપ્રકાર:મુસદ્દસ)

 

મારી એ કલ્પના હતી વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.
                       સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
                     કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.
                   જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
                      શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી
મારી ઉપર સભાને હસાવું નહીં કદી
દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી
                                 દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે
                            કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વેવાર થાય છે
જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે
 ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
                                   ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી
                                        તકદીરનું લખાણ છે કંકોતરી નથી.
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો
સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો
                                 કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ
                                મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં
સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં
આવેશમાં એ ફૂલના કટકા નહીં કરૂં.
                                  આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં
                                            લીલાના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.
આસિમ  હવે એ વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
                                       હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
                                      એ પારકી બની જશે હું એનો એ જ છું.

 

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને આસીમ
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા

એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

 

ઈશારો તો નથી?

 

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,

જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.

 

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,

ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.

 

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,

એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

 

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?

સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.

 

માત્ર મિત્રોનું નહીં, દુનિયામાં દરદ છે દિલમાં,

કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી.

 

દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી !

ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી ?

 

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,

મારો હેતુ, મારી મંઝિલ, આ કિનારો તો નથી.

 

મુજને દુનિયાય હવે તારો દિવાનો કે છે,

એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી ?

 

હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,

પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી ?

 

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,

એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી !

 

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, આસિમ’!

મારી લીલા, મારી તાપીનો કિનારો તો નથી !

 

આ વર્ષાની ઝરમર

 

આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી,

ન પૂછો અમે કેવી રીતે ગુજારી ?

મદીલી મદીલી એ આંખો તમારી,

કરી યાદ હરપળ વિસારી વિસારી !

 

તમારા સ્મરણમાં નથી લાભ, કાંઈ,

એ માન્યું બધુ થઈ જશે બેકરારી;

પરંતુ તમે ખુદ મને એ બતાવો,

કરું યાદ કોને હું તમને વિસારી ?

 

પ્રણયની રમતમાં હ્રદય ખોઈ દીધું,

છતાં એ જ બાકી છે હિમ્મત અમારી;

હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે,

કે હારે તો બમણું રમે જુગારી.

 

મધુરા ખયાલો, રૂપાળા તરંગો,

ભુલાવે છે જીવનના દુ:ખમય પ્રસંગો;

તમે એને સુખના વિચારો ન માનો,

હું વાંચું છું કિસ્મતના લેખો સુધારી.

 

દયા મારી ઉપર એ લાવે ન લાવે,

તને શું થયું છે એ આવે ન આવે;

નિરાશા, પ્રણયનું છે અપમાન હે દિલ !

તું કર રાત દિન એમની ઈન્તેજારી.

 

અહીં ચુપકીદીમાં જ ડહાપણ છે, સહચર !

ભલે પ્રેમ ને રૂપ ઝઘડે પરસ્પર;

જો સાચું કહું તો મહોબતની બાજી,

એ બેમાંથી કોઈએ જીતી ન હારી !

 

સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી,

હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ ?

અમારી હતી જિંદગાની અમારી,

ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી.

 

સુમનના સદનનો છે નકશો નજરમાં,

હવે આંખ ક્યાંથી ઊઠે અન્ય ઉપર ?

મુબારક હો તમને ઓ દુનિયાના લોકો !

આ મંદિર તમારું, આ મસ્જિદ તમારી.

 

પ્રણય-પંથકના ભેદ એ કેમ જાણે,

ને એ રૂપ-દર્શનની શી મોજ માણે ?

નજર જે ઉઠાવે બચાવી બચાવી,

કદમ જે ઉપાડે વિચારી વિચારી !

 

ન તે રાગ છે, ના અનુરાગ આજે,

ન તે બાગ છે, ના ત્યાં લીલા બિરાજે;

હવે એક આસિમ પ્રણય-ગીત કાજે,

રહી ગઈ છે તૂટેલ દિલની સિતારી

*****

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ આસિમ
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?.

ગંગામાં નથી  હોતી.

પ્રશંસામાં  નથી  હોતી   કે નીંદામાં  નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી  હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક નામાં પણ,
અનુભવ છે કે  એવી  સેંકડો હામાં નથી હોતી.

અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી  હોતી.

ગઝલ એવીએ વાંચી છે અમે લીલાની આંખમાં,
અલૌકિક-રંગમય જે  કોઈ   ભાષામાં નથી   હોતી.

અનુભવ એ ય આસિમમેં   કરી જોયો જીવનમાં,
જે   ઊર્મિ  હોય છે તાપીમાં, ગંગામાં નથી  હોતી.

મોતી લૂંટાવશું
 
કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું
પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું
 
આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું
મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું
 
ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?
એ માનશે નહીં,તો અમે મન મનાવશું
 
અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં
દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !
 
અમને ભલે. તમારી છબી પણ નહિ મળે
ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું
 
આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?
 
આસિમકરો ન આમ શિકાયત નસીબની
રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

 

કટકે ક્ટકે

 

રૂપ સિતમથી લેશ ન અટકે

પ્રેમ ભલેને માથું પટકે

 

 

આપ જ મારું દ્રષ્ટિ બિંદુ

હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે

 

 

પ્રેમ નગરના ન્યાય નિરાળા

નિર્દોષો પણ ફાંસી લટકે

 

 

બચપણ યૌવન વૃધ્ધવસ્થામાં

જીવન પણ છે કટકે કટકે

 

 

રૂપના ફંદા ડગલે ડગલે

દિલ પંખેરું ક્યાંથી છ્ટકે

 

 

પાપ નહીં હું પ્રેમ કરું છું

ના મારો ફિટકારને ફટકે

 

 

એ જ મુસાફિર જગમાં સાચો

જેની પાછળ મંઝિલ ભટકે

 

 

દીપ પતંગને કોઇ ન રોક્ર

પ્રીત અમારી સૌને ખટકે

 

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક ઝટકે

 

 

ઊંઘ અમારી વેરણ થઈ છે

નેણ અભાગી ક્યાંથી મટકે

 

 

એ ઝૂલ્ફોનો એનો જાદું

એક એક લટમાં સો દિલ લટકે

 

 

એક એક શએરમાં કહેતો રહ્યો છું

પ્રેમ કહાણી કટકે કટકે

 

 

પ્રેમનો મહિમા ગાતા રહેવું

જ્યાં આસિમ શ્વાસ ન અટકે

(મુંબઈ 27-5-53)

 

 

 

 

 

 

 

 

 

 

 

મુલાકાત – ૧૦૪ વર્ષીય ગઝલકાર આસિમ રાંદેરી કહે છે ક લીલા-કાવ્યો એ મારા જીવનની મહામૂલી મૂડી છેભલા !

 કોણ જ અને કોના દિલની કળીને ખીલવવા ?
રે ! દરરોજ બે-ચાર સખીઓની સાથે એ જાય છે ભણવા કે ઊઠાં ભણાવવા
?
ન સમજાય તેવી કલા થઇ રહી છે.

જુઓ, લીલા કોલેજમાં જઇ રહી છે.
આ ગઝલ દરેક સાંભળી જ હશે કેમ ખરું ને ! પરંતુ આવી અદ્ભૂત ગઝલની રચના કરનાર છે આસિમ રાંદેરી પેરાલીસીસના એટેક બાદ આસિમભાઈ પથારીવશ છે. હાલમાં તેઓ ૧૦૪ વર્ષની વયે પણ કાવ્ય, ગઝલ અને ગીતોની વાતો કરે છે.
વ્હીલચેર પર સફેદ પાયજામો અને ઝભ્ભો પહેરીને કુરાનની આયાતો વાંચે છે. આવી શારિરીક પરિસ્થિતિમાં આવ્યા બાદ પણ તેઓ હિંમત હાર્યા વગર આજે પણ ૧૦૪ વર્ષની જૈફ વયે એટલા જ તાજગી સભર લાગે છે.

૧૫ ઓગસ્ટ ૧૯૦૪માં સુચી નજીકના નાનકડાં રાંદેર ગામમાં સુબેદાર કુટુંબમાં આસિમ રાદેરીનો જન્મ થયો હતો. સાત-આઠ દાયકા પૂર્વે આસિમ સાહેબે જ્યારે કાવ્યો લખવાની શરૃઆત કરી હતી ત્યારે ગામ, સુરત અને તાપી નદી ઘણું જ અલગ હતું. આસિમએ તેમનું તખલ્લુસ નામ છે. પણ એમનું મૂળ નામ મહેમુદમીયા છે. શરૃઆતમાં તેમણે ઉર્દુ ગઝલ લખી હતી. ઇ.સ. ૧૯૨૫માં તેમણે પ્રથમ ગુજરાતી ગઝલ લખી હતી.

તેમણે લીલાનામના એક પાત્ર પર અસંખ્ય કૃતિઓ રચી છે. જેમાં ત્રણ ગઝલ સંગ્રહ, ‘લીલાં‘, ‘શણગારઅને તાપી તીરેપ્રસિધ્ધ થયા છે. જો કે લીલાનાં કાવ્યો એટલા બધા લોકપ્રિય બન્યા કે લીલાની ત્રીજી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે.

જો કે આસિમભાઈને લીલાકાવ્યો, ઘણાં જ લખ્યા છે તેમને લીલાં કોણ છે છે ? તે પ્રશ્ન પૂછતા હસીને જવાબ આપે છે કે લીલા તે મારી કલ્પના મૂર્તિ છે. આવો પ્રશ્ન મારાં દેશ-પરદેશમાં વસતાં મિત્રો પૂછે છે. આ વાત પરથી એક રસપ્રદ કિસ્સો યાદ કરતા વધુમાં તેઓ કહે છે કે એક જૈન યુગલ છેક મુંબઇથી આવીને મને પૂછ્યું હતું કે શું લીલા જીવંત છે. જેનો જવાબ નાઆપતાં તે યુગલ મારી સામે ઘણાં જ આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. સાચે જ લીલા કાવ્યો તો મારા જીવનની મહામૂલી મૂડી છે. જ્યારે મુશાયરામાં મારો ક્રમ આવતાં જ શ્રોતાઓ લીલા…લીલા… અચૂકથી કહે છે. તેમણે ઇ.સ. ૧૯૫૨માં કરાચીમાં યોજાયેલા ભારત-પાક., ગુજરાતી મુશાયરા ૧૯૫૬માં કોલંબો, ૧૯૬૧ ઇસ્ટ આફ્રિકા, મોરેશિયસ, ગુજરાતી ઉર્દુ શાયરીનાં મુશાયરા કર્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં પણ અસંખ્ય મુશાયરામાં ભાગ લઇને અનેક લોકોની દાદ મેળવી હતી. ગુજરાતી ગઝલના ક્ષેત્ર પ્રદાન બદલ આસિમ રાંદેરીને બે વર્ષ અગાઉ વલીગુજરાતી ગઝલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની કંકોતરીની ગઝલ પણ પૂછતાં તેઓ ચિંતિત થઇને કહે છે કે ચોટ ખાધી છે અને પછી દિલની ચોટની વાતને લગતી ગઝલ સંભળાવે છે.

મોહબ્બત ના જીવનની
વીતી ના પૂછો
મળી જ્યારે પણ ચોટ
ખાધી છે દિલ પર
જ્યારે આસિમ સાહેબે ૧૦૦ વર્ષ પૂરા કર્યા હતા ત્યારે સુરત ખાતે સન્માન પત્ર આપવા માટે મુશાયરો યોજવામાં આવ્યો હતો. આ મુશાયરો દરમિયાન તેમણે ઘણી જ ગઝલો પણ ગાઈ હતી. તેમનો દીકરો ઝહીર પણ ખૂબ જ પ્રેમાળ છે. તે પિતાજીની સેવા માટે અમેરિકાથી આવ્યો છે તે કહે છે કે અત્યારનો સમય ખૂબ જ બદલાઈ ગયો છે. કહે છે કે એક એવો જમાનો હતો કે જ્યારે માણસ ખાવાનાં સમયે રાહ જોતાં હતા કે કોઈક મહેમાન આવે તો સારું જેની સાથે બેસીને આનંદથી જમીએ. પણ હવે એવો જમાનો આવી ગયો છે કે માણસ વિચારે છે કે ઘરમાં બેઠેલાં મહેમાન જાય તો સારું જેથી જમવા બેસી શકાય.આ બાબત ઘણી જ વિચારવા જેવી છે.

વી રીતે પોતાની ગઝલ દ્વારા પોતાની વાત રજૂ કરે છે. જો કે ૧૦૪ વર્ષની વયે પણ ગઝલની તાજગી, સ્મૃતિ, શ્રુતિ અને વાણીની સ્પષ્ટતા જોવા મળે છે. તેઓ પોતાનાં સ્વાસ્થ્ય અંગે કહે છે કે હંમેશા ખુશ જ રહેવાનું… આનંદમાં રહેવાનું. હંમેશા આનંદમાં રહો તો તબિયત સારી જ રહે. ક્યારેય દુઃખનાં વિચારો નહીં કરવાના.

 (ગુજરાત સમાચાર પ્લસ -   Friday, 29 August 2008)

asimlastmoment2

આસીમ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો

, તાપી તટે થતો જે હતો તે સંગ પણ ગયો_-દિવ્ય ભાસ્કર

 

સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી

ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.

મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.

તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો લીલાઅને તાપી તીરેઆપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન

એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.

સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી

સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.

 

(Coutesy ofBhaskar News, Surat Saturday, February 07, 2009 02:46 [IST])

 

કોનું મીડિયા? ક્યા લોકો?

   વહેણ

_નિસિમ મન્ના યુક્કરેન

(કેનેડાની ડેલહાઉસી યુનિવર્સીટીના મદદનીશ પ્રોફેસર)

gij1

gt2

 

mediagt1

mediagt2

 mediag4t

(ગુજરાત ટુડે તા.9ફેબ્રુ.2009ન સૌજન્યથી)

Please clickThe URL

http://www.gujarattoday.in/#

કવિ શૂન્ય પાલનપુરી ના જીવન અને કવનને  આવરીલેતા શહીદે ગઝલનાં વિશેષાંકનું વિમોચન._ગુ.મિ

shahid3

shahid4

                   shahid42              shahid51                shahid61                                 

kalapiawardasim11

kalapiawardasim2

 

ગઝલ : ૂલ વિસરાયું નહીં- રઝિયા મીરઝા

 

કેમ નું આ થઇ ગયું શાને એ સમજા,યું નહીં
પાન ખર આવી છતાં યે, ફૂલ કરમા,યું નહીં

આ નિયમ કેવો કુદરત તણો અહીં આવી ગયો,
પાન મુરઝાઈ ગયાં પણ ફૂલ મુરઝાયું નહીં.

ભેદ કુદરત નો અહીં જાણે છતાં સમજે નહીં
રંગ બદલે આઋત ભલે ફૂલ બદલાયું નહીં.

એ સમય ચાલ્યો ગયો ભૂલાયો જાણે ભૂત થઇ,
“રાઝ” માનસ,પટ ઉપર તો.ફૂલ વિસરાયું નહીં.

 

vahukedikrijg

  

 

(શરદ, તારું ગુલાબ- ના સૌજન્યથી)

 

kavita1

 kavita2

 kavita31

kavita4

kavita51

 kavita6

kavita9

(કાવ્ય ચર્ચા ના સૌજન્યથી)

આસીમ રાંદેરી નામના શબ્દના સૂરજને સુરતી કવિઓએ આપેલી શબ્દાંજલિ...

 

ગઝલમાં શ્રેષ્ઠ પ્રદાન માટે વલી ગુજરાતી એવોર્ડ મેળવનાર સુરતની શાન સમા ૧૦૪ ર્વિષય ગઝલકાર આસીમ રાંદેરીની. તેઓ સદેહે ભલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હોય પણ શબ્દદેહે તેઓ હંમેશા આપણા શ્વાસમાં ધબકતા રહેશે. આસીમસાહેબને શબ્દાંજલિ આપતાં શહેરના પ્રતિષ્ઠિત કવિઓએ દિલ ખોલીને ગોઠડી માંડી હતી.

એમણે ગઝલને શિષ્ટ બનાવીઃ રઈશ મણિયાર

જાણીતા ગઝલકાર ડો. રઈશ મણિયારે જણાવ્યું હતું કે આસીમસાહેબ ૧૦૪ વર્ષની સમૃદ્ધ જિંદગી જીવી ગયા છે અને શરીરે એમનો ધર્મ બજાવતાં તેઓ કાળધર્મ પામ્યા છે એનો શોક ન કરી શકાય. એમના શબ્દો દરેક યુવા હૃદયની ધડકન બની ગયા છે જે અમર છે.

રઈશભાઈ કહે છે કે ગઝલને ઉર્દૂ અસરમાંથી મુક્ત કરનાર કવિઓમાં આસીમ રાંદેરીનો બીજો ક્રમ આવે છે. શયદા પછી એમણે ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જે રીતે જાણીતા ઉર્ર્દૂુ શાયર અખ્તર શિરાનીએ સલમા નામના સ્ત્રી પાત્રને ઉદ્દેશીને ગઝલો રચી હતી એવી જ રીતે આસીમ રાંદેરીએ પણ લીલા નામના સ્ત્રી પાત્રને પોતાની ગઝલનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યો હતો.

એમણે પોતાના નિષ્ફળ પ્રણયને પણ સાહિત્યનું રૃપ આપીને જીવનને એક નવી દિશા આપી હતી અને ગઝલ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. રઈશભાઈ પોતાના જીવનની યાદગાર ક્ષણો વર્ણવતાં કહે છે કે એમણે માત્ર ૧૮ વર્ષની વયે પ્રથમવાર આસીમ રાંદેરી સાથે એક જ મંચ પરથી પોતાની ગઝલો રજૂ કરી હતી. એ સમયે આસીમ રાંદેરીની વય ૮૧ વર્ષ હતી.

ગુજરાતી ગઝલના ગ્રાંડ ઓલ્ડ મેન ગયા : ભગવતીકુમાર શર્મા

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા કહે છે કે આસીમ રાંદેરી એ ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ હતા અને એ ગઝલનો સુવર્ણકાળ હતો.

મુશાયરાઓમાં એમની વિશિષ્ટ શૈલીને કારણે તેઓ હંમેશા છવાયેલા રહેતાં. તેઓ જ્યારે મંચ પરથી તરન્નુમમાં વિરહની વેદના નિતરતી રંગીન શાયરી રજૂ કરતાં ત્યારે દરેક શ્રોતાને એ પોતીકી લાગતી. તેઓ હંમેશા સૂટ, બૂટ, ટાઈથી સજ્જ થઈને પર્ફ્યુમથી મઘમઘતાં મંચ પર આવતાં પણ એમનામાં મન, હૃદય અને આત્માની આગવી ખુશ્બુ હતી. એમણે આપેલાં ત્રણ કાવ્યસંગ્રહોમાં લીલા, શણગાર અને તાપીતટેનો સમાવેશ થાય છે.

આસીમસાહેબના પ્રેમકાવ્યો જ એમની ઓળખ છે : મુકુલ ચોક્સી

જાણીતા ગઝલકાર ડો. મુકુલ ચોકસી કહે છે કે એમણે અત્યાર સુધીમાં જેટલા ગીત-ગઝલ લખ્યાં છે એમાંથી ૯૦ ટકા રચના પ્રણયરંગે રંગાયેલી છે અને આસીમસાહેબે પણ મોટાભાગનું ખેડાણ પ્રણયરંગે રંગાયેલી ગઝલો લખવામાં જ કર્યું છે અને એથી જ આસીમસાહેબ મારા પ્રિય કવિ છે. એમની ગઝલ અંગેની ફિલસૂફી રજૂ કરતાં મુકુલભાઈ કહે છે કે તેઓ મહાકાવ્ય જેવું ભારેખમ સાહિત્ય રચવાને બદલે હાલરડાં જેવી સામાન્ય છતાં દેશની પ્રત્યેક માતાના કંઠે ગવાય એવી જીવંત કૃતિ રચવા માંગતા હતા અને એથી જ એમણે પ્રણય રંગે રંગાયેલી ગઝલો લખીને યુવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

મુકુલભાઈ કહે છે કે એમણે તો આસીમસાહેબને એમના જીવનના છેલ્લા દોરમાં જ સાંભળ્યા છે. એમની ગઝલ આઝાદીની ચળવળના સમયે લખાઈ હોવાથી એમાં ખાદીનો ઉલ્લેખ પણ જોવા મળે છે. વર્ષો પહેલાં કવિની મુફલિસ તરીકેની છાપ હતી પણ આસીમસાહેબે એ છાપ દૂર કરી છે. મુંબઈની સંસ્થા આઈએનટી દ્વારા શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં મુશાયરો યોજાયો ત્યારે ૧૦૧ વર્ષની જૈફ વયે પણ આસીમસાહેબે પોતાની રંગીન તબિયત દર્શાવતો શેર રજૂ કરીને શ્રોતાઓની દાદ લૂંટી હતી. એમનો એ શેર ખૂબ જાણીતો છે : જવાની ગઈ છતાં પણ એ જીવન શણગાર લાગે છે, કળી કરમાઈ ગઈ છે છતાંયે ખુશ્બુુદાર લાગે છે.

ગુજરાતી ગઝલ સૂની થઈ ગઈ : ગૌરાંગ ઠાકર

હાલમાં પોતાના ગઝલસંગ્રહ મારા હિસ્સાનો સૂરજ માટે ગુજરાત રાજ્યનો પ્રતિષ્ઠિત ગણાતો ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર યુવા કવિ ગૌરાંગ ઠાકર કહે છે કે આસીમચાચા સાથે એક મંચ પરથી ગઝલનું પઠન કરવું એ સન્માન ગણાય. આસીમચાચાએ કંકોતરી નઝમ દ્વારા યુવા હૈયાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સુરતના રાંદેર ખાતે ગુજરાતી ગઝલનો પ્રથમ વિધિવત મુશાયરો વર્ષ ૧૯૩૩માં યોજ્યો હતો, જેમાં રતિલાલ અનિલનો ફાળો પણ મહત્ત્વનો ગણાય છે. ગૌરાંગ ઠાકર કહે છે કે એમની ગઝલની સફળતા એમના શબ્દોની સરળતામાં હતી. એમને મુંબઈની આઈએનટી સંસ્થા તરફથી કવિ કલાપી એવોર્ડ મળ્યોે છે એ સુરતી તરીકે આપણું પણ ગૌરવ કહી શકાય.

આસિમ રાંદેરીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ

સુરત : ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્મા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર- ગઝલકાર આસિમ રાંદેરીના દુઃખદ નિધન અંગે ઘેરા શોક અને ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ૧૦૫ વર્ષની જૈફ વયે અવસાન પામેલા સ્વર્ગસ્થ આસિમ રાંદેરીને શ્રદ્ધાંજલી પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, ગુજરાતી સાહિત્ય અને ગઝલને ઉચ્ચત્તમ કોટિએ લઇ જવાની દિશામાં આસિમ રાંદેરીએ આપેલું યોગદાન ગુજરાતી સાહિત્ય જગતમાં સદાય અવિસ્મરણીય રહેશે. વળી ગુજરાતી એવોર્ડથી સન્માનિત સ્વર્ગસ્થ રાંદેરીની વિદાયથી ગુજરાતી સાહિત્ય અને ગઝલ જગત રાંક બન્યું છે. તેઓને ગુજરાતી સાહિત્યમાં અનેક ગઝલ સંગ્રહો લખનાર સ્વ. આસીમ રાંદેરીને શાયર વલી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય જગતે એક જુની પેઢીના ગઝલકારને ગુમાવી દીધો છે.

(સૌજન્ય સંદેશ તા.6ફેબ્રુ.2009)

 

 

અમારી મુઠ્ઠીભર માટીમાંથી—-આલ્લામા મુહમ્મદ ઇકબાલ

 

અમારી મુઠ્ઠીભર માટીમાંથી તું સેંકડો રુદન પ્રગટાવે છે. તારી આઘા રહેવાની ટેવ છતાં તુ અમારા જીવ કરતાંયે વધારે નજીક અમારી પાંસે છે!

 

 

પ્રભાતના વાયુ,નસીમે-સહરની લહરોમાં છૂપાઈને  તું છાનો છપનો બાગમાઅં આવે છે,તું ગુલાબની ગંધમાં ભળી જાય છે,તું કળીની સાથે ઝૂમે  છે !

 

 

પશ્ચિમ તારથી વિમુખ છે.પૂર્વ સાવ વાર્તા- કહાણી છે, હવે તું કોઈ નવીજ રચના કરે એવી ઘડી આવી પહોંચી છે.!

 

ઇંસાનનાં દિમાગમાં મુલ્કગીરી દીવાનગી રમી રહી છે તેનો ઇલાજ તું કોઇ ચંગેઝી નસ્તરથી કર.

 

 

હું તો ખુદાનો નિરંકુશ દાસ છું,અને દૂર નીકળી ગયેલો કદાચ તેના પંથે પાછો પણ ફરું,પણ તુજ મારા ગળે પુષ્પોથી ગૂંથેલો હાર પહેરાવે છે!

 

હું તો રુદન સિવાય કશું જાનતો નથી,જોકે જનતા મને ગઝલ ગાયકમાં ખપાવે છે, પણ અ મારા હૃદય પર ઝાકળ જેવું છાઈ ગયું એ શુ છે ?

 

 

(ઝબૂરે આઝમઆલ્લામાં ઇકબાલના ફારસી કાવ્ય ગ્રંથનો  જનાબ આચાર્ય મસ્ત મંગેરા સાહેબે કરેલા અનુવાદ માંથી ,આભાર સહિત)

 

એક દિન તો પ્યાર કરલે—કાલુ કવ્વાલ

(વેલેંન્ટાઈન કા મરસિયા)

(કાલુ કવ્વાલકા અપદ્ય ગદ્યાત્મક ગીત,અહમકાને વેલેંટાઈનકે નઝર)

 

એક દિન તો પ્યાર કરલે

 હાં,એક દિન તો પ્યા કરલે

એ તીંનસો સાંઠ દિનોંમેં

એક દિન તો પ્યાર કરલે.

 

        બસ જૂઠા ઇકરાર કરલે

          એક દિન તો પ્યાર કરલે.

 

હૈ જીંદગી કે ચાર દિન

 ઔર તીન દિન  હૈ તુમ્હારે

 ઔર એક દિન  કી બાત હૈ

હમ ઝૂલ્ફ તેરી સંવારે

      ફિર પુરા સાલ લડેંગે

         એક દિન તો પ્યાર કરલે.

પ્યાર બ્યાર કયા હૈ?

ઇસકી તકરાર ક્યા હૈ?

એક દિન કી બાત તો હૈ?

ઉલ્ઝનકા બાર ક્યા હૈ?

           અંગુઠા ફિર દિખાના

              એક દિન તો પ્યાર કરલે.

 

એક દિન તો પ્યાર કા હૈ

એક દિન હૈ માત, પિતાકા

એક દિન અબતો  આયા હૈ

મિલ બેઠો કુંબે વાલો

      ફિર ઠાગા ઠૈયા કરલે

          એક દિન તો પ્યાર કરલે.

(હિજરી સાલ ઔર સવંત્સરીમેં સાલ 360 દિનોંકે હોતેહૈં)

ગઝલ 

  માણસ__રતિલાલ અનિલ

 

 

વ્હેતા  જીવનજળના  માણસ.

અમે નહીં મૃગજળનાં માણસ..

અમે  અમારા  વળના  માણસ.

શિખર નહીં પણ તળના માણસ..

ધૂળિયા વેશે  હાંફે  ચાલેલૃ

વણઝારે પાછળના માણસ..

સૂર્યે  એવું અચરજ  દીઠું

સહરા ખેડે હળના માણસ.

દીવો  નિરખે પંડ  પ્રકાશે

પડછાયા કાજળના માણસ..

આડશના એ પ્રતીક નોખાં

દીઠા લલાટે સળના માણસ..

નિજની પીઠે ચાબૂક વીંઝે

એવા છે હયદળના માણસ..

ચોઘડિયા  બદલાય છે એવાં

અમૃતના તે ચળના માણસ.

માણસ. સામે ન ખૂલે માણસ.

એવા યે  છે કળના  માણસ..

દીવા થઈને આવે  છે  પણ

હોય છે દાવાનળના માણસ..

સંવત્સર   બીજાએ   લીધા

રહ્યા સહ્યા તે પળના માણસ..

બપ્પોરે  તો  તડકો તડકો

પરોઢિયે ઝાકળના માણસ..

માણસ.ને   શોધો  તો  મળશે

કળના માણસ. બળના માણસ..

ભવસાગરનાં મત્સ્ય નથી કંઈ

એ તો  કૂવા નળનાં  માણસ.

કીડીની વણઝાર રચે  છે

પેન ને કાગળના માણસ.

 

ગઝલ

bhagirathimg

 ચકલીઓભગવતીકુમાર શર્મા(સ્વ હસ્તાક્ષરમાં)

chakliohrbs

chaklioprint

(શહીદે ગઝલ ના ભગવતી કુમાર શર્મા નંબર માર્ચ-મે 2008ના સૌજન્યથી)

શહીદે ગઝલ: ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રિમાસિક

સંપાદક : શકીલ કાદરી

લવાજમ દેશમાં રૂ.200/-પરદેશમાં રૂ:600/

પ્રાપ્તિ સ્થાન:

મોહંમદ શકીલ એ.કાદરી

ડી-114, મધુરમ સોસાયટી,તાંદલજા રોડ,વડોડરા.ગુજરાત. 390012

મો.9898834889

ગાલિબ અને એમની ઈજારના નાડાંની ગાંઠો— નિદા ફાજલી

 

રાજા મહારાજાઓની હારજીત થીજ કંઇ એકલો ઈતિહાસ નથી બનતો,પરંતુ  . ઘણી નાની નાની વસ્તુઓથી પણ બને છે .જે પોતાના સમયમાં ઘટિત થઇ હોય અને અને સમયાંતરની સાથે તે પોતે એક ઈતિહાસ બની જાય છે.

આ વાસ્તવમાં ઘણી મામૂલી વસ્તુઓ મહામૂલી હોય છે.

મને એનો અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે મિર્ઝા ગાલિબની યાદમાં એક ”ગાલિબ મ્યુઝિયમ” બનાવ્યું..

દિલ્હીમાં માતા સુંદરી કૉલેજની સામે આ ખૂબસુરત ઈમારત આવેલી છે.જેને ”એવાને ગાલિબ” ગાલિબ ઇંસ્ટિટ્યુટ પણ કહેવામાં આવેછે. એ આવીજ સામન્ય જાણાતી વસ્તુઓથી ગાલિબ ના સમયને વર્ણવે છે.

આ ઈમારત મોગલ સ્થાપત્ય અને સર્જમકતાનો એક નમૂનો છે.

અંતિમ મોગલ બાદશાહના  સમયના સમકાલિન શાયર મિર્ઝા ગાલિબના સમયના વસ્ત્રો,વાસણો,ટોપીઓ,પાનદાન,જોડાઓ,અને નાના  મોટા  ઘરેણાઓ વિ. બતાવીને એવો એક ઇતિહાસ  સર્જવાનો પ્રયત્ન થયો છે.

એ ઇતિહાસ તે ઇતિહાસથી તદ્દન વિરોધાભાષી છે ,જે આપણને સ્કૂલો અને કૉલેજમાં ભણાવવામાં આવ્યો છે.જેમાં તલવાર,બંદુકો અને તોપોને હિન્દુ મુસ્લિમ નામાકરણ કરીને એક માણસને બીજા માણસ સાથે લડાવવામાં આવ્યો છે.અનેપોત  પોતાની વૉટ બેંક ઉભી કરવામાં આવી.

ગાલિબની ઇજારનુ નાડું.

 ગાલિબ મ્યુઝિયમમાં બીજી ઘણી વસ્તુઓ સાથે કોઇ કલાકારના હાથે બનાવેલું ગાલિબની ઇજારનુ નાડું પણ છે.

સમય ગતિશીલ છે.તે એક સચ્ચાઈ છે.પરંતુ મ્યુઝિયમમાં રાખેલી જુની વસ્તુઓ માં સંઘરાયલો સમયનો પડાવ પણ સમયનો એક મોટો યથાર્થ છે.

તેના પર દ્રષ્ટિ પડતાંજ જોવાવાળાને તે પોતાના યુગમાં ઢસડી જાય છે.અને મોડે સુધી એને નવા નવા દ્રષ્યો  અર્પિત કરે છે.

 ગાલિબના પેલા લંબા ઇજારના નાડાંએ પણ મારે સાથે એવોજ વ્યહવાર કર્યો.

ગાલિબ મ્યુઝિયમમાંથી હું અચાનક 2006માંથી નીકળી પુરાની દિલ્લીની વાંકી ચુકી ગલિયોથી પસર થઈને બલ્લીમારાનની એ જિર્ણ પડેલી હવેલીમાં પહોંચી ગયો.જ્યાં ચાચા ગાલિબ આવી રહેલા બુઢપામાં પસાર થઈ ગયેલી જવાનીનો માતમ કરતા હતા.

એ હવેલીની બહાર અંગ્રેજો દિલ્લીના ગલી કુચાઓમાં 1857ની રકત હોળીનાં રંગો ભરી રહ્યા હતા.

 

ગાલિબનો એક શેર છે.

 

હમ કહીંકે દાના થે કિસ હુનરમેં યકતા થે

બેસબબ હુઆ ,ગલિબ,, દુશ્મન આસમાં અપના

 

 

હવેલી બહાર ના ફાટકપર લગાવેલી મોટી કુંડી ખખડે છે છે,ગાલિબ અંદરથી બહાર આવેછે. સામેજ અંગ્રેજ સિપાહીઓની ટૂકડી નજરે પડે છે.ગાલિબના માથા પર વિશિષ્ટ પ્રકારની ટોપી ,શરીર પર ઓઢેલો ચોગો,અને એમા લટકટા ઈજાર બંદ(નાડા)ને જોઇને ,સિપાહીઓના વડાએ તૂટી ફૂટી હિન્દુસ્તાનીમાં પૂછ્યું,તુમકા નામ ક્યા હોતા?

 

ગાલિબ- મિર્જા અસુદુલ્લાહ ગાલિબ ઉર્ફે નીશ?

અંગ્રેજ- તુમ લાલ કિલામેં જાત હોતા થા?

ગાલિબ- જાતાથા મગર જબ બુલાયા જાતાથા.

અંગ્રેજ- ક્યોં જાતા હોતા થા?

ગાલિબ- અપની શાયરી સુનાને-ઉનકી ગઝલ બનાને..

અંગ્રેજ- યુ મીન ,તુમ પોએટ હોતા હૈ?

ગાલિબ- હોતા નહીં,હું ભી.

અંગ્રેજ-તુમકા રિલિજન કૌનસા હોતા હૈ?

ગાલિબ- આધા મુસલમાન.

અંગ્રેજ- વ્હાટ1 આધા મુસલમાન ક્યા હોતા હૈ.?

ગાલિબ- વો શરાબ પીતા હૈ લેકિન સુવ્વર નહીં ખાતા..

ગાલિબના મજાકિયા સ્વભાવે એને બચાવી લીધો.

 

ગાંઠો:

મેં જોયું કે એમણે સુવા પહેલાં પોતાની ઈજારના નાડામાં ઘણી ગાંઠો લગાવી હતી

ગાલિબની એવી પ્રકૃતિ હતી કે જયારે રાત્રે શેર વિચારતા તો લખતા ન હતા.જ્યારે શેર પૂર્ણ થઈ જતો ત્યારે ઈજારના નાડામાં એક ગાંઠ લગાવી લેતા.સવારે જ્યારે જાગતા, ત્યારે એ ગાંઠોને ખોલવા માંડતા અને તમામ શેરોને ડાયરીમાં લખી લેતા..

 

હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ

વો હરેક બાતપે કહના ,કિ યું હોતા તો ક્યા હોતા

 

ઈજારના નાડા સાથે પણ ગાલિબનો સબંધ કવિત્વમય હતો. ઈજાર બંદ(નાડું) એ બે ફારસીના શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ છે. એમાં ઈજારનો અર્થ પાયજામો થાય છે.બંદ એટલે બાંધવા વાળી દોરી.

હિન્દુસ્તાનમાં એને કમર બંદ(પટ્ટો) કહેવાય છે

 સ્ત્રીઓના ઈજાર બંદમાં નાની નાની સોનાની ઘુઘરીઓ પણ ગુંઠાતી.અને એમાં સાચા મોતી પણ ટાંકવામાં આવતાં હતાં.લખનૌની ચિકન(એક જાતનુ બારીક કપડું)અલીગઢની શેરવાની,ભોપાલનના બટવા(પર્સ)અને રાજસ્થાનની ચુનરીની જેમ ઈજારબંદ પણ  ઘણી કલાત્મકતા હતી.

આ ઈજારબંદ મશીનની જગ્યાએ હાથથી બનાવવામાં આવતા હતા.

સ્ત્રીઓના ઈજારબંદ પુરોષોથી ભિન્નતા ધરાવતા હતા.

આ ઈજાર બંદ આજની જેમ અંદર કરીને સંતાડવામાં નહીં આવતા હતા,એ સતાડવાની વસ્તુ ન,હતી.

 

મહાવરાવોમાં ઈજારબંદ

આ એક શબ્દથી  સાહિત્યિક સમયમાં કેટલા, ઉદાહરણ  પણ સર્જાયાઅને એનો તે સમયે ઉપયોગ પણ થતો હતો.

જેવી રીતે કે ઈજાર બંદની ઢીલી, એ તે સ્ત્રી માટે પ્રયોજાતું હતું,જેની ચાલ ચલગત સારી ન હોય.

મેં આ મહાવરાને છંદ બધ્ધ કર્યો છે.

 

જફા હૈ ખૂનમેં શામિલ તો વો કરેગી ક્યા

ઈજારબંદકી ઢીલીસે તો ક્યા ઉમ્મેદે વફા

 

ઈજારબંદની સાચીનો અર્થ એવો થતો કે તે સ્ત્રી જે સુઘડ અને પતિવ્રત્તા હોય.

એ મહાવરાનો શેર આ પ્રમાણે છે.

 

અપની તો યહ દુઆ હૈ કિ યું દિલકી કલી ખિલે

જો ઈજાર બંદકી સચ્ચી હો  કહીસે મિલે

 

ઈજારબંદી સબંધોનો અર્થ થાય છેકે સસુરાલનો સબંધ..પત્નીના માતા, પ્રતિનો સબંધ.

 

ઘરોંમેં દુરિયાં પૈદા જનાબ મત કિજિયે

ઈજારબંદીએ રિશ્તા ખરાબ મત કિજિયે

 

ઈજારસે બાહર હોનેસે મતલબ હૈ ગુસ્સેમેં હોશ ખોના.

 

પુરાની દોસ્તી ઐસે ન ખોઇયે સાહબ

ઈજારબંદસે બાહર ન હોઇએ સાહબ

 

ગાલિબ તો રાત્રે સર્જેલા શેરોને  યાદ કરવા ઈજારના નાડામાં ગાંઠો લગાવતા હતા,અને એમનાજ

સમયકાળમા એક અનામી શાયર નજીર અકબરાબાદી ઈજાર ના નાડાના સૌંદર્યને ઓપ આપવા એની સુંદરતા પર કાવ્ય રચતા હતા.

કબીર અને નઝીરને મૌલવીઓ અને પંડિતોએ કદી સાહિત્યિક માંનયતા આપી નથી.કબીર અજ્ઞાની હતા અને નઝીર નાદાન હતા.એટલા  માટે એ પરંપરાવાદી નહતા.અનુભવની અંગિઠીથી શબ્દોને તપાવીને કવિતાનું રૂપ આપતા હતા.

નઝીર મેળાઓમાં રખડતા અને જીવનાના બધાં પાસાઑને નિરખી ઝૂમી ઉઠતા.ઈજારના નાડા પરની એમની કવિતા એમની ભાષાનું પરિમાણ છે.

એમની નઝમના થોડા શેરો

 

છોટા બડા ન કમ મઝીલા ઈજારબંદ

હૈ ઉસ પરીકા સબસે અમોલા ઇજારબંદ

 

મોતી કિનારી બાદલ-ઓ મુક્કૈશ કે સિવા

થે ચાર તોલા મોતી જો તોલા ઇજારબંદ

 

 

ધોખેમેં હાથ લગ ગયા મેરા નઝીર તો

લેડી યે બોલી જા મેરા ધો લા  ઇજારબં

 

 

  (ઉર્દૂ પરથી અનુવાદ-વફા)

અન્ય

ગઝલ

 

વસવસો હોવો ઘટે— અમૃત ઘાયલ

 

hovoghate

ગઝલ

 

ખલકથી શું ડરે– અમૃત ઘાયલ

bodhshrotane

 

ગઝલ

 

સંજોગવશઅમૃત ઘાયલ

 

sanjogvash

ગઝલ

 

મરવું પડે સંજોગવશ– અમૃત ઘાયલ

 

sanjogwash2

 

 

 

 

 pita

 

સ્વપ્નમાં પિતા- ગુલામમોહમ્મદ શેખ

 

  

બાપુ,ગઈ કાલ તમે ફરી દેખાયા

ઘરથી હજારો જોજન દૂર અહીં બાલ્ટિકને કિનારે

હું સુતો છું ત્યાં

તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં

ભાઈઓના ઝઘડામાં તમે સાંધણ કર્યું

ત્યારે પહેર્યો હતો તે જ થીંગડિયાળ કરચલિયાળ કોટ,

દાદા ગયા ત્યારે આમજ ઊભા હશો

એકલા દાદાનાં કરચલિયાળ હાથ ઝાલી,

તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઈમિયાંનાં

શરણાર્થીઓ જોડે અહીં વસ્યા,

ભોગાવો છોડી ,ભાદર ઓળંગી

રોમજા બુરજના કાંગરા ચડી

ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી.

તમારી પૂંઠે તો જૂઓ દોડી આવ્યું કબ્રસ્તાન!

(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)

અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ

(શું ઝઘડો હજી પત્યો નથી?)

પાછળ લાકડીને ટેકે

ઊભી ક્ષિતિજને શેઢે

મોતિયામાંથી મારો ખાટલો શોધતી માં.

માં,મને સંભળાતું નથી

હમણા લગી હાથમાં હતું

તે બાળ પણ  અહીંજ ક્યાંક

ખાટલા નીચે ખરી પડ્યું છે.

(23-11-74 લીથુઆનીઆ)

 

(શબ્દસૃષ્ટિ-ફેબ્રુઆરી-2009 ના સૌજન્યથી).

સ્મૃતિ- ગુલામમોહમ્મદ શેખ

અછાંદસ

ખાંડના ગાંગડા પર પડેલા પાણીનાં ટીપાંની ઘટ્ટામાં

મીઠાસ પી પીને  મરી ગઈ એક કીડી

એ જોઈ

મારા મગજને પછવાડે ભરાઈ બેઠેલી

અધકાચી સીમ મારી હઠેળીમાં ઊતરી આવી

આંગળે આંગળે ઊગ્યા આંબા,

પગદંડીઓ પથરાઈ ગઈ પાંચ દિશામાં

આંખમાંથી એક પાતળું,મોળું ટીપું નીચે પડ્યું

અને મેં ટાંકણીથી કોચી જોયું

કીડીઓ કીકીમાં કંટાળીને બેસી રહી

(અથવા)

gujaratibhasha

ગુજરાટી ભાસા જીવહે?– નિર્મિષ ઠાકર

 

 મને પંડિતો અને જ્ઞાનીઓની એલર્જી છે, એટલે મને ગનપટ હુરટી સાથે સારું ફાવે છે. હમણાંથી સામયિકોમાં પ્રેરણાદાયક લેખો અને કાવ્યો ઓછાં છપાતાં હતાં. એમના પર ગુજરાતી બચાવ ઝુંબેશફરી વળી હતી. એક ડૉકટર પોતાની દવા ખાઇ મરવા પડેલા, એના સમાચારની પાસે છપાયેલા, આ ઝુંબેશના સમાચાર મેં છાપાંમાં વાંરયા, પછી થયું કે કોઇ લાયક સાક્ષરનો સત્સંગ હવે કરવો જ પડશે, એટલે હું ગનપટ હુરટીને ત્યાં તરત જ પહોંચી ગયો. મને તો મારી કોલમની ચિંતા, કે ગુજરાતી ભાષા જો મરી જાય, તો મારે લખવાનું શેમાં? (મારું તો ઇંગ્લિશ પણ ઊઝા જોડણીજેવું છે, એટલે પ્રભાવિત થવાનું નાટક બધાં કરે પણ એને સ્વીકારે કોઇ નહીં!)

ગણપતભાઇ, શું ગુજરાતી ભાષા જીવશે?’ મેં અધમુવા અવાજે પૂછ્યું.

જીવવા ડેહો, ટો જીવહે!એણે સિગારેટ સળગાવતાં કહ્યું.

આ જવાબ કહેવાય? પોપટ પાસે ચિઠ્ઠી ખેંચાવતા જયોતિષી જેવી વાત ના કરો યાર!હું ખેંચાયો.

નિમ્મેસભૈ, હાજા આડમીને બી એની મરવાની વાટો બોવ નીં કરાય, નૈં ટો એ બી ગભરાઇને માંડો પડે, ને મરી બી જાય! ગુજરાટી ભાસાને બચાવવા, મેં બી ઘનું વિચાયરું છ. ટમે આ વાંચો, બસ વાટ પૂરી!કહી, જેને કોઇ કાકોયે જાણતો નથી એ સુરતી ઇન્ટરનેશનલ મેગેઝિનટાજા ગોટારાનો તાજો અંક એણે મને ઝલાવ્યો. એમાંનો એનો લેખ ગુજરાટી નીં મરહેવાંચીને મને ઊઝા જોડણીના જેવું અડધું બગાસું આવ્યું. પૂરું ન આવ્યું, એથી બેચેની વધી. (માટે જ કહું છું કે દીઘર્ને બદલે લઘુ માત્રા ના ચાલે!) ગનપટ હુરટીના ભાષા અંગેના મુદ્દાઓને હું મારી રીતે અહીં મૂકું છું.

૧. સુરતી બોલીના ઉચ્ચારો જ શ્રેષ્ઠ છે. જે નકામા મૂળાક્ષરો છે, તે એમાં પહેલેથી છે જ નહીં. માટે જોડણીકોશો એ પ્રમાણે સુધારી નાખવા.

૨. શબ્દો હોય કે અપશબ્દ, એનું પ્રત્યાયન થવું જોઇએ (જે ખુદ પ્રત્યાયનમાં થતું નથી.) એટલે કે સામાવાળાને વાત સમજાવી જોઇએ. ઉઘાડી ગાળ તમે ગમે તે જોડણીમાં સામાવાળાને દેશો, તો એ તમને ફટકારશે જ. તાત્પર્ય એ જ કે પ્રત્યાયનથવું જોઇએ, જોડણી અગત્યની નથી.

૩. જોડણી કરતાં આપણે વધુ અગત્યના છીએ. તમે પીવા માગો છે કે ઝાલવા માગો છો- એની તમને ખુદને જો ખબર હશે (હોવી જ જોઇએ!) તો પાણીને બદલે પાણિલખાયું હશે, તો પણ ગોટાળા નહીં જ થાય.

૪. નિર્મિશને બદલે નિમ્મેસલખાય તો ચાલે, પણ એમના જેવા ભાષાને બદલે પોતાની કોલમની ચિંતા કરવાવાળા આપણી ભાષાને જરૂર ડૂબાડશે, માટે એ ના ચાલે! એવાઓને ડૂબાડશો તો ભાષા નહીં ડૂબે.

આ અસહ્ય મુદ્દા પછી હું ગનપટ હુરટીના શબ્દોનું વધુ પ્રત્યાયનનહીં થવા દઉ. હું એના વિચારો સાથે સંમત નથી, માટે. તમને જો ભાષાની ખરેખર ચિંતા હોય તો મારું આ સોનેટ વાંચો, શીર્ષક છે મારી ભાષા’.
શું ડૂબશે એ બસ ના વિચારો!
આકાર નોખો દીસતો ભલેને,
નૌકા પ્રવાહે તરતી રહી છે!

એથી જ ભીનો જડશે કિનારો!
તાજાં સલિલે રમતો રહું છું,
આહ્લાદ એનો અડતો રહે છે!

એ માત્ર રૂપો નવલાં ધરે છે.
ભાષા નદી છે, તરતો રહું છું!
શું બંધનો નાહક હોડીઓને?
શું અલ્પતાને અહીંયાંઅતિશું
?
શુ સ્રોત એનાં? બનતી ગતિ શું
?
એ શોધવા દો બસ જ્ઞાનીઓને!

મારી ભલે બેશક રેતની છે
દેરી તટે છે, અર્થાત્ હું છું!
મિત્રો, મારા ડૂબ્યા પહેલાં ભાષા નહીં ડૂબે, ‘બસ વાટ પૂરી!

(દિવ્ય ભાષકર તા.27ફેબ્રુઆરી2009 ના સૌજન્યથી)

 

 

ભાડૂતી ગઝલજનાબ આઈ.ડી.બેકાર(મર્હૂમ)

 

bekar28feb9

thayun1

ગઝલ

 ઝાંઝવામાં ડૂબવા જેવું થયું- ઇકબાલ ઉઘરાતદાર, બોલ્ટન(યુ.કે.)

 

 

 

ક કૂંપળ દિલ મહીં આ ફૂટવા જેવું થયું

પ્રેમના બે ઢાઇ અક્ષર ઘૂંટવા જેવું થયું

 

 એ સમાયો છે અહીં મારા મહીં પડતાં ખબર

આ કવચ મારા પણાનું તૂટવા જેવું થયું

 

રાત મધ્યે હાથ ખાલી દિલ નજર એના તરફ

એક મુફલિસ થઈ ખુદાને લૂંટવા જેવું થયું

 

રકત નીતરતા અમારા હાથની એવી કથા

ફૂલ છોડી કંટકોને ચૂંટવા જેવું થયું

 

રાહબર એવા અમે જે માર્ગ ખુદ ભૂલી ગયા

રણ વચાળે ઝાંઝવામાં ડૂબવા જેવું થયું

  (સૌજન્ય: ભવ્ય ત્રિભાષી મુશાયરો ,સ્મરણિકા યુ.કે)

 

 

 

 

 

Posted by: bazmewafa | 03/02/2009

Gazhal_Dr.Adam Tankarvi (Bolton, U.K.)

Gazhal_Dr.Adam Tankarvi (Bolton, U.K.)

 

 

Do you want to learn to write a Gazhal in English?

Not too hard. Just read and Understand the rule, illustrated by Dr.Adam Tankarvi of Bolton U.K. (Former Professor of Linguistic in Vallabh vidyanagar University, Gujarat, India)

engmeter1

engmeter21

engmeter3(Courtesy Of Tri Lingual Mushayera souvenir, Bolton U.K.19 Octo.2009

 પૈસાનું ગ્રુપ- કાસિમ અબ્બાસ

 

swadesh-money-group

 

 

 

ગાંધી બાપુને યાદ કરવાની સીઝનચન્દ્રકાંત બક્ષી

 

અમેરિકામાં એકવાર સ્પીરો ટી. એગન્યુનામના એક લગભગ અજ્ઞાત રાજકારણી ઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યું હતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પૂછાવા માંડયું : સ્પીરો..હૂ?’ (સ્પીરો કોણ?) પછી તો સ્પીરો હૂચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાના આરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડયું. એ આડવાત છે).

અજ્ઞાત માણસની મજાકરૃપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહે જોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ દીનબંધુહતા. દીનબંધુ એટલે ગરીબોના બેલી! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢય માણસો આવ્યા અને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને દેશબંધુથઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુ રહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!

ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્ની પૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો. (એ વખતે હિન્દુસ્તાની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડ ક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાં પ્રવાસ કરાવવો અમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારો ભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.

એ લોકો મોટરોમાં નહીં, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડાંમાં આવતા. અહમદ પટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ! સ્ટેશનો પર ભીડ નહીં થાય અને જે આવશે એ પોતપોતાની મારુતિ કે ફિયાટ કે સરકારી જીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી તકલીફએમને નહીં પડે.

ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાંરોમન લોલેટિનમાં ભણ્યા હતા. ૧૯૨૨માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું હતું કે મારો વ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. ૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણે દાંડીકૂચ કરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિન્દુસ્તાનીના ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતો હતો!

સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહે અંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યની હતી…

ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાની શરૃઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહીં, પણ ધર્મપત્નીનું નામ છે). એકવાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છે એટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવા’. સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું, ‘હવે હું એક લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ’. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!

એકવાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએ સ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ ડોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે! આ ભયાનક ગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાંખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગ કરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.

ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.

ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએ કેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! ૧૮૯૮માં ગાંધીજીએ હિન્દુસ્તાની માટે ગાઈડ ટુ લંડનલખી હતી, અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધી એ પ્રવૃત્ત રહ્યા હતા.

બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના થી ઝેડસુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે.

ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ ઈન્ડિયન હોમરૃલનામનું લગભગ ભૂલાયેલું પુસ્તક જોવું પડશે. ઈન્ડિયન ઓપિનિયનમાં એ ધારાવાહિક પ્રકટ થયું હતું. લેખક અને વાચક વચ્ચેના સંવાદરૃપે! ગાંધીજીએ ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૯ને દિવસે એચ.એસ. પોલોકને લખેલા પત્રમાં હિંદ સ્વરાજવિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જ આપ્યો છે. પુસ્તકમાં પણ એમના વિચારો ફેલાયેલા છે.

ગાંધીજી પાર્લમેન્ટને વાંઝિયણ અને વેશ્યાકહે છે. એમનું કહેવું છે કે વકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હોસ્પિટલો પાપને ટકાવી રાખવા માટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. આધુનિક સંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્યશરીર એ સર્વશ્રેષ્ઠ મશીન છે.

ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણ આધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે – રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધો દ્વારા! મેડિકલ સાયન્સ એ બ્લેક મેજિકનો અર્ક છે.

ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારે સ્વીકાર્યું છે. હોસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ) માટે હોસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હોસ્પિટલો, વકીલો, ડૉકટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથાકથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાન થઈને ર્ધાિમક અને સાદું જીવવું પડશે. ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહીં પહેરવાં જોઈએ, એ મશીનો યુરોપિયન હોય કે ભારતીય હોય, બંને વર્જ્ય છે.

ગાંધીજીના વિચારોને અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સ વિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા! સપ્ટેમ્બર, ૧૯૧૯માં ગાંધીજીએનવજીવનશરૃ કર્યું ત્યારે અમારો ઉદ્દેશનામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : ‘…જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.

ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!

ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અને આદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે ઈનસાઈડ એશિયામાં લખ્યું છે : એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું (પૃષ્ઠ ૩૮૪). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. ૩૮૪). આત્મકથાને અંતે મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવી છે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની લોંગ માર્ચઅને ગાંધીજીની દાંડીકૂચની તુલના કરી છે. એ લખે છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની લોંગમાર્ચના એક અપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતે ગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મૌતે મરીશ, મારાં હાડકાં કુત્તાઓ ચાટી જાય એ કબૂલ છે, પણ હું તૂટેલો, ભગનહ્ય્દય પાછો નહીં આવું! અંતે પૃષ્ઠ ૪૦૯ પર પત્રકાર જ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે : અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિન્દુસ્તાની પ્રજાને નવો સ્પિરિટ, નવી એકતા આપ્યા. એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુ પ્યારથી સ્વીકાર કરશે.

ડેલ કાર્નેગીના હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગમાં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુ અહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનોય મરી ગયો હોત! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશે લખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વિજય જોવો હોય તો ગાંધીજીનું જીવન જુઓ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથી કેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે… જે સેના માટે લાખો ડોલર ખર્ચ્યા હોત તો પણ નિષ્ફળ જાત.

લૂઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથી લખ્યું છે. નવેમ્બર ૧૩, ૧૯૫૦ ટાઈમસાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતા નોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા! અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિરાષ્ટ્રપિતાપુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકાઆજકાલના ઓક્ટોબર, ૧૯૫૦ના અંકના બાવનમા પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં) હર જગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધી હિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઇજ્જત બઢી. દુનિયાને તસલીમ કિયા કિ અજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશની આઈ…

ક્લોઝ અપ

સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીને એક ભવિષ્ય  હોય છે.ઓસ્કાર વાઈલ્ડ
(‘
ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃત નિબંધોમાંથી)

ન ગમે તો નાણાં પાછાંવિનોદ ભટ્ટ

 

હાસ્ય લેખ

vinnod11

vinod2

vinod2a1

vinod3

(શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી 2009ના સૌજન્યથી)

 

 

 

 

 

ગઝલ

 કામણ છે -અદમ ટંકારવી

 

આ તરફ બાગ ને તે તરફ રણ છે

એતો આ પણ છે અને તે પણ છે

 

 

આમ મન ડોલે કે તન ડોલે પણ

સાવ ડૉલરિયું એનું સગપણ છે

  

 

જોઈ નજદીકથી એનાં મસ્તક

એમ શંકા પડે કે રાવણ છે

 

 

ખુલ્લી આંખે કશું દેખાય નહીં

આ મુલકનુંય કેવું કામણ છે

 

 

આમ તો એજ સમસ્યાનો ઉકેલ

ને સમસ્યાનું એજ કારણ છે

 

 

આમ બંદુકથી રમાય નહીં

એને ક્યાં એટલીયે સમજણ છે

  

 

તું ય લખ લખ કરેછે એની ગઝલ

આ અમેરિકા એક વળગણ છે

  

 

એને છેડીશ  તો ગાળ દેશે અદમ

એય હડસન નદીની માછણ છે

 

(ન્યુયોર્ક 16-8-1999)

 

  

(અમેરિકામાં હોવું એટલેના સૌજન્યથી)

 

ના

 

કવસરનો જામદીપક બારડોલીકર

 

 

કેટલું પ્યારું મુહમ્મદ* નામ છે

જાણી કવસર*નો છલકતો જામ છે

 

બસ નબીનું નામ અમને જોઇએ

કે નિરંતર અમને એનું કામ છે

 

 

આપની છે મેર કે ચાલું છું હું

માર્ગ જોકે થઈ ગયો સુમ સામ છે

  

  

આપનો ચાહક છું ચિંતા શી પછી

છે મને વિશ્વાસ શુભ અંજામ છે

 

કેમ જીવનમાં કશું બીજું ભળે

જીવમાં જ્યારે ભળ્યો ઈસ્લામ છે

 

   

શું ગુલાબો સુંઘવા દીપક હવે

મેક મીઠું જ્યાં નબીનું નામ છે

 

મલીર-90

(સિરાતે હરમ-31)

 

 

મુહમ્મદ= વિશ્વના અંતિમ નબી હજરત મુહમ્મદ(સલ.)

કોસર=હોજે કવસર,કયામતનાં દિવસે એ હોજ(જલ કુંડ)માંથી નેક લોકોની તૃષા છીપાશે,પછી એમને કદી તરસ નહીં લાગે

નાત= સ્તુતિ, પ્રશંસા કાવ્ય પ્રકાર, જે ગઝલ કે નઝમ સ્વરૂપે પદ્યમાં રજુ થાય છે.અરબી,ફારસી,ઉર્દૂમાં આ કાવ્ય પ્રકાર વિપૂલ પ્રમાણમાં ખેડાયો છે.

નાસમઝ_સંજય પુરોહિત(હિન્દી લેખક)

 

પપ્પા! આ કવિતાતો મને જરાયે સમજાઈ નહીં

બેટા! એમાં આશ્ચર્યની શી વાત છે? જો સમજમાં આવી જાય તો પછી એને કવિતાજ કેમ કહેવાય?

પણ પપ્પા !મને છઠ્ઠા ધોરણની ઝાંસીકી રાનીઅને પાથલ ઔર પીથલ તો બરાબર સમજમાં આવી ગઈ હતી.અને મેં યાદ પણ કરી લીધી હતી..અને આટલા વર્ષો પછી પણ મને પૂરી યાદ છે.તે પણ તો કવિતાઓજ હતી ને?

બેટા!, તે જમાનો વિતી ગયો.જ્યારે સાદી ભાષમાં લોક ભાવનામાં કવિતા લખાતી હતી,.હવે તો કવિતામં પણ ઘણાં પ્રયોગો થઈ રહ્યા છે.

પ્રયોગ ! આ તમે શું કહી રહ્યા છો? કવિતા કંઈ દેડકાંઉંદરો કે વાંદરા છે ? તેમના પર પ્રયોગ કરવામાં આવે.

તને સમજ નહીં પડી,હવે કવિતા પણ પહેલાં જેવી નથી રહી. કોઇ,નવી કવિતા લખે તો કોઈ હાઈકૂ .આ કંઈ મૉડર્ન આર્ટ જેવું છે.જે ઘણાં ઓછા લોકોને સમજમાં આવેછે.કવિઓ નવા નવા પ્રયોગ કરે સાહિત્યને સમૃધ્ધ કરી રહ્યા છે.

પપ્પા!મને સાચું કહો તમારા સમજમાં આ નવી કવિતાઓ આવે છે?

બેટા! હું એક સાધારણ ભારતીય જેટલી સામન્ય બુદ્ધિ ધરાવતો  માણસછું,મને એ કેવી રીતે સમજાય?

હા, શબ્દ કોશ  લઈને બેસું  તો  કદાચ સમજમાં આવી જાય..પરંતુ એટલો સમય લાવવો ક્યાંથી

પપ્પા!જ્યારે એ સામાન્ય ભારતીયને  સમજમાં ના આવતી હોય તો ,આવી કવિતાને કોણ્ વાંચે અને સમજે?

 બેટા! બધાજ શહેરોમાં દસ હજારની વસ્તીમાં એકાદ સાહિત્યકાર તો હોયજ છે.,હવે જેટલી વસ્તી હશે એનાં પ્રમાણમાં એટલા સાહિત્યકારો તો હોવાના.આપણા શહેરમાં પણ ઓછામાં ઓછા પંદર વીસ તો હશેજ.તે લોકો આ કવિતાને સમજે છે.

પપ્પા! આ વસ્તુ તો કંઈ સમજમાં નથી આવતી. આજના કવિઓ એવી કવિતા કેમ નથી લખતા કે આપણી સમજમાં પણ આવી જાય, અને જેને  ગુનગુનાવી શકીએં,અને એનાથી કંઈક પ્રેણા પણ પ્રાપ્ત થાય.

બેટા! એવું નથી કે કવિ એવી કવિતાઓ લખી નથી શકતા,,પણ આવી કવિતા સામાન્ય માણસને સમજમાં પણ આવી જાય અને તારા જેવા બાળકો મોઢે પણ કરીલે,પરંતુ એનાથી કવિનું સ્ટાંન્ડર્ડ નીચું થઈ જાય છે.અને આઉટડેટેડ કક્ષામાં સરી પડવાની પણ ભિતી રહે છે.

પપ્પા!મને આ વાત બિલકુલ સમજમાં આવતી નથી.

બેટા! સમજવા માટે સાહિત્યકારોના સ્તરની બુધ્ધિ પ્રતિભા જોઈએ,.અને તે તારામાં અને કદાચ મારામાં પણ નથી.,

(અનુવાદ—વફા)

 

 

 

ના

મહેકી પ્યારની દુનિયાદીપક બારડોલીકર

 

મહેકી પ્યારની દુનિયા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

હતી ઇમાનની વર્ષા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

 

હતો ધોમ ધકતો તાપ ને વેરાન  રણ સહરા

મળી સૌ મેકતી છાયા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

 

ગહન અંધારનો કબજો હતો વસ્તીમાં જંગલમાં

ચળકતા થૈ ગયા રસ્તા મુહમ્મદ નામ જ્યાં લીધું.

 

મદીનાની તલબમાં આવું કૌતુક પણ અમે  જોયું

કણેકણમાં હતા પડઘા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

 

જીવન સહરા વલખતું,તું જરાશા બુંદના માટે

ત્યાં સર્જાય ગયા દરિયા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

 

જીવનની કુંજમાં દીપક હતો ચોમેર સન્નાટો

છલક્યા વ્હાલના ટૌકા, મુહમ્મદ નામ જ્યાં લીધું.

મલીર-1998

 

મુહમ્મદ(સલ.): વિશ્વના અંતિમ નબી(પયગંબર)

(સૌજનય: સિરાતે હરમ-30)

 

 

 

 

 

હદીસે નબવી

ઇયાદતના ફઝાઇલ( માંદા માણસોની ખબર કાઢવાના ફાયદાઓ)

 

1

હઝરત ઉમ્મે  સલમ્હ(રદિ.)કહેછે કે ,રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું:જયારે  તમે કોઇ માંદા માણસ  પાંસે જાઓ ,અથવા કોઇ મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિ પાંસે જાઓ, ત્યારે ત્યારે તેની સામે ભલાઈના શબ્દો ઉચ્ચારો.કારણકે તમે જે કંઇ વદો છો તેના પર ફરિશ્તા આમીન કહે છે(મુસ્લિમ, મિશ્કાત)

2

હઝરત ઉમર (રદિ)નું કથન છે કે રસુલુલ્લાહ (સલ..) એ ઇર્શાદ ફરમાવ્યો,જ્યારે તમે કોઇ બિમાર માણસની ખબર અંતર કાઢવા જાવ ત્યારે તેને કહો કે તમારા માટે દુઆ કરે.કારણકે તેની દુઆ ફરિશ્તાઓની દુઆ જેવી છે.(ઇબ્ને માજહ ,મિશ્કાત)

 

હદીસ=પયગંબર મુહમ્મદ(સલ.)ના કથનો,ઉચ્ચારણો,વાતો

મુસ્લિમ=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ

મિશ્કાત=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ

ઇબ્ને માજહ=પયગંબર સાહેબેની વાતોના સંગ્રહમાના એક સંગ્રહનું નામ

 ના’ત

 કુવ્વતે ઇશકઅલ્લામા મુહમ્મદ ઇકબાલ્ 

 

કુવ્વતે ઇશ્ક સે હર પસ્તકો બાલા કરદે

દહર મેં ઇસ્મે મુહમ્મદસે ઉજાલા કરદે

 

વકતે ફૂર્સત હૈ કહાં-કામ અભી બાકી હૈ

નૂરે તૌહીદ કા ઇત્મામ અભી બાકી હૈ.

 

અનુવાદ

પ્રેમની શક્તિથી  દરેક  ખીણ  ને  ઉંચાઇ અર્પી દે

આ વિશ્વને મુહમ્મદ(સલ.)ના નામથી પ્રકાશિત કરીદે

 

હજી ફુરસત ક્યાં છે? હજી ઘણું કામ બાકી છે

તૌહીદ(એકેશ્વરવાદ)ના પ્રાકાશ ની સમાપ્તિ હજી બાકી છે.

ના’ત

 

ફકત એક સાકીમુહમ્મદઅલી વફા

 

અમારી પરબ છે ફકત એક સાકી

અમારી તરસ છે ફકત એક સાકી

 

અમારી સફરનાં ન કોઈ મુકામો

અમારી મજલ છે ફકત એક સાકી

 

અમે દોસ્ત પીશુ ફકત  કૌસરે થી

અમારી તલબ છે ફકત એક સાકી

 

મુહમ્મદ(સલ.)નબીના અમે તો દુલારા

અમારો નસબ છે ફકત એક સાકી

 

ભલે હોય રંગો  અલગ બોલ ભાષા

અમારું કથન છે ફકત એક સાકી

 

અમે લાઇલાહા ફકત બસ પઢીશું

રસુલ(સલ.)નું રટણ છે ફકત એક સાકી

 

મદીના તરફ છે સતત આ નિગાહો

અમારું વતન છે ફકત એક સાકી

 

અમે ચાલશું બસ હરમની દિશામાં

અમારી નજર છે ફકત એક સાકી

 

અમોને મળી જાય અલ્લાહની રેમત

વદનની તડપ   છે ફકત એક સાકી

 

વફાનાં સલામો  કબૂલો   ને આકા

વફાની  અરરજ છે ફકત એક સાકી

 

 

 

ના

 

  કરબલાનો પડકાર—શૂન્ય પાલન પુરી

 

હર શબ્દે હૃદય પર ઘાવ થશે

હર વાક્યે જિગર પર વાર થશે

કરબલાની હકીકત લખનારી

પ્રત્યેક કલમ તલવાર થશે

 

હૈદરનું  શુરાતન સીંચે છે

ઇસ્લામના કોમળ ફૂલોને

એ ફૂલ જલાલી થશે તો

હર પાંખડી એક તલવાર થશે

 

અંધકાર જગત પર વ્યાપે તો

સૂરજને નથી કહેવું પડતું

વધવા દો યઝીદી જુલ્મોને

કરબલાનો ફરી પડકાર થશે

 

 

ઇસ્લામની ઘૂંટી ઘૂંટીથી

ટપકે છે શહાદતનુ અમૃત

એ અમૃત પી ઉછળેલ કળી

હર ગુલશનનો શણગાર થશે

 

છે શૂન્ય કસોટી હિંમતની

દુનિયાને પ્રહારો કરવાદે

ઇમાનથી ટક્કર લેનારા

બાતીલની હમેશા હાર થશે

 

ગઝલ

 

ગામના ખંડેરમાં હવે-મનસુખ નારિયા

લે-વેચ થશે શ્વાસની જાહેરમાં હવે

હવા ખરીદવી પડે શહેરમાં હવે

 

પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી-

યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે

 

સાંધી ચલાવતા પ્રયત્ન તો વ્યર્થ છે

ફાટી તૂટેલી જિંદગી પહેર મા હવે

 

મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર

મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે

 

સૂરજનો અર્થ ઉકલી શક્યો ના એટલે

સત્તા છે મીણ બત્તીની અંધેરમાં હવે

(અહેસાસ)

ગઝલ
પથ્થરોનો ઢેર છે-શૂન્ય પાલનપુરી

 

સત્યની સામે અસત છે-પ્રેમ સામે ઝેર છે
નીતિ સામે છે અનિતી, મત્રી સામે વેર છે

અ જ છે કુરુક્ષેત્ર પાછું, પણ કળિયુગ તો જુઓ
સારથી ભગવાન છે ના, એટલો બસ ફેર છે

વાડીઓ વેરાન છે ને ખોરડાં ખંડેર છે
આજ બસ જંગાલિયતન્ર ઘેર લીલા લે’ર છે

લાશના ડુંગર પરે પડઘમ બજે છે શૌર્યનાં
કાળ ભૈરવનો પરમ આનંદ કાળો કેર ચે

માસુમોનાં લોહીની ઉડતી ફુવારી ચોતરફ
કાતિલો હોળી રમે છે ઘૂમ ઘેરેઘેર છે

ન્યાય પર વરસી રહી છે ગોળીઓ અન્યાય ની
સબ્રના સીનામાં કાતિલ જુલ્મની શમશેર છે

ઓશિયાળી થઈ કરે છે માનવતા મૂંગી વિલા
કોઈ ના દે છે દિલસો કેટલું અંધેર છે

દાદ ચાહે છે કરુણાની તને છે ભાન કૈં
શૂન્ય આ સંસાર કેવળ પથ્થરોનો ઢેર છે
(શૂન્યની સ્મૃતિ)

હઝલ

માતની હાકલ પડી છે— હઝલ સમ્રાટ જ.આઈ.ડી.બેકાર

 

 

maatnihaakal_bekar

hakal21

hakal3

 

ગઝલ

 

 મને એ ખબર નથીઅમૃત ઘાયલ

 

એ રેણ છે કે સંઘ મને એ ખબર નથી

શું ચીજ છે સબંધ મને એ ખબર નથી

 

 

સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ

બાકી શું છે સુગંધ  મને એ ખબર નથી

 

 

બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત

હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી

 

 

દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયંય

છું દેખતો કે અંધ મને એ ખબર નથી

 

 

આ જેના જોરે જાઉં છું હડસેલતો મને

એ હાથ છે કે સ્કંધ મને એ ખબર નથી

 

 

મિત્રો ગઝલ ગઝલ છે ગઝલ એટલે ગઝલ

એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી

 

 

ઘાયલહું એને ચાહું છું સંપૂર્ણ ચાહું છું

છે કિંતુ શો સબંધ મને એ ખબર નથી

(ઝાંય)

રડાવે છે દુનિયા—જિદ્દી લુવારવી

કદી એ અમોને હસાવે છે દુનિયા

કદી એ અમોને રડાવે છે દુનિયા.

શરૂમાં અમોને પતાવે છે દુનિયા

પછીથી અમોને ફસાવે છે દુનિયા.

અમે શાંતિથી રહીએ શી રીતે

પરસ્પર અમોને લડાવે છે દુનિયા.

હટાવી ખુદા દે-અમારી નજર થી

કરીએં ઇબાદત ભમાવે છે દુનિયા.

અમોએ ગળેથી લગાવે છે એને

અમોનેજ આજે હં ફાવે છે દુનિયા.

કદી એ સજી દુલ્હનો જેમ આવે

નવા નાચ નિત એ નચાવે છે દુનિયા.

નથી સંભળાતું હવે જિદ્દી કૈં પણ

બધે શોર એતો મચાવે છે દુનિયા.

Posted by: bazmewafa | 03/16/2009

મસ્ત ફકીર—- જય ગજ્જર

mastfakir2
mastfakir2a
mastfakir3

ઓ !નાદાન—- અલ્લામા મુહમ્મદ ઇકબાલ

ઓ નાદાન! તુ ફિરંગીઓ પાંસેથી સારી લાગણી, સારા વર્તાવની આશા રાખે છે. તું જાણી લે ,યાદ રાખ કે તેના પંજામા  સપડાયેલા પક્ષી પ્રત્યે બાઝ પક્ષી કદી રહેમ કરતું નથી.

પિતાએ વારસામાં આપેલો મણિ સ્વીકારતાં તારે શરમાવવું જોઇએ.પથ્થરની ખાણમાંથી મળેલા મણિ મેળવવાનો આનંદ ઑરજ હોય છે.

 

   દુનિયાની હસ્તીની નેસ્તીની ચર્ચા મારી સાથે શું કરેછે, હું તો એટલું જાણું છું કે કહું છું,પણ  એ નથી જાણતો કે એ હોવા ન હોવાનો તિલસ્મ, જાદું શું છે?  મયખાનાનું પ્રત્યેક શરાબ પાત્ર ,શીશી અને જામ સરકારીકોટવાલના ભયથી કંપેછે પરંતુ   એમા એક અપવાદ  આશકની સુરાહી છે.ઉલટો કોટવાલનો પથ્થર તેનાથી કંપે છે.

 

  ખુદી નું વર્ણન તું સંકેત(પરદા)માં કરેછે,તો ભલે,પણ મારું કહેવું એ છે કે પરદાને પરદોજ રહેવા દેજે.ફાડીશ નહીં.કારણકે દ્રષ્ટિનો  પાલવ  એ વિષયમાં સાવ ટૂંકો છે.

 

   પાનખરે એની પરનાં પાંદડા ખેરવી નાંખ્યા છે.એ જૂની ડાળ પરથી માળો ખસેડવાની વાત શરમ ભરી લાગે છે.કેમકે તું એજ ડાળની શૈયા પર પીંછા અને પાંખ પામીને મોટો થયો છે,એ તુંભૂલી જાય છે.

  ગઝલ કહે તો કંઈ એવી ગઝલ કહે કે પ્રકૃતિ પોતાના વાજિંત્રોના સૂર તને આપવા માંડે.જે પ્રકૃતિ સાથે સ્પર્ધામાં ઊતરે તે વળી કેવો!  

(અલ્લામાં ઇકબાલનું તત્વદર્શન આધારિત મહાન ફારસી ભાષામા કરેલુ પદ્ય સર્જન ઝબૂરે આઝમનો  અનુવાદ. અનુવાદકજનાબ આચાર્ય મસ્ત મંગેરા. તંત્રી-વ.સમાચાર.સુરત)

ગઝલ

મારુંય કૈંક નામ-જવાહર બક્ષી

 

 

તારો ભલેને શ્વાસ ભર્યો છે સુગંધમાં

મારુંય કૈંક નામ છે પર્ણોનાં કંપમાં.

 

વીતતા સમયની સાથ વધી છે તીવ્રતા

મારણ ઘૂંટાતું જાય છે ઘટનાનાં ડંખમાં.

 

ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં

કાંઠા સુધી જો જાત તો વ્હેતે તરંગમાં.

 

શ્વાસોમાં રોજ ઊઘડે છે સ્પર્શનું પરોઢ

ઊડી ગઈ છે મ્હેક તો ઝાકળના રંગમાં.

 

ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી

તું કયાં કદી પલળે છે  સૂરજનાં સબંધમાં.

 

જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર

મારી ગણત્રી થાય છે વિક્રમ સવંતમાં.

 

(તારાપણાના શહેરમાં-38)

 

 ગઝલ

કયારેક બનેદીપક બારડોલીકર

 

મુકતક

જિંદગીમાંદીપક બારડોલીકર

e0aa95e0aaafe0aabee0aab0e0ab87e0aa95e0aaace0aaa8e0ab871

 

ઝલ

દરવાજો ઉઘાડદીપક બારડોલીકર

અછાંદસ

ઢાંક પિછોડોદીપક બારડોલીકર

e0aaa6e0aab0e0aab5e0aabee0aa9ce0ab8b-e0aa89e0aa98e0aabee0aaa1 

 

 

 

ગઝલ

ઢોળાય નાદીપક બારડોલીકર

 

મુકતક

વદન યાદ છેદીપક બારડોલીકર

e0aaa2e0ab8be0aab3e0aabee0aaaf-e0aaa8e0aabe-e0aaa6e0ab80e0aaaae0aa95

ગઝલ

રસ્તાપણદીપક બારડોલીકર

 ગઝલ

તને યાદ હશેદીપક બારડોલીકર

e0aab0e0aab8e0ab8de0aaa4e0aabee0aaaae0aaa3e0ab8d-e0aaa4e0aaa8e0ab87-e0aaafe0aabee0aaa6-e0aab9e0aab6e0ab87-e0aaa6e0ab80e0aaaae0aa95

ગઝલ

અભિમાન છેદીપક બારડોલીકર

 

ગઝલ

બોલો હવે યારોદીપક બારડોલીકર

 

e0aa85e0aaace0aabfe0aaaee0aabee0aaa8e0aa9be0ab87-e0aaace0ab8be0aab2e0ab8be0aab9e0aab5e0ab87-e0aaafe0aabee0aab0e0ab8b-e0aaa6e0ab801

ગઝલ

 

ઇલ્ઝામ દૈ બેઠા છીએ–અહમદ મકરાણી

 

 

એક પથ્થરને સનમનું નામ દૈ બેઠા છીએ

આમ દિલને કેવું કપરુ કામ દૈ બેઠા છીએ

 

જાય છે થોડો સમય, આવે ફરી મારા ઘરે

વેદનાને જ્યારથી બસ થામ દૈ બેઠા છીએ

 

વાદળાં બે ચાર આડે રોશનીની હોય છે

સાવ નાહક કોઇને ઇલ્ઝામ દૈ બેઠા છીએ

 

ક્યાંય પગરવ જિંદગીનો એટલે સંભળાય ના

શ્વાસની કેવી ગલી સૂમસામ દૈ બેઠા છીએ

 

યાદ કરવાં જાઉં તો પણ યાદ ના આવે હવે

એક વીંટી કોઈને ગુમના દૈ બેઠા છીએ

 

 

 

 

ગઝલ

માવઠા જેવું હસી-અશોકપુરી ગોસ્વામી

કેટલા વર્ષો પછી તું માવઠા જેવું હસી
એમ લાગ્યું કે નદી પાછી પહાડોમાં ધસી

સૂર, શબ્દો ,અર્થ ,પડઘા આખરે નિષ્ફળ ગયા
આર્દ્ર્તા મારી હવે જો મૌનની અંદર વસી

હે નિકટતમ સત્ય સમજાવું તને બોલ્યા વગર
કૈં કહી શકતો નથી જેથી ધરી જો આરસી

હું સમજના સૂર્યમાંથી ઉદભવેલું તેજ છું
આ દિશાઓ ને ક્ષિતિજો એક ઈશારે ખસી

મંત્ર માફક લ્યો ,ગઝલ જન્મી અલૌકિક એ રીતે
શબ્દની દિવાસળી જયાં લાગણી સાથે ઘસી.

દીવાલ પહરેછે-કરસનદાસ લુહાર

દિશાઓ કોઇ પહેરેછે,. કોઈ દીવાલ પહરેછે.
ખરેખર પોતપોતાના સૌ ખ્યાલ પહરે છે.

ચપોચપ આજને જેઓ કદી પહેરી નથી શકતા,
બિચારા એ બધા ગણવેશને ગઈ કાલ પહેરે છે.

અને ઉગેછે. વૃક્ષાભાસ સિંન્ઠેટિક લોહી માં,
નગર વાસી કોઈ ક્યારેક વનનું વ્હાલ પહેરે છે.

કરામતથી એ કંડારી શકે એ કમનીય કેડીઓ,
ચીલાચાલુ રહીને પણ જે નોખી ચાલ પહેરે છે.

ઉઘાડા થઈ જવાનો ભય વિવશ વસ્ત્રાલ ઉતારી,
કોઈ પોતાની ઉપર અન્યનો અહેવાલ પહેરે છે.

 

 કહો ફુરસદ ક્યાં છે-હરીશ મીનાશ્રુ

 aek_harshminashru1

 

ગઝલ

ઘૂંટવાનું મન થયું.હરેશતથાગત

 

 

 

 

પત્ર જેવી એક ઇચ્છા ,બાળવાનું મન થયું.

ફૂલ ,જે આપ્યું નથી તે ,માગવાનું મન થયું.

 

નામ મારું સાવ એના નામની પડખે લખી,

કોણ અજાણે કેમ અમસ્તું ભૂંસવાનું મન થયું.

 

અંધને આંખો મળે એ રીતથી મળતાં અમે,

ચાંદ બદલે આજ તમને તાકવાનું મન થયું.

>

હોઠથી કેવું હતું તે આંખથી બોલી દઈ,

મ્હેકથી એને પવનમાં ઘૂંટવાનું મન થયું.

 

બંસરીના સૂર પ્હેરી ખૂલતાં પંખી ઘરે,

ફૂલ વેણીમાં હતું તે માં ગવાનું મન થયું.

 

 

 

 

ગઝલ

રોનક થઈ ગઈહેમેન શાહ

સોબત વાદળ માફક થઈ ગઈ.
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભર બપ્પોરે?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી મેઘધનુષ ત્યાં!
શું અણધારે આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્ય વિધાયક થઈ ગઈ.

બત્તી ઉઘડી હસ્યા ફૂવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછા આવ્યા
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

marimanyata1

marimanyata2

 

 

 

(આભંગ-254)

છિન્ન પત્ર1સુરેશ હ.જોષી

chhinnapatra11

mstmangera1

અસુખની ક્ષણો–જયંત પાઠક

પરસેવા જેવી પીળી પીળી બપોર

મારા શરીરે એવી તો  ચોંટીજાય છે-

કૂતરાની જીભમાંથી ટપકતી લાળ

મારા મોંમા એવો તો સ્વાદ મૂકી જાય છે

ઓશીકાનાં ગલેફમાં ગૂંથેલું

LOVE ME નું તીર

મારી આંખોમાં એવું તો વાગે છે-

ક્ષ્ણોની કીડીઓ

શરીરે આવી એવી તો ચટકા ભરે છે–

તડકાના દરિયામાં ફુગાઈને

મારું શબ એવું તો ફૂલી જાય છે

ને છતાં ઓગળી જતી આંગળીઓને

સાવ જજરી ગયેલા

આ એકના એક વસ્ત્ર સીવ્યા કરવાનું

                          મારે જીવ્યા કરવાનુ.

 

 

વરસાદના પહેલા ફોરામા–જયંત પાથક

 

વરસાદના પહેલા પારદર્શક ફોરામાં

-એ જાદુઈ ત્રિકાળ દર્શક ગોળામાં

હું દેખું મારું ગામ ,મારી સીમ

સીમની અડીને ઉભેલો વગડો

શૈશવથી સ્લેટમાં ઘુંટેલો એકડો અને બગડો

રાતી રાતી દેવની ગાય

પાદરમાં વિચાય

સમણાંનાં નાચતાં કૂદતાં વાછળડાં!

મારી નદીની ઊજળી સાથળમાં

ડ્હોળું ડ્હોળું યૌવન ઘુમ્મરીએ ચડે

લાંબી લાંબી પથ્થરની છાટો બૂડે

પોચા પોચાપ્હાડ બાઢમાં ઓગળે,

માટીની ગંધનો આસવ પીને

ફળિયાનો લીમડો ડોલ્યા કરે

આકાશના મોર રહી રહીને

રંગનાં પીંછા ખોલ્યાં કરે

લીલું લીલું ઘાસ ફૂટે

મારા રોમ રોમથી

શૈશવની દુધિયા વાસ છૂટે

વીજ ત્રાટકે તાણીને બાંધેલ દોર તૂટે

ને હું

ગામમાં સીમમાં  વગડામાં

               હવે ના કોઈ ખૂટે

(વગડાનો શ્વાસ)

Posted by: bazmewafa | 03/28/2009

સાંભરે–જયંત પાઠક

સાંભરે –જયંત પાઠક

આ સ્વચ્છ નગરના રસ્તા ઉપર

-તૃણ નહીં જયાં,ડામર ડામર-

ગાય ભાંભરે-

મને સાંભળે મારા ઘરની કોઢ

દૂધની સોડમ માંની સોડમ

તાંસળી તગતગતી તરબોળ,

ફીણ ફોદાળી દાંત વગરની દાદાની આંગળીઓ

ખીલે ખીલે ખણતી ખણતી સોનાની સાંકળીઓ !

હજી બોલવાં શીખતું પેલું

વાછળડું તે કાલું કાલું રોવે

ઘર વચ્ચે ગોપી ને કરસન મોંઘાં મહી વલોવે

સૂરજિયું માખણ ખાતો

           શો વગડો લચ લચ બોલે ! 

વડલા હેઠી કોઈ વગાડે વ્હાલપની વાંસળીઓ

આઘેના આ ભીના વગડે

સવારના દુધિયા તડકાને ચરતી

ગાય ભાંભરે

મને સાંભરે….

 

Posted by: bazmewafa | 03/28/2009

સમડી–જયંત પાઠક

 

સમડી–જયંત પાઠક

નીડ મૂકીને સવારથી

સમડી શોધે છે આભ,

હવાનો સમુદ્ર આખો

    વારંવાર વલોવી નાંખ્યો

ચાંચથી ટોચી સૂરજ જોયો

ઊંચેરા ઝાડ

ક્ષિતિજની વાડ

પંજે લઈ ફંફોસી જોયાં

પહાડ કેરા હાડ

પાંખથી દીધા ઉલેચી

વાદળનાં કૈં સુકાં લીલાં નવાણ,

(આભના કયાંય નહીં એંધાણ)

થાકી આખરે

નીડમાં સાંજે વળે

બંધ પીંછાની હેઠ,હુંફમાં એક

ઈંડું:

ગાભમાં આભ છાનું સળવળે

 

 

ગઝલ

 

 હવે કયાં રહ્યું કશું– સપન કુરેશી

 

e0aa95e0ab8de0aaafe0aa82-e0aab0e0aab9e0ab8de0aaafe0ab81e0aa82-e0aa95e0aab6e0ab81e0aa82-e0aab8e0aaaae0aaa8-e0aa95e0ab81e0aab0e0ab87

ગઝલ

 એકાંતમાંમહેક ટંકારવી

 aekantma1(પ્યાસથી પરબ સુધી)

Posted by: bazmewafa | 04/02/2009

ગઝલ:કોણ માનશે–સાહિલ

ગઝલ

કોણ માનશે—સાહિલ

 

નમણો ઋણાનુબંધ હતો કોણ માનશે?

ઝળહળતો બાજુ બંધ હતો કોણ માનશે?

દ્ર્શ્યાવલિની ભેટ જે આપી ગયા મને

એ તો જનમથી અંધ હતો કોણ માનશે?

 

હું ભાર ના ઉપાડી શક્યો ચપટી  ધૂળનો

ને પ્હાડ જેવો સ્કંધ હતો કોણ માનશે?

એક અર્થહીન ફકરા સમું જે જીવ્યો સદા

પંડે લલિત નિબંધ હતો કોણ માનશે?

સાહિલ સતત આ રેત નગરની સફર મહીં

પીવાનો પણ પ્રબંધ હતો કોણ માનશે?

ગઝલ

 

 બેફામ આવશે!પ્રકાશ ચૌહાણ’જલાલ’

ભેગાં કરીશ બોર તો કામ આવશે!

ક્યાક તો આ ઝૂંપડીમાં રામ આવશે!

મારી આ બરબાદી વિશે! એણે પૂછ્યું નહીં

એનો હતો એ ડર કે એનું નામ આવશે!

દુર્ભાગ્યનો નિયમ સદા અવળોજ હોય છે

તું ‘એમ જા’ કહીશ અને એ આમ આવશે!

મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ

લાગે છે તારા હાથથી અંજામ આવશે!

ખોળો ગઝલનો તો કદી ખાલી નહીં રહે

આદિલ,ચિનું,મરીઝને બેફામ આવશે!.

વરુણને વણ માંગી સલાહ —-જગદીશ આચાર્ય

varun1varun2varun3

To read another intresting article on this subject in Hindiand Urdusimultaneusly pl.click the following URL of Rashtriya Sahara.

http://bagewafa.wordpress.com/2009/03/27/dastanehindi_azizburney/

ગઝલ

થાય છે —ફિલીપ કલાર્ક

e0aaa5e0aabee0aaaf-e0aa9be0ab87-e0aaabe0aabfe0aab2e0ab80e0aaaa-e0aa95e0aab2e0aabee0aab0e0ab8de0aa95

આશરે ચાલ્યાભગવતીકુમાર શર્મા

 

પોત પોતાના આશરે ચાલ્યા
છેવટે પંડના ઘરે ચાલ્યા

 

રાતવાસો કશે નથી કરવો
બત્તી પહેલાંજ સાંજ રે ચાલ્યા

 

ભૂરા નભની વિશાળતા છોડી
પંખીઓ પાછા પિંજરે ચાલ્યા

 

સુખ હો કે વ્યથાની હો ઘટના
યંત્રવત લોક અવસરે ચાલ્યા

 

સર્વ ભયત્રસ્ત છે અહીં તો
દોડીને ખૂણે ખાંચરે ચાલ્યા

 

વાટ જોઈ છે ઘરમાં બેસીને
કિંતુ પડછાયા ઉંબરે ચાલ્યા

 

શ્વાસ તૂટતો નથી હજી તો પણ
લોક આ કોને ખરખરે ચાલ્યા?

શૂન્યયાને અલીખાન બલુચચન્દ્રકાંત બક્ષી

 

 

 

 

વર્ષ યાદ નથી. પણ બીજું વિશ્વ યુધ્ધ ચાલતું હતું અને હું 1942માંઅંગ્રેજી ધોરણ બીજામાં હતો.બલુચ સર અંગ્રેજીનો કલાસ લેવા આવ્યા હતા, એટલે 1942જ હશે.જ્યોર્જ ફીફથ કલબમાં અલીખાન વિકેટકીપીંગ કરતા હતા. ક્રિકેટ પૂર બહરમાં હતી.અને માનવ સરોવર તરફ કદાચ જબુમિયાંના બંગલા પાસે એક મહેફિલમાં તરન્નુમમાં ગાતા શાયરનો ચહેરો ખસતો ન હતો.અર્થ કાનથી સમજવાના દિવસો હજી આવ્યા ન હતા.અર્થ આંખોથી સાંભળીને ડોલતા હતા.અર્થ પણ અમારા માટે ગંભીર હતો ભાષા ઉર્દૂ હતી.

 

કયા સુનાઉં? કયા  સુનોગે દાસ્તાને જિંદગી…

ગમઝદાં કા તલ્ખ હોતા હૈ બયાને જિંદગી…

આ બલુચ,આ  અલીખાન,આ તરુન્નમી મિજાઝ,ભાઈઓ અપણે વાલા હૈ ! પાલણપુરી હૈ ! ગુજરાત આપણા અલી ખાન બલુચને એમને ધારણ કરેલા શાયરના નામથી ઓળખેછે, શૂન્ય પાલનપુરી !

       ,શૂન્ય, જેટલું વિરાટ ,બ્રહ્નાંદ જેટલું અદભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે.પણ હિન્દુ મિથક,કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દ પ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે,આનંદાશ્ચર્ય આપે છે.રાતભર સાંભર્યા છે.શબ્દનો લાવા સળગતો વહેતો જાય છે.ગજબનાક છે આ માણસની યાદ શક્તિ.અને અજબનાક છે એમનો આત્મ વિશ્વાસ ! ગુજરાતી ગઝલની કેટલીય મહેફિલોમાં,શૂન્યએ શાન રાખી છે.બહુ ઉંચી ચીજો લખી છે.ઉમર ખય્યામની રુબાઈઓનો એમનો અનુવાદ કદાચ એક લાંબા સમય સુધી બે મિસાલ રહેશે !

         ,શૂન્ય,ની પેઢીના શાયરો ગુજરી રહ્યા છે.ઉર્દૂ અને ગુજરાતી બન્ને અર્થોમાં.દેહ સૂઈ જાય છે ત્યારે આત્માને જાગવાનો સમય થઈ જાય છેએમ કહેવાય છે! ,શૂન્ય માટે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યની પરિષદે એક વાર મરહુમब्દ પણ વાપરેલોઉર્દૂ જાણે છે એ બતાવવા કે પોતાનોઆત્મ વિશ્વાસ વધારવા , ખેર,અપણીજ બૂઢી થતી આંખોની સામે આપણને શાયરે મરહુમ નું બિરૂદ   એને પણ ખુશ કિસ્મતી સમજવી જોઈએ.!તમામ કે નાતમામ જેવા શબ્દો કર્તા માટે બરાબર છે,કૃતિ માટે બરાબર નથી.કૃતિમાં કલાકારનો આત્મા જીવતો રહે છે.

              અને શૂન્ય એ પોતેજ કહ્યું નથી?

 

હમ શાયર હૈ વોહ શાયર જિસસે લરઝાં હૈ અઝલ

ખોલ ન ડાલે કહીં રાઝે નિહાને ઝિંદગી

 

શુભેચ્છાઓ સાથે મારા ગુરુ અને મિત્ર અને હમજાન શૂન્યપાલનપુરીની આંખો અને આંગળીઓમાં કુવ્વત રહે એજ શુભેચ્છાઓ સાથે.

 

મુંબઈ

તા.22-6-1983                                                –ચન્દ્રકાંત બક્ષી

શૂન્યની સૃષ્ટિ**1

કવન વેચવાં છે—‘શૂન્ય પાલનપુરી

 

 

હ્રદય રકતથી જેનું સીંચન કર્યું છે

એ જીવન ચમનનાં સુમન વેચવા છે.

ખરીદો ,ખરીદો ,ઓ દુનિયાના લોકો !

અમોલા અમોલા કવન વેચવા છે

 

 

ગરીબાઈની લાજ રાખી છે જેણે

એ ધીરજના છૂપાં રતન વેચવા છે

કફનની રહે જોગવાઈ એ માટે

અમારે અમારાં જીવન વેચવા છે.

 

 

ખરીદી શકે છે કોઈ પણ જગમાં

વિનિમયમાં આપી શકે જો પ્રભુને

જે શ્રધ્ધાની મોંઘેરી મૂડી સમાં છે

એ સઘળા અશંકિત નમન વેચવા છે.

 

 

નથી જોઇતી અલ્પતા દેવગણની

મળી જાયે શંકરનું ગૌરવ અમોને

એ ખાતર જીવનના બધા ઝેર સાટે

આ બાકીનાં સઘળાં રતન વેચવા છે

 

 

 

શૂન્યની સૃષ્ટિ**2

 

વસવાની પણ જરૂરત છેશૂન્ય પાલનપુરી

 

 

વિપદના પથ્થરે ઘસવાની પણ જરૂરત છે

જીવન સુવર્નને કસવાની પણ જરૂરત છે.

 

અગર થવું છે હૃદયને કથીરથી કંચન

કોઈની આંખમાં વસવાની પણ જરૂરત છે

 

 

જગતના હૈયે વસી જાય રૂપ કાદવનું

કમળને એમ વિકસવાની પણ જરૂરત છે

 

 

ભૂલાવી દેવી ઘટે ખો,એ મિત્ર્-દ્રોહીની

બગલના સર્પને ડસવાની પણ જરૂરત છે

 

 

ન પાણી જાય દુ:ખોમાં હૃદયના સંયમનું !

રુદન પ્રસંગને હસવાની પણ જરૂરત છે

 

 

પ્રગટ થવાને તરસતું  હશે કોઈ ઝમઝમ*

તરસથી એડીઓ ઘસવાની પણ જરૂરત છે

 

ન થઈ શકેછે હાર એ વિના કિનારાની

વમળને નાવને ઘસવાની પણ પણ જરૂરત છે

 

 

ફરે ના આવવ પામે એ શૂન્યની તોલે

જરાક મેરુને ખસવાની પણ જરૂરત છે

 

ઝમઝમ:હજરત ઈબ્રાહીમ (અલૈ.)પયગંબરના પુત્ર ઈસ્માઈલે બાલ્ય અવસ્થામાં તરસથી એડીઓ ઘસતાં ધગ ધગતા રણમાં ઝમઝમનું ઝરણું ફૂટ્યું હતું.તેની પાંસે પવિત્ર મક્કા શહેર વસ્યું.ઝમઝ્મનું જળ(જે અત્યંત શુધ્ધ અવસ્થામાં પ્રાપ્ય છે).એ મુસ્લિમો ને મન ગંગાજળ જેટલું પવિત્ર છે.

 

 

 

 

શૂન્યની સૃષ્ટિ***3

 

જાન ચાલી છે-શૂન્યપાલનપુરી

 

(સ્વજનનાં મૃત્યુ પ્રસંગે લખાયેલી ગઝલ)

 

થયાં છે લોક ભેગા કેમ ?આ શાની ખ્ઉશાલી છે ?

કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે ?

 

 

હવે કોઈ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની:

કઝાએ પ ,ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે !

 

 

ઘડીમાં દીપ સળગે છે ઘડીમાં ઓલવાયે છે:

અમારી આ જવાની છે કે પાગલની દીવાળી છે ?

 

 

પતી જાયે છે ઘર મેળે,  અમારે દાન અશ્રુનું !

હૃદય પોતેજ દાતા છે નયન પોતે સવાલી છે.

 

 

રડેછે કોણ એવું પોક મુકી શૂન્યનાં શબ પર?

મને લાગે છે રઝળી પડેલી પાયમાલી છે.! !

 

 

 

 

 

vasiyat

પ્યાસ સહુ ભેગી થઈ—મુહમ્મદઅલી વફા

 

પ્યાસ જો ભેગી થઈ ,તો હરણ થયું

ઝાંઝવા વધતા ગયાં, એજ રણ થયું

 

 

શ્વાસની દોરી થકી  જીવતું જીવન

દોર જ્યાં છૂટી ગઈ ત્યાં મરણ થયું

 

 

આ બધી લીલા મહીં  તું વસેલ છે

હું મથું જોવા અને , આવરણ થયું

 

 

 

હા કશે તું છે!  અને એકલો રહે,

પામવા તારી દયા જાગરણ થયું

 

 

માણસો  ભેગા મળે  ટોળા મહીં ખપે

ઢોરજો ભેગા થયાં એક ઘણ થયું

 

 

પ્રેમના બે બુંદ ભેગાં  થયાં અહીં

એ બધી એ લાગણીનુ ઝરણ થયું

 

 

તું બધાને  આપશે મુક્તિ જે ,લા!* કહે

ને વફા જીવન  મહીં. હૈયા ધરણ થયું

 

 

લા:શાંતિનો શ્લોક :લાઈલાહા ઈલ્લલ્લાહ=અલ્લાહ(ખુદા,ઈશ્વર)ના સિવાય કોઈ ભક્તિને લાયક નથી.

 

શૂન્યની સૃષ્ટિ*****5

 

દૂધને માટે રોતા બાળક—શૂન્યપાલનપુરી

  

ગઝલ સમ્રાટ શ્રી શયદા વર્ણવે છે કે ભાઈ શૂન્યની આ નઝમ દર્દ ભર્યા અવાજમાં સાંભળી ઘણી સ્ત્રીઓને મેં પોક મૂકી રડતાં જોઈ છે.

(દૂધને માટે વલખા મારતા પોતાના બાળકને જોઈ મજૂર માતાને થતી વેદનાનું શબ્દ ચિત્ર)

 

   

દૂધને માટે રોતા બાળક !

 રો તારી તકદીરને રો !

એ ઘરમાં તું જન્મ્યું શાને?

જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે,

ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે

 

દૂધને માટે રોતા બાળક !

 રો તારી તકદીરને રો !

 

 

તયાં જન્મત તો પુષ્પ- હિંડોળે

નર્મ શયનનાં સાધન હોત

મોટર મળતે,ગાડી મળતે

નર્સનાં લાલન પાલન હોત

 

 

સોના રૂપાના ચમચાથી

દૂધની ધારા વહેતી હોત

તું રડતે તો પ્રેમની નદીઓ

તોડી કિનારા વહેતી હોત

 

 

પણ તારા દુર્ભાગ્ય હશે કે

જન્મ તેં લીધો આ ઘરમાં

ફેર નથી જે ઘરના

ઇંસાન અને જડ પત્થરમાં

 

 

હાડને ચામના ખોખામાં તુ

દૂધનાં વલખાં મારે છે

મહેનત નિષ્ફળ જાતી દેખી

રોઈને અશ્રુ સારે છે

 

 

આ ઘરની આ રીત પુરાણી

આદિથી નિર્માઈ છે

મહેનત નિષ્ફળ જાય છે

નિષ્ફળ જવાને સર્જાય છે

 

 

વ્યર્થ રડીને ખાલી તારો

અશ્રુનો ભંડાર ન કર

મોંઘા મૂલાં એ મોતીનો

દુરુપયોગ લગાર ન કર

 

 

તન તોડીને જાત ઘસીને

પેટ અવર ભરવાના છે

શ્રમ પરસેવે રકત નીતારી

મ્હેલ ઉભા કરવાના છે

 

એના બદલે મળશે ખાવા

ગમ ને પીવા આંસુડા

લાગશે એવા કપળા કાળે

અમૃત સરખાં આંસુડાં

 

ભૂખ્યા પેટ ને નગ્ન શરીરો

એ તો છે દસ્તૂર અહીં

ચેન અને આરામ રહે છે

સ્વપ્ન મહીં પણ દૂર અહીં

 

આ ઘરમાં તો એવી એવી

અગણિત વતો મળવાની

ભૂખના દાડા મળવાના

પ્યાસની રાતો મળવાની

 

 

આ ઘરમાં ઉપવાસ ફરજ છે

દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે

ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે

આ ઘરમાં તું જન્મ્યું શાને?

 

દૂધને માટે રોતા બાળક !

 રો તારી તકદીરને રો !

 

 

 

 

 

 

 

શૂન્યની સૃષ્ટિ*****6

એક પાગલની બેડી તૂટી—શૂન્ય પાલનપુરી

 

(આઝાદી પછી પ્રગટેલી પાગલતાનું શબ્દ ચિત્ર)

bedotooti1
beditooti2

શૂન્યની સૃષ્ટિ****7

 

ફનાનો સિતારો—શૂન્ય પાલનપુરી

 

sitaro

Posted by: bazmewafa | 04/11/2009

મુકતકો—સૂફી મનુબરી

હઝલી મુકતકોસૂફી મનુબરી

 

 

sufimuktako

મારી પ્રિય ગઝલભગવતીકુમાર શર્મા

****

બેસ્વાદ રસ પડ્યો—ગની દહીંવાલા

taraspadyo

મારી પ્રિય ગઝલભગવતીકુમાર શર્મા

priyagazalgani

મારી પ્રિય ગઝલહરીશ મીનાશ્રુ

 

***

 

કયામતની ઘડી જાણે–હરીશ મીનાશ્રુ

***
muflisnirevdi1
*maripriyagazhalharish3***

કવિતાના વિચારમાં વિશ્વ વ્યાપી તત્વ—શેખાદમ આબુવાલા

 

અર્થો અને વ્યાખ્યાઓનું જંગલ એટલું ગીચ થઈ ગયું છે કે ઘણી વાર શબ્દો ભૂલા પડેલા બાળકની જેમ ખોવાય જાય છે.

 

પ્રેમ એટલે શું?

 

કવિતા એટલે શું?

 

આવા પ્રશ્નોનાના ઉત્તર ઢગલાબંધ હોય છે.એીના અર્થ અને વ્યાખ્યાઓની જેમ.

 

 એક ભાષામાંથી બીજી ભાષામાં ઉતરતી વખતે કવિતા કાં પોતાનો મૂળ રંગ ખોઈ બેસે છે,કાં પોતાની ચમક વધારી દે છે.એનો આધાર ભાષાંતર કરનાર ઉપર હોય છે.

    તેમ છતાં કવિતામાં આગવો અને મૌલિક વિચાર હોય છે,તે પર ભાષામાં પણ સચવાઈ રહે છે.

 ભાષા કમજોર હોવા છતાં પણ ,તેમાં શરત એટલીજ કે કવિતાના વિચારમાં વિશ્વા વ્યાપી તત્વ હોવું જોઈએ.

   આ સબંધમાં એક દાખલો યાદ આવે છે.

વરસો પહેલાં કોઈ કવિ મિત્ર મને એક મરાઠી કાવ્ય(જોકે ગુજરાતીમાં)સંભળાવ્યું હતું.તેની વિગતમાં ફેરફાર જેવું થઈ ગયો હોવાં છતાંતેનો કવિત્વમય વિચાર હું હજી પણ ગમે તે દેશમાં (અંગ્રેજી કે જર્મનીમાં)રજૂ કરું ત્યારે એ (તેમાંથી વળી ફ્રેંચ,ગ્રીક,રશિયન,ચીની કે બીજી કોઈ ભાષામાં અનુદિત થયા પછી પણ)અસર કરી જવાની.કાવ્યનો ભાવ લગભગ આ પ્રકારનો હતો.

 

પ્રેમિકાએ પ્રેમીને પૂછ્યું:

સૂર્ય અસ્ત થાય છે પશ્ચિમ ક્ષિતિજે

છતાં

પૂર્વની ક્ષિતિજે લાલી કેમ?

પ્રેમીએ (ઉત્તરમાં)

પ્રેમિકાના ડાબા ગાલે

ચુંબન ચોડ્યું

અને….

જમણો ગાલ પણ (લજ્જાથી)

લાલ થઈ ગયો.

 

(જમાલપુરથી જર્મની-106)

 

ધાર જેવું હોય છેમકરંદ મુસળે

 

વીજના ચમકાર જેવું હોય છે,

આયખું પળવાર જેવું હોય છે.

 

લે,કપાયા દુ:ખના દાડા બધા,

જો ,સમયને ધાર જેવું હોય છે.

 

સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,

જૂઠ ખાલી વાર જેવું હોય છે.

 

 

છેડવાથી શકય છે રણકી ઉઠે,

મન વીણાના તાર જેવું હોય છે.

 

ડૂબવાનું મન થશે, લાગી શરત?

આંખમાં મઝધાર જેવું હોય છે.

 

ના કશું ગર્ભિત નથી સંસારમાં,

બે અને બે ચાર  જેવું હોય છે

સુરતનો  ઑલ ઈન્ડિયા મહિલા મુશાયરોગુજરાતમિત્ર સુરત્(13એપ્રીલ2009

 

સદસદા બન કર,ફિઝા બન કર,ઘટા બન કર,સબા બન કર

ન જાને કલ મેં આ જાઉં દરવાજા ખુલા રખના.

ડેશ

દેશની  ટોચની મહિલા શાયરાઓએ એકથી એક ચઢિયાતા ગીતે,ગઝલો રજુ કરી સુરતને તર બતર કર્યું.

suratmushphotos

 

 ((((((((((((((((((((((((((((((((((((co

suraturdnumush1

(Coutesy of GUJRAT MITRA Daily Surat)

For more detail please  Go to following web of Gujarat Mitra,Surat

http://www.gujaratmitra.in/web/

સળગ્યા  ન કરકિસન સોસા

 

કીડી જેવું કંઈ નથી નિરખ્યા ન કર!

થાંભલોટાઢોજ છે,વળગ્યા ન કર!

 

 

નભ તને તારો થવા દેશે નહીં

એક પગે અસ્તિત્વ નિજ ઉંચક્યા નકર!

 

પાન પર બારા ખડીની ભીડમાં

કયાંય ન છાંયો તને, રઝળ્યા ન કર!

 

 

પથ્થરે પથ્થર બની જા તું હવે,

પણી જેવું પાતળું નીગળ્યા ન કર!

 

 

પાલખી કહોવાયેલી પોલી સકલ,

સ્કંધ પર પીળો પવન ઉંચક્યા ન કર!

 

સૂર્ય ઓકી નાંખ તું ઉલ્ટી કરી,

અંદરોઅંદર સત સળગ્યા નકર!

 

 

અંતિમ ઘડીએ—બ્રિજેને મહેતાશબનમ

 

દીવાલથી સરી પડી તસ્વીર કોઈની

આ ભીંત આપણી છતાં તકદીર કોઈની

 

દુ:ખ દર્દ ને વ્યથા સહુ મિલકત છે આપણી,

આ જર જમીન કોઈના,જાગીર કોઈની

 

હું કોણ છું ?તું કોણ છે ?જગ જાણતું નથી

ઓળખતું કોઈ પણ નથી તાસીર કોઈની

 

કાચા સૂતરનો તાંતણો છે માર્ગ મુક્તિનો

રેશમની દોર થઈ શકે જંજીર કોઈની

 

ઉપચાર કોઈ કામ ન આવ્યા આ દર્દ પર,

શીશીમાં શું દવા હશે અકસીર કોઈની?

 

પુરુષાર્થ પાણીમાં ગયો હાર્યું નસીબ પણ

ચાલી જતી,તી નાવડી અસ્થિર કોઈની

 

સદભાવનાં ગગનથી સિતારા ખરી પડ્યા

વીંધી રહી છે રાતને શમશીર કોઈની

 

 

અંતિમ ઘડીએ શબનમ ઉમ્મીદ તો ફળી

ચહેરા ઉપર ક્યાં ગ્લાનિ છે ગંભીર કોઈની

આપણી અસ્મિતા–સાબિર વટવા

 

  હું ગુજરાતી ગઝલના આત્માને ભાષાના વાડામાં છૂંદી નાંખવાનું કહું છું,એમ રખે કોઇ માની લ્યે. એના આત્માંના તેજ તો આપણે આખીય માનવતા ઉપર ઢાળવા છે.ઋંતુ દેહની રચના જ્યાં સુધી ગુજરાતની માટીથી એને એના શૃંગારો ગુજરાતની ધાતુથી નહિ ઘડીએ ત્યાં  સુધી આપણી આ ગઝલોને આપણે આપણી પ્રિય ગુજરાતણો બનાવી શકવાના નથી.અને જ્યાં આપણે એન પૂરે પૂરી ગુજરાતણો નહિ બનાવીએં ત્યાં સુધી તે આપણી વચ્ચે પારકા જેવી દેખાયા કરશે.ગઝલને આપણી સંસ્કૃતિ ,આપણું વાતવરણ આપણું ધ્યેય,અપણી કથાઓ આપણી કહેતીઓ,આપણી ઋતુઓ અને આપણું વાતાવરણ ઇત્યાદિમાં ઉતારવા પડશે.આપણાં જીવન સત્યો અને તત્વોનું પાન જેમ જેમ ,એ જીરવતી જાય તેમ તેમ કરાવતાં રહેવાની અગત્ય વિચારવા જેવી છે.એના ગુજરાતી ઘડતર માટે અને ગુજરાતી ઉપમાઓ અને અલંકારોથી વિભૂષિત કરતા રહેવાનું છે.ગુજરાતી પ્રણય પ્રણાલિકાની કેડી દ્વારા એ કંડિકાઓ ખેડાય તો એમાં આપણને વધુ રસ પડશે એ વાત ચોક્કસ છે.

 

નજરનું  રણ મજનુની દીવાનગીમાંથી માપ્યાં કરતાં અને ફરહાદનું માથું ઇરાની બેલચા(તીકમ)થી ફોદવા કરતાં કે પછી નરગીસની આંખે અને શોસનની જીભે બોલતા અને જોતાં આપણે જરા ખબરદાર રહેવાની જરૂરત છે.આપણી રહેણી કહેણીમાંથી કંડરાયેલી પ્રણય કથાઓ અને આપણી આસપાસ વાસ કરી પ્રફુલ્લ રહેતીપ્રકૃતિની નવ મલ્લિકાઓ દ્વારા સર્જાતી માળાઓમાં કયાંક ખાસ જરૂર ઉભી થાય તો જ આપને આપણી વાડી બહારનું એકાદ પુષ્પ ગુંથી લઈએં. મારો ઉદ્દેશ કાફિયાઅઓ અને ઉદાહરણમાં વપરાતા વધુ પડતા શબ્દો તરફ આવી રીતે સાવચેત કરવા પૂરતો છે.બાકી આપણે આપણાં અભ્યાસને અને જ્ઞાન્ને ખૂબજ વિકસાવીએ,પરંતુ રજૂઆતનો સમય આવે ત્યારે તેને એવી રીતે રજૂ કરીએ કે તેના પારકા પણાં પર આપણાં પરું દીપી ઉઠે.વિચારોના,વક્તૃત્વના,કથનના ઇત્યાદિના સંપર્કમાં ક્યાંક પોતેજ લોપાઈ ન જઈએ તેટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે.

 

 

 

 

 

પથ્થર ન થઈ શક્યું—સાબિર અલી સાબિર

 

 

 

ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું

એક ઋણ હતું રણમાં સરોવર થઈ ન થઈ શક્યું

 

 

હરદમ ગુલાબો છાબ ભરી વેચતો રહ્યો

માળીથી તાજા ફૂલનું અત્તર ન થઈ શક્યું

 

 

દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ

આ મીણ એનું એજ  છે પથ્થર ન થઈ શક્યું

 

 

ખંડેઅ દેખી આશના કંઈ કાફલા રડ્યા

તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું

 

 

હરણાની પ્યાસ સદાની છીપી ગઈ

શું ઝાંઝવાથી કાર્ય મનોહર ન થઈ શક્યું

 

 

પૂછી મને મનસ્વી પ્રયણની કથાસુણો

મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું

 

 

સાબિર નજર ઝુકાવીને ચાલો કદમ કદમ

આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું

 

ગુજરાતનો ઉર્દૂગઝલ દરબાર-2*-નાઝિર દેખૈયા-—–મુહમ્મદઅલી વફા

 

અપની હર બાત પે સોચો પ્યારે

અપને હાલાતપે સોચો પ્યારે

 

સૌદા-એ-દિલકી બાતસે પહલે

અપની ઔકાતપે સોચો યારો.

(પોતાની સર્વ વાતો પર વિચર વિમર્શ કરો.અને પોતાની પરિસ્થિતિ ઉપર પણ વિચારો.અને આ હૃદયના આદન પ્રદાનના  ગંભીર પ્રશ્ને પોતાનાં સામર્થ્ય પર જરા દ્ર્ષ્ટિપાત કરો)

નામ :નૂરમોહમ્મદ દેખૈયા

તખલ્લુસ : નાઝિર

જન્મ :13-2-1921

જન્મ સ્થળ:ભાવનગર,સૌરાષ્ટ્ર

અભ્યાસ:ગુજરાતી બે ધોરણ,સંગીતમાં કલેરીઓનેટ વાદનની તાલીમ

વ્યવસાય: બેંન્ડ(ઇન્ડિયન અભુ બેન્ડ) ભાવનગર

અવસાન :16માર્ચ1988

પ્રકાશનો:
1 તૃષાર ભાગ 1-2,
2 નાઝિરની ગઝ્લો ભાગ1-2,
3 સુનાઁ સદન

 નાઝિર દેખૈયા
16માર્ચ1988 ભાવનગરના મધ્યબિઁદુમાઁથી એક જનાજો નીકળ્યો.ભાવનગરનુઁ એક અણમોલ રતન જન્નત નશીન થયુઁ હતુઁ.
લો હમને મરકે ભી છોડા ન સાથ યારોંકા

ચલા જો કાફલા તો હમ ગુબાર હોકે ચલે

(લ્યો! અમે મરીને પન  મિત્રોનો સાથ છોડ્યો નહીં,કાફલો (જનાઝો) ચાલ્યો તો અમે ધૂલની રજકણ બની સાથે ચાલ્યા).

હમારી મૌતકી નાઝિર જો માંગતે થે દુઆ

ઉન્હીંકી આંખોસે અશ્કબાર હોકે ચલે

(નાઝિર! અમારા મૃત્યુ માટે જેઓ દુઆઓ માંગતા હતા, અમે એમની આંખોમાં અશ્રુ ધારા બની ની ચાલ્યા)

અબ ઈસસે ક્યા પ્યારકા જ્યાદા સબૂત હૈ નાઝિ

કિ દુશ્મનો કિ કાંધપે સવાર હોકે ચલે

(અને નાઝિર. !એનાથી પ્રેમની વધુ શી સાબિતી હોઇ શકે? કે અમે તો શત્રુઓની કાંધ પર સવાર થઈને ચલ્યા.અમારો જનાઝો શત્રુઓ ઉંચકીને ચાલતા હતા)

ઘરથી કબર સુધી નાઝિર દેખૈયાને લઈ જવાન હતાત્યારેજ જનાજાને વારફરતી કાઁધ દેનારા મિત્રોના મનમાઁ શોકની ખરલમાઁ નાઝિરના શેર ઘુઁટાતા હતા,સ્મરણોના પુટ દેવાતા હતા.
ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ_ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁ, અને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફ, વલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.નાઝિરની ગઝલો તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે..

નાઝિર અચ્છા ગઝલકાર ઉપરાઁત એક અચ્છા ગાયક પણ હતા.પોતાની ગઝલને તરન્નુમથી ગાતા ત્યારે વાતાવરણમાઁ કવિતા અને સંગીતની જુગલબન્દીની ખુશ્બૂ પથરાઈ જતી .જેવા સ્વભાવના સુકોમળ તેવાજ અવાજના સુકોમળ .શરીરમાઁ લોહી ઝઝુઁ નહોતુઁ પણ લોહીની મીઠાશ અપરઁપાર હતી.એમણે રુપિયાજ નહીઁ શબ્દો પણ બહુ ઓછા વાપર્યા છે.પણ એ શબ્દોમાઁ વાત લાખ રુપિયાની કહી છે.અને એ અનુભવ વાણી ગુજરાતી ભાષામાઁ કહેવતો તરીકે વપરાવાની છે.

ખુશીથી કોઇને જ્યારે મરી જવાની ઈચ્છા થઇ
તો ત્યાઁથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઇ,

પણ નાઝિર ને જવાની ઈચ્છા નહોતી એટલે કાળ પાછો ફર્યો નહીઁ
નાઝિર કહે:

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.

એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
.****
જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરે મળે ન મળે.
*****
શિષ્ટ મુશાયરા ,રેડિઓ, સમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક નાઝિર દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય તૃષારે ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.
મસ્ત ગાયક શ્રી મનુભાઇ પટેલ ની વિશિષ્ટ રજૂઆત અને મોહક કંઠ મારફ્ત નાઝિરની ગઝ્લો મહેફિલોમાઁ વહેતી થઇ .અને એને દ્વારકાથી કલકત્ત્ત સુધી વહાવી નાઝિર માટે એક શિષ્ટ સહ્રદય વર્ગ ઉભો થયો

આ મર્હુમ નાઝિર દેખૈયાએ ઉર્દૂ ભાષામાં પણ ખેડાણ કરી ઘણી સુંદર ગઝલો ઉર્દૂ સાહિત્ય્ને ચરણે ધરી છે.

વલી ગુજરાતી મર્હુમે ઉર્દૂ પદ્યનો વ્યવસ્થિત રીતે પ્રથમ ઝંડો લહેરાવ્યો.એ પછી ગુજરાતના ગરવા સપૂતોએ એ ઉર્દૂ સાહિત્યના કાફલામાં પોતાનું અર્પણ ચાલું રાખ્યું.

 એમનો કોઇ  ઉર્દૂમાં પ્રકાશિત થયેલ કાવ્ય સંગ્રહ ધ્યાનમાં નથીૢ પણ એમના ગુજરાતી કાવ્ય  સંગ્રહમાં 27 જેટલી ગુજરાતી લિપી માં છપાયેલ ઉર્દૂ ગઝલો એમના ઉર્દૂ તરફના પ્રેમાળ અભિગમની સાક્ષી પૂરે છે.

 

તુમ્હારે દેશમે ભટકેં હૈ અજનબીકી તરહ

કિસીને બાત ભી પૂછી ન આદમીકી તરહ.

અવહેલનાનો મદાગ્નિ જયારે કોરી ખાય છે ત્યારે દિલમાંથી  અજીબ ટીસ ઉઠેછે..વેદના હૈયામાં પોતાનું સ્થાન શોધી લિયે છે. અને આવો માણસ ચિત્કાર કરી ઉઠે છે.કે આવી નિષ્ઠૂરતા.કે તમાર શજેરમાં મારે એક અજનબી અજણ્યા વ્ય્ક્તિ થઈને ફરવું પડ્યું. પરિચય,પ્રેમ અને સબંધો તો દર કિનાર પણ એક અદના આદમી તરીકે પણ અમારો ભાવ પૂછવામાં ના અવ્યો.

           *****

હમારે ઝખ્મકો કબ તક સિયોગે ચારાગાર !

બહાર આતેહી ખિલ જાયેંગે કલીકી તરહ .

આ અમારા ઘાવ ઘણાં ઉંડા છે. અને એઘાવ પણ ઘણાં અંગત મિત્રો પાંસેથી મળેલા છે. એ ઘાવ રૂઝાવાની શક્યતા નહ્હીં વત છે. હે તબીબ ! તમે ક્યાં સુધી એના બખિયા ભરતા રહેશો.એતો એવા ઘાવ છે કે વસંતના આગમનની સાથે કળીઓની જેમ ખિલી નીકળશે.

              *****

આહ ભરનેસે,સિસકનેસે ક્યા હોતા હૈ?

આગ પાની મેં લગાઓ તો કોઈ બાત બને.

પ્રેમ માં આહ ભરવું અને  રડતાં રહેવાથી શું વલવાનું છે૵ પ્રેમ તો એક અગ્નિ પરીક્ષા છે.અને એ નો અગ્નિ તો એવો હૈયે સળગવો જોઈએ કે એના દાહથી પાનીમા6 પન આગ લાગી જાય.ાને જો એવું કર્તવ્ય થાય તો કહેવાય કે પ્રણયમાં કોઇ  ઉંડાણ છે.અને કોઈ વાત આકાર લઈ રહી છે..

          *****

તુ અગર એક જો હોતા તો કોઈ બાત નથી

તેરે સિવા  ભી મેરે દુશ્મને જાં કિતને હૈ

  શત્રુતા નિભાવવામાં તુ એકલોજ હોત તો મન મનાવી લેત.પણ અહીંતો તારા વિનાં પણ મારી જાનનાં ઘણાં શત્રુઓ છે.            *****

જરા ખિંજા(પાનખર)કી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો

બહાર(વસંત) બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે

ઘણો ગર્ભિત ઈશારો છે.વ્યંજના પરાકાષ્ઠાએ છે. કવિ કહે છે કે આ પાનખરની ઈજ્જત પણ કોઈ વસ્તુ છે. એની ઇઇજ્જતનો પન ક5ઈક વિચાર કરો.અને પાનખરની ઋતુમાં ખાલી દિલ્લગીઅને આનંદ માટે વસંતની જેમ શણગાર કરી બહાર નીકળતાં જરા વિચારો.

               *****

ઝખ્મ ફૂલોંકા ખા કર સમજ આ ગઈ

 અબ ચમનમેં કિસીકા ભરોસા નહીં.

કંટકો,પથ્થરોકે ખંજરોની  ઈજાઓ સ્વભાવિક કર્મ છે. પણ આ વિપરિત વર્તન કે ફૂલોનાં પણ જખમ. એ જખમ  ખાઈને હવે સમજણ વધી કી  આ ઉદ્યાનમાં કોઈ પણ ભરોસાને લાયક નથી.

    

નાઝિર દેખૈયા ની ઉર્દૂ ગઝલોનો ગુલદસ્તો

 

 

 

નાઝિર દેખૈયાની ઉર્દૂ ગઝલો ઘણી સાદી અને સરળ ઉર્દૂમાં લખાઈ છે.મીર તકી મીરે કે ગાલિબની ગઝલોની જેમ  સમજવા શબ્દ કોશ જોવાની જરૂરત પડતી નથી.

એમની ગઝલમાં  રવાની સાથે દર્દ પણ ઘુંટાયલું છે.સરળ બાનીમાં ચોટ અને ચમતકૃતિ સર્જે છે.ગેયતા,રદીફ કાફિયાની ચુસ્તી,બહર અને વજનની સુપેરે માવજત ગઝલને ગાવા લાયક અને માણવા લાયક બનાવી દે છે.

  ગુજરાતી ભાષાનો એક નાદિર ગઝલકાર ઉર્દૂમાં પણ પોતાની આગવી પ્રતિભા સર્જે એ સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાનું પણ અહોભાગ્ય છે.

ઉર્દૂ ગઝલમાં  મર્હૂમ નાઝિરે પોતાની લાક્ષણિકતા સાથે તગઝ્ઝુલ અને શેરિયતને પણ ન્યાય કર્યો છે.

 

દેખૈયા દરબારમાં કલેરિઓનેટ પર ફરતી આંગળીઓ સાથે જ્યારે આ ગઝલો ગવાઈ હશે ,ત્યારે વિશિષ્ટ  રંગત અને શબ્દની સરગમો  ડોલી હશે.

 

ચાલો  જરા માણી લઈએં જનાબ નાઝિર દેખૈયા સાહેબેની થોડી માર્મિક ઉર્દૂ ગઝ્લો. 

 

 

1

અનજાન બને બૈઠે હૈં___નાઝિર દેખૈયા

 

ખુદાકી શાન હૈ ક્યા શાન બને બૈઠે હૈં,

રકીબ મેરે નિગેહ બાન બને બૈઠે હૈં.

 

 

લગાકે હાથમેં મહેંદી વ સુર્મા આંખોમેં,

હમારી મૌતકા સામાન બને બૈઠે હૈં.

 

 

ગિરાકે બિજલિયાં આંખેભી ઝૂકાલી ઉસને,

જલાકે આશિયાં અંજાન બને બૈઠે હૈં.

 

 

બહારેં આઈ હૈ જાકે જરા મનાલો ઉન્હેં

વો કૈસે વકત પરેશાન બને બૈઠે હૈં.

 

 

ખુદાયા લુત્ફ કરમ કર તેરે નાઝિરપર.

સુના હૈ બે સરો સામાન બને બૈઠે હૈં.

 

 

 

2

ઉંસે મહોબ્બત હો ગઈ___ નાઝિર દેખૈયા

 

અય ખુદા ! યહ ક્યા હુઆ ,કૈસી કરામત હો ગઈ,

જિનસે થી નફરત મુઝે ,ઉનસે મહોબ્બત હો ગઈ.

 

 

હરત્રફ આહો ગુગાંકા શોર જારી હો ગયા,

સીધે સાદે આદમીકી કૈસી હાલત હો ગઈ.

 

 

યારકે કૂચે તલક હરરોઝ જાના હૈ બુરા,

એ દિલે નાદાં ! તુઝે કૈસી યહ આદત હો ગઈ

 

 

ઉનસે બઢકે કૌન દે સકતા હૈ સજદોંકા સબૂત,

તેરે કદમોંમેં ભલા જિસકી શહાદત હો ગઈ.

 

ખોજ નાઝિરકી જો કરતે હૈં ,ઉન્હેં જા કર કહો

 ઉનકો પરદા હો ગયે ભી એક મુદ્દત હો ગઈ.

 

3

ગુબાર હોકે ચલે___નાઝિર દેખૈયા

 

તુમ્હારી અંજુમનસે બેકરાર હોકે ચલે.

ખુશીસે આયે થે ઔર અશ્કબાર હો કે ચલે.

 

સુકૂન પાએં તો ક્યા પાએં ઐસે લોગોંસે

નજર મિલી ન મિલી શર્મસાર હો કે ચલે.

 

તુમ્હારી નજરે  નવાજિશપે સદકે જાનો જિગર,

નજર તુમ જિસપે કરો વો બહાર હોકે ચલે.

 

લો ,હમને મરકે ભી ન છોડા સાથ યારોં કા,

ચલા જો કાફલા તો હમ ગુબાર હોકે ચલે.

 

હમારી મૌતકી નાઝિરજો માંગતે થે દુઆ

ઉન્હીંકી આંખોંસે અશ્કબાર હો કર ચલે.

 

અબ ઈસસે પ્યારકા જ્યાદ સબૂત નાઝિરહૈ.

 કિ દુશ્મનો&કી કાંધ પર સવાર હો કે ચલે.

 

4 

હાલ ક્યા પૂછ્તે હો___ નાઝિર દેખૈયા

 

બેવજહ કોઈ ભી ન રોતા હૈ.

કુછ નહીં તો કુછ દિલમેં હોતા હૈ.

 

હોશ મુઝકો રહતા નહીં લિલ્લાહ.

સામના ઉનકા જબ કિ હોતા હૈ.

 

જિસને દેખા નહીં તેરા જમાલ,

સુખકી નીંદ વો હી સોતા હૈ.

 

કોઈ તો બાત હૈ મહોબ્બત મેં,

 મુફ્તમેં જાન કોઈ દેતા હૈ.

 

ઠેસ ઉનકે જિગરકો લગતી હૈ,

દર્દ મહેસુસ મુઝકો હોતા હૈ.

 

હાલ ક્યા પૂછ્તે હો નાઝિરકા

કલ વો હંસતા થા ,આજ રોતા હૈ.

 

5

 કોઈ બાત બને.__ _ નાઝિર દેખૈયા

 

રૂખસે પર્દા હતાઓ તો કોઈ બાત બને.

આંખસે આંખ મિલાઓ તો કોઈ બાત બને.

 

મનહી મન બિગડ જાનેસે ક્યા હોતા હૈ?

હાલે-દિલ હમકો સુનાઓ તો કોઈ બાત બને.

 

બાત કરનેકા તરીકા હૈ એક ઇશારા ભી,

ઐસી કોઈ બાત પે આઓ તો કોઈ બાત બને.

 

આહ ભરને સે સિસકનેસે તો ક્યા હોતા હૈ,

આગ પાનીમીં લગાઓ તો કોઈ બાત બને,

 

બાત બનતી નહીં નાઝિરકી યાદ કરને સે,

ઉંકો તુમ અપના બનાઓ તો કોઈ બાત બને. 

   

 

એમના પરિચય માટે નીચેના URL પર કલીક કરવા વિનંતી છે.

 http://bazmewafa.wordpress.com/2007/02/28/naazir-dekhaiya/

 

આ મુઠ્ઠીભર માટી—–અલ્લામાં મુહમ્મદ ઇકબાલ

 

 

આ મુઠ્ઠીભર માટી ,માણસને કેવી દીવાનગી મળી છે.

પરંતુ,ના અંતર ભીતરમાં જે પ્રકાશ થઈ રહ્યો છે

એ પણ એની એ દીવાનગીના પ્રતાપેજ !

 

આ તે કેવી દીવાનગી કે એના વિયોગ ઝૂરી ઝૂરીને

રુદન પણ કરે છે.અને તે સાથે જ એ વિયોગને કારણે

પ્રફુલ્લિત પણ રહે છે.!

   વિયોગે તેને એટલોતો દ્રષ્ટિવાન બનાવી દીધો છે કે

પોતાની સંધ્યાને પોતાની ઉષા બનાવી શકે છે.

    તેણે ખુદીને દાઝની કસોટીએ ચઢાવી ,

તેણે પુરાણા શોકને હર્ષનું યૌવન બક્ષ્યું.

અશ્રુભીની આંખોમાંથી મોતીની સેર વરસી રહી છે.

શોકનાં વૃક્ષ પર મીઠાં ફલો ઝૂલતા હતાં.

 ખુદીને ખોળો ગૂંગળાવવી

 એ નાશને  અમરતા સાથે જાણે સફ બ સફ હારો હાર કરવા સમાન છે.

પ્રેમ , ઉચ્ચ મુકામો,અભિલાષાને ગાંઠે બાંધવી તે પ્રેમ,

અંતિમતાને ઓળંગી વટાવી જવું,પસાર થઈ જવું તે.

પ્રેમને માટે લગની હોતી નથી,

તેનો ઉષા ઉદય સધ્યાને ઓળખતો નથી.

તેનાથી તે અપરિચિત,અજાણ્યો છે.

   તેની વસંતમાં બુધ્ધિ જેવા વાંક વળ હોય છે.

તેની એક પળનો ચમકાર એક દુનિયા જેવો હોય છે.

હજારો વિશ્વ અમારા માર્ગમાં પડ્યા છે.

અમારાં ક્રીડાંગણો અમે કેવી રીતે પાર ઊતરી શકીએ?.

(ઝબૂરે અઝમ-ડૉ.ઇકબાલના ફારસી કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ.અનુવાદકઆચાર્ય મસ્ત મંગેરા) 

સમજાય છે–દિનેશ કાનાણી

 

સાફ સીધોને સરળ ઉપાય છે

આંખ મીંચો તો બધું સમજાય છે

 

 

છે હૃદયમાં એટલું તોફાન કે

આજ દરિયો આંખમાં છલકાય છે.

 

 

 

હા !બધું સંધાય છે એ સાચું પણ

ક્યાં તૂટેલું મન ફરી સંધાય છે?

 

 

 

પૂછવાનું મન ઘણુંયે થાય પણ

કેમ છો બસ એટલું બોલાય છે..

 

 

 

છે લખેલું તો ઘણું યે આસ પાસ

આપણાથી ક્યાં કશું વંચાય છે..

 

 

એક જણ —ધ્વનિલ પારેખ

 

વિશ્વાસની તડમાંથી નિકળતું કિરણ

અજવાસને શોધ્યા કરેછે એક જણ.

આગળ વધીને ક્યા જશે મારા ચરણ?

ઊભો હશે ત્યાં રાહ જોતો એક જણ.

દીવાસળીનાં મૌન જેવી સઘળી ક્ષણ

બસ, આગ લઈ ફરતો રહ્યો છે એક જણ

આવે છે ને પાછું વળેછે આ મરણ

કેવું કવચ ફેરી ફરે છે એક જણ.

આ તીર છે, કે ખુંપતું તારું સ્મરણ

લોહી વહે જોયા કરે છે  એક જણ.

સમસ્યા કશી નથી—રાઝનવસારવી

 

 

ખોટા ન કર વિચાર સમસ્યા કશી નથી.

ખુલ્લાં છે મારા દ્વાર ,સમસ્યા કશી નથી

 

 

માનું છું જે દિવસથી કે સૌથી સુખી છું હું,

દુ:ખ થઈ ગયાં ફરાર સમસ્યા કશી નથી.

 

 

લોકો અમારા  પ્રેમ વિષે બદગુમાન છે,

ઝીણી છે એક દરાર. સમસ્યા કશી નથી

 

 

માહોલ જોઈને તને વિશ્વાસ આવશે,

તું આવ એક વાર સમસ્યા કશી નથી.

 

 

જીવું છું રાઝ મસ્ત કલંદરની જેમ હું,

શું સાંજ શું સવાર, સમસ્યા કશી નથી.

પાલવ ભરી તો જો—કુતુબ આઝાદ

 

 

તુફાન શું છે એનો અનુભવ કરી તો જો,

કાંઠે ઊભો છે શું? અરે સાગર તરી તો જો.

 

પ્રત્યેક પળ મરણ ની તરફ લઈને જાય છે,

તારા જીવનની સામે અરીસો ધરી તો જો.

 

 

જીવન સફળ જીવનનું રૂડું સ્મારક થઈ જશે,

દિલ પર ખુદાનું નામ જરા કોતરી તો જો.

 

 

એની કૃપાઓ જોઈનેજ સ્તબ્ધ થઈ જઈશ,

વરસાદના ટીપાંની ગણતરી કરીતો જો.

 

 

ફૂલો તો બાગમાંથી બધા લઈને જાય છે,

ક્યારેક કંટકોથી એ પાલવ ભરી તો જો.

 

 

ખાબોચિયામાં ક્યાં સુધી ગુંગળાઈને રહીશ,

કેવું વિશાળ વિશ્વ છે તું વિસ્તરી તો જો.

 

 

ઘડતર જીવનનું થાય છે સંકટ સહ્યા પછી,

સંકટ જિંદગીમાં કદી નોતરી તો જો.

 

(સૌજન્ય: તમન્ના 1-9-2007)

 

મથામણ કરું છું—તુરાબ હમદમ

 

 

પ્રથમ મારી જાતે મથામણ કરું છું.

પછી હું ખુદાને ભલામણ કરું છું.

 

 

શું આવ્યા લઈને, ને શું લઈ જવું છે?

સમસ્યાનું આમજ નિવારણ કરું છું.

 

 

ઘણી વાર ઊંડાણમાં હું સરી જઈ,

જીવનની સમીક્ષા ને તારણ કરું છું.

 

 

સમય અનવરત દોસતો હોય છે,

ચરણની હું ચિંતા અકારણ કરું છું.

 

 

મને તો ભરોસો છે મારા ઉપર બસ,

હું જાતેજ ઉભું ઉદાહરણ કરું છું.

 

 

ચહેરા ઉપર કંઈક ચહેરા દીસે છે,

ફકત એક ચહેરો ધારણ કરું છું.

 

 

હમદમ કવિતાની સંગ જીવવું છે,

શબ્દોની સાથે મથામણ કરું છું.

 

જાત બાળી છેએસ.એસ.રાહી

 

 

કોલસાએજ જાત બાળી છે.

એટલે રાત  કાળી કાળી છે.

 

 

ચન્દ્રમાં ગુમ થયો છ એ તેથી તો,

આજ ફાનસની રાત પાળી છે.

 

 

 

કોઈ કામિનીનાં નથી ઝૂલ્ફો,

એ અમાવાસની એક ડાળી છે.

 

 

 

આ પ્રતીક્ષાનો બાંકડો ચે દોસ્ત,

જિંદગી આ સ્થળે મેં ગાળી છે.

પ્રવાસ ચાલે છેએસ.એસ.રાહી

 

હું ફળિયે બેઠો છું ,કિંતુ પ્રવાસ ચાલે છે.

હું તૃપત છું પછી શાની પ્યાસ ચાલે છે.

 

 

જે થાય છે એ અલૌકિક કૃપા છે બસ એની,

પ્રભુની પાંસે તો કોનો પ્રયાસ ચાલે છે?

 

 

તમે આ કિસ્સાને શંકાનો લાભ ના આપો,

ડૂબેલા શખ્સમાં બે-ચાર સ્વસ ચાલે છે.

 

 

ને એટલે તો બગીચામાં ભીડ જામી છે,

ભલે ખરી ગયાં ફૂલો , સ્વાસ ચાલે છે.

 

  શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશી

શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશી

 કવિ શ્રી શયદાનું 30-5-1962ની રાતે 65 વરસની ઉમરે અવસાન થતાં ગુજરાતી ભાષાએ એક લાડીલો કવિ અને લોક પ્રિય સાહિત્યકાર ગુમાવ્યો છે.

 શ્રી શયદાએ અત્યાર સુધીમાં આપણે ત્યાં ગઝલને પગભર કરવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે.મસ્ત, બાલ, દેરાસરી, મણિલાલ નભુભાઈ, કલાપી, ગોવર્ધરામ, ન્હાનાલાલ આદિ કવિઓએ ગઝલની ઉત્તમ કૃતિઓ આપેલી છે.પણ રદીફ-કાફિયા સાચવીને દરેક શેરનું મૌકતિક સ્વરૂપ જળવાય એ રીતની ગઝલો છેલ્લા પચાસ વરસમાં મુસલમાન કવિ બંધુઓએ આપી અને અત્યારે અનેકને હાથે એ કાવ્ય પ્રકાર ખેડાય છે.શયદા એ સૌમાં અગ્રિમ સ્થાનન અધિકારી છે.હવે એ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં સ્થિર થઈ ચૂક્યો છે.કેમકે એમાં શયદા જેવાએ પોતાનું હીર રેડ્યું છે.

                              ગિરા ગુર્જરી ! આ નથી શેર મારા,

                              હ્રદયના છે ટૂકડા હું ચરણે ધરું છું.

  અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં એક નિર્ધન ખેડૂતને ઘેર એમનો જન્મ.નામ હરજી લવજી દામાણી.,1912માં મુંબઈ સમાચારમાંએમની પહેલી કવિતા   હરજી લવજી દામાણી માસ્તર ધોલેરાવાળા એવા નામે છપાયેલી.

        કેળવણી ચાર ચોપડી સુધીની.જીવન સંગ્રામ કપરો.ધીમે ધીમે શયદા ને નામે જાણીતા થયા.વાર્તાઓ, નવલકથાઓ, નાટકો એમ અનેક સાહિત્ય પ્રકારો એમણે અજમાવ્યા છે.મા તેમા‘  નવલકથા ખૂબ લોકપ્રિય થયેલી. કુમળી કળી નાટક રંગ ભૂમિ પર જામેલું. બે ઘડી મોજ સાપ્તાહિક પણ શયદાએ વર્ષો સુધી ચલાવ્યું.પણ એમની મુખ્ય શક્તિ ગઝલકાર તરીકેની.ભાષાની સાદગી અને સચોટતા, ભાવની સુરેખતા અને રચનાની સહજ છટા વડે એમની ગઝલો જુદીજ ભાત પાડે છે.કેટલીક વાર એમના શેરમાં ચતુરાઈને લીધે ચમત્કૃતિઆવે છે.

                               મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,

                                પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

 

  શયદા પોતે ગઝલનો પાઠ પણ ખૂબ ભાવવાહી રીતે કરતા.1953માં  બે ઘડી મોજ ની ઑફિસમાં શ્રી શયદાની સંગતમાં ભાઈ આસિમ  રાંદેરી, સદગત કવિ નસીમ આદિને મળવાનું થયું.શ્રી શયદાને મળો કે શેર છૂટેજ .(ફોન ઉપર પણ એક બે શેર તમને મળે)ભાઈ શ્રી ભાનુશંકર વ્યાસ બાદરાયણ અને મારી ઉપર એમની ખાસ પ્રીતિ.ઉમંગથી સંભળાવે ને નજાકતોથી વાત કરે.(બનાવે વાળો શેર એ રીતે સાંભળવા મળેલો.)મુશાયરામાં શયદાની કવિતા પાઠની છટા સૌથી જુદી તરી આવે.એક પંક્તિમાં નાનાં નાનાં વાક્યોના કે શબ્દ સમૂહોના ટૂકડા પડતા હોય, વાત કરતા હોય એમ શેર રમતા મૂકે.સાઠનો થયો  કરતા એક વખત અમદાવદમાં મારે ત્યાં શ્રી હકીમસાહેબની જોડે આવી પહોંચ્યા.દિલ ભરીને કવિતા સંભળાવી.

     વારંવાર હું વિનંતી કરતો રહ્યો કે તમારી ચૂંટેલી કૃતિઓનો દીવાન આપો..સોએક કૃતિઓ એવી રીતે આપવાની વ્યવસ્થા ચાલે છે, એમ એમણે કહ્યું.સંપાદન કરીને કોઈએ શયદાની ઉત્તમ કૃતિઓ આપવી જોઈએ.

        એ કહી ગયા છે –

                          મેં ગઝલ મરતાં સુધી મૂકી નથી

                           ચ્હાય તેવા હાલ શયદા થઈ ગયા.

    ગુજરાતની ગઝલ સાથે શયદાનું નામ જોડાયેલું રહેશે.

 

(હૃદયમાં પડેલી છબીઓ  1)

 

નોંધ:શ્રી શયદાના નિ:ધન(1962) સમયે આ લખાયેલો લેખ છે.

 શયદાનો ગઝલ ગુલઝારની પ્રથમ આવૃત્તિ 1999માં પ્રકટ થયેલી.એમાં શયદાની ચુનંદા રચનાઓ આપવામાં આવી છે. 

શ્રી શયદા પ્રકાશને એમની ઓગણીસ શ્રેષ્ઠ રચના પ્રકટ કરી છે.

 

  1-હમીદા

2-અમીના

3-મોટી ભાભી

4-ભર દરિયે

5-સંસારની શોભા

6-અમી ઝરણાં

7-પુનિત ગંગા

8-માતે મા ભાગ 1

9 મા તે મા ભાગ 2

10 અનવરી

11- લયલા

12 રાજબા

13 અંધારી રાત ભાગ 1

14 અંધારી રાત ભાગ 2

15 આઝાદીની શમા ભાગ 1

16 આઝાદીની શમા ભાગ 2

17 દેવદુલારી ભાગ 1

18 દેવદુલારી ભાગ 2

19 છેલ્લી રોશની ભગ 1

20 છેલ્લી રોશની ભગ 2

 

પથ્થરની કથા પૂરી થઈ—ઊર્વીશ વસાવડા

 

 

કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ.

શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.

 

 

ટોડલે બાંધેલ તોરણને પણ ખબર ના પડી,

કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.

 

 

એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,

એ ક્ષણે, ત્યારેજ  ઈશ્વરની કથા પૂરી થઈ.

 

 

એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું પછી,

કૈંક પીડા, કૈંક કળતરની કથા પૂરી થઈ.

 

 

શ્વાસની સાથે વણાઈ છે  જીવનની હર પીડા

શ્વાસની સાથેજ જીવનની કથા પૂરી થઈ.

 

 

જીવનની પ્રત્યેક ક્ષણ— આચાર્ય મસ્ત મંગેરા(તંત્રી:  વ.સમાચાર.સુરત)

 

 

pratyekxan_mangera2

સંજ્ઞા હતીરતિલાલ અનિલ

 

 

કાચની યે આંખમાં ઇર્ષા હતી.

જિંદગીમાં એતલી શોભા હતી.

 

 

કંટકો વિણ કયાં કશી આશા હતી !

થોરના પંજામાં ક્યાં રેખા હતી?

 

 

હું ન હોતો ને નહોતું કોઈ પણ,

મોઢા સમા6 ન્હોરાં અને ભાષા હતી.

 

 

જેઠના આકાશ સરખું મૌન છે,

કોઈ વેળા જીભ પર હા, ના હતી.

 

 

માનવી શું અને માનવ સમાજ?

એકલી સંખ્યા અને સંજ્ઞા હતી.

 

 

પાની તો ચાલ્યુંગયું રેતી રહી,

ગ્રીષ્મની એવીજ કંઈ શોભા હતી.

 

તેજનાં કિરણો બધાં સંતાડવાં,

આંખને પાંપણની યે પરવા હતી!

 

 

માનવોના જંગલો ઉગી ગયા,

એમાં મારી કયાં કોઈ ઈચ્છા હતી.

 

 

કોઈનો કંઇ યે પરિચય ના થયો,

એટલું જાણ્યું અનિલ સંજ્ઞા હતી.

(અલવિદા !.103)

 

 

 

સ્મિત રેલાય છે, કેશ વિખરાય છે,

 

 

હોંશિયાળ , એ હૃદય જાળ પથરાય છે.

 

 

 

ગઝલ: વાળ ગું ચવાય છેઅંજુમ વાલોડી

 

આંખ મીંચાય છે.

ભેદ સમજાય છે.

 

 

જામ ઉઠાવું છું હું,

દિલ વલોવાય છે.

 

 

આંસુ થઈ આખમાં,

દર્દ મલકાય છે.

 

લાવ પાલવ જરા,

આંખ ભીંજાય છે.

 

 

હું રડુંછું અગર,

તું વગોવાય છે.

 

 

કોન રહેશે અજળ?

રંગ રોળાય છે.

 

 

દિલની ધડકન ઉપર,

ગીત સરજાય છે.

 

ઝાંઝવાં જોઈને,

 આંખ ભરમાય છે.

 

કાંસકી જોઈને,

વાળ ગુંચવાય છે.

 

 

ગીત  અંજુમ ન ગા,

મિત્ર અકળાય છે.

 

 

(અજંપોત્સવ-6)

 

 

 

 

 

 

બાબ-એ-મક્કાસૂરત___ડૉ.મેહબૂબ દેસાઈ

 

હમણાં સુરત શહેરની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આજનું સુરત સુંદર, વિકસતિઅને અંડર-ઓવર બ્રિજથી શોભી રહ્યું છે.

થોડાં વર્ષો પૂર્વે સુરતની મૂરત કંઇક જુદી હતી. સાંકડા રસ્તાઓ અને ગંદકી તેનીવિશિષ્ટતા હતાં. આ જ સુરત મઘ્યકાલીન યુગમાં સુરત સોનાની મૂરતકહેવાતું હતું.બંદરીય વેપાર અને અંગ્રેજોની વેપારી કોઠીઓ તેની શોભા હતાં.

સુરત શહેરની સ્થાપના અને નામનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુલતાન મુઝફરશાહ બીજાનાસમયમાં ગોપી નામના એક નાગરે જયોતિષીઓની સલાહથી એક શહેર વસાવવાની દરખાસ્ત સુલતાનનેકરી. મુઝફરશાહ બીજાને દરખાસ્ત ગમી ગઇ.

અલબત્ત ત્યારે એ શહેરને સૂરજકે સૂર્યપુરનામ આપવાની દરખાસ્ત થઇ હતી. પણમુઝફરશાહે કોઇ ઇસ્લામિક નામ રાખવાની ભલામણ કરી. ઘણી વિચારણા અને સંશોધનને અંતેસૂરતનામ સૂચવાયું.

કુરાને શરીફનાં પ્રકરણોમાં આવતા શ્લોકોને સૂરા કે સૂરત કહેવામાં આવે છે. એ મુજબશહેરનું નામ સૂરતઅર્થાત્ શ્લોક પાડવામાં આવ્યું. (ફારસી શબ્દનો અર્થ વ્યુપતિકોશ-ભાગ -૪, ડો.છોટુભાઇ નાયક, પૃ.૧૫૩)

ગોપી નામના નાગરે પછી તો વહેપારીઓને સુરતમાં વસવાટ કરવા આવકાર્યા. મુઝફરશાહબીજાના સમયમાં સુરતમાં ઇમારતો બની, બગીચા બન્યા, એક મહોલ્લો વસ્યો. આજે પણ સુરતમાંગોપીપુરા નામે એ મહોલ્લો જાણીતો છે. શહેરમાં એક સુંદર તળાવ બંધાયું. તે ગોપી તળાવનામે ઓળખાય છે.

એ શહેરના વિકાસ માટે મુઝફરશાહ બીજાએ ગોપીને મલિકની પદવી પણ આપી. તેની પત્નીનેરાણીનો ઇલકાબ આપ્યો. એ રાણીએ વિકસાવેલો વિસ્તાર રાણી ચકલાઅને તેણે બંધાવેલુંતળાવ રાણી તળાવતરીકે ઓળખાય છે.

આમ સુરતની સ્થાપના પછી તેનો વિકાસ વણથંભ્યો થતો રહ્યો. ૧૭મી સદીમાં ખંભાત બંદરનોવેપાર ઘટયો. મસ્કતના આરબોએ પણ સુરતના બંદરને વેપારનું કેન્દ્ર બનાવ્યું અને સુરતમાટે સોનાની મૂરત શબ્દ સાકાર થયો. પરંતુ સુરતને બાબુલ-એ-મક્કાનું બિરુદ મળ્યા પછીતેનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો.

બાબુલ-એ-મક્કા અર્થાત્ મક્કાનું પ્રવેશ દ્વાર. અરબીમાં બાબ શબ્દનો અર્થ દરવાજોથાય છે. એ સંદર્ભમાં જ બાબુલ-એ-મક્કા શબ્દ વિકસ્યો છે. મોટા ભાગના મોગલ બાદશાહોહજયાત્રાએ સુરત બંદરેથી જ જતા તેથી સુરત બંદર હજયાત્રીઓ માટે મોટું કેન્દ્ર બનીગયું. હજયાત્રીઓ સમગ્ર દેશમાંથી સુરત આવતાં અને વહાણોમાં હજયાત્રાએ જતાં, પરિણામેસુરતનો વિકાસ થયો. વેપાર-રોજગાર વઘ્યા.

છેલ્લા મોગલ સમ્રાટ ઔરંગઝેબે તેને વેગ આપ્યો. તેણે સુરતમાં હજયાત્રીઓ પાસેથીજકાત લેવાની બંધ કરી. વળી, વેપારીઓને પણ ઓછો કર ભરવાની સગવડ કરી આપી. પરિણામે સુરતસોનાની મૂરત બની ગઇ.

સુરત બની ગયું બાબુલ-એ-મક્કાઅર્થાત બાબ-એ-મક્કા જેવા નામથી જાણીતું બનેલુંસુરત વેપાર ઉધોગના વિકાસને કારણે મોગલયુગમાં બાબ-એ-તિજારત અર્થાત્ વેપારનું દ્વારબની ગયું.

આજે હજયાત્રીઓ મુંબઇને સ્થાને અમદાવાદના એરપોર્ટ પરથી હજયાત્રાએ જતા થયા છે.અમદાવાદનો વિકાસ ઝડપી થયો પરિણામે હવે થોડાં વર્ષોમાં અમદાવાદને પણ બાબ-એ-મક્કાનુંબિરુદ પ્રાપ્ત થાય તો નવાઇ પામવા જેવું નહીં ગણાય

.(વ.સમાચર- એપ્રીલ2009)

 

            પુરાના સમયના મુશાયરા અને નવા મુશાયરાનો તફાવત-. નિદા ફ઼ાજ઼લી

(ઉર્દૂ શાયર અને લેખક )

 

           

મુશાયરા નો સંબંધ સારી અને ગંભીર શાયરીથી  કેટલો છે તે એક ચર્ચા નો વિષય છે.

આપણી સંસ્કૃતિ માં સંતોં ની મૌખિક પરંપરા રહી છે. કબીર દાસ પોતાને અભણ કહેતા હતા. પરંતુ ઢાઈ અક્ષર પ્રેમ ના કાવ્ય રૂપ થી તે  સંગતમાં બેસવાવાળાને  જ્ઞાન પ્રદાન કરતા હતા. ગ઼ાલિબ થી પહલાં મીર અને તેમના પછી મીર દર્દ ના ઘરોં માં મુશાયરાઓ થયા કરતા હતા..

તે સભાઓં માં શાયર અને શ્રોતા એક સ્થાન પર જમા થતા હતા અને ગ઼ઝલો સંભળાવતા હતા, મીર દર્દ, મીર તકી મીરના સમકાલીન સૂફ઼ી શાયર હતા. એમનો યુગ 19વીં સદી છે, મીર દર્દ ના દૌર માં દિલ્લી બે વાર લૂટાઈ. એક વખતે  ઈરાનના નાદિર શાહના હાથે અને બીજી વાર અફગાનિસ્તાનના અહમદ શાહ દુર્રાનીના હાથે.

તે સમયમાં આક્રમણોં એ આવી તબાહી નથી મચાવી, ઔરંગઝેબના પછી ભારતમાં મુગલ સલ્તનતની દિન પ્રતિદિન ઢળતી ઈજ્જતને મહત્વહીન બનાવી દીધી.

તે હુમલાઓથી  ગભરાઈને  મીર અને એમના સાથે ઘણા પ્રતિષ્ઠિત  શાયરો દિલ્લી છોડીને વાજિદ અલી શાહના લખનઊમાં આવીને વસ્યા. એકલા  મીર દર્દજ હતા, જો ઉજડ઼તી દિલ્લી ને છોડ઼વા તૈયાર નહીં થયા.. એમનાં ઘર પર  મુશાયરામાં એક વાર એક મુગલ શહજ઼ાદો  પણ શાયરીના શૌક઼ માં આવી પડ્યો..

તે  પગો લંબાવીને બેઠો હતો. અચનાક મીર દર્દની નજ઼ર તેના પર પડી ગઈ. આ અસભ્ય વર્તન  પર, એને  ટોકતાં કહ્યું કે , સાહબજ઼ાદા આ અદબ(સાહિત્ય) ની મહફિલ છે અને એમાં આ રીતે પગ લ6બાવીને બેસવું એ  બેઅદબી છે. શાહજ઼ાદાએ કહ્યું  ’હું મજબૂર છું…મારા પગોમાં તકલીફ છે. ‘, મીર દર્દે તરતજ  જવાબ દીધો.-’મિયાઁ તકલીફ઼ ને ઘર પર આરામ કરવા દેતે, મહફ઼િલ માં, મહફ઼િલ ના આદાબ નો ખ઼્યાલ કરવામાં આવતે.

તે જ઼માનો અને આ જમાનો

તે જ઼માનામાં મુશાયરાઓ સંસ્કૃતિના  કેંદ્ર સમાન  હતા. છેલ્લા  મુગલ બહાદુર શાહ ઝફ઼ર ના લાલકિલ્લાના મુશાયરાઓ હવે  ઇતિહાસ બનીને રહી ગયા છે…તે મુશાયરાઓમાં ગ઼ાલિબ સંભળાવતા હતા અને જ઼ૌક સાંભળતા હતા, બહાદુરશાહ ઝફ઼ર ગ઼ઝલ વાંચતા હતા અને સાંભળવા વાળામાં મોમિનખાઁ, ગ઼ાલિબ, શેફ્તા અને યુવા શાયર દાગ઼ ભાગ લેતા હતા…તે દિવસોમાં સંભળાવનાર અને સાંભળવા વારા માં આટલું અંતર ન હતુંૢ તેટલું આજે નજરે પડેછે..

આજે  કાચી વયની કન્યાઓ અન્ય પાંસે લખાવેલી  કવિતાઓ સંભળાવે છે. અને છવાય જાય છે.એમાં એવા પણ ઘણા કવિ હોય છે  જે છાપામાં છપાયેલી ખબરોને કવિતા બનાવી સંભળાવે છે. અને  શ્રોતાઓં પાંસે તાળિયો  પડાવડાવે છે.આવા મુશાયરામાં એક વાત ધ્યાનાકર્ષક હોય છે , તે લાગણીશીલ સાંપ્રદાયિકતા..

સારી અને સાચી શાયરીના  દર્શન હવે  મુશાયરામાં દુર્લભજ હોય છે., શેર હોય કે કવિતા, એને સાંભળીને  સમઝવા માટે થોડા સમયની આવશ્યકતા હોય છે., અને સ્ટેજ પર વંચાયલી  ગ઼ઝલના માટે  શ્રોતાઓં પાસે એટલો  સમય નથી હોતો, તેઓ ફાસ્ટ ફૂડ ની જેમ શીઘ્ર સ્વાદ ના વ્યસની કે શિકાર છે. સમય ની વધતી ગતિ   અનુસાર, શ્રોતાઓં ને પણ આવી રચનાઓંમાં આનંદ આવે છે. જેને સાંભળવા માટે  , કોઈ પ્રકાર નો માનસિક અથવા શારીરિકશ્રમ પડતો નથી

એક વાર એક સંયોજકે મને પ્રશ્ન કર્યો  કે તમે  મુશાયરામાં ભાગ લેવાના આટલા બધા પૈસા કેમ માંગોછ?, મારો જવાબ હતો, ‘હું આટલી રકમ એટલા માટે માંગું છું કે  મારે એક સાથે બે કામ કરવા પડે છે.-મારી કવિતાઓ સંભળાવવાની સાથે  અન્ય કવિઓની રચના સાંભળવી પણ પડે છે.. જો મારે મારીજ રચના સંભળાવવાની હોત તો  રક઼મ ની ડિમાંડ અર્ધી પણ કરી શકું છું.’

મુશાયરાની આવી હાલત દરેક  જગ્યાએ સમાન નજર આવે છે.. કવિતાઓ ઓછી સંભળવવામાં આવે છે , હાવ-ભાવ અથવા ગળાની કળા લાગે છે. જેના કારણે સે મુશાયરો તમાશો બની  જાય છે.

ઉંડાણથી જોવા  વાળા શાયર

બે મહીનાં પહલાં મને  અરબ માં દોહા-ક઼તર જવાનો ઇત્તિફાક઼ થયો.. ભારત થી સાડા ત્રણ કલાક  હવાઈ જહાજ઼ ના સફ઼ર પછી મુશાયરામાં  કાવ્ય પઠન કરવાનું હતું.. હું મારા ઉસૂલ પ્રમાણે  એટલાજ પૈસાની શર્ત રાખું છું  જે હું સામન્ય રીતે લઊં છું.. પરંતુ આ વખતે મને લાગ્યું કે પ્લેનની ટિકિટ ઉપરાંત દસ હજર રુપિયા વધુ લીધા છે.

 આ એહસાસનું કારણ આ મુશાયરામાં આવેલ  એક શાયર તૈમૂર હસન તૈમૂર ની મૌજૂદગી અને  એની ગ઼ઝલો હતી.બીજું , કવિતાઓ દેખાડવા છોકરીઓ અને  શોર બકોર કરવા વાળા શાયરોની ભીડ. એમાં  એક એવો  શાયર હતો  જેનું કલામ સાંભળીને મને  પહેલી વાર આનન્દ મળ્યો.અને  પોતાની શાયરી સંભળાવવા  પહેલા એના શેર સાંભળીને એવું લાગ્યું કે …સરહદો ધરતી પર બિછાવવામાં આવે છે., દીવાલો માટીપર  ઉઠાવવામાં આવે છે., પરંતુ સારી ગઝલનું સર્જન દિલ ની ધરતીમાં થાય છે. અને દિલથી સંભળાવવામાં આવે છે..

 નૂહ નારવી દાગ઼ સાહબ ના શાગિર્દ  હતા., એમનું કહેવું હતું કે સારા શેરોનો કોઈ ધર્મ, ક્ષેત્ર અથવા  ભાષા નથી હોતી…તે જયારે પણ સંભળાવવામાં આવે છે , સીમા કે સરહદોને  ઠુકરાવે છે….તૈમૂર પાકિસ્તાનનાં નવી નસ્લના નવિન શાયર છે.. યુવાન છે અને નવી ગઝલમાં નવા ભવો અને ભાષાના  સંરક્ષક છે.. એમનું એક  સંકલન ‘ગલતફ઼હમી મેં મત રહના’ ના  નામ થી પ્રકાશિત થયું છે.. એમના પૂર્વજોની  જન્મ ભૂમિ જમ્મૂ કશ્મીરમાં બારામૂલા નું એક ગામ  ઘાઘરૂ છે. 40વર્ષ પહલા એમનું ખાનદાન શ્રીનગર થી લાહૌર ગયું અને ત્યાં એમનો 1974 માં  જન્મ થયો…એઅના કેટલાક  શેર જુઓ.

સૂરજ હૂં તો હોને દો નમૂદાર(જ઼ાહિર) મુઝે ભી

કરના હૈ તેરી દુનિયા કો બેદાર મુઝે ભી

 

વહ મેરા હૌસલા ઐસા બઢ઼ાયા કરતા હૈ

કિ મુઝકો મેરી નજ઼ર મેં ગિરાયા કરતા હૈ

 

મૈં અપને હિસ્સે કા હંસ લૂ મેરી કહાં હૈ કિસ્મત

બસ અપને હિસ્સે કા રો લિયા હૈ યહી બહુત હૈ

 

દૂસરોં સે તો લડ઼ લૂંગા મૈં

ખ઼ુદ સે લડ઼ના સિખા દીજિએ

 

જિસકો દેખોં વહી સફ઼ર મેં હૈ

હર કિસી કા સફ઼ર અધૂરા હૈ

 

તૈમૂર નું વકતવ્યજ નવિનજ નથી  , એમનું કથ્ય પણ  સદિયોંની  રડતી ગુંગળાતી, દુનિયા ની  શિકાયત કરતી, પત્રકારિત્વ ટાઇપ વ્યંગ્યોં થી દૂર થઈ સંસાર માં જીવો અને જીવવા દો  ના સાહસ અને શક્તિ થી ભરપૂર છે.

આ ગ઼ઝલેં અનુભવોં ની આઁચ માં તપાવેલીૢ એક એવા નવજવાન ની રચનાઓ છે જે ઈશ્વર કી નાઇંસાફી નો પણ  સ્વીકાર કરીને પોતાના  ચિંતનને આકાર આપે છે. તૈમૂર જન્મ થી નેત્રહીન છે, પરંતુ  આ કમી ના બાવજૂદ એણે  બ્લાઇંડ કૉલેજથી ઉર્દૂ માં એમ.એ ની ડિગ્રી પ્રાપ્ત કરી….અને હમણા ગવન્મેંટ કૉલેજ માં પ્રોફ઼ેસર છે….એણે ગોલ્ડ મૈડલ ની સાથે એમ.એ કર્યું, શાદી કરી… અને  બાપ પણ બન્યો….તે આઁખોં ના અભાવ ના બાવજૂદ દુનિયાને ઘણીજ ઉંડી રીતી નિરખી છે.

 (અનુ.વફા)

ડાળ મીઠી થઈ ગઈ—અદમ ટંકારવી

 

એવી એની મહેરબાની થઈ ગઈ

આપણી ઝોળીજ ખાલી થઈ ગઈ

 

તારા દીવાનાનું ઘર આબાદ છે

આખી દૂનિયા ધૂળધાણી થઈ ગઈ

 

જ્યાં સુકાવા નાંખી એણે ઓઢણી

લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

 

એક મુલકમાં એક વાર એવું થયું

ક્રિસમસ ઈદ ને ઈદ દિવાળી થઈ ગઈ

 

આપણે ખાતે અઢી અક્ષર જમા

કેટલી જાહોજલાલી થઈ ગઈ

 

અન્ય રંગો ક્યાં ગઝલમાં શક્ય છે

જ્યાં અદમ ભાષાજ ભગવી થઈ ગઈ

allah1

 

ઉપનિષદમાં અલ્લાહનો મહિમા—ડૉ.મેહબૂબ દેસાઈ

 ‘અલ્લાહ ઉપનિષદ’નો આ અનુવાદ અલ્લાહ કે ઇશ્વરની અપરંપાર શકિતની આરાધના છે. ભારતીય સંસ્કતિના પાયામાં પડેલું એકેશ્વરવાદનું તે પ્રતીક છે

૧૬ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ ગુજરાતના મોટા ગજાના વિદ્ધાન મા. કે. કા. શાસ્ત્રીએ ભાવનગરના શિક્ષક સાલેહભાઈ વોરાને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું, ‘જયાં છેલ્લાં ૬૮ વર્ષથી સેવા આપતો આવ્યો છું. એ ગુજરાત વિદ્યાસભાની ભો.જે. વિદ્યાભવનની લાઇબ્રેરીમાં ૧૮૮ નાનાં મોટાં ઉપનિષદો છે એવો ગ્રંથ સચવાયો છે.એમાં ૧૨૧મું ‘અલ્લાહપનિષદ’ અપાયું છે.

તેની ઝેરોકસ નકલ તરત કઢાવી આ સાથે મોકલું છું. સંસ્કતના કોઈ જ્ઞાતા પાસે જઈ તેનો અર્થ સમજવા પ્રયત્ન કરશો. ઉમર (૧૦૦મું શરૂ) અને તબિયતની નબળાઈને કારણે વિવેચન લખી મોકલી શકતો નથી. એની ક્ષમા ચાહું છું.

સો વર્ષની ઉંમરે પણ આવી સક્રિયતા, નિષ્ઠા નમન માગી લે છે. શાસ્ત્રીજીનો એ પત્ર અને ‘અલ્લાહપનિષદ’ બંને સાલેહભાઈએ મને મોકલી આપ્યા. મેં ‘અલ્લાહપનિષદ’નો અભ્યાસ કર્યો. મોતીલાલ બનારસી, દિલ્હી દ્વારા સંસ્કતમાં પ્રકાશિત અને પંડિત જગદીશ શાસ્ત્રી સંપાદિત અલ્લાહપનિષદ આપણી સર્વધર્મ સમભાવની નીતિને વ્યકત કરતો અદ્ભુત દસ્તાવેજ છે. ઉપનિષદ એટલે વેદનો અંતર્ગત ગણાતો અને તેના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મવિધાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ.

એવા અમૂલ્ય ગ્રંથમાં ‘અલ્લાહપનિષદ’નો સમાવેશ થાય તે બાબત જ કોઈ પણ અભ્યાસુ માટે ઉત્સુકતા જગાડે. એટલે મેં ‘અલ્લાહપનિષદ’ની એ ઝેરોકસ નકલ શામળદાસ આર્ટસ કોલેજના સંસ્કતના વિદ્ધાન અઘ્યાપક અરુણભાઈ જોષીને મોકલી. તેમણે ‘અલ્લાહપનિષદ’નો શબ્દશ: અનુવાદ કરીને મને મોકલ્યો.

‘અલ્લાહ ઉપનિષદ’ અર્થાત્ અલ્લાહનું શરણ એવા મથાળા નીચે તેમાં લખ્યું છે,

‘અલ્લાહ દિવ્ય તેજોમય આકાર વિનાનો મહિમા ધારણ કરી રહ્યો છે. તે પ્રથમથી જ મહામહિવાન અપાર શકિતઓનો માલિક છે. તે સમુદ્ર, પૃથ્વી, આકાશ સર્વનો સર્જક છે.આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ કે સાધારણ સંસારીને ન સમજાય તેવો છે.

દુનિયાનો મિત્ર અને સૌનું ભલું કરનાર છે. અન્નજળ અને શુભાશિષ આપનાર છે. અલ્લાહને હું પ્રાર્થના કરું છું. સર્વસમર્થ (વરુણ) અલ્લાહ સૌ પાક (પવિત્ર) જીવ પર રહેમ કરે છે.

અલ્લાહ સ્વંય પ્રકાશ છે. સૂર્ય-ચંદ્ર સૌ તેના આદેશથી તેજ પામે છે. તેના આદેશથી જ જગતમાં બધું સંભવે છે. અલ્લાહ જ દીઘાર્યુ આપે છે. સુખસાધનો આપે છે.ઇબાદત-સિજદો કરનાર-ભકિત કરનારને તે વધુ સુખ આપનાર છે.

અલ્લાહ જ સર્વોત્તમ છે, સર્વોપરી છે. તે જ સુરેન્દ્ર (બધા જ તેજસ્વી પ્રદાર્થોના માલિક) છે. તે જ સાત ખલકનો જોનાર છે. સાત આસમાન પર મહેરબાન છે.

અલ્લાહ અમારા પર રાજી રહો, કૃપા વરસાવો. અમારી ઇબાદત (ભકિત)થી સંતુષ્ઠ રહો. અલ્લાહ પરદયાળુ છે. એ જ અમારું આશ્રયસ્થાન છે.

અમે સૌ તેના ઋણી છીએ. ઉપકારી છીએ. જેનો કદી કોઈથી બદલો વાળી ન શકાય તેવો એકમાત્ર શરણે જવા યોગ્ય અલ્લાહ છે – આમીન’

‘અલ્લાહપનિષદ’નો આ અનુવાદ અલ્લાહ કે ઇશ્વરની અપરંપાર શકિતની આરાધના છે. ભારતીય સંસ્કતિના પાયામાં પડેલ એકેશ્વરવાદનું તે પ્રતીક છે. આપણી સૌની શ્રદ્ધા કે ઇબાદતનું કેન્દ્ર છે.

સર્વધર્મ સમભાવનો તે જીવંત દસ્તાવેજ છે. અલ્લાહ એટલે ઇશ્વર અને ઇશ્વર એટલે જ અલ્લાહનું તે આદર્શ દ્રષ્ટાંત છે.

(ગુરુવાર ત.1-5-1986)ProphecyInHindubook

ટોરંટો કેનાડામાં પ્રસિધ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’ માં ધર્મ શાસ્ત્ર ના  માનનીય લેખક જનાબ કાસિમ અબ્બાસ સાહેબ તરફથી આ ઉપયોગી માહિતી નુ કટીંગ મળવા બદલ ‘બઝમે વફા’ આભાર વ્યકત કરેછે.

પ્યારું વતન હતું—મહેન્દ્ર ‘સમીર’

 

જેને કહી રહ્યા છો ગગન એ ચમન હતું

અમ બુલ્બુલોનું એ કદી પ્યારું વતન હતું

 

ને તારલાઓ જેમને કહેતા રહ્યા તમે

એકેક અમ ચમનનું ભલા એ સુમન હતું

 

આદિ ને અંત એક હતા જિંદગી મહીં

ના કો’ ધરા હતી ના કો ગગન હતું

 

ના કોઈ યુગ હતો ન વળી કોઈ ક્ષણ હતી

જ્યાં ખુદ સમય તણું ન કો અવાગમન હતું

 

સાકી અમે જામ અમે મય-સદન અમે

કૌસરની ઘૂંટથીજ ઘડ્યું તન બદન હતું

 

સૈયાદ ખુદ અમેજ હતા બાગબાં અમે

કીધું ધરા પ્રયાણ તે પહેલું પતન હતું

 

જેને ધરા કહે છે તસવ્વુફ ‘સમીર’ એ

માનવ અનાદિ કાફલાનું કૈં મનન હતું.

બધી બાજુએ પ્રમાણ્યા પછી—આદિલ મન્સૂરી

બધી બાજુએ પ્રમાણ્યા પછી
શબદ સર્વ એને સરાણ્યા પછી.

અમારી મુસીબતને જાણ્યા પછી
થયા મિત્ર કેવા અજાણ્યા પછી

અટકવાનું તો નામ લેતો નથી
આ ઇચ્છાનો ઘોડો પલાણ્યા પછી.

સમંદર જુઓ કેવો હાંફી રહ્યો
બધાં નીર નદીઓનાં તાણ્યાં પછી.

બધુંએ પવનનાં ભરોસે હતું
 હલેસાં અને શઢ વહાણ્યા પછી

બધા ખૂણે ખૂણા પ્રકાશી ઉઠયા
ગઝલ ગુર્જરી ઘરમાં આણ્યા પછી.

પ્રથમતો બધાને જનમવા દીધા
અને સૌને છેલ્લે મસાણ્યા પછી.

જરા વારમાં દાઢે વળગી પડી
સહજ ખીચડીને વખાણ્યા પછી.

કરો વૃધ્ધાવસ્થાની તૈયારીઓ
ક્ષણે ક્ષણ યુવાનીની માણ્યા પછી

બીજી ઓળખાણો ન કરવી પડી
પ્રથમ ખુદને ‘આદિલ’ પિછાણ્યા પછી.

.

શમણાં વેચું—દીપક બારડોલીકર

શ્બ્દ વેચું અને શમણાં વેચું
હું તો શાયર છું કવિતા વેચું.

ખેત મારાં ને ફસલછે મારી
કોઈને શું જો કણસલાં વેચું.

એક ધૂણીજ  ધખે છે ભીતર
ધૂમ્ર ગોટા કદી ભડકા વેચું

રાખ થૈ જાય ભલેને વસ્તી
શેરી શેરી હું પલીતા વેચું.

પાણી -પાણી ભલે કરતા લોકો
હું તો દુશ્મનને સરિતા વેચું.

કોઈ ખૂશ છે બે જવાબો વેચી
હું તો આખીજ પરીક્ષા વેચું.

આ છે મુંગા ને બહેરા લોકો
હુંય બેઢંગા પિપૂડાં વેચું.

બોલબાલા છે તમાશાઓની
ફાલકે બેસું તમાશા વેચું.

શાસ્ત્રનો દમ હું ભિડાવું ‘દીપક’
ને ધરમનાય ઈજારા વેચું.

 દરિયાથી રણ સુધી-બાલુભાઈ પટેલ

પાણીજ કયં વર્તાય છે ,દરિયાથી રણ સુધી.

લીલી તરસ સુકાય છે ,દરિયાથી રણ સુધી.

ચાલે છે રોજ કોઈ પલળતા પગે અહીં

રેતી બધે વેરાય છે ,દરિયાથી રણ સુધી.

ભીનાશનું તો કયાંયે કશે નામ પણ નથી

આ શું છે જે છલકાય છે,દરિયાથી રણ સુધી?

 રસ્તામાં રેબ ઝેબ આ રેતીના કાફલા

ભૂલા પડી જવાય છે,દરિયાથી રણ સુધી.

  

બાલુ કોઈને ક્યાં પરબા માંદવી નથી

બાકી બધુંય થાય છે ,દરિયાથી રણ સુધી.

હું સરેરાશનો માણસ—હરીન્દ્ર દવે

હું સરેરાશ માણસછું નીકળી જઈશ
કોઈ ઓળખશે નહીં,સર્વને મળી જઈશ

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું
હું નર્યા મીણનો માણસ છું1 ઓગળી જઈશ

છું હવા, ને હવાને વળી વિસ્તાર કયો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ

કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત
જળના ટીપાંથી હું આંખોને ખળભળી જઈશ

અસમંજસની ક્ષણમાં પેસી—હરીશ મીનાશ્રુ

અસમંજસની ક્ષણમાં પેસી ગબડ્યા કરશે
આ વાસણ કૂસણમાં પેસી ખખડ્યા કરશે

બટકબોબડા ઘુઘરા જીભે બાંધી પંડિત
પોથીના રીંગણમાં પેસી બબડ્યા કરશે

મૃગજળ- ધોઈ જાત સૂકવવા ખુલ્લે ડિલે
પડછાયા પહેરણમાં પેસી લબડ્યા કરશે.

કિચૂડ કિચૂડ ચાવી જઈ ઘરનેૢ બેય કમાડો
 સોંસરવા સગપણમાં પેસી સબડ્યા કરશે

મનના સઘળાં પુરાતત્વ તે અંધ ગોખલે
ઈશ્વરના ઘડપણમાં પેસી ઝઘડ્યા કરશે

એક થકી બહુરૂપ બની વિહવળ અજવાળું
અહીં અઢાર વરણમાં બેસી દદડ્યા કરશે

નથી કવચ કે કુંડળ૰ આ ઘાયલ પરપોટા
પળના સમરાંગણમાં પેસી ત્રફડ્યા કરશે

 *

સમયની બંધ છીપમાં અંધકારનો ગર્ભ પોષાય છે

બધાજ દ્વારો વસંતના—ચાર્લ્સ જી.ડી.રૉબર્ટસ(કેનેડાનો અંગ્રેજી કવિ 1860-1943)

એપ્રિલના આગમન સાથે

આળસ મરડતી ડાળખીપર

લીલાશની પાતળી રેખાઓ પ્રિયે કેવી આહ્લાદકતા પ્રસારે છે

મારું થાકેલું હ્રદય રોમાંચિત થઈ ઊઠે છે

અને છેલ્લે દર્શન આપે છે

સ્વપ્નનાં રંગો વાદળો અને વૃક્ષપર છવાયેલા

કેટલા બધા સુશોભન

વાતાવરણ રહસ્ય ઉકેલેછે

અને આનંદ રોમાંચિત સ્વરે ગાઈ છે

અને પાંખોની ગૂંથણીનાં દ્ર્શ્યો

અને વસંતની ઉત્કટ હૂંફ.

અને તુ!

(અંગ્રેજી પરથી અનુવાદ-વફા)

 

થયો ઇંસાનિયતનો આજ આ કેવો વધારો પણ?

નિહાળી દૂર નાસેછે, કોઈને હાંક મારો પણ !

 

ખૂટ્યા વિચારો પણ –જનાબ આઈ.ડી.બેકાર

 

khootya vicharopan_Bekar

જ.મસ્ત ‘હબીબ’ સારોદીનાં કત્આત અને મુકતકો

 

1

નિષ્ઠુર

 

પ્રકૃતિમાં  એમની ઈંસાનિયત મુદ્દલ નથી

દંભથી કિંતુ અહીં ખાટી ગયા એ માન છે

 

એજ આશામાં અંતે એ કૃપાવંત થઈ  જશે

એક બેનાં શું,હજારોના ગયા ઈમાન છે

 

2

અપરાધી સૌંદર્ય

 

ના અભિશાપ દે જમાનાને

કે જમાનો છે કેટલો નિર્દય?

 

કાલ સમજાશે સત્ય,કીધો છે

તારા સૌંદર્યે ,પ્રેમનો વિક્ર્ય.

3

દુર્ભાગ્ય

સંજોગોનો છે દોષ કે ખૂબી એ ભાગ્યની

એવાજ સદગૃહસ્થોની સાથે પડ્યું છે કામ

 

આપું હું જૂઠને જો સમર્થન તો થાય ખૂશ-

બહાનું અગર બતાવું,,કહેછે નિમક હરામ!

4

મારી કળા

પ્રમાણસર છે અલંકૃંત  પ્રમાણસર છે સરળ

જરૂર જેટલી છે બે ખુદી ને હોંશિયારી

 

ફકત જીવાતા જીવનનું છે વાસ્તવિક દર્શન

કળાના ધર્મને આધિન છે શાએરી મારી

5

ઉચ્ચગામી

’કળાની સૂઝ’ સમજવા કળા જરૂરી છે

કરેશું રૂપનાં દર્શન રતાંધળી આંખો

 

એ પામવાના  મને ક્યાંથી એટલે ઉંચે

જો ‘શાહબાઝ’ ની દ્ર્ષ્ટિ અને નથી પાંખો

 

6

આગાહી

વિચાર કોઇના ને એમની છે ફિશિયારી

ગઝલ એ ગાય છે એવી નથી ગઝલ સારી

 

પ્રભાતે થઈ જશે નિસ્તેજ આગિયા એવા

ચમક છે જેમની અંધારાનેજ આભારી

 

7

એક માર્ગીને

પ્રવર્તમાન કલાથી રહ્યો નથી તું સજાગ

સમયની માંગ છે એમાં ન તો જીવનનો રાગ

 

કૃતિમાં તારી મને મિત્ર એ ન સમજાયું-

હૃદય છે કેટલું એમાં ને કેટલું દિમાગ?

 

ચાલ સાથે જીવીએ-દિનેશ ડોંગરે ‘નાદાન’

જિંદગીની આ એક પળ છે ચાલ સાથે જીવીએ
મોતની ઘટના અકળ છે ચાલ સાથે જીવીએ

જીવતર છે આપણું ને જીવવું છે આપણું
પ્રેમના મારગ અકળ છે ચાલ સાથે જીવીએ

વેદના મારી અહીં આંખો મહીં છલકાય છે
યાદના જળમાં વમળ છે ચાલ સાથે જીવીએ

કસ્તૂરીની શોધ કરવા ક્યાં સુધી રઝળીશ તું?
આપણું જીવન કમળ છે ચાલ સાથે જીવીએ

આ જગતના બંધનો ‘ નાદાન’ તોડી લે હવે
જીવવાની આજ પળ છે, ચાલ સાથે જીવીએ

(શહીદે ગઝલ-જુન*ઓગષ્ટ 2007)

લઘુ કથા

સત્યવાનની સાવિત્રી-શ્રી જય ગજ્જર

 એણે નીલાંબરીનું  શબ ઉપાડ્યું- નીલાંબરી સ્નેહ લગ્નને વરેલી એની પત્ની હતી.એ મંદિરે ,મસ્જિદે,અગિયારીમાં,એકે-એક ધર્મસ્થાને ગયો.ઈશ્વરને,અલ્લાહને,ઈશુને,જરથોસ્ત્રને યાચના કરી, ‘મારી નીલાંબરીને સજીવન કરો’.

Satyavansavitrijaygajjar

(‘શરદ તારું ગુલાબ અને બીજી વાર્તાઓ’ ના સૌજન્યથી)

ચોખાના દાણા પર ગીતાના શ્લોક- ભગવતી કુમાર શર્મા

ગુલ’ કંઈ અલગ
સર્જન કરો

Gul_0001[1]

Gul_0002a

Gul_0002B

Gul_0003

અહમદ ‘ગુલ’ ની ગુલ પાંખડીઓ 

ટૂકી બહેરની ગઝલો

1

છકેલી આંખ

 

છકેલી આંખ

ગમેલી આંખ

ઝરણ થઈને

વહેલી આંખ

પ્રતીક્ષામાં

ડૂબેલી આંખ

મિલન ટાણે

ઝુકેલી આંખ

મને નિરખી

ઢળેલી આંખ

 સદા કાતિલ

બનેલી આંખ

 છબી થઈને

મઢેલી આંખ

2

તણયો છું

 

 તણયો છું

હણાયો છું

 આ દ્રશ્યોથી

ડઘાયો છું

 નયન નમણે

ઘવાયો છું

વતનમાં પણ

પરાયો છું

 બહાનાસર

ભુલાયો છું

જગે ઉન્નત

ગણાયો છું

હું શબ્દમાં

સમાયો છું

 

3

મઝાનું ઘર

 

 મઝાનું ઘર

સુહાનું ઘર

થયું પડતર

વફાનું ઘર

 બદન છે કે

દવાનું ઘર

 તને જોવા

દીવાનું ઘર

ઝૂરે તારા

વિનાનું ઘર

જગે છોડી

જવાનું ઘર

હાથ તાળી જોઈએ—રશીદ મીર

 

શક્યાતાઓને તપાસી જોઈએ,
ઝાંઝવાનાં છળને ગાળી જોઈએ.

શ્વાસના સિક્કા ઉછાળી જોઈએ,
સાત પગલાં સાથે ચાલી જોઈએ.

ઘર વિશેની અટકળો સાચી પડે
ભીંતના કિસ્સાઓ વાંચી જોઈએ.

મૃત્યુથી ઓછી નથી એ ક્ષણ છતાં,
આ વખત પણ મનને મારી જોઈએ.

આ વખત પણ ધારણા ખોટી પડી,
આ વખત પણ હાથ તાળી જોઈએ.

ભોગવે છે કોણ હદ પારી હજી?
આયના આંખોમાં ઢાળી જોઈએ.

કેમ કોઈ દર્દનું કારણ નથી
’મીર’ ઘોરી નસ કાપી જોઈએ.

(ખાલી હાથનો વૈભવ-55)

Posted by: bazmewafa | 05/19/2009

એકાંત—અઝીઝ ટંકારવી

હું મળું છું કયાં તને એકાંતમાં

એકાંત એટલે જાત સાથે વાત કરવાનો સોનેરી અવસર.પણ આજના માનવીને એ અવસર ટાળવાનું ઘેલું લાગ્યું છે. એટલેજ તો એ ટોળામા, ભીડમાં, જેટલો બને એતલો વધુ રહેવાનો પ્રયાસ કરતો રહે છે.જ્યારે સુફી સંતો પોતાના મુકામ મોટે ભાગે ભીડથી , માનવ મહેરામણથી દૂર સુદૂર એકાંત પ્રકૃતિની ગોદમાં રાખતા હોય છે.

Aekant1

Aekant2Aekant3

(ગઝલના ગુલમહોર -5)

સમંદર હોય તેથી શું?— તથાગત પટેલ

સમંદર હોય તેથી શું? પલળવાનું નથી ગમતું
ડબામાં બંધ સિક્કો છું ખખડવાનું નથી ગમતું

ગમે ત્યારે અગન લાગે અને સપડાય તન એમજ
કશું બાકી રહે એવું સળગવાનું નથી ગમતું

તડપનો આગવો માહોલ મનમાં જાળવું છું હું
ગમે તેને વચાળેથી તરસવાનું નથી ગમતું

ઉપરવાળો અચાનક ત્રાટકે કોઈ બહાને પણ
રહ્યું જે ભીતરી થાનક બદલવાનું નથી ગમતું

મને તો ખ્યાલ છે કે હું અને તું માં બધું આવે
હવે આથી વધારે કૈં સમજવાનું નથી ગમતું

ભર બજારે—દીપક બારડોલીકર

એમને કહેવું હતું મારે ઘણું
મન મહીંયે ખ્યાલનું ટોળું હતું

કિંતુ કાંઈ પણ કહી શક્યો નહીં
મળ્યા તોયે હું મળી શક્યો નહીં

એમને જોતાંજ ખોવાઈ ગયો
ભર બજારે જાણે લૂંટાઈ ગયો.

સંસદ તો લોકશાહીનું પિયર, મોસાળ હોય !

Marod1
Marod2
Marod3

Marodlast

તથ્ય પંખી—હરેશ તથાગત

બંધ શેરીના મકાનોમાં ન જા.
જર્જરિત ‘હું’ ના સવાલોમાં ન જા.

તથ્ય પંખી ! પિંજરું વિશ્લેષ ,
બસ પાંખ વેચે એ બજારોમાં ન જા.

મન તજીને મૌલવી પોતેજ થા,
કોઈની જૂઠી નિશાળોમાં ન જા.

એક ટપકું ગામ આખું થાય જ્યાં,
એટલા ઉંચા મિનારોમાં ન જા.

એક પળ માટેય કર નિજ દીવડો,
ધર્મની બૂઠી કિતાબોમાં ન જા.

મૌલાના અબુલ કલામ આઝાદ: આજના મહાન અકબર—સી.રાજગોપાલાચાર્યજી

 જો આજે ભારતમાં આપણા દેશ પર 400 વર્ષ પૂર્વે શાસન કરનાર મહાન અકબરની અગાધ સમજ અને સેળભેળયુકત વિચારસરણી દર્શાવનાર કોઈ ન હોય તો મૌલાના અબુલ કલામ આઝાદ તો છે.અકબર પણ તેના અનુગામી મુસલમાનોથી નિરાશ થયા હતા તો મૌલાના અબુલ કલામા આજે સંગથિત મુસ્લિમો તરફથી કોઈ પ્રતિભાવ ન પામે તો શા માટે આપણને નવાઈ લાગવી જોઈએ, તેમ છતાં ઈતિહાસ અને મહાન તેજસ્વી સ્ત્રી-પુરુષોના વિચારો,જ્યારે લાગણીઓ શાંત પડી જાય અને માનવીના નિર્ણયો મુક્ત બન્યા હોય ત્યારે મૌલાનાની સેવાઓની કદર કરવામાં નિષ્ફળ જશે નહિ. કેમેરા તેમજ આકસ્મિક મુલાકાતી માટે મૌલાનાનો ચહેરો ગંભીર છે.પરંતુ જેઓ તેમનાથી વધુ નજીકથી આવીને સ્પર્શ્યા છે તેમને હાસ્ય અને સૌજન્યશીલતાની અસિમ ભાવના જાણવા મળી છે.તેમનો વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણ અને વિસ્તૃત વિદ્વતા અંગ્રેજા યુનિવર્સીટીના શિક્ષણ સાથે જોડઅયેલાઓ માટે આવાં લક્ષણો આશ્ચર્ય જનક છે.
આગ્રામાં અકબરની કબરનાં મહાન ઓરડાઓમાંથી એકમાં કોઈ પણ સમયે જો ધર્મ અને સંસ્કૃતિઓની પરિષદ મળે અને તેમાં મને સહભાગી બનવાનું થાય તો અધ્યક્ષપદના સ્થાન માટે મૌલાના અબુલ કલામની દર્ખાસ્ત હું રજું કરું.

(અબુલ કલામ આઝાદ- વેરિન્દર ગ્રોવરપૃ-227)

શ્રી મનહર ચોકસીના ચૂંટેલા શેરોનો ફૂલહાર—વફા

 

1

સૂરજ બનીને હું ય ક્ષિતિજે ઊગી ગયો

ઉલ્લેખ મારો એમના હોઠો ઉપર હતો

2

ડર એજ છે કે મૌનમાં પૂરી થશે સફર

ચાહી રહ્યો છું હું તને ક્યારે ખબર પડે?

3

વાદળો ને જોઈ પુલકિત થાઉં છું

એ જ છે ભગવાનન હસ્તાક્ષર.

4

એને ઊતરતાં પ્રાણ તો કંઠે ચડી ગયા

તારા વિરહની રાત તો ઉંચો પહાડ છે.

5

છે એની શોધ પતઝડને જે બહાર કરે

અમારા ભાગ્યની રેખામાં ફેરફાર કરે.

6

રામ મારા હોઠ પર આવી ગયા

ત્રીશ જાન્યુઆરી આજે તો નથી

7

અવકાશમાં ઉદાસ નજર દોડતી રહે

લાગે કદીક તારા વગર બોજ શ્વાસનો.

8

કોઈ પણ નેપથ્યને જાણે નહીં

એજ તો દેખાય જે આગળ બને.

9

આજ ઉપવન યાદનું જંગલ સમું લાગે મને

કેટલાં વૃક્ષો ઉપર ભેગું અમારું નામ છે.

10

આ વર્તમાન ટીપે ટીપે ઓગળી રહ્યો

ઝાકળના આયનામાં પ્રણયનું નસીબ છે.

11

મનને ઓળખવાનું છોદી દો તમે

શું કહી શકશો હવા સબંધમાં.

12

સાત જન્મોથી એ વાગોળી હતી

વાત જે એણે અહીં પૂછી હતી.

13

એટલે તો દર્દ પડછાયો બની લંબાય છે

હું મને ના ઓળખું કે જાણું ના મારો સ્વભાવ.

14

જો હું ‘કહું તો થાય’ ની મોસમ નથી રહી

વીતી ગયેલું સુખ હવે સંભારવું નથી.

15

વાત જે તુ મુજને કહેવાની નથી

ફૂલની ફોરમમાં બંધાઈ ગઈ.

16

‘લિપ્સ્ટીકો’ના રંગ ફેલાઈ રહ્યા

ધીમે ધીમે એમાં મલકે છે શહેર.

17

નજરને હોઠની ભાષાઓ સાવ જુદી છે

સરે જે હોઠથી એ વાત તો મનાય નહીં

18

બહુ ધીમી ગતિએ પણ નિકટ આવી ગયું કોઈ

ધબકતા લય વિષે ગુંજ્યા કરે આભાસનો પગરવ.

19

ગુફતગૂની મહેક પણ કેવી હશે?

વાત સાંભળવાને અટકે છે પવન.

20

કદી હું તાર પ્રતિ જોઉં છું

વહેતી નદીની ગતિ જોઉં છું

21

કોમળ વચનનું એક કમળ ના ખીલી શક્યું

રેખાઓ પણ હથેળીમાં નિષ્પ્રણ થઈ ગઈ

 

 

(ચૂંટેલા શેર શ્રેણી- મનહર ચોકસી ના સૌજન્યથી)

 

હું બનીને આયનો—મધુકર ઉપાધ્યાય

હાથ જેવો હાથ તાળી દે અને જોયા કરું,
ખાબકીને ઝાંઝવામાં હું મને જોયા કરું.

હું નથી કૈં જાળ, જળ કે મીન પણ એટલે,
કાંકરી કો નાખતું ને સ્પંદને જોયા કરું.

જે સતત ગુંજ્યા કરે આ વિશ્વના ગુંબજ મહીં,
આંખ મીચી એ અનાહત નાદને જોયા કરું.

હું હવે તો હુંજ છું, બસ હુંજ મારી સોબતે,
હું બનીને આયનો, મુજ બિંબને જોયા કરું.

શોધમાં જેની હતો એ શું હતું ને ક્યાં ગયું?
મંઝિલે પહોંચ્યા છતાં પંથને જોયા કરું.

રેશમ લખે છે-મનીષ પરમાર

 

 

કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે

એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે

 

પથ્થરોમાં કોતરાતી યાદ તારી-

દોસ્ત તારો સાદ લીલુંછમ લખે છે

 

આ હવામાં સ્પર્શ તારો સળવળે છે

ટેરવાં,કાગળ સમું રેશમ લખે છે

 

પત્ર તારો આવશે એવી દિશાથી

રાત આખી કોણ આ શબનમ લખે છે

  

આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું

કોણ આ દુ:ખો અમને કાયમ લખે છે

 

  

લાગે શહેર મારું—રમેશ પારેખ

 

લાગે શહેર મારું આ ઉઠતી બજાર કેમ?
લેતી હવાલો મારો ઉદાસી ધરાર કેમ?

ઝેરી હવાનો ચાલે અહીં કારોબાર કેમ?
મુરઝાવતી મનુષ્યને ખીલતી બહાર કેમ?

જુએ મનુષ્ય પુષ્પનું સપનું જરીક ત્યાં,

કાંટાઓ એને વાગે ચરણમાં હજાર કેમ?

સોદાઓ થાય પ્રેમમાં ને ધર્મમાં અહીં,

લોકો કરે છુરીના પરસ્પર પ્રહાર કેમ?

વ્હાલપના હર મુકામ અહીં ધ્વસ્ત કેમ થાય?

ધિક્કારનોજ થાય ઉઘાડો પ્રચાર કેમ?

ખાતા વહીમાં વહાલ તું જમા કર્યા કરે,
માંડે રમેશ તાર ગુનાઓ ઉધાર કેમ?

તું લંબાવે હથેલી—રાજેન્દ્ર શુકલ

 

 

છલોછલ જે ભર્યુંતું તે કર્યું ખાલી હવે.

તું લંબાવે હથેલી તો દઉં તાલી હવે.

 

નિમંત્રણ વિણ મહેફિલમાં આવી ચડ્યો,

રજા આપી શકે જો તું જઉં ચાલી હવે.

  

ગયાં પર્ણો, ખર્યા પુષ્પો, વસંતો પન ગઈ,

અચાનકા એકલી આ વેલ કૈં ફાલી હવે.

 

પદારથ પિંડમાં અને પિંડ આ બ્રહ્માંડમાં,

સકલ પીડા ય  તે લાગે વહાલી હવે.

 

મળ્યો અવસર, અમોલખ આંગણે આવી ઊભું,

અદીઠાનું અડોઅડ તે લિયો ઝાલી હવે.

 

તારો વિચાર આવે¬—હર્ષદ ચંદારાણા

 

તારો વિચાર આવે હવે હાથવેંતમાં

ખળ ખળ થતી થાય નદી હાથવેંતમાં

 

તારું મિલન ભલે અહીં પળવાર સંભવે

પળનો પછીથી અર્થ સદી હાથવેંતમાં

 

બે હાથથી ઉપડતો નથી ઠાલા છે પ્રયાસ

તારી ચબીનો ભાર જરા હાથવેંતમાં

 

ધરતીની જેમ કંપે હથેળી જો સ્પર્શથી

કેવા થનાર ધ્વંસ હજી હાથવેંતમાં?

 

મોજાં સમી હજાર છે કલ્પનની આવ-જા

દરિયાઓ ઘૂંઘવે છે વળી હાથવેંતમાં

‘ બેફામ ‘ના મકતાના શેરોનો વિષાદ-’બેફામ’

 

1

 ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

2

જગતમાં સ્વાસ વિના કંઈ કમી નથી બેફામ

પવન તો કબ્રની ફરતોય અવતો જ રહ્યો

 

3

અપાર  કેમ ખુદાની દયા હશે બેફામ

શું માનવીના ગુનાહમાં કસર રહેલી છે

4

 

થજો ગઝલ્નું ભલું  કે મને હતું બેફામ

હૃદયનાં દર્દની મુજથી  પુકાર નહિ થાશે

5

હરેક પ્રસંગ પ્રણયનો વિશિષ્ઠ છે બેફામ

કહાણી જાણે કે થઈ ગઈ ખલાસ લાગે છે

6

એ તારી દ્ર્ષ્ટિમાં બેફામ થઈ ભટકવાનો

જે તારી નેન સુરાનુ6 જગત નિહાળી લે

7

ફરી ન આવી શકે મારી જિંદગી લૂંટવા

મરણની કેદ છે બેફામ આ મઝાર નથી

8

પ્રણય કહાની જગતને હું શું કહું બેફામ?

છે એજ વાત જે એને ગમી નથી હોતી

9

અકાળે મારશે નહિતો મને જગત બેફામ

છુપાઈ રહેવાને માટે મઝાર શોધું છું.

10

જીવનમાં આવી છે સંપૂર્ણ જાગ્રતિ બેફામ

દિવસના પણ હું હવે અંધકાર જોઉં છું

11

ખુદાને યાદ કરું નહિ તો ,શું કરું બેફામ?

આ સંકટોતો ઈબાદતને ભૂલાવી દેશે

 

મકતા:ગઝલનો અંતિમ શેર,જેમાં શાયરનું તખલ્લુસ પણ સમાવિષ્ટ હોય છે.

 

 

 
સમાચાર ભીંતપર –‘અંજુમ’ વાલોડી

 

જોઈ લ ઉં છું સ્વપ્નને સાકાર ભીંત પર

છે એટલો તો મારો અખત્યાર ભીંત પર

 

ખાલી કરી ગયા છે વસાહત કરોળિયા

જાળાંની રહી ગઈ છે ફકત હાર ભીંત પર

 

હળવે રહીને મૂકજો ચિત્રો ભવિષ્યનાં

વીતી ગયેલ કાળનો છે ભાર ભીંત પર

 

માન્યું હતું પ્રલયમાં સહારો તો જોઈશે

દોરી ‘તી મેં એટલે પતવાર ભીંત પર

 

વસવાટ આપણો છે અહીં એક છત નીચે

છે કેમ તો ય દ્રેષની તલવાર ભીંત પર?

 

મિત્રો તો છે ,પરંતુ ખરી મિત્રતા નથી

આધાર આપણો છે નિરાધાર ભીંત પર

  

જેને મળી શક્યું ન કોઈ સ્થાન પત્રમાં

જોવા મળે છે એવા સમાચાર ભીત પર

(અજંપોત્સવ)

 

કાગળની ભીંતમાં—રતિલાલ ‘અનિલ’

 

ચમકે છે વીજળી હવે કાજળની ભીંતમાં

પડછાયા પ્રજવળી ઊઠ્યા વાદળની ભીંતમાં

 

જયોતિએ અંધકારને આકાર કંઈ દીધા

પડછાયા પ્રજવળી ઉઠયા વાદળની ભીંતમાં

 

અસ્પષ્ટ એક રૂપમાં વૈવિધ્ય એટલું

થોડાંક બિંદુઓ હતા વાદળની ભીંતમાં

 

 દિવસો પછી ય આજ વાંચ્યા કરું છું હું

અક્ષર લખી દીધા હતા એક પળની ભીંતમાં

 

 સ્મરણે મધુર નામની યાદી હું જોઉં છું

શાં મૃત પતંગિયા જડ્યા કાગળની ભીંતમાં

 

મૃત્યું પછી તો કોણ જાણે શું ય આવશે

સૂનકાર પણ જદાયો હો આગળની ભીંતમાં

 

શયતાનને તો મોકળું મેદાન સાંપડ્યું

ઈશ્વર આ કેદ થઈ ગયો મંગળની ભીંતમાં

 

ફ્રુજે છે તરફડાટથી કંઈ એમના ‘અનિલ’

હરણાંઓ કેદ થઈ ગયા મૃગજળની ભીંતમાં

 

(અલ્વિદા)

 

રઝળતી દીવાલો—મનોજ ખંડેરિયા

 

પડયાં ગાબડા ને કથળતી દીવાલો

ગુફામાં હએ પાછી વળતી દીવાલો

 

તરડ બારણામાં ઝીણી હોય તો પણ

કો’દી ત્યાંતી ભાગી નીકળતી દીવાલો

 

દિવસ ભર રહે ઊભી લઈ ઘરનો ટેકો

અને કયાંય રાતે રઝળતી દીવાલો

 

ઝીણાં છિદ્રથી આવે ચાંદરણા ફીકાં

શિશુ જેમ એને ચગળતી દીવાલો

 

સમયની તીણી સાંગ પથ્થરને ચીરે

ચીસો પાડે લોહી નીકળતી દીવાલો

 

હવે ક્યાંક ખુલ્લામાં રહેવાને ચાલો

અહીં ચોતરફછે ઊકળતી દીવાલો

(અચાનક)

 

ડસે છે દીવાલો—આદિલ મન્સૂરી

મને ચારો તરફથી ડસે છે દીવાલો

ને એકલતા જોઈ હસે છે દીવાલો

 

દીવાલો ઉપર જૂના ફોટા લટકતા

હજી જૂની યાદો શ્વસે છે દીવાલો

 

કોઈ છાના પગલાનો રવ અર્ધી રાતે

અને અર્ધી રાતે ખસે છે દીવાલો

 

ફરી વળતાં ધસમસતાં પાણી નગરમાં

ઘરેઘર હવે તો ઘસે છે દીવાલો

 

કોઈ રાહદારી ગલીમાં પ્રવેશે

અને શ્વાન સાથે ભસે છે દીવાલો

 

ઊઘડતા નથી બારના બારી આદિલ

હવે બંધ ઘરમાં વસે છે દીવાલો

 

(ગઝલના આયના ઘરમાં)

29મી ઓઃઅટો.2000 ન્યુ.જર્સી

સાચવી છે દીવાલો-લોમસ્ત મંગેરા

આપણી એમની છે દીવાલો
કોણે એ સાચવી છે દીવાલો?

એમ તો લાગણી છે દીવાલો
હેતની માઁગણી છે દીવાલો

કૈંક મનમાઁ બની છે દીવાલો
એજ તો તોડવી છે દીવાલો

પ્રાથના ત્યાઁ જઈને કરવી છે
સાવ જર્જર બની છે દીવાલો

પીઠને આશરો તો આપેછે
એટલી તો ભલી છે દીવાલો

હાસ્ય પદઘાય છે કોઈ ઘરમાઁ
ક્યાઁક ડૂસ્કે ચઢી છે દીવાલો

હાથ લંબાવી મે ભાળી પણ
કયારે દિલથી મળીછે દીવાલો?

ઈઁટની ભૂલ કઁઈ નથી એમાઁ
માનવી એ ચણી છે દીવાલો

મળવા માટે કદમ ઉપાડયા તો
ત્યાઁજ વચ્ચે નડીછે દીવાલો

એ ય પાડોશી થઈને સાથે રહે
એવી કઁઈ જોડવી છે દીવાલો

એક સહિયારુઁ ઘર બને દોસ્તો
કયાઁક એવી ચણી છે દીવાલો?

(કંકાવટી)

પડઘાય દીવાલો.-મુહમ્મદઅલી વફા

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

 

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

 

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

 

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

 

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.

 

તમારી યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

 

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.

(1966ના ગાળામાં લખયેલ આ ગઝલ રંગ તરંગ તેમજ ઈંન્સાન સામાયિકમાં પ્રસિધ્ધ થયેલ)

Note: A very useful link and information For Canadian residence regarding EI provision with the web side and Programs present characteristics.Bazm is grateful for providing the Information to Janab Firozkhan news Editor of Hindi Abroad Toronto Canada

 Hello everyone,
 
As we all know due to prevailing recession many have become jobless and many more are expected in coming days. Hundreds of job losers are applying/want to apply for EI but many have no knowledge about how many insured working hours are required to claim this and for how long they will get EI.. In order to help such people a page of HRDC is attached below. Please find the area/city you live and go to columns # 5, 6 and 7.
 
For further info it is suggested to visit www.hrdc.gc.ca
 
For GTA: Minimum Hrs.595. Minimum period for getting EI:22 Weeks. Maximum period:47 weeks.
 
This is only for info and guidance.
 
Pass it on to your contacts, please.
 
Firoz Khan

   Human Resources and Social Development Canada

www.hrsdc.gc.ca

Skip to content

Common menu bar links

Home > EI Economic Regions

Content begins

Employment Insurance (EI) Program Characteristics for the period of May 10, 2009 to June 06, 2009

EIA!

EIA2 

 શયદાની અલ્વિદા છે—-શયદા

શયદા

 (1897*31-5-1962)

જેમાં તને મઝા છે એમાં મને મઝા છે

ઓ દર્દ તુંજ મારા દિલની હવે દવા ચે

 

મારા જીવનમાં આજે છેલ્લી મને મઝા છે

ખેંચે છે શ્વાસ દોરી મૃત્યુના હિંચકા છે

 

ઓ મૃત્યુ ધીર ધરતું છેલ્લી વિદાય લઈ લઉં

દુ:ખ દર્દ એ બિચાર માર જીવન સખા છે

 

તૈયાર મૃત્યુ ત્યાં છે કરવાને કામ પુરું

લ્યો મિત્રો સૌને આજ શયદાની અલ્વિદા છે

 

હું જલ્દી જલ્દી દોડી હમણાંજ પકડી પાડું

આ હાથવેંત છેટી મુજથી હવે કઝા છે

 

આવાજ એવો પડઘો એ રીત છે જગતની

જો તું ભલો હશે તો દુનિયામાં સૌ ભલા છે

 

જન્મયું જિવ્યું, મર્યું, છે વાત સાવ ટૂંકી

ત્રણ શબ્દમાં જ આખા સંસારની કથા છે

 

તારું શું નામ શયદા તારી તે નામના શી?

તારા થી લાખો સારા આવ્યા અને ગયા છે

 

 

 

રૂબાઈયાતે સિરાજ :સિરાજ પટેલ ‘પગુથનવી’ ના મુકતકો

1

ડસ્ટબીનમાં નાંખીશું

 

અમે તો લાલ ને પીળાબધે ફુગ્ગા ઉડાડીશું

પછી વરરાજાને મોટા મહારાજા બનાવીશું

 

ભલે સુદાન માં ભૂખે મરે લોકો અમારે શું

અમે તો દેગોને દેગો અહીં દસ્ટબીનમાં નાંખીશું

 

2

બારસો ખર્ચાય છે

 

લોક બિરયાનીને ઝરદો ખાય છે

મુસેભાઈની વાહ વાહ થાય છે

 

શાદીના ખર્ચાની તો વાતજ ન પૂછ

સ્ટેજમાં જયાં બારસો ખર્ચાય છે.

 

3

કેક કાપીશું

 

અમેતો સ્ટેજ પર બે મણનો મોટો કેકે કાપીશું

ભગત અહીં,દેગડીમાં  મૂકીને મુખવાસ આપીશું

 

અમે વહોરા ,ગમેછે મારવાનો વટ અમોને તો

ફરારી કે લીમોઝીનમાં બેસેને મ્હાલીશું

4

સનમ હોટલની કબાબમાં

 

આજે કરીમમાં તો કાલે નવાબમાં

પૂછો તો ઘરનું ક્યાં ભાવે જવાબ માં

 

ખાયા કરો ડેડી તમે આ દાળ રોટલી

દીકરાને મઝા અવે સનમની કબાબમાં

 

(કરીમ અને સનમ૰ માંચેસ્ટર યુ.કેની હોટલો)

 

 

 સ્વપન ખોઈ બેઠા—સૈફ પાલનપુરી

 

ખર્યાને ખરીને ગગન ખોઈ બેઠા

રૂપાળું રૂપેળી વતન ખોઈ બેઠા

 

સિતારાઓ એવો કયો ચાંદ જોયો?

કે આવ્યા ધરા પર ને મન ખોઈ બેઠા?

 

અકિંચનનું મોંઘેરું ધન ખોઈ બેઠા

ગુલાબી બુલાબી સ્વપન ખોઈ બેઠા

 

વિરહ રાત તારા કદમના પ્રતાપે

અમે બોલતી અંજુમન ખોઈ બેઠા

  

આ એકાંત પણ હાય કેવું છે નિર્દય

અમસ્તા અમસ્યા ચીડવવાને ખાતર

 

કહે છે મને કે શું શોધી રહ્યા છો?

શું કોકે દીધેલું વચન ખોઈ બેઠા?

 

જુવાનીમાં આંસુ ન હો જે નયનમાં

એ નયનો ખચિત છે દયા ખાવા લાયક

 

ખરેખર અભાગી ઉપવનો જે

વસંતોના દિનમાં સુમન ખોઈ બેઠા

 

તમે તાજ મહેલની કબ્રો ઉપર જઈ

ન શોધો પ્રણયની ચિરંજીવ ગાથા

 

મળી આવો જઈને જરા એ જીવોને

મરણ પહેલાં જેઓ જીવન ખોઈ બેઠા

 

ન પહેલાં જેવું છે હસવું તમારું

ન પહેલાં જેવી છે વાતો તમારી

 

છે તમને તમારી યુવાનીનાં સોગંદ

કહો ‘સૈફ’. શુ કયાંક મન ખોઈ બેઠા?

બારી આંધળી થઈ ચુકી છે—આદિલ મન્સૂરી

બારી આંધળી થઈ ચુકી છે

ધૂળની ચાદરમાં પોતાનું મોઢું સંતાડી

કાળી  સડકો  ઉંઘી ગઈ છે

તડકાની નગ્ન ચૂડેલોના  સળગતા  અટ્ટ હાસ્યથી

ઠેર ઠેર પગના પડછાયા  દાઝી રહ્યા છે

મેજ પર ફૂલદાનીમાં હાસ્ય વેરતા ફૂલોથી

મીઠા સ્પર્શની ખૂશ્બૂઓના ઝરણાંઓ વહી રહ્યા છે

એક પડછાયો અરીસાના કાનમાં કંઈ વદી રહ્યો છે

વીતેલ સમયની ગરોળી

સુંદર પૂંછડી પટપટાવતી

રોટલીના ટૂકડાને દાંતોમાં દબાવીને  ભાગે છે

એક કરોળિયો

પશ્ચિમનાં ખૂણા તરફ જાળાં ગુઠી રહ્યો છે

શહેર ખાલી થઈ રહ્યું છે

શું તમે તમારી જિંદગીથી સંતુષ્ટ છો?

હા-નથી

ખેર- જવા દો-સાંભળો

મસ્જિદનો વૃધ્ધ મોઅઝ્ઝીન(બાંગી)

ભલાઈના તરફ બોલાવેછે  તમને

પોતાનું દુ:ખ કોને કહીએં?

 

(હશ્ર્કી સુબ્હ દરખશાં હો-ઉર્દૂ કાવ્ય સંગ્રહ માંથી. અનુ. વફા)

વૃક્ષો વરસાદમાં ભીંજાય રહ્યાં છે—મુનીર નિયાઝી(સદગત ઉર્દૂ કવિ

જાણે કે ભટકેલા મુસાફરો

વૃક્ષો બનીને ઉભા રહ્યા છે

એક વધુ દ્રવ્ય છે ,વસવાટ કરશે

કંઈ એ રીતે રોકાયેલા છે

થોડીજ જો તક મળી

 અનિષ્ટતા આમનામાં પ્રવેશી ચૂકી છે

જે અંતર એમના વચ્ચે છે

આમનામાં ઉદાસી ઊગી રહી છે

કોઈ વાર્તા જેવું આ દ્ર્શ્ય છે

સારું અને નરસું અસ્તિત્વ ધરવતું વિશ્વ

અસ્તિત્વ મય અને નાશવંત સાથે મળીને

જેને વિખેરાય જવાથી રોકે છે

વૃક્ષો પાણીમાં ભીંજાય રહ્યા છે

(જ.મુનીર નિયાઝીનો કાવ્ય સંગ્રહ-કુલિયાતે મુનીર નિયાઝી-ઉર્દૂ અનુ.વફા)

કલેજાંનો ટુકડો-મખ્દુમ મોહ્યુદ્દીન(સદગત ક્રાંતિકારી ઉર્દૂ કવિ)

તમે પ્રેમને હજારવાર ઊંડા કૂવામાં ફેંકી દો

કિંતુ  એક અવાજ પીછો કરશે

કદી ચાંદની રાતનું ગીત બનીને

કદી ગાઢ અંધકારનું પાગલ હાસ્ય બનીને

પીછો કરશે

હા એક અવાજ પીછો કરશે

તે અવાજ

વિણ ઇચ્છિત પિતા વિહોણું બાળક

એક દિવસ શૂળીના સહારે

મનુષ્ય જાતનું માર્ગ દર્શક બન્યું

પછી ઈશ્વર બની  ગયું

કોઈ માં એ

ઘણાં વર્ષો પૂર્વ

સમાજનાં ભયથી

ખુલ્લા રસ્તા પર

પોતાના કલેજાંના ટુકડાને ત્યજી દીધો

એ વિણ ઇચ્છિત પિતા વિહોણું બાળક

એક દિવસ

શૂળીના સહારે

મનુષ્ય જાતનું માર્ગ દર્શક બન્યું

પછી ઈશ્વર બની  ગયું

(‘બિસાતે રક્સ’ ઉર્દૂ પરથી અનુવાદ-વફા)

સંબંધ—નિદા ફાઝલી(ઉર્દૂ કવિ

ધરતીમાં તિરાડ અને ફાટો પડી ચૂકી છે

વાતાવરણ ધૂંધળું છે

રક્ત રક્ત

પ્રાથનાઓ છે

દુઆઓ અસરવિહિન છે

તે જંગલના રખેવાળો પ્રાણીઓ

રહ્યાં નહીં

ઋતુને નિયંત્રિત કરનાર

વૃક્ષો રહ્યાં નહીં

માળાઓ ઉદાસ છે

એમના ગીત ગાનારો નહીં રહ્યા

દરિયાની પહોળાઈને

વસ્તીઓ ગળી રહી છે

ઈમારતોમાં ચણાય રહી છે

પહાડોની બુલંદીઓ

પ્રત્યેક નદીને ત્યાગીને

દેવીઓ હદપાર થઈ ગઈ છે

હવા જોરથી ચાલી રહી છે

અવકાશ લગામ વિહોણું છે

કરાર નામું !

આકાશથી જે પૃથવીનું હતું

રહ્યું નહીં

હદયની નિકટ જે માર્ગો હતા

રહ્યા નહીં

એક બીજા સાથેનો કોઈ સંબંધ

નથી રહ્યો.

(‘શહર મેરે સાથ ચલેતો’ અનુ.વફા)

એ ગામને સ્ટેશન નથી—મોહમ્મદ માંકડ

   અબ્દુલે એંજિનની વ્હિસલ દબાવી.વરાળ દબાઈને બહાર નીકળી અને તીણી સીસોટી વાતાવરણમાં આરપાર નીકળી.ગઈ.ડોક લંબાવીને અબ્દુલે પાછળ જોયું. ગાર્ડ લીલી ઝંડી બતાવતો હતો.કરસન તરફ ફરીને એણે કહ્યું ‘કોલસા નાંખ’.

Mmankad_0003

Mmankad_0004

મરીઝની ગઝલના મત્લાનો અર્થ વૈભવ—મુહમ્મદઅલી વફા

1

ફકત એ કારણે  દિલમાં વ્યથા આખી ઉમર લાગી.

કે મારી બદ નસીબીથી મને આશા અમર લાગી.

 2

ડંખે છે કેવી એક અક્ષર કહ્યા વિના

રહી જાય જે વાત સમય પર કહ્યા વિના

 3

 એ રીતથી છાવાઈ ગયા છે ખયાલમાં

આવેશને  ગણી મેં લીધો છે વહાલ માં

 4

 કશું માંગી લે, એવો જ્યાં એઉવાઓનો જવાબ આવે

તો શું માંગે આંખોમાં હજારો ઈંન્તિખાબ આવે

 5

 ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો

હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો

 6

 બસ એટલી સમજ મને પરવર દિગાર દે

સુખ જ્યારે જ્તાં મળે ત્યાં બધાના વિચાર દે

 7

 કોઈ એ રીતે મોહબ્બતનો વિજય થઈ જાયે

જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાયે

 8

બુરી તો છે છતાં સંગત  મળી સારી શરાબોને

સુરાલયમાં મેં જોયા છે શ્રીમાનો ને જનાબોને

 9

 પ્રેમામાં ખંચાણ છે આવી ગઈ શ્રધ્ધા મને

એ હવે કહેવાને આવે છે કે ભોલી જા મને

 10

 મઝહબથી છૂટવાની કોઈ રાહ ન મળી

જ્યાં કલ્પના મળી ન શકી આસ્થા મળી

 11

 એનું ભલા શું દુ:ખ જો કોઈ નામાબર નથી

મારો કયો છે હાલ જે એને ખબર નથી

 12

 હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ

13

હમ દર્દ બની જાય જરા સાથમાં આવે

આ શું કે બધા દૂરથી રસ્તાજ  બતાવે ?

14

 દુનિયા પરસ્ત દિલ હતું દુનિયામાં રહી ગઈ

મારી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ

 15

બનાવટ કે નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી

કે નકશાના સમંદરમાં કદી ભરતી નથી હોતી

મત્લા: ગઝલના પ્રથમ શેરના બે મિસરા. બન્ને મિસરા(પંક્તિ)માં રદીફ અને કાફિયા આવશ્યક છે.

ઉદાહરણ: 15મો શેર. રદીફ-નથી હોતી બન્ને મિસરામાં અસ્તિત્વ ધરાવે છે

               (પાં) ગરતીઅને ભરતી  કફિયા બન્ને મિસરામાં સમાવિષ્ટ છે

પર્યાય ડોલર છે-ડૉ.અદમ ટંકારવી

આદમીનો પર્યાય ડોલર છે

આ જગા એક બખડ જંતર છે

 

હોઠ પર એના અટ્ટ હાસ્ય અને

એક ડુસકુંય એની ભીતર છે

 

રસ્તા બધાજ છે વન વે અહીંયા

પાછા વળવાનું ખૂબ દુષ્કર છે

 

બોલ હું કઈ રીતે સમજાવું તને

આ રમત કેટલી ભયંકર છે

 

દોસ્ત જેને ગળી ગયો છે તું

આ અમેરિકાતો છછુંદર છે

 

તારી પાસે છે મિસાઈલ એ ખરું

મારી પાંસે એક કબુતર છે

 

છે હનુમાનંનો કુદકો આ ગઝલ

છો ને વચમાં અદમ સમંદર છે

(ન્યુ જર્સી 25-8-1999)

{અમેરિકા રંગ ડોલરિયો }

સાંઠ શેરોની ગઝલ—ડો.અદમ ટંકારવી

મે 1996માં આદિલ મન્સૂરી ની ષષ્ટિ પૂર્તિ નિમિત્તે ન્યુ જર્સીમાં ગઝલોત્સવનું આયોજન થયેલું.તેમાં અતિથિકવિ તરીકેકાવ્ય પઠન માટે મને આમંત્રણ મળ્યું,ત્યારે બેવડો આનંદ થયો.એક તો પ્રથમ વાર અમેરિકા જવાનો પ્રસંગ ઉભો થયો.તે વાતે.અને બીજું તેથી વિશેષ તો ગુજરાતી ગઝલમાં આદિલ મન્સૂરી નામે જે ઈનિગ્મા છે.-રહસ્ય છે. તેને નિકટથી જોઈશું તો કદાચ એનો તાળો મળશે એ અપેક્ષાએ. માત્ર અમેરિકાજ જવાની વાતોતો આટલું એક્ષાઈટમેંટ ન અનુભવાત.આટલો બધો ઉમંગ નજ જાગત. આદિલની સર્જન પ્રક્રિયા વિષે મનમાં જે ભારે ભાર કુતુહુલ હતું તેને કારણે આ ઉત્સાહ જાગેલો. આમ તો કવિ કે કવિતા પ્રત્યેના આવા મુગ્ધભાવનો આધુનિકતા સાથે મેળ ખાતો નથી.પણ હું જયારે ગઝલ સ્વરૂપ સાથે મથામણ કરતો થયો તે ગાળામાં આદિલ ગુજરાતી ગઝલને વળાંક આપવામાં પ્રવુત્ત હતા.આદિલ ગઝલમાં શું કહે છે.અને કેવી રીતે કહે છે,તે બાબતે ત્યારે જે કૌતુક જાગેલું તે આજ પર્યંત કાયમ હતું.બે પાચ દિવસ વિત્યા પછી પહેલી ફિકર વીઝાની પડી.લાભશંકર ઠાકરને યુ.એસ.એ.આવવા વીનવતાં આદિલે લખેલું. 
    ઊઠો કમર કસો
         પાસપોર્ટ વીઝાના સાડા ત્રણ ડગલાં
           અને યા હૉમ કરીને આ જાઓ ઈસ તરફ 

મારા ઈન્ડિયન પાસપોર્ટને લીધે આ વાડ ઠેકવું અઘરું હતું.લંડનંનો ધક્કો ખાધો.ત્યાં અરજી પત્રક ભર્યું.આ ફોર્મમાં પચ્ચીસેક પ્રશ્ન પૂછેલા.એમાં એક પ્રશ્ન તમે કોઈ ત્રાસવાદી જૂઠના સભ્ય છો? એવો. છેવટે વીઝા તો વગર ઈંટર્વ્યુએ ઘેર બેઠાં ટપાલથી મળ્યા.અને તે ય દસ વરસના.આદિલે સુચવેલું કે દાદા નવી ગઝલો લઈને આવજો.નવી ગઝલો તો ડાયરીમાં હતી,પણ પણ એથીય નવી ગઝલ લખવી એમ વિચાર્યું.પછી થયું કે આદિલ સાહેબને સાઠમું બેઠું છેતે પ્રસંગને અનુરૂપાઆદિલ મંન્સૂરી માતેજ સાઠ શે’રોની ગઝલ લખવી.ગઝલ લખવા બેઠો અને ઝાઝા આયાસ વગર સડસડાટ  સાઠ શેર આવી ગયા.રચના અહીં પ્રસ્તુત છે

SathsheroAdam_0001

SathsheroAdam_0002SathsheroAdam_0003SathsheroAdam_0004

એકાદ પીંછું યાદનું-અંકિત ત્રિવેદી

 

અહીંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,

એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.

 

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,

સપનાને પાછું કોઈકે સામું ધર્યું હશે.

 

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?

જાણી બૂઝીને એમણે આવું કર્યું હશે.

 

મારા વિના હું એકલો ટોળે વળી ગયો,

મારા વિષેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

 

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,

મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે.?

 

(ગઝલ પૂર્વક—59)

મુશ્કિલ છે દોસ્ત—અમૃત ઘાયલ

 

મારા વિચારે મૌનમાં તારું સરી જવું

ને ઊંડે ખૂબ ઊંડે પછી ઊતરી જવું

 

છે યાદ કેવી રીતે ભૂલું ક્ષણ રતૂંમડી

મુજ આવવું અને તારું સ્વેદે નીતરી જવું

 

મારું નીકળવું સાંજના તારી ગલી વિશે

ને હાય તારું નીચું જોઈ નીસરી જવું

 

મારું તડપવું ,રડવું સતત ઝૂરવું અને

નજરોથી તારી તું સદા તર કરી જવું

 

મિત્રો નથી સહેલ પરંતુ કઠિન છે

આ કાળજામાં નામ કોઈ કોતરી જવું.

 

ક્યાં કષ્ટ કયાં પડે છે ભલા એમાં કોઈને

બહુ નાની સૂની વાત છે બોલી ફરી જવું

 

કે કામ લેવું હાથમાં છે મોટી વાત પણ

એનાથી મોટી વાત છે પૂરું કરી જવું

 

‘ઘાયલ’તરે છે દ્રષ્ટિમાં દ્ર્શ્યો બધાં હજી

મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસ્મરી જવું.

 

(આઠો જામ ખુમારી-835) 

 

શિકાયત નહીં રહી_અમૃત ઘાયલ

 

યહ જૂઠ હૈ કિ કોઈ શિકાયત નહીં રહી

સચ યે હૈ ઉનસે કહનેકી જુર્રત નહીં રહી

 

દિલ ચાહતહૈ ઉનકો લિખે ખત તવીલ હમ

પર ક્યા કરે કિ લિખનેકી તાકત નહીં રહી

 

એ દોસ્ત મયકદે કા કરે ક્યા તવાફ હમ

અબ બેતહાશા પીને કી આદત નહીં રહી

 

વો દૂર યું હુઆ કિ કરીબ ઔર આ ગયા

જૈસે કિ દરમિયાનમેં ફુરકત નહીં રહી

 

ગુમ હો ગયા હું ઇસ તરહ ઉનકે ખ્યાલ મેં

ઉનસે ભી અબ મિલનેકી હસરત નહીં રહી

 

મિલતે તો હૈં પર મિલતે હૈં યું બે દિલી સે દિલ

જૈસે કિસી કે દિલમેં મુહબ્બત નહીં રહી

(અમૃત ઘાયલની એક ઉર્દૂ ગઝલ.આઠોં જામ ખુમારી-800)

ઈલાહી ગવાહ છે—અમૃત ઘાયલ

 

જવાળા છે વડવાનલ છે જબરદ્સ્ત દાહ છે

આ દાહનુંજ દોસ્ત ખરું નામ ચાહ છે

 

હોવા છતાં પનાહ, બધા બે પનાહ છે

આ આપણી હયાતી અજબ સેરગાહ છે

 

વર્ષોથી જેની ખોજમાં વિહવળ નિગાહ છે

કહે છે કે આ શહેરમાં એક કજકુલાહ છે

 

જુલ્ફો સિયાહ જાણે કે એક રાત મેઘલી

આંખો ગઝલી એમની ખ્વાબ ગાહ છે

 

હરકત દીમાગી કર નહીં પઢ રૂહથી નમાઝ

એ શેખ, આ મસીદ નથી ખાનકાહ છે

 

ચમક્યું નથી કદાપિ ચમકશે નહીં કદાચ

મારું નસીબ યાને મુકદ્દર સિયાહ છે

 

ખેંચી ગાઈ’તી મુજને તરસ મયકદે ધરાર

’ઘાયલ’ ખરું કહું છું ઈલાહી ગવાહ છે

 

કજકુલાહ= બાંકી અદા

ખાનકાહ=આશ્રમ

સિયાહ=શ્યામ

ગવાહ=સાક્ષી

ઈલાહી=અલ્લાહ

 

એકાંતમાં-નિરંજન ભગત

 

એકને એક કહેવું બીજાને બીજું

તો ત્રીજાને વળી ત્રીજું

જાતને કૈંજ ન કહેવું

તમારેતો માત્ર બસ જોઈ રહેવું

 

પછી પેલા ત્રણે ક્યાંક મળી ગયા

તમે કહ્યું કળી ગયા

તમે કર્યું વ્યર્થ ગયું

તમારે જાણવું છે પછી શું થયું?

 

પછી ત્રણે ન’તો લડયા ન’તો રડ્યા

પણ ત્રણે રસ્તે પડયા

હવે રહ્યું કશું જોવું?

તમારે તો હવે એકાન્તમાં રોવું!

 

 

 

આંસુ અવાજ કરતાં નથી—ચન્દ્રકાંત બક્ષી

પ્લેન જોડેલો એરૉસબ્રીજ  ખસી ગયો.પ્લેન રેવ અપ થતું ગયું.ધીરે ધીરે ટર્મેક પરથી આગળ વધતું ગયું,વળતું ગયું,મન્થર ગતિથી આગળ ચાલતું રહ્યું.એક બિન્દુ પર આવીને પ્લેન અટકી ગયું..પછી મશીનો કાન ફાડી નાંખતા ઘરઘરાટથી ધ્રૂજવા લાગ્યા..પ્લેનની અંદરની બત્તીઓ ઝાંખી કરવામાં આવી.અવાજ અને ધ્રુજારી એટલાં બધાં હતાં કે દરેક પ્રવાસી લગભગ આંખો બંધ કરીને,ૢસીધી ખુરસીમાં સીધો બેસી ગયો હતો.

 



(દસ વાર્તાઓ-ચંદ્રકાંત બક્ષી)

  ગુજરાત બિઝનેસેસેસ એસોસિએશનનો ‘પ્રાઉડ ગુજરાતી ઓફ ટોરોન્ટો’ એવૉડૅ શ્રીજય

ગજજરને અર્પણ—શ્રી પ્રકાશ મોદી

સાહિત્યકાર જય ગજજરને  ટોરોન્ટોના ગુજરાતી બિઝનેસ અસોસિયેશને ‘ટોરોન્ટોના પ્રાઉડ ગુજરાતી’ એવૉર્ડ અર્પણ કરી જુન ૭ના રોજ ‘ગુજરાત દિન કાર્યક્રમ પ્રસંગે

અર્પણ કરી નવાજયા હતા. અવકાશ યાત્રાની સફળતા માટે શ્રીમતિ સુનિતા વિલિયમને ‘વિશ્વ ગુજરાતી પ્રતિભા’ એવૉડર્’, કુ. ઐશ્વર્યા મઝુમદારને ‘ગિટ્સ ગુજરાતી ગૌરવ એવૉર્ડ’ અને જય ગજજર ઉપરાંત શ્રી રમેશ ચોટાઈને સમાજ સેવક એવૉર્ડ, અને શ્રીમતિ કાનન ભટ્ટને નૃત્યકલા માટે ‘પાઉડ ગુજરાતી ઓફ ટોરોન્ટો એવૉર્ડ અર્પણ કરાયા હતા

કેનેડા અને ગુજરાતમાં એક સાહિત્યકાર અને એક સમાજસેવક તરીકે ગજજજરનું પ્રદાન નોંધપાત્ર છે. ૧૯૭૦માં જય ગજજર સ્ટિવનવિલ, ન્યુફાઉન્ડલેન્ડમાં આવ્યા પછી

શિક્ષક, મેનેજર તરીકે કારકિર્દીનો આરંભ કરી પોતાની પ્રિન્ટિંગ કંપની શરૂ કતી. ધંધાની સાથે એમનાં જ્ઞાન અને અનુભવની સમાજમાં લહાણ કરવા કેટલાક મંડળોમાં ગજજર જોડાય છે. સમાજસેવાની ઉત્કૃષ્ટ ભાવનાને કારણે સમાજનું એક અંગ બની રહેતાં સમાજસેવક તરીકે સ્ટિવનવિલ અને તેની આસપાસના પ્રદેશમાં જય નામ લોકજીભે રમતું થઈ જાય છે. સ્ટિવનવિલના તે સમયના જજ શ્રી રોબર્ટ સ્મિથ લખે છે, શ્રીગજજર અહીંની ઘણી બધી સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાપારી સંસ્થાઓ, મંડળોના સભ્ય, કે પ્રમુખ તરીકે સંકળાયેલા છે અને સમાજ, રાજય અને દેશના સર્વાંગી વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે… તેમની નેતાગીરી અને રાષ્ટ્રપ્રેમ સૌ માટે નમૂનારૂપ છે.” જેમકે લાયન્સ કલબ, હોસ્પિટલ ફાઉન્ડેશન, ચેમ્બર ઑફ કોમર્સ, સ્ટિવનવિલ ચેમ્બર ટુરિઝમ, વેસ્ટ વાઇકિંગ કોલેજ બૉર્ડ, ટાઉન ટુરિઝમ, જુનિયર એચિવમેન્ટ, હાર્મન ફિલ્ડ ડે, કોમ્યુનિટી ફયુચર, બિગ બ્રધર્સ બિગ સિસ્ટર્સ, સ્ટિવનવિલ ફેસ્ટિવલ, પ્રોવિન્સિયલ ડ્રામા, એટલાન્ટિક કેનેડા એવૉર્ડ સમિતી, ઈન્ડિયન પાર્ક કમિશન અને બીજા અનેક એસોસિએશનોમાં સભ્ય બની ઓતપ્રોત થઇ ખંતથી વિશિષ્ટ પ્રદાન કર્યું. પરિણામે સફળઅને સંસ્કારી સજજન તરીકે કેનેડિયન સમાજમાંપ્રતિષ્ઠા પામતાં શિક્ષિત, સાહિત્યિક અને સંસ્કારી પ્રતિભા રૂપે એમનું બહુમાન કરી સમાજ, રાજય અને દેશેએમની સેવાઓનીકદર કરતાં નગર,રાજય અને રાષ્ટ્ર કક્ષાના અનેક એવોર્ડ અર્પણ કર્યા, જેવાકે, ‘આઉટ સ્ટેન્ડિગ ન્યુ લાયન એવૉર્ડ’ – લાયન્સ કલબ, ‘હાર્ટ ઓફ ગોલ્ડ એવૉર્ડ ’ – એર કેનેડા, ’ધ સિટિઝન ઓફ ધ યર એવૉર્ડ ’, ‘ધ હાર્વે વેબર એવૉર્ડ ’ , ‘ધ સાઈટેશન ફોર સિટિઝનશિપ એવૉર્ડ ’, ‘ધ કેનેડા વોલન્ટિયર એવોર્ડ’, ધ કવીન્સગોલ્ડન જયુબિલી મેડલ’, કેનેડાનો પ્રતિષ્ઠિત હાઈએસ્ટ નેશનલ એવૉડ ‘ઓર્ડર્ ઓફ કેનેડા’ ( જે ભારતના ‘પદ્મવિભૂષણ’ સમકક્ષ). કેનેડાનો હાઈએસ્ટ પ્રતિષ્ઠિત નેશનલ એવૉડ ‘ઓર્ડરર ઓફ કેનેડા’મેળવનાર ગજજર પહેલા ગુજરાતી છે.સાહિત્ય ક્ષેત્રે ગજજરે ગુજરાતીમાં આઠ, અંગે્રજીમાં બે અને વાર્તાસંગ્રહો ત્રણ આપ્યા છે. ગુજરાતના શ્રેષ્ઠ માસિક ‘નવચેતન’માં૨૦૦૬માં પ્રગટ થયેલ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તાતરીકે ગજજરની વાર્તા પામતાં નાનુભાઈ સુરતી પારિતોષિક, ગજજરની નવલકથા ‘આંધીનો ઉજાસ’૨૦૦૬માં પ્રકાશિત નવલકથાઓમાં શ્રેષ્ઠ નવલકથા શ્રેણીમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું ત્રીજુંઈનામ તથા દરિયાપારના સાહિત્યકારોમાટેનું ગુજરાતી સાહિત્યપરિષદનું ૨૦૦૬ના વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટેનું ‘ગુજરાત દર્પણ’ પારિતોષિક ગજજરને પ્રાપ્ત થાય છે.

છેલ્લાં પંદર વર્ષથી ટોરોન્ટો, કેનેડામાં દર વર્ષે યોજાતા અંગ્રેજી અને ફેન્ચ લેખકો અનેતેમના પુસ્તકોના ‘વર્ડ ઓન ધ સ્ટ્રીટ ફેસ્ટિવલ’માં૨૦૦૪માં પ્રથમવાર ગુજરાતી ભાષાને સ્થાન અપાતાં જય ગજજરને તેમની નવલકથા ‘કાચી માટીનું ઘર’ નું અને ફરી ૨૦૦૫માં‘તિમિરનાં તેજ’નુંએક પ્રકરણ વાંચવા આમંત્રણ અપાયું જે ગજજર અને ગુજરાતી ભાષા માટે ગૌરવ અને આનંદની ઘટના છ.ે જય ગજજર ‘શબ્દસેતુના સક્રિયસભ્ય છે

સ્ટિવનવિલના ન્યાયમૂર્તિ શ્રી રોબર્ટ સ્મિથ ગજજર વિષે લખે છે, “ગજજર ૧૯૭૦માં કેનેડાને પોતાના દેશ તરીકે અપનાવી એમનાં વિવિધ કામો,લખાણો, એમની સેવાઓ મારફત આપણા દેશનાં ગુણગાન ગાયાં છે…ગજજજમાં એક કવિની કલ્પના, આર્ષદષ્ટિ અને સર્જન શકિત ચમકી ઉઠે છે.એક સંતનાં ઉત્સાહ અને પ્રેરણા ધબકે છે. ગજજરમાં એક વેપારીની કુનેહ, સંગઠન શકિત અને વ્યવહારુ દષ્ટિ છે. ગજજરમાં કદર કરવાની લાક્ષણિક

અને ઊંડી સમજ છે. એક સમાજલક્ષી ભાવનાવાળી વ્યકિત, એક સમર્પિત સમાજસેવકઅનેગતિશીલ નેતૃત્વનું દષ્ટાંત ગજજર પૂરું પાડે છે. “જય ગજજર હાલ મિસિસાગામાં એમના પુત્ર ડૉ. નીલ ગજજર સાથે રહે છે. ડૉનીલગજજરનીમિસિસાગામાંપોતાની ડેન્ટલ ઓફિસ છે. શ્રીગજજર એમની સર્વ સિધ્ધિઓ માટે કર્મભૂમિ કેનેડાનો હૃદયપૂર્વક આભાર માનતાં કહે છે, શાંતિભર્યું જીવન જીવવા અનેગમે તે ક્ષત્રે ગર્વથી કામ કરવામાટે સારાય વિશ્વમાં કેનેડા જેવો કોઈ દેશ નથી.”

 ( અહેવાલ શ્રીપ્રકાશમોદી, શબ્દસેતુ)

 

‘બઝમે વફા ગ્રુપ- ટોરંટો ‘

 ઉચ્ચ ગુજરાતી સાહિત્યકાર શ્રી જય ગજ્જરની યશ કલગીમાં એક વધુ સુંદર પીંછું ઉમેરાતા આનંદ સહિત  મુબારક બાદી આપે છે

સૃષ્ટિનું સર્જન—અનુ.દીપક બારડોલીકર


સૃષ્ટિનું સર્જન:(કુરાને પાકની સુરત(પ્રકરણ) હા-મિમ –સજદા આયતો(શ્લોકો)9થી 12 નો અનુવાદ)

(શરૂ અલ્લહના નામથી જે મહા કૃપાળું અત્યંત દયાળુ છે.)

 

કહો:

શું તમે તે એકના મુંન્કિર1 છો.

જેણે પૃથવીનું સર્જન કર્યું

સમયના બે ગાળામાં.

અને તમે તેના સમોવડ ઉભા કરોછો?

તે જ જહાનોનો માલિક છે.

(અન્ય કોઈ નહિ)

 

 

અને તેને તે (પૃથ્વી)માં

અવિચલ પહાડો સ્થાપિત કીધા

અને તેની અંદર બરકત મૂકી

અને તેની અંદર તેનો નિર્વાહ નિશ્ચિત કીધો

સમયના ચાર ગાળામા;

ઉચિત પ્રમાણ માં

તલબગારોની જરૂરત અનુસાર.

 

પછી તેણે આકાશ પ્રતિ લક્ષ કેન્દ્રિત કર્યું

જ્યારે એ ધુમ્ર હતું

અને તેને તથા પૃથ્વીને કહ્યું

‘તમે બને આવો સ્વેચ્છાથી યા અનિચ્છાથી’

તેમણી કહ્યું

’અમે આવીએ છીએ સ્વૈચ્છિક તાબેદારી પૂર્વક’

પછી તેણે સત્તા પૂર્વક

સાત આકાશ સ્થાપિત કીધા

સમયના બે ગાળામાં

અને પ્રકટીકરણ દ્વારા

દરેક આકાશમાં તેનો આદેશ પ્રેરિત કરી દીધો

અને

અમે વિશ્વ માથેના આકાશને

ચિરાગોથી વિભૂષિત કર્યું૰

અને સુરક્ષિત કર્યું

આ છે નિર્માણ

સર્વ શતિમાન સર્વજ્ઞનું

 

મુંન્કિર=ઇંન્કાનાર,ખુદાનાં એકત્વને નકારનાર,બે દીન

 

 

 

તણખો પડે—હરદ્વાર ગોસ્વામી 

 

એક પડઘાનો પછી પડઘો પડે

મૌનના ઘરનો સીધો રસ્તો પડે

 

આયના એના વિષે ઝઘડી પડ્યા

કોઈના ચહેરા વિષે પડદો પડે

 

છે લપસણી આજની એવી હવા

પંખીને પણ ઊડતાં ફડકો પડે

 

એક લીલી લાગણીને પામવા

એક માણસ કેટલો ઘરડો પડે

 

ભીતરે  સળગાટ કૈં  એવો હતો

આંખમાંથી આંસુ નહીં,તણખા પડે

 

(માસૂમ હવાના મિસરા-167)

ઉનાળો હોય છે—તખ્ત સોલંકી

 

વરસાદનું કારણ  ઉનાળો હોય છે

થોડો  ઘણો તારો ય ફાળો હોય છે

 

પાંપણ બરફની પાળ બાંધે ક્યાં સુધી

અંદર સમંદર તો હૂંફાળો હોય છે

 

કૂંપળ નવી ફૂંટી શકે એ ડાળને

જેની ઉપર પંખીનો માળો હોય છે

 

આંખો ખરેખર રૂપની કિમત હશે

આ,આયનો તો ઓશિયાળો હોય છે

 

આકાશ ધરતી હોય કે મન આપણાં

લાગે અડોઅડ તો ય ગાળો હોય છે

જર્જર બચી છે દીવાલો—‘રાઝ’ નવસારવી

 

છે ઘટમાળ એવીજ આ જિંદગીની

કદી ખુલ્લા રસ્તા કદી છે દીવાલો

 

સદીઓનો આ સિલસિલો આજ પણ છે

બે માણસો  વચ્ચે હજી છે દીવાલો

 

હતી મારી ક્યારેક જાહો જલાલી

ગવાહીમાં જ જર્જર બચી છે દીવાલો

 

રહ્સ્યો દુ:ખદ એમાં ધર્બાયેલાં છે

છતાં શાંત ને ચૂપ રહી છે દીવાલો

 

સજળ આંખથી એને જોયા કરું છું

કે ઘડપણનો ટેકો બની છે દીવાલો

 

શે’ર એટલે: નિર્મિશ ઠાકર

 

 એક ફિલ્મ ડાયરેકટર એક શાયરની ગઝલ-જાળમાં એવો તો ફસાયેલો કે રાતના અઢી વાગ્ય સુધી છૂટી શકેલા નહીં.અચાનક ઘડિયાળ સામે જોવાઈ જતાં એમને ઘેર ઊભી થનારી ગંભીર પરિસ્થિતીનો ખ્યાલ આવ્યો અને એ ભડકી ઊભા થઈ ગયા.

      “અરે બેઠિયે જનાબ”એક શેર યાદ આ ગયા હૈ ,જરા સુન લિજિયે….,શાયરે ઉત્સુકતાથી કહ્યું.

  આપકો શેર યાદ આયા મગર મુજકો શેરની યાદ આ ગઈ હૈ !

         ને સામે શેર હોય કે શેરની  વાત દર્દ સાથે જોડાતી હોય છે.શાયરોને દર્દ વિના ચાલતુંય નથી.શેખાદમ આબુવાલાનો આ શેર જુઓ…..

                      દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

                      ઉંઘી શાકાય ના અને જાગી શકાય ના

 એ પ્રકારના દર્દમાં વાચક મિત્રોને ભાગીદાર બનાવવા નેક ઇરાદા સાથે હવે શેર ના પાયા માં ઊતરું. શેરનો પાયો શબ્દ,વજન,અર્થ અને પ્રાસ પર ચણવામાં આવે છે, એવું પોતાનું પુસ્તક ‘ઉમદા’માં અરબી છંદ શાસ્ત્રના વિદ્વાન અલ્લામા ઇબ્ને રશીદે લખ્યું છે.

  અમાં સિમેન્ટ નાંખવાનું ભૂલી તો નથી ગયા ને?એક રાતમાંજ નવા મકાનનો ભરાઈ ગયેલો પાયો અને ગઈ કાલ સુધીબાજુમાં પડેલા રેટીના મોટા ઢગલાને સ્થાને દેખાતી સફાચટ જમીન જોઈ પોપટલાલ પસ્તીવાળા ચિંતાતુર બની કોંટ્રેકટરને પૂછી રહ્યા હતા.હા!પોપટલાલની ગઝલ અંગેની સમજ એમના નવા મકાનના પાયા જેવીજે છે.

   પોપટલાલ પસ્તીવાળા મારા મિત્ર છે. તેઓ મારા સાહિત્યનો ઘણો ભાર હળવો કરતા રહે છે.એમને પસ્તીમાંથીજ જમના બહેન સાથે પ્રેમ થયેલો.જમનાબેન કાયમ પોપટલાલની દૂકાને પસ્તી આપવાં આવતાં અને દિલ આપી બેઠાં ! હવે પોપતલાલ પસ્તીમાં આવી ચડેલી કોઈ ‘શરબતી શાયરી’ની ચોપડીમાં શેર શાયરીના બેઠા ઉતારા કરી જમનાને પ્રેમ પાત્રો પાઠવે છે.જ્યારથી એમને ખબર પડી કે જમના પાંસે પણ એજ ચોપડી છે, ત્યારથી એ બન્નેનાં પ્રેમ પત્રોનું માળખુંજ બદલાય ગયું.હવે એ બન્ને જણાં શેર લખવાની તસ્દી લેતાં નથી.હવે એ બને જણાં શેર લખવાની તસ્દી લેતાં નથી.ફકત પૃષ્ઠનો અને શેરનો નંબરજ લખે છે.

પોપટલાલ તો અત્યંત રસ પૂર્વક એમનો પત્ર વ્હવાર મને બતાવે છે. એટલે એમના પત્રનો નમૂનો અહીં મૂકી શકું છું.

 

હ્ર્દયેશ્વરી જેમી (ઉર્ફે જમના)

 તારી યાદ આવતાંજ આ હૃદયનાં કેવી લે-મેલ થાય છે. એ વિષે શું લખું?પેલો શેર છેને પાન :337 પર તેનાં જેવું.આખે આખો વહેરાઉં છું ,પાન નં-41ના સાતમાં શેર એવી સ્થિતિ બીજું શું?જો આ અઠવાડિયેતું મને ન મળી તો પાન -66ના બીજ શેર જેવું પરિણામ આવશે તાર સમ !

 પાન નં-22ના પાંચમાં શેર સાથે વિરમું છું

                           -પાન નં 33ના નવમાં શેર સમો તારો પોપટ..  

sher2 

 (ગઝલ:નિર્મિશની નજરે)

જયાં હતો અંધકાર ત્યાં સૂર્ય સળગાવી ગયા
પંથ ભૂલેલાને સીધી રાહ બતાલાવી ગયા

સૂર્ય સળગાવી ગયા—મહેક ટંકારવી

(પ્યાસથી પરબ સુધી-45)

કોણે અમેરિકાને ધ્વસ્ત કર્યું?—-અમીરી બરાકા(વિદ્રોહી અમેરિકન અંગ્રેજી કવિ)

 

કોને ખબર હતી કે વિશ્વ વ્યપારી કેન્દ્ર  પર બોંબીકરણ થવાનું હતું?

કોણે 4000 ઈસ્રાઈલી કામદારોને જોડિયા ટાવરોમાં કામ પર આવતા રોકી

ઘર પર રહેવા કહ્યું?

શેરૉન કેમ દૂર રહ્યો?

કોણ ?કોણ ? કોણ?

વર્તમાન પત્રની નોંધ

અંડાકાર  તોતિંગમાં ધડાકાઓ

શૈતાની ચહેરો ધરાવતી સીડી જોવી જોઈએં

આ યુધ્ધમાંથી કોણ પૈસા બનાવે છે?

જૂઠાણાંઓ અને ભયમાંથી કોણ પિંડ બનાવે છે

કોણ આવું વિશ્વ ઈચ્છી રહ્યું છે?

કોણ એવું ઈચ્છી રહ્યું છે

કે વિશ્વપર શાહીવાદ અને રાષ્ટ્રિય શોષણ,આતંક,હિંસા,ભૂખમરો અને ગરીબાઈથી રાજ ચલાવાવામાં આવે?

નર્કાગારનો  નિયામક કોણ છે?

કોણ વધુ શક્તિશાળી છે?

કોણ એવું છે જેણે ઈશ્વરને નિહાળ્યો છે?

પણ દરેક વ્યક્તિએ શયતાનને જોયો છે.

 

પ્રેમ તો શાપિત વન છે—મણિલાલ હ.પટેલ
 

શ્વાસ તો વહેતો પવન છે

ને હ્રદય જલતી અગન છે

 

શ્વાસ જેવી કેટલી ઘટનાઓ સુકી ભટ્ટ પડી છે

તું આવ ભડ ભડ  દવ બની બળવાનું મન છે

શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે

આખરેતો  પાનખર કવિઓનું મન છે

 

સાંજનું એવું ગગન છે–

કોઈ પ્રેમીનુંજ જાણે કફન છે

ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે

કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે

કારણોની છાતીઓમાં વિશ્વાસની નદીઓ નથી

કોઈ કહે કેવી તરસનું આ જતન છે

 

તું જળ બનીને આવ હું તો રેત છું

ભીનાશને પંપાળવાનું આ સપન છે

 

હે શ્વાસ માર કોઈ ના ચઢાવે તેમ ના ચઢશો તમે

પ્રેમ તો શાપિત વન છે

લાગનીઓ લૂંતવા ટોળાં મલે

 થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે

 પાનખર મેં તો લીધી,અર્પણ વસંતો છે તને

 સુખ નામ લે તને મારું વચન છે.

 

ધરતીના ધબકારા સંભળાવનાર હઝલ સમ્રાટ જનાબ આઈ.ડી.બેકાર સાહેબ (મર્હુમ)નું નિવેદન:

 

સર્જકની સફાઈ

 તમે કવિતા શા માટે લખો છો?

 આપણી એ આપણી પારકી તે પારકી !

કૂછ દિનોમેં ડૂબતી હય આબરૂ સરકારકી

bekar1bekar2bekar3bekar4bekar5bekar6bekar7bekar8
જનાબ બેકાર સાહેબની હઝલો,ગઝ્લો,નઝમ વિ. વાંચવા નીચેના URL પર કલીક કરવા વિનંતી છે.
1
http://bazmewafa.wordpress.com/wp-admin/post.php?action=edit&post=5638&message=1_bekar/

2
http://bazmewafa.wordpress.com/2009/03/15/maatnihakal_bekar/

3
http://bazmewafa.wordpress.com/2009/03/01/bhadutigazhal_idbekar/

4
http://bazmewafa.wordpress.com/2009/02/01/taj_bekar/

5
http://bazmewafa.wordpress.com/2009/02/01/balancema_beka/

6
http://bazmewafa.wordpress.com/2009/01/30/footigaya_beka/

7
http://bazmewafa.wordpress.com/2009/01/09/fulkarmayunnahin_beka/

8
http://bazmewafa.wordpress.com/2008/11/25/rangchhamaklan_bekar/
9
http://bazmewafa.wordpress.com/2008/03/24/gopiochahechheakhagamni_bekar/

10
http://bazmewafa.wordpress.com/2008/03/17/baarnabaavankarilaishu_bekar/

એ ત્વચા થાશે નહીં—રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


કોઈ ડોકાશે નહીં કોશિશ ન કર

દર્દ સમજાશે નહીં કોશિશ ન કર

 

આંખમાં-દિલમાં હથેળી પર લખ્યું

કૈં જ વંચાશે નહીં કોશિશ ન કર

  

હાથમાં છે હાથ વર્ષોથી છતાં

નાડ પકડાશે નહીં કોશિશ ન કર

 

છે કણે કણમાં ભલે ગ્રંથો કહે

ક્યાંય દેખાશે નહીં કોશિશ ન કર

 

દોસ્ત ! સઘળું અહીંયા વોટરપ્રૂફ છે

કોઈ ભીંજાશે નહીં કોશિશ ન કર

 

 હા ભલે મતભેદ હમ્મેશા થતા

મન અલગ થાશે નહીં કોશિશ ન કર

 

એમને માટે સબંધો વસ્ત્ર છે

એ ત્વચા થાશે નહીં કોશિશ ન કર

 

છોડ તું બમણી ગતિની ઘેલછા

બમણું જિવાશે નહીં કોશિશ ન કર

 

જાતમાં મિસ્કીન ડૂબી જા હવે

પાર પહોંચાશે નહીં કોશિશ ન કર

 

Posted by: bazmewafa | 06/21/2009

યાદ આવે—મીરા આસિફ

યાદ આવે—મીરા આસિફ


સ્પર્શના સાગરનું છલકાઇ જવું

કેટલું સહેલું છે ભીંજાઇ જવું

 

તું ગઝલના શેર ની ભીની લહર

ધન્ય છે તારું આ લહેરાઇ જવું

 

હું તરસ પહેરીને બસ જોયા કરું

ઝરમરી વાદળનું વિખરાઇ જવું

 

હોય મંઝિલ બે કદમ તે રાહમાં

શક્ય છે શ્વાસોનું રોકાઇ જવું

 

રોજ મારા લોહીમાં ટહૂકા ઊગે

યાદ આવે તારું પડઘાઇ જવું

ભલે રૂઠી ગયા—નઝર ગફૂરી

 

અમારી આપને દરકાર તો છે

ખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે

 

ભલે વરસાદ વરસે છે નયન થી

વિરહની આગનો ઉપચાર તો છે

 

પછી શાને પ્રસારું હાથ બીજે

નજરની સામે તાર દ્વાર તો છે

  

ભલે રૂઠી ગયા છે યાર કિંતુ

સલામત પ્રેમનો વ્યહવાર તો છે

  

દયા દ્ર્ષ્ટિ તમારી છે નઝર પર

તમારો એટલો ઉપકાર તો છે

  

વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી

 

બની ગઈ નીંદરો વેરી, વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ

મળી નજરોને જાણે દર્દની મોસમ શરૂ થઈ ગઈ

  

ન ઈચ્છાના વિહારો છે ,ન મરજીના વિસામા છે

હતી જે પ્રીતની વેલી તે વિકસીને તરૂ થઈ ગઈ

  

મને સંસારની કેડીજ લઈ ગઈ સ્વર્ગના દ્વારે

કથિર માની હતી જેને એ સોનાનો ચરૂ થઈ ગઈ

  

સમય ફરતાંજ વૈરી  થઈ ગયા સૌ પ્રાણ પ્યારાઓ

ગુલાબોની હતી કળિયો એ જાણે ગોખરૂ થઈ ગઈ

  

હજું તો આ કલાપંથે ખરેખર મારું પગરણ છે

બળતરા કેમ હમણાથી હરીફોમાં શરુ થઈ ગઈ

 

કવિતાએ ‘મુસાફિર’ નામ જીવનનું દીપાવ્યું છે

ગણી’તી વેદના જેને અમારી આબરૂ થઈ ગઈ

ઇસ્લામનો જન્મ ભલે અરબસ્તાનમાં થયો પરંતુ ભારતીય મુસ્લિમો અરબસ્તાનમાં નથી જનમ્યા.–

જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચર

 

પ્રશ્નોત્તરી સ્વરૂપે

Sachar1

Sachar2sachar3sachar4

(વ્.સમાચાર-સુરત જુન2009નાં સૌજન્યથી )

લોક માટે વ્હાલ—નયન દેસાઈ

 

અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો

શબ્દ બેમિસાલ ઓઢીને ફર્યો

 

થૈ ગયો છું ન્યાલ ઓઢીને ફર્યો

હું ગઝલની શાલ ઓઢીને ફર્યો

 

ખેસ ગાલિબનો વિંટાળ્યો મેં કદી

તો કદી ઇકબાલ ઓઢીને ફર્યો

 

યાદને કયારેયના ભૂલી શક્યો

કેં સદા ગઈકાલ ઓઢીને ફર્યો

 

સૌ દગાબાજી સતત કરતા રહ્યા

 લોક માટે વ્હાલ ઓઢીને ફર્યો 

Posted by: bazmewafa | 06/23/2009

કવિતા*બા *ઈલિયાસ શૈખ

બા *ઈલિયાસ શૈખ

 

ઉમરના તકાદે

થોડાં ઝૂકી ગયાં છે એટલુંજ

બાકી આંખ આજે પણ તાકે છે

આકાશના બીજા છેડાને ઉન્નત મસ્તકે

ખુમારીનાં ખમીરથી

 

ક્યારેય ખૂટતા નથી

એના સાડલાને છેડે બાંધેલા પૈસા. 

એકતો અરીસામાં

ને બીજે બસ એની આંખમાં

જોઈ શકું છું બાની આંખ

 

મોં સુઝણે

ગલી  ગલીએ  છાણ વીણતી બા

મને કાયમ

રાતના ખરેલા

તારા વીણતી પરી લાગી છે

 

દીવાલ પર

હાર બંધ થાપેલાં છાણાં

મારે મન તો જાણે મીઠા જુવારના દાણા

 

અઢળક બળતણ વેચી- વેચીને

ટાંકા-ટેભા ભરી ભરીને

બાએ અકબંધ રાખી અમારી મુઠ્ઠીને

 રસોડાનું એક એક વાસણ

બની ગયું છે અક્ષય પાત્ર

બાનાં બરકતી હાથે.

 

 

તારા વિરહના શહેરનો-જવાહર બક્ષી

 


તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે

દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે

 

લઈ જાઉં કઈ રીતે તને મારા શહેરમાં?

ઘરમાંથી બહર આવતાં થાકી જવાય છે

 

ઉત્સવ સમું શું હશે તારા અભાવમાં?

દરરોજ મારીએ આંખમાં મેળો ભરાય છે

 

 એકાંત,મૌન,શૂન્યતા,અંધારુ કે સ્વયંમ?

આ કોના દરથી જોરથી વાતો કરાય છે?

 

અસ્પષ્ટતા ન જોઈએં તુજ પાસ આવ

મારો અવજ શાહીમાં ખરડાય જાય છે

 

(તારાપણાના શહેરમાં-57)

ભીંજાય રણ—ડૉ.નીરજ મહેતા

એકટ્રેસ-શેખાદમ આબુવાલા

 

કિતાબોંમેં છિપે બૈઠે હૈં જો કિરદાર

ઉનકી ઝિન્દગી જીનેસે ક્યા મતલબ

યે આંસુ કૈસે આંસુ હૈ

જો અપને હો નહીં સકતે

પરાઈ નીંદકે સપને ભી અપને હો નહીં સકતે

કિસી ખુદ્દાર કે લબકી કિસી બીમાર કે લબકી

તેરે હોઠોં પે હોતીહૈ ખૂશી અગિયાર કે લબકી

તેરી આહોંમેં ઠંડક હૈ

મગર ગર્મીસે આરી હૈ

તેરા હર બોલ યું દેખે

તો અંગારોપે ભારી હૈ

તેરે ગમઝે તેરે અંદાઝ ક્યા કહિયે

કભી મીઠી કભી તલ્ખ તેરી આવાઝ ક્યા કહિયે

તેરે અવકાત નકલી હૈ

તેરે લમ્હાત નકલી હૈ

તેરા ચહેરા તો અસ્લી હૈ

મગર જઝબાત નકલી હૈ

કિતાબોંમેં છિપે બૈઠેં હૈ કિરદાર

ઉનકી જિન્દગી જીનેસે ક્યા મતલબ

કિરદાર=પાત્ર  .    ખુદ્દાર  =સ્વમાની.     લબ  =હોઠ .      અગિયાર = પારકા.

આરી  =ખાલી. અવકાત = વકતનું બહુવચન. લમહાત  =ક્ષણો.

જઝબાત=લાગણીઓ. 

ફાધર્સ ડે(પિતૃ દિન) એ અમારા બાપુને વંદન—જય ગજ્જર ,C.M.M.A

આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયુંછે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે.પણ પિતા વિષે બહુ ઓછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચપિતા ત્વમેવ…’ માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.

મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી. મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’ કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’ સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.

કોઇ ભલે કહેતું કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. બાપ પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે ની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે.

સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.

અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા

વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે

ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.

એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા. એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી

આ સંસારમાંથી વિદાય લીધી. એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ‘ફાધર્સ ડે’ ઉજવવાની હિમાયત કરી.

વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની Y.M.C.A, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે. ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી.અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ

મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પિતાજી પૂજાલાલ ગજજર મારી આંખ સામે રમી રહે છે. કેવા વિનમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને ભગવાન રણછોડરાયના એ ભકત હતા! પૂજાપાઠ કરી સવારે સાત વાગે શોરોક મિલમાં જઇ સુથારી કામ કરે. સાડા ત્રણ વાગે મિલમાંથી છૂટી ઘેર આવી,ચા પી સાંજના ઘેર કોઇના ફર્નિચર બનાવવાનું કામ કરે કે અન્ય પ્રકારનું સુથારી કામ કરવા બહાર જાય. મોડી રાત સુધી કાળી મજૂરી કરી વધારાના પૈસા કમાય.

ફીના કે પુસ્તકોના પૈસા માગો કે બીજે દિવસે તમારા હાથમાં મૂકી દે.કોઇને ખબર પણ ન પડવા દે કે પૈસા કયાંથી આવે છે! સૌને ભણાવવા અને સૌનાં ઉત્તમ જીવન ઘડતર પાછળ એમણે જે રીતે જીવન ખર્ચી નાખ્યું એનું સ્મરણ આંખો ભીની કરી દે છે. અમારી બા જેટલાં જ પ્રેમ,અને લાગણીના ધોધમાં અમને એ તરબોળ કરી દેતા. એ જમાનામાં એસ.એસ.સી.માં ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો ગુણ મેળવી કુલ્લે

૭૫ ટકા સાથે મેં પાસ કરી ત્યારે એમના મુખ પર જે આનંદ ઊભરાયો હતો તે આજ પણ ભૂલાય એમ નથી! એમના ખાતામાં સૌ કારીગરો, મિત્રો અને સગાં સંબંધીઓને પેંડા વહેંચી ગર્વથી પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. એ વખતે શોરોક મિલના માલિક નવીનચંદ્ર શેઠને મારો પરિચય કરાવેલો. શેઠે ખુશ થઇ મારા આગળ અભ્યાસ માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી. પરિણામે ગુજરાત કોલેજમાં સાયન્સમાં જોડાયો. કોલેજમાં દાખલ થતાં સરકાર તરફથી ઓપન મેરિટ સ્કોલરશિપ પણ મળી. આમ સાયન્સનું એક વર્ષ પૂરું કર્યું પણ રાત દિવસ મજૂરી કરતા મારા બાપુજીનો કુટુંબનો ભાર હળવો કરવા કંઇક આર્થિક મદદ કરી શકું એ હેતુથી એન્જિનિયર કે ડૉકટર બનવાનાં સપનાં છોડી અસારવા વિધાલયમાં શિક્ષક તરીકે જોડાયો. એ દિવસે મારા બાપુજીને જે દુઃખ થયેલું તે હું કદી નહિ ભૂલી શકું એમ નથી.

અમારા બાપુજીમાં ધગસ હતી, અનેરી સ્ફૂર્તિ હતી, કુટુંબ માટે પૈસા કમાવાની ધૂન હતી. યુવાન વયે તેઓ કમાવા માટે આફ્રિકા ગયેલા, ત્રણેક વર્ષ રહ્યા પછી રંગભેદના વિગ્રહો થતાં ૧૯૩૬માં દેશમાં પાછા ફરેલા.

જીવનના અંત સુધી આખી જિંદગી સુથારી કામ કરતા રહી બહોળા કુટુંબનો જે ભાર ઉપાડતા રહ્યા એની માનસિક વ્યથામાં અલસરનો ભોગ બન્યા. કુટુંબમાં સુખનો સૂરજ ઊગી રહ્યો હતો, બાપુજીને નિરાંતનો દમ લેવાનો સમય આવી રહ્યો હતો અને બાને જયારે હૂંફાળા સાથની જરૂર હતી ત્યારે બહોળા કુટુંબને રડતાં મૂકી નવેમ્બર ૧૫,૧૯૭૫ના રોજ નોકરીમાંથી નિવૃત થવાના દિવસો નજીક આવી રહ્યા હતા એ અરસામાં જિંદગીમાંથી સદાને માટે વિદાય લીધી. એ દુર્ભાગ્યની પળે હું પાંચ વર્ષ કેનેડામાં રહ્યા પછી ૧૯૭૫માં મારાં બાબાપુજીને મળવા દેશમાં આવ્યો હતો. એમણે મને ખૂબ જ ઉત્સાહથી,પ્રેમથી આશીર્વાદ આપી કેનેડા જવા ૧૯૭૦માં હરખભેર વિદાય આપી હતી. મારા બાપુજી કેનેડાની મારી પ્રગતિની વાતો સાંભળી ધન્ય થઇ ગયા અને એમના આનંદની કોઇ સીમા નહોતી. શરીરમાં એક રોગ ઘર ઘાલીને બેઠો હતો તેનો કદી કોઇને અણસાર જ ન આવવા દીધો. કમનસીબે જેમણે રાત દિવસ મહેનત કરી પાંચે ભાઇઓને ભણાવ્યા, એ બધાને પૈસે ટકે ખૂબ સુખી જોવાનું સદભાગ્ય માણવા એ ઝાઝું ન જીવ્યા. નાનપણમાં

એકલા મૂકી જેમના પિતા ગુજરી ગયા હતા તે અમારા બાપુજીનું કુટુંબ બહુ વિસ્તર્યું છે પણ એ વિશાળ વટવૃક્ષના સુખને જોવા એ અમારી વચ્ચે નથી એનું અમને અપાર દુઃખ છે. ઈશ્વરના ધામમાં અમારા બધાનું સુખ જોઈ એ હરખાતા હશે એવી શ્રધ્ધા છે. ખેદ એટલો જ છે કે જીવનભર રંધો ખેંચી લાકડાને ચમકાવતા રહ્યા તે બાપુજીએ અમારા સૌના જીવનને સૂંવાળાં બનાવ્યાં પણ એનાં ફળ જોવા કે ચાખવા એ લાંબું ન જીવ્યા. બાપુજી,નાનપણમાં તમારી સામે બેસી કયારેક રંધો ખેંચાવતો એ દિવસોને આજ યાદ કરી તમને વંદન કરી ભારે હૈયે ગાઉં છું,જે કર રોજ રંધો ખેંચાવી બાપુને મદદ કરતા,એ કર કલમ ચલાવી બાપુને આજ યાદ કરતા.

જય ગજજર, મિસિસાગા, કેનેડા
41 Palomino Dr. Mississauga, Ontario. Canada L4Z 3H6

Tel. (905)568-3728E.Mail:gajjar@mail.com

 

અનોખું વ્યકિત્વ _ડૉ.મહેબૂબ દેસાઈ

1954ની સાલ હતીગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંઘીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરવા મા ઉત્સુક હતી પણ યુવાન ગાંધીરંગે રંગાયેલો હતો. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી વજુભાઈ શાહ અને શ્રી લલ્લુભાઈ શેઠ જેવા ગાંધીજનોના સંગમાં તાલીમ પામેલો હતો. તે હંમેશાં કહેતો, ‘સ્વ માટે તો સૌ જીવે, પણ સૌ માટે જે જીવે તે સાચું જીવન.’
અને એટલે જ યુવાને પોતાની માતાને કહી દીધું હતું : ‘મા, મારી શાદીમાં ખોટા ખર્ચા ન કરશો. શાદીની ઉજવણી પાછળ થનાર ખર્ચ જરૂરતમંદોમાં વહેંચી દેજો.’ માએ કમને પુત્રની ઈચ્છા સ્વીકારી અને મનને એમ કહી મનાવી લીધું કે ‘ભલે બેટા, ધામધૂમ નહિ કરીએ, પણ નવાં કપડાં અને તાજાં ગુલાબનાં ફૂલોનો સહેરો (હાર) તને પહેરાવી શાદીનો આનંદ માણીશું.’યુવકે તેનો પણ સઆદર અસ્વીકાર કર્યો અને કહ્યું : ‘ગુલાબનો સહેરો નહિ પહેરું, નવાં કપડાં પણ નહિ પહેરું. માત્ર ખાદીનાં કફની, લેંઘો, ચંપલ અને ગળામાં સૂતરની આંટી પહેરીને જ નિકાહ પઢવા જઈશ.’

નાનકડા ગામ વંડામાં વાત પ્રસરી ગઈ. ગફાર તો ખાદીની કફની-લેંઘો અને સૂતરની આંટી પહેરી ચાલતો નિકાહ પઢવા જવાનો છે. ગામમાં જોણું થયું. ગફારનો નવી તરહનો વરઘોડો જોવા ગામઆખું ભેગું થયું. ગફારને તેની જરા પણ પડી ન હતી. ગોરો વાન, દૂબળો-પાતળો ઊંચો બાંધો, આદર્શોમાં રાચતી આંખો, સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ અને ગળામાં સૂતરની આંટી ધારણ કરી લાંબાં ડગલાંઓ ભરતો ગફાર વટથી નિકાહ પઢવા નીકળ્યો અને નિકાહ સંપન્ન થયા.દસકાઓ વીત્યા. યુગ બદલાયો. નવા વિચારો પ્રસર્યા. જિંદગીના ઉતારચડાવમાં ગફારે ઘણા અનુભવો મેળવ્યા. ચહેરા પર પ્રૌઢ રેખાઓ ઊપસી આવી. સંઘર્ષોએ ગફારભાઈને યારી આપી. તંગીના દિવસો બદલાયા. નાણાંની ભરતીથી ગફારભાઈને ખુદાએ નવાજ્યા, છતાં ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદભાવ અને સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ, પ્રૌઢ ચહેરા પર મીઠી મુસ્કાન અને મધુરવાણી ગફારભાઈની પહેચાન બની ગયાં. જોકે હવે સૌ ગફારભાઈને ‘બાપુજી’ કહેવા લાગ્યા હતા. એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. પોતાની કારમાં શેઠની જેમ પાછળ બેસવા કરતાં ડ્રાઈવરની બાજુમાં બેસવાનું બાપુજીને ગમતું, કારણ કે છેલ્લાં વીસ વર્ષથી ડ્રાઈવર તરીકે કાર્ય કરતો અનિલ તેમના સ્વજન જેવો બની ગયો હતો. કાર પૂરપાટ દોડી રહી હતી. ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે ઓશિયાળા ચહેરે બાળકોને ઊભેલાં જોઈ બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યાં. બાળકના માથે હાથ ફેરવતાં બાપુજીએ પૂછ્યું : ‘દીકરાઓ, આવા ભરતડકામાં અહીયાં કેમ ઊભા છો ?’‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે.’‘ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી જોઈએ. તમારાં જેવાં માસૂમ ભૂલકાંઓને થોડી સજા કરાય ?’ આટલું બોલતાં તો બાપુજીનો અવાજ ભીનો થઈ ગયો. વ્યથિત હ્રદયે લાંબાં ડગલાં ભરતાં તેઓ સ્કૂલમાં પ્રવેશ્યાં.
‘ક્યાં છે આ શાળાના આચાર્ય ?’
ખાદીના સફેદ કફની-લેંઘાધારી વૃદ્ધને જોઈ આચાર્ય દોડી આવ્યા.
‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં બેસીને શાંતિથી વાત કરીએ ?’
‘આચાર્યસાહેબ, આપની ચેમ્બરમાં જરૂર બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા કરવાને બદલે તમે આવાં માસૂમ બાળકોને શા માટે સજા કરો છો ? સૌ પ્રથમ તમે એ બાળકોને કલાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં બેસીએ.’
ખાદીધારી વૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તરત વર્ગમાં બેસાડવા સૂચના આપી પછી પોતાના રૂમ તરફ બાપુજીને દોરી જતાં બોલ્યા,
‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ પાંત્રીસ હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા પૈસાની જરૂર તો પડે જ ને ? એટલે બાળકો પર જરા સખતી કરવી પડી છે.’
આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતાં બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને મનોમન તેઓ બોલી ઊઠ્યા :
‘આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતૂમડા કરાતા હશે ?
અને બાજુમાં ઊભેલા ડ્રાઈવર અનિલને કહ્યું : ‘અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂ. પાંત્રીસ હજાર ભરવાની વ્યવસ્થા કરશો ?
અનિલે તરત મોબાઈલ પર સંદેશો આપ્યો. એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક આચાર્યના ટેબલ પર આવી પડ્યો. ત્યારે આચાર્ય બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા પણ બાપુજી તો, ‘પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી સજા ક્યારેય ન કરશો.’ એમ કહી લાંબાં ડગલાં ભરતાં હવામાં ઓગળી ગયા.
આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ ન હતી. પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય પસંદ ન કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં આથી ઊલટું થયું. હજયાત્રા દરમ્યાન કાબા શરીફની પરિક્રમા કરતાં કરતાં બાપુજીના મનમાં વિચાર ઝબક્યો. ’20 લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી લેવાના નીકળે છે. એ તમામને તાલમાં રાખી હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરીને આવવું જોઈતું હતું.’
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ એ વિચારને અમલમાં મૂક્યો. કાબા શરીફ સામે ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ લેણું માફ કરી દીધું. હજયાત્રાએથી પરત આવ્યા પછી એક દિવસ એક હિન્દુ સ્વજન પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાની થોકડીઓ લઈને આવ્યો અને બાપુજીની સામે મૂકતા બોલ્યો :
‘બાપુજી, આ આપની અમાનત રૂ. પાંચ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા. પણ હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા આવ્યો છું.’
બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને પ્લાસ્ટિકની થેલી પર નાખી, પછી ગોરા ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું :
‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.’
અને 72 વર્ષના બાપુજી લાંબાં ડગલાં માંડતાં હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના જીવનઆદર્શનું પેલું સુત્ર હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યું હતું :
‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’

 .

 

માનનીય  જનાબ ડૉ.મેહબૂબ દેસાઈ  સાહેબ, જે એક ઉત્તમ શિક્ષણ વિદ,સારા લેખક, ઈતિહાસકાર અને માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા, 

 સર્વ ધર્મ ઔદાર્યના પ્રતીક સમ વ્યક્તિત્વ ધરાવતી શખ્સિયત છે.

એમણે આનંદ પૂર્વક એમનો લેખ  “અનોખુ વ્યક્તિત્વ” (સત્યકથા) બઝમે વફા ને અર્પણ કર્યો. તે બદલ બઝમે વફા ગ્રુપ એમનું આભારી છે.

અને નીચેની લાગણી પૂર્વકની એમની કોમેંટસની બઝમે વફા સહર્ષ નોંધ લે છે.

                                                                    –મુહમ્મદઅલી વફા                    

 Submitted on 2009/06/29 at 3:07am

બઝ્મે વફા બ્લોગ ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય કક્ષાએ જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ છે.
એમાં આપના સૌના સહકારની અપેક્ષા સ્વાભાવિક છે.
મારો બ્લોગ પણ એ માટે ખુલ્લો છે. આપ ને તેમાં પ્રવેશવા નિમંત્રણ છે. તેમાં ઈતિહાસ , ધર્મ , સાહિત્ય અને સંસ્કૃતિ સુભગ સમન્વય આપને મળશે.

મારા બંને બ્લોગના સરનામાં નીચે આપ્યા છે.
1 mehboobdesai.blogspot.com.
2 mehboobudesai.wordoress.com

પેપર વેટ છે—એમ..ઝફર

દશા આ કાફિયાની જાણે પેપરવેટ છે

રદીફ ઉભો બિચારો જાણે સબ્જ્યુગેટ છે

 

ગઝલ બોડી બનીને કેમ આ ફર્યા કરે

વજન શેરો તણું તો  ખાસું અપટુડેટ છે

 

ઘસી નાંખો તમે પણ જોડકણાં થોડા ઘણાં

પ્રસંશા કાજ ઊભેલી આખી  સિંડિકેટ છે

 

બનાવો બ્લોગ  ચોરીની ગઝલો તફડંચી કરી    

જગતમાં  પણ ઘણી ચીજો તો  ડુપ્લીકેટ છે

 

ખરેખર  થાબડો   પીઠો ચાડિયાઓ તણી

ઉડાડે છે ખગોને ખેતરેથી એ તો ટ્ર્મ્પેટ   છે

 

વિવેચક બ્લોગના ડસ્ટબીનો જોતો નથી

થવા દો આમ જે  પણ બન્યું  એ ડ્યુએટ છે

 

ખપાવી દો વિચારો સેકન્ડ હેંડ નૂતન કહી

ભલે આકાર  પણ  એનો  કૈં રસ્ટીકેટ છે

 

‘ઝફર’ ક્ષમા જરા યાચું  આ છંદો ભંગ કરી

કરું શું એ બધું સાલું તો  કોમ્પલીકેટ છે

 

ઊડી ગયું છે છાપરું ઘરથી બહાર આવ

ખંડેર થૈ રહેલા નગરથી બહાર આવ

 

 

 

મારી હયાતીને દુવા દો—મકરંદ દવે

 

કોઈ ગુનો કર્યોજ નથી,એમ પણ નથી.

એને હું સાંભર્યોજ નથી,એમ પણ નથી.

 

મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?

તેં હાથ આ ધર્યોજ નથી,એમ પણ નથી.

 

આ ગામ,આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ

પાછો હું ત્યાં ફર્યો જ નથી,એમ પણ નથી.

 

તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવીઅ

ને કાંઈ કરગર્યો નથી ,એમ પણ નથી.

 

તારી નજર બહાર ગયો તો નથી  સનમ!

ચીલો મેં ચાતર્યોજ નથી,એમ પણ નથી.

 

દોસ્તોઅ હવે તો મારી હયાતીને દુવા દો !

કહેશો મા કે મર્યોજ નથી,એમ પણ નથી.   

સરપંચ—-મસ્ત હબીબ સારોદી

 

આ અમારા ગામના સરપંચ છે,

પોતે ચાલે છે હવાની જોઈ રૂખ.

 

 એમનું વ્ય્ક્તિત્વ પણ છે આગવું,

સૌ પ્રપંચીઓના છે પોતે પ્રમુખ.

 

ત્રાસ રૂપ જાણે છે, આખા ગામ પર,

થૈ ગયું છે, ગામનું જીવન કઠિન

 

એ જશે તો એટલું નિશ્ચિંત છે,

ગામ આખામાં પળાશે મુકતિ દિન.

મકતો રહું છું—- રતિલાલ અનિલ

 

અવાજોમાં ઠાલો ભટકતો રહું છું
ભટકતો,ભટકતો,અટકતો રહું છું

મુકામે મુકામે અટકતો રહું છું
હું પોતે મનેય ખટકતો રહું છું

હું સંધાઉં છું કોણ જાણે ય શાથી?
ને સંધાઈ પાછો બટકતો રહું છું

કહો તો એ અસ્તિત્વ છે,ને નથી પણ
હું તૂટતો રહું છું ને ને ટકતો રહું છું

જડાઈ જતો સ્તબ્ધ મારી નજરમાં
ફરકતા નયનમાં ફરકતો રહું છું.

સમય રેતની ટેકરીના શિખર પર
થઈ ઝાંઝવાં હું ફરકતો રહું છું

હસી લઉં છું ક્યારેક બરફ જેવું થોડું
ને નક્ષત્ર જેમજ દહકતો રહું છું

વિખૂટા પડ્યા છે બધા શેર મારા
ગઝલ ખોઇને માત્ર મકતો રહું છું

તમે મૂસ્કાન દઈ બેઠા –બાબુ પટેલ

 

મળી આંખે,   જરા આંખો  અને મસ્તાન   થઈ બેઠાં

નયનના  એક  પલકારે  તમે   મૂસ્કાન   દઈ  બેઠા

 

ભરી  રંગો  ધરા પર પાનખરના પાન  થઈ  બેઠા

ખરી ને એજ  ધરતી પર તમે કુરબાન  દઈ  બેઠા

 

 અમે  કેવા  હતા  કોના  હતા એ  વાત ના જાણી

અવાચક  બંધ  હોઠો ને  તમે પરવાન  દઈ  બેઠા

 

તમારી  વાતના  આંસુ  સરી  સુકા  પ ડ્યાં   ત્યારે

મળ્યાં  બે  બુંદ  સામેથી  તમે  સન્માન  દઈ  બેઠા

 

બધી વાતો નકામી બસ ફગાવી દઈ જમાનાની    

અજાણ્યા  લોકમા  આવી તમે  દિલ દાન  દઈ  બેઠાં

 

વસંતોને    વધાવી   બાગમાં    ફોરમ   નિતારી  ને        

સમાવી પવન  ને શ્વાસે  તમે એક તાન  દઈ   બેઠા

 

હું પોતેજ પોતાના કારણે વિસ્તરું છું—અલ્લામા ડો.મુહમ્મદ ઇકબાલ

 

મનુષ્યો સાથેનો વધારે પડતો મેળ મેળાપ,હળવું મળવું એ ખુદીની એટલે સ્વના ભાનની પહોંચ કાચી એટલેકે અપૂર્ણ હોવાની દલીલ છે.તેથી તું ,દર્દથી પરિચિત,સજ્જન પરિચયોથી મોઢું ફેરવે લે !

  સુલતાનોના દરબારમાં આ શીશ ઝુકાવવાનું ક્યાં સુધી? પોતાના પાલનહાર પાંસેથી ગર્વોન્નત રહેવાનું પણ શીખ !

    જવામર્દી સાથેનો પ્રેમ એક દિવસ ફરવાનોજ છે,મોડો વહેલો પ્રેમ તેમની નજરે પડવાનોજ છે!

   તેમના હ્રદયની નજીક પહોંચીને મેં એવું દર્દીલું ગીત ગાયું કે ,પરખંદા જાणी ગયા કે વિરહ વ્ય્થાની મઝા કેવી હોય છે !

   હું પોતેજ્ પોતાના આ કારણે વિસ્તરું છું.કે બૃહસ્પ્તિ અંધ છે,પરિણામે એવી નિષ્ફળતાને કારણે મારી પ્રેમની મતા ઉપયોગ વિના પડી રહી છે !

  આવ,લાલા કુસુમના પગ નીચે રગદોળીને અને બેબાક થઈશરાબપાન કરીએ, કેમકે એવા ખૂનને હલાલ ગણવામાં આવ્યું છે !

   મુસલમાનોમાંથી બહાર આવ, અને મુસલમાનીમાં પ્રવેશ કર, કારણકે મુસલમાનો બિન મુસ્લિમ જેવો વ્યહવાર કરે છે!

(ઝબૂરે આઝમ-119 .ફારસીમાંથી અનુવાદ: આચાર્ય મસ્ત મંગેરા તંત્રી: વ.સમાચાર  સુરત)

Ontario Multifaith Council honours Prakash Mody

Toronto, June 25, 2009. Ontario Multifaith Council at its Annual General Meeting last week, presented a plaque to Prakash Mody in recognition for his many years of valuable service as a Volunteer Board member. Guest of Honour and Keynote speaker was Barbara Hall; Chief Commissioner of Ontario Human Rights Commission outlined recent changes in the human rights field. Ontario’s Education Minister and MPP for Don Valley West, Kathleen Wynne, who spoke about government educational initiatives. Rob Oliphant, MP for Don Valley West, a United Church Minister, praised the role of Ontario Multifaith Council for providing important needs of spiritual and religious care in our Institutions. President Imam Abdul Hai Patel in his annual report presented review of the past years achievements and present challenges under economic crisis.

Ontario Multifaith Council on Spiritual & Religious Care is a government funded transfer payment agency looking after chaplaincy (now known as Spiritual Care) services within the province. About thirty-five or so different faiths joined to form OMC nearly thirty-five years ago and now it is an unofficial authority for multifaith resources.

About fifteen years ago, Prakash Mody initiated the membership of the Jain religion and served in different capacity including two years as a Treasurer and retired recently from OMC and several other social services organizations. He fulfilled the OMC’s motto of “One Purpose Many Faiths” and worked hard for the issues of the minority faiths. He was awarded by province, local Jain organization as well as JAINA, North American Jain parent body.

Picture shows Prakash Mody with the Plaque presented by Imam Abdul Hai Patel, OMC President.

==============

Ontario Multifaith Council

789 Don Mills Road, Suite 208

Toronto, ON. , M3C 1T5
( (416) 422-1490.

8 www.omc.ca

 

રબીઅ બીન સુલેમાન—રજુ.મુહમ્મદઅલી વફા

 

રબીઅ બીન સુલેમાન નું કથન છે કે હું હજ ના પ્રવાસ માટે જઈ રહ્યો હતો.મારી સાથે મારો ભાઈ અને એક જૂથ હતું. કુફા(ઈરક)માં પહોંચ્યા પછી હું યાત્રાની જરૂરિયાતો ખરીદવા

બજારમાં ફરી રહ્યો હતો.એક વેરાન જેવી જગ્યાએ એક મૃત ખચ્ચર પડેલું હતું.એક મેલા ઘેલાં કપડાંપહેરેલી સ્ત્રી એ મૃત ખચ્ચરનાં માંસના ટૂકટા કાપી કાપીને પોતાની ઝોળીમાં નાંખી રહી હતી.

મેં વિચાર્યું કે આ સ્ત્રી મૃત પ્રાણીનું માંસ લઈ જઈ રહી છે, એના પર મૌન જાળવવું યોગ્ય નથી.શક્ય છે કે ભઠિયારણ સ્ત્રી હોય અને અને મુર્દાર માંસ લોકોને રાંધીને ખવડાવી દેતી હોય.મેં ચુપકીદગી થી મેં એનો પીછો કર્યો કે એમને જોઈ ન શકે..તે સ્ત્રી એક મોટા મકાનમાં પહોંચી.જેનો દરવાજે પણ ઘણો મોટો હતો.તેણીએ જઈને દરવાજો ખટ ખટાવ્યો.અંદરથી પ્રશ્ન થયો કે કોણ છો?

એણે કહ્યું બારણું ખોલો! હુંજ કમનસીબ છું.બારણું ખોલવામાં આવ્યું અને એમાંથી ચાર છોકરીઓ બહાર આવી.એમના ચહેરા પરથી દારિદ્રય અને પીડાના ચિન્હો દ્રષ્ટિમાન થતાં હતાં.તે સ્ત્રી અંદર ગઈ અને પેલી ઝોળી તે છોકરીઓની સામે ધરી દીધી.હું કિવાડોમાંથી અંદર નિરખી રહ્યો હતો. ઘર અંદરની બિલકુલ ખાલી અને બર્બાદ હતું.તે સ્ત્રીએ રડતાં રડતાં છોકરીઓને કહ્યું કે :લ્યો આને રાંધી લો. અને અલ્લાહનો શુક્ર અદા કરો,.પોતાના બંદાઓ પર અલ્લાહનો અખ્તિયાર છે.એનાંજ કબ્જામાં લોકોનાં હ્ર્દયો છે.તે છોકરીઓ પેલું માંસ કાપી કાપીને આગ પર શેકવા લાગી.મને ઘણી તકલીફ થઈ.મેં બહારથી સાદ દીધો કે હે અલ્લાહની બંદીઓ અલ્લાહના વાસ્તે એને ન ખાઓ.પેલી સ્ત્રી કહેવા લાગી તું કોણ છે.મે કહ્યું હું એક પરદેસી માણસ છું.તે કહેવા લાગી હે પરદેસી ! તું અમારી પાંસેથી શું ઈચ્છી રહ્યો છે?અમે પોતેજ ભાગ્યના કેદીઓ છીએં.લગાતાર ત્રણ વરસથી ન અમારું કોઈ હિતેચ્છક કે મદદગાર છે.તું અમારી પાંસે શાની અપેક્ષા રાખે છે?

મેં કહ્યું મજુસિયોનીએક જાતિ સિવાય કોઈ ધર્મમાં પણ મુરદારનું માંસ ખાવું જાઈઝ(સ્વીકાર્ય) નથી.તે કહેવા લાગી અમે સૈયદ અને નબીના શરીફ વંશજો છીએ.આ છોકરીઓનો બાપ પણ ઘણો શરીફ હતો.તે પોતાના જેવા નેક માણસો જોડે આ છોકરીઓના નિકાહ કરાવવા માંગતો હતો .પણ તે પળ એને સાંપડી નહીં.તેનો દેહાંત થઈ ગયો.જે વારસો એણે છોડેલો તે પતી ગયો.અમને ખબર છે કે અમારા માટે મુરદાર નું ખાવું યોગ્ય નથી.પરંતુ લાચારીની હાલતમાં યોગ્ય થઈ જાય છે.ચાર દિવસથી અમે ભૂખ્યાં છીએં.અમે કંઈજ ખાધું નથી.

રબીઅ કહેછેકે એની તંગ પરિસ્થિતિ નિહાળી મને રડવું આવી ગયું.રડતાં રદતાં બેચેન દિલથી હું ત્યાંથી પાછો ફર્યો.અને મે મારા ભાઈને કહ્યું કે મારો હવે હજનો ઈરાદો નથી.એણે મને ઘણો સમજાવ્યો.હજના સદાચાર અને ગુણો બતાવ્યા.હાજી હજ કરીને પરત થાય છે ત્યારે એવી સ્થિતિમાં હોય છે કે એના ઉપર કોઈ ગુનો રહેતો નથી(એના ગુનાહો માફ થઈ જય છે).વિગે વિગેરે.મેં ઉત્તર આપ્યો લાંબી ચોળી વાતો છોદી દો..

આ કહીને મેં મારા કપડાં અને અહેરામની ચાદરો(હજ દરમિયાન પહેરાતી સિવ્યા વિનાની બે ચાદરો)અને જે કંઈ સામાન મારી પાંસે હતો તે લીધો અને રોકડા છ્સો દિરહમ હતા તે પણ સાથે લઈ લીધા.એમાંથી સો દિરહનો લોટ ખરીદ્યો.અને સો દિરહમના કપડાં ખરીદ્યાં.અને બાકી બચેલા દિરહમો લોટમાં સંતાડી પેલી ઘરડી સ્ત્રીનાં ઘરે પહોંચાડી આવ્યો.તે સ્ત્રીએ અલ્લાહનો આભર માન્યો,અને કહેવા લાગી હે ઈબ્ને સુલેમાન અલ્લાહ પાક તાર બધાજ આગલા પાછલા ગુનાહ (પાપો)) માફ કરે.અને પોતાની જન્નતમાં તને જગ્યા અર્પણ કરે..અને એનો એવો બદલો તને આપે કે તને પોતાને પણ એ દ્ર્શ્યમાન થઈ જાય.સૌથી મોટી છોકરીએ દુવા આપતાં કહ્યું કે તારો બદલો અલ્લાહ બેવડો કરી દે અને તારા ગુનાહ માફ કરી દે. બીજી છોકરીએ કહ્યું: જેટલું તેં અમોને આપ્યું છે એનાથી અલ્લાહ પાક તને અતિશય બદલો અર્પે.ત્રીજી છોકરીએ કહ્યું કે અમારા દાદા(હજરત મુહમ્મદ સલ.)સાથે તારૂં સાનિંદ્ય થાય.ચોથીસૌથી નાની છોકરીએ કહ્યું કે હે અલ્લાહ જેણે અમારા પર એહસાન કર્યું છે તું એને એનો બદલો ઘણી જલ્દી અર્પણ કર.અને એના આગલા અને પાછલ તમામ પાપો માફ કરીદે.

રબીઅ કહેછે હજનો કાફલો રવાના થઈ ગયો/અને હું લાચારીએ કુફામાંજ પડ્યો રહ્યો.

તે બધા હજ કરીને પરત પણ થયા.મને વિચાર આવ્યો કી આ હાજીઓનું હું સ્વાગત કરું.એમનાથી મારા માટે દુઆઓ કરાવું.કે એની મકબૂલ(સ્વીકૃત) દુવા મને પણ લાગી જાય.જ્યારે હાજીઓનો એક કાફલો મારી સમક્ષ આવ્યો ત્યારે મને હજથી વંચિત રહેવાનો ઘણો અફસોસ થયો.અને વેદનાને લીધે મારાં અશ્રુ સરી પડ્યાં.જ્યારે હું એમને મળ્યો,મેં એમને દુવાઓ દીધી કે અલ્લાહ પાક તમારી હજ કબૂલ ફરમાવેઅને તમે કરેલા ખર્ચનો તમને બદલો આપેએમાંથી એક માણસે પૂછ્યું આ દુવા કેવી?

એવા માણસની દુવા જે અલ્લાહનાઘરના દવાજા સુધી પહોંચવાથી વંચિત રહી ગયો હોય.તે કહેવા લગ્યો ઘણા આશ્ચર્યની વાત છે ,જાણે તું ત્યાં ન આવ્યો હતો એવી વાત કરે છે.શું તું અમારી સાથે અરફાતના મેદાનમાં ન હતો.તેં અમારી સાથે શેતાનને કાંકરા નથી માર્યા,તેં અમારી સાથે કાબાનો તવાફ નથી કીધો?

હું મારા દિલમાં વિચારવા લાગ્યો કે આ અલ્લાહનું ઈનામ છે. એટલામાં માર શહેરનાં હાજીઓનો કાફલો આવી પહોંચ્યો.મેં એમને કહ્યું અલ્લાહ તઆલા તમારી સઈ(કાબા પાંસે આવેલીસફા મરવાની પહાડીઓ છે .ત્યાં સાત વાર દોડવાની પ્રક્રિયા)કબૂલ ફરમાવે અને અને અને તમારી હજ કબૂલ ફરમાવે..તેઓ પણ એવું કહેવા લાગ્યા કે તું અમારી સાથે અરફાતમાં ન હતો? શેતાનને કાંકારા મારવામાં સાથે ન હતો?.હવે એનો ઈંનકાર કરી રહ્યો છે?એમાંથી એક માણસ આગળ વધ્યો અને કહેવા લાગ્યો ભાઈ શા માટે ઈંનકાર કરો છો?શી વાત છે? તમે અમારી સાથે મક્કામાં નહિ હતા?મદીનામાં નહીં હતા?.જ્યારે અમે નબી સાહેબની કબરની જિયારત કરીને બાબે જિબ્રીલ(એક દરવાજાનું નામ) થી બહાર નીકળી રહ્યા હતા, તે સમય અતિશય ગિર્દીને લીધે તમે આ થેલી મને અમાનત રાખવા માટે આપી હતી.જેની મહોર પર લખ્યું છે (મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફો કમાય છે.આ તમારી થેલી તમને પરત કરૂં છું.

રબી કહે છે અલ્લાહ સાક્ષી છે કે મેં એ થેલી પહેલાં કદી જોઈ ન હતી.એને લઈને હું પરત થયો.ઈશા(રાત્રિ)ની નમાઝ પઢી.મારો વજીફો(ઈશવર રટણ) પૂરો કર્યો.અને એજ વિચારમાં ખોવયેલો જાગતો હતો કે આખરે આ શું કિસ્સો છે? એટલામાં મારી આંખ લાગી ગઈ. નિંદ્રાવસ્થામેં હજરત મુહમ્મદ સલ્.ની ઝિયારત(દર્શન) કીધી.મેં નબી સલ. ને સલામ પેશ કર્યું.અને તેમના હાથ ચૂમ્યા.નબી સલ.એ સ્મિત ફરમાવ્યું અને સલામનો જવાબ આપ્યો.અને ઈર્શાદ ફરમાવ્યો ! હે રબી અમે કેટલા સાક્ષી આના ઉપર પેશ કરીએં?તેં હજ કરી છે, અને તું માનતો નથી.સાંભળ વાત એમ છે કે..જ્યારે તેં પેલી સ્ત્રીપર જે મારી ઓલાદ(સંતતિ)માંથી છે. તેં દાન કર્યું અને તારો સફરનો ખર્ચ કરુણા સાથેઆપી દીધો. પોતાની હજ તેં મુલ્તવી રાખી.તો મેં આલ્લાહ સુબ્હાન તઆલાથી દુવા કરી કે તે એનો શ્રેષ્ટમ બદલો તને અર્પણ ફરમવે.તો હક તઆલા(અલ્લાહે)એ એક ફરિશ્તો તારી સિકલનો બાનવી હુકમ કર્યો કે કયામત સુધી તે પ્રતિ વર્ષ તાર તરફથી હજ પઢે.અને દુનિયામાં તને આ બદલો આપ્યો કે છસો દિરહમના બદલે છસો અશરફિઓ તને આપી.(જે એણે આપેલા માલથી મોટા પ્રમાણમાં હતો) તું તારી આંખોને ઠંડી કર.પછી હજુ સલ.(નબી સાહેબ)એ તેજ શબ્દો દોહરાવ્યા(મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફોજ કમાય છે.રબી કહેછે કે –હું સૂઈને ઉઠ્યો. અને થેલીને ખોલી તો એમાં છસો અશરફીઓ હતી.(રસ્ફત્લ સાવી)

 

(ફાઝાઇલે હજ-કર્તાશેખુલ હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા (રહ..)ઉર્દ્દૂમાં પાન નં321થી 323કિસ્સા નં.69 સત્ય ઘટના)

 

 

 

ASEEM3

Aseem

પયગંબરોએ બતાવેલા અખ્લાકો(ચારિત્ર્યતા)—સૈયદ અબુલહસનઅલી નદવી

પયગંબરોની શિક્ષાથી જે ચારિત્રયતા જન્મે છે તે પ્રસ્થાપિત હિતોથી પવિત્ર હોય છે.નફો હોય કે નુકસાન .પ્રાણ જાય કે બચે.તેઓ ઉચ્ચ ચારિત્રયતાને  ત્યાગતા નથી.હજરત મુહમ્મદ સલ..ના શિક્ષણથી એવી માનસિક વૃત્તિ કેળવાઈ હતીકે ખલીફા ઉમર બીન અબ્દુલ અજીઝ( જે તે વખતે સભ્ય વિશ્વના મહાન સત્તાધીશ હતા)એક રાત્રે રજયકારભારનું કોઇ કામ કરી રહ્યા હતા.તે વેળા એક મુલાકાતી આવી પડ્યા.તે સલામ કરીને ખબર અંતર પુછવા લાગ્યો..એમણે જવાબ આપવા પહેલાં દીવો હોલવી નાંખ્યોબીજો ઝગમગતો દીવો મંગાવ્યો.આંગતુકે આ અંગે ઉત્તર માંગ્યો.તો એમણે કહ્યું કે તે દીવો બયતુલ માલ(સરકારી માલ)નો હતો.આપને હવે અંદરોદર ખાનગી વાતો કરવા લાગ્યા છીએં,એટલાં માટે પેલા દીવાને બુઝાવી નાંખ્યો.જો તેના પ્રકાશમાં ખાનગી ઘરેલું વાતો કરીશ તો અલ્લાહને શું જવાબ આપીશ?આવા નમૂનાઓ ક્રેમલીન(સામ્યવાદ)ના વિસ્તારોમાં મળી શકશે?આ ચારિત્ર્યતા,અને અત્મ ગૌરવની ઊંચાઈ એ રાષ્ટ્રોની સમજના બહાર છે.એ વધુમાં વધુ આટલું વિચારી શકે છે જે એમના વૈચારિક ઉડ્ડયનની સીમા છે :કે દરેક મનુષ્યને પેટ ભરીને ખાવાનું આપો,અને રહેવાનું મકાન હોય,મજદૂરી ન કરાવો,.ઇચ્છાઓનું બહુમાન કરો.. બીજા ખલીફા હજરત ઉમર(રદી.) જે ઈરાન અને રોમન સમ્રાજ્યના મહાન વિજેતા હતા.એમના સમયમા દુષ્કાળ પડ્યો,તો સારા ખાવાનાને  પોતાના પર પ્રતિબંધિત કરી દીધું.એમનો રંગ શ્વેત અને રતુમડો હતો.પરંતુ સામાન્ય અપુરતો ખોરાક ખાવથી ચામડીનો રંગ ઘઊં વર્ણો થઈ ગયો હતો

 

(પયામે ઇંસાનિયત 42-43 ઉર્દૂમાંથી અનુ.વફા)).

 

ભવિષ્ય પુરાણમાં મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી–પ્રોફ. મહેબૂબ દેસાઈ

રાહે રોશન’ના ૨૯-૧૨-૨૦૦૮ના અંકમાં ‘ઉપનિષદમાં અલ્લાહનો મહિમા’ લેખ પ્રસિદ્ધ થયો હતો.

લેખ ‘બઝમે વફા’ નામક વેબસાઇટના મેગેઝિનમાં ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી મુકાયો હતો. એ લેખ ટોરોન્ટોમાંથી પ્રસિદ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’માં ‘ધર્મશાસ્ત્ર’ નામક કોલમ લખતા જવાબ કાસિમ અબ્બાસ સાહેબના વાંચવામાં આવ્યો, અને તેમણે ‘દિવ્ય ભાસ્કર’ના લેખમાં ઉમેરણ કરતી ૨૩ વર્ષ જૂની એક પત્રિકાની ફોટો કોપી ‘બઝમે વફા’ વેબસાઇટને મોકલી.

એ પત્રિકા ‘મિલ્લત’ નામના મુસ્લિમ સામયિકના ૩૧-૩-૧૯૮૬ ના અંકમાં પ્રસિદ્ધ થઇ હતી. જેમાં લખ્યું હતું,‘હિંદુ ધાર્મિક ગ્રંથોમાંથી એક ગ્રંથ‘ભવિષ્ય પુરાણ’માં સંસ્કૃત ભાષામાં જે લખાણ છે તેનું ભાષાંતર આયશા બાવાણી વકફ દ્વારા અંગ્રેજીમાં પ્રગટ થયેલ ‘ઇસ્લામ તમામ પયગમ્બરોનો ધર્મ’ ના સૌજન્યથી અત્રે પ્રસિદ્ધ કરીએ છીએ. ભવિષ્ય પુરાણના પર્વ -૩, ખંડ-૩, અઘ્ય.-૩, શ્લોક ૫, ૬, ૭, અને ૮ ના સંસ્કત લખાણનું ભાષાંતર આ મુજબ થાય છે.

‘એક પરદેશી આઘ્યાત્મિક (રૂહાની) માર્ગદર્શક તેના સાથીઓ સાથે દેખા દેશે. તેનું નામ ‘મહામદ’ હશે. ગંગાજળ અને પવિત્ર દૂધમાં આ મહાદેવદૂત સમાન માર્ગદર્શકને, જે ‘મરુસ્થલ નિવાસીનમ્’ (રણપ્રદેશ અથવા રેતાળપ્રદેશનો રહેવાસી) હશે.

રાજા ભોજ તેનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે અને કહેશે, ‘હું આપને પ્રણામ કરું છું ઓ માનવ જાતિના ગૌરવ, રણપ્રદેશ (અરબ દેશ)ના રહેવાસી. આપની પાસે શૈતાનોને માત કરવાની શક્તિ છે. ઓ પવિત્ર મહાન માલિક (ઈશ્વર)ના પ્રતિબિંબ સમા, હું આપનો સેવક છું. મને આપના ચરણોમાં શરણાગતિ આપો.’

હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથ ભવિષ્ય પુરાણમાં હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી કરતા ચાર શ્લોકોનું અર્થઘટન કરતા મહર્ષિ વ્યાસ નીચે મુજબનાં તારણો આપે છે.

- સંસ્કૃતના મૂળ લખાણની બીજી લીટીમાં પહેલો શબ્દ ‘મહામદ’ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નું નામ સૂચવે છે.

- ત્રીજી લીટીમાં છેલ્લો શબ્દ ‘મરુસ્થલ નિવાસીનમ્’ માં મરુસ્થલનો અર્થ રણપ્રદેશ અથવા રેતાળ જમીન થાય છે. તથા ‘નિવાસીનમ્’ નો અર્થ રહેવાસી થાય છે. એ મુજબ હજરત મહંમદ (સ.અ.વ.)ના દેશનું નામ (અરબ દેશ) પણ બરાબર મળતું આવે છે.

- પયગમ્બર સાહેબ તમામ પાપોથી મુકત ફરિશ્તા સમાન સદગુણી હશે.રાજા ભોજ તેમનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે.

- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) શૈતાનોનો નાશ કરશે, દુર્ગુણોનો નાશ કરશે.

- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ખુદા (ઈશ્વર)ના પ્રતિનિધિ હશે. તમામ માનવજાત માટે તે ગૌરવરૂપ હશે.

હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) ના આગમન પૂર્વે ભવિષ્ય પુરાણમાં તેમના આગમન માટે થયેલી આ આગાહી સાચે જ ઇસ્લામ માટે ગૌરવરૂપ છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમન પૂર્વે જ તેમનો પ્રભાવ દૂરદેશાવર અને ભારત સુધી સુધી પ્રસરશે એમ કહેનાર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણી માટે આદર છે. ટૂંકમાં ‘રાહે રોશન’ કોલમ કેનેડા અને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ સુધી પહોંચી છે તે આનંદની ઘટના છે.

SraeFeel

 સૂરએ ફીલનો પદ્યાનુવાદ– દીપક બારડોલીકર

 

(સૂરએ ફીલ, કુરઆન શરીફનાં ત્રીસમાં (અંતિમ)ખંડની 105મી સુરત(પ્રકરણ) છે.)

 

નથી જોયો તેં અંજામ તે ગજ ગામ લશ્કરનો?

ચઢી આવ્યું’તું કરવા નાશ જે અલ્લાહના ઘરનો?

 

ખુદાએ તેમના સૌ દાવ શું નિષ્ફળ નથી કીધા?

બધાં યુક્તિ  પ્રયુક્તિ ચાલ શું નિષ્ફળ નથી કીધાં?

 

એ દુશ્મન પર ખુદા મોકલી આપ્યા પરિંદાઓ;

કે જાને મૌતના પયગામધારી કંઈ ફરિશતાઓ;

 

અરિ દલ પર એ પંખીઓ રહ્યાં વરસાવતાં કંકર;

કર્યું એ કામ પાષાણે કરે જે કામ ન ખંજર;

 

પછી એ હાલ મૌલાએ કર્યો દુશ્મનનાં ધાડાંનો;

કે જાણે જોઈ લો ઓગટ પશુએ ચાવ્યા ચારાનો.

(આબે કવસર-30)

સુરએ ફીલનો ગદ્ય અનુવાદ-મૌલાન અબદુર્રહીમ મૌ.ગુલામ મુહમ્મદ સાદિક રાંદેરી

 

સુરએ ફીલ મક્કી છે.(અર્થાત અલ્લાહ તરફ્થી વહી રૂપે  હજરત મુહમ્મદ સલ. પર મક્કામાં વહી રૂપે અવતરી હતી.વહી લઈને આવનાર ફરિશ્તાનું નામ જિબ્રાઈલ છે)એમાં પાંચ આયતો છે.

********************************************************************

 

બેહદ ક્ર્પાળું ,દયાળુ અલ્લાહના નામથી .(શરૂં કરૂં છું)

(1)શું તને ખબર નથી તારા પરવરદિગારે હાથી વાળા સાથે કેવું વર્તન કર્યું !

(2)શું તેઓના દાવને તદ્દન ખોટો નથી કરી દીધો?

(3)વળી તેઓના ઉપર (અબાબીલ) પક્ષીઓનાં ટોળાં મોકલ્યાં.

(4)જે તેઓની ઉપર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા.

(5)પછી અલ્લાહે તેઓને(પશુઓના) ખાધેલા(ઘાસના) ભૂકાની માફક કરી નાંખ્યા.

 

ભાષ્ય: યમનના ઈસાઈઓને આગમાં બાળી નાંખવાનું વર્ણન સૂરએ “બુરૂજ”માં આવી ગયું છે.

તે જુલમનો બદલો લેવા માટે એબેસીનિયા(ઈથોપિઇયા)ના ઈસાઈ બાદશાહે  યમન પર લશ્કર મોકલ્યું.,જેનો વિજય થયો..ત્યારથી યમન પર તેમનો કબજો હતો..કેટલીક મુદ્દત પછી ત્યાંના ગવર્નર’અબ્રાહા,એ જોયું કે આખા અરબના લોકો મક્કા જઈને હજ અને કાબા(કઅબહ)નો તવાફ(પ્રદક્ષિણા) કરેછે.તો તેને ઈર્ષા થઈ અને સૌ તેની પાંસે એકઠાં થાય એમ કરવા તેણે ચાહ્યું. તેથી એક બહુ સરસ રળિયામણું ભવ્ય મકાન કઅબહના નામથી બનાવ્યું.છતાં એની પાંસે લોઈ આવ્યું નહીં.ત્યારે તે ગુસ્સે થઈ ,ભારે ફોજ લઈ તેને અસલી કાબા પર ચઢાઈ કરી.ઘણા હાથીઓ પણ કાબા તોડવા  માટે સાથે લીધા.માર્ગમાં વસતા અરબના કેટલાક કબીલાઓએ તેને રોકવા ચાહ્યું.પણ તેણે તે સહુને મારી હટાવ્યા.અંતે જયારે તેઓ હરમની હદમાં આવી પહોંચ્યા,ત્યારે મક્કા વાળાઓ પાંસે પણ તેના મુકાબલાની શક્તિ ન હોવાથી ,સૌ મકાવાસેઓના સરદાર એટલે હઝરત સલ.ના દાદા અબ્દુલ મુત્લીબે સૌને કહ્યું કે પોત પોતાનો બચાવ કરી લો.કારણકે અમારમાં શક્તિ નથી.અને આ જેનું ઘર છે એ અલ્લ્લાહજ એને સંભાલી લેશે

.તેથી સહુ શહેર છોડી આમ તેમ પહાડો પર ચાલ્યા ગયા.અબ્રાહાએ મેદાન ખાલી જોઈ આગળ વધવા ચાહ્યું.હાથીઓને આગળ ધપાવા લાગ્યો.પણ ઉલ્ટા તે પાછા હટતા હતા.તેવામાં ખુદાએ સમુદ્ર તરફથી (જે પક્ષીઓની રહેઠાણની જગ્યા પણ નથી ત્યાંથી) ચકલી જેવડાં લીલા રંગના હજારો પક્ષીઓને લગભગ ચણા જેવડા ત્રણ ત્રણ કાંકરા,એટલે બન્ને પંજાઓમાં અને એક ચાંચમાં આપી મોકલ્યા હતાં.તેમણે ચારે બાજુએથી કાંકરાઓનો વરસાદ વરસાવવ માંડયો.જેનો માર બંદુકની ગોળીથી પણ વધુ વેગ પૂર્વક હોવાથી તેઓની ઉપર પડતાંજ તેઓના શરીરને વીંધી પાર જતા હતાં.વળી એ કાંકરાઓમાં એવી ઝેરી અસર હતી કે વાગ્યા પછી  તે માણસના અવ્યવો છૂટે છૂટા  થઈ જતા હતા.આખા લશ્કરમાં કોઈ પણ સલામત રહેવા પામ્યું નહીં.અંતે પંખી પાછા વળી ગયા.એવા પક્ષી  કોઈએ તે પહેલાં કે તે પછી કદી જોયાંજ  નથી..પછી વરસાદ પડવાથી  તેઓની લાશોના ટૂકડા પાણીમાં ઘસડાઈ સમુદ્રમાં જઈ પડ્યા.લશ્કરને આમ ઓચિંતુ બર્બાદ થતું જોઈ અબ્રાહા જીવ લઈ હબસા તરફા નાઠો.છ્તાં એક પક્ષી તેની પાછળ પડ્યું.અબ્રાહા ત્યાં પહોંચી નજાશી બાદશાહને સર્વે હકીકત કહી બતાવી.તો તેણે દિગ્મૂઢ બની પૂછ્યું કે કેવાં પક્ષી હતાં? તેવામાં અબ્રાહાની દ્ર્ષ્ટિ તે પક્ષી પર પડી.તો બોલ્યો:જુઓ તેમાંનું એક પક્ષી આ રહ્યું.તેટલામાં તો તે પક્ષીએ એના પર કાંકરો ફેંક્યો.જેથી અબ્રાહા બાદશાહની રૂબરૂજ મરણ પામ્યો.તે જોઈ બાદશાહ બહુજ ડરી ગયો

.આ બનાવ પછી તેજ વર્ષની આખરીમાં હજરત મુહમ્મદ સલ્.નો જન્મ થયો હતો.સારાંશ આજે તમને આ સુખ શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાત.? છતાં કેમ કુફ્ર કરો છો.વળી જે પ્રમાણે ખુદા પાકે કાઅબાહનું રક્ષણ કર્યું હતું તેજ પ્રમાણે પોતાના નબીનું અને કાઅબાહના સાચા સેવકોનું પણ રક્ષણ કરશે.સારાંશકે એમાં જુલ્મી કાફિરોની(અરબ અને મક્કાના નસ્તિકો) ધમકી અને તેઓના અત્યાચારો વેઠતા મુસ્લિમોને આશ્વાસન છે.  . 

ભાષ્ય: યમનના ઈસાઈઓને આગમાં બાળી નાંખવાનું વર્ણન સૂરએ બુરૂજમાં આવી ગયું છે.

તે જુલમનો બદલો લેવા માટે એબેસીનિયા(ઈથોપિઇયા)ના ઈસાઈ બાદશાહે  યમન પર લશ્કર મોકલ્યું.,જેનો વિજય થયો..ત્યારથી યમન પર તેમનો કબજો હતો..કેટલીક મુદ્દત પછી ત્યાંના ગવર્નરઅબ્રાહા,એ જોયું કે આખા અરબના લોકો મક્કા જઈને હજ અને કાબા(કઅબહ)નો તવાફ(પ્રદક્ષિણા) કરેછે.તો તેને ઈર્ષા થઈ અને સૌ તેની પાંસે એકઠાં થાય એમ કરવા તેણે ચાહ્યું. તેથી એક બહુ સરસ રળિયામણું ભવ્ય મકાન કઅબહના નામથી બનાવ્યું.છતાં એની પાંસે લોઈ આવ્યું નહીં.ત્યારે તે ગુસ્સે થઈ ,ભારે ફોજ લઈ તેને અસલી કાબા પર ચઢાઈ કરી.ઘણા હાથીઓ પણ કાબા તોડવા  માટે સાથે લીધા.માર્ગમાં વસતા અરબના કેટલાક કબીલાઓએ તેને રોકવા ચાહ્યું.પણ તેણે તે સહુને મારી હટાવ્યા.અંતે જયારે તેઓ હરમની હદમાં આવી પહોંચ્યા,ત્યારે મક્કા વાળાઓ પાંસે પણ તેના મુકાબલાની શક્તિ ન હોવાથી ,સૌ મકાવાસેઓના સરદાર એટલે હઝરત સલ.ના દાદા અબ્દુલ મુત્લીબે સૌને કહ્યું કે પોત પોતાનો બચાવ કરી લો.કારણકે અમારમાં શક્તિ નથી.અને આ જેનું ઘર છે એ અલ્લ્લાહજ એને સંભાલી લેશે

.તેથી સહુ શહેર છોડી આમ તેમ પહાડો પર ચાલ્યા ગયા.અબ્રાહાએ મેદાન ખાલી જોઈ આગળ વધવા ચાહ્યું.હાથીઓને આગળ ધપાવા લાગ્યો.પણ ઉલ્ટા તે પાછા હટતા હતા.તેવામાં ખુદાએ સમુદ્ર તરફથી (જે પક્ષીઓની રહેઠાણની જગ્યા પણ નથી ત્યાંથી) ચકલી જેવડાં લીલા રંગના હજારો પક્ષીઓને લગભગ ચણા જેવડા ત્રણ ત્રણ કાંકરા,એટલે બન્ને પંજાઓમાં અને એક ચાંચમાં આપી મોકલ્યા હતાં.તેમણે ચારે બાજુએથી કાંકરાઓનો વરસાદ વરસાવવ માંડયો.જેનો માર બંદુકની ગોળીથી પણ વધુ વેગ પૂર્વક હોવાથી તેઓની ઉપર પડતાંજ તેઓના શરીરને વીંધી પાર જતા હતાં.વળી એ કાંકરાઓમાં એવી ઝેરી અસર હતી કે વાગ્યા પછી  તે માણસના અવ્યવો છૂટે છૂટા  થઈ જતા હતા.આખા લશ્કરમાં કોઈ પણ સલામત રહેવા પામ્યું નહીં.અંતે પંખી પાછા વળી ગયા.એવા પક્ષી  કોઈએ તે પહેલાં કે તે પછી કદી જોયાંજ  નથી..પછી વરસાદ પડવાથી  તેઓની લાશોના ટૂકડા પાણીમાં ઘસડાઈ સમુદ્રમાં જઈ પડ્યા.લશ્કરને આમ ઓચિંતુ બર્બાદ થતું જોઈ અબ્રાહા જીવ લઈ હબસા તરફા નાઠો.છ્તાં એક પક્ષી તેની પાછળ પડ્યું.અબ્રાહા ત્યાં પહોંચી નજાશી બાદશાહને સર્વે હકીકત કહી બતાવી.તો તેણે દિગ્મૂઢ બની પૂછ્યું કે કેવાં પક્ષી હતાં? તેવામાં અબ્રાહાની દ્ર્ષ્ટિ તે પક્ષી પર પડી.તો બોલ્યો:જુઓ તેમાંનું એક પક્ષી આ રહ્યું.તેટલામાં તો તે પક્ષીએ એના પર કાંકરો ફેંક્યો.જેથી અબ્રાહા બાદશાહની રૂબરૂજ મરણ પામ્યો.તે જોઈ બાદશાહ બહુજ ડરી ગયો

.આ બનાવ પછી તેજ વર્ષની આખરીમાં હજરત મુહમ્મદ સલ્.નો જન્મ થયો હતો.સારાંશ આજે તમને આ સુખ શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાત.? છતાં કેમ કુફ્ર કરો છો.વળી જે પ્રમાણે ખુદા પાકે કાઅબાહનું રક્ષણ કર્યું હતું તેજ પ્રમાણે પોતાના નબીનું અને કાઅબાહના સાચા સેવકોનું પણ રક્ષણ કરશે.સારાંશકે એમાં જુલ્મી કાફિરોની(અરબ અને મક્કાના નસ્તિકો) ધમકી અને તેઓના અત્યાચારો વેઠતા મુસ્લિમોને આશ્વાસન છે.  .

સદભાગ્ય મારું—-દીપક બારડોલીકર

 

ખ્યાલે વસી છે કામળી કાળી રસૂલની

સદભાગ્ય મારૂં, થાય છે ઝાંખી રસૂલની

 

ગુંજે ખુદાના નામની સાથે નબીનું નામ

સૃષ્ટિમાં બે મિસાલ છે  શાહી રસૂલની

 

હૈયે ધરી એ ધર્મના જ્યોતિર્ધેરો થયા

એવી પ્રકાશવાન છે વાણી રસૂલની

 

મુક્તિની કોને ઝંખના,કે મુક્તિ કુફ્ર છે

કરવી ગમે છે અમને ગુલામી રસૂલની

 

દીપક હવે આ કેફ કદી ઊતરે નહીં

અમને મળી છે દીવ્ય સુરાહી રસૂલની

(રસૂલ=વિશ્વના અંતિમ નબી હજરત મુહમ્મદ સલ. સાહેબ)

 

(સિરાતે હરમ-39 ..નાત)

વેદમાં મકામે મહમૂદ(દિવ્ય સ્થાન)નું વર્ણન—મૌલાના શમ્સ નવીદ ઉસ્માનીઅને એસ. અબ્દુલ્લાહ તારીક

 હજરત મુહમ્મદ (સલ.)નું આસ્માની નામ અહમદ અને પૃથ્વીપરનું નામ મુહમ્મદ છે.પૃથ્વી પરની વિદાય પછી આપને મકામે મહમૂદ અર્પણ કરવામાં આવ્યું છે.જેની આપણે બધા અઝાન(બાંગ) પછી દુઆ કરીએ છીએં.વેદમાં એમની ત્રણેય  વસ્તુનું વર્ણન છે.

     ‘જે અગ્નિનું તમામ વિશાળ અને અનંત રૂપનું કદિ અંત નથી તેને શરીર વિહિણ આત્મા કહેવામાં આવે છે.( આ વર્ણન મકામે અહમદનું છે.)જ્યારે તે મનુષ્યના દેહમાં આવી પ્રગટ થાય છે ત્યારે તેની અસુર(સૌથી અંતમાં આવવા વાળા)અને નિરાશંસ(મુહમ્મદ) કહે છે.અને જ્યારે વિશ્વને પ્રકાશિત કરે છે ત્યારે માત્રેશ્વા હોય છે અને તે સમયે એ વાયુની જેમ (રૂહાની) હોય છે.!’ (ઋગવેદ)11-29-3.

ઉપર વાળા મંત્રમાં માત્રેશ્વા આપના ત્રીજા રૂપનું વર્ણન છે .અને આથી પ્રતિત એ થાય છે કે આ મકામે મહમૂદ છે.વેદોનાં અંગ્રેજી અનુવાદક ગ્રિફિથે લખ્યું છે કે આ સહુથી ભેદ ભરેલો શબ્દ છે.અને બીજી જગ્યાએ પણ એકજ શ્લોકમાં આ ત્રણેય સ્થિતિ નું વર્ણન છે.

”અગ્નિનુ પ્રથમ પ્રકટિકરણ સ્વર્ગ લોક(જન્નતનુ વિશ્વ)માં વિજળી(નૂર)ના રૂપમાં  થયું.એનું બીજું પ્રકટીકરણ મનુષ્ય ના વચ્ચે થયું.ત્યારે તે જાત વેદ(જન્મતાંજ વિદ્યા રાખવા વાળા)ઉમ્મી(કોઈ માનવ જાતિથી જેને કોઈ શિક્ષણ ન મેળવ્યું હોય એવો તે)કહેવામાં આવ્યા.એમનું ત્રીજું પ્રકટી કરણ જળ(વેદો માં જળ આધ્યાત્મિકતાનું પ્રતીક છે.)માં થયું.મનુષ્ય જતિના કલ્યાણનું કામ કરવા વાળા હમેશા પ્રયત્નશીલ રહે છે.એની કદર કરવા વાળાજ  એમનું આજ્ઞાનુસરણ. કરે છે’..2(ઋગવેદ 1-45-10)

’હે અગ્નિ અમે તારા ત્રણેય સ્વરૂપોને  જાણીએ છીએં.જ્યાં જ્યાં તારું ઠેકાણુંછે તે સ્થળથી પણ અમે પરિચિત છીએં.અમે તારુ તદ્દન ભેદી નામ અને અને જન્મસ્થળને જાણીએં છીએં..તું જયાંથી આવે છે એનાથી અમે પરિચિત છીએં’(ઋગવેદ 2-45-10)

 (અગર અબ ભી ન જાગેતો, ઉર્દૂ પુસ્તક પાન નં.176-177 અનુ.વફા)

 

અલ્લાહો અકબર- ઓમ્ મહા(અલ્લાહજ ફકત મહાન છે)—મુહમ્મદઅલી વફા

 

આજ રોજ વાર મંગળ ને  7 જુલાઈ2009 ના રોજ  “બઝમે વફા” ટોરંટો,કેનેડા. બઝમેવફા ના પ્રિય વાંચકો,લેખકો,કવિઓ,અભિપ્રાયથી નવાજનારાઓ,મિત્રો,વડીલો ,મુરબ્બીઓને આનંદ સહિત સલામ ,આદાબ અર્જ..

 27 ફેબ્રુઆરી 2006ના રોજથી બઝમે વફા એ બ્લોગપોસ્ટ દ્વારા આરંભ કરેલી ગુજરાતી સાહિત્યની સફર,સમય જતાં વર્ડપ્રેસ બ્લોગ.કોમ માં રૂપાંતરિત થઈ. આ ત્રણ વર્ષને ચાર મહિના જેટલા સમયનું અંતર કાપ્યા પછી  “બઝમે વફા” નો 1000મી પોસ્ટ મકામે મહમૂદ થી કંડારાય છે.   1000પોસ્ટ  કંડારવા માટે 185 જેટલા લેખક ,કવિ  સમૂહનો સહકાર સાંપડ્યો છે.તે બદલ બઝમ એમનું ઘણું આભારી છે. 1000 પોસ્ટમાં 642 જેટલા કાવ્યો(ગઝલો,હઝલો,મુકતકો,નઝમ,અછાંદસો વિ.)અને 20 જેટલી ટુંકી વાર્તાઓ,પરિચયો,માહિતી લેખો,હાસ્ય લેખો,સમાચારો,મુશાયરા અહેવાલો, ગઝલના છંદ શાસ્ત્ર પર આધારિત સાહિત્યિક લેખો,પ્રશસ્તિ કવ્યો,શોક કાવ્યો,વિદેશી ભાષાના કવિઓની અંગ્રેજીમાં અનુદિત થયેલી રચનાનો ગુજરાતીમાં અછાંદસ અનુવાદ,ઉર્દૂ,ફારસી કાવ્યોનો ગુજરાતી અનુવાદ ,આધ્યાત્મિક લેખો વિ.સમાવિષ્ટ છે.

બાગે વફા(અંગત કવિતાનો બ્લોગ)અને બઝમે વફા (ગુજરાતી ડાઇજેસ્ટ) શરૂ કર્યા ત્યારે બઝમે વફા માટે સામગ્રી એકઠી કરવાનો પ્રશ્ન હતો. ભારતથી હજારો માઈલ દૂર રહી ભારતીય ભાષાની સામગ્રી શોધવી એ કોયડો હતો.અહીંની લાઇબ્રેરીમાં પણ ઇચ્છિત પુસ્તકો પ્રાપ્ય ન હતા.ત્યારે મને મારી અંગત લાઇબ્રેરી  જે 45  જેટલા વષોર્થી ભેગા કરેલા પુસ્તકો સામાયિકો મદદે આવ્યા.મુરબ્બી શ્રી જય ગજ્જરે પોતાની વાર્તાઓથી નવાઝતા રહ્યા.મર્હૂમ આદિલ મનસૂરી સાહેબી પોતાના ગુજરાતી ઉર્દૂ કાવ્ય સંગ્રહો અર્પણ કર્યા.બધા બ્લોગોના ડઝન જેટલા જુદી જુદી ડીઝાઈનના આવરણો ભેટ ધર્યા.અને નવી નક્કોર ગઝલો બઝમે વફાને અર્પણ કરી.ડો.અદમ ટંકારવી,પ્રો.મહેક ટંકારવી,ભાઇ જનાબ અહમદ ગુલ,જ.બેદાર લાજપુરી,જિદ્દી લુવારવી,રાઝ નવસારવી અને ખસુસી તોર પર વારંવાર ભેટ મળતા રહેલા જનાબ દીપક બારડોલીકર સાહેબના કાવ્ય સંગ્રહો,સંપાદનો અને છેલ્લે એમનુ કુલિયાત- કુલિયાતે દીપક ઘણુંજ ઉપયોગી નીવડયું.

આ બધા પ્રયાસો પાછળ મારા ભષાના શિક્ષકોએ આપેલો ભાષા પ્રેમ અને મહા ગુજરાત ગઝલ મંડળના સુત્રધારોએ 40-45 વર્ષ પહેલાં આપેલી છંદ ,કાવ્યની સમજ અને પ્રેમ ,હિમ્મત કામ આવ્યા. એ મુરબ્બીઓમાં મર્હૂમ જનાબ મસત હબીબ સારોદી સાહેબ,મર્હૂમ જનાબ આઈ.ડી.બેકાર સાહેબ,મર્હૂમ શેખ ચલ્લી સાહેબ,આચાર્ય મસ્ત મંગેરા સાહેબ અને શ્રી ભગવતીકુમાર શર્મા,શ્રી રતિલાલ અનિલ,શ્રી અકબર અલી જશદણ વાળા એ વર્ષો પહેલાં જે ઉત્તેજન,હિમ્મત અને પ્રેમ આપેલો ,એ વર્ષો પછી આ બધું કામ કરવામાં મદદરૂપ થયું.

 અને છેલ્લે શ્રી નિર્મીશ ઠાકર અને પ્રોફેસર મહેબૂબ દેસાઈનો આભાર ન માનું તો નગુણો કહેવાઉં. શ્રી નિર્મીશ ઠાકરે(નિમ્મેસભૈ) જ.આદિલ મંન્સૂરી અને નાઝિર દેખૈયાને ગઝ્લોની પ્રતિ ગઝલો અને કોણ માનશે? રદીફ પર લખેલી હુરટી અને ગુજરાતી ગઝલો,મર્હૂમ જ.આસિમ રાંદેરીનું કેરી કેચર બઝમે વફાને અર્પણ કરવા બદલઅને ડૉ.મહેબૂબ દેસાઈ સાહેબોનો એમના”રાહે રોશન”લેખો બઝમે વફા માં પ્રકાશનની પરવાનગી અને બઝમે વફાના ઉત્તેજન બદલ શુક્રિયહ.

ડૉ.ડી.ઓ.શાહ,શ્રી સુરેશ જાની , શ્રી જુગલ કિશોર વ્યાસ અને  રઝિયા મિર્ઝા સાહબાનો પણ હું મારા બ્લોગ સાહિત્યમાં રસ લેવા બદલ આભારી છું

મારો કાવ્ય સંગ્રહ કોને મળું?(જે પ્રેસમાં છે )આશા છે ઘણા ટૂંક સમયમાં આપના કળ કમળમાં પહોંચશે.લેસ્ટર.યુ.કે.ના કવિ મિત્ર ભાઈ શ્રી દિલીપ ગજ્જરે કોને મળું?નું ટાઈટલ પેજ ની સુંદર ડીઝાઈન કરી આપી તે બદલ અને બઝમે વફાના હિતેચ્છુ થવા બદલ ઋણિ અને આભારી છું

 આભાર દર્શનમાં જે મિત્રો મુરબ્બીનાં નામો રહી ગયા હોય તે માટે દિલગીર છું

બઝમે વફા ની 1001મી પોસ્ટથી લેખક મિત્રો,કવિ બંધુઓનો આવોજ પ્રેમાળ સહાકર મળી રહે એવી આશા સહિત.

 આપનો

 સહ્ર્દયી

મુહમ્મદઅલી વફા

 

જામ સનમ-શેખાદમ આબુવાલા

અમને તો છે તમારું કામ સનમ

કોણ પૂછી રહ્યું છે નામ સનમ

 જો એ પીવા મળે તો જામ સનમ

નહિ તો હોઠોને રામ રામ સનમ

 આ ઘટા શ્યામ ઝૂકીને

તારી લટને કરે સલામ સનમ

 પાનખર કાનમાં કહી ગૈ શું

બાગની ઉંઘ છે હરામ સનમ

 જોયુંયૂરોપ એ  ખરું આદમ

દેશના પણ જુઓ દમામ સનમ

(દીવાન-એ-આદમ 282)

ઘુવડ—દિલીપ ઝવેરી

 

જંગલને માથેથી ઊડતાં ઊડતાં

સૂરજનું પીંછું એક છૂટું પડ્યુંજંગલના અંધારે અને આડા અવળા અનેક લસરકે

એનું રૂપ બદલી દીધું

 ઝમઝમતાં તમરાઓએ ફડતી ફડતી પાંખ દઈ

પીંછાને પંખીનું ખોળિયું ધર્યું

અણજાણે વાવના દેડકાએ

ખરબચડા લીલાશ ભર્યું આપ્યું ગળું

 બાવળની ડાળ બેઠી પીળેળી ડાકણે

એની આંખોમાં જીવ મૂકી દીધો

જટિયાં ઉડાડતી રાતે આવી ને

એને બ્હેકેલું બ્હેકેલુંચુંબન કર્યું

 સૂરજને ખિઓવાયાનાં પીંછાની

ત્યાર પછી બાકી ના એકે એંધાણી રહી

 

મુશાયરામાં ગઝલની રજૂઆત—-આશિત હૈદરાબાદી

શ્રી અમૃત ઘાયલનો એક શેર છે:-

    “એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં

      એક ગઝલ જેમ મરી જાય રજુઆત વગર”

  મુશાયરામાં ગઝલની રજૂઆત પણ યોગ્ય રીતે ન થાય તો સારી ગઝલ પણ માર ખાઈ જતી હોય છે.તમે જ્યારે કોઈ મુશાયરામાં રચના રજૂ કરશો ત્યારેશું સાવધાની રાખ શો.

   શરૂઆતમાં લખ્યું છે તેમ કોઈ ગઝલકાર મિત્રને ગુરુપદે સ્થાપ્યા હશે,તમને કોઈ મુશાયરામાં સહભાગી થવાનું નિમંત્રણ મળે ત્યારે મુશાયરામાં રજૂ કરવા જે રચનાઓ પસંદ કરો તે સૌ પ્રથમ તમે માનેલા ગુરુને બાતાવો.એના પર નિખાલસ ચર્ચા કરો અને કોઈ ત્રુટી રહી જતી હોય તો યથા સમય સુધારી લો.

   મુશાયરામાં જ્યારે તમારી રચના રજૂ કરો ત્યઅરે આટલું ધ્યાન અવશ્ય રાખો:-

 કોઈ ગઝલ અથવા શેર કયા સંદર્ભમાં,કયા સંજોગોમાં લખવા પ્રેરણા મળી તે વિષે બિલકુલ વાત ન કરો.વધારે પડતી ઝડપે રચના વાંચવી નહીં.શબ્દોચ્ચાર શુધ્ધ અને સાફ થવા જોઈએં.જે શ્રોતાઓના કાન સુધી બરાબર પહોંચે.રચના લય બધ્ધ સ્વરે,માફક સ્વરની ઝડપે વાંચવી જોઈએ.શેરમાં તમે વ્યક્ત કરેલા વિચારો શ્રોતાઓના હ્રદયને ઝંકૃત કરી દે,ધારી ચોટ ઉપજાવી શકી માતે કયા શબ્દ પર વજન આપવાનું,ક્યા શબ્દો છૂટા પાડીને રજૂ કરવા તેનું ખાસ ધ્યાન રાખવાનું.

   મુશાયરામાં ઉપસ્થિત શ્રોતાઓ ગઝલકારોને સાંભરવા આવ્યા  હોય છે માટે રચના રજૂ કરો ત્યારે શ્રોતાઓ તરફ તમારું ધ્યાન હોવું જોઈએ.વારંવાર સાથી ગઝલકારો તરફ જોઈને કે તેમને સંબોધીને  તેમની દાદ મેળવવા પ્રયાસ ન કરો.એટલું યાદ રાખોકે તમારા સાથીઓ પણ ગઝલકાર છે અને યોગ્ય સ્થળે યોગ્ય દાદ આપશેજ.પણ શ્રોતાઓ તરફથી મળતી દાદ વધારે મહત્વની છે.

 

(ગઝલ શીખવી છે?-પુ.59)

મતલબમાં આટલો તો સદા ચાર હોય છે

કે એ સમયે બધાં ય મિલન સાર હોય છે
 

વર્ષોથી એની વાટ નિહાળું છું—-બરકત વિરાણી’બેફામ’

 

(માનસર પુ..94)

સાંઠીકડાન ઈંધણમાં પણ બને એટલો ઊંચે જવાનો વળાંક લેતો ઉત્સાહ છે…’મને તો એક ડગલું બસ થાય’એવા બોલ તો એના વળાંક લેતા ધુમાડા ઉચ્ચારતા નથી.વચ્ચે આવેલી ગાંઠોમાંથી પણ એ ઝડપપથી બને એટલો પોતામાં રહેલો અગ્નિ બહાર આણે છે.તાપણાની વળાંક લેતી ચંચળ ધુમાડિયા જ્યોતમાં ઉત્સાહ છે.

તાપણું—રતિલાલ ‘અનિલ’

(કંકાવટી-અલ્વિદા અંક-માર્ચ2006 પુ.17)

 લાગણી અને પ્રેમ —પીર નન્નુમિયાં સાહેબ ભોપાલી

 લાગણી અને પ્રેમ એવી વસ્તુ છે કે જેની સાથે લાગણી અને પ્રેમ હોય છે એનું નામ આવતાં નસોમાં લોહીની ઝડપ માત્રા વધી જાય છે.

મૌલાના જાલાલુદ્દીન રૂમી(રહ.)એ એમની મસ્નવી(મહા કાવ્ય)માં એક પ્રસંગ સરસ વર્ણવ્યો છે.

એક બાદશાહ એક સ્ત્રી પર મોહિત થઈ ગયો.બાદશાહે તેની સાથે લગ્ન કરી લીધા.અને પોતાના મહેલામાં તેને પ્રસ્થાપિત કરી દીધી.થોડા દિવસો પછી તે સ્ત્રી બિમાર થઈ ગઈ.કોઈ પણ દવા તેના માટે અસરકારક સાબિત ન થઈ.

બાદશાના શાહી હકીમો એ ઘણી મહેનત કરી અને ઘણી દવાઓ તેના પર અજમાવી .પણ પરિણામ શૂન્ય..અને બિમારીમાં વધારો થતો ગયો.

છેવટે બાદશાહે દરબારી હકીમોને બોલાવી ધમકાવ્યા.અને ચેતવની આપી કે જો તમારી કોઈ દવાથી ફાયદો ન થાય તો દરેકને પોતાના હોદ્દાથી હટાવી દેવામાં આવશે.અને કોઈ

વેતન પણ મળશે નહિ.જો મને તમારી હિકમત કામ ન લાગી તો પછી એનો અર્થ શું?

બધા હકીમો નોકરી જવાના ભયથી ઘણા ગભરાયા.પરંતુ એક અનુભવી હકીમે કહ્યું કે હું એકાંતમાં બેગમની નબ્ઝ(નસ) પરખવા માંગું છું.,અને તેની સાથે વાતો કરવા ચાહું છું મને પરવાનગી આપો.બાદશાહે એને પરવાનગી આપી દીધી.

હકીમ બેગમને એકાંતમા મળ્યો..વાત વાતમાં તેનું મૂળ વતન ,શહેરનું નામ તેના કુટુંબ વિષે માહિતી મેળવી લીધી.પછી તેના ફળિયા અને તેના રહેવાવાળાઓનાં નામો બોલવાનું શરૂ કરી દીધું.અને એણે એનો હાથ બેગમની નબ્ઝ(નસ) પર મૂકી રાખ્યો.છેવટે જયારે એણે એક ઝરગર(સોની)નું નામ લીધું તો બેગમની નસ તેજ થઈ ગઈઅને  નાડી ઘણીજોરથી ચાલવા લાગી.

.  હકીમે બાદશાહને જઈ ફરમાવ્યું કે એ સ્ત્રી તેના ગામના ફલાણા ઝરગર(સોની)ના પ્રેમમાં છે

લખેછે કે કિસ્સોતો એનાથી પણા આગળ ચાલે છે.. પણ વાર્તાનું તાત્પર્ય એ છેકે પવિત્ર પુસ્તકે (કુરાને) આપણને એક થર્મો મીટર આપ્યું છે.સીધા માર્ગના પ્રયાણનું.તમારા સર્જન હાર સાથે તમારો લગાવ અને પ્રેમ હશે તો તમે એના બતાવેલા સીધા રસ્તા પર ચાલી શકશો.

(મૂળ ઉર્દૂમાં રજુઆત:—સૈયદ અબુહસન અલી નદવી.પુસ્તક: –સોહબતે બા અહલે દિલ પાન નં.161)

કોણ માનશે ? મસ્ત મંગેરા

 

આ જિંદગી પ્રવાસ હતી, કોણ માનશે ?

મંઝિલ ઉપર ઉદાસ હતી, કોણ માનશે ?

 

એકજ હૃદય છે તેમાં તમન્નાઓ બેસુમાર,

સોગાદ એજ પાસ હતી, કોણ માનશે ?

 

કરતો રહ્યો ખુશીની તમન્નાઓ ઉમ્રભર,

તારા ચરણની પાસ હતી, કોણ માનશે ?

 

એવી પળે મળી મને જીવનમાં રોશની,

પૂનમ અહીં અમાસ હતી, કોણ માનશે ?

 

ફૂલો ચમનમાં અંતે રૂદનથી ખૂશ થયાં,

એ વિરહની સુવાસ હતી, કોણ માનશે ?

 

મંઝિલ મળી છે મસ્તને એના પ્રતાપથી,

શ્રધ્ધા અતૂટ પાસ હતી, કોણ માનશે ?

(મિજાજ-63)

ઇસ્લામ અને બહુપત્નીત્વ _પ્રોફે. મહેબૂબ દેસાઈ

  

( Marry women of your choice, two, or three, or four; but if ye fear that ye shall not be able to deal justly (with them), then only one.”
[Al-Qur’an 4:3]
 
 (َإِنْ خِفْتُمْ أَلاَّ تُقْسِطُواْ فِي الْيَتَامَى فَانكِحُواْ مَا طَابَ لَكُم مِّنَ النِّسَاء مَثْنَى وَثُلاَثَ وَرُبَاعَ فَإِنْ خِفْتُمْ أَلاَّ تَعْدِلُواْ فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ذَلِكَ أَدْنَى أَلاَّ تَعُولُواْ (4:3

Wain khiftum alla tuqsitoo fee alyatama fainkihoo ma taba lakum mina alnnisai mathna wathulatha warubaAAa fain khiftum alla taAAdiloo fawahidatan aw ma malakat aymanukum thalika adna alla taAAooloo

 (Asad) And if you have reason to fear that you might not act equitably towards orphans, then marry from among [other] women such as are lawful to you [3] – [even] two, or three, or four: but if you have reason to fear that you might not be able to treat them with equal fairness, then [only] one – or [from among] those whom you rightfully possess. [4] This will make it more likely that you will not deviate from the right course.CoutesyIslamiccity.com)

બહુપત્નીત્વનો રિવાજ પ્રાચીન અને મઘ્યકાલીન યુગમાં યુરોપ અને એશિયાના બધા જ દેશોમાં પ્રચલિત હતો. પ્રાચીન સમયમાં ભારતમાં પણ રાજા-મહારાજાઓ એક કરતાં વધુ પત્નીઓ રાખતાં. અલબત્ત, આ પ્રથાના મૂળમાં મોટે ભાગે રાજકીય કારણો જવાબદાર હતાં.

એ જ રીતે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વનો સિદ્ધાંત એ સમયના અરબસ્તાનના રાજકીય વાતાવરણને કારણે સ્વીકારવામાં આવ્યો હતો. જેમ કે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નાં પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયાં હતાં, પણ એ પછી થયેલાં તેમનાં લગ્ન એક યા બીજા સ્વરૂપે રાજકીય કારણોસર જ થયાં હતાં, નહીં કે વૈભવ-વિલાસ અને શારીરિક જરૂરિયાત માટે (નફસાની ખ્વાહીશ). અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્ડ લેન પોલ મહંમદ સાહેબ (સ.અ.વ.) ના હજરત ખદીજા પછીનાં લગ્નો અંગે લખે છે :

‘એમાનાં કેટલાંક લગ્નો તો કેટલીક સ્ત્રીઓના પતિ ઇસ્લામની લડાઇમાં માર્યા ગયા હતા, તેમનો વિચાર કરીને કરવામાં આવ્યાં હતાં. તે સ્ત્રીઓને કશો આધાર ન હતો. તેમના પતિઓને મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ખુદ લડાઇમાં મોકલ્યા હતા. એટલે મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આશરો મેળવવાનો એ વિધવાઓને હક્ક હતો અને મહંમદ સાહેબ (સ.અ.વ.) બહુ દયાળુ હતા. તેમણે તેમને નિકાહ કરી આશરો આપ્યો. બાકીનાં લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય હતો. એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક પ્રેમસૂત્રમાં બાંધવાનો હતો.’

એ સમયે અરબસ્તાનમાં થતી રોજે રોજની લડાઇઓમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી જતી હતી. જયારે બીજા પક્ષે પુરુષોની સંખ્યા ઘટતી જતી હતી. એટલે જ ઇસ્લામમાં ચાર પત્નીઓ સુધીની છૂટ આપવામાં આવી. પણ બહુપત્નીત્વના આ સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં એ પણ કહેવામાં આવ્યું કે, ‘ જો તમને એ વાતનો ડર હોય કે તેમની સાથે લગ્ન કર્યા સિવાય અનાથો પ્રત્યે તમે ન્યાય નહીં કરી શકો, તો જે સ્ત્રીઓ તમને ગમે તેમાંથી બે-ત્રણ કે વધારેમાં વધારે ચાર સાથે નિકાહ કરી લો, પરંતુ ડર હોય કે તમે તે બધી સ્ત્રીઓ સાથે સમાન ઇન્સાફથી નહીં વર્તી શકો, તો ફકત એક સાથે જ નિકાહ કરો.’

ઓહદની લડાઇ પછી તરત ઊતરેલી આ આયાત (શ્લોક)માં પણ એકથી વધુ લગ્નો માટેનું સ્પષ્ટ કારણ આપેલ છે. સાથોસાથ દરેક પત્ની પ્રત્યે સમાન વર્તન કરવા પર ભાર મૂકે છે અને માનવસહજ સ્વભાવને કારણે જો સમાનતા ન રાખી શકો તો માત્ર એક જ પત્ની કરવા પર ભાર આપે છે. આ જ બાબતને વધુ સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,

‘ તમે ઇચ્છો તો પણ બધી પત્નીઓ સાથે સમાન વર્તન કરી શકવાને શક્તિમાન નથી.’

એટલે કે આ આયાત દ્વારા ખુદા-ઈશ્વરે પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે માનવીનો ચંચળ સ્વભાવ બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર, વર્તન દાખવવાને અસમર્થ છે.

આમ, કુરાને શરીફે પણ પરોક્ષ રીતે એક પત્નીત્વના સિદ્ધાંતને યોગ્ય માની તેને પ્રાધાન્ય આપ્યું છે.

 

“મિજાજ”-આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબની ગંભીર અને વિચારશીલ કાવ્ય રચનાનો સંપુટ —-મુહમ્મદઅલી વફા


 એ પણ છે ઠીક મસ્ત  ગઝલમાં એ વ્યકત થઈ,

નહિતર મનની વાત પણ મનમાં રહી જતે !!

 વર્ષોના ઈંતેજાર પછી શિક્ષણ વિદ,વિચારક,ચિંતક,દ્રષ્ટા,પત્રકાર ,કવિ અને લેખક આચાર્ય જનાબ મસ્ત મંગેરા સાહેબના અપેક્ષિત કાવ્ય સંગ્રહ ‘મિજાજ’ એમના સાહિત્યિક મિજાજનું દર્પણ લઈ ગુજરાતી સાહિત્યના ઉદ્યાનમાં ગઝલ,નઝમ ,મુકતક અને અછાંદસ કવિતાઓ સાથે દમામભેર પ્રવેશ કર્યો છે.

જનાબ મસ્ત મંગેરા સાહેબ મહાગુજરાત ગઝલ મંડળના સનિષ્ઠ પ્રયાસોના હમદર્દ સાક્ષી છે.એમની રચાનાઓમાં છંદની ચુસ્તતા સાથે વિચારોની પરિપકવતા, ભષાનો વૈભવ,કવિતાની તિરોધાત્મક બાની, લાઘવની સંવેદના સાથે માનવ જીવનની વાસ્તવિકતાની કહાની છે.

આ શયદા યુગના શાયરનો કાવ્ય સંગ્રહ આપણને 25 વર્ષ પહેલાં મળી જવો જોઈતો હતો. પરંતુ એમને એ પહેલાં પત્રકાર ક્ષેત્રે,શિક્ષણ ક્ષેત્રે,તેમજ સાહિત્યના અન્ય પ્રકાર ક્ષેત્રે  ઘણા પ્રદાનો કરવાના હતા.અને તે કરવામાં એમણે કોઈ કચાશ રાખી નહીં.

1968ના ગાળામાં એમનો નવલિકા સંગ્રહ  ‘સરવાળો’ પ્રગટ  થયો. નવલકથા ‘આથમો વાર, લખી.જુદા જુદા સંનિષ્ઠ સાહિત્યકારોના સહકારથી ગુજરાતી ભાષામાં ઈકબાલિયાત પર સહુ પ્રથમ પુસ્તક ‘મહા કવિ ઇકબાલ’  પ્રગટ કર્યું.તેમજ મહા કવિ ઇકબાલના મહાન ફારસી કાવ્ય સંગ્રહ ઝબૂરે આઝમ નો સુંદર અનુવાદ કર્યો અને પ્રકટ કર્યો.

29 વર્ષથી સુરતથી પ્રકાશિત થતા માસિક પત્ર વ.સમાચારને પોતાની અથક મહેનત ને પ્રમાણિકતાથી ,એના તંત્રીપદની જવાબદારી  ઉપાડી રહ્યા છે.

ગુજરાતી મુસ્લિમો અને મુખ્યત્વે  મુંબઈથી નર્મદાનદી અને અરબી મહાસાગરથી અરવલ્લીની હારમાળામાં વસ્તા મુસ્લિમોના ઈતિહાસનો માહામૂલો ગ્રંથ તૈયાર કરી ,એક વશિષ્ઠ ઐતિહાસિક જવાબદારી નિભાવી.

’મિજાજ’ એમના મિજાજનું સાચું દર્પણ છે.બે દાયકાથી અફાટ ખેડાતી અથવા ચગડાતી ગઝલ કાવ્ય નાં વૃદાવનમાં એમનો મિજાજ ગઝલની શાનને આન બક્ષે છે.ગઝલમાં પ્રયોગ ખોરી અને અરૂજના સંપૂર્ણભંગ સાથે સર્જાતી અને છપાતી રચાનાઓ માટે એમની રચનાઓ દીવા દાંડી બની રહેશે.

એક અમાનત રૂપે એને સાચવી,

પારકું ધન છે અમારી જિંદગી.

 

ગઝલનો એક શેર (બે મિસરા) એ સંપૂર્ણ રીતે એક કવિતા છે. એમાં પોતાના વિચારોની નાજુક રજુઆત.,ગેયતા,નાવિન્યતાને ચમત્કાર પ્રયોજી શાયર પોતાના અનુભવનાં ભાથામાંથી એક શેર નું તીર છોડી હૃદયની સંવેદનાને વીંધી નાંખે છે.અને જીવનનાં સાચાં મૂલ્યોનું દર્શન કરાવે છે.

તરહી (પાદ પંકતિ) ગઝલો અને મુશાયરાઓ એક ભૂતકાળ બની ચુક્યા છે. ત્યારે એમના તરહી મુશાયરાઓની ગઝલ એમના સર્જન શ્રોતની છડી પુકારે છે.

ફૂલો ચમનમાં અંતે રુદનથી ખુશ થયાં

એ વિરહની સુવાસ હતી કોણ માનશે?

******

પગલાં પૂજાય એવું વીરોચિત ગમન હતું,

મૃત્યું ભવ્ય એવું કે ભવ્ય જીવન હતું.

 

જગનાં પ્રલોભનથી નથી,મસ્ત વશ થયો

રાજી ખુદાની મરજી ઉપર મારું મન હતું.

*****

ખાલી નક્કાશી(કોતરકામ)કરતાં મક્કમ વિચારભાવના,તસવ્વુફનું ચયન,.સંદેશ એમની ગઝલોને આધ્યાત્મિકતાથી ભરી દે છે.

શું દુઆ ઓછી પડી કે બંદગી ઓછી પડી?

દઈ દીધું દુ:ખ એટલું જાણે ખુશી ઓછી પડી.

 

દઈ દીધું એણે મને ,તે પણ મુકદ્દરથી વધુ!

‘મસ્ત’  મારે તો દુઆ પણ માંગવી ઓછી પડી.

 

અને આ માનવ માનવ વચ્ચેની વિપુલ પ્રમાણમા સર્જાય રહેલી નફરતની દીવાલોમાં ઈંટોનો શું દોષ? એ દીવાલોતો આપણા લાગણી અને પ્રેમ વિહોણા ઘાતકી મનની પેદાઈશ છે.આ ઈંટોનો ઉપયોગ આપણે ખાઈ પાટવા સેતુઓ સર્જવા પણ કરી શક્યા હોત.

 

   ઈંટની ભૂલ નથી કંઈ એમાં,

   માનવી એ ચણી છે દીવાલો.

 

   એક સહિયારું ઘર બને દોસ્તો,

   કયાંક એવી ચણીછે દીવાલો.

 

કવિનો મિજાજ બંડખોર નથી પરંતુ સ્વમાની છે. ખુદ્દારીની ખુમારીથી જીવન જીવી, જીવવાવાનો રાહ ચીંધે છે.

અમેતો મૌનથી અમને સભર કરી લીધા

શબદ થઈને ઘણાં ખાલીપાઓ છલકાયા.

 

જમાનો પોતે ગવાહી  યે આપશે એની-

કોઈની શેહ શરમથી અમે ન અંજાયા.

 

અમોને ગર્વ છે તો મસ્ત એ જ બાબત પર,

અમે,અમારા વિચારિઓ નથી જ વેચાયા!

 

સૂરજ ,ચાંદની,દીવાલો,અંધકાર અને ફૂલ જેવી રદીફ પ્રધાન ગઝલોમાં પણ એમના કલ્પનો સિમિત ન રહેતાં ઉંચી વિશાળ ક્ષિતિજ પર વિહરે છે.

 

એમાં વફાના રંગ , ન કંઈ સુવાસ છે

એવાંજ આજકાલ છે વીસમી સદીનાં ફૂલ!

 

**

 

શ્ર્ધ્ધાનાં તેજથી  જ જીવન ઝળહળી જશે,

આખર અવ્વલ તો દૂર થવાનો છે અંધકાર

**

 

ઉગ્ર સંકલ્પ સમો સ્થિર આ બળતો સૂરજ

આભથી ઓસથી વળ્યો નથી વળતો  સૂરજ

**

એ કદી આવે તો તું એની ગવાહી આપજે

ઓ વિરહની રાત શી રીતે ગુજારી ચાંદની.

**

 

વળી આ એક ગઝલના શેરોની શેરિયતઅને સંવેદન તો  જુઓ !

અંતે તો આગમનનાં ધખારા હસી પડ્યા

ખીલી ઊઠી અમાસ, સિતારા હસી પડયા

 

ઉપહાસની આ કેવી પરા કાષ્ઠા હશે?

રડ્યાછે પારકાઓ, અમારા હસી પડ્યા

 

કેવી હતી એ ‘મસ્ત’ ના મનની મનોદશા?

જયારે રડી શક્યા ન, બિચારા હસી પડયા.

 

કત્અ અને મુકતકોમાં પણ ઉન્નત વિચારોને ગૂથે છે.વિશ્વભરના મિડિયાઓએ નારી દેહને નગ્ન કરી હુસ્નની ખૈરાત નો કમીનો ધંધો અપનાવી લીધો છે.સૌંદર્યના કાચા માંસની ગંધ હવે એ ગીધોને માફક આવી ગઈ છે.

નારી ગૌરવ અને સ્ત્રીના હકોની તકલાદી વાતો કરનારાઓએ નારી સ્વતંતંત્રતા નામે નારીના સુકોમળ શરીરને  ભાડા  ની હાટડી બનાવી દીધી છે.

નારી ગૌરવ ની હાકલ કરતું મુકત વિચાચરવંત છે.

        નથી મયખાનું

મદભર્યા જામ છે અધર એના,

મસ્તી માદકતા આંખ અંદર છે.

 

એ બધું છે –છતાં ય એક નારી,

નથી મયખાનું, કિંતુ મંદિર છે.

 

ઉર્દૂ ફારસીના મહાન ભારતીય કવિ ગાલિબને અંજલિ આપતી એમની નઝમ ગાલિબની ગાલિબિયત ઉપસાવે છે.

 

હે કથન સમ્રાટ ! ને ચિંતન મનનનાં હે ઈમામ,

મસ્ત પણ આપે છે તુજને  ભાવભીનાં જો સલામ !

 

 મિત્રોની નિંદાઓ –ટીકાઓથી પર ગાલિબ રહ્યો,

સાચે તું ગાલિબ હતો અને , ને સર્વ પર ગાલિબ રહ્યો !!

 ભારત પ્યારો દેશ અમારો નઝમ વતન પ્રેમથી છલકાય છે.

 સબ ઉનકી સોહબતે રંગીકા ફૈઝ હૈ વરના

કહાં જબાને મુહબ્બત, કહાં બયાં દિલ કા.

  

(જ.મસ્ત મંગેરા સાહેબનો કાવ્ય સંગ્રહ’ મિજાજ’ ભારતમાં નીચેનાં સરનામેથી મળી શકશે.

મસ્ત મંગેરા

કાંગવાઈ વાયા: રાનકૂવા તા: ચીખલી જિ.નવસારી 396 560

ફોન:02634-240024 મો.9426771991

કેનેડામાં આ કાવ્ય સંગ્રહ મેળવાવા સંપર્ક કરો

abhaidu@yahoo.com)

 

કેટલી લાલાશ તારી યાદની—મનીષ પરમાર

 

પથ્થરો ઓગાળવા આવ્યા છીએ.

બસ નદીને ખાળવા આવ્યા છીએ

કેટલી લાલાશ તારી યાદની!

સાંજ ધૂસળ વાળવા આવ્યા છીએ

રાખમાંથી પણ તને જડશે ઘણું,

આ જનમ ઘર બાળવા આવ્યા છીએ

 ભેજ છૂટે રેતને ગાળ્યા પછી,

છૉળને ઊછાળવા આવ્યા છીએ.

એક પર્વત મૂળ નાંખે છાતીમાં,

શું હિમાળો ગાળવા આવ્યા છીએ.

છૂટા પડવાની સરસ ક્ષણ—ઉશનસ્

(સૉનેટ)

 

પ્રિયે, અંતે તો એ બન્યુંજ બનવાકાળ હતું તે:

કર્યું પોતે ધાર્યું હતું, બસ થાવિધ સમયે,

ધીમે ધીમે બિલ્લીપગની ગતિથી, ચૂપકી લયે

બધું ટાઢું પાડી દીધું ખુદ ક્રમે, ઓછું હતું તે:

 

પ્રિયે, તૂટ્યો તો છે ગહનતમ સંબંધ, પણ છે

તૂટ્યા કેરી ક્યાંયે ખબર પડી ? છે તડ્તડ જરી

હવામાં કોઈએ સુણી સરખી કો પાંદડું ખરી.

ગયું છે વૃક્ષોથી; પણ કુણ ગણે? પીત ક્ષણ છે;

 

ખર્યા છે સંબંધો સધન અનુબંધોય પવને;

પરંતુ આંધી કે ખળભળ નથી ! લ્હેરખી નથી!

પડ્યું છે પાણીમાં ત્યહીં પણ ઝીણી ઓકળી નથી !

કશું કયાંયે ઊંચું નીચું નથી તૂટ્યાની અમ ક્ષણે !

 

પ્રિયે,તો આવી આ ક્ષણ મહીં ઉભે કો વ્રણ વિના

પડી જૈએ છૂટ્ટાં ગતસ્મરણના ભારણ વિના. 

પશ્ચિમી દેશોનો આડંબર-ડૉ.ઝુબેર કુરેશી


2

3

(ગુજરાત ટુ ડે 5ઓગષ્ટ 2009ના સૌજન્યથી)

વણઝાર ખોઈ બેઠો છું—અરવિંદ ભટ્ટ

 

 શબ્દના દ્વાર ખોઈ બેઠો છું

સાવ ઘરબાર  ખોઈ બેઠો છું.

 

કોઈ પથ્થર મળે તો લાગે છે,

એક આકાર ખોઈ બેઠો છું.

 

આજ આંખો મીચીને શોધું છું,

દ્રશ્ય બે- ચર ખોઈ બેઠો છું.

 

નેમ લીધું ન આયને જોયું,

ને હું અણસાર  ખોઈ બેઠો છું.

 

આંખમાં ઝાંઝવાનાં જાળાં છે,

હુંય વણઝાર ખોઈ બેઠો છું.

 

તૃષ્ણા વગર થશે—રતિલાલ અનિલ

 

ચાલો પ્રવાસ આપણો ઈચ્છા વગર થશે,

જ્યાં યે થશે મુકામ તે છાયા વગર થશે.

 

થાશે નગાધિરાજ ને થીજ્યા વગર થશે.

ને સાત રંગનો સૂરજ ઉષ્મા વગર થશે.

 

ફૂલો યે રસ્તે આવશે, પડશે વળી નજર,

સંબંધ પણ થશે, અને માયા વગર થશે.

 

આંખો સમક્ષ દ્રશ્ય હશે પણ દીદાર નહીં,

એવી રીતે જુદાઈ પણ પરદા વગર હશે.

 

મનમાંજ આપણે હવે મળશું , જુદા થશું:

થાશે અવર જવર અને રસ્તા વગર થશે

 

કરવું હશે કશું નહીં , તોયે થશે ઘણું2

મારા વગર થશે, અને ઈચ્છા વગર થશે.

 

ખુલ્લીજ હશે આંખ ને જીવતી હશે ત્વચા

થાશે અબોધ ને વળી મૃચ્છા વગર થશે

 

તારા ભરેલી રાત તે એક જ વિરાત મૌન,

દરબાર તો થશે અને સંખ્યા વગર થશે.

 

ભીંતો ને કાગળો ઉપર ઝૂમી જશે વસંત,

બસ, બાગ બાગ ફૂલના ઊગ્યા વગર થશે.

 

વીંધી જશે અવાજ વિના સર્વ વીજળી,

સીધો અવાજ એમનો ધ્રુજ્યા વગર થશે.

 

રણનો યે અર્થ નહિ રહે, મૃગજળ થશે ઉદાસ,

અવસાન તો થશે અને તૃષ્ણા વગર થશે.

રણ વિષે કંઈ વાત કર—જાતુષ જોશી

 

એ અજાણ્યા જણ વિષે કંઈ વાત કર,

રેશમી સગપણ વિષે કંઈ વાત કર.

 

જે વિશેષણથી પરે પહોંચી ગઈ,

એક એવી ક્ષણ વિષે કંઈ વાત કર.

 

આજ લગ જેના વિષે કંઈ ના કહ્યું,

એ જ અંગત વ્રણ વિષે કંઈ વાત કર.

 

જે થયું એ તો બધુંય ગૌણ છે,

તું પ્રથમ કારણ વિષે કંઈ વાત કર.

 

આંખની ભીનાશ મેં જાણી લીધી,

આંખમાંના રણ વિષે કંઈ વાત કર.

સાહિર લુધ્યાન્વી (1921-1980)

સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ-શેખાદમ આબુવાલા


એ જમાનો ઐતિહાસિક હતો, અદભૂત હતો અને ભયાનક પણ હતો.હિન્દુસ્તાન આઝાદ થયું અને ઈંકિલાબની છાબમાં લોહી નીતરતાં ગુલાબ હતાં.ઇતિહાસનાં ગાલ ઉપર શહીદોનું લોહી હજી તાજું હતું.આ ગુલાબી અને લાલીની લીલા વચ્ચે અમારું યૌવન રાત્રિના અંધકારમાં ઊજળા સમણાં વીણવા નીકળી પડયું હતું…

 તે જમાનામાં જેમ બીજા શાયરો મોઢે હતા તેમ સાહિર પણ મોઢે હતો…તેનો પહેલો કાવ્ય સંગ્રહ ‘તલ્ખિયાં’(કટૂતાઓ) ત્રણ  ચાર વર્ષથી માર્કેટમાં આવેલો.સાહિરની કવિતામાં કામણ અને આકર્ષણ એકબીજાની હરીફાઈ કરી રહ્યાં હતાં.સાહિરની નઝમોમાં લાલ રંગનો પ્રચાર હતો, અને ભાષાનું જુદું સૌંદર્ય હતું.

 સાહિર લુધ્યાન્વી એ  પોતાના કૉલેજ કાળથી જ  સામ્યવાદી વિચાર સરણીને વરેલો હતો.પ્રોફેસર વારિસ હુસેન બોલયા: ‘એ એક બૌધિક હતો.રશિયામાં પ્રસ્થાપિત થઈ ગયેલા સામ્યવાદે ઉર્દૂ લેખકો અને કવિઓમાં એક નવો પવન ફૂંક્યો હતો.સદીના ત્રીજા દશકામાં એ હવા એવી તો ચાલી હતી કે પરિવર્તન માટે એક તલબ જન્મી હતી.અને ઈંકિલાબ મોટા ભાગના બૌધિકો ઝંખના કરી રહ્યા હતા.સાહિર પણ તેમાનો એક હતો.

  સાહિરનાં અવસાનના સમાચાર મળતાં મને થયું કે સાહિર વિષે વાતો કરવા માટે વારિસ કને જવુંજ જોઈએ.કારણકે, વારિસ અલ્વી ઉર્દૂ સાહિત્ય સાથે જેટલો વ્યાપક અને વિપુલ સંપર્ક ધરાવે છે તેટલોજ અંગત અને નિકટ સબંધ.એ ઉર્દૂ સાહિત્યકારો સાથે રાખે છે.ઉર્દૂ સાહિત્યમાં વારિસની ગણનાં એક મોટા વિદ્વાન વિવેચક તરીકે થાય છે, અને એ ગણનામાં કોઈ જાતની અતિશયતા નથી.આસ્ટોડિયામાં આવેલા એમનાં મકાનની સામે ‘તલ્ખિયાં’ની એમની પાંસે છેલ્લામાં છેલ્લી ડીલક્ષ એડીશન પણ પડી હતી.

    વારિસ, એક સવાલ છે.સાહિર કે મજરૂહ કે પછી કોઈ પણ કોમ્યુનિસ્ટ ઉર્દૂ શાયર ફિલ્મમાં જામ્યા પછી એ પોતાના લાલ આદર્શોને વરેલો રહેતો નથી.કાર્લ માર્કસની નીતિ પ્રમાણે સાર્વજનિક માધ્યમો ઉપર કબ્જો મેળવવાના આશયે એ શાયરો પણ ફિલ્મમાં આવ્યા હશે.

 વારિસે તરતજ મારા આ અનુમાનને નકારતાં કહ્યું ,’ના , એ બધા પૈસા માટેજ ફિલ્મમાં જતા હોય છે.’ સહેજ સ્વાસ લઈ વરિસે ઉમેર્યું ,’મારે સાહિર માટે એટલું તો કહેવું જોઈએ કે ફિલ્મમાં પ્રવેશ્યા પછી પણ છેલ્લે સુધી સામ્યવાદી વિચારસરણી ને વરેલો રહ્યો..મોટા ભાગનાં ગીતોમાં સીધી કે આડકતરી રીતે એ વૈચારિક રંગ ભરતો જરૂર.તેમાં એ કામિયાબ પણ થતો.કારણકે સાહિરે પોતાની કવિતામાં બે બાબતોનો સમન્વય કર્યો હતો.રંગ દર્શિતા અ(રોમેંટિઝમ)અને ક્રાતિનો.જોકે એનાં કાવ્યોનો, ખાસ કરીને ‘તાજમહલ’ જેવાં કાવ્યોનો બરાબર અભ્યાસ કરીએંતો આપણને તેમાં ઈતિહાસ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ,હાઈસ્કૂલના કોઈ છોકરા જેવું લાગશે.તાજમહલ પરનું એનું કાવ્ય કેવું છે: સ્કુટરની પાછળ બેઠેલી એક સુંદર છોકરીને રસ્તાના માણસો બૂમો પાડી તેને હલકી પાડવા કોશિશ કરે તેવું.રસ્તાના માણસનો આ અંગત ઉર્મિધ્વંસ(ફ્ર્સ્ટેશન)ની જ એક પ્રકારની અભિવ્યક્તિ છે.છોકરી સુંદર હોય એમાં તેનો શો વાંક?

તાજમહલને હલ્કો પાડતી વખતે સાહિરે ઇતિહાસની વાસ્તવિકતાઓને નઝર અંદાઝ કરી છે .હું તો માનુંછું કે સાહિરે મુંબઈની તાજ હોટલ સામે ઊભેલા બી બાળકો ઉપર કાવ્ય કર્યું હોતતો તો તે પોતાના લાલ આદર્શ માટે વધારે ઉપકારક પુરવાર થાત.

  વારિસના મત પ્રમાણે સાહિરે જે ગીતો લખ્યાં છે તે લોક પ્રિય તો થયાં છે,પણ તેમાં (‘સાથી હાથ બઢાના’ જેવાં ગીતો માં)ફિલ્મસ્ટોરીના પાત્રનું આલેખન સાહિરના પાર્ટી પ્રોપેગંડાથી પણ રંગાઈ જાય છે.

 સાહિરે સામ્યવાદી પ્રચારને સહાયક થાય તેવા વિષય સાથે પ્રેમનો વિષય સાંકળ્યો હતો, એટલેજતો એ પ્રભાવશાળી શાયર તરીકે ખૂબ લોકપ્રિય થઈ શક્યો.

  સાહિરના ફિલ્મ પ્રવેશ પછી એનું અને એની શાયરીનું શું થયું?

‘સાહિત્યિક’ લેખન ઓછું થઈ ગયું.કારણ કે એનો ઉર્દૂ સાહિત્યના સતત વહેતા પ્રવર્તિત થતા પ્રવાહો સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો હતો.તેના પરિણામે સર્જનાત્મક  શક્યતાઓ પણ કમ થઈ ગઈ હતી.વધારામા6એને પૈસા મળ્યા એટલે એને ચમચાગીરી કરનારા ‘દોસ્તો’ય વધ્યા.પછીતો પોતાના ચમચાઓ વચ્ચેજ એ ઘેરઅયલો રહેતો.એને ટીક ગમતી નો’તી.એકવાર એણે પોતાની શાયરીની ટીકા કરનાર એક શાયરને લાફો મારી પોતાની મહેફિલમાંથી કાઢી મૂક્યો હતો.

    સાહિર પરણતો નો’તો-કેફી આઝમીએ તો લખ્યું છે, જે જમાનાની હું વાત કરું છું એ જમાનામાં …..પચ્ચીસ બરસકી ઉમ્રમેં તીન ચાર હાદસે તો ઐસે હો ચુકે  હૈં કિ શાદિયાં ઉન પર મંડલાઈ…મંડલાતી રહી.ઔર મંડલાકે રહ ગઈ,સાહિર હર મરતબા ચલ નિકલે…

.કિસ તરહ તુઝકો

 બનાલુંમેં

શરીકે ઝિન્દગી

મેં તો અપના

બાર

ઉઠા સકતા નહીં..

 

વારિસે કહ્યું, ‘સાહિર’ગમે તે કારણ હોય શાદીથી ગભરાતો હતો.એની કૌટુંબિક પરિસ્થિતિને પરિણામે  એને શાદી પ્રત્યે નફરત થઈ ગઈ હતી.એના જાગીરદાર પિતા કંઈ કેટલી વાર પરણ્યા હતા.-સાહિર માંનો દીકરો હતો.એને પોતાની માં પ્રત્યે હમેંશા લાગણી રાખી હતી…એણે પોતાના બાપને છોડ્યો હતો, માંને છોડી નો’તી.

 ‘સાહિર’ના જીવનના માનસિક આઘાતોનો સિલસિલો ક્રમશ: નહીં તો અનિયમિત રીતે નિયમિત તો હતોજ…ખાસ કરીને એના જાગીરદાર પિતા સાથે આરંભાયેલા સંઘર્ષને પરિણામે પણ…જોકે એણે જાગીર તો છોડી ખરી , બાપનો એકનો એક પુત્ર હોવા છ્તાં ,પણ હકીકતમાં એને જાગીર મેળવવાનોજ સંઘર્ષ કર્યો.એને બદલો લેવાનાં આશયે કર્યું હોય કે પછી જાગીરદારી એના લોહીમાંજ હતી તેના કારણે તે કર્યું હોય ,તે વાત ચર્ચાનો વિષય છે.સાહિરે ફિલ્મમાં અધળક ધન મેળવ્યું-ગરીબી અને ગરીબો માટે લખાયેલા ગીતો વાંચીને….

‘સાહિરે’એક વાર એક ગીતના એક લાખ રૂપિયા માંગ્યા હતા.એ વાત ચર્ચાનો વિષ્ય બની હતી.સાહિર ઉર્દૂ સાહિત્યના નવા તકાઝા સાથે કદમ મિલાવી ન શક્યો, કારણકે એણે પોતાની આસપાસ એક લક્ષમણરેખા ખેંચી રાખી હતી.એ દાયરામાં એની ચમચાગીરી કરતા દોસ્તો હતા.એણે પોતાની ઇમેજમાં તિરાડો ન પડે એવા એક અલગતાનાં કિલ્લામાં પોતાની જાતને બાન બનાવી રાખી હતી.ફિલ્મમાં સમય દુર્લભ થઈ જતો હોવાથી સાહિત્ય સાથેનો સંપર્ક ખોરવાઈ જાય છે.સાહિત્ય સમય માંગી લે.

  ‘સાહિર’પોતાના જમાનામા લોકપ્રિય તો હતોજ.

