Posted by: bazmewafa | 04/06/2009

ગઝલ:જાન ચાલી છે-‘શૂન્ય‘પાલનપુરી,શૂન્યની સૃષ્ટિ***3

શૂન્યની સૃષ્ટિ***3

 

જાન ચાલી છે-શૂન્યપાલનપુરી

 

(સ્વજનનાં મૃત્યુ પ્રસંગે લખાયેલી ગઝલ)

 

થયાં છે લોક ભેગા કેમ ?આ શાની ખ્ઉશાલી છે ?

કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે ?

 

 

હવે કોઈ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની:

કઝાએ પ ,ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે !

 

 

ઘડીમાં દીપ સળગે છે ઘડીમાં ઓલવાયે છે:

અમારી આ જવાની છે કે પાગલની દીવાળી છે ?

 

 

પતી જાયે છે ઘર મેળે,  અમારે દાન અશ્રુનું !

હૃદય પોતેજ દાતા છે નયન પોતે સવાલી છે.

 

 

રડેછે કોણ એવું પોક મુકી શૂન્યનાં શબ પર?

મને લાગે છે રઝળી પડેલી પાયમાલી છે.! !

 

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers