ફર્નાંદો પાસો_ ગ્રીક કવિ(1888 _1935)
કવિ એક ઢોંગી માણસ છે
તે પોતાના અભિનયમાં એટલો પાવરધો છે કે
તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે
અને એ વેદનામાંથી વાસ્ત્વિક પીડા અનુભવે છે.
*
હું કશું પણ નથી
અને હું કદી કંઇક બની પણ ન શકીશ
અને કંઇક બનવાની કલ્પના પણ કરી શકતો નથી
પરંતુ મારા માહ્યાલામાં વિશ્વનાં બધાંજ સ્વપનો તરવરે છે.
*
મારા વાળ ઉપર જ્યાં સુધી મંદ સમીર અનુભવું છું
અને પર્ણો પર આ સૂર્યને ઉજ્જવળ રીતે ચમકતો જોઉં છું
હું વધું કશું માંગીશ નહીં
ભાગ્ય મને વધૂ સારું શું અર્પી શકે છે?
જિવનની આવી અજ્ઞાત ક્ષણોને આહલાદક રીતે ગુજારી આપે
*
મારી પાંસે કોઇ મહત્વકાંક્ષા કે ઈચ્છાઓ નથી
કવિ થવાની પણ મારી ઈચ્છા નથી
એ મારી જિંદગીના એકલવાયા પણાનો એક માર્ગ છે
(અંગ્રેજી પરથી અનુવાદ-વફા)
