Posted by: bazmewafa | 01/25/2010

કવિતા:એક બાળકીને સ્મશાને લઈ જતાં—ઉમાશંકર જોશી

એક બાળકીને સ્મશાને લઈ જતાં—ઉમાશંકર જોશી

તને નાનીશીને કશું રડવું કશું કકળવું

છતાં સૌએ રોયાં ! રડી જે વડમાં લોક શરમેં

હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં

 

બિચારી બાના બે ગુપત ચખબિંદુ ય વચમાં

ખર્યાં સ્પર્શ્યાં તુંને નહીં,યમસમાં ડાઘુજન તે

નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને

વિચાર્યું તું જેવે- મરણ કૂણું તે શીદ રડવું?

-છતાં સૌએ રોયાં રૂધિસર દઈ હાથ લમણે

 

ખભે લૈને ચાલ્યા,જરી લઈ,વળાંકે વળી

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી

રહી’તી તાકી એ, શિર પરચઢીને અવરને

સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી

અને પોતે ઉંચા કર કરીમથી ક્યાંક ચઢવા;

 

અમે આગે ચાલ્યા-રમત પરખીનેજ કપરી

ગળા પૂંઠે નાખી કર ,પગ પછાડી ,સ્વર ઉંચે

ગઈ મંડી રોવા ,તુજ મરણની ખોટ વસમી

 

અકેલીએ આખા જગ મહીં એણેજ વરતી

અને રોવું ન હતું મુજથી રોવાઈ ગયું!

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers