Posted by: bazmewafa | March 18, 2007

શૂન્ય’ પાલનપુરીના મુકતકો,શેરો.

 

મુકતક__ શૂન્ય પાલનપુરી


1
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.

લાગે છે શૂન્ય મૌનની સરહદ નજીક છે
વાણિનો આ વિલાસ વધુ ચાલશે નહીં.

2
શ્વાસના પોકળ તકાદા છે તને માલુમ નથી
નાઉમ્મીદીના બળાપા છે તને માલુમ નથી.

જિંદગી પર જોર ન ચાલ્યું ફકત એ કારણે
મોતના આ ધમપછાડા છે તને માલુમ નથી
3
શૂન્યના મૃત્યુ વિશેની અટકળો ખોટી ઠરી
ના થવાનુઁ થઈ ગયુઁ વાત એવી સાંભળી.

બુધ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનુ
લાગણી વાળા હવે રાખે છે એનીએ સાદડી.

ચુનંદા શેરો. _ શૂન્ય પાલનપુરી



ખૂબજ ધમાલમાં છે શ્વાસોચ્છ્શ્વાસ આજે
હે જીવ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે.
*
ફરિશ્તાઓ મને લઈ જાય છે નિજ હસ્તે મરણ ટાણે
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.
*
શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી
કોઈની તો યાદ છે જે અધરમાં અટકેલ છે.
*
હવે તો શૂન્ય દીવાના !ઘડીક પોઢી જા
તમામા રાત કરી તેં જગતની ઊંઘ હરામ.
*
અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
*
થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?

 

 

 


Responses

  1. અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
    ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
    *
    થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
    કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?

    KHUB KHUB KHUB SARAS KOY JAWAB NATHI….

    MAYUR SOSA
    C C B


Leave a response

Your response:

Categories