એક બાળકીને સ્મશાને લઈ જતાં—ઉમાશંકર જોશી
તને નાનીશીને કશું રડવું કશું કકળવું
છતાં સૌએ રોયાં ! રડી જે વડમાં લોક શરમેં
હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં
બિચારી બાના બે ગુપત ચખબિંદુ ય વચમાં
ખર્યાં સ્પર્શ્યાં તુંને નહીં,યમસમાં ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યું તું જેવે- મરણ કૂણું તે શીદ રડવું?
-છતાં સૌએ રોયાં રૂધિસર દઈ હાથ લમણે
ખભે લૈને ચાલ્યા,જરી લઈ,વળાંકે વળી
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી
રહી’તી તાકી એ, શિર પરચઢીને અવરને
સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી
અને પોતે ઉંચા કર કરીમથી ક્યાંક ચઢવા;
અમે આગે ચાલ્યા-રમત પરખીનેજ કપરી
ગળા પૂંઠે નાખી કર ,પગ પછાડી ,સ્વર ઉંચે
ગઈ મંડી રોવા ,તુજ મરણની ખોટ વસમી
અકેલીએ આખા જગ મહીં એણેજ વરતી
અને રોવું ન હતું મુજથી રોવાઈ ગયું!
આપના પ્રતિભાવ