 

હા, સાહિર કવિ તરીકે પણ સારો તેનો ઈંકાર ક્યાં છે? એના સમકાલીન શાયરોમાં જેવાકે ફૈઝ ,મખ્દુમ,અખ્તરુલ ,ઇમાન,.મજરૂહ,જાફરીઅને કૈફી,મજાઝ વગેરે માં લોકપ્રિયતામાં ફૈઝ પછી બીજા નંબરે આવે.સાહિર ગઝલનો શાયર નો’તો.બ્લેંક વર્સ કે ફ્રી(અછાંદસ)વર્સનો પણ એ કવિ નો’તો.એ છંદો બધ્ધ અને પ્રાસ યુકત નઝમોનો(કાવ્યોનો) શાયર હતો.એની કવિતામાં કૃતિમતા નો’તી.એની કાવ્ય શૈલી સંદિગ્ધ પણ નો’તી.સ્પષ્તતા એની કાવ્યનો ગુણ હતો…એ કમીટેડ (વિચારસરણી ને વરેલો)કવિ, પન કવિ તો હતો જ… એણેજ ગાયું છે-

હઝાર બર્ક ગિરે

લાખ આંધિયા ઉઠે

વો ફૂલ ખિલતે રહેંગે

જો ખિલનેવાલે હૈ..

  ભલેને હજારો વાર વીજળીઓ ત્રાટકે—લાખ વાર આંધીઓ ફૂંકાય, પન જે પુષ્પો ખીલવાના છે તે ખીલીનેજ રહેવાનાં….

 સાહિર પણ તેમાંનું એક પુષ્પ હતો.

(આદમની આડ વાત-41)

લો હવે ચોમાસું બારે માસ છે—અંકિત ત્રિવેદી

 

લે, હવે ચોમાસું બારે માસ છે,

કોક એવું આપણામાં ખાસ છે.

 

શ્વાસ ચાલે એજ છે હોવાપણું,

જીવતો પ્ર્ત્યેક માણસ લાશ છે.

 

મન ભરીને માણવાનું થાય મન,

એક એવો શોધવાનો શ્વાસ છે.

 

આપને ખાલી થવાનું હોય છે,

જિંદગી પણ એક કટકો વાંસ છે.

 

એક પંખી જેમ તુ ઊડી ગઈ

ને અમારા હાથમાં આકાશ છે.

 

લે , ફરી પાછી ગઝલ આ અવતરી,

તું હશેની ધારણાં ચોપાસ છે.

રાત રહી પાસાં બદલતી—પુરુરાજ જોષી

 

પ્હેલ પ્રથમ પાંખ દીધી ને પછી પીંજર કર્યું

ચોપડે ચીતરેલ ખાતું એ રીતે સરભર કર્યું

 

પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ

ચીસથી જોકે યુગો લગ આભ આખું થરથર્યું.

 

વૃક્ષની હએક દાલીની કરી હત્યા પછી

છાંયાડાની ઝંખનાએ એના મનમાં ઘર કર્યું.

 

મેં તણખલાનું બનાવ્યું એક અફલાતુન ઘર

વીજને દીધું નિમંત્રણ આવીનેઝળહળ કર્યું.

 

માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની

રાત રહી પાંસા બદલતી ને ગગન ઝરમર કર્યું.

 

ઠામ ઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા

આમ આલય સાવ ખાલી આમ સચરાચર ભર્યું.

અલ મન્સુર હ્લ્લાજ-પ્રો.મહેબૂબ દેસાઈ

 

સૂફીસંતોના શહેનશાહ અલ મન્સુર હ્લ્લાજ નો જન્મ ૨૬ માર્ચ ૮૫૮ના રોજ પરશિયાના ફરસ ગામમાં
થયો હતો. તેમનું મૂળ નામ હુસેન હતું . પિતાનું નામ મન્સુર હતું. તેઓ પિતાના નામે જ પ્રસિદ્ધ થયા. મનસુરના પિતા પીંજારા હતા. અરેબીકમાં હલ્લાજ શબ્દનો અર્થ રૂ કાંતનાર થાય છે. અલ મન્સુરના દાદા ઝોર્સ્તિયન ધર્મ પાળતા હતા. પણ પિતાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરયો હતો.૧૮ વર્ષની વયે મન્સુર સહલ બિન અબ્દુલ અઝીઝના શિષ્ય બન્યા. ત્યારબાદ મન્સુર ઈરાક અને અરબ ગયા. ત્યાંના અબુલ હુસેન સારી અને જુનેદ બગદાદી જેવા સૂફીઓના સંપર્કમાં આવ્યા અને મન્સુર પાકા સૂફી બની ગયા. ત્રણવાર હજ્જ અદા કરનાર અલ મન્સુરે સૂફી દરવેશોની નીચેની તમામ અચાર સંહિતાનું શબ્દસહ પાલન કર્યું હતું.

૧. ભૂખ ન લાગે ત્યાં સુધી ભીખ ન માંગવી .
૨. જરૂર હોય તેટલું જ ગ્રહણ કરવું .
૩. સુશીલ અને વિનમ્ર બનવું .
૪. ભિક્ષા માટે ધનવાન વ્યક્તિની ભાટાઈ ન કરવી.
૫ ધનવાન કઈ ન આપે તો પણ તેની નિંદા ન કરવી.
૬. દીનતાને જીવનમાં ઉતારવી.
૭. ભવિષ્યની ચિંતા ન કરવી.
૮. જે કઈ સ્વેચ્છાથી મળે તે પ્રેમથી સ્વીકારવું
૯. ભિક્ષા માટે ધર્મ લાભની ખોટી વાતો ન કરવી

આ તમામ આચાર સંહિતાને સ્વીકારી , ખુદા માં એકાકાર થઈ જનાર અલ મન્સુરે એક દિવસ કહ્યું,

” અનલહક ” અર્થાત ” હું ખુદા છું.” ” અહંમ બ્રહ્માસ્મિ “
મન્સુરે પોતાની એ ઉક્તિને સ્પષ્ટ કરતા કહ્યું,
” ખુદા સાથેની મારી નિકટતાથી હું અને ખુદા અલગ નથી રહ્યા. ખુદા અને તેની ઈબાદત કરનાર તેનો
બંદો એકાકાર થઈ ગયા છે.”

પણ ઇસ્લામના કટ્ટરવાદી ચાહકો મનસુરના આ વિચારની ગહનતા ન પામી શક્યા. અને મન્સૂરનો
વિરોધ આરંભાયો. આ વિરોધની પરાકાષ્ટા ત્યારે આવી જયારે મન્સુરે પોતાના કાવ્યમાં ગાયું.

” અગર હૈ શૌક્ મિલને કા ,
તો હરદમ લૌ લગાતા જા

જલા કર ખુદ નુમાઈ કો
ભસમ તન પર ચઢાતા જા 
કિતાબે ડાલ પાની મૈ
,
પકડ દસ્ત તું ફરીશતો કા

ગુલામ ઉનકો કહાતા જા
,
ન જા મસ્જિદ, ન કર સિજદા
,
હુકુમ હૈ શાહ કલન્દેર કા

અનલ હક તું કહાતા જા 
હક મૈને દિલમે પહેચાના

વહી મસ્તો કા મૈખાના

ઉસી કે બીચ આતા જા

મનસુરના આ કથન પછી તેને મોતની સજા ફરમાવામાં આવી. એ સજા ભલભલાને કંપાવી દે તેવી હતી. ભગવાન ઈશુને તો શૂળી પર ચડાવી હાથ પગ પર ખીલા મારવામાં આવ્યા હતા(ઈસાઈ માન્યતા પ્રમાણે-તંત્રી). પણ મન્સુરને
તો શૂળી પર ચડાવતા પહેલા તેના એક એક અંગ કાપવામાં આવ્યા હતા. સજાનો આરંભ થાય તે પૂર્વે મન્સુરે તેના મિત્ર શીવલીને પૂછ્યું

” તારી પાસે મુસલ્લો (નમાઝ પઢવાની ચટાઈ) છે ?’

શિવલીને નવાઈ લાગી . જે મન્સુર ” મુસ્લ્લા ફાડ , તસ્બી તોડ “નો નાદ કરતો હતો , એ જીવનની અંતિમ પળોમાં નમાઝ પઢવા મુસલ્લો માંગી રહ્યો છે. શીવલીએ મન્સુરને મુસલ્લો આપ્યો . મુસલ્લો બિછાવી મન્સુરે નમાઝ આરંભી . પણ જલ્લાદોએ તેને નમાઝ પઢવા ન દીધી. અને મનસુરના બંને પગો કાપી નાંખ્યા. ત્યારે મન્સુરે આકાશ તરફ નઝર કરી સસ્મિત કહ્યું ,

” યા અલ્લાહ, નમાઝ માટે પગોની શું જરૂર છે ? હું તો પગો વગર જ તારામાં એકાકાર થઈ ગયો છું.”

જ્લ્લાદોએ મન્સુરનું આ કથન સાંભળ્યું , પછી તુરંત તેના બંને હાથો કાપ્યા. પછી તેની જીભ કાપી .છતાં
મન્સુર હસતો રહ્યો. હજારો લોકો ચારે બાજુથી મન્સુર પર પથ્થરોનો વરસાદ કરી રહ્યા હતા. પણ મન્સુરનું સ્મિત યથવાત હતું. પણ જયારે તેના પરમ મિત્ર શીવલીએ ટોળામાંથી તેના પર એક ફુલ ફેક્યું , ત્યારે મન્સુરનું સ્મિત ખંડિત થયું . તેણે દુખી થઇ શીવલી તરફ એક નઝર કરી . શીવલી મન્સુરની એ નઝરને સહી ન શક્યો . અને તેણે આંખો ઝુકાવી દીધી. અને મન્સુરની ક્રૂર હત્યા થઇ . એ દિવસ હતો ૨૬ માર્ચ ૯૨૨ . અલ મન્સુરે લખેલ ગ્રંથ ” કિતાબ-અલ-તવાસીન” સુફી વિચારધારાને પામવાનો ઉત્તમ ગ્રંથ છે. તેમાં આદમ અને શૈતાન વચ્ચે સુંદર સંવાદો નોધ્યાં છે. મન્સુર તેમાં લખે છે,

” જો તમે ખુદાને ઓળખી ન શકો તો , ખુદાની નિશાનીઓને ઓળખવાનો પ્રયાસ કરો. એ જ સત્ય છે. મેં એ સત્યને પામ્યું , અટેલે જ કહ્યું ” અનલહક ” .

મન્સુરની નિર્મમ હત્યાના થોડા દિવસો પછી કોઈકે શિવલીને પૂછ્યું,
” મન્સુરની હત્યા સમયે તે મન્સુર પર ફૂલ શા માટે ફેક્યું હતું ?”
શીવલી પ્રશ્ન સાંભળી થોડો મૂંઝાયો , પછી બોલ્યો,

,” બડા લુત્ફ હૈ યાર ઈશ્ક મૈ
માર ભી હૈ , ઔર પ્યાર ભી હૈ
સુલી પર મન્સુર ખડા હૈ
દાર ભી હૈ , દીદાર ભી હૈ “
મુસ્લ્લા ફાડ, તસ્બી તોડ

ન મર ભૂખા , ન કર રોઝા

ક્હે મન્સુર મસ્તાના

મનસુરના આધ્યત્મિક વિચારોમાં તાજગી અને ગહનતા હતી. તેઓ કહેતા ,
” હવા મનુષ્યનું જીવન છે. પરમાત્મા હ્દયને જીવન છે. સત્ય એ આત્માનું જીવન છે.દુનિયાનો ત્યાગ શરીરની પરહેજગારી છે. પરલોકનો ત્યાગ મનની પરહેજગારી છે. એક ડગલું દુનિયા અને એક ડગલું પરલોકમાંથી ઉઠાવી લઇને આગળ વધીએ તો ખુદાને મળી શકાય.બ્રહ્મજ્ઞાની એકલો હોઈ છે. તે કોઈને
ઓળખતો નથી. તેને કોઈ ઓળખતું નથી.”

મન્સુરની નિર્મમ હત્યાના વર્ષો પછી શાયર-એ – આઝમ મિર્ઝા ગાલિબે મન્સુરને અંજલી અર્પતા કહ્યું હતું,

” દી ગઈ મન્સુર કો સૂલી
અદબ કે તર્ક પર
થા અનલહક હક્ક
મગર યક લફજે ગુસ્તાખાના થા “

Posted by: bazmewafa | 08/10/2009

62nd Independence day of India celebration in GTA

62nd Independence day of India celebration in GtA

શ્વાસ સુધીના સૌ સાથી છે —મસત હબીબ સારોદી

 

કેમ કરેછે ખોટી અટકળ ?

ન્યાય તો એ છે મુજને સાંભળ !

 

યત્ન ગયા સૌ અંતે નિષ્ફળ,

યોગ પ્રબળ છે તે પણ પુષ્કળ !

 

શ્વાસ સુધીના સૌ સાથી છે,

કોણ ગયું છે કોની પાછળ?

 

ક્રોધ ઘટે ના કરવો જો કે,

તંગ કરો છો કેવાં પળ પળ?

 

છે જ સહારો શ્ર્ધ્ધા વિહોણો

ભૂલ કબૂલી લઈશું પાછળ.

 

દુનિયા છે આ જંગલ જેવી,

તોય કહું છું મંગળ! મંગળ !

 

આજ કરેછે નિર્દેશ એ એનો,

હાલ થવાનો કેવો આગળ!

  

એય હબીબ છે એક સમસ્યા,

સાંત થયું મન શાને વિહવળ?

પ્રેમ એકજ છે , સનાતન છે, અચલ છે ઓ ‘મરીઝ’


રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઈએ.

મોઘમ ઈશારો જોઈએ—મરીઝ

 

હો ભલેને અલ્પ પોતાનો સહારો જોઈએ,

બુંદભર પાણીને પણ પોતાનો કિનારો જોઈએ.

 

એ જ છે વાણીની સફળતા, એજ છે સંગતનો રંગ,

હો ગમે તેવો વિષય સુંદર વિચારો જોઈએ.

 

મૂળમાં વર્ગીકરણ  કુદરત કદી કરતી નથી,

જંગલી ફૂલોને પણ ખુદની બહારો જોઈએં.

 

થાક લાગ્યો હો પરમ કક્ષાનો ત્યાં શું ચુંટણી?

મહેલ હો કે ઝૂંપડી મારે ઉતારો જોઈએ.

 

તે પછી જોજો અમારી સ્પષ્ટ વાતોની મઝા,

આપની આંખોનો એક મોઘમ ઈશારો જોઈએ.

 

જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,

થોડા ખુદની જાત ઉપર પણ પ્રહારો જોઈએ.

 

પ્રેમ એકજ છે , સનાતન છે, અચલ છે ઓ ‘મરીઝ’

રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઈએ.

એમની આંખોમાં ઉમળકો નથી—અદમ ટંકારવી

 

એમની આંખોમાં ઉમળકો નથી

ને અંહી મારો હરખ માતો નથી

 

છે સતત શબ્દોની અહીંયા ગજવીજ

લાગણીનો એક પણ છાંટો નથી.

 

જ્યાં જુઓ ત્યાં બધે વન વેજ છે

ને નીકળવાનો કોઈ રસ્તો નથી.

 

અહીંયા જે એક ભાઈબંધ રહેતો હતો

એને શોધું છું અને જડતો નથી.

 

હા, આ ડૉલર તો કંઈક જુદો જ છે

સ્વપ્નમાં જોયો હતો તેવો નથી.

 

ઊંધુ ઘાલીને એ આગળ જાય છે

આ મુલક પાછું વળી જોતો નથી.

 

ફાસ્ટ ફૂડ એ ખાય છે કિંતુ અદમ

એટલો જલ્દીથી એ પચતો નથી.

 

(શિકાગો 4-7-,999)

પથ્થર નહીં બનું-મઝહર ફારૂકી

 

બીજાના માટે હું કદી નડતર નહીં બનું

આવે જે ઠોકરોમાં એ પથ્થર નહીં બનું.

 

અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે

રોળી કોઈનાં રત્ન હું ગૌહર(મોતી) નહીં બનું.

 

 નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું

ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું.

  

સૌની નિકટ રહીશ હું સરખાજ રૂપમાં

છેટેથી રૂડો લાગતો ડુંગર નહીં બનું.

 

 ‘મઝહર’ કથનથી વેગળું જેનું હો આચરણ

એવો વિરોધાભાસી સુખનવર નહીં બનું.

 

(વિદેશી ગઝલો સં.દીપક બારડોલીકર)

એક વેળા આપને જોયાં—ગની દહીંવાળા

 

એક વેળા આપને જોયાં બહાનું થઈ ગયું,

મારા માટે આ જગત તસ્વીર ખાનું થઈ ગયું.

 

ભાવનાશાળી હૃદય કારણ વ્યથાનું થઈ ગયું.

મહેલમાં વસવાટ, કંટક બિછાનું થઈ ગયું.

 

આપનો નાહકનો મિથ્યા ગર્વ પોષાઈ ગયો,

હાથથી કુદરતના એક સર્જન કળાનું થઈ ગયું.

 

કોઈને સંધ્યા સમે સત્કારતાં દિલ કહી ઊઠ્યું,

આગમન શું આજ પશ્ચિમથી ઉષાનું થઈ ગયું.

 

એ જવાનીનાં નશાની આંખમાં લાલી હતી,

નામ ત્યાં બદનામ નાહક સુરાનું થઈ ગયું.

 

ભાગ્ય-છાયા પર કિરણ પુરુષાર્થનાં જ્યારે પડ્યાં,

રાતનો અંધાર અજવાળું ઉષાનું થઈ ગયું.

 

જિંદગી એવા ય શ્વાસો લઈ જીવ્યો છું ‘ગની’

કૈંક વેળા આ જગત મારા વિનાનું થઈ ગયું.

(ગાતાં ઝરણા-33) 

નયન છલકાઈ જાએછે—સૈફ પાલનપુરી

 

જવાની છે તો ગાલો પર લટો વિસરાઈ જાએ છે,

ફરજ સમજીને મોસમમાં ઘટા વિખરાઈ જાએ છે.

 

શું તમને વિરહ જેવું કંઈ જ જીવનમાં નથી આવ્યું?

મજીવા દુ:ખ ઉપર શાને નયન છલકાઈ જાએ છે.

 

ખુશીથી ગુફતગુ દિલ સાથે કરતાં પણ ડર્રું છું હું,

એ ડાઝેલું છે ખુદ મારા ઉપરવ્હેમાઈ જાએ છે.

 

અચાનક કોણ બોલાવે છે મૃત્યુના બહાનાથી,

જીવન પહેલાં હશે એ કોણા ,જે વિસરાઈ જાએ છે.

 

મુકદ્દર નામ છે તારા મિલન પહેલાંની ચર્ચાનું,

પછી તો ભાગ્યની રેખાઓ ખુદ શરમાઈ જાએ છે.

 

નવીનતાના બધા પૂજક છે લઈ આવો સુરાલયમાં,

પુરાણું હોય છે એ સર્વ અહીં ભુલાઈ જાએ છે.

 

અનોખી છે ખરેખર “સૈફ” ની લાગણી વશતા,

સુખીને જોઈને એનાં નયન ભીંજાઈ જાએ છે.

 

(એ જ ઝરૂખો એ જ હીંચકો-49)

 

નિઝર કાબાની

જન્મ: 21માર્ચ1923 દમસ્કસ, સિરિયા.

દેહાંત: 30એપ્રીલ1998 લંડન,ઈંગલેંડ

વ્યવસાય: રાજકરણી,કવિ,લેખક

અરબી કવિતા_સુલતાન

 જો મને સલામતી બખ્શવામાં આવે

જો હું સુલતાનને મળી શકું.

તો હું એને કહીશ.હે મારા માલિક સુલતાન !

તારા ઘાતકી શ્વાનોએ મારું ઘડિયાળ નષ્ટ કીધું છે.

તાર જાસૂસો હમેશા મારો પીછો કરી રહ્યા છે.

એમને આંખો, એમના નાક

એમના પગો મારું પગેરું શોધી રહ્યા છે.

જાણેકે મારું ભાવિ ,મારું મુકદ્દર

મારી પત્નીની તપાસ આદરેછે

અને મારા બધા મિત્રો નામ લખી લે છે.

હે સુલતાન !

 કારણકે હું તારી બહેરી દિવાલો ને  ખખડાવું છું

કારણકે હું મારી વેદના અને વ્યથા ને વાચા આપું છું

મને મારા પગરખાથી પીટવામાં આવ્યો.

હે માર દાતા ,હે સુલતાન.

તમે બે વાર જંગ હારી ચૂકયા છો,

કારણકે આપની પ્રજાના અર્ધો અર્ધ માણસો પાંસે જીભ નથી.

 

જંગ=ઈઝરયેલ સાથેની 1948 અને 1967ની જંગ

 

હે અમારા બાળકો

 હે અમારા બાળકો

વસંતની વર્ષા અને ઉમ્મીદની કળીઓ

અમારી વેરાન જિંદગીમાં તમે ફળદ્રુપ બીજ છો

તમે અમારી તે પેઢી છો જે પરજય ને વિજય માં તબ્દીલ કરી દેશો.

 અમને આતંક વાદી કહોછો

 અમારા પર આતંકવાદ નો આરોપ થોપવામાં આવે છે

જો અમે ગુલાબ અને સ્ત્રીઓનું રક્ષણ કરીએ

 મહાન  આયતો(શ્લોકો)નું

અને આકાશા ભુરા રગનું

એ આધિપત્ય  જેમાં લેશ માત્ર ,કંઈ પણ નથી

ન જળ,ન હવા

ન તંબુ ન ઊંટ

અને અરબની કાળી કૉફી પણ નહીં

 અમે આતંક વાદી?

Posted by: bazmewafa | 08/14/2009

આઝાદી અમર રહો

]

[http://www.youtube.com/watch?v=wjl-HUgQFbw&feature=related

http://www.youtube.com/watch?v=93NLol3gXm8

સમય બદલાય તો જાશે-બાબુ પટેલ

 

 

જગાડી  જગત  પરભાતે  સમય  બદલાય તો જાશે

    ઢળી  આરામ  લઇ  રાતે  સમય  બદલાય  તો જાશે

 

વહે  વણઝાર  રણ  વગડે  સબંધોના  ભરી ઘરબાર

મજલ જો  ના મળે વાટે  સમય  બદલાય  તો જાશે

 

ચિરાડો   પ્યારની   સંધાય   છે   વિશ્વાસ  ને   ધાગે

 ગળું  કાપે  દગલ   વાતે   સમય  બદલાય તો જાશે

 

જવાની  જામ  દોલતનો  નશો  એક  મીણ જેવો છે

     ખુમારી  પીગળી   જાતે  સમય   બદલાય  તો જાશે

 

વસંતો   લાવશે   રંગત   ખુશી   ને   ઢોળશે   બાગે

     પડે   જો  પાંડદાં  ઘાતે  સમય  બદલાય   તો જાશે

 

જનમ ને મરણ  વચ્ચે જે  જિવનના  હાલ  છે આજે

જનાજો   ઊઠતાં   સાથે  સમય   બદલાય  તો જાશે

અંધાર પીધો—રાજેન્દ્ર પાઠક

સૂર્ય સંકોરી જરા અંધાર પીધો,.
મેં પરોઢિયે પહેલી ધાર પીધો.
 
રસ વન રાવન મહીં ખેલે કનૈયો,
મેં સખી સાઅમીપ્યનો શણગાર પીધો.
 
જિંદગી છે રાત કાળી બેબસીની,
જાત બાળી તાપણે અંગાર પીધો.

છે ધજા કાળી નિશાની ખોપરીની,
ચાંચિયા થૈ ઝાંઝવી મઝધાર પીધો.
 
ભગ્ન સપના યાતના ને વેદનાઓ,
ખોતરી બસ ખોતરી સંસાર પીધો.
 
ગર્ભ ધારણ તું કરે તો જન્મું પાછો,
સંભવામિ નામનો અવતાર પીધો.

હાથ લમણે ઠુંઠું બાંકડા પર,
રોકડાની લ્હાયમાં ઉધાર પીધો.

છિન્ન પત્ર9-સુરેશ હ.જોષી

 આ લેખન આત્મ પિડનનો જ એક પ્રકાર નથી? આપો આપ વિલાય જતી ઝાંખી આખરે લુપ્ત થઈ જતી લાગણીઓને જીવતી રાખીને એને ગુંચવ્યે જવી ને એ રીતે હ્ર્દયને જંપવા ન દેવું.

મુહમ્મદઅલી શિહાબ થંગલ(4મે1936—1ઓગષ્ટ2009)

 મુહમ્મદઅલી શિહાબ થંગલ– અલમદાર બુખારી

 મુહમ્મદઅલી શિહાબ થંગલનની વિદાયથી કેરાલાની કોમી એકતાને મોટું નુકસાન

 ઇ ન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇ.યુ.એમ.એલ.)નું નામ સાંભળીને ઘણાને એવો ભ્રમ થતો હશે કે આ માત્ર મુસ્લિમવાદી જ પાર્ટી હશે અને તેના સંચાલકો પણ કટ્ટર હશે. પરંતુ એવું નથી કારણ કે એક તો આ પક્ષ ગુજરાતથી ઘણો દૂર આવેલા રાજય કેરાલામાં છે અને ત્યાંની રાજનીતિથી આપણે પૂરેપૂરા વાકેફ નથી. બીજું આઇયુએમએલ વિશે સાચી માહિતી એટલે પણ આપણા સુધી નથી પહાચી કે એ એક પ્રાદેશિક પક્ષ છે અને તેની રાષ્ટ્રીયસ્તરે હેસિયત એક સાંસદ જેટલી જ છે. છેલ્લા દાયકાઓથી એવી પરંપરા છે કે લગભગ દરેક લોકસભામાં એનો એક સાંસદ ચૂંટાય જ છે પરંતુ કેરાલામાં આ પક્ષનું ઘણું વર્ચસ્વ છે.

ગત શનિવારની રાત્રે જ આ આઇયુએમએલના સુપ્રીમો અને પ્રદેશ પ્રમુખ પનક્કડ સૈયદ મુહમ્મદઅલી શિહાબ થંગલનું નિધન થયું. પી.થંગલ તરીકે લોકપ્રિય એવા કેરાલાના આ નેતાની કોમી સંવાદિતતા અને બિનસાંપ્રદાયિકતા માટે ટોચના મુસ્લિમ નેતા તરીકે ગણના થતી હતી. પરંતુ એના કરતાયે એમને એટલા માટે યાદ રખાશે કે ૭૩ વર્ષના આ નેતાએ છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજયના લઘુમતી સમુદાયનો વિશ્વાસ સમાજના મુખ્ય પ્રવાહ અને રાજકારણમાં જાળવી રાખ્યો હતો. વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર આ દીર્ધદૃષ્ટિયુકત સુશિક્ષિત નેતાના પ્રતાપે જ કેરાલામાં મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતા જિલ્લા મલાપ્પુરમમાં આઇ.યુ.એમ.એલ.નું એકચક્રી શાસન ચાલતું આવ્યું છે. પી. થંગલને કારણે જ દેશમાં ગમે તેવા કપરા કે વિપરીત સંજોગો ચાલતા હોય પણ આ વિસ્તારમાંથી ચૂંટાઇને તો આઇયુએમએલનો જ પ્રતિનિધિ જાય છે. ગત યુપીએ સરકારમાં વિદેશ રાજયમંત્રી અને વર્તમાન સરકારમાં રેલવે રાજયમંત્રીનો હોદ્દો મેળવનાર ઇ. અહેમદ આ પક્ષના જ અને આ વિસ્તારમાંથી સતત ચૂંટાતા આવેલા સંસદ સભ્ય છે.

થંગલની વિશેષતા એ હતી કે તેમણે ધર્મિક રીતે અલ્પસંખ્યક રહેલા મુસ્લિમ સમાજની સમસ્યાઓનો ઊકેલ લોકશાહીના માળખામાં રહીને જ શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણોસર જ બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારે લગભગ દેશ આખો કોમી હૂતાશનની આગમાં ભડકે બળતો હતો પરંતુ કેરાલામાં કંઇ કરતા કંઇ થયું ન હતું. વાસ્તવમાં કેરાલામાં મુસ્લિમોની વસ્તી ખાસ્સા પ્રમાણમાં છે અને મલાપ્પુરમ તો મુસ્લિમોનો ગઢ ગણાય છે અને જે તે વખતે મુસ્લિમોની લાગણી ઘવાઇ હોવાથી આક્રોશ પણ ઘણો હતો પરંતુ બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારે પોતાની બિનસાંપ્રદાયિક નેતાગીરીનો પરિચય આપતા પી.થંગલે ત્યારે કહ્યું હતું કે ‘એક પણ હિન્દુના ઘર પર એક પણ પથ્થર પડશે નહ’. તે વખતે તેમણે મુસ્લિમોને સંબોધતા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો હિન્દુ મંદિરોની સુરક્ષા માટે મુસ્લિમો રક્ષકની ભૂમિકા ભજવશે.

તમે વિચાર તો કરો કે જયાં મુસ્લિમોની પૂરેપૂરી પક્કડ હોય અને ૧૯૯રનો અયોધ્યાકાંડ જેવો ગરમાગરમ માહોલ હોય છતાં મુસ્લિમો સંપૂર્ણ સંયમ જાળવે અને હિન્દુઓની સલામતી માટે ખુલ્લેઆમ ઊભા રહે તો પછી એવી નેતાગીરીને દાદ દેવી પડે કે નહ ? જો કે આ માટે થંગલને ભારે વેઠવાનું પણ આવ્યું હતું. આઇ.યુ.એમ.એલે. મધ્યમ માર્ગ અપનાવતા બાબરી મસ્જિદની શહાદત બાદ ઘણા બધા મુસ્લિમ સંગઠનો હાર્ડલાઇન અપનાવીને આઇયુએમએલની સામે પડ્યા અરે થંગલના બિલકુલ નજીક ગણાતા ગાઢ સાથી ઇબ્રાહીમ સુલેમાન સૈતે પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો પણ થંગલ પોતાના બિનસાંપ્રદાયિક માર્ગ પર અટલ રહ્યા. જો કે આ બધું ય થવા છતાં કેરાલાના સૌથી શકિતશાળી મુસ્લિમ નેતા તરીકેની થંગલની છાપ પર કદી આંચ આવી નહ. માત્ર રાજકારણમાં જ તેમનો ડંકો વાગતો હતો એવું નથી પરંતુ રપ૦થી વધારે મસ્જિદોના વહીવટમાં તેમનો પડયો બોલ ઝીલાતો. ‘કાઝી’ તરીકે તેમનું ર્ધાર્મિકક રીતે પણ ઘણું વર્ચસ્વ હતું. તેમના મલાપ્પુરમ ખાતેના પૈતાના નિવાસસ્થાને દરરોજ સકડો લોકો પોતાના પ્રશ્નો લઇને આવતા અને તે દરેકનું નિરાકરણ લાવવાના તેઓ પ્રયાસો કરતા. જરૂરિયાતમંદોને તેઓ દવા આપતા અને એક શિરસ્તો એવો પણ થઇ ગયો હતો કે સાઊદીઅરબ, દુબઇ, શારજાહ સહિત અખાતના દેશોમાં એમના વિસ્તારનો કોઇપણ નાગરિક નોકરીએ જાય તો ફલાઇટમાં બેસતા પહેલાં એમની દૂઆ-આશીર્વાદ લેવા જરૂર જતો.

તેઓ લોકોના ઝઘડા-વિવાદોની પણ પતાવટ કરતા. થોડા વર્ષો પહેલાં એવી સ્થિતિ હતી કે રાજયમાં કોઇપણ સ્થળે વ્યાપાર-ઊદ્યોગના નવા સાહસનું ઊદ્ઘાટન હોય તો તેમાં મુખ્ય અતિથી તરીકે પી. થંગલ તો હોય જ.

એમના પિતા પી.એમ.એસ.એ.પૂકોયો થંગલના અવસાન બાદ ૧૯૯પમાં માત્ર ૩૯ વર્ષની વયે પી. થંગલ આઇ.યુ.એમ.એલ.ના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ત્યારે રાજકારણમાં તેમનો કોઇ ખાસ અવાજ ન હતો પરંતુ ત્યારબાદ તેમણે રાજયના બિનવિવાદાસ્પદ નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરી દીધા. તેમના સમયમાં જ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પરાકાષ્ટારૂપ સફળતા જોઇ. જેમાં પ્રથમ વખત તેમના પક્ષનો ઊમેદવાર મુખ્યમંત્રી બન્યો અને કેન્દ્રીય મંત્રી પદ પણ તેમના પક્ષને પ્રથમ વખત તેમની દેખરેખ હેઠળ જ મળ્યું. જો કે આ જ રીતે તેમણે પક્ષની પડતી પણ જોઇ. ખાસ કરીને બાબરી મસ્જિદના બનાવ બાદ તેમના પક્ષના ઘણા વિરોધીઓ થઇ ગયા અને સંખ્યાબંધ સંસ્થાઓ તેમની સામે પડી અને તેમના સાથીઓ પણ છૂટા પડતા પક્ષ સાવ નબળો પડ્યો. છેલ્લે ર૦૦૬ની વિધાનસભાની ચૂંટણીમાં તો તેમનો પક્ષ સાવ ધોવાઇ ગયો. જો કે ત્યારબાદ એટલે કે ચાલુ વર્ષે ર૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજાઇ તેમાં ેતેમણે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા જેના કારણે પક્ષ પ્રમાણમાં સારો દેખાવ કરી શકયો. પોતાના પક્ષને ભૂતકાળની સોનેરી સફળતા પુનઃ અપાવવા માટે થંગલ સક્રિય જ હતા ત્યાં તેમને આ ફાની દુનિયા છોડીને જવું પડયું. હવે આઇયુએમએલનું શું થાય છે એ જાણવું રસપ્રદ થઇ પડશે. ઇ.અહેમદ પર મોટી જવાબદારી આવી પડી છે પણ થંગલની જેમ તેમનામાં એ શકિત કે પ્રભાવ નથી. પી.થંગલ જેવા તમામ સ્તરીય નેતૃત્વના ગુણો એમનામાં હાલ તુરત તો દેખાતા નથી. ત્યારે આગે આગે દેખિયે હોતા હૈ કયા…

 (ગુજરાત ટુ ડે 5ઓગષ્ટ2009ના સૌજન્યથી)

મદ વિના મદિરા વિના—મહેક ટંકારવી

મને છે મૌનનું તેડું—અહમદ ગુલ

 

હવે ના શબ્દ છંછેડું,

 મને છે મૌનનું તેડું.

 

ઉતાવળ છે મને આજે,

મને છે એમનું તેડું.

 

નથી અમને વમળનો ડર,

અમે તો સાગરો ખેડું.

  

અહીં આવો જરા બેસો,

જુઓ પેલી ગઝલ છેડું.

 

હજી છે સૂર્ય માથા પર,

અને છે સાંજનું તેડું.

 

દુ:ખાડે એજ તો દિલ ‘ગુલ’

 હું જેના  દર્દને  ફેડું

 

સવારે બોલતા નીકળે—બેદાર લાજપુરી

 

 

ખુદાનું નામ જે કોઈ સવારે બોલતા નીકળે

તો સમજી લો મુકદ્દરનું તે તાળું ખોલતાં નીકળે

 

હિફાઝત બાગની કરશે ભરોસો શો એ માળીનો?

જે માળી બાગથી પોતે ફૂલોને તોડતાં નીકળે.

 

ગતિ ગાડીની ધીમી કર અને સાવધ જરા રે’જે

થતા શાળાની છૂટ્ટી બાળકો સૌ દોડતા નીકળે.

 

મળે બાગોમાં સર્વેને ચરૂં એવું નથી મિત્રો

ચરૂ શોધો તમે ને ઉંદરો પણ ખોડતાં નીકળે

 

સગાઓની દૂકાનેથી તમે લીધેલ સોદો પણ

પરાઈ શોપથી ઓછો ઘરે જઈ તોલતા નીકળે.

 

થયો ગુનો કયો એવો કહે એદોસ્ત તારાથી

કે પોલિસો પતો તારો ઘરેઘર પૂછ્તા નીકળે.

 

લખે તો લખ ગઝલ ‘બેદાર’ એવી કે અહીં સૌના

મુખેથી વાહવા તારી ગઝલને વાંચતા નીકળે.

 

.

શબ્દનો આ શહેરમાં તોટો નથી—આદિલ મન્સૂરી

 

શબ્દનો આ શહેરમાં તોટો નથી

ને નિરર્થક અર્થ પણ ખોટો નથી

 

વર્ષો જૂની ભીંત એને એજ પણ

જિર્ણ જૂનો જાણીતો ફોટો નથી

 

જિંદગીના રણમાં જ્યાં નાખો નજર

ઝાંઝવા છે1 જળ કે પરપોટો નથી

 

સૌની કબરો એક સરખી છે અહીં

કોઈ અહિયાં નાનો કે મોટો નથી

 

ભરવસંતે બાગમાં અચરજ ઘણું

ડાળ પર એક ગલગોટો નથી

 

આપ જો દર્પણ જૂઓ તો લાગશે

આ જગતમાં આપનો તોટો નથી.

 

સ્નાન વિણ કાંઠે બધા બેસી રહ્યા

કોઈની પાંસેય તે લોટો નથી.

 

સીમ પાદર ગામ એના એજ પણ

ના ડણક કે કોઈ હાકોટો નથી.

 

થૈ ગયું સુમ સામ રણ મેદાન પણ

લોહીનું ટીપું કે લિસ્સોટો નથી.

છેડો મળી ગયો.—કદમ ટંકારવી

 

 

જન્મારો જોત જોતામાં આખો વહી ગયો

પાણીનો એક રેલો જાણે સરી ગયો.

 

એવો તો શું થયો છે ઉત્પાત આભમાં?

ઝગમગતો એક તારો શાને ખરી ગયો.

 

બદલાયું ના જરા પણ તેનું ચલણ હજી,

દુનિયા તો શું જમાનો આખો ફરી ગયો.

  

પગલું મૂકો હવે તો સંભાળજો તમે ,

સુધરેલો આજ માણસ હિંસક બની ગયો.

 

દુનિયા છે ,બોલશે તારા ગયા પછી,

માણસ કેવો મજાનો સારો મરી ગયો.

 

મળવું હો તેમને તો અંતર નથી કશું,

ધરતીનો આભ સાથે છેડો મળી ગયો.

 

પથ્થર પણ પીગળે છે અજમાવજો ‘કદમ’

મળ્યો જ્યાં પ્રેમ ત્યાં આ માણસ વળી ગયો.

લવારા કદી—મુલ્લાં હથુરણી

 

મળે બેવફાને તિખારા કદી.

વફાથી બને છે તમારા કદી.

 

સદા કોઈ પગલાં ભટકતા નથી,

મળે રાહ વચ્ચે ઉતારા કદી.

 

ન ભૂલશે ઘણા ડાયનાને છતાં,

ઉડે છે ખૂશીના ફૂવાર કદી.

 

મળે આંસુઓ ને ખુશાલી અહીં,

વિરહ ને મિલનના નઝારા કદી

 

તમારી કથાની છે બોલી ઘણી,

હશે દિલની વાતો  લવારા કદી.

 

તમે આપશો આશરો જો કદી,

તો મુલ્લાં મળે છે સહારો કદી.

 

કાયદે આઝમ ઝીણા—ઉમાશંકર જોશી

 સપ્ટેમ્બરની 11મીએ(September 11, 1948) રાતે હૃદય બંધ પડવાથી કાયદે આઝમ ઝીણાનું અવસાન થતાં હિન્દી રાજકરણ માંથી એક ઐતિહસિક રાજપુરુષે વિદાય લીધી છે.પાકિસ્તાને પોતાનો ઘડવૈયો-પોતાનો રાષ્ટ્રપિતા ગુમાવ્યો છે.દુનિયાએ આજના સૌથી મોટા સ્થાપક મુત્સદ્દી ગુમાવ્યો છે.પાકિસ્તાન અને હિંદ એ મન્ની અને દુનિયાના બીજા દેઅશોએ એ શક્તિશાળી નેતાને ગૌરવભરી અંજલિઓ આપી છે.

              કાયદે આઝમ ઝીણા કાથિયાવાડના વતની હતા.કરાંચીમાં શિક્ષણ લઈ,ઈંન્લેંડમાં જઈ બેરિસ્ટર થઈ આવી મુંબઈમાં એમણે ધરાશાસ્ત્રી તરીકે જવલંત કરકિર્દી આરંભી હતી.રાજકારણમાં પણ એમણે નાની ઉમરથી રસ લેવા માંડ્યો.હતો.વિદેશી રાજ્ય એમને બીજા કોઈ દેશ પ્રેમી કરતાં ડંખતું નહિ.ત્યારે કોમી એખલાસના એ ફિરસ્તા હતા.35-40ના એ બાહોશ ધાર શાસ્ત્રી ને જોઈ-’મુસ્લિમ ગોખલે’ના એમનામાં દર્શન કરી ,તમામ હિન્દ વાસીઓ આંખ ઠારતા.મુંબઈ લોર્ડ વિલિંગ્ડનને માનપત્ર આપવાના પ્રસંગે ઝીણા એક તીવ્ર રાષ્ટ્ર પ્રેમી તરીકે દીપી ઉઠયા.કોંગ્રેસ અને હોમ રૂલમાં ગાંધીજી રસ લેતા થયા.અને ગાંધીજીનું આક્રમક રાજકરણ શરું થયું..ત્યાં અનેક હિન્દુ મુસ્લિમ નેતાઓ હોમરૂલ કોંગ્રેસમાંથી અલગ થયા.તેમાંથી કોઈ પાછા કોંગ્રેસમાં ખેંચાયા .પણ ઝીણા અલગાજ રહ્યા.અસહકારના એ પ્રથમ આંદોલન વખતે એમણે કોઈ પણ જાતનું વિક્ષેપકારી વલણ પણ લીધું નહીં.સ્વરાજ્યપક્ષ થયો અને કોંગેસની એક પાંખ ધારા સભામાં ગઈ.ત્યરે એ પણ પોતાના માર્ગે ધારા સભામાં ગયા.1928માં સાયમન કમિશન આવ્યું.ત્યારે ઝીણા એનો વિરોધ પોકારવામાં મોખરે હતા.અમદાવાદમાં એમની સભા માટે હૉલ નાનો પડયો હતો..નદીની રેતીમાંસભા યોજાઈ..(હું એમાં નાનો હતો)થોડા વરસ એ ઈંગ્લેંડમા ધારાશાસ્ત્રી તરીકે સ્થિર થયા.વિલિંગડનની વડા હાકેમ તરીકેની અવધ પ્પૂરી થતાં હિંદી રાજકરણમાં બે મહત્વની ઘટનાઓ બની.1934માં મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસ બંધરાણિય કાર્યક્રમ આપવાનો ને ધરાસભાઓમાં પ્રવેશવાનો ઠરાવ કર્યો. 

(હૃદયમાં પડેલી છ્બીઓ-2 પાન નં.179થી 181)

(1878_1931)

આઝાદીદી યા મોત__મૌલાના મુહમ્મ્દઅલી જૌહર

  દુસરી ગોલમેજી પરિષદ લંદન(ઈંગ્લેંડ)મેં ભારતકી આઝાદીકે સિપેહસાલાર ઔર ખિલાફત તહરીક કે રૂહે રવાં  હઝરત મૌલાના મુહમ્મદઅલી જૌહરને ,જો શોલા અંગેઝ બયાન દિયા ઉસસે એક તહલકા મચ ગયા.

મૌલાનાને બયાન દેતે હુએ કાહ કિ:’મેં તો આઝાદી એ કામિલ કો અપના મસલક કરાર દે ચુકા હું.મેં ઈસ વકત તક અપને ગુલામ મુલ્ક મેં વાપસ નહીં જાઉંગા –જબ તક અપને હમરાહ આપની આઝાદીકો લે કર ન જાઊં.અગર તુમને હમેં હિન્દુસ્તાનમેં અઝાદી નહીં દી તો તુમ્હેં યહાં મુઝે કબર કી જગહ દેની હોગી.’

   અલ્લાહ કો શાયદ યહી મંજુર થા.ઈસ તકરીર કે બાદ મૌલાનાકા લન્દન હી મેં ઇંતેકાલ હો ગયા.આપ કે રોફકા(સબંધી)ને મુનાસિબ ન સમઝા કિ આપ કી વસિયત કે બર અકસ આપકા જસ્દે ખાકી ગુલામ હિન્દોસ્તાન લે જાએં.લિહાજા આપકા જસ્દે ખાકી બૈતુલ મુકદ્દસ(પેલેસ્ટાઈન-મુસલમાનોકા કિબ્લએ અવ્વલ))લે જા કર વહાં દફનાયા ગયા.

ગુજરાતીઓ અને જિન્નાહ—-ચન્દ્રકાન્ત બક્ષી

 

‘ગુજરાતીઓને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજાતું નથી’

દુનિયાના નકશા પર પોતાની એક નવી લીલી દુનિયા કોતરી કાઢનાર માણસ ગુજરાતી હતો.એનો ગુજરાતને ગર્વ તો શું , ભાન પણ થાય એવું એકે નામોનિશાન ગુજરાતમાં કયાંય ન હતું.

(નવલકથા “આકાર” પાન નં.259)

હારનારો હું નથી—શબ્બીર કાઝી લાજપુરી

 

દિલ મહીં છે દર્દ અને ખોલનારો હું નથી.

વેરના બીજો કદી પણ રોપનારો હું નથી.

 

કેટલો આજે થયો છે બેરહમ આ માનવી,

જે કહે છે સત્યને  તો શોધનારો હું નથી.

 

જીંદગી ભર ખૂન આપીને અમે કર્યું જતન,

ડાળ આજે એ ચમનની કાપનારો હું નથી.

 

લાખ સમજાવું છતાં પણ કેમ ના માનો તમે,

ફૂલ  છોડી  કંટકોને  વેરનારો  હું નથી

 

ખૂબસૂરત એ હતું ને કેમ થઈ ગઈ આ સુરત,

ભર સભામાં આબરૂને ખોલનારો હું નથી.

 

સાથ તારો જો મને મળતો રહેશે તો પછી,

સંકટો જોઈ હિમ્મત હારનારો હું નથી.

 

જે હશે તકદીરમાં ‘શબ્બીર’ મળી જશે તને,

 કોઈ કિલ્લાઓ હવામાં બાંધનારો હું નથી.

રોશની લઈને—કુતુબ અઝાદ

 

ફરે છે કોઈ ભરબજારે હાથમાં છરી લઈને

મરણની ભેટ આપેછે કોઈની જીંદગે લઈને.

 

અદાલત બંધ છે ઈન્સાફ છેલ્લા શ્વાસ ખેંચે છે

ખુશી છે સૌ જમાનામાં ખુશીઓ છીનવી લઈને.

 

નથી કોઈ સલામત કાયદા લાચાર બેઠા છે

જીવાયે જીવો સંજોગની સામે લડી લઈને.

 

હવે કોલેજમાંથી લંચ રૂશ્વતનાં સબક મળસ્હે

નીકળશે ત્યાંથી ભ્રષ્ટાચારીની સૌ ડીગ્રી લઈને.

 

અંધાર થઈ જશે ચારે તરફ વાતાવરણ જોતાં

સિતારા થઈ જશે નિસ્તેજ થોડું ઝળહળી લઈને.

 

જમાનાએ હવે સચ્ચાઈ સામે બાથ ભીડી છે

જિવાયે તો જીવો,…ભ્રષ્ટાચારની સામે, ઈશુને શૂળી પર જડી દઈને
.

 

ગમેછે સૌને અંધારી દિશા અમને ખબર નોહોતી

અમે ‘આઝાદ’ રસ્તામાં.ઉભાતા રોશની લઈને

 

એક બાર ગર્લ- જય ગજજર, C.M.,M.A

 

“એક બીઅર” ન્યુ યોર્કના એ બારમાં કાઉન્ટર સામેના સ્ટુલ પર બેસી પીટરે ઓર્ડર આપ્યો.

બાર ગર્લ હેલન ઘડીભર તો એની સામે જોઈ રહી. બે વર્ષથી રોજ સાંજે નવ વાગે એ બારમાં આવતો. સાત અઠ બીઅર ઢીંચી બાર વાગે એ બારમાંથી વિદાય લેતો. એક સોહામણો યુવાન જિંદગી ખોટી લતમાં વેડફી રહ્યો હતો એનું એને દુઃખ હતું.

એના પ્રત્યે પ્રેમ અને સદભાવ જાગ્યાં હતાં. એણે કાઉન્ટર નીચેથી એક ગુલાબ કાઢી એને આપ્યું.

પીટર ઉશ્કેરાયો, “મેં બીઅર માગ્યો, ગુલાબ નહિ.”

“મને ખબર છે. શા માટે યુવાની વેડફી રહ્યા છો?”

“નન ઓફ યોર બિઝનેસ! તું ગુલાબ આપી તારી જાળમાં મને ફસાવા માગે છે? સુઝને આમ જ ગુલાબ આપી મારું મન હરી લીધું હતું. હું એને બહુ પ્રેમ કરતો હતો. પણ એ મને છોડીને બીજાને પરણી ગઈ. એને ભૂલવા, મનને બીજી દિશામાં વાળવા બીઅર એજ મારો આશરો છે. ‘વુમન અને વાઈને’ મારી જિંદગી રોળી નાખી. સ્ત્રી જાતને ધિકકારું છું. એને માટે નફરત સિવાય મારી પાસે કંઈ જ નથી એટલે બીઅરનો આશરો લીધો. તું મને પ્રેમ આપી શકીશ? કે ભ્રમજાળ ઊભી કરી મારી જિંદગી બરબાદ કરી નાખીશ!”

“તમે કદી દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લો તો હું તમને માત્ર પ્રેમ જ નહિ મારૂં સર્વસ્વ સમર્પી તમારી વફાદાર અર્ધાંગના જીવનભર બની રહીશ. તમે મને ગમવા લાગ્યા છો. તમે દેખાવડા, પ્રતિભાશાળી, હસમુખા નવજુવાન છો. તમારું યૌવન ખોટા માર્ગે વેડફાઈ જાય એ મારાથી જોયું નથી જવાતું. રાત્રે બાર વાગે ઘેર જાઉં, પથારીમાં આડી પડું પણ કલાકો સુધી તમારા વિચારોમાં ઊંઘી શકતી નથી એટલે આજ તમારી સમક્ષ હૈયું ખોલવાની હિંમત કરી. મારા પર વિશ્વાસ રાખો. હું તમને દગો નહિ દઉં. મને કહો, હું તમને ગમું છું?”

“તમે યુવાન છો, રૂપાળાં છો, હસમુખાં છો, કોઈનું હૈયું હરી લો એવાં છો પછી કેમ ન ગમો? પણ સ્ત્રી જાત પર મને જરા કે વિશ્વાસ નથી. સ્ત્રી જાત પ્રત્યે નફરત સિવાય મારી પાસે કંઈ જ નથી. તમે પસ્તાશો. શા માટે જીવનથી હારી બેઠેલા સમક્ષ તમારું પ્રેમાળ જીવન હોડમાં મૂકવા તૈયાર થાઓ છો?”

“બધી જ સ્ત્રીઓ એક સરખી નથી હોતી. સ્ત્રી એટલે પ્રેમનો ધોધ. પતિને સન્માર્ગે દોરનાર એક દેવી. મેં બારમાં આવતા ઘણા પુરૂષોને જોયા છે. મારી પાસે મારા દેહની માગણી કરી છે. મારી પાછળ પૈસાની છોળો ઉડાડવાનાં પ્રલોભનો ઊભાં કર્યાં છે પણ તમારા જેવા સજજન કોઈ જોયા નથી એટલે જ તમારામાં મન મોહી પડયું છે. મારે આ નરકવાડામાંથી છૂટવું છે. એક સારો પતિ મેળવી સરો સંસાર માંડવો છે. દામ્પત્યસુખ માણવું છે. બેચાર બાળકો સાથે કુટુંબનો લહાવો માણવો છે. બોલો, આ લત છોડી હતાશાની જિંદગીમાંથી છૂટકારો મેળવી સુખી, આનંદી, પ્રેમાળ અને આદર્શ જીવન જીવવું છે?”

“સાચું કહું તો પહેલે દિવસે આ કલબમાં આવ્યો ત્યારે તમારાથી આકર્ષાયો હતો, તમને જીવનસાથી બનાવવાનાં સપનાં સેવ્યાં હતાં એટલે જ રોજ આ કલબમાં આવવા લાગ્યો. તમારો સાથ અને તમારો પ્રેમ જ મને અહીં ખેંચી લાવતો. પણ સ્ત્રી જાત પ્રત્યેની નફરત મને તમારા પ્રત્યે પ્રેમ ન જગવતો. આજ તમે હૈયું ખોલ્યું છે ત્યારે બાર વાગે સાથે જ જઈશું. આજથી જ બીઅરનો ત્યાગ અને આ કલબના દરવાજાને તિલાંજલી.”

“બાર વાગ્યા સુધી રાહ જોવાની શી જરૂર છે? મને તમારામાં શ્રધ્ધા જાગી હતી અને આજ પરોઢના સપનામાં તમે મને સ્વીકારી લીધી હતી એટલે મારું સપનું સાકાર કરવા હું રાજીનામું લખીને જ આવી છું.ચાલો, બોસને રાજીનામુ આપી તમારી સાથે જ ચાલી નિકળું છું.” કહી એ સ્મિત સહ બોસની કેબિનમાં દોડી ગઈ. પાંચ જ મિનિટમાં બહાર આવી પીટરનો હાથ પકડી બંને કલબની બહાર નિકળી ગયાં.

સામે સોળે કળાએ ખીલેલ પૂનમનો ચાંદ બંનેના જીવનમાં આનંદોર્મિની ભરતી લાવી રહ્યો.

                                              ***

 

41 Palomino Drive, Mississuga,Ontario, Canada L4Z 3H6 Tel905-568-8025 Rmail: gajjar@gmail.com “Neil”,Plot#207, sector 29.Gandhinagar,382 029 Tel 23234273