શૂન્યની સૃષ્ટિ**1
કવન વેચવાં છે—‘શૂન્ય’ પાલનપુરી
હ્રદય રકતથી જેનું સીંચન કર્યું છે
એ જીવન –ચમનનાં સુમન વેચવા છે.
ખરીદો ,ખરીદો ,ઓ દુનિયાના લોકો !
અમોલા અમોલા કવન વેચવા છે
ગરીબાઈની લાજ રાખી છે જેણે
એ ધીરજના છૂપાં રતન વેચવા છે
કફનની રહે જોગવાઈ એ માટે
અમારે અમારાં જીવન વેચવા છે.
ખરીદી શકે છે કોઈ પણ જગમાં
વિનિમયમાં આપી શકે જો પ્રભુને
જે શ્રધ્ધાની મોંઘેરી મૂડી સમાં છે
એ સઘળા અશંકિત નમન વેચવા છે.
નથી જોઇતી અલ્પતા દેવગણની
મળી જાયે શંકરનું ગૌરવ અમોને
એ ખાતર જીવનના બધા ઝેર સાટે
આ બાકીનાં સઘળાં રતન વેચવા છે
આપના પ્રતિભાવ