સપનાં સરી ગયાં !__ ‘લતીફ’ સુરતી
કેવો પ્રભાવ મારા હૃદય પર કરી ગયાં ?
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયા ?
સન્માન કરજો યા પછી ઠોકર લગાવજો,
દિલ અમે તો આપને ચરણએ ધરી ગયા.
આવ્યા અમારી પાંસે ઉમંગો અનેક લઇ,
અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયા.
તારી હતી એક આશા,તું એનો વિચાર કર,
જેનાં જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં.
વાતો હવે વફાની જગતમાં રહી ગઇ,
દુશ્મનનું કામ જે હતું મિત્રો કરી ગયા.
લાગી ‘લતીફ’ કોની નજર તારા બાગને.
બે_ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં.
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયા ?
દિલ અમે તો આપને ચરણએ ધરી ગયા.
અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયા.
જેનાં જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં.
દુશ્મનનું કામ જે હતું મિત્રો કરી ગયા.
બે_ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં.
Posted in ગઝલ | Tags: ગઝલ, સપનાં સરી ગયાં !__ ‘લતી, Latif Surati
