Posted by: bazmewafa | 09/26/2009

ભાથું— જય ગજજર, C.M.M.A

ભાથું— જય ગજજર, C.M.M.A

તક મળતાં વહેલી પરોઢે કાનજી જેલમાંથી ભાગ્યો. સીધો ગામના શાહુકાર ચંપક શેઠને ઘેર પહોંચ્યો.

“શેઠ બારણું ખોલો. તમે મંગાવેલ ભાથું લાવ્યો છું.” કાનજી શાંતિથી બોલ્યો.

ચંપક શેઠે ઉત્સાહમાં આવી જઈ બારણું ખોલી પૂછયું, “કયાં છે મારું ભાથું?”

“તમે મારી યુવાન દિકરી લલી મંગાવેલી ને? લલી તો નથી લાવ્યો, પણ તમારું મોત લાવ્યો છું. તારા ભગવાનને છેલ્લે યાદ કરી લે. નરાધમ ગામની કેટલી સ્ત્રીઓના ભવ તેં રોળી નાખ્યા છે?”છેલ્લા શબ્દોની સાથે એની બંદૂકમાંથી ગોળી છૂટી. ‘હે રામ’ કહેતાં એ જમીન પર ઢળી પડયો. એ સાથે એનું પ્રાણપંખેરું ઉડી ગયું.

શેઠની કેડના કંદોરામાં ચાવી જોતાં એ સમજી ગયો. એણે તિજોરી ખોલી. બધા પૈસા એક થેલીમાં ભરી સીધો જેલમાં પાછલે દરવાજે થી એની કોટડીમાં પહોચી ગયો.એક રાક્ષસનો અંત આણ્યો હતો એમ વિચારી ઊંડો શ્વાસ લઈ એણે કાળકામાનો આભાર માન્યો ગઈ કાલે એની પત્ની બબલી મળવા આવેલી. રડતાં રડતાં કહેલું, “કાના, ઈન્સ્પેકટર કહે છે ‘વીશ હજાર આપ તો તારા કાનાને છોડી મૂકું.’ એ પછી હું ચંપક શેઠ પાસે ગઈ. બહુ આજીજી કરી ત્યારે પૈસા આપવા તૈયાર થયા પણ બદલામાં શું માગ્યું ખબર છે?”

“બોલ, શું માગ્યું? તારું પેલું મંગલસૂત્ર?” “ના, આપણી યુવાન દિકરી એક રાત એમને ઘેર મોકલવાની…” રડતાં રડતાં માંડ વાકય પૂરું કરી શકી. એ સાંભળી કાનાનું લોહી ઉકળી ઉઠયું. પણ શાંત રહી બોલ્યો, “સારું કાલે આવજે. હું જાણું છું એટલા પૈસા કયાંથી લાવવાના. એ નાલાયક પાસે ગઈ જ કેમ? ગામની કેટલીય સ્ત્રીઓની લાચારીનો એણે લાભ ઉઠાવ્યો છે. આપણી લલીને સંભાળજે. એ નરાધમને ભૂલી જા. કાલે આ ટાણે આવવાનું ના ભૂલતી.”

કીધા પ્રમાણે સાંજે બબલી આવવી જોઈએ એમ વિચારી એણે ખૂણામાં સંતાઈને પૈસા ગણ્યા. પૂરા પચાસ હજાર હતા. એણે કાળકામાને થાળ ધરાવવાની બાધા રાખી.

સાંજ પડતાં બબલી આવતાં અને ત્રીસ હજાર આપતાં કહ્યું, “લે આ ત્રીસ હજાર ઈન્સ્પેકટરને આપજે અને કહેજે વીશ હજાર કાનાને છોડી મૂકવાના અને દશ હજાર ચૂપ રહેવાના છે. પૈસા આપીને તું સીધી ઘેર જજે અને મારી વાટ જોજે.”

“પણ આટલા બધા પૈસા તમે લાવ્યા કયાંથી?” “પગલી એવું ન પૂછ. આપણા નેતાઓ અને મોટરોમાં ફરવાવાળા શેઠિયાઓ પાસે પૈસા કયાંથી આવે છે એની તને કે મને ખબર છે? એમ માનજે કે કાળકામાતાની આ દેણ છે.”બબલી કંઈ સમજવાનો વિચાર કરતી સીધી ઈન્સ્પેકટર પાસે ગઈ અને કાનજીના શબ્દો કહી ત્રીસ હજાર આપી ઘરની વાટ લીધી.

ઈન્સ્પેકટરે ગણ્યા વિના ઝડપથી પૈસા ખિસામાં મૂકતાં ધીમેથી કહ્યું, “તું કયાંથી લાવી આટલા બધા રૂપિયા? ચંપક શેઠને ઘેર ગઈ’તી?” અને કંઇ સમજી જતાં ઉમેર્યું, “તું પણ ચૂપ રહેજે. કાનાને આ કશી વાત ના કરતી, નહિતર તારો જન્મારો ધૂળધાણી થઈ જશે.”

બબલીનું મન અનેક વિચારોથી ઉભરાઈ આવ્યું પણ કંઈજ બોલ્યા વિના ઘેર પહોંચી કાનાની રાહ જોવા લાગી.

 

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

 

પત્તાંનો મહેલ ઊડી ગયો—અદમ ટંકારવી

 

એના પાયામાં પડી બારાખડી,

ચોસલાંથી શબ્દોના ભીંતો ચણી.

 

એક તત્સમ બારણું પ્રવેશનું

સાત ક્રિયાપદની બારી ઊઘડી.

 

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન

ને અનુસ્વારોનાં નળિયાં છાપરે.

 

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી

ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.

 

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું

ટોડલે નામોના દીવા ઝળહળ્યા.

 

સાથિયા કેવળ પ્રયોગી આંગણે.

રેશમી પડદા વિશેષણના હાલ્યા.

 

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો.

ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.

છળ છે કે શું? મનોજ ખંડેરિયા

 

કથામાંથી છટકેલ છળ છે કે શું?

ફરી એજ માયાવી સ્થળ છે કે શું?

 

મને શબ્દ ખેંચી ગયા કયાંથી કયાં,

એ સોના હરણ વાળી પળ છે કે શું?

 

 

પિકાસોના ચિત્રો જોયાં પછી-મનોજ ખંડેરિયા

 

પીંછીમાંથી પીળો ખરે છે નિસાસો,

આ ઢોળાતા રંગોમાં કણસે પિકાસો.

 

કણસતી હવામાં તરે ખોપરી એક,

કહો એમાંબાંધી દીધો કોણે જાસો.

 

પછી હથ લાંબો રે લાંબો રે લાંબો,

છબી તોડી નીકળી ગયો દૂર ખાસો.

 

સવારે ત્વચાહીન થઈ બહાર આવ્યા,

કર્યો કાચના મહેલમાં રાતવાસો.

 

નગરા હણહણાટીની નીચે દબાયું,

તૂટી જાય ચહેરા ને ફૂટે છે શ્વાસો.

 

તૂટી હોડીના ખારવા જેમા તરવા,

મથી આજ ઢોળાતા રંગે પિકાસો.

 

હજીયે આંખ શોધે છે—વારિજ લુહાર

 

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,

અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

 

હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,

અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

 

વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,

વમળ સાંભરે ભેદી અવાજો રોજ પાણીમાં.

 

નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,

પવનની પણ કપાતી જયા પાંખો રોજ પાણીમાં.

 

વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,

પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં.

હર અદા એની—જયન્ત વસોયા

 

 

પળ ખૂશીની ક્યાં નકારી છે અમે,

આંસુની ઈજ્જત વધારી છે અમે.

 

હું ફસાયો છું ભલે મઝધરામાં,

કૈંકની નૌકા ઉગારી છે અમે.

 

ફૂલ આપે, કંટકો આપે કદી,

હર અદા એની સ્વીકારી છે અમે.

 

ઉમ્રભર જો સાથ આપો તો કહું,

કેટલી વાતો વિચારી છે અમે.

 

જાણી બૂઝી એમને જિતાડવા,

બાજી ખુદની પણ સુધારી છે અમે.

 

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ,

જિંદગીને બહુ મઠારી છે અમે.

તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજી__ ડો. મહેબૂબ દેસાઈ

૨  ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગાંધીજીની ૧૩૭મી  જન્મ જયંતી છે.  ”સત્ય એ જ ઈશ્વર ” ને જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષીણ આફ્રિકા  જવા નીકળ્યા,  ત્યારે પણ તેમની ધર્મની વિભાવના સંપ્રદાયો સુધી સીમિત નહોતી તેમણે  બેરિસ્ટરના  અભ્યાસ કાળ  દરમિયાન  મહાભારત ,બાઈબલ અને કુરાનનું  અધ્યયન  કર્યું  હતું. ગાંધીજી દક્ષીણ આફ્રિકામાં એક વર્ષના કરાર પર ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી  પેટે ૧૦૫ પાઉંડ  નક્કી  થયા  હતા.

 દક્ષીણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના તેમના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ  ડર્બનથી    આગબોટ  પોન્ગોલામાં  ભારત આવવા નીકયા હતા. આ સમય દરમિયાન હજુ તેમને મહાત્માનું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને  ભાઈ ના સંબોધનથી બોલાવતા હતા.છતાં સેવાકીય કાર્યોની તેમને સુવાસ દક્ષીણ આફ્રિકામાં પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ   ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષીણ આફ્રિકાના  હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષીણ આફ્રિકાની પ્રજા ની  ધાર્મિકભાવના , ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષીણ આફ્રિકા કોંગ્રસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની અરજ  અસરકારક શૈલીમાં રજુ કરે છે.

 ૨ જુન ૧૮૯૬ના  આ માનપત્ર નીચે  ઉસ્માન નામ લખ્યું  છે. માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું  છે.  માનપત્રની ભાષા  હિન્દી – ઉર્દુ મિશ્રિત  છે. તેમાં ગાંધીજી માટેનો પ્રેમ અને માન સુંદર રીતે વ્યક્ત થયા છે.૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને  અપાયેલ  આ  માનપત્ર  આજે  પણ માણવા જેવું  છે.

 

“  કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ

  કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

 

  કિયા જિસને પૈદા જમી આન પર

  મેં કુરબા હું ઉસકે નામ પર

 

  જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં

  સભી કારોબાર ઉસકે અખત્યાર હે

  

  હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ

  સભુને કિયા દિન ઉસકા કબુલ

 

  ક્યામત મેં હર જન મુનાદી કરે

  સદાકતકા  તાજ  તેરે સરપે ધરે

 

  કુરનમેં  લિખા  હકને  ખેરુલ  અનામ

 નબુવત  ખતમ  ઔર  દુરુદો  સલામ

 

 સુની  હિંદીઓ  કી  ખુદાને  દુઆ

 દુઆ સે ગાંધી કા આના હુઆ

 

ઉજાલા  ખુદાને  ફિર ઐસા કિયા

યે  બહાદુર અસર  હિંદીઓકુ  હુઆ

 

ખુદાને  કિયા  હમ  પર  લુંફ્તો  કરમ

મોહનદાસ  ગાંધીકા  દિલ હે  નરમ

 

નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ

કે હે પાદ્શ  દો   જહાકા  અકીમ

 

નસારુકા  યે  મુલક  નાતાલ  હેં

અવલ  કાયદા  યાકા બે તાલ હેં

 

 વો  હિદીકી  કરતે  દરકાર હે

અકલમંદ  એસી  યે  સરકાર  હે

 

મોહનદાસ  દિલસે  નસાર યે  કિયા

ફ્રેન્ચયાસકા  કામ  અવલ  કિયા

 

ફતેહ  સારે  કામોમેં  તુમકો  મિલે

તેરે નામકા  ફૂલ  જગમે  ખીલે

 

 દુશ્મન સે  બિલકુલ  વો  દિલ  મેં  ડરે

લગા કાયદા વો બરાબર લડે

 

ઓંરોસે  ઉસકો  હુઆ  ફાયદા

નસારુકા  તોડા  હે  જુલ્મો  જહાં

 

સફાઈ  સે  ફિર  કોંગ્રસ  ખડી

હે  તેરે  હી  દમ સે  આગે  પડી

 

યે  કોંગ્રસ  સે  હોને  સે ચર્ચા ચલી

નસારોમે  તો પડ  ગઈ  ખલબલી

 

આયા  હે  તાર  ભાઇકા  જાના  હે  ધર

 પડી  હિંદીઓ  કે દિલ મેં ફિકર

 

મગર  જાના  તો  જલ્દી  આના  યહાં

નહી તો  હિન્દીઓ કા  ઠીકાના  કહાં ?

 

હિન્દીઓકી  ખાતિર જો મહેનત કરે

તરક્કી  ઉમર  ઉસકી  માલિક  કરે

 

યે   કોંગ્રેસ  દુઆ  તેરે  હક મેં  કરે  

તેરે ભાઈઓ  ભી  ઇસમેં  સામીલ  રહે

  

કુટુંબ  ઔર  કબીલે  મેં   તુમ રહો

ખુશી  સાથ  જલ્દી  યહાં  પર  ફિરો

 

ખતમ  યહાસે  કરતા હુ  મેં  મસ્નવી

યે  મીમ્બેર  દુઆ  ચાહતે  હે મિલે  સભી

 

ગાંધીજીના આ અને આવા ૧૫૬ માનપત્રોનું અદભુદ પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં ૧૧,૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ સાબરમતી આશ્રમ,અમદાવાદના સૌજન્યથી યોજાય ગયું. ગાંધીજીને જાણવામાં, પામવામાં આવા દસ્તાવેજી પુરાવા નોંધપાત્ર પ્રદાન કરે છે. અને એટલે જ આવા પ્રદર્શનો ઠેર ઠેર યોજવા જોઈ

 
 

ઈદ મુબારક


ઈદપ્રોફેસર મહેબૂબ દેસાઈ

દરેક સંપ્રદાયમાં ખુશી માટેના ધાર્મિક પ્રસંગો છે. હઝરત મહંમદ પય્ગ્મ્બેરએ પણ ફર્માંવિયું છે,
” દરેક કોમ માટે તહેવારોનો એક દિવસ મુકરર કરવામાં આવ્યો છે “
તહેવારના એ દિવસ પાછળનો ઉદેશ માનવી-માનવી વચ્ચેના મતભેદો , મનદુખોને પુનઃ પ્રેમથી ભીંજવી સમાજમાં ખુશી પ્રસરાવવાનો છે. બેસતું વર્ષ , ક્રિસમસ , હેપ્પી ન્યુયર , સંવત્સરી કે ઈદમાં આપવામાં આવતી શુભેચ્છાઓ નુતન વર્ષાભિનંદન , હેપ ન્યુયરે ,મિચ્છામી દુકડમ કે ઈદ પણ સામાજિક સંબંધોને પુનઃ સુગઠિત કરી સમાજમાં શુભકામનો પ્રસરાવવાનું સૂચવે છે. અને એટલે જ તમામ પ્રસંગો માત્ર વ્યક્તિગત નહીં , પણ સામાજિક ખુશી છે.

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી . ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશી અંગે શુભેચ્છા . ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે.ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ,ખાંડ,સેવ અને સૂકો મેવો નાખી બનાવવમાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશો આપે છે. ઈદની નમાઝ સમાનતાના સંદેશ સમી છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન)કે ભેટીને એક બીજાને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ, મન સ્વચ્છા કરી પુનઃ મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે.

કોઈ પણ માનવી મન , ર્હદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક કહેવા અને ખીરની મીઠાસને માણવા તેમના દ્વાર પર આવે છે, ત્યારે મુસ્લિમ બિરાદર પણ તેમને હોંશથી ગળે લગાડી ઈદ મુબારકની આપ લે દ્વારા ર્હદય શુદ્ધ કરે છે. કારણકે ઇસ્લામમાં પ્રાયશ્ચિતની યાચના ઇદની ઉજવણીમાં સોનામાં સુગંધ સમાન છે.

હઝરત કાબ બિન માલિકએ પોતાની ભૂલોની ખુદા પાસે રડીને , કરગરીને ક્ષમા માંગી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી . ત્યારે સૌ તેમને મુબારકબાદી આપવા પહોંચ ગયા. સૌથી છેલ્લે મહંમદ સાહેબે તેમને મુબારકબાદી આપતા કહ્યું ,

“કાબ, તમારી જિંદગીનો આ ઈદ સમો દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો . અને મારી મુબારકબાદી સ્વીકારો “

આવી પ્રાયશ્ચિતની ક્રિયાઓ જ ઈદને સામાજિક ઉત્સવ બનાવે છે. એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળ ખંખેરવાનું પર્વ છે.

અંગ્રેજીમાં કહેવત છે ” We are Master of our unspoken words “
આપણે આપણા ન બોલેલા શબ્દોના માલિક છીએ . જે શબ્દો , કૃત્યો આપણી માંલીકીમાંથી સરી પડ્યા છે અને જે અન્યના મનની વ્યથા બની ગયા છે તે વ્યથા દૂર કરી પ્રેમનું પુનઃ સ્થાપન કરવાનો દિવસ એટલે ઈદ . એકવાર હઝરત મહંમદ પય્ગ્મ્બેર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું ,

“ઇદના દિવસે શું જરૂરી છે ?”

મહંમદ સાહેબે ફરમાવ્યું ,

“ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજ્હાર (અભિવ્યક્તિ)કરો . મનની કડવાશથી મુક્ત થાવ ખાઓ-પીઓ અને ખુશીની આપલે કરો . ખુશીને માણો અને ખુદાની યાદ કરતા રહો”
.
ઈદના એક પ્રસંગે કોઈક હબશી બાઝીગર તેનો ખેલ ખુલ્લા મેદાનમાં બતાવી રહ્યો હતો.મોટેભાગે મહંમદ સાહેબ ક્યારેય આવા ખેલો જોતા નહીં . પણ એ દિવસે આપ ખુદ રસ્તા પર ઉભા રહ્યા અને ખેલ જોવા લાગ્યા .અને હઝરત આઈશા (રદ)ને પણ પડદાની આડમાંથી એ ખેલ જોવા દીધો .

ટૂંકમાં, ઈદ એટલે સ્વચ્છ , નિર્મળ ખુશી. ચાલો આપણે પણ આવી નિર્મળ ખુશીને માત્ર વ્યક્તિગત ન બનાવતા , સામુહિક કે સામાજિક બનાવીએ . હિંદુ-મુસ્લિમ સૌને ખીરની મીઠાસને માણવા નીમન્ત્રીએ. અને આ દ્વારા સમાજને મહોબ્બત ,પ્રેમનો સંદેશ પાઠવીએ ,એ જ દુઆ – આમીન .

રાહે ખુદામાં કરવામાં આવેલો ખર્ચ—ડો. ઝુબેર કુરેશી

ફારસી સાહિત્યમાં હાતિમતાઇની એક હિકાયત નોંધવામાં આવી છે. કોઇએ હાતિમ તાઇને પૂછયું કે તમારો કદી કોઇ એવા માણસ જોડે ભેટો થયો છે, જે તમારાથી પણ વધુ દાનવીર હોય. હાતિમે કહ્યું હા, એક દિવસ હું એક ગરીબ માણસનો

મહેમાન હતો. જમતી વખતે મે કહ્યું કે આ દા.ત. કલેજી ખૂબ સ્વાદિષ્ટ છે. ત્યાર બાદ મારી થાળીમાં માત્ર કલેજીઓ આવવા લાગી. જમ્યા પછી બહાર નીકળતી વખતે મને ખબર પડી કે એ કલેજી ખવડાવવા ખાતર એણે પોતાની પાસેના બધા જ આઠ દસ બકરાઓને ઝિબાહ કર્યા હતા. પછી મ એને સો ઉંટ, સો ઘેટા-બકરા વગરે ઇનામમાં આપ્યા. પૂછનારે કહ્યું કે તો તો તમે જ વધારે દાનવીર ગણાવ ને ? હાતિમે કહ્યું ના, એણે એની પાસેનું જે હતું તે બધું જ મારી ઊપર

કુરબાન કર્યું અને મ તો મારી પાસે જે હતું, એનો માનો ને કે ૧/૧૦૦ ભાગ આપ્યો. તેથી જ અલ્લાહ તઆલાને આર્થિક  તંગીમાં રાહે ખુદામાં કરવામાં આવેલ ખર્ચ વધારે પસંદ છે.મુહાજેરીન (રદિ.) હિઝરત કરીને મદીના પહાચ્યા. ત્યાં હઝરાતે અન્સારે (રદિ.) એમની ખૂબ મદદ કરી, અને તે પણ દિલથી. બધા જ અન્સાર (રદિ.) ધનવાન ન હતા, તો પણ અલ્લાહે એની નાધ લીધી અને એમની પ્રશંસા કરતા ફરમાવ્યું કે આ લોકો પોતાની જાત ઊપર બીજાઓને પ્રાથમિકતા આપે છે, ચાહે પોતાની જગ્યાએ સ્વયં મોહતાજ હોય તો પણ,હકીકત એ છે કે જે લોકોને હૃદયની લાલચ/તંગીથી બચાવી લેવામાં આવ્યા છે. તેઓ જ સફળતાપામનારા છે. (પ૯:૯) અલ્લાહના પ્રેમના અધિકારી  થવા બંદાઓને ઠેર ઠેર પ્રોત્સાહિત કરતા અલ્લાહ તઆલાએ કુર્આનમાં સ્પષ્ટતા કરી છે કે તે કયા પ્રકારના લોકોને ખૂબ ચાહે છે. એક જગ્યાએ છે. જે લોકો દરેક હાલતમાં પોતાનું ધન ખર્ચ કરે છે, ચાહે ખરાબ હાલતમાં હોય કે સારી હાલતમાં -આર્થિક મોકળાશ હોય કે તંગી-જેઓ ગુસ્સાને પી જાય છે, અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવા એક (સદાચારીઓ) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે. (૩:૧૩૪) થોડી ઘણી આર્થિક તંગીમાં અલ્લાહની રાહમાં પોતાનાથી નિમ્નતર સ્તરના લોકો ઊપર, ખુદાની પ્રસન્નતા પાપ્ત કરવા કરેલ થોડો ખર્ચ,મોટા સંભવિત આર્થિક સંકટને ટાળવા માટે પૂરતું છે.આવો ખર્ચ દેખાડા માટે ન હોવો જોઇએ. તે રિયાકારી કહેવાય અલ્લાહને એવા લોકો પસંદ છે જે નમાઝ કાયમ કરે છે અને અમારી

આપેલ રોજીમાંથી જાહેરમાં અને છૂપી રીતે ખર્ચ કરે છે, બુરાઇને ભલાઇથી દૂર કરે છે. આખરેતનું ઘર એવા જ લોકો માટે છે. (૧૩:રર) હે પયગમ્બર મારા જે બંદાઓ ઇમાન લાવ્યા છે, તેમને કહી દો કે નમાઝ કાયમ કરે અને જે કંઇ અમે

તેમને આપ્યું છે, તેમાંથી જાહેરમાં અને ખાનગીમાં ખર્ચ કરે અને તે પણ એ પહેલાં કે તે દિવસ આવે (કયામત પહેલાં) જેમાં ન ખરીદ-વેચાણ થશે અને ન મિત્રતા થઇ શકશે.(૧૪:૩૧) જે લોકો રાત-દિવસ, જાહેરમાં અને છૂપી રીતે, ખર્ચ કરે છે, તેમનો બદલો તેમના માલિક અને પાલનહારની પાસે છે, એમ તેમના માટે કોઇ ભય અને દુઃખની શકયતા નથી. (રઃર૭૪) જમણા હાથે અલ્લાહની રાહમાં કરેલ ખર્ચની ખબર ડાબા હાથને પણ ન હોય.

(આ કોલમ મિરકાતુલ મફાતીહ શરહે મિશકાતુલ મસાબીહ ઊપર આધારિત છે. તેના લેખક અલ્લામા મુલ્લા અલી કારી (રહે.) છે.)

 

(ગુજરાત ટુ ડે 15સપ્ટે.2009ના સૌજન્યથી)

લય વગર—ખલીલ ધનતેજવી

>

લય વગર, શબ્દો વગર,મત્લા વગર,

હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર.

 

તેં તો તારો છાંયડો આપ્યો મને, 

હું જ ના જંપી શક્યો તડકા વગર! 

 

કેદ છું,ભીંતો વગરના ઘરમાં હું, 

સંતરી ઉભો છે દરવાજા વગર. 

 

સરહદો સૂની હશે તો ચાલશે, 

શહેરમાં ચાલે નહીં પહેરા વગર.

 

મોરને કો’ બાજ પક્ષી લઈ ગયું, 

સીમ સૂંની થઈ ગઈ ટહુકા વગર. 

 

કોક દિ’ દીવો પવન સામે ધરો, 

કોક દિ’ ચલવી લો અજવાળા વગર.

 

  (સાદગી)

 

 

ક્ચ્ચર ઘાણ—દીપક બારડોલીકર

 

દોસ્ત તું હાંફી ગયો

શોધ ખાલી બાંકડો

 

સોરી! તું લથડી ગયો

ધકો એ મારો હતો.

 

એમ કૂદીને બતાવ

જેમ કૂદે વાંદરો

 

ખિસ્સું એનું ખણ ખણે

એ સગો છે આપણો

 

ઓન કર અફવાની ગન

છે વકરતો મામલો

 

વિંડો શોપીંગ થઈ ઘણી

શોપ લિફટિંગ પણ કરો

 

સૌ છે મનની મોજમાં

ક્યાં છે ધોરણ કે ધડો

(કુલિયાતે દીપક)

અલ્લાહના દરબારમાં—‘સિરાજ’ પટેલ,પગુથનવી

 

જિંદગી આ કેદ છે દુનિયાના કારાગારમાં, 

માનવી રહેંસાઈ ર્હ્યો છે દુ:ખી સંસારમાં.

 

લાલસા લાલચ ને માયા કામ કંઈ ના આવશે, 

નફસ પર કાબુ કરીલે તુ આ નર્કાગારમાં.

 

તું એ જાણે છે કે દુનિયા એક ફાની ધામ છે, 

તો પછી અટવાય શાને  નર્યા પાપાગારમાં.

 

છે જવાનું આખરે બે ગજ કફનની આડમાં, 

તો પછી લાલચ કરેછે શીદને આ સંસારમાં.

 

તુ હૃદય પાવન કરીલે ને ખુદાને યાદ કર, 

દર ન રહેશે લેશ પણ તુફાન ને મઝધરમાં. 

 

તું સિરાતે મુસ્તકીમને દિલથી અપનાવશે, 

મગફેરત તારી થશે અલ્લાહના દરબારમાં.

 

ઈશ ની માફી મળે છે ફકત પશ્ચાતાપથી, 

સિરાજ તુ ડુબકી લગાવી દે આ સ્નાનાગારમાં.

 

મારું વતન—હસન ગોરા ડાભેલી(યુ.કે.)

 

 

વતનની યાદ આવે આંખમાંથી આંસુ ટપકે છે, 

વતનથી દૂર રહીને પણ વિરહની આગ ભડકે છે.

  

તમોને શી ખબર મારા વતનની છે દશા કેવી, 

અગર આવે તહેવારો કલેજાં લખા ધડકે છે.

 

લગાગા માં ન બેસે શાયરી મારી તમે જોજો, 

તરુન્નુમમાં કહેતાં તો જબાં મારીજ અટકે છે.

  

તમારે માંગવું જે હોય પાલનહારથી માંગો,

કરોડો નેઅમતો આપી છતાં દેતાં ન અટકે છે.

 

અમારા ભાગ્ય્માં તો હર હમેશા ખાર આવ્યા છે, 

તમારા તો ગળામાં ફૂલોના હાર લટકે છે. 

 

ખુદા જાણે અમારા પર કસોટી કેમ આવી છે, 

જરા બેસી વિચારું તો હૃદયમાં આગ ભડકે છે.

 

 

વતનની તે ગલીઓની રમત જો યાદ આવે તો, 

હસન નું દિલ જવા માટે વતનમાં ખૂબ લપકે છે.

 

 

સંદર્ભમાં ઊઘડવાનું—ફારૂક શાહ

 

લઈ મુઠ્ઠીમાં ધુમાડો નીચે ગબડવાનું

ખુલી રહેલા રહસ્યો મહીં ખખડવાનું

 

તૂટી રહી છે ખડક જેમ એક આકૃતિ

ને આપણે તો અનુભવીએ માત્ર ખરવાનું

 

લોહીમાં તીવ્ર રીતે ફૂંકવાનું અંધારું

વધી જો જાય તલબ તો પછી દદડવાનું

 

લમ્બાતી આંગળીને આમ નીરખી રહીને

વિરાન સ્પર્શના સંદર્ભમાં ઊઘડવાનું

 

હવે વિલીન થવું જોઈએ ગુફાઓમાં

કોઈની આંખથી નીકળેલ એક પડઘાનું

 

પવનભરી રાત
-જીવનાનન્દ દાસ

ગંભીર પવનોભરી રાત હતી કાલે અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમા ખેલતી હતી:
મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ,
કદિક બિછાનુ છેદીને
નક્ષત્રો ભણી ઉડી જવા ચાહતી’તી;
કદિક કદિક મને એમ લાગતુઁ હતુઁ.અર્ધો ઊંઘમા હોઈશ ત્યરેજ કદાચ_
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાઁ ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે.

એવી અદભુત રાત હતી કાલની,.
સમસ્ત મ્રુત નક્ષત્રો કાલે જાગી ઉઠ્યાઁ હતાઁ.આકાશમાઁ તલ માત્ર જ્ગ્યા ખાલી ન હતી;
પ્રુથ્વીના સમસ્ત ઘૂસર પ્રિય મ્રુતજનોના મુખ પણ એ નક્ષત્રોમાઁ જોયાછે મેઁ,
અન્ધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર_સમડીની શિશિરભીની અંખની જેમ ટમટમતાઁ હતાઁ સમસ્ત નક્ષત્રો;
ચાન્દની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ,ચિત્તાના ચકમક થતા
ચામડાની, શાલની જેમ ચમકતુઁ હતુઁ વિશાળ આકાશ!
એવી અદભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાઁ મરી ચૂકયાઁ હતાઁ;
તે બધાઁ પણ કાલે બારીમાઁ થઇને અસંખ્ય મ્રુત આકાશને સાથે લઇને આવ્યાઁ હતાઁ.
જે રૂપસુન્દરીઓને મેઁ એસિરિયામાઁ ,મિસરમાઁ,વિદિશામાઁ મરી જતી જોઈ છે.
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાઁ લાંબા ભાલા હાથમાઁ લઈને હારબન્ધ ઉભી રહી ગઇ હતી જાણે_
મ્રુત્યુને દલિત કરવાને ?
પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને?
સ્તંભિત અભિભૂત થઇ ગયો હતો હુઁ,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અન્દર
પ્રુથવી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન અવ્યો હતો આકાશના વક્ષેથી ઉતરીને
મારી બારીની અન્દર થઈને સાઁય સાઁય કરતો,
સિન્હના હુંકારથી ઉત્ક્ષ્પિત હરિત પ્રાંતરના અજસ્ર જિબ્રાની જેમ!
હ્રદય ભરાય ગયુઁ છે,મારુઁ વિસ્તીર્ણ ફેલટ્ના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગંત_પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છવાસે
જીવનની દુર્દાંત નીલ મત્તતાએ !
મારુઁ હ્રદય પ્રુથવીને છેદીને ઊડી ગયુઁ.
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયુઁ ;
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયુઁ
કોઇ દુર્દાંત પંખીની જેમ.

(‘વનલતા સેન’માઁથી) -જીવનાનન્દ દાસ

(કાવ્ય ચર્ચા -248)

Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
“The post-Tagore period started from the publication of Kollol…. Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath.”
Selected bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in English translation and in Bengali.

achatt1@umbc8.umbc.edu

સન્નાટો

કોઇ ધડકન

ન કોઇ સરસરાહટ

ન લહેરખી

ન કોઇ મોજ

ન પ્રક્રિયા

ન કોઇ સ્વાસની ઉષ્ણતા

ન દેહ

આવા સન્નાટામાઁ કોઇ અર્ધુઁ પાઁદડુઁ તો ખરે

કોઇ પીગળેલુઁ મોતી

કોઇ આઁસુ

કોઇ હ્રદય

કઁઇ પણ નથી

આ મર્ગ પણ કેટલો નિરવ છે

કોઇ લલાટ તો ચમકે,કોઇ વિજળી તો ત્રાટકે.

_મખ્દુમ મહ્યુદ્દીન(આઝાદ ઉર્દુ નઝમનો અનુવાદ)

 

ચાર આના*** સઆદત હસન મનટો(ઉર્દૂનાં સુપ્રસિધ્ધ ક્રાંતિકારી વાર્તાકાર)
 
 લૂંટ મારની બજાર ગરમ હતી,.અને એની ગરમી માં વૃધ્ધિ થઇ ગઈ જયારે આગ ચારે દિશાએ ભડકવા લાગી.એક માણસ હાર્મોનિયમની પેટી ઉઠાવીને આનંદથી ગીત ગાતો જઈ રહ્યો હતો.જબ તુમ્હી ગયે પરદેશ, લગા કર ઠેશ,ઓ પ્રીતમ પ્યારા,દુનિયામે કોન હમારા.એક નાની ઉમરનો છોકરો થેલીમા પાપડો નો અંબાર ખડકી ને ભાગી રહ્યો હતો..એને ઠોકર લાગી તો પાપડની એક થોક્ડી એની ઝોળીમાંથી  પડી ગઈ.છોકરો એને ઉપાડવા માટે જરા નીચે નમ્યો તો સીવવાનો સંચો ઉઠાવી જઈ રહેલા એક માણસે કહ્યું કે રહેવા દે બેટા,  રહેવા દેએ તો આમજ પોતે શેકાય જશે,ત્યાં તો બજારમાં એક ભરેલી ગુણા નીચે પડી.એક માણસે ઉતાવળ થી આગળ વધીને પોતાના છરાથી તે ગુણી ને ચીરી નાંખી.સફેદ દાણા વાળી ખાંડ ઉભરીને બહાર નીકળી આવી.લોકો ભેગા થઈ ગયા અને પોત પોતાની થેલીઓ ભરવા લાગ્યા. એક મણસ અંગરખા વગરનો હતો ,તેણે જલ્દીથી પોતની લુંગી ખોલી અને એમાં મુઠ્ઠી ભરી ભરીને નાંખવા લાગ્યો
હટી જાવ હટીજાવ્ કહેતાં એક ટાંગો પોલીશ કરેલી અલ્મારી લઈને પસાર થઈ ગયો.એક ઉંચા મકાનનની બારી માંથી મલમલ નું થાન સર સરાહટ કરતું બહાર ફેંકાયું. આગના ભયંકર શોલાની જીભ  એને ચાટી રહી હતી..સડ્ક સુધી પહોંચતા તો તે રાખ નો ઢગલો થઈ ગયું.પોં,પોં,પોં કારના હોર્ન ની સાથે બે સ્ત્રીઓની ચીંખો પણ હતી.લોખંડની એક અલમારી દસ પંદર માણસોએ ખેંચીની બહાર કાઢી,અની દંડા વડે એને ખોલવાનું શરુ કર્યુ.કવાને કીસ્ટના ઘણા ડબ્બા બન્ને હાથે ઉઠાવ્યા.પોતાની દાઢીના ભાગથી એને ટેકવી એ માણસ દુકાનમાંથી બહાર નીકળ્યો.અને બજારમાં ધીરે ધીરે ચાલવા લાગ્યો.ત્યાંતો મોટેથી અવાજ આવ્યો ,આવો આવો લેમનેડ પીઓ.ગરમીની ઋતુ છે.ગળામાં કારના ટાયર નાંખીને બે બોટલો પીધી ,અને આભાર માનવા વગર ચાલતી પકડી.
એક અવાજ આવ્યો કે કોઇ આગ હોલવવા વળાઓને સંદેશ પહોંચાડીદે કે બધો માલ બળી જશે.કોઇએ પણ આ સૂચન પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.,લૂંટ મારનું બજાર ગરમ રહ્યું..અને એની આગ ચારો તરફ પ્રસરવા લાગી..આગ રાબેતા મુજબ પ્રગતિ કરી રહીહતી.
 ઘણા સમય પછી તર,.તર નો અવાજ આવ્યો.ગોળીઓ વરસવા લાગી.પોલીસને બજાર ખાલી નજર આવ્યું.પરંતુ દૂર ધુમાડા ઘેરાયલી કારની પાંસે એક માણસનો પડછાયો નિહાળ્યો.પોલીસના સિપાહીઓ સીટીઓ મારતા એં તરફ લપક્યા.પડછાયો ઝડપથી એધુમાડાની અંદર લુપ્ત થઈ ગયો.પોલીસે એનો પીછો કીધો.ધુમાડાનો પ્રદેશ પુરો થયો ત્યાં પોલીસના સિપાહીઓએ જોયું કે એક કાશ્મીરી મજૂર બરડા પર વજનદાર ગૂણ ઉઠાવી ભાગી રહ્યો છે.સીટીઓ નાં ગળાંઓ શૂષ્ક થઈ ગયાં પણ તે મજૂર થોભ્યો નહીં.તેની પીઠ પર વજન હતું.સાધારણ વજન નહીં પણ સંપૂર્ણ ભરેલી ગૂણ હતી. પરંતુતે એ રીતે દોડી રહ્યો હતો જાણે પીઠ પર કશું છેજ નહીં.સિપાહીઓ હાંફવા લાગ્યા..એક સિપહી એ તંગ આવી ને પિસ્તોલ કાઢી અને ગોળી મારી દીધી.ગોળી કાશ્મીરી મજૂરની પિંડલીમાં લાગી હતી.ગૂણ એની પીઠ પરથી ગબડી પડી.ઘભરાઈને એણે સિપાહી પ્રત્યે નજર કરી .વહેતા લોહી પ્રત્યે પણ એની નજર ગઈ ,પરંતુ પાછી એકજ ઝટકામાં ગૂણ ઉઠાવી  ને ભાગવા લગ્યો.સિપાહીઓએ વિચાર્યું જવા દો ,ભલે જહન્નમાં જાય.પણ પાછો એને પકડી લીધો..રસ્તામાં કાશમીરી મજૂરે વારંવાર વિનંતી કરીકે સાહેબ, તમે મને શા માટે પકડો છો?. હું તો ગરીબ માણસ છું,ચોખા ની એક ગૂણ લીધેલી.ઘર વાળાં ખાતે. તમે મને ખોટી રીતે ગોળી મારી.પરંતુ એની એક પણ વાત સાંભળવામાં ન આવી.પોલીસ થાણામાં કાશમીરી મજૂરે પોતાના બચાવ માં ઘણું કહ્યું.સાહેબ !બીજા લોગો બરાબર માલ ઉઠાવી ગયા. મેં તો ફકત એકજ ચોખાની ગૂણ લીધીછે.સાહેબ હું ઘણોજ ગરીબ છું.રોજ ભાત ખાવાનું જોઇએં છે..જ્યારે તે થાકી ગયો ત્યારે એણે પોતાની મેલી ટોપીથી માથાનો પસીનો લુંછયો.અને  ચોખાની ગૂણ પ્રતિ નિરાશાની દ્રષ્ટિ નાંખી ફોજ્દારની સામે હાથ ફેલાવી કહ્યું. સારું સાહેબ ! તમે આ ગુણી તમારીપાંસે રાખીલો,હુંમારી મજૂરીનો હકદારછુંચાર આના

 (સઆદત હસન મંટો,ઉર્દુના લાજવાબ વાર્તા કાર છે.સંવેદન અને કરુણ નિરૂપણ એની સત્ય વકતતા ,અને નિર્ભય વ્યકતવ્યમાંથી આવે છે,વિભાજન ની કરૂણતાઓ એણે વાર્તાઓમા નિરુપી છે,એની વાર્તાઓનો વિશ્વની ઘણી ભાષામા અનુવાદ થયા છે. 42-43વર્ષની ઉમરમાં ઘણું જોયું, ઘણું લખ્યું.જયારે લખ્યું કાળજું બહાર કાઢીને મુકી દીધું..વિભાજન વેળા કોઇ શહેરમાં ચાલેલી લૂંટ માર  નું દ્રશ્ય ખડું કરી ,કરુણતા રેલાવી જતી આ એક લઘુ વાર્તા)

 

  

 

 

 

 

Saadat Hasan Manto (Urdu: ‏‏سعادت حسن منٹو) (May 11, 1912January 18, 1955) was a Pakistani Urdu short story writer of Kashmiri ancestry who was born in Samrala in the Ludhiana district of the Indian state of Punjab.He was arguably one of the best short story tellers of the 20th century, and one of the most controversial as well. He is often compared with D. H. Lawrence, and like
Lawrence he also wrote about the topics considered social taboos in Indo-Pakistani Society. His topics range from the socio-economic injustice prevailing in pre- and post- colonial subcontinent, to the more controversial topics of love, sex, incest, prostitution and the typical hypocrisy of a traditional subcontinental male. In dealing with these topics, he doesn’t take any pains to conceal the true state of the affair – although his short stories are often intricately structured, with vivid satire and a good sense of humour. In his own words, “If you find my stories dirty, the society you are living in is dirty. With my stories, I only expose the truth”.
He was tried for obscenity in Pakistani Courts, but never convicted. Some of his works have been translated in other languages. 

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

વિભાજન નાં બે ત્રણ વર્ષો પછી પાકીસ્તાન ,અને હિંદુસ્તાન ની સરકાએ ને એવો વિચાર આવ્યો કે સમાન્ય કેદીઓની જેમ પાગલો ની પણ વહેંચણી થવી જોઈએં.જે મુસલમાન પાગલ હિંદુસ્તાનનાં પાગલખાના માં છે ,એને પાકીસ્તાનન ને સોંપી દેવામાં આવે.અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનનાં પાગલખાના માં છે એને એને હિદુસ્તાનનાં હવાલે કરી દેવામાં આવે. એની તો ખબર નથી કે આ વાત તાર્કિક હતીકે અતાર્કિક. પરંતુ બુધ્ધિજીવીઓના ફેંસલાની માફક બન્ને તરફ ઉંચી સ્તરની કોંન્ફરંસો માં ચર્ચાય. અને અંતમાં પાગલોની ફેર બદલી માટે સંમત થઈ ગયા.સારી રીતે તપાસ કરવામાં આવી..તે મુસલમાન પાગલો જેના કુટુંબીજનો ભારતમાંજ હતા એને ત્યાંજ રહેવા દેવામાં આવ્યા.અને જે બેજા બાકી રહી ગયેલા એને સરહદ પાર રવાના કરી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી લગભગ બધા હિદુ શીખો હિજરત કરી ચુક્યા હતા, એટલે કોઇને ત્યાં રોકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો.જેટલા પણ હિંદુ,શીખ પાગલો હતા એમને પોલીસના સરક્ષણ હેઠળ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવ્યા.

અહીં ભારત તરફની તો ખબર નથી ,પરંતુ જ્યારે લાહોરનાં પાગલખાનામાં આ વાત પહોંચી ત્યારે ઘણી દિલચસ્પ કાનાફૂસી થવા લાગી.એક મુસલમાન જે 12 વર્ષથી સતત ‘જમીનદાર.છાપું વાંચતો હતો ,એને એના એક દોસ્તે પ્રશ્ન કર્યો કે’મૌલ્વી સા’બ આ પાકિસ્તાન એ શી બલા છે?તેણે ઘણો વિચાર કરીને જવાબ આપ્યો કે ,હિંદુસ્તાનમાં એક જગ્યા છે,જ્યાં અસ્તરા બને છે.આ જવાબ સાંભળીને એનો મિત્ર સંતુષ્ટ થઈ ગયો.
એવી રીતે એક શીખ પાગલે બીજા શીખ પાગલને પૂછયું કે ‘સરદારજી’આપણને હિંદુસ્તાન કેમ મોકાલાઈ રહ્યા છે?આપણનેતો ત્યાંની બોલી નથી આવડતી.’ બીજો મલકાયો અને બોલ્યો’મને તો હિંદુ સ્ટોરોંની બોલી આવડે છે.હિંદુસ્તાની ઘણાં શેતાની હોય છે.,આવીને ફરતા રહે છે.
એક દિવસે નહાતા,નહાતાં એક મુસ્લિમ પાગલે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ’નો ના’રો એટલી જોરથી લગાવ્યો કે તે જમીન પર જોરથી લપસી પડ્યો અને બેહોશ થઇ ગયો.
ઘણા પાગલો એવા પણ હતા, વાસ્તવિકમાં પાગલ નહીં હતા,પણ એવા ખૂનીઓ હતા જેમનાં સગા વહાલાંઓએ લાંચ રૂશવત આપી એમને પાગલ ગણાવી પાગલખાનામાં ધકેલાવી દીધા હતા.કે કમસે કમ ફાંસીના ફંદાથી બચી જાય.એમને થોડી સમજણ પડતી હતી કે હિંદુસ્તાનનું વિભાજન કેમ થયું. અને આ પાકીસ્તાન શું છે.પરંતુ વાસ્તવ હકીકતથી તે પણ અજાણ હતા.સમાચાર પત્રોથી કંઈ ખબર પડતી ન હતી અને પહરેદારો,સિપાહીઓ અભણ અને જાહિલ હતા.એમની વાતચીતોથી પણ કોઇ તાત્પર્ય સુધી પહોંચી શકાતુ નહતું.એમને ફકત એટલી ખબર હતી કે ,એક માણસ જેનું નામ મોહંમદઅલી ઝીણા છે જેને કાઈદેઆઝમ કહેવામાં આવેછે. એણે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવ્યો છે,જેનું નામ પાકિસ્તાન છે.એ કયાં આવેલો છે.એનું ભૌગોલિક સ્થાન કયાં છે ? એના વિશે પણ એ કશું જાણતા નહતા.એકજ વિમાસણમાં ઘેરાયલા હતા કે એ લોકો પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં?જો હિંદુસ્તાનમાં છે તો પાકિસ્તાન કયાં આવેલું છે.?

અને જો તેઓ પાકિસ્તાનમાં છે તો એ કેવી રેતે બને કે થોડા સમય પહેલાં અહીંજ રહેતા હતા અને એ હિંદુસ્તાન કહેવાતું હતું.
એક પાગલ બિચારો હિંદુસ્તાન, પાકિસ્તન ના ચક્કરમાં એવોતો સલવાયો કે વધુ પાગલ થઈ ગયો.ઝાડું દેતાં દેતાં એક દિવસ ઝાડ પર ચઢી ગયો,અને ડાળખી પર બેસીને સતત બે કલાક ભાષણ ઠોકતો રહ્યો.,જે હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં જરૂરી પ્રશ્નો પર હતું.સિપાહીઓએ એને નીચે ઉતરવાનું કહ્યું તો એ વધુ ઉપર ચઢી ગયો.એને ધમકીઓ આપવામાં આવી, ડરાવાવામાં આવ્યો તો એણે કહ્યું ‘નહું હિંદુસ્તાનમાં રહેવા માંગુછું ન પાકિસ્તાનમાં ,મારેતો આ વૃક્ષ પર રહેવું છે. ઘણીકઠણાય પછી જ્યારે એનું ઝનુન ઠંડુ પડ્યું ત્યારે નીચે ઉતર્યો.,અને એના હિંદુ શીખ્ મિત્રોને ગળે વળગી વળગીને રડવા લાગ્યો..એના મનમાં એવું હતુ કે બધા એને છોડી હોંદુસ્તાન ચાલ્યા જશે.
એક એમ.એસ.સીપાસ રેડિયો ઈંજિનિયર જે મુસ્લિમ હતો ,જે બીજા પાગલોથી બિલકુલ અલગ થલગ બગીચાના એક કિનારે આખો દિવસ ખામોશ ટહેલતો હતો,એક દમ એવો વિફર્યો કે તમામ કપડા ઉતારી નાંખીને ચોકીદારને આપી દીધાં.અને બિલકુલ નગ્ન અવસ્થામાં બાગમાં ચાલવાનું શરૂ કર્યુ.
ચિનિયોટ નો એક જાડો મુસિલમ પાગલ,જે મુસ્લીમલીગ નો સક્રિય કાર્યકર પણ રહી ચુક્યો હતો. એ દિવસમાં પંદર સોળ વખત નહાતો હતો,એક દમ તેની આદત છોડી દીધી. એનું નામ મોહંમદઅલી હતું. એણે એક દિવસ પોતાની કોટડીમાં એલાન કરી દીધું કે હું મોહંમદઅલી ઝીણા છું.અને આ ચડસા ચડસીમાં એક શીખ પાગલે પોતાને માસ્તર તારાસીંઘ બનાવી દીધો.આ કોટડીમાં ખૂનખરાબાની શક્યતા નાં એંધાણ વર્તાવ લાગ્યા.પછી બન્નેને ખતરનાક પાગલની કક્ષામાં મૂકી અલગ કરી દેવામાં આવ્યા.

એકા લાહોર નો નવજુવાન હિંદુ, વકીલ હતો.જે પ્રણયમાં નિષ્ફળ થઈને પાગલ થઈ ગયો હતો.જ્યારે એને ખબર પડીકે અમૃતસર હિંદુસ્તાનમાં ચાલ્યું ગયું છે ,ત્યારે એને ઘણું દુ:ખ થયું.શહેરની એક હિંદુ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો હતો.જો કે તે છોકરીએ એને તરછોડી દીધો હતો,પરંતુ ગાંડપણ અવસ્થામાં પણ એ તેને ભૂલી શક્યો નહતો.એ બધીજ હિંદુ,મુસ્લિમ નેતાગીરીને ગાળો ભાંડતો હતો ,જેમણે મળી દેશનું વિભાજન કરાવ્યું.એની પ્રિયતમા હિંદુસ્તાની બની ગઈ હતી અને એ પાકિસ્તાની.

