દર્દ વેચાય છે
દર્દ વેચાય છે
બજારો માં
દર્દ ઘણા મોંઘા વેચાય છે
શૈલી નો કરોબાર જો ચાલી નીકળે
તો લાગણીનાં ખરીદારો
નાનાં મોટા બધા દર્દનાં રમકડાં
મોં માગી કિંમતે ખરીદે
મેં હમેશા માર દર્દોને
ઊંચામાં ઊંચી કિંમતે વેચ્યા છે
પરંતુ
જે દર્દ મને આજે પ્રાપ્ત થયું છે
કોઇ પણ દુકાન પર રાખવાને યોગ્ય નથી
પ્રથમ વાર હું શર્મિંદો છું
આ દર્દને
હું વેચી નહીં શકું
(ઉર્દૂ ભાષાના સુવિખ્યાત ક્રાંતિકારી કવિ,લેખક,પટકથા લેખક,સંવાદ લેખક શ્રી જાવેદ અખ્તરની એક આઝાદ નઝમનો અનુવાદ_વફા)
Posted in અછાંદસ