તણખા વાવી તારા લણનાર મહા કવિ ડો.મોહમ્મદ ઈકબાલ_રતિલાલ અનિલ
ડૉ.મોહમ્મદ ઈકબાલ તણખો વાવીને તારા લણનાર મહા કવિ છે.એમણે એટલા બધા તણખા વાવ્યા છે કે આકાકાશ ગંગા ઉગી ગઈ છે. એમના દસ કાવ્ય સંગ્રહોની હજારો પંક્તિઓ એક વિશાળ આકાશ ગંગા રચી છે. બીજા માટે એમની ધરતી અપેક્ષિત છે,પણ એમનું લક્ષ્ય સ્થાન આકાશ છે. એમણે પસંદ કરેલું ગરૂડનું પ્રતિક કાવ્યાકાશમાં ઘૂમે છે. ત્યારે અપાર્થિવ ભાવ પ્રદેશમાં વિહરવાની રમણીય
રોમાહર્ષક અનુભૂતિ થાય છે.
‘ઝબૂરે આઝ્મ’ સંગ્રહની પહેલી કૃતિનાં પ્રથમ શે’રમાં ડો.ઈકબાલ કહેછે:‘ હું બારણાંની બહારથી પસાર થઈ ગયો અને મેં ઘરની અંદરથી વાણી લલકારી આહ, ન કહેવાની વાતો મેં કલંદરી શાનથી કહી! ‘ ડૉ.ઈકબાલની વાણી સાચેજ અપૂર્વ અને કલંદરી જ છે. એમાં માત્ર ફિલસુફની પ્રખર મેઘા નથી.પયગંબરી ઓજસ્વીતા છે. દિવ્યતાનો અણસાર આપતા ઓજસથી એમની વાણી વિલસે છે. ઈકબાલની કવિતામાં ‘ભાષા’ નથી, ‘વાણી’ છે. પોતાના અનેક શેરોમાં બુધ્ધિની મર્યાદાને ફરી ફરી ચિંધનાર ,એનો એકરાર કરનાર ઈકબાલમાં પ્રખર મેઘા તો છેજ,પણ તે એમને અપેક્ષિત નથી.અક્ક્લની નિગેહબાની રહે એ ઠીક છે છતાં તેઓ કહે છે કે: ‘લેકિન કભી કભી ઉસે તન્હા ભી છોડ દે ! ‘ બુધ્ધિને એકલી છોડી દો.ડો.ઈકબાલની વાણીમાં મેઘાતો છેજ પણ નેત્રની પ્રસાદી કહી શકાય એવી અનેક કાવ્ય પંક્તિઓ માત્ર મેઘાનું પરિણામ નથી.
’સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ,
અભી ઈશ્ક કા ઈમ્તિહાં ઔર ભી હૈ.’
કહેનાર ઈકબાલની જન્મભૂમિ સિયાલકૉટ નથી,અનંત બ્રહ્માંદ છે.આદમ આદમીના અસ્તિત્વ અને અસ્મિતા જેટલોજ ઈકબાલને આ જગત સાથે ઓછામાં ઓછો સબંધ છે.પણ એ ઓછામાં ઓછા સંબધેજ એમનો વિપુલ રાશિ આપણને સાંપડ્યો છે.કાવ્યે એમને યશ આપ્યો છે,પણ યશ માટે એમણે કાવ્યો રચ્યા નથી, ઈકબાલ સ્વયંય પ્રતિષ્ઠિત છે અને એમના સ્પર્શથી ખુદ કાવ્ય પણ પ્રતિષ્ઠિત થયું છે. ’પયામે મશરિકનાં સત્તરમાં મુકતકમાં ડૉ.ઈકબાલ કહે છે:
‘હે પ્રભાતનાં તારા ! તુ તો ઝડપી ગતિએ અમારા પરથી પસાર થઈ ગયો_કદાચ તું અમારી નિન્દ્રાથી વ્યાકૂળ થઈને ચાલ્યો ગયો.હું મારી અજ્ઞાનતાને કારણે માર્ગ ભૂલ્યો છું પણ તું તો જાગ્રત આવ્યો અને જાગ્રત ચાલ્યો ગયો.
પ્રભાતનો એ ઓજસ્વી તારો ડૉ.ઈકબાલ પોતેજ હતા.પ્રજાની નિષ્ઠા જોઇને એમને પ્રખર વાણીથી જગાડતા વ્યાકૂળતાથી ઈતિહાસનાં એક તબક્કામાંથી પ્રકાશનો એક માર્ગ દોરીને એ ચાલ્યા ગયા.
ડૉ.ઈકબાલ ની શાયરી માણસને નિન્દ્રામાંથી ઢંઢોળે છે.અને પ્રકાશનાં માર્ગે ઉન્નત મસ્તકે ચાલવાને દોરે છે.અદભુત છે એ માર્ગ અને અદભુતછે એ માર્ગે આવતા પડાવો. ‘પયામે મશરિક,માં બારમાં મુકતક માં ડૉ.ઈકબાલ કહે છે : ’હું નતો આરંભ કે ન તો અંતની શોધ માં નીકળ્યો છું.હું તો નખશીખ મર્મ છું.તમે હકીકતના ચહેરા પરથી પરદો ઉપાડો તો જોશો કે હું તમામ ‘કદાચ’ અને ‘પણ’ ને ફરી ફરીને’શોધી રહ્યો છું. આ એક મુકતકમાં ડૉ’ઈકબાલનો સંપૂર્ણ પરિચય આવી જાય છે.ઈકબાલ રહસ્યમય જગતનાં યાત્રી છે,પણ પોતે પ્રગટ છે.
દાર્શનિક ઈકબાલનં આ વચનો ખલિલ જિબ્રાન ‘ધ પ્રોફેટના’ વિખ્યાત ચિત્ર ‘એક અનંત સાગરમાં એક અનંત બિંદુને સંભારી આપે છે.
દારશનિકને માટે કોઇ પણ હકીકત (વાસ્તવિકતા) સંપૂર્ણ નથી તે તો માત્ર નિમિત્ત રૂપ શરૂઆત છે. એક ભૂમિકા છે. પ્રત્યેક વાસ્તવિકતા સાથે એ’ કદાચ’ ને જોડે છે.પોતાની ધારણાને માર્ગે ખોજ કરે છે,જવાબ મેળવે છે.પણ એટલેથી એમને અટકવાનું નથી. ‘પણ’ કહીને વિશેષની શોધમાં કહો કે અનંત ની યાત્રાએ આગળ વધવાનું છે.‘વાસ્તવ’ એટલે શબ્દકોશ આપેછે તે અર્થ નહીં.ડો.ઈકબાલની વાસ્તવની વ્યાખ્યા અતિ વ્યાપક છે. કદાચ આ વિશ્વ જેટલી વ્યાપક !
ડો.ઈકબાલના મતે બીજ એ અસ્તિત્વ નથી. એ વાસ્તવિકતા નથી. એ બીજ જમીનમાં ભળીને અંકુર રૂપે મોઢું કરેછે. ,આકાશની દિશામાં લીલા છમ સ્વરૂપે એક લીલા મનોરમ રૂપે આગળ વધે છે. અને પોતાન સ્વરૂપને જુએ છે. એ વાસ્તવિકતા છે.ઈકબાલનું વાસ્તવ દરશન આવું છે.
એમનો વિખ્યાત શે’ર સાંભળી એ:-
કભી અય હકીકત મુંતઝર નઝર આ લિબાસે મજાઝમેં
કિ હજારોં સજદે તડપ ઉઠે મેરી એક જબીનો નિયાઝ મેં.
’હકિકતે મુંતઝર’એટલે ‘પ્રતિક્ષિત વાસ્તવિકતા’ આજનો હકીકત રૂપ માણસ તો સ્થૂર વાસ્તવિકતા છે. એનું દર્શન ડો.ઈકબાલ વ્યાકૂળ કરેછે.ઉત્તેજે છે,આ કંઈ અસ્તિત્વ નથી. એમાં અસ્મિતા કયાં છે ?અને ઈકબાલ પ્રતિક્ષિત વાસ્તવિકતાને લલકારે છે.ઈકબાલની શૂષ્ક નિર્જીવ સંબોધન નથી,લલકાર છે.ઈકબાલની માનવ છ્બી ડો.ઈકબાલનું દર્શન નથી.હિરણ્યમય પુરુષ એ એમનું દર્શન છે. એ પુરુષને સાકાર થઈ ને આ પૃથવી પર આવવાને લલકારે છે.પરંતુ આ પૃથવી પરનો એક પ્રેમાતુર માણસ ‘મજનુ’ની નામ સંજ્ઞા ધારણ કરી ફરી એક ‘લયલા’ નામ ધારરી પ્રેમાકાર પર પાગલ થાય છે, ત્યારે તેને કહે છે:
મજનુને શહર છોડા તો સહરા ભી છોડ દે
.
નઝ્ઝાર કી હવસ હૈ તો દુનિયા ભી છોડ દે !
માણસની અંતિમ શેષ્ઠતર પ્રાપ્તિ વિશેનો ઈકબાલી અભિગમ અહીં પ્રગટ થઈ જાય છે. અસ્તિત્વ અને અસ્મિતા ઈકબાલની અનંત શોધ છે. આસ પાસ દેખાય છે તે તો સર્વ સામાન્યતા છે. અસ્મિતા સભર અસ્તિત્વ નથી.પોતે છે તે બુલંદીએ માણસને જોઈ શકે છે.તેના દીદાર આપણે પણ કરીએં.એટલુંજ નહીં આપણે એમાટે દીદાર બનીએ એ માટે ઈકબાલ વ્યાકૂળ છે.
ડો.ઈકબાલની વાણીમાં પ્રખર ઓજસ છે.પયગંબરી લલકાર છે.એમની વાણી ઉર્જાનો ધોધ છે.
અસ્મિતાવિહોણું અસ્તિત્વ ડો.ઈકબાલ નકારે છે.અને એ અસહ્ય વ્યાકુળતા ઈકબલ પાંસે કાવ્યો લખાવે છે.
એમણેજ કહ્યું છે:
ફિર બાદે બહાર આઈ ઈકબાલ ગઝલખાં હો.
ગુંચા હૈ અગર ગુલ હે ગુલ હો તો ગુલિસ્તાં હો.
ઈકબાલ સાચેજ ગઝલખાં છે. પણ એ ગઝલ પૂરતા મર્યાદિત નથી.એમને જે વાતો કહેવી છે ,અસ્ખ્લિત ધારા એ મહાનદના પ્રવાહે કહેવી છે.કહ્યે જવી છે ,એ માટે નઝમનું ફોર્મજ એમને અનુકૂળ પડે ,એટલે નઝમના અનન્ય કવિ છે.ગઝલ જેવું નાનું ઉર્મિકાવ્ય એમને નાનું પડે ,છ્તાં એમણે ગઝલો પણ કહી છે,અને ગઝલને પણ એક આગવું સ્વરૂપ બક્ષ્યું છે. ‘નઝ્મ’નાજ કવિ જોશ મલીહાબાદીથી એ જુદા અને અનોખા તરી આવે છે.તે ખાસ તો એમની ફારસી ગઝલો બતાવી આપે છે.એનું શ્લોકત્વ સંસ્કૃત શ્લોકત્વને સંભારી આપે એવું છે.એમણે ગઝલ ને વિશિષ્ટ સાતત્યલક્ષી સ્વરૂપ આપ્યું . શે’રે,શે’રે,ખંડિત નહીં ,પણ સંબંધિત સળંગ સ્વરૂપ ગઝલની ગૌરવશાળી શક્યતા એમાં પ્રગટ થઈ છે.
માણસની અસ્તિત્વની અવનતિ પ્રત્યે ડૉ.ઈકબાલને રોષ નહીં પણ સહનુકંપા છે.આથી એમની વાણીમાં માંદલો કે રૂકદિષાભર્યો કરુણ રસ નથી,પણ શિવ સ્વરૂપી પ્રખરતા છે,વીરતા છે.તેઓ માણસને મહેણું મારતા નથી ,પણ લલકારે છે.શ્ક્યતાને’ખમીર’મને ઉભારે છે.ઈકબાલ નેશન અને પ્રજાને પ્રે એવા મહા કવિ છે.
ઈકબાલની સ્કુલમાં થઈએં_પહેલાં ધોરણમાં લલકારીએં.
‘લબપે આતીહૈ દૂઆ બનકે તમન્ના મેરી,અને ઠેઠ એમ.એ.ના વર્ગોમાં પહૉચી ભણીએં.
‘ખુદીકો કર બુલંદ ઈતનાકી હર તકદીરસે પહેલેખુદા ખુદ બંદેસે પુ છે: બતા તેરી રઝા કયા હૈ?
ઈકબાલી કાવ્યોનો વ્યાપ જીવનની સર્વ અવસ્થાઓ સુધી લંબાય છે.પણ પૂરો થતો નથી.ઈકબાલના જગતને કોઇ સાંકદી સરહદો નથી.એમના એક કાવ્ય સંગ્રહની શરૂઆત તેઓ ભર્તુહરિના પેલા પુષ્પથી કોમળ અને વજ્રથી કઠોર એવી ઉક્તિના શ્લોકના અનુવાદથી કરેછે.
‘ફૂલકી પત્તીસે કત સકતા હૈ હીરેકા જીગર
મર્દે નાદાં પે કલામે નર્મો માઝુક બે અસર.
* * * * ફૂલ કેરી પાંદડી કાપેછે હીરાનું જીગર
નર્મ વાતો હોય છે અજ્ઞાન માટે બે અસર.
પયામે મશરિકના એક ખંડમાં એમણે યુરોપના અનેક ફિલસુફો ,મહાકવિઓ અને મનીષીઓને સાંભર્યા છે.તો અન્યત્ર એશિયાના મનીષીઓને પણ એમણે અંજલિ આપી છે. અને સ્વામી રામતીર્થ અને ગુરુ નાનકનોએ એમાં સમાવેશ થઈ જાય છે.
ઈકબાલને સર્વ સામાન્યતા ,નરી હકીકત આઘાત આપે છે,અને જ્યાં પણ અસાધારણ વ્યક્તિત્વ,પ્રતિભા જુએ છે તે એમના ચિંતનનો વિષય બને છે.માણસ અને આ જગતને તે છે એથી મૂઠી ઉચેરો નહીં ,પણ આકાશ ઉંચેરો જોવા ઈકબાલ વ્યાકુળ છે.
જુર્રા શાહીની બમુર્ગાને સુરા સોહબત મગીર. બોઝો બાલો પર કુશા , પરવાઝે તુ કોતાહ નેસ્ત.
(અનુ: તુ નર ગરુડ છે ને? તો બાગ અને ઘરના (પાળેલાં_pet)પંખીઓથી આઘો રહે,ઉઠ અને પાંખ ખોલ, તારું ઉદ્દયન ખૂબ ઉંચુ અને વિશાળ છે.)
એમની ‘ચિત્રકળા’નામની નઝમ વાસ્તવિકતાનું વર્ણન કરે છે.ડો.ઈકબાલે તેમના સમયે ખૂબ પ્રચલિત એવા, રાજા રવિ વર્માનાં ચિત્રો જોઇને એ લખે છે: ‘તપમાં બેઠેલા સન્યાસીનો તપ ભંગ કરવા મોહ પમાડતી અપ્સરા ,પોપટના પિંજર પાસે ઉભેલી સુંદરી ….. એ કાવ્યની શરુઆતમાંજ ડો.ઈકબાલ બોલી ઉઠે છે,,એમાં કશું મૂર્તિ મંડન કે મૂર્તિ ખંડન નથી… છે તો ગાડરિયો પ્રવાહ !
ડો ઈકબાલની વાણીનું ઉત્થાન અને ઉડ્ડયન ાવી વાસ્તવિકતાની ભૂમિ પરથી પ્રારંભને ઉંચે જાય છે.માણસની ક્ષુલ્લતા એમને અસહ્ય બને છે.
‘ગુલશને રાઝ’ માં એક સ્થાને તેઓ કહે છે: ’તે (માણસ) એવું હરણ ,જે આકાશમાં ચરેછે અને દોધ ગંગામાં પાણી પીએ છે,’
ડો.ઈકબાલને એમના કાવ્યોને સમજવા એમના આર્ષ દરશન ને સમજવાની આ ભૂમિકાછે.તેઓ અન્યત્ર માણસને કહે છે’ખુદીની ખોજમાં ખોવાઈ જા અને ખુદીનો સિદ્દીક બનીજા’
એમની તીવ્ર આરત છે: ’તેને (ઈશ્વરે) મને ઘઊંના એક દાણા માટે પૃથવી પર મોકલ્યો,સાકી ! શરાબના એક ઘુંટ માટે તુ મને આકશની દિશામાં ઉડાડી મુક. !’
ડો.ઈકબાલની કવિતા અકાશનું ફૂલ નહીં ,આકાશનો બાગ છે.
અનંત દિવ્યતાની અણ્ખૂટ તરસ એમની વાણીની અભિવ્યક્તિ બને છે. ઘઊંનો દાણો વાસ્તવિક હોય ,વાસ્તવિકતાનો દિવ્ય રસ છે.
ઈકબાલનં સમગ્ર હ્રદયમંથનોનો આજ પ્રબળ ઈચ્છા સાર સમજાય છે.
ડો.ઈકબાલના કાવ્યો બહુધા પર લક્ષી છે. પયગામ આપનારના ઉદગારો સ્વગત અને સ્વલક્ષી ન હોય. પર્.તુ એમની નજરમાં સર્વ ગ્રાહી માણસ છે.,તે ‘સ્વ’ અને ‘પર’ની સરહદો ઓળંગીને
‘પરલક્ષી’ને’ સર્વલક્ષી’ બનાવે છે.
અંતર ખોજ પછીના ઉદગારો ! ઈકબાલે સ્વપ્રાપ્તિ માટે જાણે આંતરખોજ કરવાની જરુરજ નથી ! આંતરખોજ અને સ્વપ્રાપ્તિ પછી જ જાણે એમણે કલમ ઉપાડી છે. આથી એમની સમગ્ર મથામણ સમગ્ર માનવ જાત માટેની મથામણ બની રહેછે.ડો.ઈકબાલ’ સ્વને ‘ ભુંસીને ‘સ્વ’ રૂપે પ્રગટ થાય છે. એ મથામણ માંએમને સ્થાપિત મૂલ્યોસ્થાપાયે જતાં નવાં મૂલ્યોને પૂર્વે પક્ષરૂપે ,મંદન રૂપે પ્રગટ કરી ખંદન કરવાનો કે એમની દ્રષ્ટિએ સાચું એવું મંદન કરવાનો સમર્થ પુરુષાર્થ કરવો પડેછે. સવાલ_જવાબ રૂપનાં એમનાં સુદીર્ઘ કાવ્યો એનુંજ પરિણામ છે.
ડો.ઈકબાલ એક એવું મહાન મોજું છે_ જે પ્રચંદ રૂપે પ્રબળ વેગે આગળ ધપે છે. કિનારો છોડીને મેદાન ,ટેકારા વળાવી ,પરવતે ચઢીને આકાશને ભીંજવી નાંખે છે.
આવા દાર્શનિક મહા કવિને પામવા કેવળ બૌધ્ધિક સજ્જ્તા કામ ન લાગે.દિવ્ય અંશી પ્રેમ છલો છલ આતુર હૈયું અને જિંદગીના ઉત્તમ વર્ષો એ માટે જોઇએ. (મહા કવિ ઈકબાલ_સં.આચાર્ય જ.મસ્ત મંગેરા તંત્રી:વ.સમાચાર ના સૌજન્યથી)

Allama shaikh sa’adi unki kitab”Karima” me Allah se munajat me
likhte hain.
“Munajat b- drgahe Mujeebud-d-avat”
Karima be bakhshae barhale ma
Ke hastam asire kamnde hawa”
Means:E…karim(allah)tu hamare hal per raham frma
Islie ke me(Sa’adi)Khwahishate nasani ka qaidi hun
“Ndarem gair aztu friyad ras
Tu ee aasiyara khta bakhsho bas”
Means:Hum tere siva kisi ko fryad ras nahi rakhte
Sirf tuhi gunah garon ke gunahon bakhshne wala hain
“Ni gehdar mara ze rahe khata
Khata dar guzaro swabm numa”
Means:Galt raste se hamari hifazat frma
Hamari Galti ko mua’af frma aur hame sidha rasta bta
saifu
By: irfan on 06/17/2007
at 2:09 PM
O shayri sunne valo jara gor se suno
aage muje kuch nahi aat kisi aur se suno
saifu
By: irfan on 06/17/2007
at 2:11 PM
very interesting, but I don’t agree with you
Idetrorce
By: Idetrorce on 12/16/2007
at 5:13 AM