જયારે ફેર બદલીની વાતો શરૂ થઈ ત્યારે આ વકીલને ઘણા પાગલોએ સમજાવાવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ખોટું ન કરે.એને હિંદુસ્તાન મોકલી દેવામાં આવશે.તે હિંદુસ્તાનમાં જ્યાં એની પ્રેમિકા રહે છે.પરંતુ તે લાહોર છોડવા માંગતો નહતો.એને એવી શંકા હતીએ કે અમૃતસરમાં એની પ્રેકટીશ નહીં ચાલે.

યુરોપિયન વોર્ડમાં બે એંગ્લોઈંડિયન પાગલો હતા.જ્યારે એમને ખર પડી કે હિદુસ્તાનને આઝાદ કરીને અંગ્રેજો ચાલ્યા ગયાછે.તો એમને ઘણું દુ:ખ થયું.એ લોકો ચુપ ચાપ અંદર અંદર કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા કે ,હવે પાગલ ખાનામાં એમની હેસિયત શું હશે? યુરોપિયન વોર્ડર ને રાખવા માં આવશે કે કાઢી મુકવામાં આવશે. નાસ્તો મળશે કે નહીં.શું એમને ડબલરોટીની જગ્યાએ આ નકામી ઈંડિયન રોટલીતો ચાવવી નહીં પડે.
એક શીખ હતો. જે પંદર વરસથી પાગલખાનામાં હતો..દરેક વખતે એના મોઢેથી ચિત્ર વિચિત્ર અવાજ સાંભળવામાં આવતો હતો.’ઉપરદી ગુળગુળદી!નેકસદી બે ધ્યાનાદી મુંગદી દાલ ઓફદી લાલટેન’.ન રાતે સુતો હતો કે દિવસના.ચોકીદારોનું કહેવું હતું કે , પંદર વરસના લાંબા ગાળામાં એણે એક પણ મટકું માળ્યું નથી.આડો પન નહીં પડતો.કદી કોઈ ભીંત સાથી ટેક લગાવી લેતો હતો.
હમેશા ઉભા રહેવાથી એના પગ સોઝી ગયા હતા.પિંડલીઓ ફૂલી ગઈ હતી. પરંતુ આ શારિરિક વેદના હોવા છ્તાં આડો પડી કદી સુતો ન હતો.હિંદુસ્તાન,પાકિસ્તાન અને પાગલોની ફેર બદલી માટે જ્યારે પણ પાગલખાનામાં વાતો થતી ત્યારે ધ્યાનથી સાંભળતો.કોઈ એને પ્રશ્ન કરે કે એનું શું મંતવ્ય છે.તો તે ઘણી ગંભીરતાથી જબાબ દેતો કે’ઉપરદી ગુરગુરદી નીકસદી બેધ્યાના, મુંગદી દાલ ઓફ પાકિસ્તાન ગવર્નમેંટ.’
પછી પાકિસ્તાન ગવર્નમેંટની જગ્યાએ ઓફદી તોબાસીંઘ ગવર્નમેંટ’ કહેતો.અને એણે બીજા પાગલોને પૂછવાનું શરૂ કર્યું કે તોબાસીંઘક્યાં છે.?કયાંનો રહેવાળો છે?પણ કોઇનેજે ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં.જે જણાવાવાંનો પ્રયત્ન કરતા હતા તેજ આ ગુચવણમાં પડી જતા કે સિયાલકોટ પહેલાં હિંદુસ્તનમાં હતું ,હવે સાંભ્ળયું છેકે પાકિસ્તાન માં છે.શું ખબર કે લાહોર જે આજે પાકિસ્તાન માં છે આવતી કાલે હિંદુસ્તાનમાં ન ચાલ્યું જાય. અથવા આખું હિંદુસ્તાન પાકિસ્તાન બની જાય.અને આ પણ કોણ પોતાની છાતી પર હાથ મુકીને કહી શકે કે હિંદુસ્તાના અને પાકિસ્તાન બન્ને કોઇ દિવસ મૂળમાંથીજ અદ્રશ્ય થઈ જાય.
આ શીખ્ પાગલના વાળ ચોંટીને ઘણાજ નહિવંત રહી ગયા હતા.એ ઘણું ઓછું નહાતો હતો,એટલે દાઢી અને માથાનાં વાળ એક બીજા સાથે ચોંટી ગયા હતા.જેના લીધી એની શિકલ ઘણી બિહામણી લાગતી હતી.પર્‍તુ એ માણસ બિન ઉપદ્રવી હતો.પંદર વર્ષમાં કોઇની સાથે લડાઈ ઝઘડો નથી કર્યો.પાગલખાનાનાં જે જુના નોકરો હતા ,તેઓ એના વિષે જાણતા હતા કે તોબા સીઘ પાંસે ઘણી જમીન હતી.ખાતો પીતો જમીનદાર હતો.અચાનકજ ભેજું ફરી ગયું.એના કુટુંબીજનો લોઢાની મોટી મોટી સાંકળોમાં બાંધીએને લાવ્યા અને પાગલખાનામાંદાખલ કરી ગયા.
મહીનામા એક વખત એ લોકો એની ખબર કાઢવા આવતા,અને ખબર અંતર પૂછી ચાલ્યા જતા.લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ જ્યારે પાકિસ્તાન ,હિંદુસ્તાન ની ગરબડ શરૂ થઈ ત્યારે એમનું આવવાનું બંધ થઈ ગયું.

એનું અસલ નામ બિશન સીઘ હતું. પરંતુ બધા એને તોબાટેક સીંઘ કહેતા.એને એની પણ ખબર ન રહેતી કે કયો દિવસ અને ક્યો મહિનો છે.,અથવાકેટલા વર્ષ વીતી ગયાં. પરંતુ દર મહિને જ્યારે એના કુટુંબીજનો મળવા આવતા ત્યારે એને એની ખબર પડી જતી.જેથી એ ચોકીદારને કહેતો કી એની મુલકાત નો સમય આવી રહ્યો છે.તે દિવસે એ સારી રીતે નહતો,શરીર પર ખૂબ સાબુ ઘસતો,માથામાં તેલ નાખતો,કાંસકો ફેરવતો.તેના કપડાઓ જેનો એ ઉપયોગ કરતો નહતો,તેને કઢાવતો અને પહેરતો અને બની થનીને જતો.એ લોકો એને કંઈ પૂછ્તા તો ,એ ચુપ રહેતો અથવા કહેતો.’ ઉપરદી ગુરગુરદી !નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ દી લાલટેન.’કહી દેતો.

એની એક છોકરી હતી જે દર મહીને એક એક ઈંચ વધતાં વધતાં પંદર વર્ષોમા યુવાન થઈ ચુકી હતી.બિશનસીંઘ એને ઓળખતોજ નહોતો.જ્યારે તે બાળકી હતી ત્યારે પણ પોતાના બાપને જોઇ રડતી હતી,અને હવે યુવાન થઈ ત્યારે પણ એની આંખોથી અશ્રુ વહી રહ્યાં હતાં.
પાકિસ્તાન અને હિંદુસ્તાનનો પ્રશ્ન શરુ થયો ત્યારે એણે બીજા પાગલોને પુછવાનું શરુ કર્યું કે તોબાસીંઘ કયાં છે?.જ્યારે શાંતિપુર્વકનો ઉત્તર નહી મળ્યો તો એની પુછ્તાછ દરરોજ વધવા લાગી.હવે કોઇ મળવા પણ આવતું ન હતું. .પહેલાંતો એને ખબર પડીજતી હતી કે મળવા વાળા આવી રહ્યાં છે.હવે તો એના હૈયાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો જે એને એમના આવવાની ખબરની પ્રતિતિ કરાવતો હતી.

એની ઘણી ઈચ્છા હતી એ લોકો આવે અને એની સાથે લાગણી વ્યકત કરતા રહે. અને એના માટે ફળો મિઠાઈ અને કપડાં લાવત હતાં.તે અગર એ લોકોને પુછ્તો કે તોબાટેક સીંઘ કયાં છે,તો તે ચોકસ બતાવી દેતે કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાન માં છે. કારણકે એનું અનુમાન હતું કે એ લોકો તોબાતેકસીંઘથીજ આવતા હતા જ્યાં એની જમીનો હતી.
પાગલખના મા એક એવો પણ પાગલ હતો જે પોતાને ખુદા કહેતો હતો..તેને એક દિવસ બિશન સીંઘે પૂછ્યું કે તોબાતેક સીંઘ પાકિસ્તાનમાંછે કે હિંદુસ્તાનમાં ,તો એણે પોતાની આદત મુજબ જોરથી હસ્યો. અને કહ્યું કે ‘નતો પાકિસ્તાનમાં છે, ન હિંદુસ્તાનમાં.એટલા માટે કે મેં હજુ એનો હુકમ નથી આપ્યો.
બિશન સીંઘે ઘણી વખત આ ખુદાથી ઘણી વિનવણી કરી કે તે હુકમ સાદર કરી દે જેથી ઝંઝટ ખતમ થઈ જાય.પણ તે ઘણો પ્રવુત્ત હતો, એણે બીજા ઘણા હુકમો દેવાના હતા.એક દિવસ તંગ આવીને એને પર ગુસ્સે થઈ ગયો’ઉપરદી ગુરગુરદી,નકીસદી બેધ્યાન દી, મુંગદી દાલ ઓફ વાહે ગુરુજી દા ખાલસા એંડ વાહે ગુરુજી કી ફતેહ. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.’
એનો કદાચ અર્થ એ છેકે તુ મુસલમાનોનો ખુદા છે.શીખોનો ખુદા હોત તો જરુર મારી વાત સાંભળતે.

ફેરબદલીના એક દિવસ પહેલાં તોબાટેક સીઘનો એક મુસલમાન જે એનો દોસ્ત હતો, એને મળવા આવ્યો.પહેલાં તે કદી આવ્યો ન હતો.બિશન સીઘે જ્યારે એને જોયો, તો એક તરફ હટી ગયો અને પરત થવા લાગ્યો. સિપાહીઓ એને રોક્યો ‘એ તને મળવા આવ્યો છે’.એ તારો મિત્ર ફઝલદીન છે.’
બિશન સીંઘે એક દ્ર્ષ્ટિથી ફઝલદીનને નિહાળ્યો અને કંઈ બબડવા લાગ્યો.ફઝલદીને આગળ વધીને એના કાંધા પર હાથ મુક્યો અને બોલ્યો ‘ઘણા દિવસોથી વિચારતો હતો તને મળુ ,પણ ફુરસતજ ન મળી.તારા બધા કુટુંબીજનો સહી સલામત હિંદુસ્તાન પહોંચીગયા છે. મારાથી જે કંઈ મદદ થઈ શકતીએ હતી મેં કરી છે. તારી છોકરી રૂપ કૌર……………..’
તે કંઈ કહેતાં કહેતં અટકી ગયો.બિશન સીંઘ કંઈ યાદ કરવા લાગ્યો.બેટી રૂપકૌર ?

ફઝલદીને અટકતાં અટકતાં કહ્યું : “હાં…….તે પણ ઠીક ઠાક છે___એ લોકોની સથેજ ચાલે ગઈ છે.”
બિશનસીંઘ ચુપ રહ્યો.ફઝલદીને કહેવાનું શરુ કર્યું: ‘એ લોકોએ મને કહ્યું હતું તારી ખેર ખબર પૂછ્તાં રહેવું ‘ હવે મેં સાંભળ્યું છેકે તુ હિદુસ્તાન જઈ રહ્યો છે. ભાઈ બલબીર સીંઘ અને ભાઈ દુધાસીઘને મારા સલામ કહેજે. અને બહેન અમૃતકૌર ને પણ,,,,,,,.ભાઈ બલબીર સીંઘને કહેજે કે ફઝલદીન મઝામાં છે.બે ભૂરી ભેંસો જે તે અહીં છોડી ગયેલા એમાંથી એકે પાડું દીધું છે….અને બીજી એ પાડીનો જન્મ આપ્યો હતો ,પણ તે છ દિવસ પછી મરી ગઈ.અને મારા લાયક કંઈ પણ ખિદમત હોય તો કહેજે. હું હમેશા તૈયાર છું.અને આ તાર માટે થોડાં ફળ લાવ્યો છું.

બિશનસીઘે ફળોની પોટલી લઈને સીપાહીને હવાલે કરી દીધી,અને ફઝલદીનને પૂછ્યું: ‘તોબાતેક સીંઘ કયાં છે ?’
ફઝલદીન આશ્ચર્યથી કહ્યું ‘કયાં હોવાનું__જ્યા હતું ત્યાંજ છે ‘
બિશનસીઘે પાછો પ્રશ્ન દોહરાવ્યો “’ પાકિસ્તાનમાં કે હિદુસ્તાનમાં “
‘હિંદુસ્તાન માં__ના ના પાકિસ્તાન માં_ ફઝલદીન મુંઝવાયો.
બિશનસેંઘ બડબડતો ચાલ્યો ગયો : ‘ઉપરદી ગુરગુર દી, નેકસદી બેધ્યાના દી મુંગદી દાલ ઓફ દી પાકીસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દી રોફતે મુંહ ! ફેરબદલી ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી.આ તરફથી તે તરફ અને તે તફથી આ તરફ આવવા વાળા પાગલોની યાદીઓ પહોંચી ગઈ હતી. અને ફએરબદલી નો દિવસ પણ નક્કી થઈ ગયો હતો.
ઠંડી ઘણી સખ્ત પડી રહી હતી.લાહોરથી હિંદુ, શીખ પાગલોની ભરેલી ટૂક તેના સરંક્ષક પોલીસની ટૂકડીસાથે રવાના થઈ.સબંધિત અધિકારીઓ પણ સાથે હતા. વાઘાની સરહ્હદ પર ઉભય સુપ્રિટેન્ડંતો એક બીજાને મળ્યા.અને પ્રારંભિક કાર્યવાહી પૂરી થવા પછી ફેર બાલી શરૂ થઈ.
પાગલોને ટ્રકોમાંથી કાઢવાનું અને બીજા અધિકારીઓને સુપરત કરવાનું કામ ઘણુંજ કઠિન હતું.
ઘણા તો બહાર નીકળવા તૈયારજ ન હતા.જે નીકળવા તૈયાર થતા એમને સંભાળવાનુ કઠિન થઈ જતું.આમ તેમ ભાગી જતા હતા. જે નગ્ન અવસ્થામાં હતા, એમને કપડાં પહેરાવવામાં આવતા ત્યારે એ લોકો કપડાં ફાડીને શરીરથી અલગ કરી દેતા હતા.કેટલા ગાળો બકતા હતા.કેટલાક ગાઈ રહ્યા હતા.અંદરો અંદર ઝઘડી રહ્યા હતા.રડી રહ્યા હતા.બકી રહ્યા હતા. કાન પર અવાજ પણ સંભળાતો ન હતો.પાગલ સ્ત્રીઓનો શોર બકોર અલગ..અને ઠંડી એવી તીવ્ર હતી કે હાજા ગગડાવી નાંખે..દાંતો કડકડતા હતા.

પાગલોની બહુમતિ આ ફેર બદલીનાં પક્ષમાં નહતી.કારણકે એમની સમજવામાં ન આવતું હતું કે એમને એમની જગ્યાએથી ઉખેડી કયાં ફેંકવામાં આવી રહ્યા છે.અને કેટલાક જે કંઈ સૂઝબૂઝ ધરાવતા હતા તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’અથવા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા હતા.બે ત્રણ વખત રમખાણ થતું રહી ગયું. ઘાણા મુસ્લિમો અને શીખો આ નારાઓ સંભળી ક્રોધિત થઈ ગયા હતા.

જયારે બિશન સીંઘનો વારો આવ્યો અને વાઘાના તે પારનો અધિકારી એનુ નામ રજીસ્તરમાં નોંધવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું: “તોબા તેક સીંઘ કયાં છે?___પાકિસ્તાન માં કે હિંદુસ્તાન માં.?સબંધિત અધિકારી એ કહ્યું કે પાકિસ્તાન માં’
આ સાંભળી બિશન સીંઘ કૂદકો લગાવીને એક તરફ હટી ગયો, અને પોતાન બીજા સાથીઓ પાંસે પહોંચી ગયો.પાકિસ્તાની સિપાહીઓએ એને પકડી લેધો અને એને બીજી તરફ ધકેલવા લાગ્યા.પણ એણી ચાલવાનો ઈંન્કાર કરી દીધો. ‘તોબાતેક સીંઘ અહીં છે. જોર જોરથી બરાડા પાડવા લાગ્યો. ‘ ઉપરદી ગુરગુરદી ,નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ ઓફ તોબાતેક સીંઘ એન્ડ પાકિસ્તાન ‘
એને ઘણું સમજાવવામાં આવ્યું કે, જો !હવે તોબતેક સીઘ હિંદુસ્તાન માં ચાલ્યું ગયું છે.જો તે નહીં ગયું તો ત્યાં એને તાત્કાલિક પહોંચાડી આપવામાં આવશે.પણ તે માન્યો નહી.જ્યારે એને બળ પૂર્વક બીજી બાજુએ લઈ જવનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એ વચમાં એક જગ્યા પર એનાં સોજી ગયેલા પગો ઉપર એવી રીતે ઉભો થઈ ગયો કે હવે એને ત્યાંથી કોઇપણ તાકત હલાવી નહીં શકે.

