Posted by: bazmewafa | March 25, 2008

ન પહોંચે તો ચાલે_ શૈલેશ ટેવાણી

bartosuraj.jpg 

ન પહોંચે તો ચાલે

બધું લોક સુધી ન પહોંચે તો ચાલે.
બધું લોક સમજે નહીં તોયે ચાલે.

નદી ગામમાંથી વહે નૈં તો ચાલે.
વૃક્ષોને પાંખો ફૂટે નૈં તો ચાલે.

પવન સૂર્ય થઇને બળે નૈં તો ચાલે.
બધું પ્રેમ બોલે નહીં તો ય ચાલે.

સ્મરણ આંખમાંથી ખસે નૈં તો ચાલે,
બધા માર્ગમાં એ મળે નૈં તો ચાલે.

બધી પ્રાથનાઓ ફળે નૈં તો ચાલે,
કવિતા કવિ પણ લખે નૈં તો ચાલે.

_ શૈલેશ ટેવાણી

ગઝલનો છેલ્લો મિસરો અન્ય કવિનો છે._બઝમ

Responses

આમાં કાફિયા ક્યાં છે?

ડો.શ્રી શૈલેશ ટેવાણી 1 હાજર હો 1
મજકૂર રચના ગઝલ હોય તો કાફિયા ક્યાંછે.? અને ગઝલ ન હોય તો થોડા કાફિયા શા માટે?
તમે આ બધું તમારા કાવ્ય સંગ્રહ ‘ઘૂઘવું છું સમુંદર સમો’ પ્રાપ્તિ સ્થાન: ડો;શૈલેશ પ્રેમ શંકર ટેવાણી,ભાગવત-ભવન,7 પટેલ કોલીની ,જામનગર-361 007,પૃ.96 મૂલ્ય17-50 માં લખ્યું છે. અને સદગત શ્રી રમેશ પારેખે પણ આ ??? ને એમના સંપાદિત પૂસ્તક ‘સર્જકનાં શબ્દને સલામ,પૃ-171 પર આની સાનંદ નોંધ લીધી છે. જરા ખુલસો કરવા વિનંતી છે. ____વફા

Leave a response

Your response:

Categories