અમલ એવા નથી તો ?

2_હઝલ
જપે એ જાપ તો આઠે પ્રહર પૈસા ટકાનો છે,
કરેછે બંદગી ત્યારેજ એ બંદો ખુદાનો છે.
કહે છે લોક શાહીનો હવે તો જમાનો છે,
છતાં નેપથ્યમાં રણકારતો પૈસા ટકાનો છે.
ન દસ,દુનિયામાં ,સિત્તેર આકેબતમાં પામવાનો છે,
થતાં ‘ભિક્ષુક’ધારો શેખ પર રખડી જવાનો છે.
અમલ એવા નથી , તો આ બધો ઉત્પાત શાનો છે?
કહે દોઝખના રસ્તે ,ક્યાંથી જન્નતમાં જવાનો છે.?
પ્રભુતામાં કદમ માંડ્યા કે ખોલ્યું પોલ્ટ્રી _ફારમ,
હરમખાને,તામારા શેખજી ઘોંઘાટ શાનો છે.
ઉતારી સ્વર્ગ ધરતી પર ,પછી વિજ્ઞાની તું કહી દે,
ભલા મૃત્યું પછી દોઝખ વિના ત્ય કયાં જવાનો છે?
અસર અવકાશ યુગની થઇ ગઇ ‘લયલા; ઉપર કેવી?
જુએ છે ચન્દ્ર ઉપર ત્યાંથીજ મજનુ આવવાનો છે.
નવી દુનિયાની વાતો’મુલ્લા’,એ વિજ્ઞાનીઓ જાણે,
કે દાવો ‘શેખ’નો તો ‘દો જહાં’ને જાણવાનો છે.
_ ‘મુલ્લા’રમૂજી
(મર્હુમ મસ્ત હબીબ સારોદી સાહેબની એક હઝલ.જે એમણ ‘મુલ્લા’ રમૂજી ના ઉપનામથી લખતા હતા)
Posted in હઝલ | Tags: અમલ એવા નથી તો _ ‘મુલ્, પ્રભુતામાં કદમ માંડ, Gujlish Gazhalo