એ માણસ પ્રથમ થી બિન ઉપદ્રવી હતો ,એટલે એની સાથે બળ પ્રયોગ કરવામાં ન આવ્યો..એને ત્યાંજ ઉભો રહેવા દીધો.અને ફેર બદલી નું બીજું કાર્ય આગળ વધતું ગયું.
સુર્યોદય પહેલાં શાંત અને મૌન બિશનસીંઘ ના ગળામાંથી આકાશની ચીળી નાંખતી એક ભયંકર ચીસ નીકળી. આજુ બજુથી ઘણા અધિકારીઓ દોડી આવ્યા.અને આશ્ચર્ય ચકિત જોઇ રહ્ય કે ,જે માણસ પંદર વરસથી રાત દિવસ પોતાના પગ પર ઉભો રહેતો હતો, ઉંધા મોંથી પડેલો છે.તે તરફ કાંટાળ તાર તરફ હિંદુસ્તાન હતું અને આ તરફ એવાજ તારોને પાછળ પાકિસ્તાન .વચમાં જમીનના તે ટૂકડા ઉપર જેનું કોઇ નામ ન હતું તોબાતેક સીંઘ પડેલો હતો.
(ઉર્દુ માંથી અનુવાદ_વફા)

(સઆદત હસન મંટો(1912-1955) 20મી સદીનો નામાંકિતા નવલિકા કાળ હતા.પંજાબના લુધ્યાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષ્યોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિયવિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે)

Posted by: bazmewafa | 06/10/2007

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધ* અમીરી બરાકા

આ યુધ્ધમાંથી કોણ નાણાં કમાઈ રહ્યું છે?

ભય અને જૂઠાણાઓનો કોણ પિંડ બાનવેછે?

આ વિશ્વ જેવું છે તેવું કોને ખપે છે?

આ વિશ્વ શાહીવાદથી કચડાતું,

અને રાષ્ટ્રિય દમનથી પિસાતું

અને આતંક,હિંસા ,ભુખ,અને દારિદ્ર્ય થી પિડાતું

એના પર કોણ શાસન કરવા ઈચ્છે છે?

(અંગ્રેજી પરથી અનુવાદ_વફા)

 

બ્રિટન નો મુશાયરો ___ આદિલ મનસુરી

જૂન 2007ના બ્રિટનનાં મુશાયરાની વિગત ની PDF ફાઈલ અર્પણ કરવા બદલ જ.આદિલ મનસુરી સાહેબનો દિલી શુક્રિયહ. આ પોસ્ટીંગ ઇમેજ ફાઇલ માં હોય ,ડબલ કલીક કરવાથી સરળતાથી વાંચી શકાશે.

 

britain-mushayerojune007.jpg

 
photobritmush007b
britmush007rep

અવિશ્વાસ_ કિશ્વર નાહીદ(સુવિખ્યત ઉર્દુ કવિયત્રીની એક આઝદ નઝમ)

 

તમારામાં એક બીજો પુરુષ છે,
જે મારા વગર બીજી એક સ્ત્રીને પ્રેમ કરે છે.
મારામાં એક બીજી સ્ત્રી છે જે
તમાર વગર બીજા કોઇ પુરુષને પ્રેમ કરેછે.
આપણે બન્ને એક બીજાથી નફરત કરીએં છીએં.
અને ઉભય આપણે એક છત ના નીચે જિવન વ્યતિત કરીએં છીએં.
આપણે બન્ને કોઇક બીજાને પ્રેમ કરીએં છીએં.
 કિંતુ એની સાથે રહેવાનો કદી વિચાર કરતા નથી.
અને એનો ખેદ પણ નથી.
આપણે બન્ને શત્રુની જેમ એક બીજાના દોષો શોધીને
પ્રસન્ન થઇએ છીએં.
તમે મારી ગેર હાજરીમાં
મારી વસ્તુઓની શોધખોળ કરો છો.
અને હું તમારી અનુપસ્થિતિમાં
તમારા ખિસ્સાઓં ફંફોસું છું.
છતાં પણ પાછલા અઢી દાયકાથી તમે અને હું એક શયન પર સુઇએં છીએં.
મને ખબર છે તમે ડૉકટર પાંસે જઇ બાળકોનાં રકત નો ટેસ્ટ કરાવ્યો હતો
કારણકે તમને એમના પિતા હોવા પર સંશય હતો.
બાળકોને પણ આ ડ્રામામાં પોતાનાં કર્તવ્યની ખબર છે.
નફરતની ચાર દીવાલો માં ઘેરાયલ
કોઇ એક મેક ને પૂછતું નથી
કે તમે કેમ છો?
***અનુ.’વફા’

Kishwar Naheed, 1940-

Born in Bulandshahr, Uttar Pradesh, India in 1940, Kishwar Naheed is one of the best- known feminist poets of Pakistan. In a field dominated by traditional male voices, Naheed, writing in Urdu, was a pioneer of a new, distinctively feminine voice and has produced over the span of thirty years a body of work that is innovative, defiant, political, and self-aware. Her poetry dared to go beyond the prescribed accepted ‘feminine’ realms to include hitherto unmined fields of female sexuality, politics, and social issues. In an interview with Rakhshanda Jalil for the Indian daily The Hindu (11/4/2001), Kishwar Naheed explained her writing as an attempt to redefine the man-woman relationship. Rejecting being branded as a radical or a bohemian, she declared herself “a realist” who “never let herself get pushed around by men or by circumstances.”
Born into a traditional family that moved to Lahore, Pakistan during the 1947 Partition of the sub-continent, Naheed had to fight to pursue an education in a milieu where women did not go to school and “were not allowed to speak to boys.” She studied at home and obtained a high school diploma through correspondence courses, but went on to receive a masters degree in Economics from Punjab University.

     iqbalpraying-at-masjide-alhanra-spain

 

      (ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ) 

પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી

 

સારે      જહાંસે અચ્છા,           હિંદોસ્તાં હમારા. 

હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.

મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,

 હિન્દી હૈ હમ વતન હૈ ,     હિંદોસ્તાં હમારા

રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
 
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.
ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
 
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
 
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં તસ્વીરે દર્દ નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ
,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,

ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ

ધરા ક્યાહૈ   ભલા ઓહદે    કુહનકી દસ્તાનોં મેં.

ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી         દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.

 (અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં નવા શિવાલાનામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .

પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.

સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,

હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,

શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.


_
તેમણે બ્રાહ્મણને ટકોર કરી.

સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,

તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.

( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને

મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.

(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
 
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ખુદીકહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ખુદીઅહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ખુદીને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
 
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શેર છે.
ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે

ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?

( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.

ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .

મરા      બનિગર      કિ દર હિંદોસ્તાં નમી       બીની

બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.

(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
મેં અસલ કા સોમનાતી

આબા મેરે લાતી વ મનાતી

(હું મૂળ સોમનાથીછું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)

હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.

મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,

યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,

હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર

બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
 
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.

પુત્રના લક્ષણ પારણામાંથીએ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.

1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
 
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.

ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
 
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને સરનો ખિતાબ આપ્યો.
 
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અનેસંકુચિતરાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.

તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _

ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.

તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા

(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
 
તેમણે એક વેળા કહ્યું કે જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
 
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
 
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
 
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટેઅને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
 
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.કવિવર ટાગિરે કહ્યું કે એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
 
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.
 
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.

 
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયાઅને ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામઅંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.

  ‘
અસ્રારે ખુદીઅને રમુજે બેખુદીએમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં શાહીનગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
 
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _

નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર

તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર

(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;

અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી

(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)

(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)

ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>

 

http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal

 

http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//

 

http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/

 

http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/

 

http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/

 

 

 

 

 

 

 

 

drashti.jpg 

દષ્ટિકોણ-જય ગજજર

મનહર ગમગીન બની હિંચકે બેઠો. એ કંઈ વિચારે ચઢી ગયો. મોના ઘરમાં હતી પણ એને બોલાવવાનું
મન ન થયું. પહેલાં તો એ ફેકટરીએથી આવી હિંચકે બેસતો ત્યારે મોનાને બૂમ પાડી બોલાવતો, “મોના,
આવો મારી પાસે બેસો અને થોડી વાતો કરો.”
આજે એણે બૂમ ના પાડી. એ જાણતો હતો કે બૂમ પાડવાનો કોઈ અર્થ નહોતો. ભાઈના પ્રેમમાં એ ઘણું
બધું અવગણી રહી હતી. અવારનવાર ભાઈના પરિભાષામાં જ એ બોલતી. પહેલાં જેવો પતિપ્રેમ કયાં રહ્યો હતો?
દશ વર્ષ સુધી એણે મોનાને સુખને ટોડલે બેસાડી હતી. પ્રેમના બદલામાં પ્રેમનો સાગર ધરી દીધો હતો.
પરણ્યા પહેલાં મોના ઘણી વાર કહેતી, “મારો બાપ કહે છે કે મનહર તને સુખી નહિ રાખી શકે. રાકેશસાથે પરણી જા. એની પાસે ગાડી છે, બંગલો છે, ફેકટરીનો માલિક છે. એ તને ધનના ઢગલા પર બેસાડશે.
મનહરના બાપ પાસે ઘરનું ઘર નથી,અરે એક સાયકલ પણ નથી. તારે એના ઘેર ગધ્ધા મજૂરી કરવી પડશે.
જરા વિચારીને પગલું ભરજે. યૌવનના ઉન્માદમાં આંધળી બની જીવનને વેડફી ના દેતી.”
બાપના શબ્દોની મોના પર કંઈ અસર ન થઈ. એ તો મનહરના પ્રેમ પાછળ પાગલ હતી. એ કહેતી,”ડેડી, મનહરના પ્રેમ આગળ એ કશું વિસાતમાં નથી. મારા નસીબમાં હશે તો એ મને સુખને ટોડલે બેસાડશે.”
અને બાપની ઉપરવટ જઈ એક દિવસ મંદિરમાં જઈ મનહરને પરણી ગઈ. મનહર મોનાના પ્રેમનાંવખાણ કરતાં થાકતો નહિ.
‘મોના, તું મારા જીવનનું સર્વસ્વ છે, તને હું હંમેશ સુખના સાગરમા ડૂબકીઓ મરાવીશ.’
નસીબે દાદ દીધી. મનહરને પરણી એવામાં મનહરને એક લોટરી લાગી. એકાવન લાખની લોટરીલાગતાં બંને નાચી ઉઠયાં.
‘તારાં પગલાં શુકનિયાળ છે, મોના! તું મારા જીવનમાં આવતાં આપણું નસીબ બદલાઇ ગયું.’
‘સાચે જ એમ માનતા હોવ તો તમારી પસંદગીની એક ફેકટરી ખરીદી લો અને મારો ભાઈ સીએ છે,એને તમારી ફેકટરીમાં મેનેજરની જોબ આપો.’
મનહરે પત્નીને ખુશ રાખવા એના બાવીસ વર્ષના ભાઈને એને ત્યાં જોબ આપી.
દશ વર્ષ બંને સુખસાગરની હેલીમાં નાચતાં રહ્યાં. પથિકે ફેકટરીનો બધો જ ભાર ઉપાડી લઈ બંનેનો વિશ્વાસ સંપાદન કરી સાચા સજનની આત્મીયતાનો અનુભવ કરાવ્યો.
પણ દશમા વર્ષે આજ એકાએક એ સુખ છીનવાઇ ગયું હતું. પથિકે એક લાલચુ બેંક મેનેજર સાથે ભળી બધું બેંક બેલેન્સ એના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી એની ઉચાપત કરી રાતોરાત એ અમેરિકા ભાગી ગયો હતો. ચાર દિવસ એણે મુંબઈ એના મિત્રના લગ્નમાં જવા રજા લીધી હતી એટલે એના કારસ્તાનનીએને ગંધ પણ ન આવી. આજે એક ચેક લખી બેંકમાં પૈસા લેવા ગયો ત્યારે મેનેજરે એના ખાતામાં કંઈ બેલેન્સ ન હોવાના સમાચાર આપ્યા ત્યારે મનહરને એ બધી ખબર પડી ત્યારે ઇટ વૉઝ ટુ લેઇટ!
મોનાને એની વાત કરતાં એ અચકાતો હતો. ભાઈ પાછળ ઘેલી બનેલી મોના એ હકીકત માનવાની જ નહિ એમ વિચારતો હિંચકા પર શાંત બેસી રહ્યો.
મનહરને હતાશ થઈ હિંચકા પર બેઠેલો જોઈ મોનાએ નવાઈ પામી પૂછયું, “આજ મને બૂમ કેમ ના પાડી?
કેમ આમ વિલાયેલા મોઢે અહીં બેઠા છો?”
‘હું તને સાચી હકીકતની જાણ કરીશ તો તું એ માનીશ ખરી? ‘
‘એવી તો શી વાત છે કંઈ કહો તો ખબર પડે ને!’ મોનાએ આશ્ચર્ય સહ પૂછયું.
‘તારો ભાઈ અમેરિકા પહોંચી ગયો એન વાત તું માનીશ?’
‘હવે તો મજાક કરવાની ટેવ છોડો. આ ઉમરે શું મજાક કરો છો?’
‘મજાક નથી હકીકત છે. બધું સાફ કરી ગયો. આપણે રસ્તા પર રઝળતા થઈ ગયા… ‘
મોના આશ્ચર્ય પામી ઘડી ભર તો મનહર સામે તાકી રહી. પણ એના સ્વભાવ પ્રમાણે સહજભાવે એ
બોલી, ‘એનો અફસોસ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમેરિકા જવાની વર્ષોની એની ધૂન હતી. એ છેવટે એણે આપણા પર એનો દાવ અજમાવી પૂરી કરી. સગા ભાઈનો પણ વિશ્વસ ન કરાય એ એણે પૂરવાર કર્યું.
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. ભગવાન એને સદબુધ્ધિ આપે એમ વિચારી મન વાળવાનું. હાથમાંથી કોઇ લઈ જશે,પણ નસીબમાંથી કોઈ લઈ જવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર!” દરેક બાબતમાં સારા પાસાનો વિચાર કરવાની એની.ટેવ પ્રમાણે મોના બોલી. મોનાના એ મોટા ગુણના મનહર હંમેશ વખાણ કરતો. આજે એને એનો એ ગુણ ગમતાં એ બોલ્યો, ‘તારા આ દષ્ટિકોણ પર ફિદા છું, મોના! સૌ કોઈએ જીવનમાં સુખી થવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે એ સમજવું જોઈઅ!’
આજે પહેલ વહેલાં મોનાની એ વિચારદષ્ટિ એક રીતે મનહરને સ્પર્શી ગઈ. એણે અફસોસ છોડી જીવનને નવો વળાંક આપવા વિચાર્યું. એણે પથિક સામે કે પેલા મેનેજર સામે કેસ કરવાનું માંડી વાળ્યું. તાત્કાલિક બંગલો વેચી બંને વતનના નાના ઘરમાં રહેવા ગયાં. મોનાએ ગામડાની અભણ સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. મનહરે વૃધ્ધાશ્રમમાં નોકરી સ્વીકારી સમાજસેવાનું કામ આરંભ્યું. બંનેને એનવાજીવનનો અનેરો આનંદ હતો.
એવામાં અમદાવાદમાં ધરતીકંપના આંચકામાં એમણે જે બંગલો વેચ્યો હતો તે જમીનદોસ્ત થયાનાઅને એમાં રહેતા સાતે જણ ભોગ બન્યાના છાપાના સમાચારે મનહરે જબરો આઘાત અનુભવ્યો. એ વખતે મોનાએ આશ્વાસન આપતાં કહ્યું, “ઈશ્વરની લીલા અપાર છે. આપણા નસીબમાં લાંબું જીવવાનું લખ્યું હશે તે ઈશ્વરે બંગલો વેચી દેવાની આપને સદબુધ્ધિ આપી.”
“મોના, લાંબુ જીવવાનું અને સાથે સમાજસેવાની આ અમૂલ્ય તક આપવાનું લખ્યું હશે એમ કેમ નથી કહેતાં?” અને ઉમેર્યું, “આપણે આપણા સત્કાર્ય માટે બહુ લાંબું જીવવાનાં છીએ. એ માટે તારા ભાઈ પથિકનો આભાર માન!” કહેતાં મનહરે મોનાને બાથમાં લઈ નવાજીવનનો આનંદ વ્યકત કર્યો.
એજ વખતે એની નજર સવારના છાપા પર પડી. એણે છાપું ઉપાડયું તો પહેલા જ પાને હેડલાઈનમાં સમાચાર હતા, “બે વર્ષના કેસને અંતે ભારતીય નાગરિક પથિકને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર એને આજીવન જેલની સજા!” એ વાંચી મનહરને પળ ભરતો પથિકને બચાવી લઈ દેશમાં પાછા લાવવાનો વિચાર સ્ફૂર્યો પણ આજ એની પાસે એવા પૈસા નહોતા એટલે એ વિચારને સદા માટે દાબી દઈ એક સ્વજન ગુમાવ્યાનો વિલાપ કરવા લાગ્યો.
મોના એને આશ્વાસન આપતી બબડી, “જેવાં જે કર્મ કરે છે તેનાં ફળ તેણે વહેલા મોડા ભોગવવાનાં હોય છે! કુદરત કોઈને છોડતી નથી! ચાલો હવે એને કાયમ માટે નાહી નાખો”

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2007/04/14/jaygajjar/

  

વિયેટનામી કાવ્ય

 yudhdha.jpgબુધ્ધને બદલે યુધ્ધ   

 લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,

એ કહેવાને કે 

મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..

છતાં,બાગમાં

પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું

નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે

અને હું જીવું છું

હજી સૂંઘી શકું

છુંગુલાબો અને ગોબરની ગંધને

હજી ખાઇ શકું છું.

પ્રાથના કરી શકું છું.

ઊંઘી શકું છું.

પણ કયારે તોડી શકીશ

હું મારા દીર્ઘ મૌનને?

ક્યારે ઉચ્ચારી શકીશ_

હું પેલા અનુકત શબ્દોને,

જે મને ગુંગળાવી રહ્યા છે? 

(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)

fanoos.jpg 

કાકા છે

1-હઝલ

કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.

ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.

દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.

સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર  કાકા  છે.

તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.

ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.

નરી કટપીસની ફેરી નથી કંઇ શોખચલ્લીની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.

__નિસાર અહમદ શેખ શેખચલ્લી

હઝલોત્સવ

હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લીસા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. હઝલએટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આહઝલતે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,

તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ

વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લીએ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત મુલ્લાંહથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.

કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
અકબરખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.

જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. બઝમે વફાને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
  સંપાદક

 

 

 

 

varsadma.jpg 

તું ચાલને વરસાદમાં

પ્રેમનાં અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇને લઇ પલળવું આગવું,
આગવા અવસાદામાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
વાદના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું ? અપણે બન્ને જણા,
વાદને વિખવાદમાં તું ચાલને વરસાદમાં.

એક વાદળ એક કાજલ ,એક પળને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
  _ અનિલ ચાવડા

zhad

 

શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા

  

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ

દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

 

  

ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ

રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.

 

  

શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન

પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

 

 

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો

રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.

 

 

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે

છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.

 

 

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને

કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.

 

 

આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે

ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.

 

  

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે

કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..

 

adilcaricatureby-nirmish 

 આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર

 ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક સૂર્યઅસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર સૂર્યનથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર સૂર્યઅંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…

દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ

‘‘‘

ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં

‘‘‘

સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં

‘‘‘

પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…

કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી

‘‘‘

મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ

‘‘‘

લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!

‘‘‘

પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!

‘‘‘

સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!

‘‘‘

ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!

‘‘‘

તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?

‘‘‘

એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!

‘‘‘

શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળેગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? મળે.) મારું પુસ્તક આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેપ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ગઝલગૂર્જરીમાં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!

એમના શેરથી વિરમીએ?

મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!

(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરેની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)

azmi

(1919 – May 10, 2002) 
उर्दू  के महान शायर और गीत लेखक  कैफ़ी आज़मी
 

 कर चले हम फिदा जानो तन साथियों_कैफी आज़मी
 सुनिये ईस गीतकोURL कलीक करें

 

अब तुम्हारे हवाले वतन साथियों

सांस थमती गई, नब्ज जमती गई

फिर भी बढते कदम को न रुकने दिया

कट गए सर हमारे तो कुछ गम नहीं

सर हिमालय का हमने न झुकने दिया

मरते-मरते रहा बांकपन साथियों

जिन्दा रहने के मौसम बहुत हैं मगर

जान देने की रुत रोज आती नहीं

हुस्न और इश्क दोनों का रुसवा करें

वह जवानी जो खूं में नहाती नहीं

आज धरती बनी हैं दुल्हन साथियों

राह कुरबानियों की न वीरान हों

तुम सजाते ही रहना नए काफले

फतह का जश्न इस जश्न के बाद हैं

जिन्दगी मौत से मिल रही हैं गले

बांध लो अपने सिर से कफन साथियों

खेंच दो अपने खून से जमीन पर लकीर

इस तरफ आने पाये न रावण कोई

तोड दो हाथ अगर हाथ उठने लगे

छूने न पाये सीता का दामन कोई

राम ही तुम, तुम ही लक्ष्मण साथियों    

 

           

કૈફી આઝમી___શબાના આઝમી

 

(અબ્બાકી કાહાની બેટી કી  જબાની.)    

   

કૈ઼ફ઼ી આજ઼મી એક વ્યક્તિ ને હોકર એક પૂરા યુગ હૈં, ઔર ઉનકે કલામ મેં સે પિછલે સાઠ બરસ કી જ઼િન્દગી અપની સબસે જ઼્યાદા તાક઼તવર આવાજ઼ બિલકુલ સચ્ચી હૈ, ઇસમેં કહીં કોઈ ઝૂઠ-ફરેબ નહીં-ઇસલિએ યહ આજ ભી ઉતની હી જ્યાદા અસરદાર હૈ૤ મશહૂર લેખક ઔર પત્રકાર ખુશવન્ત સિંહ ને કૈફ઼ી આજ઼મી કો આજ કી ઊર્દૂ શાયરી કા બાદશાહકરાર દિયા હૈ-ઔર સચમુચ વે હૈ ભી૤ ઉન્હોંને એક જ઼માને સે જિતના લિખા હૈ, વહ એક તરફ઼ આમ આદમી કી તકલીફોં કો ન સિર્ફ બડ઼ે પ્રભાવી શબ્દોં મેં સામને રખતા હૈ બલ્કિ ઉન્હેં અપને હક કે લિએ લડ઼ને કી તાકત ભી દેતા હૈ, વહાં દૂસરી તરફ ઊર્દૂ શાયરી કે પ્રમુખ વિષય, હુસ્ન ઔર ઇશ્ક, કે લિએ ભી એક સે એક બ઼ડકર નજ઼રાને પેશ કરતા હૈ૤ ઉન્હોંને ફિલ્મોં કે લિએ ભી બહુત સે ગીત લિખે જો આમ ઔર ખાસ દોનોં દ્વારા બહુત પસન્દ કિએ ગએ૤ ઇસ પુસ્તક મેં ઉનકી ચુની હુઈ શાયરી પેશ કી ગઈ હૈ૤ ઉનકા પરિચય ઉનકી બેટી પ્રસિદ્ધ અભિનેત્રી ઔર સમાજ સેવિકા શબાના આજ઼મી કરા રહી હૈં જો અપને આપ મેં પરિચય લેખન કી એક મિસાલ હૈ૤ યહ ઉન્હોંને અંગ્રેજી મેં લિખા થા ઔર ઇસકા ખૂબસૂરત તર્જુમા જાવેદ અખ્તર સાહબ ને કિયા હૈ૤

 

 

 

વો કભી દૂસરોં જૈસે થે હી નહીં, લેકિન બચપન મેં યે બાત મેરે નન્હેં સે દિમાગ મેં સમાતી હી નહીં થી….. ન તો વે આફ઼િસ જાતે થે, ન અંગ્રેજ઼ી બોલતે થે ઔર દૂસરોં કે ડૈડી ઔર પાપા કી તરહ પૈન્ટ પહનતે થે- સિર્ફ સફ઼ેદ કુર્તા-પાજામા વો ડૈડીયા પાપાકે બજાય અબ્બાથે-યે નામ ભી સબસે અલગ હી થા-મૈં સ્કૂલ મેં અપને દોસ્તોં સે ઉનકે બારે મેં બાત કરતે કુછ કતરાતી હી થી-ઝૂટ-મૂટ કહ દેતી થી કિ વો કુછ બિજ઼નેસકરતે હૈં- વર્ના સોચિએ, ક્યા યહ કહતી કિ મેરે અબ્બા શાયર હૈં ? શાયર હોને કા ક્યા મતલબ ? યહી ન કિ કુછ કામ નહીં કરતે !

 

બચપન મેં મુઝે અપને માઁ-બાપ કી બેટી હોને કી વજહ સે કુછ અનોખે તજુર્બેં ભી હુએ, જૈસે કિ જિસ અંગ્રેજ઼ી સ્કૂલ મેં મેરા દાખિલા કરાયા જા રહા થા, વહાં શર્ત થી કિ વહી બચ્ચેં દાખિલા પા સકતે હૈં જિનકે માઁ-બાપ કો અંગ્રેજી આતી હો-ક્યોંકિ મેરે માઁ-બાપ અંગ્રેજ઼ી નહીં જાનતે થે ઇસલિએ મેરે દાખિલે કે લિએ મશહૂર શાયર સરદાર જાફ઼રી કી બીવી સુલ્તાના જાફ઼રી મેરી માઁ બનીં ઔર અબ્બા કે દોસ્ત મુનીશ નારાયણ સક્સેના ને મેરે અબ્બા કા રોલ કિયા૤ દાખિલા તો મિલ ગયા મગર કઈ બરસ બાદ મેરી વાઇસ પ્રિન્સિપલ ને મુઝે બુલાકર કહા કિ કલ રાત ઉન્હોંને એક મુશાયરે મેં મેરે અબ્બા કો દેખા ઔર વો ઉન અબ્બા સે બિલ્કુલ અલગ થે જો પેરેન્ટ્સ ડેપર સ્કૂલ આતે હૈં૤ એક પલ તો મેરે પૈરોં તલે જ઼મીન નિકલ ગઈ, ફિર મૈંને જલ્દી સે કહાની ગઢ઼ી કિ પિછલે દિનોં ટયફ઼ૉઇડ હોને કી વજહ સે અબ્બા ઇતને દુબલે હો ગએ હૈં કિ પહચાને નહીં જાતે-બેચારી વાઇસ પ્રેન્સિપલ માન ગઈ ઔર મૈં બાલ-બાલ બચ ગઈ૤

 

અબ્બા કો છુપાકર રખના જ્યાદા દિન મુમકિન ન રહા૤ ઉન્હોંને ફિલ્મોં મેં ગીત લિખના શુરૂ કર દિએ થે ઔર એક દિન મેરી એક દોસ્ત ને ક્લાસ મેં આકર બતાયા કિ ઉસને મેરે અબ્બા કા નામ અખબાર મેં પઢ઼ા હૈ૤ બસ, ઉસ પલ કે બાદ બાજ઼ી પલટ ગઈ-જહાઁ શર્મિંદગી થી, વહાઁ ગૌરવ આ ગયા૤ ચાલીસ બચ્ચે થે ક્લાસ મેં મગર કિસી ઔર કે પાપા કા નહીં, મેરે અબ્બા કા નામ છપા થા અખબાર મેં૤ અબ મુઝે ઉનકા સબસે અલગ તરહ કા હોના ભી અચ્છા લગને લગા૤ વો સબકી તરહ પૈન્ટ-શર્ટ નહીં, સફેદ કુર્તા-પાજામા પહનતે હૈં-જી ! અબ મૈં ઉસ કાલે રંગ કી ગુડ઼િયા સે ભી ખેલને લગી થી જો ઉન્હોંને મુઝે કભી લાકર દી થી ઔર સમઝાયા થા કિ સારે રંગોં કી તરહ કાલા રંગ ભી બહુત સુન્દર હોતા હૈ૤ મગર મુઝે તો સાત બરસ કી ઉમ્ર મેં વૈસી હી ગુડ઼િયા ચાહિએ થી જૈસી મેરી સારી દોસ્તોં કે પાસ થી-સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી૤ મગર અબ જબ કિ મુઝે સબસે અલગ અબ્બા અચ્છે લગને લગે તો ફિર ઉનકી દી હુઈ સબસે અલગ ગુડ઼િયા ભી અચ્છી લગને લગી ઔર જબ મૈં અપની કાલી ગુડ઼િયા લેકર આત્મવિશ્વાસ કે સાથ અપની દોસ્તોં કે પાસ ગઈ ઔર ઉન્હેં અપની ગુડ઼િયા કે ગુણ બતાએ તો ઉનકી સુનહરે બાલોં ઔર નીલી આઁખોં વાલી ગુડ઼િયા ઉનકે દિલ સે ઉતર ગઈ૤ યે સબસે પહલા સબક થા જો અબ્બા ને મુઝે સિખાયા, કિ કામયાબી દૂસરોં કી નક઼્લ મેં નહીં, આત્મવિશ્વાસ મેં હૈ૤

 

હમારે ઘર કા માહૌલ બિલ્કુલ બોહિમિયનથા૤ નૌં બરસ કી ઉમ્ર તક મૈં અપને માઁ-બાપ કે સાથ કમ્યુનિસ્ટ પાર્ટી કે રેડ ફ્લૈગ હૉલમેં રહતી થી૤ હર કામરેડ પરિવાર કો એક કમરા દિયા ગયા થા૤ બાથરૂમ વગૈરહ તો કૉમન થા૤ પાર્ટી મૈમ્બર હોને કે નાતે સે પતિ-પત્ની કી જિન્ગદી આમ ઢર્રે સે જરા હટ કે થી૤ જ્યાદાતર પત્નિયાઁ વર્કિંગ વુમૈન થીં- બચ્ચોં કો સમ્ભાલના કભી માઁ કી જિમ્મેદારી હોતી, કભી બાપ કી૤ મમ્મી પૃથ્વી થિયેટર્સ મેં કામ કરતી થીં ઔર ઔર અક્સર ઉન્હેં ટૂર પર જાના હોતા થા-તો ઉન દિનોં મેરે છોટે ભાઈ બાબા ઔર મેરી સારી જ઼િમ્મેદારી અબ્બા પર આ જાતી થી૤

 મમ્મી ને કામ શુરૂ તો આર્થિક જરૂરતોં કે લિએ કિયા થા ક્યોંકિ અબ્બા જો કમાતે થે વો પાર્ટી કો દે દેતે થે૤ પાર્ટી ઉન્હેં મહીને કા ચાલીસ રુપએ અલાઉન્સદેતી થી૤ ચાલીસ રુપએ ઔર ચાર લોગોં કા પરિવાર ! બાદ મેં હમારે હાલાત થોડ઼ે બેહતર હો ગએ૤ ફિર હમ લોગ જાનકી કુટીર મેં રહને આ ગએ મગર મમ્મી ને થિયટર મેં કામ જારી રખા૤ ઉનકી થિયટર મેં બહુત પ્રશંસા હોતી થી ઔર ઉન્હેં ભી અપને કામ સે બહુત પ્યાર થા૤ મુઝે યાદ હૈ, મહારાષ્ટ્ર સ્ટેટ પ્રતિયોગિતા કે લિએ વો એક ડ્રામા પગલીકી તૈયારી કર રહી થીં ઔર અપને રોલ મેં ઇતના ખોઈ રહતી થી કિ વો ડૉયલૉગ પગલીકે અન્દાજ઼ મેં બોલને લગતી થીં, કભી ધોબી સે હિસાબ લેતે હુએ કભી સરોઈ મેં ખાના પકાતે હુએ૤ મુઝે લગા મેરી માઁ સચમુચ પાગલ હો ગઈ હૈં મૈં રોતે હુએ અબ્બા કે પાસ ગઈ જો અપની મેજ઼ પર બૈઠે કુછ લિખ રહે થે૤ અપના કામ છોડ઼કર વે મુઝે સમુન્દર કે કિનારે લે ગએ૤ રેત પર ચલતે-ચલતે ઉન્હોંને મુઝે સમઝાયા કિ મમ્મી કો કિતને કમ વક઼્ત મેં કિતને બડ઼ે ડ્રામે કી તૈયારી કરની પડ઼ રહી હૈ ઔર હમ સબકા, પરિવાર કે હર સદસ્ય કા, યે કર્તવ્ય હૈ કિ વો ઉનકી મદદ કરે, વર્ના વો ઇતની બડ઼ી પ્રતિ૟ોગિતા મેં કૈસે જીત પાએઁગી ! બસ, ફિર ક્યા થા-મૈંને જૈસે સારી જિમ્મેદારી જૈસે અપને સિર લે લી ઔર જબ મમ્મી કો બેસ્ટ એકટ્રૈસકા અવાર્ડ મિલા મહારાષ્ટ્ર સરકાર સે, તો મૈં ઐસે ઇતરા રહી થી જૈસે એવાર્ડ મમ્મી ને નહીં, મૈને જીતા હો૤ મમ્મી કો ડૉયલૉગ્સ યાદ કરાને કી જિમ્મેદારી અબ્બા ને અપની સમઝી હૈ- આજ ભી અગર મમ્મી કિસી ડ્રામે યા ફિલ્મ મેં કામ કરે તો અબ્બા પૂરી જિમ્મેદારી સે બૈઠ કે ઉન્હેં યાદ કરને કે લિએ ડૉયલૉગ્ય કે ક્યૂજ઼દેતે હૈં૤

 મેરી માઁ ભી અબ્બા કી જિન્દગી મેં પૂરી તરહ હિસ્સા લેતી રહીં હૈં૤ શાદી સે પહલે ઉન્હેં અબ્બા પસન્દ તો ઇસલિએ આએ થે કિ વો એક શાયર થે લેકિન શાદી કે બાદ ઉન્હોંને બહુત જલ્દી યે જાન લિયા કિ કૈફ઼ી સાહબ જૈસે શા૟રોં કો બીવી કે અલાવા ભી અનગિનત લોગ ચાહતે હૈં૤ ઐસે શાયર પર ઉનકે ઘરવાલોં કે અલાવા દૂસરોં કા ભી હક હોતા હૈ (ઔર હક઼ જ઼તાને વાલોં મેં અચ્છી ખ઼ાસી તાદાત ખ઼વાતીન કી હોતી હૈ)૤ યાદ આતા હૈ, મૈં શાયદ દસ યા ગ્યારહ બરસ કી હોઊઁગી અબ હમેં એક બડ઼ે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે ઘર દાવત દી ગઈ થી૤ ઉન સાહબ કી ખૂબસૂરત બીવી, જિસકા ઉસ જમાને કી સોસાઇટી મેં બડા઼ નામ થા, ઇતરા કે કહને લગીં-કૈફ઼ી સાહબ, મેરી ફરમાઇશ હૈ વહીં નજ઼્મ દો નિગાહોં કા,…સમથિંગ સમથિંગ૤ફિર દૂસરોં કી તરફ દેખકર ફરમાને લગીં-પતા હૈ દોસ્તોં, યે નજ઼્મેં કૈફ઼ી સાહબ ને મેરી તારીફ઼ મેં લિખી હૈ’- ઔર અબ્બા બગૈર પલક ઝપકાએ બડ઼ે આરામ સે વો નજ઼્મેં સુનાને લગે, જો મુઝ અચ્છી તરહ પતા થા કિ ઉન્હોંને મેરી મમ્મી કે લિએ લિખી થી ઔર મૈં અપની માઁ કિ તરફદારી મેં આગબબૂલા હોકર ચિલ્લાને લગી-યે ઝૂઠ હૈ૤ યે નજ઼્મેં તો અબ્બા મમ્મી કે લિએ લિખી હૈ, ઉસ ઔરત કે લિએ થોડ઼ી૤મહફિલ મેં એક પલ તો સન્નાટા-સા છા ગયા૤ લોગ જૈસે અપની બગલે ઝાઁકને લગે૤ ફિર મમ્મી ને મુઝે ડાટ કે ચુપ કરાયા૤ સોચતી હૂઁ યે ડાટ દિખાવે કી હી રહી હોગી, દિલ મેં તો ઉનકે લડ્ડૂ ફૂટ રહે હોંગે૤ બાદ મેં મમ્મી ને મુઝે સમઝાયા ભી કિ શાયરોં કા અપના ચાહને વાલોં સે એક રિશ્તા હોતા હૈ૤ અગર વો બેચારી સમઝ રહી થી કિ વો નજ઼્મ ઉસકે લિએ લિખી ગઈ તો સમઝને દો, કોઈ આસમાન થોડ઼ે ટૂટ પડ઼ેગા૤ ખ઼ૈર, અબ ઉસ બાત કો બહુત બરસ હો ગએ લેકિન હાઁ, કૈફ઼ી સાહબ યે નજ઼્મ ઉન મેમસાહબ કો દોબારા નહીં સુના સકે ઔર વો મૈડમ આજ તક મુઝસે ખ઼ફ઼ા હૈં૤

 અબ્બા કી મહિલા દોસ્તોં મેં જો મુઝે સબસે જ્યાદા અચ્છી લગતી થીં, વો થી બેગમ અખ઼્તર૤ વો કભી-કભી હમારે ઘર પર ઠહરતી થીં૤ વૈસે તો જોશ મલીહાબાદી, રઘુપતિ સહાય ફ઼િરાક઼ઔર ફૈજ઼ભી હમારે યહાઁ મેહમાન રહે હૈં, જબકિ હમારે ઘર મેં ન તો કોઈ અલગ કમરા થા મેહમાનોં કે લિએ ન હી અટૈચ્ડ બાથરૂમ મગર ઐસે ફનકારોં કો અપને આરામ-વારામ કી પરવાહ કહાઁ હોતી હૈ ! ઉનકે લિએ દોસ્તી ઔર મોહબ્બત પાઁચ-સિતારા હોટલ સે ભી બડ઼ી ચીજ હોતી હૈં૤ ઉન લોગોં કે આને પર જો મહફ઼િલે સજા કરતી થીં, ઉનકા અપના એક જાદૂ હોતા થા ઔર ઉનકી બાતેં મનમોહની હાલાઁકિ મેરી સમઝ મેં કુછ જ્યાદા નહીં આતી થીં, મગર વો શબ્દ કાનોં કો સંગીત જૈસે લગતે થે૤ મૈં હૈરાન ઉન્હેં દેખતી થી, સુનતી થી, ઔર વો નદિયોં કી તરહ બહતી હુઈ બાતેં, ગિલાસોં કી ઝંકાર, વો સિગરેટ કે ધુઁએ સે ધુઁધલાતા કમરા….૤ કભી અબ્બા ને મુઝસે નહીં કહા, ‘જાઓ, બહુત દેર હો ગઈ હૈ, સો જાઓયા બડ઼ોં કી બાતોં મેં ક્યોં બૈઠી હો ૤હાઁ, મુઝે ઇતના વાદા જરૂર કરના પડ઼તા થા અગલે દિન સુબહ-સુબહ સ્કૂલ જાને કી જ઼િમ્મેદારી મેરી હૈ મુઝે હમેશા સે યકીન દિલાયા જાતા જાતા રહા હૈ કિ મૈં સમઝદાર હૂઁ અપને ફૈસલે ખુદ કર સકતી હૂઁ૤

 

ફિર મૈં મુશાયરોં મેં ભી જાને લગી૤ સાહિર સાહબ બહુત લોકપ્રિય થે, સરદાર જ઼ાફરી કા બડ઼ા સમ્માન થા, મગર કૈફ઼ી આજ઼મી કી એક અલગ બાત થી૤ વો મુશાયરે કે બિલ્કુલ આખિર મેં પઢ઼ને વાલે ચન્દ શાયરોં મેં સે એક થે૤ ઉનકી ગૂઁજતી હુએ ગહરી આવાજ઼ મેં એક અજીબ શક્તિ, એક અજીબ જોશ, એક અજીબ આકર્ષણ થા૤ મેરા છોટા ભાઈ બાબા ઔર મૈં દોનોં આમ તૌર સે મુશાયરોં કે સ્ટેજ પર ગાવતકિયોં કે પીછે સો ચુકે હોતે થે ઔર ફિર તાલિયોં કી ગૂઁજ મેં આઁખ ખુલતી જબ કૈફ઼ી સાહબ કા નામ પુકારા જા હોતા થા૤ અબ્બા કે ચેહરે પર લાપરવાહી-સી રહતી૤ મૈંને ઉન્હેં કભી ન ઉન તાલિયોં મેં હૈરાન હોતે દેખા, ન હી બહુત ખુશ હોતે૤ મમ્મી કી તો હમેશા શિકાયત રહી કિ મુશાયરે મેં આકર યે નહીં બતાતે કિ મુશાયરા કૈસા રહા, બહુત કુરેદિએ તો ઇતના જાવાબ મિલ જાતા થા-ઠીક થા’, ઇસસે જ્યાદા કુછ નહીં૤

 

મૈં શાયદ સત્તરહ-અઠ્ઠારહ સાલ કી થી૤ વો એક મુશાયરે સે વાપસ આએ ઔર મૈં બસ પીછે હી પડ઼ ગઈ યે પૂછને કે લિએ કિ ઉન્હોંને કૌન સી નજ઼્મ સુનાઈ ઔર લોગોં કો કૈસી લગી૤ મમ્મી ને ધીરે સે કહા કિ કોઈ ફાયદા નહીં પૂછને કા’-મગર મુઝે જિદ હો ગઈ થી કિ જવાબ લેકર રહૂઁગી૤ અબ્બા ને મુઝે અપને પાસ બિઠાયા ઔર કહા, ‘છિછોરે લોગ અપની તારીફ઼ કરતે હૈં, જિસ દિન મુશાયરે મેં બુરા પઢૂઁગા, ઉસ દિન આકર બતાઊઁગા૤ઉન્હોંને કભી અપને કામ કી નુમાઇશ નહીં કી૤ ગાના રિકાર્ડ હોતા તો કભી ઉસકા કૈસેટ ઘર નહીં લાતે થે૤ આજ કે ગીતકાર તો અક્સર અપને ગીત જ઼બરદસ્તી સુનાતે ભી હૈં ઔર જ઼બરદાસ્તી દાદ ભી વસૂલ કરતે હૈં૤ લેકિન અબ્બા કભી ક઼લમ કાગજ઼ પર નહીં રખતે જબ તક કિ ડેડલાઇનસર પર ન આ જાએ, ઔર ફિર ફ઼િજૂલ કામોં મેં અપને કો ઉલઝા લેતે જૈસે કિ અપની મેજ઼ કી સભી દરાજ઼ેં સાફ કરના, કઈ ખ઼ત જો યૂઁ હી પડ઼ે થે ઉનકા જવાબ દેના-મતલબ યે કિ જો લિખના હૈ ઉસકે હૈ ઉસકે અલાવા ઔર સબ કુછ૤

 

મગર શાયદ યે સબ કરતે હુએ કહીં ઉનકી સોચ કિ જો લિખના હૈ ઉસે ભી ચુપકે-ચુપકે લફ઼્જોં કે સાઁચે મેં ઢાલતી રહતી હૈ૤ ફિર જબ લિખના શુરૂ કિયા તો ભલે ઘર મેં રેડિયો બજ રહા હો, બચ્ચે શો મચા રહે હોં, ઘર કે લોગ તાશ ખેલ રહે હોં, હંગામા હો રહા હો-કોઈ ફ઼ર્ક નહીં પડ઼તા૤ કભી ઐસા નહીં હુઆ કિ ઘર પર ખામોશી કા હુક્મ હો ગયા કિ હાઁ કામ કર રહે હૈં૤ લિખતે વક્ત ઉનકી સ્ટડીકા દરવાજ઼ા ભી ખુલા રહતા હૈ, યાની ઉસ પલ મેં ભી દુનિયા સે રિશ્તા કમ નહીં હોને દેતે૤ એક બાર મૈંને ઉનકી મેજ઼ કમરે કે દૂસરે કોને મેં રખની ચાહી કિ યહાઁ ઉન્હેં બાહર કે શોર, દૂસરોં કી આવાજ઼ોં સે કુછ તો છુટકારા મિલેગા૤ મમ્મી ને કહા, ‘બેકાર હૈ, કૈફ઼ી અપની મેજ઼ ફિર યહીં દરવાજ઼ે કે પાસ લે આએઁગે’-ઔર ઐસા હી હુઆ૤

 

વો લિખતે સિર્ફ માઉન્ડ બ્લાન્કક઼લમ સે હૈં૤ ઉસ કમ્પની કે ન જાને કિતને કલમ ઉનકે પાસ હૈં૤ યે ઉનકા કુલ ખ઼જ઼ાના હૈ જિસે અક્સર નિકાલકર નિહાયત મોહબ્બત ભરી નિગાહ સે દેખતે ઔર ફિર સારે માઉન્ડ બ્લાન્કદિયા, વો ભી જબ્ત કરકે ખ઼જ઼ાને મેં દાખિલ કર લિયા ગયા જબકિ ઠીક ઐસે તીન પેન પહલે સે ખ઼જ઼ાને મેં મૌજૂદ થે૤ અબ્બા ને મેરી દોસ્ત કો એક પ્યારા સા ખત લિખકર અચ્છી તરહ સમઝા દિયા કિ ઉસકા ભેજા હુઆ પેન મેરે બજાએ અબ્બા કે પાસ કહીં જ્યાદા સુરક્ષિત રહેગા૤

યે ન જાને કિતને વર્ષોં સે હો રહા હૈ કિ અબ્બા મુઝે પહલી અપ્રૈલ કો કિસી ન કિસી તરહ અપ્રૈલ ફ઼ૂલબના દેતે હૈં૤ હર સાલ મૈં માર્ચ કે મહીને સે હી અપને આપ સે કહના શુરૂ કર દેતી કિ ઇસ બાર મુઝે કિસી ઝાઁસે મેં નહીં આના હૈ, મગર ક્યા મેરી ક઼િસ્મત હૈ કિ કિસી ન કિસી વજહ સે ઠીક પહલી અપ્રૈલ કો યે બાત મેરે ખ઼્યાલ સે નિકલ જાતી હૈ ઔર કિસી ન કિસી તરહ વો મુઝે એક બાર ફિર અપ્રૈલ ફૂલબના દેતે હૈં૤ કમ લોગ યે જાનતે હૈં કિ અબ્બા મેં બહુત જબરદસ્તસેન્સ ઑફ હ્યૂમરભી હૈ૤ લોગોં કી નક઼લેં ભી ઉતાર લેતે હૈં૤ ઘર મેં ઘરવાલોં કે બારે મેં જો ચુટકુલે બનતે હૈં, ઉનકો બાર-બાર સુનતે હૈં ઔર બાર-બાર હઁસતે-હઁસતે ઉનકી આઁખોં સે આઁસૂ બહને લગતે હૈં, ખાસ તૌર પર જબ મમ્મી પૂરી એક્ટિગ કે સાથ યે કિસ્સે દોહરતી હૈં૤ તો માનના મુશ્કિલ હોગા કિ ઉનકા એક રૂપ ઐસા ભી હૈ૤

 

એક દિન મુઝે ઉનકી આઁખોં મેં દવા ડાલની થી, મગર કૈસે ડાલતી, એક તો ઉનકી આઁખેં વૈસે છોટી હૈં, ફિર જૈસે હી મૈં દવા ડાલના ચાહૂઁ, પલકેં ઇતની જ઼્યાદા ઝપકાતે હૈં કિ કભી નાક મેં ચલી જાએ, કભી કાન કે પાસ૤ મૈં ફિર ભી કોશિશ મેં થી કિ ઉન્હોંને મેરા હાથ પકડ઼કર મુઝે રોકા ઔર એક કહાની સુનાઈ-એક થા રાજકુમાર જિસકા બાપ યાનિ કી રાજા બહુત પરેશાન થા કિ બેટા કોઈ ભી કામ નહીં કર પાતા૤ રાજા કે પાસ એક ગુરૂ આયા ઔર ઉસને કહા કિ વો રાજકુમાર કો તીર ચલાને કા હુનર સિખાએગા૤ છઃ મહીને બાદ જબ ઉસને અપના કમાલ દિખાને કી કોશિશ કી તો તીર મહલ કે ચારોં ઓર જા રહે થે, સિવાય ઉસ તખ઼્ત કે જહાઁ રાજકુમાર કો નિશાના લગાના થા૤ રાજા ઔર ગુરૂ કે લિએ ઉન તીરોં સે બચના મુશ્કિલ હો રહા થા૤ રાજા ને પૂછા, ગુરૂ જી રાજકુમાર કે ઇન ઉલ્ટે-સીધે તીરોં સે કૈસે બચા જાએ ગુરૂ ને કહા મહારાજ, આઇએ, ઉસ નિશાને વાલે તખ્ત કે સામને ખડ઼ે હો જાતે હૈં- લગતા હૈ, વહીં એક જગહ હૈ જહાઁ અપને રાજકુમાર કે તીર કભી નહીં આએઁગે૤ઇસસે પહલે કિ મૈં કુછ કહતી, અબ્બા ને કહા-ઐસા કરો તુમ દવા મેરે કાન મેં ડાલને કી કોશિશ કરો, આઁખ મેં ખ઼ુદ-બ-ખુ઼દ ચલી જાએગી૤

 

