<
હતો એક મોઘમ ઈશારો—મનુભાઈ ત્રિવેદી’ગાફિલ’
<
હતો એક મોઘમ ઈશારો—મનુભાઈ ત્રિવેદી’ગાફિલ’
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી કવિતા, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gafil, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

મારી અટકચાળી નજર —વેણીભાઈ પુરોહિત
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Venubhai Purihit

યાદનો વનવાસ—બેન્યાઝ ધ્રોલવી
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, માહિતી, શાયરી, શેર | Tags: કવન્, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati poem, Shero shayri
ઓમાન(મધ્યપૂર્વન)ની શાનદાર મસ્જીદ-શેખ સુફિયાન સીદાત

જરા દૂરનો લેંડસ્કેપ

ઘણાં નજદીકનું દ્ર્શ્ય

રાત્રિની વિજળીના પ્રકાશમાં દીપી ઉઠતી નૂરાનિયત
Posted in ઈતર, કલા, માહિતી | Tags: ઈસ્લમિક સ્થાપત્ય, કલા, માહિતી, SheikhSufiyanSidat
અંધકારની ચાદર—બેફામ
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Befam, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati poem, Shero shayri

રાતની પાછળ પડ્યો છે—શ્યામ રખિયાણિયા
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
અલ્લાહ થી ડર—જિદ્દી લુવારવી
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Shero shayri
લફંગો—જય ગજ્જર


Posted in Short story, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, Gujarati short story

ડૉ. નીલ ગજજરને હિંદં રત્ન ઍવૉર્ડ
Posted in ઈતર, પરિચય*જીવન, માહિતી, લેખ, સમાચાર | Tags: Award, માહિતી લેખ, લેખ, સમાચાર, Dr.Neil Gajjar, Hind Ratna, News

હડસન નદીની માછણ—ડૉ.અદમ ટંકારવી
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, હઝલ

શાંત સૂનું સ્થલ- રાવજી પટેલ
Posted in Gujarati Poetry, અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, નઝમ | Tags: અછાંદસ, કવિતા, નઝમ, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

એક નાનકડા ટાપુ ઉપર એકલો__આદિલ મન્સૂરી
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, રૂબાઈ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Shero shayri

હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું—ચન્દ્રકાન્ત બક્ષી
Posted in ગદ્ય, ચર્ચા, માહિતી, માહિતી લેખ | Tags: આપવીતી, માહિતી, માહિતી લેખ, લેખ, Biography
એક બાળકીને સ્મશાને લઈ જતાં—ઉમાશંકર જોશી
Posted in Gujarati Poetry, કવન, કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી | Tags: કવન, કવિતા, કવ્ય, કાવ્ય, પદ્ય, Gujarati Kavita

મસ્ત મુશાયરો
-‘બેકાર’
‘સાબિર’ વટવા.
-‘મસ્ત હબીબ’ સારોદી.
-‘પ્રિ.ચીમનલાલ વ્યાસ.
-યુસુફ અશરફ’ વહાલુ.
મુહમ્મદઅલી’વફા”(લુવારવી)
રફઅત’ કાવીવાલા
-અદમ’ટંકારવી
‘બેબાક’-કોસંબવી
‘સાગર’ નવસારવી
‘આરિફ’સારોદી
ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ

અમાનતનું ધન હતું-મસ્ત મંગેરા
જઁબુસર મુશયરો 24-2-68 ગુલનુ કફન
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મસ્ત મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in English translation and in Bengali.
achatt1@umbc8.umbc.edu
Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, કવિતા, Jivandadas, Jivnananddas

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને
_ નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.
રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મની ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.
શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.
તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.
ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.
એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.
(વૈભવ-8 )
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, ગઝલ, નઝમ, પ્રશસ્તિ કાવ્ય, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shekhchalli, Shero shayri

ઓળખાણ _ગુલઝાર
Posted in અછાંદસ, કવિતા, શાયરી, શેર | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Kavita, Gujartai Poetry, Shero shayri
સન્નાટો
_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: Azadnazm, કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Makhdoom Mohyuddin, Shero shayri

શબ્દનું તાંડવ—જિગર ટંકારવી
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, જિગર ટંકારવી, વાતાવરણ, શાયરી, શેર, હાથમાઁ, Jigar Tankarvi
Saadat Hasan Manto (Urdu: سعادت حسن منٹو) (May 11, 1912 – January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like
Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages.
Posted in Short story, ગદ્ય, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા | Tags: ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, સઆદત હસન મંટો, SaadatHasanManto, Short story

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ
Posted in Short story, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા | Tags: ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા, સઆદતહસન મંટો, SaadatHasan Manto, Short story
Posted in કવિતા, ગઝલ, મુશાયરો, શાયરી, શેર | Tags: AdamTankarvi, Adil Mansuri, Ahmed Gul, કવિતા, ગઝલ, શાયરી, શેર, Britain007Mushaero, Gujarati Gazhal, Mahek Tankarvi, Shero shayri, SirajPatel
બેદાર લાજપુરી

બ્રિટનનાં ગુજલીશ કવિઓ
3 બેદાર લાજપુરી
નામ: અબ્દુલહય ઘરડા
ઉપનામ: બેદાર લાજપુરી જન્મસ્થળ: લાજપુર જિ: સુરતા, ગુજરાત ,ભારત
અભ્યાસ: બી.એ
વ્યવસાય:કલીગ્રાફર,સાઈન રાઈટર્સ( સાહિત્ય સર્જન)
શોખ: વાંચન,લેખન.ચિત્ર કળા,ક્રિકેટ
હાલનું સરનામું: Mr.Bedara Lajpuri
69 Hadden street
Leicester
LE2 OGJ
U.K.87
1 ચાલી શકું છું.
ગમે તેવા રસ્તે હું ચાલી શકું છું.
લે ઠોકરને હું લાત મારી શકું છું.
મિલનની બધી કેફિયતને ગઝલ માં,
હું ‘બેદાર’ કેમેક લાવી શકું છું.
(11 શેરો ની એક ગઝલનો મત્લો અને મક્તો)
2 સપનાં વગરની જાયના
ધુંધળું વાતાવરણ છે, કંઈ મને દેખાયના.
તે છતાં પણ એ ધરેછે મારી સામે આયના.
આંખમાં એ રૂપને આંજી દીધું છે ત્યારથી,
રાત અહિંયાં એક પણ સપના વગરની જાયના.
તું નઝમનો છે વિષય ‘બેદાર’ ગઝલ શું લખે?
તું તો ગઝલ માં કદી નખ શીખ તો ચિત્રાય ના
(9 શેરની એક ગઝલના ત્રણ શેરો)
3 દિલદાર
કહું તમને કેવી છે દિલદાર મારી,
ગઝલનો નશો છે નઝમની ખુમારી
.
છે આંખો છલોછલ શરાબોની પ્યાલી,
ઢળેલી છે પાંપણોની મસ્તી નિરાળી.
પડે જયાં કદમ ત્યાં જ ફૂલો ખીલે છે,
દૂપટ્ટો ફરકતાં ઘટાઓ ઉઠેછે.
ફકત નામ એમાં છે ‘બેદાર’ મારું,
લખાવે એ ગઝલને હું તો ઉતારું.
(‘દિલદાર’ નઝમના થોડા શેરો)
4 રહેવાદે
નહીં ઉપચાર કર મારો મને બિમાર રહેવાદે.
અને આ દર્દ સાથે તો પૂરાનો પ્યાર રહેવા દે.
સરળતાથી મને જો એ મળી જાએ તો શી કિંમત,
જમાના તેથી વચ્ચે તું જરા દિવાર રહેવા દે.
હવા પણ ઝેર ફેલાવે છે તાર શહેરની તેથી ,
અહીં તું તાર શ્વાસોના ખુલ્લા દ્વાર રહેવા દે.
મિલન પર વેડફી નાં દે બધા તું હર્ષ નાં આંસુ,
વિરહની કો ઘડી માટે અશ્રુ બે ચાર રહેવા દે.
એ મારો છે અનુભવ જ્યોત પણ અંતે ઠળી જાશે,
દીપક સળગાવના અંહિયા સતત અંધાર રહેવા દે.
સમય ચાલી નીકળવાનો ખરેખર આ સમય છે ચાલ,
વસાવીશું નવી દુનિયા અહીં ઘરબાર રહેવા દે.
લખે છે રોજ કાગળ પણ મિલનનાં નામનું મિંડુ,
અમસ્તો એવા કાગળનો હવે વ્યહવાર રહેવા દે.
અજાણ્યું આ નગર છે ને અજાણ્યાં છે બધા ચ્હેરા,
અહીં તું દિલ્લગીની વાત ને બેદાર રહેવા દે.
(ગુજLISH ગજલો. સંપાદન: ‘મસ્ત’ મંગેરા,’જિગર’ટંકારવી ના સૌજન્યથે)
નોંધ:સંગ્રહ મળવાનું ઠેકાણું:
‘આવાઝ; પ્રકાશન
C/O ‘મસ્ત’ મંગેરા
કાંગવાઈ,વયા: રાનકુવા તા.ચીખલી જિ’નવસારી396 560 ફોન02634)48044
Posted in Gujarati Gazhal, Gujarati Shayri, આસ્વાદ, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, રૂબાઈ, શાયરી, શેર | Tags: ઇતર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, બેદાર લાજપુરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

ચિંતન_માર્ગે પીઅર્સી
એક હતું બોન્સાઈ વૃક્ષ
કુંડામાં ઉગેલું જો કે એંશી ફૂટ જેટલું ઉંચું થવા
સરજાયેલું.
પરંતુ માળીએ કાળજી પૂર્વક કાતરીને
એને નવ ઈંચનું રાખી મૂક્યું!
જીવતા માણસોને વધતા અટકાવવા માટે
જરા વહેલી શરૂઆત કરવી પડે.
બંધાયેલા પગ,બહેર મારી ગયેલું મગજ,
વાંકડિયા વાળ ,અને સ્પર્શ કરવાનું મન થાય
તેવા કોમળ કોમળ હાથ!
(વહોરા સમાચાર _સપટેમ્બર2007ના સૌજન્યથી)સુરત.
“Marge Piercy is not just an author, she’s a cultural touchstone. Few writers in modern memory have sustained her passion, and skill, for creating stories of consequence.”
-The Boston Globe
Posted in Gujarati Poetry, અછાંદસ, અનુવાદ, કવન, કવિતા, ગુજરાતી શાયરી, છંદ*પિંગળ શાસ્ત્ર સબ, નઝમ | Tags: અછાંદસ, ગુજરાતી શાયરી, ચિંતન, બોન્સાઈ વૃક્ષ, Gujarati Kavita, Gujarati Poetry, __માર્ગે પીઅર્સી

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)
તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’
Kishwar Naheed, 1940-
Posted in અછાંદસ, કવિતા, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, KisnvarNahid, Shero shayri
(ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ)
પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી‘
સારે જહાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા.
હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હૈ , હિંદોસ્તાં હમારા’
આ રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં ‘તસ્વીરે દર્દ ‘નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
‘વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,
ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ
ધરા ક્યાહૈ ભલા ઓહદે કુહનકી દસ્તાનોં મેં.
ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.’
(અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં ‘નવા શિવાલા’ નામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .
‘પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.
સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
આ,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,
હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,
શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.
_ તેમણે બ્રાહ્મણને ટકોર કરી.
સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,
તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.
( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને
મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.
(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ‘ખુદી’ કહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ‘ખુદી’અહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ‘ખુદી’ને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શે’ર છે.
‘ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?
( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.
ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .
મરા બનિગર કિ દર હિંદોસ્તાં નમી બીની
બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.’
(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
‘મેં અસલ કા સોમનાતી
આબા મેરે લાતી વ મનાતી’
(હું મૂળ ‘સોમનાથી’ છું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)
હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.
મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,
યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,
હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર
બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.
‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.
1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ‘ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.
ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને ‘સર’નો ખિતાબ આપ્યો.
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અને’ સંકુચિત’ રાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.
તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _
‘ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.
તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા
(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
તેમણે એક વેળા કહ્યું કે ‘જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.’એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ‘ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.’ ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ‘ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટે’ અને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.’ કવિવર ટાગિરે કહ્યું કે ‘એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.’ હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ‘ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.’
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : ‘દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.’એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.’
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ‘ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયા’ અને ‘ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામ’ અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.
‘અસ્રારે ખુદી’ અને ‘રમુજે બેખુદી’ એમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને ‘પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં ‘શાહીન’ ગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _
’નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર’
(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;
’
અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી”
(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)
(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)‘
ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>
http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal
http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//
http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/
http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/
http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/
Posted in પરિચય_જીવન*કવન | Tags: પરિચય_જીવન*કવન, મહાકવિ ઈકબાલ _ શૂન્ય પાલનપુરી
![]()
સાભાર સ્વીકરા _ વફા
(1)એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ) _ ‘બેદાર’ લાજપુરી
પ્રકાશક: બેદાર લાજપુરી
69 હેડન સ્ટ્રીટ, લેસ્ટર U.K. (ઈંગ્લેંડ)
પ્રથમ આવૃત્તિ એપ્રીલ: 2001 મૂલ્ય : રૂ75.00 પ્રાપ્તિ સ્થાન રાગ_સ્વરપ્રકાશન 35/બી સમ્રાટ નગર,ગોધરા_380001
ફોન નં:02672_48958
ગુજરાત(INDIA)
(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી
સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન: Mahek Tankarvi
50 Seymour Road
BOLTON
UK
BL1 8PT
Price :2.00 pounds
મૂલ્ય: 50.00 રૂપિયા
મુખ્ય વિક્રેતા: આર.આર.શેઠની કંપની 110/12 પ્રિંસેસ સ્ટ્રીટ
કેસ્વબાગ, મુંબઈ4000 002 * ‘દ્વાર કેશ’
રૉયલ એપાર્ટમેંટસ સામે
ખાનપુર,અમાઅવાદ380 001 Tel: 07925516573
Web: www.rrsheth.com
E.mail: sales@rrseth.com
(3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’
પ્રથમ આવૃત્તિ :જુન 2003
કિંમત : 5.00 પાઉંડ પ્રાપ્તિસ્થાન: Gujarati writers guild
1 BURROW ROAD
PRESTON LANCASHIRE
PR1 6JU (U.K)
(4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ ‘અશરફ’
પ્રથમ આવૃત્તિ : 2004
મૂલય: રૂપિયા 20.00 વિદેશમા પાઉંન્ડસ:2.00
પ્રકાશક:અનવર પ્રકાશન મુ: કંઠારિયા તા.ભરૂચ 392162(INDIA)
(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ:જનાબ આદિલ મનસૂરી
ન્યુજર્સી,અમેરિકા
ટાઊન હૉલ, બટલી. શનિવાર,5મી સપ્તંબર,1998
(નિ:શૂલ્ક)
(6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ જનાબ મસ્ત મંગેરા તંત્રી: વહોરા સમાચાર સુરત,ઈન્ડિયા.
રવિવાર,15 મી ઑગષ્ટ,1999
ટાઉન હૉલ, બાટલી.
(નિ:શૂલ્ક)
(7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
અતિથિ વિશેષ કવિ: _ લોર્ડ પટેલ ઓફ બ્લેકબર્ન(જનાબ આદમ હાફેઝી પટેલ0
15 મીજુલાઈ,2000
(નિ:શૂલ્ક)
((8) સ્મરણિકા _ભવ્યગુ જરાતી મુશાયરો
શનિવાર 28 ઓગષ્ટ 2004
બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ
ગુજરાતી રાઈટર્સ સર્કલ , બાટલી(યુ.કે.)
(નિ:શૂલક)
‘એ મળે તો કહેજો(ગઝલ સંગ્રહ)’બઝમે વફા ને અર્પણ કરવા બદલ જનાબ ‘બેદાર’ લાજપુરીનો,અને(2) પ્યાસથી પરબ સુધી (ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી, (3)આવરણ(ગઝલ સંગ્રહ) _ ‘કદમ’, (4)સંધ્યાના રંગ(ગઝલ સંગ્રહ) –યુસુફ અશરફઅને(5)સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (19998), (6) સ્મરણિકા _ગુજરાતી શાનદાર મુશાયરો (1999),( 7) ફૂલદાની(સ્મરણિકા) _ગુજરાતી શાનદાર મુશાયરો(2000),(8) સ્મરણિકા _ભવ્ય
ગુજરાતી મુશાયરો(2004)નામનાં 7પુસ્તક,પુસ્તિકાઓ’બઝમે વફા અર્પણ કરવા બદલ વિદ્યાર્થી જિવનનાં અવિસ્મરણિય મિત્ર અને સિધ્ધ હસ્ત શાયર મિત્ર જનાબ યાકુબ ભાઈ મેંક”મહેક’ટંકારવીનો ઘણો શુક્ર ગુજાર છું ,રબ્બે કરીમ સર્વને જઝાએ ખેર અતા ફરમાવે..અને હો જોરે કલમ ઔર જયાદા દૂઆઈયાહ શ્બ્દો સહિત, સાભાર સ્વીકાર.
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, આસ્વાદ, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, સમાચાર | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, સાભર સ્વિકર્, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry
મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા
સૈફુદ્દીન ખારાવાલા ને હું,એમ તો છેલ્લા ત્રણથી પણ વધુ દશકાથી ઓળખતો હતો.હા,આ વ્યાકરણમાં આવતા ક્રિયાપદમાં જ તો ‘ટ્રેજડી’નો અણસાર છે.’ઓળખુંછું’ લખી શક્યો હોત ,તો મને જ નહિ પણ ઘણા બધાને ગમત.. પણ મજબૂરી વ્યાકરણ પણ બદલીનાંખે છે.ક્રિયાપદો પણ…
તે વખતે સૈફુદ્દીનનાં મિત્રોમાં માત્ર શાયરો નો’તા. કલા અને સાહિત્ય સાથે કશી નિસ્બત ન ધરાવતા માણસો પણ હતા.વેપારીઓ,હરવાફરવાના તેમ જ રમવાજમવાના શોખીનો પણ …. સૈફુદ્દીન ભીંડી બજારમાં આવેલી કાપડની એક દુકાનમાં બેસતો, અને તાકા માપતો અને ફાડતો અને વેચતો. સૈફુદ્દીનનું કુટુંબ મૂળ પાલનપુરનું અને પાલનપુર એટલે……. પાલનપુર પરથી ધોળે દહાડે કોઈ વિમાન પસાર થાય તો વિમાનનો પડછાયો કોઈ શાયર પર ન પડ્યો હોય તો જગતની આઠમી અજાયબી કહેવાય… એ જ કારણ હતું કે સૈફુદ્દીન ખારાવાલા પણ એ પડછાયાથી બચી ન શકયો.
સૈફ માટે કોઇ મુશ્કેલ કામ નો’તું.તખલ્લુસ તો નામમાં જ ગોપિત હતું.’સૈફ’ એટલે તરવાર,તલવાર…નામનો અર્થ થતો.ધર્મની તલવાર..
પણ ધર્મને એ માણસે તલવારથી દૂર રાખ્યો.અથવા બીજી રીતે કહીએ તો ,તલવારને એણે મઝહબથી દૂર રાખી.સૈફે શેર અને નઝમના જગતમાં ફૂલો ખીલવ્યાં. અને પત્રકારત્વની દુનિયામાં એણે ‘વતન’થી બિસ્મિલ્લાહ બોલી.. મુસ્લિમ સમાજ અને રાજકરણને સ્પર્શતા એ સાપ્તાહિકમાં ચાર કોલમો નિયમિત ચાલતી હતી.તલવરનો ભાસ થાય એ રીતે,પણ એ ચારે કલમ સ્વામીઓ અંગત જીવનમાં સહેજ સરખા પણ કોમવાદી નો’તા.’એક તો અમીરી અને બીજા અમીન આઝાદ,યાવર અલી સૈયદ,અને સૈફ પાલનપુરી.પછી તો અમીરીએ સ્ત્રીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું.,’બેગમ’…. ‘વતન’ અને ‘બેગમ’ ધૂમ ચાલવા લાગ્યાં.અને તે જમાનામાં સૈફ અને અમીરીનો ઠાઠ પણ , બદરી કાચવાલા ઓછા નો’તા.સૈફ કયારેક તો પોતાની ટેકસીને અડતાલીસ કલાક વેઇટીંગમાં રાખતો… સૈફે પદ્ય કરતાં ગદ્ય વધું લખ્યું છે_કોલમો અને ચાલુ વાર્તાઓ…. ‘વતન, અને ‘બેગમ’ની જેમ મુશાયરો પણ ધામધૂમ સાથે આખી બોમ્બે પ્રેસિડંસીમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો.તે વખતે શયદા જેવા ગઝલ સમ્રાટ હતા,બેકાર જેવા હઝલ સમ્રાટહતા._સીરતી,શેખચલ્લી,આસી,અનિલ,મરીઝ,નઝીર,હરીન્દ્ર દવે,મહેન્દ્ર અચલ,શૂન્ય,ઘાયલ,ઓજસ(પાલનપુરી),અમીન આઝાદ,હબીબ,યુસુફ બુકવાલા,આસિમ રાંદેરી,……એમ ગણ્યા ગણાય નહિ એટલા શાયરો હતા.તેમાં હું પણ શામેલ હતો.જમિયત,ડાયર,મામા,અને સાબિર જોડે…સૈફની શાયરીનો એ આરંભ કાળ હતો..એની નઝ્મો માટે મુશાયરાઓમાં સારી એવી માંગ રહેતી.
અમે મોટાભાગે દરેક મુશાયરામાં ભેગા થઇ જતા.પછીતો વાડાબંધીએ ડોક ઉંચકી.અને વાડાઓ વધવા માંડે તે પહેલાં હું દેશ છોડી પરદેશ ચાલ્યો ગયો.જ્યારે દેશના આંટા મારતો ત્યારે અમે મળતા.જોકે દોસ્તોનાં દાયરામાં પણ અણધારી અને અણગમતી લકીરો ખેંચાઈ ગઈ હતી.રસ્તા જુદા પડ્યા હતા.દોસ્તો મળતા પણ ,સાહિરના પેલા મુકતકમાં આવતી વાતની જેમ
, તેરા મિલના ખુશીકી બાત સહી
તુજસે મિલકર ઉદાસ રહતા હું.
ખુદાની બાતમી
ઊર્મિની એક ઝુંપડી દિલમાં બળી હતી
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.
હું તો વિચારતો રહ્યો –ખૂણે ઊભો રહી
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.
ત્યાં સૌ અજાણ થઈ મને જોતા રહ્ય હતા
પાછો ફર્યો હું જયાંથી એ તારી ગલી હતી.
મારા વિચાર સાથે હું સંમત થયો હતો
મારામાં તે જ દિવસે મારી કમી હતી.
હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો
જીવનમાં એક ચીજ મને પણ મળી હતી.
ભૂંસી શકાય એટલી ફૂરસત મળીજ કયાં
રેખાઓ હાથની બહુ પાતળી હતી.
એની જવાની બાદ કોઇ માવજત ન થઇ
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી.
ખંડેર પણ નથી કે નિશાની મળી શકે
ઊર્મિઓ માર મન મહીં શું ભલભલી હતી.
બસ એજ કારણે બહુ શરમાઈ હું ગયો
ડૂબી જવાને માટે ફકત વાટકી હતી.
બે_ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઇ બાતમી હતી.
જોતાની સાથ લોક તરત ઓળખી ગયા
મુજથી વધુ સફર મારી દીવાનગી હતી.
આ ‘સૈફ’ આપ તો જીવી ગયા ઘણું
બાકી અમે તો આપની ઘડીઓ ગણી હતી.
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, આસ્વાદ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, મુકતક, રૂબાઈ, શાયરી, શેર | Tags: કવિતા, કુછ યાદેં કુછ જખમ., ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, મુશાયરામાં સૈફ છેલ્લીવાર_શેખાદમ આબુવાલા, શેખાદમ આબુવાલા, Gujarati Gazhal, Gujarati Poetry, Shero shayri

બારી ખોલી નાંખો_સઆદતહસન મંટો
(સઆદત હસન મંટો 1912-1955, 20મી સદીના નામાંકિતા નવલિકાકાર હતા.પંજાબના લુધિયાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિય વિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે
સઆદતહસન મંટોની ઉર્દુ ના સર્વ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠિત છે. મંટોએ સમાજની ગંદકી, બેહુદગીને જે રીતી જોઇ એ રીતેજ એને વાચા અર્પી છે.એમના ઉપર અશ્લીલતાનો મુકદમો પણ ચલાવવામાં આવ્યો.પરંતુ પોતાની ધૂનનાં પાકા એવા મંટોની રચના શૈલી એ હાર નહીં માની.દેશના વિભાજનનાં પ્રત્યક્ષ સાક્ષી મંટો એ ,એ યુગની ઉઠપાઠલને પોતાની તમામ વાર્તાઓના વિષયમાં ભિન્ન ભિન્ન અંદાઝમાં આવરી લીધી.’ખોલ દો’(બારી ખોલી નાંખો) મંટોની વિભાજનના કડવાહટમાંથી નિપજેલી કથા છે. જ્યાં એક બાપનું પોતાની દીકરી સાથેની જુદાઈનો ગમ તો છેજ,સાથે સાથે સમાજ સેવાનાં નામ પર અનૈતિકતા ની પરાકાષ્ટા નું સજીવ ચિત્રણ પણ છે.)
અમૃતસર સ્ટેશનથી બપોરનાં બે વાગ્યે ટ્રેન ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી.રસ્તામાં સખ્યાબંધ લોકો માર્યા ગયા.ઘણાં લોકો જખ્મી થયા, કેટલાક ભટકી ગયા.
સવારે દસ વાગ્યે જયારે રાહત છાવણીની ઠંડી જમીના પર સિરાજુદ્દીને આંખો ખોલી ત્યારે એણે ચારો તરફ પુર્રુષો,સ્ત્રીઓ,અને બાળકોનો ઠઠ મારતો સમુંદર જોયો.એની વિચારવાની અને સમજવાની શક્તિ કુંઠિત અને વૃધ્ધ બનીએ ગઈ. ઘેરાયલા આકાશને એ ટિકટિકી બાધીને જોતો રહ્યો.રાહત છાવણીમાં ખુબ શોર બકોર હતો,પરંતુ જાણે વૃધ્ધ સિરાજુદ્દીનનાં કાન બહેર મારી ગયા હતા.એને કંઈ સંભળાતું ન હતું.કોઇ એને જોતું તો અનુમાન કરતું કે એ ગાઢ નિંદ્રામાં છે,પરંતુ એવું ન હતું.એના હોશો હવાસ ગાયબ હતા.એનું સંપુર્ણ અસ્તિત્વ શૂન્યમાં લટકી રહ્યું હતું.
ઘેરાયલા આકાશમાં ઇરાદા વિહિન જોતાં જોતાં સિરાજુદ્દીનની આંખો સુરજની સથે ટકરાઈ.તેજ પ્રકાશ એના અસ્તિત્વની નસે નસમાં ઉતરી ગયો, અને તે જાગી ઉઠ્યો.ઉપર નીચે એના દિમાગમા કેટલે તસ્વીરો દોડવા લગી.લૂટ,આગ,ભાગમ ભાગ સ્ટેશન,ગોળિયો,રાત અને એની સકીના….. સિરાજુદ્દીન એકદમ ઉભો થઈ ગયો,અને પાગલોની જેમ ચારો તરફ ફેલાયલા ઈંસાનોનાં સમંદરને ફેંદવાનું શરૂ કરી દીધું.
ત્રણ કલાક સુધી “સકીના _સકીના”ની બુમ પાડતાં આખી રાહત છાવણીમાં ફરતો રહ્યો.પરંતુ એને એની જુવાન અને એકની એક દીકરીની કોઇ ખબર ન મળી.ચારો તરફ એક ધમાલ જેવી મચેલી હતી.કોઇ પોતાનું બાળક શોધી રહ્યું હતું કોઇ મં,કોઇ પત્નિ,અને કોઇ બેટી.સિરાજુદ્દીન થાકીને એક તરફ બેસી ગયો, અને દિમાગ પર જરા જોર દઈને વિચારવા લાગ્યો કે સકીના એનાથી ક્યારે અને ક્યાં અલગ થઇ ગઇ.પરંતુ વિચારતાં વિચારતાં એનું દિમાગ સકીનાની માંની લાશ પર ચોંટી જતું, જેનાં બધાં આંતરડા બહાર નીકળેલા હતાં.એના આગળ એ કંઇ પણ વિચારી શકતો ન હતો.
સકીનાની માં મરી ચુકી હતી.એણે સિરાજુદ્દીનની આંખો સામે દમ તોડી દીધો હતો.પણ સકીના ક્યાં હતી,એના વિશે એની માંએ મરતાં પહેલાં કહ્યું હતું.”મને છોડી દો અને સકીનાને લઇને જલ્દી અહીંથી ભાગી જાઓ.” સકીના એની સાથેજ તો હતી.બન્ને ઉઘાડા પગે ભાગી રહ્યાં હતા.સકીનાનો દુપટ્ટો નીચે પડી ગયો,એને ઉઠાવાવા એ થોભવા માંગતો હતો ,સકીનાએ બરાડા પાડી કહ્યું”અબ્બાજી એને છોડી દો,પરંતુ એણે દુપટ્ટો ઉઠાવી લીધેલો…એ વિચારતાં એણે એના કોટના ઉભરી આવેલા ખિસ્સા તરફ જોયું,એમાં હાથ નાંખીને એણે એક કપડું બહાર કાઢ્યું,એ સકીનાનોજ દુપટ્ટો હતો.પણ સકીના ક્યાં છે?
સરાજુદ્દીને પોતાના ઠકાવટ ભરેલ દિમાગ પર ઘણું જોર દીધું પણ તે નિર્ણય પર પહોંચી નહીં શક્યો.શું એ સકીનાને સ્ટેશન સુધી લઈ આવ્યો હતો? શું તે એની સાથે ગાડીમાં સવાર હતી?રસ્તામાં ગાડી રોકવામાં આવી હતી અને દંગાખોરો અંદર ઘુસી આવ્યા હતા,ત્યરે એ શું બેહોશ થઇ ગયો હતો જેથી તેઓ સકીનાને ઉઠાવીને લઇ ગયા?
સિરાજુદ્દીન ના દિમાગમાં પ્રશ્નોની ભરમાર હતી,ઉત્તરો કોઇ ન હતા.એને હમદર્દીની જરુરત હતી,પણ ચારો તરફ જેટલા માણસો ફસાયલા હતા બધાને હમદર્દીની જરુરત હતી.સિરાજુદ્દીનને રડવાનું મન થયું,પરંતો આંખોએ એને સાથ ન આપ્યો.અશ્રુઓ ન જાણે કયાં ગાયબ થઇ ગયા હતાં.
છ દિવસ પછી જ્યારે હોશ કંઇ ઠેકાણે આવ્યા ત્યારે સિરાજુદ્દીન તે લોકોને મળ્યો જે એની મદદ કરવા તૈયાર હતા.આઠ નવજુવાનો હતા,જેમની પાંસે લાઠીઓ અને બંદુકો હતી.સરાજુદ્દેને એમને લાખો દૂઆઓ દીધી અને સકીનાની ઓળખ બતાવી.”ગોરો વાન છે ,ઘણીજ ખુબસુરત છે.મારા પર નહીં એ એની માં પડી હતી.ઉમર સત્તર વરસ જેટલી છે.આંખો મોટી છે.વળ કાળા,જમણા ગાલ પર મોટો તલ છે.મારી એકની એક દીકરી છે. શોધી આપો,ખુદા તમારું ભલું કરશે.
સમાજ સેવક યુવાનોએ એમને દિલાસો આપ્યોકે જો આપની દીકરી જિવિત હશે તો થોડા સમયમાં તમારી પાંસે આવી પહોંચશે.
આઠે નવજુવાનોએ પ્રયત્ન આદર્યો.પોતાનાં જીવના જોખમે અમૃતસર પહોંચ્યા.ઘણા પુરુષો અને ઘણાં બાળકોને એમણે શોધી શોધી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા, દસ દિવસ વીતી ગયા,પણ સકીનાનો પત્તો લાગ્યો નહીં.એક દિવસ આજ સેવાના માટે મોટરથી અમૃતસર જઇ રહ્યા હતા ત્યાં સડકના કિનારે એક નહેર પાંસે એક છોકરી પર નજર પડી. મોટરનો અવાજ સંભળીને તે ગભરાઇ અને ભાગવા લાગી.સમાજ સેવકોએ મોટર રોકી અને બધાજ એની પાછળ દોડ્યા.એક ખેતરમા એમણે છોકરીને પકડી લીધી.જોયું ઘણી દેખવડી હતી.જમણા ગાલ પર મોટો મસ તલ હતો.એક છોકરાએ એને કહ્યું ઘબરાઓ નહીં _શું તમારું નામ સકીના છે? છોકરીનો રંગ આ સાંભળી વધુ પીળો થઇ ગયો.પણ જયારે બધાજ છોકરાઓ એ એને હિમંત અને દિલાસો આપ્યો તો એની ગભરામણ દૂર થઇ.અને એણે કબુલી લીધું કે તે સિરાજુદ્દીનની છોકરી સકીના છે.
આઠે નવજુવાનોએ સકીનાની બધી રીતે હમદર્દી દાખવી.એને ખાવાનું ખવડાવ્યું ,દૂધ પાયું અને મોટરમાં બેસાડી દીધી.એકે તેનો કૉટ ઉતારીને એને દીધો,કારણકે દુપટ્ટો ન હોવાને લીધે એ ઘણો સંકોચ અનુભવતી હતી.અને વારંવાર પોતાની છાતીને હાથથી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી.
કેટલાયે દિવસ વીતી ગયા છતાં સિરાજુદ્દીનને એની છોકરીની કંઇ ભાળ મળી નહિ.તે દિન ભર જૂદી જૂદી રાહત છવણી અને ઓફિસોનાં ચક્ક્ર્રો મારતો રહ્યો.,પરંતુ કયાંયે એની દીકરીનું પગેરું નમળ્યું.
રાતનાં મોડે સુધી પેલા સમાજ સેવકો જુવાનો માટે દૂઆઓ કરતો રહ્યો.,જેમણે દિલાસો આપ્યો હતો એમની દીકરી જો જિવિત હશે તો થોડા દિવસોમાં એને શોધીનાખશે. એક દિવસે રાહત છાવણીમાં સરજુદ્દીને પેલા સમાજ સેવકોને જોયા.મોટરમાં બેઠેલા હતા.સિરાજુદ્દીન દોડતા એમની પાંસે આવ્યો.મોટર ચાલવાની તૈયારીમાં હતી,કે એણે પૂછ્યું,”બેટા મારી સકીનાનો કંઇ પત્તો મળ્યો?
બધાએ એક સાથે જવાબ આપ્યો” મળી જશે, મળી જશે”અને મોટર મારી મૂકી.સરાજુદ્દીને ફરી એ નવજુવાનોની સફળતા માટે દૂઆઓ માંગી.અને એનું મન પણ થોડું હળવું થઇ ગયું.
એક સાંજે રાહત છાવણીમાં જયાં સિરાજુદ્દીન બેઠો હતો ત્યં કંઇ ગરબડ જેવી થઇ.ચાર માણસો કંઇ ઉંચકીને લાવી રહ્યા હતા.તપાસ કરતાં એને ખબર પડી કે એક છોકરી રેલ્વે લાઈન પર બેહોશ પડેલી હતી. લોકો એને ઉંચકીને લઇ આવ્યા છે.સિરાજુદ્દીન એની પાછળ થઇ ગયો.લોકોએ છોકરીને હોસ્પિટલ વાળાઓને સોંપી દીધી અને ચાલતી પકડી.
થોડી વાર એ એજ અવસ્થામાં હોસ્પિટલની બહાર એક લાકડાનનો થાંભલાને અડીને ઉભો રહ્યો.પછી ધીરે રહી અંદર ચાલ્યો ગયો. ઓરડામાં કોઇ ન હતું.એક સ્ટ્રેચર હતી જેનાં પર એક લાશ પડેલી હતી.સિરાજુદ્દીન ધીમે પગલે એની તરફ આગળ વધ્યો ઓરડામાં અચાનક પ્રકાશ થયો.સરાજુદ્દીને લાશના પીળા ચહેરા પર ચમકતો તલ જોયો,અને બરાડી ઉઠ્યો “સકીના”! ડોકટર જેણે ઓરડામાં રોશની કરી હતી ,સિરાજુદ્દીન ને પૂછ્યું ‘શું થયું?
સિરાજુદ્દીન ના ગળામાંથી ફકત એટલોજ અવાજ નીકળ્યો કે ‘” જી,જી, હું એનો બાપ છું” ડોકટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ તપાસી અને સિરાજુદ્દીનને કહ્યું” બારી ખોલી નાંખો” સકીનાનાં મૃત શરીરમાં ચેતના સ્ફુરી.મૃત પાય હાથોથી એણે ઈજારબંદ ખોલી નાંખ્યો,અને સલવાર નીચે સરકાવી દીધી. વૃધ્ધ સિરાજુદ્દીન ખુશી માં બરાડી ઉઠ્યો,,” જીવતી છે,મારી દીકરી જીવતી છે.”!
ડૉકટર માથાથી પગ સુધી પસીનામાં ડૂબી ગયો.
Posted in Short story, ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, લઘુ વાર્તા, વાર્તા | Tags: ટૂંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, વાર્તા, સઆદતહસન મંટો, SaadatHasanManto, Short story
મારા લિબાસમાં_બેફામ
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, આસ્વાદ, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, શાયરી, શેર | Tags: Aziz Taankarvi, અઝીઝ ટંકારવી, કવિતા, ગઝલ, નઝમ, પરિચય_જીવન*કવન, માહિતી, શાયરી, શેર, Gujarat Today, Gujarati Poetry, Shero shayri
Posted in ટુંકી વાર્તા, નવલિકા, લઘુ કથા, વાર્તા | Tags: નવલિકા, લઘુ કથા, વાર્તા, Jay Gajjar


Posted in Gujarati Poetry, અછાંદસ, કવિતા, શાયરી, શેર | Tags: અછાંદસ, કવિતા, નઝમ, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
દર્દ વેચાય છે_જાવેદ અખ્તર
બુધ્ધને બદલે યુધ્ધ
લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,
એ કહેવાને કે
મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..
છતાં,બાગમાં
પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું
નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે
અને હું જીવું છું
હજી સૂંઘી શકું
છુંગુલાબો અને ગોબરની ગંધને
હજી ખાઇ શકું છું.
પ્રાથના કરી શકું છું.
ઊંઘી શકું છું.
પણ કયારે તોડી શકીશ
હું મારા દીર્ઘ મૌનને?
ક્યારે ઉચ્ચારી શકીશ_
હું પેલા અનુકત શબ્દોને,
જે મને ગુંગળાવી રહ્યા છે?
(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)


Posted in Article, Gujarati Gazhal, ઈતર, કવન, કવિતા, ગઝલ, ગદ્ય, ગુજરાતી શાયરી, પરિચય_જીવન*કવન, રૂબાઈ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, રૂસ્વા મઝલૂમી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Rusva Mazloomi, Shero shayri
કાકા છે
1-હઝલ
કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.
ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.
દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.
સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર કાકા છે.
તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.
ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.
નરી કટપીસની ફેરી નથી કંઇ ‘શોખચલ્લી’ની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.
__નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’
‘હઝલોત્સવ’
‘હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લી’સા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. ’હઝલ’ એટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’
વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લી’ એ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત ‘મુલ્લાં’હથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.
‘કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
’અકબર’ખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.
જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. ‘બઝમે વફા’ને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
સંપાદક
Posted in હઝલ | Tags: કાકા છે_નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’, હઝલ
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વ્યંગ, શાયરી, શેર, હઝલ | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, બાટલી છે ગામ_’મુલ્લાં’હથુરણી, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Hazhal, Shero shayri
બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વ્યંગ, શાયરી, શેર, હઝલ | Tags: કવિતા, ગઝલ, નઝમ, બારના બાવન કરી લઈશું_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ), શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
ચાલને વરસાદમાં_ અનિલ ચાવડા
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: Anil Chavda, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri

કવિના પરિચય માટે ‘બઝમે વફા’નાં નીચેના URL પર કલીક કરવા વિનંતી
http://bazmewafa.wordpress.com/2007/02/26/jigartankarviandhisgazhalas_jigartankarvi/
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, જિગર ટંકારવી, તરસવાની મઝા કઇં ઓર છે, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી
નઝમ(મુસબ્બઅ)
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર | Tags: Anjum Valodi, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પ્રથમ મુક્તિ જંગ_ અંજ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Nazam, Shero shayri

પરમવીર ચક્ર વિજેતા હવાલદાર અબ્દુલહમીદને
_ નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

શત્રુઓની તેઁ કરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.
રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મની ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.
શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.
તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.
ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.
એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.
(વૈભવ-8 )
Posted in Gujarati Gazhal, Gujarati Poetry, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, નઝમ, પરમવીર ચક્ર વિજેતા, પરમવીર ચક્ર વિજેતા હ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, Shero shayri

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા
આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.
ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ
રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.
શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.
તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.
બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.
લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.
આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.
સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, શ્વાસો ખૂટી ગયા***ભગવ
આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર
ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક ‘સૂર્ય’ અસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર ‘સૂર્ય’ નથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર ‘સૂર્ય’ અંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…
દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ
‘‘‘
ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં
‘‘‘
સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં
‘‘‘
પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…
કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી
‘‘‘
મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ
‘‘‘
લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!
‘‘‘
પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!
‘‘‘
સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!
‘‘‘
ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!
‘‘‘
તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?
‘‘‘
એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!
‘‘‘
શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળે’ ગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? ન મળે.) મારું પુસ્તક ‘આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ પ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ‘ગઝલગૂર્જરી’માં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!
એમના શેરથી વિરમીએ?
‘મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!’
(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)
Posted in પરિચય_જીવન*કવન | Tags: Adil Mansuri, આદિલ મન્સૂરી: એક સૂર્, પરિચય_જીવન*કવન, Nirmish Thakar

अब तुम्हारे हवाले वतन साथियों
सांस थमती गई, नब्ज जमती गई
फिर भी बढते कदम को न रुकने दिया
कट गए सर हमारे तो कुछ गम नहीं
सर हिमालय का हमने न झुकने दिया
मरते-मरते रहा बांकपन साथियों
जिन्दा रहने के मौसम बहुत हैं मगर
जान देने की रुत रोज आती नहीं
हुस्न और इश्क दोनों का रुसवा करें
वह जवानी जो खूं में नहाती नहीं
आज धरती बनी हैं दुल्हन साथियों
राह कुरबानियों की न वीरान हों
तुम सजाते ही रहना नए काफले
फतह का जश्न इस जश्न के बाद हैं
जिन्दगी मौत से मिल रही हैं गले
बांध लो अपने सिर से कफन साथियों
खेंच दो अपने खून से जमीन पर लकीर
इस तरफ आने पाये न रावण कोई
तोड दो हाथ अगर हाथ उठने लगे
छूने न पाये सीता का दामन कोई
राम ही तुम, तुम ही लक्ष्मण साथियों
કૈફી આઝમી___શબાના આઝમી
(અબ્બાકી કાહાની બેટી કી જબાની.)
કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો ‘આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહ’ કરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ
વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ‘ડૈડી’ યા ‘પાપા’ કે બજાય ‘અબ્બા’ થે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ ‘બિજ઼નેસ’ કરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !
બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો ‘પેરેન્ટ્સ ડે’ પર સ્કૂલ આતે હૈં એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ
અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ
હમારે ઘર કા માહૌલ બિલ્કુલ ‘બોહિમિયન’ થા નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે ‘રેડ ફ્લૈગ હૉલ’ મેં રહતી થી હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા બાથરૂમ વગૈરહ તો કૉમન થા પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી
મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ ‘અલાઉન્સ’ દેતી થી ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા ‘પગલી’ કી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ ‘પગલી’ કે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો ‘બેસ્ટ એકટ્રૈસ’ કા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ‘ક્યૂજ઼’ દેતે હૈં
મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શારોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ) યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-‘કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ ‘દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ’ ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-‘પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-‘યે ઝૂઠ હૈ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી’ મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં
અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ‘ફ઼િરાક઼’ ઔર ફૈજ઼’ ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા…. કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓ’ યા ‘બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ’ હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ
ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-‘ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં
મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી મમ્મી ને ધીરે સે કહા કિ ‘કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા’ ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ‘ડેડલાઇન’ સર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ
મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં લિખતે વક્ત ઉનકી ‘સ્ટડી’ કા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ
વો લિખતે સિર્ફ ‘માઉન્ડ બ્લાન્ક’ ક઼લમ સે હૈં ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે ‘માઉન્ડ બ્લાન્ક’ દિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા
યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ ‘અપ્રૈલ ફ઼ૂલ’ બના દેતે હૈં હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર ‘અપ્રૈલ ફૂલ’ બના દેતે હૈં કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્ત’ સેન્સ ઑફ હ્યૂમર’ ભી હૈ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ
એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-‘એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે’ ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-‘ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી’
અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ
અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં
જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ
મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ ‘રેડ ફ઼્લૈગ હૉલ’ મેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-‘બેસ્ટ ઑફ લક, કૉમરેડ’
મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા મૈં અબ્બા કે કમરે મેં ગઈ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા
બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ વો ‘મકાન’ વો ‘ઔરત’ હો યા ‘બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ
Posted in કવિતા, ગઝલ, નઝમ, પરિચય_જીવન*કવન | Tags: કૈફી આઝમી___શબાના આઝમ
પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી
નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો
સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.
પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર
હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે
હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ
નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું
સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રે’છે
અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.
સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,
એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,
પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે
અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.
વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા
સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?
બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું
અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.
ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો
ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું
કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે
કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું
.
નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,
હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા
જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી
રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.
કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,
હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ
જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર
ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.
વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?
પછી તું કોઇ ‘દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે
પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે
વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.
અને જોઇન લે કોઇ છબી નયનોની એ માટે
વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે
અને એ બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ
જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે
.

Posted in કવિતા, ગઝલ | Tags: અધરનું પાન થશે કોણ મ, Gujarati Poetry
પા પા પગલે__ બાબુભાઈ પટેલ
પા પા પગલે ચાલી ચાલી,
કાલુ કાલુ બોલી બોલી,
કહેવું છે દિલ ખોલી ખોલી.
આ બક બક કરતા બાલિશ શબ્દો
સાંભળશો કે……..
ખુબ ખુબ કહેવું છે
મારા નાનકડા મનડાએ આજે.
આ તોતડીયા
ગૂંગળાતા શબ્દો
સાંભળશો કે………
અકળ દેશથી આવી આજે
ભૂલો પડ્યો ભવસાગર વાટે.
આ આકુળ વ્યાકુળ ઊછળતા
ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો
સાંભળશો કે………..
પા પા પગલે ચાલી ચાલી,
બોલું છું હું તોલી તોલી,
કહેવું છે દિલ ખોલી ખોલી
આ નાદાનીના બાલિશ શબ્દો
સાંભળશો કે………
ઇસ્લામ અને મોબાઈલ
Dr. Maheboob Desai
Friday, November 21, 2008 08:19 [IST]

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકા ‘મોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.
‘મોબાઈલના મસાઈલ’ અર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.
મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.
મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.
ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.
જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.
રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.
મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.
મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.
મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.
મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.
કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.
મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.
મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.
મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.
મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.
(દિવ્ય ભાસ્કર શુક્રવાર 21નવે.2008)
Posted in ટિપ્પણી, માહિતી | Tags: ઇસ્લામ અને મોબાઈલ—ડ, ટિપ્પણી, માહિતી

Azan of Grand Mosque Makkah Click pl.
Tawafe Qabah and Talbiya(Labbaik)Click pl.
હજ યાત્રાનો મહિમા અને તેની મહત્વતા-કાસિમ અબ્બાસ





Posted in માહિતી લેખ | Tags: ---- કાસિબ અબ્બાસ, માહિતી લેખ, હજ યાત્રાનો મહિમા અન
ગઝલની તકતી1— બઝમ
ઊસ્તાદ અને સિધ્ધ હસ્ત ગઝલકારોને તકતીની જરૂરત પડતી નથી.છંદો અને લય તેમના દિલ,દિમાગના ખાનામાં સંગીતના રેલાની જેમ વહેતા હોય છે. એટલેજ ઘણા અરબી,ફારસી અને ઉર્દૂ કવિઓ શિઘ્ર કવિતા કરતા.અને એની તકતી લઈને માપવા બેસો તો વજનની થોડી ક્ષમ્ય ક્ષતિઓ નજરે પડતી.અથવા આખી રચના સંપૂર્ણ બહેરમાં હોય.એટલે ગઝલમાં પ્રવાહીતા અને ગેયતા છંદ વિના સંભવી શકતી નથી.માત્રા મેળની સહુલત,રદીફ ,કાફિયાની સમતોલ વિભાવના ગઝલને ગઝલમય બનાવે છે.
આપણે મેટ્રીક(10મું કે બારમું) સુધી કે કૉલેજકાળ દરમિયાન ગુજરાતીનાં છંદો ભણીયે છીએ.પરંતુ કોઇ પણ કવિ કંઇ પણ લખીને એને મંદાક્રાંતા,નારચ,દોધક,ઈન્દ્રવજા,મદિરા કે સારંગી છંદ કહેતું નથી.અને એ અક્ષર મેળ છંદ હોય બે લઘુ અક્ષરોનો એક ગુરૂ કરતું નથી.ગમે તે લખી એના પર સૉનેટનું લેબલ ચઢાવતું નથી.તો ગઝલ સાથે આછોકર રમત શા માટે ?
અને હદ એ વાતની છે કે આખો ને આખો સંગ્રહ પ્રસિધ્ધ થઇ જાય અને એમને બહર(છંદ) તો શું મત્લા અને મકતાની સૂઝ હોતી નથી.
ઘણા દૈનિકો,સાપ્તાહિકો,સામાયિકોમાં સાહિત્યિક ચિકિત્સા થતી નથી.અને બે ધડક મોં માથાં વગરની રચનાને ગઝલ નામ આપી છાપી દેવામં આવે છે.આમાં ઘણાં નુકસાનોમાંના બે નુકસાન અક્ષમ્ય છે, એકતો સર્જક પોતાને ગઝલકાર માની લે છે.વાંચક એને ગઝલ સમજી વાંચે છે.સર્જકને ઓળખતા હોય તો તેને તાડ પર ચઢાવે છે.
આશિત હૈદરાબાદી (ગઝલ શીખવી છે?) લખે છે કે ગઝલ લખતી વખતેજ તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી,.જેથી શરૂઆતથીજ બહેરમાં ખામી રહી જવા ન પામે.બહેરમાં આપેલા લઘુ,ગુરૂ પ્રમાણેજ વજન નિભાવવાનું હોય છે.અન્યથા મોટી ગડબડ થઈ જવાની પૂરી સંભાવના છે.લઘુ-ગુરૂમાં ફેર ફાર થઇ જતાં બહેર બદલાય જાય છે.(જ્યાં લઘુ-ગુરૂની છૂટ છે આ નિયમ અપવાદ છે)કેટલીક બહેરોમાં લઘુ ગુરૂ ચુસ્ત પણે નિભાવવાના હોય છે. .
જ.ઝાર રાંદેરી મુતકારિબ છંદ (12 અક્ષરી) લઈ નીચે પ્રમાણેની તકતીનું ઉદાહરણ આપે છે.
લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા—લ ગા ગા
અ રે બો—લ નો તો —લ મા ની—અ મા રો
કુ ધા રો —ન ધા રો—સુ ધા રો—-વ ધા રો(ક.દલપતરામ ડાહ્યભાઇ)
એમણે આ તકતીમાં નોંધ કરી છેકે ભુજંગી છંદનું પણ આજ બંધારણ છે.
ગઝલ મથાળા હેઠળ એક સાપ્તાહિકમાં છપાયેલ એક (અ)ગઝલની બે પંક્તિઓ જુઓ:
કદાચ એને ખબર નહોય
લગાલ ગાગા લલલ લગાલ ૢ પહેલા મિસરાની તકતી
કેટલી દુરંદેશીતા એના માટે વિચારાય છે.
ગાલગા લગાગાગા ગાગા ગાગા લગાગલગા ૢબીજા મીસરાની તકતી
Posted in છંદ*પિંગળ શાસ્ત્ર | Tags: ગઝલની તકતી1--- બઝમ, છંદ*પિંગળ શાસ્ત્ર
મુકતક
થયું વિખવાદથી નુકસાન તે સમજાય તો સારું
’કદમ’જે હોય છે મતભેદ એ વિસરાય તો સારું
સમયની માંગ સમજી ભેદભાવો મિટાવી દો;
પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
લખેલું ભીંત પર છે તે—કદમ ટંકારવી
ઘણી છે કીમતી થાપણ અહીં સચવાય તો સારું
લપસણી છે પેઢી નવી જળવાય તો સારું.
નફાખોરી વટાવે હદ હવે તો મોંઘવારી પણ
હવે તો દાળ, ચોખા, તેલ, સસ્તું થાય તો સારું.
કરે જાપાન એવી શોધ ચાલે કાર પણીથી
હવે ‘ફ્યુએલ’ બીજું અવનવું શોધાય તો સારું.
સિતમ પોતે કરે તો પણ ઠરાવે અન્યને દોષિત
જગતથી બેવડું ધોરણ હવે બદલાય તો સારું.
જુલમ જે આચરે ચે તે ‘કદમ’ ફાવી નહીં શકશે
લખેલું ભીત પર છે તે હવે વંચાય તો સારું.
(ભવ્ય ત્રિભાષી મુશાયરો —સ્મરણિકા)
Bolton U.K..Sunday 19Octo.2008
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, લખેલું ભીંત પર છે તે—

અમે હેલીના માણસ…સુરેશ દલાલ
શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી
આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.
ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:
મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો
શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : ‘પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.’ તો હરીન્દ્ર દવેની પંકિત છે: ‘જયાં ચરણ રુકે ત્યાં કાશી.’ વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.
વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ ‘સાદગી’ રાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.
અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.
(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)
Posted in કવિતા, ગઝલ | Tags: Shero shayri



(શ્રી ઘનશ્યામ ઠક્કર ના સૌજન્યથી)
Posted in ગઝલ, લેખ | Tags: અલવિદા આદિલ મન્સૂરી--, લેખ

કોણ છે? આદિલ મન્સૂરી
કોણ છે?
આ ચાર દીવાલોની અંદર કોણ છે?
કોના કાળા હાથો
દીવાલોનાં બાહર નીક્ળયા છે.
કોના પીળા દાંતો
છત પર ચાલી રહ્યા છે
કોનું ખાલી માથું
હવામાં તરી રહ્યું છે
કોની આંખો ફર્શ પર લપસી રહી છે
કોનું નીલ વર્ણ રકત
બિસ્તરામાં પડયું પડ્યું બરાડી રહ્યું છે
કોના જંગલી અટ્ટ હાસ્યથી
બંધ ઓરડો ગુંજી રહ્યો છે
કોણ છે?
આ ચાર દીવાલોની ભીતર કોણ છે ?
કોણ છે?
(હશ્રકી સુબ્હ દરખશાં હો !ઉર્દૂપૃ.175ના સૌજન્યથી.અનુ.વફા)

સ્પેલિંગ ‘લવ’ નો— નિર્મિશ ઠાકર

Posted in ગઝલ, હઝલ | Tags: ગઝલ, સ્પેલિંગ ‘લવ’ નો--- નિર્મિશ ઠાહર, હઝલ, Gujarati Poetry, NirnishThaker, poem

બીજાઓને શેર, શાયરી સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા
1
મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.
હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:
હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.
મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:
’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)
2
એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.
બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.
પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.
તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.
3 આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.
અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.
.
4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના સફરમાં શાયરીની બલામાં સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સા’બ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું
એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.
શાયરીમાં રસ ખરો કે?
મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?
ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.
શેર હતો:
ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે
ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.
(તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું ઉંચુ કર કે પાલનહાર તને પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)
મૌલવી સાહેબ શાંતિથી શેર સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?
મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.
ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?
5
આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.
ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.
અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)
6
સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:
આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,
ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.
આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,
ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?
Posted in ઈતર, કવિતા, ગઝલ | Tags: ઈતર, કવિતા, ગઝલ, બીજાઓને શેર, શાયરી સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા




Posted in પરિચય*જીવન, પરિચય_જીવન*કવન | Tags: Article, પરિચય*જીવન, પરિચય_જીવન*કવન, લોક ધર્મી વિદ્યાપુરુષ: ડૉ.રફીક ઝકરિયા, Essay

Posted in હઝલ | Tags: અપટૂડેટલી-મર્હુમ નિસારઅહમદ શેખ(શેખચલ્લી), હઝલ

જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ—શેખાદમ આબુવાલા
(મારી ડાયરી.બુધવાર 2 એપ્રીલ 1952)
લાંબા સમય સુધી ડાયરી ન લખી શક્યો.હજી મારે કેટકેટલું સંભારવાનું છે.યાદ કરવાનું છે અને ડાયરીમાં નોંધવાનું છે
આજે સવારે હું મુંબઈથી આવ્યો.ગઈ રજબની સાતમીએ(ઈસ્લામી મહિનો)મારી સાલગિરહ(જન્મદિન) હતી.બાવીસ વરસ પૂરાં થયાં.ત્રેવીસમું બેઠું ! જવાનીનું એક વરસ ઓછું થયું.જવાનીમાં આવતી વર્ષગંઠો મને અત્યંત દુ:ખદાયક લાગે છે.
મને એ વર્ષગાંઠો સર્પની જેમ ડંખે છે.ગઈકાલે મને દુ:ખ થયું હતું કે જવાનીના રંગીન અને મસ્ત એવા કાળમાંએક વરસ ઓછું થઈ ગયું! વૃધ્ધાવસ્થામાં વર્ષગાંઠ એ ખૂશીની વસ્તુ હોવી જોઇએ! પરંતુ જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ.
ગઈ કાલે હું અમદાવાદ આવવાનો હતો ,પરંતુ 31માર્ચને દિવસે મુંબઈમાં એક ડિનર રાખવામાં આવ્યું હતું.મને અમીરી અને બીજા મિત્રોએ જીદ કરીને મુંબઈમાં રોકયો હતો.રોકાવાની જરી સરખી પણ ઈચ્છા નહોતી.પરંતુ મજબૂરીને લીધે રોકાઈ જવું પડયું.મેં ટિકિટના પૈસા અમીરીને આપી દીધા હતા,અને એણે મને એનાજ સહારા પર રોકી લીધો.રાત્રે ડિનરમાં મારા મિત્ર જ.અલી મહેમદ ‘નાઝ’ને માનપત્ર આપવામં આવ્યું હતું.
(હમભી ક્યા યાદ કરેંગે-શેખાદમની ડાયરી)
A comment by one of his associate in Film world.It is posted on the Gujarati article હું એક ભાટકતો શાયર’”URL
Submitted on 2008/12/18 at 5:57pm
I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad, Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikh saheb was like a computer just put cursor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya
Posted in ગઝલ | Tags: જવાનીમાં એને માટે માતમ થવો જોઇએ—શેખાદમ આબુવાલા, શેખાદમ આબુવાલા, Diary, Shekhadam

ઇન્દુલાલ યાજ્ઞિક—-શ્રીમંત નગરીનો ફકીર નેતા
*ઉમાશંકર જોશી
ઇન્દુલાલ એટલે એની બેસંટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસ યુગના એક મહારથી.ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એંજિન સાથે સરખામણી કરી હતી.થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય.હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને સંજીવની વરી હતી.અમદાવદની મુખ્ય સંસ્થાઓ પાછળ – ગુજરાત વિદ્યાપીઠ જેવી પાછળ પણ – ઇન્દુલાલ યૌવન મૂર્તિ દેખાશે.
ઇન્દુલાલ પર સરસ્વતીંનો આશિર્વાદ હતો.નડિયાદના નાગર હતા ને?વકતૃત્વ અને કલામાં ગુજરાતી ભષાનું હીર ઉછળતું…ગુજરાતના ઇતિહાસના એક અઠંગી વ્યાસંગી હતા.પણ ઇતિહાસ સર્જવ એ સર્જાયા હતા.
ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા..
ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું ? ગુજરાત.
‘સમાજ પહેલાં લોટ જેવો હતો,પાણી નાંખતા ભેગો થઇ જતો.આજે સમાજ રેતી જેવો બની ગયો છે.પહેલાં લોકોમાં મીઠાશ હતી,આજે જનતા બાવરી બની છે.આર્થિક ભીંસ ખૂબ મજબૂત બની છે.’(17-11-1952ના કરેલા એમના ભાષણમાંથી)
Posted in લેખ | Tags: ઇન્દુલાલ યાજ્ઞિક---- *ઉમાશંકર જોશી, લેખ

Posted in ગઝલ | Tags: કવિતા, ગઝલ, ત્રણ અક્ષરની વાત—કલીમ વાકિફી ધોરાજવી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

Posted in ગઝલ | Tags: કવિતા, ગઝલ, ગુજલિશ ગઝલો, મરણ થાતાં કરી માતમ-‘બેબસ’ દેખૈયા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri

Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, તારુંય દિલ વિચિત્ર છે—બદરી કાચવાલા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri

खानोमें बट गया_निदा फाज़ली
गिरजा में,मंदिरो में,अजानो में बट गया
होते ही सुबह आदमी खानों में बट गया
एक ईश्क नाम का जो परिन्दा खलामें था
उतरा जो शहर में तो दूकानो में बट गया
पहले तलाशा खेत,फिर दरियाकी खोज़ की
बाकीका वक्त गेहुंके दानों में बट गया
जब तक था आसमांमें सुरज़ सभीका था
फिर युं हुआ वो चन्द मकानों में बट गया
हैं ताक में शिकारी, निशाना है लबिस्तां
आलम तमम चन्द मचानों में बट गया
खबरों ने की मस्वरी, खबरें गझल बनी
जिन्दा लहु तो तीर कमानों में बट गया
(शहर मेरे साथ चले तो)
Posted in ગઝલ | Tags: खानोमें बट गया_निदा फाज़ली, Shero shayri, Urdu Gazhal
હવાનું હલેસું—- આદિલ મન્સૂરી



તમે ચાલ્યા ગયા આ શબ્દનો આવાસ છોડીની
છતાં પડઘા તમારી યાદના ગુંજતા રે’શે
મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબને સાંભળવા કલીક કરો
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, હવાનું હલેસું---- આદિલ મન્સૂરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri

હું છું ને તું છે— ‘મહેક’ ટંકારવી


Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, હું છું ને તું છે--- ‘મહેક’ ટંકારવી, Gujarati Gazhal, Gujarati Kavita, Shero shayri

થાય છે….સુધીર દલાલ








Posted in વાર્તા | Tags: થાય છે....સુધીર દલાલ, નવલિકા, વાર્તા, Gujarati short story
કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ —- યોગેશ જોષી





(પરબ _ ડીસેંબર 2008 ના સૌજન્યથી)
‘બઝમે વફા’ પરિવાર શ્રી ચિનુ મોદીને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે
Posted in પરિચય_જીવન*કવન | Tags: કવિ શ્રી ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ ---- યોગેશ જોષી, કવિતા, ગઝલ, પરિચય_જીવન*કવન


Posted in અછાંદસ | Tags: અછાંદસ, અરધી રાતે***મનોજ ખંડેરિયા

બીમાર પણ રાખે****બરકત વીરાણી ‘બેફામ’
Posted in ગઝલ | Tags: ગઝલ, બીમાર પણ રાખે****બરકત વીરાણી ‘બેફામ’

મેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, નેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’, મેળો જહાંનો***રતિલાલ ‘અનિલ’, શાયરી, શેર

આપણે***મકરંદ દવે

Posted in ગઝલ | Tags: આપણે***મકરંદ દવે, ગઝલ
સવારી જશે મુજ છડીદાર સાથે***’શયદા’

Posted in ગઝલ | Tags: ગઝલ, સવારી જશે મુજ છડીદાર સાથે***’શયદા’
જય ગજ્જરની નવલકથા’ આંધીનો ઉજાસ’ દરિયાપારના સર્જકોમાં શ્રેષ્ઠ નવલકથા તરીકે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં ઈનામો

મહેંદીના રંગ જેમ ઊડી જાય જે ‘મહેક’
એવી સગાઈ, એવું કો સગપણ ન જોઈએ

કાજલ ભરેલી આંખના***’મહેક’ ટંકારવી
(એક વિચાર સભર, સુંદર નવી નક્કોર તાજી ગઝલ મોકલવા બદલ પ્રોફેસર ‘મહેક’ ટંકારવી સાહેબનો ‘બઝમે વફા’ ઘણું આભારી છે)
Posted in ગઝલ | Tags: કાજલ ભરેલી આંખના***’મહેક’ ટંકારવી, ગઝલ
Opinion , views and News
Civilian Casualties Mount As Israeli Army Slices Through Gaza
Click
http://www.countercurrents.org/
Do Israeli Pilots Feel Happy Killing Innocent Women And Children?
By Fida Qishta
05 January, 2009
Countercurrents.org
Click to read
http://www.countercurrents.org/qishta050109.htm
Molten Lead In Gaza
By Uri Avnery
This war is a writing on the wall: Israel is missing the historic chance of making peace with secular Arab nationalism. Tomorrow, It may be faced with a uniformly fundamentalist Arab world, Hamas multiplied by a thousand
http://www.countercurrents.org/avnery050109.htm
Scared But Steadfast In Gaza
By Rami Almeghari
I found that my neighbors are dealing very patiently with what is happening right now. They don’t have any place to go and are staying close to their homes, expecting that the worse has yet to come. However, they are saying that they will remain steadfast in their homeland and neighborhood and homes, even if Israel destroys Gaza completely
http://www.countercurrents.org/almeghari050109.htm
The Only Nation That Can Do No Wrong
By Jim Taylor
Because the rights that European and North American nations demand for Jews do not seem to extend to Palestinians. Or perhaps more accurately, in a perversion of the Golden Rule, the western world looks the other way when the nation of Israel does unto others as others have done unto them
http://www.countercurrents.org/taylor050109.htm
Posted in ગઝલ | Tags: Journalism, Opinion, views and News
Posted in નવલિકા | Tags: ત્રણ અધૂરી વાર્તાઓ***મધુ રાય, નવલિકા, લઘુ વાર્તા, વાર્તા
ફૂલ કરમાયું નહીં— આઈ.ડી.બેકાર


Posted in Gujarati Gazhal, કવિતા, ગઝલ, શાયરી, શેર, હઝલ | Tags: કવિતા, ગઝલ, ફૂલ કરમાયું નહીં--- આઈ.ડી.બેકાર, હઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, I.D.Bekar, Shayri, Sher
ફૂલ કરમાયું નહીં
છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં
સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .
આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.
બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં
ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં
(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે).
Posted in ગઝલ | Tags: ગઝલ, ફૂલ કરમાયું નહીં, મોતી જિવન નું—મુહમ્મદઅલી વફા
નિ:શબ્દ રહેવાયું નહીં—ઝફર એમ.

આયનાની જાતથી નિ:શબ્દ રહેવાયું નહીં
તે છતાં મુજ હાજરી વિણ, કંઇ બોલાયું નહીં
હું રડી પડ્યો નિહાળી સાથ સહુ સ્વજન તણો
એ નથી કે મુજ થકી એ દર્દ સહેવાયું નહીં
પ્યાસ બળતા રણ ની લઇ બેઠા હતાં એ દ્વાર પર
ઝાંઝવાની એ પરબ પર બુંદ છલકાયું નહીં
સર અહમના ડુંગરો પર ઠોકતો તું રહી ગયો
ઝૂમખું આ ફૂલનું પણ હાશ ઉંચકાયું નહીં
હાથ તારો એ કટોરા ઉપર સ્પર્શયો હતો
ઝેરનાં એ જામને પાછુંય ઠેલાયું નહીં
એ હતોઅંતિમ સમય આંખો બિડાઈ ગઇ હતી
પણ ઝફર એ નામ તો હોઠોથી વિસરાયું નહીં
Posted in ગઝલ | Tags: ગઝલ, નિ:શબ્દ રહેવાયું નહીં---ઝફર એમ., ફૂલ કરમાયું નહીં

તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા
એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં
એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં
તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં
ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં
મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં
કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં
Posted in ગઝલ | Tags: ગઝલ, તરસ્યાંથી દોડાયું નહીં~~ નાઝિર દેખૈયા, ફૂલ કરમાયું નહીં

મુજથી રોવાયું નહીં—- બરકત વીરાણી ‘બેફામ’

Posted in ગઝલ | Tags: ગઝલ, ગઝલ ફૂલ કરમાયું નહીં, મુજથી રોવાયું નહીં---- બરકત વીરાણી ‘બેફામ

ચિત્ર ભૂંસાયું નહીં— ગની દહીંવાલા

Posted in ગઝલ | Tags: ગઝલ, ચિત્ર ભૂંસાયું નહીં--- ગની દહીંવાલા
કેમ બદલાયું નહીં—- ‘મસ્ત હબીબ’ સારોદી


Posted in ગઝલ | Tags: કેમ બદલાયું નહીં---- ‘મસ્ત હબીબ’ સારોદી, ગઝલ, ફૂલ કરમાયું નહીં
મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?
લોક ઊંડું વિચારે, તો હું શું કરું?
હું છું માનવ,છતાં લાગું દાનવ તને !
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-
એ જો મરચાં વઘારે, તો હું શું કરું?
સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!
જો તું આવે સવારે, તો હું શું કરું?
(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)
Posted in ગઝલ, હઝલ | Tags: કવિતા, ગઝલ, મરચાં વઘારે તો...નિર્મિશ ઠાકર, હઝલ, Gujarati Poetry, Nirmish Thakar
‘પાન ખર આવી છતાં યે ફૂલ કરમાયું નહીં’
(ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)
રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)
ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્
ગઝલ કાવ્ય પ