Posted by: bazmewafa | 01/20/2010
ગઝલ:સ્મરણ પી ગયો—જવાહર બક્ષી

સ્મરણ પી ગયો—જવાહર બક્ષી
મેં ક્યારે કહ્યું કે સ્મરણ પી ગયો,
ફકત હૉઠ પરથી રટણ પીગયો.
મને શુષ્ક નજરે એ જોતા રહ્યા,
ને હું ભીનું વાતાવરણ પીગયો
વધીને તરસ જાણે તડકો બની,
હું જળ સાથે પડછાયા પણ પીગયો
મને દોટ મુકવા શું કહેતો હશે?
આ રસ્તો, જે મારા ચરણ પીગયો
હો છાંટા કે છાલક કે બારેય મેહ,
રહ્યું એનું જે કંઈ વલણ પીગયો
બે ક્ષણ વચ્ચે મેં જળ સમાધિ લીધી,
લો, આખું સમયનું ઝરણ પીગયો
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