અબ્બા કો અચ્છે ખાને કા બેહદ શૌક હૈ ઔર ઉન્હેં પૂરા યક઼ીન હૈ કિ અચ્છા ખાના સિર્ફ યૂ.પી. કા હોતા હૈ૤ શાદી કે બાવન બરસ હો ગએ મગર મમ્મી ઉન્હેં હૈદરાબાદી ખાના નહીં ખિલા સકીં૤ ઘર મેં જબ હૈદરાબાદ કી ખટ્ટી દાલ બનતી હૈ તો અબ્બા કે લિએ અલગ યૂ.પી. દાલ હોતી હૈ૤ ટેબલ પર ખાના અપની પ્લેટ મેં ખુ઼દ નહીં નિકાલેંગે, ન આપકોં બતાએઁગે કિ ઉન્હેં ક્યા ચાહિએ૤ મમ્મી કો બસ પતા નહીં કૈસે પતા ચલ જાતા હૈ કિ ઉન્હેં પ્લેટ મેં ક્યા ચાહિએ ઔર કિતના૤ જબ મૈં ઉનકી ઇસ દાદાગિરી કે ખિલાફ઼ કુછ કહને કી કોશિશ કરતી હૂઁ તો વો બતાતી હૈં કિ ઉન્હેં અબ્બા કી અમ્મી યાની મેરી દાદી ને કહા થા કિ કૈફ઼ી કો હમેશા તુમ ખુદ હી પ્લેટ મેં ખાના નિકાલકર દેના, નહીં તો ભૂખે હી ટેબલ સે ઉઠ જાએઁગે૤ સાસ કી નસીહત કો બહૂ ને આજ તક યાદ રખા હૈ૤ અબ્બા સિર્ફ઼ ઉસ વક઼્ત ખાને કી મેજ઼ પર યે કહતે હૈ કિ ઉન્હેં ઔર ચાહિએ જબ મૈંને કુછ અપને હાથ સે પકાયા હો૤ ખાના પકાને કા ફ઼ન આજ તક મુઝમેં નહીં આયા હૈ૤ ઘર કે બાકી લોગ જહાઁ તક હો સકે મેરે બનાએ પકવાન સે બચ નિકલને કી કોશિશ કરતે હૈં, મગર અબ્બા ઐસે મજ઼ે સે ખાતે હૈં જૈસે અવધ કે કિસી શાહી દસ્તરખ઼્વાન કા બેહતરીન ખાના હો૤ સચ કહૂઁ તો ઉનકા યે લાડ઼ હર બાર મેરે દિલ કો અચ્છા હી લગતા હૈ૤

 

અબ્બા ઔર જાવેદ મેં બહુત સી બાતે એક જૈસી હૈં૤ દોનોં કો તમીજ઼-તહજ઼ીબ કા બહુત ખ઼્યાલ રહતા હૈ૤ દોનોં બહુત તકલ્લુફ઼પસન્દ હૈં, દોનોં કો ઘટિયા બાત ઔર ખ઼રાબ શાયરી બર્દાશ્ત નહીં હૈ૤ દોનોં કો રાજનીતિ સે ગહરી દિલચસ્પી હૈ ઔર ઉસકી સમઝ હૈ૤ એક જ઼માના થા મૈં અપને આપકો જાનબૂઝ કર રાજનીતિ કી બાતોં સે દૂર રખતી થી, યહાઁ તક કી અખ઼બાર ભી નહીં પઢ઼તી થી૤ શાયદ યે એક રિયક્શન થા ક્યોંકિ દિન ભર ઘર મેં યહી બાતેં હોતી રહતી થીં, મગર જબ જાવેદ સે મેરી દોસ્તી બઢ઼ી ઔર મૈંને અબ્બા ઔર જાવેદ કી આપસ મેં રાજનીતિ પર ઘણ્ટોં બાતેં સુનીં તો ધીરે-ધીરે મેરા ધ્યાન ભી ઉન બાતોં મેં લગને લગા યે બાત અજીબ હૈ મગર સચ હૈ કિ મૈંને જૈસે-જૈસે જાવેદ કો જાન રહી થી, વૈસે-વૈસે અબ્બા કો જૈસે દોબારા પહચાન રહી થી૤ ઉર્દૂ શાયરી સે દિલચસ્પી, રાજનીતિ કે બારે મેં એક ખાસ તરહ કી સોચ-જો ભી મુઝે જાવેદ સે મિલ રહા થા વો એક બાર ફિર મુઝે અપની ઉન્હીં જડ઼ોં કી તરફ લે જા રહા થા જો મેરા ઔર મેરે અબ્બા કા મજ઼બૂત રિશ્તા થીં૤

 

જબ જાવેદ ઔર મૈં એક દૂસરે કે પાસ આ રહે થે, મેરી માઁ ઇસ બાત સે બિલ્કુલ ખુશ નહીં થીં ક્યોંકિ જાવેદ શાદીશુદા થે૤ મેરે દૂસરે દોસ્તોં ઔર ઘરવાલોં કા ભી યહી કહના થા કિ ઇસકા અંજામ સિવાય દુખ કે ઔર કુછ નહીં હો સકતા૤ એક દિન મૈંને ધડ઼કતે દિલ કે સાથ અબ્બા સે પૂછ લિયા કિ ક્યા આપ ભી સમઝતે હૈં કિ જાવેદ મેરે લિએ સહી ઇનસાન નહીં હૈં૤’’ ઉન્હોંને કહા-‘‘જાવેદ તો સહી હૈં લેકિન ઉનકે હાલાત સહી નહીં હૈં૤’’ મૈંને કહા, ‘‘ઉનકે હાલાત તો બદલ જાએઁગે૤ આપ વિશ્વાસ કીજિએ કિ જબ મેરા જાવેદ કી જ઼િન્દગી મેં ગુજ઼ર નહીં થા-ઉનકી શાદી તબ ભી ટૂટને હી વાલી થી૤’’ ઉન્હોંને મેરી બાત પર યક઼ીન કર લિયા ઔર ખામોશી સે મેરે ફ઼ૈસલે કો માન લિયા૤ કભી-કભી સોચતી હૂઁ, અગર ઉન્હોંને મુઝે સખ઼્તી સે મના કર દિયા હોતા તો મૈં ક્યા કરતી-ક્યા મુઝમેં હિમ્મત હોતી કિ ઉનકે ખ઼િલાફ જાઊઁ ? બાત યે નહીં કિ મૈં ઉનસે ડરતી હૂઁ, બાત યે હૈ કિ મુઝે યક઼ીન હૈ કિ વો જો કુછ કહતે હૈં, બહુત સોચ સમઝ કર કહતે હૈં૤ ઉનકી રાય પૂરી ઇમાનદારી ઔર સમઝ કી હોતી હૈ૤

 

મૈંને જબ ઇસ દુનિયા મેં આઁખે ખોલીં તો જો પહલા રંગ મૈંને દેખા વો થા-લાલ ! મૈં બચપન મેં અપને માઁ-બાપ કે સાથ રેડ ફ઼્લૈગ હૉલમેં રહતી થી, જહાઁ બાહર કે દરવાજ઼ે પર હી એક બડ઼ા-સા લાલ ઝણ્ડા લહરાતા રહતા થા૤ જરા સી બડ઼ી હુઈ તો બતાયા ગયા કિ લાલ રંગ મજ઼દૂરોં કા રંગ હૈ૤ મેરા બચપન યા તો અપની માઁ કે સાથ પૃથ્વી થિયેટર કે ગ્રુપ કે સાથ અલગ-અલગ શહરોં કે સફ઼ર મેં ગુજ઼રા યા અપને બાપ કે સાથ ઐસે જલસોં મેં-મદનપુરા બમ્બઈ કી એક બસ્તી હૈ યહાઁ મૈં અબ્બા કે સાથ ઐસે જલસોં મેં જાતી થી૤ હર તરફ લાલ ઝણ્ડે, ગૂઁજતે હુએ નારે ઔર અન્યાય કે ખિલાફ શાયરી ઔર ફિર ગૂઁજતા હુઆ-ઇન્ક઼લાબ જ઼િન્દાબાદ૤ બચપન મેં મુઝે અબ્બા કે સાથ મજ઼દૂરોં કે ઐસે જલસોં મેં જાના ઇસલિએ ભી અચ્છા લગતા થા કિ મજ઼દૂર કૈ઼ફ઼ી સાહબ કી બચ્ચી કો ખૂબ લાડ઼ કરતે થે૤ અબ સોચતી હૂઁ તો અજીબ લગતા હૈ૤ આજ મૈં જબ કિસી જુલૂસ યા પ્રદર્શન યા પદયાત્રા યા ભૂખ હડ઼તાલ મેં હોતી હૂઁ, યહીં સોચતી હૂઁ, યહી સબ તો મૈંને અપને બચપન મેં દેખા થા૤ પેડ઼ કિતના ભી ઉગે, અપની જડ઼ોં સે અલગ થોડ઼ે હી હો સકતા હૈ ! કુછ બરસ પહલે મૈં બમ્બઈ કે ઝુગ્ગી-ઝોપડ઼ી વાલોં કે હક઼ કે લિએ એક ભૂખ હડ઼તાલ મેં બૈઠી થી-ચૌથા દિન થા, મેરા બ્લડ પ્રૈશર કાફ઼ી કમ હો ગયા થા લેકિન લગતા થા, ન સરકાર હમારી બાત માનેગી ન હમ ભૂખ હડ઼તાલ તોડ઼ેગે૤ મમ્મી બહુત પરેશાન થીં અગર અબ્બા ને જો ઉસ વક્ત પટના મેં થે, મુઝે ટેલીગ્રામ ભેજા-બેસ્ટ ઑફ લક, કૉમરેડ૤

 મૈં દેહલી સે મેરઠ તક એક સાંપ્રદાયિકતા-વિરોધી પદયાત્રા પર જાનેવાલી થી૤ જાને સે પહલે ઘરવાલોં સે મિલને આઈ૤ મુઝે લોગોં ને ડરાયા થા કિ યૂ.પી. કી સડ઼કોં પર ફિલ્મ એક્ટ્રેસ ઐસે નિકલે તો લોગ કપડ઼ે તક ફાડ઼ સકતે હૈં૤ પત્થર ચલ જાયેં, કુછ ભી હો સકતા હૈ મેરે દિલ મેં કહીં કોઈ ઘબરાહટ થી ઔર વહીં ફ઼િક્ર ઔર ઘબરાહટ મુઝે અપને પરિવાર કે ચેહરોં પર ભી દિખાઈ દે રહી થી૤ મમ્મી, મેરા ભાઈ બાબા, ઉનકી બીવી તન્વી ઔર જાવેદ સભી મૌજૂદ થે, લેકિન કોઈ કુછ કહ નહીં રહા થા૤ મૈં અબ્બા કે કમરે મેં ગઈ૤ મૈંને પીછે સે ઉનકે ગલે મેં બાઁહે ડાલ દીં૤ ઉન્હોંને મુઝે ગલે સે લગા લિયા, ફિર મેરે ચેહરે કો અપને હાથોં મેં લેકર ગૌર સે દેખા ઔર કહા, ‘‘ક્યા બહાદુર બેટી ડર રહી હૈ ? જાઓ, તુમ્હેં કુછ નહીં હોગા૤’’ મુઝે ઐસા લગા જૈસે મેરે અન્દર એક નયા વિશ્વાસ, એક નઈ શક્તિ આ ગઈ હો૤ યે લિખને કી શાયદ જરૂરત નહીં કિ વો પદયાત્રા બહુત કામયાબ રહી મગર ઇસલિએ લિખ રહી હૂઁ કિ યે એક ઔર મિસાલ હૈ કિ જબ ઉન્હોંને જો મુઝસે કહા, વહી ઠીક નિકલા૤

 બાપ હોને કે નાતે તો અબ્બા મુઝે ઐસે લગતે હૈં જૈસે એક અચ્છા બાપ અપની બેટી કો લગેગા, મગર જબ ઉન્હેં એક શાયર કે રૂપ મેં સોચતી હૂઁ તો આજ ભી ઉનકી મહાનતા કા સમન્દર અપરમ્પાર હી લગતા હૈ૤ મૈં યે તો નહીં કહતી કિ મૈં ઉનકી શાયરી કો પૂરી તરહ સમઝતી હૂઁ ઔર ઉસકે બારેં મેં સબ કુછ જાનતી હૂઁ, મગર ફિર ભી ઉનકે શબ્દોં સે જો તસ્વીરેં બનતી હૈં, ઉનકે શેરોં મેં જો તાક઼ત છુપી હોતી હૈ, અપને ગમ કો ભી દુનિયા કે દુખ-દર્દ સે મિલાકર દેખતે હૈં૤ ઉનકે સપને સિર્ફ અપને લિએ નહીં, દુનિયા કે ઇન્સાનોં કે લિએ હૈં૤ ચાહે વહ ઝોપડ઼પટ્ટી વાલોં કે લિએ કામ હો યા નારી અધિકાર કી બાત યા સાંપ્રદાયિકતા કે વિરુદ્ધ મેરી કોશિશ, ઉન સબ રાસ્તોં મેં અબ્બા કી કોઈ ન કોઈ નજ઼્મ મેરી હમસફર હૈ૤ વો મકાનવો ઔરતહો યા બહરૂપની’- યે વો મશાલે હૈ જિન્હેં લેકર મૈં અપને રાસ્તોં પર ચલતી હૂઁ૤ દુનિયા મેં કમ લોગ ઐસે હોતે હૈં જિનકી કથની ઔર કરની એક હોતી હૈ૤ અબ્બા ઐસે ઇંસાન હૈં-ઉનકે કહને ઔર કરને મેં કોઈ અંતર નહીં હૈ૤ મૈંને ઉનસે યે હી સીખા હૈ કિ સિર્ફ સહી સોચના ઔર સહી કરના હી કાફ઼ી નહીં, સહી કર્મ ભી હોને ચાહિએ૤

 orkhan1

પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરી

 

 

નથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરો

સખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.

પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકર

હમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છે

 

 

હૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુ

નજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં છું

સ્વપ્ન સાકાર થઇને સામે આવીને ઉભા રેછે

અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.

 

 

 

સખી મારી બંધ આંખોએ જે જે દ્ર્શ્ય જોયાં છે,

એ તું સમજી ન શકતી અને હું કહી નથી શકતી,

પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે

અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા

સખી એ પારકાં સ્વપ્ના છે એમાં કેમ રાચે છે?

બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઇ એનું હું

અને તું છે કે અખી વાર્તાનો મોહ રાખે છે.

 

 

 

ક્ષમા કરજે બહેની તને જો માથું લાગ્યું હો

ન કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું

કોઇ એવી કળાથી મારા મનમાં મોર નાચ્યા છે

કે હું તો મારી પોતાની જ સિધ્ધીથી ડરી ગઈ છું

 

.

 

નથી મળતો તને ઉત્ત્તર છતાં તું રોજ પૂછે છે,

હું સમજું છું સખી તારી આ ચંચલતા કુતૂહલતા

જવાની બોલતી થઈ છે પ્રણય પણ આવશે નક્કી

રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ ભૂમિકા.

 

 

 

કોઇ સત્વર પધારે તારા જીવનમાં હું ઈચ્છું છું,

હું ઈચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ

જગતના સર્વ પ્રશ્નોના મળી જાયે તને ઉત્તર

ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.

 

 

 

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?

પછી તું કોઇ દી આવીને આ પ્રશ્નો નહીં પૂછે

પ્રીતમની રૂપ રેખા એવી નજરોમાં વસી જાશે

વધું પડતું હશે કાજળ તો એ પણ તું નહીં લૂંછે.

 

 

 

અને જોઇન લે કોઇ છબી નયનોની માટે

વિનાકારણ તું વારંવાર આંખોને મીચી લેશે

અને બંધ આંખોના અનુભવના પ્રતાપે તુ

જગતના સૌ પ્રિતમને પ્રેમ પૂર્વકા ઓળખી લેશે

 

.

 

manshe2

 

pagli 

પા પા પગલે__ બાબુભાઈ પટેલ   

  પા પા પગલે ચાલી ચાલી,

      કાલુ કાલુ બોલી બોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી.

      આ બક બક કરતા બાલિશ શબ્દો

      સાંભળશો કે…….. 

      ખુબ ખુબ કહેવું છે

      મારા નાનકડા મનડાએ આજે.

      આ તોતડીયા

      ગૂંગળાતા શબ્દો

      સાંભળશો કે………  

      અકળ દેશથી આવી આજે

      ભૂલો પડ્યો ભવસાગર વાટે.

      આ આકુળ વ્યાકુળ ઊછળતા

      ઉમંગોથી ઘૂઘવાતા શબ્દો

      સાંભળશો કે………..  

      પા પા પગલે ચાલી ચાલી,

      બોલું છું હું તોલી તોલી,

      કહેવું છે દિલ ખોલી ખોલી

      આ નાદાનીના બાલિશ  શબ્દો

સાંભળશો કે………  

ઇસ્લામ અને મોબાઈલ

Dr. Maheboob Desai

Friday, November 21, 2008 08:19 [IST]

 

mobile

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકામોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.

મોબાઈલના મસાઈલઅર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.