કવિતા ન કરવા વિશે કવિતા_ જયંત પાઠક
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરોવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઉગતું બંધ થઈ જાય ?
ના,ના,એવું તો ના થાય-
પણ….પછી
જલપરીઓ છાની માની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રિડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
શ્વાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથવી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઉંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
એટલે કશું થાયજ નહીં !

jai shri krushan
mane tamari kavita no bhavarth ma je anand avyo chee ae hu a comment ma na api shaku …
thnnks for a such a good poem
By: maulik on 12/01/2009
at 4:18 PM