Posted by: bazmewafa | 06/21/2009

વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી

  

વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી

 

બની ગઈ નીંદરો વેરી, વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ

મળી નજરોને જાણે દર્દની મોસમ શરૂ થઈ ગઈ

  

ન ઈચ્છાના વિહારો છે ,ન મરજીના વિસામા છે

હતી જે પ્રીતની વેલી તે વિકસીને તરૂ થઈ ગઈ

  

મને સંસારની કેડીજ લઈ ગઈ સ્વર્ગના દ્વારે

કથિર માની હતી જેને એ સોનાનો ચરૂ થઈ ગઈ

  

સમય ફરતાંજ વૈરી  થઈ ગયા સૌ પ્રાણ પ્યારાઓ

ગુલાબોની હતી કળિયો એ જાણે ગોખરૂ થઈ ગઈ

  

હજું તો આ કલાપંથે ખરેખર મારું પગરણ છે

બળતરા કેમ હમણાથી હરીફોમાં શરુ થઈ ગઈ

 

કવિતાએ ‘મુસાફિર’ નામ જીવનનું દીપાવ્યું છે

ગણી’તી વેદના જેને અમારી આબરૂ થઈ ગઈ


Responses

  1. સરસ ગઝલ! આભાર !
    ૨૧/૦૬/૨૦૦૯ કવિ શ્રી મુસાફિર પાલનપુરી નો જન્મ દિવસ હતો આ જન્મદિવસ ની ભેટ તો નથી ને ? કે પછી એક જોગાનુંજોગ….

    હજું તો આ કલાપંથે ખરેખર મારું પગરણ છે
    બળતરા કેમ હમણાથી હરીફોમાં શરુ થઈ ગઈ
    વાંચો એમના જન્મદિવસે એક વળી એમની ગઝલ
    http://sspbk.wordpress.com/2009/06/22/khabar-na-pade/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers